Hoon Parmatma (Gujarati). Pravachan: 33-36.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 10 of 13

 

Page 170 of 238
PDF/HTML Page 181 of 249
single page version

background image
૧૭૦] [હું
પ્રાપ્ત કરીને આજે જ અવ્યાકુળપણે નાચો.’ આજે જ આત્માનો અતીન્દ્રિય આનંદ લ્યો.
વળી કહે છે કે આ શાસ્ત્રની રચના મારાથી થઈ નથી, એ તો પુદ્ગલ-શબ્દોની રચના
છે. માટે આ ટીકા અમૃતચંદ્રસૂરીએ રચી છે એમ ન નાચો. ભાષામાં સ્વ-પરને કહેવાની
તાકાત છે અને આત્મામાં સ્વ-પરને જાણવાની તાકાત છે. ‘આ ચૈતન્યને ચૈતન્યપણે
આજે જ પ્રબળપણે અનુભવો.’ સારા કામમાં ડાહ્યો માણસ વાયદા ન કરે. માટે
ભગવાન આત્મા કોઈનો કર્તા-હર્તા નથી માત્ર જાણનાર-દેખનાર છે-એવો સ્વીકાર
કરીને અત્યારે જ અતીન્દ્રિય આનંદનો અનુભવ કર! વાયદા ન કર!
ભાઈ! અનંતકાળમાં માંડ આ થોડો સમય મળ્‌યો છે હો! મનુષ્યભવનો કાળ
બહુ થોડો છે એ પણ માંડ કરીને મળ્‌યો છે તેને તું બીજા કાર્યોમાં ગુમાવી દઈશ તો
કલ્યાણનો કાળ જતો રહેશે. માટે મિથ્યા માન્યતા છોડીને સ્વાનુભવ કરી લે. કહ્યું છે કેઃ
‘અનુભવ રત્નચિંતામણિ, અનુભવ હૈ રસકૂપ,
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ’
આત્માના સ્વરૂપને અનુસરીને જે દશા થાય છે તે અનુભવ છે. માટે મુમુક્ષુને
ઉચિત છે કે આત્માના સ્વરૂપમાં વારંવાર રમણ કરે, વારંવાર ભાવના ભાવે. ભાવનામાં
રહેવું તે ચારિત્ર છે. આત્મા પોતે પોતાથી પોતામાં એક થઈ જાય છે ત્યાં રત્નત્રયની
ઐક્યતા થાય છે, આ રત્નત્રયધર્મ જ નિજ-આત્માનો સ્વભાવ છે.
૯૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલાં અમૃતચંદ્ર આચાર્ય ખરેખર એકલાં અમૃતનું ઘોલન
કરવાવાળા હતા. એ આચાર્યદેવ ભરતક્ષેત્રમાં માત્ર ૯૦૦ વર્ષ પહેલાં જ થઈ ગયા. કેવા
લાગતાં હશે? જાણે હાલતાં-ચાલતાં સિદ્ધ જોઈ લ્યો. એવા એ અમૃતચંદ્ર આચાર્ય
પુરુષાર્થસિદ્ધિમાં લખે છે કે આત્માનો નિશ્ચય થવો તે સમ્યગ્દર્શન, આત્માનું જ્ઞાન તે
સમ્યગ્જ્ઞાન અને આત્મામાં સ્થિરતા તે ચારિત્ર. આ ત્રણેયથી કર્મબંધન થતું નથી.
અહીં ૮પ ગાથામાં યોગીન્દુ મુનિરાજ કહે છે કે આત્માનુભવમાં જ બધા ગુણ છે.
जहिं अप्पा तहिं सयल–गुण केवलि एम भणंति ।
तिहिं कारणहं जोइ फुडु अप्पा विमलु मुणंति ।। ८५।।
જ્યાં ચેતન ત્યાં સકળ ગુણ, કેવળી એમ વદંત,
તેથી યોગી નિશ્ચયે, શુદ્ધાત્મા જાણંત.
૮પ.
કેવળી ભગવાનની સાક્ષી આપીને મુનિરાજ વાત કરે છે. ભગવાનના જ્ઞાનમાં
એક સમયની પર્યાયમાં બધું જણાય જાય છે. જેમ સ્વચ્છ-નિર્મળ પાણીમાં આકાશમાં
રહેલાં તારા દેખાય જાય છે, તારાને જોવા ઉપર નજર કરવી પડતી નથી. તેમ
ભગવાનને પોતાના આત્માને અવલંબીને પ્રગટ થયેલી પૂર્ણ કેવળજ્ઞાનની એક સમયની
પર્યાયમાં ત્રણકાળ-ત્રણલોક જણાય જાય છે, પણ જેમ પાણીમાં તારા આવી જતાં નથી
તેમ જ્ઞાનમાં લોકાલોક આવી જતું નથી. લોકાલોક સંબંધીનું પોતાનું જ્ઞાન આવે છે.

Page 171 of 238
PDF/HTML Page 182 of 249
single page version

background image
પરમાત્મા] [૧૭૧
કેવળજ્ઞાનની એક પર્યાયમાં આટલી તાકાત છે, એવી અનંત પર્યાયોનો એક
ગુણ અને એવા અનંત ગુણોનો પિંડ એક આત્મા છે. તેની મહિમાની શી વાત! લોકોને
ધર્મ કરવો છે પણ ધર્મનો કરનારો પોતે કેવો છે અને કેવડો છે તેનું લોકોને ભાન
નથી. હે પ્રભુ! ચૈતન્યસંપદા તારા ધામમાં છે તેને તું સંભાળ એ તારો ધર્મ છે, પણ
અરે! આવો મહિમાવંત આત્મા તેની મહિમા આવે નહિ અને લોકોને રાગની ને
પુણ્યની ને વૈભવની મહિમા આવે છે.
શ્રોતાઃ- પ્રભુ! આપ એવી વાત કરો છો ને કે સાંભળતાં ખુશી ખુશી થઈ
જવાય છે.
પૂજ્ય ગુરુદેવઃ-ભગવાન! તારા ઘરની વાત છે ને ભાઈ! તને એ રુચવી જ
જોઈએ. કોઈ કોઈને કાંઈ કરાવી દેતું નથી. ત્રણલોકના નાથ તીર્થંકરદેવ પણ કોઈને
આત્માની રુચિ કે દ્રષ્ટિ કરાવી શક્તા નથી. પોતે જ પોતાની રુચિ, દ્રષ્ટિ-જ્ઞાન અને
અનુભવ કરવાના છે. મહાવિદેહમાં તો અત્યારે ધોરી ધર્મધુરંધર તીર્થંકરો વિચરે છે તો
શું ત્યાં બધાં જીવો સમકિતી હશે? અરે! સાતમી નરકે જવાવાળા જીવો પણ ત્યાં છે,
અને મોક્ષે જવાવાળા જીવો પણ ત્યાં છે, એ જ તો જીવની સ્વતંત્રતા બતાવે છે.
અહીં ગાથામાં શું કહે છે કે ભાઈ! તારા બધાં ગુણો તારા આત્મામાં જ છે.
પ્રશંસા કરવા યોગ્ય સારા સારા બધાં ગુણો તારા આત્મામાં જ છે, સંયોગમાં નથી કે
એક પર્યાયમાં પણ તારા બધાં ગુણ આવી જતાં નથી. શ્રદ્ધા, જ્ઞાન, આનંદ, શાંતિ,
સ્વચ્છતા, પરમેશ્વરતા, કર્તા, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, ભાવ, અભાવ આદિ
અનંતા ગુણો જ્યાં આત્મા છે ત્યાં અસંખ્યપ્રદેશે ઠસોઠસ ભરેલાં છે. એક ભગવાન
આત્માને અંતરદ્રષ્ટિએ અનુભવતાં તેમાં રહેલાં અનંતા ગુણોનો એકસાથે અનુભવ થઈ
જાય છે.
લોકો તકરાર કરે છે કે ચોથા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર ન હોય, પણ
ભાઈ! સ્વરૂપાચરણ ચારિત્ર ન હોય તો ચારિત્રગુણના અંશ વગર આનંદનો અંશ ન
આવે અને તો અનંત આનંદનું ધરનારું દ્રવ્ય દ્રષ્ટિમાં-પ્રતીતમાં આવ્યાનું ફળ શું?
સમ્યગ્દર્શન કોઈ એવી ચીજ છે કે સર્વગુણોના અંશને પ્રગટ કરીને અનુભવે છે. તેથી
જ કહ્યું છે ‘સર્વગુણાંશ તે સમકિત.’ ભગવાનના જ્ઞાનમાં જેટલા ગુણો આવ્યા છે તે
બધાંનો અંશે અનુભવ સમકિતીને થાય છે.
આત્માનું ગ્રહણ થતાં તેના સર્વગુણોનું ગ્રહણ થઈ જાય છે. કેરીને ગ્રહણ કરતાં
તેના સ્પર્શ-રસાદિ બધાં ગુણોનું ગ્રહણ થઈ જાય છે, તેમ આત્માને ગ્રહણ કરતાં તેના
બધાં ગુણોનું ગ્રહણ થઈ જાય છે. તેનું નામ સ્વાનુભૂતિ કહો, સમકિત કહો કે ધર્મ કહો
બધી એક જ વાત છે.

Page 172 of 238
PDF/HTML Page 183 of 249
single page version

background image
૧૭૨] [હું
[પ્રવચન નં. ૩૩]
અનંત અનંત ગુણની ખાણઃ નિજ–પરમાત્મા
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૩-૭-૬૬]
આ શ્રી યોગસાર શાસ્ત્ર છે. યોગીન્દ્રદેવ નામના દિગંબર મુનિ થઈ ગયા. તેમણે
આ યોગસાર શાસ્ત્ર પોતાના સંબોધન માટે બનાવેલ છે એમ છેલ્લે વાત આવશે.
શરૂઆતની ગાથામાં કહેલ છે કે જે ભવભ્રમણથી ડરે છે એવા જીવોને માટે હું આ
શાસ્ત્ર બનાવું છું.
અહીં આપણે ૮પ મી ગાથા ચાલે છે.
जहिं अप्पा तहिं सयल–गुण केवलि एम भणंति ।
तिहिं कारणए जोइ फुडु अप्पा विमलु मुणंति ।। ८५।।
જ્યાં ચેતન ત્યાં અનંત ગુણ, કેવળી એમ વદંત;
તેથી યોગી નિશ્ચયે, શુદ્ધાત્મા જાણંત.
૮પ
આત્મા અનંત ગુણસંપન્ન એક વસ્તુ છે. તેની અંતરદ્રષ્ટિ કરીને તેનો અનુભવ
કરતાં એક આત્માના ગ્રહણમાં અનંત ગુણોનું ગ્રહણ થઈ જાય છે.
ભગવાન આત્મા એક સમયમાં અનંત ગુણરૂપ-એકરૂપ વસ્તુ છે, એ અનંત ગુણ
એટલે કેટલાં? કે આકાશના પ્રદેશથી અનંતગુણા ગુણ દરેક આત્મામાં છે.
આકાશના પ્રદેશો અનંત છે. એ અનંત એટલે કેટલાં કે દર છ મહિના અને
આઠ સમયમાં ૬૦૮ જીવો મોક્ષમાં જાય છે તો અત્યાર સુધીમાં જેટલાં મુક્ત જીવો થયા
છે તેનાં કરતાં નિગોદના એક શરીરમાં અનંતગુણા જીવો છે. આવા બધાં જીવો મળીને
સિદ્ધ કરતાં અનંતગુણા જીવો છે અને જીવથી અનંતગુણા પુદ્ગલો છે. આ પુદ્ગલોથી
અનંતગુણા ત્રણકાળના સમય છે અને આ સમયથી અનંતગુણા આકાશના પ્રદેશો છે
અને આ પ્રદેશોથી અનંતગુણા ગુણ એક એક જીવમાં રહેલા છે.
ભગવાન કહે છે કે દરેક જીવમાં અનંત..અનંત ગુણ છે, દોષ દેખાય છે તે તો
કોઈ ગુણની પર્યાયમાં અલ્પ દોષ છે. અનંત ગુણોમાં દોષ નથી. કોઈ ગુણની કોઈ
પર્યાયમાં અલ્પ દોષ છે, જ્યારે ગુણ તો અનંત...અનંત છે. એ દરેક ગુણો આત્માના
અસંખ્યપ્રદેશે વ્યાપેલા છે.
આકાશનો ક્યાંય અંત છે? ચાલ્યા જાવ...ચાલ્યા જાવ અને જુઓ આકાશનો
ક્યાંય છેડો છે? નાસ્તિકને પણ સ્વીકારવી પડે એવી આ વાત છે કે આકાશનો અંત
નથી. એ આકાશના અનંત પ્રદેશોથી અનંતગુણા ગુણ એક જીવમાં છે. ‘આવા અનંત
ગુણોનું એક રૂપ તે આત્મા છે.’
આવી પોતાની ચીજનો વિશ્વાસ અંતરથી આવવો જોઈએ. ખાલી ધારણામાં, વિચારમાં
કે ક્ષયોપશમમાં સ્વીકારે એટલાથી ન ચાલે. અનંત...અનંત ગુણનું એકરૂપ એવો આત્મા છે.

