Padmapuran (Gujarati). Parva 3 - Vidyadhar loknu varnan; Parva 4 - Bhagwan Rushabdevna aharnimitna viharnu varnan; Parva 5 - Havey vanshotpati naamno mahaadhikaar.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 35

 

Page 20 of 660
PDF/HTML Page 41 of 681
single page version

background image
૨૦ બીજું પર્વ પદ્મપુરાણ
પ્રભાતે દેહક્રિયા કરીને રાજા શ્રેણિક પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા.
ભગવાનના દિવ્ય ધ્વનિમાં તીર્થંકર, ચક્રવર્તી આદિનાં જે ચરિત્ર કહેવામાં આવ્યાં તે મેં
સાવધાન થઈને સાંભળ્‌યાં છે. હવે શ્રી રામચંદ્રનું ચરિત્ર સાંભળવાની મારી અભિલાષા છે.
લૌકિક ગ્રંથોમાં રાવણાદિકોને માંસભક્ષી રાક્ષસ કહ્યા છે, પરંતુ તે મહાકુલીન વિદ્યાધરો,
મધ, માંસ, રુધિરાદિનું ભક્ષણ કેવી રીતે કરે? રાવણના ભાઈ કુંભકર્ણ વિષે તેઓ એમ
કહે છે તે છ મહિના ઊંઘી રહેતો હતો, તેના ઉપર હાથી ચલાવતા, ઉકળતું તેલ કાનમાં
નાખતા તો પણ છ મહિના પહેલાં તે ઊઠતો નહિ, જાગતાં જ તેને એટલી ભૂખ-તરસ
લાગતી કે અનેક હાથી, પાડા વગેરે પશુઓ અને મનુષ્યોને ખાઈ જતો અને લોહી, પરુનું
પાન કરતો તો પણ તેને તૃપ્તિ થતી નહિ. તેઓ સુગ્રીવ, હનુમાનાદિકને વાનર કહે છે,
પરંતુ તેઓ તો મોટા વિદ્યાધર રાજાઓ હતા. મહાન પુરુષોનું વિપરીત વ્યાખ્યાન કરવાથી
મહાન પાપનો બંધ થાય છે. જેમ અગ્નિના સંયોગથી શીતળતા થતી નથી અને બરફના
સંયોગથી ગરમી થતી નથી, જળ વલોવવાથી ઘી મળતું નથી કે રેતીને પીલવાથી તેમાંથી
તેલ નીકળતું નથી તેમ, મહાપુરુષોના વિરૂદ્ધ શ્રવણ કરવાથી પુણ્ય થતું નથી. લોકો એમ
કહે છે કે રાવણે દેવોના રાજા ઇન્દ્રને જીત્યો હતો, પણ એમ બની શકે નહિ. ક્યાં એ
દેવોનો ઇન્દ્ર અને ક્યાં આ મનુષ્ય? ઇન્દ્રના કોપ માત્રથી જ એ ભસ્મ થઈ જાય. જેની
પાસે ઐરાવત હાથી, વજ્ર જેવું આયુધ અને આખી પૃથ્વીને વશ કરી શકે એટલું સામર્થ્ય
હોય એવા સ્વર્ગના સ્વામી ઇન્દ્રને આ અલ્પશક્તિનો સ્વામી વિદ્યાધર કેવી રીતે પકડીને
કેદમાં પૂરે? હરણથી સિંહને કેવી રીતે બાધા પહોંચે? તલથી શિલાને પીસવાનું, ઈયળથી
સાપને મારવાનું અને શ્વાનથી ગજેન્દ્રને હણવું કેવી રીતે બની શકે? વળી, લોકમાં
કહેવાય છે કે રામચન્દ્ર મૃગાદિની હિંસા કરતા હતા, પણ એ વાત બને નહિ. તે વ્રતી,
વિવેકી, દયાવાન, મહાપુરુષ જીવોની હિંસા કેવી રીતે કરે? માટે આવી વાત સંભવે નહિ.
તે અભક્ષ્યનું ભક્ષણ કેવી રીતે કરે? તે વાલીને સુગ્રીવના મોટાભાઈ કહે છે અને તે
સુગ્રીવની સ્ત્રીને પરણ્યા એમ કહે છે. હવે, મોટાભાઈ તો પિતા સમાન ગણાય તે નાના
ભાઈની સ્ત્રી સાથે કેવી રીતે પરણે? માટે આવી વાત સંભવિત નથી, માટે ગણધરદેવને
પૂછીને શ્રી રામચંદ્રજીની યથાર્થ કથાનું શ્રવણ કરું આમ તે ચિંતવવા લાગ્યા. વળી તે
વિચારે છે કે હંમેશા ગુરુના દર્શન કરીને, ધર્મના પ્રશ્નો કરીને તત્ત્વનો નિશ્ચય કરવાથી
પરમ સુખ થાય છે. એ આનંદનું કારણ છે એમ વિચારીને રાજા શય્યામાંથી ઊભા થયા
અને રાણી પોતાને સ્થાનકે ગઈ. કેવી છે રાણી? લક્ષ્મી સમાન કાંતિવાળી, મહાપતિવ્રતા
અને પતિનો ખૂબ વિનય કરનારી છે અને રાજા ધર્માનુરાગમાં અત્યંત નિષ્કંચિત્તવાળાં છે.
બન્નેએ પ્રભાતની ક્રિયાઓ પૂરી કરી અને જેમ સૂર્ય શરદઋતુના વાદળોમાંથી બહાર આવે
તેમ રાજા સફેદ કમળ સમાન ઉજ્જવળ સુગંધ મહેલમાંથી બહાર આવ્યા. તે સુગંધ
મહેલના ભમરા ગુંજારવ કરી રહ્યા છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણની સ્વ. પં. દૌલતરામજીકૃત ભાષા-

Page 21 of 660
PDF/HTML Page 42 of 681
single page version

background image
પદ્મપુરાણ ત્રીજું પર્વ ૨૧
ટીકા ગુજરાતી અનુવાદમાં રાજા શ્રેણિકે રામચન્દ્ર-રાવણના ચરિત્ર સાંભળવા માટે પ્રશ્ન
પૂછવાનો વિચાર કર્યો, એવો દ્વિતીય અધિકાર સંપૂર્ણ થયો. ૨.
* * *
ત્રીજું પર્વ
(વિદ્યાધર લોકનું વર્ણન)
રાજા સભામાં આવીને આભૂષણસહિત બિરાજ્યા તે વખતની શોભાનું વર્ણન
કરીએ છીએ. સવારમાં જ મોટા મોટા સામંતો આવ્યા તેમને દ્વારપાળે રાજાનું દર્શન
કરાવ્યું. સામંતોનાં વસ્ત્રાભૂષણ સુંદર છે. તેમની સાથે રાજા હાથી ઉપર બેસીને નગરમાંથી
સમોસરણમાં જવા નીકળ્‌યા. આગળ ભાટચારણો બિરૂદાવળિ બોલતા જાય છે. રાજા
સમોસરણ પાસે પહોંચ્યા. કેવું છે સમોસરણ? જ્યાં અનંત મહિમાના સ્થાનરૂપ મહાવીર
સ્વામી બિરાજે છે, તેમની સમીપે ગૌતમ ગણધર ખડા છે. તત્ત્વના વ્યાખ્યાનમાં તત્પર,
કાંતિમાં ચંદ્રમાતુલ્ય, પ્રકાશમાં સૂર્ય સમાન, જેમનાં ચરણ અને નેત્રરૂપી કમળ
અશોકવૃક્ષનાં પાન જેવા લાલ છે અને પોતાની શાંતિથી જગતને શાંત કરે છે, મુનિઓના
સમૂહના સ્વામી છે. રાજા દૂરથી જ સમોસરણ જોઈને હાથી ઉપરથી ઉતરી, સમોસરણમાં
પ્રવેશી, હર્ષથી જેનું મુખ પ્રફુલ્લિત બન્યું છે એવા તે ભગવાનની પ્રદક્ષિણા દઈ, હાથ
જોડી, નમસ્કાર કરી, મનુષ્યોની સભામાં બેઠા.
પહેલાં રાજા શ્રેણિકે શ્રી ગણધરદેવને નમસ્કાર કરી, કુશળ પૂછીને પ્રશ્ન કર્યો-
ભગવન્! મને રામચરિત્ર સાંભળવાની ઈચ્છા છે. આ કથા જગતમાં લોકોએ બીજી રીતે
કહી છે તેથી હે પ્રભો! કૃપા કરીને સંદેહરૂપ કીચડમાંથી પ્રાણીઓને બહાર કાઢો.
રાજા શ્રેણિકનો પ્રશ્ન સાંભળીને શ્રી ગણધરદેવ પોતાના ઉજ્જવલ મુખથી જગતને
પ્રકાશિત કરતા ગંભીર મેઘધ્વનિ સમાન ભગવાનના દિવ્ય ધ્વનિ અનુસાર વ્યાખ્યાન
કરવા લાગ્યા. હે રાજા, તું સાંભળ. હું જિનાજ્ઞા પ્રમાણે કહું છું. કેવાં છે જિનવચન?
તત્ત્વકથનમાં તત્પર છે. તું આ નક્ક્ી કર કે રાવણ રાક્ષસ નથી, મનુષ્ય છે, માંસાહારી
નથી પણ વિદ્યાધરોનો અધિપતિ છે, રાજા વિનમિના વંશમાં ઉત્પન્ન થયો છે. વળી,
સુગ્રીવાદિક વાનર નથી, એ મહાન રાજા-મનુષ્ય છે, વિદ્યાધર છે. જેમ પાયા વિના મકાન
બને નહિ તેમ જિનવચનરૂપી મૂળ વિના કથાની પ્રમાણતા-સત્યતા હોતી નથી. માટે પ્રથમ જ
ક્ષેત્ર, કાળાદિનું વર્ણન સાંભળી પછી મહાપુરુષોનું ચરિત્ર કે જે પાપને હરનાર છે તે તું સાંભળ.
(લોકાલોક, કાળચક્ર, કુલકર, નાભિરાજા, શ્રી ઋષભદેવ અને ભરતનું વર્ણન)
ગૌતમસ્વામી કહે છે કે હે રાજા શ્રેણિક અનંતપ્રદેશી અલોકની મધ્યમાં ત્રણ
વાતવલયથી વેષ્ટિત ત્રણ લોક રહેલા છે. તે લોકની મધ્યમાં આ મધ્યલોક છે. તેમાં
અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે. તેની વચમાં લવણસમુદ્રથી વીંટળાયેલો, એક લાખ
યોજનપ્રમાણ આ જંબૂદ્વીપ છે,

Page 22 of 660
PDF/HTML Page 43 of 681
single page version

background image
૨૨ ત્રીજું પર્વ પદ્મપુરાણ
તેની મધ્યમાં સુમેરુ પર્વત છે. તે મૂળમાં વજ્રમણિમય છે અને ઉપર આખોય સુવર્ણમય
છે, તે અનેક રત્નોથી સંયુક્ત છે. સંધ્યા સમયે લાલાશ ધારણ કરતાં વાદળાઓના જેવો
સ્વર્ગ સુધી ઊંચા શિખરવાળો છે. તેના શિખરની ટોચ અને સૌધર્મસ્વર્ગની વચ્ચે એક
વાળ જેટલું અંતર છે. સુમેરુ પર્વત ૯૯ હજાર યોજન ઊંચો છે અને એક હજાર યોજનનું
તેનું સ્કન્ધ છે, પૃથ્વીમાં તે દશ હજાર યોજન પહોળો છે અને શિખર ઉપર તેની પહોળાઈ
એક હજાર યોજનની છે, જાણે કે તે મધ્યલોકને માપવાનો દંડ જ છે. જબૂદ્વીપમાં એક
દેવકુરુ અને એક ઉત્તરકુરુ નામની ભોગભૂમિ છે, ભરતાદિ સાત ક્ષેત્રો છે, છ કુલાચલોથી
તેમના વિભાગ થાય છે. જંબૂ અને શાલ્મલી આ બે વૃક્ષો છે. જંબૂદ્વીપમાં ચોત્રીસ
વિજ્યાર્ધ પર્વત છે. એકેક વિજ્યાર્ધમાં એકસો દસદસ વિદ્યાધરોની નગરીઓ છે, એકેક
નગરીને કરોડ કરોડ ગામ જોડાયેલાં છે. જંબૂદ્વીપમાં બત્રીસ વિદેહ, એક ભરત અને એક
ઐરાવત એ પ્રમાણે ચોત્રીસ ક્ષેત્રો છે. એકેક ક્ષેત્રમાં એકેક રાજધાની છે, જંબૂદ્વીપમાં
ગંગાદિક ૧૪ મહાનદી છે અને છ ભોગભૂમિ છે. એકેક વિજ્યાર્ધ પર્વતમાં બબ્બે ગુફા છે
એટલે ચોત્રીસ વિજ્યાર્ધની અડસઠ ગુફાઓ છે. છ કુલાચલો ઉપર, વિજ્યાર્ધ પર્વતો ઉપર
અને વક્ષાર પર્વતો ઉપર સર્વત્ર ભગવાનના અકૃત્રિમ ચૈત્યાલયો છે જંબુ અને શાલ્મલી
વૃક્ષ ઉપર ભગવાનનાં જે અકૃત્રિમ ચૈત્યાલયો છે. તે રત્નોની જ્યોતિથી પ્રકાશમાન છે.
જંબૂદ્વીપની દક્ષિણ દિશામાં રાક્ષસદ્વીપ છે અને ઐરાવતક્ષેત્રની ઉત્તર દિશામાં ગંધર્વ નામનો
દ્વીપ છે. પૂર્વ વિદેહની પૂર્વ દિશામાં વરુણદ્વીપ છે અને પશ્ચિમ વિદેહની પશ્ચિમ દિશામાં
કિન્નરદ્વીપ છે. તે ચારેય દ્વીપ જિનમંદિરોથી શોભિત છે.
જેમ એક માસમાં શુક્લ અને કૃષ્ણ એમ બે પક્ષ હોય છે તેવી જ રીતે એક
કલ્પમાં અવસર્પિણી અને ઉત્સર્પિણી એમ બન્ને કાળ પ્રવર્તે છે. અવસર્પિણી કાળમાં પ્રથમ
જ સુષમાસુષમા કાળની પ્રવૃત્તિ હોય છે, પછી બીજો સુષમા, ત્રીજો સુષમાદુષમા, ચોથો
દુષમાસુષમા, પાંચમો દુષમા અને છઠ્ઠો દુષમાદુષમા કાળ પ્રવર્તે છે, ત્યારપછી ઉત્સર્પિણી
કાળ પ્રવર્તે છે. તેની શરૂઆતમાં પ્રથમ જ છઠ્ઠો કાળ દુષમાદુષમા પ્રવર્તે છે, પછી પાંચમો
દુષમા, પછી ચોથો દુષમાસુષમા, પછી ત્રીજો સુષમાદુષમા, બીજો સુષમા અને પહેલો
સુષમાસુષમા પ્રવર્તે છે. આ પ્રમાણે રેંટની ઘડી સમાન અવસર્પિણી પછી ઉત્સર્પિણી અને
ઉત્સર્પિણી પછી અવસર્પિણી આવે છે. આ કાળચક્ર સદાય આ પ્રમાણે ફરતું રહે છે પરંતુ
આ કાળપરિવર્તન ફકત ભરત અને ઐરાવત ક્ષેત્રમાં છે તેથી એમાં જ આયુષ્ય, કાયાદિની
હાનિ થાય છે. મહાવિદેહાદિ ક્ષેત્રમાં, સ્વર્ગમાં, પાતાળમાં, ભોગભૂમિ આદિકમાં તથા સર્વ
દ્વીપ સમુદ્રાદિમાં કાળચક્ર ફરતું નથી તેથી તેમાં રીતિ બદલાતી નથી, એક જ રીતિ રહે છે.
દેવલોકમાં તો સુષમાસુષમા નામના પ્રથમ કાળની જ સદા રીત રહે છે. ઉત્કૃષ્ટ
ભોગભૂમિમાં પણ સુષમાસુષમા કાળની રીતિ રહે છે. મધ્ય ભોગભૂમિમાં સુષમા એટલે
બીજા કાળની રીતિ રહે છે અને જઘન્ય ભોગભૂમિમાં સુષમાદુષમા એટલે ત્રીજા કાળની
રીતિ રહે છે. મહાવિદેહ ક્ષેત્રોમાં દુષમાસુષમા

