PDF/HTML Page 21 of 25
single page version

આત્માની શ્રદ્ધા કરે છે. જે જીવ પોતાના આત્માને અનંતધર્મવાળો કબૂલે તે જીવ ક્ષણિક રાગાદિભાવો જેટલો
પોતાને માને જ નહિ. જો રાગ જેટલો જ પોતાને માને તો અનંતધર્મોવાળો આત્મા કબૂલી શકે નહિ; એટલે
અનંતધર્મોવાળા આત્માની યથાર્થ કબૂલાતમાં તો સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન આવી જાય છે.
છે, અને તે બંને ધર્મો એકસાથે કહી શકાતા નથી તે અપેક્ષાએ, તે જ આત્મા અવક્તવ્યધર્મવાળો છે;–એ પ્રમાણે
સપ્તભંગીના ચાર ભંગ કહ્યા. જુઓ! આ અસ્તિ–નાસ્તિ આદિ સપ્તભંગી છે તે સર્વજ્ઞવીતરાગદેવે કહેલા
આત્મદ્રવ્યને ઓળખવાનો ‘ટ્રેઈડ માર્ક’ છે, તેના વડે તારા આત્માને પરથી જુદો ને પોતાના અનંતધર્મોથી
એકમેક ઓળખી લેજે. આ સપ્તભંગી તો દરેકેદરેક પદાર્થમાં લાગુ પડે છે, પણ અત્યારે તો આત્માના ધર્મોનું
વર્ણન ચાલે છે, તેથી આત્મા ઉપર તે સપ્તભંગી ઉતારી છે.
(૭) અસ્તિત્વ–અવક્તવ્યનયે આત્માનું વર્ણન
જે અનંતધર્મોવાળું આત્મદ્રવ્ય છે તે અસ્તિત્વ–અવક્તવ્યનયે સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી તથા યુગપદ્
હોય, કેમ કે વાચક છે તે વાચ્યને બતાવે છે.
(૨) વસ્તુ પરપણે નથી, એમ નાસ્તિત્વ કહી શકાય છે.
(૩) વસ્તુ સ્વપણે છે ને પરપણે નથી. એમ અસ્તિત્વ–નાસ્તિત્વ ક્રમથી કહી શકાય છે.
–એ રીતે પહેલા ત્રણે ભંગ વક્તવ્યમાં આવે છે.
નયો ભિન્ન ભિન્ન છે તેમ જ તે સાતે નયોના વિષયભૂત સાત ધર્મો વસ્તુમાં ભિન્ન ભિન્ન છે.
નાસ્તિત્વનું જ્ઞાન પણ ભેગું જ પડયું છે; વસ્તુમાં બધા ધર્મો એક સાથે છે, પ્રમાણજ્ઞાનમાં બધા એક સાથે જણાય
છે, પણ વાણીમાં એકસાથે કહી શકાતા નથી. આત્મા સ્વપણે છે એમ કહ્યું તે જ વખતે આત્મામાં બીજા
અનંતધર્મો છે તે કહી શકાયા નહિ–આ અપેક્ષાએ આત્મા ‘અસ્તિત્વ–અવક્તવ્ય’ ધર્મવાળો છે. જે જ્ઞાન આ
અપેક્ષાથી આત્માને લક્ષમાં લ્યે તેને અસ્તિત્વ–અવક્તવ્યનય કહેવાય છે.
એક ધર્મીના શ્રદ્ધા–જ્ઞાનમાં અમુક પ્રકારનો આત્મા હોય ને બીજા ધર્મીના શ્રદ્ધા–જ્ઞાનમાં તેથી જુદા પ્રકારનો
આત્મા હોય–એવી વિવિધતા હોતી નથી. આવા આત્માના સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન કર્યા પછી કોઈને તેમાં વિશેષ
લીનતા હોય ને કોઈને ઓછી લીનતા હોય–એમ ચારિત્રમાં વિવિધતા હોય છે, પણ તેમાં વિરોધતા હોતી નથી.