Page 173 of 238
PDF/HTML Page 184 of 249
single page version

background image
પરમાત્મા] [૧૭૩
તેને દ્રષ્ટિમાં લેવાથી, જ્ઞાનનું જ્ઞેય બનાવવાથી, ચારિત્રમાં તેનો આશ્રય લેવાથી અનંત
ગુણોની પર્યાય એક સમયમાં પ્રગટ થાય છે.
અનંત ગુણસમુદાય કહો કે ભાવસમુદાય કહો, એવા પોતાના આત્માનું અંતરમાં
પોસાણ થવું જોઈએ. એકસ્વરૂપ ભગવાન આત્મામાં અનંત ગુણસ્વરૂપે ગુણો રહેલાં છે
તે એકસ્વરૂપને અંતર્મુખ દ્રષ્ટિ-જ્ઞાનમાં પકડતાં અનંત ગુણની પર્યાય પ્રગટ થઈ જાય
છે. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, વિભુતા આદિ અનંત ગુણની પર્યાય
એકસાથે પ્રગટ થઈ જાય છે. તેથી જ કહ્યું છે કે ‘સર્વગુણાંશ તે સમકિત.’ આત્માનો
અનુભવ કરતાં અનંત ગુણની પર્યાયની પ્રગટતારૂપ અનંતો લાભ થાય છે.
કેવળીભગવાન કહે છે કે પ્રભુ! તારામાં અનંત ગુણો છે તેને તું પરનો અને
રાગનો પ્રેમ હટાવી નિર્મળ પ્રેમથી પ્રતીતમાં લે, અનુભવમાં લે તો તને પ્રતીતમાં અનંત
ગુણસ્વરૂપ એક આત્માની શ્રદ્ધા થશે અને અનંત ગુણની અંશે નિર્મળ પર્યાયોનો
અનુભવ થશે. પણ અનાદિથી જીવને પરદ્રવ્ય અને રાગાદિની મહિમા આડે અનંત
ગુણના એકપિંડરૂપ ભગવાન આત્માનો અનાદર થઈ જાય છે-અશાતના થાય છે તેની
ખબર નથી.
એક એક ગુણને ગ્રહણ કરતાં આખો આત્મા ગ્રહણ થતો નથી પણ અખંડ-
અભેદ આત્માને ગ્રહણ કરતાં તેમાં અનંત ગુણો ગ્રહણ થઈ જાય છે.
આ કોઈ ભાષામાં આવી શકે એવું વસ્તુનું સ્વરૂપ નથી, આ તો
અનંતાનંત...અનંતાનંત ગુણોનું એકસ્વરૂપ સાક્ષાત્ પરમાત્મા હું જ છું એમ મહિમા
લાવીને અંતરમાં ઘૂસી જાય તેને વસ્તુનો અનુભવ થાય છે.
સોનું જેમ ગેરુથી શોભે છે તેમ ભગવાન આત્મા પોતાની ઉગ્ર દ્રષ્ટિથી જ્યાં
આત્માને પકડે છે ત્યાં અતીન્દ્રિય આનંદના પ્રતપનથી શોભે છે અને બહારમાં ઈચ્છાનો
નિરોધ થાય છે, તેનું નામ તપ છે અને તે સમયે રાગ-દ્વેષનો અભાવ થવાથી નિશ્ચય
અહિંસાવ્રત પણ થઈ જાય છે. દયાના પરિણામ એ ખરેખર અહિંસાવ્રત નથી પણ પરમાર્થ
સ્વભાવના લક્ષે રાગરહિત વીતરાગ પરિણામ થાય છે તે જ સાચું અહિંસાવ્રત છે.
ભગવાન આત્મા જ્યારે પરના લક્ષે વિકલ્પમાં જાય છે ત્યારે નિર્વિકલ્પ
સ્વભાવની હિંસા થાય છે તેથી પરની દયાના ભાવમાં પણ ખરેખર પોતાના સ્વભાવની
હિંસા થાય છે પણ લોકોની માન્યતા જ એવી છે કે ‘દયા ધરમકો મૂલ હૈ, પાપ મૂલ
અભિમાન! તુલસી દયા ન છોડીએ, જબ લગ ઘટમેં પ્રાણ.’
અહીં તો કહે છે કે સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો આ આત્મા તેની અંતરમાં દ્રષ્ટિ કરતાં
એકાકાર થઈને જે અનુભવ થાય છે તે જ સત્ય દયા છે. તે પોતાની દયા છે. પરની દયા
તો જીવ પાળી શકતો જ નથી. કેમ કે પરદ્રવ્યની અવસ્થા આત્મા ત્રણકાળમાં કદી કરી
શક્તો નથી. શું પરદ્રવ્ય વર્તમાન પર્યાય વિનાનું ખાલી છે કે આત્મા તેની પર્યાય કરે?
આ તો મહાસિદ્ધાંત છે કે ‘કોઈ પણ પદાર્થ કોઈ પણ સમયે પર્યાય વિનાનું હોતું નથી.’

Page 174 of 238
PDF/HTML Page 185 of 249
single page version

background image
૧૭૪] [હું
જ્યાં ચેતન ત્યાં અનંત ગુણ તો છે પણ તેમાં એકાગ્રતા કરવાથી એ અનંત
ગુણોની અંશે નિર્મળ પર્યાય પણ પ્રગટ થઈ જાય છે.
સત્-સાહેબ ભગવાન આત્માની દ્રષ્ટિ કરતાં પરમ સત્યવ્રત પણ પ્રગટ થાય છે
અને વળી, અનંત ગુણરૂપ ભગવાન આત્માનો અનુભવ થતાં રાગ પ્રગટ ન થયો તે
પરમ અચૌર્યવ્રત છે. પોતાના સ્વભાવની પક્કડ કરી પરની પક્કડ છોડતાં-રાગનો એક
કણ પણ ગ્રહણ ન કરતાં સાચું અચૌર્યવ્રત પ્રગટ થાય છે.
જ્યાં ચેતન ત્યાં અનંત ગુણ, કેવળી બોલે એમ,
પ્રગટ અનુભવ આપનો, નિર્મળ કરો સપ્રેમ,
ચેતન પ્રભુ! ચૈતન્ય સંપદા રે તારા ધામમાં.
ચૈતન્યસંપદા નથી વૈકુંઠમાં કે નથી સિદ્ધશિલામાં. ચૈતન્યસંપદા તો પ્રભુ! તારા
પોતાના સ્વભાવ-ધામમાં જ ભરી છે.
ભગવાન આત્મા પરપદાર્થમાં એકાકાર ન થતાં પરમ બ્રહ્મસ્વરૂપ નિજ આત્મામાં
વિહાર કરે છે-બ્રહ્માનંદ ભગવાનમાં એકાકાર થાય છે ત્યાં બ્રહ્મવ્રત પ્રગટ થાય છે,
નિશ્ચય બ્રહ્મચર્યવ્રત પ્રગટ થાય છે.
અનંત ગુણનાં પિંડસ્વરૂપ આત્મામાં લીન થતાં સર્વ વિભાવ અને પરપદાર્થની
મૂર્છા દૂર થઈ તે જ અપરિગ્રહવ્રત છે. અસંગભાવમાં રમણ કરવાથી પરિગ્રહ-ત્યાગવ્રત
પ્રગટ થાય છે.
આત્મા આત્મામાં સત્યભાવથી ઠરે છે તેનું નામ નિશ્ચય સામાયિક છે.
ભાઈ! તારા ક્ષેત્રમાં ગુણની ક્યાં કમી છે કે તારે બીજા ક્ષેત્રમાં ગુણ શોધવા
જવા પડે? ભગવાન આત્મા અનંત ગુણનું સંગ્રહાલય છે. અરે! કેવળી ભગવાન પણ
જો એક એક સમયમાં અસંખ્ય ગુણનું વર્ણન કરે તોપણ તેમના કરોડ પૂર્વની સ્થિતિમાં
આત્માના અનંત ગુણોનું વર્ણન ન થઈ શકે.
આત્માની દ્રષ્ટિ અને અનુભવ કરતાં ગયા કાળના કર્મોથી નિવૃત્તિ થાય છે અને
કર્મ સ્વયં નિર્જરાને પ્રાપ્ત થાય છે. તેનું નામ પ્રતિક્રમણ છે. અને ભવિષ્યમાં થનારા
રાગાદિ ભાવોનો ત્યાગ થાય છે એ ભાવોથી નિવૃત્ત પરિણામ થવાં તે નિશ્ચય
પ્રત્યાખ્યાન છે. આમ પંચમહાવ્રત, ત્રણ ગુપ્તિ આદિ ભાવો અનુભવમાં સમાય જાય છે.
કેમ કે ભગવાન આત્માના અંતરસ્વરૂપનો આશ્રય કરતાં જે દશા પ્રગટ થાય તેમાં શું
ખામી રહે? બધાં જ ગુણોની પર્યાયનું પરિણમન થઈ જાય છે.
ચિદાનંદ નિજાત્મસ્વભાવની દ્રષ્ટિ અને અનુભવ કરવો તે જ ભગવાનની સ્તુતિ
છે. સમયસારમાં પણ કુંદકુંદ આચાર્યદેવે શિષ્યને કેવળીની સ્તુતિનું સ્વરૂપ બતાવતાં કહ્યું
છે કે શરીર, વાણી, મન, વિકલ્પ, રાગાદિથી રહિત નિજ પરમાત્મસ્વરૂપમાં લીનતા
કરનાર કેવળીની સ્તુતિ કરે છે-એમ અમે નહિ પણ સર્વજ્ઞભગવાન કહે છે. અહીં પણ
કહ્યું છેઃ ‘કેવળી બોલે એમ.’

