Hoon Parmatma (Gujarati). Pravachan: 20-24.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 13

 

Page 110 of 238
PDF/HTML Page 121 of 249
single page version

background image
૧૧૦] [હું
પ્રીતિપૂર્વક પોતાની વાત સાંભળે તો અવશ્ય મુક્તિનું ભાજન બને. અનંતગુણમય
આત્મામાં અનાદિ અનંત એક પ્રકાશ નામનો ગુણ છે, જેનાથી આત્મા પ્રત્યક્ષ થાય.
પરોક્ષ ન રહે. ૪૭ શક્તિમાં આ ‘પ્રકાશ’ નામની ૧રમી શક્તિ છે. સીધો પ્રત્યક્ષ થઈને
પોતે પોતાને જાણે એવો આ ગુણ છે. પોતાને જાણીને પોતામાં-નિજ આત્મામાં રહેવું તે
જ આત્માનું ઘર છે. પોતાનું જ્ઞાન જ પોતાના વસ્ત્ર છે. નિજ આત્મિક રસ એ જ
પોતાનું ભોજન છે. અને આત્મિક શૈયા એ જ જ્ઞાનીની શૈયા છે. આવી રીતે આત્માને
પ્રત્યક્ષ જાણીને જે વેદે છે તે સંસારથી મુક્ત થાય છે માટે પોતે પોતાનું પ્રત્યક્ષ સ્વસંવેદન
કરવું તે જ મુક્ત થવાની વિધિ છે, એ સિવાય મુક્તિની બીજી કોઈ વિધિ નથી.
પાંચ પદ શરણરૂપ છે એટલે કે પાંચ પદરૂપ પોતાનો
આત્મા જ શરણરૂપ છે. કહ્યું છે ને! કે વર્તમાનમાં
સિદ્ધદશા તો નથી, તો સિદ્ધનું ધ્યાન કેમ હોય! જૂઠ-મૂઠ
છે; અરે! અંદરમાં શક્તિરૂપ સિદ્ધ સ્વભાવ તો વર્તમાનમાં
મૌજુદ છે અને તેથી તેનું ધ્યાન કરતાં પ્રત્યક્ષ શાન્તિનું વેદન
આવે છે. આત્મા સ્વભાવે ત્રિકાળ સિદ્ધ સ્વરૂપ જ છે.
-પૂજ્ય ગુરુદેવ

Page 111 of 238
PDF/HTML Page 122 of 249
single page version

background image
પરમાત્મા] [૧૧૧
[પ્રવચન નં. ર૦]
ભાઈ! તારા પરમાત્માની ઓળખાણ કર!
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ર૮-૬-૬૬]
આ યોગસાર શાસ્ત્ર ચાલે છે. પ૬ ગાથા પૂરી થઈ છે પ૬મી ગાથામાં એમ
આવ્યું કે ‘આ આત્મા જ્ઞાનસ્વરૂપ છે’ તે જ્ઞાનને જ્ઞાનથી પ્રત્યક્ષ ન જાણે ત્યાં સુધી
એને આત્માનું કાંઈ કાર્ય થાય નહીં. ચૈતન્ય ચૈતન્યને પ્રત્યક્ષ જાણીને વેદનમાં લે અને
તેમાં સ્થિર થાય તો જીવની મુક્તિ થાય.
रयण दीउ दिणयर देहिउ दुध्दु धीव पाहाणु ।
सुण्णउ रूउ फलिहउ अगिणि णव दिट्ठंता जाणु ।। ५७।।
રત્ન દીપ રવિ દૂધ દહીં, ઘી પત્થર ને હેમ;
સ્ફટિક રજત ને અગ્નિ નવ, જીવ જાણવો તેમ. પ૭.
આ ગાથામાં ૯ દ્રષ્ટાંત વડે આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે.
૧. આ આત્મા રત્ન સમાન છે. જેમ રત્ન પ્રકાશમય છે તેમ આ આત્મા જ્ઞાન-
પ્રકાશમય છે. રત્ન જેમ નિત્ય-કાયમ ટકનાર છે, તેમ આત્મા જ્ઞાનસ્વરૂપે અવિનાશી
કાયમ ટકનાર છે. રત્ન જેમ કિંમતી ચીજ છે તેમ આત્મા પણ અલૌકિક અચિંત્ય
સમ્યગ્જ્ઞાન સ્વરૂપ મહા કિંમતી-અમૂલ્ય ચીજ છે. આત્મજ્ઞાનરૂપી રત્નના સ્વામી
સમ્યગ્દ્રષ્ટિ ઝવેરી છે. ગમે તેવું રત્ન હોય પણ તેની કિંમત આંકનાર ઝવેરી વગર તેની
કિંમત ઓળખાય નહીં તેમ સમકિતી ઝવેરી વગર મિથ્યાદ્રષ્ટિ જ્ઞાનરત્નને પારખી ન
શકે. કેમ કે શરીરની ક્રિયા વડે કે રાગ-દ્વેષ વડે તેની પરીક્ષા થઈ શકતી નથી.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણ રત્નો છે-પર્યાય છે. તે ત્રણ રત્ન વડે તેની પરીક્ષા થઈ
શકે તેમ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય પ્રગટ કરે-કિંમત ભરે, તો ચૈતન્યરત્ન
પ્રાપ્ત થાય.
ર. આત્મા દીપક સમાન સ્વ-પરપ્રકાશક છે. દીવો જેમ પોતાને અને અન્ય
પદાર્થોને પ્રકાશે છે પણ પરરૂપે થતો નથી, તેમ આ ચૈતન્ય દીવો પોતાને અને પરદ્રવ્ય-
ગુણ-પર્યાયને પ્રકાશનારો છે પણ તે પરદ્રવ્યરૂપે થઈ જતો નથી. શરીરને જાણે, રાગ,
કર્મ, પુદ્ગલ આદિ બધાંને જાણે પણ તે-રૂપે થઈ જતો નથી. જડદીવો તો બુઝાઈ જાય
છે પણ આ ચૈતન્યદીવાને મનની-રાગના વિકલ્પરૂપ તેલની જરૂર નથી ઝળહળ
જ્યોતિ, અનાદિ અનંત દેહરૂપી દેવળમાં બિરાજમાન છે. વળી સર્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવને
એક સમયમાં જાણી લે એવો સ્વ-પરપ્રકાશક ચૈતન્યદીવો છે.

Page 112 of 238
PDF/HTML Page 123 of 249
single page version

background image
૧૧ર] [હું
૩. આત્મા સૂર્ય સમાન પ્રકાશમાન અને પ્રતાપવાન છે. પોતાની પ્રભુતાથી
ભરેલું, અનાદિ અનંત તત્ત્વ સ્વતંત્રપણે પોતાના અખંડ પ્રતાપથી શોભે છે. અનંત
વીર્યનો-અનંત બળનો સૂર્ય ભગવાન આત્મા છે. સૂર્ય તો આતાપવાળો છે પણ
ચૈતન્યસૂર્ય તો પરમ શાંત છે. જગતમાં સૂર્ય તો અસંખ્ય છે પણ પોતાનો ચૈતન્યસૂર્ય
તો અનુપમ છે. દ્રવ્યસ્વભાવ-વસ્તુસ્વભાવરૂપ આ સૂર્ય કદી કોઈથી ઢંકાતો નથી. કર્મથી
અવરાઈ જાય કે રાગના વિકલ્પમાં ગ્રસાઈ જાય એવો આ સૂર્ય નથી. જ્યારે બહારનો
સૂર્ય તો મેઘ અને ગ્રહોથી ઢંકાઈ જાય છે. ચૈતન્યસૂર્ય સ્વયં પરમાનંદમય છે. એને જે
દેખે તેને તે આનંદકારી છે. શુદ્ધાત્મા પોતે જ્ઞાન ને આનંદનો દાતાર છે. વળી તે સદા
નિરાવરણ અને નિયમિત પોતાના અસંખ્યપ્રદેશ-સ્વપ્રદેશમાં રહેનારો છે. દેહમાં રહેવા
છતાં પોતાના આકારે રહે છે.
૪. દૂધમાંથી જેમ દહીં થાય છે તેમ દૂધ સમાન પોતાના ભગવાન આત્માનું
એકાગ્ર ધ્યાન કરવાથી દહીંની જેમ મીઠાશ પ્રગટ થાય છે અને દહીંમાંથી ઘી થાય તેમ
ધ્યાન દ્વારા આત્માની મુક્તિ થાય છે. દૂધ મેળવતાં દહીં થાય તેમ આત્મામાં એકાગ્ર
થતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય અને દહીં વલોવતાં માખણ અને ધી થાય
તેમ આત્મામાં વિશેષ લીન થતાં મુક્તિરૂપી ઘી પ્રગટ થાય છે.
મુમુક્ષુએ નિજ આત્મારૂપી ગોરસનું જ નિરંતર પાન કરવું જોઈએ. પોતાનો
આત્મા જ દૂધ, પોતાનો આત્મા જ દહીં ને પોતાનો આત્મા જ ઘી છે. એટલે કે શુદ્ધ
ચૈતન્યનું સત્ત્વ તે દૂધ તેને મેળવવાથી એટલે તેમાં એકાગ્ર થવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-
ચારિત્રરૂપી દહીં બને અને તેમાં વિશેષ એકાગ્ર થવાથી કેવળજ્ઞાનનું માખણ મળે છે.
પછી મુક્તિરૂપી ઘી તૈયાર થાય છે.
પ. આત્મા પત્થર સમાન દ્રઢ અને અમીટ છે. કણી ન ખરે એવા ચીકણાં પત્થર
હોય તેમ ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી અનંત ગુણનો પિંડ છે, તેમાંથી એક પણ
પ્રદેશ કે એક પણ ગુણ ખરે નહિ તેવો પત્થર જેવો આત્મા છે. અનંત જ્ઞાનાદિ
શક્તિમાંથી એક પણ શક્તિ કદી ઓછી થતી નથી. ચંદ્ર-સૂર્ય પણ એક જાતના પત્થર છે
તેમાંથી એક કણી પણ ક્યારેય ખરતી નથી. પત્થર બીજી વસ્તુને રહેવા સ્થાન ન આપે
તેમ આત્મા વિકલ્પને પણ પોતામાં સ્થાન આપતો નથી. અનંત ગુણનો ઢીમ આત્મા
રાગ-કર્મ-શરીરાદિને સ્થાન આપતો નથી. મગશેળિયા પત્થરને પાણી પણ અડે નહિ તેમ
ભગવાન આત્માને રાગ અડતો નથી. રાગનું પાણી આત્મામાં પેસી શકતું નથી.
૬. આત્મા શુદ્ધ સુવર્ણ સમાન, પરમ પ્રકાશમાન, જ્ઞાનધાતુથી અનાદિ અનંત
બિરાજમાન અદ્ભુત મૂર્તિ છે. મલિન સુવર્ણ પોતાની યોગ્યતાથી જ અગ્નિના સંગે સો
ટચનું શુદ્ધ સુવર્ણ બને છે તેમ રાગ-દ્વેષ-મોહની કાલિમાસંયુક્ત આત્મસુવર્ણ પણ
પોતાની યોગ્યતાથી જ પોતામાં એકાગ્રતારૂપ અગ્નિથી સો ટચનો શુદ્ધ આત્મા બને છે.
સ્વભાવે તો શુદ્ધ હતો જ, તે પર્યાયમાં પણ શુદ્ધ બને છે.
૭. હવે ચાંદીની ઉપમા આપે છે. આત્મા ચાંદી સમાન પરમ શુદ્ધ અને નિર્મળ છે.

