Hoon Parmatma (Gujarati). Pravachan: 37-40.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 11 of 13

 

Page 190 of 238
PDF/HTML Page 201 of 249
single page version

background image
૧૯૦] [હું
હવે ૯૦ મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે સમકિતી જ પંડિત અને પ્રધાન છે.
जो सम्मत्त–पहाण बुहु सो तइलोय–पहाणु ।
केवल–णाण वि लहु लहइ सासय–सुक्ख–णिहाणु ।। ९०।।
જે સમ્યક્ત્વપ્રધાન બુધ, તે જ ત્રિલોકપ્રધાન;
પામે કેવળજ્ઞાન ઝટ, શાશ્વત સૌખ્યનિધાન.
૯૦.
આહાહા...! દિગંબર સંતોએ પણ કાંઈ કામ કર્યા છે! બહુ થોડાં શબ્દોમાં આખો
સાર ભરી દીધો છે.
આ તો યોગસાર છે. પોતાના આશ્રયે જે પર્યાય પ્રગટ થાય તેનું નામ ‘યોગ’
છે, તે યોગનો આ સાર છે. પરાશ્રિત વ્યવહાર તે યોગસાર નથી પણ સ્વાશ્રિત નિશ્ચય
તે યોગસાર છે.
જે સમ્યગ્દર્શનનો સ્વામી છે-જે આત્મા સમજ્યો છે તે પંડિત છે, બાકી
અગિયાર અંગ ને ચૌદપૂર્વ ભણી ગયેલો હોય તોપણ તે પંડિત નથી. આત્માના આશ્રય
વગર અગિયાર અંગ આદિનું જ્ઞાન પણ નાશ પામી જાય છે અને જીવ નિગોદમાં પણ
ચાલ્યો જાય છે. અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો ક્ષયોપશમ થઈ જાય છે. માટે
આત્મજ્ઞાન વગરનું એકલું અગિયાર અંગનું જ્ઞાન કાંઈ કલ્યાણકારી નથી કેમકે તે
પરાશ્રિત છે.
જ્ઞાનમૂર્તિ ભગવાન આત્મામાં એકાગ્ર થઈને તેમાંથી જ્ઞાનનો કણ કાઢવો તે કણ
પણ કલ્યાણકારી છે. (આ ‘કણ’ કહેતાં કણિકા યાદ આવી) બનારસીદાસજીએ
પરમાર્થવચનિકામાં લખ્યું છે કે સ્વરૂપના દ્રષ્ટિ-જ્ઞાનપૂર્વક ચારિત્રની કણિકા જાગે તો
મોક્ષમાર્ગ છે, નહિ તો મોક્ષમાર્ગ નથી. બનારસીદાસજી એક બહુ મોટા મહાપંડિત થઈ
ગયા; યથાર્થ વસ્તુસ્વરૂપ લખતાં ગયા.
અહીં કહે છે કે સમ્યગ્દ્રષ્ટિ જ જગતમાં પ્રધાન (મુખ્ય) છે અને પંડિત છે.
સમ્યક્સ્વરૂપ પૂર્ણ શુદ્ધ તત્ત્વની અંતર્મુખ થઈને સ્વાશ્રયે જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું તે
જ જગતમાં સ્વામી એટલે પ્રધાન અને પંડિત છે. આત્મા જાણ્યો તેણે બધું જાણ્યું. ‘એક
જાને સબ હોત હૈ, સબસે એક ન હોય.’ સમ્યગ્દ્રષ્ટિ તો કેવળજ્ઞાન લેશે. અંદરમાં સાદિ
અનંતકાળની અનંતી કેવળપર્યાય જ્ઞાનમાં પડી છે તેથી જેણે જ્ઞાયકની દ્રષ્ટિ કરી તે એક
બે ભવમાં કેવળજ્ઞાન લેશે...લેશે અને લેશે જ.
જેની દ્રષ્ટિમાં પોતાનો આત્મા શ્રેષ્ઠ છે તે જીવ જગતમાં પ્રધાન છે અને તે જ
પંડિત છે. શ્રાવકરત્નકરંડમાં સમકિતીની બહુ મહિમા કરી છે કે સમકિત તો પરમ
આધાર છે તેના વગર જ્ઞાન-વ્રત-તપ-ચારિત્ર આદિ બધું ફોગટ છે, કાંકરા સમાન છે.
ચૈતન્યરત્નની દ્રષ્ટિ અને નિર્વિકલ્પ અનુભૂતિ વગર બધું વ્યર્થ છે.
છઢાળામાં પણ સમકિતની મહિમા ગાતાં લખ્યું છે કે સ્વભાવની ગરિમા જ
એવી છે કે તેના દ્રષ્ટિવંત સમ્યગ્દ્રષ્ટિને ભલે જરાપણ સંયમ ન હોય તોપણ દેવો
આવીને તેને પૂજે છે.
સમ્યગ્દ્રષ્ટિની દ્રષ્ટિ જ્યાં પડી છે એવા સ્વભાવમાં જ તે રહેલાં છે, રાગમાં
રહેલાં નથી.

Page 191 of 238
PDF/HTML Page 202 of 249
single page version

background image
પરમાત્મા] [૧૯૧
સમ્યગ્દ્રષ્ટિને સ્વભાવની જ રુચિ છે, રાગની રુચિ નથી. આવા જગત્શ્રેષ્ઠ સમ્યગ્દ્રષ્ટિ
અવિનાશી સુખના નિધાન એવા કેવળજ્ઞાનને શીઘ્ર પ્રાપ્ત કરે છે.
સમ્યગ્દ્રષ્ટિ જિનેશ્વરના લઘુનંદન છે. બનારસીદાસજી સમયસાર નાટકમાં લખે છે
‘ભેદવિજ્ઞાન જગ્યો જિનકે ઘટ, શીતલ ચિત્ત ભયો જિમ ચંદન, કેલી કરે શિવમારગમેં,
જગમાંહિ જિનેશ્વરકે લઘુનંદન.’ મુનિરાજ મોટા પુત્ર છે અને સમ્યગ્દ્રષ્ટિ નાના પુત્ર છે.
સમ્યગ્દ્રષ્ટિની આવી મહિમા છે તે જ્યાં સુધી અંતરમાં ખ્યાલમાં ન આવે અને
પોતાના ક્ષયોપશમ જ્ઞાનની કે રાગની મંદતાની અધિકતા રહ્યાં કરે, સમ્યગ્દ્રષ્ટિ મારાથી
કોઈ અધિક મહાન છે એવું બહુમાન ન આવે ત્યાં સુધી તેને સ્વદ્રવ્યનો આશ્રયભાવ
પ્રગટ થતો નથી.
સમ્યગ્દર્શન સર્વ ગુણોમાં મુખ્ય ગુણ છે. ‘દંસણમૂલો ધમ્મો.’ ધર્મનું મૂળ
સમ્યગ્દર્શન છે. તેથી જ અહીં (સ્વાધ્યાયમંદિરમાં) કુંદકુંદ આચાર્યના ચાર બોલ મોટા
અક્ષરમાં લખ્યાં છે. (૧) દંસણમૂલો ધમ્મો. (૨) દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ. (૩)
દર્શનશુદ્ધિ તે જ આત્મસિદ્ધિ અને (૪) પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક
શરૂઆત છે. ચારેય વાક્ય સારમાં સાર છે.
ધર્મ ચારિત્ર છે પણ તેનું મૂળ સમ્યગ્દર્શન છે. અને ‘मूलं नास्ति कुत्तो शाखा?
જ્યાં સમ્યગ્દર્શનરૂપી મૂળ જ નથી ત્યાં વ્રત, તપ, સંવર, નિર્જરા આદિની શાખા ક્યાંથી
હોય? એકડા વગર મીંડા શું કામના? મુખ્યતા એકડાની છે. એકડા સહિતના મીંડાની
કિંમત છે તેમ સમ્યક્ત્વ સહિતના જ્ઞાન અને ચારિત્ર મુક્તિનું કારણ છે.
સમ્યગ્દર્શનનું ધ્યેય સ્વરૂપમાં છે, દ્રષ્ટિ દ્રવ્યમાં છે, પરિણમન પણ દ્રવ્ય તરફ છે
અને રાગથી મુક્ત છે તેથી સમ્યક્ દ્રષ્ટિ ક્રમે ક્રમે મોક્ષ તરફ લઈ જાય છે. અર્થાત્
સમ્યગ્દર્શન અબંધપરિણામની ઉગ્રતા તરફ લઈ જાય છે. કેમ કે અબંધસ્વભાવી દ્રવ્યની
દ્રષ્ટિ થઈ એટલે પરિણામ અબંધસ્વભાવ તરફ જ છે અને અબંધપરિણામ તે જ
મોક્ષમાર્ગ છે.
જેમ મૂળ વિના વૃક્ષ હોતું નથી તેમ સમ્યક્ત્વ વિના ધર્મ હોતો નથી જ્ઞાન ઘણું
હોય પણ સમ્યગ્દર્શન ન હોય તો તે જ્ઞાની, પંડિત નથી. અને એક દેડકું ભલે તેને
નવતત્ત્વના નામની પણ ખબર ન હોય પણ આત્માનો આશ્રય કરીને સમ્યગ્દર્શન પ્રગટ
કરી શકે છે. આ અતીન્દ્રિય આનંદસ્વરૂપ તે હું છું, તેનાથી વિરુદ્ધ દુઃખ તે હું નહિ
એટલું સમજાયું તેમાં બધું આવી ગયું.
ભગવાન આત્માને અતીન્દ્રિય આનંદનો જ્યાં પર્યાયમાં સ્પર્શ થાય છે ત્યાં નવેય
તત્ત્વનું જ્ઞાન થઈ જાય છે. અતીન્દ્રિય આનંદનું વેદન થતાં અતીન્દ્રિય જ્ઞાનાનંદસ્વરૂપ
આખો આત્મા તે હું જીવદ્રવ્ય નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે સંવર-નિર્જરા તત્ત્વ,
આનંદથી વિરૂદ્ધ આકુળતારૂપ-દુઃખરૂપ ભાવ તે આસ્રવ-બંધ તત્ત્વ અને આનંદમૂર્તિ
નિજદ્રવ્યથી જુદાં અચેતનદ્રવ્ય તે અજીવદ્રવ્ય-આમ નવેય તત્ત્વનું યથાર્થ જ્ઞાન
સમ્યગ્દર્શન થતાં એકસાથે થઈ જાય છે.
સમયસાર છઠ્ઠી ગાથામાં આત્માને પરદ્રવ્યથી ભિન્ન ઉપાસ્યમાન કહ્યો છે. દ્વાદશાંગ

