Page 18 of 24
PDF/HTML Page 21 of 27
single page version
આકાશદ્રવ્ય અવકાશદાન દેવામાં પણ મને સહકારી છે અને
કાલદ્રવ્યથી પરિવર્તન થાય છે, તેથી તે પરિવર્તન કરવામાં પણ
સહકારી છે, પરંતુ એક પુદ્ગલદ્રવ્ય જ મારું બહુ અહિત
કરનાર છે, કેમ કે પુદ્ગલદ્રવ્ય નોકર્મ તથા કર્મસ્વરૂપમાં
પરિણત થઈ મારા આત્મા સાથે સંબંધ કરે છે અને તેની કૃપાથી
મારે નાના પ્રકારની ગતિઓમાં ભ્રમણ કરવું પડે છે તેમ જ મને
સત્યમાર્ગ પણ સૂઝતો નથી, તેથી ભેદવિજ્ઞાનરૂપ તલવારથી મેં
તેના ખંડખંડ ઊડાવી દીધા છે.
ધર્મ, અધર્મ, આકાશ અને કાલ
દ્વારા પ્રબળ કર્મોની ઉત્પત્તિ થાય છે અને તે કર્મોથી સંસાર
ઊભો થાય છે, તેથી સંસારમાં અનેક પ્રકારનાં દુઃખો
ભોગવવા પડે છે, માટે કલ્યાણની ઇચ્છા રાખનાર
સજ્જનોએ તે રાગ અને દ્વેષ સર્વથા છોડવા જોઈએ.
આવી બંધાયા કરે અને તે કર્મોને લીધે આત્માને સંસારમાં
પરિભ્રમણ કરવું પડે છે તથા ત્યાં તેને વિવિધ પ્રકારના દુ;ખો
Page 19 of 24
PDF/HTML Page 22 of 27
single page version
કરનાર રાગ-દ્વેષનો ત્યાગ અવશ્યમેવ કરી દેવો જોઈએ.
પ્રકારના વિકલ્પો કરી તું શા માટે દુઃખદ અશુભ કર્મો ફોકટ બાંધે
છે ? જો તું આનંદરૂપ જળના સમુદ્રમાં શુદ્ધાત્માને પામી તેમાં
નિવાસ કરીશ, તો તું નિર્વાણરૂપ વિસ્તીર્ણ સુખને અવશ્ય પ્રાપ્ત
કરીશ. એટલા માટે, તારે આનંદસ્વરૂપ શુદ્ધ આત્મામાં જ નિવાસ
કરવો જોઈએ અને તેનું જ ધ્યાન તથા મનન કરવું જોઈએ.
શુદ્ધિ માટે અધ્યાત્મરૂપ ત્રાજવામાં પગ મૂકે છે તે જ સમયે,
તેને દોષિત બનાવવાને ભયંકર વૈરી સામા પલ્લામાં હાજર છે.
હે ભગવાન ! તેવા પ્રસંગે આપ જ મધ્યસ્થ સાક્ષી છો.
છાબડામાં કર્મરૂપ વૈરી તે પ્રાણીને દોષી બનાવવા સામે હાજર
જ છે, આવા પ્રસંગે હે ભગવાન ! આપ આ બન્ને વચ્ચે સાક્ષી
છો; તેથી આપે નીતિપૂર્વક ન્યાય કરવો પડશે.
Page 20 of 24
PDF/HTML Page 23 of 27
single page version
દર્શાવે છે :
છે. સંસાર તથા મોક્ષમાં પ્રાપ્ત થતી અંત (ઉત્કૃષ્ટ) દશાનું આ
સંક્ષેપથી કથન છે. જે મનુષ્ય, પૂર્વોક્ત બેમાંથી પ્રથમ દ્વૈતપદથી
ધીરે ધીરે પાછો હઠી
વ્યવહારનયથી બ્રહ્મા, વિધાતા આદિ નામોથી સંબોધાય છે.
આચરે છે તે મોક્ષમાં જઈ સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે; સિદ્ધોનું
નિશ્ચયનયથી કોઈ નામ નહિ હોઈને તે નામ રહિત થઈ જાય
છે અને વ્યવહારનયથી તેને બ્રહ્મા આદિ નામથી સંબોધવામાં
આવે છે.
તો આ વિષમ કલિકાલમાં (દુષમ પંચમકાલમાં) મારા જેવા
Page 21 of 24
PDF/HTML Page 24 of 27
single page version
પૂર્વોપાર્જિત પુણ્યોથી આપમાં મારી જે દ્રઢ ભક્તિ છે તે ભક્તિ
જ, હે જિન ! મને સંસારરૂપ સમુદ્રથી પાર ઉતારવામાં નૌકા
સમાન થાઓ. અર્થાત્ મને સંસારસમુદ્રથી આ ભક્તિ જ પાર
ઉતારી શકશે.
