Hoon Parmatma (Gujarati). Pravachan: 41-44.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 12 of 13

 

Page 210 of 238
PDF/HTML Page 221 of 249
single page version

background image
૨૧૦] [હું
ભગવાન સર્વજ્ઞદેવે દરેક આત્માને જ્ઞાન અને આનંદસ્વરૂપ જોયો છે. ભગવાને
આત્માને રાગવાળો, કર્મવાળો કે શરીર આદિવાળો જોયો નથી. આવો આત્મા જે
સ્વાનુભવથી જાણે તેણે ખરેખર આત્મા જાણ્યો કહેવાય.
આત્મા પોતાના સ્વભાવ સિવાય જગતના નાનામાં નાના પુદ્ગલો એટલે
પરમાણુ અને સ્કંધને પોતાના કરવા માગે તો અનંત પુરુષાર્થથી પણ થઈ શકે તેમ
નથી. તેમ પુણ્ય-પાપને પણ પોતાના કરવા માગે તોપણ અનંત પુરુષાર્થ કરે છતાં
પોતાના થઈ શક્તા નથી.
જેને પોતાનું હિત કરવું હોય તેણે આ બધું સમજવું પડશે. તેને માટે ભલે સમય
લાગે પણ સમજ્યા વગર છૂટકો નથી. સમજીને પહેલાં તો નિર્ણય કરે પછી અનુભવ થાય.
તીર્થંકર ભગવાનની ઈચ્છા વિના જે દિવ્યધ્વનિ છૂટે છે તેમાંથી ગણધરદેવ
સૂત્રરૂપે તેની રચના કરે છે તેનું નામ આગમ છે. આ આગમમાં એમ કહ્યું છે કે
ભાઈ! તું તારા સ્વભાવમાં રાગ અને કર્મને એક કરવા માગીશ તો તે એક થઈ શકશે
નહિ. શરીરાદિ પરદ્રવ્ય તો આત્મા સાથે એક સમય પણ તન્મય થઈ શકતા નથી.
વિકારી ભાવ એક સમયની પર્યાયમાં તન્મય છે પણ તેને ત્રિકાળી સ્વભાવ સાથે
એકમેક-તન્મય કરવા માગે તો થઈ શકતા નથી. આત્મા તો ત્રિકાળી જ્ઞાન-આનંદમાં
તન્મય છે તેની વર્તમાન દ્રષ્ટિ કરીને તેમાં તન્મય થવું તે જીવનનું કાર્ય છે. જીવ પોતે
પોતાને પ્રત્યક્ષ કરી શકે એવો તેનામાં ગુણ છે. પણ આજ સુધી ક્યારેય જીવે પોતાના
સ્વભાવને જોવાનો પ્રયત્ન કર્યો નથી. સ્વરૂપનું મંથન કર્યું નથી. બહારમાં ને બહારમાં
પોતે આખો પરમેશ્વર ખોવાઈ ગયો છે.
આત્મામાં એક ‘પ્રકાશ’ નામનો અનાદિ અનંત ગુણ એવો છે કે જે પોતાને પ્રત્યક્ષ
કરી શકે છે. રાગ વિના આનંદનું વેદન થઈ શકે એવો એ ગુણનો ગુણ (ગુણનું કાર્ય) છે.
લૌકિકમાં દાખલો આવે છે ને? સુરદાસે કૃષ્ણનો હાથ પકડયો તો શ્રીકૃષ્ણ તેનો
હાથ છોડાવીને ભાગી ગયા ત્યારે સુરદાસ કહે છે પ્રભુ! તું મારા હાથથી છટકી ગયો
પણ મારા હૃદયમાં તારો વાસ છે ત્યાંથી તું છટકી શકે તેમ નથી. તેમ અહીં કહે છે કે
ભગવાન આત્મા આનંદ અને જ્ઞાનથી બહાર ક્યાંય જઈ શકે તેમ નથી.
જેમ કસ્તૂરીમૃગની ડુંટીમાં કસ્તૂરી છે પણ બહાર ફાંફાં મારે છે તેમ ભગવાન
આત્માના અંતરમાં અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ ભર્યો છે તેની સામે નજર કર્યા વિના
અજ્ઞાની જીવ જેટલાં પુણ્ય-પાપના ભાવ કરે છે તે રખડવા ખાતે છે પછી ભલે તે
અગિયાર અંગ અને નવ પૂર્વ ભણ્યો હોય તોપણ આત્માના ભાન વિના તેની કાંઈ
કિંમત નથી.
રાગ વડે કે શાસ્ત્રજ્ઞાન વડે આત્મા જણાય-પ્રત્યક્ષ થાય એવો કોઈ આત્મામાં
ગુણ જ નથી. આત્મા પોતે જ પોતાથી પ્રત્યક્ષ થાય એવો તેનામાં અનાદિ-અનંત ગુણ
છે તે ગુણ વડે આ જ આત્મા છે એમ પ્રત્યક્ષ વેદનપૂર્વક જાણે ત્યારે તેણે સર્વ શાસ્ત્રો
જાણ્યા કહેવાય.
ભાઈ! આ મારગ કોઈ જુદી જાતનો છે. વીતરાગ પરમેશ્વરનો માર્ગ છે.
પરમાત્મા કહે છે કે વિકલ્પ કે રાગથી તને કાંઈ લાભ નથી. તું તો તારા સ્વરૂપમાં
જેટલો એકાગ્ર થા તેટલો

Page 211 of 238
PDF/HTML Page 222 of 249
single page version

background image
પરમાત્મા] [૨૧૧
તને સંવર છે-લાભ છે. આત્માના વેદન સહિત આત્માનું જ્ઞાન કરવું તે જ મોક્ષમાર્ગ છે
તે સિવાય બીજે ક્યાંય મોક્ષમાર્ગ માનીશ તો તું છેતરાઈ જઈશ.
મુનિરાજ કહે છે કે શુદ્ધસ્વરૂપની ભાવના કરતાં કરતાં આત્મા પ્રાપ્ત થઈ જાય
છે. શુદ્ધસ્વરૂપનું વેદન કરતાં કરતાં આત્મા પૂર્ણ પ્રત્યક્ષ થઈ જાય છે. માટે શાસ્ત્ર-
વાંચન કરતાં પણ હેતુ તો એક આત્મપ્રાપ્તિનો જ રાખવો. “લાખ બાતકી બાત યહી,
નિશ્ચય ઉર લાવો; તોડી સકલ જગ દ્વંદ-ફંદ, નિજ આતમ ધ્યાવો.”
આત્મા પોતાના સ્વભાવને પહોંચે-પ્રાપ્ત કરે, રુચિ કરે, જાણે, વેદે ત્યારે તેને
મોક્ષમાર્ગ પ્રાપ્ત થયો કહેવાય! તેને જ સામાયિક અને પૌષધ કહેવાય.
ભાઈ! આવી તારા ઘરની મીઠી વાત તને કેમ ન રુચે? ભૂખ લાગી હોય અને
પોચા પોચા માખણ જેવા દહીંથરા, ખાજા વગેરે મળે તો કેમ ન રુચે? રુચે જ. તેમ
આ આત્મા કોણ છે, કેવો છે એની જેને અંદરથી જિજ્ઞાસા થઈ હોય તેને આ વાત કેમ
ન રુચે? રુચે જ. મૂળ તો અંતરથી ભૂખ લાગવી જોઈએ.
અહીં મુનિરાજે દાખલો મૂક્યો છે કે માટી સહિતનું પાણી વ્યવહારનયથી જોઈએ
તો મેલું દેખાય છે. પણ ખરેખર નિશ્ચયથી એ માટીની મેલપથી પાણીની સ્વચ્છતા જુદી
છે. નિશ્ચયથી માટી માટી છે અને પાણી પાણી જ છે, બન્ને એક થયાં નથી તેમ
વ્યવહારનયથી જુઓ તો આત્માને કર્મ શરીરાદિનો સંયોગ છે પણ પરમાર્થદ્રષ્ટિથી જુઓ
તો આત્માને રાગ અને કર્મનો લેપ-સંયોગ છે જ નહિ. આવી દ્રષ્ટિથી આત્માને જોવો
તે સત્યદ્રષ્ટિ છે. તે જ આદર કરવા યોગ્ય છે. માટે, વ્યવહારનયથી નવતત્ત્વ, અશુદ્ધતા
આદિ જાણવા. પણ મૂળ પ્રયોજન તો શુદ્ધ આત્માને જાણવાનું જ રાખવું.
હવે યોગીન્દ્રદેવ પુરુષાર્થસિદ્ધિનો આધાર આપીને સરસ વાત કરે છે કે અજ્ઞાનીઓને
સમજાવવા માટે વ્યવહારનયનો ઉપદેશ છે. પર્યાયમાં અશુદ્ધતા છે પણ તે તારા સ્વભાવમાં
નથી. નિશ્ચયથી સંયોગ અને સંયોગીભાવથી તું પાર છો. માટે વ્યવહારનયના વિષયને તું
જાણજે. પણ આદર તો નિશ્ચયના વિષયભૂત દ્રવ્યસ્વભાવનો જ કરજે.
એક નય અભેદને બતાવે છે અને એક નય ભેદને બતાવે છે. પરસ્પર વિરૂદ્ધ બે
નય છે. એ જ અનેકાંત છે, વસ્તુના બન્ને ધર્મો છે. ભેદ પણ છે અને અભેદ પણ છે.
નિશ્ચયદ્રષ્ટિથી જુએ તો આત્મા પોતાને વ્યવહાર, ભેદ, વિકલ્પથી રહિત જ જુએ એ
નિશ્ચયનયનો નિયમ છે અને ભેદ, વિકલ્પ, આશ્રય અને નિમિત્તને જુએ તે વ્યવહારનો
નિયમ છે. ભેદ નિમિત્ત આદિ વ્યવહારનયનો વિષય છે, નથી એમ નથી. ન હોય તો
તો તીર્થ, ગુણસ્થાન આદિ કાંઈ હોય જ નહિ. એમ બને નહિ અને નિશ્ચય ન હોય તો
તો સ્વાશ્રય વિના પોતાને કાંઈ લાભ જ ન થાય. માટે બન્ને છે, તે બન્નેને ન જાણે તે
જ્ઞાતા-દ્રષ્ટા થઈ શકતો નથી.
જેમ બાળકને બિલાડી બતાવીને સિંહનું જ્ઞાન કરાવવામાં આવે છે પણ જો તેને
ક્યારેય સિંહ ન બતાવે તો તે બિલાડીને જ સિંહ માની લેશે. તેમ અજ્ઞાનીને
વ્યવહારનયથી એકેન્દ્રિય તે જીવ, પંચેન્દ્રિય તે જીવ એમ બતાવાય છે પણ તે
એકેન્દ્રિયપણું કે પંચેન્દ્રિય

