Page 50 of 238
PDF/HTML Page 61 of 249
single page version
શું છે? તે આ ગાથામાં કહેવામાં આવે છે.
इउ जाणेविणु जोइयहो छंडहु मायाचारु ।। २१।।
એમ જાણી યોગીજનો, ત્યાગો માયાચાર.
એમ આવ્યું કે અમે જે છીએ તેટલો જ તું છો ને તું છો તે અમે છીએ-સ્વરૂપે
પરમેશ્વરના સ્વરૂપમાં ને આત્માના સ્વરૂપમાં કાંઈ ફેર નથી. વસ્તુ તરીકે બે ભિન્ન છે
પણ ભાવ તરીકે ફેર નથી.
ચક્રવર્તી, વાસુદેવ, બળદેવનું એમાં વર્ણન છે. એ બધાં વર્ણનમાં શું આવ્યું? કે એ બધા
સલાકા પુરુષોએ વીતરાગ જેવો જ હું આત્મા છું, એમને મોક્ષ પ્રગટ થઈ ગયો ને મારે
મોક્ષ સ્વભાવમાં પડેલો જ છે એમ આત્મતત્ત્વને વીતરાગ પરમાત્મા જેવો તે સલાકા
પુરુષોએ જાણ્યો હતો એ જ પ્રથમાનુયોગમાં કહેવાનું તાત્પર્ય-સાર છે.
એ કહેવાનો આશય છે. કરણાનુયોગમાં કહેવાનો આશય એ છે કે કર્મ એક ચીજ છે,
તેના લક્ષે જીવની અનેક અવસ્થાઓ થાય છે અને એના લક્ષે કેવા પરિણામ હોય છે તે
બતાવીને એ બધાં વિકારી પરિણામ ને કર્મથી રહિત તું છો એમ બતાવ્યું છે. પરંતુ
કર્મના લઈને તું દુઃખી થયો છો કે તેનાથી સહિત તું છો એમ ત્યાં નથી બતાવવું.
વર્તમાન પર્યાયમાં
Page 51 of 238
PDF/HTML Page 62 of 249
single page version
આત્મા વીતરાગ પરમાત્મા સમાન છે-એ કરણાનુયોગના કહેવાનો સાર છે.
આત્મા પરમાત્મા સમાન છે. ભાઈ! વિકાર સહિત કહ્યો તે રહિતપણે બતાવવા માટે કહ્યું
છે, એનું સહિતપણું વસ્તુમાં નથી એ બતાવવા માટે સહિતપણું બતાવ્યું છે. કેમ કે ચારે
અનુયોગનું તાત્પર્ય તો વીતરાગતા છે, એ વીતરાગતા ક્યારે આવે? જ્ઞાનાવરણીએ
જ્ઞાનને રોકયું-એમ બતાવ્યું એટલે શું?-કે તું જ્યારે જ્ઞાનની અવસ્થા હીણી કર ત્યારે
તેમાં જ્ઞાનાવરણી નિમિત્ત છે; પરંતુ એ બતાવવાનો હેતુ શું છે?-કે હીનદશા ને
નિમિત્તનો આશ્રય છોડ, ત્યાં રોકવા માટે એ કહ્યું નથી પણ તેનો આશ્રય છોડાવીને
વીતરાગતા બતાવવા માટે કહ્યું છે, પરમાત્મા થવા માટે કહ્યું છે. અલ્પજ્ઞપરિણામના
આદર માટે એ વાત નથી કરી. અલ્પદર્શન થાય, અલ્પવીર્ય થાય, તારી અલ્પદશા
તારાથી થાય એ બતાવીને તું પૂર્ણાનંદ અખંડ આત્મા છો ને હું પરમાત્મા થયો તેવો
પરમાત્મા તું થઈ શકે તેવો છો-એમ બતાવવા માટેનું એ કથન છે.
એના આશ્રયે શુદ્ધતા પ્રગટ થઈ છે તે ભૂમિકાના પ્રમાણમાં તે જીવને-મુનિને ને
શ્રાવકને રાગના આચરણનો ભાવ-વ્રતાદિનો કેવો હોય એ ત્યાં બતાવ્યું છે. પરંતુ
એકલા રાગના આચરણ ખાતર ત્યાં એ આચરણ બતાવ્યું નથી.
કર એટલે કે અમારા જેવો તું છો એમ નક્કી કર. હું પૂરણ પરમાત્મા વીતરાગ
પરમેશ્વર છું-વસ્તુસ્વરૂપે; અલ્પજ્ઞતા ને રાગ પર્યાયમાં છે એ આદરવા લાયક નથી-એમ
ચરણાનુયોગમાં પણ કહ્યું છે.
એવી નિશ્ચય શુદ્ધતા ક્યાં હોય?-કે હું વીતરાગ સમાન પરમાત્મા છું, એકલો જ્ઞાતાદ્રષ્ટા
પરિપૂર્ણ પરમાત્મા છું એવું ભાન હોય ત્યાં નિશ્ચય શુદ્ધતા હોય અને એવા ભાનની
ભૂમિકામાં બાકી રહેલાં આચરણનો રાગ કેવો હોય એ ચરણાનુયોગમાં કહ્યું છે, તેથી
ચરણાનુયોગનો સાર તો આત્મા જ છે, રાગની ક્રિયા કાંઈ સાર નથી. ભેદથી બતાવ્યો
છે તો અભેદ, ભેદ કાંઈ સાર નથી. વ્યવહારથી બતાવ્યો છે તો નિશ્ચય, વ્યવહાર કાંઈ
સાર નથી. વ્યવહારનું આચરણ બતાવીને ત્યાં નિશ્ચય કેવો હોય તે બતાવ્યું છે.