Page 192 of 238
PDF/HTML Page 203 of 249
single page version

background image
૧૯૨] [હું
વાણીનો સાર જ આ છે કે આત્માને જાણવો. આત્મા તો શુદ્ધ છે જ. જે શુદ્ધ
જાણે તેને લાભ છે. જે પરદ્રવ્યનું લક્ષ છોડી પોતાના સ્વભાવનું લક્ષ કરી પર્યાયમાં
દ્રવ્યની ઉપાસના કરે છે, સેવા કરે છે, તેને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે, એ
શુદ્ધતાથી જ જાણ્યું કે ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે. પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થયા વગર ક્યાંથી
જણાય કે દ્રવ્ય શુદ્ધ છે? માટે જ કહ્યું કે પર્યાયમાં દ્રવ્યની સેવા કરીને તેને શુદ્ધ જાણવો
તે દ્વાદશાંગ વાણીનો સાર છે.
સર્વજ્ઞ ભગવાન તો દરેક જીવને શુદ્ધ જ દેખે છે પણ તેથી તને શું લાભ? તું
શુદ્ધ જાણ તો લાભ થાય. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં તો એક એક તત્ત્વ જેમ છે તેમ
જણાય છે. અહો! ચારે પડખેથી સત્ય ઊભું થાય છે. દિવ્યજ્ઞાનની શી વાત? સ્વભાવને
શી મર્યાદા? લોકાલોક તો શું પણ તેથી અનંતગુણા લોકાલોક હોય તેને પણ જાણવાનું
જ્ઞાનમાં સામર્થ્ય છે. સ્વતઃ સ્વભાવ છે, સહજ તાકાત છે. જડ પરમાણુમાં પણ એક
સમયમાં આખા બ્રહ્માંડમાં જવાની તાકાત છે, તો જ્ઞાનની તાકાતનું શું કહેવું? જેનો જે
સ્વભાવ હોય તેમાં મર્યાદા ન હોય.
સમ્યગ્દ્રષ્ટિ ચંડાલ હો તોપણ તે દેવ દ્વારા પૂજવા યોગ્ય છે. અલ્પકાળમાં તે
ચારિત્ર લઈને મુક્તિ પ્રગટ કરશે. અને સ્વદ્રવ્યની દ્રષ્ટિ વિનાનો ભલે નવમી ગ્રૈવેયકનો
દેવ હોય તોપણ તે પૂજ્ય નથી. માટે જ કહ્યું છે કે સમ્યગ્દર્શન સહિત નરકવાસ પણ
ભલો છે અને સમ્યગ્દર્શન વિના સ્વર્ગનો વાસ પણ ભલો નથી. સમ્યગ્દર્શન થયું તેનો
તો મોક્ષ થઈ ગયો.
સમ્યગ્દર્શન થતાં અનાદિના અજ્ઞાન અંધકારનો નાશ થઈને જ્ઞાનપ્રકાશ પ્રગટ
થાય છે. સમ્યગ્દ્રષ્ટિને ‘સબ આગમભેદ સુ ઉર બસે’ બધા આગમનો સાર જ્ઞાનમાં
આવી જાય છે. બહાર ક્યાંય શોધવા જવું પડતું નથી.
અજ્ઞાનદશામાં જે સંસાર પ્રિય લાગતો હતો, તે જ સંસાર સમ્યગ્દર્શન થતાં
ત્યાગવા યોગ્ય દેખાવા લાગ્યો. ઈન્દ્રિયસુખની રુચિ પણ ટળી ગઈ. ત્રણલોકના
ઈન્દ્રિયસુખનો દ્રષ્ટિમાંથી ત્યાગ થઈ ગયો.
સમ્યગ્દર્શન થતાં જીવ અનંત જ્ઞાન-દર્શન-વીર્ય-સુખ આદિ સંપત્તિનો સ્વામી
બની જાય છે અને તે અનંતગુણનો અંશ પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. પછી તે
પરચીજનો માલિક થતો નથી. મિથ્યાત્વદશામાં શરીર અને પરદ્રવ્યમાં અહંકાર, મમકાર
કરતો તે હવે આત્મામાં અહંકાર અને તેના ગુણોમાં મમકાર કરવા લાગ્યો.
ચૈતન્યરવિ-સમ્યક્ત્વસૂર્ય ઊગતાં મિથ્યાત્વ અંધકાર ટળી જાય છે.
મિથ્યાત્વદશામાં સદા ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના નાશ માટે ઉદ્યમી રહેતો હતો તે હવે
ઈષ્ટ-અનિષ્ટની દ્રષ્ટિ છોડીને સ્વભાવપ્રાપ્તિનો ઉદ્યમી થઈ જાય છે. દ્રષ્ટિએ ગુલાંટ ખાધી
ત્યાં બધું બદલાઈ ગયું. તેની મહિમા કેમ કરવી?
સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થદશામાં પણ ક્યાંય લેખાઈ જતો નથી, અંદરથી વૈરાગી રહે છે અને

Page 193 of 238
PDF/HTML Page 204 of 249
single page version

background image
પરમાત્મા] [૧૯૩
ભેદવિજ્ઞાનને ભાવે છે અને ધીરે ધીરે નિર્મળ થતો મુનિ થઈને કેવળજ્ઞાન સુધી
પહોંચી જાય છે. સમ્યગ્દર્શન તે જ સાચો મિત્ર છે, જે સંસારના દુઃખથી છોડાવી નિર્વાણ
પહોંચાડી દે છે.
હવે અહીં આત્માનુશાસનનો દાખલો આપે છે કે સમ્યગ્દર્શન વિના શાંતભાવ,
જ્ઞાન, ચારિત્ર આદિ બધું પથ્થર-કાંકરા સમાન તુચ્છ છે અને એ જ શાંતભાવ, જ્ઞાન,
ચારિત્ર આદિ સમ્યગ્દર્શન સહિત હોય તો તેની કિંમત મહારત્ન સમાન થઈ જાય છે.
આમ મૂળ કિંમત સમ્યગ્દર્શનની છે તેથી સમ્યગ્દષ્ટિ જ મુખ્ય છે, પંડિત છે અને
જગત્શ્રેષ્ઠ છે. આથી ધર્મના મૂળ તરીકે સમ્યગ્દર્શન સિવાય બીજી કોઈ ચીજ મહિમાવંત
નથી.
* જીવનકે ક્ષણભંગુર હોને સે હી સંસારકી
સુખદાયક વસ્તુઓંકા કોઈ મૂલ્ય નહીં હૈ. ઈસીસે ઈન્હેં
ત્યાજ્ય કહા હૈ. યદિ ચંચલ નેત્રવાલી યુવતિયોંકે યૌવન
ન ઢલતા હોતા, યદિ રાજાઓંકી વિભૂતિ બિજલીકે
સમાન ચંચલ ન હોતી, અથવા યદિ યહ જીવન વાયુસે
ઉત્પન્ન હુઈ લહરોંકે સમાન ચંચલ ન હોતા તબ કૌન
ઈસ સાંસારિક સુખસે વિમુખ હોકર જિનેન્દ્રકે દ્વારા
ઉપદિષ્ટ તપશ્ચરણ કરતા!
(શ્રી સુભાષિતરત્નસંદોહ)

Page 194 of 238
PDF/HTML Page 205 of 249
single page version

background image
૧૯૪] [હું
[પ્રવચન નં. ૩૭]
અબંધસ્વભાવી નિજ–પરમાત્માની દ્રષ્ટિ વડે
કર્મબંધનનો ક્ષય કર
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૭-૭-૬૬]
આ શ્રી યોગસારજી શાસ્ત્ર ચાલે છે. ૯૧ મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે
કેઆત્મામાં સ્થિરતા કરવી એ જ સંવર-નિર્જરાનું કારણ છે.
अजरु अमरु गुण–गण–णिलउ जहि अप्पा थिरु ठाइ ।
सो कम्मेहिं ण बंधियउ संचिय–पु व विलाई
।। ९१।।
અજર, અમર, બહુ ગુણનિધિ, નિજરૂપે સ્થિર થાય;
કર્મબંધ તે નવ કરે, પૂર્વબદ્ધ ક્ષય થાય. ૯૧.
જુઓ! શું કહે છે મુનિરાજ? આત્મા અજર અમર છે. અમર એટલે શાશ્વત ધ્રુવ
અકૃત્રિમ-અણકરાયેલી ચૈતન્યમૂર્તિ છે. તેને કદી જીર્ણતા લાગુ પડતી નથી અને તેનું
કદી મરણ પણ થતું નથી. આત્મા અનાદિ અનંત અજન્મ અને અમરણ સ્વભાવી છે.
એવા ગુણસ્વભાવી આત્મામાં જે સ્થિર થાય છે તે મુક્ત થાય છે.
અનાદિથી જીવ પુણ્ય-પાપના રાગ અને વિકલ્પમાં સ્થિર હોવાથી તેને કર્મોનું
બંધન છે. પણ જે જીવ શુદ્ધ ચૈતન્યસ્વરૂપની પ્રતીતિ કરીને તેમાં સ્થિર થાય છે તેને
નવા કર્મ બંધાતા નથી અને જૂના કર્મોનો નાશ થઈ જાય છે.
અહીં ઉત્પાદ-વ્યય-ધ્રુવ ત્રણેય લઈ લીધા છે. આત્મા ધ્રુવ પોતે અજર-અમર છે
તેમાં દ્રષ્ટિ-જ્ઞાન-સ્થિરતા કરતાં કર્મ રહિત નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય છે અને
પૂર્વની અશુદ્ધ અવસ્થાનો નાશ થાય છે. નિર્મળતાનો ઉત્પાદ, મલિનતાનો વ્યય અને
ધ્રુવ તો પોતે ત્રિકાળ છે. આવા ઉત્પાદ-વ્યય તે ધાર્મિક ક્રિયા છે. જૈનધર્મની આ ક્રિયા
છે. ચૈતન્યબિંબ ધ્રુવ સ્વભાવ સત્તામાં રુચિ કરીને તે રૂપ પરિણતિ કરીને સ્થિર થવું તે
સંવર નિર્જરારૂપ જૈનધર્મની ધાર્મિક ક્રિયા છે. લાખો શાસ્ત્રો લખવાનો હેતુ-સાર આ
ક્રિયા કરવાનો છે.
ભગવાન આત્મા જન્મ-મરણ રહિત અવિનાશી છે. શરીરના સંયોગને લોકો
જન્મ કહે છે અને શરીરના વિયોગને મરણ કહે છે. આત્મા તો અનાદિ અનંત છે,
જન્મ-મરણથી રહિત છે. આત્મા અસ્તિત્વ, વસ્તુત્વ આદિ સામાન્યગુણ (કે જે ગુણ
બધા દ્રવ્યમાં હોય) અને જ્ઞાન-દર્શન આદિ વિશેષ ગુણોથી સહિત છે. આત્મા
સામાન્યવિશેષ ગુણોનો મોટો સમૂહ છે, તેમાં એકાગ્ર થતાં સંવર-નિર્જરા પ્રગટ થાય છે.
આત્મામાં એક આનંદ નામનો વિશેષ ગુણ છે અને તે ગુણ આત્માની સર્વ હાલતોમાં

