Panch Stotra (Gujarati). Jinchaturvinshatika.

< Previous Page  


Combined PDF/HTML Page 6 of 6

 

Page 93 of 105
PDF/HTML Page 101 of 113
single page version

background image
શ્રી ભૂપાલકવિ પ્રણીત
જિનચતુÆવશતિકા
(शार्दूलविक्रीडित)
श्रोलीलायतनं महीकुलगृह कीर्तिप्रमोदास्पदं,
वाग्देवीरतिकेतनं जयरमाक्रीडानिधानं महत्
सः स्यात्सर्वमहोत्सवैकभवनं यः प्रार्थितार्थप्रदं,
प्रातः पश्यति कल्पपादपदलच्छायं जिनाड्धिद्वयम् ।।।।
અર્થ :મનોવાંછિત સિદ્ધિ આપનાર તથા કલ્પવૃક્ષના પત્ર સમાન
કાંતિ ધારણ કરનાર શ્રી જિનેન્દ્રદેવનાં બન્ને ચરણોના જે ભવ્યજીવ પ્રતિદિન
પ્રાતઃકાળે દર્શન કરે છે તે ભવ્ય જીવ, લક્ષ્મીનું ક્રીડાસ્થાન, પૃથ્વીનું
કુલભવન, યશ અને હર્ષનું સ્થાન, સરસ્વતીનું ક્રીડામંદિર, વિજયલક્ષ્મીનું
વિશાળ ક્રીડાસ્થાન, ઇન્દ્રાદિ દ્વારા પૂજ્ય અને સમસ્ત મહાન મહાન
ઉત્સવોનું સ્થાન બને છે. ૧.
(वसंततिलिका)
शान्तं वपुः श्रवणहारि वचश्चरित्रं
सर्वोपकारि तव देव ततः श्रुतज्ञाः
संसारमारवमहास्थलरुन्दसान्द्र
च्छायामहीरुह भवन्तमुपाश्रयन्ते ।।।।
અર્થ :હે જિનેન્દ્રદેવ! આપનું શરીર શાન્ત છે, વચન કર્ણોને
પ્રિય છે અને આપનું ચારિત્ર સર્વ જીવોનું કલ્યાણ કરે છે તેથી હે
સંસારરૂપી અત્યંત મોટા મરુસ્થલ માટે વિશાળ સઘન છાયાવૃક્ષ! જ્ઞાનીજન
આપનો આશ્રય લે છે. ૨.

Page 94 of 105
PDF/HTML Page 102 of 113
single page version

background image
૯૪ ][ પંચસ્તોત્ર
(शार्दूलविक्रीडित)
स्वामिन्नद्य विनिर्गतोऽस्मि जननीगर्भान्धकूपोदरा
दद्योद्घाटितदृष्टिरस्मि फलवज्जन्मास्मि चाद्य स्फु टम्
त्वामद्राक्षमहं यदक्षयपदानन्दाय लोकत्रयी
नेत्रेन्दीवरकाननेन्दुममृतस्यन्द्रिप्रभाचन्द्रिकम् ।।।।
અર્થ :હે ત્રિલોકીનાથ! આપ ત્રણે લોકના જીવોના નેત્રરૂપી
કુમુદવનને વિકસિત કરવા માટે ચન્દ્ર સમાન છો અને આપની કાંતિરૂપી
ચાંદની અમૃત વરસાવે છે. મોક્ષપદના સુખની પ્રાપ્તિ માટે આવા આપના
દર્શન કરીને હું એમ માનું છું કે હું, માતાના ગર્ભરૂપી અંધારિયા કૂવામાંથી
આજે જ નીકળ્યો છું, આજે જ મારા નેત્રો ખૂલ્યાં છે અને આજે જ મારો
જન્મ સફળ થયો છે. ૩.
(शार्दूलविक्रीडित)
निःशेषत्रिद्रशेन्दशेखर शिखारत्नप्रदीपावली
सान्द्रीभूतमृगेन्द्रविष्टरतटीमाणिक्यदीपावलिः
क्वेयं श्रीः क्व च निःस्पृहत्वमिदमित्यूहातिगस्त्वादृशः
सर्वज्ञानदृशश्चरित्रमहिमां लोकेश लोकोत्तरः ।।।।
અર્થ :હે ત્રિભુવનપતિ! સમસ્ત ઇન્દ્રોના મુગટના અગ્રભાગમાં
લાગેલા રત્નરૂપી દીપકોની પંક્તિથી સિંહાસનની કિનારીઓ પર લાગેલા
મણિમય દીપકોની પંક્તિ જેમાં સઘન થઈ ગઈ છે એવી આ સમવશરણરૂપ
વિભૂતિ ક્યાં અને આપની આ પરમ ઉદાસીનતા ક્યાં? તેથી હે
ત્રિભુવનનાથ! આપના જેવા સર્વજ્ઞાની, સર્વદર્શીઓના લોકમાં અતિશયતાને
પામેલ ચારિત્રનો મહિમા તર્કનો વિષય નથી. ૪.
(शार्दूलविक्रीडित)
राज्यं शासनकारिनाकपति यत्यक्तं तृणावज्ञया
हेलानिर्दलितत्रिलोकमहिमा यन्मोहमल्लो जितः