Page 52 of 238
PDF/HTML Page 63 of 249
single page version
કંદ આત્મા છો. આત્મા તદ્ન વીતરાગનો પિંડ જ છે. પરમાત્મા પર્યાયે વીતરાગ પિંડ
થઈ ગયા ને તું વસ્તુએ વીતરાગ પિંડ જ છો. જાણવા-દેખવાની ક્રિયા સિવાય કોઈ
એની ક્રિયા છે જ નહિ.-એમ તું આત્માને જિન સરખો જાણ.-એમ ચરણાનુયોગનું
કહેવું છે.
નથી, બતાવ્યો છે તો એક અભેદ. આ વસ્તુ પૂરણ પરમાત્મા છે, મહા સત્ સ્વરૂપ
ભગવાન ચિદાનંદ પરમાત્મા તું છો. અનંતા પરમાત્મા જેના ગર્ભમાં પડયા છે ને તેનો
પ્રસવ કરવાની તાકાત જેમાં છે એવો તું આત્મા છે રાગને પ્રગટ કરે તે આત્મા નહિ,
તે આત્મામાં છે નહિ, અલ્પજ્ઞતા રહે એ આત્મામાં છે નહિ એમ કહે છે આહાહા!
સાર આ છે કે સંસારનો અભાવ ને મોક્ષની ઉત્પત્તિ. આત્મા પરમાત્મા સમાન છે એમ
જાણ્યા વિના એને સ્વભાવનો આશ્રય નહિ થાય ને અલ્પજ્ઞ ને રાગનો આશ્રય નહિ
ટળે ને સર્વજ્ઞ વીતરાગ નહિ થાય. આહાહા! આ કાંઈ વાતો નથી પણ વસ્તુનું સ્વરૂપ
જ આવું છે.
પરમાત્મા જ છું, મારે ને પરમાત્માને કાંઈ ફેર નથી એમ ફેર કાઢી નાખનારને ફેર છૂટી
જશે. આહાહા! દિગંબર સંતોની કોઈ પણ ગાથા લ્યો પણ સંતોની કથન શૈલી
અલૌકિક છે! પરમાત્મા પરમેશ્વરે જે ધર્મ કહ્યો તેને દિગંબર સંતોએ ધારીને ઢંઢેરો
પીટયો છે!
રાગવાળો, અલ્પજ્ઞતાવાળો એમ મનન નહિ કરો પણ જે જિનેન્દ્ર છે તે જ હું છું એવું
મનન કરો! અરેરે, હું અલ્પજ્ઞ છું, મારામાં આવી કાંઈ તાકાત હોતી હશે? -એ વાત
રહેવા દે ભાઈ! હું તો પૂરણ પરમાત્મા થવાને લાયક છું-એમ નહિ પણ પૂરણ
પરમાત્મા અત્યારે હું છું-એમ મનન કર! આહાહા!
વીતરાગની બધી વાણીના શાસ્ત્રોનો, દિવ્યધ્વનિનો સાર તો આ છે કે પરમાત્મા સમાન
આત્મા જાણવો. સર્વજ્ઞ ને વીતરાગસ્વરૂપ હું આત્મા છું એમ અંર્તદ્રષ્ટિ કર તો તું
Page 53 of 238
PDF/HTML Page 64 of 249
single page version
રહે! ભગવાન આત્મા-હું પોતે દ્રવ્યે પરમેશ્વરસ્વરૂપે જ છું-એમ જ્યાં પરમેશ્વરસ્વરૂપનો
વિશ્વાસ આવ્યો તો તું વીતરાગ થયા વિના રહીશ જ નહિ. દ્રષ્ટિમાં વીતરાગ થયો તે
સ્થિરતાએ વીતરાગ થઈને અલ્પકાળમાં કેવળજ્ઞાન લેશે.-એમ અહીં વાત કરે છે. અરે!
અમે ક્યારે વીતરાગ થઈશું? શું થશે?-એ બધી લપ મૂક ને! તું વીતરાગ પરમાત્મા
છો જ! આખો ભગવાન આત્મા જિનેશ્વર જેવો પૂર્ણાનંદ પરમાત્મા છે જ, બધા એવા
ભગવાન છે હો!-એને તું જો ને ભાઈ! અલ્પજ્ઞતા ને રાગ એ કાંઈ આત્મા છે? એ
તો વ્યવહાર-આત્મા છે. જે આત્મા છે એ તો અલ્પજ્ઞતા, રાગ ને નિમિત્ત વિનાનો છે,
એની સામું જો ને!
ક્રિયા લોકોને બતાવું-એ બધી માયાચારી છોડી દે! રાગની ક્રિયા કરીને હું સાધુ છું એમ
લોકોને તારે બતાવવું છે?
યેહી વચનસે સમજ લે જિન-વચનકા મરમ.
આહાહા! ભગવાન એને મોટો કહેવા જાય ત્યાં આ ભાઈ સા’બ કહે ના...
મોટો કહીને પૈસા લૂંટી લે-ફાળો ઉઘરાવી લે, તેમ ભગવાને તને મોટો ઠરાવીને શું કરવું
હશે?-કે તારી પામરતા લૂંટવી છે! કંઈ તારા પૈસા લૂંટવા નથી હો! !
ફેર ન દેખતો, સિદ્ધાંતના સારને માયાચાર રહિત થઈને પામી જાય છે.
મળવાથી કે વાણીના ઉપદેશ દ્વારા મોટપ માનવી છોડી દે! એ તો માયાચાર છે, એને
મૂકને પડતી! તારી મોટપ તો અંદર પ્રભુ પ્રભુતાથી બિરાજે છે તેમાં છે, તેના શરણમાં
જતાં શાંતિ ને વીતરાગતા પ્રગટ થશે.