Page 23 of 660
PDF/HTML Page 44 of 681
single page version

background image
પદ્મપુરાણ ત્રીજું પર્વ ૨૩
જે ચોથો કાળ છે. તેની રીતિ રહે છે. અઢી દ્વીપથી આગળ અંતિમ અર્ધા સ્વયંભૂરમણ
દ્વીપ સુધી વચ્ચેના અસંખ્યાત દ્વીપસમુદ્રોમાં જઘન્ય ભોગભૂમિમાં સદા ત્રીજા કાળની રીતિ
હોય છે અને છેલ્લા અર્ધા દ્વીપમાં તથા છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રમાં અને ચારે ખૂણામાં
દુષમ અર્થાત્ પંચમ કાળની રીતિ સદા રહે છે. નરકમાં દુષમાદુષમા જે છઠ્ઠો કાળ છે, તેની
રીત રહે છે. ભરત ઐરાવત ક્ષેત્રોમાં છયે કાળ પ્રવર્તે છે. જ્યારે સુષમાસુષમા કાળ પ્રવર્તે
છે ત્યારે અહીં દેવકુરુ ઉત્તરકુરૂ ભોગભૂમિની રચના હોય છે. કલ્પવૃક્ષોથી મંડિત ભૂમિ
સુખમય શોભે છે, મનુષ્યનાં શરીર ત્રણ કોશ ઊંચા હોય છે, બધાય મનુષ્યો તથા
તિર્યંચોનું આયુષ્ય ત્રણ પલ્યનું હોય છે, મનુષ્યની કાંતિ ઉગતા સૂર્ય સમાન હોય છે. સર્વ
શુભ લક્ષણોથી યુક્ત લોકો શોભે છે, સ્ત્રીપુરુષનું યુગલ જ જન્મે છે અને સાથે જ મરે છે,
સ્ત્રીપુરુષો વચ્ચે અત્યંત પ્રીતિ હોય છે, તે મરીને દેવગતિ પામે છે. ભૂમિ કાળા પ્રભાવથી
રત્નસુવર્ણમય હોય છે, દશ જાતિની કલ્પવૃક્ષો બધી જ મનોકામનાઓ પૂરી કરે છે. ત્યાં
ચારચાર આંગળના અત્યંત સુગંધી, મિષ્ટ અને કોમળ તૃણથી ભૂમિ આચ્છાદિત હોય છે,
વૃક્ષો સર્વ ઋતુનાં ફળફૂલોથી શોભે છે, ત્યાં હાથી, ઘોડા, ગાય, ભેંસ વગેરે અનેક જાતના
પશુઓ સુખેથી રહે છે. મનુષ્યો કલ્પવૃક્ષથી ઉત્પન્ન થયેલ મહામનોહર ફળોનો આહાર કરે
છે. ત્યાં સિંહાદિક પણ ક્રૂર નથી, માંસનો આહાર હોતો નથી, યોગ્ય આહાર કરે છે. ત્યાં
વાવ સુર્વણ અને રત્નોનાં પગથિયાથી શોભતી, કમળોવાળી, દૂધ, દહીં, ઘી મિષ્ટાન્નથી
ભરેલી અત્યંત શોભે છે. પહાડો અત્યંત ઊંચા, જુદાજુદા પ્રકારનાં રત્નોના કિરણોથી
મનોજ્ઞ લાગતા, સર્વ પ્રાણીઓને સુખ આપતા પંચ પ્રકારના વર્ણથી શોભે છે. નદીઓ
જળચરાદિ જંતુઓથી રહિત દૂધ, ઘી, મિષ્ટાન્ન અને જળથી ભરેલી, અત્યંત સ્વાદસંયુક્ત
પ્રવાહરૂપ વહે છે. તેના કિનારા રત્નોની જ્યોતથી ઝગમગે છે. તેમાં બે ઈન્દ્રિય, ત્રિન્દ્રિય,
ચતુરીન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તથા જળચરાદિ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ નથી. ત્યાં સ્થળચર,
નભચર, ગર્ભજ તિર્યંચ છે તે તિર્યંચ પણ યુગલ જ જન્મે છે. ત્યાં શીત, ઉષ્ણતા, વર્ષા કે
તીવ્ર પવન હોતાં નથી. શીતળ, મંદ, સુગંધી પવન વાય છે અને કોઈ પ્રકારનો ભય નથી,
સદા અદ્ભુત ઉત્સાહ જ રહે છે. ત્યાં જ્યોતિરાંગ જાતિના કલ્પવૃક્ષની જ્યોતિને કારણે
ચન્દ્ર-સૂર્ય દેખાતા નથી. દસ જાતનાં કલ્પવૃક્ષ સર્વ ઈન્દ્રિયોના સુખ આપનારા શોભે છે.
ત્યાં ભોજન, પાન, સૂવું, બેસવું, વસ્ત્રાભૂષણ, સુગંધાદિક બધું જ કલ્પવૃક્ષથી ઉપજે છે.
આ કલ્પવૃક્ષ વનસ્પતિકાય નથી અને દેવાધિષ્ઠિત પણ નથી, ફકત પૃથ્વીકાયરૂપ ઉત્તમ
વસ્તુ છે. સ્વર્ગલોકમાં દેવ રમે તેમ ત્યાં મનુષ્યોના યુગલ રમે છે. આ પ્રમાણે ગણધરદેવે
ભોગભૂમિનું વર્ણન કર્યું.
ત્યારે રાજા શ્રેણિકે ભોગભૂમિમાં ઉપજવાનું કારણ પૂછયું. એટલે ગણધરદેવે ઉત્તર આપ્યો
કે જે જીવો સરળચિત્ત હોય છે અને નિર્ગ્રંથ મુનિઓને આહારાદિકનું દાન આપે છે તે
ભોગભૂમિમાં મનુષ્ય થાય છે. જેમ સારા ખેતરમાં વાવેલાં બીજ અનેકગણા થઈને ફળે છે અને
શેરડીના સાંઠામાં પ્રવેશેલું જળ મિષ્ટ બને છે, ગાયે પીધેલું જળ દૂધરૂપે પરિણમે છે, તેમ

Page 24 of 660
PDF/HTML Page 45 of 681
single page version

background image
૨૪ ત્રીજું પર્વ પદ્મપુરાણ
વ્રતમંડિત, પરિગ્રહરહિત મુનિને આપવામાં આવેલું દાન મહાફળ આપે છે તેમ જ નીરસ
ક્ષેત્રમાં વાવેલાં બીજનું અલ્પ ફળ મળે છે. લીમડાના વૃક્ષમાં પ્રવેશેલું જળ કડવું થાય છે
તેવી જ રીતે જે ભોગતૃષ્ણાથી કુદાન કરે છે, તે ભોગભૂમિમાં પશુજન્મ પામે છે.
ભાવાર્થઃ – દાન ચાર પ્રકારનું છે. આહારદાન, ઔષધદાન, શાસ્ત્રદાન અને
અભયદાન. તેમાં મુનિ, અર્જિકા, ઉત્કૃષ્ટ શ્રાવકોને ભક્તિપૂર્વક જે આપવામાં આવે તે
પાત્રદાન છે, ગુણોમાં પોતાના સમાન સાધર્મી જનોને આપવામાં આવે તે સમદાન છે
અને દુઃખી જીવોને દયાભાવથી જે આપવામાં આવે તે કરુણાદાન છે. સર્વત્યાગ કરીને
મુનિવ્રત લેવા તે સકળદાન છે. આ દાનના ભેદ કહ્યા.
આગળ કાળચક્રની રીત વર્ણવે છે. જેમ એક માસમાં શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ બેય
હોય છે તેમ એક કલ્પમાં અવસર્પિણી, ઉત્સર્પિણી બે કાળ પ્રવર્તે છે. અવસર્પિણી કાળમાં
પ્રથમ જ સુષમાસુષમા કાળ પ્રવર્તે છે. પછી બીજો સુષમા, ત્રીજો સુષમાદુષમા આવે છે.
જ્યારે ત્રીજા કાળમાં પલ્યનો આઠમો ભાગ બાકી રહ્યો ત્યારે કુલકર ઉત્પન્ન થયા તેનું
વર્ણન હે શ્રેણિક, તું સાંભળ, પ્રથમ કુલકર પ્રતિશ્રુતિ થયા. તેમનાં વચન સાંભળીને લોકો
આનંદ પામ્યા. તે કુલકર પોતાના ત્રણ જન્મ વિષે જાણતા હોય છે, તેમની ચેષ્ટા સુન્દર
હોય છે, તે કર્મભૂમિમાં કરવામાં આવતા વ્યવહારના ઉપદેશક છે. તેમના પછી સહસ્ત્ર
કરોડ અસંખ્ય વર્ષો વીત્યાં ત્યારે બીજા કુલકર સન્મતિ થયા, પછી ત્રીજા કુલકર ક્ષેમંકર,
ચોથા ક્ષેમંધર, પાંચમા સીમંકર, છઠ્ઠા સીમંધર, સાતમા વિમલવાહન, આઠમા ચક્ષુષ્માન્,
નવમા યશસ્વી, દશમા અભિચન્દ્ર અગિયારમા ચન્દ્રાભ. બારમા મરુદેવ, તેરમા પ્રસેનજિત,
ચૌદમા નાભિરાજ થયા. આ ચૌદ કુલકર પ્રજાના પિતા સમાન, મહાબુદ્ધિમાન શુભ કર્મથી
ઉત્પન્ન થયા. જ્યારે જ્યોતિરાંગ જાતિનાં કલ્પવૃક્ષોની જ્યોતિ મંદ થઈ અને ચન્દ્રસૂર્ય
દેખાવા લાગ્યા ત્યારે તેમને જોઈને લોકો ભયભીત થયા. તેઓ કુલકરને પૂછવા લાગ્યા કે
હે નાથ! આકાશમાં શું દેખાય છે? ત્યારે કુલકરે જવાબ આપ્યો કે હવે ભોગભૂમિ ચાલી
ગઈ છે, કર્મભૂમિનું આગમન થઈ રહ્યું છે. જ્યોતિરાંગ જાતિનાં કલ્પવૃક્ષોનો પ્રકાશ મંદ
થયો છે તેથી સૂર્યચન્દ્ર દેખાવા લાગ્યા છે. દેવ ચાર પ્રકારનાં છે - કલ્પવાસી, ભવનવાસી,
વ્યંતર અને જ્યોતિષી. તેમાં ચન્દ્રસૂર્ય જ્યોતિષી દેવોના ઇન્દ્ર અને પ્રતીન્દ્ર છે. ચન્દ્રમાં
શીત કિરણવાળા છે અને સૂર્ય ઉષ્ણ કિરણવાળા છે. જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે ચન્દ્રમા
કાંતિ ધારણ કરે છે અને આકાશમાં નક્ષત્રના સમૂહ પ્રગટ થાય છે. સૂર્યની કાંતિથી
નક્ષત્રાદિ ભાસતા નથી તેમ કલ્પવૃક્ષોની જ્યોતિથી ચન્દ્રસૂર્યાદિક ભાસતા નહોતા, હવે
કલ્પવૃક્ષની જ્યોતિ મંદ થઈ છે તેથી ભાસે છે. આવો કાળનો સ્વભાવ જાણી તમે ભયનો
ત્યાગ કરો. કુલકરનું આવું વચન સાંભળીને તેમનો ભય મટી ગયો. પછી ચૌદમા કુલકર
જગતપૂજ્ય શ્રી નાભિરાજાના સમયમાં બધાં જ કલ્પવૃક્ષોનો અભાવ થયો અને
યુગલિયાઓની ઉત્પત્તિ મટી ગઈ. અને ઋષભદેવ ભગવાનનો જન્મ થયો, તે એકલા
જન્મયા. તે નાભિરાજાને મરુદેવી

