Page 130 of 238
PDF/HTML Page 141 of 249
single page version
Page 131 of 238
PDF/HTML Page 142 of 249
single page version
તો એથી પણ વધુ દુર્લભ છે.
ભગવાન આત્મા અને આનંદ તેનો ગુણ એવા ભેદના લક્ષથી પણ ધર્મ ન થાય. આવી
વાત કહેનારા વિરલા જ્ઞાની પણ જો કદાચ મળી આવે તો તેને સાંભળનારાં રુચિવંત
વિરલ છે. તેમાં પણ આત્માનુભૂતિ પ્રગટ કરનારાં જીવો તો વિરલ... વિરલ...વિરલ છે.
મોક્ષમાં પહોંચી જાય છે.
કરીશ. વિષયોની લોલુપતામાં આ રત્ન ખોવાઈ ન જાય તેનું ધ્યાન રાખજે. આ વાત
‘સાર સમુચ્ચય’ માં લીધી છે અને ટોડરમલજી પણ ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી’ માં લખે છે કે
કે એક માણસે લખેલું કે જો આ ચિઠ્ઠી અંગ્રેજીમાં હોત અને વિલાયતમાં પહોંચી હોત
તો એક એક ચિઠ્ઠીની કિંમત હજારોની થાત.
इम चिंततहं किं करइ लहु संसारहं छेउ ।। ६७।।
જ્ઞાનીજન એમ ચિંતવી, શીઘ્ર કરે ભવહાણ. ૬૭
જેવું નથી. કુટુંબ-પરિવાર એ તો ધૂતારાની ટોળી છે. નિયમસારમાં આવે છે ને!
પરિવાર આદિ લૌકિક સુખ-દુઃખના એટલે કે દુઃખના જ નિમિત્તો છે. તેના પાલન-
પોષણમાં રોકાઈશ નહિ. આત્માની દરકાર કરીને આત્માનું ધ્યાન કરજે.
Page 132 of 238
PDF/HTML Page 143 of 249
single page version
અરે ભૂખ્યા કોણ મરે? બધાને પોત-પોતાના પુણ્ય પ્રમાણે મળી જ રહેવાનું છે.
Page 133 of 238
PDF/HTML Page 144 of 249
single page version
असरणु जाणिवि मुणि–धवला अप्पा अप्प मुणंति ।। ६८।।
શરણ ન જાણી મુનિવરો, નિજરૂપ વેદે આપ. ૬૮.
નથી. દરેકને પોતાનો આત્મા જ એક રક્ષક છે, શરણ-દાતાર છે. તેની મુનિ પોતાને
પોતાનું શરણ જાણી પોતે પોતાને ધ્યાવે છે. પોતાના આત્મામાં શરણ મેળવી લ્યે છે.
પરિણતિ દ્વારા જ અનુભવ થઈ શકે છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.-એમ પોતે
પહેલાં નિર્ણય કરવો જોઈએ.
જવું પડે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી ૭૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી અંત સમયે હીરાના
પલંગમાં સૂતો હતો, હજારો દેવો જેની સેવામાં હાજર હતાં, ૯૬૦૦૦ રાણીઓ સામે
ઊભી હતી અને બ્રહ્મદત્ત મરીને સીધો સાતમી નરકમાં ૩૩ સાગરનું આયુષ્ય લઈને
ગયો. ત્યાં વિલાપ કરે છે કે અરે મને અહીં કોઈ શરણ ન મળે! ભાઈ! તેં આત્માને
તો સાંભળ્યો નથી. વિકલ્પ પણ જ્યાં શરણ નથી, ત્યાં બહારના સંયોગો તો શું શરણ
આપે! અનંત સામર્થ્યનો ધણી પોતાનો આત્મા તેની દ્રષ્ટિ કદી કરી નથી તો તેના
વગર કોણ શરણ આપે? ભગવાન પણ શરણદાતા નથી. પોતાનો પ્રભુ જ પોતાને
શરણદાતા છે. પોતાનો આત્મા જ અરિહંત છે, પોતાનું સ્વરૂપ જ સિદ્ધ સમાન છે,
પોતાનું સ્વરૂપ આચાર્ય, ઉપાધ્યાય, સાધુની વીતરાગી પરિણતિ જેવું છે. આત્મા પોતે જ
પાંચ પદરૂપે છે. અષ્ટપાહુડમાં શ્રી કુંદકુંદાચાર્યે આ વાત લીધી છે કે પાંચેય પદરૂપે
પોતાનો આત્મા જ છે. અરિહંત, સિદ્ધ આદિ કોઈ શરણ આપવા આવતા નથી.
