Atmadharma magazine - Ank 331
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page  


Combined PDF/HTML Page 4 of 4

PDF/HTML Page 61 of 69
single page version

background image
: ૫૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
અભ્યાસમાં, અને તેને લગતા સાહિત્યમાં રસ લેશો તો જરૂર ગમશે. પુરાણ–
પુરુષોનું જીવનચરિત્ર તમને ઘણો ઉલ્લાસ આપશે. (ને એવા પુસ્તકો તો
તમારા સુરતમાં જ મળે છે– ‘જૈનમિત્ર’ માંથી તો આજથી જ મૂરત કરી દો.)
૪પ. પ્રશ્ન:– સમ્યગ્દર્શન થયા પછી દેવ કે મનુષ્યનું જ આયુ બંધાય–તે બરાબર, પણ
સમ્યગ્દર્શન વગરનો કોઈ મનુષ્ય મરીને પાછો મનુષ્યભવમાં જ અવતરે–
એમ બને? (સ. નં. ૪૩૬)
ઉત્તર:– હા, એમ બની શકે છે. સમ્યગ્દ્રષ્ટિ મનુષ્ય મરીને વિદેહક્ષેત્ર વગેરે કર્મ
ભૂમિમાં કદી ન અવતરે, પણ મિથ્યાદ્રષ્ટિ મનુષ્ય મરીને વિદેહક્ષેત્ર વગેરે
કર્મભૂમિમાં પણ અવતરે છે.
૪૬. પ્રશ્ન:– અનંતા જીવો છે તેમાંથી છ મહિના આઠ સમયે ૬૦૮ જીવો મોક્ષ જાય છે;
એવો મોક્ષનો પ્રવાહ સદાય ચાલ્યા જ કરે છે; તો અમુક કાળે બધાય જીવો
મોક્ષ પામી જાય ને સંસારમાં જીવો ખલાસ થઈ જાય–એમ નહીં બને?
ઉત્તર:– ના; જીવોની સંખ્યા એટલી અનંત છે કે તે કદી નહીં ખૂટે. મોક્ષ કરતાં
સંસારી જીવો સદાય અનંતાગુણ જ રહેશે. જેમ બધોય ભવિષ્યકાળ કદી
ભૂતકાળરૂપ નહીં થઈ જાય. તેમ બધાય જીવો કદી મુક્ત નહિ થઈ જાય.
ભૂત અને ભવિષ્યકાળ સદાય રહેવાના છે તેમ મુક્ત અને સંસારી જીવ પણ
સદાય રહેવાના છે. જીવની અને કાળની અનંતતા એ એવા અતીન્દ્રિય
જ્ઞાનનો વિષય છે કે તેમાં ઈન્દ્રિયજન્ય ગણિત કામ ન આવે.
૪૭. પ્રશ્ન:– આપણે નમસ્કારમંત્રમાં જે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીએ છીએ તેઓ હાલ
ક્્યાં છે? (હરીશ જૈન. જામનગર)
ઉત્તર:– સીમંધરાદિ આઠલાખ જેટલા અરિહંત ભગવંતો આ મનુષ્યલોકમાં
વિદેહક્ષેત્રમાં અત્યારે વિચરે છે. સિદ્ધભગવંતો લોકના છેડે અનંતા બિરાજે
છે. (આપણા માથાની બરાબર ઉપર પણ લોકાગ્રે અનંત સિદ્ધભગવંતો
બિરાજે છે.) આચાર્ય–ઉપાધ્યાય અને સાધુ અઢી દ્વીપમાં (ભરત–ઐરાવત
અને વિદેહક્ષેત્રમાં) વિચરે છે; ભરતક્ષેત્રમાં અત્યારે તેમની અત્યંત વિરલતા
છે. પરંતુ અઢીદ્વીપમાં તો આઠ કરોડ નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો ને
સત્તાણું (૮, ૯૯૯૯૯૯૭) સાધુ ભગવંતો વિચરે છે. –તે સૌને આપણા
નમસ્કાર હો.
૪૮. પ્રશ્ન:– ચંચળ મનને મનાવવું કેવી રીતે? (જોરાવરનગર સ. નં. ૧૬૯૪ થી
૧૬૯૮)

