Page 230 of 238
PDF/HTML Page 241 of 249
single page version
અંદરમાં છે, પર્યાયમાં ભલે અલ્પવીર્ય છે પણ આત્મા અનંતવીર્યનું ધામ છે, પર્યાયમાં
રાગ-દ્વેષની વિપરીતતા હોવા છતાં આત્મા વીતરાગ આનંદનો કંદ છો. તું નાનો નથી
ભાઈ! તું મોટો છો. તું પોતે અર્હંતસ્વરૂપે બિરાજમાન છો વિશ્વાસ કર!
વસ્તુનો સ્વભાવ છે કાંઈ કલ્પનાથી વાત વધારીને તને કહેતાં નથી. વસ્તુ જેવી છે
તેવી તને કહીએ છીએ.
આચાર્ય તે વીતરાગીપર્યાયે પરિણમેલું પદ છે. એવી પર્યાયો પણ તારા અંતરમાં છે માટે
તું આચાર્યનું ખરું સ્વરૂપ ઓળખી તેમાં લીન થઈ જા, તો તું પોતે આચાર્ય બની
જઈશ. ઉપાધ્યાય સ્વરૂપ પણ તું જ છો ભાઈ! વીતરાગી દ્રવ્ય, વીતરાગી ગુણ અને
ગુણસ્થાન પ્રમાણે પ્રગટેલી વીતરાગી પર્યાય સહિતનું દ્રવ્ય તે ઉપાધ્યાય છે. એવા
ઉપાધ્યાય સ્વરૂપ આત્માનું ધ્યાન કરવું.
આનંદને અનુભવે છે ને! એ જ તેનું ધ્યાન કહો કે અનુભવ કહો, એક જ છે.
પ્રવચનસારની જ્ઞેય અધિકારની છેલ્લી ગાથાઓમાં આ વાત આવે છે.
પંચપરમેષ્ઠી સ્વરૂપ છે તેથી આત્માનું ધ્યાન કરતાં તેમાં પાંચેય પરમેષ્ઠીનું ધ્યાન
ગર્ભીત છે.
પર્યાયે પરિણમેલા છે, તેનું લક્ષ કરવું. આચાર્યનું લક્ષ કરતાં તેમનાં વિકલ્પ, વાણી અને
રાગથી રંજિત પરિણામ લક્ષમાં ન લેવા, પણ તેનો આત્મા જે વીતરાગી પર્યાયરૂપે
પરિણમેલો છે
Page 231 of 238
PDF/HTML Page 242 of 249
single page version
લેતાં માત્ર તેમની આત્મ-આરાધનાની ક્રિયા આરાધવાલાયક છે.
મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે પણ નિશ્ચય મોક્ષમાર્ગ એક જ છે. તેથી મોક્ષના
અર્થીને ઉચિત છે કે આ એક સ્વાનુભવરૂપ મોક્ષમાર્ગનું સેવન કરે.
મહાન દ્રષ્ટિ છે તેના વડે મહાન એવા ભગવાન આત્માની શ્રદ્ધા થાય ત્યારે તેમાં રમણ
ક્યાં કરવું તેનું ભાન થાય છે. આવું સમ્યગ્દર્શન થયા પછી પણ અમૃતચંદ્ર આચાર્ય ૮૦
મી ગાથામાં કહે છે કે પ્રમાદરૂપી ચોર મારી સંપદા લૂંટી ન જાય તે માટે હું સાવધાન
રહું છું-પ્રમાદ છોડીને પુરુષાર્થની કેડ બાંધીને બેઠો છું.
આત્મામાં જ પડયું છે ભાઈ! ભગવાનને યાદ કરવા એ તો રાગ છે પણ રાગરહિત
નિજસ્વરૂપનું શરણ લે ત્યારે ખરું અરિહંત અને સિદ્ધનું શરણ લીધું કહેવાય.
सो जिणु ईसरु बंभु सो सो अणंतु सो सिद्धु ।। १०५।।
બ્રહ્મા, ઈશ્વર, જિન તે, સિદ્ધ, અનંત પણ તે જ. ૧૦પ.
ગુણ છે અને એટલી જ તેની પર્યાયો છે-આવો આત્મા વેદાંત આદિ કોઈ મતમાં કહ્યો
નથી. અજ્ઞાનીઓએ તો અસર્વાંશમાં સર્વાંશ માન્યું છે. અહીં તો સર્વાંશે આખી ચીજ
જેવી છે તેવી કહેવાય છે. આવો જે આત્મા છે તે પાંચ પરમેષ્ઠીરૂપે પરિણમે છે તેને જ
અહીં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહ્યો છે.
કોઈ બ્રહ્મા આદિ નથી. અરે ભાઈ! આ તો વસ્તુની સ્થિતિ છે. ભગવાને જોયું બીજું
અને કહ્યું બીજું એવું નથી. છ પ્રકારના દ્રવ્યો જેવા જોયાં તેવા જ ભગવાને કહ્યાં છે.
