Page 90 of 238
PDF/HTML Page 101 of 249
single page version
देहा–देवलि देउ जिणु एहउ जाणि णिरुत्तु ।। ४२।।
તન-મંદિરમાં દેવ જિન, તે નિશ્ચયથી જાણ. ૪૨.
પૂજા કર, તે દેવની પૂજા છે. મંદિરમાં તો ભગવાનની સ્થાપના છે પણ ત્યાં ખરા
ભગવાન નથી કેમ કે ખરા ભગવાન તો સમવસરણમાં છે અને ત્યાં જઈશ તોપણ તને
ભગવાનનું શરીર જ દેખાશે. ભગવાનનો આત્મા નહિ દેખાય. ભગવાનનો આત્મા
ક્યારે દેખાશે? કે જ્યારે તું તારા આત્માને દેખીશ ત્યારે. રાગની આંખ બંધ કરી પરને
જોવાનું બંધ કરીશ ને સ્વને જાણીશ-દેખીશ ત્યારે તારો આત્મા જણાશે અને ત્યારે
ખરેખર ભગવાન તને જણાશે-કે પરમાત્મા આવા હોય. ભગવાનની ભક્તિ કરે છે ને!
તે પણ પોતાના આત્માને જેણે જાણ્યો છે તે ભક્તિ કરે છે, અને તેની ભક્તિ જ
વ્યવહારથી સાચી છે.
નથી, પરંતુ આત્માનું શરણ લેતાં તેમાં ઈ બધા
આવી જાય છે. માટે આત્મા જ શરણરૂપ છે. અર્હંત
એટલે વીતરાગી પર્યાય, સિદ્ધ એટલે વીતરાગી પર્યાય,
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એટલે વીતરાગી પર્યાય
-એ બધી વીતરાગી પર્યાયો મારા આત્મામાં જ
પડેલી છે. તેથી મારે બીજે ક્યાંય નજર કરવાની
નથી. મારે ઊંચે આંખ કરીને બીજે ક્યાંય જોવાનું
નથી. મારો આત્મા જ મને શરણરૂપ છે.
Page 91 of 238
PDF/HTML Page 102 of 249
single page version
देहा–देवलि देउ जिणु एहउ जाणि णिरुत्तु ।। ४२।।
તન-મંદિરમાં દેવ જિન, તે નિશ્ચયથી જાણ. ૪૨.
આ આત્મા નથી. આ આત્માને જોવો અને જાણવો હોય તો એ આ શરીરરૂપી તીર્થ
અને મંદિરમાં જ દેખાશે. આ આત્મા કાંઈ ભગવાન પાસે નથી. પ્રશ્નઃ-ભગવાન પાસે
આત્માનો નમૂનો તો છે ને?-કે આ આત્મા ત્યાં છે કે અહીં? આ આત્મા અહીં છે, તો
તેનો નમૂનો પણ અહીં જ છે.
મંદિર...અમારું મંદિર. પણ એલા, મંદિરમાં તારો ભગવાન ક્યાં છે? તારો ભગવાન તો
તારામાં છે. શ્રુતકેવળી આમ કહે છે કે આ દેહદેવાલયમાં ભગવાન બિરાજે છે. આમ
કહીને સિદ્ધ કરે છે કે તારામાં જોવાથી તને આત્મા મળશે. મંદિરના ભગવાન સામે
જોવાથી તારો આત્મા નહિ મળે. મંદિરમાં તો ભગવાન કેવા હોય, કેવા હતા તેનું
પ્રતિબિંબ છે. તેનાથી પર પરમેશ્વરનું સ્મરણ થાય પણ પોતાનો આત્મા ન દેખાય.
સાક્ષાત્ ભગવાન સામે જોવાથી પણ આ ભગવાન ન દેખાય.
આવા હતા એમ સ્મરણ થાય એમાં પણ ઉપાદાન તો પોતાનું જ છે. આટલી વાત
અહીં સિદ્ધ કરવી છે.
દેહમંદિર છે જેમાં ખરેખર પોતાનો ભગવાન બિરાજે છે. જિનપ્રતિમા તો શુભમાં-
નિમિત્ત તરીકે ભગવાન કેવા હતા તેમ તેનાથી સ્મરણ થાય પણ ત્યાં ભગવાન ક્યાં
હતા? સમ્યગ્દર્શન-જ્ઞાન તો અંતર દ્રષ્ટિ કરશે ત્યારે થશે, એ વાત પછી લેશે. અહીં તો
એટલી વાત છે કે અનંતકાળમાં
Page 92 of 238
PDF/HTML Page 103 of 249
single page version
છે અને ભવિષ્યમાં પણ જેટલા પામશે તે બધા અંતરદ્રષ્ટિથી જ થયા છે, થાય છે ને
થશે. આત્માનું સ્મરણ તો ત્યારે થાય કે પહેલાં તેનો અવગ્રહ, ઈહા, અવાય ને ધારણા
થાય. પહેલા વિચાર તો આવે. સમ્મેદશિખર ને શત્રુંજય બધાં તિર્થક્ષેત્ર અને સિદ્ધક્ષેત્ર
તો ભગવાન કેવા હતાં તેના સ્મરણમાં નિમિત્ત થાય છે, આત્માના સ્મરણમાં નહિ. તો
પછી મંદિર શું કામ કરાવે છે?-કે ઈ તો ભગવાનના સ્મરણ માટે છે.
