Niyamsar (Gujarati). Jinjini Vani; Sadhak Jivani Drashti; Vishayanukramanika; Shastra-Swadhyayanu Prarambhik Mangalacharan; Shree Niyamsar; Jiv Adhikar; Shlok: 1-12 ; Gatha: 1-4.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 21

 

Page -8 of 380
PDF/HTML Page 21 of 409
single page version

❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈

અર્થઃયતીશ્વર (શ્રી કુંદકુંદસ્વામી) રજઃસ્થાનનેભૂમિતળનેછોડીને
ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલતા હતા તે દ્વારા હું એમ સમજું છું કે, તેઓશ્રી
અંદરમાં તેમ જ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પૃષ્ટપણું વ્યક્ત કરતા હતા
(
અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્પૃષ્ટ હતા અને બહારમાં ધૂળથી અસ્પૃષ્ટ
હતા).
जइ पउमणंदिणाहो सीमंधरसामिदिव्वणाणेण
ण विबोहइ तो समणा क हं सुमग्गं पयाणंति ।।
[दर्शनसार]
અર્થઃ(મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ) શ્રી સીમંધરસ્વામી પાસેથી
મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુંદકુંદાચાર્યદેવે) બોધ ન આપ્યો હોત
તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?
હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ
પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર
કરું છું.
[શ્રીમદ્ રાજચંદ્ર]
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવનો અમારા પર ઘણો ઉપકાર છે, અમે તેમના
દાસાનુદાસ છીએ. શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી
સીમંધર ભગવાનનાં સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા
હતા એ વિષે અણુમાત્ર શંકા નથી. એ વાત એમ જ છે; કલ્પના કરશો નહિ, ના
કહેશો નહિ; માનો તોપણ એમ જ છે, ન માનો તોપણ એમ જ છે. યથાતથ્ય વાત
છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે.
[ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી ]

❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈


Page -7 of 380
PDF/HTML Page 22 of 409
single page version

જિનજીની વાણી
[રાગ-આશાભર્યા અમે આવિયા]
સીમંધર મુખથી ફૂલડાં ખરે,
એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જિનજીની વાણી ભલી રે.
વાણી ભલી, મન લાગે રળી,
જેમાં સાર-સમય શિરતાજ રે,
જિનજીની વાણી ભલી રે......સીમંધર૦
ગૂંથ્યાં પાહુડ ને ગૂંથ્યું પંચાસ્તિ,
ગૂંથ્યું પ્રવચનસાર રે,
જિનજીની વાણી ભલી રે.
ગૂંથ્યું નિયમસાર, ગૂંથ્યું રયણસાર,
ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦
સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો
જિનજીનો ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે.
વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ,
વંદું એ ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦
હૈડે હજો, મારા ભાવે હજો,
મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે.
જિનેશ્વરદેવની વાણીના વાયરા
વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦

રચયિતાઃ હિંમતલાલ જેઠાલાલ શાહ

Page -6 of 380
PDF/HTML Page 23 of 409
single page version

સાધક જીવની દ્રષ્ટિ

અધ્યાત્મમાં હંમેશાં નિશ્ચયનય જ મુખ્ય છે; તેના જ આશ્રયે ધર્મ થાય છે. શાસ્ત્રોમાં જ્યાં વિકારી પર્યાયોનું વ્યવહારનયથી કથન કરવામાં આવે ત્યાં પણ નિશ્ચયનયને જ મુખ્ય અને વ્યવહારનયને ગૌણ કરવાનો આશય છેએમ સમજવું; કારણ કે પુરુષાર્થ વડે પોતામાં શુદ્ધપર્યાય પ્રગટ કરવા અર્થાત્ વિકારી પર્યાય ટાળવા માટે હંમેશાં નિશ્ચયનય જ આદરણીય છે; તે વખતે બંને નયોનું જ્ઞાન હોય છે પણ ધર્મ પ્રગટાવવા માટે બન્ને નયો કદી આદરણીય નથી. વ્યવહારનયના આશ્રયે કદી ધર્મ અંશે પણ થતો નથી, પરંતુ તેના આશ્રયે તો રાગ - દ્વેષના વિકલ્પો જ ઊઠે છે.

છયે દ્રવ્યો, તેમના ગુણો અને તેમના પર્યાયોના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને વ્યવહારનયની ગૌણતા રાખીને કથન કરવામાં આવે, અને કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય કરીને તથા નિશ્ચયનયને ગૌણ રાખીને કથન કરવામાં આવે; પોતે વિચાર કરે તેમાં પણ કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને કોઈ વખતે વ્યવહારનયની મુખ્યતા કરવામાં આવે; અધ્યાત્મશાસ્ત્રમાં પણ જીવનો વિકારી પર્યાય જીવ સ્વયં કરે છે તેથી થાય છે અને તે જીવનો અનન્ય પરિણામ છેએમ વ્યવહારનયે કહેવામાંસમજાવવામાં આવે; પણ તે દરેક વખતે નિશ્ચયનય એક જ મુખ્ય અને આદરણીય છે એમ જ્ઞાનીઓનું કથન છે. શુદ્ધતા પ્રગટ કરવા માટે કોઈ વખતે નિશ્ચયનય આદરણીય છે અને કોઈ વખતે વ્યવહારનય આદરણીય છેએમ માનવું તે ભૂલ છે. ત્રણે કાળે એકલા નિશ્ચયનયના આશ્રયે જ ધર્મ પ્રગટે છે એમ સમજવું.

સાધક જીવો શરૂઆતથી અંત સુધી નિશ્ચયની જ મુખ્યતા રાખીને વ્યવહારને ગૌણ જ કરતા જાય છે, તેથી સાધકદશામાં નિશ્ચયની મુખ્યતાના જોરે સાધકને શુદ્ધતાની વૃદ્ધિ જ થતી જાય છે અને અશુદ્ધતા ટળતી જ જાય છે. એ રીતે નિશ્ચયની મુખ્યતાના જોરે પૂર્ણ કેવળજ્ઞાન થતાં ત્યાં મુખ્ય - ગૌણપણું હોતું નથી અને નય પણ હોતા નથી.

