Page 154 of 181
PDF/HTML Page 181 of 208
single page version
અપ્રમત્તધ્યાન થઈ જાય છે, સહજપણે સ્વરૂપમાં લીન થઈ જાય છે. — એમ વારંવાર મુનિરાજ પ્રમત્ત-અપ્રમત્ત દશામાં ઝૂલતા હોય છે. આવી મુનિરાજની નિદ્રા છે; તેઓ સામાન્ય માણસની જેમ કલાકોના કલાકો સુધી નિદ્રામાં ઘોર્યા ન કરે. અંતર્મુહૂર્ત સિવાય વધારે કાળ છઠ્ઠે ગુણસ્થાને મુનિરાજ રહેતા જ નથી. મુનિરાજને પાછલી રાતે ક્ષણવાર ઝોલું આવે, તે સિવાય તેમને ઝાઝી નિદ્રા જ ન આવે એવી તેમની સહજ અંતરદશા છે. ૨૮૩.
સવારમાં જેને રાજસિંહાસન ઉપર દેખ્યો હોય તે જ સાંજે સ્મશાનમાં રાખ થતો દેખાય છે. આવા પ્રસંગો તો સંસારમાં અનેક દેખાય છે, છતાં મોહમૂઢ જીવોને વૈરાગ્ય આવતો નથી. બાપુ! સંસારને અનિત્ય જાણીને તું આત્મા તરફ વળ. એક વાર તારા આત્મા તરફ જો. બહારના ભાવો અનંત કાળ કર્યા છતાં શાન્તિ ન મળી, માટે હવે તો અંતર્મુખ થા. આ સંસાર કે સંસારના સંયોગો સ્વપ્ને પણ ઇચ્છવા જેવા નથી. અંતરનું એક ચિદાનંદ તત્ત્વ જ ભાવના કરવા જેવું છે. ૨૮૪.
સ્વભાવને રસ્તે સત્ય આવે અને અજ્ઞાનને રસ્તે
Page 155 of 181
PDF/HTML Page 182 of 208
single page version
અસત્ય આવે. અજ્ઞાની ગમે ત્યાં જાય કે ગમે ત્યાં ઊભો હોય પણ ‘હું જાણું છુ’, ‘હું સમજું છુ’, ‘આના કરતાં હું વધારે છું’, આનાં ‘કરતાં મને વધારે આવડે છે’ વગેરે ભાવ તેને આવ્યા વગર રહેતા નથી. અજ્ઞાનીમાં સાક્ષીપણે રહેવાની તાકાત નથી.
જ્ઞાનીને ગમે તે ભાવમાં, ગમે તે પ્રસંગમાં સાક્ષીપણે રહેવાની તાકાત છે; બધા ભાવોની વચ્ચે પોતે સાક્ષીપણે રહી શકે છે. અજ્ઞાનીને જ્યાં હોય ત્યાં ‘હું’ અને ‘મારું કર્યું થાય છે’ એવો ભાવ આવ્યા વગર રહેતો નથી. જ્ઞાની બધેથી ઊઠી ગયો છે અને અજ્ઞાની બધે ચોંટ્યો છે. ૨૮૫.
આત્માનું પ્રયોજન સુખ છે. દરેક જીવ સુખ ઇચ્છે છે ને સુખને જ માટે ઝાવાં નાખે છે. હે જીવ! તારા આત્મામાં સુખ નામની શક્તિ હોવાથી આત્મા જ સ્વયં સુખરૂપ થાય છે. આત્માનું સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર — એ ત્રણે સુખરૂપ છે. આત્માનો ધર્મ સુખરૂપ છે, દુઃખરૂપ નથી. હે જીવ! તારી સુખ- શક્તિમાંથી જ તને સુખ મળશે, બીજે ક્યાંયથી તને સુખ નહિ મળે; કેમ કે તું જ્યાં છો ત્યાં જ તારું સુખ છે. તારી સુખશક્તિ એવી છે કે જ્યાં દુઃખ કદી
Page 156 of 181
PDF/HTML Page 183 of 208
single page version
પ્રવેશી શકતું નથી; માટે આત્મામાં ડૂબકી મારીને તારી સુખશક્તિને ઉછાળ – ઉછાળ!! એટલે કે પર્યાયમાં પરિણમાવ, જેથી તને તારા સુખનો પ્રગટ અનુભવ થશે. ૨૮૬.