પરમાત્મા સમાન છે એવું અંતરમાં જાણીને ઠરે તેને મોટપનો લાભ મળે છે, બાકી બધું
ધૂળધાણી છે! માટે વિકલ્પની જાળ દ્વારા ને શરીરની સ્થિતિ દ્વારા મોટપ ન માનીશ,
એનાથી મોટપ
Page 54 of 238
PDF/HTML Page 65 of 249
single page version
પ૦૦-પ૦૦ સાધુઓના ઉપરી-મોટા કરીને અમને પદવી આપી છે-એવાથી મોટપ
માનવી રહેવા દે!-એમ આ ર૧મી ગાથામાં કહ્યું.
એમ નક્કી કર. ભગવાન! તમે પરમાત્મા છો એટલું તો અમને નક્કી કરવા દ્યો! -કે
એ નક્કી ક્યારે થશે?-કે જ્યારે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યારે આ
પરમાત્મા છે એવો વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચયનું નક્કી થયા વિના વ્યવહાર નક્કી
થશે નહિ. તે વાત કહે છેઃ- -
इउ जाणेविणु जोइया अण्णु म करहु वियप्पु ।। २२।।
એમ જાણી હે યોગીજન! કરો ન કાંઈ વિકલ્પ. રર.
પરમાત્મા છું એમ દ્રષ્ટિમાં લે.
કહે છે. ક્યાં સુધી તારે શાસ્ત્રની ચર્ચાઓ લખવી છે? શાસ્ત્રમાં આ કહ્યું છે, આ
શાસ્ત્રમાં આ કહ્યું છે ને આ શાસ્ત્રમાં કહ્યું છે-એ તો બધી વિકલ્પની જાળ છે.
ભાગમાં અનંત ગુણનો પિંડલો પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ પરમાત્મા ભગવાન તે જ હું છું-
એમ અંતરમાં અનુભવમાં લાવ અને એનો અનુભવ કર એ જ તારા લાભમાં છે,
બાકી બધાં વિકલ્પો, શાસ્ત્રની ચર્ચા ને વાદવિવાદ એ કાંઈ તારા લાભમાં નથી-એમ
અહીં કહે છે.
નહિ. ભગવાન ચિદાનંદ પ્રભુ બિરાજી રહ્યો છે ને તું વ્યવહાર-રાંકાઈથી પરમેશ્વર છો?
ભિખારી પરમેશ્વર બનાવે? વ્યવહારનો રાગ ભિખારી-રાંક છે, નાશ થવાને લાયક છે,
એ પરમેશ્વરપદને
Page 55 of 238
PDF/HTML Page 66 of 249
single page version
Page 56 of 238
PDF/HTML Page 67 of 249
single page version
સામે જોવું રહેવા દે-એમ ભગવાન કહે છે. રર.
તે આતમ જાણો સદા, શીઘ્ર લહો નિર્વાણ. ર૩
પ્રદેશી સ્થળમાં રહેલો છે, એવા અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણ પડયા છે. ક્ષેત્ર શું કામ
બતાવે છે?-કે કોઈ કહે કે લોકવ્યાપક આત્મા છે, તો એમ નથી. ભગવાન આત્મા
દેહ-પ્રમાણે દેહથી ભિન્ન લોકાકાશના પ્રદેશની સંખ્યા જેટલા પોતાના અસંખ્ય પ્રદેશમાં
બિરાજી રહ્યો છે, રાગમાં કે ક્યાંય બિરાજતો નથી.
સોથા નીકળી ગયા તો ય તેને મૂકવાનો વિચાર નથી આવતો? ઘરે તો આવ! તારા
ઘરે તો બાપુ તું આવ! પરઘર રખડી રખડીને મરી ગયો! તારું ઘર ક્યાં છે?-કે જે
અસંખ્ય પ્રદેશનું શુદ્ધ અરૂપી દળ છે, જે અસંખ્ય પ્રદેશ રત્ન સમાન શુદ્ધ નિર્મળ છે, જે
ક્ષેત્રમાં અનંતા અનંતા ગુણો બિરાજે છે, એ તારું ઘર છે ભાઈ!
પ્રદેશનું ક્ષેત્ર એવું છે કે અનંત કેવળજ્ઞાન ને અનંત આનંદ પાકે! સિદ્ધની પર્યાય પાકે એ
આત્મા છે, સંસાર પાકે એ આત્મા નહિ, રાગ-દ્વેષ પાકે એ આત્મક્ષેત્ર નહિ! ભગવાન
આત્માના અસંખ્ય પ્રદેશ શુદ્ધ છે, જેમાં અનંત ગુણ બિરાજમાન છે, એવો અસંખ્ય પ્રદેશી
ભગવાન બિરાજે છે ત્યાં નજર કર, એ ક્ષેત્રમાં નજર કર, ધ્યાન કર, તો અલ્પકાળમાં
કેવળજ્ઞાનરૂપી નિર્વાણદશા પ્રાપ્ત થાય, બીજી રીતે પ્રાપ્ત થાય એમ નથી.
Page 57 of 238
PDF/HTML Page 68 of 249
single page version
सो अप्पा अणुदिणु मुणहु पावहु लहु णिव्वाणु ।। २३।।
તે આતમ જાણો સદા, શીઘ્ર લહો નિર્વાણ. ર૩.
કહે છે, એવા શુદ્ધ અસંખ્ય પ્રદેશી આત્મા છે તેથી તે પરિપૂર્ણ છે. દેહ-વાણી-મન-કર્મ
ને વિકારનું ક્ષેત્ર જુદું છે. અસંખ્ય પ્રદેશી પરિપૂર્ણ પ્રભુ અસંખ્ય પ્રદેશમાં રહેલો છે.
અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણોથી ભરેલો પરિપૂર્ણ છે, એવા આત્માને આત્મા જાણ અને
એવા આત્માનું દિન-રાત મનન કર.
જ પૂરું છે, એનાથી વધારે લાંબુ બીજું કોઈ ક્ષેત્ર નથી. કોઈ લોકવ્યાપક કહે ને કોઈ
અનંતમાં અનંત ભળી જાય કે બધા આત્મા એકના અંશરૂપ છે-એમ નથી. ભગવાન
આત્મા અસંખ્ય પ્રદેશોમાં પરિપૂર્ણ ભરેલો છે. એવા આત્માનું દિન રાત મનન કરો
એટલે કે તેનો અનુભવ કરો.