Page 175 of 238
PDF/HTML Page 186 of 249
single page version

background image
પરમાત્મા] [૧૭પ
પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માની આરાધના કરવી, સેવના કરવી, સ્વભાવ
સન્મુખની લીનતા કરવી તે સાચો વિનય છે અને તે જ ગુરુની સાચી વંદના છે. બહારથી
વંદન આદિના ભાવ આવે-હોય, નિશ્ચયમાં જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી
વચ્ચે વ્યવહાર આવ્યા વગર રહેતો નથી, ભક્તિ, સ્તુતિ, વંદન, પૂજા આદિના ભાવો છે
પણ તેની મર્યાદા પુણ્યબંધની છે. વસ્તુના સ્વરૂપમાં તે ભાવો સમાઈ શક્તા નથી.
વ્યવહાર છે તો નિશ્ચય છે એમ નથી રાગની મંદતા છે તો અરાગ પરિણામ
થાય છે એમ નથી. પણ જ્યાં સુધી સ્વભાવનો પૂર્ણ આશ્રય લીધો નથી ત્યાં સુધી
એટલો પરાશ્રિત વ્યવહાર આવ્યા વિના રહેતો નથી, એમ ભગવાન કહે છે. તે વ્યવહાર
તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહાર અને નિશ્ચય બન્નેની દિશા જુદી, બન્નેનું
ફળ જુદું, અને બન્નેનો ભાવ પણ જુદો-જુદો છે.
ભાઈ! તું શુદ્ધાત્મા છો. તને ક્યાંય ઠીક ન પડે-ન ગોઠે તો અંદરમાં ગોઠે તેવું
છે. બેને કહ્યું હતું એકવાર કે તને ક્યાંય ન ગોઠે તો આત્મામાં ગોઠે તેવું છે. ક્યાંય
તને ઠીક ન પડે તો અંદર જા. તારી હાકલથી કોઈ સાથે ન આવે તો તું એકલો જા!
તારે કોઈનું શું કામ છે? અહીં ૮૬ મી ગાથામાં પણ એ જ વાત આવશે.
અહા! યોગસાર તો કોઈ અલૌકિક શાસ્ત્ર છે. દિગંબર સંતોની વાત શું કહેવી?
એક-એક શ્લોકમાં આખો ૧૪ પૂર્વનો સાર ભરી દીધો છે. દિગંબર સંતો ક્ષણે-ક્ષણે
સાક્ષાત્ પરમાત્માને સ્પર્શે છે. એક દિવસમાં હજારોવાર આત્માનો સ્પર્શ કરે છે એવા
સંતે રચેલાં આ શ્લોકો છે.
ભગવાન આત્મા નિજ-સ્વરૂપમાં સાવધાન...સાવધાન...સાવધાન...થાય છે ત્યાં
મન-વચન-કાયા તરફનું લક્ષ છૂટી જાય છે તેનું નામ ત્રણગુપ્તિ છે, અને અતીન્દ્રિય
સ્વરૂપમાં એકાકાર થતાં પાંચ ઈન્દ્રિય તરફનું લક્ષ છૂટી જાય છે તેનું નામ સંયમ છે,
અને તે જ ઉત્તમ ક્ષમા આદિ દશધર્મ છે.
સર્વ વિશુદ્ધ ગુણોનું નિવાસસ્થાન આત્મા છે. જેણે આત્માનું આરાધન કર્યું તેણે
સર્વ આત્મિકગુણોનું આરાધન કરી લીધું. આત્માના ધ્યાનથી આત્માના ગુણો વિકસીત
થાય છે એટલે કે પર્યાયમાં પ્રગટ થાય છે, સાથે અવધિ, મનઃપર્યયજ્ઞાનની ઋદ્ધિ પણ
પ્રગટ થાય છે અને કેવળજ્ઞાનનો લાભ થાય છે. આમ નિર્વાણનો પરમ ઉપાય એક
આત્માનું ધ્યાન છે.
તત્ત્વાનુશાસનમાં કહ્યું છે કે જે વીતરાગી આત્મા, આત્મામાં આત્મા દ્વારા
આત્માને જાણે-દેખે છે તે સ્વયં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ થાય છે. સ્વયં
સમ્યગ્દર્શનાદિ નિશ્ચય મોક્ષમાર્ગ છે એમ જિનેન્દ્રદેવ કહે છે.
દિગંબર સંતો જગ્યાએ-જગ્યાએ જિનેન્દ્ર ભગવાનને મોઢાગળ (મુખ્ય) રાખે છે.
ભાઈ! પરમાત્મા આમ કહે છે હો! તું ના ન પાડીશ, ભાઈ! ના ન પાડીશ. અહા!
સંતોની કરુણાનો પાર નથી.

Page 176 of 238
PDF/HTML Page 187 of 249
single page version

background image
૧૭૬] [હું
હવે ૮૬ મી ગાથા કહે છે કે એક આત્માનું મનન કર!
एक्कलय इंदिय–रहियउ मण–वय–काय–ति–सिद्धि
अप्पा अप्पु मुणेहि तुहुं लहु पावहि सिव–सिद्धि ।। ८६।।
એકાકી ઈન્દ્રિય રહિત, કરી યોગત્રય શુદ્ધ;
નિજ આત્માને જાણીને, શીઘ્ર લહો શિવસુખ.
૮૬.
પાંચ ઈન્દ્રિયથી વિરક્ત થઈને તું આત્માનું આત્મા દ્વારા મનન કર! તો
અલ્પકાળમાં તું મોક્ષ પામીશ.
નિરંતર એક સ્વભાવનું જ ઘોલન કર! વિકલ્પનો સ્પર્શ ન કર! આત્મા દ્વારા
આત્માનું મનન કર! મનન એટલે વિકલ્પ નહિ પણ અંતર સ્વરૂપમાં એકાકાર થવાની
વાત છે. આવું મનન જે કરશે તે મોક્ષની સિદ્ધિ શીઘ્ર કરી શકશે.
ગૃહસ્થાશ્રમમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રણેયના પુરુષાર્થ વિકલ્પની જાળમાં
અટકવું પડે છે. અર્થ અને કામનો અશુભ પુરુષાર્થ છે અને ધર્મનો શુભ પુરુષાર્થ છે
પણ છે ત્રણેય વિકલ્પની જાળ!
શ્રોતાઃ-આપ ધર્મને શુભભાવ કેમ કહો છો?
પૂજ્ય ગુરુદેવઃ-ભાઈ! એ ધર્મને સમયસારમાં પુણ્ય કહ્યું છે. વ્યવહારધર્મ કહો કે
પુણ્ય કહો બન્ને એક જ છે, તે નિશ્ચયધર્મ નથી.
સ્વતંત્ર વસ્તુસ્વભાવની દ્રષ્ટિ કરવામાં જો રાગની રુચિ રહી જાય, રાગમાં લાભ
મનાય જાય તો દ્રષ્ટિ ત્યાંથી નહિ ખસે પ્રભુ! તને તારી શાંતિ નથી ગોઠતી અને રાગ
ગોઠે છે! તો તું ક્યાં જઈશ? જ્યાં સુધી રાગનું પોષાણ છે ત્યાં સુધી વીર્ય અંતરમાં કામ
નહિ કરી શકે. વીર્ય ગુણનું ખરું કાર્ય તો પોતાના સ્વભાવની રચના કરવાનું છે. પણ જ્યાં
સુધી વીર્ય રાગ, પુણ્ય, સંયોગ આદિમાં ઉલ્લાસથી કાર્ય કરશે ત્યાં સુધી સ્વભાવનું કાર્ય
નહિ કરી શકે. માટે ગૃહસ્થે પહેલાં જ રાગાદિની રુચિ છોડી દેવી જોઈએ.
કર્મના લક્ષે ઉત્પન્ન થતી ધારા કર્મધારા છે તે જ્ઞાનધારામાં વિઘ્ન કરનારી છે
ત્રણકાળ ત્રણલોકમાં વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું કહેવાય છે. ‘એક હોય ત્રણકાળમાં
પરમારથનો પંથ.’ તેમાં ઢીલું મૂકીને કાંઈ ફેરફાર ન કરાય. પ્રભુ! તારું સ્વરૂપ ક્યાં ઢીલું
છે? જ્ઞાનથી જો તો એકલો જ્ઞાનનો પુંજ છે. વીર્યથી જો તો એકલો વીર્યનો પિંડ છે.
આનંદથી જો તો એકલો આનંદનો પિંડ છે. ગુણપુંજ આત્મા છે. અનંત ગુણનો ઢગલો છે.
દિગંબર સંતોની કથનપદ્ધતિ પણ કોઈ અલૌકિક છે. એક એક શબ્દમાં આખો
સિદ્ધાંત ભરી દીધો છે. આ તો ભાઈ! સર્વજ્ઞભગવાને જેવું સ્વરૂપ જોયું છે, કહ્યું છે તેવું
જ વસ્તુનું સ્વરૂપ છે અને તેવું જ અનુભવમાં આવે છે.

Page 177 of 238
PDF/HTML Page 188 of 249
single page version

background image
પરમાત્મા] [૧૭૭
[પ્રવચન નં. ૩૪]
નિજ–પરમાત્માને જાણીને, શીઘ્ર લહો શિવસુખ
[શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૧૪-૭-૬૬]
શ્રી યોગીન્દ્રદેવ નામના મુનિરાજ લગભગ ૧૩૦૦-૧૪૦૦ વર્ષ પહેલાં થઈ
ગયા. તેમણે આ ‘યોગસાર’ શાસ્ત્રની રચના કરી છે. તેની અહીં ૮૬ મી ગાથા ચાલે
છે. મુનિરાજ કરુણા કરીને શિષ્યને કહે છે કે ‘તું એક આત્માનું મનન કર.!’
एक्कलउ इंदिय–रहियउ मण–वय–काय–ति–सुद्धि ।
अप्पा अप्पु मुणेहि तुहु लहु पावहि सिव–सिद्धि ।। ८६।।
એકાકી ઈન્દ્રિય રહિત, કરી યોગત્રય શુદ્ધ;
નિજ આત્માને જાણીને, શીઘ્ર લહો શિવસુખ.
૮૬.
હે ભાઈ! તું એકલા તારા આત્માને દેખ! તે આત્મા કેવો છે?-કે કર્મ
શરીરાદિથી રહિત છે. પરમાર્થદ્રષ્ટિથી ભગવાન આત્મા કર્મ, શરીર, વિકારાદિથી રહિત
એકલો છે. આવા તારા ઈન્દ્રિય રહિત નિજ આત્માનું હે ભાઈ! તું મન-વચન-કાયાની
શુદ્ધિપૂર્વક સ્વભાવસન્મુખ થઈને ધ્યાન કર! એ મોક્ષમાર્ગ છે અને એ જ યોગસાર છે.
મુનિને તો આત્માનું ધ્યાન ઉત્કૃષ્ટ હોય છે. પરંતુ શ્રાવક ગૃહસ્થાશ્રમમાં હોવાં
છતાં એકદેશ આત્માનું ધ્યાન કરી શકે છે. નિયમસાર ભક્તિ-અધિકારના પ્રથમ
શ્લોકમાં જ કુંદકુંદઆચાર્ય કહે છે કે શ્રાવક હો કે મુનિ હો તે બન્ને નિશ્ચયરત્નત્રયની
ભક્તિ કરે છે. માટે સિદ્ધ થાય છે કે શ્રાવકને પણ પોતાના નિશ્ચય શુદ્ધરત્નત્રયનું ધ્યાન
હોય છે અને તેની પ્રગટ દશા પણ હોય છે. માત્ર મુનિને જ સાચું ધ્યાન હોય એવું
નથી, શ્રાવકને પણ એકદેશ ધ્યાન હોય છે.
ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણાનંદ પ્રભુ છે તેની અંતર અનુભવપૂર્વક દ્રષ્ટિ
કરવી અને સ્વરૂપમાં સ્થિર થવું તે નિશ્ચયરત્નત્રયની ભક્તિ છે. આવી ભક્તિ, એકદેશ
શ્રાવકને પણ હોય છે. સર્વાર્થસિદ્ધિના ચતુર્થ ગુણસ્થાનવર્તી દેવો કરતા પણ જેની શાંતિ
વધી ગઈ છે તે શ્રાવક ભલે સ્ત્રી-કુટુંબની વચ્ચે હો, રાજ્યભોગ ભોગવતો હો,
વિષયભોગની વાસના પણ હો પરંતુ તે શ્રાવક સ્વભાવના આશ્રયે શુદ્ધ
નિશ્ચયરત્નત્રયની ભક્તિ કરે છે.
ભાઈ! તું વસ્તુનું સ્વરૂપ સમજ! પરમાનંદની મૂર્તિ, પરમાત્મસ્વરૂપની અંતર
નિશ્ચય સ્વાશ્રિત દ્રષ્ટિ તે નિશ્ચય શુદ્ધિ અને સાત તત્ત્વની શ્રદ્ધા તે વ્યવહાર છે.
જ્ઞાનસ્વભાવનું જ્ઞાન કરવું-સ્વસંવેદન કરવું તે નિશ્ચય અને શાસ્ત્રજ્ઞાન કરવું તે
પરાશ્રિત વ્યવહાર છે. પોતાના

