Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page  


Combined PDF/HTML Page 13 of 13

 

Page 228 of 237
PDF/HTML Page 241 of 250
single page version

background image
મોહ તો ડરીને ક્યાંય દૂર ભાગવા માંડયો છે; હવે મારી અને
આપની વચ્ચે કોઈ અંતરાય રહી શકશે નહિ. હું ઇન્દ્રિયોના કમાડને
તોડીને આપના અતીન્દ્રિય સ્વરુપમાં પ્રવેશ કરી રહ્યો છું. આપને
દેખીને હવે હું આપનામાં એવો લીન થઈ રહ્યો છું કે હવે આપને
દેખવાનો પણ વિકલ્પ નથી રહ્યો. હું – દ્રષ્ટા, મારાથી આપ કોઈ
બીજા નથી – કે જેને હું દેખું. હું જ પોતે મારો દ્રશ્ય અને દ્રષ્ટા છું.
‘‘नि र्वि क ल्पो हं’’
(પ્રયોગ) વિચાર : ૨૦ મિનિટ; ધ્યાન : ૨૦ મિનિટ)
b પ્રયોગ છઠ્ઠો b
(૨૬) અનુભવ માટે અત્યંત ઉત્સુક મારો આત્મા હવે એ
જાણવા આતુર છે કે અનુભવમાં શું થતું હશે? કઈ વસ્તુ એમાં
દેખાતી હશે? અને તેમાં કેવો સ્વાદ આવતો હશે!!
– તો, અત્યારસુધીના અભ્યાસના બળથી એમ જણાય છે
કે અનુભવમાં આત્માનું જે કાંઈ સર્વસ્વ છે તે બધુંય દેખાય છે; તથા
તેના બધાય ગુણો પોતપોતાના સ્વાભાવિક રુપમાં ખીલીને પોતાનું
કાર્ય કરવા લાગે છે; અને અનુભવરસમાં સર્વગુણોનો સ્વાદ
એકસાથે વેદનમાં આવે છે. એ સ્વાદની મીઠાશ એટલી બધી હોય
છે કે અતીન્દ્રિય જ્ઞાનમાં જ તે સમાઈ શકે છે. માનો કે, કદાચ જો
તે સ્થૂલરુપ ધારણ કરે તો આખા લોક – અલોકમાં પણ તેનો
આનંદ ન સમાય. – મારું આત્મતત્ત્વ જ એટલું મોટું છે કે આટલા
મહાન આનંદને એક સાથે પી જઈને પોતામાં સમાવી દે છે.
(૨૭) આવી મારી મહાનતા મારા લક્ષમાં આવે છે, તેથી
૨૨૮ : સ્વાનુભવનો પ્રયોગ )
( સમ્યગ્દર્શન

Page 229 of 237
PDF/HTML Page 242 of 250
single page version

background image
વિકલ્પની – રાગની કોઈ મહાનતા મને નથી ભાસતી; એટલે
વિકલ્પથી જુદું થઈને મારું જ્ઞાન ચૈતન્યની મહાનતામાં પ્રવેશ કરી
રહ્યું છે. આ રીતે મારું જ્ઞાન ઇન્દ્રિયોથી આઘું ખસીને, અતીન્દ્રિયતા
પામીને પોતે સ્વયં પણ મહાન થવા માંડયું છે.
(૨૮) આ રીતે ઇન્દ્રિયોથી તેમ જ વિકલ્પોથી પણ પાર આ
જ્ઞાન પોતે જ એટલું મહાન થઈ જાય છે કે પૂરા ચૈતન્યસ્વભાવને
એકસાથે પોતાનું જ્ઞેય બનાવવાની તાકાત રાખે છે.
(૨૯) જુઓ તો ખરા, હજી તો સમ્યક્ત્વની સન્મુખ થઈને
અભ્યાસ કરતાં પણ મારા મતિ – શ્રુતજ્ઞાન કેવું મહાન કાર્ય કરવા
લાગ્યા છે
! શું વિકલ્પમાં – રાગમાં કે ઇન્દ્રિયજ્ઞાનમાં એવી તાકાત
છે કે આટલા મહાન સ્વભાવનો સ્વીકાર કરી શકે? – ના, કદી
નહીં. અત્યારસુધી હું વિકલ્પમાં રાગમાં તથા ઇન્દ્રિય જ્ઞાનમાં જ
અટકી ગયો, તેથી મને બાહ્ય વિષયો જ દેખાયા, પરંતુ અંતરમાં
મારું મહાન ચૈતન્યતત્ત્વ મને કદી ન દેખાયું.
– પણ હવે તો હું જાગ્યો છું.....હવે મારું જાગૃત જ્ઞાન
ઇન્દ્રિયોમાં કે રાગમાં બંધાઈ નહીં રહે, પણ તેનું બંધન તોડીને,
રાગથી ભિન્ન અતીન્દ્રિય થઈને હું મારા મહાન ચૈતન્યતત્ત્વની સાથે
એવી એકાકાર દોસ્તી બાંધીશ કે અમારા બંનેની વચ્ચે કોઈ ભેદ કે
અંતર નહીં રહે; તથા મારા મહાન તત્ત્વમાં જે અતીન્દ્રિય આનંદ
ભર્યો છે તેને હું ભોગવીશ; – તે આનંદ કોઈ વિષયોમાં કે રાગમાં
મેં કદી નથી જોયો.
(૩૦) બસ, હવે લાંબા વિચાર બંધ કરીને હું સીધો જ
આનંદને ભોગવું છું.
(પ્રયોગ : વિચાર : ૨૦ મિનિટ ધ્યાન ૨૦ મિનિટ)
સમ્યગ્દર્શન )
( સ્વાનુભવનો પ્રયોગ : ૨૨૯

