Samyak Darshan Part 7 8 (Gujarati). Parmarthrup Aatma (Aling-grahanna Arthna Adhare); He Bhavya Tu aa Aatmani Anubhuti Kar; Aatma Vastu Stavan - Aling-grahan; Aatmahit Mate Swanubhavno Prayog.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 12 of 13

 

Page 208 of 237
PDF/HTML Page 221 of 250
single page version

background image
આત્મદેવ ભગવંતકી જય હો.઼
નેમિનાથ ભગવંતકી જય હો.
ગિરનાર મંગલ તીર્થકી જય હો.
આ રચનાની ગિરનારમાં બેઠાબેઠા સમાપ્તિ થઈ છે તેથી
નેમનાથ ભગવાનના અને ગિરનારતીર્થના જયકાર કર્યા; અને
મહાવીર ભગવાનના શાસનમાં હું આ સ્વાનુભૂતિ પામ્યો
છું.....તેથી –
અહો, મહાવીર ભગવાન! આપનો જય હો....જય હો.
આ સ્વાનુભૂતિ – પ્રકાશ મંગલ કાવ્યની અંતિમ ૧૨ કડી
ગિરનાર મંગલ તીર્થમાં બેઠાબેઠા વીર સં. ૨૪૯૯ના જેઠ સુદ ત્રીજે
પૂરી કરી; અને આખા કાવ્યના ભાવાર્થનું આલેખન સોનગઢમાં વીર
સં. ૨૫૦૧ માં કર્યું.
શ્રી ધરસેન ભગવાન પ્રસન્ન હો.
શ્રી કુંદકુંદ ભગવાન પ્રસન્ન હો.
શ્રી કહાન – મંગલદેવ પ્રસન્ન હો.
અહો, સર્વ સમાધાનરુપ સ્વાનુભૂતિ! જ્યાં તું છો ત્યાં હવે
અશાંતિ કેવી? ત્રણ લોકમાં સર્વ પ્રસંગમાં સમાધાન કરવાની
સ્વાનુભૂતિમાં અજબ તાકાત છે. આ સ્વાનુભૂતિ દેવી, અહો! એને
કોણ ડગાવી શકે? હે સ્વાનુભૂતિ દેવી! તું મંગળરુપ છો.....તારા
પ્રતાપે મારો આખોય આત્મા મંગળરુપ છે.
જય હો મંગલ સ્વાનુભૂતિનો.
સ્વાનુભૂતિથી શોભતા આત્માનો જય હો.....જય હો.....
૨૦૮ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન

Page 209 of 237
PDF/HTML Page 222 of 250
single page version

background image
‘અલિંગગ્રહણ’ના ૨૦ અર્થથી બતાવેલ, સ્વસંવેદનગમ્ય
પરમાર્થરુપ આત્મા
તેને હે ભવ્ય ! તું અનુભવમાં લે
દેહાદિથી ભિન્ન, તેમજ રાગાદિથી ભિન્ન પરમાર્થસ્વરુપ
આત્મા કેવો છે? તે બતાવતાં કુંદકુંદસ્વામી કહે છે કે :
ચેતનાગુણસ્વરુપ જીવ છે, તે રસ-રુપ-ગંધ-શબ્દ-સ્પર્શ-રહિત
છે, ઇંદ્રિયગમ્ય ચિહ્નોથી તે જણાય તેવો નથી, તેથી
અલિંગગ્રાહ્ય છે. આચાર્યદેવે ગાથામાં તેને
अलिंगग्रहणं કહ્યો છે,
તેમાંથી ટીકામાં ૨૦ અર્થોનું દોહન કરીને અમૃતચંદ્રાચાર્યે
પરમાર્થસ્વરુપ શુદ્ધઆત્માનું સ્વરુપ સ્પષ્ટ કર્યું છે. આ ગાથા
પ્રવચનસાર ઉપરાંત સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાય,
અષ્ટપ્રાભૃત તેમજ ષટ્ખંડાગમની ટીકા વગેરેમાં પણ છે. આ
ગાથા પૂ. કાનજીસ્વામીને અતિશય પ્રિય હતી. તેના
અલિંગગ્રહણના ૨૦ અર્થો અહીં ટૂંકમાં આપ્યાં છે. તેના દ્વારા
હે ભવ્ય
! સ્વસંવેદ્ય તારા શુદ્ધાત્માને તું જાણ... પરમાર્થરુપ
આત્માને અનુભવમાં લે.
(૧) હું ચેતનાસ્વરુપ આત્મા છું; જાણવા માટે મારી ચેતનાને
ઇંદ્રિયોનો સંબંધ નથી. ઇંદ્રિયો વગર જાણું એવો અતીન્દ્રિય
જ્ઞાનમય હું છું.
(૨) હું અમૂર્ત – અતીન્દ્રિય જ્ઞાનરુપ છું. માત્ર મૂર્તને જાણનારું
બિચારું ઇન્દ્રિયના સંબંધવાળું જ્ઞાન, અતીન્દ્રિય એવા મને
ક્યાંથી જાણી શકે
? અતીન્દ્રિયજ્ઞાન જ મને જાણી શકે છે.
(૩) હું અતીન્દ્રિય – ચૈતન્યરુપ છું તેથી, મારાં સર્વે ચિહ્નો પણ
ચૈતન્યમય છે.....અતીન્દ્રિય છે. ઇન્દ્રિયોવડે દેખાતાં કોઈ
સમ્યગ્દર્શન )
( અલિંગગ્રહણ આત્મા : ૨૦૯