PDF/HTML Page 62 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૫૯ :
ઉત્તર:– મન તો એવું છે કે મનાવ્યું કોઈ રીતે માને તેમ નથી; એક જ ઉપાય છે કે
આત્માથી એને જુદું પાડી દો... મનથી પણ હું જુદો છું–એમ આત્માને લક્ષમાં
લ્યો, એટલે મનની ચંચળતા મટી જશે.
૪૯. પ્રશ્ન:– અઢીદ્વીપ પછી માનુષોત્તર પર્વત છે ત્યાંથી આગળ કોઈ મનુષ્ય કેમ નહીં
જઈ શકતા હોય? (રંજનબેન, વઢવાણ)
ઉત્તર:– સંસારની ચારે ગતિમાં કોઈ ને કોઈ પ્રકારે પરાધીનતા છે, માટે હે જીવ! તું
ચારે ગતિના બંધનને છેદીને સિદ્ધપદને સાધ. મનુષ્ય ભલે માનુષોત્તરની બહાર
ન જઈ શકે પણ મોક્ષને સાધી શકે છે. (અઢી દ્વીપ બહાર વિગ્રહ ગતિનાં
મનુષ્યો કે સમુદ્ઘાતવાળા મનુષ્ય હોય છે તે હકીકત શાસ્ત્રોથી જાણી લેવી.)
પ૦. પ્રશ્ન:– સિદ્ધ ભગવાન અલોકમાં કેમ નથી જતા?
ઉત્તર:– એમને અલોકમાં જવાનું કાંઈ પ્રયોજન નથી. પ્રયોજન વગરની પ્રવૃત્તિ
સિદ્ધભગવાનને કેમ હોય? લોકાગ્રે તેઓ સંપૂર્ણ સુખી છે અને સદાકાળ ત્યાં
જ સ્થિર રહેવાનો તેમનો સ્વભાવ છે.
વળી સિદ્ધભગવાન જો અલોકમાં જાય તો અલોકનો જ નાશ થઈ જાય; તેનું
અલોકપણું ન રહે.
પ૧. પ્રશ્નકાર રાજનભાઈ મુંબઈથી લખે છે કે જૈનેતર સંપ્રદાયમાં જન્મ હોવા
છતાં જૈનધર્મ પ્રત્યે મને ખૂબ જ આદરભાવ–પ્રેમ છે; કેમકે આત્મધર્મમાં
આવતી ગુરુદેવશ્રીની વાણીદ્વારા સમ્યક્ સમજ મળતી રહે છે.
પ્રશ્ન:– જગત અને જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
ઉત્તર:– જીવ અને અજીવ અનંત દ્રવ્યોના સમૂહરૂપ આ જગતનું સત્પણું સદાય છે;
તેઓ તદ્ન નવા કદી ઉત્પન્ન થયા નથી, તેમજ સર્વથા નાશ પણ કદી નહિ
થાય, સત્પણું કાયમ રાખીને તેઓ નવાનવા ભાવરૂપે ઉત્પાદ–વ્યય કર્યા કરે છે.
પ૨. સર્વજ્ઞસ્વભાવી આત્મા ઉપર કર્મની અસર કેવી રીતે થઈ?
ઉત્તર:– પોતે પોતાના સર્વજ્ઞસ્વભાવનું અવલંબન ન લીધું, ને તેને ભૂલીને પરના
અવલંબનથી રાગ–દ્વેષ–મોહરૂપ થયો......તેથી તેને કર્મ સાથે સંબંધ થયો. પણ
કર્મોએ તેના ઉપર કાંઈ અસર કરી નથી. જો પોતે સર્વજ્ઞસ્વભાવની સન્મુખ
થઈને પરિણમે તો રાગાદિ ભાવકર્મ પણ ન રહે ને જડકર્મનો સંબંધ પણ ન રહે.

