Page 170 of 238
PDF/HTML Page 181 of 249
single page version
વળી કહે છે કે આ શાસ્ત્રની રચના મારાથી થઈ નથી, એ તો પુદ્ગલ-શબ્દોની રચના
છે. માટે આ ટીકા અમૃતચંદ્રસૂરીએ રચી છે એમ ન નાચો. ભાષામાં સ્વ-પરને કહેવાની
તાકાત છે અને આત્મામાં સ્વ-પરને જાણવાની તાકાત છે. ‘આ ચૈતન્યને ચૈતન્યપણે
આજે જ પ્રબળપણે અનુભવો.’ સારા કામમાં ડાહ્યો માણસ વાયદા ન કરે. માટે
ભગવાન આત્મા કોઈનો કર્તા-હર્તા નથી માત્ર જાણનાર-દેખનાર છે-એવો સ્વીકાર
કરીને અત્યારે જ અતીન્દ્રિય આનંદનો અનુભવ કર! વાયદા ન કર!
કલ્યાણનો કાળ જતો રહેશે. માટે મિથ્યા માન્યતા છોડીને સ્વાનુભવ કરી લે. કહ્યું છે કેઃ
રહેવું તે ચારિત્ર છે. આત્મા પોતે પોતાથી પોતામાં એક થઈ જાય છે ત્યાં રત્નત્રયની
ઐક્યતા થાય છે, આ રત્નત્રયધર્મ જ નિજ-આત્માનો સ્વભાવ છે.
લાગતાં હશે? જાણે હાલતાં-ચાલતાં સિદ્ધ જોઈ લ્યો. એવા એ અમૃતચંદ્ર આચાર્ય
પુરુષાર્થસિદ્ધિમાં લખે છે કે આત્માનો નિશ્ચય થવો તે સમ્યગ્દર્શન, આત્માનું જ્ઞાન તે
સમ્યગ્જ્ઞાન અને આત્મામાં સ્થિરતા તે ચારિત્ર. આ ત્રણેયથી કર્મબંધન થતું નથી.
तिहिं कारणहं जोइ फुडु अप्पा विमलु मुणंति ।। ८५।।
તેથી યોગી નિશ્ચયે, શુદ્ધાત્મા જાણંત.
રહેલાં તારા દેખાય જાય છે, તારાને જોવા ઉપર નજર કરવી પડતી નથી. તેમ
ભગવાનને પોતાના આત્માને અવલંબીને પ્રગટ થયેલી પૂર્ણ કેવળજ્ઞાનની એક સમયની
પર્યાયમાં ત્રણકાળ-ત્રણલોક જણાય જાય છે, પણ જેમ પાણીમાં તારા આવી જતાં નથી
તેમ જ્ઞાનમાં લોકાલોક આવી જતું નથી. લોકાલોક સંબંધીનું પોતાનું જ્ઞાન આવે છે.
Page 171 of 238
PDF/HTML Page 182 of 249
single page version
ધર્મ કરવો છે પણ ધર્મનો કરનારો પોતે કેવો છે અને કેવડો છે તેનું લોકોને ભાન
અરે! આવો મહિમાવંત આત્મા તેની મહિમા આવે નહિ અને લોકોને રાગની ને
પુણ્યની ને વૈભવની મહિમા આવે છે.
આત્માની રુચિ કે દ્રષ્ટિ કરાવી શક્તા નથી. પોતે જ પોતાની રુચિ, દ્રષ્ટિ-જ્ઞાન અને
અનુભવ કરવાના છે. મહાવિદેહમાં તો અત્યારે ધોરી ધર્મધુરંધર તીર્થંકરો વિચરે છે તો
અને મોક્ષે જવાવાળા જીવો પણ ત્યાં છે, એ જ તો જીવની સ્વતંત્રતા બતાવે છે.
એક પર્યાયમાં પણ તારા બધાં ગુણ આવી જતાં નથી. શ્રદ્ધા, જ્ઞાન, આનંદ, શાંતિ,
સ્વચ્છતા, પરમેશ્વરતા, કર્તા, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, ભાવ, અભાવ આદિ
આત્માને અંતરદ્રષ્ટિએ અનુભવતાં તેમાં રહેલાં અનંતા ગુણોનો એકસાથે અનુભવ થઈ
જાય છે.
આવે અને તો અનંત આનંદનું ધરનારું દ્રવ્ય દ્રષ્ટિમાં-પ્રતીતમાં આવ્યાનું ફળ શું?
જ કહ્યું છે ‘સર્વગુણાંશ તે સમકિત.’ ભગવાનના જ્ઞાનમાં જેટલા ગુણો આવ્યા છે તે
બધાંનો અંશે અનુભવ સમકિતીને થાય છે.
બધાં ગુણોનું ગ્રહણ થઈ જાય છે. તેનું નામ સ્વાનુભૂતિ કહો, સમકિત કહો કે ધર્મ કહો
Page 172 of 238
PDF/HTML Page 183 of 249
single page version
શરૂઆતની ગાથામાં કહેલ છે કે જે ભવભ્રમણથી ડરે છે એવા જીવોને માટે હું આ
શાસ્ત્ર બનાવું છું.
तिहिं कारणए जोइ फुडु अप्पा विमलु मुणंति ।। ८५।।
તેથી યોગી નિશ્ચયે, શુદ્ધાત્મા જાણંત.
છે તેનાં કરતાં નિગોદના એક શરીરમાં અનંતગુણા જીવો છે. આવા બધાં જીવો મળીને
સિદ્ધ કરતાં અનંતગુણા જીવો છે અને જીવથી અનંતગુણા પુદ્ગલો છે. આ પુદ્ગલોથી
અનંતગુણા ત્રણકાળના સમય છે અને આ સમયથી અનંતગુણા આકાશના પ્રદેશો છે
અને આ પ્રદેશોથી અનંતગુણા ગુણ એક એક જીવમાં રહેલા છે.
