Alochana (Gujarati).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

 

Page 18 of 24
PDF/HTML Page 21 of 27
single page version

background image
સહકારી છે, અધર્મ દ્રવ્ય સ્થિતિ કરવામાં સહકારી છે,
આકાશદ્રવ્ય અવકાશદાન દેવામાં પણ મને સહકારી છે અને
કાલદ્રવ્યથી પરિવર્તન થાય છે, તેથી તે પરિવર્તન કરવામાં પણ
સહકારી છે, પરંતુ એક પુદ્ગલદ્રવ્ય જ મારું બહુ અહિત
કરનાર છે, કેમ કે પુદ્ગલદ્રવ્ય નોકર્મ તથા કર્મસ્વરૂપમાં
પરિણત થઈ મારા આત્મા સાથે સંબંધ કરે છે અને તેની કૃપાથી
મારે નાના પ્રકારની ગતિઓમાં ભ્રમણ કરવું પડે છે તેમ જ મને
સત્યમાર્ગ પણ સૂઝતો નથી, તેથી ભેદવિજ્ઞાનરૂપ તલવારથી મેં
તેના ખંડખંડ ઊડાવી દીધા છે.
રાગ-દ્વેષનો ત્યાગ :
૨૬. અર્થ :જીવોના નાના પ્રકારના રાગ-દ્વેષ કરનારા
પરિણામોથી જે પ્રમાણે પુદ્ગલ દ્રવ્ય પરિણમે છે તે પ્રમાણે
ધર્મ, અધર્મ, આકાશ અને કાલ
એ ચાર અમૂર્ત દ્રવ્યો
રાગ-દ્વેષ કરનારા પરિણામોથી પરિણમતા નથી, તે રાગ-દ્વેષ
દ્વારા પ્રબળ કર્મોની ઉત્પત્તિ થાય છે અને તે કર્મોથી સંસાર
ઊભો થાય છે, તેથી સંસારમાં અનેક પ્રકારનાં દુઃખો
ભોગવવા પડે છે, માટે કલ્યાણની ઇચ્છા રાખનાર
સજ્જનોએ તે રાગ અને દ્વેષ સર્વથા છોડવા જોઈએ.
અર્થ :પુદ્ગલના અનેક પરિણામ થાય છે તેમાં જે
રાગ-દ્વેષ, પુદ્ગલના પરિણામ છે તેનાથી આત્મામાં કર્મ સદા
આવી બંધાયા કરે અને તે કર્મોને લીધે આત્માને સંસારમાં
પરિભ્રમણ કરવું પડે છે તથા ત્યાં તેને વિવિધ પ્રકારના દુ;ખો

Page 19 of 24
PDF/HTML Page 22 of 27
single page version

background image
સહન કરવાં પડે છે, માટે ભવ્ય જીવોએ એવા પરમ અહિત
કરનાર રાગ-દ્વેષનો ત્યાગ અવશ્યમેવ કરી દેવો જોઈએ.
આનંદસ્વરુપ શુદ્ધાત્માનું ધયાન અને મનન :
૨૭. અર્થ :હે મન ! બાહ્ય તથા તારાથી ભિન્ન જે
સ્ત્રી, પુત્ર આદિ પદાર્થો છે તેમનામાં રાગ-દ્વેષસ્વરૂપ અનેક
પ્રકારના વિકલ્પો કરી તું શા માટે દુઃખદ અશુભ કર્મો ફોકટ બાંધે
છે ? જો તું આનંદરૂપ જળના સમુદ્રમાં શુદ્ધાત્માને પામી તેમાં
નિવાસ કરીશ, તો તું નિર્વાણરૂપ વિસ્તીર્ણ સુખને અવશ્ય પ્રાપ્ત
કરીશ. એટલા માટે, તારે આનંદસ્વરૂપ શુદ્ધ આત્મામાં જ નિવાસ
કરવો જોઈએ અને તેનું જ ધ્યાન તથા મનન કરવું જોઈએ.
આત્મા મધયસ્થ સાક્ષી છે :
૨૮. અર્થ :હે જિનેંદ્ર ! આપના ચરણકમળની કૃપાથી
પૂર્વોક્ત વાતોને સમ્યક્પ્રકારે મનમાં વિચારી જે સમયે આ જીવ
શુદ્ધિ માટે અધ્યાત્મરૂપ ત્રાજવામાં પગ મૂકે છે તે જ સમયે,
તેને દોષિત બનાવવાને ભયંકર વૈરી સામા પલ્લામાં હાજર છે.
હે ભગવાન ! તેવા પ્રસંગે આપ જ મધ્યસ્થ સાક્ષી છો.
ભાવાર્થ :કાંટાને બે છાબડા હોય છે. તેમાં એક
અધ્યાત્મરૂપ છાબડામાં જીવ શુદ્ધિ અર્થે ચડે છે, તે સમયે બીજા
છાબડામાં કર્મરૂપ વૈરી તે પ્રાણીને દોષી બનાવવા સામે હાજર
જ છે, આવા પ્રસંગે હે ભગવાન ! આપ આ બન્ને વચ્ચે સાક્ષી
છો; તેથી આપે નીતિપૂર્વક ન્યાય કરવો પડશે.