Page 178 of 238
PDF/HTML Page 189 of 249
single page version

background image
૧૭૮] [હું
સ્વરૂપની દ્રષ્ટિ-જ્ઞાનપૂર્વક સ્થિરતા કરવી તે નિશ્ચયચારિત્ર છે. આવી નિશ્ચયરત્નત્રયની ભક્તિ
શ્રાવકને હોય છે. અરે! ચોથા ગુણસ્થાનમાં પણ મુક્તસ્વરૂપ આત્માનું જ્યાં ભાન થાય છે
અને નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે, તો શ્રાવકને તો બે કષાયનો નાશ થવાથી શાંતિ વિશેષ વધી
જાય છે. આ સ્વભાવના આશ્રયે પ્રગટ થયેલી શાંતિને અહીં શુદ્ધ નિશ્ચયરત્નત્રય કહેલ છે.
નિર્વાણનો સાક્ષાત્ ઉપાય તો નિર્ગ્રંથપદ છે. અહો! અલૌકિક વાત છે. અંતરમાં
ત્રણ કષાયના અભાવરૂપ નિર્ગ્રંથભાવ અને બહારમાં દ્રવ્યલિંગ પણ નિર્ગ્રંથ હોય તે
અંતર-બાહ્ય નિર્ગ્રંથદશા સાક્ષાત્ મોક્ષનો ઉપાય છે.
સમ્યગ્દ્રષ્ટિને સ્વભાવમાં જ સુખ છે અને ઈન્દ્રિયના વિષયોમાં સુખ નથી એવી
દ્રઢ પ્રતીતિ હોવા છતાં, ઈન્દ્રિયના વિષયોમાં આસક્તિ રહે છે. કેમ કે આસક્તિ થવી તે
ચારિત્રનો દોષ છે અને ઈન્દ્રિય વિષયોમાં સુખ છે એમ માનવું તે મિથ્યાત્વનો દોષ છે.
સમ્યગ્દ્રષ્ટિને ત્રણકાળ ત્રણલોકમાં એક પોતાના આત્મા સિવાય ક્યાંય સુખબુદ્ધિ થતી
નથી. જ્યાં સુખ હોય ત્યાં સુખબુદ્ધિ હોય કે જ્યાં સુખ ન હોય ત્યાં સુખબુદ્ધિ હોય?
પોતાનો આનંદ તો પોતામાં છે, પુણ્ય-પાપ ભાવમાં પોતાનો આનંદ નથી-એવી શ્રદ્ધા
ધર્મીને પ્રથમ દ્રષ્ટિમાં જ થઈ જાય છે.
ધર્મીએ આવી શ્રદ્ધા હોવા છતાં પણ હજુ પાંચ ઈન્દ્રિયના વિષયો પ્રત્યેથી
લાલસા છૂટતી નથી, આસક્તિ છૂટતી નથી. ત્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી, કુટુંબ સાથે
રહીને યથાશક્તિ આત્માનું મનન કરે છે. અંતરમાં વિશેષ સ્થિર થવાની શક્તિ ન હોય
અને બહારથી બધું છોડીને બેસી જાય તો પછી હઠથી પરિષહ આદિ સહન કરે, બોજો
વધી જાય. કેમ કે અંતર શક્તિ તો છે નહિ.
આથી જ કુંદકુંદ-આચાર્યે મુલાચારમાં એક જગ્યાએ લખ્યું છે કે જો ભાઈ! તારી
દ્રષ્ટિ સમ્યક્ થઈ છે તો તારા સમ્યગ્દર્શનમાં દોષ ન લાગે તે માટે બરાબર ધ્યાન
રાખજે. આસક્તિ ન છૂટે તો લગ્ન કરી લેજે પણ મિથ્યાદ્રષ્ટિ સાધુનો સંગ કદાપિ ન
કરીશ. કેમ કે લગ્ન કરવા તે ચારિત્રનો દોષ છે પણ મિથ્યાશ્રદ્ધાવંતના સંગમાં ચડવાથી
પોતાની શ્રદ્ધા મિથ્યા થઈ જાય તો તે શ્રદ્ધાથી જ ભ્રષ્ટ થઈ જાય.
શ્રોતાઃ-અરે! પણ સંતો આમ લગ્ન કરવાનું કહે?
પૂજ્ય ગુરુદેવ-અરે ભાઈ! તેનો અર્થ સમજવો જોઈએ. મુનિને તો વિવાહ આદિ
કાર્યોનો નવ-નવ કોટીએ ત્યાગ હોય છે. મન-વચન-કાયાથી એવા કાર્યો કરે નહિ,
કરાવે નહિ અને કરતાને અનુમોદે નહિ. પણ અહીં તો મિથ્યાત્વથી બચવા માટે આ
વાત કહી છે. મિથ્યાદર્શનનું પાપ ચારિત્રદોષથી ઘણું મોટું છે. પણ લોકોને મિથ્યાદર્શનનું
પાપ અને સમ્યગ્દર્શનરૂપ ધર્મની શું કિંમત છે તેની ખબર જ નથી.
‘सिज्झंति चरियभट्ठा दंसणभट्ठा ण सिज्झंति।’ સ્ત્રીના સંગમાં ચારિત્રનો
દોષ લાગશે, શ્રદ્ધાનો દોષ નહિ લાગે. જ્યારે જેની દ્રષ્ટિ જ વિપરીત છે એવા ભલે
સાધુ હોય પણ તેના સંગથી સમકિતીની શ્રદ્ધા પણ વિપરીત થઈ જાય તો શ્રદ્ધાનો
મોટો દોષ લાગે છે. મૂલાચારમાં

Page 179 of 238
PDF/HTML Page 190 of 249
single page version

background image
પરમાત્મા] [૧૭૯
મુનિરાજનો કહેવાનો આશય આ છે. સ્ત્રીના સંગમાં પાડવાનો આશય નથી.
બ્રહ્મસ્વરૂપમાં લીન થનારા આત્મ-આનંદી મુનિરાજ આમ કહે છે તો તેનો આશય
બરાબર સમજવો જોઈએ.
અહીં યોગીન્દ્રદેવ પણ એ જ કહે છે કે જો તું સમ્યગ્દ્રષ્ટિ છો પણ તને વિષયની
આસક્તિ ન છૂટતી હોય તો ગૃહસ્થાશ્રમમાં રહીને યથાશક્તિ આત્માનું મનન કર! નિશ્ચય
શ્રદ્ધા-જ્ઞાન-સ્થિરતારૂપ રત્નત્રયની ભક્તિ કર! ધ્યાન કર! અને જ્યારે તને મનથી
આસક્તિ પણ છૂટી જાય ત્યારે મુનિપણું અંગીકાર કરજે. મુનિપણું-ચારિત્ર જ ખરેખર
મોક્ષનું સાક્ષાત્ કારણ છે, માટે જ્યારે તને આત્મિકસુખનો પ્રેમ વધી જાય અને તેના
સિવાય બધા વિષયોના રસ ફીક્કા લાગે, ક્યાંય આસક્તિ ન થાય ત્યારે જિતેન્દ્રિય થઈને
નિરંતર આત્માના મનનમાં લાગી જજે અર્થાત્ મુનિ થઈ સ્વરૂપમાં લીન થજે.
અહીં આત્માનુશાસનનો આધાર આપ્યો છે કે ગુણભદ્રસ્વામી લખે છે કે ‘આત્મજ્ઞાની
મુનિને યોગ્ય છે કે તે વારંવાર સમ્યગ્જ્ઞાનનો અભ્યાસ ફેલાવતા રહે.’ ચૈતન્યજ્યોત
આત્માની દ્રષ્ટિપૂર્વક જ્ઞાનનો વિકાસ કરે એટલે કે આત્માની સર્વ શક્તિ-આનંદ, શાંતિ, વીર્ય
આદિનો વિકાસ થાય તેમ રાગ ઘટાડે અને જ્ઞાન ફેલાવે તે મુનિને યોગ્ય કાર્ય છે.
ભાઈ! મોક્ષને તો આવો નિરાલંબી માર્ગ છે. નિશ્ચયમોક્ષમાર્ગને વ્યવહાર
મોક્ષમાર્ગનું પણ અવલંબન નથી.
જેમ કળીનો વિકાસ થઈને ફૂલ ખીલે છે તેમ પરમ પારિણામિક સ્વભાવભાવ
શક્તિરૂપે છે તેમાં એકાગ્ર થઈને પર્યાયમાં વિકાસ કરો. અનંત શક્તિઓને પર્યાયમાં ખીલવો
અને રાગ-દ્વેષ ન કરતાં સમતાભાવથી આત્માને ધ્યાવો. કારણ કે પરમાનંદમૂર્તિ આત્માનું
ધ્યાન કરવું તે જ મોક્ષનો માર્ગ છે. દ્રવ્યસંગ્રહ-૪૭ ગાથામાં પણ આ જ વાત મૂકી છે.
અહો! ગમે તે શાસ્ત્ર જુઓ, ચારે બાજુએ આચાર્યોએ એક જ વીતરાગનો
મોક્ષમાર્ગ સ્પષ્ટ કરીને મૂકયો છે. વીતરાગી મોક્ષમાર્ગના ઢંઢેરા પીટયા છે.
૮૬ ગાથા પૂરી થઈ, હવે ૮૭ મી ગાથામાં યોગીન્દુ મુનિરાજ કહે છે કે ‘સહજ
સ્વરૂપમાં રમણ કર! બંધ-મોક્ષનો વિકલ્પ છોડી દે.’
जइ बद्धउ मुक्कउ मुणहि तो बंधियहि णिभंतु ।
सहज–सरुवइ जइ रमहि तो पावहि सिव संतु ।। ८७।।
બંધ-મોક્ષના પક્ષથી નિશ્ચય તું બંધાય,
સહજસ્વરૂપે જો રમે, તો શિવસુખરૂપ થાય.
૮૭.
આહાહા...! ભગવાન આત્મા! જો તું બંધ-મોક્ષની કલ્પના કરીશ તો તું
નિઃસંદેહ બંધાઈશ. આ મને રાગ થાય છે તે છૂટશે તો મોક્ષ થશે એવો વિકલ્પ છે તે
બંધનું કારણ છે. સહજાત્મસ્વરૂપ-એકસ્વરૂપનું ધ્યાન તે મોક્ષનું કારણ છે.
ભાઈ! તું બંધ અને મોક્ષ એ બે પર્યાયદ્રષ્ટિથી જોવા જઈશ તો તું નિયમથી
બંધાઈશ. આ યોગસાર છે ને! યોગસ્વરૂપમાં એકાકાર થઈને બંધ-મોક્ષના પણ વિકલ્પ ન

