Tattvagyan Tarangini (Gujarati). Adhyay-10 : Shuddh Chidrupna Dhyanarthe Ahankar Mamakarna Tyagno Updesh.

< Previous Page   Next Page >


Page 83 of 153
PDF/HTML Page 91 of 161

 

background image
અધયાય ૧૦ મો
[ શુદ્ધ ચિદ્રૂપનાં ધ્યાનાર્થે અહંકાર મમકારના
ત્યાગનો ઉપદેશ ]
निरंतरमहंकारं मूढाः कुर्वंति तेन ते
स्वकीयं शुद्धचिद्रूपं विलोकंते न निर्मलं ।।।।
મોહમૂઢ જન મગ્ન નિરંતર અહંકારમાં રહે સદાય,
ત્યાં નિર્મલ નિજ ચિદ્રૂપ પ્રત્યે દ્રષ્ટિ દે નહિ અહા જરાય ! ૧.
અર્થ :મૂઢજનો નિરંતર અહંકાર કરે છે તેથી તેઓ પોતાનાં
શુદ્ધ ચિદ્રૂપને અન્ય દ્રવ્યોથી ભિન્ન શુદ્ધ જોતા નથી. ૧.
देहोऽहं कर्मरूपोऽहं मनुष्योऽहं कृशोऽकृशः
गौरोऽहं श्यामवर्णोऽहमद्विऽजोहं द्विजोऽथवा ।।।।
अविद्वानप्यहं विद्वान् निर्धनो धनवानहं
इत्यादि चिंतनं पुंसामहंकारो निरुच्यते ।।।।युग्मं।।
કાયા હું આ કર્મરુપ હું, હું માનવ હું કૃશ હું સ્થૂલ,
હું ગોરો, હું શ્યામ વર્ણ હું, દ્વિજ અદ્વિજ વિચારો ભૂલ;
અભણ અરે ! હું, પિંMત હું તો, હું નિર્ધાન હું ધાનિક મહાન,
£ત્યાદિ ચિંતન માનવનું અહંકાર ભાખે વિદ્વાન. ૩.
અર્થ :હું શરીર છું, હું કર્મરૂપ છું, હું મનુષ્ય છું, હું દૂબળો
કે જાડો છું, હું ગોરો છું, શ્યામવર્ણવાળો છું, હું અદ્વિજ છું અથવા હું
દ્વિજ છું. ૨.
વળી હું વિદ્વાન્અવિદ્વાન્, નિર્ધનધનવાન છુંઆ પ્રકારનું
મનુષ્યનું ચિંતન અહંકાર કહેવાય છે. ૩.