આજે શ્રી મહાવીર ભગવાનના નિર્વાણકલ્યાણકનો મંગળ દિવસ છે. મહાવીર પરમાત્મા પણ, જેવા આ બધા આત્મા છે તેવા આત્મા હતા; તેમને સત્સમાગમે આત્માનું ભાન થયું અને અનુક્રમે સાધનાના ઉન્નતિક્રમમાં ચડતાં ચડતાં તીર્થંકર થયા. જેમ ચોસઠપહોરી પીપર પીસતાં પીસતાં તીખી તીખી થતી જાય છે, તેમ આત્મામાં જે પરમાનંદ શક્તિરૂપે ભર્યો છે તે (સ્વસન્મુખતાના અંતર્મુખ) પ્રયાસ વડે બહાર આવે છે. મહાવીર ભગવાને, પોતાના આત્મામાં જે પૂર્ણ પરમાનંદ ભર્યો હતો તેને પોતે અનુક્રમે પ્રયાસ કરીને પ્રગટ કરી લીધો, મન, વાણી અને દેહથી છૂટું પૂર્ણ જ્ઞાનાનંદમય જે નિજ તત્ત્વ તેને પૂર્ણપણે સાધી લીધું.
જેમને પૂર્ણ પરમાનંદ પ્રગટ થઈ ગયો છે એવા પરમાત્મા ફરીને અવતાર લેતા નથી, પરંતુ જગતના જીવોમાંથી કોઈ જીવ ઉન્નતિક્રમે ચડતાં ચડતાં જગદ્ગુરુ ‘તીર્થંકર’ થાય છે. જગતના જીવોને ધર્મ પામવાની
Page 157 of 181
PDF/HTML Page 184 of 208
single page version
લાયકાત તૈયાર થાય છે ત્યારે એવું ઉત્કૃષ્ટ નિમિત્ત પણ તૈયાર થાય છે.
જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે શુભ ભાવ પણ આત્માને (વીતરાગતાનો) લાભ કરતો નથી. તે શુભ રાગ તૂટશે ત્યારે ભવિષ્યમાં વીતરાગતા ને કેવળજ્ઞાન થશે. મહાવીર ભગવાનનો જીવ પૂર્વે ત્રીજા ભવમાં નગ્ન દિગંબર ભાવલિંગી મુનિ હતો. ત્યાં મુનિપણે સ્વરૂપરમણતામાં રમતા હતા ત્યારે, સ્વરૂપ- રમણતામાંથી બહાર આવતાં, એવો વિકલ્પ ઊઠ્યો કે — અહા! આવો ચૈતન્યસ્વભાવ! તે બધા જીવો કેમ પામે? બધા જીવો આવો સ્વભાવ પામો. વાસ્તવિક રીતે એનો અર્થ એમ છે કે — અહા! આવો મારો ચૈતન્ય- સ્વભાવ પૂરો ક્યારે પ્રગટ થાય? હું પૂરો ક્યારે થાઉં? અંતરમાં એવી ભાવનાનું જોર છે, અને બહારથી એવો વિકલ્પ આવે છે કે ‘અહા’ આવો સ્વભાવ બધા જીવો કેમ પામે?’ એવા ઉત્કૃષ્ટ શુભ ભાવથી તેમને તીર્થંકર નામકર્મ બંધાઈ ગયું.
મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયું પણ વાણી છાસઠ દિવસ પછી છૂટી. કેવળજ્ઞાન ત્રણ કાળ, ત્રણ લોક, સ્વ-પર સમસ્ત દ્રવ્યો તેમ જ તેમના અનંત ભાવોને યુગપદ એક સમયમાં હસ્તામલકવત્ અત્યંત સ્પષ્ટપણે જાણે છે. ભગવાને દિવ્યધ્વનિમાં કહ્યું છે
Page 158 of 181
PDF/HTML Page 185 of 208
single page version
કે — આત્મામાં અખંડ આનંદસ્વભાવ ભર્યો છે; જેમાં જ્ઞાનાદિ અનંત સ્વભાવ ભર્યો છે એવા ચૈતન્યમૂર્તિ નિજ આત્માની શ્રદ્ધા કરે, તેમાં લીનતા કરે, તો તેમાંથી કેવળજ્ઞાનનો આખો પ્રકાશ અવશ્ય પ્રગટ થાય.
મહાવીર ભગવાનનાં જે આ ગાણાં ગવાય છે તે તેમના જેવા પોતાના સ્વરૂપને પ્રગટ કરવા માટે છે. તેવા સ્વરૂપને સમજે તો અત્યારે પણ એકાવતારીપણું પ્રગટ કરી શકાય છે. તેવા સ્વરૂપને જે પ્રગટ કરશે તે અવશ્ય મુક્તિને પામશે. ૨૮૭.
