Hoon Parmatma (Gujarati). Pravachan: 29-32.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 9 of 13

 

Page 150 of 238
PDF/HTML Page 161 of 249
single page version

background image
૧પ૦] [હું
આત્મા અનંતગુણવાળો છે તો તેની પર્યાય પણ અનંત છે, એમ એકરૂપ
આત્માને ગુણ અને પર્યાય એમ બેરૂપે વિચારવો તે વ્યવહાર છે. એકડે એક અને બગડે
બે. બેપણાના વિચારમાં વિકલ્પ ઊભો થયો-વ્યવહાર ઊભો થયો પણ એકસ્વરૂપમાં ઠરી
ન શકે ત્યારે અનેકસ્વરૂપે પોતાના આત્માને ભાવવો એમ અહીં કહેવું છે પણ ભેદ
પડયો તે યોગસાર નથી.
પ્રભુ! આ તો એકલાં માખણની વાત છે. આત્માનું વિકલ્પપૂર્વક ઘોલન કરતાં જે
વ્યવહાર ઊભો થાય છે તેની અહીં વાત છે.
ભગવાન આત્મા દર્શન-જ્ઞાનસ્વરૂપ છે એ રીતે પણ બે-રૂપે આત્માનો વિચાર
થઈ શકે છે. ધર્મી જીવ આખા લોકમાં દરેકને જાણે દેખે પણ ક્યાંય મારાપણું કરતો
નથી. સ્વ-પરને જાણવાના સ્વભાવને હું ધરનાર છું એવા વિકલ્પ ધર્મીને આવે છે, એ
વ્યવહાર છે. આ વીતરાગનો વ્યવહાર છે. છતાં તે પણ બંધનું કારણ છે માટે તેવા
વિચારમાં ધર્મીને હોંશ નથી આવતી. ખેદ થાય છે કે આવો વ્યવહાર વચ્ચે આવે છે તે
મારા પુરુષાર્થની નબળાઈ છે.
ભાઈ! પરમેશ્વર પંથ તો કોઈ અલૌકિક છે. દરેક આત્મા પોતે પરમેશ્વર છે પરમ
ઈશ્વરતા-મોટપનો પુંજ છે, તેમાં પણ એક ગુણે ઈશ્વર નથી. દરેક ગુણે કરીને આત્મા
અનંતી ઈશ્વરશક્તિનો પિંડ છે, એક એક ગુણ તો ઈશ્વર ખરા પણ તેની એકે એક
પર્યાય પણ ઈશ્વરવાન છે એવા અનંત ગુણ-પર્યાયોની ઈશ્વરતાનો પુંજ આત્મા એક છે.
આત્મા પોતે પરમેશ્વર અને ત્રિલોકનાથ પરમેશ્વર સર્વજ્ઞદેવે બતાવેલો આ પંથ!
તે તો અલૌકિક જ હોય ને! લૌકિકની સાથે તેનો મેળ ન ખાય. દુનિયાથી જુદી
જાતનો-અતડો આ પરમેશ્વરપંથ છે. અતડો એટલે તેને બીજા કોઈ સાથે મેળ ખાય
નહિ તેવો આ માર્ગ છે.
ધર્મીજીવ ‘ઉત્પાદ-વ્યય-ધ્રુવ’ એમ ત્રણ પ્રકારે પણ આત્માનો વિચાર કરે છે.
જેને આત્માની દ્રષ્ટિ અને અનુભવ થઈ ગયો છે તે પણ આવા વિચાર કરે છે અને
જેને દ્રષ્ટિ અને અનુભવ પ્રગટ કરવા છે તે પણ અનુભવ પહેલાં આ જાતનાં જ
વિચાર કરે છે આત્મા ધ્રુવરૂપે કાયમ ટકે છે, ઉત્પાદરૂપે નવી પર્યાય થાય છે અને
વ્યયરૂપે તેનો અનુભવ થાય છે. એવો ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપ આત્મા છે. ભગવાન
આત્માને ત્રણરૂપે ભાવવો એ પણ વ્યવહાર છે. સમયસારની આઠમી ગાથા અનુસાર
‘વ્યવહાર’ પણ ઉપદેશ આપનાર કે લેનાર કોઈને પણ અનુસરવાયોગ્ય નથી. ઉત્પાદ
અને વ્યયરૂપે નિરંતર પલટો ખાતાં છતાં વસ્તુ ધ્રુવ છે તે અનુસરવાયોગ્ય છે.
ભગવાનની ભક્તિનો વ્યવહાર તો સ્થૂળ છે, બહાર રહી જાય છે. અહીં તો એક
આત્માને ત્રણરૂપે વિચારવો તે પણ વ્યવહાર છે, વિકલ્પ છે, અનુસરવાયોગ્ય નથી.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ આત્મા છે એમ પણ ત્રણ ભેદે આત્માનું સ્વરૂપ
વિચારી શકાય છે અને સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર અને પરમાનંદની ઉગ્ર
વીતરાગ દશા-સમ્યક્ તપ આ ચાર આરાધના સ્વરૂપે પણ આત્માનો વિચાર ધર્મી કરે છે.
પ્રભુ! તારા ઘરમાં ઘર્યા વિના તારો છુટકો નથી. આવા ભેદ વિચારવા એ પણ
બહાર નીકળવું છે.

Page 151 of 238
PDF/HTML Page 162 of 249
single page version

background image
પરમાત્મા] [૧પ૧
અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય આ ચાર અનંત
ચતુષ્ટયથી પણ આત્માનું સ્વરૂપ વિચારી શકાય છે. આ અભેદ એકસ્વરૂપને ચારરૂપે
વિચારવો તે વ્યવહાર છે. એ વ્યવહાર આવે ભલે, પણ તેની હોંશ કરવા જેવી નથી.
સમ્યગ્દર્શન થયા પછી સર્વજ્ઞદશા તુરત જ પ્રગટતી નથી. તેની સર્વજ્ઞ ન થાય ત્યાં સુધી
ધર્મીને વચ્ચે આવો વ્યવહાર આવ્યા વગર રહેતો નથી.
ચૈતન્ય ભગવાન આત્મા આનંદ, બોધ, ચૈતન્ય અને હોવાપણું એવા ચાર પ્રાણને
ધરનારો છે. શરીર, વાણી, કર્મ આદિને તો વ્યવહારથી પણ આત્મા ધરતો નથી.
આત્મા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો સ્વામી છે. અન્ય દ્રવ્યના દ્રવ્ય-ક્ષેત્ર-
કાળ-ભાવનો સ્વામી નથી; અખંડ એકરૂપ આત્મદ્રવ્યની શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા તે જ
સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. તેમાં હું શાંત...શાંત ઉપશમરસનો કંદ છું-એવો વિકલ્પ ઉઠાવવો
તે પણ ભેદ હોવાથી વ્યવહાર છે.
પાંચભાવ સ્વરૂપે આત્માનો વિચાર કરવામાં આવે તો આત્મા અનંત જ્ઞાન
અનંત દર્શન, ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર અને અનંત વીર્ય સ્વરૂપે છે અથવા તો
ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક અને પરમ પારિણામિકભાવ એ પાંચ સ્વરૂપે આત્મા
છે. ઉપશમ સમકિત અને ઉપશમ ચારિત્રરૂપે થવાની આત્મામાં શક્તિ છે, ક્ષયોપશમ
જ્ઞાન, દર્શન, આનંદ આદિ રૂપે થવાની આત્મામાં શક્તિ છે, ક્ષાયિક સમ્યગ્દર્શન અને
ચારિત્રરૂપે થવાની આત્મામાં શક્તિ છે અને ઉદયભાવમાં રાગ-દ્વેષ આદિ વિકારરૂપે
પરિણમવાની પર્યાયની યોગ્યતા છે. કર્મને લઈને કે પરદ્રવ્યને કારણે આત્મા
ઉદયભાવમાં પરિણમતો નથી. પોતાની પર્યાયની એ જાતની યોગ્યતાથી પોતે પરિણમે
છે તે દ્રવ્યનો ત્રિકાળી ગુણ નથી પણ પર્યાયની એવી શક્તિ છે.
ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એ ત્રણ નિર્મળ પર્યાય અને ઉદયભાવ એ
વિકારી પર્યાય, આ ચાર પર્યાયો છે અને પંચમ પરમપારિણામિકભાવ એ આત્માનો
ત્રિકાળી ગુણ છે. આવા પાંચભાવસ્વરૂપે એક આત્માને વિચારવો એ પણ વ્યવહાર છે.
જ્યારે મુનિરાજ ઉપશમ શ્રેણીએ ચડે છે ત્યારે એ ઉપશમશ્રેણી, ક્ષાયિક સમ્યક્ દર્શન,
ઉદયભાવ, ક્ષયોપશમ જ્ઞાન અને પરમપારિણામિકભાવ આ પાંચેય ભાવ મુનિરાજને
એક સમયમાં એકસાથે હોય છે.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચ પરમેષ્ઠીના પદનો
ધરનારો ભગવાન આત્મા પોતે એક છે. પાંચેય પદરૂપે થવાની દરેક આત્મામાં શક્તિ
છે. એમ આત્માને પાંચ-પદના ધરનારરૂપે વિચારવો તે વ્યવહાર છે.
ધર્મી એમ વિચારે છે કે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારગતિ અને
પંચમ ગતિ-મોક્ષ તે રૂપે પરિણમવાની મારામાં તાકાત છે અને છ સ્વરૂપે મારા
આત્માનો વિચાર કરું તો અનંત દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય, ક્ષાયિક સમ્યક્ત્વ અને
ક્ષાયિક ચારિત્રસ્વરૂપે હું બિરાજમાન છું. અથવા છ ગુણથી હું શોભાયમાન છું. પૂર્વ,
પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઊર્ધ્વ અને અધો આ છ દિશાઓમાં ગમન કરવાની મારામાં
શક્તિ છે. કોઈ કર્મ કે ધર્મદ્રવ્ય મને ગમન કરાવતું નથી અથવા આત્મા અસ્તિત્વ,
વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને

Page 152 of 238
PDF/HTML Page 163 of 249
single page version

background image
૧પ૨] [હું
પ્રદેશત્વ આ છ સમ્યક્ગુણનો ધરવાવાળો છે.
અનંત દર્શન-જ્ઞાન આદિ સાત ગુણથી અથવા તો સાત ભંગથી પણ આત્માના
સ્વરૂપનો ધર્મી વિચાર કરે છે. પોતાનું હોવાપણું પોતાથી છે અને પરથી નહિ હોવાપણું
પણ પોતાથી છે એ રીતે સપ્તભંગીથી આત્માનો વિચાર કરે છે અથવા જીવની પર્યાયમાં
રહેલાં સાત તત્ત્વો-જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ તથા નૈગમ
આદિ સાત નયથી પણ આત્માનો વિચાર થાય છે. (આઠમો પ્રકાર પાઠમાં લીધો નથી.)
નવ પ્રકારે વિચાર કરીએ તો આત્મા નવ લબ્ધિરૂપ છે. કેવળી ભગવાનને નવ
લબ્ધિની પર્યાય પ્રગટ થાય છે, એવી પર્યાય પ્રગટ કરવાની તાકાતવાળો હું છું.
સાધારણ જીવોને આ બધાં આંકડા યાદ ન રહે પણ ભાવ તો યાદ રહી શકે ને!
આપણે તો આંકડાનું કામ નથી, ભાવનું કામ છે.
આ રીતે વિવિધ પ્રકારે આત્માના ગુણોની ભાવના કરતાં કરતાં તેમાંથી ખસીને
અંતરમાં એકાકાર થવું તે સ્વાનુભૂતિ છે. આવા ગુણોની ભાવના તે વિકલ્પ છે પણ
તેની પાછળ રાગની પુષ્ટિ ન થતાં સ્વભાવની પુષ્ટિ થાય છે.
હવે ૭૭ મી ગાથામાં બે ત્યાગી બે ગુણ સહિત આત્મામાં લીન થવાનું કહે છે-
बे छडिवि बे–गुण–सहिउ जो अप्पाणि वसेइ ।
जिणु सामिउ एमइ भणइ लहु णिव्वाणु लहेइ ।। ७७।।
બે ત્યાગી બે ગુણ સહિત, જે આતમરસલીન;
શીઘ્ર લહે નિર્વાણપદ, એમ કહે પ્રભુ જિન. ૭૭.
જિનેન્દ્ર ભગવાન એમ કહે છે હે આત્મા! તું રાગ-દ્વેષ ભાવને છોડી જ્ઞાન-દર્શન
ધારી સ્વરૂપમાં વસી જા! નિજસ્વરૂપમાં રુચિ, જ્ઞાન અને ઠરવું તે સ્વરૂપમાં વસવું કહેવાય.
જિનના સ્વામી એવા જિનેન્દ્રભગવાન એમ ફરમાવે છે કે જે જીવ જાણવા-દેખવાના
સ્વભાવવાળા એક આત્મામાં લીન થાય છે તે જીવ શીઘ્ર નિર્વાણપદને પ્રાપ્ત કરે છે.
બંધનું કારણ રાગ-દ્વેષ છે. ભગવાન આત્મા અખંડ વીતરાગસ્વરૂપે છે. જ્ઞેયોમાં
આ ઠીક અને આ અઠીક એવા બે ખંડ કરવા તે રાગ-દ્વેષ છે. આ અનુકૂળ અને આ
પ્રતિકૂળ એવા વિકલ્પ ઉઠાવવા એ આત્માનું સ્વરૂપ નથી. તેમ જ અન્ય પરદ્રવ્યોમાં પણ
કોઈ અનુકૂળ કે કોઈ પ્રતિકૂળ એવું દ્રવ્યોનું સ્વરૂપ નથી.
અજ્ઞાની એમ માને છે કે નિરોગ શરીર હોય તો ધર્મ થાય, બધી જાતની
અનુકૂળતા હોય તો ધર્મ થઈ શકે. તેને જિનેન્દ્ર ભગવાન કહે છે કે અરે પ્રભુ! અનુકૂળ
કે પ્રતિકૂળ એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. શરીરાદિ તો જાણવા લાયક જ્ઞેય છે. જ્ઞેય
પદાર્થો આત્માને ધર્મ કરવામાં રોકતા નથી. માટે ભાઈ! તું રાગ-દ્વેષ છોડી દે અને
સ્વભાવની સાધના કર!
આત્મા સિવાય અન્ય પદાર્થોમાં ઠીક-અઠીકપણાની માન્યતા કરવી તે
અનંતાનુબંધી ક્રોધ-માન-માયા અને લોભ છે. તેમાં ક્રોધ અને માન એ દ્વેષસ્વરૂપ છે
અને માયા અને

Page 153 of 238
PDF/HTML Page 164 of 249
single page version

background image
પરમાત્મા] [૧પ૩
લોભ એ રાગરૂપ છે. મિથ્યાદ્રષ્ટિ જીવ પરપદાર્થમાં અહંકાર અને મમકાર કરે છે એટલે
કે આ હું અને આ મારા એવા મિથ્યાત્વનું સેવન કરે છે અને ઈન્દ્રિયસુખને પોતાનું
સાચું સુખ સમજે છે તે પણ મિથ્યા બુદ્ધિ છે.
મોક્ષમાર્ગપ્રકાશકમાં ટોડરમલજી પણ લખે છે કે મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાને રુચે
તેવા અને તેમાં મદદ કરનારાં પદાર્થોમાં રાગ કરે અને ન રુચે તેવા પદાર્થો અને તેમાં
મદદ કરનારાં પ્રત્યે દ્વેષ કરે છે. ભગવાન કહે છે કે હે જીવો! આવા અનંતાનુબંધી
કષાય અને મિથ્યાત્વનો ત્યાગ કરી સ્વરૂપનું શ્રદ્રાન કરો તો શીઘ્ર નિર્વાણની પ્રાપ્તિ થશે.
* સંપત્તિ, પુત્ર અને સ્ત્રી આદિ પદાર્થ ઊંચા
પર્વતના શિખર પર સ્થિત અને વાયુથી ચલાયમાન
દીપક સમાન શીઘ્ર જ નાશ પામનારા છે છતાં પણ
જે મનુષ્ય તેમના વિષયમાં સ્થિરતાનું અભિમાન કરે
છે તે જાણે મુઠ્ઠીથી આકાશનો નાશ કરે છે અથવા
વ્યાકુળ થઈને સૂકી નદી તરે છે અથવા તરસથી
પીડાઈને પ્રમાદયુક્ત થયો થકો રેતીને પીવે છે.
(શ્રી પદ્મનંદિ-પંચવિંશતિ)

Page 154 of 238
PDF/HTML Page 165 of 249
single page version

background image
૧પ૪] [હું
[પ્રવચન નં. ૨૯]
એમ નક્કી કર -
ચાર સંજ્ઞા–રહિત ને ચાર ગુણ સહિત પરમાત્મા છું
[શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૮-૭-૬૬]
શ્રી યોગસારશાસ્ત્રમાં આ ૭૭મી ગાથા ચાલે છે.
बे छडिवि बे–गुण–सहिउ जो अप्पाणी वसेइ ।
जिणु सामिउ एमइ भणइ लहु णिव्वाणु लहेइ ।। ७७।।
બે ત્યાગી બે ગુણ સહિત, જે આતમરસલીન;
શીઘ્ર લહે નિર્વાણપદ, એમ કહે પ્રભુ જિન.
૭૭.
દિગંબર સાધુ યોગીન્દ્રદેવ ફરમાવે છે કે જે જીવ બે દોષને ત્યાગી, બે ગુણ
ગ્રહણ કરી પોતાના આત્મામાં લીન થાય છે તે શીઘ્ર નિર્વાણપદને પ્રાપ્ત થાય છે. એમ
જિનદેવનું ફરમાન છે.
રાગ-દ્વેષ એ બે દોષને ત્યાગી જ્ઞાન-દર્શનગુણને જ્ઞાની ગ્રહણ કરે છે. સમ્યગ્દ્રષ્ટિ
ચોથા ગુણસ્થાનમાં પણ રાગ-દ્વેષમાં એકત્વ કરતાં નથી. જ્ઞાનીને રાગ-દ્વેષ હોય છે.
ખરા પણ જ્ઞાની તેને રોગ તરીકે જાણે છે, અહિતરૂપ છે એમ માને છે. હિતરૂપ તો એક
પોતાના શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ-જ્ઞાન અને રમણતા જ છે.
અજ્ઞાની જીવે અનંતકાળથી પોતાના સ્વરૂપની દ્રષ્ટિ જ કરી નથી તેથી જ્ઞાની કહે
છે કે પ્રથમ તું તારા અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્માની શ્રદ્ધા અને જ્ઞાન કર અને
રાગ-દ્વેષ જે તારું સ્વરૂપ નથી તેમાંથી એકત્વપણાની શ્રદ્ધા છોડ!
દરેક આત્મા સૂર્યની જેમ સ્વ-પરપ્રકાશક શક્તિવાળા છે. પોતાને જાણે છે અને
પોતાની હયાતી-મોજૂદગીમાં રહીને જ અન્ય સર્વને પણ જાણે છે. એવો જ કોઈ
આત્માનો સર્વજ્ઞત્વ અને સર્વદર્શીત્વ સ્વભાવ છે. આવા આત્માની શ્રદ્ધા અને જ્ઞાન
કરવા તે પ્રથમ ભૂમિકા છે.
સિદ્ધભગવાનને જેવો અતીન્દ્રિય આનંદ છે તેવો જ અતીન્દ્રિય આનંદ મારામાં
પણ છે, તેનો અનુભવ કરવો એ જ મારું કર્તવ્ય છે, અને એ જ મારો ખોરાક છે-એમ
પ્રથમ શ્રદ્ધામાં લે! પોતાની સત્તાની ભૂમિમાં જ કર્તા-ભોક્તાપણું છે. પરની સત્તામાં
રહેલાં પદાર્થને આત્મા કરી કે ભોગવી શક્તો નથી.
શ્રોતાઃ- શ્રી કુંદકુંદ આચાર્ય કહે છે ને કે આત્મા પરને ભોગવે છે?
પૂજ્ય ગુરુદેવશ્રીઃ- એ તો નિમિત્તથી કથન છે, ખરેખર આત્મા પરને ભોગવતો
જ નથી. આત્મા પરરૂપે થયા વગર પરને કરે કેમ અને ભોગવે કેમ? શ્રી કુંદકુંદ
આચાર્ય પોતે જ કહે છે કે કુંભાર ઘડાને કરતો નથી, માટી ઘડાને કરે છે. એટલે કે
વસ્તુ પોતે જ સ્વતંત્રપણે