આવે છે, તેમાં અન્ય કોઈ જીવ ફેરફાર કરી શકતો નથી. બૃહદ-સામાયિક પાઠમાં આવે
છે કે જ્યારે મરણ આવે છે ત્યારે વૈદ્ય, બ્રાહ્મણ, સ્ત્રી, પુત્ર, માતા, નોકર, ચાકર કે ઇન્દ્ર
આદિ કોઈ પણ
Page 134 of 238
PDF/HTML Page 145 of 249
single page version
સજ્જનોએ આત્મિક કામ કરવામાં વાર લગાવવી ન જોઈએ. આવો મનુષ્યદેહ, પાંચ
ઈન્દ્રિય અને જૈનધર્મ મળ્યા પછી આત્મહિતના કાર્યમાં વાર ન લગાડીશ. આજે જ
કરજે. અમૃતચંદ્ર આચાર્ય પ્રવચનસારમાં કહે છે કે આજે જ તારું હિત સાધી લે. વિલંબ
ન કર!
અને આકુળતા થશે અને નિરાકુળ સ્વભાવમાં દ્રષ્ટિ કરતાં પર્યાયમાં પણ નિરાકુળતા
પ્રગટશે. માટે હે જીવ! સ્વભાવદ્રષ્ટિ કરવામાં તું જરાપણ વિલંબ ન કર! આજે જ કર!
અત્યારે જ કર!
મારી સ્ત્રી, પુત્ર, મિત્ર, આ મારું ધન, આબરૂ એમ
અનેક મારા એટલે કે ધનવાળો, શરીરવાળો, સ્ત્રી-પુત્ર-
મિત્રવાળો એમ અનેક વાળાની પીડાનું એને ભાન
નથી પણ પીડાય છે.
Page 135 of 238
PDF/HTML Page 146 of 249
single page version
સ્વભાવ અનાદિ અનંત શુદ્ધ, પવિત્ર છે તેમાં એકાગ્ર થવું તે યોગનો સાર છે.
णरयहं जाइ वि इक्क जिउ तह णिव्वाणहं इक्कु ।। ६९।।
નર્કગમન પણ એકલો, મોક્ષ જાય જીવ એક. ૬૯.
અન્ય ગતિમાં જીવ એકલો જ જાય છે. નરકમાં જાય તોપણ એકલો અને સ્વભાવદ્રષ્ટિ
કરીને તેમાં લીન થઈ સર્વથા કર્મોનો અભાવ કરી મુક્તિમાં જાય તોપણ જીવ એકલો
જ જાય છે. ત્યાં દેવ-શાસ્ત્ર-ગુરુ કે સંઘ સાથે આવતાં નથી. સ્વરૂપમાં એકાગ્રતા કરીને
પોતાનો આત્મા જ પોતાને મુક્તિ પ્રાપ્ત કરાવે છે. તેમાં કોઈ મદદ કરતું નથી.
સંયોગ થયો અને છૂટયો, પોતે તો એકલો ને એકલો જ રહ્યો. કોઈ સાથે આવ્યું નહિ.
માટે હે જીવ! આમ વિચારીને તું તારું હિત શીઘ્ર કરી લે!
કરવા માંસ-ઇંડા આદિ તેને ખબર પડવા દીધા વગર ખવરાવ્યાં. મરીને મોટોભાઈ નારકી
થયો અને નાનોભાઈ અસુરકુમાર દેવ થઈને તેને મારવા લાગ્યો. જેને માટે પાપ કર્યું તે
પરમાધામી થયો અને જેણે પાપ કર્યું તે નારકી થયો. નારકીનો જીવ કહે છે કે અરે!
પણ મેં તારા માટે થઈને આ પાપ કર્યું હતું અને તું મને જ મારે છે? પેલો કહે કે મને
તો ખબર ન હતી, તેં શા માટે પાપ કર્યું? હું તો તને મારીશ. આ દ્રષ્ટાંત ઉપરથી દરેકે
વિચાર કરવા જેવો છે કે કુટુંબ માટે થઈને પોતે જે પાપ કરે છે તેનું ફળ પોતાને
Page 136 of 238
PDF/HTML Page 147 of 249
single page version
કરતાં પહેલાં જીવે વિચારવા જેવું છે.
જુદો છે. દરેકને સંયોગો જુદાં જુદાં મળે છે પણ સંયોગને કોઈ ભોગવી શકતું નથી. સૌ
પોતાના રાગને ભોગવે છે.
એક મૂર્ખ રહીને નિરાદર પામે. એ જ રીતે શ્રેણિક અને અભયકુમારને ખૂબ પ્રેમ હતો.