Page 95 of 105
PDF/HTML Page 103 of 113
single page version

background image
જિનચતુર્વિંશતિકા સ્તોત્ર ][ ૯૫
लोकालोकमपि स्वबोधमुकुरस्यान्तः कृतं यत्त्वया,
सैषाश्चर्यपरम्परा जिनवर क्वान्यत्र सम्भाव्यते ।।।।
અર્થ :હે જિનેશ્વર! જ્યાં ઇન્દ્ર આજ્ઞા માનતા હતા એવું રાજ્ય
આપે તૃણ સમાન તુચ્છ સમજીને છોડી દીધું, ત્રણલોકના જીવોનો મહિમા
ખંડિત કરનાર મોહમલ્લને આપે ક્ષણવારમાં જીતી લીધો અને પોતાના
જ્ઞાનરૂપી દર્પણમાં આપ સંપૂર્ણ લોકાલોકને જાણો,
દેખો છો આવી પ્રસિદ્ધ
આશ્ચર્યોની પરંપરા આપના સિવાય બીજા દેવોમાં ક્યાં સંભવી શકે છે?
અર્થાત્ ક્યાંય સંભવી શકતી નથી. ૫.
(शार्दूलविक्रीडित)
दानं ज्ञानधनाय दत्तमसकृत्पात्राय सद्वृत्तये
चीर्णान्युग्रतपांसि तेन सुचिरं पूजाश्च बह्वयः कृताः
शीलानां निचयः सहामलगुणैः सर्वः समासादितो
दृष्टस्त्वं जिन येन दृष्टिसुभगः श्रद्धापरेण क्षणम् ।।।।
અર્થ :હે જિનનાથ! જે શ્રદ્ધાળુ ભવ્યજીવ નેત્રોને આનંદ
આપનાર શ્રદ્ધાપૂર્વક એક ક્ષણવાર પણ આપના દર્શન કર્યા છે તેણે
આત્મજ્ઞાની અને સદાચારી પાત્રને અનેકવાર દાન આપ્યું છે, કઠોર તપોનું
આચરણ કર્યું છે, લાંબા સમય સુધી અનેક પૂજાઓ કરી છે અને નિર્મળ
ગુણો સહિત સર્વ શીલવ્રતોની પ્રાપ્તિ કરી લીધી છે. ૬.
(शार्दूलविक्रीडित)
प्रज्ञापारमितः स एव भगवान्पारं स एव श्रुत
स्कन्धाब्धेर्गुणरत्नभूषण इति श्लाध्यः स एव ध्रुवं
नीयन्ते जिन येन कर्णहृदयालङ्कारतां त्वद्गुणाः
संसाराहिविषापहारमणयस्त्रैलोक्यचूडामणे ।।।।
અર્થ :હે ત્રિભુવન ચૂડામણિ! શ્રી જિનેન્દ્રદેવ! આપના ગુણ

Page 96 of 105
PDF/HTML Page 104 of 113
single page version

background image
૯૬ ][ પંચસ્તોત્ર
સંસારરૂપી સર્પનું ઝેર ઉતારવા માટે મણિસ્વરૂપ છે, જે ભવ્યજીવ તે ગુણોનું
કર્ણ અને હૃદયના આભૂષણ બનાવે છે અર્થાત્ ધારણ કરે છે તે જ બુદ્ધિનો
પાર પામ્યા છે, તે જ ગુણરૂપી રત્નોના આભૂષણોથી શોભે છે અને તે
જ જીવ નિશ્ચયથી પ્રશંસાને યોગ્ય છે. ૭.
(मालिनी)
जयति दिविजवृन्दान्दोलितैरिन्दुरोचि
र्निचयरुचिमिरुच्चैश्चामरैर्वीज्यमानः
जिनपतिरनुरज्यन्मुक्ति साम्राज्यलक्ष्मी
युवतिनवकटाक्षक्षेपलीलां दधानैः ।।।।
અર્થ :હે ભગવાન! ચન્દ્રના કિરણો સમાન નિર્મળ કાંતિ
ધારણ કરનાર તથા અનુરાગ કરનારી મોક્ષની સામ્રાજ્યલક્ષ્મી રૂપી
યુવતીઓની કટાક્ષલીલાની શોભા ધારણ કરનાર એવા ઉન્નત ચામર દેવો
દ્વારા જેમના ઉપર ઢોળવામાં આવે છે એવા શ્રી જિનેન્દ્રદેવ! આપ સદા
જયવંત હો. ૮.
(स्रग्धरा)
देवः श्वेतातपत्रत्रयचमरिरूहाशोकभाश्यक्रभाषा
पुष्पौद्यासारसिंहासनसुरपटहैरष्टभिः प्रातिहार्यैः
साश्चर्यैर्भ्राजमानः सुरमनुजसभाम्भोजिनी भानुमाली
पायान्नः पादपीठीकृतसकलजगत्पालमौलिर्जिनेन्द्रः ।।।।
અર્થ :ત્રણ સફેદ છત્ર, ચામર, અશોકવૃક્ષ, ભામંડળ,
દિવ્યધ્વનિ, પુષ્પવૃષ્ટિ, સિંહાસન અને દેવદુંદુભિરૂપ આશ્ચર્યકારી આઠ
પ્રાતિહાર્યોથી શોભતા, દેવ અને મનુષ્યોની સભારૂપી કમલિનીને વિકસિત
કરવા માટે સૂર્યસમાન તથા સમસ્ત ઇન્દ્ર અને રાજાઓના મુગટોને પોતાના
ચરણોનું આસન બનાવનાર જિનેન્દ્રદેવ આપણા સૌની રક્ષા કરો. ૯.

Page 97 of 105
PDF/HTML Page 105 of 113
single page version

background image
જિનચતુર્વિંશતિકા સ્તોત્ર ][ ૯૭
नृत्यत्स्वर्दन्तिदन्ताम्बुरुहवननटन्नाकनारीनिकायः
सद्यस्त्रलोक्ययात्रोत्सवकरनिनदातोद्यन्निलिम्पः
हस्ताम्भोजातलीलाविनिहित सुमनोद्रमरम्यामरस्त्री
काम्यः कल्याणपूजाविधिषु विजयते देव देवागमस्ते ।।१०।।
અર્થ :હે શ્રી જિનેન્દ્રદેવ! આપના કલ્યાણ પૂજામહોત્સવમાં,
નૃત્ય કરતા ઐરાવત હાથીના દાંત ઉપર રહેલ કમલવનમાં નૃત્ય કરતી
દેવાંગનાઓના સમૂહથી શોભતા, તત્કાળ ત્રણે લોકમાં યાત્રાના ઉત્સવની
ધ્વનિ કરતા વાજિંત્રોથી હર્ષિત થયેલા દેવોથી સુશોભિત અને હસ્તકમળોમાં
લીલાપૂર્વક ધારણ કરેલી પુષ્પોની માળાઓથી મનોહર દેવાંગનાઓ દ્વારા
સુન્દર દેવોનું આગમન જયવંત વર્તો. ૧૦.
(शार्दूलविक्रीडित)
चक्षुष्मानहमेव देव भुवने नेत्रामृतस्यन्दिनं
त्वद्वक्त्रेन्दुमतिप्रसाद सुमगैस्तेजोभिरूद्भासितम्
तेनालोकयता मयाऽनतिचिराच्चक्षुः कृतार्थीकृतं
द्रष्टव्यावधिवीक्षणव्यतिकरव्याजृम्भमाणोत्सवम् ।।११।।
અર્થ :હે જિનદેવ! નેત્રોમાંથી અમૃત વરસાવનાર તથા અત્યંત
પ્રસન્નતાથી સુન્દર તેજથી સુશોભિત આપના મુખચન્દ્રને જોતા મેં દેખવા
યોગ્ય પદાર્થોની સીમાસ્વરૂપ આપના મુખચન્દ્રના દર્શનથી પરમ આનંદને
પ્રાપ્ત મારા નેત્રો તત્કાળ કૃતાર્થ કર્યા છે તેથી વિશ્વમાં મારા જ નેત્રો
સફળ છે. ૧૧.
(वसंततिलका)
कन्तोः सकान्तमपि मल्लमवैति कश्चि
न्मुग्धो सुकुन्दमरविन्दजमिन्दुमौलिम्
मीघीकृतत्रिदशयोषिदपाङ्गपात
स्तस्य त्वमेव विजयी जिनराज ! मल्ल ।।१२।।