Page 155 of 238
PDF/HTML Page 166 of 249
single page version

background image
પરમાત્મા] [૧પપ
પરિણમે છે તેને અન્ય કોઈ કરી કે ભોગવી શકતું નથી. અજ્ઞાનદશામાં જીવ રાગ-દ્વેષ
કરે છે અને ભોગવે છે અને જ્ઞાનદશામાં દર્શન-જ્ઞાન-ચારિત્ર કરે છે અને ભોગવે છે.
પરને તો આત્મા અજ્ઞાનમાં પણ ભોગવી શકતો નથી. ભાઈ! જગતના પદાર્થો તેની
વર્તમાન અવસ્થામાં પરિણમી રહ્યાં છે અને પૂર્વની અવસ્થાથી બદલાઈ રહ્યા છે તેમાં
તારે કરવા-ભોગવવાનું ક્યાં આવ્યું? દરેક જીવ સ્વરૂપે પરમાત્મા છે. હું અતીન્દ્રિય પૂર્ણ
આનંદસ્વરૂપ પ્રભુ છું-એમ વારંવાર ભાવના કરવાથી એટલે કે તેમાં એકાગ્રતા કરવાથી
સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે અને મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાય છૂટી જાય છે
ત્યારે જીવ નિર્વાણપદને પ્રાપ્ત કરવાને લાયક બને છે.
निहिं रहियउ तिहिं गुण–सहिउ जो अप्पाणी वसेइ ।
सो सासय–सुह–भायणु वि जिणवरु एम भणेई ।। ७८।।
ત્રણ રહિત ત્રણ ગુણ સહિત, નિજમાં કરે નિવાસ;
શાશ્વત સુખના પાત્ર તે, જિનવર કરે પ્રકાશ.
૭૮.
જે કોઈ જીવ રાગ, દ્વેષ અને મોહ આ ત્રણ દોષને છોડીને સમ્યગ્દર્શન-જ્ઞાન-
ચારિત્ર વડે આત્મામાં સ્થિર થાય છે તે અવિનાશી સુખનો પાત્ર બને છે એમ
જિનેન્દ્રદેવ ફરમાવે છે, સંતો તેને જગત પાસે જાહેર કરે છે.
જેને પરમાનંદસ્વરૂપ નિજ આત્માની પ્રાપ્તિની ચાહના છે તેણે રાગ-દ્વેષ-મોહ
છોડીને સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રસ્વરૂપ આત્મામાં સ્થિર થવું તે તેનો ઉપાય છે. પણ,
અનાદિથી જીવે પોતાના સ્વરૂપને જોવા માટેની આંખ બંધ કરી દીધી છે અને પરને જ
જોઈ રહ્યો છે તો જેને સ્વસ્વરૂપપ્રાપ્તિની ભાવના છે તેણે પોતાનું સ્વરૂપ જોવા માટે
દ્રષ્ટિ, તેનું જ્ઞાન કરવું, શ્રદ્ધા કરવી અને તેમાં સ્થિર થવું. આમ કરવાથી જીવ મુક્તિની
સમીપ આવી જાય છે. મુક્તિનો પાત્ર બને છે, શાશ્વત સુખનું ભાજન બને છે, તેને
અલ્પકાળમાં શાશ્વત સુખની પ્રાપ્તિ થશે.
શ્રોતાઃ- પ્રભુ! એ જ્ઞાનનેત્ર ખોલે કોણ?
પૂજ્ય ગુરુદેવઃ- પોતાના જ્ઞાનનેત્ર પોતે ખોલે. ગુરુ ખોલી ન દે. ગુરુ પોતાના
જ્ઞાનનેત્ર ખોલે. શિષ્યના જ્ઞાનનેત્ર ખુલવામાં ગુરુની વાણી નિમિત્ત હોય છે પણ તે
કાંઈ નેત્ર ખોલી દેતી નથી. ઉપાદાન તો પોતાનું છે. શ્રીમદ્માં આવે છે ને કે ‘શુદ્ધ બુદ્ધ
ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.’ તું વિચાર
કરીશ તો પામીશ એમ કહ્યું છે. ગુરુ શિષ્યને જ્ઞાન પમાડી દેતા નથી. ઇષ્ટોપદેશમાં પણ
આવે છે કે પોતે જ પોતાનો ગુરુ છે. પોતે જ સમજનાર અને પોતે જ સમજાવનાર છે.
જે આત્મા પોતાના હિતને ચાહે, હિતને બતાવે અને પોતે જ હિતરૂપ વર્તન કરે તે ગુરુ
છે. ઇષ્ટોપદેશમાં પૂજ્યપાદસ્વામીએ આવું પોતાના નિશ્ચય ગુરુનું સ્વરૂપ કહ્યું છે.
જેને નિશ્ચય ગુરુપણું પ્રગટયું છે તે વ્યવહારગુરુનો ઉપકાર બતાવે છે. મુનિઓ પણ
એમ કહે કે ‘અમારા ગુરુના પ્રતાપથી અમે ભવસાગર તરી ગયા છીએ.’ નેમિચંદ્ર સિદ્ધાંત
ચક્રવર્તીના ગોમ્મટસારમાં આ લખાણ છે. શ્રી કુંદકુંદ આચાર્ય પણ લખે છે કે સર્વજ્ઞ

Page 156 of 238
PDF/HTML Page 167 of 249
single page version

background image
૧પ૬] [હું
ભગવાનથી લઈને અમારા ગુરુ પર્યંત બધાએ કૃપા કરીને અમને આ શુદ્ધાત્મા
બતાવીને તેમાં ઠરી જવાનો ઉપદેશ આવ્યો છે.
જ્ઞાનીની દ્રષ્ટિ એમ સ્વીકાર કરે છે કે હું વર્તમાનમાં જ આઠ કર્મ, પુણ્ય-પાપના
વિકાર અને શરીરાદિ નોકર્મથી રહિત પૂર્ણ પરમાત્મા છું. દ્રષ્ટિનું આવું જોર ક્યાંથી આવે
છે?-કે આત્મામાંથી આવે છે. જ્ઞાનીની દ્રષ્ટિ દ્રવ્યસ્વભાવ સિવાય કોઈનો સ્વીકાર કરતી
નથી. વર્તમાન અવસ્થા રાગયુક્ત અને કર્મના નિમિત્ત સહિત હોવા છતાં તેનાથી
ભેદજ્ઞાન કરીને પોતાના વીતરાગ વિજ્ઞાનમય આત્માને અનુભવે છે તે પુરુષાર્થનું બળ
કેટલું! આવા પુરુષાર્થી જીવો અલ્પકાળમાં મુક્તિ પામે છે.
વ્યવહારથી શત્રુ-મિત્ર, ધનવાન-નિર્ધન, રાજા-પ્રજા, દેવ-નારકી, પશુ-મનુષ્ય,
સૂક્ષ્મ-બાદર, અનાથ-સનાથ, વિગેરે અનેક પ્રકારના ભેદો દેખાય છે, તેમાં સંસારનો
લોલુપી જીવ ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ કરીને રાગ-દ્વેષ કરે છે. આમ વ્યવહારનયથી જગતનું
સ્વરૂપ રાગ-દ્વેષ થવામાં નિમિત્ત બને છે, માટે જ્ઞાનીઓ નિશ્ચયદ્રષ્ટિથી જ જગતનું
સ્વરૂપ જુએ છે. નિશ્ચયદ્રષ્ટિએ બધાં જીવો એક સમાન પરમાત્મા છે. ભગવાન
આત્માનો સ્વભાવ જ સ્વને સ્વ તરીકે અને પરને પરરૂપે જાણવા-દેખવાનો છે.
રત્નત્રયસ્વરૂપી આત્મા અભેદદ્રષ્ટિએ એકરૂપ છે, શુદ્ધ સ્ફટિક સમાન નિર્મળ છે,
પરમ નિરંજન, પરમ જ્ઞાની, પરમ આનંદમય, પરમ પરમેશ્વર છે. આમ વારંવાર
પોતાના આત્માને ધ્યાવવાથી સ્વયં આત્માનુભવ થાય છે તે જ સાચો મોક્ષમાર્ગ છે.
બનારસીદાસજીએ હિન્દી શ્લોક બનાવ્યો છે ને!-કે ધર્મી પોતાના સ્વરૂપને એમ
વિચારે છે-‘કહે વિચિક્ષણ પુરુષ સદા મૈં એક હૂં, અપને રસસો ભર્યો અનાદિ ટેક હૂં,
મોહ કર્મ મમ નાહિ, નાહિ ભ્રમકૂપ હૈ, શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ.’ મોહ ભ્રમનો
કૂવો છે અને ભગવાન આત્મા શુદ્ધ ચેતનાનો સાગર છે. આવી દ્રષ્ટિ કરવી તે
સમ્યગ્દ્રષ્ટિ છે.
હવે ૭૯મી ગાથા કહે છે-
चउ–कसाय–सण्णा–रहिउ चउ–गुण–सहियउ बुत्तु ।
सो अप्पा मुणि जीव तुहु जिम परु होहि पवित्तु ।। ७९।।
કષાય સંજ્ઞા ચાર વિણ, જે ગુણ ચાર સહિત;
હે જીવ! નિજરૂપ જાણ એ, થઈશ તું પરમ પવિત્ર. ૭૯.
હે જીવ તું એમ મનન કર!-કે મારો ભગવાન આત્મા ક્રોધ, માન, માયા, લોભ
એ ચાર કષાય અને આહાર, ભય, મૈથુન તથા પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી રહિત છે.
અને અનંત દર્શન, જ્ઞાન, સુખ અને વીર્ય એ ચાર ગુણોથી સહિત છે. હે જીવ! આમ
મનન કરીને એવા સ્વભાવનો આશ્રય લઈશ તો તું પરમ પવિત્ર બની જઈશ.
આ જીવ અપનેકો આપ ભૂલકે હૈરાન હો ગયા હૈ, તેને પોતાનો ભગવાન
આત્મા કેવો છે તે જાણવાની પરવા પણ નથી. દયા, ભક્તિ આદિ પુણ્ય કરવાનું કહે
પણ પહેલાં પોતે કોણ છે? કેવું પોતાનું સ્વરૂપ છે? એ તો જાણવું જોઈએ ને!

Page 157 of 238
PDF/HTML Page 168 of 249
single page version

background image
પરમાત્મા] [૧પ૭
આંબામાં કેરી જેમ વધારે પાકે તેમ તે વધારે નમતો જાય છે. તેમ મુનિરાજ
જ્ઞાનીને કહે છે કે તારામાં તપ અને વિનય આદિ ગુણો છે તો નરમાશ હોવી જોઈએ,
રોગી પ્રત્યે દયા આવે છે તેમ અપરાધી પ્રત્યે પણ દયા લાવવી જોઈએ. ક્રોધ, માન,
માયા, લોભ આદિથી મનને દૂર રાખવું જોઈએ અને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ
આ ચાર સંજ્ઞાને જીતવી જોઈએ તથા અનંત દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય આ અનંત
ચતુષ્ટય યુક્ત આત્માને ધ્યાવવો જોઈએ. કેમ કે જેને નિર્દોષ-પવિત્ર થવું છે તેણે
નિર્દોષ-પવિત્ર ભગવાન આત્માને ધ્યાવવો જોઈએ, તો જ પવિત્ર થઈ શકાય પવિત્ર
સ્વરૂપને ધ્યાવતાં જે સ્વાનુભવ પ્રગટ થાય છે તેની ઉગ્રતા તે જ શુક્લધ્યાન અને
તેનાથી અલ્પ નિર્દોષતા તે જ ધર્મધ્યાન છે.
આત્માનુશાસનમાં કહ્યું છે કે જ્યાં મગરમચ્છ હોય ત્યાં બીજા જીવ રહી શક્તાં
નથી કેમ કે મગરમચ્છ તેને ખાઈ જાય છે. તેમ જ્યાં સુધી ગંભીર અને નિર્મળ
મનરૂપી સરોવરમાં ક્રોધ, માન, માયા, લોભરૂપી મગરમચ્છનો વાસ છે ત્યાં સુધી
ગુણોનો સમૂહ શંકારહિતપણે ત્યાં રહી શકતો નથી. માટે હે જીવ! સમતા અને
ઈન્દ્રિયદમન વડે આ ચાર કષાયો અને ચાર સંજ્ઞાને જીતવાનો પ્રયત્ન કર!
હવે ૮૦ મી ગાથામાં યોગીન્દ્રદેવ પાંચ ઈન્દ્રિયનું દમન કરીને સંયમ તથા પાંચ
અવ્રતનો ત્યાગ કરીને મહાવ્રત પ્રગટ કરવાનું કહે છેઃ
बे–पंचहु रहियउ मुणहि बे–पंचहं संजुत्तु ।
बे पंचहं जो गुणसहिउ सो अप्पा णिरु वुत्तु ।। ८०।।
દશ વિરહિત, દશથી સહિત, દશ ગુણથી સંયુક્ત;
નિશ્ચયથી જીવ જાણવો, એમ કહે જિનભૂપ.
૮૦.
જે ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ આદિ દશ ગુણ સહિત અથવા તો અનંત જ્ઞાન
આદિ દશગુણથી સહિત છે તે આત્મા છે. આવા નિજ આત્માને તું ઈન્દ્રિયદમન અને
અવ્રતના ત્યાગ પૂર્વક ભજ! પાંચ ઈન્દ્રિયના વિષયોમાં ફસાયેલું મન એટલે કે તે
તરફની સાવધાનીવાળું મન આત્માનું ધ્યાન કરી શક્તું નથી. પાંચ ઇન્દ્રિયમાં ઉલ્લસિત
થયેલું મન અતીન્દ્રિય આત્માનું ધ્યાન ન કરી શકે. માટે પાંચ ઇન્દ્રિયને સંયમમાં
રાખીને ઇન્દ્રિયવિજયી બનવું જોઈએ.
જગતના આરંભ-પરિગ્રહથી છૂટવા માટે પણ હિંસા, જૂઠુું, ચોરી, અબ્રહ્મ અને
પરિગ્રહના ભાવોથી વિરક્ત થઈને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ
આ પાંચ મહાવ્રત પાળવા જોઈએ.
સાધુપદમાં મુનિરાજ દ્રવ્ય અને ભાવ બન્ને પરિગ્રહથી રહિત હોય છે. મુનિને
અંતરમાં રાગરહિત નિર્ગ્રંથદશા છે અને બહારમાં વસ્ત્ર રહિત નિર્ગ્રંથ દશા છે આવા
મુનિ થઈને એકાકીપણે શુદ્ધ નિશ્ચય દ્વારા પોતાના શુદ્ધાત્માનું મનન કરવું જોઈએ.
જુઓ? મુનિને પણ શુદ્ધાત્માનું મનન કરવું તે જ મુનિપણું છે. શુદ્ધાત્મસ્વરૂપનું મનન
એટલે તેમાં એકાગ્ર થવું તે મુનિનું કર્તવ્ય છે અને ગૃહસ્થાશ્રમમાં પણ પોતાના
શુદ્ધાત્મામાં અંશે એકાગ્રતા કરીને નિર્મળતા પ્રગટ કરે છે તેને સમકિતી અથવા શ્રાવક
કહેવાય છે.