સ્વર્ગમાં ગયા. જેના જેવા ભાવ થાય છે તેવું તેને ફળ મળે છે. એક સાથે જમનારા
અને એક સાથે રહેનારા હોય છતાં, એક નરકે જાય છે, એક મોક્ષમાં જાય છે. આ
પણ ત્યાગ કરી દે છે. માટે કોઈ ઉપર મોહ કર્યા વગર પોતાનું હિત કરી લેવા જેવું છે.
તિર્યંચમાં, કોઈ મનુષ્યમાં અને કોઈ મોક્ષમાં જાય છે. કોઈનો કોઈ સાથી-સથવારો
નથી. માટે કોઈ ઉપર રાગ-દ્વેષ ન કરતાં સમભાવ કરવા જેવો છે.
જ્ઞાન અને ધ્યાન કરવું તે જ શુદ્ધિની વૃદ્ધિનું કારણ છે અને તે જ મોક્ષનું કારણ છે.
કરવી તે મોક્ષનો માર્ગ છે. એ મોક્ષમાર્ગ પ્રગટ કરવો તે પોતાના સ્વતંત્ર પુરુષાર્થથી
થાય છે, તેમાં કોઈ મદદગાર નથી.
अप्पा सायहि णाणमउ लहु सिव–सुक्ख लहेहि ।। ७०।।
Page 137 of 238
PDF/HTML Page 148 of 249
single page version
પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ. ૭૧.
જ છે. પુણ્યતત્ત્વ પણ પાપ જ છે એમ અહીં સિદ્ધ કરે છે.
નિશ્ચયથી પોતાના શુદ્ધ સ્વરૂપને છોડીને જે કાંઈ શુભ-અશુભ ભાવ આવે છે તે બધાં
અપવિત્ર ભાવ છે,
Page 138 of 238
PDF/HTML Page 149 of 249
single page version
સંસારનું ફળ આપનારા છે. સર્વજ્ઞદેવ દિવ્યધ્વનિમાં ફરમાવે છે કે આનંદ તારા
આત્મામાં છે. પરભાવમાં તો એકલું દુઃખ છે.
પહેલું કર્તવ્ય એ છે કે જ્ઞાનસ્વરૂપી આત્માને ઓળખીને તેની શ્રદ્ધા કરવી અને બંધ
તત્ત્વને ઓળખીને તેનો સર્વથા છેદ કરવો. ભવભ્રમણથી છૂટવું હોય તેણે પુણ્ય-પાપ
ભાવનો સર્વથા છેદ કરીને અમૃતસ્વરૂપ આત્માને ધ્યાવવો.
બંધતત્ત્વ અને અબંધસ્વરૂપી નિજ આત્મા એ બન્નેનું ભેદવિજ્ઞાન કરવાનું છે. પુણ્ય-
પાવન પરમાત્માની શ્રદ્ધા-જ્ઞાન અને અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે.
માત્ર દુઃખસ્વરૂપ છે. પુણ્ય-પાપ બન્ને એક જ જાતનાં છે, બન્નેનું ફળ સંસાર અને
દુઃખ જ છે. એવું જાણનારાં તો કોઈ વિરલ, બુદ્ધિમાન, જ્ઞાની જ હોય છે. જેનાથી
જ છે-એમ જ્ઞાની માને છે.
પરીક્ષા કરે કે પુણ્યથી લાભ માન તો તને પરિષહોથી બચાવું, નહિ તો મારી નાખીશ,
તોપણ ડગે નહિ. તે જાણે છે કે કોણ કોને મારી શકે છે? અમે તો પુણ્ય-પાપ રહિત
આત્માના આનંદ પાસે બીજા બધાં ભાવો તુચ્છ લાગે છે. પુણ્ય-પાપભાવ બન્ને દોષ છે.
બંધન અપેક્ષાએ બન્ને સમાન છે. બન્નેના બંધન-કારણ કષાયની મલિનતા છે.
વિપરીત છે. માટે જ્ઞાની પુણ્ય-પાપ બન્નેને લાભદાયક માનતા નથી.
નથી જ્ઞાની પુણ્ય-પાપ અને ભાવને દુઃખના કારણ જાણી તેનાથી વિરક્ત રહે છે અને
કર્મક્ષયકારક, આત્માનંદ-દાયક એક શુદ્ધ ઉપયોગને જ માન્ય કરે છે. તેને જ મોક્ષનું
Page 139 of 238
PDF/HTML Page 150 of 249
single page version
जो पुण्णु वि पाउ वि भणइ सो बुह
પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ. ૭૧
અનુભવી જ્ઞાની જ હોય છે. જેમ પાપભાવ બંધનું કારણ છે તેમ પુણ્યભાવ પણ બંધનું
જ કારણ છે. બન્ને આકુળતા ઉપજાવનારા છે. માટે જ્ઞાની બન્નેને પાપ જ કહે છે.
