Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 81 of 153
PDF/HTML Page 89 of 161

 

background image
અધ્યાય-૯ ][ ૮૧
અર્થ :મૂઢ જીવો, મોહને લીધે પ્રતિક્ષણ પર દ્રવ્યોને તો
યાદ કરે છે, પરંતુ મોક્ષ માટે ચિદાનંદરૂપ પોતાને કદાપિ યાદ કરતા
નથી. ૧૮.
मोह एव परं वैरी नान्यः कोऽपि विचारणात्
ततः स एव जेतव्यो बलवान् धीमताऽऽदरात् ।।१९।।
મોહ એ જ શત્રુ બલવન્તો, વિચારતાં નહિ અન્ય મહાન;
માત્ર એ જ જય કરવો યત્ને, ધાીમંતે થઇ અતિ બલવાન. ૧૯.
અર્થ :મોહ એ જ મોટો વેરી છે, વિચાર કરતાં બીજો કોઈ
પણ નથી, (માટે) બુદ્ધિમાને તે જ બળવાનને પ્રયત્ન કરીને જીતવા યોગ્ય
છે. ૧૯.
भवकूपे महामोहपंकेऽनादिगतं जगत्
शुद्धचिद्रूपसद्धयानरज्जवा सर्वं समुद्धरे ।।२०।।
અનાદિથી ભવકૂપે ખૂંચ્યું જગત મોહ કાદવ મોIાર;
નિર્મલ ચિદ્રૂપ ધયાન રજ્જુએ એ સઘાળાનો કરું ઉદ્ધાર. ૨૦.
અર્થ :સંસારરૂપ કૂવામાં, મહામોહરૂપ કાદવમાં અનાદિથી
પડેલા સર્વ જગતને શુદ્ધ ચિદ્રૂપના સદ્ધ્યાનરૂપ દોરડા વડે સારી રીતે
બહાર કાઢું. ૨૦.
शुद्धचिद्रूपसद्धयानादन्यत्कार्यं हि मोहजं
तस्माद् बंधस्ततो दुःखं मोह एव ततो रिपुः ।।२१।।
નિર્મલ ચિદ્રૂપ ધયાન વિના જે અવર કાર્ય તે મોહજનિત;
તેથી બંધાન ને દુઃખ તેથી મોહ શત્રુ ગણ તેથી ખચિત. ૨૧.
અર્થ :શુદ્ધ ચિદ્રૂપના સદ્ધ્યાનથી બીજું કામ ખરેખર
મોહજન્ય છે, તેથી બંધ થાય છે, તેથી દુઃખ થાય છે માટે મોહ જ શત્રુ
છે. ૨૧.