‘ગુરુદેવશ્રીના વચનામૃત’ઃ ૧૬

Page -5 of 380
PDF/HTML Page 24 of 409
single page version

પરમાગમ શ્રી નિયમસારની
વિષયાનુક્રમણિકા
વિષય
ગાથા
વિષય
ગાથા
કારણપરમાણુદ્રવ્ય અને કાર્યપરમાણુદ્રવ્યનું
જીવ અધિકાર
સ્વરૂપ
૨૫

અસાધારણ મંગલ અને ભગવાન ગ્રન્થકર્તાની

પરમાણુનું વિશેષ કથન
૨૬
પ્રતિજ્ઞા
સ્વભાવ પુદ્ગલનું સ્વરૂપ
૨૭

મોક્ષમાર્ગ અને તેના ફ લના સ્વરૂપ

પુદ્ગલ પર્યાયના સ્વરૂપનું કથન
૨૮
નિરૂપણની સૂચના
પુદ્ગલદ્રવ્યના કથનનો ઉપસંહાર
૨૯

સ્વભાવરત્નત્રયનું સ્વરૂપ

ધર્મ-અધર્મ-આકાશનું સંક્ષિપ્ત કથન
૩૦

રત્નત્રયના ભેદકારણ તથા લક્ષણ વિષે કથન

વ્યવહારકાલનું સ્વરૂપ તથા તેના વિવિધ

વ્યવહાર સમ્યક્ત્વનું સ્વરૂપ

ભેદો
૩૧

અઢાર દોષનું સ્વરૂપ

મુખ્ય કાળનું સ્વરૂપ
૩૨

તીર્થંકર પરમદેવનું સ્વરૂપ

કાળાદિ અમૂર્ત અચેતન દ્રવ્યોના

પરમાગમનું સ્વરૂપ

સ્વભાવગુણ-પર્યાયોનું કથન
૩૩

છ દ્રવ્યોંના પૃથક્ પૃથક્ નામ

કાલદ્રવ્ય ના સિવાય પૂર્વોક્ત દ્રવ્યો જ

ઉપયોગનું લક્ષણ

૧૦
પંચાસ્તિકાય છે, એ વિષે કથન
૩૪

જ્ઞાનના ભેદ

૧૧
છ દ્રવ્યોના પ્રદેશનું લક્ષણ અને તેના

દર્શનોપયોગનું સ્વરૂપ

૧૩
સમ્ભવનો પ્રકાર
૩૪

અશુદ્ધ દર્શનની તથા શુદ્ધ ને અશુદ્ધ

અજીવદ્રવ્ય સમ્બન્ધી કથનનો ઉપસંહાર
૩૭
પર્યાયની સૂચના
૧૪
શુદ્ધભાવ અધિકાર

સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો

૧૫
હેય અને ઉપાદેય તત્ત્વના સ્વરૂપનું કથન
૩૮

ચારગતિન્ાું સ્વરૂપનિરૂપણ

૧૬
નિર્વિકલ્પ તત્ત્વના સ્વરૂપનું કથન
૩૯

કર્તૃત્વ-ભોક્તૃત્વનાં પ્રકારનું કથન

૧૮

બન્ને નયોનું સફ લપણું

૧૯
પ્રકૃ તિ આદિ બંધસ્થાનો તથા ઉદયનાં
સ્થાનોના સમૂહ જીવને નથી,
એ વિષે કથન
અજીવ અધિકાર
૪૦

પુદ્ગલદ્રવ્યના ભેદોનું કથન

૨૦
વિભાવસ્વભાવોના સ્વરૂપકથન દ્વારા

વિભાવપુદ્ગલનું સ્વરૂપ

૨૧
પંચમભાવના સ્વરૂપનું કથન
૪૧

Page -4 of 380
PDF/HTML Page 25 of 409
single page version

( ૨૨ )
વિષય
ગાથા
વિષય
ગાથા

શુદ્ધ જીવને સમસ્ત સંસારવિકાર નહીં

નિશ્ચય મનો-વચનગુપ્તિનું સ્વરૂપ
૬૯
એવું નિરૂપણ
૪૨
નિશ્ચય કાયગુપ્તિનું સ્વરૂપ
૭૦

શુદ્ધ આત્માને સમસ્ત વિભાવોનો અભાવ

ભગવાન અર્હત્ પરમેષ્ઠીનું સ્વરૂપ
૭૧
છે એવું કથન
૪૩
ભગવન્ત સિદ્ધપરમેષ્ઠિયોનું સ્વરૂપ
૭૨

શુદ્ધ જીવનું સ્વરૂપ

૪૪
ભગવન્ત આચાર્યનું સ્વરૂપ
૭૩

કારણપરમાત્માને સમસ્ત પૌદ્ગલિક વિકાર

અધ્યાપ્ક નામક પરમગુરુનું સ્વરૂપ
૭૪
નથી એવું કથન
૪૫
સર્વસાધુઓના સ્વરૂપનું કથન
૭૫

સંસારી અને ર્મુંત જીવોમાં અન્તર ન

વ્યવહારચારિત્ર-અધિકારનો ઉપસંહાર અને
હોનેનું કથન
૪૭
નિશ્ચયચારિત્રની સૂચના
૭૬

કાર્યસમયસાર અને કારણસમયસારમાં અન્તર

પરમાર્થપ્રતિક્ર મણ અધિકાર
ન હોનેનું કથન
૪૮
શુદ્ધ આત્માને સકલ કર્તૃત્વના અભાવ

નિશ્ચય અને વ્યવહારનયકી ઉપદેયતાનું

વિષે સમ્બન્ધી કથન
૭૭
પ્રકાશન
૪૯
ભેદવિજ્ઞાન દ્વારા ક્ર મે નિશ્ચય-ચારિત્ર થાય

હેય-ઉપદેય અથવા ત્યાગ-ગ્રહણનું સ્વરૂપ

છે એ વિષે કથન
૮૨
રત્નત્રયનું સ્વરૂપ
૫૧
વચનમય પ્રતિક્ર મણ નામક સૂત્રસમુદાયનું
વ્યવહારચારિત્ર અધિકાર
નિરાસ.
૮૩