આત્માની દ્રષ્ટિ કરતાં જે શુદ્ધ આચરણ પ્રગટે છે તે જ ઉપાદેય છે, હિતકારક છે. પુણ્ય-
પાપભાવ કર્મબંધનના કારણો છે, તેનાથી વિરુદ્ધ શુદ્ધભાવ કર્મક્ષયનું કારણ છે. પુણ્ય-
પાપભાવ દુઃખકારક છે તો શુદ્ધાત્માની દ્રષ્ટિ, જ્ઞાન અને શુદ્ધ-ઉપયોગ આનંદદાયક છે.
આત્મા પોતે આનંદસ્વરૂપ છે. તેથી તેનો અંતર વ્યાપાર-ઉપયોગ પણ આનંદદાયક છે.
પુણ્ય-પાપ ભાવમાં-પુણ્યમાં આકુળતા અને પાપમાં તીવ્ર આકુળતા છે, પણ બંન્નેમાં
આકુળતા અને દુઃખ જ છે.
નિરંતર મારા આત્મબાગમાં રમું, આત્મામાં એકાગ્રતા કરીને નિરંતર વીતરાગભાવની
સેવા કરું અને સિદ્ધ સમાન મારા પદમાં જ પ્રેમ કરું; એવી જ્ઞાનીને નિરંતર ભાવના
રહે છે.
Page 140 of 238
PDF/HTML Page 151 of 249
single page version
નથી. પુણ્યબંધ કે પુણ્યફળની તેને ચાહના નથી. જેનાથી પોતાનું શુદ્ધસ્વરૂપ બંધનમાં
આવી જાય એવા ભાવને જ્ઞાની હિતકર કેમ માને? ન જ માને. ધર્મી જ્ઞાની શુદ્ધ-
સ્વરૂપના રુચિવંત ધર્માત્મા મુક્તિના પથિક છે, સંસારના પથિક નથી. બંધનથી
છૂટવાના પથિક છે, તેથી પુણ્યને પણ પાપ સમાન જાણીને છોડવા માગે છે.
આત્માની રુચિ હોય, પુણ્યભાવની રુચિ ન હોય, તો જ તે સાચો મોક્ષાર્થી છે.
जे सुहु असुह परिच्चयहिं ते वि हवंति हु णाणि ।। ७२।।
જાણી શુભાશુભ દૂર કરે, તે જ જ્ઞાનીનો મર્મ. ૭૨
દ્રષ્ટિ કર તો તું સાચો પંડિત છો. પહેલાં તો સમજણમાં એમ લે કે પુણ્ય-પાપ બન્ને
બંધન છે, પછી તે બન્ને ભાવોનો ત્યાગ કર. શુભાશુભભાવની દ્રષ્ટિ છોડી પૂર્ણ શુદ્ધ
નિજસ્વરૂપમાં આવી જા! પુણ્ય ઠીક અને પાપ અઠીક એમ માનનાર તો મિથ્યાદ્રષ્ટિ જ
છે. પુણ્ય-પાપભાવમાં ચૈતન્યનું નૂર-તેજ નથી. બન્ને કર્મ જીવને સંસારમાં ફસાવનાર
છે. માટે મોક્ષાર્થીને ઉચિત છે કે તે બંને ભાવોને સંસારમાં બાંધનાર બેડી જાણીને તેની
રુચિ છોડીને મુક્તિનો ઉપાય કરે.
અઘાતિકર્મમાં પુણ્યભાવથી અનુકૂળ સંયોગો મળે એવા શુભ કર્મો બંધાય છે અને
પાપભાવથી પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય તેવાં અશુભ કર્મો બંધાય. પણ જ્ઞાનાવરણી,
દર્શનાવરણી આદિ ચાર ઘાતિકર્મોમાં તો શુભાશુભ બન્ને ભાવથી એકલો પાપ બંધ જ
પડે છે. આથી અતીન્દ્રિય આનંદનો સ્વાદ લીધો છે. એવા ધર્મી જીવને શુભભાવમાં
તથા તેના ફળમાં મળતાં પાંચ ઈન્દ્રિયના વિષયોમાં પણ રુચિ નથી. તેમાં સુખબુદ્ધિ
થતી નથી. કારણ પુણ્યપરિણામથી પણ આત્મઘાત જ થાય છે.
વૈભવ મળે અને
Page 141 of 238
PDF/HTML Page 152 of 249
single page version
Page 142 of 238
PDF/HTML Page 153 of 249
single page version
સાધન કરવામાં તમે સ્વતંત્ર છો-એમ કરીને જ્યાં અંતરમાં દ્રષ્ટિ કરે છે ત્યાં
અનુભવમાં અતીન્દ્રિય આનંદ પામે છે. આ અતીન્દ્રિય આનંદનું કારણ સ્વભાવની દ્રષ્ટિ
અને અનુભવ છે. અજ્ઞાનીને પુણ્યની રુચિ છે તેના કારણે સ્વર્ગમાં દૈવી સુખોની વચ્ચે
પણ તે એકલી આકુળતાને જ વેદે છે.