Page 25 of 660
PDF/HTML Page 46 of 681
single page version

background image
પદ્મપુરાણ ત્રીજું પર્વ રપ
નામની મનનું હરણ કરનારી રાણી હતી. તે ઉત્તમ પતિવ્રતા ચન્દ્રમાની રોહિણી, સમુદ્રની
ગંગા, રાજહંસની હંસી સમાન હતી. તે રાણી સદાય રાજાના મનમાં વસેલી છે, તેની
હંસલી જેવી ચાલ છે અને કોયલ જેવાં વચન છે. જેમ ચકવીને ચકવા પ્રત્યે પ્રીતિ હોય છે
તેવી રાણીની રાજા પ્રત્યે પ્રીતિ હતી. રાણીને શી ઉપમા આપીએ? બધી ઉપમા રાણીથી
ઊતરતી છે. સર્વ લોકમાં પૂજ્ય મરુદેવી જેમ ધર્મને દયા (પ્રિય હોય છે) તેમ
ત્રિલોકપૂજ્ય નાભિરાજાને પરમપ્રિય હતી. જાણે કે આ રાણી આતાપ હરનાર ચંદ્રકળાથી
જ બનાવેલી હોય, આત્મસ્વરૂપને જાણનારી, જેને સિદ્ધપદનું ધ્યાન રહે છે તેવી,
ત્રણલોકની માતા, મહાપુણ્યાધિકારી, જાણે કે જિનવાણી જ હોય એવી હતી. વળી
અમૃતસ્વરૂપ તૃષ્ણાને હરનારી રત્નવૃષ્ટિ જ હતી. સખીઓને આનંદ ઉત્પન્ન કરનાર,
મહારૂપવતી કામની પત્ની રતિ કરતાં પણ અધિક સુન્દર હતી. મહાઆનંદરૂપ માતા જેનું
શરીર જ સર્વ આભૂષણોનું આભૂષણ છે, જેના નેત્રો જેવા નીલકમળ પણ નથી, જેનાં
વાળ ભ્રમરથી પણ અધિક શ્યામ છે તે કેશ જ તેના લલાટનો શણગાર છે. જો કે એને
આભૂષણોની અભિલાષા નથી તો પણ પતિની આજ્ઞા માનીને કર્ણફૂલાદિ આભૂષણો પહેરે
છે. જેના મુખનું હાસ્ય જ સુગંધિત ચૂર્ણ છે તેના જેવી કપૂરની રજ શાની હોય? તેની
વાણી વીણાના સ્વરને જીતે છે, તેના શરીરના રંગ આગળ સુવર્ણ કુંકુમાદિના રંગનો શો
હિસાબ? તેના ચરણારવિંદ પર ભમરાઓ ગુંજારવ કરે છે. આવી નાભિરાજાની મરુદેવી
રાણીના યશનું વર્ણન સેંકડો ગ્રંથોથી પણ ન થઈ શકે તો થોડાએક શ્લોકોથી કેવી રીતે થાય?
જ્યારે મરુદેવીના ગર્ભમાં ભગવાનના આવવાને છ મહિના બાકી રહ્યા ત્યારે
ઇન્દ્રની આજ્ઞાથી છપ્પન કુમારિકાઓ આનંદિત થઈ માતાની સેવા કરવા લાગી. શ્રી, હ્રી,
ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી આ છ કુમારિકાઓ સ્તુતિ કરવા લાગી, હે માતા! તમે
આનંદરૂપ છો, તમે અમને આજ્ઞા કરો, તમારું આયુષ્ય દીર્ધ હો. આ પ્રમાણે મનોહર શબ્દો
બોલતી જુદા જુદા પ્રકારે સેવા કરવા લાગી. કેટલીક વીણા વગાડીને મહાસુન્દર ગીત
ગાઈને માતાને રિઝવવા લાગી, કેટલીક આસન પાથરવા લાગી, કેટલીક કોમળ હાથોથી
માતાના પગ દાબવા લાગી, કેટલીક દેવી માતાને તાંબૂલ (પાન) દેવા લાગી, કેટલીક
હાથમાં ખડ્ગ લઈને માતાની ચોકી કરવા લાગી, કેટલીક બહારના દરવાજે સુવર્ણનું
આસન લઈને ઊભી રહી, કેટલીક ચામર ઢોળવા લાગી, કેટલીક આભૂષણ પહેરાવવા
લાગી, કેટલીક પથારી પાથરવા લાગી, કેટલીક સ્નાન કરાવવા લાગી, કેટલીક આંગણું
વાળવા લાગી, કેટલીક ફૂલોના હાર ગૂંથવા લાગી, કેટલીક સુગંધ લગાવવા લાગી, કેટલીક
ખાવાપીવાની વિધિમાં સાવધાન રહેવા લાગી, કેટલીક જેને બોલાવવામાં આવે તેને
બોલાવવા લાગી. આ પ્રમાણે દેવી સર્વ કાર્ય કરતી રહી, માતાને કોઈ પણ પ્રકારની ચિંતા
ન રહેવા પામી.
એક દિવસ માતા કોમળ શય્યા પર સૂઈ રહી હતી ત્યારે તેણે રાત્રિના પાછલા
પહોરે અત્યંત કલ્યાણકારી સોળ સ્વપ્નાં જોયા. પહેલા સ્વપ્નમાં તેણે ચન્દ્ર સમાન
ઉજ્જવળ મદઝરતો

Page 26 of 660
PDF/HTML Page 47 of 681
single page version

background image
૨૬ ત્રીજું પર્વ પદ્મપુરાણ
ગર્જના કરતો હાથી જોયો. તેના ઉપર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા. બીજા સ્વપ્નમાં
વિશાળ સ્કંધવાળો શરદના મેઘ સમાન ઉજ્જવળ સફેદ બળદ જોયો. ત્રીજા સ્વપ્નમાં
ચન્દ્રમાનાં કિરણો સમાન સફેદ કેશાવલીવાળો સિંહ જોયો. ચોથા સ્વપ્નમાં લક્ષ્મીદેવીને
હાથી સુવર્ણના કળશોથી સ્નાન કરાવતો જોયો, તે લક્ષ્મી પ્રફુલ્લિત કમળો ઉપર
નિશ્ચળપણે બેઠી હતી. પાંચમા સ્વપ્નમાં બે પુષ્પમાળા આકાશમાં લટકતી જોઈ તે
માળાઓ ઉપર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા. છઠ્ઠા સ્વપ્નમાં ઉદયાચળ પર્વતના
શિખર ઉપર અંધકારનાશક મેઘપટલરહિત સૂર્યને જોયો. સાતમા સ્વપ્નમાં કુમુદિનીને
પ્રફુલ્લિત કરનાર, રાત્રિનું આભૂષણ, જેણે પોતાના કિરણોથી દશે દિશાઓને ઊજળી કરી
છે એવા તારાઓના પતિ ચન્દ્રને જોયો. આઠમા સ્વપ્નમાં નિર્મળ જળમાં કલ્લોલ કરતા
અત્યંત પ્રેમથી ભરપૂર મહામનોહર મીનયુગલને જોયું. નવમા સ્વપ્નમાં જેના ગળામાં
મોતીના હાર અને પુષ્પોની માળા શોભે છે એવો પંચ પ્રકારના રત્નોથી પૂર્ણ સ્વર્ણકળશ
જોયો. દશમા સ્વપ્નમાં જુદા જુદા પ્રકારનાં પક્ષીઓથી સંયુક્ત કમળોથી શોભતા સુન્દર
પગથિયાંવાળા નિર્મળ જળથી ભરેલા મહાસાગરને જોયો. અગિયારમા સ્વપ્નમાં આકાશ
જેવો નિર્મળ સમુદ્ર જોયો. જેમાં અનેક પ્રકારનાં જળચરો કેલિ કરતાં હતાં અને ઊંચા
તરંગો ઉછળી રહ્યા હતા. બારમા સ્વપ્નમાં અત્યંત ઊંચુ વિધવિધ પ્રકારના રત્નો જડેલું
સુવર્ણનું સિંહાસન જોયું. તેરમા સ્વપ્નમાં દેવોનાં વિમાન આવતા જોયા, જે સુમેરુના
શિખર જેવાં અને રત્નોથી ચમકતાં, ચામરાદિથી શોભતાં જોયાં. ચૌદમા સ્વપ્નમાં
ધરણેન્દ્રનું ભવન જોયું. કેવું છે તે ભવન? જેને અનેક માળ છે અને મોતીની માળાઓથી
શોભિત, રત્નોની જ્યોતિથી પ્રકાશિત જાણે કે કલ્પવૃક્ષથી શોભી રહ્યું છે. પંદરમા સ્વપ્નમાં
પંચવર્ણનાં મહારત્નોની અત્યંત ઊંચી રાશિ જોઈ, ત્યાં પરસ્પર રત્નોના કિરણોના
ઉદ્યોતથી ઇન્દ્રધનુષ ચડી રહ્યું હતું. સોળમા સ્વપ્નમાં નિર્ધૂમ અગ્નિ જ્વાળાના સમૂહથી
પ્રજ્વલિત જોયો. ત્યારપછી સુન્દર છે દર્શન જેનું એવાં સોળ સ્વપ્નો જોઈને મંગળ
શબ્દોનું શ્રવણ કરી માતા જાગ્રત થયા. આગળ તે મંગળ શબ્દોનું વર્ણન સાંભળો.
સખીઓ કહે છે કે હે દેવી! તમારા મુખરૂપી ચન્દ્રની કીર્તિથી લજ્જિત થયેલો આ
ચન્દ્ર કાંતિ રહિત થયો છે અને ઉદયાચળ પર્વતના મસ્તક ઉપર સૂર્ય ઊગવાની તૈયારી છે,
જાણે કે મંગળ અર્થે સિંદૂરલિપ્ત સુવર્ણનો કળશ જ ન હોય! અને તમારા મુખની
જ્યોતિથી અને શરીરની પ્રભાથી અંધકારનો ક્ષય થઈ જશે એમ જાણી પોતાના પ્રકાશની
નિરર્થકતા જાણી દીપકોની જ્યોતિ મંદ થઈ છે. પક્ષીઓ મધુર કલરવ કરે છે, જાણે કે
તમારા માટે મંગળ જ બોલતા હોય! આ મહેલમાં જે બાગ છે તેનાં વૃક્ષોનાં પાંદડાં
પ્રભાતના શીતળ મંદ સુગંધી પવનથી હાલે છે અને મહેલની વાવમાં સૂર્યનું પ્રતિબિંબ
જોવાથી ચકવી હર્ષિત થઈને મધુર અવાજ કરીને ચકવાને બોલાવે છે. આ હંસ તમારી
ચાલ જોઈને અતિ અભિલાષાથી હર્ષિત થઈ મનોહર શબ્દ બોલે છે અને સારસ
પક્ષીઓના સુન્દર અવાજ આવી રહ્યા છે. માટે હે દેવી! હવે રાત્રિ પૂર્ણ થઈ છે, તમે
નિદ્રા છોડો. આ શબ્દ સાંભળીને માતા શય્યા પરથી બેઠા