Page 158 of 238
PDF/HTML Page 169 of 249
single page version

background image
૧પ૮] [હું
[પ્રવચન નં. ૩૦]
નિજ–પરમાત્મામાં લીનતા તે જ ખરો સંન્યાસ
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૯-૭-૬૬]
આ યોગસારશાસ્ત્ર છે. તેમાં અહીં ૮૦ મી ગાથા ચાલે છે. વિવિધ ગુણોથી
આત્માનું સ્વરૂપ વિચારવાની વાત ચાલે છે.
बे–पंचहं रहियउ मुणहि बे–पंचहं संजुत्तु ।
बे–पंचहं जो गुणसहिउ सो अप्पा णिरु बुत्तु ।। ८०।।
દશ વિરહિત, દશથી સહિત, દશ ગુણથી સંયુક્ત,
નિશ્ચયથી જીવ જાણવો, એમ કહે જિનભૂપ.
૮૦.
નિશ્ચયથી જ્ઞાયકસ્વભાવનું ધ્યાન કરવું તે જ યથાર્થ છે, પણ જ્યારે ધ્યાનમાં
જ્ઞાની ટકી ન શકે ત્યારે જુદાં-જુદાં ગુણોથી આત્માનો સ્વભાવ વિચારે તે વ્યવહાર છે.
જ્ઞાની દશગુણથી આત્માનો વિચાર કરતાં-ભેદદ્રષ્ટિથી આત્માનું મનન કરતાં એમ
વિચારે છે કે આ આત્મા ક્રોધવિકારથી રહિત પૃથ્વી સમાન ક્ષમાગુણધારી છે. શાસ્ત્રમાં
પૃથ્વીની ઉપમા આપી છે કે જેમ પૃથ્વીને કોઈ તોડે, ખાડો પાડે, વિષ્ટા નાખે છતાં
પૃથ્વી તેની સામે ક્રોધ કરતી નથી. તેમ ભગવાન આત્મા ક્ષમાગુણનો ભંડાર જ્ઞાતા-દ્રષ્ટા
રહે છે, ક્રોધ કરતો નથી.
આત્મા માર્દવ ધર્મધારી છે એટલે કે નિર્માનતા-કોમળતાનો પિંડ છે. માયાના
અભાવથી આત્મા ઉત્તમ આર્જવગુણધારી સરળ પરમાત્મા છે. મહાસત્યસ્વરૂપનો ધરનાર
છે. લોભના અભાવથી આત્મા ઉત્તમ શૌચધર્મધારી છે, પવિત્ર છે, સંતોષસ્વરૂપ છે.
આવા આત્મસ્વરૂપની દ્રષ્ટિ કરીને તેમાં સ્થિર થવું તે જ આત્માના કલ્યાણનો ઉપાય છે.
આત્મા સંયમધર્મધારી છે, તેમાં અસંયમનો અભાવ છે. સર્વ ઈચ્છાઓના
અભાવસ્વરૂપ-વીતરાગસ્વરૂપ-શુદ્ધતામાં એકાકાર થઈને તેની તપના એટલે કે તેમાં
પ્રતપન કરવું તે ઉત્તમ તપધર્મ છે. બહારનું તપ તો વ્યવહાર છે. આત્મા તો ત્રિકાળ
પરમ તપસ્વી છે તેનું ધ્યાન કરવું તે ઉત્તમ તપ છે.
લોકોને ત્યાગની બહુ મહિમા હોય છે, પણ બહારની વસ્તુઓનો ત્યાગ કરવો કે
પુસ્તક ઔષધ આદિ દાન દેવું તે ઉત્તમ ત્યાગ નથી. ખરો ત્યાગધર્મ તો પોતાના શુદ્ધ
સ્વરૂપમાં એકાગ્ર થઈને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરવી અને અશુદ્ધતાનો ત્યાગ કરવો તે
ઉત્તમ ત્યાગધર્મ છે.
મારા સ્વરૂપમાં અન્ય આત્માઓ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળનો અભાવ
છે. રાગ, શરીર, વાણી, મન આદિ મારા નથી એવી અંતરમાં ભાવના કરવી તેનું નામ
આકિંચનધર્મ છે. આત્મા ત્રિકાળ અપરિગ્રહવાન છે, તેનું ધ્યાન કરી પર્યાયમાં
અપરિગ્રહદશા પ્રગટ કરવી તે આકિંચનધર્મ છે. આત્મા પરમ અસંગ છે, તેને કોઈ
અન્યનો સંગ નથી.

Page 159 of 238
PDF/HTML Page 170 of 249
single page version

background image
પરમાત્મા] [૧પ૯
આ આત્મા ઉત્તમ બ્રહ્મચર્યગુણનો ધારી છે નિરંતર પોતાના બ્રહ્મભાવમાં લીન
રહે છે. ઉત્તમ બ્રહ્મસ્વરૂપ તો આત્મા અનાદિ અનંત છે જ પણ તે બ્રહ્મસ્વરૂપમાં લીન
થવું તે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ છે અને કાયાથી બ્રહ્મચર્ય પાળવું તે વ્યવહારધર્મ છે.
હે જીવ! આ રીતે તું દશલક્ષણધર્મથી તારું સ્વરૂપ વિચાર અથવા તો બીજા દશ
ગુણોથી તારું સ્વરૂપ વિચાર!
આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર, અનંત
દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત વીર્ય અને અનંત સુખ-
આવા દશ વિશેષણોથી સહિત છે. પરમાત્મસ્વરૂપ છે.
એક એક ગુણની વ્યાખ્યા કરતાં મુનિરાજ કહે છે કે આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી
હોવા છતાં આત્મજ્ઞ અને આત્મદર્શી છે. આમ ભેદથી આત્માનું સ્વરૂપ વિચારવું. આત્મા
સર્વને જાણવા-દેખવાવાળો હોવા છતાં, છે એ આત્મજ્ઞ અને આત્મદર્શી. આત્મજ્ઞ તે જ
સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ છે તે આત્મજ્ઞ છે. એવું નથી કે સર્વજ્ઞ કહેતાં તેમાં પરનું
જાણવાપણું આવ્યું માટે વ્યવહાર છે, પણ સર્વજ્ઞત્વ એ આત્માનો સ્વભાવ જ છે. જ્ઞેયની
અપેક્ષાએ તેને સર્વજ્ઞ કહેવાય છે અને પોતાની અપેક્ષાએ તેને જ આત્મજ્ઞ કહેવાય છે.
શુદ્ધ સમ્યગ્દર્શનનો ધારી થઈને આત્મા નિરંતર આત્મપ્રતીતિમાં વર્તમાન છે.
જ્યારે જ્ઞાની પૂર્ણસ્વરૂપની પ્રતીતિ કરે છે ત્યારે પ્રતીતમાં એમ આવે છે કે આત્મા તો
ત્રિકાળ પ્રતીતમાન જ છે. વળી, સર્વ કષાયભાવોના અભાવથી આત્મા
વીતરાગચારિત્રથી વિભૂષિત છે. જ્યારે વીતરાગચારિત્ર પર્યાયમાં અંશે પ્રગટ થાય ત્યારે
અનુભવમાં આવે છે કે આત્મા ત્રિકાળ વીતરાગસ્વરૂપ જ છે.
અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્મામાં એકાગ્ર થઈને પર્યાયમાં આનંદનું દાન દેવું તે
યથાર્થ દાન છે. મુનિરાજને આહારદાન આપવું તે તો શુભરાગ છે. ખરેખર તો આત્મા
એક રજકણને પણ દઈ શકતો નથી કે લઈ શકતો નથી. કારણ કે રજકણનો સ્વામી
આત્મા નથી. રજકણનો ફેરફાર થવો તે તો જડની રમત છે. અનુભવપ્રકાશમાં
દીપચંદજી કહે છે કે ખાવું, પીવું, દેવું-લેવું, હલન-ચલન બધી જડની ક્રિયા છે. આ
દીપચંદજી ૨૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલાં મોટા પ્રખ્યાત દિગંબર ગૃહસ્થ પંડિત હતાં.
પહેલાં તો પંડિત પણ સાધર્મી સમ્યગ્જ્ઞાની હતા.
એ દીપચંદજી લખે છે કે-નર-નારકાદિ પર્યાય, વૈભવ આદિ બધું પુદ્ગલનું
નાટક છે રાંધવું, ખાવું, પીવું, કમાવું એ બધું પુદ્ગલનો અખાડો છે, એ આત્માનું કાર્ય
નથી તેમાં હે ચિદાનંદ! તું રાચી રહ્યો છે તે તને શોભતું નથી.
જેમ સર્પ કરડે બીજાને અને ઝેર ચડે કોઈ બીજાને એમ બનવું અશક્ય છે, તેમ
હે ચેતન! આ ખાય-પીએ, તેલનું મર્દન કરે એ બધું કરે જડ અને તું એમ માને કે મેં
ખાધું, મેં પીધું, મેં ભોગવ્યું એ શું સાચું છે?
રસ્તા ઉપર ચાલ્યો જતો માણસ રસ્તાની કે બજારની વસ્તુને પોતાની માની લે
તો તે

