PDF/HTML Page 41 of 49
single page version
વાત છે; તેમાં વિકાર ન આવે. ત્યાં ૪૨ મી શક્તિમાં જે કર્તૃત્વશક્તિનું વર્ણન કર્યું છે તે
કર્તૃત્વશક્તિ તો બધા જીવોમાં છે, સિદ્ધમાંય તે કર્તૃત્વ છે. તે કર્તૃત્વમાં રાગાદિ ન આવે.
અને પ્રવચનસારમાં કર્તૃનયથી જે કર્તાપણાનું વર્ણન કર્યું છે તેમાં તો રાગના કર્તાપણાની
વાત છે, તે ત્રિકાળી સ્વભાવરૂપ ધર્મ નથી પણ એક ક્ષણપૂરતી પર્યાયનો ધર્મ છે; તે
પર્યાય આત્માની છે, તેથી તેને આત્માનો ધર્મ કહેવાય છે.
પોતાની પર્યાયમાં ધારી રાખે છે ત્યા સુધી તે આત્માનો પોતાનો ધર્મ છે ને તેનો કર્તા
આત્મા છે. પોતાની પર્યાયમાં થાય છે માટે તેને પોતાનો ધર્મ કહ્યો છે, તે ત્રિકાળ નથી
પણ ક્ષણિક પર્યાયપૂરતો છે. કર્તૃનયથી આ રાગના કર્તાપણાને જાણનાર જીવ તે જ
વખતે તેના અકર્તાપણે પણ પરિણે છે. કેમકે રાગના કર્તાપણા વખતે જ બીજા અનંત
ધર્મોમાં જે શુદ્ધ ચૈતન્યપરિણમન છે તેમાં રાગનું કર્તૃત્વ નથી. – આમ (કતૃત્વ તેમ જ
અકર્તુત્વ) બંને ધર્મો સાધકને એક સાથે છે.
(અનંત ધર્મવાળું) છે તેના બધા પડખાંને જાણતાં જ્ઞાનનું વલણ શુદ્ધ સ્વભાવ તરફ
જ વળે છે એટલે પર્યાયમાંથી રાગનું કર્તૃત્વ ટળે છે ને શુદ્ધતાનું કર્તૃત્વ પ્રગટે છે.
રાગનો કર્તા તે વ્યવહાર છે ને રાગનો અકર્તા (સાક્ષી) તે નિશ્ચય છે. ધર્મી બંનેને
જેમ છે તેમ જાણે છે.
PDF/HTML Page 42 of 49
single page version
રાગના કર્તૃત્વ વગરનું જે ત્રિકાળ આત્મદ્રવ્ય છે તેને પણ જાણે ને રાગાદિનો સાક્ષી
થઈ જાય. રાગાદિપણે આત્મા થાય છે – એમ આત્માના ધર્મવડે જેણે આત્માને
જાણ્યો તેની દ્રષ્ટિ એકલા રાગ ઉપર ન રહેતાં, અનંત ગુણના પિંડ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય
ઉપરજાય છે ને તે રાગનો પણ સાક્ષી થઈ જાય છે. ક્રમેક્રમે રાગનું કર્તૃત્વ (રાગનું
પરિણમન) છૂટીને, તેનો સર્વથા અકર્તા થઈ, વીતરાગતા ને કેવળજ્ઞાન પ્રગટ કરે છે.
સમ્યક્ નયોનું આ ફળ છે. કોઈપણ સમ્યક્ નયથી આત્માને જાણતાં શુદ્ધચૈતન્યની
પ્રાપ્તિ થાય જ છે.
જ તેના ધર્મ જણાય છે. સમ્યક્નયોનું ફળ તો મોક્ષ કહ્યું છે. એટલે રાગના કર્તૃત્વને
જાણવારૂપ જે કર્તૃનય છે તેનું ફળ પણ મોક્ષ છે; કેમકે સમ્યક્પણે તે ધર્મને જાણનાર તે
જ વખતે અનંત ધર્મસ્વરૂપ ચૈતન્યતત્ત્વને પણ શ્રુતપ્રમાણવડે જાણે છે. આ રીતે શુદ્ધ
સ્વભાવને દ્રષ્ટિમાં રાખીને પર્યાયમાં રાગના કર્તાપણાનું જ્ઞાન કરે તને જ ‘કર્તૃનય’ હોય
છે, બીજાને કર્તૃનય હોતો નથી. નય તે સમ્યજ્ઞાનરૂપી સૂર્યનું કિરણ છે, અજ્ઞાનીને નય
હોતા નથી. જ્ઞાની જીવ પ્રમાણથી દેખે કે નયથી દેખે, – પણ અંતરમાં શુદ્ધ ચૈતન્યને જ
પ્રાપ્ત કરે છે.
જાય છે ને જ્ઞાનચેતનારૂપ સાક્ષીપણું વધતું જાય છે.–આવી સાધકદશા છે. ‘અત્યારે
રાગને કરે છે એવો મારા આત્માનો એક ધર્મ છે’ –એમ કર્તૃનયથી જોનાર જ્ઞાની પણ,
તે ધર્મદ્વારા ધર્મી એવી શુદ્ધ ચૈતન્યવસ્તુને અંતરમાં દેખે છે, એટલે કર્તૃનયનું ફળ કાંઈ
રાગના કર્તા રહેવું–તે નથી, પણ શુદ્ધચ્ૈતન્યદ્રવ્યના અવલંબને રાગ ટળી જાય તે
કર્તૃનયનું ફળ છે.
આ બન્ને કથનનો મેળ સમજવો જોઈએ. અનુભૂતિના વિષયરૂપ શુદ્ધાત્મા બતાવતા
તેને રાગનું સર્વથા અકર્તાપણું જ કહ્યું. અને પ્રમાણના વિષયરૂપ આત્માના
PDF/HTML Page 43 of 49
single page version
જ આખો આત્મા નથી માનતો. પરંતુ તે જ વખતે જ્ઞાન –આનંદ વગેરે અનંત ધર્મવાળા
શુદ્ધઆત્માને તે શ્રુતજ્ઞાનમાં સ્વીકારે છે, ને શુદ્ધઆત્માને જોનારો રાગમાં અટકી જતો
નથી, એટલે કે ‘રાગપણે જ હું રહીશ’ એમ તે પ્રતીત કરતો નથી; તેને તો એમ
નિઃશંકતા છે કે હું મારા ચૈતન્યસ્વભાવપણે પરિણમીને અલ્પકાળમાં જ આ રાગનો
અભાવ કરી નાંખીશ. અત્યારે રાગપણે જેટલું પરિણમન છે તેટલો મારો ધર્મ છે, તે
રાગનું દુઃખ પણ મને વેદાય છે; – કાંઈ ધર્મી થાય એટલે તેને રાગનું દુઃખ ન વેદાય –
એમ નથી. ધર્મી પણ પોતામાં જેટલો રાગ છે તેટલું દુઃખ સમજે છે – પણ એટલું ખરૂં કે
તે દુઃખ વખતે પણ સમ્યગ્દ્રર્શનાદિથી જે અપૂર્વ આત્મશાંતિનુ વેદન પ્રગટ્યું છે તે વેદન
પણ વર્તે જ છે, અને તે વેદનમાં રાગનો કે દુઃખનો અભાવ છે એકકોર અપૂવ શાંતિ ને
એકકોર રાગનું દુઃખ–બંને ભાવ ધર્મીને પર્યાયમાં વર્તે છે, ને તે બન્નેને ધર્મી પોતામાં
જાણે છે.
*
અભિપ્રાયને તે સમજ્યો જ નથી. હે ભાઈ! કર્તૃધર્મ તો તે ક્ષણિક પર્યાયપૂરતો છે,
ત્રિકાળ નથી; તે જ વખતે ત્રિકાળી ચેતન દ્રવ્ય તો રાગના કર્તૃત્વ વગરનું જ છે. કર્તૃધર્મ
કોનો છે? આત્મદ્રવ્યનો છે; તે આત્મદ્રવ્ય કેવું છે? અનંત ધર્મના પિંડરૂપ શુદ્ધ
ચૈતન્યમાત્ર છે. આવા શુદ્ધ આત્માની દ્રષ્ટિપૂર્વક, કર્તૃનયથી રાગનું કર્તાપણું જેણે જાણ્યું
તેને રાગ લંબાતો નથી, કેમ કે તે જ કાળે અકર્તુનયે આત્માનો સ્વભાવ રાગાદિનો
અકર્તા જ છે – એમ પણ તે જાણે છે.
*
ક્યાં છે? કોની સામે મીટ માંડીને તું આત્માના કર્તૃધર્મને કબુલે છે? તારી નજરની મીટ
વિકાર ઉપર છે કે ચૈતન્યમય આત્મદ્રવ્ય ઉપર? વિકાર ઉપર મીટ માંડીને આત્માના
ધર્મનું યથાર્થ જ્ઞાન થતું નથી, આત્મદ્રવ્યની સામે મીટ માંડીને જ તેના ધર્મનું યથાર્થ
જ્ઞાન થાય છે. માટે
PDF/HTML Page 44 of 49
single page version
જેનાથી આત્માને વીતરાગભાવના ઉત્તમ સંસ્કાર પડે તે જ સાચી જૈનસંસ્કૃતિ
જેમાં ચૈતન્યનો શાન્ત વીતરાગરસ ઝરે છે – એવા સમભાવનો અનુભવ તે
હા; ધર્મી કહે છે કે અમારા સ્વભાવને સાધવારૂપ કાર્યના અમે કર્તા છીએ, તેથી
આત્માના અનુભવ જેવું સારૂં કામ બીજું કોઈ નથી, માટે તે સારૂં કાર્ય કરવું.