Page 230 of 237
PDF/HTML Page 243 of 250
single page version

background image
૨૩૦ : સ્વાનુભવનો પ્રયોગ )
( સમ્યગ્દર્શન
સૂચના
પ્રયોગ કરતાં કરતાં તમને પોતાના અંતરમાં શાંતિ વધતી
જાય છે ને કષાયોનો રસ તૂટતો જાય છે, મિથ્યાત્વાદિ તૂટવા માંડે
છે, – સમ્યક્ત્વ નજીકમાં આવતું દેખાય છે, – આવા ઉત્તમ
ભાવોની ઊર્મિઓ જાગે, – તો તમારો પ્રયોગ સત્ય છે. – તેનો
નિર્ણય પોતાની જાતે જ કરવાનો છે.
પ્રયોગ સાતમો
(૩૧) અહો, જિનેન્દ્રશાસન કેવું ગંભીર છે! ગંભીર હોય જ
ને! – કેમકે, એક તો તે પરમ ગુણગંભીર આત્મસ્વભાવને
દેખાડનારું છે, અને તેની ઉત્પત્તિ પણ આત્માના ગંભીર સ્વભાવના
સ્વાનુભવ – જ્ઞાનમાંથી થઈ છે.
(૩૨) આવા ગંભીર જૈનશાસનમાં આવેલો, ને આવા
ગંભીર આત્મસ્વભાવને સાધનારો હું, આત્માને સાધતાં – સાધતાં
મારું જીવન, મારી પરિણતિ પણ કેવી ગંભીરતા ધારણ કરતી જાય
છે તે મારા અંતરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પહેલાં રાગ – દ્વેષ –
કષાયોરુપ અત્યંત તુચ્છ ભાવોમાં વર્તતું દુઃખી જીવન, તે હવે પરમ
સુખના ધામ તરફ જતાં જતાં અનેરી શાંતિ, તથા અનેરી
વીતરાગતાથી ભરેલા ગંભીરજ્ઞાનરુપ થવા માંડયું છે. અંતર્મુખતા
વડે આત્માની જ પાસેથી લીધેલા ગંભીર અતીન્દ્રિયજ્ઞાન વડે હું
આત્માની ગંભીરતાનો તાગ લઈશ ને તેને પ્રાપ્ત કરીશ.
(૩૩) આત્મતત્ત્વ એટલું મહાન છે કે બીજા કોઈ સાધન વડે
તે પમાતું નથી, એમાંથી જ કાઢેલા અતીન્દ્રિય જ્ઞાનવડે જ તે પમાય
છે. જેમ વાસુદેવ દ્વારા પ્રતિવાસુદેવનો ઘાત બીજા કોઈ સાધન વડે
થઈ શકતો નથી, માત્ર તેની જ પાસેથી આવેલા ચક્ર વડે તેનો ઘાત