Page 210 of 237
PDF/HTML Page 223 of 250
single page version

background image
મૂર્તચિહ્નો વડે હું પકડાઉં તેવો નથી.
(૪) આત્માને પ્રત્યક્ષ કર્યા વગર, એકલા જ અનુમાનથી કોઈ
મને જાણી શકે નહીં. મારા અદ્ભુત સ્વરુપને જે ઓળખે તે
પોતાના સ્વરુપને પ્રત્યક્ષ જાણતો જ હોય.
(૫) સ્વસંવેદન વડે પ્રત્યક્ષ કરેલા મારા ચૈતન્યસ્વરુપ આત્માને
સાથે રાખીને જ હું પરને જાણું છું. પરને જાણતાં સ્વને ભૂલી
જતો નથી; એટલે એકાંત પરોક્ષ, પરપ્રકાશી હું નથી.
(૬) હું પ્રત્યક્ષ – જ્ઞાતા છું. મારા સ્વસંવેદનમાં ઇન્દ્રિય – મનનું
આલંબન નથી. ઇન્દ્રિયો અને અનુમાન વગર જ મારું જ્ઞાન
મને તો સ્વસંવેદનથી અનુભવે છે. મારું આ
સ્વસંવેદન.....પ્રત્યક્ષ છે.
(૭) મારો ઉપયોગ મારા ચૈતન્યને અનુસરનારો છે. ઉપયોગને
બહારમાં ન ભમાવું તોપણ મારું ચૈતન્યપરિણમન તો ચાલુ
જ રહે છે.....માટે – મારું ચૈતન્યપણું બાહ્યપદાર્થોને
અવલંબનારું નથી; સ્વાધીનપણે હું ચૈતન્ય છું.
(૮) હું સ્વયં ઉપયોગસ્વરુપ હોવાથી, મારા જ્ઞાનને મારે ક્યાંય
બહારથી લાવવાનું નથી. શું જડ – પુદ્ગલને બહારના
જ્ઞાનવડે કદી ચેતનરુપ કરી શકાય છે
? – ના....તેનો
સ્વભાવ ચેતન નથી. હું તો સ્વભાવથી જ ચેતન છું. મારું
ચેતનપણું ક્યાંય બહારથી આવેલું નથી.
(૯) અભેદપણે સ્વયં ઉપયોગસ્વરુપ હું છું. મારા ચેતનપણાને
કોઈ મટાડી શકે નહિ. શું અમૂર્ત આકાશને કોઈ મૂર્ત કરી
શકે
? શું મૂર્તપુદ્ગલને કોઈ અમૂર્ત કરી શકે? – ના. તેમ
ચેતનમય એવા મને કદી અચેતનરુપ કોઈ કરી શકે નહિ.
મારા જ્ઞાનપરિણામને કોઈ હરી શકે નહિ.
૨૧૦ : અલિંગગ્રહણ આત્મા )
( સમ્યગ્દર્શન

Page 211 of 237
PDF/HTML Page 224 of 250
single page version

background image
(૧૦) મારું ચેતનપણું કષાયકલંક વગરનું શુદ્ધ છે. જ્યાં હું
ચેતનનો સ્વાદ લઉં છું ત્યાં કષાયો શાંત થઈ જાય છે; જ્યાં
કષાયો શાંત થાય છે ત્યાં ચૈતન્ય – આત્મા ઝળકી ઊઠે છે.
આ રીતે કષાયને અને મારા ચૈતન્યને એકતા નથી,
વિરુદ્ધતા છે; માટે કષાય વગરના શુદ્ધ ચૈતન્યસ્વાદપણે
વેદાતો જ હું છું.
(૧૧) કષાયરહિત મારા ચેતનભાવમાં કર્મનો સ્પર્શ નથી. કર્મ-
ગ્રહણનું કારણ કષાય છે, મારો ચેતનભાવ કર્મને ગ્રહતો
નથી. કર્મગ્રહણમાં જે ભાવ નિમિત્ત થાય તે મારા ચેતનથી
ભિન્ન છે. સ્વભાવમાં તન્મય એવું મારું ચેતનત્વ બીજા
કોઈ સાથે સંબંધ કરતું નથી.
(૧૨) જેને પરસાથે સંબંધ જ નથી એવો મારો અતીન્દ્રિય –
આત્મા, તે બાહ્ય ઇન્દ્રિયવિષયોને કઈ રીતે ભોગવે?
ઇન્દ્રિયસંબંધ તોડીને હું તો મારા અતીન્દ્રિય આનંદનો જ
ભોક્તા છું, અતીન્દ્રિય ઉપયોગ સાથે અતીન્દ્રિયઆનંદ જ
હોય.....દુઃખ ન હોય, તેથી વિષયો પણ ન હોય.
(૧૩) ઉપયોગ વડે જીવંત એવો હું – આત્મા, કાંઈ શરીર –
ઇન્દ્રિયો વડે જીવતો નથી; શરીર કે ઇન્દ્રિયો તે કાંઈ મારું
લક્ષણ નથી. માતાના ઉદરમાં જેની રચના થઈ તે હું નહીં;
માતાના પેટમાં કાંઈ મારી રચના નથી થઈ. હું તો અજન્મ
છું, અનાદિ ચૈતન્યરુપ છું. શરીર – ઇન્દ્રિયોની રચના તે
કાંઈ મારું જીવન નથી; મારું જીવત્વ તો સ્વયં મારી ચેતના
વડે જ મેં ત્રિકાળ ધારણ કરેલું છે.
(૧૪) મારું ચેતનપણું કોઈ અમુક જ આકારવાળું નથી; એટલે
કોઈ લૌકિક સાધન વડે સિદ્ધિ થાય એવો મારો આત્મા
સમ્યગ્દર્શન )
( અલિંગગ્રહણ આત્મા : ૨૧૧

Page 212 of 237
PDF/HTML Page 225 of 250
single page version

background image
નથી. જડ શરીરનો પુરુષત્વાદિ આકાર તે હું નથી.
ચૈતન્યશરીરરુપ ભાવઆકાર તે હું છું.
(૧૫) મારા મહાન ચૈતન્યભાવને ક્ષેત્રથી વિશાળતા અર્થાત્ સર્વ
લોકમાં વ્યાપ્તિ, હોવી જોઈએ એવો કોઈ નિયમ નથી.
લોકમાં વ્યાપ્ત હોય તેને જ પરમેશ્વરપણું હોય – એવી
મિથ્યામાન્યતા મારા ચૈતન્યપ્રભુને લાગુ પડતી નથી.
મર્યાદિત ક્ષેત્રમાં રહીને પણ હું અમર્યાદિત
ચૈતન્યસામર્થ્યવાળો છું.
(૧૬) અતીન્દ્રિય આત્માને શરીર નથી; શરીર ન હોવાથી
શરીરસંબંધી કોઈ વેદ નથી; ને વેદ ન હોવાથી વેદસંબંધી
કોઈ વિકાર નથી. આ રીતે મારું અતીન્દ્રિયપણું દ્રવ્ય –
ભાવવેદ વગરનું છે. અહા, મારો ચૈતન્યભાવ કેવો
નિર્વિકારપણે શોભે છે
!
(૧૭) ધર્મના બાહ્યચિહ્નો દિગંબરશરીર કે પીંછી – પુસ્તક વગેરે
કાંઈ મારા ચૈતન્યભાવમાં પ્રવેશતા નથી, એટલે એ
બાહ્યચિહ્નોને દેખવાથી કાંઈ અતીન્દ્રિય આત્મા દેખાતો
નથી. અતીન્દ્રિયઆત્મા પોતાના અતીન્દ્રિય ચૈતન્યભાવોને
જ ગ્રહે છે, બીજા કોઈને ગ્રહતો નથી.
(૧૮) અખંડ ચૈતન્યસત્ત્વ એવો હું – મારા સમસ્ત દ્રવ્ય – ગુણ
– પર્યાયોના અભેદ – પિંડરુપ છું; તેમાં દ્રવ્ય – ગુણ –
પર્યાય એવા ત્રણ કટકા કરીને ‘ગુણ તે હું’ એવા ભેદના
વેદનથી આત્માનું ગ્રહણ ( – અનુભવન) થતું નથી.
ચૈતન્યચિહ્નરુપ પરમ પદાર્થના વેદનમાં તે ગુણો સમાઈ
જાય છે ખરા, પણ ‘આ ગુણ’ એવો ભેદ તેમાં રહેતો નથી.
(૧૯) દ્રવ્યથી જુદી કોઈ પર્યાય તે કાંઈ આત્મા નથી. શુદ્ધ દ્રવ્યરુપ
૨૧૨ : અલિંગગ્રહણ આત્મા )
( સમ્યગ્દર્શન