અસંખ્ય પ્રદેશના પૂરથી ભરેલો પૂરો છે, તેનો અનુભવ કરવાથી શીઘ્ર નિર્વાણને પ્રાપ્ત
કરો એટલે કે આ ઉપાય દ્વારા શીઘ્ર નિર્વાણને પ્રાપ્ત કરો; એ સિવાય મન-વચનની
ક્રિયા આદિ બીજા કોઈ ઉપાય વડે નિર્વાણ પ્રાપ્ત થાય તેમ નથી.
ગુણોથી
Page 58 of 238
PDF/HTML Page 69 of 249
single page version
કરે તો એ પરિભ્રમણ કરે; કર્મના લઈને કાંઈ પરિભ્રમણ કરતો નથી.
છે, ભાવ અનંત ભર્યા છે. ક્ષેત્ર નાનું માટે માલ થોડો એવું કાંઈ નથી. જેમ આંખનું
ક્ષેત્ર નાનું છતાં ડૂંગર ઉપરથી કેટલા માઈલનું દેખી શકે છે? તેમ અસંખ્ય પ્રદેશી
ભગવાન આત્મા પોતાની-સત્તામાં રહીને અનંત ક્ષેત્રને જાણે એવી એના સ્વભાવની
સામર્થ્યતા છે. માટે એ ભગવાન આત્માને અંતરમાં જો, તારું ઘર અસંખ્ય પ્રદેશી છે,
શરીર-મન-વચન કે કર્મ એ તારું ઘર નથી. અરે! પરમાત્મા જિનેશ્વરદેવથી પણ તારું
ઘર જુદું છે.
एहउ अप्प–सहाउ मुणि लहु पावहि भव–तीरु ।। २४।।
એવો આતમ અનુભવો, શીઘ્ર લહો ભવપાર. ર૪.
ચાલી આવે છે. આત્મા પોતાના સ્વભાવને પ્રાપ્ત કરે ને ભવનો અભાવ કરે એ નવી
વાત છે, બાકી ભવ પ્રાપ્ત કરે ને સંસારમાં રખડે એ તો અનાદિનો સંસારભાવ છે, તેમાં
નવું શું કર્યું? તેથી અહીં કહે છે કે શીઘ્ર લહો ભવપાર.
છે એમ વાત નથી, પણ લોકના જેટલા અસંખ્ય પ્રદેશ છે એટલા અસંખ્ય પ્રદેશી
ભગવાન આત્મા નિશ્ચયથી છે. એ અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા કર્મમાં, શરીર-
પરમાણુમાં કે રાગમાં પણ આવતો નથી.
એનું પહોળું ક્ષેત્ર છે. આ શરીરપ્રમાણે અસંખ્ય પ્રદેશમાં આત્મા છે. જેમ પાણીનો કળશ
હોય તેમાં અંદર પાણીનો આકાર ને એનું સ્વરૂપ કળશના આકારે હોવા છતાં પાણીનું
Page 59 of 238
PDF/HTML Page 70 of 249
single page version
તો વેરી છે, એ વેરી વ્યવહારના વિકલ્પો ન રહે તો અમારું-સંપ્રદાયનું-શું થશે? પણ
ભાઈ! વેરીને રાખીને તારે શું કામ છે? ભાઈ! તું અનંત આનંદનો પિંડ છો ને! એ
Page 60 of 238
PDF/HTML Page 71 of 249
single page version
સ્વરૂપ નથી. ત્રણ લોકનો નાથ બાદશાહ પોતે, પણ અરેરે! આવા વિકલ્પો હોય તો
કાંઈ લાભ થાય! શુભ વિકલ્પ હોય તો અંદર જવાય!-આવી તો ભ્રમણાઓ!! અરે!
જેનો આદર કરવો છે તેમાં એ વિકલ્પ તો છે નહિ અને જેને-વિકલ્પોને છોડવા છે
એના લઈને અંદર પ્રવેશ કેમ થઈ શકશે?! આત્મા તો આનંદરૂપ છે, એ આનંદસ્વરૂપ
આત્મા દુઃખસ્વરૂપ વિકલ્પોથી શી રીતે પ્રાપ્ત થાય? એ તો સ્વાનુભવથી જ જણાય તેવો
છે, રાગથી કે વિકલ્પથી જણાય એવો નથી.
પામર વિકલ્પોની કોઈ જરૂર નથી. ભીખારી પામર રાગની તને જરૂર નથી ભાઈ!
એના ટેકાની તને જરૂર નથી ભાઈ!
એનો પ્રેમ છોડતો નથી તેથી અંદરમાં જઈ શકતો નથી ને ધોયેલ મૂળાની જેવો રાગ ને
વ્યવહાર લઈને ૮૪ લાખ યોનિના અવતારમાં ચાલ્યો જાય છે. ર૪.
શુભભાવથી થશે ને વ્યવહારથી થશે એમ માનીને આત્માનો અનુભવ સમ્યગ્દર્શન ન
કર્યું તેથી ૮૪ લાખ યોનિમાં ભ્રમણ કરી રહ્યો છેઃ-
पर सम्मत्तु ण लद्धु जिय एहउ जाणि णिभंतु ।। २५।।
પણ સમકિત તેં નવ લહ્યું, એ જાણો નિર્ભ્રાન્તિ. રપ.