Page 212 of 238
PDF/HTML Page 223 of 249
single page version

background image
૨૧૨] [હું
આદિપણું વસ્તુના સ્વરૂપમાં નથી. તેથી વ્યવહારને જ નિશ્ચય માની લે તો તે તો
ઉપદેશને લાયક જ નથી, કેમ કે તે નિશ્ચયને સમજતો નથી.
એક જગ્યાએ એવું બન્યું હતું કે નિશાળમાં પાટિયા ઉપર શિક્ષકે મચ્છર દોરીને
વિદ્યાર્થીઓને બતાવ્યું હતું. મચ્છર તો નાનો હોય પણ બાળકોને સ્પષ્ટ દેખાય એ માટે
શિક્ષકે ચિત્ર મોટું બનાવ્યું હતું તે બાળકોએ જોયેલું. બાળકોએ મચ્છર નજરે કદી જોયેલ
નહિ. તેથી એક દિવસ ગામમાં હાથી નિકળ્‌યો ત્યાં બાળકોને હાથી જ મચ્છર જેવો
લાગ્યો. શિક્ષકને કહે કે જુઓ! ગુરુજી આ મચ્છર આવ્યો. આ બનેલો દાખલો છે. પોતે
જોઈ વિચારીને નક્કી કર્યા વગરની વસ્તુમાં આમ બને; તેમ અહીં અજ્ઞાની જીવો
નિશ્ચયનું યથાર્થ સ્વરૂપ ઓળખતા નથી તેથી વ્યવહારને જ નિશ્ચય માની લે છે. ભાઈ!
જો તારે તારા આત્માનું હિત કરવું હોય તો, આત્માનું જે સ્વરૂપ છે તેને પહેલાં જાણ!
રુચિમાં લે અને અનુભવ કર! એટલે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ કર તે જ
તારો હિતનો માર્ગ-મોક્ષમાર્ગ છે.
હવે અહીં ૯૬ મી ગાથામાં કહે છે કે સમ્યક્ચારિત્ર-અનુભવમાં પરભાવનો
ત્યાગ હોય છે.
जो णवि जाणइ अप्पु परु णवि परभाउ चएइ ।
सो जाणउ सत्थई सयल ण हु सिवसुक्खु लहेइ ।। ९६।।
નિજ-પરરૂપથી અજ્ઞ જન, જે ન તજે પરભાવ;
જાણે કદી સૌ શાસ્ત્ર પણ, થાય ન શિવપુર રાવ. ૯૬.
અજ્ઞાની જીવ પોતાના અભેદ આત્મસ્વરૂપને જાણતો નથી અને પરભાવ સ્વરૂપ
એવા જે રાગ-દ્વેષ પુણ્ય-પાપ આદિને પોતાના માને છે. પરંતુ આત્માના સ્વભાવથી એ
જુદા સ્વભાવવાળા છે. અહો! દયા-દાન-પૂજા-ભક્તિ આદિના ભાવ પણ પરભાવ છે,
મારો સ્વભાવ નથી. આ વાત કોઈ દિવસ સાંભળી હતી?
શ્રોતાઃ- દયા-દાનાદિ ન કરવાં તો અમારે કરવું શું?
પૂજ્ય ગુરુદેવઃ- શાશ્વત અનંત ગુણનો ગોદામ આત્મા બિરાજમાન છે તેની
ઓળખાણ કરવી એ જ કરવાનું છે.
ત્રિલોકીનાથ પરમાત્મા પોકાર કરે છે કે ભાઈ! તું ત્રિકાળ શુદ્ધ ભગવાન છો
પણ તેં તારી નજરની આળસે કદી હરિ-આત્માને નીરખ્યો નથી. લોકોમાં કહેવત છે ને,
કાંખમાં છોકરું હોય અને કહે કે મારું છોકરું ક્યાં ગયું? અરે! પણ આ રહ્યું. આમ
નજર કરને! એમ ભગવાન કહે છે તું પરમાત્મા છો અને તું ક્યાં ભગવાનને શોધવા
નીકળ્‌યો? તારો ભગવાન તારી પાસે છે. શિખરજી શેત્રુંજય, મંદિર કે પ્રતિમામાં તારો
ભગવાન નથી.
બનારસીદાસજી નાટક સમયસારમાં કહે છે કે “ મેરો ધની નહિ દૂર દેશાંતર,
મોહીમેં હૈ મોહી સુજત નીકે.” અરે! ભગવાન! તારા સ્વરૂપની તને ખબર ન પડે એ
તે કાંઈ વાત છે? અરે! તું તને પ્રત્યક્ષ થા એવો તારામાં ગુણ છે. તું જ્યાં છો ત્યાં
શોધીશ તો જ

Page 213 of 238
PDF/HTML Page 224 of 249
single page version

background image
પરમાત્મા] [૨૧૩
તને તારું સ્વરૂપ પ્રાપ્ત થશે. જ્યાં તું નથી ત્યાંથી કેવી રીતે મળે? પણ આ જીવ એવો
રાંકો થઈ ગયો છે કે તેને આવડું મોટું પોતાનું સ્વરૂપ હશે એવો વિશ્વાસ બેસતો નથી.
જેમ બાળકને પોતાના નિધાનનું ભાન નથી તેમ અજ્ઞાનીને પોતાના અચિંત્ય નિધાનનું
ભાન નથી.
એક તરફ પોતે આત્મા છે અને બીજી તરફ રાગ-દ્વેષ વિકાર આદિ પરભાવ છે
એ બન્નેને જાણે તો, પોતાનો આશ્રય લઈને પરભાવને છોડે. જ્ઞાન તો બન્નેનું કરવાનું
છે પણ પોતાના સ્વભાવને જાણીને ગ્રહણ કરવાનો છે અને પરભાવને જાણીને
છોડવાનો છે.
સ્વ-પરના જ્ઞાન વગર ભલે દરિયા જેટલું શાસ્ત્રનું જ્ઞાન હોય તોપણ ભેદજ્ઞાન
રહિત જીવ મોક્ષ પામતો નથી.
શ્રોતાઃ- શાસ્ત્ર-સ્વાધ્યાયથી નિર્જરા થાય છે એમ તો શાસ્ત્રમાં આવે છે!
પૂજ્ય ગુરુદેવઃ- ‘શાસ્ત્ર-સ્વાધ્યાયથી જ્ઞાનીને અસંખ્યગુણી નિર્જરા થાય છે’
એમ ધવલમાં પાઠ છે. શાસ્ત્રમાં અનેક જગ્યાએ એ વાત આવે પણ તેનો અર્થ એમ
નથી કે શાસ્ત્ર તરફના વિકલ્પથી નિર્જરા થાય છે. જ્ઞાનીને શાસ્ત્ર-સ્વાધ્યાય કરતાં
કરતાં પણ સમયે-સમયે ઘોલન આત્મા તરફનું છે, તેને ઢાળ આત્મામાં છે તેનાથી
નિર્જરા થાય છે. વીતરાગતાથી જ નિર્જરા થાય. વિકલ્પથી કદી નિર્જરા ન થાય.
શાસ્ત્રસ્વાધ્યાયના વિકલ્પથી નિર્જરા થતી હોય તો તો સર્વાર્થસિદ્ધિના દેવો ૩૩ સાગર
સુધી એ જ કરે છે તેને ખૂબ નિર્જરા થવી જોઈએ પણ એમ નથી. તેને તો ગુણસ્થાન
પણ વધતું નથી. ચોથું જ ગુણસ્થાન રહે છે. એ દેવો પણ ઈચ્છે છે કે અમે ક્યારે
મનુષ્ય થઈને અંતરની સ્થિરતા વધારી નિર્જરા કરીએ? દેવપર્યાયમાં તો તેને પુણ્ય ઘણું
છે તેથી જેમ પાણીનો પ્રવાહ હોય ત્યાં ખેતી થતી નથી કેમ કે પ્રવાહમાં બીજ જ અંદર
રહેતું નથી તો ઊગે શી રીતે? તેમ એ દેવોને સમ્યગ્દર્શન હોવા છતાં પુણ્યનો પ્રવાહ
એટલો બધો છે કે તેમાં સ્થિરતાનું બીજ ઊગતું નથી-નિર્જરા થતી નથી. તે જ રીતે
જેમ ખારી જમીનમાં બીજ ઊગતું નથી તેમ નરક પર્યાયમાં-પાપના પ્રવાહમાં નારકીને
કદાચ સમ્યગ્દર્શન હોય તોપણ સ્થિરતાનું બીજ ઊગતું નથી.
જાતિ અંધનો રે દોષ નહિ આકરો, જે નવી જાણે રે અર્થ,
મિથ્યાદ્રષ્ટિ તેથી રે આકરો, કરે અર્થના અનર્થ.
નિશ્ચય-વ્યવહાર, ઉપાદાન-નિમિત્તથી વસ્તુનું જેવું સ્વરૂપ છે તેમ નહિ માનતાં
વિપરીત માનનારો મિથ્યાદ્રષ્ટિ જન્માંધ કરતાં પણ વધુ આકરો છે. વીતરાગની પેઢીએ
બેસીને વીતરાગના નામે જે તત્ત્વ કહે તેની બહુ જવાબદારી છે. વીતરાગનો માર્ગ
સ્વાશ્રયથી જ શરૂ થાય છે તેને બદલે પરાશ્રયથી લાભ માનવો અને કહેવો તેનું ફળ
આકરું છે ભાઈ! તેથી અહીં ૯૬ મી ગાથામાં કહ્યું કે અનેક શાસ્ત્ર જાણવાં છતાં જેણે
અંતરમાં શુદ્ધ-બુદ્ધ અવિકાર ચૈતન્યઘન તે હું અને રાગાદિ વિકાર તે હું નહિ-એવું
ભેદજ્ઞાન જેણે ન કર્યું તે વીતરાગ માર્ગને સમજ્યો જ નથી. તેથી તે શાસ્ત્રને જાણવા
છતાં મુક્તિને પાત્ર થતો નથી.

