Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 64 of 153
PDF/HTML Page 72 of 161

 

background image
૬૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
નિશ્ચય ને વ્યવહાર નય મનમોહન મેરે,
યથાવિધિા ભજ ચંગ રે, મનમોહન મેરે;
જિનવચને જિનચરણમાં મનમોહન મેરે,
પ્રતીતિ જેમ અભંગ રે, મનમોહન મેરે. ૧૮.
અર્થ :ઉપર કહ્યા મુજબ તું નિશ્ચય અને વ્યવહારનયનું વિધિ
પ્રમાણે ગ્રહણ કર કે, જેથી જિન પ્રણીત આગમમાં અને
(સ્વરૂપરમણતારૂપ) જિનના આચરણમાં પણ શ્રદ્ધા થાય. ૧૮.
व्यवहारं विना केचिन्नष्टा केवलनिश्चयात्
निश्चयेन विना केचित् केवलव्यवहारतः ।।१९।।
નિશ્ચયમાત્રથી બહુ થયા મનમોહન મેરે,
નષ્ટ, વિના વ્યવહાર રે; મનમોહન મેરે;
નિશ્ચયવિણ ત્યમ નષ્ટ બહુ મનમોહન મેરે,
માત્ર ગ્રહી વ્યવહાર રે, મનમોહન મેરે. ૧૯.
અર્થ :કેટલાક વ્યવહાર વિના માત્ર નિશ્ચયનું ગ્રહણ કરવાથી
નાશ પામી ગયા, કેટલાક નિશ્ચય વગર, કેવળ વ્યવહારને ગ્રહવાથી નષ્ટ
થઈ ગયા. ૧૯.
द्वाभ्यां दृग्भ्यां विना न स्यात् सम्यग्द्रव्यावलोक नं
यथा तथा नयाभ्यां चेत्युक्तं स्याद्वादवादिभिः ।।२०।।
દ્રવ્ય યથાર્થ જણાય ના મનમોહન મેરે,
બે નયનો વિણ તેમ રે, મનમોહન મેરે;
બન્ને નય સુતત્ત્વ ગ્રહે મનમોહન મેરે,
કહે સ્યાદ્વાદી એમ રે, મનમોહન મેરે. ૨૦.
અર્થ :જેમ બે નેત્રો વગર યથાર્થ રીતે પદાર્થનું અવલોકન
થાય નહિ, તેમ બે નયો વિના યથાર્થ અવલોકન થાય નહિ, તેમ સ્યાદ્વાદ
મતના જાણકારોએ કહ્યું છે. ૨૦.