Atmadharma magazine - Ank 021a
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 9
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 9
single page version

background image







: સંપાદક :
રામજી માણેકચંદ દોશી
વકીલ
સત્શ્રુતની આરાધના કરો
જેઠ સુદ ૫ એ શ્રુત-પંચમીનો દિવસ મુમુક્ષુ જીવોને માટે
મહા માંગલિક છે, માટે તે રોજ ભિ•તભાવે શ્રુતપૂજા કરી, શ્રુતજ્ઞાનની
રુચિ વધારી ધર્મની વૃદ્ધિ કરવી યોગ્ય છે.
જેઠ સુદ ૫ના રોજ શ્રી ભૂતબલિ આચાર્યદેવે ચતુર્વિધ
સંઘની સાથે શ્રુતજ્ઞાનની પૂજા કરી, તેથી તે દિવસ જૈનોમાં શ્રુત
પંચમી તરીકે પ્રખ્યાત છે અને જૈનો તે તિથિએ શ્રુતની પૂજા કરે છે.
येष्ट सितपक्ष पंाभ्यांाातुर्वर्ण्य संघ समवेतः।
तत्पुस्तकोपकरणै र्व्यघात् क्रियाप्तूर्वकं प्तूााम्।।१४३।।
श्रुतपंामीति तेन प्रख्याति तिथिरियं परामाप।
यद्धापि येन तस्यं श्रुत प्तूाां कुर्वतेौनाः।।१४४।।
અર્થઃ- જેઠ માસના શુ•લ પક્ષની પાંચમે ચાતુર્વર્ણી સંઘ સહિત તે પુસ્તકને
[શ્રી ષટ્ખંડાગમને] ઉપકરણ માની ક્રિયા પૂર્વક પૂજા કરી હતી તેથી તે તિથિ
શ્રુત પંચમી તરીકે સારી રીતે પ્રખ્યાતિ પામી છે અને
આજે પણ જૈનો તે રોજ શ્રુત પુજા કરે છે.
શ્રુત પંચમી મંગલ દિવસ છે તે દિવસે સત્શ્રુતની આરાધના કરો
વાર્ષિક લવાજમ આત્મધર્મનો વધારો છૂટક નકલ
અઢી રૂપિયા શ્રુત પંચમીઃ ૨૦૦૧ ચાર આના
આત્મધર્મ કાર્યાલય (સુવર્ણપુરી) સોનગઢ કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 9
single page version

background image
: ૧૪૬ : આત્મધર્મ વધારો - ૨૧-A શ્રુત પંચમીઃ ૨૦૦૧
મહાન પરમાગમ શ્રી પરમ પૂ. સદ્ગુરુદેવશ્રીનું પ્રવચન
જયધવલામાં અદભુત ન્યાયો શ્રુત પંચમી ૧૪-૬-૪૫ ગુરુ
જ્ઞાન સ્વભાવની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા
આજે શ્રુતપૂજનનો મહાન દિવસ છે. ૨૦૦૦ વર્ષ પહેલાં સાતમા-છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મહાન સંતમુનિઓ
પુષ્પદંત અને ભૂતબલિ આચાર્યોઅ (જ્ઞાન પ્રભાવનાનો વિકલ્પ • ઠતાં) મહાન પરમાગમ શાસ્ત્રો (ષટ્ખંડાગમ) રચીને
અંકલેશ્વરમાં ઉત્સાહ પૂર્વક ઉત્સવથી તેની શ્રુતપૂજના કરી હતી, તે શ્રુતપૂજનનો માંગલિક દિવસ આજે [જેઠ સુદ-૫
ના રોજ ] છે.
અહો ! શ્રુતપંચમીના દિને તો આ જયધવલામાં જે કેવળજ્ઞાનના રહસ્ય ભર્યાં છે, અને તેની મુખ્ય બે
વિશેષતા છે તેની સ્પષ્ટતા જાહેર થાય છે. (૧) પોતાના જ્ઞાનની વિશેરુપ અવસ્થા પરાવલંબન વગર સ્વાધીનપણે છે.
(૨) તે સ્વાધીન અંશમાં આખું કેવળજ્ઞાન પ્રત્યક્ષ આવે છે; આ બે મુખ્ય વિીસેષતા છે.
જ્ઞાન સ્વભાવી આત્મા છે. તે જ્ઞાન અત્યારે પણ
ઈન્દ્રિયના અવલંબનથી જાણે છે કે ઈન્દ્રિય વગર ? જો
વર્તમાન જ્ઞાન ઇન્દ્રિયથી જાણે તો સામાન્ય
જ્ઞાનસ્વભાવના વર્તમાન વિશેષનો અભાવ થાય. જો
જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું હોય તો તે વખતે સામાન્યજ્ઞાન