PDF/HTML Page 63 of 69
single page version

background image
: ૬૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
પ૩ પ્રશ્ન:– આત્મા બળવાન કે કર્મ?
ઉત્તર:– આત્માનું અનંત બળ આત્મામાં, કર્મનું બળ કર્મમાં; પણ કોઈ તત્ત્વનું બળ
બીજા ઉપર ચાલતું નથી.
પ૪ પ્રશ્ન:– જૈન મુનિઓ સફેદ વસ્ત્રો જ કેમ રાખે છે?
ઉત્તર:–
मूलं नास्ति कुतो शाखा? જૈન સાધુઓને વસ્ત્ર જ હોતાં નથી, પછી તેના
રંગની શી વાત? વસ્ત્રસહિત દશામાં શ્રાવકપણું હોઈ શકે, સાધુપણું ન હોય.
પપ પ્રશ્ન:– આત્મા નિરંજન–નિરાકાર છે તો તેને કયા સાધનવડે પ્રાપ્ત કરી શકાય છે?
(કાંતિલાલ જૈન....દામનગર)
ઉત્તર:– જે સાધનવડે આત્માનું નિરંજન–નિરાકારપણું નક્કી થાય છે તે જ સાધન
વડે તેની પ્રાપ્તિ (એટલે કે સ્વાનુભૂતિ) થાય છે; આત્મા કાંઈ બીજે ક્્યાંય
નથી કે તેને પ્રાપ્ત કરવાનો હોય; પોતે જ આત્મા છે.....અંતર્મુખ ચેતનાવડે
પોતે પોતાનો અનુભવ કર્યો એને જ આત્મપ્રાપ્તિ (પ્રાપ્તની પ્રાપ્તિ)
કહેવાય છે.
પ૬. પ્રશ્ન:– આત્મા અને દેહ જુદા હોવા છતાં દુઃખ વખતે આંખમાં આંસુ કેમ આવે છે?
ઉત્તર:–
તે પ્રકારનો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ છે.
પ૭. પ્રશ્ન:– આત્માની સાધના માટે વ્રત–તપની આવશ્યકતા ખરી?
ઉત્તર:– તે સમજવા માટે પહેલાંં વ્રત–તપનું અને આત્મસાધનાનું સ્વરૂપ ઓળખવું
જોઈએ. પ્રથમ તો આત્માની સાધના એટલે કે પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષની
સાધના, તે શુદ્ધ વીતરાગભાવવડે જ થાય છે, રાગવડે થતી નથી.
હવે વ્રત–તપ બે જાતનાં છે–એક વીતરાગભાવરૂપ નિશ્ચય–તપ; અને
બીજા શુભરાગરૂપ વ્યવહાર વ્રત–તપ. બસ, આટલું સમજતાં તમારા પ્રશ્નનો
ઉત્તર તમને મળી જશે.
પ૮:– રાગાદિ ભાવો જીવની પર્યાયમાં થાય છે છતાં સમયસારમાં તેને પુદ્ગલનાં
કેમ કહ્યા? (વિમળાબેન, હિંમતનગર)
ઉત્તર:– કેમકે શુદ્ધ જીવની અનુભૂતિથી તે બહાર રહી જાય છે, માટે તેને જીવ ન
કહ્યો. પુદ્ગલમય છે એટલે ચેતનમય નથી–એમ સમજવું.

PDF/HTML Page 64 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૬૧ :
પ૯ પ્રશ્ન:– ગુરુ એટલે કોણ?
ઉત્તર:– ગુણમાં જે મોટા હોય તેને ગુરુ કહેવાય છે. રત્નત્રયગુણ તે ધર્મ છે, ને તેમાં
જે મોટા હોય તે ધર્મગુરુ છે. સમ્યગ્જ્ઞાનનો બોધ આપનારા જ્ઞાની–ધર્માત્મા
તે પણ જ્ઞાનગુરુ છે.
૬૦. પ્રશ્ન:– જેનધર્મને આબાદ કરવા શું કરવું?
ઉત્તર:– કહે હરિ જેનધર્મને કરવા આબાદાન,
સરસ રીત તો એજ છે દ્યો બચ્ચાંને જ્ઞાન.
(–બાકીનાં પ્રશ્નોત્તર આવતા અંકે)
* * * * *
હે જીવ! આત્મહિતના અવસરમાં તું સાવધાન થા
*
જિજ્ઞાસુ જીવોના કલ્યાણ માટે ભગવાને વીતરાગ વિજ્ઞાનનો ઉપદેશ આપ્યો
છે; તેમાં દુઃખના કારણરૂપ મિથ્યાત્વાદિનું સ્વરૂપ ઓળખાવીને તેનો નિષેધ કર્યો છે;
એટલે મિથ્યાત્વના પ્રકારોને ઓળખીને પોતામાં કોઈ એવો દોષ હોય તો તે દૂર
કરી, સમ્યક્ શ્રદ્ધા પ્રગટ કરવી; પણ કોઈ અન્યના એવા દોષો જોઈ કષાય ન કરવો;
કારણ કે પોતાનું ભલુ–બૂરું તો પોતાના પરિણામોથી જ થાય છે. પોતાના હિત
માટે, સર્વ પ્રકારના મિથ્યાભાવ છોડીને સમ્યગ્દ્રષ્ટિ થવું યોગ્ય છે. મિથ્યાત્વ તે
સંસારનું મૂળ કારણ છે; રાગ–દ્વેષ શુભાશુભ પરિણામ તે પણ દુઃખ છે, તે પણ
સંસારનું કારણ છે, આવા મિથ્યાત્વ અને રાગ–દ્વેષને દુઃખરૂપ જાણીને, હે જીવો! હવે
તો તેનું સેવન છોડો; ને આત્માનાં શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં લીનતાનો ઉદ્યમ કરો.
હૈ ચૈતન્ય–દોલતવાળા દૌલતરામ! હૈ આતમરામ! તું તારા
અનંતગુણનિધાનની દોલતને સંભાળ. આ સોના–ચાંદીની દોલત જડ, એ તો
તારાથી જુદી છે; તારો આત્મા કેવળજ્ઞાનાદિ અનંતગુણ દોલતથી ભરપૂર છે; તેને
ઓળખીને તારા નિજનિધાનને સંભાળ. ભાઈ, તારામાં તો કેવળજ્ઞાન ને સિદ્ધપદ
પ્રગટવાની તાકાત છે, પણ પોતાને ભૂલીને તું ભવમાં ભટક્્યો. માટે હવે તો બીજી
બધી પંચાત છોડીને, જગતની જંજાળ છોડીને તું આત્મહિતના ઉદ્યમમાં
લાગ......રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને પ્રગટ કર.