પર્યાયમાં અલ્પ દોષ છે, જ્યારે ગુણ તો અનંત...અનંત છે. એ દરેક ગુણો આત્માના
અસંખ્યપ્રદેશે વ્યાપેલા છે.
નથી. એ આકાશના અનંત પ્રદેશોથી અનંતગુણા ગુણ એક જીવમાં છે. ‘આવા અનંત
ગુણોનું એક રૂપ તે આત્મા છે.’
Page 173 of 238
PDF/HTML Page 184 of 249
single page version
ગુણોની પર્યાય એક સમયમાં પ્રગટ થાય છે.
તે એકસ્વરૂપને અંતર્મુખ દ્રષ્ટિ-જ્ઞાનમાં પકડતાં અનંત ગુણની પર્યાય પ્રગટ થઈ જાય
છે. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, વિભુતા આદિ અનંત ગુણની પર્યાય
એકસાથે પ્રગટ થઈ જાય છે. તેથી જ કહ્યું છે કે ‘સર્વગુણાંશ તે સમકિત.’ આત્માનો
અનુભવ કરતાં અનંત ગુણની પર્યાયની પ્રગટતારૂપ અનંતો લાભ થાય છે.
ગુણસ્વરૂપ એક આત્માની શ્રદ્ધા થશે અને અનંત ગુણની અંશે નિર્મળ પર્યાયોનો
અનુભવ થશે. પણ અનાદિથી જીવને પરદ્રવ્ય અને રાગાદિની મહિમા આડે અનંત
ગુણના એકપિંડરૂપ ભગવાન આત્માનો અનાદર થઈ જાય છે-અશાતના થાય છે તેની
ખબર નથી.
લાવીને અંતરમાં ઘૂસી જાય તેને વસ્તુનો અનુભવ થાય છે.
નિરોધ થાય છે, તેનું નામ તપ છે અને તે સમયે રાગ-દ્વેષનો અભાવ થવાથી નિશ્ચય
અહિંસાવ્રત પણ થઈ જાય છે. દયાના પરિણામ એ ખરેખર અહિંસાવ્રત નથી પણ પરમાર્થ
સ્વભાવના લક્ષે રાગરહિત વીતરાગ પરિણામ થાય છે તે જ સાચું અહિંસાવ્રત છે.
હિંસા થાય છે પણ લોકોની માન્યતા જ એવી છે કે ‘દયા ધરમકો મૂલ હૈ, પાપ મૂલ
અભિમાન! તુલસી દયા ન છોડીએ, જબ લગ ઘટમેં પ્રાણ.’
તો જીવ પાળી શકતો જ નથી. કેમ કે પરદ્રવ્યની અવસ્થા આત્મા ત્રણકાળમાં કદી કરી
શક્તો નથી. શું પરદ્રવ્ય વર્તમાન પર્યાય વિનાનું ખાલી છે કે આત્મા તેની પર્યાય કરે?
આ તો મહાસિદ્ધાંત છે કે ‘કોઈ પણ પદાર્થ કોઈ પણ સમયે પર્યાય વિનાનું હોતું નથી.’
Page 174 of 238
PDF/HTML Page 185 of 249
single page version
પરમ અચૌર્યવ્રત છે. પોતાના સ્વભાવની પક્કડ કરી પરની પક્કડ છોડતાં-રાગનો એક
કણ પણ ગ્રહણ ન કરતાં સાચું અચૌર્યવ્રત પ્રગટ થાય છે.
પ્રગટ અનુભવ આપનો, નિર્મળ કરો સપ્રેમ,
ચેતન પ્રભુ! ચૈતન્ય સંપદા રે તારા ધામમાં.
નિશ્ચય બ્રહ્મચર્યવ્રત પ્રગટ થાય છે.
પ્રગટ થાય છે.
ભાઈ! તારા ક્ષેત્રમાં ગુણની ક્યાં કમી છે કે તારે બીજા ક્ષેત્રમાં ગુણ શોધવા
જો એક એક સમયમાં અસંખ્ય ગુણનું વર્ણન કરે તોપણ તેમના કરોડ પૂર્વની સ્થિતિમાં
આત્માના અનંત ગુણોનું વર્ણન ન થઈ શકે.
રાગાદિ ભાવોનો ત્યાગ થાય છે એ ભાવોથી નિવૃત્ત પરિણામ થવાં તે નિશ્ચય
પ્રત્યાખ્યાન છે. આમ પંચમહાવ્રત, ત્રણ ગુપ્તિ આદિ ભાવો અનુભવમાં સમાય જાય છે.
કેમ કે ભગવાન આત્માના અંતરસ્વરૂપનો આશ્રય કરતાં જે દશા પ્રગટ થાય તેમાં શું
ખામી રહે? બધાં જ ગુણોની પર્યાયનું પરિણમન થઈ જાય છે.
છે કે શરીર, વાણી, મન, વિકલ્પ, રાગાદિથી રહિત નિજ પરમાત્મસ્વરૂપમાં લીનતા
કરનાર કેવળીની સ્તુતિ કરે છે-એમ અમે નહિ પણ સર્વજ્ઞભગવાન કહે છે. અહીં પણ
કહ્યું છેઃ ‘કેવળી બોલે એમ.’
Page 175 of 238
PDF/HTML Page 186 of 249
single page version
વંદન આદિના ભાવ આવે-હોય, નિશ્ચયમાં જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી
વચ્ચે વ્યવહાર આવ્યા વગર રહેતો નથી, ભક્તિ, સ્તુતિ, વંદન, પૂજા આદિના ભાવો છે
પણ તેની મર્યાદા પુણ્યબંધની છે. વસ્તુના સ્વરૂપમાં તે ભાવો સમાઈ શક્તા નથી.