(તપ)થી થાય છે. હે ભગવાન ! શક્તિના અભાવથી આ
પંચમકાલમાં મારા જેવો મનુષ્ય તે તપ કરી શકતો નથી; તેથી
હે પરમાત્મા ! મારી એ પ્રાર્થના છે કે સદ્ભાગ્યે આપમાં મારી
જે દ્રઢ ભક્તિ છે, તેનાથી મારા કર્મ નષ્ટ થઈ જાઓ અને મને
મોક્ષની પ્રાપ્તિ થાઓ.
પણ અનંતવાર પ્રાપ્ત કરી છે, તેથી એ પદવીઓમાંથી કોઈ પણ
પદવી મારા માટે અપૂર્વ નથી; કિંતુ મોક્ષપદને આપનાર
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્રના ઐક્યની પદવી જે
અપૂર્વ છે તે હજી સુધી મળી નથી, તેથી હે દેવ ! મારી
સવિનય પ્રાર્થના છે કે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્-
ચારિત્રની પદવી જ પૂર્ણ કરો.
Page 22 of 24
PDF/HTML Page 25 of 27
single page version
ભગવાન ! જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પદવી સર્વોત્કૃષ્ટ
મોક્ષરૂપ સુખ આપનાર છે તે મેં હજી સુધી પ્રાપ્ત કરી નથી; તેથી
વિનયપૂર્વક પ્રાર્થના છે કે કૃપા કરી મને સમ્યક્દર્શન, સમ્યગ્જ્ઞાન
અને સમ્યક્ચારિત્રરૂપે પદવીનું પૂર્ણતયા પ્રદાન કરો.
ભગવાને (-વીરનંદી ગુરુએ) પોતાના પ્રસન્નચિત્તથી સર્વોચ્ચ
પદવીની પ્રાપ્તિ અર્થે મારા ચિત્તમાં ઉપદેશની જે જમાવટ કરી
છે અર્થાત્ ઉપદેશ દીધો છે, તે ઉપદેશ પાસે ક્ષણમાત્રમાં
વિનાશી એવું પૃથ્વીનું રાજ્ય મને પ્રિય નથી. તે વાત તો દૂર
રહી, પરંતુ હે પ્રભો ! હે જિનેશ ! તે ઉપદેશ પાસે ત્રણ
લોકનું રાજ્ય પણ મને પ્રિય નથી.
હે પ્રભો ! શ્રી વીરનાથ ભગવાને (-વીરનંદી ગુરુએ)
પ્રસન્નચિત્તે મને જે ઉપદેશ આપ્યો છે તે ઉપદેશ પ્રત્યેના પ્રેમ
પાસે આ બંને વાતો મને ઇષ્ટ લાગતી નથી, તેથી હું આવા
ઉપદેશનો જ પ્રેમી છું.
Page 23 of 24
PDF/HTML Page 26 of 27
single page version
ભણે તે બુદ્ધિમાન મનુષ્ય એવા ઉચ્ચ પદને પ્રાપ્ત થાય છે કે
જે પદ મોટા મોટા મુનિઓ ચિરકાલપર્યંત તપ દ્વારા ઘોર પ્રયત્ને
પામી શકે છે.
છે, તેથી મોક્ષાભિલાષીઓએ શ્રી અરહંતદેવ સામે શ્રી પદ્મનંદિ
આચાર્ય દ્વારા રચાયેલી આલોચના નામની કૃતિનો પાઠ ત્રણે કાળ
અવશ્યમેવ કરવો જોઈએ.
આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.
શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન;
તે તો પ્રભુએ આપિયો, વર્તું ચરણાધીન.
આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન;
દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન.
Page 24 of 24
PDF/HTML Page 27 of 27
single page version
મ્યાનથકી તલવારવત્, એ ઉપકાર અમાપ.
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.
પરમ પુરુષ, પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ;
જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.
દેહ છતાં જેની દશા, વર્ત્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં, હો! વંદન અગણિત
ધર્મ અનંતકૃપા કરી આપ શ્રીમદે મને આપ્યો, તે અનંત
ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી
આપ શ્રીમદ્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું
મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણાવિંદમાં
નમસ્કાર કરું છું.
એટલું માંગુ છું તે સફળ થાઓ.