Page 110 of 238
PDF/HTML Page 121 of 249
single page version
આત્મામાં અનાદિ અનંત એક પ્રકાશ નામનો ગુણ છે, જેનાથી આત્મા પ્રત્યક્ષ થાય.
પરોક્ષ ન રહે. ૪૭ શક્તિમાં આ ‘પ્રકાશ’ નામની ૧રમી શક્તિ છે. સીધો પ્રત્યક્ષ થઈને
પોતે પોતાને જાણે એવો આ ગુણ છે. પોતાને જાણીને પોતામાં-નિજ આત્મામાં રહેવું તે
જ આત્માનું ઘર છે. પોતાનું જ્ઞાન જ પોતાના વસ્ત્ર છે. નિજ આત્મિક રસ એ જ
પોતાનું ભોજન છે. અને આત્મિક શૈયા એ જ જ્ઞાનીની શૈયા છે. આવી રીતે આત્માને
પ્રત્યક્ષ જાણીને જે વેદે છે તે સંસારથી મુક્ત થાય છે માટે પોતે પોતાનું પ્રત્યક્ષ સ્વસંવેદન
કરવું તે જ મુક્ત થવાની વિધિ છે, એ સિવાય મુક્તિની બીજી કોઈ વિધિ નથી.
આત્મા જ શરણરૂપ છે. કહ્યું છે ને! કે વર્તમાનમાં
સિદ્ધદશા તો નથી, તો સિદ્ધનું ધ્યાન કેમ હોય! જૂઠ-મૂઠ
છે; અરે! અંદરમાં શક્તિરૂપ સિદ્ધ સ્વભાવ તો વર્તમાનમાં
મૌજુદ છે અને તેથી તેનું ધ્યાન કરતાં પ્રત્યક્ષ શાન્તિનું વેદન
આવે છે. આત્મા સ્વભાવે ત્રિકાળ સિદ્ધ સ્વરૂપ જ છે.
Page 111 of 238
PDF/HTML Page 122 of 249
single page version
એને આત્માનું કાંઈ કાર્ય થાય નહીં. ચૈતન્ય ચૈતન્યને પ્રત્યક્ષ જાણીને વેદનમાં લે અને
તેમાં સ્થિર થાય તો જીવની મુક્તિ થાય.
सुण्णउ रूउ फलिहउ अगिणि णव दिट्ठंता जाणु ।। ५७।।
સ્ફટિક રજત ને અગ્નિ નવ, જીવ જાણવો તેમ. પ૭.
૧. આ આત્મા રત્ન સમાન છે. જેમ રત્ન પ્રકાશમય છે તેમ આ આત્મા જ્ઞાન-
કાયમ ટકનાર છે. રત્ન જેમ કિંમતી ચીજ છે તેમ આત્મા પણ અલૌકિક અચિંત્ય
સમ્યગ્જ્ઞાન સ્વરૂપ મહા કિંમતી-અમૂલ્ય ચીજ છે. આત્મજ્ઞાનરૂપી રત્નના સ્વામી
સમ્યગ્દ્રષ્ટિ ઝવેરી છે. ગમે તેવું રત્ન હોય પણ તેની કિંમત આંકનાર ઝવેરી વગર તેની
કિંમત ઓળખાય નહીં તેમ સમકિતી ઝવેરી વગર મિથ્યાદ્રષ્ટિ જ્ઞાનરત્નને પારખી ન
શકે. કેમ કે શરીરની ક્રિયા વડે કે રાગ-દ્વેષ વડે તેની પરીક્ષા થઈ શકતી નથી.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણ રત્નો છે-પર્યાય છે. તે ત્રણ રત્ન વડે તેની પરીક્ષા થઈ
શકે તેમ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય પ્રગટ કરે-કિંમત ભરે, તો ચૈતન્યરત્ન
પ્રાપ્ત થાય.
ગુણ-પર્યાયને પ્રકાશનારો છે પણ તે પરદ્રવ્યરૂપે થઈ જતો નથી. શરીરને જાણે, રાગ,
કર્મ, પુદ્ગલ આદિ બધાંને જાણે પણ તે-રૂપે થઈ જતો નથી. જડદીવો તો બુઝાઈ જાય
છે પણ આ ચૈતન્યદીવાને મનની-રાગના વિકલ્પરૂપ તેલની જરૂર નથી ઝળહળ
જ્યોતિ, અનાદિ અનંત દેહરૂપી દેવળમાં બિરાજમાન છે. વળી સર્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવને
એક સમયમાં જાણી લે એવો સ્વ-પરપ્રકાશક ચૈતન્યદીવો છે.
Page 112 of 238
PDF/HTML Page 123 of 249
single page version
વીર્યનો-અનંત બળનો સૂર્ય ભગવાન આત્મા છે. સૂર્ય તો આતાપવાળો છે પણ
ચૈતન્યસૂર્ય તો પરમ શાંત છે. જગતમાં સૂર્ય તો અસંખ્ય છે પણ પોતાનો ચૈતન્યસૂર્ય
તો અનુપમ છે. દ્રવ્યસ્વભાવ-વસ્તુસ્વભાવરૂપ આ સૂર્ય કદી કોઈથી ઢંકાતો નથી. કર્મથી
અવરાઈ જાય કે રાગના વિકલ્પમાં ગ્રસાઈ જાય એવો આ સૂર્ય નથી. જ્યારે બહારનો
સૂર્ય તો મેઘ અને ગ્રહોથી ઢંકાઈ જાય છે. ચૈતન્યસૂર્ય સ્વયં પરમાનંદમય છે. એને જે
દેખે તેને તે આનંદકારી છે. શુદ્ધાત્મા પોતે જ્ઞાન ને આનંદનો દાતાર છે. વળી તે સદા
નિરાવરણ અને નિયમિત પોતાના અસંખ્યપ્રદેશ-સ્વપ્રદેશમાં રહેનારો છે. દેહમાં રહેવા
છતાં પોતાના આકારે રહે છે.