Page 214 of 238
PDF/HTML Page 225 of 249
single page version

background image
૨૧૪] [હું
[પ્રવચન નં. ૪૧]
વિકલ્પજાળ તજીને નિજ–પરમાત્માનું લક્ષ કર
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૨-૭-૬૬]
શ્રી યોગીન્દ્રદેવકૃત યોગસાર શાસ્ત્ર ચાલે છે. યોગસારનો અર્થ એવો છે કે
આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે તેમાં એકાગ્ર થવાની ક્રિયાને અહીં યોગસાર કહે છે.
અનાદિથી જીવ પુણ્ય-પાપ અને રાગ-દ્વેષમાં જોડાણ કરતો આવ્યો છે તે દુઃખ
છે, સંસાર છે, તેનાથી વિપરીત પોતાના કાયમી-ત્રિકાળી સ્વરૂપમાં એકાકાર થવાની
ક્રિયાને યોગસાર કહે છે અને તેને જ મોક્ષમાર્ગ કહેવાય છે.
હવે અહીં ૯૭ મી ગાથામાં મુનિરાજ અનંત સુખ અથવા પરમ સમાધિ સુખનું
સાધન બતાવે છે.
वज्जिय सयल वियप्पई परम–समाहि लहंति ।
जं वंदहिं साणंदु क वि सो सिव–सुक्ख भणंति ।। ९७।।
તજી કલ્પના જાળ સૌ, પરમ સમાધિલીન,
વેદે જે આનંદને, શિવસુખ કહેતા જિન.
૯૭.
જુઓ! અહીં સર્વ વિકલ્પને છોડવાની વાત કરી છે. આત્મા પોતાના આનંદ,
જ્ઞાનાદિ અનંત શુદ્ધ સ્વભાવથી કદી રહિત થતો નથી, છતાં અનાદિથી એની દશામાં
રાગના વિકલ્પો-પુણ્ય-પાપની વાસના છે તેને છોડવાની વાત છે. સ્વભાવથી આત્મા
કદી ખાલી થયો નથી તે હકીકત છે; પણ દશામાં અનાદિથી શુદ્ધ છે એમ નથી. શુદ્ધ જ
હોય તો તો શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવાનો રહેતો જ નથી, પણ પોતે જ પોતાના
સ્વભાવને ભૂલીને પર તરફ લક્ષ કરીને અનેક પ્રકારના શુભાશુભ ભાવોની દુઃખરૂપ
દશા પોતે ઊભી કરે છે.
જેને પોતાના આત્માની દયા આવે છે કે અરે! હું અનંતકાળથી રખડી રહ્યો છું.
હવે તો મારે મારું હિત કરવું છે-એમ જેને અંદરથી ભાવના જાગે તેને એમ થાય કે હું
તો એક આત્મા છું, મારે આ ચાર ગતિના પરિભ્રમણ કેવા? આ સંસાર તો અનંત
દુઃખમય છે, તેમાં રહેવું મને શોભતું નથી. આવી જેને ભાવના જાગી છે તેને મુનિરાજ
કહે છે તું પહેલાં શુભાશુભ વિકલ્પ જાળનું લક્ષ છોડી દે અને અનંત આનંદ, શાંતિ
અને સમાધિથી ભરપૂર નિજ વસ્તુસ્વભાવનું લક્ષ કર! તેનો વિશ્વાસ કર! તેનું
સમ્યગ્દર્શન પ્રગટ કર!
જે અનાદિથી વિકારમાં જ એકત્વ અને સુખ માનતો હતો તેણે હવે ગુલાંટ મારી
અને મારા સ્વભાવમાં જ શાંતિ, આનંદ અને સુખ છે એમ જેણે નક્કી કર્યું તેને એમ
લાગે છે કે મારા સ્વભાવના સ્વાદ પાસે વિકારનો સ્વાદ ફીક્કો છે. આમ સ્વભાવની
દ્રષ્ટિ થતાં જે જીવ વિકલ્પને છોડીને સ્વભાવમાં સ્થિર થાય છે તે પરમ સમાધિ અને
શાંતિ પ્રાપ્ત કરે છે.

Page 215 of 238
PDF/HTML Page 226 of 249
single page version

background image
પરમાત્મા] [૨૧પ
વસ્તુનો સ્વભાવ સદા નિર્દોષ હોય. સદોષતા તો પર્યાયમાં હોય. સ્વભાવ તો
નિર્દોષ કહો, સમાધિ સ્વરૂપ કહો કે વીતરાગ સમરસ સ્વરૂપ કહો, તેવા સ્વભાવનો
અનુભવ કરવાથી જીવ આત્માના આનંદને પ્રાપ્ત કરે છે.
અહીં તો ભાઈ! રોકડિયો ધંધો છે. જે કાળે સ્વભાવની દ્રષ્ટિ કરે તે જ કાળે
સ્વભાવનો અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થાય છે અને સ્વભાવથી વિપરીત પરદ્રવ્ય તરફ લક્ષ
કરે છે તેને વિકારના દુઃખનું વેદન થાય છે. પછી કર્મ બંધાય અને તેનું ફળ મળે એ
તો બધી બહારના સંયોગની વાત છે. સમયસારની ૧૦૨ ગાથામાં આવે છે કે ‘જે
સમયે કર્તા તે જ સમયે જીવ ભોક્તા છે.’
શ્રોતાઃ- આપ કહો છો કે જીવના ભાવનું ફળ રોકડિયું છે પણ અમે તો જોઈએ
છીએ કે લોકો ભજિયાં, પતરવેલિયાં, લાડવાં ખાતાં હોય અને લ્હેર કરતાં હોય છે, તે
ભાવ તો અશુભ છે તો તેને દુઃખ કેમ થતું નથી?
પૂજ્ય ગુરુદેવઃ- અરે! એ લ્હેર કરતાં ભલે દેખાય પણ એ દુઃખ જ છે, પણ
તેનું તેને ભાન નથી. જેટલું પરલક્ષ છે તેટલું દુઃખ જ છે. એ દુઃખદાવાનળની
વિકલ્પજાળને છોડીને સ્વભાવનું લક્ષ કરે તેને જ સમરસ અને શાંતિ છે, સુખ છે, તેને
જ ધર્મ પ્રગટ થયો કહેવાય. કહ્યું છે કે...
ભટકંત દ્વાર દ્વાર લોકન કે કુકર આશા ધારી,
આતમ અનુભવ રસકે રસિયા ઊતરે ન કબહૂ ખુમારી,
આશા ઔરનકી ક્યા કીજે? જ્ઞાન સુધારસ પીજે...
કૂતરો બટકું રોટલાં માટે ઘેર ઘેર ભટકે છે તેમ આ અજ્ઞાની મને કાંઈક સુખ
આપોને! એમ કરી બાયડી, છોકરા, ધન આદિ પાસે કૂતરાની જેમ ભટકે છે, તેને કહે
છે ભાઈ! તું જ્ઞાનરસનો પિંડ છો, આનંદનો સાગર છો તેનો તું સ્વાદ લે, જ્ઞાનરસ પી!
અરે! અજ્ઞાની જીવ સવારમાં હાથમાં દાંતિયો લઈને માથું ઓળતો હોય અને
અરીસો સામે રાખીને જોતો જાય. જાણે આ શરીર સારું લાગે તો મને સુખ થાય. કોઈ
મને સારો કહીને માન દે તો મને સુખ થાય. આહાહા!...ભગવાન તું ક્યાં ભટક્યો?
સુધારસનો સાગર તો તું પોતે છો! તેમાં ડૂબકી મારવી છોડીને, આ તું ક્યાં ડૂબ્યો?
અહીં કહે છે કે પ્રભુ! એક વાર તો તું ગુલાંટ માર! આ બધાં વિકલ્પો છોડી
સ્વભાવની દ્રષ્ટિ કર તો તને અતીન્દ્રિય આનંદ આવશે. અહો! સમાધિના પિંડ થઈ
ગયેલા એવા વીતરાગ ત્રિલોકનાથની વાણીમાં આવેલી આ વાતો છે. એ જ મુનિ કહે
છે. આ કાંઈ કોઈના ઘરની વાત નથી.
ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.
શ્રીમદ્ની છેલ્લી કડી છે. મોહ વિકલ્પથી આ સંસાર ઊભો થયો છે. અંતરદ્રષ્ટિ
કરતાં જ એ મોહનો નાશ થાય છે. શુભાશુભભાવો તારા સ્વભાવમાં નથી તેથી
સ્વભાવદ્રષ્ટિ કરતાં તેનો નાશ થયા વગર નહિ રહે.

Page 216 of 238
PDF/HTML Page 227 of 249
single page version

background image
૨૧૬] [હું
આત્મા આનંદનું ધોકડું છે. શુભાશુભ વિકલ્પનો નાશ કરી સ્વભાવમાં લીન થતાં
તે ધોકડામાંથી આનંદનો નમૂનો તને મળશે તેના ઉપરથી તને મોક્ષના પૂર્ણ સુખનો
ખ્યાલ આવશે.
આ તો યોગસાર છે ને! સારમાં સાર વાત આમાં મૂકી છે. સુખી આત્મા જ
પૂર્ણ સુખનું કારણ થાય છે. દુઃખી આત્મા સુખનું કારણ ન થાય તેથી બહુ પરીષહ
સહન કરવાથી નિર્જરા થાય એ વાત રહેતી નથી. પરીષહ સહન કર્યો તેમાં તો તને
દુઃખ અને આકુળતા થઈ, તેનાથી નિર્જરા શી રીતે થાય? સુખી આત્મા જ પૂર્ણ સુખને
સાધી શકે છે. સુખસ્વભાવી તો આત્મા ત્રિકાળ છે પણ તેની દ્રષ્ટિ-જ્ઞાન અને રમણતા
કરતાં જે સુખદશા પ્રગટ થાય છે તે પૂર્ણ સુખને સાધે છે.
છઢાળામાં આવે છે કે “આતમહિત હેતુ વિરાગ જ્ઞાન, તે લખે આપકો
કષ્ટદાન.” જે ચારિત્રને કષ્ટદાયક સમજે છે, વેળુના કોળિયા ચાવવા જેવું કઠણ સમજે
છે, તેને ચારિત્રનું સ્વરૂપ સમજાણું જ નથી. ભાઈ! ચારિત્ર તો આનંદદાતા છે તેને તું
દુઃખદાતા કલ્પે છે તો તું ચારિત્રનું સ્વરૂપ સમજ્યો જ નથી.
પ્રભુ! તારી પ્રભુતા તો તારી પાસે છે ને ભાઈ! એ પ્રભુતામાં આનંદની પ્રભુતા
પણ તારી પાસે છે. તારે દુઃખદશાથી છૂટી સુખદશા પ્રગટ કરવી હોય તો સમ્યગ્દર્શન-
જ્ઞાન-ચારિત્ર પ્રગટ કર!
આત્મિક સુખ પ્રાપ્ત કરવાનો એક જ ઉપાય છે કે પોતાના સુખસ્વભાવી આત્મામાં
નિર્વિકલ્પ સમાધિ પ્રગટ કરવી. પ્રથમ ગાઢ શ્રદ્ધા કરે કે ‘હું જ સિદ્ધ સમાન શુદ્ધ છું.’ આ
શ્રદ્ધા એવી હોય કે પછી ઇન્દ્ર નરેન્દ્ર કોઈ આવે અને ફેરવે તો શ્રદ્ધા ન ફરે.
મારો ભગવાન કદી મારા મહિમાવંત સ્વભાવથી ખાલી નથી. અનંત જ્ઞાન,
અનંત દર્શન, અનંત વીર્ય, પ્રભુતા, સ્વચ્છતા આદિ અનંતગુણોની અનંતતાથી ભરેલો હું
મહિમાવંત પદાર્થ છું.-આવો દ્રઢ વિશ્વાસ આવ્યા વિના તેમાં ઠરી શકાતું નથી. દ્રઢ
વિશ્વાસ આવે તે જ તેમાં ઠરી શકે છે. જેટલો તેમાં ઠરે તેટલો આનંદ પ્રગટ થાય છે.
પ્રથમ તો સ્વભાવની રુચિ ક્યારે થાય?-કે તે સ્વભાવ જ્યારે તેના જ્ઞાનમાં
ભાસે ત્યારે આત્માની રુચિ થાય. જ્ઞાનદશામાં સ્વભાવનો ભાવ ભાસે ત્યારે જ વિશ્વાસ
આવે અને ત્યારે જ આમાં ઠરવાથી મારું કલ્યાણ થશે એમ નક્કી થાય. વસ્તુ સ્વરૂપ
જેવું છે તેવું ભાવમાં ભાસન થયા વગર એટલે જ્ઞાનમાં ભાસ્યા વગર ક્યાંથી આવે?
માટે પહેલાં ભાવભાસન થવું જોઈએ.
જ્ઞાનસ્વભાવ એટલે સર્વજ્ઞસ્વભાવ. સર્વજ્ઞભગવાને આ સ્વભાવ પર્યાયમાં પ્રગટ કરી
દીધો છે અને મારે પર્યાયમાં તે પ્રગટ થયો નથી પણ સ્વભાવે તો હું પણ સર્વજ્ઞસ્વભાવી
છું એમ અંતરથી ભાવભાસન થાય ત્યારે સાચી શ્રદ્ધા થાય છે અને સાચી શ્રદ્ધા થાય ત્યારે
જ સાચું ચારિત્ર પ્રગટ થાય છે. એ વગરનું ચારિત્ર પણ સાચું હોતું નથી.
સમકિતીને સ્વાનુભવની કળા આવડી જાય છે. એકવાર જેણે ભગવાન
આત્મામાં જવાની કેડી જોઈ લીધી તે ફરી ફરી જોયેલાં માર્ગે જઈને સ્વભાવમાં રમણતા
કરે છે. ગૃહસ્થાશ્રમમાં