એટલો પરાશ્રિત વ્યવહાર આવ્યા વિના રહેતો નથી, એમ ભગવાન કહે છે. તે વ્યવહાર
તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહાર અને નિશ્ચય બન્નેની દિશા જુદી, બન્નેનું
ફળ જુદું, અને બન્નેનો ભાવ પણ જુદો-જુદો છે.
તને ઠીક ન પડે તો અંદર જા. તારી હાકલથી કોઈ સાથે ન આવે તો તું એકલો જા!
તારે કોઈનું શું કામ છે? અહીં ૮૬ મી ગાથામાં પણ એ જ વાત આવશે.
સાક્ષાત્ પરમાત્માને સ્પર્શે છે. એક દિવસમાં હજારોવાર આત્માનો સ્પર્શ કરે છે એવા
સંતે રચેલાં આ શ્લોકો છે.
સ્વરૂપમાં એકાકાર થતાં પાંચ ઈન્દ્રિય તરફનું લક્ષ છૂટી જાય છે તેનું નામ સંયમ છે,
અને તે જ ઉત્તમ ક્ષમા આદિ દશધર્મ છે.
થાય છે એટલે કે પર્યાયમાં પ્રગટ થાય છે, સાથે અવધિ, મનઃપર્યયજ્ઞાનની ઋદ્ધિ પણ
પ્રગટ થાય છે અને કેવળજ્ઞાનનો લાભ થાય છે. આમ નિર્વાણનો પરમ ઉપાય એક
આત્માનું ધ્યાન છે.
સમ્યગ્દર્શનાદિ નિશ્ચય મોક્ષમાર્ગ છે એમ જિનેન્દ્રદેવ કહે છે.
સંતોની કરુણાનો પાર નથી.
Page 176 of 238
PDF/HTML Page 187 of 249
single page version
નિજ આત્માને જાણીને, શીઘ્ર લહો શિવસુખ.
વાત છે. આવું મનન જે કરશે તે મોક્ષની સિદ્ધિ શીઘ્ર કરી શકશે.
પણ છે ત્રણેય વિકલ્પની જાળ!
પૂજ્ય ગુરુદેવઃ-ભાઈ! એ ધર્મને સમયસારમાં પુણ્ય કહ્યું છે. વ્યવહારધર્મ કહો કે
ગોઠે છે! તો તું ક્યાં જઈશ? જ્યાં સુધી રાગનું પોષાણ છે ત્યાં સુધી વીર્ય અંતરમાં કામ
નહિ કરી શકે. વીર્ય ગુણનું ખરું કાર્ય તો પોતાના સ્વભાવની રચના કરવાનું છે. પણ જ્યાં
સુધી વીર્ય રાગ, પુણ્ય, સંયોગ આદિમાં ઉલ્લાસથી કાર્ય કરશે ત્યાં સુધી સ્વભાવનું કાર્ય
નહિ કરી શકે. માટે ગૃહસ્થે પહેલાં જ રાગાદિની રુચિ છોડી દેવી જોઈએ.
પરમારથનો પંથ.’ તેમાં ઢીલું મૂકીને કાંઈ ફેરફાર ન કરાય. પ્રભુ! તારું સ્વરૂપ ક્યાં ઢીલું
છે? જ્ઞાનથી જો તો એકલો જ્ઞાનનો પુંજ છે. વીર્યથી જો તો એકલો વીર્યનો પિંડ છે.
આનંદથી જો તો એકલો આનંદનો પિંડ છે. ગુણપુંજ આત્મા છે. અનંત ગુણનો ઢગલો છે.
જ વસ્તુનું સ્વરૂપ છે અને તેવું જ અનુભવમાં આવે છે.
Page 177 of 238
PDF/HTML Page 188 of 249
single page version
છે. મુનિરાજ કરુણા કરીને શિષ્યને કહે છે કે ‘તું એક આત્માનું મનન કર.!’
अप्पा अप्पु मुणेहि तुहु लहु पावहि सिव–सिद्धि ।। ८६।।
નિજ આત્માને જાણીને, શીઘ્ર લહો શિવસુખ.
એકલો છે. આવા તારા ઈન્દ્રિય રહિત નિજ આત્માનું હે ભાઈ! તું મન-વચન-કાયાની
શુદ્ધિપૂર્વક સ્વભાવસન્મુખ થઈને ધ્યાન કર! એ મોક્ષમાર્ગ છે અને એ જ યોગસાર છે.
શ્લોકમાં જ કુંદકુંદઆચાર્ય કહે છે કે શ્રાવક હો કે મુનિ હો તે બન્ને નિશ્ચયરત્નત્રયની
ભક્તિ કરે છે. માટે સિદ્ધ થાય છે કે શ્રાવકને પણ પોતાના નિશ્ચય શુદ્ધરત્નત્રયનું ધ્યાન
હોય છે અને તેની પ્રગટ દશા પણ હોય છે. માત્ર મુનિને જ સાચું ધ્યાન હોય એવું
નથી, શ્રાવકને પણ એકદેશ ધ્યાન હોય છે.
શ્રાવકને પણ હોય છે. સર્વાર્થસિદ્ધિના ચતુર્થ ગુણસ્થાનવર્તી દેવો કરતા પણ જેની શાંતિ
વધી ગઈ છે તે શ્રાવક ભલે સ્ત્રી-કુટુંબની વચ્ચે હો, રાજ્યભોગ ભોગવતો હો,
વિષયભોગની વાસના પણ હો પરંતુ તે શ્રાવક સ્વભાવના આશ્રયે શુદ્ધ
નિશ્ચયરત્નત્રયની ભક્તિ કરે છે.