Page 27 of 660
PDF/HTML Page 48 of 681
single page version

background image
પદ્મપુરાણ ત્રીજું પર્વ ૨૭
થયા. કેવી છે શય્યા? જેના ઉપર કલ્પવૃક્ષનાં ફૂલ અને મોતી વિખરાઈને પડયાં છે એવી,
જાણે કે તારાસંયુક્ત આકાશ જ ન હોય!
મરુદેવી માતા સુગંધ મહેલમાંથી બહાર આવ્યા અને પ્રભાતની બધી ક્રિયાઓ પૂરી
કરીને જેમ સૂર્યની પ્રભા સૂર્ય સમીપે જાય તેમ તેઓ નાભિરાજાની સમીપે ગયા. રાજા
તેમને જોઈને સિંહાસન ઉપરથી ઊભા થયા. રાણી પાસે આવીને બેઠી અને હાથ જોડીને
તેમને સ્વપ્નના સમાચાર કહ્યા. ત્યારે રાજાએ કહ્યું - હે કલ્યાણરૂપણી! તારી કૂખે
ત્રણલોકના નાથ શ્રી આદીશ્વર સ્વામી જનમશે. આ શબ્દ સાંભળીને તે કમળનયની,
ચન્દ્રવદની પરમ હર્ષ પામી. ત્યારપછી ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે પંદર મહિના સુધી રત્નોની
વર્ષા કરી. જેના ગર્ભમાં આવ્યા પહેલાં જ છ મહિનાથી રત્નોની વર્ષા થઈ તેથી ઇન્દ્રાદિ
દેવોએ તેમને હિરણ્યગર્ભ એવું નામ આપીને સ્તુતિ કરી. આ ત્રણજ્ઞાન સંયુક્ત ભગવાન
માતાના ગર્ભમાં આવીને વિરાજ્યા તો પણ માતાને કોઈ પ્રકારની પીડા ન થઈ.
જેમ નિર્મળ સ્ફટિકના મહેલમાંથી બહાર આવે તેમ નવમે મહિને ઋષભદેવ સ્વામી
ગર્ભમાંથી બહાર આવ્યા ત્યારે નાભિરાજાએ પુત્રજન્મનો મહાન ઉત્સવ કર્યો, ત્રણે લોકના
પ્રાણીઓ અત્યંત હર્ષ પામ્યા. ઇન્દ્રનું આસન કમ્પ્યું અને ભવનવાસી દેવોને ત્યાં વગાડયા
વિના જ શંખ વાગ્યા. વ્યંતરોના આવાસમાં સ્વયમેવ નગારા વાગ્યા, જ્યોતિષી દેવોના
સ્થાનમાં અકસ્માત્ સિંહનાદ થયા. કલ્પવાસી દેવોના સ્થાનમાં વગાડયા વિના ઘંટ વાગ્યા.
આ પ્રમાણે શુભ ચિહનોથી તીર્થંકરદેવનો જન્મ થયાનું જાણીને ઇન્દ્રાદિ દેવો નાભિરાજાને
ઘેર આવ્યા. કેવા છે ઇન્દ્ર? ઐરાવત હાથી ઉપર બેઠા છે, વિવિધ પ્રકારના આભૂષણો
પહેર્યા છે, અનેક પ્રકારના દેવ નૃત્ય કરવા લાગ્યા. દેવોના શબ્દોથી દશે દિશાઓ ગુંજી
ઊઠી. પછી અયોધ્યાપુરીની ત્રણ પ્રદક્ષિણા કરીને તેઓ રાજાના આંગણામાં આવ્યા. કેવી
છે અયોધ્યા? ધનપતિએ રચેલી છે, પર્વત સમાન ઊંચી કોટથી મંડિત છે, તેની આસપાસ
ઊંડી ખાઈ છે અને ત્યાં જાતજાતના રત્નોના ઉદ્યોતથી ઘરો જ્યોતિરૂપ થઈ રહ્યા છે. પછી
ઇન્દ્રાણીને ભગવાનને લાવવા માટે માતા પાસે મોકલવામાં આવી. ઇન્દ્રાણીએ જઈને
નમસ્કાર કરીને માયામયી બાળક માતાની પાસે મૂકી ભગવાને લાવી ઇન્દ્રના હાથમાં
સોંપ્યા. કેવા છે ભગવાન? ત્રણ લોકને જીતનારું જેમનું રૂપ છે તેથી ઇન્દ્ર હજાર નેત્ર
કરીને ભગવાનનું રૂપ જોવા છતાં તૃપ્ત ન થયા. પછી સૌધર્મ ઇન્દ્ર ભગવાનને ગોદમાં
લઈને હાથી ઉપર બેઠા, ઈશાન ઇન્દ્રે તેમના ઉપર છત્ર ધર્યું અને સનત્કુમાર, માહેન્દ્ર
ચામર ઢોળવા લાગ્યા. બીજા બધા ઇન્દ્રો અને દેવો જયજયકાર કરવા લાગ્યા. પછી સુમેરૂ
પર્વતના શિખર ઉપર પાંડુક શિલા ઉપર સિંહાસન પર બિરાજમાન કર્યા વાજિંત્રોના નાદ
થવા લાગ્યા. જાણે કે સમુદ્ર ગર્જતો હોય તેવું દ્રશ્ય હતું. યક્ષ, કિન્નર, ગાંધર્વ, નારદ
પોતાની સ્ત્રીઓ સહિત ગીત ગાવા લાગ્યા. કેવું છે તે ગાન? મન અને કાનને હરનાર
છે. ત્યાં વીણા વગેરે અનેક વાજિંત્રો વાગવા લાગ્યાં. અપ્સરા હાવભાવથી નૃત્ય કરવા
લાગી. ઇન્દ્ર જન્માભિષેક

Page 28 of 660
PDF/HTML Page 49 of 681
single page version

background image
૨૮ ત્રીજું પર્વ પદ્મપુરાણ
માટે ક્ષીરસાગરના જળથી સુવર્ણકળશ ભરી અભિષેક કરવાને તૈયાર થયા. કેવા છે
કળશ? જેના મુખની પહોળાઈ એક યોજનની છે અને પેટાળમાં ચાર યોજન પહોળો છે,
આઠ યોજન ઊંડા છે, જેનું મુખ કમળ અને પત્રોથી ઢંકાયેલું છે એવા એક હજાર અને
આઠ કળશોથી ઇન્દ્રે અભિષેક કરાવ્યો. વિક્રિયા ઋદ્ધિના સામર્થ્યથી ઇન્દ્રે પોતાનાં અનેક
રૂપ કર્યાં અને ઇન્દ્રોના લોકપાલ સોમ, વરુણ, યમ, કુબેર બધાએ અભિષેક કર્યો. ઇન્દ્રાણી
આદિ દેવીઓએ પોતાના હાથથી ભગવાનના શરીર ઉપર સુગંધી પદાર્થોનો લેપ કર્યો. કેવી
છે ઇન્દ્રાણી? પલ્લવ (પત્ર) સમાન છે હાથ જેના અને મહાગિરિ સમાન છે ભગવાન,
તેમને મેઘ સમાન કળશોથી સ્નાન કરાવ્યું, આભૂષણ પહેરાવ્યાં. કાનમાં ચંદ્રસૂર્ય સમાન બે
કુંડલ પહેરાવ્યાં અને મસ્તક ઉપર પદ્મરાગમણિના આભૂષણ પહેરાવ્યા જેની કાંતિ દશે
દિશાઓમાં ફેલાઈ ગઈ. અર્ધચન્દ્રાકાર કપાળમાં ચંદનનું તિલક કર્યું, બન્ને ભૂજાઓ ઉપર
રત્નોના બાજુબંધ પહેરાવ્યાં અને શ્રીવત્સ લક્ષણયુક્ત હૃદય ઉપર નક્ષત્રમાળા સમાન
મોતીઓની સત્તાવીસ સેરનો હાર પહેરાવ્યો અને અનેક લક્ષણના ધારક ભગવાનને
મહામણિમય કડાં પહેરાવ્યાં. રત્નમય કંદોરાથી નિતંબ શોભાયમાન થયા, જેમ પહાડનો
તટ વીજળીથી શોભે છે. તેમ બધી આંગળીઓમાં રત્નજડિત મુદ્રિકા પહેરાવી.
આ પ્રમાણે દેવીઓએ ભક્તિથી સર્વ આભૂષણો પહેરાવ્યાં તે આભૂષણો ત્રણ
લોકના આભૂષણ એવા શ્રી ભગવાનના શરીરની જ્યોતિથી અત્યંત પ્રકાશિત થયા.
આભૂષણોથી ભગવાનના શરીરની શી શોભા થાય? વળી કલ્પવૃક્ષનાં ફૂલોવાળું ઉત્તરાસન
પણ આપ્યું. જેમ તારાઓથી આકાશ શોભે છે તેમ પુષ્પોથી આ ઉત્તરાસન શોભે છે. તે
ઉપરાંત પારિજાત, સન્તાનક આદિ કલ્પવૃક્ષનાં ફૂલોથી બનાવેલો મુગટ તેમના શિર પર
મુક્યો, તેના ઉપર ભમરા ગુંજારવ કરતા હતા. આ પ્રમાણે ત્રૈલોક્યભૂષણને આભૂષણ
પહેરાવ્યાં. ઇન્દ્રાદિક દેવો સ્તુતિ કરવા લાગ્યા. હે દેવ! કાળના પ્રભાવથી જ્યાં ધર્મનો નાશ
થયો છે એવું આ જગત મહાન અજ્ઞાન અંધકારથી ભર્યું છે, તેમાં ભ્રમણ કરતાં ભવ્ય
જીવરૂપી કમળોને પ્રફુલ્લિત કરવા અને મોહતિમિરનો નાશ કરવા આપ સૂર્યરૂપે ઉદિત
થયા છો. હે જિનચન્દ્ર! આપનાં વચનરૂપી કિરણોથી ભવ્ય જીવરૂપી કુમુદોની પંક્તિ
પ્રફુલ્લિત થશે, ભવ્યોને તત્ત્વનું દર્શન કરાવવા માટે આ જગતરૂપ ઘરમાં આપ
કેવળજ્ઞાનમય દીપક પ્રગટ થયા છો અને પાપરૂપ શત્રુઓના નાશ માટે જાણે કે આપ
તીક્ષ્ણ બાણ જ છો. આપ ધ્યાનાગ્નિ દ્વારા ભવાટવીને ભસ્મ કરનાર છો અને દુષ્ટ
ઈન્દ્રિયરૂપ સર્પને વશ કરવા માટે ગરુડ સમાન છો તેમ જ શંકારૂપી વાદળાઓને ઉડાડી
મૂકવા માટે પ્રબળ પવન છો. હે નાથ! ભવ્ય જીવરૂપી પપીહા આપનાં ધર્મામૃતરૂપ
વચનનું પાન કરવા માટે આપને જ મહામેઘ જાણીને આપની સન્મુખ આવ્યા છે. આપની
અત્યંત નિર્મળ કીર્તિ ત્રણ લોકમાં ગણાય છે. આપને નમસ્કાર હો. આપ કલ્પવૃક્ષ છો,
ગુણરૂપ પુષ્પોથી શોભતા મનવાંછિત ફળ આપો છો, આપ કર્મરૂપ કાષ્ઠને કાપવા માટે
તીક્ષ્ણ ધારદાર મહા કુઠાર છો. હે ભગવાન! આપને અમારા વારંવાર નમસ્કાર હો. આ
મોહરૂપ પર્વતને ભેદવા માટે વજ્રરૂપ

Page 29 of 660
PDF/HTML Page 50 of 681
single page version

background image
પદ્મપુરાણ ત્રીજું પર્વ ૨૯
હે ભગવાન! આપને અમારા વારંવાર નમસ્કાર હો. આપ મોહરૂપ પર્વતને ભેદવા માટે
વજ્રરૂપ જ છો અને દુઃખરૂપ અગ્નિને બુઝાવવા માટે જળરૂપ છો. હે નિર્મળસ્વરૂપ આપ
કર્મરૂપ રજરહિત કેવળ આકાશરૂપ જ છો, માટે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ.
આ પ્રમાણે ઇન્દ્રાદિક દેવ ભગવાનની સ્તુતિ કરી, વારંવાર નમસ્કાર કરી, ઐરાવત હાથી
ઉપર બેસાડી ભગવાનને અયોધ્યા લાવ્યા. ઇન્દ્રે ભગવાનને માતાની ગોદમાં પધરાવી,
પરમ આનંદિત થઈને તાંડવનૃત્ય કર્યું. આ પ્રમાણે જન્મોત્સવ ઊજવીને દેવો પોતપોતાના
સ્થાનમાં ગયા. માતાપિતા ભગવાનને જોઈને ખૂબ હર્ષ પામ્યાં. કેવા છે શ્રી ભગવાન?
અદ્ભુત આભૂષણોથી વિભૂષિત છે, પરમ સુગંધનો લેપ શરીર ઉપર થયેલ છે, તેમનું
ચારિત્ર સુન્દર છે. તેમના શરીરની કાંતિથી દશે દિશા પ્રકાશિત થઈ રહી છે, મહાકોમળ
શરીર છે. માતા ભગવાનને જોઈને અત્યંત હર્ષ પામી, અને અકથ્ય સુખસાગરમાં ડૂબી
ગઈ. ઊગતા સૂર્યથી પૂર્વ દિશા શોભે તેમ તે માતા ભગવાનને ગોદમાં લઈને શોભતી
હતી. ત્રિલોકનાથને જોઈને નાભિરાજા પોતાને કૃતાર્થ માનવા લાગ્યા. પુત્રનાં ગાત્રોનો
સ્પર્શ કરીને નેત્ર હર્ષિત થયા, મન આનંદ પામ્યું. સમસ્ત જગતમાં મુખ્ય એવા
જિનરાજનું ઋષભ નામ પાડીને માતાપિતા સેવા કરવા લાગ્યાં. હાથના અંગૂઠામાં ઇન્દ્રે
અમૃતરસ મૂક્યો હતો, તેનું પાન કરીને ભગવાનના શરીરની વૃદ્ધિ થતી ગઈ વળી,
પ્રભુની ઉંમર જેવડા દેવકુમારો ઇન્દ્રે મોકલ્યા હતા. તેમની સાથે નિષ્પાપ ક્રીડા કરતા હતા.
તે ક્રીડા માતાપિતાને અત્યંત સુખ આપતી હતી.
ભગવાનના આસન, શયન, સવારી, વસ્ત્ર, આભૂષણ, અશન, પાન, સુગંધાદિ
વિલેપન, ગીત, વાજિંત્ર, નૃત્ય આદિની બધી સામગ્રી દેવો દ્વારા લાવવામાં આવતી હતી.
તેમનામાં થોડા જ સમયમાં અનેક ગુણોની વૃદ્ધિ થતી ગઈ. તેમનું રૂપ અત્યંત સુન્દર,
અવર્ણનીય, આંખ અને મનને ઠારનારું, છાતી મેરુની ભીંત સમાન મહાઉન્નત અને દ્રઢ
હતી. દિગ્ગજોના થાંભલા સમાન બાહુ હતા, જાણે કે જગતનાં કાર્ય પૂરાં કરવાને કલ્પવૃક્ષ
જ હતા. બન્ને જાંધ ત્રણલોકરૂપ ઘરને ટેકારૂપ સ્તંભરૂપ હતી. તેમનું મુખ પોતાની કાંતિથી
ચન્દ્રમાને જીતતું હતું અને દીપ્તિથી સૂર્યને જીતતું હતું, તેમના બન્ને હાથ કોમળથીય
અતિકોમળ અને લાલ હથેળિયોવાળા, તેમના કેશ સઘન દીર્ધ, વક્ર, પાતળા, ચીકણા અને
શ્યામ હતા જાણે કે સુમેરુના શિખર ઉપર નીલાચલ વિરાજતો હોય. રૂપ તો મહાઅદ્ભૂત,
અનુપમ, સર્વલોકોના નેત્રને પ્રિય, જેના ઉપર અનેક કામદેવ વારી જઈએ એવું, સર્વ
ઉપમાને ઉલંધી જાય, સર્વનાં મન-નેત્રને હરે એવું હતું. આ પ્રમાણે ભગવાન કુમાર
અવસ્થામાં પણ જગતને સુખ આપતા હતા. તે વખતે કલ્પવૃક્ષ સર્વથા નષ્ટ થયાં અને
વાવ્યા વિના પોતાની મેળે ધાન્ય ઊગવા લાગ્યું. લોકો અત્યંત ભોળા અને ષટ્કર્મોથી
અજાણ હતા. તેમણે પ્રથમ ઈક્ષુરસનો આહાર કર્યો. તે આહાર કાંતિ તેમજ વીર્યાદિક
આપવાને સમર્થ હતો. કેટલાક વખત પછી લોકોની ભૂખ વધવા લાગી. જ્યારે શેરડીના
રસથી તૃપ્તિ ન થઈ ત્યારે સર્વે લોકો નાભિરાજાની પાસે આવ્યા અને નમસ્કાર કરીને
વિનંતી કરવા

