Page 190 of 238
PDF/HTML Page 201 of 249
single page version
केवल–णाण वि लहु लहइ सासय–सुक्ख–णिहाणु ।। ९०।।
પામે કેવળજ્ઞાન ઝટ, શાશ્વત સૌખ્યનિધાન.
Page 191 of 238
PDF/HTML Page 202 of 249
single page version
Page 192 of 238
PDF/HTML Page 203 of 249
single page version
દ્રવ્યની ઉપાસના કરે છે, સેવા કરે છે, તેને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે, એ
શુદ્ધતાથી જ જાણ્યું કે ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે. પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થયા વગર ક્યાંથી
જણાય કે દ્રવ્ય શુદ્ધ છે? માટે જ કહ્યું કે પર્યાયમાં દ્રવ્યની સેવા કરીને તેને શુદ્ધ જાણવો
તે દ્વાદશાંગ વાણીનો સાર છે.
જણાય છે. અહો! ચારે પડખેથી સત્ય ઊભું થાય છે. દિવ્યજ્ઞાનની શી વાત? સ્વભાવને
શી મર્યાદા? લોકાલોક તો શું પણ તેથી અનંતગુણા લોકાલોક હોય તેને પણ જાણવાનું
જ્ઞાનમાં સામર્થ્ય છે. સ્વતઃ સ્વભાવ છે, સહજ તાકાત છે. જડ પરમાણુમાં પણ એક
સમયમાં આખા બ્રહ્માંડમાં જવાની તાકાત છે, તો જ્ઞાનની તાકાતનું શું કહેવું? જેનો જે
સ્વભાવ હોય તેમાં મર્યાદા ન હોય.
દેવ હોય તોપણ તે પૂજ્ય નથી. માટે જ કહ્યું છે કે સમ્યગ્દર્શન સહિત નરકવાસ પણ
ભલો છે અને સમ્યગ્દર્શન વિના સ્વર્ગનો વાસ પણ ભલો નથી. સમ્યગ્દર્શન થયું તેનો
તો મોક્ષ થઈ ગયો.
આવી જાય છે. બહાર ક્યાંય શોધવા જવું પડતું નથી.
ઈન્દ્રિયસુખનો દ્રષ્ટિમાંથી ત્યાગ થઈ ગયો.
પરચીજનો માલિક થતો નથી. મિથ્યાત્વદશામાં શરીર અને પરદ્રવ્યમાં અહંકાર, મમકાર
કરતો તે હવે આત્મામાં અહંકાર અને તેના ગુણોમાં મમકાર કરવા લાગ્યો.
ઈષ્ટ-અનિષ્ટની દ્રષ્ટિ છોડીને સ્વભાવપ્રાપ્તિનો ઉદ્યમી થઈ જાય છે. દ્રષ્ટિએ ગુલાંટ ખાધી
ત્યાં બધું બદલાઈ ગયું. તેની મહિમા કેમ કરવી?
Page 193 of 238
PDF/HTML Page 204 of 249
single page version
પહોંચાડી દે છે.
ચારિત્ર આદિ સમ્યગ્દર્શન સહિત હોય તો તેની કિંમત મહારત્ન સમાન થઈ જાય છે.
નથી.
ત્યાજ્ય કહા હૈ. યદિ ચંચલ નેત્રવાલી યુવતિયોંકે યૌવન
ન ઢલતા હોતા, યદિ રાજાઓંકી વિભૂતિ બિજલીકે
સમાન ચંચલ ન હોતી, અથવા યદિ યહ જીવન વાયુસે
ઉત્પન્ન હુઈ લહરોંકે સમાન ચંચલ ન હોતા તબ કૌન
ઈસ સાંસારિક સુખસે વિમુખ હોકર જિનેન્દ્રકે દ્વારા
ઉપદિષ્ટ તપશ્ચરણ કરતા!