જ્ઞાનીના ગુણને ઓળખતાં તેના પ્રત્યેનો જે મહાન પ્રમોદભાવ જાગે છે ને
PDF/HTML Page 45 of 49
single page version
વેદન કાંઈ શાંતિરૂપ ન હોય.
અપૂર્વ આત્મ શાંતિનું જ વેદન છે, તેમાં કાંઈ દુઃખ નથી; પણ રાગમાં તો
દુઃખ જ છે, તેમાં કાંઈ શાંતિ નથી.
હા; સાધકની પર્યાયમાં શાંતિ અને દુઃખ બંનેનું વેદન એકસાથે વર્તે છે.
જો શાંતિનું જરાય વેદન ન હોય ને એકલા જ દુઃખનું વેદન હોય તો –
તો અજ્ઞાનદશા છે; અને જો પૂર્ણ શાંતિનું જ વેદન હોય ને દુઃખનું વેદન
જરાય ન હોય તો ત્યાં પર્ણદશા હોય; સાધકની દશામાં તો ઘણી શાંતિનું
વેદન હોવા છતાં રાગાદિના જરાક દુઃખનું વેદન પણ છે. – આવી
મિશ્રધારા સાધકને હોય છે.
દોષને ગુણમાં ભેળવી દીધો. ગુણ–દોષનું સાચું પૃથક્કરણ જ્ઞાની જ કરી
શકે છે. રાગાદિ દોષના કોઈ અંશને તે ગુણમાં ભેળવતા નથી.
PDF/HTML Page 46 of 49
single page version
રોજ ઊજવવામાં આવશે. મુમુક્ષુ હૈયાંને આનંદકારી આ મંગળ મહોત્સવની નિમંત્રણ–
પત્રિકા મુમુક્ષુ – મંડળોને મોકલવામાં આવી છે.
થયું હતું, તેમાં ઘણા મુમુક્ષુઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
ઉત્તમ સંસ્કાર મેળવી રહ્યા છે ને વડીલો પણ તેમને સારૂં પ્રોત્સાહન આપી રહ્યા
છે. દરેક ગામના કાર્યકરોએ પોતાના ગામમાં જૈનપાઠશાળા અવશ્ય ચાલુ કરવી
જોઈએ; કોઈપણ બહાના હેઠળ આ કાર્યમાં વિલંબ કરવો ઉચિત નથી. આશા
રાખીએ કે વીર પ્રભુના નિર્વાણને અઢીહજારમું વર્ષ બેસે ત્યાં સુધીમાં સૌરાષ્ટ્રમાં
ઠેર ઠેર પાઠશાળા ચાલુ થઈ ગઈ હશે. બાળકો, તમે પોતે ભેગા થઈને પાઠશાળા
માટેનો તમારો હકક વડીલો પાસે માંગો... ને સત્યાગ્રહ પૂર્વક કહો કે “અમે તો
વીરતણાં સંતાન....અમારે ભણવા જૈનસિદ્ધાંત”–કોઈ ભણાવનાર ન મળે તો
તમે પોત જ ભેગા થઈને ભણો. તમને જરૂર આનંદ થશે. આ સંબંધી
તમારા ઉત્સાહના સમાચાર લખી મોકલો. જરૂર પડશે તો સોનગઢથી તમને
દોરવણી આપીશું.
અનેક શિલાલેખો ઉકેલ્યા છે; તેમની પાસે એક અત્યંત પ્રાચીન તામ્રપત્ર
PDF/HTML Page 47 of 49
single page version
રેવંત પર્વત ઉપરના જૈન તીર્થંકર નેમિનાથના મંદિરના ખર્ચ માટે આપવા હુકમ
* આ શિલાલેખમાં લખેલ સંવત અનુસાર તે મહાવીર ભગવાનના સમયનો, અને
* તે કાળના કોઈ વિેદશી રાજાને પણ ગીરનાર ઉપરના નેમિનાથ પ્રભુના મંદિર પ્રત્યે
PDF/HTML Page 48 of 49
single page version
અહો, સમ્મેદશિખર વગેરે મહાન તીર્થક્ષેત્રો – જ્યાં અનેક સાધકસંતો અને
PDF/HTML Page 49 of 49
single page version