Panchastikay Sangrah (Gujarati). Gatha: 153.

< Previous Page   Next Page >

Download pdf file of shastra: http://samyakdarshan.org/DdM
Tiny url for this page: http://samyakdarshan.org/GcwwxYy

Page 212 of 256
PDF/HTML Page 252 of 296

 

Hide bookmarks
background image
૨૧
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
સંવરસહિત તે જીવ પૂર્વ સમસ્ત કર્મો નિર્જરે
ને આયુવેદ્યવિહીન થઈ ભવને તજે; તે મોક્ષ છે. ૧૫૩.
અન્વયાર્થઃ[ यः संवरेण युक्तः ] જે સંવરથી યુક્ત છે એવો (કેવળજ્ઞાનપ્રાપ્ત)
જીવ [ निर्जरन् अथ सर्वकर्माणि ] સર્વ કર્મોને નિર્જરતો થકો [ व्यपगतवेद्यायुष्कः ] વેદનીય અને
આયુષ રહિત થઈને [ भवं मुञ्चति ] ભવને છોડે છે; [ तेन ] તેથી (એ રીતે સર્વ
કર્મપુદ્ગલોનો વિયોગ થવાને લીધે) [ सः मोक्षः ] તે મોક્ષ છે.
ટીકાઃઆ, દ્રવ્યમોક્ષના સ્વરૂપનું કથન છે.
ખરેખર ભગવાન કેવળીને, ભાવમોક્ષ હોતાં, પરમ સંવર સિદ્ધ થવાને લીધે ઉત્તર
કર્મસંતતિ નિરોધ પામી થકી અને પરમ નિર્જરાના કારણભૂત ધ્યાન સિદ્ધ થવાને લીધે
પૂર્વ કર્મસંતતિકે જેની સ્થિતિ કદાચિત્ સ્વભાવથી જ આયુકર્મના જેટલી હોય છે અને
કદાચિતસમુદ્ઘાતવિધાનથી આયુકર્મના જેટલી થાય છે તેઆયુકર્મના અનુસારે જ
નિર્જરતી થકી, અપુનર્ભવને માટે તે ભવ છૂટવાના સમયે થતો જે વેદનીય-આયુ-નામ-
जो संवरेण जुत्तो णिज्जरमाणोध सव्वकम्माणि
ववगदवेदाउस्सो मुयदि भवं तेण सो मोक्खो ।।१५३।।
यः संवरेण युक्तो निर्जरन्नथ सर्वकर्माणि
व्यपगतवेद्यायुष्को मुञ्चति भवं तेन स मोक्षः ।।१५३।।
द्रव्यमोक्षस्वरूपाख्यानमेतत
अथ खलु भगवतः केवलिनो भावमोक्षे सति प्रसिद्धपरमसंवरस्योत्तरकर्मसन्ततौ
निरुद्धायां परमनिर्जराकारणध्यानप्रसिद्धौ सत्यां पूर्वकर्मसन्ततौ कदाचित्स्वभावेनैव
कदाचित्समुद्घातविधानेनायुःकर्मसमभूतस्थित्यामायुःकर्मानुसारेणैव निर्जीर्यमाणायामपुनर्भवाय
૧. ઉત્તર કર્મસંતતિ = પછીનો કર્મપ્રવાહ; ભાવી કર્મપરંપરા. ૨. પૂર્વ = પહેલાંની
૩. કેવળીભગવાનને વેદનીય, નામ અને ગોત્રકર્મની સ્થિતિ ક્યારેક સ્વભાવથી જ (
અર્થાત્ કેવળીસમુદ્ઘાત-
રૂપ નિમિત્ત હોયા વિના જ) આયુકર્મના જેટલી હોય છે અને ક્યારેક તે ત્રણ કર્મોની સ્થિતિ આયુ-
કર્મથી વધારે હોવા છતાં તે સ્થિતિ ઘટીને આયુકર્મ જેટલી થવામાં કેવળીસમુદ્ઘાત નિમિત્ત બને છે.
૪. અપુનર્ભવ = ફરીને ભવ નહિ થવો તે. (કેવળીભગવાનને ફરીને ભવ થયા વિના જ તે ભવનો
ત્યાગ થાય છે; તેથી તેમના આત્માથી કર્મપુદ્ગલોનો સદાને માટે સર્વથા વિયોગ થાય છે.)