PDF/HTML Page 21 of 25
single page version
ફળ પણ સંસાર જ છે, તો તેને સુશીલ કેમ કહેવાય? રાગમાત્ર કુશીલ છે–પછી તે અશુભ હો કે શુભ
હો; અશુભ અને શુભ એ બંને ભાવો ચૈતન્યસ્વભાવથી બાહ્ય પ્રવૃત્તિરૂપ છે, ને ચૈતન્યસ્વભાવથી જે
બાહ્ય છે તે કુશીલ છે. એવા શુભાશુભને પોતાનું કર્તવ્ય માનવું કે તેનાથી લાભ માનવો તે મોટું
મિથ્યાત્વરૂપી કુશીલ છે.
ખરેખર જ્ઞાન કહેતા નથી; જે જ્ઞાન અંતરમાં વળીને પોતાના ચૈતન્યસ્વભાવ સાથે કેલિ કરે ને
પરભાવમાં જરાપણ તન્મય ન થાય તેને જ જ્ઞાન કહેવાય છે ને તે જ સુશીલ છે. જ્યાં આવું સમ્યગ્જ્ઞાન
છે ત્યાં જ શીલ હોય છે, અને અકષાય ભાવરૂપ શીલ જ્ઞાન વગર હોતું નથી. ભલે ૧૧ અંગ ભણ્યો હોય
પણ જો રાગાદિ પરભાવમાં તન્મયપણું ન છોડે તો તે કુશીલ જ છે. શીલ એટલે પ્રકૃતિ, અથવા
સ્વભાવ; અજ્ઞાનની પ્રકૃતિ શું?–કે જીવને સંસારમાં રખડાવવો તે; તેથી અજ્ઞાન તે કુશીલ છે. અને
સમ્યગ્જ્ઞાનની પ્રકૃતિ શું?–કે જીવને કષાયોથી છોડાવીને મોક્ષ પમાડવો તે; આવું જ્ઞાન તે સુશીલ છે.
અજ્ઞાન તે સંસારપ્રકૃતિવાળું છે ને સમ્યગ્જ્ઞાન તે મોક્ષપ્રકૃતિવાળું છે.
છે. જો આવું સુશીલપણું ન હોય ને બાહ્ય વિષયોને જ ધ્યેય બનાવીને જ્ઞાન પ્રવર્તે તો તો બાહ્ય વિષયોની
મીઠાસથી જ્ઞાનનો નાશ થાય છે; સમ્યગ્દ્રષ્ટિને અસ્થિરતાના રાગથી જે ઈન્દ્રિયવિષયો છે તેટલી ચારિત્રદશા
રોકાય છે, પણ અંતરમાં ભાન છે કે આ રાગ તે મારા સ્વભાવની પ્રકૃતિ નથી, તે તો વિભાવ છે; એટલે તે
સમ્યગ્દ્રષ્ટિના શ્રદ્ધા–જ્ઞાનમાં તો સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનનો નાશ થતો નથી. પરદ્રવ્યનો સંસર્ગ છોડીને બ્રહ્મસ્વરૂપ
આત્મામાં લીન થવું તે પરમ બ્રહ્મચર્ય છે, તેને પણ શીલ કહેવાય છે, અને વ્યવહારમાં સ્ત્રી આદિના સંગને
છોડવો, વિષયો છોડવા તે બ્રહ્મચર્યને પણ શીલ કહેવાય છે. તે પણ આમાં સમાઈ જાય છે; કેમ કે ચૈતન્યને
જાણીને પછી જ્યાં તેની ભાવનામાં રત થાય ત્યાં બાહ્ય વિષયો તરફનું વલણ સહેજે છૂટી જાય છે. ઉપયોગની
પ્રવૃત્તિ જ્યાં નિજસ્વભાવમાં થઈ ત્યાં પરભાવથી ને પરવિષયોથી ઉપયોગ છૂટી ગયો, તેનું નામ જ સુશીલ
છે.
અતીન્દ્રિય ચૈતન્યસ્વભાવની રુચિ ઈન્દ્રિયવિષયોની રુચિ છૂટયા વગર થતી નથી, અને પછી પણ તે
ઈન્દ્રિયવિષયોનો અનુરાગ છૂટયા વગર ચૈતન્યના અતીન્દ્રિય આનંદમાં લીનતા થતી નથી. બાહ્ય વિષયો
તરફનું વલણ ચૈતન્યની સ્થિરતાને બગાડે છે; અને જો બાહ્ય વિષયોમાં રુચિ કે સુખબુદ્ધિ થઈ જાય તો
ચૈતન્યની શ્રદ્ધા પણ બગડી જાય છે. માટે ચૈતન્યને સ્વધ્યેય બનાવીને તેમાં એકાગ્રતા વડે વિષયો તરફના
વલણનો ત્યાગ તે સુશીલ છે.