Page 194 of 238
PDF/HTML Page 205 of 249
single page version
सो कम्मेहिं ण बंधियउ संचिय–पु व विलाई
કર્મબંધ તે નવ કરે, પૂર્વબદ્ધ ક્ષય થાય. ૯૧.
કદી મરણ પણ થતું નથી. આત્મા અનાદિ અનંત અજન્મ અને અમરણ સ્વભાવી છે.
એવા ગુણસ્વભાવી આત્મામાં જે સ્થિર થાય છે તે મુક્ત થાય છે.
નવા કર્મ બંધાતા નથી અને જૂના કર્મોનો નાશ થઈ જાય છે.
પૂર્વની અશુદ્ધ અવસ્થાનો નાશ થાય છે. નિર્મળતાનો ઉત્પાદ, મલિનતાનો વ્યય અને
ધ્રુવ તો પોતે ત્રિકાળ છે. આવા ઉત્પાદ-વ્યય તે ધાર્મિક ક્રિયા છે. જૈનધર્મની આ ક્રિયા
છે. ચૈતન્યબિંબ ધ્રુવ સ્વભાવ સત્તામાં રુચિ કરીને તે રૂપ પરિણતિ કરીને સ્થિર થવું તે
સંવર નિર્જરારૂપ જૈનધર્મની ધાર્મિક ક્રિયા છે. લાખો શાસ્ત્રો લખવાનો હેતુ-સાર આ
ક્રિયા કરવાનો છે.
જન્મ-મરણથી રહિત છે. આત્મા અસ્તિત્વ, વસ્તુત્વ આદિ સામાન્યગુણ (કે જે ગુણ
બધા દ્રવ્યમાં હોય) અને જ્ઞાન-દર્શન આદિ વિશેષ ગુણોથી સહિત છે. આત્મા
સામાન્યવિશેષ ગુણોનો મોટો સમૂહ છે, તેમાં એકાગ્ર થતાં સંવર-નિર્જરા પ્રગટ થાય છે.
Page 195 of 238
PDF/HTML Page 206 of 249
single page version
દશામાં જીવની રુચિ પુણ્ય-પાપ આદિમાં છે તેથી આનંદગુણનું પરિણમન દુઃખરૂપે થાય
છે. કોઈપણ ગુણની પર્યાય એક સમય પણ ન હોય એમ ત્રણકાળમાં કદી બનતું નથી.
માટે આનંદગુણની પર્યાય તો દરેક સમયે હોય છે પણ તે અજ્ઞાનદશામાં દુઃખરૂપે છે
અને સ્વભાવની શ્રદ્ધા થતાં આનંદગુણની પર્યાય પણ મુખ્યપણે આનંદ- રૂપે પરિણમે
છે, ગૌણપણે સાધકને દુઃખ છે પણ તે વાત અહીં ગૌણ છે.
કે સમ્યગ્દર્શન આખા-પૂર્ણ દ્રવ્યની પ્રતીતિ કરે છે તેથી દ્રવ્યમાં રહેલાં અનંત ગુણોનું
પરિણમન પણ અંશે નિર્મળ થઈ જાય છે.
અજર-અમર છે તો તેના ગુણ પણ અજર-અમર છે અને ગુણ અજર-અમર છે તો
દ્રવ્ય અજર-અમર છે.
સેકંડના અસંખ્યાતમાં ભાગમાં અનંતગુણોની અંશે વ્યક્ત પર્યાય પ્રગટ થઈ જાય.
અને શરીર તથા કર્મ તો તદ્ન ભિન્ન અજીવતત્ત્વ છે. આસ્રવ પણ અનિત્ય તાદાત્મ્યની
અપેક્ષાથી આત્મા સાથે એકરૂપ દેખાય છે પણ નિત્ય તાદાત્મ્યભાવની અપેક્ષાએ તો તે
પર્યાય પણ સંયોગીક છે-પરદ્રવ્ય છે. કર્તાકર્મ-અધિકારની ૬૯-૭૦ ગાથામાં પણ આ
વાત લીધી છે. કેમ કે એ આત્માનું સ્વરૂપ નથી.