Page 113 of 238
PDF/HTML Page 124 of 249
single page version

background image
પરમાત્મા] [૧૧૩
વીતરાગતારૂપી સફેદી આત્મામાં ભરી છે. સંસારીઓને વ્હાલા એવા સોના-ચાંદીની
ઉપમા આપીને આત્માને સમજાવે છે. ખરેખર તો આત્માને કોઈની ઉપમા જ લાગુ
પડતી નથી એવો અનુપમ આત્મારામ છે.
જ્ઞાની આત્મારૂપી ચાંદીનો સદા વેપાર કરે છે, વીતરાગતારૂપી સફેદાઈ જ્ઞાની પ્રગટ
કરે છે. એ જ એનો વેપાર-ધંધો છે. રાગ-પુણ્ય-પાપ કરવા તે જ્ઞાનીનો ધંધો નથી.
૮. આત્મા સ્ફટિકમણિ સમાન નિર્મળ છે અને પરિણમનશીલ છે. જેમ
સ્ફટિકમણિ લાલ પીળી વસ્તુના સંયોગથી લાલ-પીળા રંગનું દેખાય છે છતાં
નિર્મળતાને ખોઈ બેસતું નથી. તેમ આત્મા રાગાદિ અવસ્થાને ધારતાં છતાં સ્વભાવે
નિર્મળ અને શુદ્ધ જ રહે છે. બંધપણે થવું એવો અબંધસ્વભાવી આત્માનો સ્વભાવ જ
નથી. પરલક્ષેમમતારૂપે પર્યાયમાં પરિણમે તે પરના લક્ષે થાય છે. સ્વભાવના લક્ષે
પર્યાયમાં પણ અશુદ્ધતા ન આવે. આહાહા...! કેવું સીધું સટ-સરળ-સુલભ વસ્તુનું
સ્વરૂપ છે! પોતાના ભાવ (ગુણ) છોડીને વિકારરૂપે થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી.
સ્ફટિકમણિ સમાન નિર્મળ આત્મસ્વભાવની દ્રષ્ટિ કરવાથી પર્યાયમાં પણ નિર્મળતા
પ્રગટે છે.
૯. આત્મા અગ્નિ સમાન સદાય પ્રજ્વલિત ઝળહળ જ્યોતિ છે. જેમ અગ્નિમાં
પ્રકાશ, દાહક અને પાચક ગુણ છે, તેમ આત્મામાં દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રિકાળી ગુણ છે.
અગ્નિ પ્રકાશે છે, અનાજને પચવે છે ને ઇંધણને બાળે છે તેમ ભગવાન આત્મા સ્વ-
પરને પ્રકાશનારો છે. પૂર્ણ ત્રિકાળીને પચાવનારો છે એક સમયમાં હું પૂર્ણ પ્રભુ છું એમ
પચાવનારી શક્તિ આત્મામાં ત્રિકાળ ભરી છે અને ચારિત્ર નામનો ત્રિકાળ ગુણ એવો
છે કે જે અજ્ઞાન અને રાગ-દ્વેષને બાળીને ખાખ કરે છે. આ જાજલ્યમાન જ્યોતિને
કોઈ ઢાંકી શકે તેમ નથી. આત્મરૂપી અનુપમ અગ્નિ કર્મઇંધનને બાળનારી,
આત્મિકબળની પોષક અને સ્વભાવજ્ઞાન દ્વારા સ્વ-પરપ્રકાશક છે.
આ નવ દ્રષ્ટાંતોથી આત્માને ઓળખીને પોતાના સ્વભાવનો પૂર્ણ વિશ્વાસ
કરવાયોગ્ય છે એમ આચાર્યદેવે આ ગાથામાં કહ્યું.
હવે પ૮ મી ગાથામાં કહે છે કે દેહાદિરૂપ હું નથી-એ જ્ઞાન મોક્ષનું બીજ છે.
देहादिउ जो परु मुणइ जेहउ सुण्णु अयासु ।
सो लहु पावइ [?] बंभु परु केवलु करइ पयासु ।। ५८।।
દેહાદિકને પર ગણે, જેમ શૂન્ય આકાશ;
તો પામે પરબ્રહ્મ ઝટ, કેવળ કરે પ્રકાશ. પ૮.
જેમ આકાશને કોઈ પણ પદાર્થનો સંબંધ દેખાય છતાં તેને કોઈ સાથે સંબંધ
નથી તેમ ભગવાન આત્માને દેહ-વાણી-મન-માતા-પિતા કુટંબ-ઘરના ક્ષેત્ર-કાળ
આદિના સંયોગો દેખાય છતાં એ બધાં સંયોગોથી તદ્ન નિરાળો છે. આકાશ સદા
એકલું નિર્લેપ છે તેમ

Page 114 of 238
PDF/HTML Page 125 of 249
single page version

background image
૧૧૪] [હું
આત્મા અત્યારે અને ત્રણે કાળ અસંગ અને નિર્લેપ છે. તેને પરપદાર્થ સાથે કાંઈ જ
સંબંધ નથી એવો આત્માને અંતરમાં અનુભવવો તે સમ્યગ્દર્શન મોક્ષનું બીજ છે.
અગ્નિના ભડકા ભડ-ભડ બળતાં આકાશમાં દેખાય, વાદળ દેખાય, વર્ષા દેખાય
છતાં એ બધાંથી આકાશ નિર્લેપ છે તેમ રોગરૂપી ભડકાથી આત્મ-આકાશ ભિન્ન-
નિરાળો છે. ૯૬૦૦૦ સ્ત્રીઓના વૃંદમાં પડેલો દેખાય. હીરા-માણેકના મોટા હાર પહેરેલ
દેખાય છતાં ચૈતન્યચક્રવર્તી એ બધાંથી અસંગ અને નિર્લેપ છે. માટે કહે છે કે અનેક
સંગ-પ્રસંગમાં રહ્યો છતાં સ્વભાવ સંગ-પ્રસંગ રહિત છે એવી દ્રષ્ટિ કરનારને પરમબ્રહ્મ
પરમાત્મા પ્રાપ્ત થાય છે.
આ તો યોગસાર છે ને! એકલું માખણ ભર્યું છે. અજ્ઞાની જીવને બહારમાં જ
રુચિ અને હોંશ છે. મેં આમ કર્યું, મેં આમ કર્યું-એમ આવડતના અભિમાન કરીને હું
બીજાથી અધિક છું એમ બતાવીને હોંશ કરે છે. તેને અહીં સંતો કહે છે કે તું રાગની
હોંશ નહીં કર, જ્ઞાનની હોંશ કર! જ્ઞાન તારો સ્વભાવ છે, બહારમાં તો બધું ધૂળ ધાણી
અને વા પાણી છે.
અરે! સંતો દ્રષ્ટાંતો પણ કેવા આપે છે! સિદ્ધાંતને સિદ્ધ કરે તેવા સચોટ દ્રષ્ટાંત
આપે છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ, અનેક પ્રકારના પુદ્ગલો, અનંતા જીવો બધું આકાશના
અસંખ્ય પ્રદેશની અંદર છે છતાં આકાશને એ પરદ્રવ્યો અડતાં પણ નથી એમ ભગવાન
સર્વવ્યાપક જ્ઞાયક જ્યાં હોય ત્યાં જાણનાર...જાણનાર...જાણનાર...બસ...જાણનાર...પછી
ભલે તે નરકનાં દુઃખમાં હો કે સ્વર્ગના સુખમાં હો, શરીરના તીવ્ર રોગમાં હો કે
તંદુરસ્ત નીરોગ શરીરમાં હો, પણ નિર્લેપ ચૈતન્યપરમાત્માને આ સંયોગ અડતાં પણ
નથી. આકાશની જેમ પોતાના અસંગ પરમાત્માની દ્રષ્ટિ કરતાં જીવ પોતાના
પરમબ્રહ્મસ્વરૂપ આત્માને પ્રાપ્ત કરે છે અને ક્રમે કેવળજ્ઞાન લક્ષ્મીને વરે છે.
અનંતા જીવ-પુદ્ગલોની વિકારી પરિણતિથી આકાશની પરિણતિમાં વિકાર
આવતો નથી. આકાશ તો આકાશપણે જ સદાય રહે છે. તેમ જ્ઞાયક તો સદાય
જ્ઞાયકપણે જ રહે છે ચૈતન્યપ્રકાશના તેજ અચેતન વિકલ્પરૂપે પણ કદી ન થાય. આવા
નિર્લેપ ચૈતન્યને દ્રષ્ટિમાં લેવો તે એકમાત્ર મુક્તિનો-પરમપદ પ્રાપ્તિનો ઉપાય છે.
આકાશની સત્તા અલગ અને આકાશમાં રહેલાં પદાર્થોની સત્તા અલગ છે. તેમ
ધન, કુટુંબ આદિ પરપદાર્થોની સત્તા અલગ અને આત્માની સત્તા તેનાથી અલગ છે.
અરે! તેજસ અને કાર્મણ શરીરની સત્તા પણ આત્માની સત્તાથી જુદી છે. કષાયની
તીવ્રતા કે મંદતા તથા મન-વચન-કાયાની સર્વ ક્રિયાઓથી આત્મા તદ્ન ભિન્ન છે.
આત્માનો કોઈ સ્વામી નથી. ને આત્મા કોઈનો સ્વામી નથી. આત્માનું કોઈ ગામ નથી,
કોઈ ધામ નથી. જુઓ! આ ભેદજ્ઞાન છે. ભેદજ્ઞાન એટલે જે ચીજો જેવી છે તેવું તેનું
જ્ઞાન તે ભેદજ્ઞાન! મારામાં પરનો અભાવ છે અને પરમાં મારો અભાવ છે.
ભલે અનંત સિદ્ધો અને અનંત સંસારી મારી સત્તા જેવા જ છે. છતાં મારી
સત્તા અને એ જીવોની સત્તા નિરાળી નિરાળી છે. મારા ગુણ તેનાથી નિરાળા છે. મારું
પરિણમન તેનાથી નિરાળું છે. હું સંયોગો સાથે એકમેક થયો નથી. હું અનાદિકાળથી
એકાકી રહ્યો છું અને અનંતકાળ એકાકી જ રહેવાનો છું.

