Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 211 of 256
PDF/HTML Page 251 of 296

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૨૧૧
द्रव्यकर्ममोक्षहेतुपरमनिर्जराकारणध्यानाख्यानमेतत
एवमस्य खलु भावमुक्त स्य भगवतः केवलिनः स्वरूपतृप्तत्वाद्विश्रान्तसुखदुःख-

कर्मविपाककृतविक्रियस्य प्रक्षीणावरणत्वादनन्तज्ञानदर्शनसम्पूर्णशुद्धज्ञानचेतनामयत्वाद- तीन्द्रियत्वात् चान्यद्रव्यसंयोगवियुक्तं शुद्धस्वरूपेऽविचलितचैतन्यवृत्तिरूपत्वात्कथञ्चिद्धयान- व्यपदेशार्हमात्मनः स्वरूपं पूर्वसञ्चितकर्मणां शक्ति शातनं पतनं वा विलोक्य निर्जरा- हेतुत्वेनोपवर्ण्यत इति ।।१५२।। અન્યદ્રવ્યથી અસંયુક્ત એવું [ ध्यानं ] ધ્યાન [ निर्जराहेतुः जायते ] નિર્જરાનો હેતુ થાય છે.

ટીકાઃઆ, દ્રવ્યકર્મમોક્ષના હેતુભૂત એવી પરમ નિર્જરાના કારણભૂત ધ્યાનનું કથન છે.

એ રીતે ખરેખર આ (પૂર્વોક્ત) ભાવમુક્ત (ભાવમોક્ષવાળા) ભગવાન કેવળીનેકે જેમને સ્વરૂપતૃપ્તપણાને લીધે કર્મવિપાકકૃત સુખદુઃખરૂપ વિક્રિયા અટકી ગઈ છે તેમનેઆવરણના પ્રક્ષીણપણાને લીધે, અનંત જ્ઞાનદર્શનથી સંપૂર્ણ શુદ્ધજ્ઞાન- ચેતનામયપણાને લીધે તથા અતીંદ્રિયપણાને લીધે જે અન્યદ્રવ્યના સંયોગ વિનાનું છે અને શુદ્ધ સ્વરૂપમાં અવિચલિત ચૈતન્યવૃત્તિરૂપ હોવાને લીધે જે કંથચિત્ ‘ધ્યાન’ નામને યોગ્ય છે એવું આત્માનું સ્વરૂપ (આત્માની નિજ દશા) પૂર્વસંચિત કર્મોની શક્તિનું શાતન અથવા તેમનું પતન અવલોકીને નિર્જરાના હેતુ તરીકે વર્ણવવામાં આવે છે.

ભાવાર્થઃકેવળીભગવાનના આત્માની દશા જ્ઞાનદર્શનાવરણના ક્ષયવાળી હોવાને લીધે, શુદ્ધજ્ઞાનચેતનામય હોવાને લીધે તથા ઇન્દ્રિયવ્યાપારાદિ બહિર્દ્રવ્યના આલંબન વિનાની હોવાને લીધે અન્યદ્રવ્યના સંસર્ગ રહિત છે અને શુદ્ધસ્વરૂપમાં નિશ્ચળ ચૈતન્યપરિણતિરૂપ હોવાને લીધે કોઈ પ્રકારે ‘ધ્યાન’ નામને યોગ્ય છે. તેમની આવી આત્મદશા નિર્જરાના નિમિત્ત તરીકે વર્ણવવામાં આવે છે કારણ કે તેમને પૂર્વોપાર્જિત કર્મોની શક્તિ હીન થતી જાય છે તેમ જ તે કર્મો ખરતાં જાય છે. ૧૫૨. ૧. કેવળીભગવાન નિર્વિકાર-પરમાનંદસ્વરૂપ સ્વાત્મોપન્ન સુખથી તૃપ્ત છે તેથી કર્મનો વિપાક

જેમાં નિમિત્તભૂત હોય છે એવી સાંસારિક સુખદુઃખરૂપ (હર્ષવિષાદરૂપ) વિક્રિયા તેમને વિરામ
પામી છે.

૨. શાતન = પાતળું થવું તે; હીન થવું તે; ક્ષીણ થવું તે. ૩. પતન = નાશ; ગલન; ખરી જવું તે.