PDF/HTML Page 65 of 69
single page version

background image
: ૬૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
અહા, વીતરાગી સન્તો કરુણા પૂર્વક કહે છે કે હે ભાઈ! अब आतमके हितपंथ
लाग’ બાપુ, તારો ઘણો કાળ દુઃખમાં ચાલ્યો ગયો, હવે તો સાવધાન થઈને આત્માનું
હિત કર. હિત કરવાનો આ અવસર છે. આ ઉત્તમ અવસરને ચુકીશ ના. રાગ દુઃખદાયક
હોવા છતાં તેને સુખદાયક માનીને સેવ્યો, ને સમ્યગ્દર્શનપૂર્વકનો વીતરાગી ચારિત્રધર્મ
આનંદદાયક હોવા છતાં તેને દુઃખદાયક માન્યો–એ પ્રમાણે બંધ–મોક્ષના કારણોમાં ભૂલ
કરી એટલે તત્ત્વશ્રદ્ધામાં વિપરીતતા થઈ. એ તત્ત્વની ભૂલરૂપ મિથ્યાત્વ છોડીને, યથાર્થ
તત્ત્વ ઓળખીને સમ્યગ્દર્શન પ્રગટ કરીને અંતરમાં મોક્ષમાર્ગ પ્રગટ કરવો; તે માટે હે
આત્મા! તું સાવધાન થા.
સાચા જૈન વીતરાગમાર્ગ સિવાય બીજા માર્ગને માનવો તે તો ગૃહીતમિથ્યાત્વ
છે. –તેમાં ઊંધાઈ છે; ને જૈનમાર્ગમાં આવીને પણ જો પોતે અંતરમાં સર્વજ્ઞદેવે કહેલા
નવતત્ત્વોનો નિર્ણય કરીને આત્માનો અનુભવ ન કરે તો અનાદિનું મિથ્યાત્વ ટળતું
નથી. તેથી જ્ઞાનીઓએ સાત તત્ત્વોની શ્રદ્ધામાં જીવની ભૂલ શું છે તે બતાવીને તે
છોડવાનો ઉપદેશ દીધો છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર આનંદદાયક છે ને મિથ્યાદર્શન–
જ્ઞાન–ચારિત્ર મહાદુઃખદાયક છે; માટે એ બંનેને બરાબર ઓળખીને સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રને ગ્રહણ કરો, ને મિથ્યાદર્શન–જ્ઞાન–ચારિત્રને છોડો.
જ્ઞાનીઓ કરુણાથી ઉપદેશ કરે છે કે હે ભાઈ! હે ભવ્ય! અહીં સંસારમાં જે દુઃખો
બતાવ્યાં, તથા તેના કારણરૂપ મિથ્યાત્વાદિ ભાવો બતાવ્યાં, તેનો અનુભવ તને થાય છે
કે નહીં? ધર્મના નામે તું જે ઉપાયો અત્યાર સુધી કરતો હતો તેનું જૂઠાપણું દર્શાવ્યું તે
તેમજ છે કે નહિ? તથા સમ્યગ્દર્શનાદિ વડે સિદ્ધઅવસ્થામાં પ્રાપ્ત થતાં પરમ સુખ થાય–
એ વાત બરાબર છે કે નહીં? –આ બધું તું વિચારી જો. અને જો ઉપર કહ્યા પ્રમાણે જ
તને પ્રતીતિ આવતી હોય તો સંસારથી છૂટીને સિદ્ધપદ પામવાના અમે જે ઉપાય કહીએ
છીએ તે કર! વિલંબ ન કર. એ ઉપાય કરવાથી તારું કલ્યાણ જ થશે.
મિથ્યાત્વાદિ સેવતાં થયું જીવને દુઃખ; તે છોડી સમ્યક્ ભજો થાયે સાચું સુખ.
એવું સમ્યક્ સેવીએ જગતમાં જે સાર, વીતરાગવિજ્ઞાનથી થઈએ ભવથી પાર.