Page 98 of 105
PDF/HTML Page 106 of 113
single page version

background image
૯૮ ][ પંચસ્તોત્ર
અર્થ :હે જિનરાજ! કોઈ અજ્ઞાની જીવ શ્રીકૃષ્ણ, બ્રહ્મા અને
મહાદેવને સ્ત્રી સહિત હોવા છતાં કામવિજેતા માને છે. પરંતુ દેવાંગનાઓના
કટાક્ષપાતને નિષ્ફળ કરનાર આપ જ એકમાત્ર વાસ્તવમાં તે કામદેવના
વિજેતા છો. ૧૨.
(मालिनी)
किसलयितमनल्पं त्वद्विलोकाभिलाषा
त्कुसुमितमतिसान्द्रं त्वत्समीपप्रयाणात्
मन फलितममन्दं त्वन्मुखेन्दोरिदानीं
नयनपथमवाप्ताद देव ! पुण्यद्रुमेण ।।१३।।
અર્થ :હે ભગવાન! મારું પુણ્યરૂપી વૃક્ષ આપના દર્શન કરવાની
ઇચ્છાથી બહુ જ ગાઢા પાંદડાઓથી વ્યાપ્ત, આપની પાસે પહોંચવાથી
સઘન ફૂલોથી વિકસિત થઈ ગયું અને અત્યારે આપના મુખચન્દ્રના સાક્ષાત્
દર્શન કરવાથી અતિશય ફળોથી વ્યાપ્ત થયું છે અર્થાત્ આપના દર્શન
અત્યન્ત પુણ્યનું કારણ છે. ૧૩.
(मालिनी)
त्रिभुवनवनपुष्प्यत्पुष्पकोदण्डदर्प
प्रसरदवनवाम्भोमुक्तिर्सूक्तिप्रसूतिः
स जयति जिनराजव्रातजीमूतसङ्घः
शतमखशिखिनृत्यारम्भनिर्बन्धबन्धुः ।।१४।।
અર્થ :હે પ્રભુ! ત્રણ લોકરૂપી વનમાં વધતા કામદેવ સંબંધી
અભિમાનના ફેલાવરૂપ દાવાનળને બુઝાવવા માટે આપનો સુંદર ઉપદેશ
નૂતન જલધારા સમાન છે અને ઇન્દ્રરૂપી મોરના નૃત્યને શરૂ કરવામાં આપ
સાક્ષાત્ અગ્રેસર બંધુ છો, એવા જિનેન્દ્ર સમૂહરૂપ વાદળાઓનો સમુદાય
જયવંત હો. ૧૪.