Page 232 of 238
PDF/HTML Page 243 of 249
single page version
જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે, માટે આત્મા લોકાલોક પ્રમાણ છે એટલે કે ક્ષેત્રથી નહિ પણ
કેવળજ્ઞાનની અપેક્ષાએ આત્મા લોકાલોક વ્યાપક છે માટે આત્મા જ વિષ્ણુ છે.
જ્ઞાનરૂપે પરિણમે છે અને એવી એવી અનંતી શક્તિઓ આત્મામાં રહેલી છે માટે
આત્મા માને છે તે માન્યતા તદ્ન ખોટી અજ્ઞાનભાવ છે...સંસારભાવ છે.
સુધી આપણે કેમ નક્કી કરી શકીએ? પણ એમણે જે અભિપ્રાયો કહ્યાં છે તે ઉપરથી
તો તે મુક્તિ પામ્યાં નથી. શ્રીમદ્ને ૨૭ વર્ષ થયા હતા ત્યારે ગાંધીજીએ ૨૭ પ્રશ્નો
પૂછયાં હતાં તેમાં એક આ પ્રશ્ન હતો.
લીન છે અને પોતાના સ્વરૂપના કર્તા છે માટે બ્રહ્મા છે. જગતના કર્તા કોઈ બ્રહ્મા નથી.
તેનું ધ્યાન કરવું તેનું નામ ખરેખર ધ્યાન અને સંવર-નિર્જરા છે.
ઈશ્વર આદિ નામો અપાય છે.
देहहं मज्झहिं सो वसइ तासु ण विज्जइ भेउ ।। १०६।।
દેહવાસી આ જીવમાં ને તેમાં નથી ફેર.
Page 233 of 238
PDF/HTML Page 244 of 249
single page version
અને તારામાં ફેર હોય પણ વસ્તુદ્રષ્ટિએ તારા આ દેહવાસી દેવમાં અને નિરંજન
પરમાત્મામાં કાંઈ ફેર નથી.
ગોઠતો નથી, બીજા બધાને તો ગોઠે છે. બધાં પહેલાં પોતાના મોઢામાં કોળિયો મૂકે
પછી બીજાના મોઢામાં મૂકે ત્યારે અહીં તો ભગવાનને માન જોઈતું નથી. ભગવાન કહે
છે કે તું અમારું લક્ષ કરીશ તો તને રાગ થશે. તું તારું લક્ષ કર! અમારી ભક્તિથી
તારું કલ્યાણ નહિ થાય. તું તારો આશ્રય કર તો તારું કલ્યાણ થશે. તારા દેહમાં
પરમાત્મા જેવો જ ભગવાન બિરાજમાન છે માટે તું પરમાત્મામાં અને તારામાં ભેદ ન
જાણ!
અતિશય પાગલ મનુષ્યની ચેષ્ટા સમાન છે. કારણ કે તે
શોક કરવાથી કાંઈ પણ સિદ્ધ થતું નથી પરંતુ તેનાથી
કેવળ એ થાય છે કે તે મૂઢ બુદ્ધિવાળા મનુષ્યના ધર્મ
અર્થ અને કામરૂપથી પુરુષાર્થ આદિ જ નષ્ટ થાય છે.
Page 234 of 238
PDF/HTML Page 245 of 249
single page version
સ્વરૂપ વર્ણવ્યું. હવે યોગીન્દ્રદેવ કહે છે કે એવા જે પરમાત્મા છે તેમાં અને આ દેહવાસી
જીવમાં કાંઈ ફેર નથી.
देहहं मज्झहिं सो वसइ तासु ण विज्जइ भेउ ।। १०६।।
દેહવાસી આ જીવમાં ને તેમાં નથી ફેર.
પરમાત્મા છે એમ સાધક જીવે વસ્તુની નિશ્ચયદ્રષ્ટિ કરવી.
દ્રવ્યસ્વભાવમાં એ કોઈ ભેદો નથી. દ્રવ્યસ્વભાવે આત્મા પરમાત્મા જ છે એમ નિશ્ચય
કરવો. જે કાંઈ ભેદ દેખાય છે તે વ્યવહારથી છે પણ પરમાર્થ વસ્તુદ્રષ્ટિએ જોતાં વસ્તુમાં
એ કોઈ ભેદો નથી.
પરમાત્મા તરીકે જોવા. કારણ કે સમભાવ એ જ મોક્ષનો ઉપાય છે. વસ્તુ એક જ્ઞાનઘન
શુદ્ધ જ છે એમ અંતરમાં જોવું, જાણવું અને અનુભવવું તે મોક્ષનો ઉપાય છે.
વર્તમાન અલ્પજ્ઞ-પરિણામ અને પુણ્ય-પાપના પરિણામમાં આત્મબુદ્ધિ કરે છે તે
સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે અને મિથ્યાત્વ, કષાયાદિને ગ્રહણ કરે છે.