ધ્યાન દ્વારા આત્માની મુક્તિ થાય છે. દૂધ મેળવતાં દહીં થાય તેમ આત્મામાં એકાગ્ર
થતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય અને દહીં વલોવતાં માખણ અને ધી થાય
તેમ આત્મામાં વિશેષ લીન થતાં મુક્તિરૂપી ઘી પ્રગટ થાય છે.
ચૈતન્યનું સત્ત્વ તે દૂધ તેને મેળવવાથી એટલે તેમાં એકાગ્ર થવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-
ચારિત્રરૂપી દહીં બને અને તેમાં વિશેષ એકાગ્ર થવાથી કેવળજ્ઞાનનું માખણ મળે છે.
પછી મુક્તિરૂપી ઘી તૈયાર થાય છે.
પ્રદેશ કે એક પણ ગુણ ખરે નહિ તેવો પત્થર જેવો આત્મા છે. અનંત જ્ઞાનાદિ
શક્તિમાંથી એક પણ શક્તિ કદી ઓછી થતી નથી. ચંદ્ર-સૂર્ય પણ એક જાતના પત્થર છે
તેમાંથી એક કણી પણ ક્યારેય ખરતી નથી. પત્થર બીજી વસ્તુને રહેવા સ્થાન ન આપે
તેમ આત્મા વિકલ્પને પણ પોતામાં સ્થાન આપતો નથી. અનંત ગુણનો ઢીમ આત્મા
રાગ-કર્મ-શરીરાદિને સ્થાન આપતો નથી. મગશેળિયા પત્થરને પાણી પણ અડે નહિ તેમ
ભગવાન આત્માને રાગ અડતો નથી. રાગનું પાણી આત્મામાં પેસી શકતું નથી.
ટચનું શુદ્ધ સુવર્ણ બને છે તેમ રાગ-દ્વેષ-મોહની કાલિમાસંયુક્ત આત્મસુવર્ણ પણ
પોતાની યોગ્યતાથી જ પોતામાં એકાગ્રતારૂપ અગ્નિથી સો ટચનો શુદ્ધ આત્મા બને છે.
સ્વભાવે તો શુદ્ધ હતો જ, તે પર્યાયમાં પણ શુદ્ધ બને છે.
Page 113 of 238
PDF/HTML Page 124 of 249
single page version
ઉપમા આપીને આત્માને સમજાવે છે. ખરેખર તો આત્માને કોઈની ઉપમા જ લાગુ
પડતી નથી એવો અનુપમ આત્મારામ છે.
નિર્મળતાને ખોઈ બેસતું નથી. તેમ આત્મા રાગાદિ અવસ્થાને ધારતાં છતાં સ્વભાવે
નિર્મળ અને શુદ્ધ જ રહે છે. બંધપણે થવું એવો અબંધસ્વભાવી આત્માનો સ્વભાવ જ
પર્યાયમાં પણ અશુદ્ધતા ન આવે. આહાહા...! કેવું સીધું સટ-સરળ-સુલભ વસ્તુનું
સ્વરૂપ છે! પોતાના ભાવ (ગુણ) છોડીને વિકારરૂપે થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી.
પ્રગટે છે.
અગ્નિ પ્રકાશે છે, અનાજને પચવે છે ને ઇંધણને બાળે છે તેમ ભગવાન આત્મા સ્વ-
પરને પ્રકાશનારો છે. પૂર્ણ ત્રિકાળીને પચાવનારો છે એક સમયમાં હું પૂર્ણ પ્રભુ છું એમ
છે કે જે અજ્ઞાન અને રાગ-દ્વેષને બાળીને ખાખ કરે છે. આ જાજલ્યમાન જ્યોતિને
કોઈ ઢાંકી શકે તેમ નથી. આત્મરૂપી અનુપમ અગ્નિ કર્મઇંધનને બાળનારી,
सो लहु पावइ [?] बंभु परु केवलु करइ पयासु ।। ५८।।
તો પામે પરબ્રહ્મ ઝટ, કેવળ કરે પ્રકાશ. પ૮.
આદિના સંયોગો દેખાય છતાં એ બધાં સંયોગોથી તદ્ન નિરાળો છે. આકાશ સદા
એકલું નિર્લેપ છે તેમ
Page 114 of 238
PDF/HTML Page 125 of 249
single page version
Page 115 of 238
PDF/HTML Page 126 of 249
single page version
આકાશરૂપે થયા નથી, તેમ જ્ઞાનમાં પદાર્થો જણાય છે તોપણ પર પદાર્થો આત્માથી જુદાં
છે, પર પદાર્થો આત્મામાં નથી. આમ આ પ્રકારે આકાશ અને આત્મામાં સમાનપણું
હોવા છતાં બે વચ્ચે ફેર શું છે તે હવે કહે છે.
आयासु वि जडु जाणि जिय अप्पा चेयणुवंतु ।। ५९।।
જડરૂપ જાણો વ્યોમને, ચૈતન્યલક્ષણ જીવ. પ૯.