Page 115 of 238
PDF/HTML Page 126 of 249
single page version

background image
પરમાત્મા] [૧૧પ
[પ્રવચન નં. ૨૧]
નિજ આત્માને પરમાત્મા જાણવાનું ફળ શું?
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ર૯-૬-૬૬]
અહીં યોગસારની પ૮ ગાથા પૂરી થઈ. છેલ્લી ગાથામાં આવ્યું હતું કે જેમ
આકાશમાં અનેક પદાર્થો રહેલાં દેખાય છે છતાં એ દરેક પદાર્થો પોતામાં રહ્યા છે,
આકાશરૂપે થયા નથી, તેમ જ્ઞાનમાં પદાર્થો જણાય છે તોપણ પર પદાર્થો આત્માથી જુદાં
છે, પર પદાર્થો આત્મામાં નથી. આમ આ પ્રકારે આકાશ અને આત્મામાં સમાનપણું
હોવા છતાં બે વચ્ચે ફેર શું છે તે હવે કહે છે.
जेहउ सुद्ध अयासु जिय तेहउ अप्पा वुत्तु ।
आयासु वि जडु जाणि जिय अप्पा चेयणुवंतु ।। ५९।।
જેમ શુદ્ધ આકાશ છે, તેમ શુદ્ધ છે જીવ;
જડરૂપ જાણો વ્યોમને, ચૈતન્યલક્ષણ જીવ. પ૯.
આકાશમાં પરદ્રવ્ય નથી તેમ આત્મામાં પણ પરદ્રવ્ય નથી. આકાશ શુદ્ધ છે તેમ
આત્મા પણ પોતાના સ્વરૂપે શુદ્ધ છે. પચરંગી વાદળ હો કે બીજા પાંચ દ્રવ્યો આકાશમાં
હો, પણ તેના રંગે આકાશ રંગાયેલું નથી. સર્વદ્રવ્યોથી આકાશ અલિપ્ત છે, તેમ આત્મા
વિકાર કે પરચીજથી રંગાયેલો નથી. આવા શુદ્ધ આત્માનું એકાગ્ર થઈને ધ્યાન કરવું
તેને યોગસાર કહે છે.
આકાશ શુદ્ધ છે અને આત્મા પણ શુદ્ધ છે પણ હે જીવ! આકાશ જડ છે, તેનામાં
ચેતના નથી. જ્યારે આત્મા ચેતન છે. આકાશ આકાશનું ધ્યાન કરી શકતું નથી કેમ કે
તેનામાં જ્ઞાન નથી, જ્યારે આત્મા પોતાનું ધ્યાન કરી શકે છે કેમ કે તે જ્ઞાનવાન છે
માટે તે બન્નેમાં મહાન તફાવત જાણી હે જીવ! તું જ્ઞાનસ્વરૂપી આત્માનું ધ્યાન કરજે!
આત્મા ચેતનાર છે, જાણનાર છે, એકાગ્ર થનાર છે, માટે જાણનારને તું જાણજે.
ચૈતન્યસ્વરૂપ શુદ્ધ છે તેનું જાગ્રત થઈને ધ્યાન કરતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે.
આકાશ સર્વવ્યાપી છે તેની સાથે આત્માને સરખાવે છે કે આત્મા પણ આકાશની
માફક સર્વવ્યાપી છે. આકાશ ક્ષેત્રથી સર્વવ્યાપી છે અને આત્મા ભાવથી સર્વને
જાણનારો છે માટે સર્વવ્યાપી છે.
દરેક દ્રવ્ય પરમસ્વભાવી છે. પારિણામિકભાવે પરમાણુ, આકાશ આદિ છએ દ્રવ્યો
પરમસ્વભાવી છે પણ એ પરમસ્વભાવને આત્મા જાણી શકે છે. એ જ્ઞાનગુણની
વિશેષતા છે.

Page 116 of 238
PDF/HTML Page 127 of 249
single page version

background image
૧૧૬] [હું
માટે કહે છે કે સામાન્યગુણે આકાશ આદિ બધાં દ્રવ્યો સમાન છે પણ વિશેષગુણે કરીને
દરેક દ્રવ્યમાં તફાવત છે.
આકાશ આદિ ચાર જડ દ્રવ્યો પણ શુદ્ધ છે અને આત્મા ચેતનસ્વભાવી પણ શુદ્ધ
છે. આકાશ આદિ દ્રવ્યોને શુદ્ધતા છે તે પ્રાપ્ત કરવાની નથી, પ્રાપ્ત જ છે, પણ જેને
શુદ્ધતા પ્રગટ કરવી છે તેવા જીવે પોતાના શુદ્ધ સ્વભાવનું ધ્યાન કરીને તેમાં એકાગ્ર
થઈને શુદ્ધતાનો અનુભવ કરવો એ જ નિર્વાણનો માર્ગ છે.
ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવી હોવાથી, ચેતનપણે જાગ્રત થઈને ચેતનાનો
અનુભવ કરવો તે જ પોતાની મુક્તિનો ઉપાય છે.
હવે ૬૦ મી ગાથામાં કહે છે કે પોતાની અંદર જ મોક્ષમાર્ગ છે.
णासग्गि अबि्ंभंतरह जे जोवहिं असरीरु
बाहुडि जम्मि ण संभवहिं पिवहिं ण जणणी–खीरु ।। ६०।।
ધ્યાન વડે અભ્યંતરે, દેખે જે અશરીર;
શરમજનક જન્મો ટળે, પીએ ન જનનીક્ષીર. ૬૦.
જે જ્ઞાની નાસિકાદ્રષ્ટિ રાખીને એટલે કે અંતર્મુખ દ્રષ્ટિ કરીને જ્ઞાનાનંદસ્વભાવી,
અશરીરી પોતાના આત્માને દેખે છે, ધ્યાવે છે તેને ફરી આવાં લજ્જાજનક જન્મો કરવા
પડતાં નથી.
નાસિકાદ્રષ્ટિ એટલે અંતરમાં જે મુખ્ય વસ્તુ છે તેના ઉપર દ્રષ્ટિ રાખીને શરીર
રહિત-અશરીરી, શુદ્ધ કુંદન સમાન નિર્મળ પોતાના આત્માને જે ધ્યાવે છે, અનુભવે છે
તે મોક્ષમાર્ગી છે. જ્ઞાનમૂર્તિ ભગવાન આત્મા પોતાની પૂર્ણ જ્ઞાનદશા પ્રગટ કરવા
અત્યંતર દ્રષ્ટિનું સાધન કરે તેને ફરી બીજી માતાની કુંખે અવતરીને માતાનું દૂધ પીવું
નહિ પડે.
ચૈતન્યબિંબને અગ્ર કરીને-મુખ્ય કરીને તેનું અંતર ધ્યાન કરે તે અંતરનો
મોક્ષમાર્ગ છે, તે જ સાચો-વાસ્તવિક મોક્ષમાર્ગ છે. વિકલ્પમાં કે નિમિત્તમાં કે મજબૂત
શરીરના સંહનનમાં મોક્ષમાર્ગ ખરેખર નથી.
વસ્તુના સ્વભાવ ઉપર દ્રષ્ટિ લઈ જવી તેને અહીં નાસાગ્રદ્રષ્ટિ કહી છે. પૂર્ણ
આનંદ તે આત્માનું નાક છે, તેના લઈને આત્મા નભી રહ્યો છે, માટે તેના ઉપર દ્રષ્ટિ
મૂકવાનું કહ્યું છે. લોકો મોટી આબરૂને પોતાનું નાક કહે છે. અહીં કહે છે કે આત્માની
મોટી આબરૂ ‘કેવળજ્ઞાન’ તે આત્માનું નાક છે. કેવળજ્ઞાનરૂપી નાકનો આત્મા ધણી છે.
શું એની મહિમા!! કેવળજ્ઞાનીની વાણીમાં ન આવી શકે એટલું આત્માનું જ્ઞાન છે,
એટલી શાંતિ છે અને એવું અનંતુ બળ આદિ બધા ગુણો વાણીમાં ન આવી શકે
એટલાં મહાન છે. અનંતી અનંતી અનંતી આત્મિકશક્તિ તે આત્માનું નાક છે. આત્મા
જેવી બીજી ચીજ કેવી? એની શું

Page 117 of 238
PDF/HTML Page 128 of 249
single page version

background image
પરમાત્મા] [૧૧૭
વાત કરવી! એની આબરૂની શું વાત કરવી! આવા આત્માનું ધ્યાન કરે તો
અલ્પકાળમાં નિર્વાણ પામે. આવો અંતરનો માર્ગ છે. બહાર શોધવા જવો પડે તેમ નથી.
ભગવાનના જ્ઞાનમાં આત્માનું અનંતુ સામર્થ્ય આવી જાય છે પણ વાણીમાં તો
તેના અનંતમાં ભાગે આવે છે. જેટલું જણાય છે તેટલું વાણીમાં આવી શક્તું નથી એવા
આત્માના સામર્થ્યની શી આબરૂ! જે વસ્તુસ્વભાવમાં જન્મ-મરણ નથી તેનું ધ્યાન
કરનારના જન્મ-મરણ પણ ટળી જાય છે.
જે જીવ શાંત...શાંત..વિકલ્પરહિત નિર્વિકલ્પ, રાગરહિત વીતરાગ તત્ત્વને જોવા
માટે નિર્મળ ગંગા વહાવે-નિર્મળ પરિણતિ પ્રગટ કરે અને શરીર વિનાનો છતાં
શરીરપ્રમાણ બિરાજિત એટલે કે શરીર જેટલાં ક્ષેત્રમાં રહેલો-જેટલાં ક્ષેત્રમાં શરીર છે
એટલાં જ ક્ષેત્રમાં બિરાજમાન આત્માને અંતર સૂક્ષ્મ ભેદવિજ્ઞાનદ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન
કરે, રાગથી ભિન્ન વીતરાગ તત્ત્વને રાગ, સંયોગ, નિમિત્ત અને વિકલ્પ આદિરૂપ
આંખ બંધ કરીને જોવાનો વારંવાર પ્રયત્ન કરે, વિકલ્પની વૃત્તિનો નાશ કરી અંતર
નિર્વિકલ્પ તત્ત્વમાં ટગટગી લગાવે, તેમાં એકાકાર થાય તેને તે અભ્યંતર મોક્ષનો ઉપાય
છે. બહારમાં મોક્ષમાર્ગ નથી. અંતરમાં મોક્ષમાર્ગ છે. પ્રવચનસારમાં પણ કહ્યું કે અરે!
બહારમાં મોક્ષનું સાધન શોધવા શા માટે જાવ છો? તમારું સાધન તમારાં અંતરમાં છે.
અજ્ઞાની જીવ શાસ્ત્રમાં ક્યાંક વ્યવહારની વાત આવે ત્યાં તે બરાબર પકડી લે
છે કે વ્યવહાર ટેકારૂપ છે. સહાયક છે એમ ભગવાને કહ્યું છે પણ ભગવાને જ એકલા
વ્યવહારનું ફળ સંસાર કહ્યું છે તેના તરફ લક્ષ આપતો નથી.
અહીં તો આચાર્યદેવ કહે છે કે જે આત્મામાં એકાગ્ર થવાની ભાવના કરતો કરતો
એકાગ્ર થઈને અનુભવ કરી લે છે તેની અનુભવરૂપી ધ્યાનાગ્નિ કર્મને બાળીને બધી
અંતરના ધ્યાનની ક્રિયા છે. બહારની ક્રિયા વિકલ્પ આદિ તો બધાં દૂર રહી જાય છે.
વ્યવહાર મોક્ષમાર્ગ ખરેખર વાસ્તવિક મોક્ષમાર્ગ નથી. અભ્યંતર મોક્ષમાર્ગ પોતાની પાસે
છે અને પોતે કરી શકે છે. નિશ્ચય સ્વરૂપમાં એકાગ્ર થવું તે જ સાચો મોક્ષમાર્ગ છે.
પ્રશ્નઃ- આવો મોક્ષમાર્ગ ગુરુ બતાવે ને?
ઉત્તરઃ- આત્મા પોતે જ પોતાનો ગુરુ છે, તે પોતાને અભ્યંતર માર્ગ બતાવે છે.
જેને સમજાવે તે તેનો ગુરુ કહેવાય. હે આત્મા! તું જ્ઞાન છો, તું આનંદ છો, તું પૂર્ણ
છો, તું શુદ્ધ છો, તું અનાદિથી રખડયો છો, એમ સમજાવીને આત્મા પોતે જ પોતામાં
ઠરે છે માટે આત્મા જ પોતાનો સાચો ગુરુ છે. આત્મા ગુરુ અને તેની પર્યાયરૂપી પ્રજા
તે તેની શિષ્ય છે. પર્યાય આત્મદ્રવ્યનો વિનય કરે છે. આત્મા અને પર્યાય ગુરુ-શિષ્ય
છે. આત્મા અને પર્યાયનાં નામભેદે ભેદ છે, લક્ષણ ભેદે ભેદ છે, ભાવ ભેદે ભેદ છે,
અને પ્રદેશભેદે બન્ને અભેદ છે. દ્રવ્ય ધર્મ કાયમી અસલી ધર્મ છે અને પર્યાય ક્ષણિક
ધર્મ છે. દ્રવ્યગુરુનો આધાર લઈને પર્યાયરૂપી શિષ્ય કામ કરે છે.