જોવાથી પામશે. પહેલાં બહાર જોવાથી મોક્ષ પામ્યા અને હવે પામશે એ અંતર જોવાથી
પામશે એમ નથી. આત્માની વિચારધારા-અવગ્રહ ક્યારે પ્રગટે? અંતરમાં જુએ ત્યારે
પ્રગટે ને? આત્માની પ્રાપ્તિ તો આત્મા સામે જોવાથી થાય કે પર સામે જોવાથી થાય?
ભાઈ! ઈ તો અંતરમાં દેખવાથી જ જણાય એવો છે. માટે જ આ દેહ જ દેવાલય છે,
જ્યાં જોવાથી આત્મા પ્રગટ થાય. બીજા દેવળમાં જોવાથી આત્મા ન પ્રગટ થાય.
તો એક શુભભાવ હોય ત્યારે સ્મૃતિમાં આવે પણ એ સ્મૃતિને પાછી વાળવી છે
અંતરમાં. બહાર જોયે આત્મપ્રાપ્તિ થઈ હોય એવું ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં
બનતું નથી અને ભવિષ્યમાં બનવાનું નથી.
માનનાર પણ મૂઢ છે, જ્યારે અંતરમાં ટકી ન શકે ત્યારે ભગવાનની પૂજા-ભક્તિના
શુભભાવરૂપ વ્યવહાર હોય જ.
हाउस महु पडिहाइ इहु सिद्धे भिक्ख भमेइ ।। ४३।।
હાસ્ય મને દેખાય આ, પ્રભુ ભિક્ષાર્થે ભમંત. ૪૩.
ત્યારે કેવળજ્ઞાનની સાચી સ્તુતિ થાય.
છે પણ
Page 93 of 238
PDF/HTML Page 104 of 249
single page version
પણ તે વ્યવહારથી નિશ્ચય થશે એમ નથી.
છે ને! યોગ નામ જોડાણ. પોતામાં એકાકાર થઈ જોડાય તેનું નામ યોગસાર.
ભગવાનનું સાચું ભજન ક્યારે કહેવાય? કે જ્યારે પોતાનું ભજન કરે અને પોતાનું
ભજન કરે તો ભવનો અંત આવે જ. પોતાના ભગવાનને ઓળખે ત્યારે જ ભગવાનને
ઓળખે અને ભજે છે. ‘સિદ્ધ સમાન સદા પર મેરો’ એમાં ઠરી જા!
છે. તારી લક્ષ્મી મારી પાસે નથી.
તો આત્મદેવને અંતરમાં જોઈ લીધો તેને બહારની ક્રિયામાં મોહ રહેતો નથી. પરમાર્થથી
બાહ્ય જીવો મોક્ષમાર્ગને સમજતા જ નથી અને પુણ્યને જ નિર્વાણનો માર્ગ માની લે છે.
પર તરફના લક્ષથી-દયા-દાન-વ્રત-ભક્તિથી કદી પણ મોક્ષ થતો નથી. વ્યવહારથી
નિશ્ચય પમાતો નથી એમ સિદ્ધ કરવું છે.
देहा–देवलि देउ जिणु सो बुज्झहि समचित्ति ।। ४४।।
તન-મંદિરમાં દેવ જિન, સમજ થઈ સમચિત્ત. ૪૪.
ચૈતન્યમૂર્તિનું અવલોકન તો અરાગી નિર્વિકારી ભાવથી થાય છે. કારણ કે એ
ચૈતન્યમૂર્તિમાં રાગનો અભાવ છે. નિજ આત્મપ્રભુને જોવામાં સમભાવ જોઈએ.
ઈશ્વર હોવાથી જિનેન્દ્ર છે. બેહદ શાંતસ્વરૂપ નિરાકુળ છે. સ્વભાવમાં જિનેન્દ્રપણું ન
હોય તો પર્યાયમાં
Page 94 of 238
PDF/HTML Page 105 of 249
single page version
જિનેન્દ્ર છે. જિન અને જિનેન્દ્રમાં કાંઈ ફેર નથી. સમભાવથી એટલે કે પર તરફના
રાગના વલણને રોકી સ્વ તરફનું વલણ કરવાથી સ્વાત્મા શ્રદ્ધાય છે, દેખાય છે.
પણ જીવ ઓશીયાળો-પામર એવો થઈ ગયો છે કે મને ઘર, બાર, બૈરા, છોકરાં આદિ
પર વગર ન ચાલે!
देहा–देउलि जो मुणइ सो वुहु को वि हवेइ ।। ४५।।
વિરલા જ્ઞાની જાણતા, તન-મંદિરમાં દેવ.
મોટી ભૂલ છે. અજ્ઞાની ત્યાં આત્માને જોવા જાય છે પણ આત્મા મળતો નથી
ભગવાન આત્માને દેખે છે, દર્શન કરે છે તે જ્ઞાની છે. દેવળમાં બિરાજતાં ભગવાન
માનીને જ ભગવાનને ભજે છે.
તે લાવ. સામાએ કહ્યું કે હું ચોપડામાં જોઈશ. ચોપડામાં જોયું તો રૂા. ૧૦૦ નીકળતા
હતા પણ રૂા ૧૦૦ કબૂલવા જઈશ તો વધારે ચોંટશે એટલે બે મીંડા જ ઉડાવી દીધાં કે
ચડાવ્યા’તા. એમ મૂર્તિ હોય પણ સાદી હોય, આંગી ન હોય. તોય શ્વેતાંબરોએ ચડાવી
દીધી ત્યારે સ્થાનકવાસીએ મૂર્તિ જ ઉડાડી દીધી. બેય ખોટા છે.