સ્વભાવની દ્રષ્ટિથી જુઓ તો પાણી શુદ્ધ જ દેખાય છે. મેલપ છે એ તો માટીનો ભાગ
છે, પાણીનો નહિ. તેમ વર્તમાનમાં આત્મા શુભાશુભ ભાવો સહિત છે તેને
ભેદવિજ્ઞાનની શક્તિથી શરીર, કર્મ અને શુભાશુભ-રાગાદિથી રહિત જોઈ શકાય છે.
જ્ઞાયકભાવ ઉપાદેય છે. શરીરાદિ પરદ્રવ્ય તો જ્ઞેય છે અને રાગાદિ આત્માની અવસ્થામાં
હોવા છતાં દુઃખરૂપ ભાવ છે માટે હેય છે, આશ્રય કરવા લાયક નથી. એ જ્ઞેય અને હેય
ભાવોથી રહિત નિર્મળ શુદ્ધાત્મા ઉપાદેય છે.
Page 196 of 238
PDF/HTML Page 207 of 249
single page version
Page 197 of 238
PDF/HTML Page 208 of 249
single page version
વ્યવહાર કહી છે.
આત્માને) દ્રષ્ટિમાં પકડયો અને તેમાં આગળ વધ્યો તેને હવે શું બાકી રહે? શ્રાવકને
પડિમા હોય છે એ તો વ્યવહાર છે પણ અંદરમાં સ્થિરતાના અંશો વધે છે એ ખરેખર
પડિમા છે. આગળ વધતાં છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનમાં સ્થિરતા વિશેષ વધી જાય છે અને
પ્રત્યાખ્યાન કષાયનો નાશ થાય છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનમાં છઠ્ઠાથી પણ વિશેષ
સ્થિરતા વધી જાય છે-એમ વધતાં-વધતાં બારમા ગુણસ્થાનમાં વીતરાગતા થતાં
અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થઈ જાય છે.
‘તું એક આત્મા સંબંધી જ પ્રશ્ન પૂછ! તેનો જ ઉત્તર માંગ. માત્ર જાણવાના વિષયમાં
આગળ વધીને શું કરીશ? આત્માને તો પહેલાં સમજી લે!’ મોક્ષના પ્રેમીનું એ કર્તવ્ય છે
કે આત્મા સંબંધી જ પ્રશ્ન કરે. આત્માની સમજણ વગર ધ્યાન પણ વ્યર્થ છે.
तह कम्मेहिं ण लिप्पियइ जइ रइ अप्प–सहावि ।। ९२।।
લિપ્ત ન થાયે કર્મથી, જે લીન આત્મસ્વભાવ.
અધિકારની ૨૦૬ ગાથામાં લીધું છે કે “તું આત્માની પ્રીતિ કર, આત્મામાં સંતુષ્ટ થા,
તેમાં જ તૃપ્તિ પામ, તને ઉત્તમ સુખ થશે.”
ને! તારો ભગવાન અનંતી સિદ્ધ પર્યાયને અંતરમાં રાખીને બેઠો છે એ સિદ્ધગીરી ઉપર
ચડ તો તારી જાત્રા સફળ થશે. શત્રુનો જય કરનારો શત્રુંજય પણ તારો ભગવાન
આત્મા છે તેની યાત્રા કર! અશુભથી બચવા શુભભાવ આવે. ન આવે એમ નથી પણ
અંતરમાં નક્કી નિર્ણય રાખજે કે સ્વાશ્રય વિના કદી મુક્તિ નથી, કલ્યાણ નથી.
Page 198 of 238
PDF/HTML Page 209 of 249
single page version
સ્વભાવમાં લીન હોય છે અને રાગ-દ્વેષથી ભિન્ન હોય છે, તેથી કર્મોથી બંધાતા નથી.