Page 20 of 24
PDF/HTML Page 23 of 27
single page version

background image
હવે વિકલ્પસ્વરુપ ધયાન તો સંસારસ્વરુપ છે
અને નિર્વિકલ્પ ધયાન મોક્ષસ્વરુપ છે એમ આચાર્ય
દર્શાવે છે :
૨૯. અર્થ :દ્વૈત (સવિકલ્પક ધ્યાન) તો વાસ્તવિક રીતે
સંસારસ્વરૂપ છે અને અદ્વૈત (નિર્વિકલ્પક ધ્યાન) મોક્ષસ્વરૂપ
છે. સંસાર તથા મોક્ષમાં પ્રાપ્ત થતી અંત (ઉત્કૃષ્ટ) દશાનું આ
સંક્ષેપથી કથન છે. જે મનુષ્ય, પૂર્વોક્ત બેમાંથી પ્રથમ દ્વૈતપદથી
ધીરે ધીરે પાછો હઠી
અદ્વૈતપદનું આલંબન સ્વીકારે છે, તે
પુરુષ નિશ્ચયનયથી નામરહિત થઈ જાય છે અને તે પુરુષ
વ્યવહારનયથી બ્રહ્મા, વિધાતા આદિ નામોથી સંબોધાય છે.
ભાવાર્થ :જે પુરુષ સવિકલ્પક ધ્યાન કરે છે તે તો
સંસારમાં જ ભટક્યા કરે છે, કિંતુ જે પુરુષ નિર્વિકલ્પક ધ્યાન
આચરે છે તે મોક્ષમાં જઈ સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે; સિદ્ધોનું
નિશ્ચયનયથી કોઈ નામ નહિ હોઈને તે નામ રહિત થઈ જાય
છે અને વ્યવહારનયથી તેને બ્રહ્મા આદિ નામથી સંબોધવામાં
આવે છે.
દ્રઢ શ્રદ્ધાની મહિમા :
૩૦. અર્થ :હે કેવળજ્ઞાનરૂપ નેત્રોના ધારક જિનેશ્વર !
મોક્ષ પ્રાપ્ત કરવા અર્થે આપે જે ચારિત્રનું વર્ણન કર્યું છે તે ચારિત્ર
તો આ વિષમ કલિકાલમાં (દુષમ પંચમકાલમાં) મારા જેવા
૧. વિકલ્પરૂપ=રાગ-દ્વેષ યુક્ત, વિકાર યુક્ત, ૨. નિર્વિકારી આત્માનું

Page 21 of 24
PDF/HTML Page 24 of 27
single page version

background image
મનુષ્ય ઘણી કઠિનતાથી ધારણ કરી શકે તેમ છે, પરંતુ
પૂર્વોપાર્જિત પુણ્યોથી આપમાં મારી જે દ્રઢ ભક્તિ છે તે ભક્તિ
જ, હે જિન ! મને સંસારરૂપ સમુદ્રથી પાર ઉતારવામાં નૌકા
સમાન થાઓ. અર્થાત્ મને સંસારસમુદ્રથી આ ભક્તિ જ પાર
ઉતારી શકશે.
ભાવાર્થ :કર્મોનો નાશ કર્યા વિના મોક્ષપ્રાપ્તિ થઈ
શકતી નથી અને કર્મોનો નાશ તો આપ દ્વારા વર્ણિત ચારિત્ર
(તપ)થી થાય છે. હે ભગવાન ! શક્તિના અભાવથી આ
પંચમકાલમાં મારા જેવો મનુષ્ય તે તપ કરી શકતો નથી; તેથી
હે પરમાત્મા ! મારી એ પ્રાર્થના છે કે સદ્ભાગ્યે આપમાં મારી
જે દ્રઢ ભક્તિ છે, તેનાથી મારા કર્મ નષ્ટ થઈ જાઓ અને મને
મોક્ષની પ્રાપ્તિ થાઓ.
મોક્ષપદની પ્રાપ્તિ અર્થે પ્રાર્થના :
૩૧. અર્થ :આ સંસારમાં ભ્રમણ કરી મેં ઇન્દ્રપણું,
નિગોદપણું અને બંને વચ્ચેની અન્ય સમસ્ત પ્રકારની યોનિઓ
પણ અનંતવાર પ્રાપ્ત કરી છે, તેથી એ પદવીઓમાંથી કોઈ પણ
પદવી મારા માટે અપૂર્વ નથી; કિંતુ મોક્ષપદને આપનાર
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્રના ઐક્યની પદવી જે
અપૂર્વ છે તે હજી સુધી મળી નથી, તેથી હે દેવ ! મારી
સવિનય પ્રાર્થના છે કે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્-
ચારિત્રની પદવી જ પૂર્ણ કરો.
ભાવાર્થ :યદ્યપિ, સંસારમાં ઇન્દ્ર આદિ પદવીઓ છે તે,

