Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 85 of 153
PDF/HTML Page 93 of 161

 

background image
અધ્યાય-૧૦ ][ ૮૫
शुभाशुभानि कर्माणि मम देहोऽपि वा मम
पिता माता स्वसा भ्राता मम जायात्मजात्मजः ।।।।
गौरश्वोऽजो गजो रा विरापणं मंदिरं मम
पूः राजा मम देशश्च ममत्वमिति चिंतनम् ।।।।युग्मं।।
કર્મ શુભાશુભ તે સૌ મારાં, શરીર પણ મુજ, મારું નામ,
માતપિતાદિ ભગિની ભ્રાતા સ્ત્રી પુત્રાદિ મુજ તમામ;
ગાય અશ્વ અજ ગજ ધાન, પક્ષી દુકાન મંદિર મારાં ધાામ,
મારાં દેશ નગર નૃપ આદિ મમત્વ એ ચિંતનનું નામ. ૮-૯
અર્થ :શુભાશુભ કર્મ તે મારાં છે, અથવા શરીર પણ મારું
છે. માતા-પિતા, ભાઈ-બહેન મારાં છે. પુત્ર-પુત્રી-સ્ત્રી મારાં છે. ગાય,
અશ્વ, બકરો, હાથી, ધન, પક્ષી, દુકાન, મકાન વગેરે મારાં છે. નગર
મારું છે. રાજા, દેશ મારાં છે; એવું ચિંતવન તે મમત્વ છે. ૮-૯.
निर्ममत्वेन चिद्रूपप्राप्तिर्जाता मनीषिणां
तस्मात्तदर्थिना चिंत्यं तदेवैकं मुहूर्मुहुः ।।१०।।
નિર્મમતાથી ચિદ્રૂપ પ્રાપ્તિ પામ્યા પૂર્વે બહુ મતિમાન;
તેથી નિર્મમતા ચિંતવવા ક્ષણક્ષણ આત્માર્થી દે ધયાન. ૧૦.
અર્થ :વિદ્વાનોને નિર્મમત્વભાવ વડે ચિદ્રૂપની પ્રાપ્તિ થઈ છે,
માટે તેના અર્થીએ તે જ એકેને વારંવાર ચિંતવવું જોઈએ. ૧૦.
शुभाशुभानि कर्माणि न मे देहोऽपि नो मम
पिता माता स्वसा भ्राता न मे जायात्मजात्मजः ।।११।।
गौरश्वो गजो रा विरापणं मंदिरं न मे
पू राजा मे न देशो निर्ममत्वमिति चितनं ।।१२।।युग्मं।।
કર્મ શુભાશુભ તે નહિ મારાં, શરીર પણ નહિ મારું કાંઇ,
માત પિતા કે ભગિની ભ્રાતા, સ્ત્રી પુત્રાદિ મારાં નાંહિ;