Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 59 of 153
PDF/HTML Page 67 of 161

 

background image
અધ્યાય-૭ ][ ૫૯
અર્થ :મિથ્યાત્વ આદિના ઉદયરૂપ મિથ્યાત્વ મોહનીય વગેરે
(અને અનંતાનુબંધી ક્રોધ વગેરે કષાય) મળ દૂર થવાથી ચોથા
ગુણસ્થાનથી માંડીને તારતમ્યતાથી ચિદ્રૂપમાં વિશુદ્ધતા આવીને વધે
છે. ૩.
मोक्षस्वर्गार्थिनां पुंसां तात्त्विकव्यवहारिणां
पंथाः पृथक् पृथक् रूपो नागरागारिणामिव ।।।।
જુદા ગામે રે જાતા પથિકના જુદા માર્ગો ભળાય;
મોક્ષાર્થી નિશ્ચય, વ્યવહારને, સ્વર્ગાર્થી તેમ ચહાય.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૪.
અર્થ :મોક્ષના ઇચ્છુક પુરુષોનો અને સ્વર્ગના ઇચ્છક
પુરુષોનો અનુક્રમે નિશ્ચયના આશ્રયરૂપ તાત્ત્વિક અને વ્યવહારના
આશ્રયરૂપ અતાત્ત્વિક જુદા જુદા નગરમાં જનાર પથિકોની જેમ ભિન્ન-
ભિન્નરૂપ માર્ગ છે. ૪.
चिंताक्लेशकषायशोकबहुले देहादिसाध्यात्परा-
धीने कर्मनिबन्धनेऽतिविषमे मार्गे भयाशान्विते
व्यामोहे व्यवहारनामनि गतिं हित्वा व्रजात्मन् सदा
शुद्धे निश्चयनामनीह सुखदेऽमुत्रापि दोषोज्झिते
।।।।
હે! આત્મન્ એ કલેશ કષાયયુત વિષમ અતિ વ્યવહાર;
ચિંતા આશારે શોક ભયે ભર્યો, સ્વાધાીન વળી નહિ લગાર.
કર્મ નિબંધાન ને વ્યામોહકર, જાણી તજ વ્યવહાર;
દોષ રહિત નિશ્ચય ભજ શુદ્ધ એ લોકદ્વયે સુખકાર.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૫.
અર્થ :ચિંતા, ક્લેશ, ક્રોધાદિ કષાય, શોકાદિ અત્યંત જેમાં છે
તે દેહાદિથી સાધ્ય હોવાથી પરાધીન, કર્મ નિબંધન રૂપ, ભય અને
આશાયુક્ત, મૂંઝવણ કરનાર, વ્યવહાર નામના અતિ વિષમ માર્ગમાં