जइया तुहुं णिग्गथु जिय तो लब्भइ सिवपंथु ।। ७३।।
જ્યાં પામે નિર્ગ્રંથતા, ત્યાં પામે શિવપંથ. ૭૩.
તોડી, આત્મસંપદામાં એકત્વ કર્યું છે તેનું મન ખરેખર નિર્ગ્રંથ છે, અને હે જીવ! જો
તારું મન નિર્ગ્રંથ છે તો તેં મોક્ષપંથ પ્રાપ્ત કરી લીધો છે. બાહ્યમાં દ્રવ્યલિંગ પણ આવે
જ છે પણ જો તેં ભાવનિર્ગ્રંથ દશા પ્રાપ્ત કરી લીધી છે તો તું સમજ કે તું શિવપંથી થઈ
ગયો, બાહ્યમાં દ્રવ્યનિર્ગ્રંથ દશા હોય પણ ભાવનિર્ગ્રંથતા ન હોય તો મોક્ષમાર્ગ નથી
એમ અહીં બતાવવું છે.
છે. જ્યાં સુધી વસ્ત્રનું ગ્રહણ છે ત્યાં સુધી પરિગ્રહનો પૂરો ત્યાગ નથી. પણ પ્રથમ તો
અંતરંગમાં મનને ગ્રંથિરહિત કરવું જોઈએ. મનમાં દયા-દાનના વિકલ્પ ઊઠે છે તે પણ
રાગની ગાંઠ છે. તે ગાંઠને પ્રથમ ભેદી મનને નિર્ગ્રંથ બનાવ્યું છે તે મોક્ષમાર્ગી છે.
આત્મા વસ્તુ પોતે નિર્ગ્રંથ છે તો તેની દ્રષ્ટિ કરવાવાળો પણ ભાવથી નિર્ગ્રંથ છે. પણ
બહારમાં કેવળ દ્રવ્યથી નિર્ગ્રંથનો એક પણ ભવ ઓછો થાય તેમ નથી.
પરમ સંતોષી હોય અને એ ભાવનિર્ગ્રંથ જ્ઞાની જીવની આત્મરસની પિપાસા ઘણી હોય.
આવાં લક્ષણો યુક્ત હોય તે જ ભાવ-નિર્ગ્રંથ છે. એથી વિપરીત કોઈ જીવ બધો
બાહ્યપરિગ્રહ છોડી દે-સ્ત્રી, પુત્ર પરિવાર ત્યાગી જંગલમાં રહેવા લાગે પણ
અંતરપરિગ્રહ-રાગ-દ્વેષ-મોહનો ત્યાગ ન કરે તો તે નિર્ગ્રંથ નથી. તેને આત્મરસનો
લાભ પ્રાપ્ત થતો નથી. તે જીવ મોક્ષમાર્ગી નથી પણ સંસારમાર્ગી છે.
Page 143 of 238
PDF/HTML Page 154 of 249
single page version
અંતરમાં શુદ્ધાત્માની દ્રષ્ટિ, અનુભવ ન કરે, સમદર્શી-સમતાભાવને પ્રાપ્ત ન થાય,
આત્મિક આનંદનો પિપાસુ ન બને અને રાગ-દ્વેષ-મોહરૂપી અંતરપરિગ્રહને ધારી રાખે
તો તેને મોક્ષનો લાભ પ્રાપ્ત થતો નથી, તે જીવ સાચો નિર્ગ્રંથ નથી. ભાવ-નિર્ગ્રંથ નથી,
દ્રવ્ય નિર્ગ્રંથ છે.
ચાલીને જ્ઞાની મોક્ષમાં પહોંચી જાય છે.
तं देहहं देउ वि मुणहि जो तइलोय–पहाणु ।। ७४।।
તેમ દેહમાં દેવ છે, જે ત્રિલોકપ્રધાન.
આત્મબીજમાં પરમાત્મશક્તિનું વડ પ્રગટ છે. શક્તિમાં પરમાત્મપણું હોય તો જ પર્યાયમાં
પ્રગટ થાય ને? ત્રણલોકમાં તારો આત્મા જ પ્રધાનદેવ છે. ભગવાન અરિહંત અને
સિદ્ધપ્રભુ પણ તારા માટે પ્રધાનદેવ નથી. તારું પરમાત્મપદ જ તારા માટે પ્રધાન છે.