Page 213 of 237
PDF/HTML Page 226 of 250
single page version

background image
એવો આત્મા, તે કોઈ એક પર્યાયરુપે અનુભવમાં નથી
આવતો, કેમકે આત્મામાં શુદ્ધ દ્રવ્ય – ગુણ – પર્યાય એક
સાથે છે, તે ત્રણસ્વરુપે અખંડ આત્મા શુદ્ધપણે એક
અનુભવાય છે. શુદ્ધપર્યાય તેની અંદર સમાઈ જાય છે પણ
શુદ્ધાત્માના અનુભવમાં ‘આ પર્યાય’ એવો ભેદ રહેતો નથી.
(૨૦) ગુણ – પર્યાય વગર ‘સામાન્યમાત્ર દ્રવ્ય હું’ – એવા
ભેદના લક્ષે પણ પરમાર્થસ્વરુપ આત્મા અનુભવમાં આવતો
નથી, તેથી ‘દ્રવ્યથી અનાલિંગીત’ કહ્યો. અનુભૂતિમાં
શુદ્ધપર્યાય દ્રવ્યની સાથે અભેદપણે વર્તે જ છે. દ્રવ્ય –
પર્યાયની ભિન્ન – ભિન્ન અનુભૂતિથી આત્મા અનુભવાતો
નથી. આ રીતે શુદ્ધપર્યાય સહિત શુદ્ધદ્રવ્યરુપે મને મારો
સ્વાનુભવ થાય છે. (આ છેલ્લા ત્રણ બોલમાં ગુણ – પર્યાય
અને દ્રવ્ય એવા ત્રણ ભેદના વિકલ્પથી પાર,
અભેદઆત્માની અનુભૂતિ બતાવી છે.)
આ રીતે ‘અલિંગગ્રહણ’ ના ૨૦ અર્થ દ્વારા શુદ્ધઆત્મા
બતાવ્યો છે. હે ભવ્ય! આવા આત્માને તું જાણ.
વીતરાગીસંતોના અનુભવમાંથી નીકળેલું આ રહસ્ય છે.
તેણે મારા પરમાર્થસ્વરુપને પ્રસિદ્ધ કર્યું છે.
સમયસારમાં આ ગાથાની ટીકામાં કહે છે કે : સ્વસંવેદ્ય
પોતાના ચેતનાગુણવડે જીવ સદા અંતરંગમાં પ્રકાશમાન છે, તે
ચેતનાએ પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે એટલે કે
ચેતનાથી લક્ષિત સંપૂર્ણ જીવસ્વભાવને ભેદજ્ઞાની જીવો સ્વસંવેદનથી
અનુભવે છે. આચાર્યદેવ કહે છે કે હે મુમુક્ષુ
! તારા આવા જીવને,
તારા સ્વાનુભવથી તું જાણ.
સમ્યગ્દર્શન )
( અલિંગગ્રહણ આત્મા : ૨૧૩

Page 214 of 237
PDF/HTML Page 227 of 250
single page version

background image
હે ભવ્ય !
તું આત્માની અનુભૂતિ કર
‘જ્ઞાનચેતના’ માં જેનું સર્વસ્વ સમાય છે અને પોતાની
ચેતનાના સ્વસંવેદન વડે જે અનુભવમાં આવે છે એવો આનંદ-
સ્વરુપ આત્મા શ્રી કુંદકુંદસ્વામીએ અનુગ્રહપૂર્વક પોતાના સર્વે
શાસ્ત્રોમાં બતાવ્યો છે તેને હે ભવ્ય
! અતીન્દ્રિયજ્ઞાનવડે તું જાણ!
આત્માની ‘ચેતના’ના સ્વાદમાં જડના રસ – રુપનો કે રાગ-
દ્વેષનો સ્વાદ આવતો નથી, તે સ્વયમેવ આનંદસમ્પન્ન છે. તેને
પોતાના આનંદનો સ્વાદ લેવામાં કોઈ રાગની, ઇન્દ્રિયોની કે
બાહ્યવિષયોની સહાય લેવી પડતી નથી. હે ભવ્ય
! તારા આત્માનું
આવું સ્વરુપ જાણતાં તું પોતે અતીન્દ્રિય થઈને પોતાને પરમ
આનંદરુપે અનુભવીશ.
હે આત્મશોધક! અતીન્દ્રિયજ્ઞાનથી તું પોતાને જાણ. આંખ
વગર જે બધાનો જાણનાર છે એને તું શોધી કાઢ. તારું સ્વતત્ત્વ
અતીન્દ્રિય – ચૈતન્યચિહ્નરુપ છે તેને તેં અત્યાર સુધી ન જાણ્યું; અને
‘જે ઇન્દ્રિયોથી જાણે તે જ જીવ, જે ઇન્દ્રિયોથી દેખાય છે તે જ જીવ’
– એમ આત્માને ઇન્દ્રિયગમ્ય જ માન્યો; તેથી સર્વજ્ઞ – મુનિ –
સમ્યગ્દ્રષ્ટિ વગેરે અતીન્દ્રિય ભાવવાળા આત્માઓને સાચા સ્વરુપે તું
ઓળખી ન શક્યો, તેઓને પણ તેં ઇન્દ્રિયગમ્ય માની લીધા. આ રીતે
તેં ન તારા શુદ્ધાત્માને જાણ્યો, ન અરિહંતાદિને જાણ્યા.
હવે તારે સાચા સ્વરુપે આત્માને જાણવો હોય ને અરિહંત-
સિદ્ધ વગેરેને સાચા સ્વરુપે ઓળખવા હોય, તો વચ્ચેથી ઇન્દ્રિયો
તથા રાગને કાઢી નાંખીને, અતીન્દ્રિય ચેતના વડે આત્માને
અનુભવમાં લે.
૨૧૪ : અલિંગગ્રહણ આત્મા )
( સમ્યગ્દર્શન