Page 159 of 181
PDF/HTML Page 186 of 208
single page version
Page 161 of 181
PDF/HTML Page 188 of 208
single page version
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુ ક્હાન તું નાવિક મળ્યો.
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે, પરદ્રવ્ય નાતો તૂટે; —
રાગદ્વેષ રુચે ન, જંપે ન વળે ભાવેંદ્રિમાં — અંશમાં,
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર – અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ખોયેલું રત્ન પામું, — મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!
Page 162 of 181
PDF/HTML Page 189 of 208
single page version
એ ગામ – પુરને ધન્ય છે, એ માત કુળ જ વન્દ્ય છે. ૧.
તુજ પાદથી સ્પર્શાઈ એવી ધૂલિને પણ ધન્ય છે. ૨.
તારી મતિ, તારી ગતિ, ચારિત્ર લોકાતીત છે;
આદર્શ સાધક તું થયો, વૈરાગ્ય વચનાતીત છે. ૩.
વૈરાગ્યમૂર્તિ, શાંતમુદ્રા, જ્ઞાનનો અવતાર તું;
ઓ દેવના દેવેન્દ્ર વહાલા! ગુણ તારા શું કથું? ૪.
અનુભવ મહીં આનંદતો સાપેક્ષ દ્રષ્ટિ તું ધરે;
દુનિયા બિચારી બાવરી તુજ દિલ દેખે ક્યાં અરે? ૫.
તારા હૃદયના તારમાં રણકાર પ્રભુના નામના;
એ નામ ‘સોહં’ નામનું, ભાષા પરા જ્યાં કામ ના. ૬.
અધ્યાત્મની વાર્તા કરે, અધ્યાત્મની દ્રષ્ટિ ધરે;
નિજદેહ – અણુઅણુમાં અહો! અધ્યાત્મરસ ભાવે ભરે. ૭.
અધ્યાત્મમાં તન્મય બની અધ્યાત્મને ફેલાવતો;
કાયા અને વાણી – હૃદય અધ્યાત્મમાં રેલાવતો. ૮.
છાયા છવાયે શાંતિની, તું શાંતમૂર્તે! જ્યાં રહે. ૯.
પાવન-મધુર-અદ્ભુત અહો! તુજ વદનથી અમૃત ઝર્યાં;
શ્રવણો મળ્યાં સદ્ભાગ્યથી, નિત્યે અહો! ચિદ્રસભર્યાં. ૧૦.
ગુરુક્હાન તારણહારથી આત્માર્થી ભવસાગર તર્યા;
ભવ ભવ રહો અમ આત્મને સાંનિધ્ય આવા સંતનાં. ૧૧.
Page 163 of 181
PDF/HTML Page 190 of 208
single page version
તુજ દિવ્ય મૂર્તિ ઝળહળે, અધ્યાત્મરસના રાજવી.૧.
તું શુદ્ધરસસાધક બન્યો, અંતર તણી સૃષ્ટિ લહ્યો.૨.
પરમાત્મનું ધ્યાન જ ધરી, તુજ આત્મને સ્વચ્છ જ કર્યો.૩.
તેં શુદ્ધ ચેતનધર્મનો અનુભવ હૃદયમાંહી લહ્યો.૪.
શુભ દ્રવ્યભાવે તપ તપ્યેથી શુદ્ધિ કરી શુભ નેમથી.૫.
શુદ્ધાત્મરસ – ભોગી ભ્રમર, શુભદ્રષ્ટિ તારામાં રહી.૬.
આચારમાં મૂકી ઘણું જોયું અનુભવ – તોલથી.૭.
જે આત્મયોગી હોય તે જાણે ખરે તવ શુદ્ધતા.૮.
અધ્યાત્મરસિયા જે થયા, બેઠા ખરે શુદ્ધ નાવમાં.૯.
જ્યાં હું વસું ત્યાં તું નહીં — એ ભાવના વિલસે ખરી.૧૦.
Page 164 of 181
PDF/HTML Page 191 of 208
single page version
સાચા હૃદયનો સંત છે, પરવા નથી, જયકાર છે.૧૧.
લોકો મને એ શું કહે ત્યાં લક્ષને દેતો નથી.૧૨.
લાગી લગનવા આત્મની, બીજું કશું જોતો નથી.૧૩.
ભવપથ-ઉદધિ તરવા વિષે તેં લક્ષ અંતરમાં ધર્યું.૧૪.
અધ્યાત્મરસરસિયા જનોથી તુજ હૃદય પરખાય છે.૧૫.
ચાબુક તેને મારીને વ્યવહારમાંહી વાળતો.૧૬.
જે હૃદય તારું જાણતા તે ભાવ તારો ખેંચતા.૧૭.
અધ્યાત્મ – અમૃત – પાનથી વારી જતા કોટી જનો.૧૮.
વંદન કરું, સ્તવના કરું, તુજ ચરણસેવાને ચહું.૧૯.
Page 165 of 181
PDF/HTML Page 192 of 208
single page version
કહાનગુરુ! તુજ પુનિત ચરણ વંદન કરું. ઉન્નત ગિરિશૃંગોના વસનારા તમે, (સીમંધર – ગણધરના સત્સંગી તમે,) આવ્યા રંકઘરે શો પુણ્યપ્રભાવ જો; અર્પણતા પૂરી કવ અમને આવડે, ક્યારે લઈશું ઉર – કરુણાનો લાભ જો.....કહાનગુરુ૦ સત્યામૃત વરસાવ્યાં આ કાળે તમે, આશય અતિશય ઊંડા ને ગંભીર જો; નંદનવન સમ શીતળ છાંય પ્રસારતા, જ્ઞાનપ્રભાકર પ્રગટી જ્યોત અપાર જો.....કહાનગુરુ૦ અણમૂલા સુતનુ ઓ! શાસનદેવીના, આત્માર્થીની એક અનુપમ આંખ જો; સંત સલૂણા! કલ્પવૃક્ષ! ચિંતામણિ!
Page 166 of 181
PDF/HTML Page 193 of 208
single page version
જ્યાં જોઉં ત્યાં શ્રવણ પડતી પુણ્ય ને પાપગાથા;
જિજ્ઞાસુને શરણસ્થળ ક્યાં? તત્ત્વની વાત ક્યાં છે?
પૂછે કોને પથ પથિક જ્યાં આંધળા સર્વ પાસે?
જિજ્ઞાસુ હૃદયો હતાં તલસતાં સદ્વસ્તુને ભેટવા;
એવા કંઈક પ્રભાવથી, ગગનથી ઓ ક્હાન! તું ઊતરે,
અંધારે ડૂબતા અખંડ સતને તું પ્રાણવંતું કરે.
જેનો જન્મ થતાં સહુ જગતનાં પાખંડ પાછાં પડે,
જેનો જન્મ થતાં મુમુક્ષુહૃદયો ઉલ્લાસથી વિકસે;
જેના જ્ઞાનકટાક્ષથી ઉદય ને ચૈતન્ય જુદાં પડે,
ઇન્દ્રો એ જિનસુતના જનમને આનંદથી ઊજવે.
ફરી એ વીરવાક્યોમાં પ્રાણ ને ચેતના વહે.
Page 167 of 181
PDF/HTML Page 194 of 208
single page version
સ્વાધ્યાયમંદિર સ્થપાયાં અમ આંગણિયે.
મેરા મનડા માંહી ગુરુદેવ રમે;
જગના તારણહારાને મારું દિલ નમે.
અદ્ભુત યોગીરાજ અમારાં ધામ દીપાવ્યાં;
પુણ્યોદયનાં મીઠાં ફળ ફળિયાં આજ.મેરા૦૧.
જ્ઞાનામૃતે ભરપૂર છે, બ્રહ્મચારી એ ભડવીર છે;
જિનવર ધર્મના સાચા આરાધનહાર.મેરા૦૩.
અક્ષર તણો સંગ્રહ ઘણો, પણ જ્ઞાન પેલે પાર છે;
સમ્યક્ શ્રુતના સાચા સેવનહાર,
કુંદકુંદ – નંદનને વંદન વારંવાર.
Page 168 of 181
PDF/HTML Page 195 of 208
single page version
સુવર્ણપુરીમાં નિત્યે ચૈતન્યરસ વરસ્યા રે;
ઉજમબાના નંદ અહો! આંગણે પધાર્યા રે;
અમ અંતરિયામાં હર્ષ ઊભરાયા રે.
આવો પધારો મારા સદ્ગુરુદેવા; શી શી કરું તુજ ચરણોની સેવા.
વિધવિધ ભક્તિથી ગુરુને વધાવું રે.....વિદેહ૦ ૧.
દિવ્ય અચરજકારી ગુરુ અહો! જાગ્યા; પ્રભાવશાળી સંત અજોડ પધાર્યા.
ગુરુ – ગુણગીતો ગગનમાંહી ગાજે રે.....વિદેહ૦ ૨.
શ્રુતાવતારી અહો! ગુરુજી અમારા; અગણિત જીવોનાં અંતર ઉજાળ્યાં.
સાતિશય ગુણધારી ગુરુ ગુણવંતા રે.....વિદેહ૦ ૩.
કામધેનુ કલ્પવૃક્ષ અહો! ફળિયાં; ભાવિ તણા ભગવંત મુજ મળિયા.
નિશદિન હોજો તુજ ચરણોની સેવા રે.....વિદેહ૦ ૪.
Page 169 of 181
PDF/HTML Page 196 of 208
single page version
મારા અંતરિયે આનંદ અહો! ઊભરાય,
શાસન-ઉદ્ધારક ગુરુ જન્મદિવસ છે આજનો રે;
ગુરુવર-ગુણમહિમાને ગગને દેવો ગાય,
વિધવિધ રત્નોથી વધાવું હું ગુરુરાજને રે. આજે૦ ૧.
ઉમરાળામાં જનમિયા ઊજમબા-કૂખ-નંદ; ક્હાન તારું નામ છે, જગ-ઉપકારી સંત.
જેને આંગણ જન્મ્યા પરમપ્રતાપી ક્હાન,
જેને પારણિયેથી લગની નિજ કલ્યાણની રે. આજે૦ ૨.
‘શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ;
જાગ્યા આતમશક્તિના ભણકારા સ્વયમેવ. પરમપ્રતાપી ગુરુએ અપૂર્વ સતને શોધિયું રે; ભગવંત્કુંદૠષીશ્વર ચરણ-ઉપાસક સન્ત,
વૈરાગી ધીરવીર ને અંતરમાંહી ઉદાસ; ત્યાગ ગ્રહ્યો નિર્વેદથી, તજી તનડાની આશ.
Page 170 of 181
PDF/HTML Page 197 of 208
single page version
જેને અંતર ઉલસ્યાં આત્મ તણાં નિધાન,
અનુપમ જ્ઞાન તણા અવતાર પધાર્યા આંગણે રે. આજે૦ ૪.
જ્ઞાનભાનુ પ્રકાશિયો, ઝળક્યો ભરત મોઝાર; સાગર અનુભવજ્ઞાનનો રેલાવ્યો ગુરુરાજ.
દુઃષમકાળે વરસ્યો અમૃતનો વરસાદ,
જયજયકાર જગતમાં ક્હાનગુરુનો ગાજતો રે. આજે૦ ૫.
અધ્યાતમના રાજવી, તારણતરણ જહાજ; શિવમારગને સાધીને કીધાં આતમકાજ.
પંચમકાળે તારો અજોડ છે અવતાર,
સારા ભરતે મહિમા અખંડ તુજ વ્યાપી રહ્યો રે. આજે૦ ૬.
સદ્દ્રષ્ટિ, સ્વાનુભૂતિ, પરિણતિ મંગલકાર; સત્યપંથ પ્રકાશતા, વાણી અમીરસધાર.
જેમાં છાઈ રહ્યા છે મુક્તિ કેરા માર્ગ,
એવી દિવ્ય વિભૂતિ ગુરુજી અહો! અમ આંગણે રે. આજે૦ ૭.
શાસનનાયક વીરના નંદન રૂડા ક્હાન; ઊછળ્યા સાગર શ્રુતના, ગુરુ-આતમ મોઝાર.
Page 171 of 181
PDF/HTML Page 198 of 208
single page version
ભરતે જ્ઞાની અલૌકિક ગુણધારી ભડવીર,
શાસન-સંતશિરોમણિ સ્વર્ણપુરે બિરાજતા રે. આજે૦ ૮.
સેવા પદપંકજ તણી નિત્ય ચહું ગુરુરાજ! તારી શીતળ છાંયમાં કરીએ આતમકાજ.
તારા ગુણગણનો મહિમા છે અપરંપાર,
ગુરુજી રત્નચિંતામણિ શિવસુખના દાતાર છો રે;
તારાં પુનિત ચરણથી અવની આજે શોભતી રે. આજે૦ ૯.
Page 172 of 181
PDF/HTML Page 199 of 208
single page version
Page 173 of 181
PDF/HTML Page 200 of 208
single page version