સમ્યગ્દર્શનના અભાવમાં ૮૪ લાખ યોનિમાંથી એકેય યોનિ ખાલી નથી રાખી. નરકની
અંદર દસ હજાર વર્ષની સ્થિતિએ અનંતવાર ઉપજ્યો છે, દસ હજાર ને એક સમયની
સ્થિતિએ અનંતવાર ઉપજ્યો છે, એમ એક એક સમય અધિકની સ્થિતિએ અનંતવાર
ઉપજ્યો ને ૩૩ સાગર સુધીની સ્થિતિએ અનંતવાર ઉપજ્યો. ૧૦ હજાર વર્ષથી માંડીને
૩૩ સાગર સુધીના જેટલા સમય છે તે એક એક સમયના અનંતા ભવ નરકમાં ગાળ્યા!
Page 61 of 238
PDF/HTML Page 72 of 249
single page version
માંડીને નવમી ગ્રૈવયેક સુધીના ૩૧ સાગર સુધીની સ્થિતિના એક એક સમયની
સ્થિતિમાં અનંતવાર જીવ ઉપજ્યો છે હો! આહાહા! અરે! કીડીના અનંતા, કાગડાના
બાપુ! ઘાણીમાં અનંતવાર પીલાયો, વીંછીના આકરાં ડંખથી અનંતવાર મર્યો, અનંતવાર
નાગના કરડવાથી મર્યો, પણ ભાઈ! તું ભૂલી ગયો! એક સમ્યગ્દર્શન વિના તેં ૮૪
લાખ યોનિમાં અનંતા ભવ કર્યા.
પરંતુ એવા પરિણામથી પણ સમકિત ન પામ્યો તો હવે બીજા પરિણામથી તું શું
સમ્યગ્દર્શન પામે, એ સિવાય નવમી ગૈ્રવયેક જેવા પરિણામ કરે તોપણ તેનાથી સમકિત
પામતો નથી.
તારા મિથ્યાત્વભાવે તને અનંતવાર ૮૪ લાખ યોનિના કૂવામાં તને નાખ્યો છે. પુણ્યથી
ધર્મ થશે, ક્રિયાથી ધર્મ થશે, રાગથી લાભ થશે-એવા કાળા નાગ જેવા મિથ્યાત્વભાવને
ને રાગ વિના ને વ્યવહાર વિના ધર્મ નહિ થાય એમ માનીને તેં અનંતા ભવ કર્યા.
પામ્યો તેનો અર્થ એ કે સમકિત કોઈ બીજી ચીજ છે, એ ભાવ વડે સમકિત પમાય
એવી એ ચીજ નથી.
પ્રગટ કર્યો નથી એક સમકિત વિના બીજું બધું અનંતવાર કરી ચૂક્યો છે પણ આ એક
સમકિત કર્યું નથી.
સિવાય બીજા કોઈ આશ્રયે સમકિત પમાતું નથી. પરંતુ અનાદિથી એને પરની કિંમત
અવલંબનથી નહિ, રાગ ને વ્યવહારના અવલંબનથી અનુભવ થાય એવી ચીજ આત્મા
નથી. એવા આત્માની કિંમત કર્યા વિના આવા ૮૪ લાખ યોનિના અવતારમાં રખડવું
Page 62 of 238
PDF/HTML Page 73 of 249
single page version
આહાહા! જગતના મોહ તો જુઓ! જ્યાં સુધી જીવ સમ્યગ્દર્શન પામતો નથી ત્યાં સુધી
હે જીવ! નિઃસંદેહ એમ વાત જાણ કે ૮૪ લાખ યોનિમાં ફરવું મટતું નથી.
નિર્ભ્રાન્તપણે જાણ. ‘સમકિત નવ લહ્યું’ એમ કહ્યું છે પણ કાંઈ ચારિત્ર વિના રખડી
રહ્યો છે એમ કહ્યું નથી. કેમ કે સમકિત હોય ત્યારે ચારિત્ર હોય. સમકિત વિના
ચારિત્ર હોતું નથી. ક્રિયાકાંડ કાંઈ ચારિત્ર નથી, એવા ક્રિયાકાંડ તો અનંતવાર કર્યા છે.
બીજા કોઈ પણ પરિણામ આત્માને હિતકારી નથી. દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ,
દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા, પંચ મહાવ્રત આદિના પરિણામ અનંતવાર કર્યા પણ એની
કાંઈ કિંમત નથી વ્યવહાર આચરણનો જે ગ્રંથ શ્રાવકરત્નકરંડાચાર તેમાં પહેલી ભૂમિકા
એમ બાંધી છે કે ત્રણ કાળ ત્રણ લોકમાં સમકિત જેવું જીવને હિતકર કાંઈ નથી અને
મિથ્યાદર્શન જેવું જીવનું બુરુ કરનાર કાંઈ નથી. ભગવાન આત્માના આશ્રયે જે
સમ્યગ્દર્શન થાય એ સમ્યગ્દર્શન વિના જીવને જગતમાં બીજું કોઈ હિતકારી નથી.
હિંસા-જૂઠું-ભોગ-વાસનાના અશુભ પરિણામ એટલું બૂરુ ન કરે જેટલું બૂરું મિથ્યાશ્રદ્ધા
કરે છે.
નથી. અને ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ હોવા છતાં તેનાથી વિરુદ્ધની શ્રદ્ધા,
શુભરાગના એક કણથી પણ મને લાભ થશે, દેહની ક્રિયા મને સહાયક થાય તો મારું
કલ્યાણ થાય-એવી મિથ્યામાન્યતા જેવી જગતમાં બીજી કોઈ બૂરી ચીજ નથી.
થયું? એને કોઈ રાગ કે નિમિત્ત કે ગુરુ કે કોઈ શાસ્ત્ર કે કોઈ ક્ષેત્રના આધારની
કોઈની જરૂર નથી. એવો નિરાવલંબી ભગવાન બિરાજી રહ્યો છે. એની શ્રદ્ધા ને જ્ઞાન
જેવી કિંમતી ચીજ ત્રણ કાળ ત્રણ લોકમાં અન્ય કોઈ નથી. ભગવાન જ્ઞાયકસ્વરૂપ
આત્માને સીધો જાણ્યો નથી ને રાગના કણને લાભદાયક માને, પરના આશ્રયે કાંઈક
હળવે હળવે કલ્યાણ થશે, રાગ કરીશું તો કલ્યાણ પામીશું-એવી જે મિથ્યાશ્રદ્ધા એના
જેવું જગતમાં કોઈ બૂરું કરનાર નથી. ૨પ.
