Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 56 of 153
PDF/HTML Page 64 of 161

 

background image
૫૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
નિર્મળ ચિદ્રૂપ ધયાન થકી કદી સંત મુનિવર્ય ચિત્ત;
લેશ ચળે ના સિદ્ધિક્ષેત્રથી સિદ્ધો જ્યમ ત્યાં સુસ્થિત.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૫.
અર્થ :જેમ સિદ્ધક્ષેત્રથી સિદ્ધો ચળતા નથી તેમ શુદ્ધ આત્માના
ઉત્તમ ધ્યાનથી, મુનીન્દ્રોનાં નિર્મળ મન ચળતાં નથી. ૧૫.
मुनीश्वरैस्तथाभ्यासो दृढः सम्यग्विधीयते
मानसं शुद्धचिद्रूपे यथाऽत्यंतं स्थिरीभवेत् ।।१६।।
શુદ્ધ સ્વરુપે રે નિશ્ચલ ધયાનનો, સમ્યગ્ દ્રઢ અભ્યાસ;
સેવો એવો રે જ્ઞાની મુનીશ્વરો, અચલ લહે નિજવાસ.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૬.
અર્થ :મુનિવરો સ્વ શુદ્ધ આત્મામાં મનની એકાગ્રતારૂપ એવો
દ્રઢ સમ્યક્ અભ્યાસ કરે છે, કે જેથી તે અત્યંત સ્થિર થાય છે. ૧૬.
सुखे दुःखे महारोगे क्षुधादीनामुपद्रवे
चतुर्विधोपसर्गे च कुर्वे चिद्रूपचिंतनं ।।१७।।
સુખ દુઃખ સમયે રે મહાવ્યાધિા વિષે, ભીષણ ઉપદ્રવ માંય;
ઉપસર્ગાદિ રે આવ્યે ના ચૂકું, ચિદ્રૂપ ચિંતન જરાય.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૭.
અર્થ :સુખમાં, દુઃખમાં, મહારોગમાં, ભૂખ આદિ ઉપદ્રવોમાં
અને ચાર પ્રકારના ઉપસર્ગ આવી પડે, ત્યારે શુદ્ધઆત્માનું ચિંતન
કરું. ૧૭.
निश्चलं न कृतं चित्तमनादौ भ्रमतो भवे
चिद्रूपे तेन सोढानि महादुःखान्यहो मया ।।१८।।
નિજ ચિદ્રૂપમાં રે નિશ્ચલ ચિત્ત હા ! ન ધાર્યું મx કોઇવાર;
ભમતાં ભવમાં રે, તેથી અનાદિથી દુઃખ પામ્યો હું અપાર.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૮.