માનતું નથી.
Page 95 of 238
PDF/HTML Page 106 of 249
single page version
છે કે સિંહનો આકાર, ભય દેખાડવા માત્ર આ મૂર્તિ છે, તે સિંહનું જ્ઞાન કરવામાં
નિમિત્તમાત્ર છે, સાક્ષાત્ સિંહ નથી. તેમ ભગવાનની પ્રતિમા ભગવાન કેવા હતા તેનું
સ્વરૂપ દેખાડવામાં નિમિત્ત છે. ભગવાનનું સ્મરણ કરાવે છે માટે મૂર્તિને મૂર્તિ માનવી,
પરમાત્મા ન માનવા તે યથાર્થ જ્ઞાન છે. અંદર બિરાજે છે તે પરમાત્મા છે. આ
યોગસાર કોઈ દી વંચાણું નથી. પહેલીવાર વંચાય છે. વ્યવહાર ખરેખર અસત્યાર્થ છે. તે
વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ બતાવતો નથી. દાખલા તરીકે નારકી, મનુષ્ય, પશુ, દેવ
આદિ છે તે આત્મા છે એમ વ્યવહારથી કહેવાય પણ ખરેખર નિશ્ચયથી તે આત્મા નથી.
તે શરીરમાં રહેલો જ્ઞાનમય છે તે આત્મા છે. માટે જ્ઞાની પોતાને માનવ નથી માનતા;
પોતે સાક્ષાત્ ભગવાન છે તેમ માને છે.
નિમિત્તને વળગ્યો છે. વ્યવહારથી નિશ્ચય પમાશે એટલે કે અસત્યથી સત્ય પમાશે એમ
માનીને વળગ્યો છે. ભૂતાર્થ ભગવાન આત્મા અખંડાનંદ પ્રભુને જોનારા બહુ થોડા છે.
નિશ્ચય સમજ્યા વિના વ્યવહારને માનનારા ક્યારેય સત્ય પામી શક્તા નથી.
તો વ્યવહારની નીતિના વચનથી આવે છે. પરંતુ
અધ્યાત્મદ્રષ્ટિથી તો વિકારને અને આત્માને અત્યંત
અભાવ છે. ચૈતન્યગોળો વિકારથી ભિન્ન એકલો છૂટો
જ પડયો છે એને દેખ! જેમ તેલ પાણીના પ્રવાહમાં
ઉપર ને ઉપર તરે છે, પાણીના દળમાં પેસતું નથી
તેમ વિકાર ચૈતન્યના પ્રવાહમાં ઉપર ને ઉપર તરે છે,
ચૈતન્યદળમાં પેસતો નથી.
Page 96 of 238
PDF/HTML Page 107 of 249
single page version
છે. અને તેનો સાર એટલે નિશ્ચય સ્વભાવની સ્થિરતા. તેમાં અહીંયા ગાથા ૪૬ માં કહે
છે કે ધર્મરૂપી અમૃત પીવાથી અમર થવાય છેઃ-
धम्म–रसायणु पियहि तुहुं जिम अजरामर होहि ।। ४६।।
અજરામર પદ પામવા, કર ધર્મોષધિ પાન. ૪૬.
આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેની અંતર શ્રદ્ધા જ્ઞાન ને રમણતા તેને અહીંયા ધર્મ
કહેવામાં આવે છે. તું તે ધર્મરૂપી રસાયણ અર્થાત્ ઉત્તમ ઔષધિનું સેવન કર, જેથી તું
અજર-અમર થઈ શકે. પણ પહેલાં જીવને આ જન્મ-મરણના દુઃખ ભાસવા જોઈએ.
મટાડવા માટે આત્મામાં ઔષધ છે. આત્માના આનંદ સ્વરૂપને અનુસરીને અંતરમાં
તેની શ્રદ્ધા જ્ઞાન ને રમણતારૂપ અનુભવ કરવો તે જન્મ-જરા-મરણને નાશ કરવાનો
ઉપાય-ઔષધિ છે-એમ સર્વજ્ઞ પરમાત્મા વીતરાગદેવ ત્રણ કાળ, ત્રણ લોકના જાણનાર
કહે છે. માટે ધર્મ રસાયણ છે. અને આ ધર્મ રત્નત્રયસ્વરૂપ છે. દેહની ક્રિયા તે ધર્મ
નથી, તેમજ દયા, દાન, ભક્તિ આદિના ભાવ થાય તે પણ ધર્મ નથી. પરંતુ શુદ્ધ
આનંદકંદ આત્માનો અનુભવ કરવો તે ધર્મ છે. આહાહા!! આત્મા અનંતગુણનું
પવિત્રધામ છે. જેટલો જે કાંઈ આ વિકાર દેખાય છે તે કાંઈ આત્મા નથી. માટે
આત્માનો અનુભવ કરવો તે જ જન્મ-જરા-મરણને મટાડવાનું ઔષધ છે. તે ધર્મ-
ઔષધ શુદ્ધિભાવરૂપ છે, આત્મતલ્લીનતારૂપ છે. જ્યારે અનાદિ પુણ્ય-પાપના
વિકારીભાવની તલ્લીનતા તે જન્મ-મરણના રોગોને ઉત્પન્ન કરવાનું કારણ છે.
આહાહા! આ દેહ તો માટી જડ છે. કર્મ પણ જડ છે ને જે પુણ્ય-પાપના ભાવ થાય છે
તે પણ વિકાર ને દુઃખ છે, દોષ છે તેથી તેનાથી રહિત આત્માના
Page 97 of 238
PDF/HTML Page 108 of 249
single page version
ટાળવાનો ઉપાય છે. એટલે કે પુણ્ય-પાપના વિકારીભાવનો અનુભવ તો રોગને ઉત્પન્ન
કરવાનું કારણ છે. જ્યારે આત્માનો અનુભવ તે જ મોક્ષનો ઉપાય છે.
સિવાય પરમાં જરીયે તારો પુરુષાર્થ કામ કરે નહીં. આહાહા! પોતાની સત્તામાં રહીને
કાં તો વિકાર કરે ને કાં તો આત્માનો અનુભવ કરીને મુક્તિ કરે. બાકી બહારનું ફોતરું
પણ તે ફેરવી શકે નહીં. તેનો રોગ શું છે તે બતાવનાર જ્ઞાની છે. અને તેની આજ્ઞા છે
કે વિચાર ને ધ્યાન તે રોગનું ઔષધ છે. ભગવાન આત્માની પર સન્મુખની
ઉપયોગદશાને ફેરવી પોતાના અંર્તસ્વભાવમાં ઉપયોગને જોડવો તે યોગસાર છે ને તેને
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહે છે. અને એ જ ધર્મ-રસાયણ છે કે જે પીવાથી
પરમાનંદનો લાભ થાય છે. આત્મામાં થતાં શુભ-અશુભભાવ તે ધર્મ નથી. પરંતુ
આત્માના શુભ-અશુભભાવથી ખસીને અંતર આત્મામાં શુદ્ધ ભાવ પ્રગટ કરવો તેને
ભગવાન ધર્મ કહે છે, અને આત્માનો અનુભવ જ મોક્ષનો ઉપાય છે.
નાશ કરવાનો તારો કાળ છે. તારે ટાણા આવ્યા છે.
धम्मु ण मढिय–पणसि धम्मु ण मत्था–लुंचियई ।। ४७।।
રાખે વેશ મુનિ તણો, ધર્મ ન થાયે લેશ. ૪૭.
છે, નગ્ન દિગમ્બર, જંગલવાસી આચાર્ય છે ને આત્મધ્યાનમાં મસ્ત છે. તેઓ આમ કહે
છે કે કોઈ એકાંત વનમાં કે મઠમાં રહે તેમાં શું થયું? વનમાં તો ઘણા ચકલા પણ રહે
છે. જ્યાં ધર્મનું ભાન નથી ત્યાં મઠ ને વન એક જ છે. જ્ઞાનાનંદ શુદ્ધ આત્માનું ભાન
કરીને તે ભલે વનમાં રહે કે ભલે ઘરમાં રહે પણ તે આત્મામાં જ છે. કેશલોચનથી
પણ ધર્મ નથી.
Page 98 of 238
PDF/HTML Page 109 of 249
single page version
सो धम्मु वि जिण–उत्तियउ जो पंचम–गइ णेइ ।। ४८।।
જિનવરભાષિત ધર્મ તે, પંચમ ગતિ લઈ જાય. ૪૮.
Page 99 of 238
PDF/HTML Page 110 of 249
single page version
વસવું તે આત્મામાં વસવું નથી તેમ કહે છે. આહાહા! ભગવાન ચૈતન્યધામ બિરાજે છે.
ઠર અને તે યોગસાર છે. અંદર વસે તે યોગસાર છે, કે જે મુક્તિનો ઉપાય છે ને તેને
વીતરાગ પરમેશ્વરે ધર્મ કહ્યો છે. આહાહા! સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ વીતરાગ પરમાત્માની
ધર્મ છે ને જેટલો પુણ્ય ને પાપના ભાવમાં જાય તેટલો અધર્મ કહેવાય છે. આવી વાત
છે, ભારે આકરી ભાઈ! કર્મ, શરીર, વાણીથી રહિત ભગવાન આત્મા છે. કેમ કે કર્મ,
માટે તે પણ આત્મા નથી. આત્મા તો શુદ્ધ વીતરાગી વિજ્ઞાનઘનથી ભરેલું તત્ત્વ છે
તેમાં તેને શુદ્ધભાવ પ્રગટ થાય છે ને જેટલો પુણ્ય-પાપના વિકલ્પમાં આવે તેટલો
છોડી દઈને ભગવાન આત્મા કે જે શાંત અને સચ્ચિદાનંદ મૂર્તિ છે તેમાં જેટલો વસે,
રહે, ઠરે, એકાગ્ર થાય તેટલો શુદ્ધભાવ પ્રગટ થાય છે, ને તેટલો ધર્મ છે એમ ભગવાને
વિકલ્પ આવે છે તેની મોક્ષમાં પહોંચાડવાની તાકાત નથી તેમ કહે છે. કારણ કે તે
બંધનું કારણ છે. જેમ પાપનો ભાવ બંધનું કારણ છે તેમ પુણ્યનો ભાવ પણ બંધનું
શુભભાવ હોય છે, પણ તેનાથી સંવર નિર્જરા થાય તેમ છે નહીં. તો કરવા શું કરવા?-
કે એ ભાવ વચ્ચે આવશે ભાઈ! જ્યારે તેને પાપભાવ ન હોય ને શુદ્ધ સ્વરૂપમાં
પામે, ત્યાંસુધી વચમાં શુભભાવ આવે છે પણ તે આવે છે માટે મોક્ષનું કારણ છે કે
આત્માને શાંતિનું કારણ છે તેમ નથી. કારણ કે શુભભાવ પોતે અશાંતિ છે. અશુભભાવ
નથી. ભગવાન આત્મા અનાદિ અનંત ચૈતન્યજ્યોત છે, અકૃત્રિમ અણકરાયેલ
અવિનાશી પ્રભુ છે. તેવા ચૈતન્ય પ્રભુના સ્વભાવમાં તો પરમાનંદ ને શુદ્ધતા ભરી છે,
છે, અને તે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આત્માની નિર્વિકલ્પ શુદ્ધ પર્યાય છે, તથા જે
આત્મામાં વસે છે તેને આત્માની પૂર્ણ દશા પ્રગટ થાય છે.
मोहु फुरइ णवि अप्प–हिउ इम संसार भमेइ ।। ४९।।
આત્મહિત સ્ફૂરે નહિ, એમ ભમે સંસાર.
Page 100 of 238
PDF/HTML Page 111 of 249
single page version
આહાહા! કૂતરાની જેમ અજ્ઞાની જ્યાં ત્યાં બહારમાં ભટકે છે. કૂતરો ઘરના
વધવાપણું
Page 101 of 238
PDF/HTML Page 112 of 249
single page version
ગામ. એમ એક કોર સત્ ચિદાનંદ અનાકુળ આનંદકંદ પદાર્થ છે અને એક કોર પુણ્ય-
પાપના વિકાર, શરીર, કર્મ આદિ પરપદાર્થ છે. બેમાંથી જેને બાહ્યસામગ્રી પ્રત્યે પે્રમ
વધી જાય છે તેને તૃષ્ણા વધતી જાય છે અને આતમરામ પ્રત્યે જેને પે્રમ વધી જાય છે
તેને તૃષ્ણા ઘટતી જાય છે.
થયો છે. ભગવાન આત્માને છોડીને પર પદાર્થમાં પ્રેમ એ તુષ્ણાવર્ધક જ છે. એમ ૪૯
મી ગાથામાં કહ્યું. હવે પ૦મી ગાથામાં કહે છે કે હે યોગી! ખરેખર આત્મા જ પ્રેમને
પાત્ર છે. આત્મામાં રમણ કરનાર નિર્વાણને પામે છેઃ-
जोइउ भणइ हो जोइयहु लहु णिव्वाणु लहेइ ।। ५०।।
શીઘ્ર લહે નિર્વાણપદ, ધરે ન દેહ નવીન.
આત્મામાં કર તો શીઘ્ર મુક્તિ થાય.
સાંભળવાનો પ્રેમ પણ રાગ છે.
હવે સવળા પુરુષાર્થથી, તું પોતે જ ગુલાંટ ખાઈને તારા આત્માનો પ્રેમ કર! તો શીઘ્ર
મુક્તિ પામીશ.
Page 102 of 238
PDF/HTML Page 113 of 249
single page version
જિંદગી આત્માને ખોઈને પણ પરનો પ્રેમ છોડતો નથી. મૂઢ બહારની પ્રીતિમાં ભગવાન
આત્માની પ્રીતિ ખોઈ બેઠો છે, ભલે ત્યાગી હોય પણ જ્યાં સુધી એને બહારમાં દયા-
દાનાદિમાં પ્રેમ છે ત્યાં સુધી એ જોગી નથી પણ ભોગી છે.
જણાશે પણ રાગ વગર જણાશે. આખી દુનિયા દેખાશે પણ એમાં તને પ્રેમ નહિ થાય,
આત્મસ્વભાવના પ્રેમમાં પછી આ સાધન મને અનુકૂળ અને આ પ્રતિકૂળ એવું રહેતું નથી.
ગાઢ પ્રેમભાવથી પોતાના આત્મામાં રમતું કરવું જોઈએ. એમ થાય તો વીતરાગતાના
પ્રકાશથી શીઘ્ર નિર્વાણ લાભ થાય.
ભાન નથી તેથી બહાર આનંદ લેવા જાય છે. તેથી કહે છે કે એકવાર ગુલાંટ ખા!
પરનો પ્રેમ છોડી સ્વનો પ્રેમ કર.
જ્યોતના પ્રેમમાં ભસ્મ થઈ જાય છે તોપણ એને ખબર રહેતી નથી. કર્ણેન્દ્રિયના
વિષયભૂત-સાંભળવાના શોખીન હરણીયા જંગલમાં શિકારમાં પકડાઈ જાય છે. દાખલાં
આપીને એમ કહ્યું કે એક એક ઇન્દ્રિયમાં જેમ એ જીવો લીન છે તેમ તું આત્મામાં
લીન થા. એકમાત્ર આત્માની લગની લગાવ! તો સમકિત થાય ને ભવભ્રમણ ટળે.