Page 215 of 237
PDF/HTML Page 228 of 250
single page version

background image
આત્મા સ્વયં જ્ઞાન છે, તો પછી વચ્ચે ઇન્દ્રિયોને કે રાગને શા
માટે ઘૂસાડે છે? એકવાર ઇન્દ્રિયોને તથા રાગને વચ્ચેથી એકકોર
રાખીને તું જો, કે તને જ્ઞાન થાય છે કે નહીં? – જરુર થાય છે.
બસ, ઇન્દ્રિયો અને રાગ વગર તે જ્ઞાન જેનાથી થાય છે તે જ તું
પરમાર્થ – આત્મા છો. તારી જ્ઞાનચેતના આત્મા સાથે તન્મય છે,
ઇન્દ્રિયો સાથે કે રાગ સાથે નહીં.
અહો, આત્માનું સ્વરુપ એટલું મહાન, એટલું સુંદર ને એટલું
આનંદમય છે કે તેને જાણનારું જ્ઞાન પણ તેમાં તન્મય થઈને
અતીન્દ્રિય આનંદરુપ થયું છે. અતીન્દ્રિય મહાન વીતરાગતા વડે સુંદર
અને આનંદરસમાં તરબોળ જ્ઞાન જ આત્માને જાણી – અનુભવી શકે
છે. ઇન્દ્રિયવાળું – તુચ્છ – આકુળવ્યાકુળ – મલિનજ્ઞાન મહા સુંદર
આત્માને ક્યાંથી જાણી શકે
? અતીન્દ્રિય – જ્ઞાન વડે અત્યારે જ અહીં
અશરીરી – આનંદનો અનુભવ થઈ શકે છે.
કોઈ કહે કે અમે સામા સમ્યગ્દ્રષ્ટિ જીવને કે સર્વજ્ઞને
ઓળખી લીધા, તેમનો સ્વાનુભવ ને અતીન્દ્રિય આનંદ કેવો છે તે
જાણી લીધું
!
તો અમે તેને પૂછીએ છીએ કે હે ભાઈ! તેં કઈ રીતે તેમને
ઓળખ્યા? કઈ નિશાની વડે તેં તેમને ઓળખ્યા? તારા કયા જ્ઞાન
વડે તેં તેમને ઓળખ્યા? બહારમાં ઇન્દ્રિયગમ્ય તો એવું કોઈ
ચિહ્ન નથી કે જેનાથી સમ્યગ્દ્રષ્ટિ કે સમ્યગ્દર્શન ઓળખાય; –
કેમકે તે તો અતીન્દ્રિય છે. અતીન્દ્રિય વસ્તુને માટે તું એમ કહે કે
મારા ઇન્દ્રિયજ્ઞાનવડે મેં તેને ઓળખી લીધી, – તો એ તારી
ભ્રમણા છે. હવે જો તું એમ કહેતો હો કે મેં તેમને અતીન્દ્રિય જ્ઞાન
વડે ઓળખ્યા.....તો, શું તને અતીન્દ્રિય જ્ઞાન થયું છે
? અતીન્દ્રિય
– સમ્યગ્જ્ઞાનમાં તો પોતાના આત્માની અનુભૂતિ હોય જ.
સમ્યગ્દર્શન )
( અલિંગગ્રહણ આત્મા : ૨૧૫

Page 216 of 237
PDF/HTML Page 229 of 250
single page version

background image
અહા, આત્મસ્વભાવની અદ્ભુતતા તો જુઓ. જ્ઞાન પોતાના
સામર્થ્યથી જ્યાં સમ્યગ્દર્શન – સર્વજ્ઞતા વગેરે અતીન્દ્રિય સ્વભાવને
જાણવા ઉત્સુક થાય છે ત્યાં ઇન્દ્રિયોના સંબંધને દૂર કરીને તે જ્ઞાન
પોતાના અતીન્દ્રિય સ્વભાવપણે ખીલી જાય છે ને પોતાના મહાન –
અતીન્દ્રિય – આત્મસ્વભાવને અનુભવી લ્યે છે, તે અતીન્દ્રિયજ્ઞાન
પોતે આત્મા જ છે.
આવા આત્માને સ્વસંવેદન વડે અનુભવમાં લ્યો.
૨૧૬ : અલિંગગ્રહણ આત્મા )
( સમ્યગ્દર્શન
‘અલિંગગ્રહણ’ આત્માને જાણ
આત્મવસ્તુ – સ્તવન
પરમાર્થસ્વરુપ આત્માનું અસાધારણ સ્વલક્ષણ
બતાવીને, પ્રવચનસાર ગા. ૧૭૨ માં આચાર્યભગવંતોએ
જે અદ્ભુત આત્મસ્વરુપ પ્રકાશ્યું છે, તેનો સાર હમણાં
આપે વાંચ્યો. તેના ઉપર ગુરુદેવના સ્વાનુભૂતિપ્રધાન
પ્રવચનો સાંભળતાં જે ઉર્મિ જાગી તે આ ‘આત્મવસ્તુ-
સ્તવન’માં કાવ્યરુપે વ્યક્ત કરી છે. (બ્ર. હ. જૈન)
હવે આપ વાંચશો –
આત્માને અનુભવમાં લેવાની એક સુંદર કાવ્યરચના