૪૧ પ્રકૃતિનો બંધ થતો નથી. સમ્યગ્દ્રષ્ટિ લડાઈમાં ઊભો હોય તોપણ જે કર્મોથી તે
બંધાતો નથી તે જ કર્મોથી પરદ્રવ્યની અહંબુદ્ધિ કરનારો અજ્ઞાની બંધાય છે. અનંત
સંસારને વધારનારા ચીકણાં કર્મોથી બંધાય છે, જ્ઞાની બંધાતા નથી.
નથી. તેથી ધર્મીને કર્મોનો બંધ થતો નથી અને સ્વભાવમાં રમણતાને લીધે વીતરાગતા
વધતી જાય છે અને અસ્થિરતાનો જે રાગ છે તે ઘટતો જાય છે.
સર્વ દિશાઓમાં ચાલ્યા જાય છે, ખેદ છે કે તેવી જ
રીતે મનુષ્ય પણ કોઈ એક કુળમાં સ્થિત રહીને પછી
મૃત્યુ પામીને અન્ય કુળોનો આશ્રય કરે છે. તેથી
વિદ્વાન મનુષ્ય તેને માટે કાંઈ પણ શોક કરતા નથી.
Page 199 of 238
PDF/HTML Page 210 of 249
single page version
શ્રી યોગીન્દુ મુનિરાજ કહે છે કે શમસુખભોગી જ નિર્વાણનું પાત્ર છે.
कम्मक्खउ करि सो वि फुडु लहु णिव्वाणु लहेइ ।। ९३।।
કર્મ ક્ષય નિશ્ચય કરી, શીઘ્ર લહે શિવવાસ.
જૂઠું, ચોરી આદિના ભાવ તે પાપ છે અને દયા-દાન આદિના ભાવ તે પુણ્યભાવ છે,
તેનાથી પણ રહિત અંદર શુદ્ધ અતીન્દ્રિય જ્ઞાન-આનંદસ્વરૂપ ભગવાન આત્મા બિરાજે
છે તેની અંદરમાં રુચિ થવી અને તેનો અનુભવ કરવો તે ધર્મ છે.
મિથ્યાદ્રષ્ટિ જીવ આવા આનંદસ્વરૂપને ભૂલીને શુભાશુભ વિકાર જ મારું સ્વરૂપ છે અને
પરદ્રવ્યમાં મારું સુખ છે એવી મિથ્યા માન્યતા સેવી રહ્યો છે, તેને સર્વજ્ઞ પરમેશ્વર
કેવળજ્ઞાની ભગવાન કહે છે કે ભાઈ! પરદ્રવ્ય તારી ચીજ નથી અને પુણ્ય-પાપ એ
પણ વિકાર છે, કૃત્રિમ ઉપાધિ-મેલ છે. તે તારી ચીજમાં નથી. તું તો અતીન્દ્રિય સુખનો
સાગર છે.
આત્મામાં શું છે તેનો વિચાર ન કર્યો.
ધર્મી છે અને અતીન્દ્રિય જ્ઞાન આનંદ આદિ તેના ધર્મો છે, પણ આ જીવે અનંતકાળમાં
એક સેકંડ પણ પોતાના ધર્મોની રુચિ કરી નથી અને પુણ્ય-પાપની રુચિ છોડી નથી.
ધર્મી ભલે
Page 200 of 238
PDF/HTML Page 211 of 249
single page version
Page 201 of 238
PDF/HTML Page 212 of 249
single page version
અને આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદ સાકરના ગાંગડાની જેમ ધર્મીને મીઠા લાગે
છે તેથી ધર્મી તેમાં લીન થાય છે. શરીર તો અજીવતત્ત્વ છે અને પુણ્ય પાપ એ
આસ્રવતત્ત્વ છે તેનાથી રહિત હું તો જીવતત્ત્વ છું એવા દ્રષ્ટિવંત ધર્મી પોતાના શમ-
સુખમાં લીન થઈને વારંવાર આત્માનો અનુભવ કરે છે.
