Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 90 of 214
PDF/HTML Page 102 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ જે,
તે જાણવું વ્રત પાંચમું ચારિત્રભર વહનારને. ૬૦.
અવલોકી માર્ગ ધુરાપ્રમાણ કરે ગમન મુનિરાજ જે
દિવસે જ પ્રાસુક માર્ગમાં, ઈર્યાસમિતિ તેહને. ૬૧.
નિજસ્તવન, પરનિંદા, પિશુનતા, હાસ્ય, કર્કશ વચનને
છોડી સ્વપરહિત જે વદે, ભાષાસમિતિ તેહને. ૬૨.
અનુમનન-કૃત-કારિતવિહીન, પ્રશસ્ત, પ્રાસુક અશનને
પરદત્તને મુનિ જે ગ્રહે, એષણસમિતિ તેહને. ૬૩.
શાસ્ત્રાદિ ગ્રહતાં-મૂકતાં મુનિના પ્રયત પરિણામને
આદાનનિક્ષેપણ સમિતિ કહેલ છે આગમ વિષે. ૬૪.
જે ભૂમિ પ્રાસુક, ગૂઢ ને ઉપરોધ જ્યાં પરનો નહીં,
મળત્યાગ ત્યાં કરનારને સમિતિ પ્રતિષ્ઠાપન તણી. ૬૫.
કાલુષ્ય, સંજ્ઞા, મોહ, રાગ, દ્વેષ આદિ અશુભના
પરિહારને મનગુપ્તિ છે ભાખેલ નય વ્યવહારમાં. ૬૬.
સ્ત્રી-રાજ-ભોજન-ચોરકથની હેતુ છે જે પાપની
તસુ ત્યાગ, વા અલીકાદિનો જે ત્યાગ, ગુપ્તિ વચનની. ૬૭.
વધ, બંધ ને છેદનમયી, વિસ્તરણ-સંકોચનમયી
ઇત્યાદિ કાયક્રિયા તણી નિવૃત્તિ તનગુપ્તિ કહી. ૬૮.
મનમાંથી જે રાગાદિની નિવૃત્તિ તે મનગુપ્તિ છે;
અલીકાદિની નિવૃત્તિ અથવા મૌન વાચાગુપ્તિ છે. ૬૯.
જે કાયકર્મનિવૃત્તિ કાયોત્સર્ગ તે તનગુપ્તિ છે;
હિંસાદિની નિવૃત્તિને વળી કાયગુપ્તિ કહેલ છે. ૭૦.
૯૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય