PDF/HTML Page 21 of 49
single page version
વગરની વીતરાગી ચૈતન્યશાંતિ તે આત્માનું સ્વરૂપ છે. હે ભાઈ! વીતરાગી સમતારૂપી
જળવડે તું રાગની આગને બુઝાવ. હે ભાઈ! ક્ષમાવડે તું ક્રોધને જીતી લે. શાંતરસના
દરિયાથી ભરેલું આ ચૈતન્યતત્ત્વ, તેના અનુભવમાં કોઈ કષાય કે કોઈ રાગ–દ્વેષ સમાય
નહીં, એટલે તેનો અનુભવ કરતાં કષાયો જીતાઈ જાય છે.
ક્રોધાદિ કષાયો છે તેટલું દુઃખનું વેદન પણ છે; તેને ધર્મી કલેશરૂપ સમજે છે. આમ
ધર્મીને એકબાજુ વીતરાગી શાંતિનું વેદન છે ને એકબાજુ સંસારનો કલેશ પણ છે, –
બંને ધારા એકબીજાથી વિરુદ્ધ જાતની હોવા છતાં ધર્મીને એકસાથે તે બંને ધારા વર્તે છે,
– એવી આશ્ચર્યકારી ધર્મીની દશા છે.
કષાય છે તે ચૈતન્યની શાંતિની પૂર્ણતાને અટકાવે છે ને કલેશ આપે છે. આમ ધર્મીજીવ
પોતાની દશાના બંને પ્રકારોને જેમ છે તેમ બરાબર જાણે છે; ને વીતરાગી ક્ષમાદિ ભાવો
વડે ક્રોધાદિ પરભાવોને તે દૂર કરે છે, – તેને ક્રોધાદિના અભાવ રૂપ સામાયિક હોય છે.
સામાયિકમાં તો પરમ શાંતિ છે.
ડગાવી શકે નહિ; કોઈ સંયોગો તે શાંતિને હણી શકે નહિ. જુઓને, શત્રુંજય પર
ચારેકોર અગ્નિના ભડકા પણ પાંડવોની શાંતિને હણી શક્યા નહિ; એ તો ચૈતન્યની
શાંતિના બરફ વચ્ચે બેઠા હતા.
ક્ષમા, સામાયિક અને ‘પ્રાયશ્ચિત્ત’ છે, ઉત્કૃષ્ટ જ્ઞાનપરિણતિ થઈ તે પોતે જ પ્રાયશ્ચિત
છે, તેમાં સર્વ દોષનો અભાવ છે. અંતર્મુખ પરિણતિએ ક્રોધાદિ ભાવને ધારણ ન કરતાં,
પોતામાં પોતાના ઉત્કૃષ્ટ જ્ઞાનસ્વભાવને ધારણ કર્યો, તે જ પ્રાયશ્ચિત્ત છે. ઉત્કૃષ્ટ જ્ઞાનને
PDF/HTML Page 22 of 49
single page version
ગઈ, આવી પરિણતિ તે પોતે સામાયિક છે.
તો ચૈતન્યના શાંતરસમાં ઠર્યો હતો. શાંતરસમાં લીનતા આડે કોઈ વિકલ્પનો અવકાશ
ન રહ્યો, ને પરમ વીતરાગી ક્ષમા ધારણ કરીને કેવળજ્ઞાન પામીને, શત્રુંજય પરથી મોક્ષ
પામ્યા; અત્યારે પણ ત્યાં જ ઉપર લોકાગ્રે સિદ્ધાલયમાં બિરાજે છે, ને અનંત કાળ સુધી
અનંત વીતરાગી સુખમાં જ લીન રહેશે. પર્યાયમાં જે અનંતસુખ વગેરે પ્રગટે છે તે
બધુંય સ્વભાવમાં ભર્યું છે. આવા સ્વભાવને શ્રદ્ધામાં – જ્ઞાનમાં – ચારિત્રમાં સ્વીકારવો
તે જ સર્વ દોષના અભાવરૂપ ને શુદ્ધ જ્ઞાનના પ્રકાશરૂપ પ્રાયશ્ચિત્ત છે. ધર્મીજીવને
પોતાના પરમતત્ત્વની પ્રાપ્તિથી પરમ સંતોષ થયો, સ્વાનુભૂતિથી પરમ તૃપ્તિ થઈ, ત્યાં
પરદ્રવ્યની આશા ન રહી, લોભ ન રહ્યો – આ રીતે પરમતત્ત્વની પ્રાપ્તિરૂપ સંતોષ વડે
જ લોભ વગેરેને જીતી શકાય છે.