દ્રવ્યલિંગી મુનિ થઈને બાહ્ય વિષયો તો છોડયા પણ અંદરમાં રાગની રુચિ ન છોડી–તો તેણે ખરેખર
વિષયોને છોડયા જ નથી, ને તેને કર્મોની નિર્જરા થતી નથી.
PDF/HTML Page 22 of 25
single page version
તે જગમાંહી સહજ વૈરાગી...
જ્ઞાની મગન વિષયસુખમાંહી
–યહ વિપરીત, સંભવે નાંહી.
PDF/HTML Page 23 of 25
single page version
કષાયનો અભાવ થયો ને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ્યું, તો તેનું ફળ પણ એવું મહાન છે કે અનંત સંસારને
છેદીને અલ્પકાળે જીવને મુક્તિ પમાડે. જ્ઞાનને અંતર્મુખ કરીને જ્યાં સ્વજ્ઞેયને જાણ્યું ત્યાં બીજા જાણપણાનો
ઉઘાડ ભલે થોડો હો, અને તપ પણ ભલે થોડું હો, છતાં અલ્પ આચરણવડે પણ તે મહાન ફળને પામે છે.
શુદ્ધતાની કળા સમકિતીને ખીલતી જ જાય છે કોઈ જીવ અજ્ઞાનપૂર્વકના આચરણથી નવમી ગ્રૈવેયક સુધી
જાય, ને કોઈ ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની પહેલા સ્વર્ગે જાય, છતાં જ્ઞાનીને ક્ષણે ક્ષણે અંદર ચૈતન્યની કળા અને
ચૈતન્યની શુદ્ધતા ખીલતી જ જાય છે. અરે, શ્રેણીક રાજા ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ તે અત્યારે નરકમાં હોવા છતાં
સમ્યક્ત્વના પ્રતાપે ક્ષણે ક્ષણે ચૈતન્યની શુદ્ધતા પામે છે. મિથ્યાદ્રષ્ટિ મુનિ કરતાં નિર્મોહી ગૃહસ્થ (સમ્યગ્દ્રષ્ટિ)
પણ શ્રેષ્ઠ છે. મિથ્યાદ્રષ્ટિ મુનિ થયો હોય તો પણ તેને “ચલશબ” કહ્યો છે; ને સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને
“નાનકડા સિદ્ધ” (ઈષત્ સિદ્ધ) કહ્યા છે.
આચરણ કરવા છતાં સંસારથી જરાય નીવેડો ન આવ્યો; અને જો આત્માનું ભાન કરીને એકવાર પણ
સમ્યગ્દર્શન પ્રગટ કરે તો એક ક્ષણમાં અનંત સંસાર કટ થઈ જાય છે, ને અલ્પકાળમાં મોક્ષપદની પ્રાપ્તિ થાય.
–આવું સમ્યગ્દર્શનનું મહાન ફળ છે.
ભાવના ભાવે છે તે જીવ ચાર ગતિને છેદીને મુક્તિ પામે છે. અતીન્દ્રિય ચૈતન્યની ભાવનાથી ઉત્તમ શીલના
સર્વે ગુણો પરિપૂર્ણ થાય છે ને ભવનો ભેદ થઈ જાય છે. જેમ સુવર્ણને ધોઈને ગેરૂથી ઘસતાં ઊજળું ચકચકિત
બને છે, તેમ નિર્મળ સમ્યગ્જ્ઞાનરૂપી જળવડે આત્માને ધોઈને, વિષયોથી વૈરાગ્યરૂપ ગેરૂવડે ઘસતાં શુદ્ધતા
થાય છે ને અનંતચતુષ્ટય વડે આત્મા ઝળહળી ઊઠે છે.
જીવો શાસ્ત્રજ્ઞાન પામવા છતાં ઉપશમને પામતા નથી, તે મંદબુદ્ધિ જીવો વિષયોમાં જ વર્તે છે. ભલે
જ્ઞાનનો ઉઘાડ ઝાઝો હોય તો પણ તેને મંદબુદ્ધિ જ કહ્યો છે. ચૈતન્યસન્મુખનું સમ્યગ્જ્ઞાન તો તેને છે
નહિ, ને બહારના જાણપણારૂપ જ્ઞાનથી તે ગર્વિત થઈને વર્તે છે, ને સ્વછંદે વિષયકષાયોમાં જ વર્તે છે
પણ ચૈતન્ય તરફ વળતો નથી, તો તે જીવની ઊંધી પરિણતિનો જ અપરાધ છે, જ્ઞાનનો કાંઈ દોષ નથી.