Page 180 of 238
PDF/HTML Page 191 of 249
single page version

background image
૧૮૦] [હું
કરવા તેનું નામ યોગસાર છે. આચાર્યદેવ કડકભાષામાં કહે છે કે ‘નિયમથી બંધાઈશ.’
બંધ અને મોક્ષ એ વિચાર ભલે શુભવિકલ્પ છે પણ વિકલ્પ છે તે જ બંધનું કારણ છે.
અરે! પણ આમાં એક પણ જીવનો ઘાત તો નથી કર્યો છતાં બંધન?-હા, જીવનો ઘાત
બંધનું કારણ નથી, વિકલ્પ બંધનું કારણ છે. પર્યાયદ્રષ્ટિ-વ્યવહારનયનો આશ્રય કરવાથી
બંધ થાય છે.
જીવનું મોક્ષનું પ્રયોજન પર્યાયના લક્ષથી સિદ્ધ થતું નથી કેમ કે નિર્મળ
પર્યાયમાંથી પણ નવી પર્યાય ઉત્પન્ન થતી નથી. નિયમસાર પ૦ મી ગાથામાં ક્ષાયિક
સમ્યગ્દર્શનને પણ પરદ્રવ્ય કહ્યું છે. કેમ?-કે જેમ પરદ્રવ્યમાંથી પોતાની નિર્મળ પર્યાય
ઉત્પન્ન થતી નથી તેમ પોતાની નિર્મળ પર્યાયમાંથી પણ નવી નિર્મળ પર્યાય ઉત્પન્ન
થતી નથી તે અપેક્ષાથી ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ચારેય પર્યાયને પરદ્રવ્ય કહી
છે. નવી પર્યાય ઉત્પન્ન થવાનું સ્થાન એક ધ્રુવસ્વભાવ છે તે સ્વદ્રવ્ય છે.
વાસ્તવિક તત્ત્વના ખ્યાલ વગર કોઈનું કલ્યાણ થાય તેમ નથી. કેમકે કલ્યાણની
ખાણ જ આત્મા પોતે છે, તેની એકરૂપ દ્રષ્ટિ થયા વિના કલ્યાણનું બીજ ક્યાંથી ઊગે?
અહીં તો આચાર્ય કહે છે કે નિર્વાણનો ઉપાય એક શુદ્ધાત્માનુભવ જ છે. જ્યાં
મનના વિચાર વિકલ્પ બધું બંધ થઈ જાય છે અને સ્વાનુભવનો પ્રકાશ થાય છે તેને
નિર્વિકલ્પ સમાધિ કહે છે. સમ્યક્ દર્શન-જ્ઞાન ચારિત્રમાં રાગ રહિત વીતરાગી શાંતિ છે
તે નિર્વિકલ્પ સમાધિ છે. તે જ મોક્ષનો માર્ગ છે.
ભાઈ! વાત તો કઠણ છે પણ તું સમજવાનો પ્રયત્ન કર! નય, નિક્ષેપ,
પ્રમાણના વિકલ્પને છોડીને એકરૂપ નિજ પરમાત્મા ઉપર દ્રષ્ટિ દે અને તેમાં લીનતા કર
તો તારો નિર્વાણ થશે જ થશે. જેમ આગળ કહ્યું કે તું વિકલ્પથી નિઃભ્રાંતપણે બંધાઈશ
જ તેમ અહીં કહે છે કે સ્વરૂપમાં દ્રષ્ટિ-જ્ઞાન અને લીનતા કર! તું નિઃશંકપણે નિર્વાણ
પામીશ. જેમ ઠંડું હીમ વનને બાળી નાખે છે તેમ તારી અકષાય શાંતિ સંસારને બાળી
નાખશે, તારો નિર્વાણ થશે.
ભક્તિમાં આવે છે કે ‘ઉપશમ રસ વરસે રે પ્રભુ તારા નયનમાં.’ ઉપશમ
એટલે અકષાય શાંતિ અને તેની પૂર્ણતા તે વીતરાગ. આત્મા અકષાયસ્વરૂપ છે એવો
અકષાયભાવ પર્યાયમાં પ્રગટ થવો તે ઉપશમભાવ છે.
પ્રભુ! આ બધી વાતો ભાષામાં તો સહેલી લાગે છે પણ તેની પ્રાપ્તિ માટે
પુરુષાર્થની ઉગ્રતા જોઈએ છે હો! ભાષામાં કાંઈ ભાવો આવી જતા નથી. પુરુષાર્થ
કરતાં એ ભાવો પ્રગટ થાય છે.
બંધ-મોક્ષનો વિચાર એ પણ રાગ છે, બંધનું કારણ છે.
શ્રોતાઃ-પણ પ્રભુ! વિચાર એ તો જ્ઞાનની પર્યાય છે ને?
ભાઈ! એ છે જ્ઞાનની પર્યાય, પણ સાથે જે રાગ આવે છે, ભેદ પડે છે તે બંધનું

Page 181 of 238
PDF/HTML Page 192 of 249
single page version

background image
પરમાત્મા] [૧૮૧
કારણ છે. સમયસાર-કળશમાં રાજમલજીએ આ વાત લીધી છે. ‘વિચાર સુદ્ધા બંધનું
કારણ છે.’ ત્યાં જ્ઞાનને બંધનું કારણ નથી કહ્યું પણ જ્ઞાન રાગમાં-ભેદમાં રોકાય જાય છે
તેનું નામ વિચાર છે અને તે બંધનું કારણ છે. હું મનુષ્ય છું, ભવ્ય છું, સમ્યગ્દ્રષ્ટિ છું
આદિ, ગુણસ્થાન, માર્ગણાસ્થાનના વિચાર, કર્મોના આસ્રવભાવનો વિચાર, ચારે પ્રકારના
બંધનો વિચાર, સંવર-નિર્જરાના કારણોનો વિચાર આદિ બધાં વિચારો વ્યવહારનય દ્વારા
ચંચલ છે. તે શુભોપયોગ છે. નિશ્ચય જ સત્ય છે. વ્યવહાર ઉપચાર છે.
પર્યાય ક્ષણિક છે પણ દુઃખદાયક નથી. પણ તેમાં વિકલ્પ ઊઠે છે તે દુઃખદાયક
છે. કેવળજ્ઞાન પણ પર્યાય છે. ક્ષણિક છે પણ દુઃખદાયક નથી. માટે જે દુઃખદાયક છે
એવા વિકલ્પો છોડવા લાયક છે. પર્યાયનું ક્ષણિકપણું દુઃખદાયક નથી પણ તેમાં જે
રાગ-દ્વેષના વિકલ્પ ઊઠે છે તે જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવને ડખલરૂપે છે માટે દુઃખરૂપ છે.
ભગવાનનો મારગ ભાઈ! આત્માનો મારગ છે, તેમાં કાંઈ ફેરફાર ચાલે નહિ.
આંખની પાંપણમાં થોડી રજ સમાય પણ આમાં કાંઈ ન સમાય. રાગરહિતપણે ભેદનું
જ્ઞાન કરવું તે દુઃખનું કારણ નથી, તે તો સ્વભાવ છે, પણ જે રાગી છે તે ભેદનું જ્ઞાન
કરવા જાય છે ત્યાં તેને વિકલ્પ ઊઠે તે દુઃખનું કારણ છે. ભેદનું જ્ઞાન દુઃખનું કારણ
હોય તો તો સર્વજ્ઞને પણ દુઃખ થવું જોઈએ, પણ એમ નથી. વિકલ્પ દુઃખનું કારણ છે.
હવે અહીં કોઈ પ્રશ્ન કરે છે કે પર્યાય તો દ્રવ્યનો જ ભેદ છે, અવસ્તુ તો નથી,
તો તેને વ્યવહાર કેમ કહી શકાય?
તેને ગુરુ ઉત્તર આપે છે કે ભાઈ! તારી વાત સાચી છે, પણ અહીં દ્રવ્યદ્રષ્ટિથી
અભેદને પ્રધાન કરીને ઉપદેશ છે. અભેદદ્રષ્ટિમાં ભેદને ગૌણ કરવાથી અભેદ સારી રીતે
માલુમ પડી શકે છે. સરાગીને ભેદદ્રષ્ટિમાં વિકલ્પ રહ્યા કરે છે, માટે જ્યાં સુધી રાગ
મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદને મુખ્ય કરવામાં આવ્યો છે. વીતરાગ થયા
પછી તો ભેદાભેદ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે.
ભગવાન તો એક દ્રવ્યના અનંત ગુણ, એક ગુણની અનંતી પર્યાય અને એક
પર્યાયના અનંત અવિભાગપ્રતિચ્છેદ આદિ બધાં ભેદને એક સમયમાં જાણે છે પણ
તેમને રાગ થતો નથી. માટે ભેદનું જ્ઞાન રાગનું કારણ નથી પણ રાગીને ભેદનું લક્ષ
કરવાથી રાગ થાય છે. રાગી એકરૂપ સ્વભાવને જાણે ત્યારે નિર્વિકલ્પ થઈ જાય છે
અને ભેદને જાણે ત્યારે તેને રાગ થાય છે, તેનું કારણ રાગી છે માટે રાગ થાય છે.
માટે કહ્યું છે કે વીતરાગદશા પ્રાપ્ત કરવા માટે રાગીએ વ્યવહારનયનું લક્ષ છોડી
નિશ્ચયનયથી પોતાને અને પરને જાણવા જોઈએ.
આ જીવ ઊંધો પડયો અનંત તીર્થંકરો આવે તોપણ ન ફરે તેવો છે અને સવળો
પડયો અનંત પરિષહ આવે તોપણ ન ડગે તેવો છે, એટલે જ અનુભવ પ્રકાશમાં કહ્યું
છે કે ભગવાન! તારી શુદ્ધતા તો મોટી છે પણ તારી અશુદ્ધતા પણ મોટી છે.

