PDF/HTML Page 21 of 25
single page version
PDF/HTML Page 22 of 25
single page version
પણ, પોતાના ચૈતન્ય ઉપયોગને પર તરફ વાળીને ત્યાં લીન થઈ રહ્યો છે તે ઉપયોગને સ્વભાવ તરફ વાળીને
ત્યાં જ લીન કરવાનો છે. ‘પુણ્ય–પાપ મારાં’ એવી માન્યતા કરીને પોતાના ઉપયોગને ત્યાં રોકી દીધો છે, તે જ
અધર્મ છે; તે ઉપયોગને સ્વભાવમાં વાળીને ‘શુદ્ધ ચૈતન્ય મૂર્તિ સ્વભાવ તે જ હું’ એવી સ્વભાવ તરફની શ્રદ્ધા જ
પ્રથમ કરવાની છે. અને તેજ પહેલો ધર્મ છે. અને ત્યારપછી પણ બહારમાં કાંઈ કરવાનું આવતું નથી. તેમજ
વ્રત–તપાદિ ના શુભરાગ આવે તે પણ ધર્મીનું કર્તવ્ય નથી પરંતુ જે શુદ્ધસ્વભાવની શ્રદ્ધા કરી છે તે જ
શુદ્ધસ્વભાવમાં ઉપયોગને લીન કરવો તે જ સમ્યક્ચારિત્ર અને કેવળજ્ઞાનનો માર્ગ છે. ધર્મની શરૂઆતથી પૂર્ણતા
સુધી એક જ ક્રિયા છે કે ‘શુદ્ધાત્મસ્વભાવમાં ચૈતન્ય ઉપયોગને લીન કરવો. ’ એ સિવાય બીજી કોઈ ક્રિયા
ધર્મમાં આવતી નથી. જેટલી સ્વભાવમાં લીનતા તેટલો ધર્મ છે, લીનતાની કચાશ તેટલો દોષ છે.
અત્યંત તીવ્ર ગૃદ્ધિભાવ કર્યો છે, અને મોઢા દ્વારા ઉંદર પકડાવાની ક્રિયા જડ પરમાણુઓના સ્વતંત્ર કારણે થઈ
છે. આમ સર્વત્ર જડચેતનની સ્વતંત્રતા છે. જડ–ચેતનના આવા ભેદજ્ઞાનની સમજણનું ફળ વીતરાગતા છે. સાચું
સમજે તો પરથી અત્યંત ઉદાસ થઈ જાય. પરંતુ કોઈ એમ બોલે કે ‘ખાવું–પીવું વગેરે બધી શરીરની ક્રિયા છે’
અને અંતરથી તો તે પ્રત્યે જરાપણ ઉદાસીનતા થાય નહિ, તીવ્ર ગૃદ્ધિભાવ જ પોષ્યા કરે તો તેને યથાર્થપણે સ્વ–
પરનું ભેદજ્ઞાન જ થયું નથી, તે માત્ર સ્વચ્છંદ પોષવા માટે વાતો કરે છે. જો કે જડની ક્રિયા તો જડથી જ થાય
છે, પરંતુ જો ખરેખર તેં તારા આત્માને પરથી ભિન્ન જાણ્યો હોય તો તને પરદ્રવ્યોને ભોગવવા તરફ રુચિ ભાવ
જ કેમ થાય છે? એક તરફ જડથી ભિન્નપણાની વાતો કરવી અને પાછું જડની રુચિમાં એકાકારપણે તલ્લીન
વર્ત્યા કરવું–એ તો ચોકખો સ્વચ્છંદ છે પણ ભેદજ્ઞાન નથી.
શરીરનો આધાર નથી, પણ પોતાના ચૈતન્યપણાનો જ આધાર છે. ચૈતન્યને રાગનો આધાર પણ નથી. હે જીવ,
તને તારૂં ચૈતન્ય જ એક શરણ છે શરીર કે રાગ કોઈ તારૂં શરણ નથી, માટે શરીરથી અને રાગથી જુદા એવા
તારા ચૈતન્યસ્વરૂપને ઓળખીને તેનું શરણ કરી લે.