અહિંસાવ્રતનું સ્વરૂપ

૫૬
આત્મ-આરાધનામાં વર્તતા જીવને જ પ્રતિ-

સત્યવ્રતનું સ્વરૂપ

૫૭
ક્ર મણસ્વરૂપ કહેલ છે, એ વિષે કથન
૮૪

અચૌર્યવ્રતનું સ્વરૂપ

૫૮
પરમોપેક્ષાસંયમધરને નિશ્ચયપ્રતિક્ર મણનું સ્વરૂપ

બ્રહ્મચર્યવ્રતનું સ્વરૂપ

૫૯
હોય છે, એ વિષે નિરૂપણ
૮૫

પ્રિગ્રહ-પ્રિત્યાગવ્રતનું સ્વરૂપ

૬૦
ઉન્માર્ગના પ્રિત્યાગ અને સર્વજ્ઞવીતરાગમાર્ગના

ઇર્ર્યાસમિતિનું સ્વરૂપ

૬૧
સ્વીકાર સમ્બન્ધી વર્ણન
૮૬

ભાષાસમિતિનું સ્વરૂપ

૬૨
નિઃશલ્યભાવે પરિણત મહાતપોધન જ નિશ્ચય-

ેએષણાસમિતિનું સ્વરૂપ

૬૩
પ્રતિક્ર મણસ્વરૂપ છે, એ વિષે કથન
૮૭

આદાનનિક્ષેપણસમિતિનું સ્વરૂપ

૬૪
ત્રિગુપ્તિ ગુપ્ત એવા પરમ તપોધનને

પ્રતિષ્ઠાપનસમિતિનું સ્વરૂપ

૬૫
નિશ્ચયચારિત્ર હોવાનું કથન
૮૮

વ્યવહાર મનોગુપ્તિનું સ્વરૂપ

૬૬
ધ્યાનના ભેદોનું સ્વરૂપ
૮૯

વચનગુપ્તિનું સ્વરૂપ

૬૭
આસન્નભવ્ય અને અનાસન્નભવ્ય જીવના

કાયગુપ્તિનું સ્વરૂપ

૬૮
પૂર્વાપર પરિણામનું સ્વરૂપ
૯૦

Page -3 of 380
PDF/HTML Page 26 of 409
single page version

( ૨૩ )
વિષય
ગાથા
વિષય
ગાથા

સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રનું સમ્પૂર્ણ સ્વીકાર કરવાથી

આલોચનાના સ્વરૂપના ભેદોનું કથન
૧૦૮
અને મિથ્યાદર્શનચારિત્રનું સમ્પૂર્ણ ત્યાગ કરવાથી
મુમુક્ષુને નિશ્ચયપ્રતિક્ર મણ થાય છે,
એ વિષે કથન
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
નિશ્ચય-પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ
૧૧૩
૯૧
ચાર કષાયો પર વિજય પ્રાપ્ત
મેળવવાના ઉપાયનું સ્વરૂપ
૧૧૫

નિશ્ચય ઉત્તમાર્થપ્રતિક્ર મણનું સ્વરૂપ

૯૨
‘‘શુદ્ધ જ્ઞાનનું સ્વીકાર કરનેવાળાને પ્રાયશ્ચિત્ત

ધ્યાન એક ઉપાદેય છે

એવું કથન
૯૩
છે’’એવું કથન
૧૧૬

વ્યવહાર પ્રતિક્ર મણનું સફ પણું ક્યારે કહેવાય

એ વિષે કથન
૯૪
નિશ્ચયપ્રાયશ્ચિત્ત સમસ્ત આચરણોમાં
પરમ આચરણ છે, એ વિષે કથન
૧૧૭
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
શુદ્ધ કારણપરમાત્મતત્ત્વમાં અન્તર્મુખ રહીને

નિશ્ચયનયના પ્રત્યાખ્યાનનું સ્વરૂપ

૯૫
જે પ્રતપનતે તપ છે, અને એ તપ

અનન્તચતુષ્ટયાત્મક નિજ આત્માના

પ્રાયશ્ચિત્ત છે, એ સમ્બન્ધી કથન
૧૧૮
ધ્યાનનો ઉપદેશ
૯૬
નિશ્ચયધર્મધ્યાન સર્વ ભાવોનો અભાવ કરવાને

પરમ ભાવનાની સન્મુખ એવા જ્ઞાનીને

સમર્થ છે
એવું કથન
૧૧૯
શીખામણ
૯૭
શુદ્ધ નિશ્ચય નિયમનું સ્વરૂપ
૧૨૦

બન્ધરહિત આત્માને ભાવવા વિષે શિખામણ ૯૮ સકળ વિભાવના સંન્યાસની વિધિ

નિશ્ચયકાયોત્સર્ગનું સ્વરૂપ
૧૨૧
૯૯
પરમ-સમાધિ અધિકાર

સર્વત્ર આત્મા ઉપાદેય છે

એવું કથન
૧૦૦

સંસારાવસ્થામાં અને મુક્તિમાં જીવ

પરમસમાધિનું સ્વરૂપ
૧૨૨
નિઃસહાય છેએવું કથન
૧૦૧
સમતા વિના દ્રવ્યલિંગધારી શ્રમણાભાસને

એકત્વભાવનારૂપે પ્રિણમેલા સમ્યગ્જ્ઞાનીનું

જરાય મોક્ષનું સાધન નથી, એ વિષે
કથન
૧૨૪
લક્ષણ
૧૦૨
પરમ વીતરાગસંયમીને સામાયિકવ્રત સ્થાયી છે,