છે તેનું વિશેષ શું ? આત્માનું જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું
નથી, પણ સામાન્ય જ્ઞાનની વિશેષ અવસ્થાથી જાણે
છે. જો વર્તમાનમાં વિશેષજ્ઞાનથી જીવ ન જાણતો હોય
અને ઇન્દ્રિયથી જાણતો હોય તો વિશેષજ્ઞાને શું કાર્ય
કર્યું ? ઈન્દ્રિયથી આત્મા જ્ઞાનનું કાર્ય કરતો જ નથી.
જ્ઞાન પોતાથી જ વિશેષરુપ જાણવાનું કાર્ય કરે છે.
નીચલી દશામાં પણ જડ ઇન્દ્રિય અને જ્ઞાન ભેગા
થઈને જાણવાનું કાર્ય કરતા નથી, પણ સામાન્ય જ્ઞાન
જે આત્માનો ત્રિકાળ સ્વભાવ છે તેનું જ વિશેષરુપ
જ્ઞાન વર્તમાન જાણવાનું કાર્ય કરે છે.
પ્રશ્નઃ- જો જ્ઞાનનું વિશેષ જ જાણવાનું કાર્ય કરે
છે તો ઈન્દ્રિય વગર કેમ જાણવાનું કાર્ય થતું નથી ?
ઉત્તરઃ- જ્ઞાનની તેવા પ્રકારની વિશેથતાની
લાયકાત ન હોય ત્યારે ઈન્દ્રિય ન હોય. ઈન્દ્રિય હોય
ત્યારે પણ જ્ઞાન જાણવાનું કાર્ય તો પોતાથી જ કરે છે,
કેમકે જ્ઞાન પરના અવલંબન વગરનું છે. ‘નિમિત્ત-
નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરવું જોઈએ’ એમ મોક્ષમાર્ગ
પ્રકાશક પાન-૨૬૪માં કહ્યું છે તેનું આ વિવરણ ચાલે
છે. ઈન્દ્રિય હાજર છે પણ જ્ઞાન સ્વતંત્રપણે પોતાની
અવસ્થાથી જાણે છે. જો જ્ઞાન ઈન્દ્રિયથી જાણે છે એમ
માનવામાં આવે તો જ્ઞાનનો વિશેષ સ્વભાવ કામ નથી
કરતો એમ થાય, અને વિશેષ વગર સામાન્ય જ્ઞાનનો
જ અભાવ આવે; માટે જ્ઞાન ઈન્દ્રિયથી જાણતું નથી.
અધૂરું જ્ઞાન પોતાથી જાણવાનું કાર્ય કરે છે ત્યારે
અનુકૂળ ઈન્દ્રિયો હાજરરુપ છે - પણ તે ઈન્દ્રિયના
અવલંબને જ્ઞાન જાણતું નથી-આમ સમજવું તે જ
નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન છે. પણ જ્ઞાન
ઈન્દ્રિયથી જાણે એમ માને તો તે જ્ઞાન ખોટું છે, કેમકે
તે માન્યતામાં નિમિત્ત-ઉપાદાન એક થઈ જાય છે.
આચાર્યદેવ - શિષ્યને પૂછે છે કે જો જીવે
ઈન્દ્રિયથી જ્ઞાન કર્યું તો સામાન્ય જ્ઞાને શું કાર્ય કર્યું ?
તેનો તે વખતે અભાવ થયો ?
શિષ્યે ઉત્તરમાં કહ્યું કે ભલે જ્ઞાન-વિશેષ ન હોય,
તોપણ જ્ઞાન સામાન્ય તો ત્રિકાળ રહેશે, અને
જાણવાનું કામ ઈન્દ્રિયથી થશે, આમ થવાથી જ્ઞાનનો
નાશ નહિ થાય-અભાવ નહિ થાય.
આચાર્યદેવનો ઉત્તરઃ- વિશેષ વિનાનું સામાન્ય
તો સસલાના શગિં સમાન [અભાવરુપ] છે. વિશેષ
વગર સામાન્ય ન હોય શકે. માટે વિશેષ વગરનું
સામાન્યજ્ઞાન માનવાથી સામાન્યનો નાશ થાય-અભાવ
થાય છે- માટે વિશેષ જ્ઞાનથી જ જાણવાનું કાર્ય થાય
છે, એમ માનવામાં આવે તો જ સામાન્ય જ્ઞાનની
અસ્તિ રહે છે.
જ્ઞાન સ્વભાવ રાગ અને નિમિત્તના અવલંબન
રહિત છે તથા વિશેષજ્ઞાન સામાન્ય જ્ઞાનમાંથી જ
આવે છે એમ જાણીને તેની શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતા
કરવી તે જ ધર્મ છે.
જો જ્ઞાન ઈન્દ્રિયથી જાણે તો જ્ઞાનનું વર્તમાન
કાર્ય •યાં ગયું ? ઈન્દ્રિયની હાજરી વખતે જો જ્ઞાન
ઈન્દ્રિયના કારણે જાણતું હોય તો તે વખતે
સામાન્યજ્ઞાન વિશેષ-પર્યાય વગરનું થયું; વિશેષ વગર
તો સામાન્ય હોય જ નહિ,

PDF/HTML Page 4 of 9
single page version

background image
ઃ ૧૪૭ઃ આત્મધર્મ વધારો - ૨૧-A શ્રુત પંચમીઃ ૨૦૦૧
જ્યાં સામાન્ય હોય ત્યાં તેનું વિશેષ હોય જ. હવે તે
વિશેષ સામાન્યજ્ઞાનથી થાય છે કે નિમિત્તથી થાય છે ?
વિશેષજ્ઞાન નિમિત્તને લઈને થયું નથી પણ સામાન્ય
સ્વભાવથી થયું છે. વિશેષનું કારણ સામાન્ય છે,
નિમિત્ત તેનું કારણ નથી. કેમકે જો તે કાર્ય નિમિત્તનું
અંશે કે પૂર્ણપણે હોય તો નિમિત્ત જે પર દ્રવ્ય છે તે
પરદ્રવ્યરુપ જ્ઞાન થઈ જાય. આત્માનો જ્ઞાનસ્વભાવ
કાયમ છે તે સામાન્ય અને વર્તમાન કાર્યરુપ જે જ્ઞાન
તે તેનું વિશેષ છે. સામાન્ય જ્ઞાનનું વિશેષ કહો, કે
કાયમના જ્ઞાન સ્વભાવનું પરિણમન કહો, કે જ્ઞાનની
વર્તમાન દશા [હાલત-પર્યાય] કહો તે એક જ છે.
આત્માનો સ્વભાવ જ્ઞાન છે, જ્ઞાન એકલું
જાણવાનું જ કાર્ય કરે છે. શબ્દને કે રુપને ગમે તેને
જાણવામાં જ્ઞાન એક જ છે, જ્ઞાનમાં ફેર પડી જતો
નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ પોતાથી છે, કોઈના
નિમિત્તથી તે નથી. આત્માનો ત્રિકાળી જ્ઞાન સ્વભાવ
છે તે જ્ઞાન પોતાથી જ વિશેષરુપ કાર્ય કરે છે. આત્મા
ઈન્દ્રિયથી જાણતો જ નથી, પોતાના જ્ઞાનની વિશેષ
અવસ્થાથી જ જાણે છે. સામાન્ય જ્ઞાન પોતે પરિણમીને
વિશેષરુપ થાય છે તે વિશેષજ્ઞાન જાણવાનું કાર્ય કરે
છે. જ્ઞાન પરના અવલંબનથી જાણે એમ માનવું તે
અધર્મ છે. જ્ઞાન સ્વલંબનથી જાણે એવી શ્રદ્ધા-જ્ઞાન
અને સ્થિરતા તે ધર્મ છે.
અહિં, પરાવલંબન રહિત જ્ઞાનની સ્વાધીનતા
બતાવી છે, આ જયધવલા શાસ્ત્રની ખાસ વિશેષતા
છે. બીજી અનેક વાતો છે તેમાં આ એક વિશેષ છે.
મારા જ્ઞાનનું પરિણામરુપ વર્તન, તે વર્તનરુપ
વિશેષ-વ્યાપાર (ઉપયોગ) મારાથી થાય છે, તેને કોઈ
પરના નિમિત્તની કે પરદ્રવ્યની જરુર નથી-એટલે કે -
જ્ઞાન સ્વાધીનતાથી કદી ખસીને પરાવલંબનમાં જતું
નથી તેથી તે જ્ઞાન પોતે સમાધાન અને સુખ સ્વરુપ
છે. સ્વાધીન જ્ઞાનસ્વભાવે જ નિગોદથી સિદ્ધ સુધી
બધા જીવોને જ્ઞાન થાય છે; પણ જેમ થઈ રહ્યું છે તેમ
અજ્ઞાની નથી માનતો, તેથી જ તેની માન્યતામાં વિરોધ
આવે છે.
સર્વે જીવોનો સામાન્ય જ્ઞાન સ્વભાવ છે, તે
જ્ઞાનનું વિશેષ કાર્ય પોતાના સામાન્ય સ્વભાવના
અવલંબને જ થાય છે એટલે રાગ કે પર નિમિત્તના
અવલંબન વગર જ જ્ઞાન કાર્ય કરે છે તેથી જ્ઞાન રાગ
કે સંયોગ રહિત છે.
આજે શ્રુતપૂજનનો મહાન દિવસ છે. ૨૦૦૦
વર્ષ પહેલાં સાતમા-છઠ્ઠા ગુણસ્થાને ઝૂલતા મહાન
સંતમુનિઓ પુષ્પદંત અને ભૂતબલિ આચાર્યોએ (જ્ઞાન
પ્રભાવનાનો વિકલ્પ • ઠતાં) મહાન પરમાગમ શાસ્ત્રો
(षट्खंडागम) રચીને અંકલેશ્વરમાં ઉત્સાહ પૂર્વક
ઉત્સવથી તેની શ્રુતપૂજના કરી હતી, તે શ્રુતપૂજનનો
માંગલિક દિવસઆજે (જેઠ સુદ-૫ના રોજ) છે.
મારો જ્ઞાન સ્વભાવ કાયમ ટકી રહો, મારા
જ્ઞાનની અત્રુટધારા કાયમ રહો-અર્થાત્ કેવળજ્ઞાન
થાવ-એમ ખરેખર અંદરમાં પૂર્ણતાની ભાવના થતાં,
બાહ્યમાં તેમને એવો વિકલ્પ • ઠયો કે-શ્રુતજ્ઞાન
આગમ કાયમ ટકી રહો; તે વિકલ્પ • ઠતાં મહાન
પરમાગમ શાસ્ત્રો રચ્યાં અને તેની શ્રુતપૂજના કરી તે
મંગળ દિવસ આજે છે, ખરેખર તો પરનો માટે
ભાવના નથી, પણ પોતાની જ્ઞાનની અત્રુટધારાની
ભાવના છે, ત્યાં આ શાસ્ત્રોની રચના થઈ છે. આ
શાસ્ત્રમાં અનેક વાતો છે, આજે મુખ્ય બે વિશેષ વાત
છે તે કહેવાની છે.
જ્ઞાન ઈન્દ્રિયથી જાણતું નથી. જો જ્ઞાન કાર્ય
વગરનું રહે અર્થાત્ વિશેષ વગરનું રહે તો વર્તમાન
વિશેષ વગર સામાન્ય જાણે કોને ? વિશેષ ન હોય તો
સામાન્ય જ્ઞાન જ •યાં રહ્યું ? જો વર્તમાન પર્યાયરુપ
વિશેષ ન માનો તો ‘સામાન્ય જ્ઞાન છે’ તેનો વિશેષ
વગર કોણ નિર્ણય કરશે ? નિર્ણય તો વિશેષ જ્ઞાન કરે
છે. વર્તમાન વિશેષ જ્ઞાન [પર્યાય] દ્વારા પરાવલંબન
રહિત સામાન્ય જ્ઞાન-સ્વભાવ જેમ છે તેમ જાણવો
તેમાં જ ધર્મ સમાઈ જાય છે.
રાગ થાય તેને જાણે, પરને જાણે, ઈન્દ્રિયને જાણે
પણ તે કોઈને પોતાનું ન માને એવો જ્ઞાનનો સ્વભાવ
છે. વિકારને કે પરને પોતાનું ન માને તેને દુઃખ ન જ
હોય. મારા જ્ઞાનને કોઈ પરાવલંબન નથી-એવા
સ્વાધીન સ્વભાવની શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતા કરે તો
તે સ્વભાવમાં શંકા કે દુઃખ ન જ હોય. કેમકે
જ્ઞાનસ્વભાવ પોતે સુખરુપ છે.
નિગોદથી માંડીને સર્વ જીવોમાં કોઈપણ જીવ
ઈન્દ્રિયથી જાણતા નથી. નિગોદનો જીવ કે જેને સૌથી
ઓછું જ્ઞાન છે - તે પણ સ્પર્શઈન્દ્રિયથી જાણતો નથી,
પરંતુ પોતાના સામાન્ય જ્ઞાનના પરિણમનથી થતા
વિશેષ જ્ઞાનવડે જાણે છે, પણ તે એમ માને છે કે
ઈન્દ્રિયથી મને જ્ઞાન થયું. પણ જ્યારે જીવને સામાન્ય
જ્ઞાન સ્વભાવના અવલંબને [સામાન્ય તરફની
એકાગ્રતાથી] વિશેષજ્ઞાન થાય છે ત્યારે તે સમ્યક્
મતિરુપ થાય છે; તે મતિજ્ઞાનરુપ અંશમાં, પરાવલંબન
વગર નિરાલંબી જ્ઞાનસ્વભાવની પૂર્ણતાની પ્રત્યક્ષતા
આવી જાય છે.

PDF/HTML Page 5 of 9
single page version

background image
ઃ ૧૪૮ઃ આત્મધર્મ વધારો -૨૧-A શ્રુત પંચમીઃ ૨૦૦૧
ઃઃઃઃ આજે આ તીર્થંકર કેવળજ્ઞાનની વાણી
આત્માનો જ્ઞાન સ્વભાવ કોઈ સંયોગના કારણે
નથી એવા સ્વાધીન જ્ઞાનસ્વભાવને ન જાણે તો ધર્મ
થાય નહિ. ધર્મ •યાંય બહારમાં નથી, પણ પોતાનો
જ્ઞાનાનંદ સ્વભાવ તે જ ધર્મ છે. આમાં તો બધાં
શાસ્ત્રોનું રહસ્ય આવી ગયું. કોઈ કોઈનું કાંઈ ન કરી
શકે એ વાત પણ આમાં આવી જ ગઈ. જડ ઈન્દ્રિય
આત્માના જ્ઞાનની અવસ્થા કરે નહિ અને આત્માનું
જ્ઞાન પરનું ન કરે; આ રીતે જ્ઞાન સ્વભાવની સ્વતંત્રતા
આવી.
બધા સમ્યક્મતિજ્ઞાનીઓનું જ્ઞાન નિમિત્તના
અવલંબન વગર સામાન્યસ્વભાવના અવલંબનથી કાર્ય
કરે છે; તે કારણે સર્વ નિમિત્તોના અભાવમાં-સંપૂર્ણ
અસહાયપણે સામાન્યસ્વભાવના અવલંબને વિશેષરુપ
જે કેવળજ્ઞાન પૂર્ણ પ્રત્યક્ષ છે તેનો નિર્ણય વર્તમાન
મતિજ્ઞાનના અંશ દ્વારા તેને થઈ શકે છે. જો પૂર્ણ
અસહાય જ્ઞાનસ્વભાવ મતિજ્ઞાનના નિર્ણયમાં ન આવે
તો વર્તમાન વિશેષ અંશરુપ જ્ઞાન [મતિજ્ઞાન] પરના
અવલંબન વગર પ્રત્યક્ષરુપ છે તેનો નિર્ણય પણ ન
થાય. સામાન્ય સ્વભાવના આશ્રયે જે વિશેષરુપ
મતિજ્ઞાન પ્રગટ્યું તે મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે.
અંશ પ્રગટયો છે તે અંશીના આધાર વગર હોય નહિ,
તેથી અંશીના નિર્ણય વગર અંશનો નિર્ણય થાય નહિ.
અહો ! શ્રુતપંચમીના દિને તો આ જયધવલામાં
જે કેવળજ્ઞાનના રહસ્ય ભર્યાં છે, અને તેની મુુખ્ય બે
વિશેષતા છે તેની સ્પષ્ટતા જાહેર થાય છે. (૧)
પોતાના જ્ઞાનની વિશેષરુપ અવસ્થા પરાવલંબન વગર
સ્વાધીનપણે છે. (૨) તે સ્વાધીન અંશમાં આખું
કેવળજ્ઞાન પ્રત્યક્ષ આવે છે; આ બે મુખ્ય વિશેષતા છે.
સામાન્ય સ્વભાવની પ્રતીત કરતું વર્તમાન નિર્મળ
સ્વાવલંબી જ્ઞાન પ્રગટયું તે સાધક છે, અને તે પૂર્ણ
સાધ્યરુપ કેવળજ્ઞાનને પ્રત્યક્ષ જાણતું પ્રગટ થાય છે;
તે સાધકજ્ઞાન સ્વાધીનપણે પોતાના કારણે અંતરના
સામાન્ય જ્ઞાનની શિ•તના લક્ષે વિશેષ-વિશેષરુપે
પરિણમતાં પરિણમતાં સાધ્ય કેવળજ્ઞાનપણે પ્રગટ
થાય છે; તેમાં કોઈ બહારનું અવલબંન નથી, પણ
સામાન્ય જ્ઞાન સ્વભાવનું જ અવલંબન છે.
આ જાણવું તે જ ધર્મ છે. આત્માનો ધર્મ આત્મા
પાસે જ છે. અશુભભાવથી બચવા શુભભાવ થાય
તેને જ્ઞાન જાણી લ્યે છે પણ તેનું અવલંબન જ્ઞાન
માનતું નથી. એટલે સર્વ નિમિત્ત વગરના પૂર્ણ સ્વાધીન
કેવળજ્ઞાનનો નિર્ણય કરતું અને પ્રતીતમાં લેતું સ્વાશ્રિત
મતિજ્ઞાન સામાન્ય સ્વભાવના અવલબંને પ્રગટ થાય
છે. આ રીતે જ્ઞાનનું કાર્ય પરાવલંબન વડે થતું નથી
પણ સ્વાધીન સ્વભાવને અવલંબીને થાય છે- એમાં
જ્ઞાનની સ્વતંત્રતા બતાવી.
જ્ઞાનની જેમ શ્રદ્ધાની સ્વતંત્રતા
આત્મામાં શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે. સામાન્ય શ્રદ્ધા
ગુણનું વિશેષ તે સમ્યગ્દર્શન છે. શ્રદ્ધા ગુણનું વર્તમાન
જો દેવગુરુશાસ્ત્ર વગેરે પરના આશ્રયે પરિણમે તો તે
વખતે શ્રદ્ધા ગુણે શું વિશેષ કાર્ય કર્યું ? શ્રદ્ધા તે
સામાન્ય ગુણ છે તેનું વિશેષ તે સામાન્યના અવલંબને
જ હોય. સમ્યગ્દર્શનરુપ વિશેષ પરના અવલંબને
કાર્યકરતું નથી પણ સામાન્ય શ્રદ્ધાના અવલંબને જ
તેનું વિશેષ પ્રગટવું થાય છે, સમ્યગ્દર્શન તે શ્રદ્ધા
ગુણની વિશેષ દશા છે. શ્રદ્ધા ગુણ છે અને
સમ્યગ્દર્શન પર્યાય છે. શ્રદ્ધાગુણના અવલંબને
સમ્યગ્દર્શનરુપ વિશેષ દશા પ્રગટ થાય છે; જો દેવ-
ગુરુ-શાસ્ત્ર વગેરે પરના અવલંબને શ્રદ્ધાનું વિશેષ
કાર્ય થતું હોય તો સામાન્ય શ્રદ્ધાનું તે વખતે વિશેષ
શું ? વિશેષ વગર તો કોઈ વખતે સામાન્ય હોય નહી.
આત્માની શ્રદ્ધાની વર્તમાન અવસ્થારુપ કાર્ય ત્રિકાળી
શ્રદ્ધા નામના ગુણનું છે, તે કાર્ય કોઈ પરના અવલબંને
નથી, પણ સામાન્યનું વિશેષ પ્રગટયું છે. વિશેષ વગર
સામાન્ય શ્રદ્ધા જ ન હોય શકે.
આનંદ ગુણનીસ્વાધીનતા
જ્ઞાન- શ્રદ્ધા ગુણ પ્રમાણે આનંદ ગુણનું પણ
તેમજ છે. આત્માનો વર્તમાન આનંદ જો પૈસા વગેરે
પરના કારણે પરિણમે તો તે વખતે આનંદગુણે પોતે
વર્તમાન વિશેષ શું કાર્ય કર્યું ? પરથી જો આનંદ
પ્રગટયો તો આનંદ ગુણનું તે વખતે વિશેષ કાર્ય •યાં
ગયું ? અજ્ઞાનીને પરમાં આનંદ માન્યો તે વખતે પણ
તેનો આનંદગુણ સ્વાધીનપણે કાર્ય કરે છે - અજ્ઞાનીએ
આનંદનું વર્તમાન કાર્ય ઊંધું માન્યું એટલે આનંદ
ગુણનું વિશેષ તેને દુઃખરુપ પરિણમે છે. આનંદ પરથી
પ્રગટતો નથી, પણ સંયોગ અને નિમિત્ત વગરના
આનંદ નામના સામાન્ય ગુણના અવલંબને વર્તમાન
આનંદ પ્રગટે છે. આ સમજતાં લક્ષનું જોર પર ઉપર ન
જતાં સામાન્ય સ્વભાવ ઉપર જાય છે, અને તે
સામાન્યના અવલંબને વિશેષરુપ આનંદ દશા પ્રગટે
છે; સામાન્ય આનંદ સ્વભાવના

PDF/HTML Page 6 of 9
single page version

background image
ઃ ૧૪૯ઃ આત્મધર્મ વધારો - ૨૧-A શ્રુત પંચમીઃ ૨૦૦૧
કેવળજ્ઞાનના જ ભણકાર કરતી આવી છેઃઃઃઃ
અવલંબને પ્રગટેલો તે આનંદનો અંશ પૂર્ણ-આનંદની
પ્રતીત લેતો જ પ્રગટે છે. જો આનંદના અંશમાં પૂર્ણની
પ્રતીત ન હોય તો અંશ આવ્યો •યાંથી ?
ચારિત્ર, વીર્ય વગેરે સર્વ ગુણોની સ્વાધીનતા
જ પ્રમાણે ચારિત્ર, વીર્ય વગેરે બધા ગુણોનું
વિશેષ કાર્ય સામાન્યના અવલંબને જ થાય છે. આત્માનો
પુરુષાર્થ જો નિમિત્તના અવલંબને કાર્ય કરતો હોય તો
અંતરના સામાન્ય પુરુષાર્થ સ્વભાવે તે વખતે શું કર્યું ? શું
સામાન્ય સ્વભાવ વિશેષ વગરનો રહ્યો ? વિશેષ વગરનું
સામાન્ય હોય-એમ તો બને નહિ. દરેક ગુણનું વર્તમાન
[વિશેષ અવસ્થારુપ કાર્ય] સામાન્ય સ્વભાવના આશ્રયે
પ્રગટ થાય છે. કર્મ પુરુષાર્થ રોકે છે એ વાત જ ખોટી
હોવાથી • ડી ગઈ. કોઈપણ ગુણનું કાર્ય જો નિમિત્તના
અવલંબને કે રાગના અવલંબને થતું હોય તો સામાન્ય
સ્વભાવનું તે વખતે વિશેષ કાર્ય રહે નહિ અને જો વિશેષ
ન હોય તો સામાન્ય ગુણ જ સાબિત થતા નથી. બધા
ગુણો કાયમ છે તેનું કાર્ય કોઈ નિમિત્ત કે રાગના
અવલંબને જ્ઞાનીને થતું નથી, પણ પોતાથી જ-સામાન્યના
અવલંબને થાય છે. આ સ્વાધીન સ્વરુપ જેને બેઠું તેને
પૂર્ણની પ્રતીત લેતો ગુણનો અંશ પ્રગટયો; જેને પૂર્ણની
પ્રતીત લેતું જ્ઞાન • ગ્યું તેને અલ્પકાળમાં મુિ•ત હોય જ.
જે સામાન્યના જોરે એક અંશ પ્રગટયો તે જ સામાન્યના
જોરે પૂર્ણ દશા પ્રગટે છે. વિકલ્પના કારણે સામાન્યની
વિશેષ અવસ્થા ન થાય. જો વિકલ્પના કારણે વિશેષ થતું
હોય તો વિકલ્પનો અભાવ થતાં વિશેષનો પણ અભાવ
થઈ જાય. વર્તમાન વિશેષ સામાન્યથી જ પ્રગટે છે -
વિકલ્પથી પ્રગટતું નથી. આ સમજવું તે જ ધર્મ છે. દરેક
દ્રવ્યની સ્વાધીનતાની આ ચોખ્ખી વાત છે. ‘બે ને બે
ચાર’ જેવી સીધી-સરળ વાત છે, તે સમજે નહિં અને તેને
બદલે-નિમિત્તથી થાય અને એક બીજાનું કરી દીયે એમ
પરાશ્રયપણું જીવ માને તો તેનું બધું જ ખોટું છે, તે તેની
મૂળ ભૂલ છે, પહેલાં જ ‘બે ને બે ત્રણ’ એમ ભૂલ થઈ
ગઈ હોય તો ત્યાર પછીની પણ બધી ભૂલ જ આવે, તેમ
મૂળ વસ્તુસ્વભાવની માન્યતામાં જેની ભૂલ હોય તેનું બધું
ખોટું છે.
સ્વાધીનપણે પ્રગટેલો અંશ પૂર્ણને પ્રત્યક્ષ કરે છે.
પર દ્રવ્યો જગતમાં ભલે હો, પર નિમિત્ત ભલે હો,
જગતમાં સર્વે વસ્તુઓનું અસ્તિત્વ છે, પણ તે કોઈ વસ્તુ
મારી વિશેષ અવસ્થા કરવા સમર્થ નથી, મારા આત્માના
સામાન્ય સ્વભાવને અવલંબને મારી વિશેષદશા થાય છે-
તે સ્વાધીન છે; અને એ સ્વાધીનપણે પ્રગટતું વિશેષ જ
પૂર્ણ વિશેષરુપ કેવળજ્ઞાનનું કારણ છે. જે વિશેષ પ્રગટયું
તે પૂર્ણને પ્રત્યક્ષ કરતું પ્રગટે છે.
પ્રશ્નઃ- વર્તમાન અંશ પૂર્ણ પ્રત્યક્ષ કેવી રીતે થાય !
ઉત્તરઃ- જ્યાં વિશેષને પરનું અવલંબન ન રહ્યું અને
એકલા સામાન્યનું અવલંબન જ રહ્યું ત્યાં પ્રત્યક્ષ જ થયું.
જો નિમિત્તની વાત કરો તો પરોક્ષમાં આવે, પણ નિમિત્ત
કે વિકાર રહિત એકલા સામાન્યસ્વભાવનું અવલંબન છે
ત્યાં વિશેષ પ્રત્યક્ષ જ થયું. અંશમાં પૂર્ણ પ્રત્યક્ષ જ હોય.
જો અંશમાં પૂર્ણ પ્રત્યક્ષ ન હોય તો અંશ જ સિદ્ધ ન થાય.
‘આ અંશ છે’ એમ ત્યારે જ નક્કી થઈ શકે કે જ્યારે
અંશી પ્રત્યક્ષ હોય. જો અંશી અર્થાત્ પૂર્ણ પ્રત્યક્ષ ન હોય
તો અંશ પણ સિદ્ધ થાય નહિ.
મતિ શ્રુતજ્ઞાન પણ ખરેખર તો સામાન્યના અવલંબને
હોવાથી પ્રત્યક્ષ છે. મતિશ્રુતને પરોક્ષ કહ્યાં તે તો ‘પરને
જાણતાં ઈન્દ્રિયનું નિમિત્ત છે’ એવા નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું
જ્ઞાન કરવા માટે તે કથન કર્યું છે, પણ સ્વને જાણતાં તો તે
જ્ઞાન પણ પ્રત્યક્ષ જ છે.
પરાવલંબન રહિત સામાન્યના અવલંબને મારું વિશેષ
જ્ઞાન થાય છે એમ જેને સામાન્ય સ્વભાવની પ્રતીત બેઠી તેનું
વિશેષજ્ઞાન પરને જાણતી વખતે પણ સ્વના અવલંબન સહિત
જાણે છે તેથી ખરેખર તો તે પણ પ્રત્યક્ષ જ છે. જેને નિમિત્ત
વગરનો સ્વાધીન જ્ઞાનસ્વભાવ પ્રતીતમાં બેઠો તેને આખું
જ્ઞાન પ્રત્યક્ષ જ છે.
‘આ થાંભલાનો ખૂણો છે’ એમ જે જ્ઞાનમાં નક્કી કર્યું તે
જ્ઞાનમાં આખો થાંભલો ખ્યાલમાં આવી જ ગયો છે. ‘આ
પાનું સમયસારનું છે’ એમ નક્કી કર્યું ત્યાં આખું સમયસાર
પુસ્તક છે અને તેનું પાનું છે એમ પૂર્ણ અને અંશ બંને
જ્ઞાનના નિર્ણયમાં આવી ગયું. આ પાનું સમયસારનું છે એમ
કહેતાં તેના આગળ પાછળના બધાં પાનાં કોઈ બીજા
પુસ્તકના નથી પણ સમયસારના જ છે. એમ આખું પુસ્તક
ખ્યાલમાં આવી ગયું છે. આખા પુસ્તકને ખ્યાલમાં લીધા
વિના ‘આ અંશ તે પુસ્તકનો છે’ એમ પણ નક્કી થઈ શકે
નહિ; તેવી રીતે ‘આ મતિ તે કેવળજ્ઞાનનો અંશ છે- એમ

PDF/HTML Page 7 of 9
single page version

background image
ઃ ૧૫૦ઃ આત્મધર્મ વધારો -૨૧-A શ્રુત પંચમીઃ ૨૦૦૧
આખું કેવળજ્ઞાન પ્રત્યક્ષ લક્ષમાં આવ્યા વગર નક્કી થઈ
શકે નહિ. કોઈ કહે કે જ્ઞાનના નહિ ઉઘડેલા બીજા
અંશો તો હજી બાકી છે ને ? તો તેનો ખુલાસો-અહિં
આખા-અવયવી પૂર્ણની વાત છે, બીજા અંશોની વાત
લેવી નથી. અંશ સાથે અંશીનું અભેદપણું અહિં
બતાવવું છે. ‘આ જ્ઞાનનો ભાગ છે તે પૂર્ણ જ્ઞાનનો અંશ
ન હોય તો તે અંશ છે’ એમ નક્કી •યાંથી કર્યું ?
વર્તમાન અંશ છે તે સાથે અંશી અભેદ છે; વર્તમાન
અંશમાં આખું અંશી અભેદપણે લક્ષમાં આવી ગયું છે,
તેથી આ અંશ આ અંશીનો છે’ એમ જીવ પ્રતીત કરે
છે.
વર્તમાન અંશ અને પૂર્ણ અંશીનો અભેદ ભાવ
છે, બીજા અંશના ભેદ ભાવની વાત અહિં લીધી નથી.
અંશીમાં બધા અંશ આવી ગયા. અહિં મતિજ્ઞાન અને
કેવળજ્ઞાનનું અભેદપણું બતાવ્યું છે. મતિજ્ઞાન અંશ છે
અને કેવળજ્ઞાન અંશી છે, અંશ-અંશી અભેદ છે
એટલે મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ આવ્યું એમ
સમજવું.
સ્વાધીનતાની પ્રતીતમાં કેવળજ્ઞાન
આચાર્ય ભગવાન આત્માનો સ્વાધીન પૂર્ણ
સ્વભાવ બતાવે છે. તું આત્મા છો, તારો જ્ઞાન સ્વભાવ
છે, તે જ્ઞાન સ્વભાવની વિશેષ અવસ્થા તારા પોતાના
સામાન્ય સ્વભાવના અવલંબને થાય છે; સામાન્ય
સ્વભાવના અવલંબને વિશેષરુપ જે મતિજ્ઞાન પ્રગટયું
તે પૂર્ણ કેવળજ્ઞાન સાથે અભેદ સ્વભાવવાળું છે.
નિમિત્તના અને રાગના અવલંબન વગરનું સામાન્યના
અવલંબનવાળું જ્ઞાન સ્વાધીન સ્વભાવવાળું છે. મતિ
અને કેવળ વચ્ચેના ભેદને ગણતું નથી. આ વાત બેસી
તેને કેવળજ્ઞાન વચ્ચે વિઘ્ન હોય જ નહિ. આ તીર્થંકર
કેવળજ્ઞાનીની વાણી કેવળજ્ઞાનના ભણકાર કરતી
આવી છે. આચાર્યદેવોને કેવળજ્ઞાનના જ ભણકાર થઈ
રહ્યા છે, વચ્ચે ભવ છે ને કેવળજ્ઞાનનો ભંગ પડે છે
એ વાત જ અહિં ગૌણ કરી છે, અહિં તો સામાન્ય
સ્વભાવના જોરે જે અંશ પ્રગટયો તે અંશ સાથે જ
કેવળજ્ઞાન અભેદ છે-એમ કેવળજ્ઞાનની વાત કરી છે.
કેવળજ્ઞાનીઓની કેવળજ્ઞાનના ભણકાર કરતી વાણી
આવી છે અને કેવળજ્ઞાનના વારસા લેનારા
આચાર્યોએ આ વાત પરમાગમ શાસ્ત્રોમાં સંઘરી છે.
તું પણ કેવળજ્ઞાન લેવાની તૈયારી વાળો જ છો,
તારા
સ્વભાવના ભરોંસે હા પાડ ! પોતાના સ્વભાવની
પ્રતિત વગરનું પૂર્ણ પ્રત્યક્ષનો ભરોસો જાગે નહિ.
આત્માનો જ્ઞાન સ્વભાવ સ્વાધીન છે, કોઈ સમય
વિશેષ વગરનું જ્ઞાન ન હોય, જે સમયે વિશેષમાં થોડું
જ્ઞાન હતું તે પોતાથી હતું, અને વિશેષમાં પૂરું થાય તે
પણ પોતાથી જ થયું છે, તેમાં કોઈ પરનું કારણ નથી,
આમ જ્ઞાનસ્વભાવની સ્વાધીનતા જીવ જાણે તો તે
પરમાં ન જોતાં પોતામાં જ લક્ષ કરીને પૂર્ણનો પુરુષાર્થ
કરે.
સામાન્ય કોઈ સમય વિશેષ વગર છે જ નહિ,
દરેક સમયે સામાન્યનું વિશેષ કાર્ય તો હોય જ, ગમે
તેટલું નાનું કાર્ય હોય તોપણ તે સામાન્યના
પરિણમનથી થાય છે. નિગોદ દશાથી કેવળજ્ઞાન સુધી
આત્માની સર્વ પરિણતિ પોતાથી છે, એમ સ્વતંત્રતાનો
ખ્યાલ પોતાની પ્રતીતમાં આવી ગયો ત્યાં પરાવલંબન
ટળી ગયું. મારી પરિણતી મારાથી કાર્ય કરી રહી છે-
એવી પ્રતીતમાં આવરણ અને નિમિત્તના અવલંબનના
ભૂક્કા • ડી ગયા.
આત્માના અનંત ગુણ સ્વાધીનપણે કાર્ય કરે છે.
કર્તા, ભોકતા, ગ્રાહકતા, સ્વામીત્વતા એવા એવા
અનંત ગુણોની વર્તમાન પરિણતી નિમિત્ત અને
વિકલ્પના આશ્રય વગર પોતાથી પ્રગટે છે; આમ જે
માને છે તે જીવને ગુણના અવલંબને પ્રગટેલો અંશ
પૂર્ણતાને પ્રત્યક્ષ કરતો અંશ સાથે જ પૂર્ણને અભદે
લેતો, અંશ અને પૂર્ણતા વચ્ચેના ભેદ કાઢી નાખતો
હોવાથી જે ભાવ પ્રગટયો તે ભાવ યથાર્થ અને
અપ્રતિહત ભાવ છે.
વાતની ના પાડનાર કોણ છે ? જે ના પાડે તે
તેની પોતાની, આ વાતની ના પાડનાર કોઈ છે જ
નહિ. નિર્ગ્રંથ સંત-મુનીઓ એવા અપ્રતિહત ભાવે
ઉપડયા છે કે જેથી જ્ઞાનની ધારામાં ભંગ પડયા વગર
અત્રુટપણે કેવળજ્ઞાનરુપ થઈ જવાનાજ. આજે તો
શ્રુતપંચમી છે. કેવળજ્ઞાનનો દિવસ છે. અહો ! નિર્ગ્રંથ
આચાર્યોએ મહા મહોત્વસવથી આ દિવસ • જવ્યો
હતો.
મારા જ્ઞાનના મતિ-શ્રુતના અંશો સ્વતંત્ર થાય
છે, તેને કોઈ પરનું અવલંબન નથી, આમ પ્રતીત થતાં
કોઈ નિમિત્તનું કે પરનું લક્ષ ન રહ્યું, સામાન્ય સ્વભાવ
તરફ જ લક્ષ રહ્યું-એ સામાન્ય સ્વભાવના જોરે જીવે
પૂર્ણતાનો પુરુષાર્થ કરવાનો રહ્યો. પહેલાં પરને કારણે
જ્ઞાન થતું માન્યું હતું ત્યારે તે જ્ઞાન પર લક્ષમાં અટકી

PDF/HTML Page 8 of 9
single page version

background image
ઃ ૧૫૧ઃ આત્મધર્મ વધારો -૨૧-A શ્રુત પંચમીઃ ૨૦૦૧
જતું, પણ સ્વાધીન સ્વભાવથી જ જ્ઞાન થાય છે
એમ પ્રતીત થતાં જ્ઞાનને •યાંય અટકવાપણું ન રહ્યું.
‘બહુ સરસ સમજાવ્યું છે’ - ‘બહુ જ સરસ છે.’
મારા જ્ઞાનમાં પરનું અવલંબન કે નિમિત્ત નહિ
એટલે કેવળજ્ઞાન વર્તમાન પ્રત્યક્ષ જ છે એમ સામાન્ય
સ્વભાવના કારણે જે જ્ઞાન પરિણમે તે જ્ઞાનધારાને
તોડનાર કોઈ છે જ નહિ, એટલે કે સ્વશ્રયે જે જ્ઞાન
પ્રગટયું છે તે કેવળજ્ઞાનનો જ પોકાર લેતું પ્રગટયું છે-
અલ્પકાળમાં તે જ્ઞાન કેવળજ્ઞાન લેવાનું જ છે. જ્ઞાનના
અવલંબને જ્ઞાન કાર્ય કરે છે આવી પ્રતીતમાં આખું
કેવળજ્ઞાન સમાય છે.
પહેલાં જ્ઞાનની અવસ્થા ઓછી હતી અને
પછી વાણી સાંભળી ત્યારે જ્ઞાન વધ્યું તે વાણી
સાંભળવાથી વધ્યું છે એમ નથી; પણ જ્ઞાનની અવસ્થા
વધી ત્યાં સામાન્ય સ્વભાવી જ્ઞાન જ પોતાના
પુરુષાર્થથી કષાય ઘટાડી વિશેષરુપે થયું છે, એટલે
પોતાના કારણે જ જ્ઞાન થયું છે. આવી પ્રતીત થતાં
સ્વતંત્ર જ્ઞાનસ્વભાવના જોરે પૂર્ણ જ્ઞાનનો પુરુષાર્થ જ
કરવાનો રહ્યો. જ્ઞાનીઓને સ્વતંત્ર જ્ઞાન સ્વભાવની
પ્રતીતના જોરે, વર્તમાન • ણી દશામાં પણ કેવળજ્ઞાન
પ્રત્યક્ષ છે, કેવળજ્ઞાન પ્રતીતમાં આવી ગયું છે.
અજ્ઞાનીને સ્વતંત્ર જ્ઞાન સ્વભાવની પ્રતીત નહિ
હોવાથી, પૂરી અવસ્થા કેવી હોય તેનું જ્ઞાન થતું નથી
અને પૂરી શિ•તની પ્રતીત આવતી નથી. નિમિત્તો
અનેક પ્રકારના બદલતાં જાય છે અને નિમિત્તનું તેણે
અવલંબન માન્યું છે એટલે નિમિત્તનું લક્ષ તેને રહ્યા
કરે છે અને સ્વતંત્ર જ્ઞાનના પ્રત્યક્ષપણાની શ્રદ્ધા તેને
બેસતી નથી. ‘મારું વર્તમાન જ્ઞાન મારાથી થાય છે,
મારી શિ•ત પૂર્ણ છે અને એ પૂર્ણ શિ•ત
ા આશ્રયે
પુરુષાર્થથી પૂર્ણજ્ઞાન પ્રગટે છે’ એમ જ્ઞાનીને પ્રતીત છે.
જે જ્ઞાનના અંશે જ્ઞાનસ્વભાવની પ્રતીત કરી તે જ્ઞાન
કેવળજ્ઞાનને પ્રત્યક્ષ કરતું જ પ્રગટયું છે- એટલે વચ્ચે
જે બાકી છે-ભેદ પડે છે-તે ટળીને જ્ઞાન પૂર્ણ જ થવાનું
છે. આ રીતે સામાન્ય જ્ઞાન સ્વભાવની પ્રતીત કરતાં
પૂર્ણને લક્ષમાં લેતું જે વિશેષ જ્ઞાન પ્રગટયું તે વચલા
ભેદને [મતિ અને કેવળજ્ઞાન વચ્ચેના ભેદને] • ડાડી
દેતું, પૂર્ણ સાથે જ અભેદપણું કરતું પ્રગટયું છે. વચમાં
એકે ભવ જ નથી. અવતાર પણ કોને છે, વર્તમાનમાં
કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે એવા જોરમાં, વચ્ચે એકાદ ભવ
છે તેનો આચાર્યે નકાર કર્યો છે; આચાર્યદેવને
અત્રુટપણે કેવળજ્ઞાનની જ વાત કરી છે.
આ વાત જેને
બેસે તેને ભવ હોય જ નહિ...
(અનુસંધાન પાના નં.૧૫૨થી)
(૬) જીવને સાચું સુખ જોઈતું
હોય તો પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ
કરવું જ જોઈએ;
જગતમાં કયા
કયા પદાર્થો છે, તેનું સ્વરુપ શું
છે, તેનાં કાર્ય-ક્ષેત્ર શું છે, જીવ શું
છે, જીવ કેમ દુઃખી થાય છે-તેની
યથાર્થ સમજણ હોય તો જ
સમ્યગ્દર્શન પ્રગટ થાય; તેથી
સાત તત્ત્વો દ્વારા આચાર્ય
ભગવાને વસ્તુસ્વરુપ દશ
અધ્યાયોમાં જણાવ્યું છે.
(૭) આ શાસ્ત્રના દસ
અધ્યાયોમાં નીચેના વિષયો
લેવામાં આવ્યા છેઃ-
૧- મોક્ષનો ઉપાય અને જીવના
જ્ઞાનની અવસ્થાઓ;
૨- જીવના ભાવો, લક્ષણ અને
જીવનો શરીર સાથેનો સંબંધ;
૩-૪- વિકારી જીવને રહેવાનાં
ક્ષેત્રો, એ પહેલા ચાર અધ્યાયોમાં
બતાવી પ્રથમ
જીવ તત્ત્વનું વર્ણન
કરવામાં આવ્યું છે.
૫-આ અધ્યાયમાં બીજા
અજીવ
તત્ત્વનું વર્ણન કરવામાં આવ્યું છે.
૬-૭-આ અધ્યાયોમાં જીવના
નવા વિકાર ભાવો (આસ્ત્રવો)
તથા તેનું નિમિત્ત પામીને જીવને
સૂક્ષ્મ જડ કર્મ સાથે થતો સંબંધ
જણાવ્યો છે; એ રીતે ત્રીજા
આસ્ત્રવ તત્ત્વનું વર્ણન કર્યું છે.
૮-આ અધ્યાયમાં જીવને જડ કર્મ
સાથે કેવા પ્રકારે બંધ થાય છે અને
તે જડ કર્મ કેટલો વખત જીવ સાથે
રહે છે તે જણાવ્યું છે; એ રીતે
ચોથા
બંધ તત્ત્વનું આ અધ્યાયમાં
વર્ણન કર્યું છે.
૯-આ અધ્યાયયમાં જીવને
અનાદિથી નહિ થયેલ ધર્મની
શરુઆત સંવરથી થાય છે,
જીવની આ અવસ્થા થતાં તેને
સાચા સુખની શરુઆત થાય છે
અને ક્રમેક્રમે શુદ્ધિ વધતાં વિકાર
ટળે છે તેથી નિર્જરા એટલે કે
જડકર્મ સાથેના બંધનો અંશે
અંશે અભાવ થાય છે-એ જણાવ્યું
છે; એ રીતે પાંચમું અને છઠું
એટલે
સંવર અને નિર્જરાતત્વ
નવમા અધ્યાયમાં જણાવ્યાં છે.
૧૦-આ અધ્યાયમાં જીવની
શુદ્ધિની પૂર્ણતા, સ્રવ દુઃખોથી
અવિનાશી મુિ•ત અને સંપૂર્ણ
પવિત્રતા તે મોક્ષ તત્ત્વ હોવાથી
આચાર્ય ભગવાને સાતમું
મોક્ષતત્ત્વ આ અધ્યાયમાં
જણાવ્યું છે.
ઃ મુદ્રક-પ્રકાશકઃ
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા તારીખ ૧૮-૬-૪૫