મોક્ષમાર્ગમાં આકુળતા ન હોય. મોક્ષમાર્ગમાં તો શમસુખમાં લીનતારૂપ સુખ હોય.
વીતરાગમાર્ગ તો ન્યાયમાર્ગ છે. ન્યાયથી વીતરાગદેવ કહે છે કે આ આત્મા
અનાદિકાળથી પોતાના આત્માને ભૂલીને જેટલાં પુણ્ય-પાપ ભાવ કરે છે તેનાથી તે
દુઃખી છે, અજ્ઞાની તેનાથી પોતાને સુખી માને છે. ગાંડાની હોસ્પીટલમાં એક ગાંડો
બીજાને ડાહ્યો કહે તેથી શું એ ડાહ્યો થઈ જાય? તેમ અજ્ઞાની કરોડપતિને સુખી કહે
તેથી શું એ સુખી છે?
જ્ઞાની અભ્યાસ કરે છે અને તેથી કર્મનો નાશ કરીને શીઘ્ર નિર્વાણપદને પ્રાપ્ત થાય છે.
તે અજીવ તત્ત્વ, આત્મામાં પુણ્ય-પાપભાવ થાય તે આસ્રવતત્ત્વ અને આત્માની દ્રષ્ટિ
અને અનુભવ કરવો તે સંવર-નિર્જરાતત્ત્વ અને એ સંવર-નિર્જરા ઉત્કૃષ્ટ થઈ જાય
ત્યારે પૂર્ણાનંદ પ્રગટ થાય તે મોક્ષતત્ત્વ-આમ નવેય તત્ત્વ અહીં આવી ગયા.
ભવ જીવે કર્યા. કાગડા, કૂતરાના ભવમાંથી માંડ અનંતકાળે મનુષ્યપણું મળે તો તેમાં
પણ આ વાત ન સમજે એટલે ફરી એની એ જ દશાને પ્રાપ્ત થાય છે.
થશે ત્યારે સીમંધર ભગવાનનો નિર્વાણ થશે. તેમના સમવસરણમાં અત્યારે લાખો
કેવળી, ગણધરો, મુનિવરો બિરાજે છે. ઇન્દ્રો ઉપરથી ભગવાનની વાણી સાંભળવા આવે
છે. એ જ આ વાણી છે, સંતોની પણ એ જ વાણી છે.
કરીને આ મનુષ્યપણામાં અવસર મળ્યો છે તેને જે ગુમાવી દે છે એવા મનુષ્યો અને
નિગોદના જીવમાં
Page 202 of 238
PDF/HTML Page 213 of 249
single page version
Page 203 of 238
PDF/HTML Page 214 of 249
single page version
કદી જાતજાતના શરીરરૂપે થતો નથી.
ભરેલો તે તું જીવ છો પણ જેમ હરણાની નાભીમાં કસ્તૂરી છે પણ તેની તેને કિંમત નથી,
તેમ તું પોતે ભગવાન આત્મા, તારામાં સર્વજ્ઞપદ પડયું છે પણ તેની તને કિંમત નથી.
માળાને પોતાનો ભરોસો આવતો નથી. બીડી વગર ચાલે નહિ, દાળ શાક આદિ રસોઈ
સારી ન થાય તો ન ચાલે અને જો સારી હોય, દૂધપાક પૂરી હોય તો તો હરખાઈ જાય
પણ ભાઈ! એ તો છ કલાકે વિષ્ટા થઈ જનારી વસ્તુ છે અને શરીર તેને વિષ્ટા
બનાવનારો સંચો છે માટે એ બધું માટી ધૂળ છે તેમાં ક્યાંય તારું સુખ નથી ભાઈ!
અતીન્દ્રિય આનંદ આવે તે આત્મધર્મ છે.
પૂજ્ય ગુરુદેવઃ- ધંધામાં કેટલી માથાકૂટ કરે છે! વ્યાજ તો કાઢે પણ ચક્રવર્તી
થઈને સાકરનો સ્વાદ લેતો નથી. ખારો થઈને મીઠાંનો સ્વાદ લેતો નથી. ભિન્ન રહીને
જ્ઞાન કરે છે અને પોતાના સ્વભાવમાં તો અભેદ થઈને અતીન્દ્રિય આનંદનો સ્વાદ લે
છે. આ બધું એણે સમજવું પડશે.
Page 204 of 238
PDF/HTML Page 215 of 249
single page version
कम्नक्खउ करि सो वि फुडु लहु णिव्वाणु लहेइ ।। ९३।।
કર્મ ક્ષય નિશ્ચય કરી, શીઘ્ર લહે શિવવાસ.
અને અનુભવ કરતાં આનંદનો સ્વાદ આવે. કોઈ પણ પદાર્થનો જે સ્વભાવ હોય તેનો
સ્વાદ આવે. આત્મા પણ એક અતીન્દ્રિય જ્ઞાન-આનંદસ્વરૂપ વસ્તુ છે-પદાર્થ છે, તેમાંથી
અતીન્દ્રિય જ્ઞાન, આનંદ અને શાંતિનો સ્વાદ આવે છે.
આનંદનો સ્વાદ આવે છે. ત્યાંથી મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. પછી અંતરસ્વરૂપમાં
વારંવાર એકાગ્રતા કરતાં આસ્રવ થોડો થાય છે અને નિર્જરા વિશેષ થાય છે. મારા
સ્વભાવમાં જ મારો આનંદ છે એમ જાણે ત્યાં આનંદ માટે લલચાય છે એ જીવ
અતીન્દ્રિય આનંદના સ્વાદમાં વૃદ્ધિ કરે છે એટલી તેને નિર્જરા વધારે થાય છે અને
આસ્રવ ઓછો થાય છે. આ સાધકજીવની દશા છે.
સાધક જીવની દશા છે.
મિથ્યાદ્રષ્ટિની બાધકદશા છે.
નથી એવું
Page 205 of 238
PDF/HTML Page 216 of 249
single page version
Page 206 of 238
PDF/HTML Page 217 of 249
single page version
તે ભગવાન પરમાત્મા છે, અને સ્વભાવની દ્રષ્ટિથી સ્વાશ્રય પ્રગટ થયો પણ હજી સાથે
થોડો પરાશ્રય રહી ગયો તે સાધકદશાનો વ્યવહાર છે.
અનંતકાળમાં જીવે બહાર જ ડોકિયાં માર્યા છે. સ્વાશ્રય ક્યારેય કર્યો જ નથી.
જાય. સીધી વાત છે. ભગવાન આત્મા પોતે સીધો-સરળ ચિદાનંદ ભગવાન પડયો છે
“સત્ સરળ છે, સત્ સર્વત્ર છે અને સત્ સુલભ છે” પણ જીવે પોતે એવું દુર્ગમ કરી
નાખ્યું છે કે કે સત્ વાત સાંભળવી પણ એને મોંઘી પડે છે.
કાંઈ નવો ધર્મ નથી કર્યો.
પ્રદેશમાં અનંતગુણનો પિંડ મહાપ્રભુ બિરાજમાન છે. સ્વભાવની મૂર્તિ છે તેનું શું કહેવું?
અરૂપી ચિત્પિંડ, ચિદ્ઘન, વિજ્ઞાનઘન વસ્તુ છે. આકાશના અમાપ... અમાપ અનંત
પ્રદેશોની સંખ્યા કરતાં અનંતાનંત ગુણો એકેએક આત્મામાં છે. એવા આત્માનો આશ્રય
લઈને સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરે તેને આસ્રવ ઘણો ઘટી જાય છે અને સંવર-નિર્જરા
વધી જાય છે. કારણ કે અનંતાનંત ગુણોમાંથી બહુ થોડા-અમુક જ ગુણોમાં વિપરીતતા
રહી છે તેથી આસ્રવ-બંધ થોડો થાય છે અને અનંત... અનંત...ગુણનો આદર અને
બહુમાનથી અનંતા ગુણોની નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે તેથી સંવર-નિર્જરા અધિક
થઈ ગઈ છે. તેથી જ નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિને અબંધ કહ્યો છે, કેમ કે સ્વભાવમાં બંધ
નથી અને તેની દ્રષ્ટિમાં બંધ નથી તેથી બંધના ભાવને જ્ઞેયમાં નાખીને સમ્યગ્દ્રષ્ટિને
અબંધ કહ્યો છે. રાગથી, નિમિત્તથી તથા ભેદથી ભિન્ન અધિક આત્માની દ્રષ્ટિ થઈ તેને
મોક્ષમાર્ગ તો તેના હાથમાં આવી ગયો.
દ્રષ્ટિના જોરથી ધર્મીનું જ્ઞાન જાણે છે કે પૂર્ણ આનંદની પ્રાપ્તિ વિના હું અતૃપ્ત છું.
પ્રાપ્તિ વિના અતૃપ્ત છે. તેથી જેને પૂર્ણાનંદની ઝંખના છે એવા મોક્ષાર્થી-ધર્મી જીવો
નિર્વાણનું લક્ષ રાખીને શમ-સુખને ભોગવતા થકા, આત્માનો વિશેષ વિશેષ અનુભવ
કરતાં કરતાં શીઘ્ર નિર્વાણને પામે છે.
Page 207 of 238
PDF/HTML Page 218 of 249
single page version
નચાવે છે અને કર્મચેતના તથા કર્મફળચેતનાને છોડે છે.
છે એમ માનીને તેને વળગ્યો છે. તેથી જ અમૃતચંદ્રાચાર્યે ૪૧૩ ગાથામાં કહ્યું છે કે
અજ્ઞાની જીવો અનાદિરૂઢ-વ્યવહારમૂઢ અને નિશ્ચય અનારૂઢ છે, અને જ્ઞાની વ્યવહારમૂઢ
નથી, પણ વ્યવહારને જાણનાર છે. નિશ્ચય વસ્તુ દ્રષ્ટિમાં આવ્યા પછી થોડી અસ્થિરતાને
લીધે રાગ આવે છે તે વ્યવહાર છે એમ જ્ઞાની જાણે છે. નિશ્ચય વગર વ્યવહાર
ત્રણકાળમાં હોતો જ નથી.
મુનિરાજ કહે છે કે ‘પ્રભુ! તું જ ભગવાન છો’ પણ તેને પોતાનું સ્વરૂપ જોવાની
ફુરસદ નથી. અરે! તેની સન્મુખ દ્રષ્ટિ કરવી, એ મને ઠીક છે, તેમાં મારું હિત છે એમ
પણ તેને હજી બેસતું નથી, અને વ્યવહારની જ રુચિ રહે છે, પણ તેમાં તારું અહિત
થાય છે ભાઈ!
जोइज्जइ गुण–गणि–णिलउ णिम्मल–तेय–फुरंनु ।। ९४।।
નિર્મળ તેજોમય અને અનંત ગુણગણધામ.
આવો તે આત્મા ક્ષેત્રથી પણ કેવડો મોટો હશે? તેને મુનિરાજ કહે છે કે ભાઈ! મોટા
ક્ષેત્રથી આત્માની મહાનતા નથી. તેની મહાનતા તો ગુણની અચિંત્યતાથી છે.
સ્ફુરાયમાન છે, અતિ પવિત્ર છે. આવા આત્માને અંતરજ્ઞાન અને શ્રદ્ધાથી જોવો જોઈએ.