આત્મગત દોષોથી મુકત થવાના ઉપાયનું

એવું નિરૂપણ
૧૨૫
કથન
૧૦૩
પરમમુમુક્ષુનું સ્વરૂપ
૧૨૬

પરમ તપોધનની ભાવશુદ્ધિનું કથન

૧૦૪
આત્મા જ ઉપાદેય છે એવું કથન
૧૨૭

નિશ્ચયપ્રત્યાખ્યાનના યોગ્ય જીવનું સ્વરૂપ

૧૦૫
રાગદ્વેષના અભાવથી અપરિસ્પંદરૂપતા હોય

નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકારનો ઉપસંહાર

૧૦૬
છે, તે વિષે કથન
૧૨૮
પરમ-આલોચન અધિકાર
આર્ત્ત-રૌદ્ર ધ્યાનના પરિત્યાગ દ્વારા સનાતન

નિશ્ચય-આલોચનાનું સ્વરૂપ

૧૦૭
સામાયિકવ્રતના સ્વરૂપનું કથન
૧૨૯

Page -2 of 380
PDF/HTML Page 27 of 409
single page version

( ૨૪ )
વિષય
ગાથા
વિષય
ગાથા

સુકૃ ત-દૃષ્કૃ તરૂપ કર્મના સન્યાસની વિધિ

૧૩૦
બાહ્ય તથા અન્તર જલ્પ્નો નિરાસ
૧૫૦

નવ કષાયના વિજય વડે પ્રાપ્ત થતા

સ્વાત્માશ્રિત નિશ્ચયધર્મધ્યાન અને નિશ્ચય-
શુક્લધ્યાન એ બે ધ્યાનો જ ઉપાદેય છે,
એ વિષે કથન
સામાયિક ચારિત્રનું સ્વરૂપ
૧૩૧
૧૫૧

પરમ સમાધિ અધિકારનું ઉપસંહાર

૧૩૩
પરમવીતરાગચારિત્રમાં સ્થિત પરમ
૧૦પરમભક્તિ અધિકાર
તપોધનનું સ્વરૂપ
૧૫૨

રત્નત્રયનું સ્વરૂપ

૧૩૪
સમસ્ત વચનસમ્બન્ધી વ્યાપારનો નિરાસ
૧૫૩

વ્યવહારનયપ્રધાન સિદ્ધભક્તિનું સ્વરૂપ

૧૩૫
શુદ્ધનિશ્ચયધર્મધ્યાનસ્વરૂપ પ્રતિક્ર મણાદિ વગેરે

નિજા પરમાત્માકી ભક્તિનું સ્વરૂપ

૧૩૬
કરવા યોગ્ય છે એ વિષે કથન
૧૫૪

નિશ્ચય યોગભક્તિનું સ્વરૂપ

૧૩૭
સાક્ષાત્ અન્તર્મુખ પરમજિાનયોગીને

વિપ્રીત અભિનિવેશ રહિત આત્મભાવ તે

શિખામણ
૧૫૫
નિશ્ચય-પરમયોગ છે, એ વિષે કથન ૧૩૯
વચનસમ્બન્ધી વ્યાપારની નિવૃત્તિના

ભક્તિ અધિકારનું ઉપસંહાર

૧૪૦
હેતુનું કથન
૧૫૬
૧૧નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
સહજ તત્ત્વની આરાધનાનો વિધિ
૧૫૭

નિરન્તર સ્વવશને નિશ્ચય-આવશ્યક હોવા

પરમાવશ્યક અધિકારનું ઉપસંહાર
૧૫૮
વિષે કથન
૧૪૧
૧૨શુદ્ધોપ્યોગ અધિકાર

અવશ પરમ જિનયોગીશ્વરને પરમ આવશ્યક-

જ્ઞાનીને સ્વ-પર સ્વરૂપનું પ્રકાશપણું કથંચિત્
કર્મ જરૂર છે
એનું કથન
૧૪૨
છે, એ વિષે કથન
૧૫૯
ભેદોપચાર-રત્નત્રયપરિણતિવાળા જીવને
કેવલજ્ઞાન અને કે વલદર્શનના યુગપદ્
અવશપણું નહિ હોવા વિષે કથન
૧૪૩
પ્રવર્તન સમ્બન્ધી દ્રષ્ટાન્ત દ્વારા કથન
૧૬૦
અન્યવશ એવા અશુદ્ધ-અંતરાત્મજીવનું લક્ષણ ૧૪૪
અન્યવશનું સ્વરૂપ
આત્માના સ્વપરપ્રકાશકપણા સમ્બન્ધી
૧૪૫
વિરોધ કથન
૧૬૧
સાક્ષાત્ સ્વવશ પરમજિાનયોગીશ્વરનું
એકાન્તે આત્માને પરપ્રકાશકપણા હોવાની
સ્વરૂપ
૧૪૬
વાતનું ખંડન
૧૬૩
શુદ્ધ-નિશ્ચય-આવશ્યકની પ્રાપ્તિના ઉપાયનું
વ્યવહારનયનું સફ લતપણું દર્શાવનારું કથન ૧૬૪
નિશ્ચયનયથી સ્વરૂપનું કથન
સ્વરૂપ
૧૪૭
૧૬૫
શુદ્ધોપયોગોન્મુખ જીવને સીખ
૧૪૮
શુદ્ધનિશ્ચયનયની વિવક્ષાથી પરદર્શનનું ખંડન ૧૬૬
કે વલજ્ઞાનનું સ્વરૂપ
આવશ્યક કર્મના અભાવમાં તપોધન
૧૬૭
બહિરાત્મા હોય છે, એ વિષે કથન
૧૪૯

Page -1 of 380
PDF/HTML Page 28 of 409
single page version

( ૨૫ )
વિષય
ગાથા
વિષય
ગાથા
કારણ-પરમતત્ત્વના સ્વરૂપનું કથન
૧૭૭

કે વલજ્ઞાનના અભાવે સર્વજ્ઞપણું હોતું નથી

નિરુપાધિસ્વરૂપ જેનું લક્ષણ છે એવા
એ વિષે કથન
૧૬૮
પરમાત્મતત્ત્વ વિષે કથન
૧૭૮

વ્યવહારનયની પ્રગટતાથી કથન

૧૬૯
સાંસારિક વિકાર સમૂહના અભાવને લીધે

‘‘જીવ જ્ઞાનસ્વરૂપ છે’’ એમ વિતર્કપૂર્વક

પરમતત્ત્વને નિર્વાણ છે, એ વિષે કથન ૧૭૯
નિરૂપણ
૧૭૦

ગુણ-ગુણીમાં ભેદનો અભાવ હોવા વિષે

પરમનિર્વાણયોગ્ય પરમતત્ત્વનું સ્વરૂપ
૧૮૦
કથન
૧૭૧
પરમતત્ત્વના સ્વરૂપનું કથન
૧૮૧
ભગવાન સિદ્ધના સ્વભાવગુણોના સ્વરૂપનું