Page 195 of 238
PDF/HTML Page 206 of 249
single page version

background image
પરમાત્મા] [૧૯પ
છે, તો પછી પ્રશ્ન ઊઠે કે આનંદ કેમ થતો નથી? તો તેનું કારણ એ છે કે અજ્ઞાન-
દશામાં જીવની રુચિ પુણ્ય-પાપ આદિમાં છે તેથી આનંદગુણનું પરિણમન દુઃખરૂપે થાય
છે. કોઈપણ ગુણની પર્યાય એક સમય પણ ન હોય એમ ત્રણકાળમાં કદી બનતું નથી.
માટે આનંદગુણની પર્યાય તો દરેક સમયે હોય છે પણ તે અજ્ઞાનદશામાં દુઃખરૂપે છે
અને સ્વભાવની શ્રદ્ધા થતાં આનંદગુણની પર્યાય પણ મુખ્યપણે આનંદ- રૂપે પરિણમે
છે, ગૌણપણે સાધકને દુઃખ છે પણ તે વાત અહીં ગૌણ છે.
અનંતગુણ સમુદાય આત્માની અંતર્મુખ દ્રષ્ટિ વડે શ્રદ્ધા-ભરોસો-વિશ્વાસ કરતાં
આત્માના બધા ગુણોનું અંશે વ્યક્ત પરિણમન સમ્યગ્દર્શનની સાથે જ થઈ જાય છે. કેમ
કે સમ્યગ્દર્શન આખા-પૂર્ણ દ્રવ્યની પ્રતીતિ કરે છે તેથી દ્રવ્યમાં રહેલાં અનંત ગુણોનું
પરિણમન પણ અંશે નિર્મળ થઈ જાય છે.
ભગવાન આત્મા પ્રગટ દ્રવ્ય છે. પ્રગટ એટલે ‘છે’ અને છે તે અસ્તિત્વ-
વાળું-સત્તાવાળું તત્ત્વ છે તો એ સત્ તત્ત્વના ગુણો પણ સત્-શાશ્વત છે. આત્મા
અજર-અમર છે તો તેના ગુણ પણ અજર-અમર છે અને ગુણ અજર-અમર છે તો
દ્રવ્ય અજર-અમર છે.
મૂળ વાત તો એ છે કે જીવે આ તત્ત્વનો કોઈ દિવસ વિશ્વાસ કર્યો નથી. ભગવાન
આત્માને પોતાની શ્રદ્ધાની સરાણે ચડાવ્યો નથી. જો શ્રદ્ધામાં આત્માને લે તો તો એક
સેકંડના અસંખ્યાતમાં ભાગમાં અનંતગુણોની અંશે વ્યક્ત પર્યાય પ્રગટ થઈ જાય.
અજ્ઞાનદશા વખતે પણ આત્માને શરીર અને કર્મથી રહિત જુઓ તો આત્મા શુદ્ધ
જ છે. પર્યાયમાં અશુદ્ધતા છે એ તો આસ્રવતત્ત્વ છે, તે જ્ઞાયકતત્ત્વથી ભિન્ન તત્ત્વ છે
અને શરીર તથા કર્મ તો તદ્ન ભિન્ન અજીવતત્ત્વ છે. આસ્રવ પણ અનિત્ય તાદાત્મ્યની
અપેક્ષાથી આત્મા સાથે એકરૂપ દેખાય છે પણ નિત્ય તાદાત્મ્યભાવની અપેક્ષાએ તો તે
પર્યાય પણ સંયોગીક છે-પરદ્રવ્ય છે. કર્તાકર્મ-અધિકારની ૬૯-૭૦ ગાથામાં પણ આ
વાત લીધી છે. કેમ કે એ આત્માનું સ્વરૂપ નથી.
વર્તમાનમાં જ આત્મા શરીર, કર્મ અને આસ્રવથી ભિન્ન છે તો તેનાથી ભિન્ન
દ્રષ્ટિ કરતાં શુદ્ધ આત્મા અનુભવમાં આવી શકે છે. જેમ માટીવાળા પાણીને, પાણીના
સ્વભાવની દ્રષ્ટિથી જુઓ તો પાણી શુદ્ધ જ દેખાય છે. મેલપ છે એ તો માટીનો ભાગ
છે, પાણીનો નહિ. તેમ વર્તમાનમાં આત્મા શુભાશુભ ભાવો સહિત છે તેને
ભેદવિજ્ઞાનની શક્તિથી શરીર, કર્મ અને શુભાશુભ-રાગાદિથી રહિત જોઈ શકાય છે.
રાગાદિ ભાવો થવા તે આત્માનો અપરાધ છે, તે ભગવાન આત્માના સ્વભાવથી
વિરૂદ્ધ છે માટે તે હેય છે. હવે તેને હેય કહ્યા તો ઉપાદય શું? તો કહે છે-શુદ્ધ ભગવાન
જ્ઞાયકભાવ ઉપાદેય છે. શરીરાદિ પરદ્રવ્ય તો જ્ઞેય છે અને રાગાદિ આત્માની અવસ્થામાં
હોવા છતાં દુઃખરૂપ ભાવ છે માટે હેય છે, આશ્રય કરવા લાયક નથી. એ જ્ઞેય અને હેય
ભાવોથી રહિત નિર્મળ શુદ્ધાત્મા ઉપાદેય છે.
દરેક પાસે વર્તમાનમાં પણ દ્રષ્ટિ તો છે-નજર તો છે પણ તે નજરમાં રાગ અને

Page 196 of 238
PDF/HTML Page 207 of 249
single page version

background image
૧૯૬] [હું
વિકારને જ દેખે છે. નિજસ્વભાવથી વિરૂદ્ધ ક્ષણિક વિકૃત અવસ્થાને દેખે છે તે જ
દ્રષ્ટિમાં રાગાદિ રહિત ભગવાનને જુએ તો ભગવાન શુદ્ધ જ દેખાય છે. ભગવાન ક્યાં
અજાણ્યો છે? ક્યાં જ્ઞાન વિનાનો છે તો તેને બીજા દ્વારા જણાય? પોતે જ પોતાને
જાણી શકે છે-દેખી શકે છે.
દ્રવ્ય તો રાગ સાથે એકત્વ પામતું નથી પણ દ્રવ્યની દ્રષ્ટિ થતાં દ્રષ્ટિ પણ રાગ
સાથે એકત્વ કરતી નથી. દ્રષ્ટિ શુદ્ધ સંવર-નિર્જરારૂપ થઈ તે આસ્રવ-બંધરૂપે કદી ન
થાય. આ શ્રદ્ધા અને જ્ઞાનના બળથી સમ્યગ્દ્રષ્ટિ સ્વભાવમાં સ્થિર થવાનો પુરુષાર્થ કરે
છે અને એ સ્થિરતા થવી તે જ સંવર-નિર્જરારૂપ મોક્ષમાર્ગ છે. બાકી વર્ષીતપ આદિ
ક્રિયા મોક્ષમાર્ગ નથી.
સ્વરૂપના નિર્વિકલ્પ અનુભવકાળે ધર્મીને ઘણી ઘણી નિર્જરા થાય છે. લોકો કહે
છે કે શાસ્ત્રના સ્વાધ્યાયમાં નિર્જરા થાય છે પણ ભાઈ! પરાશ્રયે નિર્જરા ક્યાંથી થાય?
નિર્જરા તો સ્વરૂપમાં સ્થિરતા કરવાથી જ થાય.
શ્રોતાઃ- અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે હું મારી પરિણતિની વિશુદ્ધતા માટે આ
ટીકા રચું છું. તો અહીં ટીકા લખવાથી નિર્જરાની વાત તો આવી?
પૂજ્ય ગુરુદેવઃ- અરે ભાઈ! તેનો અર્થ સમજવો જોઈએ. નિર્જરા તો સ્વરૂપ-
સ્થિરતાથી જ થાય છે. ટીકા લખવાના વિકલ્પથી ભિન્ન આચાર્યનું ઘોલન અંદરમાં
ચાલી રહ્યું છે તેનાથી નિર્જરા થાય છે.
ચોથા ગુણસ્થાનથી સ્વરૂપાચરણ ચારિત્ર શરૂ થઈ જાય છે. ન્યાયથી જ વાત છે.
શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ થતાં અંશે સ્થિરતા થાય છે. સમ્યગ્દ્રષ્ટિ થતાં મિથ્યાત્વનો નાશ
અને સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે તેમ અનંતાનુબંધીનો નાશ થાય છે અને
સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે.
જેમ અબજોપતિની દુકાને મુનિમ પણ બુદ્ધિશાળી, મોટો પગારદાર હોય, ઘાંચી
જેવો ન હોય. તેમ આ તો સર્વજ્ઞની પેઢી! ધર્મના મૂળ ધણી એવા સર્વજ્ઞની દુકાને
બેસનારે બહુ જવાબદારી સમજવી જોઈએ. આડી-અવળી ન્યાય વગરની વાત અહીં ન
ચાલે. પ્રભુનો વીતરાગમાર્ગ-ન્યાયમાર્ગ છે.
કોઈ એમ માને છે કે ચોથા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર ન હોય. તો ભાઈ!
સમ્યક્ત્વ થતાં અનંતગુણના અંશ પ્રગટ થાય છે, તેમાં અનંતાનુબંધી કષાયનો નાશ
થતાં શું પ્રગટ થયું? અંશે અકષાયભાવ પ્રગટ થાય છે તે જ સ્વરૂપાચરણ ચારિત્ર છે.
વસ્તુસ્થિતિ જ આમ છે ત્યાં વાદવિવાદનો અવકાશ જ નથી.
આહાહા...અનંતકાળમાં માંડ આવો અવસર મળ્‌યો છે. નિગોદથી નીકળી
પંચેન્દ્રિય થવું જ દુર્લભ છે ત્યાં મનુષ્યપણું મળવું અને યથાર્થ વાત કાને પડવી અને
તેની રુચિ થવી એ તો મહા...મહા...મહાદુર્લભ છે.
ચોથા ગુણસ્થાનની વાત આગળ થઈ ગઈ. હવે પાંચમા ગુણસ્થાનની વાત કરે છે
કે અહીં સ્વરૂપમાં સ્થિરતાની વૃદ્ધિ થાય છે અને અપ્રત્યાખ્યાન કષાયનો નાશ થાય છે.
ભગવાન અક્રિય શુદ્ધબિંબ તે નિશ્ચય છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની
પર્યાય થાય છે તે ભેદરૂપ છે માટે તેને અહીં વ્યવહાર કહી છે. મોક્ષમાર્ગની પર્યાયના
આશ્રયે મોક્ષમાર્ગ