Page 118 of 238
PDF/HTML Page 129 of 249
single page version

background image
૧૧૮] [હું
હવે ૬૧ મી ગાથામાં કહે છે કે નિર્મોહી થઈને શરીરને પોતાનું ન માનો.
असरीरु वि सुसरीरु मुणि इहु सरीरु जडु जाणि ।
मिच्छा–मोहु परिच्चयहि मुत्ति णिय वि ण माणि
।। ६१।।
તનવિરહિત ચૈતન્યતન, પુદ્ગલતન જડ જાણ,
મિથ્યા મોહ દૂરે કરી, તન પણ મારું ન માન ૬૧.
આત્મા જડ શરીરથી રહિત છે પણ ઉત્તમ જ્ઞાનરૂપી સુશરીર-સુંદર શરીરથી
સહિત છે. આત્માનો પરમભાવ તે તેનું શરીર છે. બહારનું શરીર તો જડ છે. હે જીવ!
તું તેમાં મોહ ન કર. નિર્મોહી બન.
આત્મજ્ઞાનના સાધકને ઉચિત છે કે તે પોતાને જડશરીર રહિત જ્ઞાનશરીરી
સમજે અને પુદ્ગલ પરમાણુથી રચિત આ જડ મૂર્તિક શરીરને પીંજરું અથવા કારાગૃહ
સમજે. પોતાનું બધું શ્રેય-હિતની દરેક ક્રિયા આત્મા સાથે જોડે અને પરથી પ્રેમ ઉઠાવી
લે. કારણ કે જ્યાં સુધી હું આત્મા અતીન્દ્રિય આનંદ અને સુખથી ભરેલો છું એવી
શ્રદ્ધા, જ્ઞાન અને રુચિ થતાં નથી ત્યાં સુધી શરીર અને શરીરના સાધનને જ હિતકારી
માની આવકારે છે, ઈચ્છે છે અને તેમાં જ પ્રેમ કરે છે. શરીર નીરોગ રહે, શરીરને
બધી જાતની અનુકૂળતા રહે તો ઠીક એવી બુદ્ધિ મિથ્યાદ્રષ્ટિની હોય છે, માટે હે સાધક!
તું આવી મિથ્યાદ્રષ્ટિથી દૂર રહેજે. તારા આત્માની નીરોગતા અને અનુકૂળતાથી તું સુખી
છો. આવી શ્રદ્ધા થયાં પછી પરમાં મારાપણાની-સારાપણાની માન્યતા છૂટી જાય છે.
અજ્ઞાનીને અંતરમાં આનંદનો અનુભવ નથી તેથી તે બહારના આનંદમાં ટેકો આપ્યા
વગર રહેતો જ નથી. ‘શરીરે સુખી તો સુખી સર્વ વાતે’ આમ માનીને અનિત્ય શરીર
આદિમાંથી અજ્ઞાની જીવ સુખ લેવા ચાહે છે.
ભગવાન આત્મા ચૈતન્યશરીરી છે, તેમાં સુખ અને આનંદ ન માનતાં બહારથી
સુખની ઈચ્છા રાખવી તે મૂઢતા છે, મોહ છે. અજ્ઞાની મોહી જીવ દયા-દાન-વ્રત-ભક્તિ
કરીને પણ વાંછા તો આ ભવ કે પરભવમાં ભોગો ભોગવવાની જ રાખે છે.
સંસારી આત્માની મન-વચન-કાયાની બધી ક્રિયાઓ મોહ ઉપર જ નિર્ભર છે.
આવા મિથ્યામોહને નાશ કરીને જે સમ્યગ્દર્શન પ્રગટ કરે છે તે સાધક જીવ નિશ્ચિંત
થઈને જ્યારે કરવા માગે ત્યારે આત્માનો અનુભવ કરી શકે છે. તેને પોતાપણું-
મારાપણું એક આત્મામાં જ છે, મોહ ક્યાંય નથી. ચારિત્રમોહના ઉદયવશ રાગ આવે
તો રોગી જેમ કડવી ઔષધિનું પાન કરે તેમ સમ્યગ્દ્રષ્ટિ-જ્ઞાની વિષય ભોગ ભોગવે છે.
લાચાર થઈને રોગીને કડવી દવા પીવી પડે તેમ જ્ઞાનીને વિકલ્પવશ-લાચારીવશ ભોગ
ભોગવવા પડે છે, પણ ભાવના તો તેનાથી કેમ જલ્દી છૂટાય એવી જ રહે છે. દ્રષ્ટિમાં
ગ્રહણ યોગ્ય તો પોતાનું નિજસ્વરૂપ જ લાગે છે પણ રાગવશ ભોગનું ગ્રહણ કરે છે.
મિથ્યાદ્રષ્ટિને વારંવાર રાગ અને પર જ દ્રષ્ટિમાં આવ્યા કરે છે. જ્યારે સમ્યગ્દ્રષ્ટિને
વારંવાર પોતાનું નિજસ્વરૂપ જ દ્રષ્ટિમાં આવ્યા કરે છે.

Page 119 of 238
PDF/HTML Page 130 of 249
single page version

background image
પરમાત્મા] [૧૧૯
આત્માનુભવનું ફળ કેવળજ્ઞાન અને અવિનાશી સુખ છે અને રાગ, પુણ્ય, પાપ
વિકારીભાવનું ફળ ચાર ગતિનું દુઃખ છે. આ વાત હવે આચાર્યદેવ ૬૨ મી ગાથામાં કરે છે.
अप्पई अप्पु मुणंतयहं किं णेहा फलु होई ।
केवल–णाणु वि परिणवइ सासय–सुक्खु लहेइ ।। ६२।।
નિજને નિજથી જાણતાં, શું ફળ પ્રાપ્ત ન થાય?
પ્રગટે કેવળજ્ઞાન ને શાશ્વત સુખ પમાય.
૬૨.
જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ એટલે કે સર્વજ્ઞ
શક્તિવાળા આત્માની દ્રષ્ટિ જ્ઞાન ને સ્થિરતા કરતાં પૂર્ણ શક્તિ પર્યાયમાં પ્રગટ થઈ
જાય છે. જ્ઞાનની સાથે શાશ્વત નિત્ય અવિનાશી કાયમ ટકે એવા સુખને પણ પામે છે.
પૂર્ણ જ્ઞાનરૂપે પરિણમતાં સાથે પૂર્ણ સુખને પણ પામે એવું આત્માનુભવનું મહાન ફળ
છે. અભ્યંતર મોક્ષમાર્ગનું-અનુભવનું ફળ કેવળજ્ઞાન અને પૂર્ણ સુખ છે.
જેને આત્માથી આત્માને જાણ્યો તેણે ૧૨ અંગ જાણી લીધા. જેણે આત્મા જાણ્યો
તેણે સર્વ જાણ્યું. ઉપયોગને આત્મામાં જોડવો તે ‘યોગસાર’ છે. તે મોક્ષમાર્ગ છે.
ઉપયોગને આત્મામાં જોડીને આત્માને જાણતાં જે મહા આનંદ થાય-તેની શી વાત! તે
આનંદ પાસે ઇન્દ્રપદ કે ચક્રવર્તીના વૈભવની કાંઈ ગણતરી નથી. તે ઇન્દ્રપદ અને
ચક્રવર્તીપદ તો પુણ્યના ફળ છે. આત્મજ્ઞાનના ફળમાં તો કેવળજ્ઞાન અને પૂર્ણ સુખ
પ્રગટ થાય છે તે જ વાત અહીં લીધી છે. વચ્ચે રાગના ફળમાં ઇન્દ્રપદ કે ચક્રવર્તીના
વૈભવો મળે છે તેની વાત અહીં યાદ કરી નથી, કારણ કે તે સાધ્ય નથી. સાધ્ય તો
કેવળજ્ઞાન અને શાશ્વત સુખ છે અને તે જ આત્મજ્ઞાનનું સાચું ફળ છે. આત્મજ્ઞાનનો
અપાર મહિમા છે. આમ આત્માને કઈ રીતે જાણવો અને તેનું ફળ કેવું મહાન છે તે
આ ગાથામાં બતાવ્યું છે.
એકવાર અંદરમાં નજર કર કે હું પણ સિદ્ધની
જેમ અશરીરી છું. શરીરને સ્પર્શતો જ નથી, અત્યારે
જ શરીરથી છૂટો છું, એમ શ્રદ્ધા નહિ કરે તો જ્યારે
શરીરથી છૂટો પડશે ત્યારે એની લાળ શરીરમાં જ લંબાશે
-પૂજ્ય ગુરુદેવ

Page 120 of 238
PDF/HTML Page 131 of 249
single page version

background image
૧૨૦] [હું
[પ્રવચન નં. ૨૨]
ભવતાપહરણ અર્થે
નિજ–પરમાત્માને નિજ વડે જાણ
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૩૦-૬-૬૬]
આ યોગસાર શાસ્ત્ર છે. તેમાં અહીં ૬૨ મી ગાથા ચાલે છે.
अप्पइ अप्पु मुणंतयहं किं णेहा फलु होइ ।
केवल–णाणु वि परिणवइ सासय–सुक्खु लहेइ ।। ६२।।
નિજને નિજથી જાણતાં, શું ફળ પ્રાપ્ત ન થાય?
પ્રગટે કેવળજ્ઞાન ને શાશ્વત સુખ પમાય.
૬૨.
આ યોગસારમાં બહુ સારમાં સાર વાત છે. પુણ્ય-પાપના વિકાર અને
શરીરાદિથી રહિત આત્મા આનંદનો કંદ છે. વિકાર તે આસ્રવ તત્ત્વ છે, દેહાદિ તે અજીવ
તત્ત્વ છે અને આત્મા પોતે જીવતત્ત્વ છે. એ જીવતત્ત્વમાં છે શું?-કે આત્મામાં જ્ઞાન,
આનંદ, શાંતિ, વીર્ય, પ્રભુતા, વિભુત્વ, સ્વચ્છત્વ, પ્રકાશ આદિ અનંત ગુણો છે એવા
આત્માને આત્માથી એટલે કે પોતાને પોતાથી જાણવો તે જ મોક્ષમાર્ગ છે.
અહીં બહુ ટૂંકી અને સારમાં સાર વાત કરી છે. વિકાર રહિત નિજ આત્માનો
વિકાર રહિત નિજ પરિણતિથી-પર્યાયથી અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે. એ એક જ
મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ મોક્ષમાર્ગ છે જ નહિ. ભગવાન આત્મા અર્થાત્ નિજ
પરમાત્મા ઉપર દ્રષ્ટિ કરીને પર્યાયમાં તેના અનુભવ કરતાં શું ફળ પ્રાપ્ત ન થાય? વચ્ચે
મતિશ્રુતજ્ઞાનની વિશેષતા પ્રગટે, અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય અને ક્રમે ક્રમે એ
અનુભવ વધતાં વધતાં કેવળજ્ઞાન થાય. શું ફળ પ્રાપ્ત થાય? બધું જ થાય. અનુભવની
સાથે વ્રત-તપ આદિના શુભવિકલ્પ હોય, તેનું જ્ઞાન કરાવ્યું છે પણ એ કાંઈ મોક્ષમાર્ગ
નથી સ્વભાવનું સાધન તો સ્વભાવ જ છે. સર્વજ્ઞ વીતરાગ સ્વભાવી આત્માનું
વીતરાગી પર્યાય દ્વારા જ જ્ઞાન થઈ શકે, અનુભવ થઈ શકે. સમ્યગ્દર્શન-જ્ઞાન-
ચારિત્રરૂપ વીતરાગી પર્યાય જ મોક્ષમાર્ગ છે.
આત્માનો અનુભવ કરતાં શું ફળ ન પ્રાપ્ત થાય? બધું જ થાય. પહેલું તો
અતીન્દ્રિય આનંદનું વેદન થાય, પહેલું ફળ જ આનંદ છે. કેમ કે પોતે અતીન્દ્રિય
આનંદનો ઢગલો છે, પુંજ છે, તેમાંથી આનંદ જ આવે. વળી એ આનંદ કેવો છે?-કે
જેવો અરિહંત અને સિદ્ધ ભગવાનને આનંદ છે તે જ જાતનો આનંદ ધર્મીને અનુભવમાં
આવે છે. તે અનુભવનો આનંદ એવો છે કે તેની પાસે ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ ધર્મીને
સડેલાં તરણા

Page 121 of 238
PDF/HTML Page 132 of 249
single page version

background image
પરમાત્મા] [૧૨૧
જેવા લાગે છે. ૯૬૦૦૦ રાણી હોય, રાજપાટ હોય, ૩૨૦૦૦ મુકુટબંધી રાજા જેની
નીચે હોય અને પોતે ખમ્મા...ખમ્મા...થતો હોય છતાં ધર્મી જાણે છે કે અરે! મારો
આનંદ તો મારી પાસે છે, મારા આનંદ પાસે આ વૈભવની પણ કાંઈ કિંમત નથી.
સમકિતી ગૃહસ્થ હો કે આત્મજ્ઞાની મુનિ હો પણ તેના અનુભવના કાળમાં
દરેકને પોતાની બધી શક્તિઓની વ્યક્તતા અંદર પ્રગટ થાય છે. ભગવાન આત્માના
ગુણોના ભાવની અચિંત્યતા તો અપાર છે પણ ગુણોની સંખ્યા પણ અનંત, અચિંત્ય
અને અપાર છે. એ અનંત ગુણોના ધારક નિજ આત્માનો અનુભવ થતાં સમયે સમયે
અનંતા ગુણોની અનંતી પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે.
જેની આંખો હીરાનું પારખું કરે તે જ ઝવેરી કહેવાય. તેમ જે વીર્ય આત્માના
સ્વરૂપને રચે તે જ વીર્ય કહેવાય અને જે જ્ઞાન આત્માને જ્ઞેય બનાવે તેને જ જ્ઞાન
કહેવાય. આ તો અગમ્યને ગમ્ય કરવાની વાતો છે બાપુ!
મોક્ષમાર્ગનું સાધકપણું અસંખ્ય સમય જ હોય છે અને તેનું ફળ અનંતસમયનું
છે. આહાહા! એક શ્લોકમાં પણ કેટલું ભરી દીધું છે! જંગલમાં વસતા એક યોગીન્દ્રદેવ
પોકાર કરે છે કે પોતાને પોતાથી જાણતાં શું ફળ ન મળે? અનુભવના આનંદથી
માંડીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને કેવળજ્ઞાન બધું જ મળે.
અનુભવનું પહેલું ફળ તો અતીન્દ્રિય આનંદનું વેદન કહ્યું. હવે બીજું ફળ કહે છે
કે વીર્યમાં ઉલ્લાસ આવે છે કે હું હવે સ્વરૂપની પૂર્ણ રચનાનું કામ કરી શકીશ. વીર્ય
ઉછળ્‌યું તે હવે પૂર્ણ કેવળજ્ઞાન લેશે. ઉલ્લસિત વીર્ય જ કેવળજ્ઞાનનું અધિકારી છે. પામર
વીર્ય કેવળજ્ઞાન લઈ શકે નહિ. ઉલ્લસિત વીર્ય એટલે શું?-કે જે શક્તિમાં વીર્ય ગુણ છે
તે અનુભવ થતાં પર્યાયમાં વ્યક્ત થયો કે હવે હું કેવળજ્ઞાન લઈને જ રહીશ.
અલ્પકાળમાં હું સિદ્ધપદને પ્રાપ્ત કરીશ-એમ એનું વીર્ય ઉછાળા મારે છે. તેને એમ ન
થાય કે અરેરે! હવે શું થશે? કેવળજ્ઞાન સુધી કેમ પહોંચાશે?-એવું હીન વીર્ય ન હોય.
દ્રવ્ય છે તે કદી પડીને અદ્રવ્ય ન થાય, તેમ જાગેલું વીર્ય કદી પાછું ન પડે. ક્ષયોપશમ
સમ્યગ્દર્શન હોય તો ક્ષાયિક લ્યે અને ક્ષાયિક હોય તો શુક્લધ્યાન લ્યે અને શુક્લધ્યાન
હોય તો કેવળજ્ઞાન લ્યે.
આત્માના શુદ્ધ મહિમાવંત દ્રવ્યસ્વભાવને અનુભવતાં વીર્ય એવું ઉછળીને કામ
કરે છે કે જ્ઞાનની વૃદ્ધિ શ્રદ્ધાની શુદ્ધતા, ચારિત્રની સ્થિરતા, આનંદની વૃદ્ધિ, સ્વચ્છતાની
વૃદ્ધિ, પ્રભુતાની ઉગ્રતા આદિ બધી પર્યાયોમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અનુભવ થતાં
વીર્યનું વીરપણું જાગૃત થાય છે. અલ્પકાળમાં વિકલ્પ તોડીને નિર્વિકલ્પતા પ્રાપ્ત કરનારું
એ વીર્ય છે.
હવે અનુભવના બીજાં પણ ફળ કહે છે કે અનુભવ થતાં પાપકર્મનો અનુભાગ
ઘટી જાય અને પુણ્યકર્મનો રસ વધી જાય છે તથા આયુકર્મ સિવાય બધાં કર્મોની
સ્થિતિ ઘટતી જાય છે. મોક્ષમાર્ગ પ્રગટ થઈ ગયો તેને સંસારની સ્થિતિ કેમ વધે? ન
જ વધે, ઊલટી તે