કાંઈ સંબંધ ન હતો અને ભવિષ્યમાં પણ તેની સાથે કાંઈ સંબંધ થવાનો નથી. ચૈતન્ય ને જડ ત્રણેકાળે જુદાં જ
છે. પરના આશ્રયથી જ દુઃખી થયો છું માટે હવે સ્વાધીન ચૈતન્યને ઓળખીને હું મારૂં હિત સાધી લઉં. ભલે
જગત આખાનું ગમે તે થાવ, તેની સાથે મારે સંબંધ નથી, હું જગતનો સાક્ષીભૂત, જગતથી ભિન્ન મારામાં
અચળ, એકરૂપ, શાશ્વત, જ્ઞાતા છું, ખરેખર જગતને અને મારે કાંઈ સંબંધ નથી, હું જ્ઞાતા મારો જ છું.
જ્ઞાનમાંથી થોડો ભાગ કપાઈ જતો નથી. કેમકે ચેતના
PDF/HTML Page 23 of 25
single page version
PDF/HTML Page 24 of 25
single page version
ખબર પડે કે તે તો મારાજ ગામનો છે અને મારાજ કુટુંબનો છે, એમ ઓળખાણ થતાં જ તેના તરફ પ્રેમ જાગ્યા
વગર રહે નહિ. પહેલાંં પણ તેજ માણસ હતો અને અત્યારે પણ તે જ છે છતાં પહેલાંં પોતાને ઓળખાણ ન
હોવાથી પ્રેમ ન હતો અને હવે ઓળખાણ થતાં પ્રેમ થયો છે. તેવી રીતે આ જ્ઞાનસ્વભાવી આત્મા સદાય પોતા
પાસે જ છે, ક્ષણે ક્ષણે જાણવાનું કામ કરે છે પણ પોતે પોતાના સ્વભાવને ઓળખતો નથી તેથી તેને પોતાના
આત્મસ્વભાવ પ્રત્યે ઉલ્લાસ અને પ્રેમ જાગતો નથી. આત્મા તો સદાય પોતા પાસે જ છે, પોતે જ આત્મા છે,
પણ પોતાને પોતાના આત્મસ્વરૂપની સાચી ઓળખાણ નથી અને તેને અન્યરૂપે (–વિકારરૂપે કે જડરૂપે) માની
રહ્યો છે તેથી સ્વભાવનો સાચો પ્રેમ જાગતો નથી. પણ જો આત્માની સાચી ઓળખાણ કરે તો તેને ખબર પડે કે
અરે, આ આત્મા તો વિકારી નહિ, જડ નહિ પણ તેનાથી જુદો ચૈતન્ય–સ્વરૂપ છે અને એજ હું છું–એજ મારું
સ્વરૂપ છે, એવું ભાન થતાં આત્મા પ્રત્યે અપૂર્વ પ્રેમ જાગે છે. પહેલાં પણ આત્માનો સ્વભાવ તો એજ હતો અને
અત્યારે પણ એજ આત્મા છે, પણ પહેલાંં પોતાના સ્વભાવની પોતાને ઓળખાણ નહિ હોવાથી આત્મા પ્રત્યે
ભક્તિ–પ્રેમ જાગતો ન હતો. અને હવે સાચી ઓળખાણ થઈ તેથી તેના પ્રત્યે સાચી ભક્તિ અને પ્રેમ જાગે છે.
એટલે સાચી ઓળખાણ વગર સાચી ભક્તિ કે પ્રેમ (મહિમા, રુચિ, આદર) હોઈ શકે નહિ.