Page 217 of 237
PDF/HTML Page 230 of 250
single page version

background image
(મંગલ દોહા)
વંદું શ્રી વીરનાથને, સાધ્યું આત્મસ્વરુપ;
ઇન્દ્રિયતીત અખંડ ને અદ્ભુત આનંદરુપ.
નમું છું જિનવચનને ભાખે આત્મસ્વરુપ,
શુદ્ધઉપયોગ – પ્રકાશથી જાણ્યું આત્મસ્વરુપ.
પરમ રુપ નિજઆત્મનું, દેહાદિકથી પાર,
ચેતનચિહ્ને ગ્રાહ્ય છે, પર લિંગોથી પાર.
(રાગ : હરિગીત જેવો)
અદ્ભુત આત્મસ્વરુપને પ્રભુ કુંદકુંદ – પ્રકાશતા,
અમૃતસ્વામી હૃદયખોલી પરમ અમૃત રેડતા;
સ્વાનુભૂતિમાં આવતો તે આત્મ આનંદમય અહો,
ભવિ જીવ સૂણતાં સાર તેનો શુદ્ધ સમકિતને લહો.
છે ચેતનાગુણ, ગંધ – રુપ – રસ – શબ્દ વ્યક્તિ ન જીવને,
વળી લિંગગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને;
નથી રુપ કોઈ જીવમાં તેથી ન દીસે નેત્રથી,
વળી રસ પણ જીવને નહિ તેથી ન દીસે જીભથી.
જીવ શબ્દવંત નથી અરે, તેથી ન દીસે કાનથી,
નથી સ્પર્શ જીવમાં કોઈ તેથી ગ્રાહ્ય છે ના હસ્તથી.
વળી ગંધ જીવમાં છે નહિ તેથી ન આવે નાકમાં,
છે ઇન્દ્રિયોથી પાર તે આવે ન ઇન્દ્રિયજ્ઞાનમાં.
અસંખ્ય – દેશી આત્મ છે, સંસ્થાન કો નિશ્ચિત નહીં;
નિજચેતનાથી શોભતો બસ
! એ જ લક્ષણ છે સહી.
નિજચેતનાને અન્ય કોઈ સાથ સંબંધ છે નહિ,
બસ, દ્રવ્ય – ગુણ – પર્યયસ્વરુપે શોભતો નિજમાં રહી.
સમ્યગ્દર્શન )
( અલિંગગ્રહણ આત્મા : ૨૧૭

Page 218 of 237
PDF/HTML Page 231 of 250
single page version

background image
હવે વીસ બોલો સાંભળો! અલિંગગ્રહણ આત્મના,
એ જાણવાનું ફળ થશે સ્વાનુભૂતિ નિજઆત્મમાં.
૧. જ્ઞાયક આતમરામ છે તે જાણતો નથી ઇંદ્રિથી,઼
એ તો અતીન્દ્રિય જ્ઞાનમય છે કેમ જાણે ઇંદ્રિથી?
૨. ઇન્દ્રિયવશ જે જ્ઞાન છે તે આત્મને કદી નવ ગ્રહે,
છે ઇંદ્રિયોથી પાર જીવ તે અક્ષ – પ્રત્યક્ષ કેમ બને?
૩. ઇન્દ્રિયોના ચિહ્નથી અનુમાન થાય ન આત્મનું;
અનુમાન ઇન્દ્રિયદ્વારથી તો માત્ર રુપી પદાર્થનું.
૪. સંવેદ્યરુપ નિજઆતમા, અનુમાનથી તે પાર છે;
કોઈ માત્ર અનુમાને કરી નહીં જીવને જાણી શકે.
૫. પ્રત્યક્ષગ્રાહી આતમા પરને ભલે તે જાણતો,
પણ માત્ર અનુમાને નહિ, પ્રત્યક્ષ પૂર્વક જાણતો.
૬. પ્રત્યક્ષજ્ઞાતા જીવ છે, ત્યાં લિંગનું શું કામ છે?
નથી લિંગ દ્વારા જાણતો, પ્રત્યક્ષજ્ઞાયક જીવ છે.
૭. ઉપયોગ સ્વાધીન આત્મનો સ્વયમેવ જાણે જ્ઞેયને,
અવલંબતો નથી અન્યને તેથી ગ્રહણ નહિ લિંગનું.
૮. ઉપયોગ તે નિજલિંગ છે, પોતે જ લિંગસ્વરુપ છે,
તે લાવતો નથી બાહ્યથી તેથી ન લિંગનું ગ્રહણ છે.
૯. ઉપયોગ લક્ષણ આત્મનું, નહીં કોઈ તેને હરી શકે,
અહાર્ય – જ્ઞાની આતમા બસ! તે જ સત્યસ્વરુપ છે.
૧૦. જેમ સૂર્યને નથી ગ્રહણ તેમ ન ગ્રહણ જાણો આત્મને,
ઉપયોગમાં ન મલિનતા, શુદ્ધોપયોગી જીવ છે.
૧૧. જે લિંગરુપ ઉપયોગ છે તે કર્મને ગ્રહતો નથી;
એ રીત કર્મ – અબદ્ધ જીવને જાણજો આ સૂત્રથી.
૨૧૮ : અલિંગગ્રહણ આત્મા )
( સમ્યગ્દર્શન

Page 219 of 237
PDF/HTML Page 232 of 250
single page version

background image
૧૨. રે! ઇન્દ્રિયોથી વિષયભોગો જીવને હોતાં નથી,
તેથી ન ભોક્તા ભોગનો, – એ જાણજો નિશ્ચય થકી.
૧૩. મન – ઇન્દ્રિયરુપ કો લિંગથી નહિ જીવન છે આ જીવનું,
તેથી ન શુક્રાર્તવ ગ્રહે – એવો અગ્રાહી જીવ છે.
૧૪. કો શરીરના લિંગને અરે, આત્મા કદી ગ્રહતો નથી,
લૌકિક સાધનરુપ નહિ એવો અતીન્દ્રિય જીવ છે.
૧૫. લિંગરુપ કો સાધનોથી ન લોકવ્યાપી જીવ છે,
નથી સર્વવ્યાપી જીવ, એવું સત્ય સાબિત થાય છે.
૧૬. નથી ગ્રહણ કોઈ વેદનું – સ્ત્રી – પુરુષ આદિ ભાવનું,઼
તેથી નથી કો લિંગ જેને, – અલિંગ – ગ્રાહી જીવ છે.
૧૭. લિંગ કે’તા ધર્મચિહ્નો બાહ્યે જે સાધુતણાં,
નથી ગ્રહણ તેનું જીવમાં, તે ચેતનાથી બાહ્ય છે.
૧૮. ‘આ ગુણ’ એવા બોધથી નથી ગ્રહણ થાતું જીવનું;
ગુણભેદથી લક્ષિત નથી, બસ! શુદ્ધદ્રવ્ય જ જીવ છે.
૧૯. ‘પર્યાય’ એવા બોધથી નથી ગ્રહણ થાતું જીવનું,
પર્ય – ભેદથી લક્ષિત નથી, બસ! શુદ્ધદ્રવ્ય જ જીવ છે.
૨૦. આ ‘દ્રવ્ય’ એવા લક્ષણે નહિ ગ્રહણ સાચા જીવનું,
છે ‘શુદ્ધ પર્યય’ જીવ પોતે, – ભેદહીન તે જાણજો.
(ઉપસંહાર)
મુજ ચેતના અદ્ભુત અહો, નિજસ્વરુપમાં વ્યાપી રહી,
ઇન્દ્રિયોથી પાર થઈ નિજ – આત્મને દેખી રહી;
પ્રભુ કુંદ કુંદ – અમૃત – સ્વામી – ચરણમાં વંદી રહી,
આનંદ કરતી મસ્ત થઈ તે મોક્ષને સાધી રહી.
સમ્યગ્દર્શન )
( અલિંગગ્રહણ આત્મા : ૨૧૯