PDF/HTML Page 66 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૬૩ :
પોરબંદરમાં મંગલ જન્મોત્સવ
(વૈશાખ સુદ બીજનો આંખે દેખ્યો અહેવાલ)

આજે છે વૈશાખ સુદ બીજ.....આકાશમાંથી જાણે આનંદ વરસી રહ્યો છે, દરિયો
ઉલ્લસી–ઉલ્લસીને જાણે અભિષેક કરવા ઉમગી રહ્યો છે, હજારો ભક્તજનો–કોઈ
આકાશમાર્ગે તો કોઈ જમીન માર્ગે ઉત્સવ ઉજવવા આવી રહ્યા છે....એ ઉત્સવ છે
જગમંગલકારી કહાન ગુરુરાજની મંગલ જન્મજયંતિનો. પોરબંદર ભાગ્યવાન બન્યું છે.
આ ૮૨ મી જન્મજયંતિનો ઉત્સવ ઉજવવા.
જાણે આખી અયોધ્યા નગરી શણગારાતી હોય એમ સર્વત્ર શણગારથી શ્રીમંડપ
શોભી રહ્યો છે; મંડપમાં પારસપ્રભુ બિરાજી રહ્યા છે, ચારે કોર આનંદ–મંગલનાં ગીત
ગૂંજી રહ્યા છે. ૮૨ કમાનોથી સુસજ્જિત રસ્તો રાહ જોઈ રહ્યો છે મુક્તિપુરીના
પથિકની......
મંગલ વાજિંત્રના નાદે ગુરુદેવના આગમનની વધાઈ આપી, જયજયકારથી
મંડપ ગૂંજી ઊઠ્યો.... ગુરુદેવે શ્રીમંડપમાં પધારીને પ્રથમ ભગવાન શ્રી પારસનાથ
જિનેન્દ્રદેવના ભક્તિથી દર્શન કરીને અર્ઘવડે પૂજન કર્યું.
૮૨ દરવાજામાંથી પસાર થઈને ગુરુદેવ મંડપમાં બિરાજ્યા, ને જન્મવધાઈ શરૂ
થઈ....એક–બે પાંચ–પચાસ નહિ પરંતુ એક સાથે હજાર–હજાર હાથ ઊંચા થઈને
ગુરુદેવને વધાવવા ઉત્સુક હતા....સૌએ ઉત્તમ ભાવપૂર્વક, ઉત્તમ ભાવના પૂર્વક,
ધર્મપ્રાપ્તિ માટે ગુરુદેવના મંગલ આશીષ લેતાંલેતા, ને ‘ચિરંજીવો’ ના મંગલ આશીષ
દેતાદેતાં, શ્રીફળ ધરીને ગુરુદેવને અભિનંદ કર્યા.....હૈયાના ઉમળકાથી નૃત્ય–ગાન–
જયજયકારવડે સૌએ આનંદ વ્યક્ત કર્યો. ઉપરથી જાણે અમૃત ઝરતું હતું...ધીરગંભીર
ગુરુદેવની પ્રસન્ન–પ્રશાંત મુદ્રાનું દર્શન કરીને હૃદય તૃપ્ત–તૃપ્ત થતું હતું; અહા, મુક્તિનો
માર્ગ બતાવનારા આવા ગુરુ અમને મળ્‌યા....એમના મંગલ અવતારની સાથે અમારા
મોક્ષનો પણ અવતાર થયો. આવી આત્મિક ઉર્મિપૂર્વક જન્મોત્સવ ઉજવાયો.
જન્મોત્સવ–પ્રસંગે બહારથી હજાર ઉપરાંત ભક્તજનો ઉત્સવમાં ભાગ લેવા
આવ્યા હતા....પોરબંદરની જનતાએ પણ હજારોની સંખ્યામાં લાભ લીધો હતો.
પોરબંદરમાં જન્મોત્સવ ઉજવવાનું મહાભાગ્ય મળતાં પોરબંદરના મુમુક્ષુઓને, તેમજ
શેઠશ્રી ભુરાલાલ–