Page 235 of 238
PDF/HTML Page 246 of 249
single page version
વસ્તુ અભેદ છે પણ તેનો અર્થ એમ નથી કે આત્મા અસંખ્યપ્રદેશી છે તે વ્યવહારથી
છે. અસંખ્ય પ્રદેશ તો નિશ્ચયથી છે પણ તેનો ભેદ-વિચાર કરવો તે વ્યવહાર છે. ૪૭
શક્તિમાં એક ‘નિયતપ્રદેશત્વ’ શક્તિ છે એટલે અસંખ્ય પ્રદેશ નિયત છે. પણ
અભેદદ્રષ્ટિમાં ભેદ દેખાતા નથી. અભેદમાં ભેદ નથી એમ નથી પણ અભેદદ્રષ્ટિમાં
ભેદનું લક્ષ કરે તો વિકલ્પ ઊઠે અને રાગ થાય તો અભેદ્રષ્ટિ જ રહેતી નથી.
વ્યવહારને ભૂલી જવાનો નથી પણ ગૌણ કરીને સ્વભાવની દ્રષ્ટિ કરવાની છે.
વ્યવહારનો અભાવ કરે તો તે વસ્તુ જ ન રહે. વીતરાગશાસન આવું છે ભાઈ!
अप्पा–दंसणि ते वि फुडु एहउ जाणि णिभंतु ।। १०७।।
તે આતમદર્શન થકી, એમ જાણ નિર્ભ્રાન્ત.
લીધી છે. અનંત સિદ્ધ થયા, અનંત સિદ્ધ થશે અને વર્તમાનમાં સિદ્ધ થાય છે તે બધા
આત્મઅનુભવથી જ થાય છે. ત્રણેય કાળમાં એક જ માર્ગ છે એ વાત આમાં આવી ગઈ.
‘એક હોય ત્રણકાળમાં, પરમારથનો પંથ’ આ વાતને સંદેહ રહિતપણે તું માન!
કરવો તે મોક્ષમાર્ગ છે.
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ.
પ્રાપ્તિરૂપી કાર્યને પામે છે. વજ્રવૃષભનારાચ સંહનન અને મનુષ્યપણું કાંઈ કેવળજ્ઞાનના
કાર્યરૂપે પરિણમતું
Page 236 of 238
PDF/HTML Page 247 of 249
single page version
પરિણમી જાય છે.
આત્માના મોક્ષ માટે આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ જ મોક્ષમાર્ગ છે. ઉપાદાન
પોતે જ કાર્યરૂપે પરિણમી જાય છે. સાથે નિમિત્ત-વ્યવહાર હોય છે તેની ના નથી પણ
તેનું લક્ષ છોડે-આશ્રય છોડે, ત્યારે જ મોક્ષમાર્ગની શરૂઆત છે.
તેમ સિદ્ધપણાની પર્યાયની સીધી સડક આત્માની શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિપૂર્વક અનુભવ
કરવો તે છે. મોક્ષમહેલના પૂર્ણકાર્ય સુધી કારણ ચાલ્યું જાય છે.
છે. આ બધાં દ્રષ્ટાંતો સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે દેવાય છે.
આ સિવાય બીજી કોઈ સડક જ નથી ગલી પણ નથી.
શ્રોતાઃ- તો પછી ભગવાનની ભક્તિ કરે કોણ?
પૂજ્ય ગુરુદેવઃ- જ્યાં સુધી વીતરાગ થાય નહિ ત્યાં સુધી પૂર્ણાનંદના આશ્રયની
શુભભાવ આવ્યા વગર રહેતો નથી એમ કહેવાય પણ ખરેખર તો તે કાળે તે શુભભાવ
આવ્યા વગર રહેતો નથી-એવી જ વસ્તુસ્થિતિ છે.
જુઓ તો ઉત્પાદ-વ્યય તે ધ્રુવનું પરિણમન છે. દ્રવ્યદ્રષ્ટિથી દ્રવ્ય પરિણમતું નથી. તેથી જ
તેને સદ્રશ કહ્યું છે એટલે જેવું છે તેવું જ ત્રિકાળ રહે છે. પરિણમે છે તે પર્યાય છે. દ્રવ્ય
તો અપરિણામી છે, પર્યાય તેનું લક્ષ કરે છે. અનિત્ય પર્યાય વડે ધ્રુવનું લક્ષ થાય છે.
વ્યવહારનયની અપેક્ષાએ છે. પારિણામિક સ્વભાવ છે તે તો ત્રિકાળ એકરૂપ છે, તેમાં
કાંઈ ઓછું નથી, વિશેષ નથી, ભેદ નથી અને પરિણમન પણ નથી પણ તેનું લક્ષ
પર્યાયથી થાય છે. લક્ષ કરનાર પર્યાય છે અને લક્ષ દ્રવ્યનું છે. આમ સદ્રશ વસ્તુ તે
નિશ્ચયનયનો વિષય છે. વિસદ્રશ
Page 237 of 238
PDF/HTML Page 248 of 249
single page version
अप्पा–संबोहण कया दोहा इक्क–मणेण ।। १०८।।
એકચિત્ત દોહા રચે, નિજ સંબોધન કાજ. ૧૦૮.
Page 238 of 238
PDF/HTML Page 249 of 249
single page version
આચારજ, પાઠક, યતિ, નમૂં નમૂં સુખદાન.
પરમ ભાવ પરકાશકા કારણ આત્મવિચાર,
જિંહ નિમિત્તસે હોય સો વંદનિક વારંવાર.