Page 220 of 237
PDF/HTML Page 233 of 250
single page version

background image
દેવ – ગુરુ – ધર્મનો પ્રેમ; સમ્યક્ત્વની ભાવના
હે મુમુક્ષુ, અંતરમાં બહુ માનપૂર્વક તું સદા સમ્યક્ત્વની
ભાવના કરજે.....અવશ્ય તને તેની પ્રાપ્તિ થશે. સાધર્મીઓના
સમ્યક્ત્વની વાર્તા સાંભળીને પણ પ્રસન્ન થાજે. સમ્યક્ત્વાદિ ધર્મની
કે દેવ – ગુરુ – શાસ્ત્રની હાંસી કે અનાદર કદી ન કરીશ. હસતાં –
હસતાં કરેલો પણ ધર્મનો અનાદર કેવા ભયંકર પાપફળને આપે છે
!
– તેનો વિચાર કરજે. સીતાજીએ પૂર્વભવમાં માત્સર્યવશ એક નિર્દોષ
મુનિરાજની હાંસી કરી તો તેમને આ ભવમાં કેવી પરિસ્થિતિ આવી
પડી
! સતી અંજનાએ પૂર્વભવમાં અજ્ઞાનવશ જિનબિંબનો અનાદર
કર્યો તો તેને ૨૨ વર્ષ સુધી કેવું કષ્ટ સહન કરવું પડયું! માટે હે
ભવ્ય! તું વીતરાગી દેવ – ગુરુ – શાસ્ત્ર પ્રત્યે, સમ્યગ્દર્શન – જ્ઞાન
– ચારિત્રરુપ ધર્મ પ્રત્યે તથા ધર્માત્મા – સાધર્મી પ્રત્યે આદરભાવ
રાખજે, કદી સ્વપ્નેય કે મશ્કરીમાં પણ એમનો અનાદર કરીશ મા
!
બીજા સાધારણ પાપો કરતાં દેવ – ગુરુ – ધર્મના અનાદરનું પાપ
ઘણું વધારે ભયંકર છે. માટે તેમને ઓળખીને પરમભક્તિથી તેમની
ઉપાસના કરજે.....તારું કલ્યાણ થશે.
હવે આપ વાંચશો.....સ્વાનુભવ માટેનું
સુંદર.....સરલ સચોટ માર્ગદર્શન.
ઘણા જિજ્ઞાસુઓ લાંબા વખતથી ‘પોતાની રીતે’
પ્રયત્ન કરીને મુંઝાય છે કે સમ્યગ્દર્શન માટે હવે કરવું
શું
? ‘અનુભવી – જ્ઞાનીના માર્ગદર્શન પ્રમાણે’ જો પ્રયત્ન
કરે તો જરુર ફળ આવે જ. અહીં તે માટે સ્વાનુભવના
પ્રયોગો બતાવીને ‘દિશાસુચન’ કર્યું છે.....તે હવે આપ
વાંચશો.
૨૨૦ : સમ્યક્ત્વની ભાવના )
( સમ્યગ્દર્શન

Page 221 of 237
PDF/HTML Page 234 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભવનો પ્રયોગ : ૨૨૧
❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈ ❈
આત્મહિત માટે સ્વાનુભવનો પ્રયોગ
c
મહાભાગ્યથી જિનશાસન પામીને હવે જે
જિજ્ઞાસુને પોતાનું કલ્યાણ કરવું હોય, અને
સંસારનાં ઘોર – દુઃખોથી છૂટવું હોય – તેણે શું
કરવું જોઈએ
? – તે બતાવીએ છીએ.
હે જીવ! પહેલાં તો એ શોધી લે કે આત્માની
શાંતિ કોણ પામ્યા છે? ને કઈ રીતે પામ્યા છે?
ભગવંત પંચપરમેષ્ઠીઓ સાચી શાંતિ પામ્યા
છે; અને તે આત્મજ્ઞાનસહિત વીતરાગભાવથી
પામ્યા છે; તેથી મારે પણ તેમને ઓળખીને એમ
કરવું જોઈએ.
આ રીતે પોતાના હિતનો માર્ગ નક્કી કરીને,
આત્માની લગનીથી દરરોજ તેને માટે અંદર પ્રયોગ
કર્યા કરવો જોઈએ. તે પ્રયોગ કઈ રીતે કરવો
? તે
અહીં કેટલુંક બતાવીએ છીએ.
જે પ્રયોગ વડે અમે સ્વાનુભૂતિને પામ્યા
છીએ – તેનો જ નમૂનો તમને બતાવીએ છીએ.

Page 222 of 237
PDF/HTML Page 235 of 250
single page version

background image
b પ્રયોગ પહેલો b
(૧) મારે પંચપરમેષ્ઠી ભગવંતોની સાથે રહેવું છે – કેમકે તેમનું
જીવન અત્યંત સુંદર અને સુખી છે.
(૨) પંચપરમેષ્ઠીની સાથે રહેવા માટે, સૌથી પહેલાં હું તેમના
સ્વરુપને ઓળખીશ.
(૩) અહો, આ ભગવંતોની ઓળખાણ કરતાં જ મારામાં પણ
કેવું અતીન્દ્રિય જ્ઞાન તથા પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો
છે
!!
(૪) પંચપરમેષ્ઠીની સાથે રહેવાથી, એટલે કે તેમને મારા
અંતરમાં રાખવાથી, તેમનું અને મારું જીવન એક સરખું
થઈ જશે, – હું તેમના જેવો થઈ જઈશ.
પ્રયોગ :
આ સંબંધમાં વિચાર : ૩૦ મિનિટ : ધ્યાન ૧૦ મિનિટ
પ્રશ્ન : – આ પ્રયોગમાં ‘વિચાર’ અને ‘ધ્યાન’ બંને કરવાનું
કહ્યું, તો તે બંનેમાં શું ફેર છે?
ઉત્તર : – વિચારના વિષયમાં તો સ્વ – પર, સ્વભાવ –
વિભાવ બધાનો વિચાર કરીને ભેદજ્ઞાનની દ્રઢતા કરવાની છે, ને ‘હું
જ્ઞાયક છું.....અનંત ચૈતન્યસુખ મારામાં જ વેદાય છે’ ઇત્યાદિ
પ્રકારે એકલા સ્વતત્ત્વને જ ઉપયોગમાં લેવાનો પ્રયત્ન તે ધ્યાનનો
પ્રયોગ છે.....વિચારનું ફળ ધ્યાન છે ને ધ્યાનવડે સ્વાનુભવ થાય
છે.
૨૨૨ : સ્વાનુભવનો પ્રયોગ )
( સમ્યગ્દર્શન