Page 99 of 105
PDF/HTML Page 107 of 113
single page version

background image
જિનચતુર્વિંશતિકા સ્તોત્ર ][ ૯૯
भूपालस्वर्गपालप्रमुखनरसुरश्रेणिनेत्रालिमाला
लीलाचैन्यस्य चैत्यालयमखिलजगत्कौमुदीन्दोर्जिनस्य
उत्तंसीभूतसेवाञ्जलिपुटनलिनीकुङ्मलास्त्रिः परीत्य
श्रीपादच्छाययापस्थितभवदवथुः संश्रितोऽस्मी व मुक्तिम्
।।१५।।
અર્થ :હે સ્વામી! આપ ચક્રવર્તી અને દેવેન્દ્ર જેમાં મુખ્ય છે
એવા મનુષ્ય અને દેવસમૂહના નેત્રરૂપી ભ્રમરોની ક્રીડા માટે ચૈત્યવૃક્ષ
સમાન છો. સમસ્ત સંસારરૂપી કૌમુદી માટે ચન્દ્ર સમાન છો એવા શ્રી
જિનેન્દ્રદેવના મંદિરની ત્રણ પ્રદક્ષિણા લઈને જ્યારે હું ભક્તિથી બન્ને હાથ
જોડું છું ત્યારે મને એમ લાગે છે કે આપના શ્રીચરણની છાયાદ્વારા
સંસારનો બધો તાપ દૂર થઈ ગયો છે અને મેં મુક્તિની જ પ્રાપ્તિ કરી
લીધી છે. ૧૫.
(वसंततिलिका)
देव त्वदङ्ध्रिनखमण्डलदर्पणेऽस्मि
न्नर्ध्ये निसर्गरुचिरे चिरदृष्टवक्त्रः
श्रीकीर्तिकान्ति घृतिसङ्गमकारणानि,
भव्यो न कानि लभते शुभमङ्गलानि ।।१६।।
અર્થ :હે જિનદેવ! પરમ પૂજ્ય તથા સ્વભાવથી જ મનોહર
આપના નખમંડલરૂપી દર્પણમાં જે ભવ્યજીવ લાંબા સમય સુધી આપનું
મુખ જુએ છે તે લક્ષ્મી, કીર્તિ, કાંતિ અને ધૈર્યની પ્રાપ્તિના કારણ
સ્વરૂપ કયા કયા શુભ મંગલો પામતો નથી? અર્થાત્ બધા મંગલ પ્રાપ્ત
કરે છે. ૧૬.
(मालिनी)
जयति सुरनरेन्द्रश्रीसुधानिर्झरिण्याः
कुलधरणिधरोऽयं जैनचैत्याभिरामः

Page 100 of 105
PDF/HTML Page 108 of 113
single page version

background image
૧૦૦ ][ પંચસ્તોત્ર
प्रविपुलफलधर्मानोकहाग्रप्रवाल
प्रसरशिखरशुम्मत्केतनः श्रीनिकेतः ।।१७।।
અર્થ :હે જિનેન્દ્ર ભગવાન! આપનું ચૈત્યાલય જયવંત હો. જે
દેવેન્દ્ર અને રાજાઓની લક્ષ્મીરૂપી અમૃતઝરણાંની ઉત્પત્તિ માટે
કુલાચલસ્વરૂપ છે, અત્યંત ગાઢ ફળવાળા ધર્મરૂપી વૃક્ષની ટોચ ઉપર રહેલા
પાંદડાઓના સમૂહની અણીની જેમ જેના ઉપર ધ્વજ શોભે છે અને જે
લક્ષ્મીનું ઘર છે. ૧૭.
(मालिनी)
विनमदमरकान्ताकुन्तलाक्रान्तकान्ति
स्फु रितनखमयूखद्योतिताशान्तरालः
दिविजमनुजराजव्रातपूज्यक्रमाब्जो
जयति विजितकर्माराजिजालो जिनेन्द्रः ।।१८।।
અર્થ :જેમને નમસ્કાર કરતી દેવાંગનાઓના કેશથી વ્યાપેલી
કાન્તિથી શોભતા ચરણોના નખોથી દીપ્તિથી દિશાઓના બધા ભાગ
પ્રકાશમાન છે, જેમના ચરણકમળ દેવેન્દ્ર અને નરેન્દ્રોના સમૂહથી પૂજવાને
યોગ્ય છે તથા જેમણે કર્મ (રાગ-દ્વેષાદિ ભાવ) રૂપી શત્રુઓને જીતી લીધા
છે એવા શ્રી જિનેન્દ્રદેવ જયવંત હો. ૧૮.
(वसंततिलिका)
सुप्तोत्थितेन सुमुखेन सुमङ्गलाय
दृष्टव्यमस्ति यदि मङ्गलमेव वस्तु
अन्येन किं तदिह नाथ तवैव वक्त्रं
त्रैलोक्यमङ्गलनिकेतनमीक्षणीयम् ।।१९।।
અર્થ :હે નાથ! સુઈને ઉઠેલા સુંદર મુખવાળા પુરુષે જો
સુમંગલની પ્રાપ્તિ માટે મંગલરૂપ વસ્તુ જ હોવી જોઈએ તો બીજાનું શું