જ્ઞાનસ્વભાવનું જ્ઞાન કરવું-સ્વસંવેદન કરવું તે નિશ્ચય અને શાસ્ત્રજ્ઞાન કરવું તે
પરાશ્રિત વ્યવહાર છે. પોતાના
Page 178 of 238
PDF/HTML Page 189 of 249
single page version
શ્રાવકને હોય છે. અરે! ચોથા ગુણસ્થાનમાં પણ મુક્તસ્વરૂપ આત્માનું જ્યાં ભાન થાય છે
અને નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે, તો શ્રાવકને તો બે કષાયનો નાશ થવાથી શાંતિ વિશેષ વધી
જાય છે. આ સ્વભાવના આશ્રયે પ્રગટ થયેલી શાંતિને અહીં શુદ્ધ નિશ્ચયરત્નત્રય કહેલ છે.
અંતર-બાહ્ય નિર્ગ્રંથદશા સાક્ષાત્ મોક્ષનો ઉપાય છે.
ચારિત્રનો દોષ છે અને ઈન્દ્રિય વિષયોમાં સુખ છે એમ માનવું તે મિથ્યાત્વનો દોષ છે.
સમ્યગ્દ્રષ્ટિને ત્રણકાળ ત્રણલોકમાં એક પોતાના આત્મા સિવાય ક્યાંય સુખબુદ્ધિ થતી
નથી. જ્યાં સુખ હોય ત્યાં સુખબુદ્ધિ હોય કે જ્યાં સુખ ન હોય ત્યાં સુખબુદ્ધિ હોય?
પોતાનો આનંદ તો પોતામાં છે, પુણ્ય-પાપ ભાવમાં પોતાનો આનંદ નથી-એવી શ્રદ્ધા
ધર્મીને પ્રથમ દ્રષ્ટિમાં જ થઈ જાય છે.
રહીને યથાશક્તિ આત્માનું મનન કરે છે. અંતરમાં વિશેષ સ્થિર થવાની શક્તિ ન હોય
અને બહારથી બધું છોડીને બેસી જાય તો પછી હઠથી પરિષહ આદિ સહન કરે, બોજો
વધી જાય. કેમ કે અંતર શક્તિ તો છે નહિ.
રાખજે. આસક્તિ ન છૂટે તો લગ્ન કરી લેજે પણ મિથ્યાદ્રષ્ટિ સાધુનો સંગ કદાપિ ન
કરીશ. કેમ કે લગ્ન કરવા તે ચારિત્રનો દોષ છે પણ મિથ્યાશ્રદ્ધાવંતના સંગમાં ચડવાથી
પોતાની શ્રદ્ધા મિથ્યા થઈ જાય તો તે શ્રદ્ધાથી જ ભ્રષ્ટ થઈ જાય.
પૂજ્ય ગુરુદેવ-અરે ભાઈ! તેનો અર્થ સમજવો જોઈએ. મુનિને તો વિવાહ આદિ
કરાવે નહિ અને કરતાને અનુમોદે નહિ. પણ અહીં તો મિથ્યાત્વથી બચવા માટે આ
વાત કહી છે. મિથ્યાદર્શનનું પાપ ચારિત્રદોષથી ઘણું મોટું છે. પણ લોકોને મિથ્યાદર્શનનું
પાપ અને સમ્યગ્દર્શનરૂપ ધર્મની શું કિંમત છે તેની ખબર જ નથી.
સાધુ હોય પણ તેના સંગથી સમકિતીની શ્રદ્ધા પણ વિપરીત થઈ જાય તો શ્રદ્ધાનો
મોટો દોષ લાગે છે. મૂલાચારમાં
Page 179 of 238
PDF/HTML Page 190 of 249
single page version
બ્રહ્મસ્વરૂપમાં લીન થનારા આત્મ-આનંદી મુનિરાજ આમ કહે છે તો તેનો આશય
બરાબર સમજવો જોઈએ.
શ્રદ્ધા-જ્ઞાન-સ્થિરતારૂપ રત્નત્રયની ભક્તિ કર! ધ્યાન કર! અને જ્યારે તને મનથી
આસક્તિ પણ છૂટી જાય ત્યારે મુનિપણું અંગીકાર કરજે. મુનિપણું-ચારિત્ર જ ખરેખર
મોક્ષનું સાક્ષાત્ કારણ છે, માટે જ્યારે તને આત્મિકસુખનો પ્રેમ વધી જાય અને તેના
સિવાય બધા વિષયોના રસ ફીક્કા લાગે, ક્યાંય આસક્તિ ન થાય ત્યારે જિતેન્દ્રિય થઈને
નિરંતર આત્માના મનનમાં લાગી જજે અર્થાત્ મુનિ થઈ સ્વરૂપમાં લીન થજે.
આત્માની દ્રષ્ટિપૂર્વક જ્ઞાનનો વિકાસ કરે એટલે કે આત્માની સર્વ શક્તિ-આનંદ, શાંતિ, વીર્ય
આદિનો વિકાસ થાય તેમ રાગ ઘટાડે અને જ્ઞાન ફેલાવે તે મુનિને યોગ્ય કાર્ય છે.
અને રાગ-દ્વેષ ન કરતાં સમતાભાવથી આત્માને ધ્યાવો. કારણ કે પરમાનંદમૂર્તિ આત્માનું
ધ્યાન કરવું તે જ મોક્ષનો માર્ગ છે. દ્રવ્યસંગ્રહ-૪૭ ગાથામાં પણ આ જ વાત મૂકી છે.
सहज–सरुवइ जइ रमहि तो पावहि सिव संतु ।। ८७।।
સહજસ્વરૂપે જો રમે, તો શિવસુખરૂપ થાય.