Page 182 of 238
PDF/HTML Page 193 of 249
single page version

background image
૧૮૨] [હું
સમ્યગ્દ્રષ્ટિ-જ્ઞાની પોતાના સ્વભાવમાં એટલાં દ્રઢ છે કે ગમે તેટલાં પરિષહો
આવે, આખી દુનિયા ફરી જાય તોપણ જ્ઞાની પોતાની દ્રષ્ટિ અને સ્થિરતાથી ડગતા
નથી.
જ્ઞાની પણ શાસ્ત્ર વાંચે, વિચારે, ઉપદેશ આપે, ઉપયોગ ન ટકે તો
વ્યવહારનયના વિચાર પણ કરે પણ ભાવના એક જ હોય કે હું કેમ શીઘ્ર સ્વાનુભવમાં
પહોંચી જાઉં. જ્ઞાનીને પણ જેટલો રાગ હોય છે તેટલો બંધ પણ હોય છે. જેટલો
અબુદ્ધિપૂર્વકનો રાગ છે તેટલો બંધ અનુભવકાળે પણ થાય છે. પ્રથમ અનુભવ થતાં જ
પૂર્ણ સ્થિરતા થતી નથી તેથી જેટલી અસ્થિરતા છે તેટલો જ્ઞાનીને પણ બંધ તો થાય
છે. જ્ઞાનીને અબંધ કહ્યા છે એ તો દ્રવ્યદ્રષ્ટિથી કહ્યા છે પણ પર્યાયમાં રાગ બાકી છે
પણ પર્યાયમાં રાગ બાકી છે તેટલો બંધ તો દશમા ગુણસ્થાન સુધી હોય છે માટે
જ્ઞાનીને પણ શ્રીગુરુ કહે છે કે તને શુભરાગ ભલે હો પણ ભાવના તો હું અંતરમાં કેમ
સ્થિર થાઉં એ જ રાખવી, તે જ મોક્ષનો ઉપાય છે.
* જે શરીર દુષ્ટ આચરણથી ઉપાર્જિત કર્મરૂપી
કારીગર દ્વારા રચવામાં આવ્યું છે, જેના સાંધા અને બંધનો
નિંદ્ય છે, જેની સ્થિતિ વિનાશ સહિત છે અર્થાત્ જે વિનશ્વર
છે, જે રોગાદિ દોષો, સાત ધાતુઓ અને મળથી પરિપૂર્ણ
છે, અને જે નષ્ટ થવાનું છે, તેની સાથે જો આધિ (માનસિક
ચિંતા), રોગ, વૃદ્ધાવસ્થા અને મરણ આદિ રહેતા હોય
તો એમાં કોઈ આશ્ચર્ય નથી. પરંતુ આશ્ચર્ય તો કેવળ એમાં
છે કે વિદ્વાન મનુષ્ય પણ તે શરીરમાં સ્થિરતા શોધે છે. પ૮
(શ્રી પદ્મનંદિ-પંચવિંશતિ)

Page 183 of 238
PDF/HTML Page 194 of 249
single page version

background image
પરમાત્મા] [૧૮૩
[પ્રવચન નં. ૩પ]
નિજ–પરમાત્માની દ્રષ્ટિ કરતાં પર્યાયમાં
મુક્તિનો પ્રારંભ
[શ્રી યોગસાર શાસ્ત્ર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા ૧પ-૭-૬૬]
આ શ્રી યોગસાર શાસ્ત્ર છે. મુનિરાજ યોગીન્દ્રદેવે આ શાસ્ત્રની રચના કરી છે.
તેમાં આપણે ૮૮ ગાથા સુધી પહોંચ્યા છીએ.
सम्माइट्ठी–जीवडहं दुग्गइ–गमणु ण होइ
जइ जाइ वि तो दोसु णवि पुव्व–क्किउ खवणेइ ।। ८८।।
સમ્યગ્દ્રષ્ટિ જીવને દુર્ગતિ ગમન ન થાય;
કદી જાય તો દોષ નહિ, પૂર્વ કર્મ ક્ષય થાય. ૮૮.
સમ્યગ્દ્રષ્ટિ જીવનું ગમન હલકી ગતિઓમાં હોતું નથી. કેમકે સમ્યગ્દ્રષ્ટિને દ્રષ્ટિમાં
પોતાના પૂર્ણ સ્વભાવનો જ આદર છે અને સંસાર તરફ ઉપેક્ષાભાવ છે. એક પોતાના
શુદ્ધસ્વભાવનું જ ગ્રહણ છે, બાકી શુભ વિકલ્પથી માંડીને આખા સંસાર પ્રત્યે જ્ઞાનીને
ગ્રહણબુદ્ધિ નથી, આદર નથી. તેથી જ્ઞાની હલકી ગતિમાં જતાં જ નથી. છતાં કદાચિત્
જાય તોપણ તેમાં જ્ઞાનીને હાની નથી. તેમના પૂર્વકૃત કમનો ક્ષય થઈ જાય છે.
શ્રોતાઃ- સમ્યગ્દ્રષ્ટિ કોને કહેવાય?
પૂજ્ય ગુરુદેવઃ- જેને આત્માના શુદ્ધ સ્વભાવની ગાઢ રુચિ છે અને અતીન્દ્રિય
સુખનો પરમ પ્રેમ છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. તેને આખા સંસાર તરફથી અંતરથી રુચિ-પ્રેમ
ઊડી ગયા હોય છે. આવા જ્ઞાનીને દ્રઢ પ્રતીતિ હોય છે કે મારી શાંતિ અને આનંદ પાસે
બધું તુચ્છ છે. શુભરાગમાં પણ મારો આનંદ નથી, તો બીજે ક્યાં હોય? આવા દ્રઢ
પ્રતીતિવંત જ્ઞાની મુક્તિના પથિક છે-છૂટવાની દિશાએ ચાલનારા છે.
મોક્ષસ્વરૂપ આત્માની જેને રુચિ અને પ્રતીત થઈ તે મોક્ષનો પથિક છે. આત્મા
વસ્તુસ્વભાવે રાગ, શરીર કે કર્મથી કદાપિ બંધાણો જ નથી. એક સમયની પર્યાયમાં
રાગ છે પણ જેણે પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી લીધી અને સ્વભાવદ્રષ્ટિ કરી તેને
મુક્તસ્વભાવ જ જણાશે. તે પર્યાયમાં પણ મુક્તસ્વભાવના પંથે જ છે.
ભગવાન આત્મામાં રાગ અને કર્મનો સંબંધ ક્યાં છે? વસ્તુ તો પૂર્ણ મુક્ત છે
અને સમ્યગ્દ્રષ્ટિની દ્રષ્ટિ મુક્તસ્વભાવ ઉપર જ છે. દ્રષ્ટિ મુક્તસ્વભાવ ઉપર છે ત્યાં
રાગ, કર્મનું નિમિત્ત, બંધની પર્યાય આદિનું જ્ઞાન રહે છે પણ તેનો આદર રહેતો નથી.
ભવરહિત સ્વભાવની દ્રષ્ટિ થતાં જ્ઞાનીને પૂછવા જવું પડતું નથી કે હે ભગવાન!

Page 184 of 238
PDF/HTML Page 195 of 249
single page version

background image
૧૮૪] [હું
હવે મારે કેટલા ભવ છે? અરે, હું તો ભવરહિત વસ્તુ છું ને! મારે ભવનો પરિચય જ
નથી. વસ્તુ એટલે અનંતગુણનો સાર-રસકસ એવી ચીજને ભવનો પરિચય જ નથી.
પર્યાયમાં ભવનો પરિચય છે પણ દ્રષ્ટિ પર્યાયને સ્વીકારતી જ નથી.
જેણે પોતાની દ્રષ્ટિમાં ધર્મધારક ધર્મીને ધારી લીધો, તેની દ્રષ્ટિમાં ભવ છે જ નહિ
અને તેની પર્યાયની ગતિ પણ ભવના અભાવ તરફ થવા લાગી છે તે નિઃસંદેહ થઈ ગયો
છે કે મારે હવે ભવ છે જ નહિ. એક બે ભવ છે તે મારા પુરુષાર્થની કમીને કારણે-રાગને
કારણે છે, તે મારા જ્ઞાનનું જ્ઞેય છે, મારું સ્વરૂપ નથી, તેનો હું સ્વામી નથી. હું તો મારા
સહજાત્મસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ સ્વામી છું એમ જ્ઞાની જાણે છે. સમ્યક્ત્વની મહિમા કેટલી
છે તે આગળ રત્નકરંડ-શ્રાવકાચારની બે ગાથાના આધારે કહેશે.
પૂર્ણાનંદસ્વરૂપ વસ્તુ તે મારી ચીજ છે અને હું તેનો સ્વામી છું. મારી એક
સમયની પર્યાયમાં દોષ છે બાકી આખો આત્મા નિર્દોષ પિંડ છે. એ એક સમયના
દોષની જેણે રુચિ છોડી અને પૂર્ણાનંદ સ્વભાવમાં રુચિ જોડી તે મોક્ષનો જ પથિક છે.
ભગવાન કહે છે માટે હું પૂર્ણ છું એમ નહિ પણ પોતાને નિઃસંદેહ પ્રતીતિ થઈ જાય છે
કે ‘હું તો પૂર્ણ છું, દોષ તે મારું ત્રિકાળી સ્વરૂપ નથી.’ જેમ વસ્તુ ક્યારેય પડતી નથી
તેમ વસ્તુની દ્રષ્ટિ થઈ તે પણ કદી પડતી નથી, અને જેને પડવાની શંકા પડે છે તેને
ધ્રુવની દ્રષ્ટિ પણ રહેતી નથી.
સમંતભદ્ર-આચાર્યે રત્નકરંડ-શ્રાવકાચારમાં સમ્યગ્દ્રષ્ટિને તેની સ્વસન્મુખ ચાલતી
ધારાનો કર્ણધાર કહ્યો છે. કર્ણધાર એટલે ખેવટિયો, નાવડિયો કહ્યો છે. સંસારસમુદ્રથી
પાર કરનારો નાવડિયો છે. સમ્યગ્દર્શનની ઘણી મહિમા કરી છે કે સમ્યગ્દર્શન વિના
સમ્યગ્જ્ઞાન નથી, સમ્યક્ચારિત્ર નથી. સમ્યગ્દર્શન થયું એટલે તો સર્વસ્વ થઈ ગયું.
સમ્યગ્દ્રષ્ટિ સંસાર તરફ પીઠ રાખે છે, એટલે શું?-કે વિકલ્પ આદિથી ઉપેક્ષા
રાખે છે, અને નિર્વિકલ્પ સ્વભાવની અપેક્ષા રાખે છે. જેમ માખી જેવું ચૌરેન્દ્રિય પ્રાણી
પણ જ્યાં મીઠાસ લાગે ત્યાંથી ખસતું નથી અને જ્યાં મીઠાસ નથી ત્યાં બેસતું નથી.
ફટકડી ઉપર માખી બેસતી નથી અને સાકરમાં મીઠાસ આવે છે ત્યાંથી ઉડતી નથી તેમ
આત્મા સાકરની જેમ અતીન્દ્રિય આનંદનો રસકંદ-ઢગલો છે ત્યાં જેની દ્રષ્ટિ પડી છે તે
સમ્યગ્દ્રષ્ટિની દ્રષ્ટિ ત્યાંથી ખસતી નથી. આનંદઘનજી પણ કહે છે ને કે ‘ચાખે રસ ક્યોં
કરી છૂટે?’ એકવાર રસ ચાખ્યા પછી કેમ કરીને છૂટે? ધર્મીએ અતીન્દ્રિય આનંદનો
રસ ચાખ્યો પછી દેવતાની ટોળી આવીને કહે કે આમાં રસ નથી તોપણ જ્ઞાની કહે છે
કે મેં અનુભવ કર્યો છે તેમાં ફેર નથી. જ્ઞાનીને પોતાના અનુભવમાં શંકા પડતી નથી.
જ્ઞાનીને સ્વભાવ પ્રત્યે સંવેગ છે. અને પરભાવ-સંસાર પ્રત્યે નિર્વેગ છે.
સ્વભાવની રુચિ થઈ છે તેથી વીર્ય પણ તે તરફ જ કામ કરે છે, કેમકે ‘રુચિ
અનુયાયી વીર્ય.’ અને જ્ઞાનીને સંસાર, શરીર અને ભોગોથી વિરક્તિ થઈ જાય છે.
સંસારમાં ચારેય ગતિમાં આકુળતા છે, શરીર કારાગૃહ સમાન છે અને ઈન્દ્રિયોના
ભોગો અતૃપ્તિકારી છે એમ જાણીને જ્ઞાનીને વૈરાગ્ય થાય છે.