Page 101 of 105
PDF/HTML Page 109 of 113
single page version

background image
જિનચતુર્વિંશતિકા સ્તોત્ર ][ ૧૦૧
કામ છે? આ લોકમાં કેવળ આપનું મુખ જ જોવું જોઈએ કેમ કે તે ત્રણ
ભુવનના મંગલોનું ઘર છે. ૧૯.
(शार्दूलविक्रीडित)
त्वं धर्मोदयतापसाश्रमशुकस्त्वं काव्यबन्धक्रम
क्रीडानन्दनकोकिलस्त्वमुचितः श्रीमल्लिकाषट्पदः
त्वं पुन्नागकथारविन्दसरसी हंसस्त्वमुत्तंसकैः
कैर्भूपाल न धार्यसे गुणमणिस्रिड्मालिभिर्मौलिभिः ।।२०।।
અર્થ :હે પૃથ્વીનાથ! આપ ધર્મના અભ્યુદયરૂપી તપોવનના
પોપટ છો, કાવ્યરચના નિર્માણના અનુક્રમરૂપ આપ જ છો અર્થાત્
કાવ્યરચનાની શોભા આપના ચારિત્રથી આપ જ વધારો છો, ક્રીડારૂપી
નંદનવનમાં આપ જ કોયલ સમાન છો, મોક્ષલક્ષ્મીરૂપ માલતીના આપ
ભ્રમર છો, ઉત્તમ પુરુષોની કથારૂપ કમલ સરોવરના આપ હંસ છો
અને જેમ પોતાની શોભા વધારનાર પુરુષ માળાઓથી શોભતા
મુગટ પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે તેવી જ રીતે પોતે
પોતાને ઉત્તમ બનાવનાર પુરુષો આપને પોતાના મસ્તક ઉપર ધારણ કરે
છે. ૨૦.
(मालिनी)
शिवसुखमजरश्रीसङ्गमं चाभिलष्य
स्वमभिनियमयन्ति क्लेशपाशेन केचित्
वयमिह तु वचस्ते भूपतेर्भावयन्त
स्तदुभयमपि शश्वल्लीलया निर्विशामः ।।२१।।
હે ભગવાન! કેટલાય મનુષ્યો મોક્ષસુખ અને દેવોની વિભૂતિની
પ્રાપ્તિ માટે પોતાની જાતને દુઃખરૂપી બંધનોથી અર્થાત્ જાતજાતની
કઠિન તપસ્યા અને વ્રત આદિના કઠોર નિયમોથી દુઃખી કરે છે છતાં
પણ તેમને પ્રાપ્ત કરી શકતા નથી પરંતુ અમે આ લોકમાં હમેશાં આપ

Page 102 of 105
PDF/HTML Page 110 of 113
single page version

background image
૧૦૨ ][ પંચસ્તોત્ર
ત્રિલોકીનાથના વચનોના રહસ્યની ભાવના કરતા અનાયાસે જ તે બન્નેની
પ્રાપ્તિ કરી લઈએ છીએ. ૨૧.
(शार्दूलविक्रीडित)
देवेन्द्रास्तव मज्जनानि विदधुर्देवाङ्गना मङ्गला
न्यापेठुः शरदिन्दुनिर्मलयशो गन्दर्वदेवा जगुः
शेषाश्चापि यथानियोगमखिलाः सेवां सुराश्चक्रिरे
तत्किं देव वयं विदध्म इति नश्चित्तं तु दोलायते ।।२२।।
અર્થ :હે દેવ! ઇન્દ્રોએ આપનો અભિષેક કર્યો, દેવાંગનાઓએ
મંગલ ગીતો ગાયા. ગન્ધર્વ દેવોએ શરદૠતુના ચન્દ્ર જેવા નિર્મળ યશોગાન
કર્યા અને બાકીના બધા દેવોએ નિયોગ પ્રમાણે આપની સેવા કરી. હે
ભગવાન! હવે અમે આપની શી સેવા કરીએ? આ જાતના વિચારોમાં
અમારું હૃદય ડોલી રહ્યું છે. ૨૨.
(शार्दूलविक्रीडित)
देव त्वज्जननाभिषेकसमये रोमाञ्चसत्कंचुकै
दैवेन्द्रैर्यदनर्ति नर्त्तनविधौ लब्धप्रभावैः स्फु टम्
किश्चान्यत्सुर सुरन्दरीकुचतटप्रान्तावनद्धोत्तम
प्रेङ्खदल्लकिनाझंकृतमहो तत्केन संवर्ण्यते ।।२३।।
અર્થ :હે દેવ! આપના જન્માભિષેક સમયે તાંડવ નૃત્યમાં
પ્રભાવિત થયેલા દેવેન્દ્રોએ રોમાંચરૂપી કચુકી વસ્ત્ર ધારણ કરીને જે ભવ્ય
નૃત્ય કર્યું હતું તથા દેવાંગનાઓના સ્તનપ્રદેશ પાસે અડેલી મધુર ધ્વનિ
કરનારી વીણાના શબ્દની જે ઝણઝણાટી થઈ હતી, અહો! તેનું વર્ણન કોણ
કરી શકે? અર્થાત્ કોઈ નહિ. ૨૩.
(शार्दूलविक्रीडित)
देव त्वत्प्रतिबिम्बमम्बुजदलस्मेरेक्षणं पश्यतां,
यत्रास्माकमहो महोत्सवरसो दृष्टेरियान् वर्तते