Page 231 of 237
PDF/HTML Page 244 of 250
single page version

background image
થાય છે; ત્યાં ઘાતની વાત છે, અહીં પ્રાપ્તિની વાત છે. અહીં
આત્માની પ્રાપ્તિ આત્માથી બહારના કોઈ સાધન વડે થતી નથી.
અંદર આત્મામાંથી જ લીધેલા તેના એક અંશરુપ જ્ઞાનચક્ર વડે તેનો
લક્ષ્યવેધ કરતા તે સાક્ષાત્ સ્વાનુભવમાં આવે છે. મહાન
તાકાતવાળા આત્મામાંથી આવેલું જ્ઞાન પણ મહાન તાકાતવાળું છે;
તે રાગની કે ઇન્દ્રિયોની મદદ વગર એકલું જ પોતાનું કાર્ય કરે છે.
(૩૪) આત્મામાંથી આવેલું ‘જ્ઞાન’ વિચારે છે કે હું ક્યાંથી
આવ્યું? જ્યાંથી હું આવ્યું ત્યાં જ હું જાઉં – એમ વિચારી તે
આત્મામાં ઊતરી જાય છે.....ને સાક્ષાત્ જ્ઞાનસમુદ્રરુપ થઈને
આત્મવેદન કરે છે.
(૩૫) વળી તે આત્મામાંથી આવેલું જ્ઞાન વિચારે છે કે હું
જેમાંથી આવ્યું તેમાંથી મારી સાથે કાંઈ ક્રોધાદિ આવ્યા ન
હતા....માટે હું જ્યાંથી આવ્યું છું ત્યાં ક્રોધાદિ ભર્યા નથી, પણ
શાંતિ જ ભરી છે. – એમ ક્રોધાદિથી ભિન્નતારુપ પોતાનું
પરિણમન કરતું મારું જ્ઞાન શાંતિને અનુભવે છે.
(૩૬) અહો, આ જ્ઞાનની અદ્ભુતતા કોઈ મહાન છે! તેની
નિઃશંકતા અને આત્મવિશ્વાસ અનેરા છે. પોતાનું પવિત્ર
‘માતૃસ્થાન’ તેને એવું વહાલું છે કે તેના સિવાય બીજે ક્યાંય તેનું
ચિત્ત તન્મય થતું નથી; જ્યાંથી પોતાની ઉત્પત્તિ થઈ ત્યાં જ
(જ્ઞાનસ્વભાવમાં સામાન્યમાં જ) તેને તન્મયતા અનુભવાય છે,
તેની સાથે જરાય જુદાઈ રાખતું નથી.....અને તે સ્વભાવમાં ભરેલા
આનંદ – શાંતિ – પ્રભુતા વગેરે અનંત વૈભવને તે પોતાનો જ
નિજવૈભવ સમજીને અનુભવે છે.
(૩૭) હવે મારું આવું અદ્ભુત ખીલેલું જ્ઞાન કાંઈ ગરીબ
નથી, રાગાદિરુપ મેલું નથી, પરાધીન નથી, દુઃખી નથી, ભવમા
સમ્યગ્દર્શન )
( સ્વાનુભવનો પ્રયોગ : ૨૩૧

Page 232 of 237
PDF/HTML Page 245 of 250
single page version

background image
ભટકનારું નથી; અપિતુ આ જ્ઞાન તો વિશ્વના શિરતાજ સમાન છે,
વીતરાગરસથી ધોવાયેલું ઉજ્વળ છે, સ્વાધીન છે, મહાન આનંદરુપ
છે, મોક્ષને સાધનારું છે. આત્માનું સર્વરસરુપ – સર્વસ્વ તેણે પ્રાપ્ત
કરી લીધું છે. હવે આનાથી મોટું કોઈ બીજું તત્ત્વ ગોતવાનું બાકી
નથી રહ્યું; જેનાથી ઊંચું બીજું કાંઈ નથી એવું સર્વોત્તમ તત્ત્વ
જ્ઞાને અનુભૂતિમાં પ્રાપ્ત કરી લીધું છે; પરમાર્થ તત્ત્વને પામીને –
તેનો આશ્રય કરીને – તેમાં તદ્રુપ થઈને પોતે જ પરમાર્થરુપ બની
ગયું છે.....તે જ્ઞાનચેતનારુપ જ પોતે પોતાને ચેતી રહ્યું છે.
(૩૮) અહો, જ્ઞાનચેતનારુપ થયેલું આ જ્ઞાન –
તે પોતે જ સમ્યગ્દર્શન છે; તે પોતે જ સ્વાનુભૂતિ છે;
તે પોતે જ સમયસાર છે; તે પોતે જ પ્રભુ – આત્મા છે.
જો આવો હું છું.....તો પછી બીજું મારે શું જોઈએ!!
બસ! મારી જ્ઞાન – અનુભૂતિમાં જ હું રહીશ.
(પ્રયોગ : માત્ર ધ્યાન : એકાગ્રતા ૧૫ મિનિટ.)
b પ્રયોગ આઠમો b
(૩૯) અહા, આત્મતત્ત્વની સાધનામાં, આ સાત પ્રયોગ દ્વારા
તો હું ક્યાંનો ક્યાં પહોંચી ગયો! પૂર્વની મિથ્યાત્વની દુનિયાને
છોડીને હવે હું સમ્યક્ત્વની દુનિયામાં આવીને વસ્યો છું. અહા,
કેવો સુન્દર છે – મારો આ દેશ
! સર્વત્ર શાંતિ જ પ્રસરેલી છે. મને
બહુ જ દુઃખી કરનારા તે ક્રોધાદિ કષાયદુશ્મનો મારી આ નવી
દુનિયામાં આવી તો નથી શકતા પરંતુ મારી સામે નજર પણ માંડી
શકતા નથી.
૨૩૨ : સ્વાનુભવનો પ્રયોગ )
( સમ્યગ્દર્શન