Page 185 of 238
PDF/HTML Page 196 of 249
single page version

background image
પરમાત્મા] [૧૮પ
જ્ઞાનીને ભોગાદિનો થોડો રાગ આવી જાય છે પણ તેનો ખેદ થાય છે, પોતે
પોતાના રાગની નિંદા કરે છે, ગુરુ પાસે ગર્હણા કરે છે.
સ્વામીકાર્તિકેય મુનિરાજ કહે છે કે જેને આત્માનું ભાન થયું અને
અનંતાનુબંધીનો નાશ થયો તે ધર્મી પર્યાયમાં પોતાને તુચ્છ દેખે છે. અરે! ક્યાં
ભગવાનની કેવળજ્ઞાનની દશા અને ક્યાં મુનિઓની પ્રચુર સ્વસંવેદનની દશા! તેની
પાસે મારી પર્યાયમાં તો બહુ કમી છે-હું પામર છું.
સમયસાર પ મી ગાથામાં કુંદકુંદાચાર્યે પણ કહ્યું છે કે સર્વજ્ઞ ભગવાનથી માંડીને
અમારા ગુરુપર્યંત બધાં અંતર નિમગ્ન છે. તેમણે અમારા ઉપર કૃપા કરીને ઉપદેશ આપ્યો
કે ‘ભગવાન! તું શુદ્ધ છો’ આ સાંભળી અમને પ્રચુર સ્વસંવેદન પ્રગટ થયું. કુંદકુંદ
આચાર્યે એમ ન લીધું કે અમારી પાત્રતા જોઈને ગુરુએ ઉપદેશ આપ્યો, પણ ગુરુએ કૃપા
કરીને ૧૨ અંગના સારરૂપ ‘તું શુદ્ધાત્મા છો’ એવો ઉપદેશ આપ્યો એમ લીધું.
શુદ્ધ ચૈતન્ય તરફ જેનો ઝુકાવ છે તેને રાગ તરફ નિંદા-ગર્હણા થાય જ. એ તેનું
લક્ષણ છે. એમ ન હોય કે રાગ ભલે આવ્યો. ધર્મીને સદાય અકષાયભાવની જાગૃતિ રહે
છે અને જિનેન્દ્રદેવ, નિર્ગ્રંથ ગુરુ અને જિનવાણીની ગાઢ ભક્તિ કરે છે, સ્તુતિ, વંદના,
પૂજા, સ્વાધ્યાય પણ કરે છે. આ બધા શુભભાવ સહકારી નિમિત્ત છે એમ ધર્મી જાણે છે.
ધર્મીને સાધર્મી ભાઈ-બહેન પ્રત્યે વાત્સલ્ય આવે છે. સાધર્મીની વિશેષ દશા
જોઈને દ્વેષ નથી આવતો પણ એમ થાય છે કે અહા! ધન્ય અવતાર! મારે પણ આવી
દશા પ્રગટ કરવી છે. રત્નકરંડ-શ્રાવકાચારમાં આવે છે કે ધર્મ ધર્મી વિના હોતો નથી.
તો જેને ધર્મી ઉપર પ્રેમ નથી તેને ધર્મ ઉપર પણ પ્રેમ નથી.
સમ્યગ્દ્રષ્ટિ કોઈ સાથે અન્યાયયુક્ત વ્યવહાર કરતાં નથી. સમ્યગ્દ્રષ્ટિને ૪૧
પ્રકૃતિનો બંધ થતો નથી. તે તો દેવ અને મનુષ્યગતિમાં જ જન્મે છે. કદાચિત્
સમ્યગ્દર્શન પહેલાં નરક, તિર્યંચગતિનો બંધ થઈ ગયો હોય તો ત્યાં પણ સમભાવથી
દુઃખ સહન કરી લે છે. સમ્યગ્દ્રષ્ટિને ‘બાહિર નારકીકૃત દુઃખ ભોગત, અંતર સુખરસ
ગટાગટી.’ જેટલો કષાયભાવ છે તેટલું જ્ઞાનીને દુઃખ થાય છે પણ તેને ગૌણ કરીને
અતીન્દ્રિય સ્વભાવની મુખ્યતાથી આનંદને વેદે છે તેથી જ સમ્યગ્દ્રષ્ટિ નરકમાં હોય
તોપણ સુખી છે અને મિથ્યાદ્રષ્ટિ નવમી ગ્રૈવેયકમાં હોય તોપણ દુઃખી છે.
સમ્યગ્દર્શન થયા પહેલાં આયુષ્ય બંધાઈ ગયું હોય તો સમ્યગ્દ્રષ્ટિ કદાચિત્
નરકમાં જાય તેને પૂર્વકૃત કર્મોની અને અશુદ્ધભાવની નિર્જરા થાય છે અને નવા કર્મ
બંધાતા નથી. સમ્યગ્દ્રષ્ટિને પૂર્ણાનંદ સ્વભાવની જ મુખ્યતા હોવાથી સમ્યગ્દર્શન સૂર્ય
ઊગ્યો હોવાથી અવ્રતી હોવા છતાં એવા પાપ નથી બાંધતો કે જેથી તે નારકી, તિર્યંચ,
સ્ત્રી, નપુંસક થાય કે નીચ ગતિ આદિ દશાને પ્રાપ્ત થાય.
સમ્યગ્દ્રષ્ટિ અખંડિત પ્રતાપવંત હોય છે, વિદ્યાવંત હોય છે, જશવંત હોય છે.

Page 186 of 238
PDF/HTML Page 197 of 249
single page version

background image
૧૮૬] [હું
સમ્યગ્દ્રષ્ટિને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. પુણ્ય પણ વધતાં જાય છે અને સમ્યગ્દ્રષ્ટિનો
પુરુષાર્થ પણ વધતો જાય છે.
સમ્યગ્દ્રષ્ટિ સદા વિજયવંત હોય છે. સમ્યગ્દ્રષ્ટિ કહે છે કે અમારો જ વિજય છે,
અમે કદી પાછા પડીએ તેમ નથી. રાગ અને કર્મ અમને હરાવી શકે તેમ નથી.
સમ્યગ્દ્રષ્ટિની ભાવના એવી જોરદાર હોય છે કે પુરુષાર્થ કરીને ક્યારે ચારિત્ર પ્રગટ કરું
અને કેવળજ્ઞાન લઉં? તેને એવી શંકા ન હોય કે કર્મ મને હેરાન કરશે તો! ભવ હશે
તો! એવી શંકા ન હોય.
જેણે પોતાના આત્માને મુખ્ય કર્યો છે તેવા સમ્યગ્દ્રષ્ટિ બહારમાં પણ બધામાં
મુખ્ય ગણાય છે. જેમ હીરા કોથળામાં ન રખાય, મખમલની ડબીમાં જ હીરા રખાય.
તેમ સમ્યગ્દ્રષ્ટિ પુણ્યવંત માતા-પિતાને ત્યાં જ જન્મ લે. હલકા ઘરે ન જન્મે.
સમ્યક્ત્વની ભૂમિકામાં જે પુણ્ય બંધાય છે તેવું પુણ્ય મિથ્યાત્વ ભૂમિકામાં અનંતકાળમાં
ક્યારેય બંધાતું નથી. સમ્યગ્દ્રષ્ટિના પુણ્યની જાત જ જુદી હોય.
હવે યોગીન્દુ મુનિરાજ કહે છે કે સર્વ વ્યવહારને છોડીને સ્વરૂપમાં રમણ કર!
જેને સ્વભાવમાં એકતા થઈ છે તે સમ્યગ્દ્રષ્ટિ, દ્રષ્ટિ અપેક્ષાએ રાગથી મુક્ત જ
છે. જ્ઞાનીને દ્રષ્ટિમાં કે દ્રષ્ટિના વિષયમાં ક્યાંય વ્યવહાર નથી. વ્યવહાર છે ખરો પણ
જેમ પરદ્રવ્ય છે તેમ વ્યવહાર છે.
પ્રભુ-આત્મામાં ત્રણકાળના સમય કરતાં અનંતગુણા ગુણો છે તેમાં સમ્યગ્દ્રષ્ટિ
રમણ કરે છે અને શીઘ્ર સંસારથી પાર થઈ જાય છે.
લોકો ચોપડામાં લખે છે કે ‘લાભ સવાયા’ એ તો ધૂળના લાભની વાત છે.
સમ્યગ્દ્રષ્ટિ તો પોતાના અનંતગુણોની શુદ્ધિમાં વૃદ્ધિ થાય તેમાં પોતાને લાભ માને છે.
એ લાભ સવાયો નહિ પણ અનંતગુણો છે.
હું વસ્તુએ સર્વ શુદ્ધ-પરિપૂર્ણ શુદ્ધ છું. દ્રષ્ટિનો વિષય દ્રવ્ય છે તેથી દ્રષ્ટિ પૂર્ણનો
જ સ્વીકાર કરે છે. બનારસીદાસ લખે છે કે ‘સિદ્ધ સમાન સદા પદ મેરો.’
વ્યવહારદ્રષ્ટિમાં કર્મનો સંયોગ છે પણ તે તો ત્યાગવા યોગ્ય છે.
જ્ઞાની સંસારમાં એક ક્ષણ પણ રહેવા માગતા નથી. એક ચૈતન્ય જ શરણરૂપ છે
બાકી સંસારમાં કોઈ શરણરૂપ નથી. કેટલાક વર્ષો પહેલાં એક બનાવ બન્યો હતો.
પ૦૦-૬૦૦ માણસોનો કાફલો જંગલમાં થઈને નીકળ્‌યો હતો, ત્યાં જંગલમાં બે જુવાન,
છોકરાને કોલેરા થઈ ગયો, ચાલવાની શક્તિ નહિ, તેને કોણ ઊંચકે? સગા મા-બાપ
બેયને એકલા જંગલમાં છોડીને બધાં સાથે ચાલ્યા ગયા! કોણ શરણ છે?
સમ્યગ્દ્રષ્ટિને સકલ ચારિત્ર નથી પણ ચારિત્રની પ્રતીતિ બરાબર થઈ ગઈ છે કે
સ્વરૂપમાં રમણતા તે ચારિત્ર છે અને ચારિત્ર વિના મુક્તિનો બીજો કોઈ ઉપાય નથી.
સમ્યગ્દ્રષ્ટિ બધો વ્યવહાર છોડી સ્વરૂપનું ધ્યાન કરે છે, અનુભવ કરે છે અને તેમાં જ સ્થિર