Page 103 of 105
PDF/HTML Page 111 of 113
single page version

background image
જિનચતુર્વિંશતિકા સ્તોત્ર ][ ૧૦૩
साक्षात्तत्र भवन्तमीक्षितवतां कल्याणकाले तदा
देवानामनिमेषलोचनतया वृत्तः सः किं वर्ण्यते ।।२४।।
અર્થ :હે ભગવાન! વિકસિત કમલપત્ર સમાન નેત્રવાળા
આપના પ્રતિબિંબના દર્શન કરીને અહો, અમારા નેત્રોને જ્યાં આટલો મોટો
આનંદ મળે છે તો પંચકલ્યાણકના સમયે પલકાર રહિત નેત્રોથી સાક્ષાત્
દર્શન કરનાર દેવોના મહાન આનંદનું શું વર્ણન કરી શકાય? અર્થાત્ કરી
શકાતું નથી. ૨૪.
(शार्दूलविक्रीडित)
दृष्टं धाम रसायनस्य महतां दृष्टं निधीनां पदं
दृष्टं सिद्धरसस्य सद्म सदनं दृष्टं च चिन्तामणेः
किं दृष्टेरथवानुषङ्गिकफलैरभिर्मयाद्य ध्रुवं
दृष्टं मुक्तिविवाहमङ्गलगृहं दृष्टे जिनश्रीगृहे ।।२५।।
અર્થ :હે પ્રભો! શ્રી જિનમંદિરમાં આપના દર્શન કરતા મેં
રસાયણોનું ઘર જોઈ લીધું, મહાન મહાન નિધિઓનું સ્થાન જોઈ લીધું,
સિદ્ધ કરેલા રસોની જગ્યાઓ જોઈ લીધી અને ચિન્તામણિનું ઘર જોઈ લીધું
અથવા આ બધાં તો આનુષંગિક (ગૌણ) ફળો છે, એમને જોવાથી શું
લાભ? મેં તો આજ નિશ્ચયથી મુક્તિરૂપી કન્યાના વિવાહમંગલનું સ્થાન જ
જોઈ લીધું છે. ૨૫.
(शार्दूलविक्रीडित)
दृष्टस्त्वं जिनराजचन्द्र ! विकसद्मूपेन्द्रनेत्रोत्पले
स्नातं त्वन्नुतिचन्द्रिकाभ्भसि भवद्विद्वच्चकोरोत्सवे
नीतश्वाद्य निदाधजः क्लमभरः शान्तिं मया गम्यते
देव ! त्वद्गतचेतसैव भवतो भूयात् पुनदर्शनम् ।।२६।।
અર્થ :હે જિનરાજચન્દ્ર! મેં આપના દર્શન કર્યા તથા ભૂપેન્દ્રોના

Page 104 of 105
PDF/HTML Page 112 of 113
single page version

background image
૧૦૪ ][ પંચસ્તોત્ર
નેત્રકમળોને વિકસાવનાર અને વિદ્વાનરૂપી ચકોર પક્ષીઓને આનંદ
આપનાર આપની સ્તુતિરૂપ જળમાં સ્નાન કર્યું તથા સંતાપજન્ય ખેદના
સમૂહની શાન્તિ કરી. હે જિનેન્દ્રદેવ! હું હવે જતાં જતાં આપમાં જ ચિત્તને
જોડતો થકો ભાવના કરું છું કે ફરીથી આપના દર્શન થાવ. ૨૬.
એ પ્રમાણે શ્રી ભૂપાલ કવિપ્રણીત જિનચતુર્વિંશતિની શ્રી પં.
શ્રેયાંસકુમારજી શાસ્ત્રીકૃત ભાષા ટીકાનો ગુજરાતી અનુવાદ સમાપ્ત.