PDF/HTML Page 67 of 69
single page version

background image
: ૬૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૭
ભાઈના સુપુત્રો અને પરિવારને ઘણો ઉલ્લાસ થયો હતો. જન્મોત્સવના આગલે દિવસે
શ્રી જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા શહેરમાં ફરી હતી; રાત્રે ઘાટકોપરની ભજનમંડળીએ
નાટકદ્વારા કુંદકુંદાચાર્યદેવનો મહિમા તથા જીવનપરિચય રજુ કર્યો હતો. જન્મજયંતિ
પ્રસંગે દેશભરમાંથી દોઢસો ઉપરાંત ભક્તિભર્યા શુભેચ્છા સન્દેશ આવ્યા હતા.
આજે રૂપાળીબા–બાગના શાંત મધુર વાતાવરણની વચ્ચે મંડપની શોભા અનેરી
હતી, અને એ મંડપ વચ્ચે બિરાજમાન ગુરુદેવનો મહિમા અદ્ભુત હતો. ચારે બાજુ
ઝુલી રહેતા ઉત્તમ ફળો, ને શ્રીફળનો ઢગલો–મોક્ષફળ પાકવાની આગાહી કરતા હતા.
મોક્ષનો સંદેશ આપતા વૈશાખ સુદ બીજના મંગલ–પ્રવચનમાં સૌથી પહેલાંં આત્માના
અતીન્દ્રિય આનંદને યાદ કરીને ગુરુદેવે કહ્યું કે ભગવાન આત્માનો સ્વભાવ અતીન્દ્રિય
આનંદથી ભરપૂર છે. તેનું ભાન કરતાં પર્યાયમાં તે આનંદનો અનુભવ થાય તે મંગળ
છે. તે મુક્તિનું કારણ છે.
–હજારો શ્રોતાજનોએ શાંતિચિત્તે મુક્તિમાર્ગ સન્દેશ સાંભળ્‌યો...પ્રવચન બાદ
સમસ્ત સમાજ તરફથી ગુરુદેવના મહાન ઉપકારને પ્રસિદ્ધ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં
આવી હતી, અને સમ્યગ્દર્શન (પુસ્તક ચોથું) પૂ. ગુરુદેવને સમર્પણ કરવામાં આવ્યું
હતું, તથા સેંકડો ભક્તજનોએ આજની ૮૨મી જન્મજયંતિની ખુશાલીમાં ૮૨ રૂા. ની
રકમો નોંધાવી હતી–જેમાં રૂા. સત્તાવીશ હજાર ઉપરાંત રકમો થઈ હતી. (આ રકમ
સોનગઢ–જ્ઞાનખાતામાં વપરાય છે.
બપોરે પ્રવચન પછી સુંદર–ભજન–ભક્તિ થયા હતા; રાત્રે પણ ભક્તિ–ભજનનો
આનંદમય કાર્યક્રમ હતો. આ રીતે આખોય દિવસ આનંદમય વાતાવરણ વચ્ચે
પોરબંદરમાં પૂ. ગુરુદેવનો ૮૨ મો મંગલ–જન્મોત્સવ ઉજવાયો હતો. ધન્ય બની
પોરબંદરની ધરતી....ને ધન્ય બન્યા સૌ ભક્તો. જયવંત વર્તો જગમંગલકારી ગુરુદેવ.
વૈરાગ્ય સમાચાર:– મોટા આંકડિયાવાળા શ્રી હેમકુંવરબેન પરમાણંદ ઠોસાણી વૈશાખ
સુદ ૩ તા. ૨૭–૪–૭૧ રોજ ભિલાઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેમને દેવ–ગુરુ–ધર્મ
પ્રત્યે અત્યંત બહુમાન હતું. તેઓ અવારનવાર સોનગઢ આવી લાભ લેતા હતા. કેન્સર
હોવા છતાં થોડા દિવસ પહેલાંં જ તેઓ પૂ. ગુરુદેવના દર્શન માટે સોનગઢ આવેલા અને
પૂ. ગુરુદેવે તેમને માંગલિક સંભળાવી આત્માનું લક્ષ રાખવા સંબંધી બે શબ્દ
કહેલા....જેથી તેઓ રોગને ભૂલી એકદમ ઉલ્લાસમાં આવી ગયા અને કહ્યું–કે શરીર
છૂટી જાય એની જરાય ચિંતા નથી. પણ અહીં સોનગઢમાં આપના ચરણોમાં આ દેહ
છૂટે એવી ભાવના છે.
દેવ–ગુરુ–ધર્મનાં શરણે તેઓ આત્મહિત સાધે એ જ ભાવના.