વળી કહે છે કે આત્માના રસમાં એવું રસિક થઈ જવું જોઈએ કે માન-અપમાન,
જીવન-મરણ, કંચન-કાચ બધામાં સમભાવ થઈ જાય. જેમ ધતૂરા પીવાવાળાને બધી
ચીજ પીળી દેખાય છે તેમ ધર્મીને એક નિત્યાનંદ ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવતાં
તેના સિવાય બધી વસ્તુ ક્ષણિક-નાશવાન જ દેખાય છે. હું અવિનાશી છું અને બાકી
બધું વિનાશિક છે એમ જ્ઞાનીને દેખાય છે.
છે. તે બીજા આત્માને પણ બંધનવાળા દેખતો નથી. પોતાના આત્માને જેમ નિર્વિકારી
દેખે છે તેમ અન્યના આત્માને પણ ધર્મી નિર્વિકારી દેખે છે. તેના પુણ્ય-પાપને વિકારી
ભાવરૂપ દેખે છે, દેહને જડ પુદ્ગલ જાણે છે અને બધાનાં આત્માને આનંદમય દેખે છે.
ત્રણલોકની સંપદા પણ તેને ઝીર્ણ તૃણ સમાન દેખાય છે.
Page 103 of 238
PDF/HTML Page 114 of 249
single page version
થાય? આત્માર્થીએ આવા જ પ્રશ્નો કરવા જોઈએ. સહજ તેને પ્રશ્નો એવા જ ઊઠે.
બહુ લાગી છે. પણ અરે! આ પાણી તો તારી પાસે જ ભર્યું છે. પાણીમાં જ તું છો. તો
માછલી કહે છે કે તમે પણ જ્ઞાનથી જ ભર્યા છો. તમે પોતે જ જ્ઞાનસ્વરૂપ છો.
વખત મળતો નથી. માટે કહે છે મોક્ષેચ્છુએ આત્માની ચાહ કરવી, આત્માની લગની
લગાડવી, બીજાની લગની છોડવી એ જ આત્માર્થીનું કર્તવ્ય છે.
अप्पा भावहि णिम्मलउ लहु पावहि भवतीरु ।। ५१।।
કરી શુદ્ધાતમ ભાવના, શીઘ્ર લહો ભવતીર. પ૧.
મલિનતાનું ઘર છે. હાડકાં, ચામડાં, માંસ, લોહી, પરુનું ઘર છે. એમ જરાક શરીર
ઉપરથી ચામડી ઉતરડે તો ખબર પડી જાય. તે જોવા પણ ઊભો ન રહે.
ક્ષણમાત્ર પણ શાતા નથી. નરક અત્યંત ગ્લાનિકારક છે, ખરાબ છે, દુઃખકારી છે પણ
તને ખબર નથી ભાઈ! આ શરીર પણ નરકના ઘર જેવું છે, એમાં બધું ગ્લાનિકારક જ
ભર્યુ છે. જે શરીર ઉપર જીવને અતિશય પ્રેમ છે એ જ શરીરના લોહી, પરુ, હાડકાં,
માંસ આદિ જુદાં જુદાં ભાગ કરીને બતાવે તો તે જોવા પણ ઊભો ન રહે.
માનસિક અને શારીરિક વેદનાનો પાર નથી. આમ આખી જિંદગી વીતાવે છે. એમાં જો
આત્મા પોતાનું સાધન કરે તો ફરી આવો દુઃખમય દેહ જ ન મળે પણ તેને આત્માનો
મહિમા આવતો નથી. જીવને પરનો જ મહિમા આવે છે તેથી એનો પ્રેમ પરમાં જ
લૂંટાઈ જાય છે.
Page 104 of 238
PDF/HTML Page 115 of 249
single page version
આદિ શુભભાવથી પણ ધર્મ ન થાય તો શરીરની ક્રિયાથી તો ધર્મ ક્યાંથી થાય?
ચામડીથી ઢંકાયેલો છો અને આયુકર્મથી તું જકડાયેલો છો. આવા શરીરને હે જીવ! તું
કારાગ્રહ જાણ! તેની વૃથા પ્રીતિ કરીને તું દુઃખી ન થાય! તેમાંથી છૂટવાનો પ્રયત્ન કર!
પણ ચોપડી નથી’ એવા શરીરના જેને અભિમાન છે તેને આત્માનો પ્રેમ નથી તેના
આત્માનું કલ્યાણ ન થાય. શરીરનો પ્રેમ છોડાવવા માટે શરીરને નરકની ઉપમા આપી છે.
तहिं कारणि ए जीव फुडु ण हु णिव्वाणु लहंति ।। ५२।।
તે કારણ જગજીવ તે, પામે નહિ નિર્વાણ.
દાન, વ્રત મંદિર બંધાવવાના એવા ધંધામાં પડયાં છે. આમ કોઈ અશુભરાગના ધંધામાં
ને કોઈ શુભરાગના ધંધામાં ફસાઈ ગયા છે. ર૪ કલાકમાં આત્મા કોણ છે, કેવો છે એ
જોવા પણ નવરો થતો નથી. શુભાશુભરાગના ધંધામાં ભગવાનને ખોઈ બેઠો છે.
આત્મસ્વભાવમાં જોડાવું તે ‘યોગ’ છે બાકી બધું ‘અયોગ’ છે.