Page 197 of 238
PDF/HTML Page 208 of 249
single page version

background image
પરમાત્મા] [૧૯૭
થતો નથી. નિશ્ચય શુદ્ધબિંબ દ્રવ્યના આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટ થાય છે માટે શુદ્ધપર્યાયને
વ્યવહાર કહી છે.
પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવકને સર્વાર્થસિદ્ધિના દેવ કરતાં પણ શાંતિ વધી જાય
છે. જ્ઞાન વિશેષ નથી પણ સ્થિરતા વધી ગઈ છે તેથી શાંતિ વિશેષ છે. જેને (-
આત્માને) દ્રષ્ટિમાં પકડયો અને તેમાં આગળ વધ્યો તેને હવે શું બાકી રહે? શ્રાવકને
પડિમા હોય છે એ તો વ્યવહાર છે પણ અંદરમાં સ્થિરતાના અંશો વધે છે એ ખરેખર
પડિમા છે. આગળ વધતાં છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનમાં સ્થિરતા વિશેષ વધી જાય છે અને
પ્રત્યાખ્યાન કષાયનો નાશ થાય છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં છઠ્ઠાથી પણ વિશેષ
સ્થિરતા વધી જાય છે-એમ વધતાં-વધતાં બારમા ગુણસ્થાનમાં વીતરાગતા થતાં
અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થઈ જાય છે.
ભાઈ! આ તત્ત્વ તો ધીરજથી સમજાય તેમ છે પક્ષથી કે આગ્રહથી આ વાત ન
સમજાય. એક આત્માની લગની લાગી હોય તેને જ આ સમજાય. ઇષ્ટોપદેશમાં કહ્યું છે કે
‘તું એક આત્મા સંબંધી જ પ્રશ્ન પૂછ! તેનો જ ઉત્તર માંગ. માત્ર જાણવાના વિષયમાં
આગળ વધીને શું કરીશ? આત્માને તો પહેલાં સમજી લે!’ મોક્ષના પ્રેમીનું એ કર્તવ્ય છે
કે આત્મા સંબંધી જ પ્રશ્ન કરે. આત્માની સમજણ વગર ધ્યાન પણ વ્યર્થ છે.
હવે ૯૨ મી ગાથામાં મુનિરાજ યોગસારની વિશેષ સ્પષ્ટતા કરતાં કહે છે કે જે
આત્મામાં લીન છે તે જીવ કર્મોથી બંધાતો નથી.
जइ सलिलेण ण लिप्पियइ कमलणि–पत्त कया वि ।
तह कम्मेहिं ण लिप्पियइ जइ रइ अप्प–सहावि ।। ९२।।
પંકજ જ્યમ પાણી થકી, કદાપિ નહિ લેપાય;
લિપ્ત ન થાયે કર્મથી, જે લીન આત્મસ્વભાવ.
૯૨.
ગાથામાં એક શરત મૂકી દીધી છે કે જો તું એક આત્માની પ્રીતિ કર, રતિ કર,
રુચિ કર તો તું અવશ્ય કર્મોથી છૂટીશ અને નિર્વાણ પામીશ. સમયસારમાં નિર્જરા
અધિકારની ૨૦૬ ગાથામાં લીધું છે કે “તું આત્માની પ્રીતિ કર, આત્મામાં સંતુષ્ટ થા,
તેમાં જ તૃપ્તિ પામ, તને ઉત્તમ સુખ થશે.”
લોકો વ્રત, ભક્તિ પૂજા, સિદ્ધગીરીના દર્શન વગેરેથી લાભ માને છે અને
આત્માની વાતથી ભડકે છે. પણ ભાઈ! સિદ્ધગીરી તું પોતે જ છો, તું તારા દર્શન કર
ને! તારો ભગવાન અનંતી સિદ્ધ પર્યાયને અંતરમાં રાખીને બેઠો છે એ સિદ્ધગીરી ઉપર
ચડ તો તારી જાત્રા સફળ થશે. શત્રુનો જય કરનારો શત્રુંજય પણ તારો ભગવાન
આત્મા છે તેની યાત્રા કર! અશુભથી બચવા શુભભાવ આવે. ન આવે એમ નથી પણ
અંતરમાં નક્કી નિર્ણય રાખજે કે સ્વાશ્રય વિના કદી મુક્તિ નથી, કલ્યાણ નથી.
ગાથામાં દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ કમલિનીનું પત્ર કદાપિ પાણીથી લેપાતું નથી. તેમ
જે આત્મસ્વભાવમાં લીન છે તે કર્મોથી લેપાતો નથી. આત્મામાં લીન એવો ભવ્યજીવ

Page 198 of 238
PDF/HTML Page 209 of 249
single page version

background image
૧૯૮] [હું
મોક્ષમાર્ગી છે, તેણે જ રત્નત્રયની એકતા ધારણ કરી છે. એ ભવ્યજીવ વીતરાગ-
સ્વભાવમાં લીન હોય છે અને રાગ-દ્વેષથી ભિન્ન હોય છે, તેથી કર્મોથી બંધાતા નથી.
વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા અને તેમાંથી ઉત્પન્ન થયેલો વીતરાગભાવ
બંધનો નાશ કરનાર છે. સમ્યગ્દર્શન પણ અંશે વીતરાગભાવ છે. તેથી જ સમ્યગ્દ્રષ્ટિને
૪૧ પ્રકૃતિનો બંધ થતો નથી. સમ્યગ્દ્રષ્ટિ લડાઈમાં ઊભો હોય તોપણ જે કર્મોથી તે
બંધાતો નથી તે જ કર્મોથી પરદ્રવ્યની અહંબુદ્ધિ કરનારો અજ્ઞાની બંધાય છે. અનંત
સંસારને વધારનારા ચીકણાં કર્મોથી બંધાય છે, જ્ઞાની બંધાતા નથી.
અહીં સમયસારના છેલ્લાં કળશનો આધાર આપ્યો છે. ધર્મીની દ્રષ્ટિ અને
દ્રષ્ટિના વિષયમાં રાગ-દ્વેષ-મોહ નથી તેથી કહ્યું છે કે ધર્મીને રાગ-દ્વેષ-મોહ હોતાં જ
નથી. તેથી ધર્મીને કર્મોનો બંધ થતો નથી અને સ્વભાવમાં રમણતાને લીધે વીતરાગતા
વધતી જાય છે અને અસ્થિરતાનો જે રાગ છે તે ઘટતો જાય છે.
આમ, સાર એ કહ્યો કે અબંધસ્વભાવના દ્રષ્ટિવંત ધર્મીને બંધ હોતો નથી.
* જેવી રીતે પક્ષીઓ રાત્રે કોઈ એક વૃક્ષ ઉપર
નિવાસ કરે છે અને પછી સવાર થતાં તેઓ સહસા
સર્વ દિશાઓમાં ચાલ્યા જાય છે, ખેદ છે કે તેવી જ
રીતે મનુષ્ય પણ કોઈ એક કુળમાં સ્થિત રહીને પછી
મૃત્યુ પામીને અન્ય કુળોનો આશ્રય કરે છે. તેથી
વિદ્વાન મનુષ્ય તેને માટે કાંઈ પણ શોક કરતા નથી.
(શ્રી પદ્મનંદી-પંચવિંશતિ)

Page 199 of 238
PDF/HTML Page 210 of 249
single page version

background image
પરમાત્મા] [૧૯૯
[પ્રવચન નં. ૩૮]
અતીન્દ્રિય સુખનો સાગરઃ નિજ–પરમાત્મા
[શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૧૯-૭-૬૬]
આ શ્રી યોગસાર નામનું શાસ્ત્ર છે. તેની ૯૩ મી ગાથા ચાલે છે.
શ્રી યોગીન્દુ મુનિરાજ કહે છે કે શમસુખભોગી જ નિર્વાણનું પાત્ર છે.
जो सम–सुक्ख–णिलीणु बुहु पुण पुण अप्पु मुणेइ ।
कम्मक्खउ करि सो वि फुडु लहु णिव्वाणु लहेइ ।। ९३।।
શમ-સુખમાં લીન જે કરે, ફરી ફરી નિજ અભ્યાસ;
કર્મ ક્ષય નિશ્ચય કરી, શીઘ્ર લહે શિવવાસ.
૯૩.
આ આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે અને શરીર, કર્મ અને પુણ્ય-પાપ
આદિ વિકારથી રહિત છે. આવા આત્માનું જેને જ્ઞાન છે તે જ્ઞાની છે ધર્મી છે. હિંસા,
જૂઠું, ચોરી આદિના ભાવ તે પાપ છે અને દયા-દાન આદિના ભાવ તે પુણ્યભાવ છે,
તેનાથી પણ રહિત અંદર શુદ્ધ અતીન્દ્રિય જ્ઞાન-આનંદસ્વરૂપ ભગવાન આત્મા બિરાજે
છે તેની અંદરમાં રુચિ થવી અને તેનો અનુભવ કરવો તે ધર્મ છે.
ઝીણી વાત છે ભાઈ! કેટલાકે તો આવી વાત ક્યારેય સાંભળી પણ ન હોય.
જેવો સિદ્ધમાં આનંદ છે એવો આ આત્માના અંતરસ્વરૂપમાં આનંદ છે. અનાદિથી
મિથ્યાદ્રષ્ટિ જીવ આવા આનંદસ્વરૂપને ભૂલીને શુભાશુભ વિકાર જ મારું સ્વરૂપ છે અને
પરદ્રવ્યમાં મારું સુખ છે એવી મિથ્યા માન્યતા સેવી રહ્યો છે, તેને સર્વજ્ઞ પરમેશ્વર
કેવળજ્ઞાની ભગવાન કહે છે કે ભાઈ! પરદ્રવ્ય તારી ચીજ નથી અને પુણ્ય-પાપ એ
પણ વિકાર છે, કૃત્રિમ ઉપાધિ-મેલ છે. તે તારી ચીજમાં નથી. તું તો અતીન્દ્રિય સુખનો
સાગર છે.
અનંતકાળમાં અજ્ઞાની જીવ ત્યાગી થયો, ભોગી થયો, રાજા થયો, રંક થયો,
રોગી થયો, નિરોગી થયો, અનંતા ભવભ્રમણ કર્યા પણ કોઈ દિવસ આત્મા શું છે અને
આત્મામાં શું છે તેનો વિચાર ન કર્યો.
પરમેશ્વર વીતરાગદેવે ફરમાન કર્યું છે કે ભાઈ! અમને જે શમ-સુખસ્વરૂપ
વીતરાગી આનંદ પ્રગટયો છે તે અતીન્દ્રિય આનંદ તારી વસ્તુમાં પણ પડયો છે. આત્મા
ધર્મી છે અને અતીન્દ્રિય જ્ઞાન આનંદ આદિ તેના ધર્મો છે, પણ આ જીવે અનંતકાળમાં
એક સેકંડ પણ પોતાના ધર્મોની રુચિ કરી નથી અને પુણ્ય-પાપની રુચિ છોડી નથી.
જેણે એકવાર પોતાના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લીધો-આનંદના વેદનપૂર્વક
ધર્મની જેણે શરૂઆતરૂપ સમ્યગ્દર્શન પ્રગટ કર્યું તે જીવ જ્ઞાની અને ધર્મી છે, આવા
ધર્મી ભલે