ચૈતન્યસુખનો ઢગલો અમને પ્રગટ થયો છે, સહજ સુખથી ભરેલો ચૈતન્યચમત્કાર
આત્મા અનુભવમાં આવ્યો છે; આવા આત્મસુખને અમે સર્વદા અનુભવીએ છીએ, અને
એનાથી વિરુદ્ધ ભવસુખના (–ખરેખર ભવદુઃખના) કારણરૂપ પરભાવોને અમે
આત્માની શક્તિથી સર્વ પ્રકારે છોડીએ છીએ; કાયાને અને માયાને (–કાયા તરફના
ભાવોને) છોડીને, અમારી પરિણતિને અમે ચૈતન્યસુખમાં જોડી દીધી છે. અરે, અમારી
આવી સહજ આત્મસંપદા – કે જે અમારા હૃદયમાં જ છે ને અમારી સ્વાનુભૂતિનો જ
વિષય – છે – તેને પૂર્વે એક ક્ષણ પણ અમે જાણી ન હતી; હવે આનંદમય ધ્યાનવડે
અમારી આવી અદ્ભુત આત્મસંપદાને અમારા અંતરમાં અમે પ્રગટ સ્વસંવેદનથી જાણી
છે, ને તેને જ સદાય અનુભવીએ છીએ.
PDF/HTML Page 23 of 49
single page version
સમુદ્ર ઉલ્લસે છે. બાપુ! આ જીંદગીનું આયુષ્ય તો મર્યાદિત છે તે ક્ષણેક્ષણે ઘટતું જાય છે,
ને તારો વખત બહારનાં કામમાં ચાલ્યો જાય છે. કરવાનું આ ખરૂં કામ બાકી રહી જાય
છે, – તો જીવનમાં તેં શું કર્યું? અરે, આત્માના કલ્યાણ વગર જીવનું ચાલ્યું જાય તો તે
શું કામનું? આત્માનું સમ્યક્ જ્ઞાન કરવું તે જ્ઞાનની ખરી કળા છે, તે જીવનમાં કરવા
જેવું કામ છે ને તે જ ભણવા જેવું ભણતર છે. આત્માના અતીન્દ્રિય આનંદને સ્પર્શીને
જે જ્ઞાન પ્રગટ્યું તે જ્ઞાન મોક્ષને સાધે છે. ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રર્શન ને સમ્યગ્જ્ઞાનમાં
આત્માનો અતીન્દ્રિય આનંદ છે. જેમ ક્ષીરણસાગર તે દૂધનો દરિયો છે. (એનું પાણી જ
દૂધ જેવું છે) તેમ ચૈતન્યસમુદ્ર આત્મા તે આનંદનો મહા સમુદ્ર છે, તેમાં સન્મુખ થતાં
આનંદના હીલોળા પર્યાયમાં ઊંછળે છે. જે આનંદનો દરિયો હોય તેના મોજાં પણ
આનંદરૂપ જ હોય ને? વીતરાગચારિત્રવત મુનિઓ.... તે તો સિંહ જેવા સંતો,
ચૈતન્યના આનંદની મસ્તીમાં મસ્તપણે વનમાં વસતા હોય છે. અંદર ચૈતન્યરસનો
સ્વાદ લેવામાં અવિચલપણે એવા ચોંટયા છે કે ઉપસર્ગાદિથી પણ ડગતા નથી. અહા,
ચૈતન્યના આનંદને સાધનારા આવા સંતોને નમસ્કાર છે. સમ્યગ્દ્રષ્ટિ ને પણ આત્માના
આવા આનંદનો અનુભવ છે; ભલે થોડો, પણ મુનિ જેવા અતીન્દ્રિય આત્મ આનંદનો
સ્વાદ સમ્યગ્દ્રર્શનમાં ધર્મીને આવ્યો છે. વાહ, ધન્ય અવતાર! આત્માના આનંદને
સાધીને એણે અવતારને સફળ કર્યો છે.
આત્મા, તેમાંથી સમ્યક્ત્વના કળશ ભરી–ભરીને આનંદજળથી તારા આત્માનો
અભિષેક કર....આનંદના સમુદ્રમાં આત્માને તરબોળ કર. ભાઈ, અત્યારે આવા
કલ્યાણનો અવસર છે. અહા, સીમંધર પરમાત્મા પાસેથી આવો ઊંચો માલ લાવીને
કુંદકુંદાચાર્યદેવે આ ભરતક્ષેત્રેના જીવોને આપ્યો છે. ધર્મના આડતિયા તરીકે આવો
ઊંચો માલ લાવ્યા છે. અહો, ભરતક્ષેત્રના સંત....તેમણે સદેહે વિદેશક્ષેત્રની યાત્રા
કરીને સાક્ષાત પરમાત્માના ભેટા કર્યાં; તેમણે બતાવેલો આ માર્ગ છે. તેઓ
ભરતક્ષેત્રમાં જૈનશાસનની પ્રભાવના કરનારા મહાન સંત છે. તેમણે દર્શાવેલો માર્ગ
અત્યારે ચાલી રહ્યો છે.
PDF/HTML Page 24 of 49
single page version
PDF/HTML Page 25 of 49
single page version
શકે છે.
રીતે મોક્ષનો માર્ગ સદાય ખુલ્લો જ છે, ક્્યારેય બંધ નથી.
PDF/HTML Page 26 of 49
single page version
PDF/HTML Page 27 of 49
single page version
વસવું હોય તો નિજસ્વરૂપમાં વસો.....શરીરમાં નહીં.
રક્ષા કરવી હોય તો આત્મભાવની રક્ષા કરો.....રાગની નહીં.
વાંચવું હોય તો વીતરાગ – સાહિત્ય વાંચો.....રાગપોષક નહીં.
છોડવું હોય તો રાગનું કર્તૃત્વ છોડો.....નિજભાવને નહીં.
લગની કરવી હોય તો મોક્ષની કરો.....બીજાની નહીં.
રાજી થવું હોય તો ચૈતન્યરાજાને રીઝવો.....પરને નહીં.
પરમાત્મા થવું હોય તો પરમતત્ત્વને આરાધે.....પરને નહીં.
PDF/HTML Page 28 of 49
single page version
यही परमामृत जन्म – जरा – मृति रोग निवारन।।
कोटि जनम तप तपें ज्ञानबिन कर्म झरें जे।
ज्ञानीके छिनमें त्रिगुप्तितें सहज टरैं ते।।
मुनिव्रत धार अनंतबार ग्रीवक उपजायो।
पै निज आतम – ज्ञान बिना सुख लेश न पायो।।
ચૈતન્યનું જ્ઞાનપરિણમન જ જીવને સર્વત્ર સુખનું કારણ છે. જન્મ–જરા મરણના રોગને
નિવારવા માટે આ સમ્યગ્જ્ઞાન પરમ અમૃત છે. સમ્યગ્જ્ઞાનરૂપી અમૃત વડે જન્મ–
મરણનો નાશ કરીને જીવ અમરપદને પામે છે.
મન–વચન–કાયાથી ભિન્ન ચૈતન્પરિણતિ સદાય વર્તે છે ને તેથી સહેજે નિર્જરા થયા જ
કરે છે,–એવી નિર્જરા અજ્ઞાનીને ઘણા તપ વડે પણ થતી નથી. અજ્ઞાની જીવ અનંતવાર
મુનિવ્રત ધારણ કરીને નવમી ગ્રૈવેયક સુધી ઊપજ્યો, પરંતુ પોતાના આત્મજ્ઞાન વગર
તે લેશમાત્ર સુખ ન પામ્યો. જુઓ તો ખરા! અજ્ઞાનીના પંચમહાવ્રત પણ જરાય સુખનું
કારણ ન થયા.–ક્યાંથી થાય? એ તો શુભરાગ છે. રાગ તે કાંઈ સુખનું કારણ હોય?
રાગના ફળમાં તો બહારનો સંયોગ મળે ને અંદર આકુળતા થાય, પણ કાંઈ ચૈતન્યની
શાંતિ રાગથી ન મળે; એ તો ચૈતન્યના જ્ઞાનથી જ મળે.
PDF/HTML Page 29 of 49
single page version
સંબંધ નથી; આત્માને જાણનારું સમ્યગ્જ્ઞાન પોતે જ સુખનું કારણ છે. આત્માના
અતીન્દ્રિય સુખના અનુભવસહિત જ સમ્યગ્જ્ઞાન પ્રગટ્યું છે, ને તે પોતે જ પરમ સુખથી
ભરેલું છે. આત્મામાં જ્ઞાનના પરિણમન સાથે સુખનું પરિણમન પણ ભેગું જ છે.
સમ્યગ્જ્ઞાનની અંદર તો ચૈતન્યના અનંત ભાવો ભર્યા છે. અહા, સમ્યગ્જ્ઞાનની કિંમતની
જગતને ખબર નથી. સમ્યગ્જ્ઞાન જેવું સુખકારી ત્રણકાળ ત્રણલોકમાં બીજું કોઈ નથી.
પહેલાં સમ્યગ્દ્રર્શનના પ્રકરણમાં કહ્યું હતું કે –
તારા આત્માનું સમ્યગ્જ્ઞાન કર. આનંદની ઉત્પત્તિ તારા સમ્યગ્જ્ઞાનમાં છે; કુટુંબમાં –
પૈસામાં – શરીરમાં ક્્યાંય આનંદ મળે તેમ નથી. આત્માના સમ્યગ્જ્ઞાન વગર દેવલોકના
દેવો પણ દુઃખી છે, ત્યાં બીજાની શી વાત? શુભરાગ, પુણ્ય અને તેનું ફળ – એ બધુંય
આત્માના જ્ઞાનથી જુદું છે; તે રાગમાં, પુણ્યમાં કે પુણ્યફળમાં ક્્યાંય જે સુખ માને તેને
સાચા જ્ઞાનની કે સાચા સુખની ખબર નથી, જ્ઞાનના ને સુખના બહાને તે અજ્ઞાનને
તથા દુઃખને જ સેવે છે. બાપુ! સુખ અને જ્ઞાન તો તારો સ્વભાવ છે, તેને ઓળખ, તો
જ સમ્યગ્જ્ઞાન અને અતીન્દ્રિય સુખનો અનુભવ થાય. અતીન્દ્રિય જ્ઞાનમાં જે સુખ છે
તેવું સુખ ઈન્દ્રપદમાં નથી, ચક્રવર્તીપદમાંય નથી, કે જગતમાં બીજે ક્્યાંય નથી, એટલે કે
જ્ઞાન સિવાય બીજે ક્્યાંય સુખ છે જ નહીં. સમ્યગ્જ્ઞાનમાં સુખ છે, ને બીજે ક્્યાંય સુખ
નથી. એ અપેક્ષાએ કેવળી ભગવંતોને એકાંત સુખી કહ્યા છે.
PDF/HTML Page 30 of 49
single page version
જરા–મરણના રોગને મટાડીને મોક્ષરૂપી અમરપદ દેનાર છે. બહારનું ભણતર કે
દુનિયાદારીનું ડહાપણ જેમાં કામ આવતું નથી, આત્મામાંથી જ જે આવે છે – એવું આ
સમ્યગ્જ્ઞાન પરમ અમૃત છે. આત્માનો સ્વભાવ અનાકુળ આનંદસ્વરૂપ અમૃત છે, તેમાં
તન્મય થઈને તેને જાણનારું જ્ઞાન પણ આનંદરૂપ થયું છે તેથી તે પણ પરમ અમૃત છે,
તેમાં તન્મય થઈને તેને જાણનારું જ્ઞાન પણ આનંદરૂપ થયું છે તેથી તે પણ પરમ અમૃત
છે. અને એવા સ્વરૂપને દેખાડનારી વાણીને પણ ઉપચારથી અમૃત કહેવાય છે.
વચનામૃત વીતરાગનાં..... પરમ શાંતરસ મૂળ આવી વીતરાગવાણી દ્વારા થતું આત્માનું
સમ્યગ્જ્ઞાન, તે જીવના ભવરોગને મટાડનાર અમોધ ઔષધ છે. શરીરમાં ભલે
વૃદ્ધાવસ્થા હો કે બાળક અવસ્થા હો, નરકમાં હો કે સ્વર્ગમાં હો, રોગાદિ હો કે નીરોગતા
હો, – પણ આવું સમ્યગ્જ્ઞાન સર્વત્ર પરમ શાંતિ દેનાર છે.
ત્રણલોકમાં અપૂર્વ સુખનું જ કારણ થાય છે, તે પરમ અમૃત છે. આવું જ્ઞાન જ જન્મ
મરણથી છૂટીને મુક્તિસુખ પામવાનો ઉપાય છે; જ્ઞાન સિવાય બીજો ઉપાય નથી જે
જીવો પૂર્વે સિદ્ધ થયા છે, અત્યારે થાય છે ને ભવિષ્યમાં થશે તે બધાય જીવો ભેદજ્ઞાન
વડે જ સિદ્ધ થયા છે, થાય છે ને થશે એમ જાણો –
બંધ્યા અરે! જે જીવ તે સૌ ભેદજ્ઞાન – અભાવથી.
કેલિ કરે છે. આત્માના આનંદમાં કેલિ કરતો કરતો તે મુક્તિતાં જાય છે.
અપૂર્વ જ્ઞાનકળા ઊઘડી; તેના વડે તે શિવમાર્ગને સાધે છે ને શરીરમાં વાસ છૂટીને તે
સિદ્ધપદને પામે છે. ભેદજ્ઞાન – કળાવડે ધર્મી જીવ એમ અનુભવે છે કે
PDF/HTML Page 31 of 49
single page version
જાણે છે કે ‘જ્ઞાનકલા ઉપજી અબ મોહે.... ’ મને જ્ઞાનકળા ઉપજી છે ને તેના પ્રસાદે હું
મોક્ષમાર્ગને સાધી રહ્યો છું. અલ્પકાળમાં આ ભવથી છૂટીને હવે હું સિદ્ધપદને પામીશ.
કેમ શોભે? દેહ હું નથી, હું તો દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા છું – એવું સમ્યગ્જ્ઞાન
થતાં હવે જ્ઞાનકળા જાગી છે, તે જ્ઞાનકળાના પ્રસાદથી હવે આ માટીના ઘટમાંથી છૂટી
જઈશું ને અશરીરી થઈને, સિદ્ધાલયમાં રહેશું, ફરીને કદી આ શરીરમાં કે સંસારમાં
આવશું નહીં. જુઓ, આ સમ્યજ્ઞાનનો પ્રસાદ! આવા જ્ઞાનના પ્રસાદથી મુક્તિ પમાય છે.
સમ્યગ્જ્ઞાનના પ્રતાપે હવે આ હાડ– માંસના માળખામાં રહેવાનું બંધ થઈ જશે, ને
આનંદમય મોક્ષમહેલાં સદા રહેશું. આ રીતે સમ્યગ્જ્ઞાનના અમૃત વડે જન્મ–મરણનો
રોગ મટે છે ને પરમસુખ થાય છે. જગતમાં જીવને જ્ઞાન સમાન સુખનું કારણ બીજું
કોઈ નથી. આમ – સમ્યગ્જ્ઞાનનો મહિમા જાણીને તેની આરાધના કરો.
PDF/HTML Page 32 of 49
single page version
પ્રતિનિધિઓને હાજર રહેવા સૂચના આપશોજી.
(૩) માનનીય પ્રમુખ સાહેબની મંજૂરીથી જે કાંઈ રજૂ થાય તે અંગે.
તારીખ
નોંધ – બધી મીટીંગોનું સ્થળ: પ્રવચન મંડપ
PDF/HTML Page 33 of 49
single page version
PDF/HTML Page 34 of 49
single page version
તેની તો વાત શી? પણ સાચા વીતરાગી દેવ–ગુરુને જ માને, બીજાને માને નહિ, વિષય
કષાયના પાપભાવ છોડીને શીલ–વ્રતના શુભભાવમાં લયલીન રહે, અને તેમાં જ સંતોષ
માને કે આનાથી હવે મોક્ષ થઈ જશે, પણ તે વ્રતાદિના શુભરાગથી પાર જ્ઞાનચેતનાનો
અનુભવ ન કરે તો તેવો જીવ પણ જરાય સુખ નથી પામતો. તે સ્વર્ગમાં જાય છે, – પણ
તેથી શું? સુખ તો રાગવગરની ચૈતન્યપરિણતિમાં છે, કાંઈ સ્વર્ગના વૈભવમાં સુખ
નથી. જ્ઞાનચેતનાવડે જ સુખ અનુભવાય છે, જ્ઞાનચેતના પોતે સુખરસથી ભરેલી છે.
પડ્યું છે એટલે રાગમાં સર્વસ્વ માનીને રાગવગરના આખા જ્ઞાનસ્વભાવનો તું અનાદર
કરી રહ્યો છે. સમ્યગ્જ્ઞાન વગર રાગમાં તો સુખ ક્્યાંથી હોય? શુભરાગમાં એવી તાકાત
નથી કે અજ્ઞાનરૂપી અંધકારને કે દુઃખને દૂર કરે. જ્ઞાનચીજ રાગથી જુદી છે; તે
જ્ઞાનચેતનાના પ્રકાશ વડે જ અજ્ઞાન–અંધારા ટળે છે ને સુખ પ્રગટે છે. નિજાનંદી
જ્ઞાનસ્વરૂપ આત્મા તરફ વળીને સમ્યગ્જ્ઞાન–ચેતના પ્રગટ કર્યાં વગર સુખનો અંશ પણ
પ્રાપ્ત ન થાય.
ઈન્કાર કરે છે. અરે, જ્યાં સુખ છે – જે પોતે સુખ છે તેનો સ્વીકાર કર્યાં વગર સુખ
ક્્યાંથી થાય?
PDF/HTML Page 35 of 49
single page version
વેદે છે. ભેદજ્ઞાન તે સિદ્ધપદનું કારણ, ને ભેદજ્ઞાનનો અભાવ એટલે કે અજ્ઞાન, તે
સંસારદુઃખનું કારણ છે. જ્યાં ચૈતન્યના જ્ઞાનની શાંતિનું વેદન નથી ત્યાં કષાય છે, –
ભલે અશુભ હો કે શુભ હો – પણ જે કષાય છે તે તો દુઃખ જ છે. શુભકષાય તે કાંઈ
શાંતિ તો ન જ કહેવાય. આત્માના જ્ઞાન વડે ક્ષણમાત્રમાં કરોડો ભવના કર્મો છૂટી જાય
છે, ને સમ્યગ્જ્ઞાન વગર કરોડો વર્ષના તપ વડે પણ સુખનો છાંટોય મળતો નથી. જુઓ
તો ખરા, જ્ઞાનનો અપાર મહિમા! અજ્ઞાની જીવને જ્ઞાનના મહિમાની ખબર નથી, એને
રાગ દેખાય છે, – પણ રાગથી પાર થઈને અંદર ચૈતન્યમાં ઊંડુ ઊતરી ગયેલુંજ્ઞાન તેને
દેખાતું નથી. માટે કહે છે કે હે ભાઈ! મોક્ષનું કારણ તો સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન સહિતનું
ચારિત્ર છે. સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન વગરનું આચરણ તો થોથાં છે, તેમાં લેશ પણ સુખ નથી.
આ રીતે સમ્યગ્જ્ઞાનો મહિમા જાણીને, તેને પરમ અમૃત સમાન જાણીને તેનું સેવન કરો.
એમ સર્વે સંતોનો ઉપદેશ છે.
તરફના વેગથી તે આકુળ – વ્યાકુળ દુઃખી રહે છે. જો ઈન્દ્રિયોથી ભિન્નતા
જાણી, જ્ઞાનને અંતર્મુખ કરીને સ્વ–વિષયને ગ્રહણ કરે તો આનંદનો અનુભવ
થાય ને બાહ્યવિષયોના ગ્રહણની આકુળતા મટી જાય.
PDF/HTML Page 36 of 49
single page version
પોતાની શ્રદ્ધા– જ્ઞાન પર્યાયમાં તો રાગનું કર્તાપણું કે ભોકતાપણું નથી; પણ હજી
ચારિત્રની પર્યાયમાં જેટલી અશુદ્ધતા અને રાગાદિ છે તેનું કર્તા–ભોકતાપણું પોતાની તે
પર્યાયમાં છે – એમ ધર્મી જાણે છે.
ચારિત્રદશામાં જે રાગાદિભાવ થાય છે તે રાગનો કર્તા કર્તૃનયથી આત્મા પોતે છે,
પોતાની પર્યાયમાં તે કાળે તેવો ધર્મ છે, અને તે ધર્મનો અધિષ્ઠાતા આત્મા જ છે, –
એમ જ્ઞાની પોતાની પર્યાયમાં રાગના કર્તૃત્વને તેમજ ભોકતૃત્વને તે કાળે જાણે છે. તે જ
વખતે રાગાદિના અકર્તા–અભોક્તારૂપ પરિણમન પણ શ્રદ્ધા–જ્ઞાનાદિ પર્યાયોમાં વર્તે છે,
તેને પણ ધર્મી જાણે છે. – આવો ભગવાનનો અનેકાન્ત માર્ગ છે.
સમ્યક્ત્વાદિ શુદ્ધ ભાવની વિવક્ષાથી જોવામાં આવે ત્યારે આત્માને શાંતિનું વેદન છે,
તેમાં અશાંતિ છે જ નહીં. અને જ્યારે પર્યાયમાં રાગાદિ છે તેની વિવક્ષાથી જોવામાં
PDF/HTML Page 37 of 49
single page version
શુદ્ધતાને મુખ્ય કરીને તેમાં એકલા આનંદનું જ વેદન કહ્યું, ને રાગાદિ ભાવો તે શુદ્ધતાથી
જુદા રહી ગયા, એટલે તેનો કર્તા– ભોક્તા જ્ઞાની નથી – એમ કહ્યું. વસ્તુનું સ્વરૂપ બધા
પડખેથી (બધા ધર્મોથી) જેમ છે તેમ સત્ય જાણવું જોઈએ.
અને છતાં પોતાની પર્યાયમાં જે રાગાદિનું કર્તા–ભોક્તાપણું વર્તે છે તે પણ જ્ઞાનીનું
જ્ઞાન બરાબર જાણે છે. – ત્યાં જાણવાની ક્રિયામાં ધર્મીને એકત્વબુદ્ધિ (તન્મયપણું)
છે, રાગાદિની ક્રિયાને જ્ઞાનક્રિયાથી જુદી જાણે છે, એટલે જ્ઞાનાદિ ભાવ તો રાગ
વગરના જ છે.
– કે હા; તેમને પોતાની પર્યાયમાં જેટલા રાગાદિ છે તેટલું દુઃખનું વેદન પણ છે;
વેદન પણ છે. અનંત નયોમાંથી ભોક્તાનયે તે જ્ઞાની તે દુઃખનું ભોક્તાપણું પોતામાંજાણે
છે; પર્યાયમાં એવા ભોક્તાપણાનો ધર્મ છે, ને તે ધર્મોનો અધિષ્ઠાતા આત્મા છે. અરે,
ચૌદમાં ગુણસ્થાનના છેલ્લા સમય સુધી જે અસિદ્ધત્વ ભાવરૂપ વિભાવ છે (ઉદયભાવ)
તે પણ જીવનું સ્વતત્ત્વ છે, જીવની સત્તામાં તેનું અસ્તિત્વ છે.
છે. તેમાં જેટલું રાગાદિનું કર્તા– ભોક્તાપણું હજી પર્યાયમાં વર્તે છે તેને પણ ધર્મી જાણે
છે. એક તરફ સ્વભાવની શાંતિનું વેદન છે તેને પણ જાણે છે, ને બીજી તરફ (તે જ
પર્યાયમાં) રાગાદિની અશાંતિનું પણ વેદન છે, – બંને ધર્મોને જ્ઞાની પોતાની પર્યાયમાં
જેમ છે તેમ જાણે છે. જે શાંતિ છે તેમાં અશાંતિ નથી, એટલે રાગ વગરનો જે જ્ઞાનભાવ
છે તેમાં તો શાંતિનું જ વેદન છે, ને સાધકને જેટલા રાગાદિ છે તેટલું અશાંતિનું વેદન
છે. આ રીતે જ્ઞાનભાવ અને રાગભાવ બંનેનું કાર્ય જુદું– જુદું છે; છતાં સાધકની
પર્યાયમાં બંને એક સાથે વર્તે છે. પોતાની પર્યાયમાં છે તે અપેક્ષાએ આત્મા જ તેનો
કર્તા ને ભોક્તા છે.
