Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 108 of 214
PDF/HTML Page 120 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
આત્માય તેમ સસૂત્ર નહિ ખોવાય, હો ભવમાં ભલે;
અદ્રષ્ટ પણ તે સ્વાનુભવપ્રત્યક્ષથી ભવને હણે. ૪.
જિનસૂત્રમાં ભાખેલ જીવ-અજીવ આદિ પદાર્થને
હેયત્વ-અણહેયત્વ સહ જાણે, સુદ્રષ્ટિ તેહ છે. ૫.
જિન-ઉક્ત છે જે સૂત્ર તે વ્યવહાર ને પરમાર્થ છે;
તે જાણી યોગી સૌખ્યને પામે, દહે મળપુંજને. ૬.
સૂત્રાર્થપદથી ભ્રષ્ટ છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે;
કરપાત્રભોજન રમતમાંય ન યોગ્ય હોય સચેલને. ૭.
હરિતુલ્ય હો પણ સ્વર્ગ પામે, કોટિ કોટિ ભવે ભમે,
પણ સિદ્ધિ નવ પામે, રહે સંસારસ્થિતઆગમ કહે. ૮.
સ્વચ્છંદ વર્તે તેહ પામે પાપને મિથ્યાત્વને,
ગુરુભારધર, ઉત્કૃષ્ટ સિંહચરિત્ર, બહુતપકર ભલે. ૯.
નિશ્ચેલ-કરપાત્રત્વ પરમજિનેન્દ્રથી ઉપદિષ્ટ છે;
તે એક મુક્તિમાર્ગ છે ને શેષ સર્વ અમાર્ગ છે. ૧૦.
જે જીવ સંયમયુક્ત ને આરંભપરિગ્રહવિરત છે,
તે દેવ-દાનવ-માનવોના લોકત્રયમાં વંદ્ય છે. ૧૧.
૧. સસૂત્ર = શાસ્ત્રનો જાણનાર.
૨. અદ્રષ્ટ પણ = દેખાતો નહિ હોવા છતાં (અર્થાત્ ઇન્દ્રિયોથી નહિ જણાતો
હોવા છતાં).૩.દહે = બાળે.
૪. સૂત્રાર્થપદ = સૂત્રોનાં અર્થો અને પદો.
૫. કરપાત્રભોજન = હાથરૂપી પાત્રમાં ભોજન કરવું તે.
૬. સચેલ = વસ્ત્રસહિત.
૭. હરિ = નારાયણ.
૮. નિશ્ચેલ-કરપાત્રત્વ = વસ્ત્રરહિતપણું અને હાથરૂપી પાત્રમાં ભોજન કરવાપણું.
૧૦૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય