PDF/HTML Page 1 of 9
single page version
Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)
PDF/HTML Page 2 of 9
single page version
PDF/HTML Page 3 of 9
single page version
અંકલેશ્વરમાં ઉત્સાહ પૂર્વક ઉત્સવથી તેની શ્રુતપૂજના કરી હતી, તે શ્રુતપૂજનનો માંગલિક દિવસ આજે [જેઠ સુદ-૫
ના રોજ ] છે.
(૨) તે સ્વાધીન અંશમાં આખું કેવળજ્ઞાન પ્રત્યક્ષ આવે છે; આ બે મુખ્ય વિીસેષતા છે.
વર્તમાન જ્ઞાન ઇન્દ્રિયથી જાણે તો સામાન્ય
જ્ઞાનસ્વભાવના વર્તમાન વિશેષનો અભાવ થાય. જો
જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું હોય તો તે વખતે સામાન્યજ્ઞાન
છે તેનું વિશેષ શું ? આત્માનું જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું
નથી, પણ સામાન્ય જ્ઞાનની વિશેષ અવસ્થાથી જાણે
છે. જો વર્તમાનમાં વિશેષજ્ઞાનથી જીવ ન જાણતો હોય
અને ઇન્દ્રિયથી જાણતો હોય તો વિશેષજ્ઞાને શું કાર્ય
કર્યું ? ઈન્દ્રિયથી આત્મા જ્ઞાનનું કાર્ય કરતો જ નથી.
જ્ઞાન પોતાથી જ વિશેષરુપ જાણવાનું કાર્ય કરે છે.
નીચલી દશામાં પણ જડ ઇન્દ્રિય અને જ્ઞાન ભેગા
થઈને જાણવાનું કાર્ય કરતા નથી, પણ સામાન્ય જ્ઞાન
જે આત્માનો ત્રિકાળ સ્વભાવ છે તેનું જ વિશેષરુપ
જ્ઞાન વર્તમાન જાણવાનું કાર્ય કરે છે.
ત્યારે પણ જ્ઞાન જાણવાનું કાર્ય તો પોતાથી જ કરે છે,
કેમકે જ્ઞાન પરના અવલંબન વગરનું છે. ‘નિમિત્ત-
નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરવું જોઈએ’ એમ મોક્ષમાર્ગ
પ્રકાશક પાન-૨૬૪માં કહ્યું છે તેનું આ વિવરણ ચાલે
છે. ઈન્દ્રિય હાજર છે પણ જ્ઞાન સ્વતંત્રપણે પોતાની
અવસ્થાથી જાણે છે. જો જ્ઞાન ઈન્દ્રિયથી જાણે છે એમ
માનવામાં આવે તો જ્ઞાનનો વિશેષ સ્વભાવ કામ નથી
કરતો એમ થાય, અને વિશેષ વગર સામાન્ય જ્ઞાનનો
જ અભાવ આવે; માટે જ્ઞાન ઈન્દ્રિયથી જાણતું નથી.
અધૂરું જ્ઞાન પોતાથી જાણવાનું કાર્ય કરે છે ત્યારે
અવલંબને જ્ઞાન જાણતું નથી-આમ સમજવું તે જ
નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન છે. પણ જ્ઞાન
ઈન્દ્રિયથી જાણે એમ માને તો તે જ્ઞાન ખોટું છે, કેમકે
તે માન્યતામાં નિમિત્ત-ઉપાદાન એક થઈ જાય છે.
તેનો તે વખતે અભાવ થયો ?
જાણવાનું કામ ઈન્દ્રિયથી થશે, આમ થવાથી જ્ઞાનનો
નાશ નહિ થાય-અભાવ નહિ થાય.
વગર સામાન્ય ન હોય શકે. માટે વિશેષ વગરનું
સામાન્યજ્ઞાન માનવાથી સામાન્યનો નાશ થાય-અભાવ
થાય છે- માટે વિશેષ જ્ઞાનથી જ જાણવાનું કાર્ય થાય
છે, એમ માનવામાં આવે તો જ સામાન્ય જ્ઞાનની
અસ્તિ રહે છે.
આવે છે એમ જાણીને તેની શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતા
કરવી તે જ ધર્મ છે.
ઈન્દ્રિયના કારણે જાણતું હોય તો તે વખતે
સામાન્યજ્ઞાન વિશેષ-પર્યાય વગરનું થયું; વિશેષ વગર
તો સામાન્ય હોય જ નહિ,
PDF/HTML Page 4 of 9
single page version
વિશેષ સામાન્યજ્ઞાનથી થાય છે કે નિમિત્તથી થાય છે ?
વિશેષજ્ઞાન નિમિત્તને લઈને થયું નથી પણ સામાન્ય
સ્વભાવથી થયું છે. વિશેષનું કારણ સામાન્ય છે,
નિમિત્ત તેનું કારણ નથી. કેમકે જો તે કાર્ય નિમિત્તનું
અંશે કે પૂર્ણપણે હોય તો નિમિત્ત જે પર દ્રવ્ય છે તે
પરદ્રવ્યરુપ જ્ઞાન થઈ જાય. આત્માનો જ્ઞાનસ્વભાવ
કાયમ છે તે સામાન્ય અને વર્તમાન કાર્યરુપ જે જ્ઞાન
તે તેનું વિશેષ છે. સામાન્ય જ્ઞાનનું વિશેષ કહો, કે
કાયમના જ્ઞાન સ્વભાવનું પરિણમન કહો, કે જ્ઞાનની
વર્તમાન દશા [હાલત-પર્યાય] કહો તે એક જ છે.
જાણવામાં જ્ઞાન એક જ છે, જ્ઞાનમાં ફેર પડી જતો
નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ પોતાથી છે, કોઈના
નિમિત્તથી તે નથી. આત્માનો ત્રિકાળી જ્ઞાન સ્વભાવ
છે તે જ્ઞાન પોતાથી જ વિશેષરુપ કાર્ય કરે છે. આત્મા
ઈન્દ્રિયથી જાણતો જ નથી, પોતાના જ્ઞાનની વિશેષ
અવસ્થાથી જ જાણે છે. સામાન્ય જ્ઞાન પોતે પરિણમીને
વિશેષરુપ થાય છે તે વિશેષજ્ઞાન જાણવાનું કાર્ય કરે
છે. જ્ઞાન પરના અવલંબનથી જાણે એમ માનવું તે
અધર્મ છે. જ્ઞાન સ્વલંબનથી જાણે એવી શ્રદ્ધા-જ્ઞાન
અને સ્થિરતા તે ધર્મ છે.
છે. બીજી અનેક વાતો છે તેમાં આ એક વિશેષ છે.
પરના નિમિત્તની કે પરદ્રવ્યની જરુર નથી-એટલે કે -
જ્ઞાન સ્વાધીનતાથી કદી ખસીને પરાવલંબનમાં જતું
નથી તેથી તે જ્ઞાન પોતે સમાધાન અને સુખ સ્વરુપ
છે. સ્વાધીન જ્ઞાનસ્વભાવે જ નિગોદથી સિદ્ધ સુધી
બધા જીવોને જ્ઞાન થાય છે; પણ જેમ થઈ રહ્યું છે તેમ
અજ્ઞાની નથી માનતો, તેથી જ તેની માન્યતામાં વિરોધ
આવે છે.
અવલંબને જ થાય છે એટલે રાગ કે પર નિમિત્તના
અવલંબન વગર જ જ્ઞાન કાર્ય કરે છે તેથી જ્ઞાન રાગ
કે સંયોગ રહિત છે.
સંતમુનિઓ પુષ્પદંત અને ભૂતબલિ આચાર્યોએ (જ્ઞાન
માંગલિક દિવસઆજે (જેઠ સુદ-૫ના રોજ) છે.
થાવ-એમ ખરેખર અંદરમાં પૂર્ણતાની ભાવના થતાં,
બાહ્યમાં તેમને એવો વિકલ્પ • ઠયો કે-શ્રુતજ્ઞાન
આગમ કાયમ ટકી રહો; તે વિકલ્પ • ઠતાં મહાન
પરમાગમ શાસ્ત્રો રચ્યાં અને તેની શ્રુતપૂજના કરી તે
મંગળ દિવસ આજે છે, ખરેખર તો પરનો માટે
ભાવના નથી, પણ પોતાની જ્ઞાનની અત્રુટધારાની
ભાવના છે, ત્યાં આ શાસ્ત્રોની રચના થઈ છે. આ
શાસ્ત્રમાં અનેક વાતો છે, આજે મુખ્ય બે વિશેષ વાત
છે તે કહેવાની છે.
વિશેષ વગર સામાન્ય જાણે કોને ? વિશેષ ન હોય તો
સામાન્ય જ્ઞાન જ •યાં રહ્યું ? જો વર્તમાન પર્યાયરુપ
વિશેષ ન માનો તો ‘સામાન્ય જ્ઞાન છે’ તેનો વિશેષ
વગર કોણ નિર્ણય કરશે ? નિર્ણય તો વિશેષ જ્ઞાન કરે
છે. વર્તમાન વિશેષ જ્ઞાન [પર્યાય] દ્વારા પરાવલંબન
રહિત સામાન્ય જ્ઞાન-સ્વભાવ જેમ છે તેમ જાણવો
તેમાં જ ધર્મ સમાઈ જાય છે.
છે. વિકારને કે પરને પોતાનું ન માને તેને દુઃખ ન જ
હોય. મારા જ્ઞાનને કોઈ પરાવલંબન નથી-એવા
સ્વાધીન સ્વભાવની શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતા કરે તો
તે સ્વભાવમાં શંકા કે દુઃખ ન જ હોય. કેમકે
જ્ઞાનસ્વભાવ પોતે સુખરુપ છે.
ઓછું જ્ઞાન છે - તે પણ સ્પર્શઈન્દ્રિયથી જાણતો નથી,
પરંતુ પોતાના સામાન્ય જ્ઞાનના પરિણમનથી થતા
વિશેષ જ્ઞાનવડે જાણે છે, પણ તે એમ માને છે કે
ઈન્દ્રિયથી મને જ્ઞાન થયું. પણ જ્યારે જીવને સામાન્ય
જ્ઞાન સ્વભાવના અવલંબને [સામાન્ય તરફની
એકાગ્રતાથી] વિશેષજ્ઞાન થાય છે ત્યારે તે સમ્યક્
મતિરુપ થાય છે; તે મતિજ્ઞાનરુપ અંશમાં, પરાવલંબન
વગર નિરાલંબી જ્ઞાનસ્વભાવની પૂર્ણતાની પ્રત્યક્ષતા
આવી જાય છે.
PDF/HTML Page 5 of 9
single page version
થાય નહિ. ધર્મ •યાંય બહારમાં નથી, પણ પોતાનો
જ્ઞાનાનંદ સ્વભાવ તે જ ધર્મ છે. આમાં તો બધાં
શાસ્ત્રોનું રહસ્ય આવી ગયું. કોઈ કોઈનું કાંઈ ન કરી
શકે એ વાત પણ આમાં આવી જ ગઈ. જડ ઈન્દ્રિય
આત્માના જ્ઞાનની અવસ્થા કરે નહિ અને આત્માનું
જ્ઞાન પરનું ન કરે; આ રીતે જ્ઞાન સ્વભાવની સ્વતંત્રતા
આવી.
કરે છે; તે કારણે સર્વ નિમિત્તોના અભાવમાં-સંપૂર્ણ
અસહાયપણે સામાન્યસ્વભાવના અવલંબને વિશેષરુપ
જે કેવળજ્ઞાન પૂર્ણ પ્રત્યક્ષ છે તેનો નિર્ણય વર્તમાન
મતિજ્ઞાનના અંશ દ્વારા તેને થઈ શકે છે. જો પૂર્ણ
અસહાય જ્ઞાનસ્વભાવ મતિજ્ઞાનના નિર્ણયમાં ન આવે
તો વર્તમાન વિશેષ અંશરુપ જ્ઞાન [મતિજ્ઞાન] પરના
અવલંબન વગર પ્રત્યક્ષરુપ છે તેનો નિર્ણય પણ ન
થાય. સામાન્ય સ્વભાવના આશ્રયે જે વિશેષરુપ
મતિજ્ઞાન પ્રગટ્યું તે મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે.
અંશ પ્રગટયો છે તે અંશીના આધાર વગર હોય નહિ,
તેથી અંશીના નિર્ણય વગર અંશનો નિર્ણય થાય નહિ.
વિશેષતા છે તેની સ્પષ્ટતા જાહેર થાય છે. (૧)
પોતાના જ્ઞાનની વિશેષરુપ અવસ્થા પરાવલંબન વગર
સ્વાધીનપણે છે. (૨) તે સ્વાધીન અંશમાં આખું
કેવળજ્ઞાન પ્રત્યક્ષ આવે છે; આ બે મુખ્ય વિશેષતા છે.
સાધ્યરુપ કેવળજ્ઞાનને પ્રત્યક્ષ જાણતું પ્રગટ થાય છે;
તે સાધકજ્ઞાન સ્વાધીનપણે પોતાના કારણે અંતરના
સામાન્ય જ્ઞાનની શિ•તના લક્ષે વિશેષ-વિશેષરુપે
પરિણમતાં પરિણમતાં સાધ્ય કેવળજ્ઞાનપણે પ્રગટ
થાય છે; તેમાં કોઈ બહારનું અવલબંન નથી, પણ
સામાન્ય જ્ઞાન સ્વભાવનું જ અવલંબન છે.
તેને જ્ઞાન જાણી લ્યે છે પણ તેનું અવલંબન જ્ઞાન
માનતું નથી. એટલે સર્વ નિમિત્ત વગરના પૂર્ણ સ્વાધીન
મતિજ્ઞાન સામાન્ય સ્વભાવના અવલબંને પ્રગટ થાય
છે. આ રીતે જ્ઞાનનું કાર્ય પરાવલંબન વડે થતું નથી
પણ સ્વાધીન સ્વભાવને અવલંબીને થાય છે- એમાં
જ્ઞાનની સ્વતંત્રતા બતાવી.
જો દેવગુરુશાસ્ત્ર વગેરે પરના આશ્રયે પરિણમે તો તે
વખતે શ્રદ્ધા ગુણે શું વિશેષ કાર્ય કર્યું ? શ્રદ્ધા તે
સામાન્ય ગુણ છે તેનું વિશેષ તે સામાન્યના અવલંબને
જ હોય. સમ્યગ્દર્શનરુપ વિશેષ પરના અવલંબને
કાર્યકરતું નથી પણ સામાન્ય શ્રદ્ધાના અવલંબને જ
તેનું વિશેષ પ્રગટવું થાય છે, સમ્યગ્દર્શન તે શ્રદ્ધા
ગુણની વિશેષ દશા છે. શ્રદ્ધા ગુણ છે અને
સમ્યગ્દર્શન પર્યાય છે. શ્રદ્ધાગુણના અવલંબને
સમ્યગ્દર્શનરુપ વિશેષ દશા પ્રગટ થાય છે; જો દેવ-
ગુરુ-શાસ્ત્ર વગેરે પરના અવલંબને શ્રદ્ધાનું વિશેષ
કાર્ય થતું હોય તો સામાન્ય શ્રદ્ધાનું તે વખતે વિશેષ
શું ? વિશેષ વગર તો કોઈ વખતે સામાન્ય હોય નહી.
આત્માની શ્રદ્ધાની વર્તમાન અવસ્થારુપ કાર્ય ત્રિકાળી
શ્રદ્ધા નામના ગુણનું છે, તે કાર્ય કોઈ પરના અવલબંને
નથી, પણ સામાન્યનું વિશેષ પ્રગટયું છે. વિશેષ વગર
સામાન્ય શ્રદ્ધા જ ન હોય શકે.
પરના કારણે પરિણમે તો તે વખતે આનંદગુણે પોતે
વર્તમાન વિશેષ શું કાર્ય કર્યું ? પરથી જો આનંદ
પ્રગટયો તો આનંદ ગુણનું તે વખતે વિશેષ કાર્ય •યાં
ગયું ? અજ્ઞાનીને પરમાં આનંદ માન્યો તે વખતે પણ
તેનો આનંદગુણ સ્વાધીનપણે કાર્ય કરે છે - અજ્ઞાનીએ
આનંદનું વર્તમાન કાર્ય ઊંધું માન્યું એટલે આનંદ
ગુણનું વિશેષ તેને દુઃખરુપ પરિણમે છે. આનંદ પરથી
પ્રગટતો નથી, પણ સંયોગ અને નિમિત્ત વગરના
આનંદ નામના સામાન્ય ગુણના અવલંબને વર્તમાન
આનંદ પ્રગટે છે. આ સમજતાં લક્ષનું જોર પર ઉપર ન
જતાં સામાન્ય સ્વભાવ ઉપર જાય છે, અને તે
સામાન્યના અવલંબને વિશેષરુપ આનંદ દશા પ્રગટે
છે; સામાન્ય આનંદ સ્વભાવના
PDF/HTML Page 6 of 9
single page version
પ્રતીત લેતું જ્ઞાન • ગ્યું તેને અલ્પકાળમાં મુિ•ત હોય જ.
PDF/HTML Page 7 of 9
single page version
શકે નહિ. કોઈ કહે કે જ્ઞાનના નહિ ઉઘડેલા બીજા
અંશો તો હજી બાકી છે ને ? તો તેનો ખુલાસો-અહિં
આખા-અવયવી પૂર્ણની વાત છે, બીજા અંશોની વાત
લેવી નથી. અંશ સાથે અંશીનું અભેદપણું અહિં
બતાવવું છે. ‘આ જ્ઞાનનો ભાગ છે તે પૂર્ણ જ્ઞાનનો અંશ
ન હોય તો તે અંશ છે’ એમ નક્કી •યાંથી કર્યું ?
વર્તમાન અંશ છે તે સાથે અંશી અભેદ છે; વર્તમાન
અંશમાં આખું અંશી અભેદપણે લક્ષમાં આવી ગયું છે,
તેથી આ અંશ આ અંશીનો છે’ એમ જીવ પ્રતીત કરે
છે.
અંશીમાં બધા અંશ આવી ગયા. અહિં મતિજ્ઞાન અને
કેવળજ્ઞાનનું અભેદપણું બતાવ્યું છે. મતિજ્ઞાન અંશ છે
અને કેવળજ્ઞાન અંશી છે, અંશ-અંશી અભેદ છે
એટલે મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ આવ્યું એમ
સમજવું.
છે, તે જ્ઞાન સ્વભાવની વિશેષ અવસ્થા તારા પોતાના
સામાન્ય સ્વભાવના અવલંબને થાય છે; સામાન્ય
સ્વભાવના અવલંબને વિશેષરુપ જે મતિજ્ઞાન પ્રગટયું
તે પૂર્ણ કેવળજ્ઞાન સાથે અભેદ સ્વભાવવાળું છે.
નિમિત્તના અને રાગના અવલંબન વગરનું સામાન્યના
અવલંબનવાળું જ્ઞાન સ્વાધીન સ્વભાવવાળું છે. મતિ
અને કેવળ વચ્ચેના ભેદને ગણતું નથી. આ વાત બેસી
તેને કેવળજ્ઞાન વચ્ચે વિઘ્ન હોય જ નહિ. આ તીર્થંકર
કેવળજ્ઞાનીની વાણી કેવળજ્ઞાનના ભણકાર કરતી
આવી છે. આચાર્યદેવોને કેવળજ્ઞાનના જ ભણકાર થઈ
રહ્યા છે, વચ્ચે ભવ છે ને કેવળજ્ઞાનનો ભંગ પડે છે
એ વાત જ અહિં ગૌણ કરી છે, અહિં તો સામાન્ય
સ્વભાવના જોરે જે અંશ પ્રગટયો તે અંશ સાથે જ
કેવળજ્ઞાન અભેદ છે-એમ કેવળજ્ઞાનની વાત કરી છે.
કેવળજ્ઞાનીઓની કેવળજ્ઞાનના ભણકાર કરતી વાણી
આવી છે અને કેવળજ્ઞાનના વારસા લેનારા
આચાર્યોએ આ વાત પરમાગમ શાસ્ત્રોમાં સંઘરી છે.
તું પણ કેવળજ્ઞાન લેવાની તૈયારી વાળો જ છો,
પ્રતિત વગરનું પૂર્ણ પ્રત્યક્ષનો ભરોસો જાગે નહિ.
જ્ઞાન હતું તે પોતાથી હતું, અને વિશેષમાં પૂરું થાય તે
પણ પોતાથી જ થયું છે, તેમાં કોઈ પરનું કારણ નથી,
આમ જ્ઞાનસ્વભાવની સ્વાધીનતા જીવ જાણે તો તે
પરમાં ન જોતાં પોતામાં જ લક્ષ કરીને પૂર્ણનો પુરુષાર્થ
કરે.
તેટલું નાનું કાર્ય હોય તોપણ તે સામાન્યના
પરિણમનથી થાય છે. નિગોદ દશાથી કેવળજ્ઞાન સુધી
આત્માની સર્વ પરિણતિ પોતાથી છે, એમ સ્વતંત્રતાનો
ખ્યાલ પોતાની પ્રતીતમાં આવી ગયો ત્યાં પરાવલંબન
ટળી ગયું. મારી પરિણતી મારાથી કાર્ય કરી રહી છે-
એવી પ્રતીતમાં આવરણ અને નિમિત્તના અવલંબનના
ભૂક્કા • ડી ગયા.
અનંત ગુણોની વર્તમાન પરિણતી નિમિત્ત અને
વિકલ્પના આશ્રય વગર પોતાથી પ્રગટે છે; આમ જે
માને છે તે જીવને ગુણના અવલંબને પ્રગટેલો અંશ
પૂર્ણતાને પ્રત્યક્ષ કરતો અંશ સાથે જ પૂર્ણને અભદે
લેતો, અંશ અને પૂર્ણતા વચ્ચેના ભેદ કાઢી નાખતો
હોવાથી જે ભાવ પ્રગટયો તે ભાવ યથાર્થ અને
અપ્રતિહત ભાવ છે.
નહિ. નિર્ગ્રંથ સંત-મુનીઓ એવા અપ્રતિહત ભાવે
ઉપડયા છે કે જેથી જ્ઞાનની ધારામાં ભંગ પડયા વગર
અત્રુટપણે કેવળજ્ઞાનરુપ થઈ જવાનાજ. આજે તો
શ્રુતપંચમી છે. કેવળજ્ઞાનનો દિવસ છે. અહો ! નિર્ગ્રંથ
આચાર્યોએ મહા મહોત્વસવથી આ દિવસ • જવ્યો
હતો.
કોઈ નિમિત્તનું કે પરનું લક્ષ ન રહ્યું, સામાન્ય સ્વભાવ
તરફ જ લક્ષ રહ્યું-એ સામાન્ય સ્વભાવના જોરે જીવે
પૂર્ણતાનો પુરુષાર્થ કરવાનો રહ્યો. પહેલાં પરને કારણે
જ્ઞાન થતું માન્યું હતું ત્યારે તે જ્ઞાન પર લક્ષમાં અટકી
PDF/HTML Page 8 of 9
single page version
સ્વભાવના કારણે જે જ્ઞાન પરિણમે તે જ્ઞાનધારાને
તોડનાર કોઈ છે જ નહિ, એટલે કે સ્વશ્રયે જે જ્ઞાન
પ્રગટયું છે તે કેવળજ્ઞાનનો જ પોકાર લેતું પ્રગટયું છે-
અલ્પકાળમાં તે જ્ઞાન કેવળજ્ઞાન લેવાનું જ છે. જ્ઞાનના
અવલંબને જ્ઞાન કાર્ય કરે છે આવી પ્રતીતમાં આખું
કેવળજ્ઞાન સમાય છે.
સાંભળવાથી વધ્યું છે એમ નથી; પણ જ્ઞાનની અવસ્થા
વધી ત્યાં સામાન્ય સ્વભાવી જ્ઞાન જ પોતાના
પુરુષાર્થથી કષાય ઘટાડી વિશેષરુપે થયું છે, એટલે
પોતાના કારણે જ જ્ઞાન થયું છે. આવી પ્રતીત થતાં
સ્વતંત્ર જ્ઞાનસ્વભાવના જોરે પૂર્ણ જ્ઞાનનો પુરુષાર્થ જ
કરવાનો રહ્યો. જ્ઞાનીઓને સ્વતંત્ર જ્ઞાન સ્વભાવની
પ્રતીતના જોરે, વર્તમાન • ણી દશામાં પણ કેવળજ્ઞાન
પ્રત્યક્ષ છે, કેવળજ્ઞાન પ્રતીતમાં આવી ગયું છે.
હોવાથી, પૂરી અવસ્થા કેવી હોય તેનું જ્ઞાન થતું નથી
અને પૂરી શિ•તની પ્રતીત આવતી નથી. નિમિત્તો
અનેક પ્રકારના બદલતાં જાય છે અને નિમિત્તનું તેણે
અવલંબન માન્યું છે એટલે નિમિત્તનું લક્ષ તેને રહ્યા
કરે છે અને સ્વતંત્ર જ્ઞાનના પ્રત્યક્ષપણાની શ્રદ્ધા તેને
બેસતી નથી. ‘મારું વર્તમાન જ્ઞાન મારાથી થાય છે,
મારી શિ•ત પૂર્ણ છે અને એ પૂર્ણ શિ•ત
જે જ્ઞાનના અંશે જ્ઞાનસ્વભાવની પ્રતીત કરી તે જ્ઞાન
કેવળજ્ઞાનને પ્રત્યક્ષ કરતું જ પ્રગટયું છે- એટલે વચ્ચે
જે બાકી છે-ભેદ પડે છે-તે ટળીને જ્ઞાન પૂર્ણ જ થવાનું
છે. આ રીતે સામાન્ય જ્ઞાન સ્વભાવની પ્રતીત કરતાં
પૂર્ણને લક્ષમાં લેતું જે વિશેષ જ્ઞાન પ્રગટયું તે વચલા
ભેદને [મતિ અને કેવળજ્ઞાન વચ્ચેના ભેદને] • ડાડી
દેતું, પૂર્ણ સાથે જ અભેદપણું કરતું પ્રગટયું છે. વચમાં
એકે ભવ જ નથી. અવતાર પણ કોને છે, વર્તમાનમાં
કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે એવા જોરમાં, વચ્ચે એકાદ ભવ
છે તેનો આચાર્યે નકાર કર્યો છે; આચાર્યદેવને
અત્રુટપણે કેવળજ્ઞાનની જ વાત કરી છે.
હોય તો પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ
કરવું જ જોઈએ; જગતમાં કયા
કયા પદાર્થો છે, તેનું સ્વરુપ શું
છે, તેનાં કાર્ય-ક્ષેત્ર શું છે, જીવ શું
છે, જીવ કેમ દુઃખી થાય છે-તેની
યથાર્થ સમજણ હોય તો જ
સમ્યગ્દર્શન પ્રગટ થાય; તેથી
સાત તત્ત્વો દ્વારા આચાર્ય
ભગવાને વસ્તુસ્વરુપ દશ
અધ્યાયોમાં જણાવ્યું છે.
(૭) આ શાસ્ત્રના દસ
અધ્યાયોમાં નીચેના વિષયો
લેવામાં આવ્યા છેઃ-
૧- મોક્ષનો ઉપાય અને જીવના
જ્ઞાનની અવસ્થાઓ;
૨- જીવના ભાવો, લક્ષણ અને
જીવનો શરીર સાથેનો સંબંધ;
ક્ષેત્રો, એ પહેલા ચાર અધ્યાયોમાં
બતાવી પ્રથમ
૫-આ અધ્યાયમાં બીજા
૬-૭-આ અધ્યાયોમાં જીવના
નવા વિકાર ભાવો (આસ્ત્રવો)
તથા તેનું નિમિત્ત પામીને જીવને
સૂક્ષ્મ જડ કર્મ સાથે થતો સંબંધ
જણાવ્યો છે; એ રીતે ત્રીજા
આસ્ત્રવ તત્ત્વનું વર્ણન કર્યું છે.
સાથે કેવા પ્રકારે બંધ થાય છે અને
તે જડ કર્મ કેટલો વખત જીવ સાથે
રહે છે તે જણાવ્યું છે; એ રીતે
ચોથા
અનાદિથી નહિ થયેલ ધર્મની
શરુઆત સંવરથી થાય છે,
જીવની આ અવસ્થા થતાં તેને
સાચા સુખની શરુઆત થાય છે
અને ક્રમેક્રમે શુદ્ધિ વધતાં વિકાર
ટળે છે તેથી નિર્જરા એટલે કે
જડકર્મ સાથેના બંધનો અંશે
અંશે અભાવ થાય છે-એ જણાવ્યું
છે; એ રીતે પાંચમું અને છઠું
એટલે
૧૦-આ અધ્યાયમાં જીવની
શુદ્ધિની પૂર્ણતા, સ્રવ દુઃખોથી
અવિનાશી મુિ•ત અને સંપૂર્ણ
પવિત્રતા તે મોક્ષ તત્ત્વ હોવાથી
આચાર્ય ભગવાને સાતમું
મોક્ષતત્ત્વ આ અધ્યાયમાં
જણાવ્યું છે.
PDF/HTML Page 9 of 9
single page version
મુરબ્બી શ્રી રામજીભાઈએ તૈયાર કરેલ છે, જે ગુજરાતી સમજી શકતા ભાઈ બહેનોના મહદ્ સૌભાગ્યનું
કારણ છે. મોક્ષશાસ્ત્રની ગુજરાતી ટીકાનું છાપકામ શરુ કરતાં પહેલાં તેના મંગળાચરણ રુપે આપેલી આ
ગ્રંથની મહત્તા અહિં રજુ કરવામાં આવે છે.