પરમાત્મા જેમ પર્યાયે પૂર્ણ છે તેમ દરેક જીવ શક્તિએ પૂર્ણ છે. એમ પોતાની શક્તિનો
જ્યાં સુધી વિશ્વાસ ન કરે ત્યાં સુધી દ્રષ્ટિ સમ્યક્ ન થાય-સમ્યગ્દર્શન ન થાય.
ત્રિલોકપ્રધાન છે.
પર્યાયમાં વ્યાપેલો છે. આખા વડનાં મોટા વૃક્ષમાં મૂળ બીજ સર્વત્ર વ્યાપેલું છે. તેમ
ભગવાન આત્મા પોતામાં સર્વત્ર વ્યાપેલો છે. કેવળજ્ઞાન આદિ અનંત પર્યાયોનું બીજ
તો આત્મા છે માટે તું જ તારો દેવ છો.
આનંદ આદિ અનંત ગુણો બિરાજમાન છે તે જ મારે આરાધવા યોગ્ય છે.
Page 144 of 238
PDF/HTML Page 155 of 249
single page version
યોગસાર છે.
तं देहहं देउ वि मुणहि जो तइलोय–पहाणु ।। ७४।।
તેમ દેહમાં દેવ છે, જે ત્રિલોકપ્રધાન.
પહોરી એટલે પૂરેપૂરી તીખાશ ભરી છે તો તેને ઘસતાં બહારમાં તીખાશ પ્રગટ થાય છે.
અંદરમાં તીખાશ હતી તો બહાર આવી. માટે પ્રાપ્તની પ્રાપ્તિ છે. તેમ દરેક આત્મામાં
જ્ઞાન, આનંદ આદિ અનંતગુણોની પૂર્ણ શક્તિ અંતરમાં પડી છે, તેમાંથી તે પ્રગટ થાય
છે. આ ભગવાન આત્માના અંતરસત્ત્વમાં-ધ્રુવશક્તિમાં પૂર્ણ જ્ઞાન-આનંદ વ્યાપક છે,
પણ આ જીવને જગતની ચીજોની તો મહત્તા આવે છે પણ પોતાના સ્વભાવની મહત્તા
આવતી નથી.
કે કાંકરામાં વડ થવાની તાકાત નથી. અરે! લીંબોળીમાં પણ વડ થવાની તાકાત નથી.
વડના બીજમાં જ વડ થવાની તાકાત છે. આ બધું લોજિકથી-ન્યાયથી સમજવું જોઈએ.
પ્રાપ્તિ થતાં પરમાત્મા થવાય છે.
રહેલો છે તેનો આકાર શરીર જેવો છે પણ તે શરીરથી ભિન્ન છે.
Page 145 of 238
PDF/HTML Page 156 of 249
single page version
બધાંને જાણે. સ્વભાવને મર્યાદા ન હોય.
પ્રમાણ હોવા છતાં ત્રણલોકમાં મુખ્ય-પ્રધાનપદે છે.
જેમ લાખો-કરોડો લીંડીપીપરની ગુણો ભરી હોય, તેમાંની દરેકે-દરેક પીપર ૬૪ પહોરી
બિરાજમાન છે.
શક્તિઓની ઝલક પ્રગટ થાય છે, અનુભવમાં આવે છે. વર્તમાન પર્યાયમાં થતાં દેખાય
છે તે સ્વભાવ નથી. તેનો નાશ થતાં સ્વભાવ પ્રગટ થશે. અલ્પજ્ઞતા દૂર થતાં પૂર્ણતા
પ્રગટ થાય છે.
આત્માને તેના સ્વભાવથી જોઈએ તો કર્મ કે તેના સંગે થયેલો વિકાર કે કર્મના ઉદયની
વધઘટથી થયેલી હીનાધિકતા એ કાંઈ તેના સ્વભાવમાં નથી. સિદ્ધાંત સમજાવવા માટે
છે? તેનો જીવે કદી વિચાર કર્યો નથી.
અપેક્ષા રહેતી નથી. અનાદિ અનંત સત્...સત્...સત્ છે....છે....છે...., જેની આદિ નહિ,
ઉત્પત્તિ નહિ અને નાશ પણ નહિ એવું આત્મતત્ત્વ છે. તેની દરેક શક્તિ પણ ત્રિકાળ
નિર્મળ પર્યાય તો નહિ પણ પૂર્ણ નિર્મળ પર્યાય જેટલો પણ આત્મા દેખાતો નથી.
પૂર્ણ...પૂર્ણ...નિર્મળ એકરૂપ વસ્તુ જ દ્રષ્ટિમાં દેખાય ત્યારે જ પર્યાયમાં સમ્યગ્દર્શન-
બીજો કોઈ ઉપાય નથી.