PDF/HTML Page 68 of 69
single page version

background image
: વૈશાખ : ૨૪૯૭ આત્મધર્મ : ૬૫ :
રાજકોટમાં મંગલાચરણ
પોરબંદરમાં મંગલ જન્મોત્સવ ઉજવાયા બાદ વૈશાખ સુદ ત્રીજે પૂ. ગુરુદેવ ગોંડલ
પધાર્યા અને ત્યાં બે દિવસ રહીને વૈશાખ સુદ પાંચમના રોજ રાજકોટ શહેર પધાર્યા;
ઉત્સાહપૂર્વક મંગળ સ્વાગત થયું; સીમંધરનાથના દર્શન બાદ ભાવભીના મંગલપ્રવચનમાં
કહ્યું કે–
આત્મા જ્ઞાયકતત્ત્વ છે; ઉપયોગ તેનું લક્ષણ છે, તે ઉપયોગલક્ષણવડે આત્માને
જ્યાં લક્ષમાં લીધો ત્યાં તે ઉપયોગને કોઈ હરણ કરી શકતું નથી. ભગવાન કહે છે કે
જીવનું લક્ષણ ઉપયોગ છે–
सव्वण्हुणाणदिठ्ठो जीवो उवओगलक्खणो णिच्चं।
ભગવાન સર્વજ્ઞદેવે જીવ સદા ઉપયોગલક્ષણ જોયો છે. જે ઉપયોગ અંતરમાં
પોતાના કારણ પરમાત્માને લક્ષ્ય કરે તેને સાચું લક્ષણ કહેવાય છે. જેનું લક્ષણ ઉપયોગ છે
તેના ઉપર લક્ષ કરીને જે ઉપયોગ શુદ્ધ થયો તે કોઈથી હરાતો નથી, દબાતો નથી. તે
ઉપયોગ વચ્ચે ભંગ પાડ્યા વગર પરમાત્મપદને પ્રાપ્ત કરશે.
‘ઉપયોગ’ તેને કહેવાય કે જે પોતાના આત્માને અવલંબે. બહારમાં રાગ
દ્વેષાદિને અવલંબીને જે રોકાય તેને તો અનુપયોગ કહે છે, તેને આત્માનું લક્ષણ નથી
કહેતા. આત્માને જે પકડે તેને જ આત્માનું લક્ષણ કહેવાય, કેમકે લક્ષ્યથી જુદું લક્ષણ રહેતું
નથી. જે ઉપયોગ અંતરમાં વળીને દ્રવ્ય સાથે એક થયો તે ઉપયોગ કદી ફરે નહિ. દ્રવ્યનો
નાશ થાય તો તેનો નાશ થાય. –તે ઉપયોગ કદી હણાય નહિ. આવો અખંડ ઉપયોગ
પ્રગટ્યો તે મંગળ છે, તેમાં હવે ભંગ પડે નહીં. સ્વભાવનો રંગ લાગ્યો ત્યાં હવે વચ્ચે
બીજાનો રંગ આવે નહિ. અનંત ધર્મનો ધણી એવો આત્માનો સ્વભાવ, તેને જ્યાં
ઉપયોગમાં લીધો ત્યાં તે ઉપયોગમાં હવે બીજો ભાવ આવવા ન દઉં. આવો ઉપયોગ પ્રગટ
કરીને હે નાથ! અમે આપના પગલે મોક્ષના માર્ગ ચાલ્યા આવીએ છીએ, આવી અમારા
કૂળની રીત છે. તેમાં વચ્ચે ભંગ પડવાનો નથી. તે ઉપયોગ અપ્રતિહતપણે પરમાત્મપદ
પ્રગટ કરશે. –તે મંગળ છે.
રાજકોટમાં પૂ. ગુરુદેવ ૧પ દિવસ સુધી (તા. ૨૯ એપ્રિલથી ૧૩મે સુધી)
બિરાજવાના છે. સવારે શ્રી નિયમસાર તથા બપોરે સમયસારની ૪૭ શક્તિ ઉપર પ્રવચન
ચાલે છે. રાત્રે તત્ત્વચર્ચા થાય છે.
રાજકોટ પછી સુરેન્દ્રનગર તથા અમદાવાદ થઈને જયપુર પધારશે. રવિવાર તા.
૧૬ ના રોજ ત્યાં સ્વાગત થશે.