કહે છે કે હું ઊંટ ઉપર બેઠો છું. અરે! ઊંટ ઉપર પણ છો તો જેલમાં ને! એમ ત્યાગી
કહે અમે ધર્મ કરીએ છીએ પણ જડ શરીરની ક્રિયામાં જ તે ધર્મ માને છે. પરંતુ તે
ત્યાગી હોય તોપણ સંસારમાં જ પડયા છે. આત્માને ઓળખતો નથી.
એટલે તો કહ્યું કે “સકલ જગ ધંધે ફસ્યા છે”.
Page 105 of 238
PDF/HTML Page 116 of 249
single page version
એટલે માને કે મને ધર્મ થઈ ગયો. પણ ભાઈ! મંદિર આદિ રાગના કાર્ય કર્યે ધર્મ નહિ
થાય. પોતાના આત્માના શ્રદ્ધા-જ્ઞાન કરવાથી જ ધર્મ થાય.
तहिं कारणि ए जीव फुडु ण हु णिव्वाणु लहंति ।। ५३।।
તે કારણ એ જીવ ખરે, પામે નહિ નિર્વાણ. પ૩.
આનંદ છે. શાસ્ત્રવાંચન તે ધર્મ નથી, છતાં શાસ્ત્રપાઠી વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ, વૈદક
આદિ અનેક વિષયોને જાણે છે પણ શુદ્ધ નિશ્ચય ઉપર લક્ષ આપતાં નથી, સ્વભાવનો
પુરુષાર્થ કરતાં નથી તેથી શાસ્ત્ર વાંચે છે છતાં અધ્યાત્મજ્ઞાનથી શૂન્ય રહે છે.
ચૈતન્યધાતુને જાણતાં નથી માટે તેનું શાસ્ત્ર ભણતર નિષ્ફળ કહ્યું છે.
થાય. માટે આત્માના લક્ષ વગર શાસ્ત્રના ભણનારા પણ જડ છે. ભગવાન આત્માની
અંતર્મુખ થઈને આત્માનું જ્ઞાન કરે તે ચૈતન્ય છે.
સાર કાઢવાનો છે. નિશ્ચયથી આત્માને ન જાણ્યો તેણે કાંઈ જાણ્યું નથી.
આવડત નથી. આત્માની પ્રતીત અને આત્માનું જ્ઞાન કર્યું તેણે બધું કર્યું. જેણે
આત્મજ્ઞાન નથી કર્યું, અતીન્દ્રિય આનંદસ્વરૂપને સમ્યગ્દર્શન દ્વારા અનુભવ્યું નથી તેની
આખી જિંદગી અફળ છે-નિષ્ફળ છે. આત્માના અનુભવ વિનાનું માત્ર શાસ્ત્રજ્ઞાન
ભવવર્ધક બને છે, નિર્વાણના માર્ગથી દૂર લઈ જાય છે. માટે ભાઈ! શાસ્ત્ર વાંચતા પણ
લક્ષ તો આત્માનું જ રાખજે.
Page 106 of 238
PDF/HTML Page 117 of 249
single page version
तहिं कारणि ए जीव फुडु णिव्वाणु लहंति ।। ५३।।
તે કારણ તે જીવ ખરે, પામે નહિ નિર્વાણ. પ૩.
માત્ર શાસ્ત્ર વાંચ્યા કરે તેનું શાસ્ત્ર-ભણતર વ્યર્થ છે. જિનવાણી સાંભળીને, વાંચીને,
ધારીને અભેદ આત્માનો અનુભવ કરવો એ તેનું ફળ છે. અંતર-અનુભવની દ્રષ્ટિ વગર
ચારેય અનુયોગનું ભણતર કરનારાને જડ કહ્યાં છે.
ચિદાનંદ પ્રભુનો અનુભવ કરવો તે જ શાસ્ત્રભણતરનું ફળ છે. સર્વ શાસ્ત્ર ભણવા
પાછળ હેતુ સમકિતનો લાભ પ્રાપ્ત કરવાનો છે. એ હેતુ ન સરે તો શાસ્ત્ર ભણવા પણ
કાર્યકારી નથી.
નથી. ખ્યાતિ-પૂજા મેળવવા માટે જે શાસ્ત્રો ભણે છે અને આત્માનુભૂતિ કરવાનો
પ્રયત્ન કરતો નથી તેનું જીવન અફળ છે. ઉલટું તેને માટે તો પ્રયોજન અન્યથા
સાધવાથી શાસ્ત્રજ્ઞાન સંસારવૃદ્ધિનું કારણ બની જાય છે અને પોતે નિર્વાણમાર્ગથી દૂર
જાય છે. આવડતના અભિમાનમાં અટકી સમકિતનો લાભ ચૂકી જાય છે.
रायहं पसरु णिवारियइ सहज उपज्जइ सोइं ।। ५४।।
રાગ-પ્રસાર નિવારતાં, સહજ સ્વરૂપ ઉત્પાદ. પ૪.
Page 107 of 238
PDF/HTML Page 118 of 249
single page version
चयहि वि पुग्गलु गहहि जिउ लहु पावहि भवपारु ।। ५५।।
તજ પુદ્ગલ ગ્રહ જીવ તો, શીઘ્ર લહે ભવપાર. પપ.
Page 108 of 238
PDF/HTML Page 119 of 249
single page version
હોય છે. ન હોય એમ કરીને ઉડાડી દે તો એ જીવતત્ત્વને જ સમજતો નથી. શુભભાવ
છે તો ખરા, પણ એની મર્યાદા છે કે એ ભાવોથી નિર્મળ આત્માનો ધર્મ પ્રગટ ન થાય.
