PDF/HTML Page 61 of 69
single page version
પુરુષોનું જીવનચરિત્ર તમને ઘણો ઉલ્લાસ આપશે. (ને એવા પુસ્તકો તો
તમારા સુરતમાં જ મળે છે– ‘જૈનમિત્ર’ માંથી તો આજથી જ મૂરત કરી દો.)
એમ બને? (સ. નં. ૪૩૬)
કર્મભૂમિમાં પણ અવતરે છે.
મોક્ષ પામી જાય ને સંસારમાં જીવો ખલાસ થઈ જાય–એમ નહીં બને?
ભૂતકાળરૂપ નહીં થઈ જાય. તેમ બધાય જીવો કદી મુક્ત નહિ થઈ જાય.
ભૂત અને ભવિષ્યકાળ સદાય રહેવાના છે તેમ મુક્ત અને સંસારી જીવ પણ
સદાય રહેવાના છે. જીવની અને કાળની અનંતતા એ એવા અતીન્દ્રિય
જ્ઞાનનો વિષય છે કે તેમાં ઈન્દ્રિયજન્ય ગણિત કામ ન આવે.
બિરાજે છે.) આચાર્ય–ઉપાધ્યાય અને સાધુ અઢી દ્વીપમાં (ભરત–ઐરાવત
અને વિદેહક્ષેત્રમાં) વિચરે છે; ભરતક્ષેત્રમાં અત્યારે તેમની અત્યંત વિરલતા
છે. પરંતુ અઢીદ્વીપમાં તો આઠ કરોડ નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો ને
સત્તાણું (૮, ૯૯૯૯૯૯૭) સાધુ ભગવંતો વિચરે છે. –તે સૌને આપણા
નમસ્કાર હો.
PDF/HTML Page 62 of 69
single page version
લ્યો, એટલે મનની ચંચળતા મટી જશે.
ન જઈ શકે પણ મોક્ષને સાધી શકે છે. (અઢી દ્વીપ બહાર વિગ્રહ ગતિનાં
મનુષ્યો કે સમુદ્ઘાતવાળા મનુષ્ય હોય છે તે હકીકત શાસ્ત્રોથી જાણી લેવી.)
ઉત્તર:– એમને અલોકમાં જવાનું કાંઈ પ્રયોજન નથી. પ્રયોજન વગરની પ્રવૃત્તિ
જ સ્થિર રહેવાનો તેમનો સ્વભાવ છે.
વળી સિદ્ધભગવાન જો અલોકમાં જાય તો અલોકનો જ નાશ થઈ જાય; તેનું
અલોકપણું ન રહે.
છતાં જૈનધર્મ પ્રત્યે મને ખૂબ જ આદરભાવ–પ્રેમ છે; કેમકે આત્મધર્મમાં
આવતી ગુરુદેવશ્રીની વાણીદ્વારા સમ્યક્ સમજ મળતી રહે છે.
થાય, સત્પણું કાયમ રાખીને તેઓ નવાનવા ભાવરૂપે ઉત્પાદ–વ્યય કર્યા કરે છે.
કર્મોએ તેના ઉપર કાંઈ અસર કરી નથી. જો પોતે સર્વજ્ઞસ્વભાવની સન્મુખ
થઈને પરિણમે તો રાગાદિ ભાવકર્મ પણ ન રહે ને જડકર્મનો સંબંધ પણ ન રહે.
PDF/HTML Page 63 of 69
single page version
ઉત્તર:– આત્માનું અનંત બળ આત્મામાં, કર્મનું બળ કર્મમાં; પણ કોઈ તત્ત્વનું બળ
ઉત્તર:–
નથી કે તેને પ્રાપ્ત કરવાનો હોય; પોતે જ આત્મા છે.....અંતર્મુખ ચેતનાવડે
પોતે પોતાનો અનુભવ કર્યો એને જ આત્મપ્રાપ્તિ (પ્રાપ્તની પ્રાપ્તિ)
કહેવાય છે.