ભાઈ, ચારે કોરથી ચિંતાને હઠાવીને સ્વભાવસન્મુખ તારા ઉપયોગને જોડ; એ રીતે ચૈતન્યના ધ્યેયે
પૂર્ણાનંદ પ્રગટ થશે.
વિચાર વિના વૈરાગ્ય આવે નહીં. આ કારણથી સત્પુરુષનાં વચનો વારંવાર વિચારવા.”
“જ્ઞાન તો એક જેનાથી બાહ્યવૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરથી પ્રીતિ ઘટે છે.
સાચાને સાચું જાણે છે, જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન.”
PDF/HTML Page 24 of 25
single page version
એક તરફ અશુભ ને શુભ બંધભાવો;
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
PDF/HTML Page 25 of 25
single page version
---------------------------------------------------------------------------------------
કેવો જાણે તો યથાર્થ જાણ્યો કહેવાય તે પણ આમાં બતાવ્યું. સર્વ પ્રકારે સંપૂર્ણ એવો સર્વજ્ઞસ્વભાવી આત્મા
છે.–એવા આત્માને જાણે તો જ સમ્યગ્જ્ઞાન થયું કહેવાય. આત્માને રાગના કર્તૃત્વવાળો કે બંધનવાળો જાણે
તો તેમાં વાસ્તવિક આત્માનું જ્ઞાન થતું નથી. બીજી રીતે કહીએ તો આત્માને અબંધસ્વભાવી જાણે ને
બંધભાવને ભિન્ન જાણે.–એ રીતે જાણીને બંધથી જુદું અબંધભાવે જ્ઞાન પરિણમે તો જ સમ્યગ્જ્ઞાન છે અને તે
સમ્યગ્જ્ઞાનના પરિણમનમાં સર્વે બંધભાવોનો અભાવ જ છે. જુઓ, આ મોક્ષમાર્ગમાં ગમન કરતું જ્ઞાન!
જેનાથી મોક્ષમાર્ગમાં ગમન થાય–તે જ જીવને પ્રયોજનરૂપ છે, ને તેનો જ જૈનધર્મમાં ઉપદેશ છે. રાગવડે કદી
મોક્ષમાર્ગમાં ગમન થતું નથી, રાગ તો મોક્ષમાર્ગને રોકનાર છે.
* જો સર્વજ્ઞસ્વભાવ બેઠો તો રાગની રુચિને જરાપણ અવકાશ રહેતો નથી; કેમકે સર્વજ્ઞસ્વભાવમાં
છે.
* જ્યાં દ્રષ્ટિ ખુલી કે હું કોણ? હું તો સર્વજ્ઞસ્વભાવી; મારા સ્વભાવમાં રાગના એક કણને પણ
શ્રદ્ધારૂપે કેવળજ્ઞાન થયું. અહા, જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં પોતાના આત્માનું કેવળજ્ઞાન પ્રતીતમાં આવી ગયું.
તેની રુચિની દિશા રાગથી પાછી ફરીને કેવળજ્ઞાન તરફ વળી. તે કંકુવરણે પગલે કેવળજ્ઞાન લેવા ચાલ્યો.
અને જે જીવ ચિદાનંદસ્વભાવનો અનાદર કરીને રાગનો આદર કરે છે તે બંધપરિણામી જીવ ઘોરદુઃખમય
સંસારમાં રખડે છે. અરે, જ્ઞાનનો પ્રેમ છોડીને રાગનો પ્રેમ કર્યો તેણે મોક્ષનો માર્ગ છોડીને સંસારનો માર્ગ
લીધો. આચાર્યદેવ કહે છે કે હે ભાઈ, જો તને મોક્ષનો ઉત્સાહ હોય, મોક્ષને સાધવાની લગની હોય તો સમસ્ત
બંધભાવોની રુચિ તું છોડ, ને જ્ઞાનની રુચિ કર; મોક્ષના માર્ગમાં સમસ્ત બંધભાવોને નિષેધવામાં આવ્યા છે,
ને જ્ઞાનસ્વભાવનું જ અવલંબન કરાવવામાં આવ્યું છે.