હો, પણ તેના રંગે આકાશ રંગાયેલું નથી. સર્વદ્રવ્યોથી આકાશ અલિપ્ત છે, તેમ આત્મા
વિકાર કે પરચીજથી રંગાયેલો નથી. આવા શુદ્ધ આત્માનું એકાગ્ર થઈને ધ્યાન કરવું
તેને યોગસાર કહે છે.
તેનામાં જ્ઞાન નથી, જ્યારે આત્મા પોતાનું ધ્યાન કરી શકે છે કેમ કે તે જ્ઞાનવાન છે
માટે તે બન્નેમાં મહાન તફાવત જાણી હે જીવ! તું જ્ઞાનસ્વરૂપી આત્માનું ધ્યાન કરજે!
આત્મા ચેતનાર છે, જાણનાર છે, એકાગ્ર થનાર છે, માટે જાણનારને તું જાણજે.
ચૈતન્યસ્વરૂપ શુદ્ધ છે તેનું જાગ્રત થઈને ધ્યાન કરતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે.
જાણનારો છે માટે સર્વવ્યાપી છે.
વિશેષતા છે.
Page 116 of 238
PDF/HTML Page 127 of 249
single page version
દરેક દ્રવ્યમાં તફાવત છે.
શુદ્ધતા પ્રગટ કરવી છે તેવા જીવે પોતાના શુદ્ધ સ્વભાવનું ધ્યાન કરીને તેમાં એકાગ્ર
થઈને શુદ્ધતાનો અનુભવ કરવો એ જ નિર્વાણનો માર્ગ છે.
શરમજનક જન્મો ટળે, પીએ ન જનનીક્ષીર. ૬૦.
પડતાં નથી.
તે મોક્ષમાર્ગી છે. જ્ઞાનમૂર્તિ ભગવાન આત્મા પોતાની પૂર્ણ જ્ઞાનદશા પ્રગટ કરવા
અત્યંતર દ્રષ્ટિનું સાધન કરે તેને ફરી બીજી માતાની કુંખે અવતરીને માતાનું દૂધ પીવું
નહિ પડે.
શરીરના સંહનનમાં મોક્ષમાર્ગ ખરેખર નથી.
મૂકવાનું કહ્યું છે. લોકો મોટી આબરૂને પોતાનું નાક કહે છે. અહીં કહે છે કે આત્માની
મોટી આબરૂ ‘કેવળજ્ઞાન’ તે આત્માનું નાક છે. કેવળજ્ઞાનરૂપી નાકનો આત્મા ધણી છે.
શું એની મહિમા!! કેવળજ્ઞાનીની વાણીમાં ન આવી શકે એટલું આત્માનું જ્ઞાન છે,
એટલી શાંતિ છે અને એવું અનંતુ બળ આદિ બધા ગુણો વાણીમાં ન આવી શકે
એટલાં મહાન છે. અનંતી અનંતી અનંતી આત્મિકશક્તિ તે આત્માનું નાક છે. આત્મા
જેવી બીજી ચીજ કેવી? એની શું
Page 117 of 238
PDF/HTML Page 128 of 249
single page version
અલ્પકાળમાં નિર્વાણ પામે. આવો અંતરનો માર્ગ છે. બહાર શોધવા જવો પડે તેમ નથી.
આત્માના સામર્થ્યની શી આબરૂ! જે વસ્તુસ્વભાવમાં જન્મ-મરણ નથી તેનું ધ્યાન
કરનારના જન્મ-મરણ પણ ટળી જાય છે.
શરીરપ્રમાણ બિરાજિત એટલે કે શરીર જેટલાં ક્ષેત્રમાં રહેલો-જેટલાં ક્ષેત્રમાં શરીર છે
એટલાં જ ક્ષેત્રમાં બિરાજમાન આત્માને અંતર સૂક્ષ્મ ભેદવિજ્ઞાનદ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન
કરે, રાગથી ભિન્ન વીતરાગ તત્ત્વને રાગ, સંયોગ, નિમિત્ત અને વિકલ્પ આદિરૂપ
આંખ બંધ કરીને જોવાનો વારંવાર પ્રયત્ન કરે, વિકલ્પની વૃત્તિનો નાશ કરી અંતર
નિર્વિકલ્પ તત્ત્વમાં ટગટગી લગાવે, તેમાં એકાકાર થાય તેને તે અભ્યંતર મોક્ષનો ઉપાય
છે. બહારમાં મોક્ષમાર્ગ નથી. અંતરમાં મોક્ષમાર્ગ છે. પ્રવચનસારમાં પણ કહ્યું કે અરે!
બહારમાં મોક્ષનું સાધન શોધવા શા માટે જાવ છો? તમારું સાધન તમારાં અંતરમાં છે.
વ્યવહારનું ફળ સંસાર કહ્યું છે તેના તરફ લક્ષ આપતો નથી.
અંતરના ધ્યાનની ક્રિયા છે. બહારની ક્રિયા વિકલ્પ આદિ તો બધાં દૂર રહી જાય છે.
વ્યવહાર મોક્ષમાર્ગ ખરેખર વાસ્તવિક મોક્ષમાર્ગ નથી. અભ્યંતર મોક્ષમાર્ગ પોતાની પાસે
છે અને પોતે કરી શકે છે. નિશ્ચય સ્વરૂપમાં એકાગ્ર થવું તે જ સાચો મોક્ષમાર્ગ છે.