શુદ્ધભાવ ન થાય.
પોતાના આત્મારૂપી ચૈતન્યરતનમાં એકાગ્ર થઈને સ્વરૂપનું ગ્રહણ કરે છે તેને પોતાના
સ્વામીપણાથી સંતોષ થઈ જાય છે. શરીર-વાણી-મનનો તો આત્મા સ્વામી નથી પણ
દયા-દાન આદિ શુભભાવનો પણ આત્મા સ્વામી નથી. આત્મા તો એક સહજાત્મ શુદ્ધ
ચૈતન્યપિંડનો સ્વામી છે, માલિક છે. એ માલિકીમાં જ ધર્મીને સંતોષ થાય છે. પરના
સ્વામીપણામાં સંતોષ નથી, અસંતોષ છે. અનંતગુણરૂપી આત્માની પૂંજીનો સ્વામી થતાં
ધર્મીને સંતોષ થઈ જાય છે. પરનું સ્વામીપણું માનવું એ તો મૂઢતા છે.
દુઃખદાયક ભ્રમણા છે, વાસ્તવિક સંતોષ નથી. પોતાના સ્વરૂપના સ્વામીપણામાં જ ખરો
સંતોષ થાય છે.
ते जिण–णाहहं उत्तिया णउ संसार मुचंति ।। ५६।।
છૂટે નહિ સંસારથી, ભાખે છે પ્રભુ જિન. પ૬.
વિકલ્પથી આત્માને જાણે તે સાચું જાણપણું જ નથી. ગાથાએ ગાથાએ વાત ફેરવે છે.
એકની એક વાત નથી. જ્ઞાનની લહેરે જાગતો ભગવાન પોતે પોતાને પ્રત્યક્ષ ન જાણે
તેને અમે જ્ઞાન કહેતા જ નથી. પ્રત્યક્ષ આત્માને પ્રત્યક્ષ જાણે તે જ જ્ઞાન છે.
થવાની વિધિ કહે છે. શાસ્ત્રથી અને વિકલ્પથી આત્માનું જ્ઞાન કરવું તે ખરેખર પ્રત્યક્ષ
જ્ઞાન નથી. પરમાત્મસ્વરૂપમાં સ્થિત આત્માનું સ્વરૂપ રાગથી-શાસ્ત્રથી ન જણાય.
Page 109 of 238
PDF/HTML Page 120 of 249
single page version
‘ન હોવાપણે’ કેમ કહેવું? તું પૂર્ણ સત્તા ‘સતતં સુલભં’ ભગવાન! તું તને સુલભ ન
હો તો બીજી કઈ ચીજ સુલભ હોય? તું તારી હથેળીમાં છો એટલે કે તું તને અત્યંત
સુલભ છો.
કરવો પડે ને હોવો જ જોઈએ હોય તો મને ઠીક એમ સમ્યગ્દ્રષ્ટિ માનતો નથી.
વ્યવહારનું પૂછડું નિશ્ચયને લાગુ પડતું નથી.
જેણે આત્માને પ્રત્યક્ષ જાણ્યો નથી તે સંસારથી નહિ છૂટે. સમજાણું કાંઈ? જ્ઞાનથી
જ્ઞાનને વેદે તે પ્રત્યક્ષજ્ઞાન છે. શાસ્ત્રથી, મનથી, ગુરુવચનથી કે વિકલ્પથી આત્માનું
જાણપણું તે પરોક્ષ છે, પ્રત્યક્ષજ્ઞાન નથી.
આવેલી આ વાત છે. મિથ્યાત્વ એ જ સંસાર છે. મિથ્યાત્વ જાય પછી સંસાર ન રહે.
ભગવાન આત્માનું અતીન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કરી તેમાં સ્થિર થા! વારંવાર અતીન્દ્રિય
જ્ઞાનનો સ્પર્શ કર! તને જરૂર સુખ થશે.
સંવર-નિર્જરા ન થાય. લાખ ઉપવાસ કરે પણ અનુભવ ન હોય તેને સંવર-નિર્જરા ન
થાય. આ ધરમ તો બહુ મોંઘો!! તેને જ્ઞાની કહે છે કે ભાઈ! ધર્મ તો બહુ સોંઘો છે.
બહારની વસ્તુમાં તો પૈસા જોઈએ બજારમાં લેવા જવું પડે ને આ ધર્મ પ્રગટ કરવામાં
તો ક્યાંય જવું પણ ન પડે ને કોઈ બીજાની જરૂર પણ ન પડે. અરે! પણ માણસને
પોતાની જાતને જાણવી મોંઘી લાગે છે! તારું પરમાત્મસ્વરૂપ તો તારી પાસે જ બિરાજી
રહ્યું છે તેને જાણવું તે મોંઘુ નથી.
આગ ભભૂકી ઊઠે છે જે કર્મરૂપી ઇંધનને જલાવીને ભસ્મ કરી નાખે છે. આત્માના
ધ્યાન વિના કર્મથી મુક્ત કોઈ થઈ શકતું નથી. માટે વાસ્તવમાં આત્માનુભવ જ
મોક્ષમાર્ગ છે. સમકિત બાહ્ય ચારિત્રને મોક્ષમાર્ગ માનતા નથી.