સર્વજ્ઞ વીતરાગને વાંછાનું અભાવ હોય છે,

કથન
૧૮૨
એ વિષે કથન
૧૭૨
સિદ્ધિ અને સિદ્ધના એકત્વનું પ્રતિપાદન
૧૮૩

કે વલજ્ઞાનીને બંધના અભાવના સ્વરૂપ

સિદ્ધક્ષેત્રથી ઉ પર જીવ-પુદ્ગલોના ગમનનો
વિષે કથન
૧૭૩
નિષેધ
૧૮૪

કે વલી ભટ્ટારકના મનરહિતપણા વિષે

નિયમશબ્દનો અને તેના ફળનું ઉપસંહાર
૧૮૫
કથન
૧૭૫
ભવ્યને શીખામણ
૧૮૬

શુદ્ધ જીવને સ્વભાવગતિની પ્રાપ્તિ થવાના

શાસ્ત્રના નામ કથન દ્વારા શાસ્ત્રનો ઉપસંહાર
ઉપાયનું કથન
૧૭૬
૧૮

Page 0 of 380
PDF/HTML Page 29 of 409
single page version

नमः श्रीसर्वज्ञवीतरागाय
શાસ્ત્ર-સ્વાધ્યાયનું પ્રારંભિક મંગલાચરણ
ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः
कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ।।।।
अविरलशब्दघनौघप्रक्षालितसकलभूतलकलङ्का
मुनिभिरुपासिततीर्था सरस्वती हरतु नो दुरितान् ।।।।
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ।।।।
श्रीपरमगुरवे नमः, परम्पराचार्यगुरवे नमः ।।
सकलकलुषविध्वंसकं, श्रेयसां परिवर्धकं, धर्मसम्बन्धकं, भव्यजीवमनःप्रतिबोधकारकं,
पुण्यप्रकाशकं, पापप्रणाशकमिदं शास्त्रं श्रीसमयसारनामधेयं, अस्य मूलग्रन्थकर्तारः
श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रन्थकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधरदेवास्तेषां वचनानुसारमासाद्य
आचार्यश्रीकुन्दकुन्दाचार्यदेवविरचितं, श्रोतारः सावधानतया शृण्वन्तु
।।
मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी
मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ।।।।
सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं
प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ।।।।

Page 1 of 380
PDF/HTML Page 30 of 409
single page version

परमात्मने नमः।
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
નિયમસાર
F
જીવ અધિકાર
F
श्रीपद्मप्रभमलधारिदेवविरचिततात्पर्यवृत्तिः ।
(मालिनी)
त्वयि सति परमात्मन्माद्रशान्मोहमुग्धान्
कथमतनुवशत्वान्बुद्धकेशान्यजेऽहम्
सुगतमगधरं वा वागधीशं शिवं वा
जितभवमभिवन्दे भासुरं श्रीजिनं वा
।।।।
મૂળ ગાથાઓનો અને તાત્પર્યવૃત્તિ નામની ટીકાનો
ગુજરાતી અનુવાદ

[પ્રથમ, ગ્રંથના આદિમાં શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવવિરચિત પ્રાકૃતગાથાબદ્ધ આ ‘નિયમસાર’ નામના શાસ્ત્રની ‘તાત્પર્યવૃત્તિ’ નામની સંસ્કૃત ટીકા રચનાર મુનિ શ્રી પદ્મપ્રભમલધારિદેવ સાત શ્લોકો દ્વારા મંગળાચરણ વગેરે કરે છેઃ]

[શ્લોકાર્થઃ] હે પરમાત્મા! તું હોતાં હું મારા જેવા (સંસારીઓ જેવા) મોહમુગ્ધ


Page 2 of 380
PDF/HTML Page 31 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(अनुष्टुभ्)
वाचं वाचंयमीन्द्राणां वक्त्रवारिजवाहनाम्
वन्दे नयद्वयायत्तवाच्यसर्वस्वपद्धतिम् ।।।।
(शालिनी)
सिद्धान्तोद्घश्रीधवं सिद्धसेनं
तर्काब्जार्कं भट्टपूर्वाकलंकम्
शब्दाब्धीन्दुं पूज्यपादं च वन्दे
तद्विद्याढयं वीरनन्दिं व्रतीन्द्रम्
।।।।

અને કામવશ બુદ્ધને તથા બ્રહ્મા-વિષ્ણુ-મહેશને કેમ પૂજું? (ન જ પૂજું.) જેણે ભવોને જીત્યા છે તેને હું વંદું છુંતેને પ્રકાશમાન એવા શ્રી જિન કહો, સુગત કહો, ગિરિધર કહો,

[શ્લોકાર્થઃ] વાચંયમીંદ્રોનું (જિનદેવોનું) મુખકમળ જેનું વાહન છે અને બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે તે વાણીને (જિનભગવંતોની સ્યાદ્વાદમુદ્રિત વાણીને) હું વંદું છું. ૨.

[શ્લોકાર્થઃ] ઉત્તમ સિદ્ધાંતરૂપી શ્રીના પતિ સિદ્ધસેન મુનીન્દ્રને, તર્કકમળના સૂર્ય ભટ્ટ અકલંક મુનીન્દ્રને, શબ્દસિંધુના ચંદ્ર પૂજ્યપાદ મુનીન્દ્રને અને તદ્દવિદ્યાથી (સિદ્ધાન્તાદિ ત્રણેના જ્ઞાનથી) સમૃદ્ધ વીરનંદિ મુનીંદ્રને હું વંદું છું. ૩.

૨ ]

વાગીશ્વર કહો કે શિવ કહો. ૧.