છો, તું શુદ્ધ છો, તું અનાદિથી રખડયો છો, એમ સમજાવીને આત્મા પોતે જ પોતામાં
ઠરે છે માટે આત્મા જ પોતાનો સાચો ગુરુ છે. આત્મા ગુરુ અને તેની પર્યાયરૂપી પ્રજા
તે તેની શિષ્ય છે. પર્યાય આત્મદ્રવ્યનો વિનય કરે છે. આત્મા અને પર્યાય ગુરુ-શિષ્ય
છે. આત્મા અને પર્યાયનાં નામભેદે ભેદ છે, લક્ષણ ભેદે ભેદ છે, ભાવ ભેદે ભેદ છે,
અને પ્રદેશભેદે બન્ને અભેદ છે. દ્રવ્ય ધર્મ કાયમી અસલી ધર્મ છે અને પર્યાય ક્ષણિક
ધર્મ છે. દ્રવ્યગુરુનો આધાર લઈને પર્યાયરૂપી શિષ્ય કામ કરે છે.
Page 118 of 238
PDF/HTML Page 129 of 249
single page version
मिच्छा–मोहु परिच्चयहि मुत्ति णिय वि ण माणि
મિથ્યા મોહ દૂરે કરી, તન પણ મારું ન માન ૬૧.
તું તેમાં મોહ ન કર. નિર્મોહી બન.
સમજે. પોતાનું બધું શ્રેય-હિતની દરેક ક્રિયા આત્મા સાથે જોડે અને પરથી પ્રેમ ઉઠાવી
લે. કારણ કે જ્યાં સુધી હું આત્મા અતીન્દ્રિય આનંદ અને સુખથી ભરેલો છું એવી
શ્રદ્ધા, જ્ઞાન અને રુચિ થતાં નથી ત્યાં સુધી શરીર અને શરીરના સાધનને જ હિતકારી
માની આવકારે છે, ઈચ્છે છે અને તેમાં જ પ્રેમ કરે છે. શરીર નીરોગ રહે, શરીરને
બધી જાતની અનુકૂળતા રહે તો ઠીક એવી બુદ્ધિ મિથ્યાદ્રષ્ટિની હોય છે, માટે હે સાધક!
તું આવી મિથ્યાદ્રષ્ટિથી દૂર રહેજે. તારા આત્માની નીરોગતા અને અનુકૂળતાથી તું સુખી
છો. આવી શ્રદ્ધા થયાં પછી પરમાં મારાપણાની-સારાપણાની માન્યતા છૂટી જાય છે.
અજ્ઞાનીને અંતરમાં આનંદનો અનુભવ નથી તેથી તે બહારના આનંદમાં ટેકો આપ્યા
વગર રહેતો જ નથી. ‘શરીરે સુખી તો સુખી સર્વ વાતે’ આમ માનીને અનિત્ય શરીર
આદિમાંથી અજ્ઞાની જીવ સુખ લેવા ચાહે છે.
કરીને પણ વાંછા તો આ ભવ કે પરભવમાં ભોગો ભોગવવાની જ રાખે છે.
થઈને જ્યારે કરવા માગે ત્યારે આત્માનો અનુભવ કરી શકે છે. તેને પોતાપણું-
મારાપણું એક આત્મામાં જ છે, મોહ ક્યાંય નથી. ચારિત્રમોહના ઉદયવશ રાગ આવે
તો રોગી જેમ કડવી ઔષધિનું પાન કરે તેમ સમ્યગ્દ્રષ્ટિ-જ્ઞાની વિષય ભોગ ભોગવે છે.
લાચાર થઈને રોગીને કડવી દવા પીવી પડે તેમ જ્ઞાનીને વિકલ્પવશ-લાચારીવશ ભોગ
ભોગવવા પડે છે, પણ ભાવના તો તેનાથી કેમ જલ્દી છૂટાય એવી જ રહે છે. દ્રષ્ટિમાં
ગ્રહણ યોગ્ય તો પોતાનું નિજસ્વરૂપ જ લાગે છે પણ રાગવશ ભોગનું ગ્રહણ કરે છે.
મિથ્યાદ્રષ્ટિને વારંવાર રાગ અને પર જ દ્રષ્ટિમાં આવ્યા કરે છે. જ્યારે સમ્યગ્દ્રષ્ટિને
વારંવાર પોતાનું નિજસ્વરૂપ જ દ્રષ્ટિમાં આવ્યા કરે છે.
Page 119 of 238
PDF/HTML Page 130 of 249
single page version
केवल–णाणु वि परिणवइ सासय–सुक्खु लहेइ ।। ६२।।
પ્રગટે કેવળજ્ઞાન ને શાશ્વત સુખ પમાય.
જાય છે. જ્ઞાનની સાથે શાશ્વત નિત્ય અવિનાશી કાયમ ટકે એવા સુખને પણ પામે છે.
પૂર્ણ જ્ઞાનરૂપે પરિણમતાં સાથે પૂર્ણ સુખને પણ પામે એવું આત્માનુભવનું મહાન ફળ
છે. અભ્યંતર મોક્ષમાર્ગનું-અનુભવનું ફળ કેવળજ્ઞાન અને પૂર્ણ સુખ છે.