Page 233 of 237
PDF/HTML Page 246 of 250
single page version

background image
(૪૦) અહીં મારો ચૈતન્યમહેલ ઘણી ભારે વિભૂતિથી ભરેલો
છે.....તેમાં પ્રવેશ કરીને મારે તેનો ઉપયોગ કરવાનો છે. હું જલ્દી
આ ચૈતન્યમહેલમાં જવાની કોશિષ કરી રહ્યો છું. ઉપયોગને કહું છું
કે ચાલ, મારી સાથે અંદર ચાલ.....તને ઘણો જ આનંદ થશે.
(૪૧) ઉપયોગ પણ અંદર આવવા તૈયાર તો થાય છે, પરંતુ
અંદર જતાં જતાં તે વારંવાર અધવચ્ચેથી જ પાછો ફરી જાય છે.
મને ખેદ થાય છે કે અરે
! ઉપયોગ પાછો કેમ આવે છે? અંદરમાં
પ્રવેશ કેમ નથી કરતો? બહારમાં કેમ ભમે છે?
(૪૨) અરે ઉપયોગ! બહારમાં ભમી – ભમીને તો તેં
અનંતકાળ મહાન દુઃખો ભોગવ્યા. શું હજી પણ તે દુઃખોથી તું નથી
થાક્યો
? એ દુઃખોથી છૂટવું હોય તો શીઘ્ર જ તું સાવધાન થઈ જા...
જાગૃત થઈ જા આત્માનુભવ માટે મરણિયો થા. જે વિષયકષાયોએ
તને અત્યાર સુધી ભવચક્રમાં પીલી – પીલીને દુઃખી કર્યો તેનો સંગ
અત્યંતપણે છોડી દે.....ને અંતરમાં સુખ – શ્રદ્ધા – વીતરાગતા વગેરે
તારા સાચા સ્વજનો છે તેનો સંગ કર.....તેની જ સાથે રહે....તે
સ્વજનો તને મહાન સુખ આપશે.....ને ભવચક્રથી છોડાવશે.
(૪૩) ભાઈ, હું જાણું છું કે તને અંદર જતાં – જતાં
અનેકવિધ ચિન્તા વચ્ચે આવી પડે છે! પણ, અત્યારે એ બધી
ચિન્તાઓ છોડી દે.....આત્મા જ તને વહાલો છે – તો પછી તેના
સિવાય બીજા બધાની ચિન્તા છોડી દે.....ફરી ફરીને કહીએ છીએ
કે અરે જીવ
! તું સ્વાનુભૂતિના કિનારે પહોંચ્યો છે તો હવે અંદર
જવામાં વાર કાં લગાડ? ઉછળીને અંદર કુદી પડ....‘આહાહા!
કેવી ગંભીર શાંતિ!!’
(૪૪) અરે, મારી આ શાંતિ તો એવી છે કે એમાં ‘આહાહા’
એવા આશ્ચર્યની વૃત્તિ પણ નથી ઊઠતી.....આશ્ચર્યથી પણ ઊંચું
સમ્યગ્દર્શન )
( સ્વાનુભવનો પ્રયોગ : ૨૩૩