૧.બુદ્ધને સુગત કહેવામાં આવે છે. સુગત એટલે (૧) શોભનીકતાને પ્રાપ્ત, અથવા (૨) સંપૂર્ણતાને પ્રાપ્ત.
શ્રી જિનભગવાન (૧) મોહરાગદ્વેષના અભાવને લીધે શોભનીકતાને પ્રાપ્ત છે, અને (૨) કેવળજ્ઞાનાદિકને
પામ્યા હોવાને લીધે સંપૂર્ણતાને પ્રાપ્ત છે; તેથી તેમને અહીં સુગત કહ્યા છે.

૨.કૃષ્ણને ગિરિધર (અર્થાત્ પર્વતને ધરી રાખનાર) કહેવામાં આવ્યા છે. શ્રી જિનભગવાન અનંતવીર્યવાન હોવાથી તેમને અહીં ગિરિધર કહ્યા છે.

૩.બ્રહ્માને અથવા બૃહસ્પતિને વાગીશ્વર (અર્થાત્ વાણીના અધિપતિ) કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન દિવ્ય વાણીના પ્રકાશક હોવાથી તેમને અહીં વાગીશ્વર કહ્યા છે.

૪.મહેશને (શંકરને) શિવ કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન કલ્યાણસ્વરૂપ હોવાથી તેમને અહીં શિવ
કહેવામાં આવ્યા છે.

૫.વાચંયમીંદ્રો=મુનિઓમાં પ્રધાન અર્થાત્ જિનદેવો; મૌન સેવનારાઓમાં શ્રેષ્ઠ અર્થાત્ જિનદેવો; વાક્- સંયમીઓમાં ઇન્દ્ર સમાન અર્થાત્ જિનદેવો. [વાચંયમી=મુનિ; મૌન સેવનાર; વાણીના સંયમી.]

૬.તર્કકમળના સૂર્ય=તર્કરૂપી કમળને પ્રફુલ્લિત કરવામાં સૂર્ય સમાન

૭.શબ્દસિંધુના ચંદ્ર=શબ્દરૂપી સમુદ્રને ઉછાળવામાં ચંદ્ર સમાન


Page 3 of 380
PDF/HTML Page 32 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ અધિકાર
[ ૩
(अनुष्टुभ्)
अपवर्गाय भव्यानां शुद्धये स्वात्मनः पुनः
वक्ष्ये नियमसारस्य वृत्तिं तात्पर्यसंज्ञिकाम् ।।।।

किंच

(आर्या)
गुणधरगणधररचितं श्रुतधरसन्तानतस्तु सुव्यक्त म्
परमागमार्थसार्थं वक्तु ममुं के वयं मन्दाः ।।।।

अपि च

(अनुष्टुभ्)
अस्माकं मानसान्युच्चैः प्रेरितानि पुनः पुनः
परमागमसारस्य रुच्या मांसलयाऽधुना ।।।।
(अनुष्टुभ्)
पंचास्तिकायषड्द्रव्यसप्ततत्त्वनवार्थकाः
प्रोक्ताः सूत्रकृता पूर्वं प्रत्याख्यानादिसत्क्रियाः ।।।।

अलमलमतिविस्तरेण स्वस्ति साक्षादस्मै विवरणाय

[શ્લોકાર્થઃ] ભવ્યોના મોક્ષને માટે તેમ જ નિજ આત્માની શુદ્ધિને અર્થે નિયમસારની ‘તાત્પર્યવૃત્તિ’ નામની ટીકા હું કહીશ. ૪.

વળી

[શ્લોકાર્થઃ] ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ પરમાગમના અર્થસમૂહનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ? ૫.

તથાપિ

[શ્લોકાર્થઃ] હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. [એ રુચિથી પ્રેરિત થવાને લીધે ‘તાત્પર્યવૃત્તિ’ નામની આ ટીકા રચાય છે.] ૬.

[શ્લોકાર્થઃ] સૂત્રકારે પૂર્વે પાંચ અસ્તિકાય, છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થ તેમ જ પ્રત્યાખ્યાનાદિ સત્ક્રિયા કહેલ છે (અર્થાત્ ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્રમાં પ્રથમ પાંચ અસ્તિકાય વગેરે અને પછી પ્રત્યાખ્યાનાદિ સત્ક્રિયા કહેલ છે). ૭.

અતિ વિસ્તારથી બસ થાઓ, બસ થાઓ. સાક્ષાત્ આ વિવરણ જયવંત વર્તો.


Page 4 of 380
PDF/HTML Page 33 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

अथ सूत्रावतार :

णमिऊण जिणं वीरं अणंतवरणाणदंसणसहावं
वोच्छामि णियमसारं केवलिसुदकेवलीभणिदं ।।।।
नत्वा जिनं वीरं अनन्तवरज्ञानदर्शनस्वभावम्
वक्ष्यामि नियमसारं केवलिश्रुतकेवलिभणितम् ।।।।

अथात्र जिनं नत्वेत्यनेन शास्त्रस्यादावसाधारणं मङ्गलमभिहितम्

नत्वेत्यादिअनेकजन्माटवीप्रापणहेतून् समस्तमोहरागद्वेषादीन् जयतीति जिनः वीरो विक्रान्तः; वीरयते शूरयते विक्रामति कर्मारातीन् विजयत इति वीरः श्रीवर्धमान-सन्मतिनाथ-महतिमहावीराभिधानैः सनाथः परमेश्वरो महादेवाधिदेवः

હવે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવવિરચિત) ગાથાસૂત્રનું અવતરણ કરવામાં આવે છેઃ

(હરિગીત)
નમીને અનંતોત્કૃષ્ટ દર્શનજ્ઞાનમય જિન વીરને
કહું નિયમસાર હું કેવળીશ્રુતકેવળીપરિકથિતને. ૧.

અન્વયાર્થઃ[अनन्तवरज्ञानदर्शनस्वभावं] અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાનદર્શન જેમનો સ્વભાવ છે એવા (કેવળજ્ઞાની અને કેવળદર્શની) [जिनं वीरं] જિન વીરને [नत्वा] નમીને [केवलिश्रुतकेवलिभणितम्] કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું [नियमसारं] નિયમસાર [वक्ष्यामि] હું કહીશ.