Page 217 of 238
PDF/HTML Page 228 of 249
single page version

background image
પરમાત્મા] [૨૧૭
સમકિતીને મુનિ જેટલો સમય ન મળે તોપણ થોડો વખત તો ધર્મી અનુભવની ધારાના
માર્ગે જવાનો સમય કાઢીને સામાયિકનો અભ્યાસ કરે છે.
જેણે આત્માનો વાસ્તવિક આનંદ ચાખ્યો હોય તે રાગનો સ્વાદ આકુળતા-
સ્વરૂપ છે એમ મીંઢવણી કરી શકે; પણ જેણે આનંદનો સ્વાદ જ ચાખ્યો નથી એવો
અજ્ઞાની રાગ આકુળતાસ્વરૂપ છે એમ મીંઢવણી-મેળવણી કરી શકતા નથી. તેથી
આકુળતાને જ એટલે કે રાગને જ પોતાનું સ્વરૂપ માને છે.
દિગંબર સંતોએ બહું ટૂંકામાં ઘણો માલ ભરી દીધો છે, ચારિત્ર દ્વારા મૂળ સત્તાને
અનુભવીને લખે છે ને! શાશ્વત માર્ગને જાતે અનુભવીને તેની વાત મુનિરાજ લખે છે.
અહીં યોગીન્દ્રદેવે તત્ત્વાનુશાસનના શ્લોકનો આધાર આપ્યો છે કે જેને આત્માના
ધર્મધ્યાનમાં આનંદનો અનુભવ થયો નથી તે મૂર્ચ્છાવાન અને મોહી છે, કયાંક મૂર્ચ્છાઈ
ગયો છે, તેથી આત્માનો આનંદ આવતો નથી.
જેમ ઘરમાં પદ્મણી જેવી સ્ત્રી હોય પણ તેમાં મન ન લાગતું હોય તો તે સમજી
જાય છે કે આનું મન બીજે ક્યાંક છે, અહીં મન જામતું નથી-એમ ઓળખી લે છે. તેમ
અહીં કહે છે કે પરમાત્મા આનંદની મૂર્તિ છે તેનું ધ્યાન કરે છે પણ આનંદ નથી
આવતો તો સમજી લેવું કે તે કયાંક મૂર્ચ્છાઈ ગયો છે. ક્યાંક પુણ્ય-પાપના પ્રેમમાં
મૂર્ચ્છાઈ ગયો છે. જો ન મૂર્ચ્છાયો હોય તો ધ્યાન કરે અને આનંદ કેમ ન આવે? આવે
જ. જે આત્માનું દર્શન, જ્ઞાન અને રમણતા કરે છે, એકાગ્રતા કરે છે, તેને વચનગોચર
એવો આત્મિક આનંદ આવે જ છે.
આહાહા...! પોતાના ઘરની ચીજ પોતે લે ત્યારે થાય તેવું છે, કોઈ આપી દે તેમ નથી.
હવે કહે છે કે આત્મધ્યાન પરમાત્માનું કારણ છે.
जो पिंडत्थु पयत्थु बुह रूवत्थु वि जिण–उत्तु ।
रूवातीतु मुणेहि लहु जिम परु होहि पवित्तु ।। ९८।।
જે પિંડસ્થ, પદસ્થ ને રૂપસ્થ, રૂપાતીત;
જાણી ધ્યાન જિનોક્ત એ, શીઘ્ર બનો સુપવિત્ર. ૯૮.
અહીં કહે છે કે હે પંડિત! વીતરાગ ભગવાને આ ચાર પ્રકારના ધ્યાન કહ્યાં છેઃ-
(૧) પિંડસ્થ એટલે શરીરમાં રહેલા આત્માનું ધ્યાન કરવું તે, (૨) પદસ્થ
એટલે પાંચ પદમાં રહેલાં પંચપરમેષ્ઠીનો વિચાર કરીને અંતરમાં ધ્યાન કરવું, (૩)
રૂપસ્થ એટલે અરિહંત પરમાત્માનું ધ્યાન કરવું તે અને (૪) રૂપાતીત એટલે રૂપથી
રહિત સિદ્ધ ભગવાનનો વિચાર કરી અંતરમાં જવું તે. આ ચાર પ્રકારના ધ્યાન દ્વારા
સ્વરૂપમાં એકાગ્ર થતાં જીવ અલ્પકાળમાં સિદ્ધ થઈ જાય છે. પરમાત્મપદને પ્રાપ્ત
કરવાની આ કળા છે.
તત્ત્વાનુશાસનમાં કહ્યું છે કે જે ભાવથી, જે રૂપથી આત્મજ્ઞાની આત્માને ધ્યાવે છે તેમાં

Page 218 of 238
PDF/HTML Page 229 of 249
single page version

background image
૨૧૮] [હું
તે તન્મય થઈ જાય છે, ભગવાન આત્મા આનંદસ્વરૂપ અને પૂરણજ્ઞાન સ્વરૂપ એવા
ભાવથી ને એવા સ્વરૂપથી તેનું ધ્યાન કરે છે તો તે દશા તે ભાવમાં તન્મય થઈ જાય
છે. ભગવાન આત્મા પૂરણ શુદ્ધ આનંદસ્વરૂપ છે અને જ્ઞાનની મૂર્તિ છે એવા ભાવથી
ને એવા રૂપથી જે આત્માને ધ્યાવે છે ત્યારે તે વર્તમાનદશા ત્રિકાળભાવ સાથે તન્મય
થઈ જાય છે.
* કોઈ અતિ નિંદ્રાવશ મનુષ્યને તેના મર્મસ્થાન
ઉપર મુદગરની ચોટ મારે, અથવા અગ્નિના આતાપથી
દેહને જરા ઉષ્ણતા લાગે, અથવા ક્યાંય વાજિંત્રોના અવાજ
સાંભળે તો તે તુરત જાગૃત થઈ જાય છે. પરંતુ અવિવેકી
જીવને તો પાપ કર્મફળના ઉપરા ઉપરી ઉદયરૂપ મુદગરના
માર મર્મસ્થાન ઉપર પડયા કરે છે. મહાદુઃખરૂપ ત્રિવિધ
તાપથી તેનો દેહ નિરંતર બળી આજ આ મર્યો, કાલ આ મર્યો,
ફલાણો આમ મર્યો અને ફલાણો તેમ મર્યો, એવા
યમરાજના વાજિંત્રોના ભયંકર શબ્દો વારંવાર સાંભળે છે,
છતાં એ મહા અકલ્યાણકારક અનાદિ મોહનિંદ્રાને જરાય
વેગળી કરી શક્તો નથી, એ પરમ આશ્ચર્ય છે.
(શ્રી આત્માનુશાસન)

Page 219 of 238
PDF/HTML Page 230 of 249
single page version

background image
પરમાત્મા] [૨૧૯
[પ્રવચન નં. ૪૨]
જ્ઞાનમય સર્વ આત્માને પરમાત્મપણે દેખ
[શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૩-૭-૬૬]
આ શ્રી યોગસાર શાસ્ત્ર ચાલે છે. તેમાં હવે ૯૯મી ગાથામાં યોગીન્દ્રદેવ ચારિત્ર
એટલે સમભાવ કોને કહેવાય. કોને હોય અને કેમ હોય તે વાત કરે છે.
सव्वे जीवा णाणमया जो सम–भाव मुणेइ ।
सो सामइउ जाणि फुडु जिणवर एम भणेइ ।। ९९।।
સર્વ જીવ છે જ્ઞાનમય, એવો જે સમભાવ;
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાય.
૯૯.
શ્રીમદ્ કહે છે ને કે ‘સર્વ જીવ છે સિદ્ધ સમ.’ એ જ વાત અહીં યોગીન્દ્રદેવ કહે
છે કે ‘સર્વ જીવ છે જ્ઞાનમય.’ સર્વ જીવો જ્ઞાનમય છે એમ પોતાનો આત્મા પણ
જ્ઞાનમય છે એમ જોતાં સમભાવ પ્રગટ થાય છે.
પોતે જ્ઞાનમય છે એમ જોતાં વીતરાગતા પ્રગટ થાય છે અને બીજા સર્વ જીવો
જ્ઞાનમય છે એમ જોતાં આ ઠીક છે અને આ અઠીક છે એવી બુદ્ધિ રહેતી નથી. સર્વ
જીવને જ્ઞાનમય ન દેખતાં કર્મના વશે તેની થયેલી વિવિધ પર્યાયને દેખીને ઠીક-અઠીક
બુદ્ધિ કરતો હતો તેનો અભાવ થાય છે. જ્ઞાનાવરણીને આધીન જ્ઞાનનું ઓછા-વધતાપણું
હોય, દર્શનાવરણીને આધીન દર્શનનો ક્ષયોપશમ ઓછો-વધારે હોય, મોહનીયને આધીન
મિથ્યાભ્રાંતિ અને રાગાદિ હોય અને અંતરાયને આધીન થતાં પોતાને વિકાર આદિ
દેખાય, આયુષ્ય કર્મને આધીન દીર્ઘ કે થોડું આયુષ્ય હોય, નામકર્મને આધીન સુડોળ કે
બેડોળ શરીર દેખાય, ગોત્ર કર્મને આધીન ઊંચ-નીચ દશા દેખાય પણ તે તો બધી
પર્યાય છે. વેદનીયને આધીન શાતા-અશાતાનો ઉદય દેખાય પણ તે તો બધો સંયોગ
છે, તે માત્ર જાણવા લાયક છે.
નિજ આત્મા અને પર સર્વ આત્માને માત્ર જ્ઞાતા-દ્રષ્ટા-જ્ઞાનમય જોતાં પર્યાયના
ફેરફાર અને સંયોગના ફેરફાર તો માત્ર જાણવા લાયક દેખાય છે. કોઈમાં ઠીક-અઠીક
બુદ્ધિ થતી નથી, આ શેઠ છે અને આ ગરીબ છે એમ જોયું તે તો વેદનીય કર્મને
આધીન મળેલાં સંયોગોને જોવાની વાત છે, એવી સંયોગ આધીન દ્રષ્ટિ ન કરતાં
સ્વભાવદ્રષ્ટિથી બધાને જ્ઞાનમય જોનારા જ્ઞાનીને આ ઠીક છે અને આ અઠીક છે-એવા
રાગ-દ્વેષ થતાં નથી.
આહાહા...! ‘સર્વ જીવ છે જ્ઞાનમય’ એમાં આચાર્યદેવે કેટલું ભરી દીધું છે!
ભાવ હો કે અભાવ હો પણ નિશ્ચયથી પરમ સત્ પ્રભુ જ્ઞાનમય છે. તેમાં ઓછા-
વધતાંપણાની પણ વાત નથી. સર્વ જીવ જ્ઞાનમય છે તેમ હું પણ જ્ઞાનમય ચૈતન્યબિંબ
સ્વરૂપ છું એવી દ્રષ્ટિ

Page 220 of 238
PDF/HTML Page 231 of 249
single page version

background image
૨૨૦] [હું
થતાં તેને અંતરના આશ્રયમાં વીતરાગતાની જ ઉત્પત્તિ થાય, તેને જ સામાયિક અને
સમભાવ કહેવામાં આવે છે.
સ્વરૂપે તો દરેક જીવ ‘જ્ઞાનમય’ કહેતાં સમભાવ સ્વરૂપ જ છે પણ તેની અંદર
નજર પડતાં સમભાવ પર્યાયમાં પ્રગટ થાય છે.
સમયસારમાં પણ ૧૧મી ગાથામાં કુંદકુંદાચાર્ય કહે છે કે ભૂતાર્થ એટલે જ્ઞાનમય
આત્માના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને તેના જ આશ્રયે સમભાવ-ચારિત્ર
પ્રગટ થાય છે. જ્ઞાનમય વસ્તુ અર્થાત્ વીતરાગતામય અર્થાત્ નિર્વિકલ્પ
સમરસીસ્વભાવ-એકરૂપ સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય, સમ્યગ્જ્ઞાન થાય,
સમ્યક્ચારિત્ર થાય, શુક્લધ્યાન થાય અને કેવળજ્ઞાન પણ તેના જ આશ્રયે થાય છે.
સમયસારમાં બધાં શાસ્ત્રોનાં બીજડાં પડયાં છે.
પોતાના આત્મામાં અને બીજા અનંતા આત્મામાં કર્મના વશે જે પર્યાયમાં
વિષમતા-વિવિધતા થાય છે તે કાંઈ વસ્તુનું મૂળ સ્વરૂપ નથી. વસ્તુસ્વરૂપે તો બધા
જ્ઞાનમય છે એમ જોતાં આ ઠીક છે કે આ અઠીક છે એવી વૃત્તિ જ ઊભી થતી નથી.
વ્યવહાર અને પર્યાયદ્રષ્ટિથી જોવાની આંખ બંધ કરીને વસ્તુના કાયમી અસલી
સ્વભાવની દ્રષ્ટિથી જુએ તો પોતાને પણ જ્ઞાનમય જુએ અને બધા પર જીવોને પણ એ
સમભાવથી ભરેલાં ભગવાન જ જુએ.
શ્રી યોગીન્દ્રદેવ આ સામાયિક અર્થાત્ સમભાવની વ્યાખ્યા કરે છે અને
ભગવાનનો આધાર આપે છે કે જિનવરદેવ આમ કહે છે.
જીવ કર્તા થઈને પોતાના પુરુષાર્થથી પોતાને અને બધા જીવોને ‘જ્ઞાનમય’
જોવાની સમભાવદ્રષ્ટિ પ્રગટ કરે છે. કર્મને વશ થતાં જીવને અનેક વિષમ પર્યાયો થવા
છતાં, તેને દેખવાં છતાં દ્રવ્ય-દ્રષ્ટિએ બધા આત્મા જ્ઞાનમય ભગવાન છે એમ પોતાના
પુરુષાર્થથી સમભાવની દ્રષ્ટિએ જોતાં પર્યાયમાં સમભાવ પ્રગટ થાય છે.
સામાયિકની વ્યાખ્યા કરતાં આમાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને વીતરાગભાવ
ત્રણેયની વ્યાખ્યા આવી જાય છે.
જ્ઞાન સિવાયના બીજા ગુણો પોતાનું અસ્તિત્વ ધરાવે છે પણ પોતાને કે બીજા
ગુણોને જાણતા નથી તેથી તેને નિર્વિકલ્પ કહેવાય છે અને જ્ઞાન પોતાને તો જાણે પણ
બીજા અનંત ગુણોને પણ જાણે છે. તેથી તેને સવિકલ્પ અને સાકાર પણ કહેવાય છે.
આ જ્ઞાન તે આત્માનો અસાધારણ ગુણ છે તેને પરમભાવ-ગ્રાહકનય પણ કહેવાય છે.
‘જ્ઞાનમય’ આત્માની દ્રષ્ટિ કરતાં આત્મા જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાય છે તેથી ‘જ્ઞાનમય’
આત્માનો નિર્ણય કરતાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમભાવની ઉત્પત્તિ થાય છે.
જ્ઞાનને સવિકલ્પ કહ્યું તેનો અર્થ સ્વ-પરને જાણે તે સવિકલ્પ એમ છે. સવિકલ્પ
કહેતાં તેમાં રાગ છે એમ નથી. સ્વ-પરને ન જાણે તે નિર્વિકલ્પ અને સ્વ-પરને જાણે
તે સવિકલ્પ એવો અહીં અર્થ લેવો. આ દ્રષ્ટિએ જ ભગવાનના કેવળજ્ઞાનને પણ
સવિકલ્પ કહેવાય છે.

Page 221 of 238
PDF/HTML Page 232 of 249
single page version

background image
પરમાત્મા] [૨૨૧
ભગવાન સર્વજ્ઞ છે. તેથી સર્વને જાણે છે તો સર્વમાં પરદ્રવ્યને જાણવું એ કાંઈ
વિકલ્પ નથી. એ તો જ્ઞાનની વીતરાગી દશા છે. સર્વને જાણે છે માટે વ્યવહાર થઈ
ગયો કે રાગ થઈ ગયો એમ નથી. આત્મજ્ઞાનમય સર્વજ્ઞત્વશક્તિ છે. આત્મ- જ્ઞાનમય
થઈને પરને જાણે છે તેમાં પરની અપેક્ષા નથી તેથી સર્વને જાણતાં રાગ થાય કે
વિકલ્પ થાય કે ઉપચાર આવે છે એમ વાત જ નથી. સ્વ અને પરનું પૂરું જાણવું-દેખવું
થાય એવી જ સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વ શક્તિ છે.
નિશ્ચયથી હું જ્ઞાનમય છું અને પરજીવો પણ જ્ઞાનમય છે એમ જોતાં સમભાવ
પ્રગટ થાય છે. પરદ્રવ્યની કે રાગની અપેક્ષા વિના સ્વના સામર્થ્યથી જે આ જ્ઞાન થાય
છે તે સમભાવ છે. સમભાવ છે તેને જ ખરી સામાયિક હોય છે.
આઠ કર્મોને વશ થતાં જીવની જ્ઞાન આદિની જે હીનાધિક અવસ્થા થાય છે તે
તો પર્યાયદ્રષ્ટિનો વિષય છે. તેને અહીં નિશ્ચયદ્રષ્ટિમાં ગૌણ કરી છે. ભેદ, રાગ અને
અલ્પતાના વ્યવહારનો અભાવ કરીને નહિ પણ તેને ગૌણ કરીને અભેદ એકરૂપ જ્ઞાન
આનંદમય સ્વભાવને મુખ્ય કરીને દ્રષ્ટિ કરતાં પર્યાયમાં સમભાવ પ્રગટ થાય છે.
મારો સ્વભાવ તો જ્ઞાનમય, આનંદમય આદિ સ્વભાવમય છે એમ જાણીને જે
આત્મસ્થ થાય છે તેને સમભાવ પ્રાપ્ત થાય છે. તે જીવ આત્માનુભવમાં આવી જાય છે
ત્યારે જ પરમ નિર્જરાના કારણરૂપ સામાયિક ચારિત્રનો પ્રકાશ થાય છે.
ઘણાએ ઘણી સામાયિક કરી હશે પણ આ તો કોઈ જુદી જ જાતની સામાયિકની
વાત છે. આ એક સમયની સામાયિક ભવના અભાવનું ફળ લાવે છે.
સ્વભાવ અને સ્વભાવવાનની અભેદતા જેણે દ્રષ્ટિમાં લીધી, જ્ઞાનમાં જાણી અને
તેમાં ઠર્યો તેને ભવ હોય જ નહિ કારણ કે જ્ઞાનમાત્ર વસ્તુમાં ભવ અને ભવનો ભાવ
જ નથી.
આ તો ભાઈ! આચાર્યોના શબ્દો છે. તેમાં ઘણી ગૂઢ ગંભીરતા ભરી છે. એક
એક શબ્દમાં ઘણાં ઊંડા ભાવો ભર્યા છે.
પોતાના સ્વભાવના સામર્થ્યથી પરને પણ જ્ઞાનમય જોતાં તેની પર્યાયમાં
સમભાવ પ્રગટ થાય છે જે નિર્જરાનું કારણ છે.
આહાહા...દ્રવ્યમાં ભવ કેવા? ગુણમાં ભવ કેવા? અને જે પર્યાયે એ દ્રવ્ય-ગુણનો
નિર્ણય કર્યો તેમાં પણ ભવ કેવો? ભગવાન આત્માનો સ્વભાવ ભવના અભાવસ્વરૂપ
જ છે તેથી તેના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયમાં ભવ ન હોય. દ્રવ્યમાં ભવનો અભાવભાવ,
ગુણમાં પણ ભવનો અભાવભાવ અને તેના આશ્રયે પ્રગટેલી સમભાવની પર્યાયમાં પણ
ભવનો અભાવભાવ છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે એમ ભગવાને કહ્યું છે.
વિકલ્પ રહિત ભાવમાં રહેવું તે જ સામાયિક છે, તે જ મુનિપદ છે અને તે જ
રત્નત્રયની એકતારૂપ મોક્ષમાર્ગ છે. તેમાં વચ્ચે નબળાઈના રાગાદિ વિકલ્પ હોય; ન
હોય એમ નથી, પણ તે કાંઈ જીવનું કાયમી સ્વરૂપ નથી. પર તરફના ઝુકાવવાળા
રાગાદિભાવ પર્યાયદ્રષ્ટિનો