Page 223 of 237
PDF/HTML Page 236 of 250
single page version

background image
b પ્રયોગ બીજો b
(૫) પંચપરમેષ્ઠીની સાથે રહેવાથી હવે હું મુમુક્ષુ થયો; હવે
કષાયોની અશાંતિમાં હું જીવી ન શકું; કોઈ પણ પ્રકારે હવે હું
પંચપરમેષ્ઠી જેવી શાંતિ મારામાંથી પ્રગટ કરીશ.
(૬) જ્યારે હું મારી અંદર મારા ચેતનને દેખવાનો પ્રયત્ન
કરું છું ત્યારે કષાયભાવો દૂરદૂર ભાગી જાય છે, અને એમ લાગે
છે કે જાણે પંચપરમેષ્ઠી આવીને મારા હૃદયમાં બેઠા છે, અને તેમની
સાથે હું પણ કોઈ અપૂર્વ શાંતિનું વેદન કરી રહ્યો છું.
(૭) હવે હું વિચારું છું કે આવી શાંતિ ક્યાંથી આવે છે? તો
મારું લક્ષ અંદરને અંદર ઊંડે ઊતરવા માંડે છે; અને અંદરથી
અવાજ સંભળાય છે કે ‘શાંતિ અહીં છે.....હું પોતે જ શાંતિથી
ભરેલો સમુદ્ર છું.’
(૮) હવે મને વિશ્વાસ જાગ્યો અને ખબર પડી કે મારામાં જ
શાંતિ છે. – આ કોઈના કહેવાથી નહીં. પરંતુ મારા આત્માના
અંદરના વેદનથી મને શાંતિ દેખાય છે. આ પહેલાં સંસારમાં ક્યાંય
કોઈપણ વસ્તુમાં આવી શાંતિ મેં કદી દેખી ન હતી.
(૯) બસ, હવે તો હું મારી શાંતિની પાછળ જ લાગ્યો
રહીશ, અને તેનો સાક્ષાત સ્વાદ લીધા વગર રહીશ નહીં.
(પ્રયોગ : વિચાર ૪૦ મિનિટ : ધ્યાન ૧૫ મિનિટ)
(જેમ જેમ આ પ્રયોગ કરો તેમ તેમ, તેમાં દર્શાવ્યા મુજબના
ભાવો તમને તમારા આત્મામાં સ્પષ્ટપણે વેદાવા જોઈએ.)
સમ્યગ્દર્શન )
( સ્વાનુભવનો પ્રયોગ : ૨૨૩

Page 224 of 237
PDF/HTML Page 237 of 250
single page version

background image
b પ્રયોગ ત્રીજો b
(૧૦) અહો, મારું આત્મતત્ત્વ કેટલું ગંભીર છે! અને કેવી
સુંદરતા ભરી છે મારામાં! – તે આ બે દિવસના જ વિચાર તથા
ધ્યાનના પ્રયોગથી મને દેખાવા માંડયું. બે જ દિવસમાં જેમાંથી
આટલી ગંભીરતા નીકળી – તે તત્ત્વના મહિમાનું શું કહેવું
? આ
તત્ત્વના અનુભવ માટેનો મારો આ પ્રયોગ ખાલી નહિ જાય;
અત્યારે જ તે સફળ થઈ રહ્યો છે, અને તેના ફળરુપે પરમ
અતીન્દ્રિય શાંતિનો અનુભવ થતાં હવે વાર નહીં લાગે.
(૧૧) આ પ્રમાણે સ્વભાવના ઉલ્લાસપૂર્વક હું આગળ ને
આગળ વધી રહ્યો છું; મારું હિત મારે પોતે જ સાધવાનું છે, મારી
શાંતિનું વેદન મારે જ કરવાનું છે. જગતનું કાંઈ હું નથી કરતો,
અને જગતમાં કોઈ મારું કાંઈ કરી દેતું નથી; એકબીજાથી નિરપેક્ષ
પોતપોતામાં સ્વાધીન છે, – તેથી મારી પરિણતિને હવે ક્યાંય
બહાર ઘૂમવાનું ન રહ્યું; મારામાં જ રહીને શાંતિનું વેદન કરવાનું
છે. તેથી વિશ્વ પ્રત્યે પરમ ઉદાસીન એવો મારો કષાયરસ હવે
તૂટવા માંડયો છે, અને જ્ઞાનમય શાંતરસનું ઘણું જોરદાર ઘોલન
થઈ રહ્યું છે.
(૧૨) હવે ચૈતન્યના ઊંડાણમાં જવામાં મજા આવે છે,
અપરિચિત નથી લાગતું, થાક નથી લાગતો, પરંતુ કષાયનો થાક
હવે ઊતરવા માંડયો છે; ચૈતન્યની વારંવાર ભાવના વગર હવે
રહેવાતું નથી, સંસારના કષાયપ્રસંગમાં તો જરાય ચેન પડતું નથી.
(૧૩) મારું જ્ઞાન હવે એટલું જાગૃત થઈ ગયું છે કે શાંતિને
અને કષાયને હું એકબીજામાં જરાપણ ભેળવતો નથી; બંનેને જુદા
કરીને શાંતિને લઈ લઉં છું. – આ જ મારો આત્મહિતનો પ્રયોગ
૨૨૪ : સ્વાનુભવનો પ્રયોગ )
( સમ્યગ્દર્શન

Page 225 of 237
PDF/HTML Page 238 of 250
single page version

background image
છે. વાહ સંતો! આપ મને સાથે જ રાખીને આત્મહિત સાધતાં
શીખવી રહ્યા છો.
(૧૪) રાગ – દ્વેષ – કષાય વખતે પણ, હું એટલો જ નથી,
તે વખતે પણ મારું ચૈતન્યજ્ઞાન જીવતું છે – વિદ્યમાન છે; તે
જ્ઞાનના મીઠા સ્વાદમાં કષાયના કડવા સ્વાદનું મિલન હું નથી
કરતો. કષાય રહિત જ્ઞાનમાં ચૈતન્યરસનો જે અપૂર્વ સ્વાદ આવે છે
તે શાંત છે, આત્માને તૃપ્તિ દેનાર છે.
(૧૫) આમાં સદા પ્રીતિવંત બન,
આમાં સદા સંતુષ્ટ ને;
આનાથી બન તું તૃપ્ત,
તુજને સુખ અહો! ઉત્તમ થશે.
– શ્રી કુંદકુંદસ્વામીની આ મંગલ હિત – શિખામણનું
ગ્રહણ કરીને હું એ જ પ્રમાણે કરી રહ્યો છું ને સુખી થઈ રહ્યો છું.
(૧૬) અહા! મારા આત્મામાં સુખનો વિલાસ નિરંતર
દેખાય છે. કષાયના દુઃખથી હવે આત્મા છૂટવા માંડયો છે;
સુખસમુદ્ર સ્વયં ઉલ્લસવા માંડયો છે; સમ્યક્ત્વ હવે નજીક છે;
અપૂર્વ નિર્વિકલ્પ – સ્વાનુભવ હવે અંતરમાંથી દોડતો – દોડતો
આવી રહ્યો છે.
(૧૭) ‘‘બસ હું મારામાં જ શાંત બેઠો છું.’’
(પ્રયોગ : વિચાર ૨૦ મિનિટ; ધ્યાન ૨૦ મિનિટ)
સમ્યગ્દર્શન )
( સ્વાનુભવનો પ્રયોગ : ૨૨૫