ઉપયોગને આત્મામાં જોડીને આત્માને જાણતાં જે મહા આનંદ થાય-તેની શી વાત! તે
આનંદ પાસે ઇન્દ્રપદ કે ચક્રવર્તીના વૈભવની કાંઈ ગણતરી નથી. તે ઇન્દ્રપદ અને
ચક્રવર્તીપદ તો પુણ્યના ફળ છે. આત્મજ્ઞાનના ફળમાં તો કેવળજ્ઞાન અને પૂર્ણ સુખ
પ્રગટ થાય છે તે જ વાત અહીં લીધી છે. વચ્ચે રાગના ફળમાં ઇન્દ્રપદ કે ચક્રવર્તીના
વૈભવો મળે છે તેની વાત અહીં યાદ કરી નથી, કારણ કે તે સાધ્ય નથી. સાધ્ય તો
કેવળજ્ઞાન અને શાશ્વત સુખ છે અને તે જ આત્મજ્ઞાનનું સાચું ફળ છે. આત્મજ્ઞાનનો
અપાર મહિમા છે. આમ આત્માને કઈ રીતે જાણવો અને તેનું ફળ કેવું મહાન છે તે
આ ગાથામાં બતાવ્યું છે.
જેમ અશરીરી છું. શરીરને સ્પર્શતો જ નથી, અત્યારે
જ શરીરથી છૂટો છું, એમ શ્રદ્ધા નહિ કરે તો જ્યારે
શરીરથી છૂટો પડશે ત્યારે એની લાળ શરીરમાં જ લંબાશે
Page 120 of 238
PDF/HTML Page 131 of 249
single page version
केवल–णाणु वि परिणवइ सासय–सुक्खु लहेइ ।। ६२।।
પ્રગટે કેવળજ્ઞાન ને શાશ્વત સુખ પમાય.
તત્ત્વ છે અને આત્મા પોતે જીવતત્ત્વ છે. એ જીવતત્ત્વમાં છે શું?-કે આત્મામાં જ્ઞાન,
આનંદ, શાંતિ, વીર્ય, પ્રભુતા, વિભુત્વ, સ્વચ્છત્વ, પ્રકાશ આદિ અનંત ગુણો છે એવા
આત્માને આત્માથી એટલે કે પોતાને પોતાથી જાણવો તે જ મોક્ષમાર્ગ છે.
મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ મોક્ષમાર્ગ છે જ નહિ. ભગવાન આત્મા અર્થાત્ નિજ
પરમાત્મા ઉપર દ્રષ્ટિ કરીને પર્યાયમાં તેના અનુભવ કરતાં શું ફળ પ્રાપ્ત ન થાય? વચ્ચે
મતિશ્રુતજ્ઞાનની વિશેષતા પ્રગટે, અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય અને ક્રમે ક્રમે એ
અનુભવ વધતાં વધતાં કેવળજ્ઞાન થાય. શું ફળ પ્રાપ્ત થાય? બધું જ થાય. અનુભવની
સાથે વ્રત-તપ આદિના શુભવિકલ્પ હોય, તેનું જ્ઞાન કરાવ્યું છે પણ એ કાંઈ મોક્ષમાર્ગ
નથી સ્વભાવનું સાધન તો સ્વભાવ જ છે. સર્વજ્ઞ વીતરાગ સ્વભાવી આત્માનું
વીતરાગી પર્યાય દ્વારા જ જ્ઞાન થઈ શકે, અનુભવ થઈ શકે. સમ્યગ્દર્શન-જ્ઞાન-
ચારિત્રરૂપ વીતરાગી પર્યાય જ મોક્ષમાર્ગ છે.
આનંદનો ઢગલો છે, પુંજ છે, તેમાંથી આનંદ જ આવે. વળી એ આનંદ કેવો છે?-કે
જેવો અરિહંત અને સિદ્ધ ભગવાનને આનંદ છે તે જ જાતનો આનંદ ધર્મીને અનુભવમાં
આવે છે. તે અનુભવનો આનંદ એવો છે કે તેની પાસે ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ ધર્મીને
સડેલાં તરણા
Page 121 of 238
PDF/HTML Page 132 of 249
single page version
આનંદ તો મારી પાસે છે, મારા આનંદ પાસે આ વૈભવની પણ કાંઈ કિંમત નથી.
ગુણોના ભાવની અચિંત્યતા તો અપાર છે પણ ગુણોની સંખ્યા પણ અનંત, અચિંત્ય
અને અપાર છે. એ અનંત ગુણોના ધારક નિજ આત્માનો અનુભવ થતાં સમયે સમયે
માંડીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને કેવળજ્ઞાન બધું જ મળે.
ઉછળ્યું તે હવે પૂર્ણ કેવળજ્ઞાન લેશે. ઉલ્લસિત વીર્ય જ કેવળજ્ઞાનનું અધિકારી છે. પામર
વીર્ય કેવળજ્ઞાન લઈ શકે નહિ. ઉલ્લસિત વીર્ય એટલે શું?-કે જે શક્તિમાં વીર્ય ગુણ છે
અલ્પકાળમાં હું સિદ્ધપદને પ્રાપ્ત કરીશ-એમ એનું વીર્ય ઉછાળા મારે છે. તેને એમ ન
થાય કે અરેરે! હવે શું થશે? કેવળજ્ઞાન સુધી કેમ પહોંચાશે?-એવું હીન વીર્ય ન હોય.
સમ્યગ્દર્શન હોય તો ક્ષાયિક લ્યે અને ક્ષાયિક હોય તો શુક્લધ્યાન લ્યે અને શુક્લધ્યાન
હોય તો કેવળજ્ઞાન લ્યે.
વૃદ્ધિ, પ્રભુતાની ઉગ્રતા આદિ બધી પર્યાયોમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અનુભવ થતાં
એ વીર્ય છે.
