Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 55 of 153
PDF/HTML Page 63 of 161

 

background image
અધ્યાય-૬ ][ ૫૫
चिद्रूपे केवले शुद्धे नित्यानंदमये यदा
स्वे तिष्ठति तदा स्वस्थं कथ्यते परमार्थतः ।।१२।।
ચિદ્રૂપ કેવલ શુદ્ધસ્વરુપ એ નિત્યાનંદે પ્રપૂર્ણ,
તે નિજ સ્વરુપે રે સ્થિર તો નિશ્ચયે, સ્વસ્થ કıાો સંપૂર્ણ.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૨.
અર્થ :જ્યારે આત્મા નિત્યાનંદમય કેવળ પોતાના શુદ્ધચિદ્રૂપમાં
સ્થિર થાય છે, ત્યારે પરમાર્થથી સ્વસ્થપણે સમાધિરૂપ કહેવાય છે. ૧૨.
निश्चलः परिणामोऽस्तु स्वशुद्धचिति मामकः
शरीरमोचनं यावदिव भूमौ सुराचलः ।।१३।।
નિર્મળ નિજ ચિદ્રૂપ વિષે રહો, નિશ્ચલ મુજ પરિણામ;
દેહ જતાં પણ એ ન ચળો કદા, મેરુ ચલે નહિ નામ.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૩.
અર્થ :જ્યાં સુધી શરીર છૂટ્યું નથી, ત્યાં સુધી પૃથ્વી ઉપર
મેરુ પર્વતની જેમ, સ્વ શુદ્ધ આત્મામાં મારા પરિણામ નિશ્ચલ રહો. ૧૩.
सदा परिणतिर्मेऽस्तु शुद्धचिद्रूपकेऽचला
अष्टमीभूमिकामध्ये शुभा सिद्धशिला यथा ।।१४।।
નિર્મલ નિજ ચિદ્રૂપ વિષે સદા, મુજ પરિણતિ હો અકંપ;
જેમ વિરાજે રે અષ્ટમી ભૂમિમાં, સિદ્ધશિલા નિષ્કંપ.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૪.
અર્થ :જેમ આઠમી ભૂમિ (પૃથ્વી)ના અગ્રભાગે મોક્ષસ્થાનમાં
પવિત્ર સિદ્ધશિલા નિશ્ચળ છે, તેમ શુદ્ધ ચિદ્રૂપમાં મારા ભાવ સદા નિશ્ચળ
રહો. ૧૪.
चलंति सन्मुनीन्द्राणां निर्मलानि मनांसि न
शुद्धचिद्रूपसद्ध्यानात् सिद्धक्षेत्राच्छिवा यथा ।।१५।।