Page 226 of 237
PDF/HTML Page 239 of 250
single page version

background image
b પ્રયોગ ચોથો b
(૧૮) પ્રભો પંચ પરમેષ્ઠી! ત્રણ દિવસથી આપની સાથે
રહેતાં મારા આત્મામાં જે આનંદમય પરિવર્તન થઈ રહ્યું છે – તે
દેખીને મને પોતાને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે, – કેવો સુંદર અને
ઉપશાંત છે આપનો દેશ
!!
(૧૯) હવે તો મારા અંતરમાં એવી લગની લાગી છે કે
એકદમ હું મારું કામ કઈ રીતે કરી લઉં! અરે, આપના જેવા શાંત
આત્માઓની સાથે રહેતાં પણ હજી મારામાં કષાયનું વેદન રહે –
એ હવે મારાથી સહન નથી થતું. જરાક શાંતિની હવા તો અંદરથી
આવી રહી છે, તે શાંતિના જ બળથી હું કષાયો સામે જોરથી લડી
રહ્યો છું. મારો સમ્યક્ત્વ – ભાઈ મને લડવામાં મદદ કરી રહ્યો
છે; તેના એક જ ઘા થી હવે મિથ્યાત્વ ક્ષણમાત્રમાં ખતમ થઈ
જવાનું છે. મારા સમ્યક્ત્વ – બંધુનો અવાજ આવી રહ્યો છે કે તું
ગભરાઈશ નહીં, હું તરત જ તારી મદદમાં આવી રહ્યો છું.
(૨૦) પ્રભો! હવે મારો વિજય નક્કી છે, કેમકે સમસ્ત
ગુણશક્તિ સહિત ત્રિકાળી દ્રવ્ય તથા સમ્યક્ત્વ – જ્ઞાનચેતના –
પુરુષાર્થ વગેરે બધાય મારા પક્ષમાં છે. અહા, હવે તો કષાયો ભાગવા
માંડયા છે, અને મારા અંતરમાં અકષાયી અદ્ભુત અતીન્દ્રિય
આનંદમય ચૈતન્યશાંતિનું વેદન થવા માંડયું છે. હવે કષાય કરતાં
મારો ચૈતન્યભાવ ઘણો જ બળવાન દેખાય છે; આ જ મારા
જ્ઞાનસ્વભાવની ‘અધિકતા’ છે, અને આ જ મારી સ્વાનુભૂતિ છે.
(૨૧) સ્વાનુભૂતિ પામીને હું પંચપરમેષ્ઠીની વચ્ચે બેસી ગયો
છું.
(પ્રયોગ : ૨૦ મિનિટ વિચાર : ૨૦ મિનિટ ધ્યાન)
૨૨૬ : સ્વાનુભવનો પ્રયોગ )
( સમ્યગ્દર્શન

Page 227 of 237
PDF/HTML Page 240 of 250
single page version

background image
b પ્રયોગ પાંચમો b
(૨૨) હે ચૈતન્ય ભગવાન! ચાર દિવસના આપના નીકટ
પરિચયથી મારું ચિત્ત હવે મારા પોતામાં જ લાગી રહે છે, અને
હવે આપની સાથે એવી આત્મીયતા થઈ ગઈ છે કે ચિત્ત ક્યાંય
બીજે ઠરતું નથી; પોતે પોતામાં જ ઠરીને ચિત્ત સંતુષ્ટ થઈ રહ્યું છે.
(૨૩) હું વિચારું છું કે દરરોજ માત્ર ઘડી – બેઘડી પણ
આપને મળવાનો પ્રયોગ કરતાં – કરતાં મને એટલી શાંતિનો લાભ
થયો કે જેટલી મને કલ્પના પણ ન હતી; – તોપછી દિનરાત
ચોવીસ કલાક હું આપની અનુભૂતિના પ્રયોગમાં લાગ્યો રહું તો
પરમ અતીન્દ્રિય આનંદનો અનુભવ થતાં કેટલી વાર
? તેથી હવે હું
વધુ જોરથી આ પ્રયોગમાં આગળ વધીશ, કેમકે આ અતીન્દ્રિય
શાંતિને માટે હવે મારો આત્મા બહુ વ્યાકુળ થઈ રહ્યો છે; જે શાંતિ
મારા પોતામાં જ ભરી છે અને જેનો થોડો થોડો સ્વાદ પણ આવી
રહ્યો છે, – તેનાથી હવે હું વંચિત કેમ રહું
?
(૨૪) હા, ભગવાન! હું જાણું છું કે આમ યાચના કર્યા
કરવાથી કે ભાવના કરતા રહેવાથી આપનો સાક્ષાત્કાર નહિ થાય,
પરંતુ ઉપયોગને સર્વ તરફથી ખેંચીને માત્ર આપમાં જ સંપૂર્ણપણે
જોડવાથી જ આપના સાક્ષાત્ દર્શન થશે – જે અતીન્દ્રિય આનંદથી
ભરપૂર હશે; – પરંતુ જ્યાંસુધી સાક્ષાત્કાર નથી થતો ત્યાંસુધી
આપની ભાવના વગર રહેવાતું નથી. કેમકે આપના સિવાય
સંસારમાં તો બીજે ક્યાંય પણ મારું ચિત્ત લાગતું નથી.
(૨૫) હવે પૂરી તાકાતથી આપને દેખવા માટે હું ઉપયોગ
લગાવી રહ્યો છું, – હું જોઉં છું કે આપ કેમ દૂર રહી શકો છો?
મારા ઉપયોગમાં વીરતાનો એવો મહાન ઝણઝણાટ થઈ રહ્યો છે કે
સમ્યગ્દર્શન )
( સ્વાનુભવનો પ્રયોગ : ૨૨૭