Page 30 of 660
PDF/HTML Page 51 of 681
single page version

background image
૩૦ ત્રીજું પર્વ પદ્મપુરાણ
લાગ્યા કે હે નાથ! બધાં કલ્પવૃક્ષ નાશ પામ્યાં છે અને અમે ક્ષુધાતૃષાથી પીડિત છીએ,
આપને શરણે આવ્યા છીએ, આપ રક્ષા કરો. આ કેટલાંક ફળવાળાં વૃક્ષો પૃથ્વી ઉપર
ઊગ્યાં છે, એમની વિધિ અમે જાણતા નથી. એમાં ક્યાં ખાવા યોગ્ય છે અને ક્યાં ખાવા
યોગ્ય નથી? આ ગાયભેંસનાં સ્તનોમાંથી કાંઈક ઝરે છે, પણ તે શું છે? આ વાઘસિંહાદિ
પહેલાં સરળ હતા, હવે એ વક્રરૂપ દેખાય છે અને આ મહામનોહર સ્થળ ઉપર અને
જળમાં ફૂલો દેખાય છે તે શું છે? હે પ્રભુ! આપની કૃપાથી આજીવિકાના ઉપાયો અમે
જાણીએ તો અમે સુખેથી જીવી શકીએ. પ્રજાનાં આ વચનો સાંભળીને નાભિરાજાને દયા
આવી. મહાધીર નાભિરાજાએ તેમને કહ્યું કે આ જગતમાં ઋષભદેવ સમાન બીજા કોઇ
નથી, જેમના જન્મ સમયે રત્નોની વૃષ્ટિ થઈ હતી. ઇન્દ્રાદિ દેવો આવ્યા હતા, લોકોને
આનંદ થયો હતો. તે ભગવાન મહા અતિશય સંયુક્ત છે, તેમની પાસે જઈને આપણે સૌ
આજીવિકાનો ઉપાય પૂછીએ. ભગવાનનું જ્ઞાન મોહતિમિરનો અંત કરનાર છે. તે પ્રજા
સહિત નાભિરાજા ભગવાનની સમીપ આવ્યા અને સમસ્ત પ્રજાએ નમસ્કાર કરીને
ભગવાનની સ્તુતિ કરી. હે દેવ! આપનું શરીર આખા લોકને ઓળંગનાર તેજોમય ભાસે
છે. તે સર્વ લક્ષણોથી પૂર્ણ મહાશોભાયમાન છે, આપના અત્યંત નિર્મળ ગુણ આખા
જગતમાં ફેલાઈ ગયા છે, તે ગુણ ચન્દ્રમાના કિરણ સમાન ઉજ્જવળ, અત્યંત આનંદદાયી
છે. હે પ્રભુ! અમે જે કામ માટે આપના પિતાજીની પાસે આવ્યા હતા તે માટે તેઓ
અમને આપની પાસે લાવ્યા છે. તમે મહાપુરુષ, મહાવિદ્વાન, અનેક અતિશયોથી મંડિત
છો. આવા મહાન પુરુષ પણ આપની સેવા કરે છે માટે આપ દયા લાવીને અમારું રક્ષણ
કરો. ક્ષુધા, તૃષા દૂર કરવાનો ઉપાય બતાવો. સિંહાદિક ક્રૂર પ્રાણીઓનો ભય મટે એવો
ઉપાય પણ બતાવો, ત્યારે કોમળ હૃદયવાળા, કૃપાનિધિ ભગવાને ઇન્દ્રને કર્મભૂમિની રીત
પ્રગટ કરવાની આજ્ઞા કરી. પ્રથમ નગર, ગ્રામ, ગૃહાદિની રચના થઈ. જે મનુષ્યો શૂરવીર
દેખાયા તેમને ક્ષત્રિય વર્ણના નક્ક્ી કરવામાં આવ્યા. તેમને આજ્ઞા કરવામાં આવી કે તમે
દીન, અનાથની રક્ષા કરો. કેટલાકોને વાણિજ્યાદિક કર્મ બતાવીને વૈશ્ય ગણાવાય. જે
સેવાદિ અનેક કાર્યો કરતા હતા. તેમને શુદ્ર ગણાવ્યા. આ પ્રમાણે ભગવાને ગોઠવણ કરી.
પ્રજા આ કર્મરૂપ યુગને કૃતયુગ (સત્યયુગ) કહેવા લાગી. તેઓ પરમહર્ષ પામ્યા. શ્રી
ઋષભદેવને સુનન્દા અને નંદા એ બે રાણી હતી. મોટી રાણીને ભરતાદિક સો પુત્રો અને
બ્રાહ્મી નામની એક પુત્રી થઈ તથા બીજી રાણીને બાહુબલિ નામનો પુત્ર અને સુન્દરી
નામની પુત્રી થઈ. ભગવાને ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજ્ય કર્યું. પહેલાં વીસ લાખ પૂર્વ
સુધી કુમારાવસ્થામાં રહ્યા. આ પ્રમાણે ત્યાંસી લાખ પૂર્વ ઘરમાં રહ્યા.
એક દિવસ નીલાંજના નામની અપ્સરા ભગવાનની સામે નૃત્ય કરતાં કરતાં
અદ્રશ્ય થઈ ગઈ (મૃત્યુ પામી). તે જોઈને ભગવાનની બુદ્ધિમાં વિરક્તિ જન્મી. તે
વિચારવા લાગ્યા કે આ સંસારી જીવો નકામા જ ઈન્દ્રિયોને તૃપ્ત કરીને ઉચ્ચ ચારિત્રની
વિડંબના કરે છે. પોતાના શરીરને ખેદનું કારણ એવી જે જગતની ચેષ્ટા તેને જગતના
જીવો સુખ માને છે. આ જગતમાં કેટલાક

Page 31 of 660
PDF/HTML Page 52 of 681
single page version

background image
પદ્મપુરાણ ત્રીજું પર્વ ૩૧
તો પરાધીન થઈ નોકરી કરી રહ્યા છે, કેટલાક પોતાને સ્વામી માનીને તેમના ઉપર
આજ્ઞા કરે છે, તેમનાં વચન ગર્વથી ભરેલાં છે. ધિક્કર છે આ સંસારને! જેમાં જીવ દુઃખ
જ ભોગવે છે અને દુઃખને જ સુખ માની રહ્યા છે. માટે હું જગતનાં વિષયસુખો છોડીને
તપ-સંયમાદિ શુભ પ્રયત્ન કરીને મોક્ષસુખની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરીશ. આ વિષયસુખ
ક્ષણભંગુર છે અને કર્મના ઉદયથી ઊપજ્યાં છે તેથી કૃત્રિમ (બનાવટી) છે. આ પ્રમાણે
શ્રી ઋષભદેવનું મન વૈરાગ્યચિંતનમાં પ્રવર્ત્યું છે. તે વખતે લૌકાંતિક દેવો આવીને સ્તુતિ
કરવા લાગ્યા કે હે નાથ! આપે સુન્દર વિચાર કર્યો છે. ત્રણ લોકમાં કલ્યાણનું કારણ આ
જ છે. ભરતક્ષેત્રમાં મોક્ષમાર્ગનો વિચ્છેદ થયો હતો. તે હવે આપની કૃપાથી પ્રવર્તશે. આ
જીવો તમે બતાવેલા માર્ગ દ્વારા લોકશિખર અર્થાત્ નિર્વાણપદ પામશે. આ પ્રમાણે સ્તુતિ
કરીને લૌકાંતિક દેવો પોતાના સ્થાનમાં ગયા. ઇન્દ્રાદિક દેવોએ આવીને તપકલ્યાણકનો
ઉત્સવ કર્યો. સુદર્શના નામની રત્નજડિત પાલખીમાં ભગવાનને બેસાડયા. કલ્પવૃક્ષનાં
ફૂલોની માળાથી તે પાલખી અત્યંત સુગંધિત બની છે, મોતીના હારોથી શોભાયમાન છે,
પાલખીમાં ભગવાન બેસીને ઘરમાંથી વનમાં જવા નીકળ્‌યા. વિવિધ પ્રકારનાં વાજિંત્રોના
શબ્દથી અને દેવોના નૃત્યથી દસે દિશાઓ શબ્દરૂપ થઈ. તે મહાવિભૂતિ સંયુક્ત તિલક
નામના ઉદ્યાનમાં ગયા. માતાપિતાદિક સર્વ કુટુંબીજનોની ક્ષમા માગીને, સિદ્ધભગવંતોને
નમસ્કાર કરીને તેમણે મુનિપદ ધારણ કર્યું. સમસ્ત વસ્ત્રાભૂષણનો ત્યાગ કર્યો, કેશલોચ
કર્યો. ઇન્દ્રે તે કેશ રત્નથી પેટીમાં લઈ જઈને ક્ષીરસાગરમાં નાખ્યા. જ્યારે ભગવાન
મુનિરાજ થયા ત્યારે તેમના પ્રત્યેની ફક્ત ભક્તિના જ કારણે ચાર હજાર રાજાઓ, મુનિનું
સ્વરૂપ ન જાણવા છતાં તેમની સાથે નગ્ન થયા. ભગવાને છ મહિના સુધી નિશ્ચળ
કાયોત્સર્ગ ધારણ કર્યો અર્થાત્ સુમેરુ પર્વત સમાન નિશ્ચળ થઈને રહ્યા અને મન-
ઇન્દ્રિયનો નિરોધ કર્યો.
હવે કચ્છ મહાકચ્છાદિ જે ચાર હજાર રાજા નગ્ન રૂપ ધારણ કરીને દીક્ષિત થયા
હતા તે બધા ભૂખ, તરસ વગેરે પરીષહોથી ચલાયમાન થયા. કેટલાક તો પરીષહરૂપ
પવનથી ભૂમિ પર ઢળી પડયા, કેટલાક જે ખૂબ બળવાન હતા તે ભૂમિ પર તો ન પડય
ા, પરંતુ બેસી ગયા, કેટલાક કાયોત્સર્ગ છોડીને ભૂખતરસથી પીડાઈને ફળાદિનો આહાર
કરવા લાગ્યા અને કેટલાક ગરમીથી તપ્ત થઈને શીતળ જળમાં પ્રવેશવા લાગ્યા. તેમની
આવી પ્રવૃત્તિ જોઈને આકાશમાં દેવવાણી થઈ કે “મુનિરૂપ ધારણ કરીને તમે આવું કામ
ન કરો, આ રૂપ ધારણ કરીને તમે આવું કાર્ય કરશો તો નરકાદિ દુઃખનું કારણ થશે.”
ત્યારે તે નગ્નવેશ તજીને વલ્કલ પહેરવા લાગ્યા, કેટલાકે ચર્માદિ ધારણ કર્યા, કેટલાક
દર્ભ-ધાસ આદિ ધારણ કરવા લાગ્યા. તેઓ ફળાદિથી ભૂખ અને શીતળ જળથી તરસ
મટાડવા લાગ્યા. આ પ્રમાણે આ લોકો ચારિત્રભ્રષ્ટ થઈને અને સ્વચ્છંદી બનીને
ભગવાનના મતથી વિપરીત બની શરીરનું પોષણ કરવા લાગ્યા. કોઈએ તેમને પૂછયું કે
તમે આ કામ ભગવાનની આજ્ઞાથી કરો છો કે મનથી કરો છો? ત્યારે તેમણે જવાબ
આપ્યો કે ભગવાન તો મૌનરૂપ છે, કાંઈ કહેતા નથી. અમે ભૂખ, તરસ, ઠંડી,