હીન–અધિકતાના કારણે વિવિધતા હોવા છતાં તેની જાત તો એક જ પ્રકારની છે તેથી તેમાં વિરોધતા નથી.
અનંતા જ્ઞાનીઓનો અભિપ્રાય એક સરખો જ છે.
PDF/HTML Page 22 of 25
single page version

વિશેષોમાં–રહેલું જે નિત્યનિરંજન ટંકોત્કીર્ણ શાશ્વત એકરૂપ શુદ્ધદ્રવ્યસામાન્ય તે પરમાત્મતત્ત્વ છે. તે જ શુદ્ધ
અંતઃતત્ત્વ, કારણપરમાત્મા, પરમ પારિણામિકભાવ વગેરે નામોથી કહેવાય છે. આ પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ
અનાદિકાળથી અનંત અનંત દુઃખને અનુભવતા જીવે એક ક્ષણમાત્ર પણ કરી નથી અને તેથી સુખ માટેનાં તેનાં
સર્વ ઝાવાં (દ્રવ્યલિંગી મુનિનાં વ્યવહાર–રત્નત્રય સુધ્ધાં) સર્વથા વ્યર્થ ગયાં છે. માટે આ પરમાગમનો એકમાત્ર
ઉદે્શ જીવોને પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ અથવા આશ્રય કરાવવાનો છે. (‘હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્યસામાન્ય છું’
એવી સાનુભવ શ્રદ્ધાપરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈ પણ પરિણતિને પરમાત્મતત્ત્વનો આશ્રય,
પરમાત્મતત્ત્વનું આલંબન, પરમાત્મતત્ત્વ પ્રત્યે ઝોક, પરમાત્મતત્ત્વ પ્રત્યે વલણ, પરમાત્મતત્ત્વ પ્રત્યે સંમુખતા,
પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ,
જીવની શ્રદ્ધામાં આવ્યો છે. આત્માને તેના ધર્મોદ્વારા ઓળખે તો જ તેની સાચી શ્રદ્ધા થાય; તેથી અહીં
આચાર્યદેવે ધર્મોનું વર્ણન કહ્યું છે. તેમાં સપ્તભંગીમાંથી ‘અસ્તિત્વ–અવક્તવ્ય’ નામનો પાંચમો ભંગ કહ્યો; હવે
છઠ્ઠો ભંગ કહે છે, ૪૭ ધર્મમાં તે આઠમો ધર્મ છેઃ
આત્મદ્રવ્ય નાસ્તિત્વ–અવક્તવ્યનયે પરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી તથા યુગપદ્ સ્વપરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–
નાસ્તિત્વધર્મ કહેતાં ‘આત્મા સ્વપણે છે’ એવું અસ્તિત્વનું કથન બાકી રહી જાય છે, નાસ્તિત્વ કહી શકાય છે
પણ બંને સાથે કહી શકાતા નથી, માટે આત્મા ‘નાસ્તિત્વ–અવક્તવ્ય’ ધર્મવાળો છે.
(૯) અસ્તિત્વ–નાસ્તિત્વ–અવક્તવ્યનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય અસ્તિત્વ–નાસ્તિત્વ–અવક્તવ્યનયે સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી, પરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી
છે તે મૂળમાં જોઈ લેવું.)
ત્રણ શબ્દો આવ્યા તેથી તેના વાચ્યરૂપ ત્રણ જુદા ધર્મો ન સમજવા, પણ ત્રણેના વાચ્યરૂપ એક ધર્મ છે એમ
સમજવું.
PDF/HTML Page 23 of 25
single page version

પરમાત્મતત્ત્વની ભાવના, પરમાત્મતત્ત્વનું ધ્યાન વગેરે શબ્દોથી કહેવાય છે.)
આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધિ સુધીની સર્વ ભૂમિકાઓ તેમાં સમાય છે. પરમાત્મતત્ત્વનો જઘન્ય આશ્રય
તે સમ્યગ્દર્શન છે; તે આશ્રય મધ્યમ કોટિની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સકલચારિત્ર વગેરે દશાઓ
પ્રગટ થાય છે અને પૂર્ણ આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિદ્ધત્વ પામી જીવ સર્વથા કૃતાર્થ થાય છે. આ રીતે
પરમાત્મતત્ત્વનો આશ્રય જ સમ્યગ્દર્શન છે, તે જ સમ્યગ્જ્ઞાન છે, તે જ સમ્યક્ચારિત્ર છે, તે જ સત્યાર્થ પ્રતિક્રમણ,
પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, સામાયિક, ભક્તિ, આવશ્યક, સમિતિ, ગુપ્તિ, સંયમ, તપ, સંવર, નિર્જરા,
ધર્મ–શુક્લધ્યાન વગેરે બધુંય છે. એવો એક પણ મોક્ષના કારણરૂપ ભાવ નથી જે પરમાત્મતત્ત્વના આશ્રયથી
અન્ય હોય. પરમાત્મતત્ત્વના આશ્રયથી અન્ય એવા ભાવોને (–વ્યવહારપ્રતિક્રમણ, વ્યવહારપ્રત્યાખ્યાન વગેરે
શુભવિકલ્પરૂપ ભાવોને–) મોક્ષમાર્ગ કહેવામાં આવે છે તે તો કેવળ ઉપચારથી કહેવામાં આવે છે.
પરમાત્મતત્ત્વના મધ્યમ કોટિના અપરિપક્વ આશ્રય વખતે તે અપરિપક્વતાને લીધે સાથે સાથે જે અશુદ્ધિરૂપ
અંશ વિદ્યમાન હોય છે તે અશુદ્ધિરૂપ અંશ જ વ્યવહારપ્રતિક્રમણાદિ અનેક અનેક શુભવિકલ્પાત્મક ભાવોરૂપે
દેખાવ દે છે. તે અશુદ્ધિ–અંશ ખરેખર મોક્ષમાર્ગ કેમ હોઈ શકે? તે તો ખરેખર મોક્ષમાર્ગથી વિરુદ્ધભાવ જ છે,
બંધભાવ જ છે–એમ તમે સમજો.
આશ્રય વિના આત્માનું સ્વભાવપરિણમન અંશે પણ નહિ થતું હોવાથી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ અંશમાત્ર પણ
હોતી નથી. સર્વ જિનેન્દ્રોના દિવ્યધ્વનિનો સંક્ષેપ અને અમારા સ્વસંવેદનનો સાર એ છે કે ભયંકર સંસારરોગનું
એકમાત્ર ઔષધ પરમાત્મતત્ત્વનો આશ્રય જ છે. જ્યાં સુધી જીવની દ્રષ્ટિ ધુ્રવ અચળ પરમાત્મતત્ત્વ ઉપર ન
પડતાં ક્ષણિક ભાવો ઉપર રહે છે ત્યાં સુધી અનંત ઉપાયે પણ તેના કૃતક ઔપાધિક ઉછાળા–શુભાશુભ વિકલ્પો–
શમતા નથી, પરંતુ જ્યાં તે દ્રષ્ટિને પરમાત્મતત્ત્વરૂપ ધુ્રવ આલંબન હાથ લાગે છે ત્યાં તે જ ક્ષણે તે જીવ (દ્રષ્ટિ–
અપેક્ષાએ) કૃતકૃત્યતા અનુભવે છે, (દ્રષ્ટિ–અપેક્ષાએ) વિધિ–નિષેધ વિલય પામે છે, અપૂર્વ સમરસભાવનું વેદન
થાય છે, નિજસ્વભાવભાવરૂપ પરિણમનનો પ્રારંભ થાય છે અને કૃતક ઔપાધિક ઉછાળા ક્રમેક્રમે વિરામ પામતા
જાય છે. આ નિરંજન નિજ પરમાત્મતત્ત્વના આશ્રયરૂપ માર્ગે જ સર્વે મુમુક્ષુઓ ભૂતકાળે પંચમગતિને પામ્યા છે,
વર્તમાન કાળે પામે છે અને ભાવી કાળે પામશે. આ પરમાત્મતત્ત્વ સર્વ તત્ત્વોમાં એક સાર છે, ત્રિકાળ–
નિરાવરણ, નિત્યાનંદ–એકસ્વરૂપ છે, સ્વભાવ–અનંત–ચતુષ્ટયથી સનાથ છે, સુખસાગરનું પૂર છે, કલેશોદધિનો
કિનારો છે, ચારિત્રનું મૂળ છે, મુક્તિનું કારણ છે. સર્વ ભૂમિકાના સાધકોને તે જ એક ઉપાદેય છે. હે ભવ્ય જીવો!