Page 160 of 238
PDF/HTML Page 171 of 249
single page version

background image
૧૬૦] [હું
પાગલ કહેવાય, તેમ આ જીવ જે ગતિમાં જાય ત્યાં જે સ્ત્રી, પુત્ર, પરિવાર, ધનાદિ
હોય તેને પોતાના માની લે છે તો તે પણ પાગલ જ છે ને!
નોકર ભોજન કરે તો રાજા એમ નથી માનતો કે મારું પેટ ભરાઈ ગયું, તો તું
જડના ભોજનથી તારું ભોજન માને છે એ તારી ચાલ તને જ દુઃખદાયી છે. આ બધું
દીપચંદજીએ લખ્યું છે. અનુભવપ્રકાશ, ચિદ્દવિલાસ અને આત્મ-અવલોકન આ ત્રણેય
પુસ્તક દીપચંદજીએ બનાવ્યા છે. શાસ્ત્રપ્રમાણથી અને અંતરદ્રષ્ટિથી બહુ સરસ રચના
કરી છે, પણ લોકોને અત્યારે વાંચવાની પણ ફુરસદ મળતી નથી.
અહીં યોગીન્દ્રદેવ કહે છે કે આત્મા પોતે પોતાની પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું
દાન આપે તેનું નામ અનંત દાન છે, નિરંતર સ્વાત્માનુભવ કરવો તે અનંત લાભ છે.
પુત્ર, પૈસો કે કીર્તિ આદિની પ્રાપ્તિ થવી તે લાભ નથી પણ સ્વભાવમાંથી નિર્વિકારતા
પર્યાયમાં પ્રગટ થવી તે સાચો લાભ છે.
શ્રોતાઃ-પ્રભુ! જડની ક્રિયાને આત્માની ન માનવી પણ ધર્મકાર્યમાં દાન તો દેવું
કે નહિ?
પૂજ્ય ગુરુદેવશ્રીઃ-ભાઈ! દાન કોણ કોને આપી શકે? દાનનો ભાવ થાય છે તે
શુભભાવ છે, પણ એ શુભભાવ થયો માટે લક્ષ્મી જાય છે એમ નથી અને લક્ષ્મી
જવાની છે માટે શુભભાવ થયો એમ પણ નથી અને શુભભાવ થયો માટે ધર્મ થશે
એમ પણ નથી.
આનંદસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ કરીને આનંદનો અનુભવ કરવો તેનું
નામ ભોગ છે અને તેનો વારંવાર અનુભવ કરવો તેનું નામ ઉપભોગ છે. જડ વસ્તુને
તો આત્મા ભોગવી જ શકતો નથી તો ઉપભોગ ક્યાંથી કરે?
આત્મા અનંતવીર્યનો ધણી છે. તે પોતાની શક્તિરૂપે પરિણમન કરવામાં થાકતો
તો નથી ઉલટું તેના બળની વૃદ્ધિ થાય છે.
જીવ જ્યારે અભેદનયથી એક અખંડ આત્માને ધ્યાવે છે ત્યારે તેને સ્વાનુભવનો
લાભ થાય છે તે જ આત્મદર્શન છે, તે જ સુખશાંતિ છે, તે જ આત્મસમાધિ છે અને તે
જ નિશ્ચયરત્નત્રયની ઐક્યતા છે. માટે મુમુક્ષુજીવે નિશ્ચિંત થઈને પરમ રુચિથી પોતાના
આત્માનું સેવન કરવું.
હવે યોગીન્દ્ર મુનિરાજ ૮૧ મી ગાથામાં કહે છે કે આત્મસ્મરણમાં જ તપ ત્યાગ
આદિ બધું આવી જાય છે.
अप्पा दंसणु णाणु मुणि अप्पा चरणु वियाणि ।
अप्पा संजमु सील तउ अप्पा पच्चक्खाणि ।। ८१।।
આત્મા દર્શન-જ્ઞાન છે, આત્મા ચરિત્ર જાણ;
આત્મા સંયમ-શીલ-તપ, આત્મા પ્રત્યાખ્યાન.
૮૧.
આ ગાથા સમયસારમાં પણ આવે છે આત્માને જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર
સંયમ આદિ જાણો.

Page 161 of 238
PDF/HTML Page 172 of 249
single page version

background image
પરમાત્મા] [૧૬૧
અરે! આ મનુષ્યદેહની સ્થિતિ ક્યારે પૂરી થશે એ પોતાને ખબર છે? એની
ચિંતા કરને ભાઈ! પરની ચિંતા કરવા ક્યાં રોકાયો?
અહીં તો કહે છે કે શુદ્ધ ચૈતન્ય વીતરાગ ચારિત્રમયી શાંત સ્વરૂપ નિજ
આત્માની દ્રષ્ટિ કરી તેમાં સ્થિરતા કરતાં જે ચારિત્ર પ્રગટ થાય છે તે આત્મા જ છે.
કારણ કે નિર્મળ પર્યાય આત્મા સાથે અભેદ છે. મહાવ્રતાદિના ભાવરૂપ વ્યવહારચારિત્ર
છે તે આત્મા નથી કારણ કે તે તો રાગ છે તે આત્મા સાથે અભેદ નથી.
આત્મા જ સંયમ છે, આત્મા જ શીલ છે, આત્મા જ તપ છે અને આત્મા જ
ત્યાગ છે. કારણ કે આત્માના સ્વભાવમાં રમણતાં થતાં નિશ્ચયનયથી મોક્ષના સર્વ
સાધન પ્રગટ થઈ જાય છે.
વ્યવહારનયથી સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા અને સાત તત્ત્વોની શ્રદ્ધા તે
સમ્યગ્દર્શન છે પણ એ તો શુભરાગરૂપ છે, નિશ્ચયથી તો નિર્મળ વીતરાગસ્વરૂપ
આત્માની શ્રદ્ધા-રુચિ કરતાં પર્યાયમાં જે નિર્મળ આનંદ પ્રગટ થાય છે તે યથાર્થ
સમ્યગ્દર્શન છે અને તે જ આત્મા છે કારણ કે નિર્મળ પર્યાય આત્માથી ભિન્ન નથી.
નિશ્ચયથી પોતાના જ્ઞાનમાં પોતાનો શુદ્ધસ્વભાવ ઝલકવો-શુદ્ધસ્વભાવનું થવું તે
સમ્યગ્જ્ઞાન છે અને શુદ્ધસ્વરૂપમાં રમણતા કરતાં જે નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય
તે સમ્યક્ચારિત્ર છે. એ સમ્યક્ રત્નત્રયધારી સાધુને મહાવ્રતાદિનો જે શુભરાગ આવે છે
તે તેમનું વ્યવહારચારિત્ર છે.
પાંચ ઇન્દ્રિય તથા મનનો નિરોધ કરવો અને છકાય જીવની રક્ષા પાળવાનો
ભાવ થવો તે વ્યવહારસંયમ છે અને નિશ્ચયથી પોતાના શુદ્ધસ્વભાવમાં સ્થિર રહેવું,
બહાર રાગ-દ્વેષ ન કરવો તે આત્માનો સંયમધર્મ છે.
વ્યવહારથી મન વચન-કાયાથી કૃત-કારિત-અનુમોદના એમ નવપ્રકારે
કામવિકારને ટાળવો તે બ્રહ્મચર્ય છે અને નિશ્ચયથી પોતાના બ્રહ્મ નામ આનંદસ્વરૂપ
નિજ આત્મામાં ચરવું એટલે રમવું તે બ્રહ્મચર્ય છે.
પંચમકાળ છે તોપણ વસ્તુનું સ્વરૂપ તો જેમ છે તેમ જ છે, તેમાં કોઈ કાળે ફેર
પડતો નથી. નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ જેવું કહ્યું છે તેવું જ યથાર્થ છે. વ્યવહાર તો માત્ર
જાણવા લાયક છે. પંચમ-આરામાં થઈ ગયેલાં યોગીન્દ્રદેવ વનવાસી દિગંબર સંત
વસ્તુનું સ્વરૂપ આમ બતાવી રહ્યાં છે. કે આત્માની પ્રતીત-જ્ઞાન અને સ્થિરતા તે
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. પાંચમાં આરામાં પણ સંતો આત્મા... આત્મા...આત્માનો
પોકાર કરી રહ્યાં છે.
નિશ્ચયથી એક શુદ્ધ નિજ આત્મામાં તપવું તે તપ છે. દેહની ક્રિયાથી તપ નથી કેમ
કે તે જડ છે, તેમ પુણ્ય-પાપ ભાવથી પણ તપ નથી કેમ કે તે તો આત્મા છે, તે આત્માનું
નિજસ્વરૂપ નથી. ધ્રુવ...ધ્રુવ...ધ્રુવ...શાશ્વત ચૈતન્ય ધ્રુવ તત્ત્વમાં લીન થવું તે તપ છે. બાકી
બધો વ્યવહાર-તપ શુભરાગ છે. આત્મિક પ્રકાશ કરનારો તો નિશ્ચય તપ જ છે.
પોતાના આત્માનો સર્વ પરદ્રવ્ય અને પરભાવથી ભિન્ન અનુભવ કરવો તે
નિશ્ચય પ્રત્યાખ્યાન છે. આમ આત્મસ્થ રહેવું તે જ નિશ્ચય શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, તપ
અને ત્યાગ છે. તેને માટે

Page 162 of 238
PDF/HTML Page 173 of 249
single page version

background image
૧૬૨] [હું
અહીં સમયસારનો આધાર આપ્યો છે કે શ્રી કુંદકુંદ આચાર્ય ફરમાવે છે કે નિશ્ચયથી
મારા જ્ઞાનમાં આત્મા છે. મારા દર્શનમાં આત્મા જ સમીપ છે, જ્ઞાનમાં આત્મા જ
સમીપ છે, ચારિત્રમાં આત્મા જ સમીપ છે કેમ કે તેમાં હું જ્યારે રમણ કરું છું ત્યારે
આત્માની સમીપ જ પહોંચું છું.
હવે ૮૨ મી ગાથામાં મુનિરાજ કહે છે કે પરભાવોનો ત્યાગ તે જ સંન્યાસ છે.
जो परियाणइ अप्प परु सो परु चयइ णिभंतु ।
सो सण्णासु मुणेहि तुहु केवल–णाणिं उत्तु ।। ८२।।
જે જાણે નિજ આત્મને, પર ત્યાગે નિર્ભ્રાન્ત;
તે જ ખરો સંન્યાસ છે, ભાખે શ્રી જિનનાથ. ૮૨.
જે આત્મા પોતાના આનંદસ્વરૂપ શુદ્ધાત્માને જાણે તે અને શરીર, કર્મ, પુણ્ય-
પાપ આદિ પરદ્રવ્ય-પરભાવને પરરૂપે જાણે છે તે જીવ કોઈ જાતની ભ્રાંતિ વગર પરને
ત્યાગી દે છે અને સ્વરૂપમાં સ્થિર થાય છે તે જીવ સંન્યાસી છે.
કેવળીભગવાન સર્વજ્ઞદેવ એમ કહે છે કે પોતાના વીતરાગસ્વરૂપ આત્માનું અને
રાગનું એ બેનું જ્ઞાન કરીને રાગ છોડી સ્વરૂપમાં સ્થિર થવું તેનું નામ ત્યાગ છે-
સંન્યાસ છે. આવા સંન્યાસનો પ્રારંભ અવિરત સમ્યગ્દ્રષ્ટિથી ચાલુ થઈ જાય છે. કારણ
કે સમ્યગ્દ્રષ્ટિને ચોથા ગુણસ્થાને અભિપ્રાયમાં રાગનો ત્યાગ વર્તે છે અને સ્વભાવનું
ગ્રહણ થયું છે.
૯૬૦૦૦ રાણી અને ૯૬ કરોડ પાયદળના સ્વામી સમ્યગ્દ્રષ્ટિ ચક્રવર્તી અંતરથી
તેના સ્વામી થતાં નથી. જ્ઞાની પુદ્ગલ, શરીર, વાણી, મન અને અંતરમાં
શુભાશુભભાવો થાય છે તેના પણ સ્વામી થતાં નથી. આવા જ્ઞાની તે દ્રષ્ટિ અપેક્ષાએ
સંન્યાસી છે પણ સ્થિરતા અપેક્ષાએ તો મુનિ જ સંન્યાસી છે.
આત્મામાં સ્વ-સ્વામીસંબંધ નામનો એક ગુણ છે. સ્વ નામ પોતાનું સહજાત્મસ્વરૂપ
તેનો આત્મા સ્વામી છે. વિકલ્પનો સ્વામી આત્મા નથી. આત્મા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-
ભાવનો સ્વામી છે. અન્યના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો સ્વામી આત્મા નથી.
એકસ્વરૂપે બિરાજમાન શુદ્ધ વસ્તુ તે મારું દ્રવ્ય છે, લક્ષ્મી છે તે મારું દ્રવ્ય નથી.
આત્માનું અસંખ્યપ્રદેશી ક્ષેત્ર મારું ક્ષેત્ર છે. શરીરનું કે મકાનનું કે રાગનું ક્ષેત્ર તે મારું
ક્ષેત્ર નથી. મારા આત્મગુણોનું સમય-સમયનું પરિણમન તે મારો કાળ છે અને મારા
આત્માના શુદ્ધ ગુણો છે તે મારો ભાવ છે. હું તો સિદ્ધ સમાન શુદ્ધ, નિરંજન, નિર્વિકાર
ચૈતન્ય છું, પૂર્ણ દર્શન-જ્ઞાનમય છું. આવો સમ્યગ્દ્રષ્ટિનો અભિપ્રાય હોય છે. અપૂર્ણ
અવસ્થા કે રાગની અવસ્થાના સ્વામી સમ્યગ્દ્રષ્ટિ થતાં નથી. એ અપેક્ષાએ જ્ઞાનીને
પરનો સંન્યાસ છે-ત્યાગ છે.
આત્મા અગાધ...અગાધ...અગાધ...અમાપ અકૃત્રિમ ચૈતન્યગુણોનો મોટો
મહાસાગર છે. એવી દ્રષ્ટિના ધારક સમ્યગ્દ્રષ્ટિ દ્રષ્ટિ અપેક્ષાએ પરમ કૃતકૃત્ય છે.
જીવનમુક્ત છે, તથા ખરા સંન્યાસી છે.