Page 22 of 24
PDF/HTML Page 25 of 27
single page version

background image
સમસ્ત પદવીઓ પણ મેં પ્રાપ્ત કરી લીધી છે; કિંતુ હે
ભગવાન ! જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પદવી સર્વોત્કૃષ્ટ
મોક્ષરૂપ સુખ આપનાર છે તે મેં હજી સુધી પ્રાપ્ત કરી નથી; તેથી
વિનયપૂર્વક પ્રાર્થના છે કે કૃપા કરી મને સમ્યક્દર્શન, સમ્યગ્જ્ઞાન
અને સમ્યક્ચારિત્રરૂપે પદવીનું પૂર્ણતયા પ્રદાન કરો.
મુમુક્ષુની મોક્ષપ્રાપ્તિ માટે દ્રઢતા :
૩૨. અર્થ :બાહ્ય (અતિશય આદિ) તથા અભ્યંતર
(કેવલજ્ઞાન, કેવલદર્શન આદિ) લક્ષ્મીથી શોભિત શ્રી વીરનાથ
ભગવાને (-વીરનંદી ગુરુએ) પોતાના પ્રસન્નચિત્તથી સર્વોચ્ચ
પદવીની પ્રાપ્તિ અર્થે મારા ચિત્તમાં ઉપદેશની જે જમાવટ કરી
છે અર્થાત્ ઉપદેશ દીધો છે, તે ઉપદેશ પાસે ક્ષણમાત્રમાં
વિનાશી એવું પૃથ્વીનું રાજ્ય મને પ્રિય નથી. તે વાત તો દૂર
રહી, પરંતુ હે પ્રભો ! હે જિનેશ ! તે ઉપદેશ પાસે ત્રણ
લોકનું રાજ્ય પણ મને પ્રિય નથી.
ભાવાર્થ :યદ્યપિ સંસારમાં પૃથ્વીનું રાજ્ય અને ત્રણે
લોકના રાજ્યની પ્રાપ્તિ એક ઉત્તમ વાત ગણાય છે, પરંતુ
હે પ્રભો ! શ્રી વીરનાથ ભગવાને (-વીરનંદી ગુરુએ)
પ્રસન્નચિત્તે મને જે ઉપદેશ આપ્યો છે તે ઉપદેશ પ્રત્યેના પ્રેમ
પાસે આ બંને વાતો મને ઇષ્ટ લાગતી નથી, તેથી હું આવા
ઉપદેશનો જ પ્રેમી છું.
૩૩. અર્થ :શ્રદ્ધાથી જેનું શરીર નમ્રીભૂત (નમેલું) છે
એવો જે મનુષ્ય, શ્રી પદ્મનંદિ આચાર્યરચિત આલોચના નામની

Page 23 of 24
PDF/HTML Page 26 of 27
single page version

background image
કૃતિને ત્રણે (પ્રાતઃ, મધ્યાહ્ન, સાયં) કાલ, શ્રી અર્હંત્ પ્રભુ સામે
ભણે તે બુદ્ધિમાન મનુષ્ય એવા ઉચ્ચ પદને પ્રાપ્ત થાય છે કે
જે પદ મોટા મોટા મુનિઓ ચિરકાલપર્યંત તપ દ્વારા ઘોર પ્રયત્ને
પામી શકે છે.
ભાવાર્થ :જે મનુષ્ય (સ્વભાવના ભાન સહિત)
પ્રાતઃકાળ, મધ્યાહ્નકાળ અને સાયંકાળત્રણે કાલ શ્રી અરહંત-
દેવ સામે આલોચનાનો પાઠ કરે છે તે શીઘ્ર મોક્ષ પ્રાપ્ત કરે
છે, તેથી મોક્ષાભિલાષીઓએ શ્રી અરહંતદેવ સામે શ્રી પદ્મનંદિ
આચાર્ય દ્વારા રચાયેલી આલોચના નામની કૃતિનો પાઠ ત્રણે કાળ
અવશ્યમેવ કરવો જોઈએ.
ઇતિ આલોચના અધિકાર સમાપ્ત.
આલોચના સંભળાવનાર પરમકૃપાળુ
શ્રી સદ્ગુરુદેવ-ઉપકારદર્શન
અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર;
આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.
શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન;
તે તો પ્રભુએ આપિયો, વર્તું ચરણાધીન.
આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન;
દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન.

Page 24 of 24
PDF/HTML Page 27 of 27
single page version

background image
ષટ્ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ;
મ્યાનથકી તલવારવત્, એ ઉપકાર અમાપ.
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.
પરમ પુરુષ, પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ;
જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.
દેહ છતાં જેની દશા, વર્ત્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં, હો! વંદન અગણિત
.
પ્રણિપાત-સ્તુતિ
હે પરમકૃપાળુ દેવ! જન્મ, જરા, મરણાદિ સર્વ
દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ-
ધર્મ અનંતકૃપા કરી આપ શ્રીમદે મને આપ્યો, તે અનંત
ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી
આપ શ્રીમદ્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું
મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણાવિંદમાં
નમસ્કાર કરું છું.
આપની પરમભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની
ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગ્રત રહો,
એટલું માંગુ છું તે સફળ થાઓ.
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