Page 200 of 238
PDF/HTML Page 211 of 249
single page version

background image
૨૦૦] [હું
છખંડના રાજા ચક્રવર્તી હો કે સ્વર્ગના ઇન્દ્ર હો પણ તેઓ સ્વભાવ સિવાય બહારમાં
ક્યાંય સુખ માનતા નથી. આવા જ્ઞાની શમ-સુખમાં લીન થઈને વારંવાર આત્માનો
અનુભવ કરે છે.
પુણ્ય-પાપભાવની રુચિ છોડીને જે અંતરના શ્રદ્ધા જ્ઞાનમાં અતીન્દ્રિય આનંદનો
સ્વાદ લે છે તે ગૃહસ્થાશ્રમમાં રહ્યો હોય તોપણ ધર્મી છે.
“કેવલીપણંતો ધમ્મો શરણં” એવા ગડિયા તો લોકો સવાર સાંજ બોલી જાય છે
ને! એ કેવળીભગવાન સર્વજ્ઞદેવ સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં આ વાત કહે છે કે ભાઈ!
તેં અનંત કાળથી પરિભ્રમણ કર્યું તેનું એક જ કારણ છે કે તને અતીન્દ્રિય
આનંદસ્વભાવની અરુચિ અને પુણ્ય-પાપભાવની રુચિ પડી છે.
જે સિદ્ધભગવાન થયા એ ક્યાંથી થયા? એ નિર્દોષ દશા લાગ્યા ક્યાંથી? શું એ
બહારથી આવે છે? અરે! સ્વભાવમાં છે તે પ્રગટ થાય છે, બહારથી કાંઈ આવતું નથી.
લીંડીપીપરનો દાખલો આપીએ છીએ કે લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાશ અને લીલો
રંગ અંદરમાં છે તે ઘૂંટવાથી પ્રગટ થાય છે, કાંઈ પથ્થરમાંથી તે તીખાશ અને રંગ
આવતા નથી, જો એમ હોય તો તો કાંકરા ઘસવાથી પણ તીખાશ આવવી જોઈએ, પણ
એમ નથી. પ્રાપ્તની પ્રાપ્તિ છે, પીપરમાં શક્તિ છે તે બહાર આવે છે. કુવામાં પાણી છે
તો અવેડામાં આવે છે, તેમ આત્મામાં અતીન્દ્રિય આનંદ અને સર્વજ્ઞપદ પડયું છે તે
તેમાં લીન થતાં પ્રગટ થાય છે. વીતરાગી વકીલ એવા સર્વજ્ઞદેવની એક એક વાત
ન્યાયથી ભરેલી છે.
લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાશ ભરી છે તેમ આત્મામાં અતીન્દ્રિય આનંદ
ભર્યો પડયો છે એવી ધર્મીને ભરોંસો આવી ગયો છે તેથી તેને સ્ત્રી, કુટુંબ, રાજપાટમાં
કે પુણ્ય-પાપમાં ક્યાંય આનંદ દેખાતો નથી, ક્યાંય સુખ લાગતું નથી.
લોકોને એમ લાગે કે કોણ જાણે આ તે પણ વાત શું વાત કરે છે? પણ પ્રભુ!
તું અરૂપી પણ અતીન્દ્રિય આનંદનું દળ છો જેમ એક ઠંડી બરફની સાડાત્રણ હાથની
શીલા હોય તો તેમાં જેમ ચારે બાજુ ઉપર-નીચે, મધ્યમાં બધે ઠંડુ...ઠંડુ...ઠંડું જ ભર્યુ છે,
તેમ આ આત્મા દેહવ્યાપક પણ દેહથી ભિન્ન અતીન્દ્રિય આનંદની શીલા છે, પણ
જીવોને બરફની શીલાનો વિશ્વાસ આવે છે પણ પોતાની અતીન્દ્રિય આનંદની પાટનો
વિશ્વાસ આવતો નથી; આવા આત્માનો જ્યાં સુધી વિશ્વાસ ન આવે, અંતરજ્ઞાન અને
અનુભવ ન થાય ત્યાં સુધી તેને ધર્મની ગંધ પણ આવી નથી.
એક એક ગાથામાં મહાસિદ્ધાંત-મહામંત્ર ભર્યા છે. “શમ-સુખમાં લીન જે રહે”
એટલે પુણ્ય-પાપ ભાવ છે તે વિષમ છે, દુઃખરૂપ છે, તેનાથી વિરુદ્ધ સુખરૂપ એવા
શમસુખમાં જે લીન થાય છે-અતીન્દ્રિય આનંદમાં રુચિ જમાવે છે અને વારંવાર તેનો
અભ્યાસ કરે છે તેને સંવર-નિર્જરા થાય છે.
હાથમાં પુસ્તક છે ને! જે વંચાય તેની મેળવણી કરતી જવી જોઈએ. નામાની
ચોપડી એકબીજા મેળવે છે ને! તેમ અહીં પણ પુસ્તક પાસે જોઈએ.
માખી જેવા પ્રાણીને પણ ફટકડી ફીકી લાગે છે અને સાકર મીઠી લાગે છે તો સાકર

Page 201 of 238
PDF/HTML Page 212 of 249
single page version

background image
પરમાત્મા] [૨૦૧
ઉપરથી માખી ખસતી નથી તેમ પુણ્ય-પાપના ભાવ ફટકડી જેવા ફીક્કા-દુઃખરૂપ છે
અને આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદ સાકરના ગાંગડાની જેમ ધર્મીને મીઠા લાગે
છે તેથી ધર્મી તેમાં લીન થાય છે. શરીર તો અજીવતત્ત્વ છે અને પુણ્ય પાપ એ
આસ્રવતત્ત્વ છે તેનાથી રહિત હું તો જીવતત્ત્વ છું એવા દ્રષ્ટિવંત ધર્મી પોતાના શમ-
સુખમાં લીન થઈને વારંવાર આત્માનો અનુભવ કરે છે.
શમ-સુખમાં લીનતા કહીને મુનિરાજ કહેવા માગે છે કે નિર્વાણના ઉપાયમાં કષ્ટ
નથી. મોક્ષના ઉપાયમાં દુઃખ નથી. કષ્ટ-દુઃખ સહન કરવામાં તો આકુળતા છે,
મોક્ષમાર્ગમાં આકુળતા ન હોય. મોક્ષમાર્ગમાં તો શમસુખમાં લીનતારૂપ સુખ હોય.
વીતરાગમાર્ગ તો ન્યાયમાર્ગ છે. ન્યાયથી વીતરાગદેવ કહે છે કે આ આત્મા
અનાદિકાળથી પોતાના આત્માને ભૂલીને જેટલાં પુણ્ય-પાપ ભાવ કરે છે તેનાથી તે
દુઃખી છે, અજ્ઞાની તેનાથી પોતાને સુખી માને છે. ગાંડાની હોસ્પીટલમાં એક ગાંડો
બીજાને ડાહ્યો કહે તેથી શું એ ડાહ્યો થઈ જાય? તેમ અજ્ઞાની કરોડપતિને સુખી કહે
તેથી શું એ સુખી છે?
સમ્યગ્દર્શન થતાં જ્ઞાની આત્માના અતીન્દ્રિય આનંદમાં લલચાયા છે. અહીં
આનંદ છે...અહીં આનંદ છે...અહીં આનંદ છે-એમ કરીને વારંવાર આત્માના અનુભવનો
જ્ઞાની અભ્યાસ કરે છે અને તેથી કર્મનો નાશ કરીને શીઘ્ર નિર્વાણપદને પ્રાપ્ત થાય છે.
એક ગાથામાં નવેય તત્ત્વ સમાવી દીધા છે. જ્ઞાનીની નજરમાં નવેય તત્ત્વ
તરવરે છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ તે એક જીવતત્ત્વ, કર્મ શરીરાદિ
તે અજીવ તત્ત્વ, આત્મામાં પુણ્ય-પાપભાવ થાય તે આસ્રવતત્ત્વ અને આત્માની દ્રષ્ટિ
અને અનુભવ કરવો તે સંવર-નિર્જરાતત્ત્વ અને એ સંવર-નિર્જરા ઉત્કૃષ્ટ થઈ જાય
ત્યારે પૂર્ણાનંદ પ્રગટ થાય તે મોક્ષતત્ત્વ-આમ નવેય તત્ત્વ અહીં આવી ગયા.
અરે ભગવાન! જીવોને વીતરાગનું કહેલું તત્ત્વ સાંભળવા પણ મળે નહિ ત્યાં એ
સમજે ક્યારે, રુચિ ક્યારે કરે અને અનુભવ ક્યારે થાય? સમજણ વગર અનંતાનંત
ભવ જીવે કર્યા. કાગડા, કૂતરાના ભવમાંથી માંડ અનંતકાળે મનુષ્યપણું મળે તો તેમાં
પણ આ વાત ન સમજે એટલે ફરી એની એ જ દશાને પ્રાપ્ત થાય છે.
વર્તમાનકાળમાં મહાવિદેહમાં સીમંધરપ્રભુ બિરાજે છે. કરોડપૂર્વનું તેમનું આયુષ્ય
છે. મુનિસુવ્રત ભગવાનના સમયમાં થયા છે અને આવતી ચોવીશીના ૧૩મા તીર્થંકર
થશે ત્યારે સીમંધર ભગવાનનો નિર્વાણ થશે. તેમના સમવસરણમાં અત્યારે લાખો
કેવળી, ગણધરો, મુનિવરો બિરાજે છે. ઇન્દ્રો ઉપરથી ભગવાનની વાણી સાંભળવા આવે
છે. એ જ આ વાણી છે, સંતોની પણ એ જ વાણી છે.
આત્માના અતીન્દ્રિય આનંદ-શાંતિનો અનુભવ કરવો તેને ભગવાન મોક્ષમાર્ગ
કહે છે અને પુણ્ય-પાપભાવ તે બંધમાર્ગ છે. જીવોને આ તત્ત્વનો નિર્ણય કરવાનો માંડ
કરીને આ મનુષ્યપણામાં અવસર મળ્‌યો છે તેને જે ગુમાવી દે છે એવા મનુષ્યો અને
નિગોદના જીવમાં