Page 163 of 238
PDF/HTML Page 174 of 249
single page version

background image
પરમાત્મા] [૧૬૩
[પ્રવચન નં. ૩૧]
રત્નત્રયયુક્ત નિજ–પરમાત્માઃ ઉત્તમ તીર્થ
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૦-૭-૬૬]
શ્રી યોગસાર શાસ્ત્રમાં આ ૮૨ મી ગાથા ચાલે છે. શ્રી યોગીન્દુ મુનિરાજ કહે છે
કે પરભાવનો ત્યાગ તે જ સંન્યાસ છે.
जो परियाणइ अप्प परु सो परु चयइ णिमंतु ।
सो सप्णासु मुणेहि तुहुं केवल–णाणिं उत्तू ।। ८२।।
જે જાણે નિજ આત્મને, પર ત્યાગે નિર્ભ્રાંત;
તે જ ખરો સંન્યાસ છે, ભાખે શ્રી જિનનાથ. ૮૨.
કોઈ કહે કે ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને ત્યાગ ન હોય. તો જુઓ! અહીં
મુનિરાજ કહે છે કે જે પોતાના આત્માને જાણી પુણ્ય-પાપ આદિ પરભાવનો ત્યાગ કરે
છે તેને જ ખરેખર સંન્યાસ છે. શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ પોતાનું સ્વરૂપ અને અજીવ તથા
વિકારાદિ પરભાવોના સ્વરૂપ વચ્ચે જેને ભેદજ્ઞાન છે તેની દ્રષ્ટિમાંથી પરભાવ છૂટી જાય
છે. ધર્મી જીવ પોતાના શુદ્ધસ્વરૂપનો આદર કરે છે અને વિકાર તથા સંયોગોનો આદર
કરતાં નથી. કેમ કે ધર્મીની દ્રષ્ટિમાં વિકાર અને સંયોગોનો ત્યાગ છે એ જ ખરો
સંન્યાસ છે.
આત્મા શુદ્ધ, અરૂપી, આનંદઘન છે. આવા નિજ આત્માની જેને દ્રષ્ટિ પ્રગટ થઈ
છે એવો ધર્મી જીવ એમ વિચારે છે કે મારે મારાથી ભિન્ન, અન્ય દરેક આત્મા અને જડ
પુદ્ગલના સ્કંધો સાથે કાંઈ સંબંધ નથી. જોકે આત્મા સ્વભાવે તો પરદ્રવ્ય-પરભાવના
સંબંધથી ત્રિકાળ રહિત છે પણ જેની દ્રષ્ટિમાં આત્મા આવે છે તે વર્તમાન પર્યાયમાં
પણ વિકાર અને પરદ્રવ્યથી ભિન્ન આત્માની દ્રષ્ટિ કરે છે તેને ત્યાગ કહેવામાં આવે છે.
જેમ સંસારમાં પુત્રના લગ્ન કે એવા કોઈ પ્રસંગે બીજા પાસેથી પાંચ-દશ
હજારના ઘરેણાં ઉછીના પહેરવા લઈ આવે તેને પોતાની પુંજીમાં નથી ગણતા. તેમ
વિકાર તો આગંતુક ભાવ છે તેને ધર્મી પોતાના સ્વભાવ તરીકે સ્વીકારતા નથી, કેમ કે
તે કાંઈ ત્રિકાળ ટકનારી ચીજ નથી.
ધર્મી જીવ એમ વિચારે છે કે ધર્મ-અધર્મ, આકાશ અને કાળદ્રવ્યથી પણ હું ભિન્ન
છું, જ્ઞાનાવરણાદિ આઠ કર્મથી પણ હું રહિત છું, શરીરાદિ પરદ્રવ્ય કે રાગાદિ વિકારભાવ
પણ મારામાં નથી, પાંચ ઈન્દ્રિયોના વિષયની અભિલાષાનો પણ મારામાં અભાવ છે.
અસ્થિરતા વશ પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે રાગ આવી જાય છે પણ તેમાં સુખબુદ્ધિ
નથી. તેથી અભિપ્રાયમાં ધર્મીને સર્વ પરદ્રવ્યોનો તથા પરભાવોનો ત્યાગ વર્તે છે.
આગળ આવશે કે ‘જ્યાં ચેતન ત્યાં અનંત ગુણ, કેવળી બોલે એમ’ કેવળી
ભગવાન-

Page 164 of 238
PDF/HTML Page 175 of 249
single page version

background image
૧૬૪] [હું
સર્વજ્ઞદેવ એમ ફરમાવે છે કે જ્યાં ચૈતન્ય...ચૈતન્ય...ચૈતન્ય...જાણક...જાણક...જાણક્
સ્વભાવી આત્મા છે ત્યાં અનંત ગુણ છે. પરમાં, શરીર, કર્મ કે રાગમાં આત્માનો કોઈ
ગુણ રહેલો નથી. આવું જાણનાર જ્ઞાનીને બહારમાં ક્યાંય સુખ લાગતું નથી.
સમ્યગ્દ્રષ્ટિ ચક્રવર્તી છ-ખંડના અધિપતિ હોય, ૯૬૦૦૦ તો જેની રાણી હોય,
વૈભવનો કોઈ પાર ન હોય છતાં તેમાં ક્યાંય તેને સુખબુદ્ધિ નથી. જ્યાં સુખ નથી ત્યાં
સુખ માને એ તો મિથ્યાદ્રષ્ટિનું લક્ષણ છે. સમ્યગ્દ્રષ્ટિને પોતાના આત્મા સિવાય ક્યાંય
સુખબુદ્ધિ નથી. સમ્યગ્દ્રષ્ટિ ભલે ભોગ ભોગવતાં દેખાય પણ તેની દ્રષ્ટિ પોતાના
સ્વભાવના અતીન્દ્રિય સુખ સિવાય ક્યાંય સુખબુદ્ધિ કરતી નથી. એ દ્રષ્ટિમાં કેટલી
પુરુષાર્થની જાગૃતિ છે! દ્રષ્ટિ કહે છે કે મારા આત્મામાં આનંદ છે, ઈન્દ્રિયસુખને હું સુખ
માનતી જ નથી, એ તો દુઃખ છે, ઝેર છે, ઉપસર્ગ છે.
ધર્મી જીવ લૌકિક જ્ઞાન કે શાસ્ત્રજ્ઞાનને જ્ઞાન નથી કહેતાં. પોતાના સ્વભાવનાં
અતીન્દ્રિય જ્ઞાનને જ જ્ઞાન કહે છે, અને અતીન્દ્રિય સુખને જ સુખ કહે છે. મનથી પાર,
રાગથી ભિન્ન, ઈન્દ્રિયથી અતીત-ઇન્દ્રિયાતીત જ્ઞાન અને સુખ છે તે જ વાસ્તવિક જ્ઞાન
અને તે જ વાસ્તવિક સુખ છે.
લોકો ધૂળ એવા ધનની પાછળ દોડે છે ને! તેમ ધર્મી પોતાનું ધન અંતરમાં દેખે ને
તેની પાછળ દોડે છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ ભલે તે સ્ત્રી હોય કે પુરુષ હોય કે આઠ વર્ષની
બાલિકા હોય પણ તે પોતાના અતીન્દ્રિય જ્ઞાન-આનંદસ્વરૂપ ધન પાછળ દોડે છે. અરે!
સમ્યગ્દ્રષ્ટિ દેડકું હોય કે હજાર જોજનનો મોટો મચ્છ હોય તે પણ એમ માને છે કે મારી
લક્ષ્મી મારી પાસે છે. પુણ્ય-પાપના ભાવમાં કે તેના ફળમાં મળતાં સંયોગોમાં મારું ધન નથી.
આમ શ્રદ્ધા-જ્ઞાનની પરિણતિની અપેક્ષાએ સમ્યગ્દ્રષ્ટિ-જ્ઞાની પરભાવના પરમ
ત્યાગી છે-સંન્યાસી છે, અને સહજાત્મસ્વરૂપની યથાર્થ પ્રતીતિ વિના બહારથી
સંયોગોનો ત્યાગ કરે છે તે ખરેખર ત્યાગ જ નથી.
મિથ્યાદ્રષ્ટિ શુભરાગમાં લાભ માને છે અને શરીરની ક્રિયાને ધર્મનું સાધન માને
છે ત્યારે સમ્યગ્દ્રષ્ટિ રાગને રોગ જાણે છે અને એ રોગને ટાળવાનો ઉપાય કરે છે.
અજ્ઞાની શરીરના રોગને પોતાનો રોગ જાણી તેને ટાળવાનો ઉપાય કરે છે ત્યારે
નીરોગ સ્વરૂપ આત્માની દ્રષ્ટિવાળા સમ્યગ્દ્રષ્ટિ જીવો રાગને રોગરૂપ જાણીને તેને
ત્યાગવાનો ઉપાય કરે છે. શરીરાદિમાં મારાપણાની બુદ્ધિરૂપ સનેપાતનો રોગ આત્માને
લાગુ પડયો છે તેનું અજ્ઞાનીને ભાન નથી. જ્ઞાનીને એ રોગ નથી પણ પુણ્ય-પાપના
ભાવરૂપ ગુમડાં છે તેને ટાળવાનો જ્ઞાની પ્રયત્ન કરે છે.
આત્મા અતીન્દ્રિય આનંદની મોટી ખાણ છે. તેની દ્રષ્ટિ, જ્ઞાન અને સ્થિરતા
કરતાં અનંત...અનંત...અનંત...અતીન્દ્રિય આનંદ બહાર આવે છે, અનુભવમાં આવે છે.
જેમ આત્મા જ્ઞાનમય છે તેમ અતીન્દ્રિય આનંદમય છે. આત્મા પુણ્ય-પાપ કે રાગમય
ત્રણકાળમાં નથી. ભાઈ! તું શરીરની તપાસ કરાવે છે પણ એકવાર તારા આત્માની
તપાસ કર કે તેમાં શું ભર્યું છે?