સ્થિતિ ઘટતી જાય છે. મોક્ષમાર્ગ પ્રગટ થઈ ગયો તેને સંસારની સ્થિતિ કેમ વધે? ન
Page 122 of 238
PDF/HTML Page 133 of 249
single page version
केवल–णाण–सरूव लइ [लहि?] ते संसारु मुंचति ।। ६३।।
કેવળજ્ઞાન સ્વરૂપ લહી, નાશ કરે ભવતાપ. ૬૩.
અહીં ત્યાગધર્મની મુખ્યતા બતાવે છે. ત્યાગ એટલે વિકલ્પોનો પરભાવોનો
Page 123 of 238
PDF/HTML Page 134 of 249
single page version
શાસ્ત્રોની મહિમા અને ભક્તિ છોડવી જોઈએ તથા હિંસા, જૂઠું, ચોરી, શિકાર,
અન્યાય કાર્યો પ્રત્યે ગ્લાનિ હોવી જોઈએ. આ રીતે કુદેવાદિની શ્રદ્ધા વગેરેનો ત્યાગ કરી
વીતરાગ પરમદેવ, નિર્ગ્રંથગુરુ તથા અનેકાંત વસ્તુને બતાવનારા શાસ્ત્રોની શ્રદ્ધા કરવી
કરે અને આત્માની ઓળખાણ કરે ત્યારે અનંતાનુબંધી કર્મ તથા મિથ્યાત્વનો નાશ થાય
અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો લાભ થાય. સ્વરૂપને ઓળખી તેમાં સ્થિરતા થવી તે
આત્માનું ધ્યાન કરતાં નિમિત્તના લક્ષે થતાં પુણ્ય-પાપના અનિત્ય ભાવોનો નાશ થઈ
જાય છે.
જઈને આ વાત લખે છે. અહો! તારા સ્વરૂપમાં અનંતા સિદ્ધ ભગવાન બિરાજે છે.
અનંતી સિદ્ધપર્યાયનો તું પિંડ છો. આવો નિજ ભગવાન જેના અનુભવમાં આવ્યો તેને
સ્વામી થઈ ગયો. પુણ્ય-પાપના ભાવને પોતાના માનનારો તો પરદેશી છે.
મોક્ષમાર્ગ પ્રગટ થયાં પછી બહારમાં ગમે તેવાં ઉપસર્ગો આવે, ઘાણીમાં પીલાય તે
સમયે પણ અંતરમાં મુનિરાજ અતીન્દ્રિય આનંદમાં રમતા હોય છે. કોઈ વૈરી દેવ
થઈ જાય છે. માટે કહે છે કે એકવાર ચૈતન્યરત્નાકર ઉપર દ્રષ્ટિ કરીને અનુભવ કર તો
તને શું ફળ નહિ મળે? અલ્પકાળમાં સિદ્ધ થઈને મુક્તિને પામીશ.
આત્માઓ ધન્ય-ધન્ય છે. અમે મુનિઓ પણ એવા મોક્ષમાર્ગી સાધકોને ધન્ય ધન્ય
કહીએ છીએ.
Page 124 of 238
PDF/HTML Page 135 of 249
single page version
કહેવામાં આવે છે.
કહ્યાં! તેમ દાનમાં ખૂબ ધન ખર્ચનારને પણ ધન્ય નથી કહ્યાં. કેમ કે એ કાંઈ ધન્ય
ચીજ નથી. અંતરમાં સત્ચિદાનંદ ધ્રુવ લક્ષ્મી પડી છે તેમાં યોગ એટલે કે જોડાણ કરીને
શુદ્ધ નિર્મળભાવોને પ્રગટ કરે તે ધર્મી ધન્ય છે.
लोयालोय–पयासयरु अप्पा विमल मुणंति ।। ६४।।
લોકાલોક પ્રકાશકર, જાણે વિમળ સ્વભાવ. ૬૪.
સ્વસન્મુખ દ્રષ્ટિ કરે છે એવા ધર્માત્માઓ ધન્ય છે. એક સમયમાત્રમાં આખા
લોકાલોકને જાણવાનો આત્માનો જ્ઞાનસ્વભાવ એવો અસાધારણ છે કે એવો સ્વભાવ
બીજા દ્રવ્યોમાં તો નથી પણ આત્માના બીજા કોઈ ગુણોમાં પણ એવો અસાધારણ
સ્વભાવ નથી. એવા જ્ઞાનસ્વભાવ વડે જે પોતાના આત્માને જાણે છે અને તેમાં એકાગ્ર
થાય છે તે ધન્ય છે.-પ્રસંશનીય છે.
પ્રતિનારાયણ, ઇન્દ્ર, ધરણેન્દ્ર, અહમિંદ્ર આદિ પદવીઓ પ્રાપ્ત થઈ હોય તોપણ ધર્મીને
મોહ થતો નથી. નિજપદની પૂર્ણ સાધના કરનાર ધર્મીને લૌકિક પદવીઓની જરાય
ચાહના નથી. ધર્માનુરાગ, પંચપરમેષ્ઠીની ભક્તિ, શાસ્ત્રવાંચન, પૂજન, અનુકંપા આદિ
શુભભાવો ધર્મી જીવને આવે છે પણ તેનો તેને આદર હોતો નથી. શુદ્ધ સ્વભાવમાં ઠરી
શક્તો નથી તેથી શુભભાવમાં આવે છે પણ ધર્મી તે ભાવને કે તેના ફળને આદરતો
નથી. ધર્મીને ધર્મપ્રચારનો વિકલ્પ આવે છે પણ તેને છોડવા લાયક સમજે છે, એક
નિજપદની નિર્વિકલ્પ સાધનામાં જ ઉપયોગને રોકે છે, કેમ કે શુદ્ધસ્વરૂપમાં જેટલી
એકાગ્રતા થાય એટલો જ પોતાને લાભ છે. ધર્મ-
Page 125 of 238
PDF/HTML Page 136 of 249
single page version
થઈને, સાત તત્ત્વ, નવ પદાર્થ આદિના વિકલ્પોને પણ ત્યાગીને ધર્મી જીવ એક શુદ્ધ
નિજાત્માને ધ્યાવે છે અને પરમાનંદના અમૃતનું પાન કરે છે. અંતર સુધારસને પીએ છે.