Page 187 of 238
PDF/HTML Page 198 of 249
single page version

background image
પરમાત્મા] [૧૮૭
થવા જેવું છે એમ માને છે. સ્વરૂપથી બહાર નીકળવું તે દુઃખ છે, રોગ છે, શોક છે પણ
સ્થિર થઈ શક્તું નથી તેથી બહાર વ્યવહારમાં આવે છે. સાધુ પણ સ્વરૂપમાં ઉપયોગ ન
ટકે ત્યારે સ્વાધ્યાય સ્તુતિ-સંયમ-પ્રભાવના આદિ શુભ વ્યવહારમાં આવે છે પણ
સુખરૂપ તો સ્વરૂપલીનતા જ છે એમ માને છે. બહાર વ્યવહારમાં તેમને હોંશ આવતી
નથી, ઉલ્લસિત વીર્ય તો સ્વભાવ તરફ ઢળેલું છે. તેથી વ્યવહારમાં ઉદાસીનતા છે,
આદર નથી.
મુનિને જેમ જેમ આત્મધ્યાનની શક્તિ વધતી જાય છે તેમ તેમ વ્યવહાર છૂટતો
જાય છે. મુનિરાજને એટલે શુદ્ધિ તો પ્રગટી જ ગઈ છે કે અંતર્મુહૂર્તથી વધુ સમય બહાર
ઉપયોગ જોડતા નથી. વિકલ્પ આવે છે પણ તેમાં તત્પરતા નથી. કમજોરીથી આવે છે
પણ ભાવના તો વારંવાર શુદ્ધ સ્વરૂપમાં ઠરી જવાની રહે છે. વિકલ્પ આવે છે તેનો
ખેદ થાય છે. જયધવલમાં આવે છે કે શુદ્ધ ઉપયોગની પ્રતિજ્ઞા કરી છે છતાં આહારનો
રાગ આવ્યો તેમાં મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય છે માટે હું ફરી શુદ્ધ ઉપયોગની પ્રતિજ્ઞા
કરું છું. મારે તો શુદ્ધ-ઉપયોગમાં જ રહેવું છે અહો! આવી દશા તે યથાર્થ મોક્ષમાર્ગ છે,
સ્વરૂપ લીનતા તે જ મોક્ષનો ઉપાય છે. તેમાં વચ્ચે વ્યવહારના વિકલ્પ આવે પણ તે
બંધનું કારણ છે, તેનાથી દૂર થાવ.
સમ્યગ્દ્રષ્ટિ-તત્ત્વજ્ઞાની દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને પોતાનો સહજ પુરુષાર્થ કામ
કરે તે જોઈને પ્રતિજ્ઞા કરે છે. લોકોની સાથે વેગમાં આવીને કોઈ જાતની પ્રતિજ્ઞા કરતા
નથી. જ્યાં સુધી સહજ વૈરાગ્ય ન આવે ત્યાં સુધી શ્રાવકપણે રહીને પોતાના પરિણામ
અનુસાર દર્શનપ્રતિમા આદિનું પાલન કરે છે અને આત્માનુભવ માટે વધુ ને વધુ સમય
મેળવતા રહે છે.
મોક્ષપાહુડમાં કુંદકુંદ આચાર્ય કહે છે કે-
પોતાના શુદ્ધ દ્રવ્યની રુચિ થવી તે સુગતિ છે પરદ્રવ્ય, પરભાવની રુચિ થવી તે
દુર્ગતિ છે. દુર્ગતિ નામ પોતાના સ્વભાવથી વિપરીત ગતિ છે.
યોગીન્દુ મુનિરાજ દેવસેન આચાર્યકૃત તત્ત્વસારનો આધાર આપે છે કે જ્યાં
સુધી જીવ પરદ્રવ્યના વ્યવહારમાં રહે છે ત્યાં સુધી ભવ્ય જીવ કઠણ-કઠણ તપ કરતો
હોય તોપણ મોક્ષ પામતો નથી અને જે પોતાના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રમાં સ્વભાવનો
લાભ મેળવે છે તે શીઘ્ર મુક્તિને પ્રાપ્ત થાય છે.

Page 188 of 238
PDF/HTML Page 199 of 249
single page version

background image
૧૮૮] [હું
[પ્રવચન નં. ૩૬]
નિજ–પરમાત્મ–આશ્રિત નિશ્ચય
અન્ય સર્વ વ્યવહાર
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૬-૭-૬૬]
શ્રી યોગીન્દુ મુનિરાજકૃત આ યોગસાર શાસ્ત્ર ચાલે છે. તેમાં અહીં ૮૯ મી
ગાથા ચાલે છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ પરવ્યવહાર છોડીને પોતાના શુદ્ધ સ્વભાવનો આશ્રય
લઈને તેમાં લીન થાય છે એ જ એક મોક્ષનો માર્ગ છે, એ વાત ચાલે છે.
अप्प सरूवहं [–सरूवइ?] जो रमइ छंडिवि सहु ववहारु ।
सो सम्माइठ्ठी हवइ लहु पावइ भवपारु
।। ८९।।
આત્મસ્વરૂપે જે રહે, તજી સકળ વ્યવહાર;
સમ્યગ્દ્રષ્ટિ જીવ તે, શીઘ્ર કરે ભવપાર.
૮૯.
એક એક શબ્દમાં મુનિરાજ કેટલો સાર ભરી દે છે! જ્યાં સુધી જીવ પરદ્રવ્ય
આશ્રિત વ્યવહારમાં રહે છે અને પોતાના શુદ્ધ ચૈતન્યમૂર્તિ દ્રવ્યસ્વભાવના આશ્રયમાં
આવતો નથી ત્યાં સુધી તેની મુક્તિ થતી નથી.
સમ્યગ્દર્શનમાં પણ પહેલાં સ્વદ્રવ્યનો આશ્રય હોય છે. પછી જેટલો પરદ્રવ્યનો
આશ્રય રહે છે ત્યાં સુધી મુક્તિ થતી નથી. સીધી જ વાત છે કે વ્યવહાર પરાશ્રિત છે
અને નિશ્ચય સ્વાશ્રિત છે. સાક્ષાત્ તીર્થંકર ભગવાન હો, સર્વજ્ઞ હો, સમવસરણ હો,
સમ્મેદશિખર હો કે ગણધર આચાર્ય આદિ ભલે હો પણ તે પરદ્રવ્ય છે. તેના આશ્રયે
સમ્યગ્દર્શન ત્રણકાળમાં થતું નથી. સ્વના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે.
ભગવાન! ન્યાયથી તો સાંભળો ભાઈ! આ આત્મદ્રવ્ય એક સેકંડના
અસંખ્યાતમાં ભાગમાં શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનો પિંડ છે. પુણ્ય-પાપના વિકલ્પ છે એ તો
આસ્રવ છે, તે જીવ નથી અને શરીર, કર્મ આદિ અજીવ છે તે પણ જીવ નથી અને
દેવ-શાસ્ત્ર-ગુરુ પણ પરદ્રવ્ય છે, પોતાના દ્રવ્યથી ભિન્ન છે, તો એ પરદ્રવ્યના આશ્રયે
ધર્મની શરૂઆત કેમ હોઈ શકે? સ્વદ્રવ્યમાં અનંત...અનંત શુદ્ધતા ભરી પડી છે. તેના
આશ્રય વગર પરાશ્રયે ધર્મની શરૂઆત-સમ્યગ્દર્શન કદાપિ હોઈ ન શકે.
તેથી જ અહીં દેવસેન આચાર્યકૃત ગાથાનો આધાર આપ્યો છે કે જ્યાં સુધી જીવ
વ્યવહાર, રાગ, વિકલ્પ આદિનો આશ્રય કરે છે ત્યાં સુધી તે ભવ્ય જીવ ભલે કઠિન
તપ કરતો હોય તોપણ મોક્ષ પામતો નથી. બાર-બાર મહિનાના ઉપવાસ કરે કે પરલક્ષે
ઈન્દ્રિયદમન કરે એ તો બધો પુણ્યભાવ છે, બંધનું કારણ છે. તેનાથી મુક્તિ કોઈ કાળે
ન થાય.

Page 189 of 238
PDF/HTML Page 200 of 249
single page version

background image
પરમાત્મા] [૧૮૯
અનંતકાળમાં જે કોઈ જીવ સમ્યગ્દર્શન પામ્યા છે તે પૂર્ણ ચૈતન્યકંદ, આનંદઘન
નિજતત્ત્વના આશ્રયે પામ્યા છે. સમ્યગ્દર્શન થયા પછી પણ જેટલો વ્યવહાર બાકી રહે
છે તેને પરાશ્રય જાણીને છોડે અને સ્વાશ્રય કરે ત્યારે જ સમ્યગ્દ્રષ્ટિને શુક્લધ્યાન અને
કેવળજ્ઞાન થઈને મુક્તિ થાય છે.
માટે, સૌ પ્રથમ શ્રદ્ધામાં એવો નિર્ણય થવો જોઈએ કે સ્વાશ્રયથી જ ધર્મની
શરૂઆત અને પૂર્ણતા છે. પરાશ્રયથી તો ધર્મની શરૂઆત પણ થતી નથી. કેમકે
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-આનંદ આદિ બધી પર્યાયોનો પિંડ તો દ્રવ્ય છે, વ્યવહારના
રાગમાં એ પર્યાયની શક્તિ નથી. નિર્મળ મોક્ષમાર્ગની પર્યાય દ્રવ્ય-ગુણમાં છે, પરાશ્રિત
વ્યવહારમાં નથી. આ તો ભાઈ! સીધી અને સરળ વાત છે.
બંધ અધિકારમાં અમૃતચંદ્રાચાર્ય પણ કહે છે કે ભગવાન એમ કહે છે કે
પરદ્રવ્યને હું મારી-જીવાડી શકું છું કે સુખી-દુઃખી કરી શકું છું એ આદિ સર્વ
અધ્યવસાય-પરમાં એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ છે. તેથી જેટલો પણ પરાશ્રય છે તે બધો
ભગવાને છોડાવ્યો છે.
મહાસિદ્ધાંતો આપેલાં છે ત્યાં વાદ-વિવાદનું સ્થાન જ ક્યાં છે? એક જ વાત છે.
પોતાનો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે તેના આશ્રયથી જ સમ્યગ્દર્શન-જ્ઞાન-
ચારિત્ર થાય છે અને તેના આશ્રયથી જ શુક્લધ્યાન અને કેવળજ્ઞાન થાય છે.
સર્વજ્ઞ ભગવાનની પેઢીમાં ત્રણકાળ ત્રણલોકમાં એક જ સિદ્ધાંત ચાલે છે
‘સ્વાશ્રિત તે નિશ્ચય અને પરાશ્રિત તે વ્યવહાર’ અને નિશ્ચયનયાશ્રિત મુનિવરો જ
મુક્તિ પામે છે.
પરદ્રવ્યના આશ્રયે થતાં ભાવ શુભ હો કે અશુભ હો પણ તે બન્ને અશુદ્ધભાવ
છે. તેમાં જેનું મન લીન છે તેને સ્વાશ્રય નથી અને સ્વાશ્રય નથી માટે તેને મુક્તિ પણ
પ્રાપ્ત થતી નથી. પોતાનો શુદ્ધ દ્રવ્યસ્વભાવ છે તેના આશ્રયથી જ શુદ્ધભાવ પ્રગટ થાય
છે અને શુદ્ધભાવથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે.
ભાઈ! સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકીનાથે જે પદ્ધતિ કહી છે તે પદ્ધતિ ન રહે તો
આખી અન્યમતની પદ્ધતિ થઈ જાય. રાગથી લાભ માનવો એ તો અન્યમતની પદ્ધતિ
છે. સર્વજ્ઞ પરમાત્માની અનાદિ પરંપરાથી ચાલી આવતી પદ્ધતિની શ્રદ્ધા તો બરાબર
હોવી જોઈએ. સ્થિરતા ભલે વિશેષ ન થઈ શકે પણ સ્વાશ્રયે જ લાભ છે- એવી દ્રષ્ટિ
તો બરાબર હોવી જોઈએ. આ વાત ત્રણકાળમાં ફરવી ન જોઈએ.
આથમણો થોડો ચાલે તો ઉગમણો જાય? એટલે કે પશ્ચિમ તરફ થોડું ચાલે તો
પૂર્વ તરફ જઈ શકે એક કદી હોઈ શકે?-ન હોય; તો પછી થોડો પરાશ્રય કરે પછી
સ્વાશ્રય થાય એમ કેમ બની શકે?
લોકોમાં કહેવત છે ને! ‘પરાધીન સ્વપ્ને સુખ નાહિ.’ એ જ વાત અહીં છે.
સાક્ષાત્ સર્વજ્ઞદેવ ભલે હો પણ તે પરદ્રવ્ય છે, તેના આશ્રયે અન્ય જીવને સુખ કોઈ
કાળે થાય નહિ. પરાશ્રયભાવ તે વ્યવહાર અર્થાત્ બંધ છે. સ્વાશ્રયભાવ જ સદા અબંધ
છે. ત્રણકાળ, ત્રણલોકમાં આ એક જ સિદ્ધાંત છે તે કદી ફરે તેમ નથી.