Page 234 of 237
PDF/HTML Page 247 of 250
single page version

background image
કંઈક અનુભવાય છે કે જે પરમ તૃપ્તપણે પોતે પોતામાં સમાઈ રહે
છે, – ઉપશાંત થઈ જાય છે.
(૪૫) અંદર જતાં જતાં ઉપયોગ કેમ પાછો આવી જતો
હતો? – ઊંડેથી તેની શોધ કરતાં ખ્યાલ આવ્યો કે, સ્વભાવની
કંઈક નીકટતા થતાં ઉપયોગ એકદમ હર્ષિત થઈ જતો હતો એટલે
હર્ષની અશાંતવૃત્તિમાં અટકી જતો હતો, તેથી હર્ષથી પાર વીતરાગી
શાંતિ સુધી પહોંચતો ન હતો. હવે ખ્યાલ આવ્યો કે આ
હર્ષોલ્લાસની વૃત્તિ પણ મારી શાંતિમાં પ્રવેશી શકતી નથી, તેથી હવે
ઉપયોગને તેનાથી પણ છૂટો રાખીને, શાંતરસમાં જ રહીને હું મારા
ઉપયોગને અંતરમાં લઈ જઈને શાંતસ્વભાવની સ્વાનુભૂતિ કરું છું.
(ઇતિ અષ્ટમ પ્રયોગ)
(આજકા જોરદાર પ્રયોગ : ધ્યાન ૨૪ મિનિટ : એક ઘડી)
(૪૬) હે મુમુક્ષુ સાધર્મી !
અહીં સુધીના પ્રયોગથી તને સ્વાનુભૂતિ થઈ ગઈ
હશે.....અથવા, સ્વત: હજી વધારે ઊંડા પ્રયોગવડે હવે તને
સ્વાનુભૂતિ થઈ શકશે. પરંતુ તું તારા સતત પ્રયત્નને વચ્ચેથી તોડીશ
નહિ કે ઢીલો પડવા દઈશ નહીં.
(૪૭) જો પ્રમાદ થઈ જાય તો, એમ વિચાર કરજે કે અહા, જે
કાર્યનું ફળ આત્માના અનુભવ જેવું મહાન છે અને જેના ફળમાં મારે
સાદિ – અનંતકાળ સુધી મોક્ષસુખ ભોગવવાનું છે, તેમાં હું પ્રમાદ
કેમ કરું
? પ્રયત્ન તો બરાબર કરવો પડશે, – પણ તેનું ફળ પણ ઘણું
જ મોટું છે ને! સ્વાનુભૂતિમાં મને કેવો આત્મા મળશે? અને કેવા
મજાના અતીન્દ્રિય આનંદને હું અનુભવીશ!! અહા, હવે તો તે
એકદમ નજીક ‘હાથવેંતમાં જ છે’ – હમણાં જ તેની પ્રાપ્તિ થશે.
૨૩૪ : સ્વાનુભવનો પ્રયોગ )
( સમ્યગ્દર્શન