Page 222 of 238
PDF/HTML Page 233 of 249
single page version

background image
૨૨૨] [હું
વિષય છે, માત્ર જાણવા લાયક છે, આદરવા લાયક નથી. આદરણીય તો એક ભવના
અભાવસ્વરૂપ નિજ જ્ઞાનસ્વભાવ જ છે.
અહો! મુનિઓની શી વાત કરવી? એક વિકલ્પ આવ્યો શાસ્ત્ર રચવાનો, તેમાં
થોડામાં કેટલું ભરી દીધું છે! પણ કહે છે કે વાણી લખવાની ક્રિયા એ તો જડની છે,
લખવાનો વિકલ્પ ઉઠયો તે પણ મારો સ્વભાવ નથી. તે તો પર્યાયદ્રષ્ટિનો વિષય છે.
નિશ્ચયથી તો હું પણ જ્ઞાનમય છું અને બધા આત્માઓ પણ જ્ઞાનમય છે. આખો લોક
જ્ઞાનમય પરમાત્માથી ભરેલો છે. બધાની સત્તા જુદી જુદી છે, સિદ્ધની પણ દરેક ની
સત્તા અલગ-અલગ છે. કેમ કે મોક્ષ થાય ત્યાં સત્તાનો અભાવ થતો નથી. વિકારનો
અભાવ થાય છે, તેથી મોક્ષમાં જ્યોતમાં જ્યોત ભળી જાય છે એ અન્યમતિની વાત
જૂઠી છે. દરેક સિદ્ધ જીવની સત્તા જુદી-જુદી છે. એક ક્ષેત્રમાં રહેવા છતાં અનંત સિદ્ધોની
સત્તા ન્યારી-ન્યારી છે. દરેકનો અસ્તિત્વગુણ જ એવો છે કે જેને લઈને દરેકનું
અનાદિ-અનંત સ્વતંત્ર અસ્તિત્વ ટકી રહે છે, કોઈમાં કોઈનું અસ્તિત્વ ભળી જતું નથી.
આગળ ત્રણ પ્રશ્ન કર્યા હતાં કે સામાયિક કેવી હોય, કોને હોય અને કેમ હોય?
તો કહે છે કે આ ઉપર કહી તેવી સ્વભાવની દ્રષ્ટિપૂર્વકની સામાયિક હોય, કોને હોય-કે
જે સર્વને જ્ઞાનમય દેખે તેને હોય અને કેમ હોય? કે સ્વભાવનો આશ્રય કરવાથી હોય.
જે પોતાના રાગ અને ભેદને ગૌણ કરીને સ્વભાવને જુએ છે તે બીજાને પણ
તેના રાગ અને ભેદને ગૌણ કરીને જ્ઞાનમય સ્વભાવને જુએ છે તેને જ સમભાવ પ્રગટ
થાય છે અને વિષમદ્રષ્ટિ છૂટી જાય છે. આ પરમાત્મા છે માટે રાગ કરવો કે આ
જૈનદર્શનનો વિરોધી છે માટે દ્વેષ કરવો એ વાત જ આ સ્વભાવદ્રષ્ટિમાં નથી.
યોગીન્દ્રદેવ અમૃતાશિતિનો આધાર આપે છે કે ‘જ્ઞાની શુદ્ધ, પૂર્ણ, નિર્વિકલ્પ,
નિરંજન નિર્મોહ નિજ આત્મસમાધિમાં સુખામૃત લક્ષણ ગિરિગૂફામાં સ્થિત થાય છે.’
નિજ આત્માની દ્રષ્ટિ કરીને સ્થિર થાય તે ગિરિગૂફા છે, બાકી બહારથી ગિરિગૂફામાં
જઈને બેસે તેથી શું?
આચાર્યદેવની કેટલી કરુણાદ્રષ્ટિ છે કે શિષ્યને ‘મિત્ર’ કહીને બોલાવે છે. હે
મિત્ર! સામ્યભાવની ગિરિગૂફામાં બેસીને, નિર્દોષ પદમાં સમાધિ બાંધીને પોતાના એક
આત્મામાં તું તારા પરમાત્મપદને ધ્યાવ! જેથી તું સાચા સુખનો અનુભવ કરી શકીશ.
હવે ૧૦૦મી ગાથામાં પણ મુનિરાજ સામાયિકની જ વાત કરે છે.
राय–रोस बे परिहरिवि जो समभाउ मुणेइ ।
सो सामाइउ जाणि फुडु केवलि एम भणेइ ।। १००।।
રાગ-દ્વેષ બે ત્યાગીને, ધારે સમતાભાવ;
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાવ.
૧૦૦.
જે કોઈ જીવ રાગ-દ્વેષને ત્યાગીને એટલે એકરૂપ શુદ્ધ આત્માની દ્રષ્ટિપૂર્વક વિષમતાને
ત્યાગીને સમતાભાવને ધારે છે તેને પ્રગટપણે સામાયિક છે એમ જિનવરદેવ કહે છે.

Page 223 of 238
PDF/HTML Page 234 of 249
single page version

background image
પરમાત્મા] [૨૨૩
પોતાને ન્યાલ કરવાનો ઉપાય પોતામાં જ છે. ક્યાંય બહાર નથી. પણ બહારની
ચીજના માહાત્મ્ય આડે આત્મા તો કોઈ જાણે વસ્તુ જ નથી એમ અજ્ઞાનીને થઈ ગયું
છે. પરચીજ, શુભભાવ કે ક્ષયોપશમ જ્ઞાનની મહિમાની આડમાં અજ્ઞાની આખા
ચૈતન્યદેવની મહિમાને ચૂકી જાય છે. મિથ્યાદ્રષ્ટિ સંયોગમાં, વિકારમાં કે અલ્પજ્ઞ આદિ
પર્યાયમાં જ પોતાનું હોવાપણું સ્વીકારે છે. તેથી તેની અસત્ દ્રષ્ટિમાં રાગ-દ્વેષ સાથે જ
વસેલા છે. પોતામાં પર્યાયદ્રષ્ટિ છે એટલે બીજા જીવોને પણ પર્યાયદ્રષ્ટિથી જોઈને રાગ-
દ્વેષ કર્યા કરે છે. મિથ્યાદ્રષ્ટિનું ઉલ્લસિત વીર્ય પરમાં જ રોકાઈ ગયું છે, ત્યાં જ સુખ
માને છે અને જેણે ભગવાન આત્માનો ભેટો કર્યો તે ૯૬૦૦૦ રાણીના વૃંદમાં પણ સુખ
માનતો નથી. તેની દ્રષ્ટિની કેટલી કિંમત! દ્રષ્ટિ આખી સ્વભાવ તરફ ગુલાંટ ખાઈ ગઈ
છે તેને બહારમાં ક્યાંય સુખ ભાસતું જ નથી.
પરજ્ઞેયમાં બે ભાગલા પાડે છે તે મિથ્યાદ્રષ્ટિ છે. આ ઠીક અને આ અઠીક એવી
બુદ્ધિ મિથ્યાદ્રષ્ટિને જ હોય છે. જ્ઞાનીને એવી બુદ્ધિ ન હોય અસ્થિરતાને કારણે ઇષ્ટ-
અનિષ્ટની વૃત્તિ ઊઠે છે પણ તે પરને કારણે નહિ અને સ્વભાવના કારણે પણ નહિ.
માત્ર એક ચારિત્રના દોષને કારણે કમજોરી છે તેથી ઇષ્ટ-અનિષ્ટની વૃત્તિ ઊઠે છે પણ
તે જ્ઞેયમાં બે ભાગલા પાડતાં નથી.
* મારું મરણ નથી તો મને ડર કોનો? મને વ્યાધિ
નથી તો મને પીડા કેવી? હું બાળક નથી, હું યુવાન નથી.
એ સર્વઅવસ્થાઓ પુદ્ગલની છે. (શ્રી ઇષ્ટ-ઉપદેશ)

Page 224 of 238
PDF/HTML Page 235 of 249
single page version

background image
૨૨૪] [હું
[પ્રવચન નં. ૪૩]
કેવળજ્ઞાનીની જેમ
નિઃશંકપણે નિજ–પરમાત્માને જાણતા જ્ઞાની
[શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૪-૭-૬૬]
આ શ્રી યોગસાર શાસ્ત્ર છે. તેમાં ૧૦૦મી ગાથામાં સાચી સામાયિકના સ્વરૂપનું
વર્ણન ચાલે છે.
राय–रोस बे परिहरिवि जो समभाउ मुणेइ ।
सो सामाइउ जाणि फुडु केवलि एम भणेइ ।। १००।।
રાગ-દ્વેષ બે ત્યાગીને, ધારે સમતાભાવ;
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાવ.
૧૦૦.
ભગવાન સર્વજ્ઞદેવ કહે છે કે જે રાગ-દ્વેષનો ત્યાગ કરીને સમભાવને ધારણ કરે
છે તેને સાચી સામાયિક હોય છે.
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે એવું જેને ભાન થયું તેને બીજા પ્રાણીઓ પ્રત્યે
સમભાવ વર્તે છે. ધર્મીજીવની દ્રષ્ટિ મિથ્યાદ્રષ્ટિની દ્રષ્ટિ કરતાં ઊલટી થઈ ગઈ છે.
મિથ્યાદ્રષ્ટિ પરદ્રવ્ય મને લાભ-નુકશાન કરે છે એમ માનીને તેના પ્રત્યે રાગ-દ્વેષ કરે છે
અને જ્ઞાની તો એમ માને છે કે કોઈ પરદ્રવ્ય મને લાભ-નુકશાન કરી શક્તા નથી.
સૌને પોતાના કર્મ અનુસાર સંયોગ-વિયોગ થાય છે, કોઈ કોઈનો બગાડ સુધાર કરી
શક્તું નથી. આવી દ્રઢ શ્રદ્ધા અને જ્ઞાનને કારણે જ્ઞાનીને પરદ્રવ્ય પ્રત્યે રાગ-દ્વેષની બુદ્ધિ
થતી નથી.
પોતાના સ્વભાવને જ્ઞાતા-દ્રષ્ટારૂપે કબૂલતો, જાણતો, ઠરતો ધર્મી જીવ બીજા
જીવના જીવન-મરણ, સુખ-દુઃખને કોઈ અન્ય જીવ કરે છે એમ માનતો નથી. જગતના
દરેક કાર્યો પોત-પોતાના અંતરંગ ઉપાદાનને કારણે થાય છે એમ ધર્મી માને છે.
જેમ સૂર્ય તેના કારણે ઊગે છે અને તેના કારણે આથમે છે તેમાં કોઈને એવો
વિકલ્પ નથી આવતો કે આ જલ્દી ઊગે કે જલ્દી આથમી જાય તો સારૂં. તેમ ધર્મી
જીવને જગતના દરેક કાર્યો તેના કારણે થાય છે તેમાં હું ફેરફાર કરું એવી બુદ્ધિ થતી
નથી. દરેક પદાર્થ તેના ક્રમે પરિણમતા પોતાની અવસ્થાના કાર્યને કરે છે, તેમાં અનુકૂળ
નિમિત્ત જે હોય તે હોય જ છે એમ જાણતાં જ્ઞાનીને બીજાના કાર્ય મેં કરી દીધાં એવો
અહંકાર થતો નથી અને બીજા મારા કાર્ય કરી દે એવી અપેક્ષા રહેતી નથી.
જગતનું ક્યું દ્રવ્ય નકામું છે? એટલે કે કયું દ્રવ્ય પર્યાય વિનાનું છે? કોઈ દ્રવ્ય
પર્યાય વિનાનું નથી. પર્યાય એટલે દ્રવ્યનું કાર્ય અને દ્રવ્ય તેનું કારણ. કાર્ય વિનાનું કારણ
ન હોય અને કારણ વિનાનું કાર્ય ન હોય. આવું જાણતાં જ્ઞાનીને પરદ્રવ્ય પ્રત્યે વિષમતા