Page 202 of 238
PDF/HTML Page 213 of 249
single page version

background image
૨૦૨] [હું
કાંઈ ફેર નથી. જેને આત્માની દ્રષ્ટિ અને અનુભવ નથી તેને માણસનું શરીર હો કે
નિગોદનું શરીર હો તેમાં કાંઈ ફેર નથી. કેમ કે એકેયમાં તેના આત્માને લાભ નથી.
‘શમ-સુખ’ એક શબ્દમાં પણ મુનિરાજે કેટલાં ભાવ ભર્યા છે! શમ-સુખમાં
લીન એવો ચક્રવર્તી હોય તે જાણે છે કે આ બહારના સ્વાદ તે મારા નહિ રે નહિ.
મારા સ્વાદ તો અંદરમાં છે. જરી રાગ છે તેથી છ ખંડના રાજમાં પડયા છે, પણ
સ્વભાવના આનંદને એ ભૂલતા નથી. જેમ નટ દોરી ઉપર નાચતો હોય પણ તે ભૂલે
નહિ કે મારા પગ દોરી ઉપર છે, ભૂલે તો પડી જાય. તેમ ચક્રવર્તીને સુંદર રૂપવાળી
૯૬૦૦૦ તો રાણીઓ છે, ઇન્દ્ર તો જેનો મિત્ર છે, હીરા-માણેકના સિંહાસન છે,
વૈભવનો પાર નથી પણ તેમાં ફસાઈને એ સ્વભાવના આનંદને ભૂલતા નથી. તેની
રુચિ તો સ્વભાવમાં જ પડી છે, તેનું જ નામ સમ્યગ્દ્રષ્ટિ છે.
લોકો કહે છે કે જેમ પરીષહ વધારે સહન કરે તેમ વધારે લાભ. અરે! પરીષહ
સહન કરવા એ તો દુઃખ છે તેમાં લાભ કેવો? જ્ઞાનીને સ્વભાવના ઉલ્લસિત વીર્ય અને
અતીન્દ્રિય આનંદ આગળ બહાર લાખ પ્રતિકૂળતા હોય તોપણ તેને જ્ઞેય તરીકે જાણે
છે. બહારમાં મને કોઈ પ્રતિકૂળ નથી તેમ કોઈ અનુકૂળ પણ નથી. મને તો મારા
વિકારી ભાવ પ્રતિકૂળ છે, અનિષ્ટ છે અને દુઃખરૂપ છે અને મારો સ્વભાવ મને
અનુકૂળ છે તેમ જ્ઞાની જાણે છે. માટે દુઃખ સહન કરવું તે મોક્ષનો ઉપાય નથી પણ
ચંદનની શીતળ શિલા જેવા અતીન્દ્રિય સ્વભાવની શાંતિ અને સુખનું વેદન કરવું તે
મોક્ષનો ઉપાય છે.
જેમ દરિયામાં કાંઠે ભરતી આવે છે તેમ આત્મા અતીન્દ્રિય આનંદનો મોટો
દરિયો છે તેની દ્રષ્ટિ અને એકાગ્રતા કરતાં વર્તમાન પર્યાયમાં આનંદની ભરતી આવે
છે. તે મોક્ષનો ઉપાય-મોક્ષમાર્ગ-શમસુખ છે.
ભાઈ! તારા મારગડાં જુદાં છે બાપા! દુનિયા બીજાને માને તેથી કાંઈ એ
વીતરાગનો માર્ગ ન થઈ જાય. વીતરાગનો માર્ગ તો શમ-સુખરૂપ છે. પુણ્ય-પાપ ભાવ
તે વીતરાગમાર્ગ નથી. પર્યાયમાં અતીન્દ્રિય આનંદ આવે તે વીતરાગમાર્ગ છે.
સમ્યગ્દ્રષ્ટિ આત્માના આનંદ આગળ ભોગની વાસનાને કાળા નાગ જેવી
દુઃખરૂપ સમજે છે. હજુ સ્થિરતા નથી તેથી રાગ આવે છે પણ તેમાં એને પ્રેમ અને
રુચિ નથી, ૩૨ લાખ વિમાનનો લાડો સમકિતી ઇન્દ્ર બહારમાં ક્યાંય આનંદ માનતો
નથી. આનંદ તો અંદરમાં છે એમ એ માને છે. લોકોને લાગે કે આ હજારો
અપ્સરાઓનો ભોગ લે છે પણ તેને અંદરથી દુઃખ લાગે છે, ઉપસર્ગ લાગે છે, રાગ
ટળતો નથી, સ્વરૂપ-સ્થિરતાની કચાશ છે તેથી રાગ આવે છે પણ એ રોગ લાગે છે-
ઉપસર્ગ લાગે છે, જ્યારે એ જ ભોગમાં મિથ્યાદ્રષ્ટિને મીઠાસ વેદાય છે. સમ્યગ્દ્રષ્ટિ અને
મિથ્યાદ્રષ્ટિમાં આટલો ફેર છે.
સોનાની લગડી ઉપર જુદી જુદી જાતના ચીતરેલાં કપડાં વીંટયા હોય પણ લગડી
કોઈ દિવસ એ ચિતરામણરૂપે કે કપડાં રૂપે થતી નથી, તેમ ભગવાન સોનાની લગડી
છે તેની ઉપર કોઈને સ્ત્રીના, કોઈને પુરુષના, કોઈને હાથીના કે કોઈને કંથવાના
શરીરરૂપ કપડાં

Page 203 of 238
PDF/HTML Page 214 of 249
single page version

background image
પરમાત્મા] [૨૦૩
વીંટયા છે પણ વસ્તુ ભગવાન ચિદાનંદ આનંદકંદ સદાય તેનાથી ભિન્ન તત્ત્વ છે તે
કદી જાતજાતના શરીરરૂપે થતો નથી.
ભાઈ! તું કોણ? તારી દશા કોણ? તું એટલે અતીન્દ્રિય આનંદનો પિંડ, શરીર,
વાણી, મને એ તું નહિ હો ભાઈ! વિકાર પણ તું નહિ. આનંદ અને શાંતિના જીવનથી
ભરેલો તે તું જીવ છો પણ જેમ હરણાની નાભીમાં કસ્તૂરી છે પણ તેની તેને કિંમત નથી,
તેમ તું પોતે ભગવાન આત્મા, તારામાં સર્વજ્ઞપદ પડયું છે પણ તેની તને કિંમત નથી.
ભાઈ! તું વિચાર તો કર કે અનંતા સર્વજ્ઞ થયાં તે સર્વજ્ઞપદ લાવ્યા ક્યાંથી?
પીપરમાં તીખાશ આવી ક્યાંથી? પથ્થરમાંથી આવી કે હતી તેમાંથી પ્રગટ થઈ? પણ
માળાને પોતાનો ભરોસો આવતો નથી. બીડી વગર ચાલે નહિ, દાળ શાક આદિ રસોઈ
સારી ન થાય તો ન ચાલે અને જો સારી હોય, દૂધપાક પૂરી હોય તો તો હરખાઈ જાય
પણ ભાઈ! એ તો છ કલાકે વિષ્ટા થઈ જનારી વસ્તુ છે અને શરીર તેને વિષ્ટા
બનાવનારો સંચો છે માટે એ બધું માટી ધૂળ છે તેમાં ક્યાંય તારું સુખ નથી ભાઈ!
જેમ સાકર ખાતાં મીઠાશ લાગે, લીમડો ખાતાં કડવો લાગે, મીઠું ખાતાં ખારું
લાગે તેમ ભગવાન આત્માનો અનુભવ કરતાં આનંદ આવે. આત્મામાં રમણતાં કરતાં
અતીન્દ્રિય આનંદ આવે તે આત્મધર્મ છે.
શ્રોતાઃ- આત્માને ઓળખવા માટે આટલું બધું સમજવું પડે?
પૂજ્ય ગુરુદેવઃ- ધંધામાં કેટલી માથાકૂટ કરે છે! વ્યાજ તો કાઢે પણ ચક્રવર્તી
વ્યાજ પણ કાઢે! તેમ આમાં પણ જેમ છે તેમ સમજવું તો પડે ને! આત્મા ગળ્‌યો
થઈને સાકરનો સ્વાદ લેતો નથી. ખારો થઈને મીઠાંનો સ્વાદ લેતો નથી. ભિન્ન રહીને
જ્ઞાન કરે છે અને પોતાના સ્વભાવમાં તો અભેદ થઈને અતીન્દ્રિય આનંદનો સ્વાદ લે
છે. આ બધું એણે સમજવું પડશે.

Page 204 of 238
PDF/HTML Page 215 of 249
single page version

background image
૨૦૪] [હું
[પ્રવચન નં. ૩૯]
એકવાર “હું પરમાત્મા છું” એવી દ્રષ્ટિ કર
[શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૦-૭-૬૬]
આ શ્રી યોગસાર શાસ્ત્રની ૯૩ મી ગાથા ચાલે છે.
जो सम–सुक्ख णिलीणु बुहु पुण पुण अप्पु मुणेइ ।
कम्नक्खउ करि सो वि फुडु लहु णिव्वाणु लहेइ ।। ९३।।
શમ-સુખમાં લીન જે કરે, ફરી ફરી નિજ અભ્યાસ;
કર્મ ક્ષય નિશ્ચય કરી, શીઘ્ર લહે શિવવાસ.
૯૩.
અહીં આ ગાથામાં આત્મા પોતાના આનંદસ્વભાવને જાણીને વારંવાર આનંદનો
અનુભવ કરે તો કર્મનો ક્ષય કરીને નિર્વાણને પ્રાપ્ત થાય એવા ભાવ ભર્યા છે.
જેમ સાકર ખાવાથી મીઠાશનો સ્વાદ આવે, લીમડો ખાવાથી કડવો સ્વાદ આવે
અને લવણ ખાવાથી ખારો સ્વાદ આવે, તેમ અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્માની દ્રષ્ટિ
અને અનુભવ કરતાં આનંદનો સ્વાદ આવે. કોઈ પણ પદાર્થનો જે સ્વભાવ હોય તેનો
સ્વાદ આવે. આત્મા પણ એક અતીન્દ્રિય જ્ઞાન-આનંદસ્વરૂપ વસ્તુ છે-પદાર્થ છે, તેમાંથી
અતીન્દ્રિય જ્ઞાન, આનંદ અને શાંતિનો સ્વાદ આવે છે.
આત્મસ્વભાવની રુચિ અને સ્વસન્મુખ થઈને તેનું જ્ઞાન કરવું અને એ રૂપે
પરિણમન કરવું, અનુભવ કરવો તે ધર્મની શરૂઆત-સંવર છે, તેમાં અતીન્દ્રિય
આનંદનો સ્વાદ આવે છે. ત્યાંથી મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. પછી અંતરસ્વરૂપમાં
વારંવાર એકાગ્રતા કરતાં આસ્રવ થોડો થાય છે અને નિર્જરા વિશેષ થાય છે. મારા
સ્વભાવમાં જ મારો આનંદ છે એમ જાણે ત્યાં આનંદ માટે લલચાય છે એ જીવ
અતીન્દ્રિય આનંદના સ્વાદમાં વૃદ્ધિ કરે છે એટલી તેને નિર્જરા વધારે થાય છે અને
આસ્રવ ઓછો થાય છે. આ સાધકજીવની દશા છે.
જેને એકલો આસ્રવ જ છે તે મિથ્યાદ્રષ્ટિ છે, જેને આસ્રવનો સર્વથા અભાવ
અને પૂર્ણ નિર્મળતા છે તે અરિહંતદશા છે અને થોડો આસ્રવ અને નિર્જરા બન્ને છે તે
સાધક જીવની દશા છે.
આત્માની સન્મુખ થવાથી જ સાચા સુખનો અનુભવ થાય છે, એકલા રાગ-દ્વેષ,
હર્ષ-શોક-કર્મચેતના અને કર્મફળચેતનાનો અનુભવ કરવો તે અધર્મદશા છે, તે
મિથ્યાદ્રષ્ટિની બાધકદશા છે.
હવે જ્યાં જીવ સ્વભાવની સન્મુખતા કરીને સાધક થયો ત્યાં તેને આસ્રવ ઘટે છે
અને નિર્જરા વધી જાય છે. તેથી જ તેને સાધકપણું પ્રગટયું કહેવાય. જગતમાં ક્યાંય
નથી એવું