Page 146 of 238
PDF/HTML Page 157 of 249
single page version
અંતરમાંથી સમ્યગ્દર્શન-જ્ઞાન-શાંતિ-આનંદના કણિયા પ્રગટ થાય છે. માટે જેને સુખ,
શાંતિ અને સ્વતંત્રતા જોઈતી હોય તેણે પૂર્ણાનંદ પ્રભુની દ્રષ્ટિ કરવી તે જ એક ઉપાય છે.
સિવાય ઇન્દ્ર, નરેન્દ્ર, રાજા-મહારાજા, અબજોપતિ શેઠિયા એ બધાં ભિખારા છે, દુઃખી છે.
ભગવાન છે. જ્યારે એ પોતાનું ભગવાનપણું સંભાળશે-સ્વીકારશે ત્યારે એ પણ
ભગવાન બની જશે. દરેકમાં પરમાત્મશક્તિ ભરી પડી છે. માટે નિર્ગ્રંથ મુમુક્ષુને ઉચિત
છે કે તેણે સમતાસ્વભાવમાં સ્થિર થવું, લીન થવું, રમવું. સર્વ નયોના વિચારથી પણ
મુક્ત થઈને આત્માનંદમાં મસ્ત થવું.
मोक्खहं कारण जोइया अण्णु ण तंतु ण मंतु ।। ७५।।
હે યોગી! શિવહેતુ એ, અન્ય ન મંત્ર ન તંત્ર. ૭પ.
તો આમ પહેલાં નક્કી કર! નિર્ણય કર કે! “હું જ પરમાત્મા છું.”
જાતમાં કાંઈ ફેર નથી. ભગવાન સર્વજ્ઞે જે દશાને પ્રાપ્ત કરી તેવી દશાને ધરનારો
શક્તિવાન હું પોતે જ જિનેન્દ્ર છું.
કરવો તે સુખ પામવાનો-પરમાત્મા થવાનો સરળ-સીધો ઉપાય છે. આવી વાત
સાંભળવા મળવી પણ બહુ દુર્લભ છે.
પણ પરમાત્મા છું, જિનેન્દ્ર છું.
Page 147 of 238
PDF/HTML Page 158 of 249
single page version
એવી વીતરાગ શાંતરસની શિલા આત્મા છે. ભગવાન આત્મા દેહથી રહિત,
શુભાશુભભાવથી રહિત અરૂપી ચિદ્ઘન વીતરાગી ચૈતન્યની શિલા છે.
જેવા જ તારા આત્માની નિભ્રાંત-ભ્રાંતિ રહિત નિઃશંકપણે ભાવના કર! શક્તિએ બધા
આત્મા ભગવાન છે. તું તારી ચૈતન્યસત્તાનો સ્વીકાર કર! જાણવું... જાણવું...જાણવું...આ
જાણવાની જ્ઞાનશક્તિની બેહદતા, અચિંત્યતા, અમાપતા છે તે હું જ છું, જ્ઞાનની સાથે
રહેલો આનંદ એ પણ હું જ છું. અતીન્દ્રિય, બેહદ અને પૂર્ણ આનંદ મારું જ સ્વરૂપ છે.
આવા જ્ઞાન-આનંદ સ્વરૂપ આત્માની દ્રષ્ટિ કરતાં-સત્યસ્વરૂપનો સ્વીકાર કરતાં પર્યાયમાં
જે સત્યદશા પ્રગટ થાય છે તે જ ખરેખર આત્માનો નિજધર્મ છે.
રહેલી ૬૪ પહોરી તીખાશની અને લીલારંગની જે ના પાડે છે તે પીપરના સ્વભાવનો
ઘાત કરે છે કેમ કે તેમાં અસ્તિની નાસ્તિ થાય છે. તેમ સત્ સ્વરૂપ પોતાના ભગવાન
આત્માનો અસ્વીકાર કરતાં અસ્તિસ્વરૂપની નાસ્તિ થાય છે તે જ હિંસા છે.
રાગ-દ્વેષની અવસ્થામાં હોવા છતાં હું પૂર્ણ, અખંડ વીતરાગ છું, ભગવાન જ છું એવી
નિર્ભ્રાંત શ્રદ્ધા કરવી તેમાં ઘણો ઉગ્ર પુરુષાર્થ જોઈએ કેટલું જોર હોય ત્યારે આવો
નિર્ણય થઈ શકે!