પંડિત છે. પરમ ઐશ્વર્યવાન પણ એ જ છે.
ઐશ્વર્યવાન નથી પણ આત્મસંપદાને લૂંટનારા ધર્મી તે ઐશ્વર્યવાન છે. ધર્મી જીવ
નિજશુદ્ધાત્માની પ્રતીત-જ્ઞાન-રમણતારૂપ રત્નત્રયનો ધણી છે. રત્નત્રયનો ધણી તે જ
પૂજ્ય ગુરુદેવઃ- પૈસાવાળાએ પૈસાનો મોહ છોડી, આત્માની રુચિ કરી રત્નત્રય
વાઘની ગુફાઓ જેનું સુંદર ઘર છે, અનુભૂતિ જેની ગિરિગુફા છે અને જેમણે અજ્ઞાનની
સર્વ ગાંઠોને તોડી પાડી છે અને જ્ઞાન-આનંદના ખજાના ખોલ્યાં છે એવા જગતથી
सो लहु पावइ सिद्धि–सुहु जिणवरु एम भणेइ ।। ६५।।
શીઘ્ર સિદ્ધિ સુખ તે લહે, એમ કહે પ્રભુ જિન. ૬પ.
પરમાત્મા તીર્થંકરદેવ સો ઇન્દ્રોની હાજરીમાં સભામાં એમ ફરમાવે છે કે જ્ઞાન-દર્શન
સહિત જીવ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ આત્મામાં વસી શકે છે. વીતરાગના બિંબ એવા
Page 126 of 238
PDF/HTML Page 137 of 249
single page version
ગૃહસ્થ હોય કે મુનિ બન્ને માટે આત્મરમણતા જ સિદ્ધિસુખનો ઉપાય છે. ચોથા-પાંચમાં
ગુણસ્થાનમાં ગૃહસ્થ પણ નિજ આત્મામાં વસે છે વસી શકે છે. ગૃહસ્થાશ્રમમાં રાગ
ઉગ્રપણે આત્મામાં વસે છે.
તે તો જાણવા માટે છે. નિશ્ચયથી તો ધર્મી પોતાના આત્મામાં જ વસે છે.
ખોલે છે તે તેમાં જ વસે છે. રાગાદિ હોય છતાં તેમાં તેનું વસવું નથી. જેમાં પ્રીતિ છે
તેમાં જ તે વસ્યો છે. પુણ્ય-પાપ ભાવમાં ધર્મીને પ્રીતિ નથી તેથી તે એમાં વસ્યો છે
વસવાનો વાસ છે.
ધણીપણું નથી, તેમાં ધર્મીનો વાસ નથી.
પીયુજીની સાથ, બીજાના મીંઢોળ નહિ રે બાંધુ.’ તેમ સમકિતી કહે છે કે
“ લગની લાગી મારા ચૈતન્યની સાથ, બીજાના ભાવ નહિ રે આદરું.” “ધર્મ જિનેશ્વર
આનંદ મારો પ્રભુ તેના હું ગુણગાન ગાઉં છું. પુણ્ય-પાપના ગુણગાન હું નહિ ગાઉં.
મારા મનના મંદિરમાં વિકલ્પને સ્થાન ન આપું એ અમ કુળવટ રીતે જિનેશ્વર! એ
અમારા અનંતા સિદ્ધોના વટ છે.
બન્ને અલ્પકાળમાં સિદ્ધિસુખને પામશે. જ્યાં જેની પ્રીતિ લાગી છે ત્યાં જ એ ઠર્યા છે.
બીજે ઠરવું એને ગોઠતું નથી. જેને પ્રભુતાના ભણકારા વાગ્યા તેનો વસવાટ આત્મા
યોગીન્દ્રદેવ ભગવાનની વાણીનો આધાર લઈને આમ ફરમાવે છે.
Page 127 of 238
PDF/HTML Page 138 of 249
single page version
છે. આ વાતની ના ન પાડ ભાઈ! ના ન પાડ! જિનદેવનું આ ફરમાન છે, તેની તું ના
પાડીશ તો તું જિનવરદેવનો વેરી થઈશ. જિનવરનો વેરી તે આત્માનો વેરી. મિથ્યાદ્રષ્ટિ
સમકિતી થયો એટલે બહિરાત્મામાંથી અંતરાત્મા થયો. હવે અંતરાત્મા થયો તો એની
દ્રષ્ટિમાં-એના વસવાટમાં કાંઈ ફેર પડે કે નહિ? રાગમાં વસવાટ તો બહિરાત્માનો છે,
તો અંતરાત્માનો વસવાટ રાગમાં ન હોઈ શકે, તેનો વસવાટ આત્મામાં છે. આમ કાંઈક
વિચાર ભાઈ! સીધી ના ન પાડી દે.