Page 165 of 238
PDF/HTML Page 176 of 249
single page version

background image
પરમાત્મા] [૧૬પ
શ્રીમદે લખ્યું છે ને કે-
“ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ,
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.”
ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદમય છે એમ નહિ માનતા,
આત્માને રાગવાળો, શરીરવાળો, પુણ્ય-પાપવાળો, સંયોગવાળો માનવો એ રૂપ જે
ભ્રાંતિ એના જેવો બીજો કોઈ રોગ જગતમાં નથી. એ રોગને ટાળવાનો ઉપાય
બતાવનાર સદ્ગુરુ છે. એ સદ્ગુરુ તો ત્યાં સુધી કહે છે કે તું અમારા પ્રત્યે રાગ કરે છે
એ પણ રોગ છે.
પ્રભુ! એ રોગ ટાળવાનો ઉપાય શું!
અનુભવ રત્નચિંતામણિ, અનુભવ હૈ રસકૂપ,
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ.
શુદ્ધાત્માનો અનુભવ કરવો એ જ રોગ ટાળવાનો એકમાત્ર ઉપાય છે. તેથી જ
જ્ઞાની ધંધા આદિ પ્રવૃત્તિની વચ્ચે પણ અનુભવનો સમય કાઢી લે છે. આત્માનો સ્પર્શ
કરીને અનુભવ કરી લે છે એ અનુભવ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ તેને
બહારની પ્રવૃત્તિ અને સંયોગોથી વૈરાગ્ય આવતો જાય છે, વેપાર આદિ પ્રવૃત્તિમાં ક્યાંય
ચેન પડતું નથી. તેથી આત્મામાં વિશેષ લીન થવા માટે ધર્મી જીવ બહારથી સંયોગોનો
ત્યાગ કરી મુનિ થઈ વનમાં ચાલ્યા જાય છે.
પોતાના આત્માને ઉગ્રપણે સાધવાનો પુરુષાર્થ ઉપડતાં બહારની વસ્તુઓનો
ત્યાગ સહજ થઈ જાય છે. જેમ હડકાયું (પાગલ) કૂતરું જેને કરડયું હોય તેને પાણી,
પવન, ભોજન કાંઈ રુચતું નથી, ક્યાંય ચેન પડતું નથી. તેમ જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-
ચારિત્રની અંતર લગની લાગી છે એવા ધર્મી જીવને બહારમાં
ક્યાંય ચેન પડતું નથી, રુચિ લાગતી નથી. બોલવું, ચાલવું, વેપાર, આબરું, મનોરંજન
આદિમાં ક્યાંય મન ઠરતું નથી. એક આત્માની લગની લાગી છે તે પોતાના અંતર
સ્વભાવમાં ઉગ્રપણે લીન થવા ઘર-વસ્ત્ર આદિ બહારના સંયોગોનો ત્યાગ કરે છે, તેનું
નામ નિર્ગ્રંથ કહેવામાં આવે છે.
ધર્મી જીવને અતીન્દ્રિય આનંદસ્વરૂપ આત્માની જ્યારથી રુચિ અને પ્રીતિ લાગી
છે ત્યારથી શ્રદ્ધામાંથી તો રાગનો ત્યાગ થઈ ગયો છે. રાગ આવે છે તેને રોગ જાણી
નાશ કરવાનો પ્રયત્ન કરે છે. ધર્મી જીવને શ્રદ્ધા-જ્ઞાન અપેક્ષાએ તો રાગનો સંન્યાસ
(ત્યાગ) ચોથા ગુણસ્થાનથી જ થઈ જાય છે. સમકિતી કહે છે અહો! અમને અમારા
આત્મા સિવાય બીજે ક્યાંય રુચતું નથી. શુભભાવ પણ અમને રુચતાં નથી.
મિથ્યાદ્રષ્ટિને શુભભાવ રુચે છે ને પોતાના સ્વભાવનો અનાદર કરે છે.
૯૨ લાખ માળવાના અધિપતિ રાજા ભર્તુહરીએ જ્યારે પ્રાણથી પણ પ્યારી
પીંગળાનો માયાચાર જાણ્યો ત્યારે તેને કેવો વૈરાગ્ય આવ્યો હશે! ધર્મીને આખા જગત
પ્રત્યે વૈરાગ્ય વર્તે છે. સમ્યગ્દ્રષ્ટિને ચોથા ગુણસ્થાનમાં જ સાચું જ્ઞાન અને વૈરાગ્ય
અંતરથી પ્રગટ થઈ જાય છે.

Page 166 of 238
PDF/HTML Page 177 of 249
single page version

background image
૧૬૬] [હું
પ્રભુ તને મારા માહાત્મ્યની ખબર નથી. અનંત...અનંત...અતીન્દ્રિય આનંદ-
પર્યાયમાં અનંતકાળ સુધી અનંત અતીન્દ્રિય આનંદનો પ્રવાહ વહે તોપણ કદી ખૂટે નહિ
એવો મોટો અનંત આનંદનો દરિયો તું પોતે જ છો. ભાઈ! આવા આત્માની એકવાર
દ્રષ્ટિ પ્રગટ કરતાં રાગનો શ્રદ્ધા-જ્ઞાનમાંથી નાશ થઈ જાય છે. ચારિત્રમાં રાગ આવે છે,
પણ તેને જ્ઞાની કાળો સર્પ જાણી તેનો ત્યાગ કરવા અને સ્વરૂપમાં વિશેષ વિશેષ
સ્થિરતા પ્રગટ કરવા-સ્વાનુભવનો વિશેષ અભ્યાસ કરવા મુનિપણું અંગીકાર કરે છે.
મુનિદશામાં વીતરાગતાની વૃદ્ધિ ખૂબ થાય છે.
ભગવાન આત્મા જ્યાં ઉગ્ર પુરુષાર્થ કરીને સ્વરૂપમાં ઠરવાનો અભ્યાસ કરે છે
ત્યાં કેવળજ્ઞાન દોડતું આવે છે. આત્માનુભવની ઉગ્રતા કેવળજ્ઞાનને બોલાવે છે ત્યાં
કેવળજ્ઞાન દોડતું આવે છે.
આ ગાથામાં સમ્યગ્દર્શન, મુનિદશા અને કેવળજ્ઞાન ત્રણેય ભૂમિકાની વાત આવી
ગઈ. હવે ૮૩ ગાથામાં કહે છે કે રત્નત્રયયુક્ત જીવ જ ઉત્તમ તીર્થ છે.
रयणत्तय–संजुत्त जिउ उत्तिमु तित्थु पवित्तु ।
मोक्खहं कारण जोइया अण्णु ण तंतु ण मंतु ।। ८३।।
રત્નત્રયયુત જીવ જે, ઉત્તમ તીર્થ પવિત્ર.
હે યોગી! શિવહેતુ એ, અન્ય ન તંત્ર ન મંત્ર. ૮૩.
યોગીન્દ્રદેવ મુનિરાજ ૧૩૦૦ વર્ષ પહેલાં નગ્ન દિગંબર મહાસંત થઈ ગયા.
જંગલમાં જેમ સિંહ ત્રાડ નાખતો આવે છે તેમ મુનિરાજ ગર્જના કરતાં કહે છે કે ઉત્તમ
તીર્થ તો રત્નત્રયયુત જીવ પોતે જ છે. અન્ય સમ્મેદશિખર, ગિરનાર, શત્રુંજય આદિ
તીર્થો તો શુભભાવના નિમિત્તો છે, તેનાથી શુભભાવ થાય પણ ધર્મ ન થાય.
ભવસાગરથી તરવાનું તીર્થ તો શુદ્ધ આત્માનું દર્શન-જ્ઞાન અને ચારિત્ર જ છે. તે
સિવાય તરવાનો બીજો કોઈ ઉપાય નથી.
નિશ્ચયરત્નત્રય જ સાક્ષાત્ તીર્થ છે, ઉત્તમ તીર્થ છે, પવિત્ર તીર્થ છે, તે તીર્થની
યાત્રા કરવાથી જ જન્મ-મરણનો નાશ થઈ મુક્તિ પ્રાપ્ત થાય છે. એ સિવાય મુક્તિનો
બીજો કોઈ ઉપાય નથી, મુક્તિનું ઉપાદાનકારણ શુદ્ધાત્માના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ
રત્નત્રય જ છે.
ભગવાન આત્મા સ્વયં જ્ઞાનચેતનામય છે, જ્ઞાનસ્વરૂપનું વેદન તે જ્ઞાનચેતના છે.
રાગાદિનું વેદન તે અજ્ઞાનચેતના છે. નિરાકુળ-ભગવાન આત્માની દ્રઢ શ્રદ્ધા થવી તે
નિશ્ચય સમ્યગ્દર્શન છે. તે આત્માની જ ભૂમિકામાં, આત્માના આશ્રયે જ પ્રગટ થાય છે.
રાગની ભૂમિકામાં સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી.
આત્માનું જ્ઞાન તે સમ્યગ્દર્શન છે અને આત્માના આશ્રયે, આત્મામાં થતી
સ્થિરતાનું નામ સમ્યક્ ચારિત્ર છે, આ નિશ્ચયરત્નત્રયસ્વરૂપ તીર્થ તે જ ઉત્તમ તીર્થ છે,
શાશ્વત તીર્થ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણ ધર્મોથી રચિત આ તીર્થ છે.
આત્મારૂપ જહાજને આત્મારૂપ સાગરમાં ચલાવતો આત્મા જ મોક્ષદ્વીપમાં પહોંચી જાય છે.
રત્નત્રયરૂપ પરિણત આત્મા જ ઉત્તમ તીર્થ છે આ તીર્થ દ્વારા આત્મા મુક્તિને પામે છે.

Page 167 of 238
PDF/HTML Page 178 of 249
single page version

background image
પરમાત્મા] [૧૬૭
[પ્રવચન નં. ૩૨]
પરમાત્મદશાની જન્મભૂમિઃ ભગવાન આત્મા
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૨-૭-૬૬]
આ યોગીન્દ્રદેવ નામના વનવાસી દિગંબર સંત-આચાર્ય ૧૩૦૦-૧૪૦૦ વર્ષ
પહેલાં થઈ ગયા. તેમણે આ યોગસાર અને પરમાત્મપ્રકાશ જેવા બે પ્રસિદ્ધ શાસ્ત્રો
રચ્યાં છે. તેમાં આ યોગસાર એટલે નિજ શુદ્ધ આત્મસ્વરૂપમાં યોગ નામ જોડાણ
કરીને, સાર એટલે તેની નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરવી તેનું નામ યોગસાર છે.
દિગંબર સંતોએ તત્ત્વનું દોહન કરીને બધું સાર...સાર જ આપ્યું છે. સમયસાર,
પ્રવચનસાર, નિયમસાર, યોગસાર આ બધાં શાસ્ત્રોમાં સંતોએ તત્ત્વનો સાર આપ્યો છે.
યોગસાર તે પર્યાય છે પણ તેનો વિષય ત્રિકાળ ધ્રુવ-શાશ્વત શુદ્ધ સત્ વસ્તુ છે,
તેનું ધ્યેય બનાવીને તેની શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતા કરવી તેને ભગવાન અહીં યોગસાર
કહે છે.
તેમાં આ શ્રી યોગસાર શાસ્ત્રની ૮૪ ગાથા ચાલે છે.
दंसणु ज पिच्छियइ बुह अप्पा विमल महंतु ।
पुणु पुणु अप्पा भावियए सो चारित्त पवित्तु ।। ८४।।
દર્શન જે નિજ દેખવું, જ્ઞાન જે વિમળ મહાન,
ફરી ફરી આતમભાવના, તે ચારિત્ર પ્રમાણ.
૮૪.
આ આત્મા મળ-દોષથી રહિત વિમળ અને મહાન છે. એક સમયમાં અનંતી
પરમાત્મદશા જેના ગર્ભમાં પડી છે એવો ધ્રુવ-શાશ્વત ભગવાન પોતે જ છે. તેને દેખવો
એટલે કે તેની શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે. કેવી રીતે દેખવો? તો કહે છે કે
પર સન્મુખતા છોડી, ભેદના વિકલ્પ છોડી અને સ્વસન્મુખતા કરીને આત્માને દેખવો-
શ્રદ્ધવો તેનું નામ ‘દર્શન’ છે, અને આ પોતાના જ આત્માને જ્ઞેય બનાવીને તેનું યથાર્થ
જ્ઞાન કરવું તેનું નામ સમ્યગ્જ્ઞાન છે.
ભગવાન આત્મા અનંત ગુણસ્વરૂપ અને અસંખ્યપ્રદેશી છે પણ તેમાં ગુણના કે
પ્રદેશના ભેદ નથી. એકરૂપ અખંડ છે તેથી તેને જોનારની દ્રષ્ટિ પણ એકરૂપ હોય ત્યારે
જ આત્માનું દર્શન-શ્રદ્ધા થાય છે.
આત્મા મહાન છે. તેના એક એક ગુણ પણ મહાન છે. અનંત શક્તિનો ધારક
એવો અનંત શક્તિવાન-અનંત ગુણોનો એકરૂપ પિંડ આત્મા મહાન જ હોય ને!
ભગવાને દરેક આત્માને આવા અસંખ્યપ્રદેશી અનંત ગુણસ્વરૂપ મહાન દેખ્યો છે એવા
પોતાના આત્માની પોતે શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા કરવી તેનું નામ ભગવાન
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ફરમાવે છે.