ટીકાઃઅહીં ‘जिनं नत्वा’એ ગાથાથી શાસ્ત્રના આદિમાં અસાધારણ મંગળ કહ્યું છે.

‘नत्वा’ ઇત્યાદિ પદોનું તાત્પર્ય કહેવામાં આવે છેઃ

અનેક જન્મરૂપ અટવીને પ્રાપ્ત કરાવવાના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષાદિકને જે જીતે છે તે ‘જિન’ છે. ‘વીર’ એટલે વિક્રાંત (પરાક્રમી); વીરતા ફોરવે, શૌર્ય ફોરવે, વિક્રમ (પરાક્રમ) ફોરવે, કર્મશત્રુઓ પર વિજય મેળવે, તે ‘વીર’ છે. એવા વીરનેકે જે શ્રી વર્ધમાન, શ્રી સન્મતિનાથ, શ્રી અતિવીર અને શ્રી મહાવીર એ નામોથી યુક્ત છે, જે પરમેશ્વર છે, મહાદેવાધિદેવ છે, છેલ્લા તીર્થનાથ છે, જે ત્રણ ભુવનના સચરાચર દ્રવ્ય-ગુણ-પર્યાયોને

૪ ]


Page 5 of 380
PDF/HTML Page 34 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ અધિકાર
[ ૫

पश्चिमतीर्थनाथः त्रिभुवनसचराचरद्रव्यगुणपर्यायैकसमयपरिच्छित्तिसमर्थसकलविमलकेवल- ज्ञानदर्शनाभ्यां युक्तो यस्तं प्रणम्य वक्ष्यामि कथयामीत्यर्थः कं, नियमसारम् नियमशब्दस्तावत् सम्यग्दर्शनज्ञानचारित्रेषु वर्तते, नियमसार इत्यनेन शुद्धरत्नत्रय- स्वरूपमुक्त म् किंविशिष्टं, केवलिश्रुतकेवलिभणितंकेवलिनः सकलप्रत्यक्षज्ञानधराः, श्रुतकेवलिनः सकलद्रव्यश्रुतधरास्तैः केवलिभिः श्रुतकेवलिभिश्च भणितंसकलभव्य- निकुरम्बहितकरं नियमसाराभिधानं परमागमं वक्ष्यामीति विशिष्टेष्टदेवतास्तवनानन्तरं सूत्रकृता पूर्वसूरिणा श्रीकुन्दकुन्दाचार्यदेवगुरुणा प्रतिज्ञातम् इति सर्वपदानां तात्पर्यमुक्त म्

(मालिनी)
जयति जगति वीरः शुद्धभावास्तमारः
त्रिभुवनजनपूज्यः पूर्णबोधैकराज्यः
नतदिविजसमाजः प्रास्तजन्मद्रुबीजः
समवसृतिनिवासः केवलश्रीनिवासः
।।।।

એક સમયે જાણવા-દેખવામાં સમર્થ એવા સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાનદર્શનથી સંયુક્ત છે તેનેપ્રણમીને કહું છું. શું કહું છું? ‘નિયમસાર’ કહું છું. ‘નિયમ’ શબ્દ, પ્રથમ તો, સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર માટે છે. ‘નિયમસાર’ (‘નિયમનો સાર’) એમ કહેતાં શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે. કેવું છે તે? કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું છે. ‘કેવળીઓ’ તે સકલપ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા અને ‘શ્રુતકેવળીઓ’ તે સકળ દ્રવ્યશ્રુતના ધરનારા; એવા કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું, સકળ ભવ્યસમૂહને હિતકર, ‘નિયમસાર’ નામનું પરમાગમ હું કહું છું. આમ, વિશિષ્ટ ઇષ્ટદેવતાના સ્તવન પછી, સૂત્રકાર પૂર્વાચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદેવગુરુએ પ્રતિજ્ઞા કરી.

આ પ્રમાણે સર્વ પદોનું તાત્પર્ય કહેવામાં આવ્યું.

[હવે પહેલી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ]

[શ્લોકાર્થઃ] શુદ્ધભાવ વડે મારનો (કામનો) જેણે નાશ કર્યો છે, ત્રણ

માર = (૧) કામદેવ; (૨) હિંસા; (૩) મરણ.


Page 6 of 380
PDF/HTML Page 35 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

मग्गो मग्गफलं ति य दुविहं जिणसासणे समक्खादं

मग्गो मोक्खउवाओ तस्स फलं होइ णिव्वाणं ।।।।
मार्गो मार्गफलमिति च द्विविधं जिनशासने समाख्यातम्
मार्गो मोक्षोपायः तस्य फलं भवति निर्वाणम् ।।।।

मोक्षमार्गतत्फलस्वरूपनिरूपणोपन्यासोऽयम्

‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’ इति वचनात् मार्गस्तावच्छुद्धरत्नत्रयं, मार्गफलमपुनर्भवपुरन्ध्रिकास्थूलभालस्थललीलालंकारतिलकता द्विविधं किलैवं परम- वीतरागसर्वज्ञशासने चतुर्थज्ञानधारिभिः पूर्वसूरिभिः समाख्यातम् परमनिरपेक्षतया निजपरमात्मतत्त्वसम्यक्श्रद्धानपरिज्ञानानुष्ठानशुद्धरत्नत्रयात्मकमार्गो मोक्षोपायः, तस्य शुद्ध- ભુવનના જનોને જે પૂજ્ય છે, પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ્ય છે, દેવોનો સમાજ જેને નમે છે, જન્મવૃક્ષનું બીજ જેણે નષ્ટ કર્યું છે, સમવસરણમાં જેનો નિવાસ છે અને કેવળશ્રી (કેવળજ્ઞાનદર્શનરૂપી લક્ષ્મી) જેનામાં વસે છે, તે વીર જગતમાં જયવંત વર્તે છે. ૮.

છે માર્ગનું ને માર્ગફળનું કથન જિનવરશાસને;
ત્યાં માર્ગ મોક્ષોપાય છે ને માર્ગફળ નિર્વાણ છે. ૨.