Page 205 of 238
PDF/HTML Page 216 of 249
single page version

background image
પરમાત્મા] [૨૦પ
પોતાનું અતીન્દ્રિય સુખ જેણે અનુભવ્યું એવા સાધકજીવને પોતાના અતીન્દ્રિય આનંદ
અને સુખની લાલચ લાગે છે.
પોતાના સ્વભાવના બેભાનપણાને લીધે મૂઢ-મિથ્યાદ્રષ્ટિ જગતના ઇન્દ્ર, ચક્રવર્તી
આદિના વૈભવોમાં સુખની કલ્પના કરે છે, પણ ખરેખર તે દુઃખ છે. ધર્મીની દ્રષ્ટિમાં
સુખબુદ્ધિ આત્મામાં જ છે. એકલા રાગ-દ્વેષ, પુણ્ય-પાપભાવનો અનુભવ કરવો તે તો
અધર્મધ્યાન છે. તેની રુચિ છોડી સ્વભાવની દ્રષ્ટિ કરતાં ધર્મધ્યાન પ્રગટ થાય છે. કોઈ
કહે ધર્મધ્યાન એટલે શુભભાવ તો તે વાત ખોટી છે. સ્વભાવ સન્મુખની એકતા તે
ધર્મધ્યાન છે અને ઉગ્રપણે એકતા થવી તે શુક્લધ્યાન છે.
અહા! અનંતકાળમાં સાક્ષાત્ પ્રભુ પાસે પણ આ જીવ જઈ આવ્યો પણ
બહિર્મુખદ્રષ્ટિ છોડી નહિ. બહારથી મને લાભ થશે એ માન્યતા છોડી નહિ. એ રીતે
પોતે અંતર્મુખ ભગવાન આત્માને દ્રષ્ટિમાંથી ઓજલ કરી નાખ્યો છે.
આહાહા...! ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ આત્મા કેવો છે? તો કહે છે કે
સર્વજ્ઞભગવાનની વાણીમાં પણ જેના પૂરા ગુણ આવી ન શકે તેવો આ ભગવાન
આત્મા છે. શ્રીમદ્ કહે છે ને! ‘જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પણ
શ્રી ભગવાન જો.’ ગોમ્મટસારમાં પણ આવે છે કે ‘ભગવાને જાણ્યું છે તેનાથી
અનંતમાં ભાગે જ કહી શક્યા છે.’ ભાવમુક્ત ભગવાન અરિહંત જ્યાં વાણીમાં
આત્માનું પૂરું સ્વરૂપ કહી ન શક્યા ત્યાં ‘તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.’
જેમ મૂંગો ગોળનો સ્વાદ કહી શક્તો નથી પણ અનુભવી શકે છે. તેમ ભલે
આત્માનું વર્ણન વાણીમાં પૂરું ન આવે પણ અનુભવગોચર થઈ શકે એવું સ્વરૂપ છે.
પુણ્ય-પાપથી રહિત આત્મા અનુભવમાં આવે છે.
ભગવાન આત્મા ચૈતન્ય પિંડ, ચેતન્ય દળ, ચૈતન્ય નૂર, ચૈતન્ય પૂર એવો
પૂર્ણાનંદપ્રભુ તેની દ્રષ્ટિ અને ધ્યાનથી ગુણસ્થાનની શ્રેણી વધે છે. રાગના કે પુણ્યના
અવલંબનથી ગુણસ્થાનની શ્રેણી વધતી નથી. ચૈતન્યની એકાગ્રતાની ધારાએ
ગુણસ્થાનની ધારા વધે છે.
નિશ્ચયનય ત્રિકાળ શુદ્ધ આત્મસ્વભાવના દર્શન કરાવે છે, જ્યારે વ્યવહારનય તો
ભેદ, રાગ અને નિમિત્તના દર્શન કરાવે છે. સમયસારની છઠ્ઠી ગાથામાં પુણ્ય-પાપના
ભેદ કાઢી નાખ્યા, અસદ્ભૂત ઉપચાર અને અનુપચાર વ્યવહારનયને કાઢી નાખ્યો અને
સાતમી ગાથામાં સદ્ભૂત અનુપચાર જે ગુણ-ગુણીના ભેદનો વ્યવહાર તે પણ કાઢી
નાખ્યો, એકલો જ્ઞાયકસ્વરૂપ આત્મા બધાથી જુદો બતાવી દીધો છે.
એકલો ભગવાન જ્ઞાયક...જ્ઞાયક...જ્ઞાયક (‘જ્ઞાયક’ એવો વિકલ્પ નહિ)
ચેતન્યના નૂર વિનાના પુણ્ય-પાપના વિકલ્પોથી ભિન્ન પડેલો ‘જ્ઞાયક’ તેનું જ્ઞાનભાવે
પરિણમન કરતાં દ્રષ્ટિમાં જ્ઞાયકભાવ આવે છે તે ધર્મદ્રષ્ટિ છે. આ દ્રષ્ટિ વિના
ત્રણકાળમાં મોક્ષ નથી.
કોઈ કહે કે પંચમકાળમાં નિશ્ચય મોક્ષમાર્ગ હોય નહિ માટે વ્યવહાર-મોક્ષમાર્ગ જે
પુણ્ય-પરિણામ તેનું આચરણ કરો તે મોક્ષમાર્ગ છે. અરે! પણ નિશ્ચય વિના વ્યવહાર હોય જ
નહિ, સ્વાશ્રય નિશ્ચય પ્રગટે ત્યારે કાંઈક પરાશ્રય બાકી રહી જાય તે વ્યવહાર છે. એકલો

Page 206 of 238
PDF/HTML Page 217 of 249
single page version

background image
૨૦૬] [હું
પરાશ્રયભાવ હોય તે તો મિથ્યાદ્રષ્ટિ છે અને એકલો જેને સ્વાશ્રય પૂરો પ્રગટ થઈ ગયો
તે ભગવાન પરમાત્મા છે, અને સ્વભાવની દ્રષ્ટિથી સ્વાશ્રય પ્રગટ થયો પણ હજી સાથે
થોડો પરાશ્રય રહી ગયો તે સાધકદશાનો વ્યવહાર છે.
આ વસ્તુસ્થિતિ છે, તે ત્રણકાળમાં કદી ફરે નહિ.
અનંતકાળમાં જીવે બહાર જ ડોકિયાં માર્યા છે. સ્વાશ્રય ક્યારેય કર્યો જ નથી.
એકવાર જો ‘હું પરમાત્મસ્વરૂપ છું’ એમ દ્રષ્ટિ કરે તો બહિરાત્મા મટીને અંતરાત્મા થઈ
જાય. સીધી વાત છે. ભગવાન આત્મા પોતે સીધો-સરળ ચિદાનંદ ભગવાન પડયો છે
“સત્ સરળ છે, સત્ સર્વત્ર છે અને સત્ સુલભ છે” પણ જીવે પોતે એવું દુર્ગમ કરી
નાખ્યું છે કે કે સત્ વાત સાંભળવી પણ એને મોંઘી પડે છે.
આ જૈનધર્મ કોઈ સંપ્રદાય નથી. વસ્તુનું સ્વરૂપ છે. પોતાના પૂર્ણાનંદનો આશ્રય
લઈને અજ્ઞાન-રાગ-દ્વેષાદિ પરનો આશ્રય ટાળે તેને જૈન કહેવામાં આવે છે. પરમેશ્વરે
કાંઈ નવો ધર્મ નથી કર્યો.
અખંડાનંદ પ્રભુ ભગવાન આત્મા એક સમયમાં અનંતગુણનો મોટો પિંડ-રાશિ
છે એ વાત લાવો તો ખરા! અનંતગુણ ન હોય તો વસ્તુ જ ન હોય. અસંખ્યાત
પ્રદેશમાં અનંતગુણનો પિંડ મહાપ્રભુ બિરાજમાન છે. સ્વભાવની મૂર્તિ છે તેનું શું કહેવું?
અરૂપી ચિત્પિંડ, ચિદ્ઘન, વિજ્ઞાનઘન વસ્તુ છે. આકાશના અમાપ... અમાપ અનંત
પ્રદેશોની સંખ્યા કરતાં અનંતાનંત ગુણો એકેએક આત્મામાં છે. એવા આત્માનો આશ્રય
લઈને સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરે તેને આસ્રવ ઘણો ઘટી જાય છે અને સંવર-નિર્જરા
વધી જાય છે. કારણ કે અનંતાનંત ગુણોમાંથી બહુ થોડા-અમુક જ ગુણોમાં વિપરીતતા
રહી છે તેથી આસ્રવ-બંધ થોડો થાય છે અને અનંત... અનંત...ગુણનો આદર અને
બહુમાનથી અનંતા ગુણોની નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે તેથી સંવર-નિર્જરા અધિક
થઈ ગઈ છે. તેથી જ નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિને અબંધ કહ્યો છે, કેમ કે સ્વભાવમાં બંધ
નથી અને તેની દ્રષ્ટિમાં બંધ નથી તેથી બંધના ભાવને જ્ઞેયમાં નાખીને સમ્યગ્દ્રષ્ટિને
અબંધ કહ્યો છે. રાગથી, નિમિત્તથી તથા ભેદથી ભિન્ન અધિક આત્માની દ્રષ્ટિ થઈ તેને
મોક્ષમાર્ગ તો તેના હાથમાં આવી ગયો.
શ્રોતાઃ- વાહ પ્રભુ વાહ! આત્મા હાથમાં આવી ગયો તેનું શું બાકી રહ્યું? વાહ
દ્રષ્ટિનું જોર છે કાંઈ!
ભાઈ! એ વસ્તુનું જ જોર છે. તેની દ્રષ્ટિ કરી એટલે દ્રષ્ટિમાં પણ જોર આવી ગયું.
દ્રષ્ટિના જોરથી ધર્મીનું જ્ઞાન જાણે છે કે પૂર્ણ આનંદની પ્રાપ્તિ વિના હું અતૃપ્ત છું.
જેમ પેટ પૂરું ન ભરાય ત્યાં સુધી હું ભૂખ્યો છું એમ લાગે છે ને! તેમ ધર્મી પૂર્ણાનંદની
પ્રાપ્તિ વિના અતૃપ્ત છે. તેથી જેને પૂર્ણાનંદની ઝંખના છે એવા મોક્ષાર્થી-ધર્મી જીવો
નિર્વાણનું લક્ષ રાખીને શમ-સુખને ભોગવતા થકા, આત્માનો વિશેષ વિશેષ અનુભવ
કરતાં કરતાં શીઘ્ર નિર્વાણને પામે છે.