Page 235 of 237
PDF/HTML Page 248 of 250
single page version

background image
(૪૮) અરે, એક તો મનુષ્યજીવન દુર્લભ, તેમાંય આયુષ્યના
દિવસો ઘણા થોડા, અને તેમાંથી પણ ઘણો થોડો ભાગ હું મારા
આત્મહિત માટે કાઢી શકું છું. – તો તેમાં આત્મઅનુભવનું કામ
સૌથી પહેલાં કરીને, આત્મશાંતિ પ્રાપ્ત કરી લેવી – તે માટે હું ઘણી
જ સાવધાની રાખીશ. દુનિયાના કોઈ પણ કાર્ય ખાતર મારા આ
મહાન ઇષ્ટકાર્યને હું ગૌણ નહીં કરું; જીવનમાં સર્વત્ર ક્ષણે – ક્ષણે
ને પળે – પળે એની જ મુખ્યતા રાખીશ, અને એને જ હું મારું
જીવન સમજું છું. જો અત્યારે તેમાં પ્રમાદ કરીશ તો સંસારનાં ચાર
ગતિનાં ભયંકર દુઃખો – કે જેની યાદી પણ આંખમાંથી આંસુની
ધાર વહાવે છે – તેનાથી હું કેમ છૂટીશ
! અરે ના.....ના, હવે તો
તે દુઃખોનું નામ પણ મારાથી સાંભળી શકાતું નથી. મારે તો બસ,
હવે મારા દેવ – ગુરુ જેવી શાંતિ ને શાંતિ જ જોઈએ.....તેની શીઘ્ર
પ્રાપ્તિ માટે અતિશય ચૈતન્યરસિક થઈને ફરી ફરીને હું વિશેષ
પ્રયોગ કરું છું. – આમ પોતાના આત્માને ઉત્સાહિત કરવો.
(૪૯) હે મુમુક્ષુ અભ્યાસી! એક વાત એમ છે કે, તારો
ઉપયોગ વારંવાર અંદરમાં સ્વરુપની નજીક જઈ – જઈને પાછો
આવે છે અને તોપણ તને એમ નથી થતું કે ચાલો, ઉપયોગ અંદર
નથી જતો તો તેને બહારમાં ક્યાંક ભમાવું
! પરંતુ ઊલ્ટું એમ થાય
છે કે ગમે તેમ કરીને પણ ઉપયોગને અંદરમાં લઈ જાઉં. બહારમાં
તો ક્યાંય ગમતું નથી, ક્યાંય દિલ લાગતું નથી, એટલે ફરી ફરીને
વારંવાર એમ જ થયા કરે છે કે હું અંદર જાઉં – અંદર જાઉં
! –
એમ અંદરમાં જઈને અનુભવ કરવાની જ ખૂબ લગની રહ્યા કરે
છે; – કેમકે બહારના બધા વિષયોથી પાર, જુદી જ જાતની કોઈ
અત્યંત સુંદર, એક અદ્ભુત વસ્તુ મારા અંતરમાં છે – તે મારા
લક્ષમાં આવી ગઈ છે. અંદર જતાં – જતાં મને કંઈક નવું જ
દેખાય છે, ને નવી જ જ્ઞાન – ઊર્મિઓ ઉલ્લસે છે, – જે મારા
સમ્યગ્દર્શન )
( સ્વાનુભવનો પ્રયોગ : ૨૩૫

Page 236 of 237
PDF/HTML Page 249 of 250
single page version

background image
વેદનમાં તો આવે છે પણ વાણીથી હું તેને કહી શકતો નથી. તેની
જાત રાગથી પણ જુદી છે. – આ રીતે વાણીથી તેમજ વિકલ્પોથી
પણ દૂર ઊંડે ઊંડે અંતરમાં ક્યાંય મારો ઉપયોગ પહોંચી રહ્યો છે
– અને આ જ રીતે આગળ વધીને વધુ ઊંડો ઊતરું તો ત્યાં જ
મારા ચૈતન્ય પ્રભુનો સાક્ષાત્કાર થશે.
(૫૦) અહા, આ ચૈતન્યપ્રભુની સાથે મારી મિત્રતા દ્રઢ થતાં
હવે મારા જીવનમાં વૈરાગ્ય અને જ્ઞાનનો અભ્યાસ ઘણો જ વધતો
જાય છે; હવે જોરપૂર્વક હું ખાન – પાન હરવું – ફરવું વગેરે
સર્વપ્રકારના રાગનો રસ તોડતો જાઉં છું. પ્રતિકૂળતાઓને ક્રોધ
વગર સહન કરું છું, અને વીર થઈને મારી સમસ્ત શક્તિને હું
આત્માની સાધનમાં લગાવી દઉં છું. દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ
હવે મારી સાધનાને અટકાવી શકે નહિ, કેમકે મારા ચૈતન્યપ્રભુ
પોતે જ હવે પ્રગટ થઈને શુદ્ધ આનંદપરિણતિરુપ થવા ચાહે છે.
અત્યાર સુધી પ્રભુ ઊંઘતા’તા, હવે તો જાગ્યા છે.....એવા જાગ્યા છે
કે મોહ – ચોરને ભગાડીને પોતાના સમ્યક્ત્વાદિ સર્વ નિધાનને
સંભાળી રહ્યા છે.....મને એ નિધાન દેખાડીને આપી રહ્યા છે.....કે
લે
! ચૈતન્યના આ બધાય નિધાન તારા જ છે, આનંદથી તું તેને
ભોગવ!
(૫૧) અહો! મારા નિજનિધાન પામીને મને જે મહાન
આનંદ થાય છે તેની શી વાત!! એની વાત કરવા માટે કે એનો હર્ષ
કરવા માટેય એ નિજનિધાનમાંથી બહાર નીકળવું મને પાલવતું
નથી.....બસ, અંદર ને અંદર રહીને હું નિજનિધાનને ભોગવીશ.
आनंदमय स्वसंवेद्यो भरितावस्थोहं
સમાપ્ત
૨૩૬ : સ્વાનુભવનો પ્રયોગ )
( સમ્યગ્દર્શન