Page 225 of 238
PDF/HTML Page 236 of 249
single page version

background image
પરમાત્મા] [૨૨પ
ઉત્પન્ન થતી નથી, સમભાવ રહે છે. ગૃહસ્થાશ્રમમાં પણ જ્ઞાનીને શ્રદ્ધા-જ્ઞાનમાં આવો
સમભાવ રહે છે અને ચારિત્રની નબળાઈ વશ અલ્પ રાગ-દ્વેષ થાય તેને જ્ઞાની
પોતાના સ્વભાવમાં ખતવતા નથી.
યોગીન્દ્રદેવ સમયસારનાં બંધ-અધિકારના ૧૭૬ કળશનો આધાર આપે છે.
સમ્યગ્જ્ઞાની પોતે પોતાને અને બધા પરદ્રવ્યના સ્વભાવને જેમ છે તેમ જાણે છે અને
તેની પર્યાયમાં થતાં કાર્યને પણ વ્યવહાર તરીકે જાણે છે. દ્રવ્ય તે નિશ્ચય છે અને પર્યાય
તે વ્યવહાર છે. દ્રવ્ય વગરની પર્યાય ન હોય-નિશ્ચય વગરનો વ્યવહાર ન હોય. આવું
જાણતાં જ્ઞાની પોતાની પર્યાયમાં થતાં રાગને પોતાના સ્વભાવમાં ખતવતા નથી.
કોઈ લાકડી મારે અને પોતે ક્ષમા રાખે તો સમભાવ કહેવાય એમ નથી. હું
જ્ઞાનસ્વભાવી છું અને પર્યાયમાં વિષમભાવ થાય છે તે મારો સ્વભાવ નથી એમ બે
વચ્ચે ભેદજ્ઞાન કરવું તે સમભાવ છે. આ અપેક્ષાએ જ્ઞાની રાગ-દ્વેષ કરતાં નથી એમ
કહેવાય છે. ચારિત્રની નબળાઈથી રાગ-દ્વેષ થાય છે તેની અહીં ગૌણતા છે.
હવે છેદોપસ્થાપનની વાત કરે છે.
हिंसादिउ–परिहारु करि जो अप्पा हु ठवेइ ।
सो बियऊ चारित्तु मुणि जो पंचम–गइ णेइ ।। १०१।।
હિંસાદિકના ત્યાગથી, આત્મસ્થિતિકર જેહ;
તે બીજું ચારિત્ર છે, પંચમ ગતિકર તેહ.
૧૦૧.
જે કોઈ જીવ હિંસા આદિ પાપના પરિણામના અભાવસ્વભાવસ્વરૂપ આત્મામાં
સ્થિરતા કરે છે તેને બીજું ચારિત્ર છે જે પંચમગતિનું કારણ છે. વિકારનો છેદ કરી
આત્માને આત્મામાં સ્થાપવો તેને છેદોપસ્થાપના નામનું બીજું ચારિત્ર કહેવાય છે એમ
યોગીન્દ્રદેવ કહે છે. આમ તો, સામાયિકમાં બેઠા હોય અને તેમાં કોઈ વિકલ્પ આવી
જાય. દોષ લાગે તેને છેદીને ફરી આત્મામાં સ્થિર થાય તેને છેદોપસ્થાપના કહેવાય છે.
પણ અહીં તો યોગીન્દ્રદેવે અધ્યાત્મથી છેદોપસ્થાપનાનું સ્વરૂપ કીધું છે.
મોક્ષનું સાક્ષાત્ કારણ તો સ્વરૂપમાં લીનતારૂપ ચારિત્ર છે તેથી ધર્મનું મૂળ
ચારિત્ર કહ્યું છે પણ તે ચારિત્ર દર્શન-જ્ઞાન વિના હોતું નથી.
સ્થિર-બિંબ ભગવાન આત્મામાં સ્થિરતાનો અભ્યાસ થતાં પછી કાયમી
સ્થિરતા-ધ્રુવદશા-પંચમગતિ પ્રગટ થઈ જાય છે. પંચાસ્તિકાયમાં કેવળજ્ઞાનને પણ એક
નયે કૂટસ્થ કહ્યું છે તેમ મોક્ષમાં એકધારી સ્થિરતા હોવાથી તેને પણ ધ્રુવ કહ્યો છે.
સ્થિરતા પલટે છે પણ એકધારી એવી ને એવી થતી રહે છે માટે તેને ધ્રુવ કહી છે.
मिच्छादिउ जो परिहरणु सम्मद्ंसण–सुद्धि ।
सो परिहार–विसुद्धि मुणि लहु पावहि सिव–सिद्धि ।। १०२।।

Page 226 of 238
PDF/HTML Page 237 of 249
single page version

background image
૨૨૬] [હું
મિથ્યાત્વાદિક પરિહરણ, સમ્યગ્દર્શન શુદ્ધિ;
તે પરિહાર વિશુદ્ધિ છે, શીઘ્ર લહો શિવસિદ્ધિ. ૧૦૨.
અહીં મુનિરાજે અધ્યાત્મથી પરિહારવિશુદ્ધિની વ્યાખ્યા કરી છે કે જેણે મિથ્યાત્વ,
અવ્રત, કષાય આદિનો પરિહાર કરીને સમ્યગ્દર્શનની શુદ્ધિ પ્રગટ કરી છે તેને
પરિહારવિશુદ્ધિ છે.
અનાદિથી જે સ્વભાવનો અનાદર કરતો હતો અને પુણ્ય-પાપ આદિનો જ
એકાન્તે આદર કરતો હતો તેને છોડીને હવે જે પરમાનંદસ્વરૂપ નિજ આત્મ-
સ્વભાવનો આદર-સત્કાર કરે છે એટલે કે સમ્યગ્દર્શનની શુદ્ધિ પ્રગટ કરે છે તેને
પરિહારવિશુદ્ધિ છે.
અષ્ટપાહુડમાં સમ્યગ્દર્શન ઉપર જોર દેતો એક શ્લોક આવે છે કે ‘સમકિતમાં
પરિણત થયેલો આઠ કર્મ નાશ કરે છે.’ સ્વરૂપ જે પૂરણ...પૂરણ શ્રદ્ધા થઈ છે તેના
વલણમાં તેનું ને તેનું પરિણમન ચાલતાં આઠેય કર્મોનો નાશ થઈ જાય છે.
તેમ અહીં કહે છે કે ભગવાન પરમાનંદસ્વરૂપમાં-અનંત ગુણના ગોદામમાં થાપ
મારીને જ્યાં સ્વરૂપનો આદર પ્રગટ કરે છે ત્યાં બીજા સર્વ ભાવોનો પરિહાર થઈ જાય
છે. મિથ્યાત્વના પરિહાર ઉપરાંત રાગ-દ્વેષનો પણ જ્યાં પરિહાર થયો એટલે કે ત્યાગ
થયો-અભાવ થયો અને સ્વરૂપની પ્રતીતિ-જ્ઞાન અને સ્થિરતા પ્રગટ થઈ તેને અહીં
‘પરિહારવિશુદ્ધિ’ નામનું ચારિત્ર કહ્યું છે. અહીં પણ સમ્યગ્દર્શન ઉપર વધારે જોર
આપ્યું છે. કેમ કે સમ્યગ્દર્શન વિના ધર્મમાં એક ડગલું પણ આગળ ચાલી શકાતું નથી.
જેને દ્રષ્ટિમાં નિજ પરમાત્મસ્વરૂપનો ભેટો થયો તેને ખરેખર શ્રદ્ધા-જ્ઞાનમાં
પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે.
દિગંબર આચાર્યોએ ભિન્ન ભિન્ન ગ્રંથમાં ભિન્ન ભિન્ન વિધિએ આત્માને
ગાયો છે. અહીં અધ્યાત્મથી ‘પરિહારવિશુદ્ધિ’ નો શબ્દાર્થ કર્યો છે. ખરેખર પરિહાર-
વિશુદ્ધિ તો મુનિને હોય છે પણ અહીં સમ્યગ્દર્શનની શુદ્ધિ અને મિથ્યાત્વાદિના
પરિહારને ‘પરિહારવિશુદ્ધિ’ કહી દીધી છે.
સમ્યગ્જ્ઞાનીને પરિહારવિશુદ્ધિ એ રીતે છે કે તેને સ્વભાવમાં આદરમાં બહારના
કોઈ પદાર્થની વિસ્મયતા લાગતી નથી. પદાર્થની યથાર્થ સ્થિતિના જ્ઞાનને લીધે તેને
કોઈ પદાર્થમાં વિસ્મયતા કે ખેદ થતો નથી, તેથી છએ દ્રવ્યના મૂળ ગુણ અને પર્યાયના
સ્વરૂપને કેવળજ્ઞાનીની જેમ શંકા રહિત યથાર્થ જાણે છે. જ્ઞાનીને શ્રુતજ્ઞાન છે તેથી
પરોક્ષ જ્ઞાન છે પણ પરોક્ષ રીતે, કેવળજ્ઞાની જેટલું અને જેવું જાણે છે તેટલું અને તેવું
જ જ્ઞાની જાણે છે પણ ક્યાંય વિસ્મયતા લાગતી નથી.
અહાહાહા! આત્માના એક જ્ઞાન ગુણની એક પર્યાયની કેટલી તાકાત છે કે એક
સમયમાં દરેક દ્રવ્યને તેના અનંત ગુણ પર્યાય સહિત જાણી લે છે. એક શ્રદ્ધાની પર્યાય
એવી છે કે તે બધાની શ્રદ્ધા કરી લે છે. આવી તો એક પર્યાયની તાકાત છે તો
આત્માની કેટલી તાકાત? આવા આત્માને જે જાણે તેણે ખરેખર આત્માને જાણ્યો
કહેવાય. જ્ઞાની આવા ભગવાન આત્માને કેવળજ્ઞાનીની જેમ નિઃશંકપણે જાણે છે.

Page 227 of 238
PDF/HTML Page 238 of 249
single page version

background image
પરમાત્મા] [૨૨૭
આવા દ્રઢ જ્ઞાન અને વૈરાગ્યધારી સમ્યગ્દ્રષ્ટિ જોકે પૂર્વકર્મના ઉદયથી
ગૃહસ્થાશ્રમમાં દરેક કાર્ય કરતાં દેખાય છે તોપણ તે કાર્યોને તે આસક્તિભાવથી કરતાં
નથી. રાગને રોગ જાણે છે, મારા પુરુષાર્થની ગતિ એટલી વિપરીત છે માટે રાગ થાય
છે એમ જાણે છે. રાગ એ મારા સ્વભાવની જાત નથી. તેમ કર્મ પણ રાગ કરાવતું
નથી. મારા જ પુરુષાર્થની ખામીથી રાગ થાય છે એમ જાણે છે.
જ્ઞાની જાણે છે કે આ મને સત્નું સ્થાપન કરવાનો-નયથી મુખ્ય-ગૌણ કરવાનો
વિકલ્પ ઊઠે છે તે પણ રાગ છે-પ્રશસ્ત કષાયનો અંશ છે. વીતરાગ અમૃતરસમાં એ
અંશ પણ મને પાલવતો નથી. આંખમાં કદાચ કણું સમાય પણ મારા વીતરાગરસમાં
આ રાગ પોષાતો નથી-સમાતો નથી.
આમ, જ્ઞાની ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં-ગૃહસ્થાશ્રમના કાર્યો કરતાં હોવા છતાં
તેમાં એકાકાર થતાં નથી, લીન થતાં નથી. ચારિત્રની કમજોરીથી થતાં રાગને-
વિષમભાવને પોતાના સમસ્વભાવથી વિરુદ્ધ હોવાથી રોગ જાણે છે.
સમ્યગ્દર્શનની શુદ્ધતા એ જ મોક્ષ ઉપાયનું મૂળ છે. સમ્યગ્દર્શનમાં સમ-
સ્વભાવી ભગવાન આત્માની સમ્યક્ પ્રતીતિનું જોર એટલું છે કે તે જ વીતરાગ
યથાખ્યાતચારિત્ર, કેવળજ્ઞાન અને મોક્ષનું કારણ બને છે.
આનંદઘનજી એક સ્તુતિમાં લખે છે કે “ગગનમંડળમાં ગૌઆ વિયાણી, વસુધા
દૂધ જમાયા, માખણ થા સો વીરલા પાયા, છાશે જગત ભરમાયા.” કહે છે માખણ તો
વિરલા જ્ઞાની ખાઈ ગયા અને જગત આખું તો છાશમાં ભરમાણું છે. આ સ્તુતિ
ઉપરથી શેઠિયાએ એક લીટી લખી છે કે ‘આતમ ગગનમેં જ્ઞાન હી ગંગા, જામે અમૃત
વાસા, સમ્યગ્દ્રષ્ટિ ભર ભર પીવે મિથ્યાદ્રષ્ટિ જાય પ્યાસા...’
આવા સમસ્વરૂપમાં લીન જ્ઞાનીને ક્યારેય પરપદાર્થમાં ઇષ્ટ-અનિષ્ટપણાનો રાગ
આવી જાય છે તેનો પરિહાર કરીને તે ફરી સ્વરૂપમાં લીન થાય છે તેનું નામ
પરિહારવિશુદ્ધિ છે.
અહીં અમૃતચંદ્ર આચાર્યકૃત તત્ત્વાર્થસારનો દાખલો આપ્યો છે. ‘જ્યાં પ્રાણીઓના
ઘાતનો વિશેષપણે ત્યાગ હોય અને ચારિત્રની વિશુદ્ધિ હોય તેને પરિહારવિશુદ્ધિ ચારિત્ર
કહેવાય છે.
હવે યથાખ્યાતચારિત્રની વ્યાખ્યા આપે છે.
सुहुमहं लोहहं जो विलउ जो सुहुमु वि परिणामु ।
सो सुहुमु वि चारित्त मुणि, सो सासय–सुह–धामु ।। १०३।।
સૂક્ષ્મ લોભના નાશથી, જે સુક્ષમ પરિણામ;
જાણો સૂક્ષ્મ-ચરિત્ર તે, જે શાશ્વત સુખધામ. ૧૦૩.
યથાખ્યાતચારિત્ર એટલે પૂર્ણ ચારિત્ર અર્થાત્ ઉત્કૃષ્ટ ચારિત્ર. યથાખ્યાત એટલે
અંતરસ્વભાવમાં જેવું અકષાય-અવિકારી, વીતરાગ સમભાવસ્વરૂપ ચારિત્ર પ્રસિદ્ધ છે
તેવું જ પર્યાયમાં યથાર્થમાં પ્રસિદ્ધ થવું તેને યથાખ્યાત નામનું વીતરાગ ચારિત્ર કહેવાય
છે અને તે ચારિત્ર જ અવિનાશી સુખનું સ્થાન છે.