PDF/HTML Page 38 of 49
single page version
પર્યાયમાં જાણતા હોવા છતાં, ને પર્યાયમાં તેનું કર્તા ભોક્તાપણું જાણતા હોવા છતાં,
તેમાં તેને એકત્વબુદ્ધિ નથી, એકત્વબુદ્ધિ તો પરથી ભિન્ન પોતાના સુંદર–એકત્વ સ્વભાવ
જ વર્તે છે.
અશુદ્ધભાવો છે તેને બરાબર પોતાના અસ્તિત્વમાં જાણવા જોઈએ. જ્ઞાનીને રાગ થાય–
તેનું વેદન તેને છે જ નહિ–એમ નથી, તેનેય તે રાગનું દુઃખરૂપ વેદન તો છે, પણ તે જ
વખતે તેનાથી ભિન્ન સ્વભાવથી શુદ્ધતાનું ને શાંતિનું વેદન તેને વર્તી જ રહ્યું છે, તે
વેદનમાં રાગાદિનો અભાવ હોવાથી જ્ઞાનીને તેના અકર્તા–અભોકતા કહ્યા. બંને
અપેક્ષાને ધર્મી જીવ બરાબર જાણે છે. પોતાની પર્યાયમાં રાગ છે તેટલું દુઃખ છે – તેનું
અસ્તિત્વ જ ન માને તો જ્ઞાન આંધળુ થયુ; તે જ્ઞાને પોતાની પર્યાયના દોષને પણ
જાણ્યો નહિ,–એ તો શુભરાગ વગેરે દોષને ગુણ સાથે ખતવી દેશે એટલે ગુણના
સ્વરૂપનુંય સાચું જ્ઞાન તેને નહિ થાય. ધર્મી દોષને દોષરૂપ બરાબર જાણે, પોતામાં
જેટલો શુભ રાગ છે તેટલો પણ અપરાધ છે એમ જાણે, પણ તે દોષના કોઈ અંશને
ગુણમાં ભેળવે નહીં.
છે; ને તે પર્યાય પણ મારી છે–એમ જ્ઞાની જાણે છે. સ્વભાવથી શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું,–તેના
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રથી પરિણતિમાં શુદ્ધતા પણ થઈ છે અપૂર્વ વીતરાગી શાંતિનું વેદન
પણ વર્તી રહ્યું છે. અને સાથે જે રાગાદિ દોષ બાકી છે તે પણ પોતાની પર્યાયમાં છે,
પોતાના અસ્તિવમાં છે. –એમ અનેકાન્તના શરણે ધર્મી જીવ જાણે છે. પોતામાં દ્રવ્ય–
ગુણ–પર્યાયરૂપ અનંત ધર્મો જેમ છે તેમ જાણ્યા વગર સ્વજ્ઞેયનું સાચું જ્ઞાન ક્્યાંથી
થશે? સ્વ–જ્ઞેયના બધા પડખાને બરાબર જાણે તો તેમાં હેય–ઉપાદેયનો વિવેક કરે, ને
શુદ્ધ સ્વભાવના આશ્રયે ઉપાદેયભાવો પ્રગટ કરીને, રાગાદિ હેય ભાવોને છોડે; એ રીતે
વસ્તુના સાચા જ્ઞાનપૂર્વક મોક્ષમાર્ગ સધાય છે. મહાવીર ભગવાને આત્માનું આવું
સ્વરૂપ પ્રસિદ્ધ કર્યું છે. આવા વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કરવું તે જ મહાવીર પરમાત્માના
નિર્વાણમહોત્સવની (અઢી હજારમા
PDF/HTML Page 39 of 49
single page version
સાચો ઉત્સવ ક્્યાંથી ઊજવાય?
તેને જાણે જ નહિ તો તેને ટાળશે ક્્યાંથી? અને અશુદ્ધતા જેટલો જ પોતાને માની લ્યે,
ને તે જ વખતે સ્વભાવની શુદ્ધતાનું વેદન જરાય ન રહે–તો તે મિથ્યાદ્રષ્ટિ છે. પર્યાયમાં
જેટલા રાગાદિ દોષ છે તેનું વેદન પણ પોતાને જ છે, તે ઉપરાંત ધર્મીને તે જ કાળે
રાગથી જુદી પોતાની ચેતનાનું વેદન પણ વર્તે છે.–આવી આશ્ચર્યકારી સાધકદશા છે,
તેને ધર્મી જ ઓળખે છે. એકાંતવાદી તેને ઓળખી શકતા નથી.