બંધનું કારણ છે. સહજાત્મસ્વરૂપ-એકસ્વરૂપનું ધ્યાન તે મોક્ષનું કારણ છે.
Page 180 of 238
PDF/HTML Page 191 of 249
single page version
બંધ અને મોક્ષ એ વિચાર ભલે શુભવિકલ્પ છે પણ વિકલ્પ છે તે જ બંધનું કારણ છે.
અરે! પણ આમાં એક પણ જીવનો ઘાત તો નથી કર્યો છતાં બંધન?-હા, જીવનો ઘાત
બંધનું કારણ નથી, વિકલ્પ બંધનું કારણ છે. પર્યાયદ્રષ્ટિ-વ્યવહારનયનો આશ્રય કરવાથી
બંધ થાય છે.
સમ્યગ્દર્શનને પણ પરદ્રવ્ય કહ્યું છે. કેમ?-કે જેમ પરદ્રવ્યમાંથી પોતાની નિર્મળ પર્યાય
ઉત્પન્ન થતી નથી તેમ પોતાની નિર્મળ પર્યાયમાંથી પણ નવી નિર્મળ પર્યાય ઉત્પન્ન
થતી નથી તે અપેક્ષાથી ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ચારેય પર્યાયને પરદ્રવ્ય કહી
છે. નવી પર્યાય ઉત્પન્ન થવાનું સ્થાન એક ધ્રુવસ્વભાવ છે તે સ્વદ્રવ્ય છે.
નિર્વિકલ્પ સમાધિ કહે છે. સમ્યક્ દર્શન-જ્ઞાન ચારિત્રમાં રાગ રહિત વીતરાગી શાંતિ છે
તે નિર્વિકલ્પ સમાધિ છે. તે જ મોક્ષનો માર્ગ છે.
તો તારો નિર્વાણ થશે જ થશે. જેમ આગળ કહ્યું કે તું વિકલ્પથી નિઃભ્રાંતપણે બંધાઈશ
જ તેમ અહીં કહે છે કે સ્વરૂપમાં દ્રષ્ટિ-જ્ઞાન અને લીનતા કર! તું નિઃશંકપણે નિર્વાણ
પામીશ. જેમ ઠંડું હીમ વનને બાળી નાખે છે તેમ તારી અકષાય શાંતિ સંસારને બાળી
નાખશે, તારો નિર્વાણ થશે.
અકષાયભાવ પર્યાયમાં પ્રગટ થવો તે ઉપશમભાવ છે.
કરતાં એ ભાવો પ્રગટ થાય છે.
શ્રોતાઃ-પણ પ્રભુ! વિચાર એ તો જ્ઞાનની પર્યાય છે ને?
ભાઈ! એ છે જ્ઞાનની પર્યાય, પણ સાથે જે રાગ આવે છે, ભેદ પડે છે તે બંધનું
Page 181 of 238
PDF/HTML Page 192 of 249
single page version
કારણ છે.’ ત્યાં જ્ઞાનને બંધનું કારણ નથી કહ્યું પણ જ્ઞાન રાગમાં-ભેદમાં રોકાય જાય છે
તેનું નામ વિચાર છે અને તે બંધનું કારણ છે. હું મનુષ્ય છું, ભવ્ય છું, સમ્યગ્દ્રષ્ટિ છું
આદિ, ગુણસ્થાન, માર્ગણાસ્થાનના વિચાર, કર્મોના આસ્રવભાવનો વિચાર, ચારે પ્રકારના
બંધનો વિચાર, સંવર-નિર્જરાના કારણોનો વિચાર આદિ બધાં વિચારો વ્યવહારનય દ્વારા
ચંચલ છે. તે શુભોપયોગ છે. નિશ્ચય જ સત્ય છે. વ્યવહાર ઉપચાર છે.
એવા વિકલ્પો છોડવા લાયક છે. પર્યાયનું ક્ષણિકપણું દુઃખદાયક નથી પણ તેમાં જે
રાગ-દ્વેષના વિકલ્પ ઊઠે છે તે જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવને ડખલરૂપે છે માટે દુઃખરૂપ છે.
જ્ઞાન કરવું તે દુઃખનું કારણ નથી, તે તો સ્વભાવ છે, પણ જે રાગી છે તે ભેદનું જ્ઞાન
કરવા જાય છે ત્યાં તેને વિકલ્પ ઊઠે તે દુઃખનું કારણ છે. ભેદનું જ્ઞાન દુઃખનું કારણ
હોય તો તો સર્વજ્ઞને પણ દુઃખ થવું જોઈએ, પણ એમ નથી. વિકલ્પ દુઃખનું કારણ છે.
માલુમ પડી શકે છે. સરાગીને ભેદદ્રષ્ટિમાં વિકલ્પ રહ્યા કરે છે, માટે જ્યાં સુધી રાગ
મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદને મુખ્ય કરવામાં આવ્યો છે. વીતરાગ થયા
પછી તો ભેદાભેદ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે.
તેમને રાગ થતો નથી. માટે ભેદનું જ્ઞાન રાગનું કારણ નથી પણ રાગીને ભેદનું લક્ષ
કરવાથી રાગ થાય છે. રાગી એકરૂપ સ્વભાવને જાણે ત્યારે નિર્વિકલ્પ થઈ જાય છે
અને ભેદને જાણે ત્યારે તેને રાગ થાય છે, તેનું કારણ રાગી છે માટે રાગ થાય છે.
છે કે ભગવાન! તારી શુદ્ધતા તો મોટી છે પણ તારી અશુદ્ધતા પણ મોટી છે.
Page 182 of 238
PDF/HTML Page 193 of 249
single page version
નથી.