PDF/HTML Page 9 of 9
single page version

background image
ATMADHARMA With the permisson of the Baroda Govt. Regd. No. B.4787
order No. 30-24 Date 31-10-44
શ્રી ઉમા સ્વામી વિચરીત મોક્ષશાસ્ત્ર (સટીક) ની
ગુજરાતી ટીકાનું મંગળાચરણ
[જે મંગળ ગ્રંથની મુમુક્ષુઓને સ્વાધ્યાય માટે અત્યંત આવશ્ય•તા છે તે ગ્રંથની ગુજરાતી ટીકા માનનીય
મુરબ્બી શ્રી રામજીભાઈએ તૈયાર કરેલ છે, જે ગુજરાતી સમજી શકતા ભાઈ બહેનોના મહદ્ સૌભાગ્યનું
કારણ છે. મોક્ષશાસ્ત્રની ગુજરાતી ટીકાનું છાપકામ શરુ કરતાં પહેલાં તેના મંગળાચરણ રુપે આપેલી આ
ગ્રંથની મહત્તા અહિં રજુ કરવામાં આવે છે.
- પ્રકાશક]
मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म भ्तू भृताम्।
ज्ञातारं विश्व तत्त्वानां वन्दे तद्गुण ल धये।।
અર્થઃ- મોક્ષમાર્ગના પ્રવર્તાવનાર અર્થાત્
ચલાવનાર, કર્મરુપી પર્વતોના ભેદનાર અર્થાત્ નાશ
કરનાર, વિશ્વના અર્થાત્ બધા તત્ત્વોના જાણનાર-તેને તે
ગુણોની પ્રાપ્તિ માટે હું પ્રણામ કરું છું-વંદન કરું છું.
ટીકા
(૧) આ શાસ્ત્ર શરુ કરતાં પહેલાં આ શાસ્ત્રનો
વિષય શું છે તે ટૂંકામાં જણાવવાની જરુર છે.
(૨) આચાર્ય ભગવાને આ શાસ્ત્રનું નામ
‘મોક્ષશાસ્ત્ર’ અથવા ‘તત્ત્વાર્થસૂત્ર’ રાખ્યું છે; જગતના
જીવો અનંત પ્રકારના દુઃખો ભોગવી રહ્યા છે, તે દુઃખોથી
હંમેશને માટે મુ•ત થવા એટલે કે અવિનાશી સુખ
મેળવવા તેઓ અહર્નિશ ઉપાયો કરી રહ્યા છે; પણ
તેઓના તે ઉપાયો ખોટા હોવાથી જીવોને દુઃખ મટતું
નથી, એક કે બીજા પ્રકારે દુઃખ ચાલ્યા જ કરે છે. દુઃખોની
પરંપરાથી જીવો શી રીતે મુ•ત થાય તેનો ઉપાય અને તેનું
વીતરાગી વિજ્ઞાન આ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યાં છે
તેથી તેનું નામ ‘મોક્ષશાસ્ત્ર’ રાખવામાં આવ્યું છે.
મૂળભૂત ભૂલ વિના દુઃખ હોય નહિ અને તે ભૂલ ટળતાં
સુખ થયા વગર રહે જ નહિ એવો અબાધિત સિદ્ધાંત છે.
વસ્તુનું સાચું સ્વરુપ સમજ્યા વિના એ ભૂલ ટળે નહિ;
તેથી વસ્તુનું સાચું સ્વરુપ આ શાસ્ત્રમાં સમજાવવામાં
આવ્યું હોવાથી તેનું નામ ‘તત્ત્વાર્થ સૂત્ર’ પણ આપવામાં
આવ્યું છે.
(૩) વસ્તુના સાચા સ્વરુપ સંબંધી જીવને જો ખોટી
માન્યતા [wrong belief] ન હોય તો જ્ઞાનમાં ભૂલ થાય
નહિ. જ્યાં માન્યતા સાચી હોય ત્યાં જ્ઞાન સાચું જ હોય.
સાચી માન્યતા અને સાચા જ્ઞાન પૂર્વક થતા સાચા વર્તન
દ્વારા જ જીવો દુઃખથી મુ•ત થઈ શકે એ સિદ્ધાંત આચાર્ય
ભગવાને આ શાસ્ત્રની શરુઆત કરતાં પહેલા અધ્યાયના
પહેલા જ સૂત્રમાં જણાવ્યો છે.
(૪) ‘પોતે કોણ છે’ તે સંબંધી જગતના જીવોની
મહાન ભૂલ ચાલી આવે છે. ઘણા જીવો શરીરને પોતાનું
સ્વરુપ માને છે, તેથી શરીરની સંભાળ રાખવા તેઓ
સતત્ પ્રયત્ન અનેક પ્રકારે કર્યા કરે છે. શરીરને જીવ
પોતાનું માને છે તેથી શરીરની સગવડ જે ચેતન કે જડ
પદાર્થો તરફથી મળે છે એમ તે માને તે તરફ તેને રાગ
થાય જ; અને જે ચેતન કે જડ પદાર્થો તરફથી અગવડ
મળે છે એમ તે માને તે તરફ તેને દ્વેષ થાય જ. જીવની
આ માન્યતાથી જીવને આકૂળતા રહ્યા જ કરે છે.
(૫) જીવની આ મહાન ભૂલને શાસ્ત્રમાં
‘મિથ્યાદર્શન’ કહેવામાં આવે છે; જ્યાં મિથ્યા માન્યતા
હોય ત્યાં જ્ઞાન અને ચારિત્ર પણ મિથ્યા હોય જ; તેથી
મિથ્યાદર્શનરુપ મહાન ભૂલને મહા પાપ પણ કહેવામાં
આવે છે. મિથ્યાદર્શન એ મહાન ભૂલ છે અને તે સર્વ
દુઃખનું મહાબળવાન મૂળિયું છે, એવું જીવોને લક્ષ નહિ
હોવાથી તે લક્ષ કરાવવા અને તે ભૂલ ટાળી જીવો
અવિનાશી સુખ તરફ પગલાં માંડે તે હેતુથી આચાર્ય
ભગવાને આ શાસ્ત્રમાં પહેલો જ શબ્દ ‘સમ્યગ્દર્શન’
વાપર્યો છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ તે જ સમયે જ્ઞાન
સાચું થાય છે તેથી બીજો શબ્દ ‘સમ્યગ્જ્ઞાન’ વાપર્યો છે;
અને સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક જ સમ્યક્ચારિત્ર હોય શકે
તેથી ‘સમ્યક્ચારિત્ર’ એ શબ્દ ત્રીજો મૂકયો છે. એ પ્રમાણે
ત્રણ શબ્દો વપરાતાં ‘સાચું સુખ મેળવવાના રસ્તા ત્રણ
છે’ એમ જીવો ન માની બેસે માટે એ ત્રણેની એ•તા એ
જ મોક્ષમાર્ગ છે એમ પહેલાં જ સૂત્રમાં જણાવી દીધું છે.
(અનુસંધાન પાના નં.૧૫૧ પર જુઓ)