આ પરમાત્મતત્ત્વનો આશ્રય કરી તમે શુદ્ધ રત્નત્રય પ્રગટ કરો. એટલું ન કરી શકો તો સમ્યગ્દર્શન તો અવશ્ય
કરો જ. એ દશા પણ અભૂતપૂર્વ અને અલૌકિક છે.
હોય તેમણે સોનગઢથી મંગાવી લેવું.
ગ્રાહક તરીકે ચાલુ રહેવા ન માંગતા હોય તેઓએ અગાઉથી જણાવી દેવા વિનંતી છે.
PDF/HTML Page 24 of 25
single page version

विरलाः भावयन्ति तत्त्वं विरलानां धारणा भवति।। २७९।।
तत्त्वं कथ्यमानं निश्चलं भावेन गृहणाति यः हि।
तत् एव भावयति सदा सः अपि च तत्त्वं विजानाति।। २८०।।
કરીને પણ તત્ત્વની ધારણા તો વિરલાઓને જ થાય છે. (ભાવાર્થઃ–) તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સાંભળવું–
જાણવું–ભાવવું અને ધારવું તે ઉત્તરોત્તર દુર્લભ છે. આ પંચમકાળમાં તત્ત્વને યથાર્થ કહેવાવાળા દુર્લભ
છે અને ધારવાવાળા પણ દુર્લભ છે.
વિરલા ધ્યાવે તત્ત્વને વિરલા ધારે કોઈ.
हितमेतद्धि जीवानामेतदेवाग्रिमं पदम्।। २२।।
समाराध्यैव ते नूनं रत्नत्रयमखण्डितम्।। २३।।
द्रश्यते न हि केनापि मुक्तिश्रीमुखपंकजम्।। २४।।
PDF/HTML Page 25 of 25
single page version

ज्ञायकरूंपस्वरूपं सः शास्त्रं जानाति सव्वं।।४६३।
એમ, શુદ્ધોપયોગરૂપ થઈને જાણે છે તો તે બધા જ શાસ્ત્રોને જાણે છે. જો
પોતાનું સ્વરૂપ ન જાણ્યું અને ઘણા શાસ્ત્રો પઢયો તો તેથી શું સાધ્ય છે?
सः न जानाति शास्त्रं आगमपाठं कुर्वन् अपि।।४६४।।
અને શરીરથી ભિન્ન નથી જાણતો તે આગમનો પાઠ કરતો હોવા
છતાં શાસ્ત્રને નથી જાણતો.
પઢવાનો સાર તો પોતાનું સ્વરૂપ જાણી રાગદ્વેષરહિત થવું–તે હતો; જો
શાસ્ત્ર પઢીને પણ તેવો ન થયો તો તે શું પઢયો? પોતાનું સ્વરૂપ જાણીને
તેમાં સ્થિર થવું તે નિશ્ચય સ્વાધ્યાયતપ છે, અને વાંચવું–પૂછવું–અનુપ્રેક્ષા–
આમ્નાય–ધર્મોપદેશ એવા પાંચ પ્રકાર વ્યવહારસ્વાધ્યાયના છે. જો તે
વ્યવહાર નિશ્ચયના અર્થે હોય તો તે વ્યવહાર પણ સત્યાર્થ છે; નિશ્ચય વિના
તો વ્યવહાર થોથા છે.
મુદ્રકઃ–ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી) તા. ૧–૧૧–પ૧