પહોંચી જાઉં. જ્ઞાનીને પણ જેટલો રાગ હોય છે તેટલો બંધ પણ હોય છે. જેટલો
અબુદ્ધિપૂર્વકનો રાગ છે તેટલો બંધ અનુભવકાળે પણ થાય છે. પ્રથમ અનુભવ થતાં જ
પૂર્ણ સ્થિરતા થતી નથી તેથી જેટલી અસ્થિરતા છે તેટલો જ્ઞાનીને પણ બંધ તો થાય
છે. જ્ઞાનીને અબંધ કહ્યા છે એ તો દ્રવ્યદ્રષ્ટિથી કહ્યા છે પણ પર્યાયમાં રાગ બાકી છે
પણ પર્યાયમાં રાગ બાકી છે તેટલો બંધ તો દશમા ગુણસ્થાન સુધી હોય છે માટે
જ્ઞાનીને પણ શ્રીગુરુ કહે છે કે તને શુભરાગ ભલે હો પણ ભાવના તો હું અંતરમાં કેમ
સ્થિર થાઉં એ જ રાખવી, તે જ મોક્ષનો ઉપાય છે.
નિંદ્ય છે, જેની સ્થિતિ વિનાશ સહિત છે અર્થાત્ જે વિનશ્વર
છે, જે રોગાદિ દોષો, સાત ધાતુઓ અને મળથી પરિપૂર્ણ
છે, અને જે નષ્ટ થવાનું છે, તેની સાથે જો આધિ (માનસિક
ચિંતા), રોગ, વૃદ્ધાવસ્થા અને મરણ આદિ રહેતા હોય
તો એમાં કોઈ આશ્ચર્ય નથી. પરંતુ આશ્ચર્ય તો કેવળ એમાં
છે કે વિદ્વાન મનુષ્ય પણ તે શરીરમાં સ્થિરતા શોધે છે. પ૮
Page 183 of 238
PDF/HTML Page 194 of 249
single page version
કદી જાય તો દોષ નહિ, પૂર્વ કર્મ ક્ષય થાય. ૮૮.
શુદ્ધસ્વભાવનું જ ગ્રહણ છે, બાકી શુભ વિકલ્પથી માંડીને આખા સંસાર પ્રત્યે જ્ઞાનીને
ગ્રહણબુદ્ધિ નથી, આદર નથી. તેથી જ્ઞાની હલકી ગતિમાં જતાં જ નથી. છતાં કદાચિત્
જાય તોપણ તેમાં જ્ઞાનીને હાની નથી. તેમના પૂર્વકૃત કમનો ક્ષય થઈ જાય છે.
પૂજ્ય ગુરુદેવઃ- જેને આત્માના શુદ્ધ સ્વભાવની ગાઢ રુચિ છે અને અતીન્દ્રિય
ઊડી ગયા હોય છે. આવા જ્ઞાનીને દ્રઢ પ્રતીતિ હોય છે કે મારી શાંતિ અને આનંદ પાસે
બધું તુચ્છ છે. શુભરાગમાં પણ મારો આનંદ નથી, તો બીજે ક્યાં હોય? આવા દ્રઢ
પ્રતીતિવંત જ્ઞાની મુક્તિના પથિક છે-છૂટવાની દિશાએ ચાલનારા છે.
રાગ છે પણ જેણે પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી લીધી અને સ્વભાવદ્રષ્ટિ કરી તેને
મુક્તસ્વભાવ જ જણાશે. તે પર્યાયમાં પણ મુક્તસ્વભાવના પંથે જ છે.
રાગ, કર્મનું નિમિત્ત, બંધની પર્યાય આદિનું જ્ઞાન રહે છે પણ તેનો આદર રહેતો નથી.
Page 184 of 238
PDF/HTML Page 195 of 249
single page version
નથી. વસ્તુ એટલે અનંતગુણનો સાર-રસકસ એવી ચીજને ભવનો પરિચય જ નથી.
પર્યાયમાં ભવનો પરિચય છે પણ દ્રષ્ટિ પર્યાયને સ્વીકારતી જ નથી.
છે કે મારે હવે ભવ છે જ નહિ. એક બે ભવ છે તે મારા પુરુષાર્થની કમીને કારણે-રાગને
કારણે છે, તે મારા જ્ઞાનનું જ્ઞેય છે, મારું સ્વરૂપ નથી, તેનો હું સ્વામી નથી. હું તો મારા
સહજાત્મસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ સ્વામી છું એમ જ્ઞાની જાણે છે. સમ્યક્ત્વની મહિમા કેટલી
છે તે આગળ રત્નકરંડ-શ્રાવકાચારની બે ગાથાના આધારે કહેશે.
દોષની જેણે રુચિ છોડી અને પૂર્ણાનંદ સ્વભાવમાં રુચિ જોડી તે મોક્ષનો જ પથિક છે.
ભગવાન કહે છે માટે હું પૂર્ણ છું એમ નહિ પણ પોતાને નિઃસંદેહ પ્રતીતિ થઈ જાય છે
કે ‘હું તો પૂર્ણ છું, દોષ તે મારું ત્રિકાળી સ્વરૂપ નથી.’ જેમ વસ્તુ ક્યારેય પડતી નથી
તેમ વસ્તુની દ્રષ્ટિ થઈ તે પણ કદી પડતી નથી, અને જેને પડવાની શંકા પડે છે તેને
ધ્રુવની દ્રષ્ટિ પણ રહેતી નથી.
પાર કરનારો નાવડિયો છે. સમ્યગ્દર્શનની ઘણી મહિમા કરી છે કે સમ્યગ્દર્શન વિના
સમ્યગ્જ્ઞાન નથી, સમ્યક્ચારિત્ર નથી. સમ્યગ્દર્શન થયું એટલે તો સર્વસ્વ થઈ ગયું.
પણ જ્યાં મીઠાસ લાગે ત્યાંથી ખસતું નથી અને જ્યાં મીઠાસ નથી ત્યાં બેસતું નથી.