અનુભવ કરી રહ્યા છે તેવો જ અનુભવ સમ્યગ્દ્રષ્ટિને થાય છે. અતીન્દ્રિય આનંદની
જાતમાં ફેર નથી. સિદ્ધ અને સાધક બંને એક જ જાતના અતીન્દ્રિય આનંદ અનુભવી
રહ્યાં છે. જે સાધન વડે અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થાય છે તે જ સાધન સિદ્ધિસુખનો
ઉપાય છે એટલે કે દર્શન-જ્ઞાન અથવા તો અતીન્દ્રિય આનંદ પોતે જ પૂર્ણ આનંદનું
સાધન છે.
કેમ કે સ્વાનુભવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય સમાય જાય છે. તેથી કહે છે કે
સ્વાનુભવ અતીન્દ્રિય આનંદ જ મોક્ષમહેલની સીધી સડક છે. અહીં મુનિરાજે વિકલ્પ
આદિના તો ભૂકા ઉડાડી દીધા છે. ક્યાંય વિકલ્પનું સ્થાન જ નથી. અતીન્દ્રિય આનંદ
જ પૂર્ણાનંદ સુધી પહોંચાડશે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. શુભ વિકલ્પ આદિ
વ્યવહાર સાથે હોય પણ તે કોઈ માર્ગ નથી, ઉપાય નથી. હિંસા, જુઠું, ચોરી, પરિગ્રહ,
અબ્રહ્મ આદિનો ત્યાગ, મન-વચન-કાયની શુભ પ્રવૃત્તિ આદિ વિકલ્પો બધાં છે ખરાં
પણ તે વ્યવહારચારિત્ર છે. નિશ્ચયચારિત્ર તો એક અતીન્દ્રિય આનંદરૂપ સ્વાનુભવ છે.
विरला झायहिं तत्तुं जिय विरला धारहि तत्तु ।। ६६।।
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. ૬૬.
Page 128 of 238
PDF/HTML Page 139 of 249
single page version
કોઈ વિરલા જ કરે છે.
રસિયા, પુણ્યના રસિયા, સંસારના રસિયાને આ વાત સાંભળવી બહુ કઠણ પડે છે માટે
કહે છે કે તત્ત્વની વાત સાંભળનાર શ્રોતા પણ દુર્લભ છે. એથી પણ વિશેષ
શુદ્ધાત્મતત્ત્વનું ધ્યાન કરનાર વધુ વિરલ છે. જુઓ! અહીં પૈસાવાળાને કે આબરૂવાળાને
કે બેઠી આવકવાળાને વિરલ ન કહ્યાં પણ શુદ્ધાત્માને જાણનારને વિરલ કહ્યાં. ખરેખર
અતીન્દ્રિય આનંદની બેઠી આવક તો આત્માનું ધ્યાન કરનારને મળી રહી છે. આત્માનું
સ્વરૂપ ધારણામાં લઈને અનુભવ કરનારા કોઈ વિરલા જ હોય છે.
કદાચ જવાનું થઈ જાય તો મૌન રહેવું જોઈએ. આ
અંતરનો માર્ગ તો એવો છે કે સહન કરી લેવું જોઈએ.
વિરોધમાં પડવું નહિ. પોતાનો ગોળ પોતે ચોરીથી અર્થાત્
છુપી રીતે ખાઈ લેવો જોઈએ. ફંફેરો કરવા જેવો કાળ
નથી. પોતાનું સંભાળી લેવા જેવું છે. વાદ-વિવાદમાં
ઊતરવા જેવું નથી.
Page 129 of 238
PDF/HTML Page 140 of 249
single page version
કે વાણીને ઝીલનાર ગણધરદેવની હાજરી ન હતી માટે વાણી ન છૂટી, પણ ખરેખર તો
વાણી છૂટવાનો યોગ ન હતો માટે જ વાણી ન છૂટી. પછી વિચાર કરીને ઇન્દ્ર
ઇન્દ્રભૂતિ-ગૌતમ પાસે ગયા અને છ દ્રવ્ય, સાત તત્ત્વ, નવ પદાર્થ આદિનું સ્વરૂપ
સમજાવવા તેને કહ્યું. એ તો તેને આવડતું ન હતું એટલે કહે ચાલ, તારા ગુરુ પાસે.
તેથી ઇન્દ્ર ગૌતમને લઈને ભગવાન પાસે આવ્યા અને જ્યાં ગૌતમે સમવસરણ જોયું
ત્યાં તો એનું માન ગળી ગયું અને અંદર ગયા ત્યાં તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું.
તેની યોગ્યતા હતી ને! તરત ભગવાનની વાણી છૂટી. શ્રાવણ વદ એકમે સૌપ્રથમ
વાણી છૂટી તે ગૌતમ ગણધરે ઝીલી અને ભાવશ્રુતરૂપે પરિણમીને સુત્રરૂપે વાણી ગૂંથી.
અંતર્મૂહૂર્તમાં બાર અંગ અને ચૌદપૂર્વની રચના કરી. આજના દિવસે આ રચના થઈ. તે
બાર અંગ અને ચૌદ પૂર્વનો સાર શું? તે અહીં કહેવામાં આવે છે.
આવ્યો. ધ્રુવ, શાશ્વત, એકરૂપ, અનાદિ અનંત એવી ચીજમાં એકાકાર થઈને સ્વરૂપના
આનંદનું વેદન થવું તેને યોગસાર કહે છે કે જે મોક્ષનો માર્ગ છે.
विरला झायहिं तत्तु जिय विरला धारहि तत्तु ।। ६६।।
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. ૬૬.
પણ દુર્લભ