Page 228 of 238
PDF/HTML Page 239 of 249
single page version

background image
૨૨૮] [હું
દશમાં ગુણસ્થાને જે સૂક્ષ્મ લોભ છે તેનો પણ નાશ થઈને જે સૂક્ષ્મ વીતરાગી
પરિણામ ઉત્પન્ન થાય છે તેને સૂક્ષ્મ ચારિત્ર કહે છે. તે જ યથાખ્યાત- ચારિત્ર છે, તે
મોક્ષનું સાક્ષાત્ કારણ છે.
ચારિત્રની શરૂઆત થયા પછી શુદ્ધિની વૃદ્ધિ થાય છે તેના સામાયિક,
છેદોપસ્થાપના, પરિહારવિશુદ્ધિ, યથાખ્યાતચારિત્ર આદિ આ બધાં પ્રકાર છે. સમયે
સમયે શુદ્ધિની વૃદ્ધિ થાય છે એવી આ વાત બીજે ક્યાંય ન હોઈ શકે.
આ તો બધી આત્મારામને ભેટવાની વાતો છે. નિજપદ રચે સો ‘રામ’ કહીએ,
કર્મ કસે તેને કૃષ્ણ કહીએ. અહીં કહે છે કે ભગવાન આત્મા પોતાના આત્મબાગમાં રમે
તેને યથાખ્યાતચારિત્ર હોય છે. આ ચારિત્ર જ તેને અવિનાશી સુખનું સાક્ષાત્ કારણ છે.
ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિને ચોથા ગુણસ્થાનમાં મિથ્યાત્વની ત્રણ પ્રકૃતિ અને ચાર
અનંતાનુબંધીની પ્રકૃતિનો નાશ થઈને સ્વરૂપાચરણચારિત્ર પ્રગટ થઈ જાય છે. તે
ચારિત્રની પૂર્ણતા તો યથાખ્યાતચારિત્રથી થાય છે પણ ચોથામાં તેના અંશરૂપ કણિકા ન
જાગે તો તો આગળ જ ન વધી શકે.
અરે! આ તો તત્ત્વના નિર્ણયનો વિષય છે, તેમાં સમભાવે શાંતિથી વીતરાગી
ચર્ચા કરીને નિર્ણય કરવો જોઈએ. તેમાં એક-બીજાને ખોટા પાડવાની વાત ન હોય
ભાઈ! કોઈની ભૂલ હોય તોપણ તેને બીજી રીતે સમજાવીને કહેવું જોઈએ. તેને દ્વેષી
કલ્પીને કે વિરોધી કલ્પીને કહેવું એ કાંઈ સજ્જનતાની રીત છે? આ તો વીતરાગ
માર્ગ છે ભાઈ! તેમાં તો શાંતિથી, ન્યાયથી જેમ હોય તેમ નિર્ણય કરવો જોઈએ અને
જે સત્ય નીકળે તેને કબૂલવું જોઈએ. આમાં કોઈ પક્ષની વાત નથી.
ચોથા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર હોય એ વાત તો ટોડરમલજી,
ગોપાલદાસજી બરૈયા, રાજમલજી વગેરે બધાનાં શાસ્ત્રોમાં આવે છે અને કદાચ સીધા
શબ્દોમાં ન નીકળે તોપણ ન્યાયથી તો સમજવું જોઈએ ને ભાઈ! ‘સર્વ ગુણાંશ તે
સમ્યક્ત્વ’ કહેતાં તેમાં ચારિત્રનો અંશ આવી જ જાય છે.
મિથ્યાદ્રષ્ટિને પોતાના જ્ઞાયકપણાનું ભાન ન હતું તેથી શરીરાદિ અને રાગ-
દ્વેષાદિ ભાવોમાં પોતાપણાની શ્રદ્ધા-જ્ઞાન અને લીનતા હતા. હવે જ્યાં શ્રદ્ધાએ ગુલાંટ
ખાધી-નિજ પરમાત્માનું અવલોકન થયું તો તે પોતામાં ઠર્યા વિના શી રીતે થાય? એ
ઠરે છે એનું જ નામ ભગવાન સ્વરૂપાચરણચારિત્ર કહે છે. અનંતાનુબંધીનાં ક્રોધ, માન,
માયા, લોભ-આદિ ચાર કષાયનો નાશ થયો તો કાંઈક ચારિત્ર પ્રગટ થાય કે નહિ?
ભલે એ દેશચારિત્ર કે સકલચારિત્ર નથી પણ સ્વરૂપાચરણરૂપ ચારિત્ર છે. સ્વભાવના
સ્વાદ વગર શ્રદ્ધા ક્યાંથી થાય? એ સ્વભાવનો સ્વાદ તે સ્વરૂપા- ચરણચારિત્ર છે,
એથી આગળ વધીને ચારિત્ર પૂર્ણ થાય તેને થયાખ્યાતચારિત્ર કહે છે અને તેરમાં
ગુણસ્થાને ચારિત્રની સાથે અનંત આનંદ પ્રગટ થાય ત્યારે પરમ યથાખ્યાતચારિત્ર
કહેવાય છે. આ ચારિત્ર જ સાક્ષાત્ મોક્ષનું કારણ છે.

Page 229 of 238
PDF/HTML Page 240 of 249
single page version

background image
પરમાત્મા] [૨૨૯
[પ્રવચન નં. ૪૪]
ગુરુ આદેશઃ
દેહવાસી નિજ–પરમાત્મામાં અને
સર્વજ્ઞ–પરમાત્મામાં ફેર ન જાણ!
[શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૬-૭-૬૬]
આ શ્રી યોગસાર શાસ્ત્ર ચાલે છે. તેની ૧૦૪ ગાથા ચાલે છે. યોગીન્દ્રદેવ કહે છે
કે આત્મા પોતે જ પંચ-પરમેષ્ઠી છે.
अरहंतु वि सो सिद्धु फुडु सो आयरिउ वियाणि ।
सो उवझायउ सो जि मुणि णिच्छई अप्पा जाणि ।। १०४।।
આત્મા તે અર્હંત છે, સિદ્ધ નિશ્ચયે એ જ;
આચારજ, ઉવઝાય ને સાધુ નિશ્ચય તે જ.
૧૦૪.
નિશ્ચયદ્રષ્ટિ અર્થાત્ યથાર્થ દ્રષ્ટિથી જુઓ તો, આત્મા જ અર્હંત છે એમ જાણો.
અર્હંત, સિદ્ધ, આચાર્ય આદિના પર્યાયો આત્માના ધ્રુવપદમાં-અંતરમાં શક્તિરૂપે પડી છે.
આત્મામાં વર્તમાન દશામાં અલ્પજ્ઞાન, અલ્પદર્શન અને રાગ-દ્વેષાદિની
વિપરીતતા છે. એ તો ક્ષણિક અવસ્થા છે પણ અંતરમાં તો, અર્હંતના જેવા અનંત
ચતુષ્ટય ત્રિકાળ પડયાં છે.
પ્રવચનસારની ૮૦ મી ગાથામાં આવે છે કે અર્હંતનું દ્રવ્ય એટલે શક્તિવાન,
તેના ગુણ એટલે શક્તિ અને તેની વર્તમાન અવસ્થાને જે જાણે છે તે પોતાના
આત્માના દ્રવ્ય ગુણ-પર્યાયને જાણે છે એટલે કે અર્હંતના દ્રવ્ય-ગુણ-પર્યાય સાથે
પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને મેળવે છે કે મારામાં પણ અર્હંત જેવા દ્રવ્ય-ગુણ છે. મારા
સ્વભાવમાં અનંત જ્ઞાન-દર્શન, સુખ આદિ સ્વભાવો છે તે પ્રગટ થશે. જે હોય તે પ્રગટ
થાય, ન હોય તો ક્યાંથી આવે? આહાહા! રાગ રહિત નિર્વિકલ્પ શ્રદ્ધા વડે હું અર્હંત
જેવો જ છું એવી પ્રતીતિ થઈ શકે છે.
ભગવાન આત્મા એટલે કારણ પરમાત્મામાં અર્હંતપદનું કારણ પડયું છે તે પ્રગટ
થાય છે. તૃષા લાગી હોય તો, પાણી હોય તો તૃષા છીપે. તેમ અર્હંતપદ અંતરમાં હોય
તો તેમાં એકાગ્રતા કરવાથી પર્યાયમાં તે પ્રગટ થાય. પાણી ન હોય તો તૃષા ન છીપે,
તેમ અંતરમાં અર્હંતપદ ન હોય તો પર્યાયમાં પ્રગટ ક્યાંથી થાય?
અહીં યોગસારની આ ૧૦૪ ગાથામાં જે વાત છે એ જ વાત મોક્ષપાહુડની ૧૦૪
મી ગાથામાં છે, તેનો અહીં આધાર આપ્યો છે.
અરે! આ તત્ત્વનો ભરોસો પણ કેમ થાય? ભાઈ! તારી દશામાં ભલે
અલ્પજ્ઞાન હો