Page 122 of 238
PDF/HTML Page 133 of 249
single page version

background image
૧૨૨] [હું
ઘટતી જાય. અનુભવ થાય તે જ ભવમાં કેવળજ્ઞાન સુધીનો પુરુષાર્થ ન ઉપડે તો
આયુષ્ય પૂરું થયે દેવ થાય. ત્યાંથી ચ્યવીને ઉત્તમ મનુષ્ય થાય. એવા એકાદ-બે ભવ
કરવા પડે તોપણ તેને રાગની મંદતા છે અને પુરુષાર્થ ચાલુ છે તેથી વૃદ્ધિ જ કરતો
જાય છે.
આત્માનુભવના ફળમાં શ્રુતકેવળી થાય, ભલે ૧૨ અંગનું જ્ઞાન ન હોય પણ
શાસ્ત્રના ભણતર વગર આત્માના ભણતરથી શ્રુતકેવળી થાય. અનુભવની જાત જ એવી
છે કે અંદરથી આગળ વધતાં શ્રુતકેવળી થઈ જાય. વળી આત્માનુભવના ફળમાં શુદ્ધિની
તો વૃદ્ધિ થાય પણ સાથે પુણ્ય બંધાય તેના ફળમાં બહારની સગવડતાઓ પણ પ્રાપ્ત થાય
છે. સ્વર્ગ, ચક્રવર્તી આદિના ભવો પુણ્યના ફળમાં અનુભવીને જ પ્રાપ્ત થાય છે.
જેમ કેરી વાવે તો પહેલાં ડાળાં-પાંદડાં થાય અને પછી કેરીનું ફળ પાકે તેમ
આત્માનો અનુભવ થતાં પહેલાં શુભરાગના ફળમાં સ્વર્ગ ચક્રવર્તી આદિના સુખો પ્રાપ્ત
થાય અને પછી પૂર્ણાનંદ-કેવળજ્ઞાનનું સુખ પ્રાપ્ત થાય. એ રીતે બીજો દાખલો પણ છે કે
ચક્રવર્તીના ઘર તરફનો રસ્તો પણ કોઈ જુદી જાતનો વૈભવયુક્ત હોય. તે રસ્તેથી
ચાલનાર વચ્ચે થોડો આરામ પણ લે. તેમ મોક્ષમાર્ગથી નિર્વાણ પહોંચવા માટે
આત્માનુભવની સુખદાયી સડક ઉપર જ્ઞાની ચાલે છે. મોક્ષરૂપી મહેલે પહોંચતા પહેલાં
પણ અનુભવી સુખરૂપી સડકે ચાલે, તેને દુઃખ નથી. વચ્ચે સ્વર્ગ આદિ અનુકૂળ સંયોગો
પામીને અંતે મોક્ષમહેલમાં પહોંચી જાય છે અને આઠેય કર્મોનો નાશ કરીને સિદ્ધદશા
પ્રાપ્ત કરે છે.
પ્રજા ઉપર રાજાની મીઠી નજર હોય તેમ શિષ્યો ઉપર ભગવાનની મીઠી નજર
હોય. ભગવાન કહે છે કે ચૈતન્યરત્નથી ભરેલાં રત્નાકર ઉપર જે દ્રષ્ટિ કરશે તે બધાં
ભગવાન થશે. કુંદકુંદ આચાર્ય મહાવિદેહમાં ભગવાન સીમંધરનાથના સમવસરણમાં
ગયેલાં, ત્યાં દિવ્યધ્વનિમાં આચાર્યને આશીર્વાદ મળેલાં. જુઓ! આચાર્ય માટે
ભગવાનની વીતરાગી વાણીમાં આવ્યું કે આ ભરતક્ષેત્રના ધર્મ-ધુરંધર આચાર્ય છે-
આમ ભગવાનના કુંદકુંદ આચાર્યદેવને આશીર્વાદ મળ્‌યા. આચાર્યદેવ અત્યારે દેવલોકમાં
છે, પછી પુરુષાર્થ ઉપાડી મોક્ષે જશે.
આત્માનું ધ્યાન કરતાં વીર્ય ફાટતાં અનંત કેવળજ્ઞાન પ્રગટ કરવાની શક્તિ
ખીલી ઊઠે છે-એમ અહીં કહ્યું. હવે ૬૩ મી ગાથામાં કહે છે કે પરભાવનો ત્યાગ તે
સંસારના ત્યાગનું કારણ છે.
जे परभाव चएवि मुणि अप्पा अप्प मुणंति ।
केवल–णाण–सरूव लइ [लहि?] ते संसारु मुंचति ।। ६३।।
જો પરભાવ તજી મુનિ, જાણે આપથી આપ,
કેવળજ્ઞાન સ્વરૂપ લહી, નાશ કરે ભવતાપ. ૬૩.
અહોહો!! મુનિરાજે એકલું માખણ ભર્યું છે.
અહીં ત્યાગધર્મની મુખ્યતા બતાવે છે. ત્યાગ એટલે વિકલ્પોનો પરભાવોનો
ત્યાગ. જે કોઈ ધર્માત્મા શુભાશુભ રાગાદિ પરભાવોનો ત્યાગ કરી પોતાને પોતા વડે
જાણે તે કેવળજ્ઞાનરૂપી પ્રકાશ પ્રાપ્ત કરી ભવતાપનો નાશ કરે છે.

Page 123 of 238
PDF/HTML Page 134 of 249
single page version

background image
પરમાત્મા] [૧૨૩
જેણે ધર્મ કરવો છે તેણે સૌ પ્રથમ તો કુદેવ-કુશાસ્ત્ર-કુગુરુની શ્રદ્ધા છોડવી
જોઈએ. રાગ દ્વેષવાળા દેવો, પરિગ્રહધારી આત્મજ્ઞાન રહિત કુજ્ઞાની ગુરુ તથા ખોટા
શાસ્ત્રોની મહિમા અને ભક્તિ છોડવી જોઈએ તથા હિંસા, જૂઠું, ચોરી, શિકાર,
પરસ્ત્રીસેવન, વેશ્યા, જુગાર આ સાત પ્રકારના વ્યસનનો પણ ત્યાગ કરવો જોઈએ.
અન્યાય કાર્યો પ્રત્યે ગ્લાનિ હોવી જોઈએ. આ રીતે કુદેવાદિની શ્રદ્ધા વગેરેનો ત્યાગ કરી
વીતરાગ પરમદેવ, નિર્ગ્રંથગુરુ તથા અનેકાંત વસ્તુને બતાવનારા શાસ્ત્રોની શ્રદ્ધા કરવી
જોઈએ, ભક્તિ કરવી જોઈએ, મનન કરવું જોઈએ. સત્ દેવ-શાસ્ત્ર-ગુરુની સાચી શ્રદ્ધા
કરે અને આત્માની ઓળખાણ કરે ત્યારે અનંતાનુબંધી કર્મ તથા મિથ્યાત્વનો નાશ થાય
અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો લાભ થાય. સ્વરૂપને ઓળખી તેમાં સ્થિરતા થવી તે
સમ્યક્ચારિત્ર છે.
સમ્યગ્દર્શન થતાં પરભાવ, મિથ્યાત્વ, અનંતાનુબંધી આદિનો નાશ થઈ સ્વરૂપની
દ્રષ્ટિજ્ઞાન ને રમણતા-સ્વરૂપમાં લીનતારૂપ સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે. આ
રીતે સમ્યગ્દર્શન થતાં ગ્રહણ ને ત્યાગ બન્ને થઈ જાય છે. નિત્યાનંદ સ્વભાવી નિજ
આત્માનું ધ્યાન કરતાં નિમિત્તના લક્ષે થતાં પુણ્ય-પાપના અનિત્ય ભાવોનો નાશ થઈ
જાય છે.
“હમ પરદેશી પંખી સાધુ આ રે દેશ કે નાહિજી,
આતમ અનુભવ કરીને અમે, ઉડી જાશું સિદ્ધ–સ્વદેશજી.”
વિકલ્પનો દેશ તે અમારો નહિ, પુણ્ય-પાપના ભાવો આત્માના દેશમાં નથી.
ભગવાન આત્મા તો અનંત આનંદનો દેશ છે, એ અમારો સ્વદેશ છે. તેમાં અમે જઈશું.
જુઓ! આ યોગીન્દ્રદેવ વન-જંગલમાં સિંહ-વાઘની ત્રાડોનું લક્ષ પણ છોડીને, નિજદેશમાં
જઈને આ વાત લખે છે. અહો! તારા સ્વરૂપમાં અનંતા સિદ્ધ ભગવાન બિરાજે છે.
અનંતી સિદ્ધપર્યાયનો તું પિંડ છો. આવો નિજ ભગવાન જેના અનુભવમાં આવ્યો તેને
મુનિરાજ કહે છે કે હવે તારે શું બાકી રહ્યું? અનુભવ થતાં બધું જ મળી ગયું. સ્વદેશનો
સ્વામી થઈ ગયો. પુણ્ય-પાપના ભાવને પોતાના માનનારો તો પરદેશી છે.
એક પોતાના પરમપારિણામિકભાવરૂપ જીવત્વસ્વરૂપ કારણપ્રભુમાં એકત્વ કરી
અનુભવ કરવો તે સદાને માટે આનંદ-અમૃતનું પાન કરાવનારો મોક્ષમાર્ગ છે. એ
મોક્ષમાર્ગ પ્રગટ થયાં પછી બહારમાં ગમે તેવાં ઉપસર્ગો આવે, ઘાણીમાં પીલાય તે
સમયે પણ અંતરમાં મુનિરાજ અતીન્દ્રિય આનંદમાં રમતા હોય છે. કોઈ વૈરી દેવ
સાધુને લવણસમુદ્રમાં નાખે ત્યાં મુનિરાજ શ્રેણી માંડી કેવળજ્ઞાન લઈ સિદ્ધદશાને પ્રાપ્ત
થઈ જાય છે. માટે કહે છે કે એકવાર ચૈતન્યરત્નાકર ઉપર દ્રષ્ટિ કરીને અનુભવ કર તો
તને શું ફળ નહિ મળે? અલ્પકાળમાં સિદ્ધ થઈને મુક્તિને પામીશ.
હવે આગળ ૬૪મી ગાથામાં મુનિરાજ કહેશે કે લોકાલોકને પ્રકાશનારા એવા
નિજ આત્માને જે અનુભવે છે તેને કેવળજ્ઞાન લેવાની તૈયારી થઈ ગઈ છે. એવા ધર્મી
આત્માઓ ધન્ય-ધન્ય છે. અમે મુનિઓ પણ એવા મોક્ષમાર્ગી સાધકોને ધન્ય ધન્ય
કહીએ છીએ.

Page 124 of 238
PDF/HTML Page 135 of 249
single page version

background image
૧૨૪] [હું
[પ્રવચન નં. ૨૩]
તે જ ધન્ય છે જે પોતાના પરમાત્માને અનુભવે છે
[શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૧-૭-૬૬]
આ યોગસાર ચાલે છે. પુણ્ય-પાપભાવથી રહિત પોતાના ત્રિકાળ શુદ્ધ
સ્વભાવમાં એકાગ્ર થઈ શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા પ્રગટ કરવી તેનું નામ યોગસાર
કહેવામાં આવે છે.
અહીં ૬૪મી ગાથા ચાલે છે. જેણે પોતાના નિર્મળ શુદ્ધ સ્વભાવને સાધ્ય
બનાવીને સાધ્યો છે એવા ધર્મીને ધન્ય છે. જુઓ! પૈસાવાળા ધૂળના ધણીને ધન્ય ન
કહ્યાં! તેમ દાનમાં ખૂબ ધન ખર્ચનારને પણ ધન્ય નથી કહ્યાં. કેમ કે એ કાંઈ ધન્ય
ચીજ નથી. અંતરમાં સત્ચિદાનંદ ધ્રુવ લક્ષ્મી પડી છે તેમાં યોગ એટલે કે જોડાણ કરીને
શુદ્ધ નિર્મળભાવોને પ્રગટ કરે તે ધર્મી ધન્ય છે.
धण्णा ते भयवंत बुह जे परभाव चयति ।
लोयालोय–पयासयरु अप्पा विमल मुणंति ।। ६४।।
ધન્ય અહો ભગવંત બુધ, જે ત્યાગે પરભાવ;
લોકાલોક પ્રકાશકર, જાણે વિમળ સ્વભાવ. ૬૪.
પુણ્ય-પાપ આદિ પરભાવને જે ત્યાગે છે અને લોકાલોકને પ્રકાશનારા પોતાના
નિર્મળ સ્વભાવને જે જાણે છે, સ્વીકારે છે એટલે કે પરભાવથી વિમુખ થઈને જે
સ્વસન્મુખ દ્રષ્ટિ કરે છે એવા ધર્માત્માઓ ધન્ય છે. એક સમયમાત્રમાં આખા
લોકાલોકને જાણવાનો આત્માનો જ્ઞાનસ્વભાવ એવો અસાધારણ છે કે એવો સ્વભાવ
બીજા દ્રવ્યોમાં તો નથી પણ આત્માના બીજા કોઈ ગુણોમાં પણ એવો અસાધારણ
સ્વભાવ નથી. એવા જ્ઞાનસ્વભાવ વડે જે પોતાના આત્માને જાણે છે અને તેમાં એકાગ્ર
થાય છે તે ધન્ય છે.-પ્રસંશનીય છે.
ભગવાન આત્માની પરમ સંપદાને રુચિપૂર્વક સાધતાં જગતના અન્ય પદાર્થોથી
ઉદાસીનતા થઈ જાય છે. કદાચિત્ પુણ્યના ઉદયથી ચક્રવર્તી, કામદેવ, નારાયણ,
પ્રતિનારાયણ, ઇન્દ્ર, ધરણેન્દ્ર, અહમિંદ્ર આદિ પદવીઓ પ્રાપ્ત થઈ હોય તોપણ ધર્મીને
મોહ થતો નથી. નિજપદની પૂર્ણ સાધના કરનાર ધર્મીને લૌકિક પદવીઓની જરાય
ચાહના નથી. ધર્માનુરાગ, પંચપરમેષ્ઠીની ભક્તિ, શાસ્ત્રવાંચન, પૂજન, અનુકંપા આદિ
શુભભાવો ધર્મી જીવને આવે છે પણ તેનો તેને આદર હોતો નથી. શુદ્ધ સ્વભાવમાં ઠરી
શક્તો નથી તેથી શુભભાવમાં આવે છે પણ ધર્મી તે ભાવને કે તેના ફળને આદરતો
નથી. ધર્મીને ધર્મપ્રચારનો વિકલ્પ આવે છે પણ તેને છોડવા લાયક સમજે છે, એક
નિજપદની નિર્વિકલ્પ સાધનામાં જ ઉપયોગને રોકે છે, કેમ કે શુદ્ધસ્વરૂપમાં જેટલી
એકાગ્રતા થાય એટલો જ પોતાને લાભ છે. ધર્મ-