ફટકડી ઉપર માખી બેસતી નથી અને સાકરમાં મીઠાસ આવે છે ત્યાંથી ઉડતી નથી તેમ
આત્મા સાકરની જેમ અતીન્દ્રિય આનંદનો રસકંદ-ઢગલો છે ત્યાં જેની દ્રષ્ટિ પડી છે તે
સમ્યગ્દ્રષ્ટિની દ્રષ્ટિ ત્યાંથી ખસતી નથી. આનંદઘનજી પણ કહે છે ને કે ‘ચાખે રસ ક્યોં
કરી છૂટે?’ એકવાર રસ ચાખ્યા પછી કેમ કરીને છૂટે? ધર્મીએ અતીન્દ્રિય આનંદનો
રસ ચાખ્યો પછી દેવતાની ટોળી આવીને કહે કે આમાં રસ નથી તોપણ જ્ઞાની કહે છે
કે મેં અનુભવ કર્યો છે તેમાં ફેર નથી. જ્ઞાનીને પોતાના અનુભવમાં શંકા પડતી નથી.
અનુયાયી વીર્ય.’ અને જ્ઞાનીને સંસાર, શરીર અને ભોગોથી વિરક્તિ થઈ જાય છે.
સંસારમાં ચારેય ગતિમાં આકુળતા છે, શરીર કારાગૃહ સમાન છે અને ઈન્દ્રિયોના
ભોગો અતૃપ્તિકારી છે એમ જાણીને જ્ઞાનીને વૈરાગ્ય થાય છે.
Page 185 of 238
PDF/HTML Page 196 of 249
single page version
ભગવાનની કેવળજ્ઞાનની દશા અને ક્યાં મુનિઓની પ્રચુર સ્વસંવેદનની દશા! તેની
પાસે મારી પર્યાયમાં તો બહુ કમી છે-હું પામર છું.
કે ‘ભગવાન! તું શુદ્ધ છો’ આ સાંભળી અમને પ્રચુર સ્વસંવેદન પ્રગટ થયું. કુંદકુંદ
આચાર્યે એમ ન લીધું કે અમારી પાત્રતા જોઈને ગુરુએ ઉપદેશ આપ્યો, પણ ગુરુએ કૃપા
કરીને ૧૨ અંગના સારરૂપ ‘તું શુદ્ધાત્મા છો’ એવો ઉપદેશ આપ્યો એમ લીધું.
છે અને જિનેન્દ્રદેવ, નિર્ગ્રંથ ગુરુ અને જિનવાણીની ગાઢ ભક્તિ કરે છે, સ્તુતિ, વંદના,
પૂજા, સ્વાધ્યાય પણ કરે છે. આ બધા શુભભાવ સહકારી નિમિત્ત છે એમ ધર્મી જાણે છે.
દશા પ્રગટ કરવી છે. રત્નકરંડ-શ્રાવકાચારમાં આવે છે કે ધર્મ ધર્મી વિના હોતો નથી.
તો જેને ધર્મી ઉપર પ્રેમ નથી તેને ધર્મ ઉપર પણ પ્રેમ નથી.
સમ્યગ્દર્શન પહેલાં નરક, તિર્યંચગતિનો બંધ થઈ ગયો હોય તો ત્યાં પણ સમભાવથી
દુઃખ સહન કરી લે છે. સમ્યગ્દ્રષ્ટિને ‘બાહિર નારકીકૃત દુઃખ ભોગત, અંતર સુખરસ
ગટાગટી.’ જેટલો કષાયભાવ છે તેટલું જ્ઞાનીને દુઃખ થાય છે પણ તેને ગૌણ કરીને
અતીન્દ્રિય સ્વભાવની મુખ્યતાથી આનંદને વેદે છે તેથી જ સમ્યગ્દ્રષ્ટિ નરકમાં હોય
તોપણ સુખી છે અને મિથ્યાદ્રષ્ટિ નવમી ગ્રૈવેયકમાં હોય તોપણ દુઃખી છે.
બંધાતા નથી. સમ્યગ્દ્રષ્ટિને પૂર્ણાનંદ સ્વભાવની જ મુખ્યતા હોવાથી સમ્યગ્દર્શન સૂર્ય
ઊગ્યો હોવાથી અવ્રતી હોવા છતાં એવા પાપ નથી બાંધતો કે જેથી તે નારકી, તિર્યંચ,
સ્ત્રી, નપુંસક થાય કે નીચ ગતિ આદિ દશાને પ્રાપ્ત થાય.
Page 186 of 238
PDF/HTML Page 197 of 249
single page version
પુરુષાર્થ પણ વધતો જાય છે.
સમ્યગ્દ્રષ્ટિની ભાવના એવી જોરદાર હોય છે કે પુરુષાર્થ કરીને ક્યારે ચારિત્ર પ્રગટ કરું
અને કેવળજ્ઞાન લઉં? તેને એવી શંકા ન હોય કે કર્મ મને હેરાન કરશે તો! ભવ હશે
તો! એવી શંકા ન હોય.
તેમ સમ્યગ્દ્રષ્ટિ પુણ્યવંત માતા-પિતાને ત્યાં જ જન્મ લે. હલકા ઘરે ન જન્મે.
સમ્યક્ત્વની ભૂમિકામાં જે પુણ્ય બંધાય છે તેવું પુણ્ય મિથ્યાત્વ ભૂમિકામાં અનંતકાળમાં
ક્યારેય બંધાતું નથી. સમ્યગ્દ્રષ્ટિના પુણ્યની જાત જ જુદી હોય.
જેને સ્વભાવમાં એકતા થઈ છે તે સમ્યગ્દ્રષ્ટિ, દ્રષ્ટિ અપેક્ષાએ રાગથી મુક્ત જ
જેમ પરદ્રવ્ય છે તેમ વ્યવહાર છે.