વસ્તુદ્રષ્ટિથી જુઓ તો આત્મા ત્રિકાળ નિરાવરણ, સ્ફટિક જેવો શુદ્ધ નિર્મળ છે. વસ્તુને વળી
આવરણ કેવા? આત્મા તો ત્રિકાળ નિરાવરણ, સામાન્ય-વિશેષ ગુણોનો સાગર, જ્ઞાતા-
દ્રષ્ટા, વીતરાગ, પરમાનંદમય, પરમ વીર્યવાન અને શુદ્ધ સમકિત ગુણધારી છે.
Page 208 of 238
PDF/HTML Page 219 of 249
single page version
ચમકતા આત્મામાં ચિત્તને સ્થિર કરીને ધ્યાન કરવું જોઈએ.
સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે એટલી ધ્યાન કરવાની યોગ્યતા પ્રગટી છે. સમ્યગ્દ્રષ્ટિને
સ્વરૂપાચરણ ચારિત્ર હોય છે તેથી ચોથા ગુણસ્થાનથી જ ધ્યાનની શરૂઆત થઈ જાય
છે. તે પહેલાં ધ્યાન હોતું નથી. કેમ કે સમ્યક્ શ્રદ્ધાન વિના આત્માનો સાચો પ્રેમ અને
રુચિ હોતા નથી તેથી આત્માની લગની લાગતી નથી.
જેને આવડે છે તેને આત્માની સવળી રુચિ થતાં આત્માનું ધ્યાન કરતાં કેમ ન આવડે?
આવડે જ. ઉલટા ધ્યાનમાં તો તાકાત મોળી પડી જાય છે અને સવળા ધ્યાનમાં તાકાત
ઉગ્રતા ધારણ કરે છે.
તરણાતુલ્ય-તુચ્છ ભાસે છે. આત્માના આનંદ આગળ જ્ઞાનીને આખી દુનિયા દુઃખી
લાગે છે તેથી જ્ઞાની દુનિયાના કોઈ પદને ઈચ્છતા નથી.
અર્થાત્ રૂદ્ર અને વિધાતા અર્થાત્ બ્રહ્મા તથા આદિ
શબ્દથી મોટા મોટા પદવી ધારક સર્વ કાળ વડે
કોળીઓ બની ગયા તે સંસારમાં શું શરણરૂપ છે?
Page 209 of 238
PDF/HTML Page 220 of 249
single page version
છે તેથી આત્મજ્ઞાન સહિતના શાસ્ત્રજ્ઞાનની મુખ્યતા છે.
सो जाणइ सत्थई सयल सासय–सुक्खहं लीणु ।। ९५।।
તે જ્ઞાતા સૌ શાસ્ત્રનો, શાશ્વત સુખમાં લીન.
અનુભવ કરે, આત્માને જાણે તેણે સર્વ જાણ્યું.
ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદસ્વરૂપ છે એમ પ્રથમ નિર્ણય કરીને, તેની
સન્મુખ થઈને, જેણે અતીન્દ્રિય આનંદનો અંશે અનુભવ કર્યો અને તે દ્વારા જાણ્યું કે આત્મા
અતીન્દ્રિયજ્ઞાન અને આનંદમય છે તેણે સર્વ જાણ્યું. એકને જાણ્યો તેને સર્વ જાણ્યું.
ભાઈ! ત્રિકાળી આનંદ આદિ અનંતગુણરૂપ ધર્મનો ધરનાર તું ધર્મી છો. આવા પોતાના
સ્વભાવને જે અનુભવ સહિત જાણે તેણે બાર અંગ અને ચૌદપૂર્વ જાણ્યા કહેવાય.
કારણ કે બધાં શાસ્ત્રમાં કહેવાનો હેતુ તો આત્માનું જ્ઞાન કરવું તે જ છે.
સ્વભાવનો સ્વાદ લ્યે. આમાં જાણવું, રુચિ અને આનંદનું વેદન આ ત્રણ વાત આવી ગઈ.