Page 125 of 238
PDF/HTML Page 136 of 249
single page version

background image
પરમાત્મા] [૧૨પ
પ્રચારથી કાંઈ પોતાના આત્માને લાભ થતો નથી. સંસારની સર્વ પ્રપંચજાળથી વિરક્ત
થઈને, સાત તત્ત્વ, નવ પદાર્થ આદિના વિકલ્પોને પણ ત્યાગીને ધર્મી જીવ એક શુદ્ધ
નિજાત્માને ધ્યાવે છે અને પરમાનંદના અમૃતનું પાન કરે છે. અંતર સુધારસને પીએ છે.
યોગીન્દ્રદેવ કહે છે કે આવા ધર્મી તે ધન્ય છે, પ્રસંશનીય છે, તે જ મહા વિવેકી અને
પંડિત છે. પરમ ઐશ્વર્યવાન પણ એ જ છે.
એક તરફ ખૂણે બેઠો જ્ઞાની શાંતિ...શાંતિથી પોતાની શાંતિનું વેદન કરે છે તે જ
ધન્ય છે, પ્રસંશનીય છે, વિવેકી છે, પંડિત છે અને ઐશ્વર્યવાન છે. ધનવાન તે
ઐશ્વર્યવાન નથી પણ આત્મસંપદાને લૂંટનારા ધર્મી તે ઐશ્વર્યવાન છે. ધર્મી જીવ
નિજશુદ્ધાત્માની પ્રતીત-જ્ઞાન-રમણતારૂપ રત્નત્રયનો ધણી છે. રત્નત્રયનો ધણી તે જ
ધનવાન છે. પૈસાવાળો ધનવાન નથી.
શ્રોતાઃ- તો પછી પૈસાવાળાએ શું કરવું?
પૂજ્ય ગુરુદેવઃ- પૈસાવાળાએ પૈસાનો મોહ છોડી, આત્માની રુચિ કરી રત્નત્રય
પ્રગટ કરવા.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણ રત્નોને ધારણ કરનારો જ ભાગ્યવાન છે અને
તે જ ભગવાન છે. અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વામી થઈને તે અલ્પકાળમાં મોક્ષ
પામશે-શીઘ્ર મોક્ષગામી થશે.
અહીં આત્માનુશાસનનું દ્રષ્ટાંત આપે છે કે અતીન્દ્રિય આનંદના સ્વસંવેદનમાં
મસ્ત બનેલાં દિગંબર સંતના શરીરે લાગેલી રજ-મેલ એ જેમનું ઘરેણું છે, પાષાણની
શિલા એ જેમનું બેસવાનું સ્થાન છે, કાંકરીવાળી ભૂમિ એ જેમની શૈયા છે, સિંહ-
વાઘની ગુફાઓ જેનું સુંદર ઘર છે, અનુભૂતિ જેની ગિરિગુફા છે અને જેમણે અજ્ઞાનની
સર્વ ગાંઠોને તોડી પાડી છે અને જ્ઞાન-આનંદના ખજાના ખોલ્યાં છે એવા જગતથી
ઉદાસ અને મુક્તિના પ્રેમી, સમ્યગ્જ્ઞાનધની યોગીગણ અમારા મનને પવિત્ર કરો.
હવે ગૃહસ્થ હો કે મુનિ હો બન્ને માટે આત્મરમણતા જ સિદ્ધિ-સુખનો ઉપાય છે
એમ કહે છે.
सागारु वि णागारु कु वि जो अप्पाणि वसेइ ।
सो लहु पावइ सिद्धि–सुहु जिणवरु एम भणेइ ।। ६५।।
મુનિજન કે કોઈ ગૃહી, જે રહે આતમલીન,
શીઘ્ર સિદ્ધિ સુખ તે લહે, એમ કહે પ્રભુ જિન. ૬પ.
અત્યારે લોકોમાં કોઈ કહે છે કે ગૃહસ્થાશ્રમમાં આત્મરમણતા ન હોઈ શકે,
આત્મરમણતા તો આઠમાં ગુણસ્થાને જ હોય. તેની સામે આ ગાથા છે. જિનવર
પરમાત્મા તીર્થંકરદેવ સો ઇન્દ્રોની હાજરીમાં સભામાં એમ ફરમાવે છે કે જ્ઞાન-દર્શન
સહિત જીવ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ આત્મામાં વસી શકે છે. વીતરાગના બિંબ એવા
જિનવરદેવની ઈચ્છા વિના વાણી ખરે છે.

Page 126 of 238
PDF/HTML Page 137 of 249
single page version

background image
૧૨૬] [હું
એમાં પણ આમ આવ્યું છે એમ જિનવરદેવની સાક્ષી આપીને યોગીન્દ્રદેવ કહે છે કે
ગૃહસ્થ હોય કે મુનિ બન્ને માટે આત્મરમણતા જ સિદ્ધિસુખનો ઉપાય છે. ચોથા-પાંચમાં
ગુણસ્થાનમાં ગૃહસ્થ પણ નિજ આત્મામાં વસે છે વસી શકે છે. ગૃહસ્થાશ્રમમાં રાગ
હોય પણ એનાથી નિવૃત્તિ થઈને સ્વરૂપમાં ધર્મી જીવ વસે છે, વસી શકે છે. મુનિ
ઉગ્રપણે આત્મામાં વસે છે.
એક ન્યાય તો એમ કહે છે કે સમકિતીને ત્રણ કષાય છે, શ્રાવકને બે કષાય છે
અને મુનિને એક કષાય છે પણ નિશ્ચયથી તો એ ત્રણેય આત્મામાં જ વસેલાં છે,
કષાયમાં-રાગમાં વસતાં જ નથી. કેમ કે દરેકની દ્રષ્ટિ એક આત્મા ઉપર છે, રાગાદિ છે
તે તો જાણવા માટે છે. નિશ્ચયથી તો ધર્મી પોતાના આત્મામાં જ વસે છે.
સમકિતી ગૃહસ્થમાં રહેવા છતાં વિકલ્પોને છોડીને નિર્વિકલ્પસ્વભાવમાં વસે છે.
સમકિતી કરતાં મુનિનો પુરુષાર્થ વિશેષ હોવાથી મુનિ ઉગ્રપણે સ્વભાવમાં સ્થિર થાય
છે. “આત્મા એટલે શુદ્ધભાવનો ભંડાર.” રાગને તોડીને આવા નિજાત્માનો ભંડાર જે
ખોલે છે તે તેમાં જ વસે છે. રાગાદિ હોય છતાં તેમાં તેનું વસવું નથી. જેમાં પ્રીતિ છે
તેમાં જ તે વસ્યો છે. પુણ્ય-પાપ ભાવમાં ધર્મીને પ્રીતિ નથી તેથી તે એમાં વસ્યો છે
એમ કહેવાય જ નહિ. ધર્મીને એક આત્માની જ પ્રીતિ હોવાથી તેને માટે આત્મા જ
વસવાનો વાસ છે.
આ ગાથામાં ત્રણ વાત સિદ્ધ થઈ. એક તો જેણે અંતર્મુખ દ્રષ્ટિ કરી શ્રદ્ધા જ્ઞાન
અને લીનતા પ્રગટ કરી તે આત્મામાં જ વસે છે. બીજું એમ કે ગૃહસ્થાશ્રમમાં આત્મામાં
વસવું ન હોય-એ વાતનો નિષેધ થયો અને ત્રીજું કે ધર્મીને વ્યવહાર હોય છે પણ એનું
ધણીપણું નથી, તેમાં ધર્મીનો વાસ નથી.
ચોથા ગુણસ્થાનવાળો સમકિતી હો કે મુનિ હો બન્નેની સ્થિરતાના અંશમાં ફેર
છે પણ બન્નેનું વસવું તો એક આત્મામાં જ છે, તેમાં ફેર નથી. વ્યવહારના રાગથી
બન્ને મુક્ત જ છે, તેમાં તેનો વસવાટ જ નથી. ગીત ગાય છે ને કે ‘પરણી મારા
પીયુજીની સાથ, બીજાના મીંઢોળ નહિ રે બાંધુ.’ તેમ સમકિતી કહે છે કે
“ લગની લાગી મારા ચૈતન્યની સાથ, બીજાના ભાવ નહિ રે આદરું.” “ધર્મ જિનેશ્વર
ગાઉં રંગશું. ભંગ ન પડશો રે પ્રીત જિનેશ્વર, બીજો મન-મંદિર આણું નહિ.” અખંડ
આનંદ મારો પ્રભુ તેના હું ગુણગાન ગાઉં છું. પુણ્ય-પાપના ગુણગાન હું નહિ ગાઉં.
મારા મનના મંદિરમાં વિકલ્પને સ્થાન ન આપું એ અમ કુળવટ રીતે જિનેશ્વર! એ
અમારા અનંતા સિદ્ધોના વટ છે.
જ્યાં જેની રુચિ ત્યાં તેનો વસવાટ, જ્યાંથી રુચિ ઊઠી, ત્યાં તેનો વસવાટ નહિ.
જેણે આત્માની રુચિ કરીને આત્મામાં વસવાટ કર્યો તે ભલે ગૃહસ્થ હો કે મુનિ હો
બન્ને અલ્પકાળમાં સિદ્ધિસુખને પામશે. જ્યાં જેની પ્રીતિ લાગી છે ત્યાં જ એ ઠર્યા છે.
બીજે ઠરવું એને ગોઠતું નથી. જેને પ્રભુતાના ભણકારા વાગ્યા તેનો વસવાટ આત્મા
સિવાય બીજે ક્યાંય ન હોઈ શકે. વનવાસી દિગંબર સંત મહા લક્ષ્મીના સ્વામી
યોગીન્દ્રદેવ ભગવાનની વાણીનો આધાર લઈને આમ ફરમાવે છે.