પરિણમન પોતાનું છે ને પર્યાયમાં તેનું વેદન પણ છે – એમ જ્ઞાની પર્યાયનયથી જાણે
છે. રાગાદિ થતા હોવા છતાં તેને જાણે જ નહિ – તો તો જ્ઞાન ખોટુ પડે. તે પર્યાયમાં
તેક્ષણ પૂરતો તેટલો રાગાદિના કર્તાપણારૂપ ભાવ છે, કર્તૃનયથી આત્મા પોતે તે
કર્તૃધર્મવાળો છે.–પણ તે જ વખતે બીજા અનંત ધર્મોમાં રાગાદિને ન કરે એવો
અકર્તૃસ્વભાવ પણ પોતામાં છે – એનેય ધર્મી જાણે છે, એટલે એકલી પર્યાયબુદ્ધિ તેને
થતી નથી, રાગાદિમાં જ્ઞાનની એકત્વબુદ્ધિ થઈ જતી નથી. રાગ અને જ્ઞાનથી
ભિન્નતાના ભાન સહિત પોતાની પર્યાયમાં જ્ઞાનધારાને અને રાગધારાને જેમ છે તેમ
જાણે છે. તેનો કર્તા પણ છે, તેનો ભોક્તા પણ છે, અને તે જ વખતે રાગાદિના અકર્તા–
અભોક્તાપણાનો ભાવ પણ ધર્મીની પર્યાયમાં વર્તે છે – અહો, અનેકાન્તમય
વસ્તુસ્વરૂપ! આવા વસ્તુસ્વરૂપને જાણીને હે જીવો! તમે આજે જ આત્મામાંથી આનંદ
કાઢીને તે આનંદનો અનુભવ કરો.
અનેક અકર્તૃનય, તથા ભોકતૃનય અને અભોકતૃનય પણ છે; તો પ્રવચનમાંથી કેટલોક
સાર અહીં આપીએ છીએ.)
PDF/HTML Page 40 of 49
single page version
પણ આત્માની પર્યાયમાં વર્તે છે. તેને ધર્મી જાણે છે.–જાણીને પરભાવોથી ભિન્ન
પોતાના શુદ્ધચૈતન્યને પ્રાપ્ત કરે છે.
છું, મારા શુદ્ધ ચૈતન્ય દ્રવ્યમાં રાગનો અંશ પણ નથી એટલે રાગનું કર્તાપણું મારા
સ્વરૂપમાં નથી – આવી અંર્તદ્રષ્ટિપૂર્વક, પર્યાયમાં જે અલ્પ રાગાદિ થાય છે તેને પણ
સાધક જીવ પોતાનું પરિણમન જાણે છે; – તેને પ્રમાણ જ્ઞાનપૂર્વક આ કર્તૃનય હોય છે.
રાગથી ભિન્ન ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિ છોડીને એકલા રાગના કર્તાપણામાં રોકાય તેને
આ કર્તૃનય હોતો નથી.
ધર્મ છે. (એ ખાસ લક્ષમાં રાખવું કે સાધકને પર્યાયમાં એકલું રાગનું કર્તૃત્વ જ નથી
પરંતુ તે જ વખતે પર્યાયમાં જેટલી શુદ્ધતા છે તેટલું રાગનું અકર્તૃત્વ પણ વર્તે છે.)
જીવની પર્યાયમાં જે રાગ થાય છે તેનો કર્તા કોણ? આત્મા પોતે પર્યાયમાં વિકારપણે
પરિણમે છે તેથી આત્માનો જ તે ધર્મ છે, તેનો કર્તા આત્મા છે, પણ જડકર્મ તેનું
કર્તા નથી આ સાધકના નયની વાત છે. સાધકના શ્રુતજ્ઞાનમાં આવા નયો હોય છે.
સિદ્ધભગવાનને રાગ પણ નથી ને નય પણ નથી. જેને હજી પર્યાયમાં રાગ થાય છે
એવો સાધકજીવ કર્તૃનયથી એમ જાણે છે કે આ રાગ થાય છે તેનો કર્તા હું છું; બીજું
કોઈ તેનું કર્તા કે કરાવનાર નથી. તેમજ મારા ત્રિકાળી ચૈતન્યસ્વભાવમાં આ રાગનું
કર્તાપણું નથી, તે પર્યાયમાં જેટલી શુદ્ધતા થઈ છે તેમાં પણ રાગનું કર્તાપણું નથી.–
આમ જાણવું તે અનેકાન્ત છે. એકલું કર્તૃત્વ જ જાણે, ને તે જ વખતે અકર્તૃત્વને ન
જાણે, અથવા સર્વથા અકર્તા જાણે ને પર્યાયમાં જેટલું રાગનું કર્તૃત્વ વર્તે છે તેને ન
જાણે–તો પ્રમાણજ્ઞાન એટલે વસ્તુનું સાચું જ્ઞાન થાય નહિ, ને વસ્તુના સાચા જ્ઞાન
વગર શુદ્ધઆત્માની પ્રાપ્તિ થાય નહીં.