ઉત્તર:–
ઉત્તર:– તે સમજવા માટે પહેલાંં વ્રત–તપનું અને આત્મસાધનાનું સ્વરૂપ ઓળખવું
સાધના, તે શુદ્ધ વીતરાગભાવવડે જ થાય છે, રાગવડે થતી નથી.
ઉત્તર તમને મળી જશે.
કેમ કહ્યા? (વિમળાબેન, હિંમતનગર)
PDF/HTML Page 64 of 69
single page version
ઉત્તર:– ગુણમાં જે મોટા હોય તેને ગુરુ કહેવાય છે. રત્નત્રયગુણ તે ધર્મ છે, ને તેમાં
તે પણ જ્ઞાનગુરુ છે.
સરસ રીત તો એજ છે દ્યો બચ્ચાંને જ્ઞાન.
PDF/HTML Page 65 of 69
single page version
હોવા છતાં તેને સુખદાયક માનીને સેવ્યો, ને સમ્યગ્દર્શનપૂર્વકનો વીતરાગી ચારિત્રધર્મ
કરી એટલે તત્ત્વશ્રદ્ધામાં વિપરીતતા થઈ. એ તત્ત્વની ભૂલરૂપ મિથ્યાત્વ છોડીને, યથાર્થ
તત્ત્વ ઓળખીને સમ્યગ્દર્શન પ્રગટ કરીને અંતરમાં મોક્ષમાર્ગ પ્રગટ કરવો; તે માટે હે
આત્મા! તું સાવધાન થા.
નવતત્ત્વોનો નિર્ણય કરીને આત્માનો અનુભવ ન કરે તો અનાદિનું મિથ્યાત્વ ટળતું
નથી. તેથી જ્ઞાનીઓએ સાત તત્ત્વોની શ્રદ્ધામાં જીવની ભૂલ શું છે તે બતાવીને તે
છોડવાનો ઉપદેશ દીધો છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર આનંદદાયક છે ને મિથ્યાદર્શન–
ચારિત્રને ગ્રહણ કરો, ને મિથ્યાદર્શન–જ્ઞાન–ચારિત્રને છોડો.
કે નહીં? ધર્મના નામે તું જે ઉપાયો અત્યાર સુધી કરતો હતો તેનું જૂઠાપણું દર્શાવ્યું તે
તેમજ છે કે નહિ? તથા સમ્યગ્દર્શનાદિ વડે સિદ્ધઅવસ્થામાં પ્રાપ્ત થતાં પરમ સુખ થાય–
એ વાત બરાબર છે કે નહીં? –આ બધું તું વિચારી જો. અને જો ઉપર કહ્યા પ્રમાણે જ
તને પ્રતીતિ આવતી હોય તો સંસારથી છૂટીને સિદ્ધપદ પામવાના અમે જે ઉપાય કહીએ
છીએ તે કર! વિલંબ ન કર. એ ઉપાય કરવાથી તારું કલ્યાણ જ થશે.
એવું સમ્યક્ સેવીએ જગતમાં જે સાર, વીતરાગવિજ્ઞાનથી થઈએ ભવથી પાર.
PDF/HTML Page 66 of 69
single page version
આજે છે વૈશાખ સુદ બીજ.....આકાશમાંથી જાણે આનંદ વરસી રહ્યો છે, દરિયો
આકાશમાર્ગે તો કોઈ જમીન માર્ગે ઉત્સવ ઉજવવા આવી રહ્યા છે....એ ઉત્સવ છે
આ ૮૨ મી જન્મજયંતિનો ઉત્સવ ઉજવવા.
ગૂંજી રહ્યા છે. ૮૨ કમાનોથી સુસજ્જિત રસ્તો રાહ જોઈ રહ્યો છે મુક્તિપુરીના
પથિકની......
જિનેન્દ્રદેવના ભક્તિથી દર્શન કરીને અર્ઘવડે પૂજન કર્યું.