પૂરણ સ્વભાવમાં જે જીવ દ્રષ્ટિ-જ્ઞાનને જોડે છે તે જ યોગી છે. યોગીનો એ વેપાર તે જ
યોગ અને યોગ તે જ ધર્મ છે. આવું યોગીપણું પ્રગટ કર્યા વિના ગમે તેટલા વ્રત-તપ
કરે તોપણ આત્માનું કલ્યાણ થાય તેમ નથી. સર્વજ્ઞપિતાએ વારસામાં આપેલી
જિનવાણીના પાના ખોલીને જીવ ભાવથી વાંચે તો તેને સાચું સ્વરૂપ સમજાય છે.
ત્રિકાળ પૂર્ણસ્વરૂપ જેવું છે તેવું જ શ્રદ્ધામાં સ્વીકારવું, જ્ઞાનમાં લેવું અને તેમાં સ્થિર
થવું તે જ પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષનો ઉપાય છે. જેવું જિનેન્દ્રનું સ્વરૂપ છે તેવું જ આ
આત્માનું મૂળ સ્વરૂપ છે. માત્ર બન્નેની સત્તા જ જુદી છે.
Page 148 of 238
PDF/HTML Page 159 of 249
single page version
વિકલ્પ છે તે બધો અધર્મ છે. જે જીવ ભગવાન અરિહંત, સિદ્ધના સ્વરૂપને એટલે કે
તેમનું દ્રવ્ય, અનંતી શક્તિઓ અને વર્તમાન અવસ્થાને જાણે તેને પોતાના આત્માના
દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવાનો પ્રયત્ન થાય. આમ ભગવાન જેવા જ પોતાના આત્માનો
સ્વીકાર કરવો, તેમાં એકાકાર થવું તે જ સ્વાનુભવની કળા છે.
પુણ્ય-પાપભાવની કિંમત ઊડી જાય છે. મનુષ્યદેહમાં આ વસ્તુ પામવાનો અમૂલ્ય
અવસર છે તેને જો જીવ ચૂકી જશે તો ચોરાશીના અવતારની ખીણમાં ડુબી જશે.
ત્યાંથી તેને બચાવનાર કોઈ નથી.
એ (મોક્ષ) માર્ગમાં ખપાવી દેતાં જો પરમ શુદ્ધ
ચૈતન્યઘન અવિનાશી નિઃશ્રેયસની પ્રાપ્તિ થતી
હોય તો તને ફૂટી કોડીના બદલામાં ચિંતામણી-
રત્નથી પણ અધિક પ્રાપ્ત થયું છે એમ સમજ.
હે જીવ! સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ
ચાર આરાધનાની ઉત્તરોતર વૃદ્ધિ અને શુદ્ધિમાં
તારા આ માનવજીવનનો જે કાળ છે, તેટલું જ
તારું સફળ આયુષ્ય છે એમ સમજ. ૩૭.
Page 149 of 238
PDF/HTML Page 160 of 249
single page version
નિજ–પરમાત્માનો અનેકરૂપ ભેદ–વિચાર તે વ્યવહાર
ભાવના કરવાનું કહે છે. જો કે પોતાના પૂર્ણસ્વરૂપમાં જ લીન થવાનું છે પરંતુ જ્યાં
સુધી તેમાં પૂર્ણપણે લીન ન થઈ શકે ત્યાં સુધી તેના જુદા-જુદા ગુણોના વિચાર કરવા
એમ અહીં કહે છે.
चउगुण–सहियउ सो मुणह एयई लक्खण जाहं ।। ७६।।
નવ ગુણયુત પરમાતમા, કર તું એ નિર્ધાર. ૭૬
છે. નજીકનો વ્યવહાર આ છે. દેવ-શાસ્ત્ર-ગુરુ આદિની ભક્તિનો વ્યવહાર તે બહારનો
દૂરનો વ્યવહાર છે-પોતાના ગુણોનો વિચાર કરવો તે નજીકમાં નજીકનો વ્યવહાર છે.
ત્યારે ધર્મી બે, ત્રણ, ચાર એમ વિવિધ પ્રકારે આત્માના ગુણોનો વિચાર કરે છે,
ભાવના કરે છે તે વ્યવહાર છે. આ યોગસારનો વ્યવહાર પણ જુદી જાતનો છે. ટૂંકામાં
બહુ સરસ વાત કરી છે.
આત્મા પોતાના મૂળ સ્વરૂપને જાણીને તેમાં ઠરે એ તો એનું મુખ્ય કર્તવ્ય છે પણ
પોતાના પુરુષાર્થની કમજોરીને કારણે સ્વભાવમાં ઠરી ન શકે તો મારો આત્મા
જ્ઞાનસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે, સુખસ્વરૂપ છે, વીર્ય, સ્વચ્છત્વ, પ્રભુત્વ આદિ અનંત
શક્તિસ્વરૂપે મારો આત્મા બિરાજી રહ્યો છે એવો વિચાર કરે તે વ્યવહાર છે.