Page 207 of 238
PDF/HTML Page 218 of 249
single page version

background image
પરમાત્મા] [૨૦૭
પુણ્ય-પાપના ભાવ અને તેના ફળરૂપ હર્ષ-શોક તે બન્ને કર્મચેતનાથી અને
કર્મફળચેતનાથી રહિત જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માની જ્ઞાનચેતનાને સમ્યગ્દ્રષ્ટિ
નચાવે છે અને કર્મચેતના તથા કર્મફળચેતનાને છોડે છે.
અરે! પણ જીવ જેમાં ભરપૂર માલ ભર્યો છે તેની સામે નજર કરવાનો વખત
લેતો નથી અને જેમાં કાંઈ નથી એવા પુણ્ય-પાપભાવ અને નિમિત્તમાં જ મારું સર્વસ્વ
છે એમ માનીને તેને વળગ્યો છે. તેથી જ અમૃતચંદ્રાચાર્યે ૪૧૩ ગાથામાં કહ્યું છે કે
અજ્ઞાની જીવો અનાદિરૂઢ-વ્યવહારમૂઢ અને નિશ્ચય અનારૂઢ છે, અને જ્ઞાની વ્યવહારમૂઢ
નથી, પણ વ્યવહારને જાણનાર છે. નિશ્ચય વસ્તુ દ્રષ્ટિમાં આવ્યા પછી થોડી અસ્થિરતાને
લીધે રાગ આવે છે તે વ્યવહાર છે એમ જ્ઞાની જાણે છે. નિશ્ચય વગર વ્યવહાર
ત્રણકાળમાં હોતો જ નથી.
જેમ રાજા થઈને ભિક્ષા માંગવા જાય તો એ મૂરખ છે તેમ આ આત્મા પોતે
ત્રણલોકનો નાથ થઈને ભગવાન પાસે પોતાનું ભગવાનપણું માંગવા જાય છે. તેને
મુનિરાજ કહે છે કે ‘પ્રભુ! તું જ ભગવાન છો’ પણ તેને પોતાનું સ્વરૂપ જોવાની
ફુરસદ નથી. અરે! તેની સન્મુખ દ્રષ્ટિ કરવી, એ મને ઠીક છે, તેમાં મારું હિત છે એમ
પણ તેને હજી બેસતું નથી, અને વ્યવહારની જ રુચિ રહે છે, પણ તેમાં તારું અહિત
થાય છે ભાઈ!
હવે ૯૪ મી ગાથામાં યોગીન્દુ મુનિરાજ ક્ષેત્રથી નાનો પણ ભાવથી મહાન એવા
આત્માનું સ્વરૂપ બતાવે છે.
पुरिसायार–पमाणु जिय अप्पा एहु पवित्तु ।
जोइज्जइ गुण–गणि–णिलउ णिम्मल–तेय–फुरंनु ।। ९४।।
પુરુષાકાર પવિત્ર અતિ, દેખો આતમરામ;
નિર્મળ તેજોમય અને અનંત ગુણગણધામ.
૯૪.
૯૩ ગાથા સુધી આત્માના બહુ વખાણ કર્યા કે આત્મા અનંત જ્ઞાન, અનંત
દર્શન, અનંત આનંદ આદિ અનંત અનંત ગુણનો પિંડ છે. તેથી શિષ્યને પ્રશ્ન ઊઠે છે કે
આવો તે આત્મા ક્ષેત્રથી પણ કેવડો મોટો હશે? તેને મુનિરાજ કહે છે કે ભાઈ! મોટા
ક્ષેત્રથી આત્માની મહાનતા નથી. તેની મહાનતા તો ગુણની અચિંત્યતાથી છે.
વેદાંત આદિ આત્માને સર્વવ્યાપક માને છે તેની સામે પણ આ ગાથા મહા
સિદ્ધાંત રજૂ કરે છે કે આત્મા શરીરપ્રમાણ છે, સર્વવ્યાપક નથી.
ભગવાન આત્મા ક્ષેત્રથી પુરુષાકાર છે અને ભાવથી ગુણગણધામ-ગુણોની ખાણ-
ગુણગણનિલય એટલે ગુણના સમૂહનો નિલય નામ ઘર છે. વળી નિર્મળ તેજથી
સ્ફુરાયમાન છે, અતિ પવિત્ર છે. આવા આત્માને અંતરજ્ઞાન અને શ્રદ્ધાથી જોવો જોઈએ.
વસ્તુદ્રષ્ટિથી જુઓ તો આત્મા ત્રિકાળ નિરાવરણ, સ્ફટિક જેવો શુદ્ધ નિર્મળ છે. વસ્તુને વળી
આવરણ કેવા? આત્મા તો ત્રિકાળ નિરાવરણ, સામાન્ય-વિશેષ ગુણોનો સાગર, જ્ઞાતા-
દ્રષ્ટા, વીતરાગ, પરમાનંદમય, પરમ વીર્યવાન અને શુદ્ધ સમકિત ગુણધારી છે.

Page 208 of 238
PDF/HTML Page 219 of 249
single page version

background image
૨૦૮] [હું
ભગવાન આત્મા પરમ નિર્મળ ચૈતન્યતેજથી ચમકી રહ્યો છે. ચૈતન્યના નૂર,
પ્રકાશના પુંજથી આત્મા ચમકી રહ્યો છે, રાગના તેજથી આત્મા ચમકતો નથી. આવા
ચમકતા આત્મામાં ચિત્તને સ્થિર કરીને ધ્યાન કરવું જોઈએ.
આ ધ્યાન સાચું કોણ કરી શકે છે?-કે મુનિરાજ ઉત્કૃષ્ટ ધ્યાન કરે છે. દેશવ્રતી
શ્રાવક મધ્યમ ધ્યાન કરે છે અને અવિરત સમ્યગ્દ્રષ્ટિ જઘન્ય ધ્યાતા છે. સમ્યગ્દ્રષ્ટિને
સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે એટલી ધ્યાન કરવાની યોગ્યતા પ્રગટી છે. સમ્યગ્દ્રષ્ટિને
સ્વરૂપાચરણ ચારિત્ર હોય છે તેથી ચોથા ગુણસ્થાનથી જ ધ્યાનની શરૂઆત થઈ જાય
છે. તે પહેલાં ધ્યાન હોતું નથી. કેમ કે સમ્યક્ શ્રદ્ધાન વિના આત્માનો સાચો પ્રેમ અને
રુચિ હોતા નથી તેથી આત્માની લગની લાગતી નથી.
અજ્ઞાનીને ધ્યાન કરતાં તો આવડે છે પણ જેને જેની રુચિ હોય તેનું ધ્યાન કરે
ને! અજ્ઞાનીને સંસારની રુચિ છે તેથી તેના ધ્યાનમાં ચડી જાય છે; તો એ ઉલટું ધ્યાન
જેને આવડે છે તેને આત્માની સવળી રુચિ થતાં આત્માનું ધ્યાન કરતાં કેમ ન આવડે?
આવડે જ. ઉલટા ધ્યાનમાં તો તાકાત મોળી પડી જાય છે અને સવળા ધ્યાનમાં તાકાત
ઉગ્રતા ધારણ કરે છે.
હું જ પરમાત્મા છું, મારામાંથી જ પરમાત્મપર્યાય ફાટવાની છે એમ નક્કી કરીને
સ્વભાવની દ્રષ્ટિ કરે તેને પછી સ્વભાવની મહિમા પાસે ઇન્દ્ર ચક્રવર્તીના વૈભવો
તરણાતુલ્ય-તુચ્છ ભાસે છે. આત્માના આનંદ આગળ જ્ઞાનીને આખી દુનિયા દુઃખી
લાગે છે તેથી જ્ઞાની દુનિયાના કોઈ પદને ઈચ્છતા નથી.
* જે સંસારમાં દેવોના ઇન્દ્રોનો પણ વિનાશ
જોવામાં આવે છે; જ્યાં હરિ અર્થાત્ નારાયણ, હર
અર્થાત્ રૂદ્ર અને વિધાતા અર્થાત્ બ્રહ્મા તથા આદિ
શબ્દથી મોટા મોટા પદવી ધારક સર્વ કાળ વડે
કોળીઓ બની ગયા તે સંસારમાં શું શરણરૂપ છે?
(શ્રી સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા)

Page 209 of 238
PDF/HTML Page 220 of 249
single page version

background image
પરમાત્મા] [૨૦૯
[પ્રવચન નં. ૪૦]
નિજ–પરમાત્મ–અનુભવથી જ શાસ્ત્રજ્ઞાનની સફળતા
[શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૨૧-૭-૬૬]
આ શ્રી યોગસાર શાસ્ત્ર છે, તેમાં અહીં ૯પ મી ગાથા ચાલે છે.
અહીં યોગીન્દ્રદેવ કહે છે કે ‘આત્મજ્ઞાની જ સર્વ શાસ્ત્રોનો જ્ઞાતા છે.’ કેમ કે
સર્વ શાસ્ત્રો જાણવાનું ફળ આત્માને જાણવો તે છે. આત્મજ્ઞાન જ સર્વ શાસ્ત્રોનો સાર
છે તેથી આત્મજ્ઞાન સહિતના શાસ્ત્રજ્ઞાનની મુખ્યતા છે.
जो अप्पा सुद्धु वि मुणइ असुइ–सरीर–विभिन्नु ।
सो जाणइ सत्थई सयल सासय–सुक्खहं लीणु ।। ९५।।
જે જાણે શુદ્ધાત્મને, અશુચિ દેહથી ભિન્ન;
તે જ્ઞાતા સૌ શાસ્ત્રનો, શાશ્વત સુખમાં લીન.
૯પ.
આત્મામાં અતીન્દ્રિય આનંદ અંતરમાં ભર્યો પડયો છે. જેમ વસ્તુ શાશ્વત છે તેમ
તેનો અતીન્દ્રિય આનંદ પણ શાશ્વત છે. એવા શાશ્વત આનંદમાં એકાગ્ર થઈને આત્માનો
અનુભવ કરે, આત્માને જાણે તેણે સર્વ જાણ્યું.
આ તો ભાઈ! યોગસાર છે ને! યોગસાર એટલે અંતર આત્મામાં જોડાણ,
મિથ્યાદ્રષ્ટિને અધર્મરૂપ જોડાણ છે અને જ્ઞાનીને આત્મામાં એકાગ્રરૂપ જોડાણ હોય છે.
ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદસ્વરૂપ છે એમ પ્રથમ નિર્ણય કરીને, તેની
સન્મુખ થઈને, જેણે અતીન્દ્રિય આનંદનો અંશે અનુભવ કર્યો અને તે દ્વારા જાણ્યું કે આત્મા
અતીન્દ્રિયજ્ઞાન અને આનંદમય છે તેણે સર્વ જાણ્યું. એકને જાણ્યો તેને સર્વ જાણ્યું.
યોગસારમાં એકલું માખણ ભર્યું છે. યોગીન્દ્રદેવ કહે છે કે પ્રભુ! તારી પાસે જ
તારો આનંદ છે ને! બહાર તું ક્યાં શોધવા જાય છે? આનંદ તો તારો સ્વભાવ છે
ભાઈ! ત્રિકાળી આનંદ આદિ અનંતગુણરૂપ ધર્મનો ધરનાર તું ધર્મી છો. આવા પોતાના
સ્વભાવને જે અનુભવ સહિત જાણે તેણે બાર અંગ અને ચૌદપૂર્વ જાણ્યા કહેવાય.
કારણ કે બધાં શાસ્ત્રમાં કહેવાનો હેતુ તો આત્માનું જ્ઞાન કરવું તે જ છે.
શાસ્ત્રનું જ્ઞાન ત્યારે જ સફળ કહેવાય કે જ્યારે જીવ પોતાના સ્વભાવને યથાર્થ
જાણે. અને આત્માને યથાર્થ જાણ્યો ત્યારે કહેવાય કે જ્યારે જીવ તેની રુચિ કરીને
સ્વભાવનો સ્વાદ લ્યે. આમાં જાણવું, રુચિ અને આનંદનું વેદન આ ત્રણ વાત આવી ગઈ.