ગુરુદેવને વધાવવા ઉત્સુક હતા....સૌએ ઉત્તમ ભાવપૂર્વક, ઉત્તમ ભાવના પૂર્વક,
ધર્મપ્રાપ્તિ માટે ગુરુદેવના મંગલ આશીષ લેતાંલેતા, ને ‘ચિરંજીવો’ ના મંગલ આશીષ
દેતાદેતાં, શ્રીફળ ધરીને ગુરુદેવને અભિનંદ કર્યા.....હૈયાના ઉમળકાથી નૃત્ય–ગાન–
જયજયકારવડે સૌએ આનંદ વ્યક્ત કર્યો. ઉપરથી જાણે અમૃત ઝરતું હતું...ધીરગંભીર
ગુરુદેવની પ્રસન્ન–પ્રશાંત મુદ્રાનું દર્શન કરીને હૃદય તૃપ્ત–તૃપ્ત થતું હતું; અહા, મુક્તિનો
માર્ગ બતાવનારા આવા ગુરુ અમને મળ્યા....એમના મંગલ અવતારની સાથે અમારા
મોક્ષનો પણ અવતાર થયો. આવી આત્મિક ઉર્મિપૂર્વક જન્મોત્સવ ઉજવાયો.
પોરબંદરમાં જન્મોત્સવ ઉજવવાનું મહાભાગ્ય મળતાં પોરબંદરના મુમુક્ષુઓને, તેમજ
PDF/HTML Page 67 of 69
single page version
શ્રી જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા શહેરમાં ફરી હતી; રાત્રે ઘાટકોપરની ભજનમંડળીએ
નાટકદ્વારા કુંદકુંદાચાર્યદેવનો મહિમા તથા જીવનપરિચય રજુ કર્યો હતો. જન્મજયંતિ
પ્રસંગે દેશભરમાંથી દોઢસો ઉપરાંત ભક્તિભર્યા શુભેચ્છા સન્દેશ આવ્યા હતા.
ઝુલી રહેતા ઉત્તમ ફળો, ને શ્રીફળનો ઢગલો–મોક્ષફળ પાકવાની આગાહી કરતા હતા.
અતીન્દ્રિય આનંદને યાદ કરીને ગુરુદેવે કહ્યું કે ભગવાન આત્માનો સ્વભાવ અતીન્દ્રિય
આનંદથી ભરપૂર છે. તેનું ભાન કરતાં પર્યાયમાં તે આનંદનો અનુભવ થાય તે મંગળ
છે. તે મુક્તિનું કારણ છે.
આવી હતી, અને સમ્યગ્દર્શન (પુસ્તક ચોથું) પૂ. ગુરુદેવને સમર્પણ કરવામાં આવ્યું
હતું, તથા સેંકડો ભક્તજનોએ આજની ૮૨મી જન્મજયંતિની ખુશાલીમાં ૮૨ રૂા. ની
રકમો નોંધાવી હતી–જેમાં રૂા. સત્તાવીશ હજાર ઉપરાંત રકમો થઈ હતી. (આ રકમ
સોનગઢ–જ્ઞાનખાતામાં વપરાય છે.
પોરબંદરમાં પૂ. ગુરુદેવનો ૮૨ મો મંગલ–જન્મોત્સવ ઉજવાયો હતો. ધન્ય બની
પોરબંદરની ધરતી....ને ધન્ય બન્યા સૌ ભક્તો. જયવંત વર્તો જગમંગલકારી ગુરુદેવ.
વૈરાગ્ય સમાચાર:– મોટા આંકડિયાવાળા શ્રી હેમકુંવરબેન પરમાણંદ ઠોસાણી વૈશાખ
પ્રત્યે અત્યંત બહુમાન હતું. તેઓ અવારનવાર સોનગઢ આવી લાભ લેતા હતા. કેન્સર
હોવા છતાં થોડા દિવસ પહેલાંં જ તેઓ પૂ. ગુરુદેવના દર્શન માટે સોનગઢ આવેલા અને
પૂ. ગુરુદેવે તેમને માંગલિક સંભળાવી આત્માનું લક્ષ રાખવા સંબંધી બે શબ્દ
કહેલા....જેથી તેઓ રોગને ભૂલી એકદમ ઉલ્લાસમાં આવી ગયા અને કહ્યું–કે શરીર
છૂટી જાય એની જરાય ચિંતા નથી. પણ અહીં સોનગઢમાં આપના ચરણોમાં આ દેહ
છૂટે એવી ભાવના છે.