PDF/HTML Page 69 of 69
single page version

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 187
દીર્ઘસૂત્રી મનુષ્ય આત્મહિતને ચૂકી જાય છે
દીર્ઘસૂત્રી મનુષ્યો બાહ્ય વિષયોના અનેક પ્રકારે સંકલ્પ–વિકલ્પો
કર્યા કરે છે, ને પ્રમાદથી આત્મહિતને ચૂકી જાય છે. પદ્મપુરાણમાં
ભામંડલની મનોવૃત્તિ તેનું ઉદાહરણ છે. તે ભામંડળ રાજા એમ વિચારે છે
કે–મેં આ શરીરને સુખેથી પાળ્‌યું છે તેથી હજી થોડા દિવસ રાજ્યસુખ
ભોગવી લઉં; કલ્યાણના કારણરૂપ એવી ચારિત્રદશાને પછી ધારણ કરીશ.
આ કામ–ભોગ છોડવા કઠણ છે, તેનાથી મને જે પાપ બંધાશે તેને હું પછી
ધ્યાન–અગ્નિવડે પળવારમાં ભસ્મ કરી નાંખીશ. –એ પ્રકારના મનોરથ
ઘડતાં–ઘડતાં તે ભામંડલે સેંકડો વર્ષો વિષયભોગોમાં વીતાવી
દીધા.....પરંતુ આયુષ્યનો અંત નજીક આવે છે–એનો વિચાર ન કર્યો.
આત્મહિત પછી કરીશ પછી કરીશ–એમ કરતાં, અંતે એકાએક વીજળી
પડવાથી તે સાતખંડા મહેલમાં સૂતાંસૂતાં જ મરણ પામ્યો...પ્રમાદને કારણે
આત્મહિત સાધી ન શક્્યો.
–આ રીતે દીર્ઘસૂત્રી મનુષ્ય બહારનાં અનેક વિકલ્પ કરે છે પરંતુ
પોતાના આત્માના ઉદ્ધારનો ઉપાય નથી કરતો. વિષયતૃષ્ણા પાછળ દોડતો
તે એકક્ષણ પણ ચેન પામતો નથી. માથે મૃત્યુ ભમી રહ્યું છે–તેનું તેને
ભાન નથી. અરે, ક્ષણભંગુર ઈંદ્રિયવિષયોમાં લુબ્ધ થયેલો દુર્બુદ્ધિ જીવ
આત્મહિત કરતો નથી, ને અનેકવિધ કલ્પનાઓ વડે ખરાબ કર્મોને બાંધે
છે. ધન, યુવાની, જીવન–એ બંધુય અસ્થિર છે; તેને અસ્થિર જાણી, ભિન્ન
જાણી તેમાં સુખની કલ્પના છોડી, હે જીવ! તું આત્મકલ્યાણ કર. જેથી
તારો આત્મા ભવસાગરમાં ન ડૂબે. હથેલીમાં આવેલું આ મનુષ્યરત્ન તું
નકામું ગુમાવીશ મા. સમસ્ત લૌકિક કાર્યોને નિરર્થક જાણી, દુઃખરૂપ
ઈન્દ્રિયવિષયોને છોડી પરલોક સુધારવા માટે તું પરમ શ્રદ્ધાપૂર્વક
જિનશાસનને સેવ ને આત્મહિત કર.
(જુઓ, પદ્મપુરાણ પર્વ ૧૧૧)
પ્રકાશક : (સૌરાષ્ટ્ર)
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત : ૨૮૦૦