Page 168 of 238
PDF/HTML Page 179 of 249
single page version

background image
૧૬૮] [હું
જ્ઞાનસ્વરૂપ આત્માની જે જ્ઞાન-પર્યાય પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે તે
સમ્યગ્જ્ઞાન છે. શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નથી. તે તો પરસત્તાવલંબી જ્ઞાન છે. આ તો
સ્વસત્તાવલંબી થઈને જે પોતાનું ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે તેમાંથી જે જ્ઞાનની પર્યાય પ્રગટ
થાય છે તે સાચું જ્ઞાન છે-પોતાનું જ્ઞાન છે.
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની વ્યાખ્યા થઈ. હવે સમ્યક્ચારિત્ર કોને કહેવું? તો
કહે છે કે વારંવાર આત્માની ભાવના કરવી તેનું નામ સમ્યક્ચારિત્ર છે. ભગવાન
આત્મા શુદ્ધ પૂર્ણાનંદ, અતીન્દ્રિય આનંદનો કંદ એકરૂપ વસ્તુ છે, તેની દ્રષ્ટિ-જ્ઞાન કરીને
વારંવાર તેમાં લીનતા કરવી તે યથાર્થ ચારિત્ર છે.
જેમ અભેદ-અખંડ-એકરૂપ આત્મા દ્રષ્ટિ-જ્ઞાનમાં લીધો છે એવા જ આત્મામાં
સ્થિરતા કરવી-લીનતા કરવી-ઠરવું-ચરવું એટલે અતીન્દ્રિય આનંદનો ચારો કરવો,
અનુભવ કરવો તેનું નામ ભગવાન ચારિત્ર કહે છે. તે જ સાચું અને પવિત્ર ચારિત્ર છે.
અસંખ્યપ્રદેશી આત્મા ક્ષેત્રથી ગમે તેટલો હોય પણ ભાવથી તે મહાન છે. એ
અનંત ગુણસ્વરૂપ ભાવમાં લીનતા કરવી તે ચારિત્ર છે. આ ચારિત્ર જ ખરેખર મોક્ષનો
માર્ગ છે અને એ ચારિત્રનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન છે. માટે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર
એ મોક્ષમાર્ગ છે.
ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ છે. આ ગુણોનું સ્વભાવ-પરિણમન થવું તે
દ્રવ્યનો ધર્મ છે-દ્રવ્યની પર્યાયનો ધર્મ છે. પરિણમન શક્તિથી પર્યાયનું પરિણમન થાય છે. એ
દ્રવ્યનો પર્યાયધર્મ છે. તે વ્યવહારનયનો વિષય છે. તેથી તે આશ્રય કરવા લાયક નથી.
વ્યવહારનો વિષય જ નથી એમ નથી, વિષય તો છે પણ તે આદરવા યોગ્ય નથી.
ચૌદ ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિની પર્યાયો આશ્રય કરવા લાયક નથી માટે
જ તેને વ્યવહાર કહ્યો છે. પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહેલ છે અને અભૂતાર્થ કહેલ
છે અને દ્રવ્યના પૂર્ણ ધ્રુવ સ્વરૂપને મુખ્ય કરીને નિશ્ચય અને ભૂતાર્થ કહ્યો છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની મોક્ષમાર્ગની પર્યાય પણ છે. પર્યાય જ નથી, પરિણમન
નથી એમ માને તો તો મોક્ષમાર્ગનો જ અભાવ થઈ જાય, પણ એમ નથી. પર્યાય છે
પણ તેનું લક્ષ કરવાથી જીવનું પ્રયોજન સિદ્ધ થતું નથી. તેથી તેને ગૌણ કરીને વ્યવહાર
કહ્યો છે, અભૂતાર્થ કહ્યો છે અને ત્રિકાળ સ્વભાવને મુખ્ય કરીને, તેનો આશ્રય લેતાં
પ્રયોજન સિદ્ધ થાય છે માટે તેને ભૂતાર્થ કહ્યો છે.
જીવનું પ્રયોજન શાંતિ અને આનંદ છે, તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી પ્રગટ થાય છે.
ભગવાન આત્મા અનાદિ અનંત, સ્વતઃસિદ્ધ વસ્તુ છે. જન્મ-મરણ રહિત છે.
જગતમાં સંખ્યાએ અનંત જીવો છે તે દરેક જાતિ-અપેક્ષાએ સમાન છે. બટેટાની એક
કટકીમાં અનંત જીવો છે. અત્યાર સુધીમાં જેટલાં સિદ્ધ થયા તેનાથી અનંતગુણા જીવો
એક-એક કટકીમાં છે. સ્વભાવે દરેક જીવો સમાન છે પણ સત્તા બધાની અલગ અલગ
સ્વતંત્ર છે.
હે ભાઈ! આવા અનંતાનંત પરદ્રવ્યોની સત્તા અને પોતાની સત્તાનો એકસાથે
સ્વીકાર કરવાની તારી એક સમયની પર્યાયમાં તાકાત છે તેનો તું સ્વીકાર કર.
ભગવાન આત્મા કોઈ પરદ્રવ્યના કાર્યનું કારણ નથી કે કોઈનું કાર્ય નથી એવી તેમાં

Page 169 of 238
PDF/HTML Page 180 of 249
single page version

background image
પરમાત્મા] [૧૬૯
અકાર્યકારણ શક્તિ છે. એક ગુણ એવો છે તો બધાં ગુણ અને દ્રવ્ય પણ
અકાર્યકારણસ્વરૂપ છે.
અધ્યાત્મની અંતરની વાતો ગ્રહણ થવામાં ઘણો પુરુષાર્થ માગી લે છે. આ તો
ભગવાનના ઘરની વાત છે તે સમજવા માટે ઘણો પુરુષાર્થ જોઈએ. ધર્મ કોઈ સાધારણ
ચીજ નથી. જેના ફળમાં ભૂતકાળથી પણ અનંતગુણી ભવિષ્યની પર્યાયોમાં અતીન્દ્રિય
આનંદનું ફળ મળે એવા ધર્મની શી વાત કરવી? અને આ ધર્મ જેના આશ્રયથી પ્રગટ
થાય છે એવા દ્રવ્યનું તો કહેવું જ શું? તેની મહિમાનો કોઈ પાર નથી.
પણ અરેરે! જીવને પોતાની સ્વતંત્ર મહાન સત્તાની વાત રુચતી નથી.
અનાદિકાળથી પોતાને શક્તિહીન માનીને પરાધીન દશામાં જ રહ્યો છે તેથી સ્વતંત્રતા
રુચતી નથી. પણ ભાઈ! તું તો પરાક્રમી સિંહ છો, તને આ પરાધીનતા-કાયરતા
શોભતી નથી.
આત્મા સ્વભાવથી અકર્તા-અભોક્તા છે. પરનો કર્તા-ભોક્તા તો આત્મા નથી
પણ રાગનો કર્તા-ભોક્તા પણ આત્મા પોતાના સ્વરૂપથી થતો નથી. ગજબ વાત છે
ભાઈ! સમજવા જેવી વાત છે.
શું રાગ આત્માના સ્વભાવની ખાણમાં પડયો છે-શક્તિમાં રાગ પડયો છે કે
તેને આત્મા કરે? ખરેખર જો આત્મા સ્વભાવથી રાગને કરતો હોય તો તેનો અર્થ એ
થયો કે આખું દ્રવ્ય વિકારી છે, પણ એમ નથી. માટે રાગનો કર્તા આત્મા છે જ નહિ.
વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સર્વજ્ઞદેવે બતાવ્યું છે, કાંઈ બનાવ્યું નથી. જેવું
સ્વરૂપ છે તેવું સર્વજ્ઞે જાણ્યું, જાણ્યું એવું વાણીમાં આવ્યું અને તેવું જ વસ્તુનું સ્વરૂપ છે.
ભાઈ! તું તો આત્મા છો ને? તારામાં તો મહાન મહાન પવિત્રતા પડી છે. તે
પવિત્રતારૂપે તું પરિણમી જા! એ પરિણમન તે વ્યવહાર છે અને ધ્રુવ પોતે નિશ્ચય છે.
એક રજકણનો પણ આત્મા કર્તા નથી ત્યાં તેને પરને બચાવવાવાળો, દયાવાળો
કે પરને મારવાવાળો શી રીતે કહેવાય? એક કહેવું એ તો ભગવાનને કલંક લાગે છે.
જે સ્વભાવ નથી તેને સ્વભાવ માનવો તે કલંક છે પ્રભુ! એ કલંકનું ફળ બહુ
નુકશાનકારી છે ભાઈ! તને પોતાને નુકશાન થાય એવું તું શા માટે માને છે?
આ તો ભાઈ! ભગવાનના દેશની વાત છે. જેને પરદેશમાંથી નીકળીને સ્વદેશમાં
આવવું હોય તેને માટે આ વાત છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદના રસકસથી
તરબોળ...તરબોળ છે. આખો અસંખ્યપ્રદેશી આત્મા અતીન્દ્રિય આનંદથી તરબોળ છે.
તેમાં આનંદ ઠસોઠસ ભરેલો છે. તેમાં બીજું કાંઈ પ્રવેશવાનો અવકાશ નથી. આત્મા
ખરેખર આવા અતીન્દ્રિય આનંદનો ભોક્તા છે. પણ એમ ભેદ પાડીને કહેવું એ પણ
વ્યવહાર છે.
આત્મા શું ચીજ છે, શું એની મહિમા છે તેનો જીવે કદી અંતરથી વિચાર જ કર્યો
નથી. અરે! આત્મા તો એવો છે કે આત્માના પેટમાંથી પરમાત્માનો પ્રસવ થાય છે,
આત્મા પરમાત્માનું પ્રસૂતિગૃહ છે. અનંતી પરમાત્મ-પર્યાયો આત્માના પેટમાં ભરી છે.
જ્યાં આત્મા સ્વભાવમાં એકાકાર થાય છે ત્યાં એક પછી એક પરમાત્મ-પર્યાયો પ્રગટ
થવા લાગે છે.
પ્રવચનસારની છેલ્લી ગાથામાં આચાર્યદેવ કહે છે કે ‘એક આખા શાશ્વત સ્વતત્ત્વને