Page 32 of 660
PDF/HTML Page 53 of 681
single page version

background image
૩૨ ત્રીજું પર્વ પદ્મપુરાણ
ગરમીથી પીડિત બની આ કાર્ય કરીએ છીએ. વળી, કેટલાક આપસમાં કહેવા લાગ્યા કે
ચાલો ઘરે જઈને સ્ત્રીપુત્રાદિને જોઇએ. ત્યારે તેમનામાંથી કેટલાકે કહ્યું કે જો આપણે
ઘરમાં જઇશું તો ભરત આપણને ઘરમાંથી હાંકી કાઢશે અને તીવ્ર દંડ દેશે, માટે ઘેર ન
જવું, પણ વનમાં જ રહેવું. આ બધામાં સૌથી અભિમાની ભરતનો પુત્ર, ભગવાનનો
પૌત્ર મારિચ ભગવાં વસ્ત્રો પહેરીને પરિવ્રાજિક (સંન્યાસી) નો માર્ગ પ્રગટ કરવા લાગ્યો.
પછી કચ્છ મહાકચ્છના પુત્ર નમિ વિનમિ આવીને ભગવાનનાં ચરણોમાં પડયા
અને કહેવા લાગ્યા કે હે પ્રભુ! તમે સૌને રાજ્ય આપ્યું, તો અમને પણ આપો. આ
પ્રમાણે યાચના કરવા લાગ્યા ત્યારે ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું. ધરણેન્દ્રે આવીને
તેમને વિજ્યાર્દ્ધનું રાજ્ય આપ્યું, તે વિજ્યાર્દ્ધ પર્વત ભોગભૂમિ સમાન છે, પૃથ્વીના તળથી
તે પચ્ચીસ યોજન ઊંચો છે, સવા છ યોજનનું મૂળ છે, ભૂમિ ઉપર પચાસ યોજન પહોળો
છે. જમીનથી દસ યોજન ઊંચે જઈએ ત્યાં દસ દસ યોજનની બે શ્રેણી છે. એક દક્ષિણ
શ્રેણી અને એક ઉત્તર શ્રેણી. આ બન્ને શ્રેણીઓમાં વિદ્યાધરો વસે છે. દક્ષિણ શ્રેણીની
નગરી પચાસ અને ઉત્તર શ્રેણીની સાઠ છે. એક એક નગરને કરોડ કરોડ ગ્રામ
વીંટળાયેલાં છે. દસ યોજનથી એ બીજા દસયોજન જઈએ તો ત્યાં ગંધર્વ, કિન્નરાદિ
દેવોના નિવાસ છે અને પાંચ યોજન ઉપર જઈએ ત્યાં નવશિખર છે. તેમાં પ્રથમ સિદ્ધકૂટ
પર ચારણમુનિ આવીને ધ્યાન ધરે છે. વિદ્યાધરોની દક્ષિણ શ્રેણીની જે પચાસ નગરી છે
તેમાં રથનૂપુર મુખ્ય છે અને ઉત્તર શ્રેણીની જે સાઠ નગરી છે તેમાં અલકાવતી નગરી
મુખ્ય છે આ વિદ્યાધરોનો લોક સ્વર્ગલોક સમાન છે, ત્યાં સદાય ઉત્સાહ પ્રવર્તે છે. નગરને
વિશાળ દરવાજા અને દ્વાર છે, સુવર્ણના કોટ, ઊંડી ખાઈ અને વન-ઉપવન વાવ, કૂવા,
સરોવરાદિથી શોભાયમાન છે. ત્યાં સર્વ ઋતુનાં ધાન્ય અને સર્વ ઋતુનાં ફળ-ફૂલ સદા
મળે છે, સર્વ પ્રકારની ઔષધિઓ મળે છે. સરોવરો કમળોથી ભરેલાં છે. તેમાં હંસ ક્રીડા
કરે છે. ત્યાં દહીં, ઘી, જળનાં ઝરણાં વહે છે. વાવનાં પગથિયાં મણિસુવર્ણનાં છે, કમળોની
સુવાસથી શોભે છે. ત્યાં કામધેનું સમાન ગાય છે, પર્વત સમાન અનાજના ઢગલા છે,
માર્ગ ધૂળ-કંટકાદિ રહિત છે, વિશાળ વૃક્ષોની છાયા છે અને મનોહર જળનાં સ્થાન છે.
ચોમાસામાં મનવાંછિત મેઘવર્ષા થાય છે, મેઘોની આનંદદાયક ગર્જના સંભળાય છે,
શીતકાળમાં શીતની અધિક બાધા નથી, ગ્રીષ્મઋતુમાં વિશેષ ગરમી લાગતી નથી. ત્યાં છ
ઋતુના વિલાસ છે, સ્ત્રીઓ સર્વ આભૂષણોથી મંડિત કોમળ અંગવાળી છે, સર્વકળામાં
નિપુણ ષટ્કુમારિકા સમાન પ્રભાવવાળી છે. કેવી છે તે વિદ્યાધરી? કેટલીક તો કમળના
ગર્ભ સમાન પ્રભા ધારણ કરે છે, કેટલીક શ્યામસુન્દર નીલકમળની પ્રભા ધારણ કરે છે,
કેટલીક સુવર્ણપુષ્પ સમાન રંગ ધારણ કરે છે, કેટલીક વિદ્યુત સમાન જ્યોતિ ધારણ કરે
છે, આ વિદ્યાધરીઓ મહાસુગંધી શરીરવાળી છે, જાણે કે નંદનવનના પવનથી જ બનાવી
હોય! તે સુંદર ફૂલોનાં ઘરેણાં પહેરે છે, જાણે કે વસંતની પુત્રી જ છે! અને ચન્દ્રમા
સમાન તેની કાંતિ છે, જાણે કે પોતાના પ્રકાશરૂપ સરોવરમાં

Page 33 of 660
PDF/HTML Page 54 of 681
single page version

background image
પદ્મપુરાણ ચોથું પર્વ ૩૩
તે તરી રહી છે! શ્યામ, શ્વેત, સુવર્ણ એ ત્રણ વર્ણનાં નેત્રોની શોભા ધરનાર, મૃગ સમાન
નેત્રોવાળી, હંસીની ચાલવાળી, એવી વિદ્યાધરીઓ દેવાંગના સમાન શોભે છે. વિદ્યાધર
પુરુષો મહાસુન્દર, શૂરવીર, સિંહ સમાન પરાક્રમી છે. મહાબાહુ, મહાપરાક્રમી,
આકાશગમનમાં સમર્થ, શુભ લક્ષણોવાળા, શુભ ક્રિયા કરનારા, ન્યાયમાર્ગી, દેવો સમાન
પ્રભાવાળા પોતાની સ્ત્રીઓ સહિત વિમાનમાં બેસી અઢી દ્વીપમાં ઈચ્છાનુસાર ગમન કરે
છે. આ પ્રમાણે બન્ને શ્રેણીઓમાં તે વિદ્યાધરો દેવતુલ્ય ઈષ્ટ ભોગ ભોગવતા થકા
મહાવિદ્યાઓ ધારણ કરે છે, કામદેવ સમાન છે રૂપ જેમનું અને ચન્દ્રમા સમાન છે વદન
જેમના, એવા વિદ્યાધરો હોય છે. ધર્મના પ્રસાદથી પ્રાણી સુખસંપત્તિ પામે છે તેથી એક
ધર્મનો જ પ્રયત્ન કરો અને જ્ઞાનરૂપ સૂર્યથી અજ્ઞાનતિમિરનો નાશ કરો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણની સ્વ. પં. દૌલતરામજીકૃત
ભાષાટીકાના ગુજરાતી અનુવાદમાં વિદ્યાધરોના કથનનો ત્રીજો અધિકાર સંપૂર્ણ થયો.
* * *
ચોથું પર્વ
(ભગવાન ઋષભદેવના આહારનિમિત્તના વિહારનું વર્ણન)
તે ભગવાન ઋષભદેવ મહાધ્યાની, સુવર્ણ સમાન પ્રભાના ધારક, જગતના હિત
નિમિત્તે છ માસ પછી આહાર લેવા નીકળ્‌યા. લોકો મુનિના આહારની વિધિ જાણતા
નહોતા. તેમણે અનેક નગર અને ગામમાં વિહાર કર્યો. જાણે કે અદ્ભુત સૂર્ય જ વિહરી
રહ્યો હોય! જેમણે પોતાના દેહની કાંતિથી પૃથ્વીમંડળ ઉપર પ્રકાશ પાથરી દીધો છે, જેમના
સ્કંધ સુમેરુના શિખર સમાન દેદીપ્યમાન છે એવા તે પરમ સમાધાનરૂપ અધોદ્રષ્ટિએ
જોતા, જીવદયાનું પાલન કરતા વિહાર કરી રહ્યા છે. નગર, ગ્રામાદિમાં અજ્ઞાની લોકો
વિવિધ પ્રકારનાં વસ્ત્ર, રત્ન, હાથી, ઘોડા, રથ, કન્યાદિકની ભેટ ધરતા હતા, પણ પ્રભુને
તેનું તો કાંઈ પ્રયોજન છે નહિ, તેથી પ્રભુ ફરીથી વનમાં ચાલ્યા જાય છે, આ પ્રમાણે છ
મહિના સુધી વિધિપૂર્વક પ્રાપ્તિ ન થઈ અર્થાત્ દીક્ષાસમયથી એક વર્ષ આહાર વિના
વીત્યું. પછી વિહાર કરતાં તે હસ્તિનાપુર આવ્યા, ત્યારે સર્વજનો પુરુષોત્તમ ભગવાનને
જોઈને આશ્ચર્ય પામ્યા. રાજા સોમપ્રભ અને તેમના નાના ભાઈ શ્રેયાંસકુમાર, આ બન્ને
ભાઈ ઊઠીને તેમની સામે ગયા. શ્રેયાંસકુમારને ભગવાનને જોતાં જ પૂર્વભવનું સ્મરણ
થયું અને તેમણે મુનિના આહારની વિધિ જાણી લીધી. તે રાજા ભગવાનની પ્રદક્ષિણા દેતાં
સુમેરુની પ્રદક્ષિણા સૂર્ય દઈ રહ્યો હોય તેવા શોભતાં હતા. તેમણે વારંવાર નમસ્કાર કરીને
રત્નપાત્રમાંથી અર્ધ્ય આપી ભગવાનનાં
ચરણો ધોયાં અને પોતાના શિરના કેશ વડે સ્પર્શ
કર્યો. તેમને આનંદનાં આંસુ આવ્યાં અને ગદગદિત થઈને બોલ્યા. જેમનું ચિત્ત
ભગવાનના ગુણમાં અનુરાગી થયું છે એવા શ્રેયાંસે મહાપવિત્ર રત્નોના કળશોમાં રાખેલા અત્યંત

Page 34 of 660
PDF/HTML Page 55 of 681
single page version

background image
૩૪ ચોથું પર્વ પદ્મપુરાણ
શીતળ, મધુર ઈક્ષુરસનો આહાર આપ્યો. પરમ શ્રદ્ધા અને નવધા ભક્તિથી આહારદાન
આપ્યું, વર્ષોપવાસનું પારણું થયું તેના અતિશયથી દેવો હર્ષિત થયા, પંચાશ્ચર્યો પ્રગટ કર્યાં.
પ્રથમ રત્નોની વર્ષા થઈ. કલ્પવૃક્ષના પાંચ પ્રકારનાં ફૂલોની વર્ષા થઈ. શીતળ મંદ
સુગંધવાયુ વાવા લાગ્યો. અનેક પ્રકારનાં દુંદુભિ વાજિંત્રો વાગવા લાગ્યાં અને દેવવાણી
થઈ કે ધન્ય આ પાત્ર! ધન્ય આ દાન! ને ધન્ય છે આ દાન આપનાર રાજા શ્રેયાંસ!
આકાશમાં આ પ્રમાણે દેવોના શબ્દ થયા. શ્રેયાંસકુમારની કીર્તિ જોઈને દાનની રીત પ્રગટ
થઈ. દેવો વડે શ્રેયાંસરાજા પ્રશંસા પામ્યા. ભરત ચક્રવર્તીએ અયોધ્યાથી આવીને
શ્રેયાંસરાજાની ખૂબ સ્તુતિ કરી અને પોતાનો અત્યંત પ્રેમ બતાવ્યો. ભગવાન આહાર
લઈને વનમાં ગયા.
ત્યારપછી ભગવાને એક હજાર વર્ષ સુધી મહાતપ કર્યું અને શુક્લધ્યાનથી મોહનો
નાશ કરીને કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું. કેવું છે તે કેવળજ્ઞાન? જેમાં લોકાલોકનું અવલોકન
છે. ભગવાનને કેવળજ્ઞાન થયું ત્યારે આઠ પ્રાતિહાર્ય પ્રગટ થયા. પ્રથમ તો તેમના
શરીરની કાંતિથી એવું મંડળ રચાયું કે જેનાથી સૂર્યચન્દ્રનો પ્રકાશ પણ ઝાંખો ભાસે,
રાત્રિદિવસનો ભેદ કળાય નહિ. બીજું અશોકવૃક્ષ રત્નમય પુષ્પો અને રક્ત પલ્લવવાળું
પ્રગટ થયું. આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી, જેની સુગંધથી ભમરાઓ ગુંજારવ કરી
રહ્યા હતા. દુંદુભિ વાજિંત્રોનો ધ્વનિ ફેલાયો. દેવોએ સમુદ્રના શબ્દથી પણ ગંભીર અવાજે
વાજાં વગાડયાં. એ દેવોનાં શરીર માયામયી હોવાથી અદ્રશ્ય રહ્યાં હતાં. ઇન્દ્રાદિક
ચન્દ્રમાનાં કિરણોથી પણ અધિક ઉજ્જવળ ચામર ઢોળતા હતા. સુમેરુના શિખર સમાન
પૃથ્વીના મુગટરૂપ સિંહાસન આપને બિરાજવા માટે પ્રગટ થયું. એ સિંહાસને પોતાની
જ્યોતિથી સૂર્યના તેજને પણ જીતી લીધું છે. ત્રણ લોકની પ્રભુતાના ચિહનસ્વરૂપ મોતીની
ઝાલરથી શોભાયમાન ત્રણ છત્ર શોભતાં હતાં, જાણે કે ભગવાનનો નિર્મળ યશ ન
ફેલાવતા હોય! સમોસરણમાં ભગવાન સિંહાસન ઉપર બિરાજ્યા તેની શોભાનું કથન તો
કેવળી જ કરી શકે, બીજા કોઈ નહિ. બધા જ ચતુર્નિકાયના દેવો વંદના કરવા આવ્યા.
ભગવાનના મુખ્ય ગણધર વૃષભષેન થયા તે ભગવાનના બીજા નંબરના પુત્ર હતા. અન્ય
પણ જે મુનિ થયા હતા તે મહાવૈરાગ્યવંત મુનિઓ વગેરે બાર સભાના જીવો પોતપોતાનાં
સ્થાનમાં બેસી ગયા. ત્યારપછી ભગવાનનો દિવ્ય ધ્વનિ પ્રગટ થયો, જેણે પોતાના નાદથી
દુંદુભિના ધ્વનિને જીતી લીધો હતો. ભગવાને જીવોના કલ્યાણ અર્થે તત્ત્વાર્થનું કથન કર્યું.
ત્રણ લોકમાં જીવોને ધર્મ જ પરમ શરણ છે, એનાથી જ પરમસુખ થાય છે, સુખ માટે
બધા જ પ્રયત્ન કરે છે, પણ સુખ ધર્મના કારણે જ થાય છે. આમ જાણીને ધર્મનો પ્રયત્ન
કરો. જેમ વાદળા વિના વરસાદ થતો નથી, બીજ વિના ધાન્ય ઊગતું નથી તેમ જીવોને
ધર્મ વિના સુખ મળતું નથી. જેમ કોઈ પંગુ (લંગડો માણસ) ચાલવાની ઈચ્છા કરે, મૂંગો
બોલવાની ઈચ્છા કરે અને આંધળો દેખવાની ઈચ્છા કરે તેમ મૂઢ પ્રાણી ધર્મ વિના
સુખની ઈચ્છા કરે છે. જેમ પરમાણું કરતાં બીજું કોઈ સૂક્ષ્મ નથી અને આકાશથી કોઈ
મોટું નથી તેમ ધર્મ સમાન જીવોનો બીજો કોઈ મિત્ર નથી અને દયા