PDF/HTML Page 68 of 69
single page version
કહ્યું કે–
જીવનું લક્ષણ ઉપયોગ છે–
તેના ઉપર લક્ષ કરીને જે ઉપયોગ શુદ્ધ થયો તે કોઈથી હરાતો નથી, દબાતો નથી. તે
ઉપયોગ વચ્ચે ભંગ પાડ્યા વગર પરમાત્મપદને પ્રાપ્ત કરશે.
નથી. જે ઉપયોગ અંતરમાં વળીને દ્રવ્ય સાથે એક થયો તે ઉપયોગ કદી ફરે નહિ. દ્રવ્યનો
નાશ થાય તો તેનો નાશ થાય. –તે ઉપયોગ કદી હણાય નહિ. આવો અખંડ ઉપયોગ
પ્રગટ્યો તે મંગળ છે, તેમાં હવે ભંગ પડે નહીં. સ્વભાવનો રંગ લાગ્યો ત્યાં હવે વચ્ચે
બીજાનો રંગ આવે નહિ. અનંત ધર્મનો ધણી એવો આત્માનો સ્વભાવ, તેને જ્યાં
કરીને હે નાથ! અમે આપના પગલે મોક્ષના માર્ગ ચાલ્યા આવીએ છીએ, આવી અમારા
કૂળની રીત છે. તેમાં વચ્ચે ભંગ પડવાનો નથી. તે ઉપયોગ અપ્રતિહતપણે પરમાત્મપદ
પ્રગટ કરશે. –તે મંગળ છે.
ચાલે છે. રાત્રે તત્ત્વચર્ચા થાય છે.
PDF/HTML Page 69 of 69
single page version
ભામંડલની મનોવૃત્તિ તેનું ઉદાહરણ છે. તે ભામંડળ રાજા એમ વિચારે છે
કે–મેં આ શરીરને સુખેથી પાળ્યું છે તેથી હજી થોડા દિવસ રાજ્યસુખ
ભોગવી લઉં; કલ્યાણના કારણરૂપ એવી ચારિત્રદશાને પછી ધારણ કરીશ.
આ કામ–ભોગ છોડવા કઠણ છે, તેનાથી મને જે પાપ બંધાશે તેને હું પછી
ઘડતાં–ઘડતાં તે ભામંડલે સેંકડો વર્ષો વિષયભોગોમાં વીતાવી
દીધા.....પરંતુ આયુષ્યનો અંત નજીક આવે છે–એનો વિચાર ન કર્યો.
આત્મહિત પછી કરીશ પછી કરીશ–એમ કરતાં, અંતે એકાએક વીજળી
પડવાથી તે સાતખંડા મહેલમાં સૂતાંસૂતાં જ મરણ પામ્યો...પ્રમાદને કારણે
આત્મહિત સાધી ન શક્્યો.
તે એકક્ષણ પણ ચેન પામતો નથી. માથે મૃત્યુ ભમી રહ્યું છે–તેનું તેને
આત્મહિત કરતો નથી, ને અનેકવિધ કલ્પનાઓ વડે ખરાબ કર્મોને બાંધે
છે. ધન, યુવાની, જીવન–એ બંધુય અસ્થિર છે; તેને અસ્થિર જાણી, ભિન્ન
જાણી તેમાં સુખની કલ્પના છોડી, હે જીવ! તું આત્મકલ્યાણ કર. જેથી
તારો આત્મા ભવસાગરમાં ન ડૂબે. હથેલીમાં આવેલું આ મનુષ્યરત્ન તું
નકામું ગુમાવીશ મા. સમસ્ત લૌકિક કાર્યોને નિરર્થક જાણી, દુઃખરૂપ
ઈન્દ્રિયવિષયોને છોડી પરલોક સુધારવા માટે તું પરમ શ્રદ્ધાપૂર્વક
જિનશાસનને સેવ ને આત્મહિત કર.