એ લાભ સવાયો નહિ પણ અનંતગુણો છે.
વ્યવહારદ્રષ્ટિમાં કર્મનો સંયોગ છે પણ તે તો ત્યાગવા યોગ્ય છે.
પ૦૦-૬૦૦ માણસોનો કાફલો જંગલમાં થઈને નીકળ્યો હતો, ત્યાં જંગલમાં બે જુવાન,
છોકરાને કોલેરા થઈ ગયો, ચાલવાની શક્તિ નહિ, તેને કોણ ઊંચકે? સગા મા-બાપ
બેયને એકલા જંગલમાં છોડીને બધાં સાથે ચાલ્યા ગયા! કોણ શરણ છે?
સમ્યગ્દ્રષ્ટિ બધો વ્યવહાર છોડી સ્વરૂપનું ધ્યાન કરે છે, અનુભવ કરે છે અને તેમાં જ સ્થિર
Page 187 of 238
PDF/HTML Page 198 of 249
single page version
સ્થિર થઈ શક્તું નથી તેથી બહાર વ્યવહારમાં આવે છે. સાધુ પણ સ્વરૂપમાં ઉપયોગ ન
ટકે ત્યારે સ્વાધ્યાય સ્તુતિ-સંયમ-પ્રભાવના આદિ શુભ વ્યવહારમાં આવે છે પણ
સુખરૂપ તો સ્વરૂપલીનતા જ છે એમ માને છે. બહાર વ્યવહારમાં તેમને હોંશ આવતી
નથી, ઉલ્લસિત વીર્ય તો સ્વભાવ તરફ ઢળેલું છે. તેથી વ્યવહારમાં ઉદાસીનતા છે,
આદર નથી.
ઉપયોગ જોડતા નથી. વિકલ્પ આવે છે પણ તેમાં તત્પરતા નથી. કમજોરીથી આવે છે
પણ ભાવના તો વારંવાર શુદ્ધ સ્વરૂપમાં ઠરી જવાની રહે છે. વિકલ્પ આવે છે તેનો
ખેદ થાય છે. જયધવલમાં આવે છે કે શુદ્ધ ઉપયોગની પ્રતિજ્ઞા કરી છે છતાં આહારનો
રાગ આવ્યો તેમાં મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય છે માટે હું ફરી શુદ્ધ ઉપયોગની પ્રતિજ્ઞા
કરું છું. મારે તો શુદ્ધ-ઉપયોગમાં જ રહેવું છે અહો! આવી દશા તે યથાર્થ મોક્ષમાર્ગ છે,
સ્વરૂપ લીનતા તે જ મોક્ષનો ઉપાય છે. તેમાં વચ્ચે વ્યવહારના વિકલ્પ આવે પણ તે
બંધનું કારણ છે, તેનાથી દૂર થાવ.
નથી. જ્યાં સુધી સહજ વૈરાગ્ય ન આવે ત્યાં સુધી શ્રાવકપણે રહીને પોતાના પરિણામ
અનુસાર દર્શનપ્રતિમા આદિનું પાલન કરે છે અને આત્માનુભવ માટે વધુ ને વધુ સમય
મેળવતા રહે છે.
પોતાના શુદ્ધ દ્રવ્યની રુચિ થવી તે સુગતિ છે પરદ્રવ્ય, પરભાવની રુચિ થવી તે
હોય તોપણ મોક્ષ પામતો નથી અને જે પોતાના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રમાં સ્વભાવનો
લાભ મેળવે છે તે શીઘ્ર મુક્તિને પ્રાપ્ત થાય છે.
Page 188 of 238
PDF/HTML Page 199 of 249
single page version
લઈને તેમાં લીન થાય છે એ જ એક મોક્ષનો માર્ગ છે, એ વાત ચાલે છે.
सो सम्माइठ्ठी हवइ लहु पावइ भवपारु
સમ્યગ્દ્રષ્ટિ જીવ તે, શીઘ્ર કરે ભવપાર.
આવતો નથી ત્યાં સુધી તેની મુક્તિ થતી નથી.
અને નિશ્ચય સ્વાશ્રિત છે. સાક્ષાત્ તીર્થંકર ભગવાન હો, સર્વજ્ઞ હો, સમવસરણ હો,
સમ્મેદશિખર હો કે ગણધર આચાર્ય આદિ ભલે હો પણ તે પરદ્રવ્ય છે. તેના આશ્રયે
સમ્યગ્દર્શન ત્રણકાળમાં થતું નથી. સ્વના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે.
આસ્રવ છે, તે જીવ નથી અને શરીર, કર્મ આદિ અજીવ છે તે પણ જીવ નથી અને
દેવ-શાસ્ત્ર-ગુરુ પણ પરદ્રવ્ય છે, પોતાના દ્રવ્યથી ભિન્ન છે, તો એ પરદ્રવ્યના આશ્રયે
ધર્મની શરૂઆત કેમ હોઈ શકે? સ્વદ્રવ્યમાં અનંત...અનંત શુદ્ધતા ભરી પડી છે. તેના
આશ્રય વગર પરાશ્રયે ધર્મની શરૂઆત-સમ્યગ્દર્શન કદાપિ હોઈ ન શકે.
તપ કરતો હોય તોપણ મોક્ષ પામતો નથી. બાર-બાર મહિનાના ઉપવાસ કરે કે પરલક્ષે
ઈન્દ્રિયદમન કરે એ તો બધો પુણ્યભાવ છે, બંધનું કારણ છે. તેનાથી મુક્તિ કોઈ કાળે
ન થાય.
Page 189 of 238
PDF/HTML Page 200 of 249
single page version