Page 35 of 660
PDF/HTML Page 56 of 681
single page version

background image
પદ્મપુરાણ ચોથું પર્વ ૩પ
સમાન કોઈ ધર્મ નથી. મનુષ્યના ભોગ, સ્વર્ગના ભોગ અને સિધ્ધોનું પરમસુખ ધર્મથી
જ મળે છે. માટે ધર્મ વિના બીજો ઉદ્યમ કરવાથી શો લાભ? જે વિદ્વદ્જનો જીવોની દયા
વડે નિર્મળ ધર્મનું સેવન કરે છે તેમને જ ઊર્ધ્વગતિ મળે છે, બીજા અદ્યોગતિ પામે છે.
જો કે દ્રવ્યલિંગી મુનિ તપની શક્તિથી સ્વર્ગમાં જાય છે, તો પણ મોટા દેવોના દાસ
બનીને તેમની સેવા કરે છે. દેવલોકમાં નીચ દેવ બનવું તે દેવ-દુર્ગતિ છે. તે દેવદુર્ગતિનાં
દુઃખો ભોગવીને તિર્યંચગતિના દુઃખ ભોગવે છે અને જે જિનશાસનના અભ્યાસી,
સમ્યગ્દ્રષ્ટિ, તપ-સંયમ ધારણ કરનારા દેવલોકમાં જાય છે તે ઇન્દ્રાદિ મોટા દેવ થઈને
ઘણો કાળ સુખ ભોગવીને દેવલોકમાંથી ચ્યવીને મનુષ્ય થઈ મોક્ષ પામે છે. ધર્મ બે
પ્રકારના છેઃ એક મુનિધર્મ, બીજો શ્રાવકધર્મ. આ સિવાયનો ત્રીજો ધર્મપ્રકાર માનનાર
મોહાગ્નિથી દગ્ધ છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ શ્રાવકનો ધર્મ
છે. શ્રાવક મરણ સમયે સર્વ આરંભનો ત્યાગ કરી, શરીર પ્રત્યે નિર્મમ બની, સમાધિમરણ
કરીને ઉત્તમ ગતિને પામે છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આ તેર પ્રકારનું
ચારિત્ર એ મુનિઓનો ધર્મ છે. દસે દિશા એ જ મુનિઓનાં વસ્ત્ર છે. જે પુરુષ મુનિધર્મ
અંગીકાર કરે છે, તે શુદ્ધોપયોગના પ્રસાદથી નિર્વાણ પામે છે અને જેમને શુભોપયોગનો
અંશ રહે છે તે સ્વર્ગ પામે છે, પરંપરાએ મોક્ષ પામે છે. જે જીવ ભારપૂર્વક મુનિઓની
સ્તુતિ કરે છે તે પણ ધર્મ પામે છે. કેવા છે મુનિ? પરમ બ્રહ્મચર્યના ધારક છે. આ જીવ
ધર્મના પ્રભાવથી સર્વ પાપોથી છૂટે છે અને જ્ઞાન પામે છે.
આ પ્રમાણે દેવાધિદેવ ધર્મનું વ્યાખ્યાન કર્યું તે સાંભળીને બધા પાપથી નિવૃત્ત
થયા. દેવ, મનુષ્ય સર્વ પરમ હર્ષ પામ્યા. કેટલાકે સમ્યક્ત્વ ધારણ કર્યું, કેટલાકે સમ્યક્ત્વ
સહિત શ્રાવકનાં વ્રત ધારણ કર્યાં. કેટલાકે મુનિવ્રત ધારણ કર્યાં. સુર, અસુર મનુષ્ય ધર્મ
શ્રવણ કરીને પોતપોતાના ઠેકાણે ગયા. ભગવાને જે જે દેશોમાં વિહાર કર્યો, તે તે દેશોમાં
ધર્મનો ઉદ્યોત થયો. તેઓ જ્યાં જ્યાં બિરાજતા હતા ત્યાં સો સો યોજનો સુધી
દુર્ભિક્ષાદિની સર્વ બાધાઓ મટી જતી હતી. ભગવાનને ચોર્યાસી ગણધર હતા અને
ચોર્યાસી હજાર સાધુ હતા. આ બધા સાથે તેમણે સર્વ ઉત્તમ દેશમાં વિહાર કર્યો.
પછી ભરત ચક્રવર્તીપદ પામ્યા. ભરતના બધા જ ભાઈઓ મુનિવ્રત લઈને
પરમપદ પામ્યા. ભરતે કેટલાક કાળ સુધી છ ખંડનું રાજ્ય કર્યું. અયોધ્યા રાજ્યધાની
હતી, નવનિધિ, ચૌદ રત્ન, દરેકની હજાર હજાર દેવ સેવા કરતા. ત્રણ કરોડ ગાય, એક
કરોડ હળ, ચોર્યાસી લાખ હાથી, એટલા જ રથ, અઢાર કરોડ ઘોડા, બત્રીસ હજાર
મુગટબંધ રાજા અને એટલા જ મહાસંપદાથી ભરેલા દેશ, દેવાંગના સમાન છન્નું હજાર
રાણીઓ ઈત્યાદિ ચક્રવર્તીના વૈભવનું ક્યાં સુધી વર્ણન કરીએ? પોદનપુરમાં બીજી
માતાના પુત્ર બાહુબલીએ ભરતની આજ્ઞા ન માની અને કહ્યું કે અમે પણ ઋષભદેવના
પુત્ર છીએ, શા માટે આજ્ઞા માનીએ? ત્યારે ભરતે બાહુબલી પર ચડાઈ કરી, સેના વચ્ચે
યુદ્ધ ન થયું. માત્ર બેઉ ભાઈ પરસ્પર યુદ્ધ કરે એમ નક્કી કર્યું.

Page 36 of 660
PDF/HTML Page 57 of 681
single page version

background image
૩૬ ચોથું પર્વ પદ્મપુરાણ
ત્રણ યુદ્ધની યોજના કરી. ૧ દ્રષ્ટિયુદ્ધ, ૨ જળયુદ્ધ અને ૩ મલ્લયુદ્ધ. ત્રણેય યુદ્ધોમાં
બાહુબલી જીત્યા અને ભરત હાર્યા ત્યારે ભરતે બાહુબલી ઉપર ચક્ર છોડયું, પણ તે તેમના
ચરમ શરીરનો ઘાત ન કરી શક્યું, પાછું ફરીને ભરતના હાથમાં આવ્યું. ભરત શરમાઈ
ગયા. બાહુબલી સર્વ ભોગોનો ત્યાગ કરીને વિરક્ત થયા. એક વર્ષ સુધી કાયોત્સર્ગ કરીને
સ્થિર રહ્યા. શરીર ઉપર વેલડીઓ વીંટળાઈ વળી, સર્પોએ રાફડા બનાવ્યા. એક વર્ષ પછી
તેમને કેવળજ્ઞાન થયું. ભરત ચક્રવર્તીએ આવીને કેવળીની પૂજા કરી. બાહુબલી કેવળી
થોડા સમય પછી નિર્વાણ પામ્યા. અવસર્પિણી કાળમાં પ્રથમ મોક્ષ પામનાર તે હતા.
ભરત ચક્રવર્તીએ નિષ્કંટકપણે છ ખંડનું રાજ્ય કર્યું. તેમના રાજ્યમાં વિદ્યાધરો સમાન સર્વ
સંપત્તિવાન અને દેવલોક સમાન મહાવિભૂતિથી મંડિત રાજાઓ હતા, ત્યાં મનુષ્યો દેવ
સમાન નાના પ્રકારના વસ્ત્રાભરણથી શોભતા અનેક પ્રકારની શુભ ચેષ્ટાથી આનંદ
પામતા હતા. લોક ભોગભૂમિ સમાન સુખી, રાજા લોકપાલ સમાન, સ્ત્રીઓ કામના
નિવાસની ભૂમિરૂપ અપ્સરા સમાન હતી. જેમ સ્વર્ગમાં ઇન્દ્ર રાજ કરે તેવી રીતે ભરતે
પૃથ્વી ઉપર એકછત્રે રાજ્ય કર્યું. ભરતની સુભદ્રા રાણી ઇન્દ્રાણી સમાન હતી, એક હજાર
દેવ તેની સેવા કરતા હતા. ચક્રવર્તીને અનેક પુત્રો થયા. તેમણે પૃથ્વી ઉપર રાજ્ય કર્યું.
આ પ્રમાણે ગૌતમ સ્વામીએ ભરતનું ચરિત્ર શ્રેણિક રાજાને કહ્યું.
(વિપ્રોની ઉત્પત્તિનું વર્ણન)
હવે શ્રેણિકે પૂછયું - હે પ્રભો! આપે ત્રણ વર્ણની ઉત્પત્તિ કહી તે મેં સાંભળી હવે
બ્રાહ્મણોની ઉત્પત્તિ કેમ થઈ તે હું સાંભળવા ઈચ્છું છું તો તે કૃપા કરીને કહો. જેમનું હૃદય
જીવદયાથી કોમળ છે અને મદ-મત્સરરહિત છે. એવા ગણધરદેવે કહ્યું કે એક દિવસ ભરતે
અયોધ્યાની સમીપમાં ભગવાનનું આગમન થયું છે એમ જાણીને, સમોસરણમાં જઈ,
વંદના કરીને ભગવાનને મુનિઓના આહારની વિધિ પૂછી. ત્યારે ભગવાનની આજ્ઞા થઈ
કે મુનિ તૃષ્ણારહિત, જિતેન્દ્રિય અનેક માસોપવાસ કરે અને બીજાના ઘેર જઈને નિર્દોષ
આહાર લે અને જો અંતરાય પડે તો આહાર ન લે, પ્રાણરક્ષા નિમિત્તે નિર્દોષ આહાર કરે
અને ધર્મના હેતુથી જ પ્રાણનું રક્ષણ કરે તથા મોક્ષના હેતુથી તે ધર્મનું આચરણ કરે કે
જેમાં કોઈપણ પ્રાણીને બાધા ન પહોંચે. આવો મુનિનો ધર્મ સાંભળીને ચક્રવર્તી વિચારે છે
કે અહો! આ જૈનના વ્રત મહાદુર્ધર છે, મુનિઓ શરીર પ્રત્યે પણ નિઃસ્પૃહ રહે છે તો
પછી બીજી વસ્તુઓમાં તેમને વાંછા કેવી રીતે રહે? મુનિ મહાનિર્ગ્રંથ, નિર્લોભી અને સર્વ
જીવોની દયામાં તત્પર હોય છે. મારે વૈભવ ઘણો છે. હું અણુવ્રતી શ્રાવકને ભક્તિથી દાન
દઉં અને દીન લોકોને દયાદાન દઉં. આ શ્રાવક પણ મુનિના લઘુભ્રાતા છે. આમ વિચારીને
તેણે લોકોને ભોજન માટે બોલાવ્યા. વ્રતીઓની પરીક્ષા માટે આંગણામાં ચાવલ, અડદ,
મગ વગેરે વાવ્યા હતા, તેના અંકુરા ઊગી નીકળ્‌યા હતા, ત્યાં થઈને તેમને બોલાવ્યા.
તેમાં જે અવિવેકી હતા તે તો લીલોતરીને કચરીને આવ્યા અને જે વિવેકી હતા તે અંકુર
જોઈને એક તરફ ઊભા રહી ગયા, તેમને ભરતે અંકુરરહિત માર્ગ પરથી