Page 63 of 238
PDF/HTML Page 74 of 249
single page version
સિદ્ધ સમાન ભગવાન આત્મા છે, તેની એકાગ્રતારૂપ મનન તે એક જ મોક્ષનો માર્ગ
છે, બીજો કોઈ મોક્ષનો માર્ગ છે નહિ તેમ હવેની ગાથામાં કહે છેઃ-
सो अप्पा अणुदिणु मुणहु जइ चाहहु सिव–लाहु ।। २६।।
એ આતમ જાણો સદા, જો ચાહો શિવલાભ. ૨૬.
પૂરણ દશાનું નામ મોક્ષ; એવી મોક્ષની દશા જો ચાહતા હો તો રાત-દિન શુદ્ધ
નિર્મળાનંદ પરમાત્માનું ધ્યાન કર; અરે ભગવાન! તું મોટો મહા શુદ્ધ ચૈતન્યપ્રભુ છો,
તેનું દિન-રાત ધ્યાન કર ને!
છે-એનું મનન કર. રાગનું પુણ્યનું કે વ્યવહારનું મનન છોડી દે-જો તારે મુક્તિનો લાભ
જોઈતો હોય તો. બાકી તો ૮૪ ના ગોથા તો અનંત કાળથી ખાધા જ કર્યા છે. પરંતુ
આત્માની શાંતિની પૂરણ પ્રાપ્તિરૂપ જે મુક્તિ એનો લાભ જોઈતો હોય તો શુદ્ધ
નિજાત્માનું મનન કર.
રાગ ને પુણ્યના મનનથી પ્રભુ પ્રગટે એવો નથી. દયા દાન ને વ્રત-જપના પરિણામે
પ્રભુ પ્રગટે એવો નથી. નિર્વિકલ્પ નાથ સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદનો નાથ પૂરણ અનંત
ગુણથી ભરેલું જે તત્ત્વ છે તેનું મનન કર તો તેની પ્રાપ્તિ થશે. અનુકૂળ નિમિત્ત હોય
તો ઠીક-એવું મનન રહેવા દે ભાઈ, રહેવા દે! આવા નિમિત્ત હોય તો ઠીક, આવા શુભ
ભાવ હોય તો ઠીક, આવા કષાયની મંદતાના પરિણામ હોય તો ઠીક-એ બધું તો રાગનું
મનન તેં કર્યું, એવું મનન તો તેં અનાદિ કાળથી કર્યું છે ને એનાથી સંસાર અનાદિનો
ફળે છે પણ હવે તારે મુક્તિ કરવી છે કે પછી ૮૪ માં રખડવું છે?
શુદ્ધ પ્રભુ છે, તેનું એકનું જ મનન ને એકાગ્રતા કર તો તને કેવળજ્ઞાન ને મુક્તિનો
લાભ થશે.
Page 64 of 238
PDF/HTML Page 75 of 249
single page version
સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમય છે, તેની સન્મુખ થઈને એકાગ્રતાથી આત્મસ્વભાવનો વેપાર તે
જ સાર અને મોક્ષનું કારણ છે. તેમ અહીં ૨૬ મી ગાથામાં કહે છે કેઃ-
सो अप्पा अणुदिणु मुणहु जइ चाहहु–सिव–लाहु ।। २६।।
એ આતમ જાણો સદા, જો ચાહો શિવલાભ. ૨૬.
ચાહતું હોય તો શુદ્ધ વીતરાગ પૂરણ પવિત્ર પરમાત્મસ્વરૂપ આત્માને દિન-રાત
અનુભવવો. આ આત્મા અત્યારે શુદ્ધ છે એમ અનુભવવો-એ મોક્ષલાભના કામીનું
કર્તવ્ય છે.
આત્માને તારે અનુભવવો, શિવલાભનો હેતુ આ છે. મોક્ષાર્થીને શું કરવા જેવું છે? ને
શું કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે?-કે શુદ્ધ ભગવાન પૂરણ ચૈતન્ય પ્રભુનું અંતર ધ્યાન
ને અનુભવ કરવો, એને અનુસરીને અંદર ઠરવું એ એક જ મુક્તિનો ઉપાય છે અને
એ જ મોક્ષાર્થીનું કર્તવ્ય છે.
ચેતનામય છે, જ્ઞાનચેતનાને વેદે એવું એનું સ્વરૂપ છે. જ્ઞાનને વેદે, જ્ઞાનને અનુભવે,
જ્ઞાનના આનંદના સ્વાદને લે એવો જ આત્મા છે. પુણ્ય-પાપના સ્વાદને લે કે હરખ-
શોકના સ્વાદને લે એવો આત્મા છે જ નહિ. વસ્તુ ચેતનામય છે એટલે પરને કરે કાંઈ
કે પરથી લે કાંઈ એવું એનું સ્વરૂપ નથી, તેમ જ રાગને કરે કે રાગને વેદે એવું પણ
એનું સ્વરૂપ નથી.
Page 65 of 238
PDF/HTML Page 76 of 249
single page version
માર્ગની વાત છે. માર્ગ એક જ છે, બીજો માર્ગ હોઈ શકે જ નહિ. ‘એક હોય
ત્રણકાળમાં પરમારથનો પંથ...’ ભગવાન આત્મા ચેતનાને વેદે, ચેતનાને કરે એવું જ
ચૈતન્યનું સ્વરૂપ છે. રાગને કરે કે હરખને ભોગવે એ વસ્તુસ્વરૂપ જ નથી. સંસારના
ભાવને કરે કે સંસારભાવને હરખથી વેદે એ આત્મા જ નથી.