આત્માને ધર્મનો કાંઈ લાભ ન થાય, પરંતુ ઊલટો તે રાગથી આત્માને લાભ માને તેથી તીવ્ર અંતરાય કર્મ
બાંધીને મૂઢ થઈને ચોરાશીના અવતારમાં રઝળવાનો છે. પુણ્ય–પાપ ગમે તેવા કરે અને તેનાથી આત્માને
કિંચિત્ લાભ માને તે જીવને આત્માના સ્વભાવનો પ્રેમ નથી પણ વિકારનો પ્રેમ છે. પુણ્યભાવથી ધર્મ તો થતો
નથી પણ તેનાથીયે સાત કે આઠ પ્રકારના કર્મો બંધાય છે. અને તે ભાવથી આત્માની શુદ્ધિનો ઘાત થાય છે. ગમે
તેવા શુભાશુભ વિકારભાવ કરે તો પણ તેના ફળમાં ચોરાશીના જ અવતાર છે, અને આત્મસ્વભાવની
ઓળખાણ તે ચોરાશીના અવતારનો નાશ કરીને સિદ્ધદશાની પ્રાપ્તિનું કારણ છે. સ્વભાવમાં ભવ ન હોય અને
વિભાવમાં ભવનો અંત ન હોય. કોઈ પણ જાતના બંધભાવથી આત્માના ગુણની વૃદ્ધિ નથી પણ નુકશાન જ છે.
જ્યાં વિકારનો સત્કાર છે ત્યાં નિર્વિકાર સ્વરૂપનો અનાદર છે.
કારણ હોય તો જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ દુઃખ પણ વધતું જાય. અને જ્ઞાન રહિતપણું સુખનું કારણ ઠરે. તેમ
થતાં જડને પૂરું સુખ માનવું પડે. પરંતુ જ્ઞાન તો પોતાનો સ્વાભાવિક ભાવ છે તે દુઃખનું કારણ નથી. પરંતુ
ક્ષાયોપશમિક જ્ઞાન સાથે જેટલો મોહ ભળે છે તેટલું દુઃખ છે.
જ્ઞાન થશે ત્યારે તરત જ દુઃખ થશે. માટે જ્ઞાન તે જ દુઃખનું કારણ છે.
તેને તેટલું દુઃખ થાય છે, જે વખતે તે માણસને પુત્રના મૃત્યુનું જ્ઞાન થયું તે જ વખતે તે માણસે અંતરના ભાન
વડે વૈરાગ્ય લાવીને મોહ ન કર્યો હોત તો તેને જ્ઞાન હોવા છતાં દુઃખ ન થાય. કેમકે દુઃખનું કારણ જ્ઞાન નથી પણ
મોહ છે. મિથ્યાદ્રષ્ટિ એમ માને છે કે જાણ્યું માટે દુઃખ થયું, અથવા તો પુત્ર મૃત્યુ પામ્યો માટે દુઃખ થયું. એ બંને
વાત ખોટી છે જેટલો મોહ કરે તેટલું જ દુઃખ થાય એ જ એક સિદ્ધાંત છે. સંયોગી પદાર્થો પ્રત્યેના મોહથી જે દુઃખ
થાય છે તે દુઃખ ટાળવાનો ઉપાય પરવસ્તુનો સંયોગ મેળવવો તે નથી, તેમ જ ઈચ્છા કે ઈન્દ્રિયોની પુષ્ટિ તે પણ
ઉપાય નથી. ખરો ઉપાય એ છે કે સંયોગી પદાર્થોની દ્રષ્ટિ છોડીને અસંયોગી
PDF/HTML Page 25 of 25
single page version
ટળે, સંસારની કોઈ વસ્તુમાં આ આત્માનું સુખ નથી,
ન હતો, માટે જ્ઞાનથી જ ભય થયો, તેથી જ્ઞાનને જ
ગયું–એમ નથી. ઉંઘ વખતે પણ જેટલે અંશે શરીર
રાગની મુખ્યતા હતી હવે પ્રતિકુળતાના દ્વેષની મુખ્યતા
સર્પને કોઈ મુનિ દેખે છતાં તેમને જરાપણ ભય કેમ
ભય થાય છે તેને સર્પની ગેરહાજરી વખતે પણ પોતાની
પ્રતિકૂળતાનો ભય અથવા દ્વેષ હોય જ.
વાગે સ્વર્ગવાસ થયો.
વર્ષની હતી. તેઓ સ્વભાવે આનંદી, મીષ્ટભાષી,
હતા. અને સત્ધર્મનો અત્યંત ઉત્કર્ષ થાય તે જોવા
સવારના છ વાગે આવેલા અને મુહુરત સાચવી ઘેર
પ્રેસીંગ ફેકટરીઓ તથા રૂ બજાર બંધ રહ્યા હતા.
“જે સાધુઓ તમને અનુસરતા હોય તેમને