Page 37 of 660
PDF/HTML Page 58 of 681
single page version

background image
પદ્મપુરાણ પાંચમું પર્વ ૩૭
બોલાવ્યા અને તેમને વ્રતી જાણીને તેમનો ખૂબ આદર કર્યો, તેમના ગળામાં યજ્ઞોપવિત
(જનોઇ) પહેરાવી, તેમને આદરપૂર્વક ભોજન કરાવ્યું. વસ્ત્રાભરણ આપ્યા અને
મનવાંછિત દાન આપ્યું. જેઓ અંકુરાને કચરીને આવ્યા હતા તેમને અવ્રતી જાણીને તેમનો
આદર ન કર્યો. તેમણે વ્રતીઓને બ્રાહ્મણ ઠરાવ્યા. ચક્રવર્તીના માનથી આમાંના કેટલાક
ગર્વ પામ્યા અને કેટલાક લોભની અધિકતાથી ધનવાન લોકોને જોઈને યાચના કરવા લાગ્યા.
ત્યારે મતિસમુદ્ર નામના મંત્રીએ ભરતને કહ્યું કે સમોસરણમાં મેં ભગવાનના
મુખેથી એમ સાંભળ્‌યું છે કે તમે જેમને ધર્માધિકારી જાણીને માન્યતા આપી છે તે બ્રાહ્મણો
પંચમકાળમાં મહામદોન્દનમત્ત થશે અને હિંસામાં ધર્મ માની જીવોને હણશે, મહાકષાયયુક્ત
થઈ સદા પાપ ક્રિયામાં પ્રવર્તશે અને હિંસાના પ્રરૂપક ગ્રંથોને સનાતન માનીને સમસ્ત
પ્રજાને લોભ ઉપજાવશે. મહા આરંભમાં આસક્ત, પરિગ્રહમાં તત્પર, જિનભાષિત માર્ગની
સદા નિંદા કરશે, નિર્ગ્રંથ મુનિને જોઈને ખૂબ ક્રોધ કરશે. આ વચન સાંભળી ભરત
એમના ઉપર કોપાયમાન થયા. ત્યારે તેઓ ભગવાનના શરણે ગયા. ભગવાને ભરતને
કહ્યું - હે ભરત! કળિકાળમાં આમ જ થવાનું છે, તમે કષાય ન કરો. આ પ્રમાણે
વિપ્રોની (બ્રાહ્મણોની) પ્રવૃત્તિ થઈ અને જેઓ ભગવાનની સાથે વૈરાગ્ય માટે નીકળ્‌યા
હતા તે ચારિત્રભ્રષ્ટ થયા. તેમનામાંથી કચ્છાદિક કેટલાક તો સવળા થઈ ગયા, પણ
મારીચાદિ સુલટા ન થયા. તેમના શિષ્ય-પ્રતિશિષ્યાદિક સાંખ્ય યોગમાં પ્રવર્ત્યા, તેમણે
કૌપીન (લંગોટી) ધારણ કરી, વલ્કલાદિ પહેર્યાં. આ વિપ્રોની અને પરિવ્રાજક એટલે દંડી
સન્યાસીઓની પ્રવૃત્તિ બતાવી.
ત્યારબાદ અનેક ભવ્ય જીવોને ભવસાગરથી તારીને ભગવાન ઋષભદેવ કૈલાસના
શિખર ઉપરથી નિર્વાણપદ પામ્યા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણની સ્વ. પં. શ્રી દૌલતરામજી કૃત
ભાષાટીકાના ગુજરાતી અનુવાદમાં શ્રી ઋષભદેવનું કથન કરનાર ચોથો અધિકાર સંપૂર્ણ થયો.
* * *
પાંચમું પર્વ
હવે વંશોત્પત્તિ નામનો મહાધિકાર
હવે ગૌતમસ્વામીએ રાજા શ્રેણિકને વંશોની ઉત્પત્તિ કહી કે હે શ્રેણિક! આ
જગતમાં મહાવંશ ચાર છે, તેના અનેક ભેદ છે. ૧ ઈક્ષ્વાકુ વંશ. એ લોકનું આભૂષણ છે,
એમાંથી સૂર્યવંશ પ્રવર્ત્યો છે. ૨ સોમ (ચંદ્ર) વંશ. તે ચન્દ્રમાના કિરણ સમાન નિર્મળ છે.
૩ વિદ્યાધરોનો વંશ-અત્યંત નિર્મળ છે. ૪. હરિવંશ-જગતપ્રસિદ્ધ છે. હવે એનો ભિન્ન
ભિન્ન વિસ્તાર કહે છે.
ઈક્ષ્વાકુ વંશમાં ભગવાન ઋષભદેવનો જન્મ થયો, તેમના પુત્ર ભરત થયા.
ભરતના પુત્ર અર્કકીર્તિ થયા. રાજા અર્કકીર્તિ મહાતેજસ્વી રાજા હતા. એમના નામથી
સૂર્યવશં પ્રવર્ત્યો છે. અર્ક

Page 38 of 660
PDF/HTML Page 59 of 681
single page version

background image
૩૮ પ્રથમ પર્વ પદ્મપુરાણ
નામ સૂર્યનું છે તેથી અર્કકીર્તિનો વંશ સૂર્યવંશ કહેવાય છે. આ સૂર્યવંશમાં રાજા
અર્કકીર્તિનો સતયશ નામનો પુત્ર થયો. તેમને બલાક, તેમને સુબલ, તેમને રવિતેજ,
તેમને મહાબલ, મહાબલને અતિબલ, તેમને અમૃત, અમૃતને સુભદ્ર, તેમને સાગર, તેમને
ભદ્ર, તેમને રવિતેજ, તેમને શશી, તેમને પ્રભૂતતેજ, તેમને તેજસ્વી, તેમને તપબલ, તેમને
અતિવીર્ય, તેમને સુવીર્ય, તેમને ઉદિતપરાક્રમ, સૂર્ય, તેમને ઇન્દ્રદ્યુમણિ, તેમને મહેન્દ્રજિત,
તેમને પ્રભૂત, તેમને વિભુ, તેમને અવિધ્વંસ, તેમને વીતભી, તેમને વૃષભધ્વજ, તેમને
ગરુણાંક, તેમને મૃગાંક; આ પ્રમાણે સૂર્યવંશમાં અનેક રાજા થયા. તે બધા સંસારભ્રમણથી
ભયભીત થઈ પુત્રોને રાજ્ય આપી મુનિવ્રતધારક થયા. તેઓ શરીરથી પણ નિઃસ્પૃહી
મહાનિર્ગ્રંથ હતા. આ તને સૂર્યવંશની ઉત્પત્તિ કહી.
હવે તને સોમવંશની ઉત્પત્તિ કહીએ છીએ તે સાંભળ. ઋષભદેવની બીજી રાણીના
પુત્ર બાહુબલી, તેમના સોમયશ, તેના સૌમ્ય, તેના મહાબલ, તેના સુબલ, તેના ભુજબલી
ઈત્યાદિ અનેક રાજા થયા. તેઓ પણ નિર્મળ ચૈષ્ટાયુક્ત મુનિવ્રત ધારણ કરી પરમધામને
પામ્યા. કેટલાક દેવ થઈ મનુષ્યજન્મ લઈ સિદ્ધ થયા. આ સોમવંશની ઉત્પત્તિ કહી.
હવે વિદ્યાધરોના વંશની ઉત્પત્તિ સાંભળ. નમિ, રત્નમાલી, તેને યત્નરથ, તેને
રત્નચિત્ર, તેને ચન્દ્રરથ, તેને વજ્રજંધ, તેને વજ્રસેન, તેને વજ્રાદંષ્ટ્ર તેને વજ્રધ્વજ, તેને
વજ્રાયુધ, તેને વજ્ર, તેને સુવજ્ર, તેને વજ્રભૃત, તેને વજ્રાભ, તેને વજ્રબાહુ, તેને વજ્રાંક,
તેને વજ્રસુંદર, તેને વજ્રપાણિ, તેને વજ્રભાનુ, તેને વજ્રવાન, તેને વિદ્યુન્મુખ, તેને સુવક્ર,
તેને વિદ્યુદ્રષ્ટ્ર, તેને વિદ્યુત્, વિદ્યુતાભ, તેને વિદ્યુદ્વેગ, તેને વૈદ્યુત ઈત્યાદિ વિદ્યાધરોના
વંશમાં અનેક રાજા થયા. પોતપોતાના પુત્રોને રાજ્ય આપી, જિનદીક્ષા ધારણ કરી,
રાગદ્વેષનો નાશ કરી તેઓ સિદ્ધપદ પામ્યા કેટલાક દેવલોકમાં ગયા અને જે મોહપાશથી
બંધાયેલા હતા તે રાજ્યમાં જ મરીને કુગતિમાં ગયા.
(સંજયંત મુનિના ઉપસર્ગનું કારણ)
હવે સંજયંત મુનિના ઉપસર્ગનું કારણ કહે છે. વિદ્યુદંષ્ટ્ર નામનો એક વિદ્યાધર
રાજા, બન્ને શ્રેણીનો અધિપતિ, વિદ્યાબળથી ઉદ્ધત વિમાનમાં બેસીને વિદેહક્ષેત્રમાં ગયો.
ત્યાં તેણે સંજયંત સ્વામીને ધ્યાનરૂઢ જોયા. તેમનું શરીર પર્વત સમાન નિશ્ચળ હતું. તે
પાપીએ મુનિને જોઈને પૂર્વજન્મના વેરથી તેમને ઉપાડીને પંચગિરિ પર્વત ઉપર મૂક્યા
અને લોકોને કહ્યું કે આને મારો. પાપી જીવોએ લાઠીથી, મૂઠીથી, પાષાણાદિ અનેક
પ્રકારથી તેમને માર્યા. મુનિને સમભાવના પ્રસાદથી જરાપણ કલેશ ન થયો. તેમણે દુસ્સહ
ઉપસર્ગ ઉપર જીત મેળવી, લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું. સર્વ દેવો તેમની
વંદના માટે આવ્યા, ધરણેન્દ્ર પણ આવ્યા. તે ધરણેન્દ્ર પૂર્વભવમાં મુનિના ભાઈ હતા. તેથી
તેમણે ક્રોધ કરીને સર્વ વિદ્યાધરોને નાગપાશમાં બાંધ્યા. ત્યારે બધાએ વિનંતી કરી કે આ
અપરાધ વિદ્યુદંષ્ટ્રનો છે એટલે બીજાઓને છોડયા પણ વદ્યુદંષ્ટ્રને ન છોડયો, મારવા તૈયાર
થયા ત્યારે દેવોએ પ્રાર્થના કરીને તેને છોડાવ્યો. તેને છોડયો

Page 39 of 660
PDF/HTML Page 60 of 681
single page version

background image
પદ્મપુરાણ પાંચમું પર્વ ૩૯
પણ તેની વિદ્યા લઈ લીધી. એટલે તેણે પ્રાર્થના કરી કે હે પ્રભો! મને વિદ્યા કેવી રીતે
સિદ્ધ થશે. ધરણેન્દ્રે કહ્યું કે સંજયંત સ્વામીની પ્રતિમા સમીપ તપ કરવાથી તને વિદ્યા પ્રાપ્ત
થશે, પરંતુ ચૈત્યાલયો અને મુનિઓનું ઉલ્લંઘન કરવાથી વિદ્યાનો નાશ થશે; માટે તારે
તેમની વંદના કરીને આગળ ગમન કરવું યોગ્ય છે. પછી ધરણેન્દ્રે સંજયંત સ્વામીને પૂછયું
કે હે પ્રભો! વિદ્યુદંષ્ટ્રે આપના ઉપર ઉપસર્ગ કેમ કર્યો? ભગવાન સંજયંત સ્વામીએ ઉત્તર
આપ્યો કે ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં હું શકટ નામના ગામમાં દયાળુ, પ્રિયવાદી
હિતકર નામનો એક શેઠ થયો હતો. મારો નિષ્કપટ સ્વભાવ હતો. હું સાધુસેવામાં તત્પર
રહેતો. ત્યાંથી હું સમાધિમરણ કરીને કુમુદાવતી નગરીમાં ન્યાયમાર્ગી શ્રીવર્ધન નામનો
રાજા થયો. તે ગામમાં એક બ્રાહ્મણ અજ્ઞાન તપ કરીને કુદેવ થયો હતો ત્યાંથી ચ્યવીને તે
રાજા શ્રીવર્ધનનો વહિનશિખ નામનો પુરોહિત થયો. તે મહાદુષ્ટ, ગુપ્તપણે અકાર્ય કરતો
હતો, પોતાને સત્યઘોષ કહેવરાવતો હતો, પરંતુ મહાજૂઠો, પરદ્રવ્ય હરનાર, એવાં તેનાં
કુકર્મને કોઈ જાણતું નહોતું. તે જગતમાં પોતાને સત્યવાદી કહેવરાવતો, એક નેમિદત્ત
શેઠનાં રત્ન તેણે હરી લીધાં હતાં. રાણી રામદત્તાએ જુગારમાં પુરોહિતની વીંટી જીતી
લીધી અને દાસીને પુરોહિતના ઘેર મોકલીને રત્ન મગાવી લીધાં અને શેઠને આપી દીધાં.
રાજાએ પુરોહિતને આકરી શિક્ષા કરી. તે પુરોહિત મરીને એક ભવ પછી આ વિદ્યાધરોનો
અધિપતિ થયો અને રાજા મુનિવ્રત ધારણ કરીને દેવ થયો. કેટલાક ભવ પછી એ જીવ
સંજયંત રૂપે જન્મ્યો અને એણે પૂર્વભવના પ્રસંગથી અમારા ઉપર ઉપસર્ગ કર્યો. આ કથા
સાંભળી નાગેન્દ્ર પોતાના સ્થાને ગયો.
તે વિદ્યાધરને દઢરથ નામનો પુત્ર થયો. તેને અશ્વધર્મા, તેને અશ્વાયુ, તેને અશ્વધ્વજ,
તેને પદ્મનાભિ, તેને પદ્મમાલી, તેને પદ્મરથ, તેને સિંહયાન, તેને મૃગેદ્ધર્મા, તેને મેઘાસ્ત્ર, તેને
સિંહપ્રભ, તેને સિંહકેતુ, તેને શશાંક, તેને ચંદ્રાહવ, તેને ચન્દ્રશેખર, તેને ઇન્દ્રરથ, તેને ચન્દ્રરથ,
તેને ચક્રધર્મા, તેને ચક્રાયુધ, તેને ચક્રધ્વજ, તેને મણિગ્રીવ, તેને મણ્યંક, તેને મણિભાસુર, તેને
મણિરથ, મણ્યાસ, તેને બિમ્બોષ્ઠ, તેને લંબિતાધર, તેને રક્તોષ્ઠ, તેને હરિચન્દ્ર, તેને પૂર્ણચન્દ્ર,
તેને બાલેન્દ્ર, તેને ચન્દ્રમા તેને ચૂડ, તેને વ્યોમચન્દ્ર, તેને ઉડપાનન, તેને એકચૂડ, તેને દ્વિચૂડ,
તેને ત્રિચૂડ, તેને વજ્રચૂડ, તેને ભૂરિચૂડ, તેને અર્કચૂડ તેને વહિનજટી, તેને વહિનતેજ આ
પ્રમાણે અનેક રાજા થયા. તેમાં કેટલાક પુત્રને રાજ્ય આપી મુનિ થઈ મોક્ષ ગયા, કેટલાક
સ્વર્ગે ગયા, કેટલાક ભોગાસક્ત થઈ વૈરાગી ન થયા તે નરક, તિર્યંચ ગતિ પામ્યા. આ
પ્રમાણે વિદ્યાધરોનો વંશ કહ્યો.
(બીજા તીર્થંકર અજિતનાથની ઉત્પત્તિ અને જીવનાદિનો પરિચય. સગર
ચક્રવર્તીનું વૃત્તાન્ત.)
હવે બીજા તીર્થંકર શ્રી અજિતનાથ સ્વામીના જન્મ વિષે કહે છે. જ્યારે
ઋષભદેવને મુક્ત થયે પચાસ લાખ કરોડ સાગર થયા, ત્યારે ચોથો કાળ અર્ધો વીતી
ગયો હતો. જીવોનું આયુષ્ય,