આત્મા નથી, એ તો અણાત્મા છે. વ્યવહાર-રત્નત્રયના વિકલ્પો ઊઠે તેને કરે કે વેદે તે
આત્મા નથી આત્મા જ્ઞાનમૂર્તિ પ્રભુ છે તે તો જ્ઞાનને જાણીને જ્ઞાનને અનુભવે, જ્ઞાનને
વેદે, જ્ઞાનમાં જ્ઞાનની એકાગ્રતાનો અનુભવ કરે એવો છે.
આત્મા જાણ, એ આત્માનો અનુભવ કર, એ શિવના લાભનો હેતુ છે. નિરૂપદ્રવ,
કલ્યાણમૂર્તિ મુક્તદશાના લાભનો એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી.
બીજાને કહેજે કે સમજાવજે-તો એવો આત્મા છે જ નહિ. સર્વજ્ઞ તીર્થંકર ભગવાન
ત્રિલોકનાથ દેવ ફરમાવે છે કે ભાઈ ! તું તો સત્યબુદ્ધ છો ને! સાચું બુદ્ધપણું તું છો
એને જાણીને તેનો અનુભવ કર. એ જ મોક્ષના લાભનો હેતુ ને કારણ છે, એ સિવાય
બીજું કોઈ કારણ નથી.
સમજું કે બીજાને સમજાવું એ વસ્તુના સ્વરૂપમાં નથી. પોતાથી પોતાને જાણે એવો
ભગવાન આત્મા છે. જાણપણાના વિશેષ બોલથી બીજાને સમજાવે તો તે અધિક છે
એવું આત્માનું સ્વરૂપ છે જ નહિ.
નથી. કેમ કે જો આત્મા એવો હોય તો સિદ્ધ ભગવાન પણ બોલવા જોઈએ!
પોતે વીતરાગીબિંબ પરમેશ્વરદેવ જિન છે. અંદરમાં પરમાત્મસ્વરૂપ છે તે તારા માટે
જિન છે. સમવસરણમાં
Page 66 of 238
PDF/HTML Page 77 of 249
single page version
નહિ. તું પોતે સાચો જિન છે. વસ્તુરૂપે વીતરાગબિંબ ભગવાન છે. એને જાણ ને
અનુભવ-એટલું બસ! આવા આત્માને જિન તરીકે સ્વીકાર! વીતરાગીબિંબ પ્રભુ
આત્મા હું પોતે છું-એમ તું તને અનુભવ. જો રાગ, વાણી, વાંચન, લેવું, દેવું, કે
પુણ્યપ્રકૃતિમાં ક્યાંય અધિકાઈ મનાઈ ગઈ તો તેં જિનસ્વરૂપ આત્મામાં, અધિકાઈ
માની નથી.
છે. ભગવાન આત્મા જિન એટલે કે સંસારવિજયી જિનેન્દ્ર છે. વિકલ્પ અને એના
અભાવસ્વરૂપ જિનેન્દ્ર છે. અરે! શાસ્ત્રના ભણવાના ભાવથી પણ મુક્ત એવો જિનેન્દ્ર
છે. એવા જિનેન્દ્ર પ્રભુનું નિર્વિકલ્પ દ્રષ્ટિથી ધ્યાન કરવું, નિર્વિકલ્પ જ્ઞાન દ્વારા જ્ઞેય
કરવો ને એમાં ઠરવું તે શિવલાભનો હેતુ છે.
પુંજ ભગવાન નિરાવરણ કેવળજ્ઞાનના સ્વભાવવાળો જ છે. શરીર તો નહિ, રાગ તો
નહિ પણ અપૂરણ પણ નહિ, એકલો પૂરણ જ્ઞાનસ્વભાવ તે ભગવાન છે. ચાર જ્ઞાનનો
વિકાસ તે ખરેખર આત્મા નહિ, પૂરણ જ્ઞાનસ્વભાવ તે આત્મા.
ઉઘડેલી પર્યાય છે તે પણ ખરેખર આત્મા નથી; ખરેખરો આત્મા નથી પણ વ્યવહાર
આત્મા છે. એવો કેવળજ્ઞાનસ્વભાવી આત્મા છે. આને આત્મા કહીયે. આ સિવાય
ઓછું, અધિક વિપરીત નાખે તે આત્માને જાણતો નથી.
ભાઈ! એકાદ બે નહિ પણ ચોકખા અનંતા ભવ થશે. એક પણ ભવના ભાવની ભાવના
કરે છે તેને અનંતા નિગોદના ભવ એના કપાળમાં પડયા છે! જગતનું કલ્યાણ કરે કોણ?
વિકલ્પ કરે કોણ? વિકલ્પ વસ્તુમાં નથી ને એ વિકલ્પ આવ્યો તે તો અનાત્મસ્વરૂપ
નુકશાનકારક છે અને એનાથી જે સ્વને લાભ માને તે આત્માને જાણતો નથી.
શુદ્ધ, સચેતન, બુદ્ધ, જિન, કેવળજ્ઞાનસ્વભાવ આત્માને હંમેશા એક ધારાવાહી
અનુભવવો-જો શિવલાભ ચાહતા હો તો. ૨૬.
Page 67 of 238
PDF/HTML Page 78 of 249
single page version
નિર્વિકલ્પ એકાગ્રતા કરવાથી મોક્ષ થશે. આ તો ભાવનાનો ગ્રંથ છે, તેને પુનઃરુક્તિદોષ
એક જ મોક્ષનો માર્ગ છે, વ્યવહારના વિકલ્પો મોક્ષનો માર્ગ નથી. શાસ્ત્રની સ્વાધ્યાય
કરતાં નિર્જરા થાય. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ પ્રભુ છે. તેની એકાગ્રતા
ભટકવા માટે ભ્રમણાના સ્થાન ઘણા છે અને ભ્રમણા મૂકવાનું સ્થાન ભગવાન આત્મા
એક જ છે.