Page 127 of 238
PDF/HTML Page 138 of 249
single page version

background image
પરમાત્મા] [૧૨૭
ધર્મીને આત્માના રસ આડે બીજે ક્યાંય રસ લાગતો નથી, સૂજ પડતી નથી.
જેણે આત્માની શ્રદ્ધા-જ્ઞાન રમણતા કરી તે ગૃહસ્થ હો કે મુનિ બન્ને આત્મામાં જ વસે
છે. આ વાતની ના ન પાડ ભાઈ! ના ન પાડ! જિનદેવનું આ ફરમાન છે, તેની તું ના
પાડીશ તો તું જિનવરદેવનો વેરી થઈશ. જિનવરનો વેરી તે આત્માનો વેરી. મિથ્યાદ્રષ્ટિ
સમકિતી થયો એટલે બહિરાત્મામાંથી અંતરાત્મા થયો. હવે અંતરાત્મા થયો તો એની
દ્રષ્ટિમાં-એના વસવાટમાં કાંઈ ફેર પડે કે નહિ? રાગમાં વસવાટ તો બહિરાત્માનો છે,
તો અંતરાત્માનો વસવાટ રાગમાં ન હોઈ શકે, તેનો વસવાટ આત્મામાં છે. આમ કાંઈક
વિચાર ભાઈ! સીધી ના ન પાડી દે.
જે કોઈએ આત્માની શ્રદ્ધા જ્ઞાન-રમણતા પ્રગટ કરી છે તે ગૃહસ્થ કે મુનિ દરેક
અલ્પકાળમાં આત્માની પૂર્ણ લક્ષ્મી-સિદ્ધિસૌખ્યને પામવાના...પામવાના અને પામવાના જ.
અહા! જંગલમાં રહેનારા વીતરાગી સંતો તો જુઓ! જંગલમાં સિંહ ત્રાડ પાડે
એમ મુનિરાજ ત્રાડ પાડીને સત્ની જાહેરાત કરે છે. સિદ્ધ ભગવાન જેઓ શુદ્ધાત્માનો
અનુભવ કરી રહ્યા છે તેવો જ અનુભવ સમ્યગ્દ્રષ્ટિને થાય છે. અતીન્દ્રિય આનંદની
જાતમાં ફેર નથી. સિદ્ધ અને સાધક બંને એક જ જાતના અતીન્દ્રિય આનંદ અનુભવી
રહ્યાં છે. જે સાધન વડે અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થાય છે તે જ સાધન સિદ્ધિસુખનો
ઉપાય છે એટલે કે દર્શન-જ્ઞાન અથવા તો અતીન્દ્રિય આનંદ પોતે જ પૂર્ણ આનંદનું
સાધન છે.
માટે અતીન્દ્રિય આનંદ જ પૂર્ણાનંદ સિદ્ધિસુખનો સાધક છે, એ સિવાય અન્ય
કોઈ વ્યવહાર આદિ સાધક નથી. સ્વાનુભવ જ નિશ્ચય મોક્ષમાર્ગસ્વરૂપ રત્નત્રય છે,
કેમ કે સ્વાનુભવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય સમાય જાય છે. તેથી કહે છે કે
સ્વાનુભવ અતીન્દ્રિય આનંદ જ મોક્ષમહેલની સીધી સડક છે. અહીં મુનિરાજે વિકલ્પ
આદિના તો ભૂકા ઉડાડી દીધા છે. ક્યાંય વિકલ્પનું સ્થાન જ નથી. અતીન્દ્રિય આનંદ
જ પૂર્ણાનંદ સુધી પહોંચાડશે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. શુભ વિકલ્પ આદિ
વ્યવહાર સાથે હોય પણ તે કોઈ માર્ગ નથી, ઉપાય નથી. હિંસા, જુઠું, ચોરી, પરિગ્રહ,
અબ્રહ્મ આદિનો ત્યાગ, મન-વચન-કાયની શુભ પ્રવૃત્તિ આદિ વિકલ્પો બધાં છે ખરાં
પણ તે વ્યવહારચારિત્ર છે. નિશ્ચયચારિત્ર તો એક અતીન્દ્રિય આનંદરૂપ સ્વાનુભવ છે.
હવે કહે છે કેઃ-
विरला जाणहिं तत्तु बुह विरला णिसुणहिं तत्त ।
विरला झायहिं तत्तुं जिय विरला धारहि तत्तु ।। ६६।।
વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ,
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. ૬૬.
ભગવાન આત્મા શુદ્ધ આનંદનો પિંડ છે, એને તો કોઈ વિરલા પંડિત જ જાણે.

Page 128 of 238
PDF/HTML Page 139 of 249
single page version

background image
૧૨૮] [હું
છે. શુદ્ધાત્મતત્ત્વની વાત સાંભળનાર પણ વિરલા જ હોય છે. એ તત્ત્વનું ધ્યાન પણ
કોઈ વિરલા જ કરે છે.
લોકાલોકને જાણનારા આત્માને જાણનાર જ્ઞાની કોઈ વિરલા જ હોય છે. એવા
જ્ઞાની પાસેથી તત્ત્વની વાત સાંભળનારા પણ કોઈ વિરલા જ હોય છે. વ્યવહારના
રસિયા, પુણ્યના રસિયા, સંસારના રસિયાને આ વાત સાંભળવી બહુ કઠણ પડે છે માટે
કહે છે કે તત્ત્વની વાત સાંભળનાર શ્રોતા પણ દુર્લભ છે. એથી પણ વિશેષ
શુદ્ધાત્મતત્ત્વનું ધ્યાન કરનાર વધુ વિરલ છે. જુઓ! અહીં પૈસાવાળાને કે આબરૂવાળાને
કે બેઠી આવકવાળાને વિરલ ન કહ્યાં પણ શુદ્ધાત્માને જાણનારને વિરલ કહ્યાં. ખરેખર
અતીન્દ્રિય આનંદની બેઠી આવક તો આત્માનું ધ્યાન કરનારને મળી રહી છે. આત્માનું
સ્વરૂપ ધારણામાં લઈને અનુભવ કરનારા કોઈ વિરલા જ હોય છે.
આમ આ ગાથામાં યોગીન્દ્રદેવે શુદ્ધાત્મતત્ત્વના પ્રેમી જીવોની દુર્લભતા બતાવી છે.
ક્યાંય વિરોધ જેવું હોય ત્યાં ન જવું જોઈએ અને
કદાચ જવાનું થઈ જાય તો મૌન રહેવું જોઈએ. આ
અંતરનો માર્ગ તો એવો છે કે સહન કરી લેવું જોઈએ.
વિરોધમાં પડવું નહિ. પોતાનો ગોળ પોતે ચોરીથી અર્થાત્
છુપી રીતે ખાઈ લેવો જોઈએ. ફંફેરો કરવા જેવો કાળ
નથી. પોતાનું સંભાળી લેવા જેવું છે. વાદ-વિવાદમાં
ઊતરવા જેવું નથી.
-પૂજ્ય ગુરુદેવ

Page 129 of 238
PDF/HTML Page 140 of 249
single page version

background image
પરમાત્મા] [૧૨૯
[પ્રવચન નં. ૨૪]
શરણદાતાઃ એક માત્ર નિજ પરમાત્મા
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૩-૭-૬૬]
આ યોગસાર શાસ્ત્ર ચાલે છે. આજથી ૧૩૦૦-૧૪૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા
શ્રી યોગીન્દ્રદેવે આ શાસ્ત્ર રચેલું છે.
આજે મહાવીર ભગવાનની દિવ્યધ્વનિનો દિવસ છે. પ્રભુને કેવળજ્ઞાન તો વૈશાખ
સુદ દશમે થયું હતું પણ ૬૬ દિવસ સુધી વાણી ન છૂટી. તેથી વ્યવહારથી એમ કહેવાય
કે વાણીને ઝીલનાર ગણધરદેવની હાજરી ન હતી માટે વાણી ન છૂટી, પણ ખરેખર તો
વાણી છૂટવાનો યોગ ન હતો માટે જ વાણી ન છૂટી. પછી વિચાર કરીને ઇન્દ્ર
ઇન્દ્રભૂતિ-ગૌતમ પાસે ગયા અને છ દ્રવ્ય, સાત તત્ત્વ, નવ પદાર્થ આદિનું સ્વરૂપ
સમજાવવા તેને કહ્યું. એ તો તેને આવડતું ન હતું એટલે કહે ચાલ, તારા ગુરુ પાસે.
તેથી ઇન્દ્ર ગૌતમને લઈને ભગવાન પાસે આવ્યા અને જ્યાં ગૌતમે સમવસરણ જોયું
ત્યાં તો એનું માન ગળી ગયું અને અંદર ગયા ત્યાં તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું.
તેની યોગ્યતા હતી ને! તરત ભગવાનની વાણી છૂટી. શ્રાવણ વદ એકમે સૌપ્રથમ
વાણી છૂટી તે ગૌતમ ગણધરે ઝીલી અને ભાવશ્રુતરૂપે પરિણમીને સુત્રરૂપે વાણી ગૂંથી.
અંતર્મૂહૂર્તમાં બાર અંગ અને ચૌદપૂર્વની રચના કરી. આજના દિવસે આ રચના થઈ. તે
બાર અંગ અને ચૌદ પૂર્વનો સાર શું? તે અહીં કહેવામાં આવે છે.
૧૨ અંગમાં સંયોગ, વિકલ્પ અને એક સમયની અવસ્થાની ઉપેક્ષા કરીને
ત્રિકાળી જ્ઞાયકસ્વભાવની અપેક્ષા કરવી એવો સાર યોગસારરૂપે ભગવાનની વાણીમાં
આવ્યો. ધ્રુવ, શાશ્વત, એકરૂપ, અનાદિ અનંત એવી ચીજમાં એકાકાર થઈને સ્વરૂપના
આનંદનું વેદન થવું તેને યોગસાર કહે છે કે જે મોક્ષનો માર્ગ છે.
હવે અહીં કહે છે કે જગતમાં તત્ત્વજ્ઞાનીઓ વિરલ હોય છે.
विरला जाणहिं तत्तु बुह विरला णिसुणहिं तत्तु ।
विरला झायहिं तत्तु जिय विरला धारहि तत्तु ।। ६६।।
વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ,
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. ૬૬.
આત્મજ્ઞાન પ્રાપ્ત થવું ઘણું કઠિન છે તેથી બહુ થોડાં જીવો જ આ આત્મજ્ઞાનનો
લાભ પામી શકે છે. આત્મતત્ત્વની વાત કહેનારાં તો દુર્લભ છે પણ તેને સાંભળનારાં
પણ દુર્લભ