ત્યાંલગી મોક્ષ ન પામતો, જ્યાં રુચે ત્યાં જાવ. ૨૭.
અટક્યો છો ત્યાં સુધી આત્માનો મોક્ષમાર્ગ નથી બધી વિકલ્પની જાળોને છોડીને
શકતો નથી, પૂર્ણાનંદ તરફ તારું ગમન-પરિણમન નહિ થાય.
ભગવાન આત્માની શ્રદ્ધા-જ્ઞાન ને ચારિત્રની ભાવનાની એક્તા ન કર ત્યાં સુધી મોક્ષ
પામી શક્તો નથી, ભલેને લાખ પ્રકારના બહારના વ્યવહાર-વિકલ્પો કરતો હો! પણ
તેમાં આવા વિકલ્પોને અવકાશ જ ક્યાં છે? અને તે વિકલ્પ હોય તોપણ તે શિવપંથના
કારણમાં કેમ ભળે? ભગવાન આત્માની અનુભવની દ્રષ્ટિ, અનુભવનું જ્ઞાન ને
અનુભવની સ્થિરતા તે એક જ શિવપંથનું-મોક્ષના પંથનું ગમન ને પરિણમન છે.
તો સ્વભાવ તરફની એકતા કર, બાકી વિકલ્પમાં તો છો ને તેનાથી લાભ થશે-એ તો
અનાદિનું ચાલ્યું જ આવે છે. એમાં અમારે તને શું કહેવું?
Page 68 of 238
PDF/HTML Page 79 of 249
single page version
મોક્ષનો ઉપાય છે. ૨૭.
णिच्छय–णइं एमइ भणिउ जाणि णिभतु ।। २८।।
નિશ્ચયથી એમ જ કહ્યું, તેમાં ભ્રાંતિ ન આણ ૨૮.
વિકલ્પ વચ્ચે આવે ને?-તો ભલે આવે, પણ કાંઈ પરમાર્થે પૂજ્ય નથી. જો પરમાર્થે
પૂજ્ય હોય તો ત્યાંથી લક્ષ ફેરવીને અંદરમાં લક્ષ કરવાની જરૂર પડે નહિ!
ભૂક્કા ઊડી જાય છે! એવો ભગવાન આત્મા છે. વ્યવહારના લખાણ આવે કે પરમેશ્વર
અને મૂર્તિ દેખવાથી સમ્યગ્દર્શન થાય; પરંતુ નિજ ભગવાન આત્માના દર્શનથી
સમ્યગ્દર્શન થાય ત્યારે બહારમાં નજીકમાં શું હોય તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે.
ભક્તજનોએ એટલે કે આત્માની ભક્તિ કરનાર જીવોએ ભક્તિ કરવા લાયક પોતાનો
ભગવાન આત્મા છે. તીર્થંકર ભગવાન વ્યવહારે પૂજ્ય છે ને નિશ્ચયથી તો એનો
પોતાનો ત્રણલોકનો નાથ આત્મા પૂજ્ય છે.
આત્મા ને ખરેખરો આત્મા તો ત્રિકાળી શુદ્ધ બુદ્ધ ધ્રુવ, એકલો ચૈતન્ય પિંડ ધ્રુવ તે
ખરેખર આત્મા છે. સત્ય વાત કહેનાર વાણી અને જ્ઞાન આમ કહે છે.
પિંડલો ભગવાન કે જ્યાં નમવા જેવું છે, જ્યાં અંતર સન્મુખ થવા જેવું છે એવો ત્રણ
લોકનો નાથ પૂજ્ય પ્રભુ પોતાનો આત્મા પોતાને પૂજ્ય છે.
Page 69 of 238
PDF/HTML Page 80 of 249
single page version
છે. ભગવાનને વંદન, નામ-સ્મરણ, પૂજા-ભક્તિનો શુભ રાગ હોય છે, વ્યવહાર હોય
છે પણ એ જાણવાલાયક છે, પૂજવાલાયક તો ખરેખર આત્મા છે.
સર્વજ્ઞદેવ વ્યવહારે પૂજ્ય છે, જાણવાલાયક છે, તેને કાઢી નાખે તો મિથ્યાદ્રષ્ટિ થઈ જાય!
પરંતુ એ કાંઈ ખરેખર આત્મા નથી ને એ કાંઈ ખરેખર પૂજ્ય નથી. ભાઈ! એવા
અબંધસ્વભાવી આત્મા પૂરણ અબંધપરિણામને ન પામે ત્યાં સુધી એવા ભાવ હોય.
તેથી વ્યવહાર છે ખરો, વ્યવહાર ન માને તો મિથ્યાદ્રષ્ટિ થઈ જાય છે અને જો વ્યવહારે
છે. આવો શુદ્ધ ભગવાન આત્મા ત્રણલોકમાં પૂજ્યપુરુષોને પણ પૂજ્ય છે. ગણધરો
આદિ પૂજ્ય સંતો છે તેને પણ પૂજ્ય આત્મા છે. નમન કરવાલાયક જે મુનિઓ તેમને
તપસ્યા-પૂજા-ભક્તિ-દાન કરે, જાત્રાઓ કરે એ બધુંય ધર્મ માટે નથી, મોક્ષમાર્ગ માટે
નથી. સમ્મેદશિખરની એકવાર યાત્રા કરે એટલે બસ! અહીં તો કહે છે કે લાખ વાર
અરિહંત પરમાત્માને કરોડવાર વંદન કરે તોપણ એકેય ભવ ઘટે નહિ! કેમ કે તે
પરદ્રવ્ય છે ને પરદ્રવ્યના લક્ષે તો રાગ જ ઉત્પન્ન થાય. સમજાણું કાંઈ?
કળામાં પ્રવેશ પામી શકતો નથી.