અન્વયાર્થઃ[मार्गः मार्गफलम्] માર્ગ અને માર્ગફળ [इति च द्विविधं] એમ બે પ્રકારનું [जिनशासने] જિનશાસનમાં [समाख्यातम्] કથન કરવામાં આવ્યું છે; [मार्गः मोक्षोपायः] માર્ગ મોક્ષોપાય છે અને [तस्य फलं] તેનું ફળ [निर्वाणं भवति] નિર્વાણ છે.

ટીકાઃઆ, મોક્ષમાર્ગ અને તેના ફળના સ્વરૂપનિરૂપણની સૂચના (તે બંનેના સ્વરૂપના નિરૂપણની પ્રસ્તાવના) છે.

‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः (સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર મોક્ષમાર્ગ છે)’ એવું (શાસ્ત્રનું) વચન હોવાથી, માર્ગ તો શુદ્ધરત્નત્રય છે અને માર્ગફળ મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલપ્રદેશે શોભા-અલંકારરૂપ તિલકપણું છે (અર્થાત્ માર્ગફળ મુક્તિરૂપી સ્ત્રીને વરવું તે છે). આ રીતે ખરેખર (માર્ગ અને માર્ગફળ એમ) બે પ્રકારનું, ચતુર્થજ્ઞાનધારી (મનઃપર્યયજ્ઞાનના ધરનારા) પૂર્વાચાર્યોએ પરમવીતરાગ સર્વજ્ઞના શાસનમાં

૬ ]


Page 7 of 380
PDF/HTML Page 36 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ અધિકાર
[ ૭

रत्नत्रयस्य फलं स्वात्मोपलब्धिरिति

(पृथ्वी)
क्वचिद् व्रजति कामिनीरतिसमुत्थसौख्यं जनः
क्वचिद् द्रविणरक्षणे मतिमिमां च चक्रे पुनः
क्वचिज्जिनवरस्य मार्गमुपलभ्य यः पंडितो
निजात्मनि रतो भवेद् व्रजति मुक्ति मेतां हि सः
।।9।।
णियमेण य जं कज्जं तं णियमं णाणदंसणचरित्तं
विवरीयपरिहरत्थं भणिदं खलु सारमिदि वयणं ।।।।
नियमेन च यत्कार्यं स नियमो ज्ञानदर्शनचारित्रम्
विपरीतपरिहारार्थं भणितं खलु सारमिति वचनम् ।।।।

કથન કર્યું છે. નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધરત્નત્રયનું ફલ સ્વાત્મોપલબ્ધિ (નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ) છે.

[હવે બીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]

[શ્લોકાર્થઃ] મનુષ્ય ક્યારેક કામિની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ ગતિ કરે છે અને વળી ક્યારેક ધનરક્ષાની બુદ્ધિ કરે છે. જે પંડિત ક્યારેક જિનવરના માર્ગને પામીને નિજ આત્મામાં રત થાય છે, તે ખરેખર આ મુક્તિને પામે છે. ૯.

જે નિયમથી કર્તવ્ય એવાં રત્નત્રય તે નિયમ છે;
વિપરીતના પરિહાર અર્થે ‘સાર’ પદ યોજેલ છે. ૩.

અન્વયાર્થઃ[सः नियमः] નિયમ એટલે [नियमेन च] નિયમથી (નક્કી) [यत् कार्यं] જે કરવાયોગ્ય હોય તે અર્થાત[ज्ञानदर्शनचारित्रम्] જ્ઞાનદર્શનચારિત્ર. [विपरीतपरिहारार्थं] વિપરીતના પરિહાર અર્થે (જ્ઞાનદર્શનચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે) [खलु] ખરેખર

શુદ્ધરત્નત્રય અર્થાત્ નિજ પરમાત્મતત્ત્વની સમ્યક્ શ્રદ્ધા, તેનું સમ્યક્ જ્ઞાન અને તેનું સમ્યક્ આચરણ પરની તેમ જ ભેદોની લેશ પણ અપેક્ષા રહિત હોવાથી તે શુદ્ધરત્નત્રય મોક્ષનો ઉપાય છે; તે
શુદ્ધરત્નત્રયનું ફળ શુદ્ધ આત્માની પૂર્ણ પ્રાપ્તિ અર્થાત
્ મોક્ષ છે.


Page 8 of 380
PDF/HTML Page 37 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

अत्र नियमशब्दस्य सारत्वप्रतिपादनद्वारेण स्वभावरत्नत्रयस्वरूपमुक्त म्

यः सहजपरमपारिणामिकभावस्थितः स्वभावानन्तचतुष्टयात्मकः शुद्धज्ञानचेतना- परिणामः स नियमः नियमेन च निश्चयेन यत्कार्यं प्रयोजनस्वरूपं ज्ञानदर्शनचारित्रम् ज्ञानं तावत् तेषु त्रिषु परद्रव्यनिरवलंबत्वेन निःशेषतोन्तर्मुखयोगशक्ते : सकाशात निजपरमतत्त्वपरिज्ञानम् उपादेयं भवति दर्शनमपि भगवत्परमात्मसुखाभिलाषिणो जीवस्य शुद्धान्तस्तत्त्वविलासजन्मभूमिस्थाननिजशुद्धजीवास्तिकायसमुपजनितपरमश्रद्धानमेव भवति [सारम् इति वचनं] ‘સાર’ એવું વચન [भणितम्] કહ્યું છે.

ટીકાઃઅહીં આ (ગાથામાં), ‘નિયમ’ શબ્દને ‘સાર’ શબ્દ કેમ લગાડ્યો છે તેના પ્રતિપાદન દ્વારા સ્વભાવરત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે.

જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત, સ્વભાવ-અનંતચતુષ્ટયાત્મક શુદ્ધજ્ઞાન- ચેતનાપરિણામ તે નિયમ (કારણનિયમ) છે. નિયમ (-કાર્યનિયમ) એટલે નિશ્ચયથી (નક્કી) જે કરવાયોગ્યપ્રયોજનસ્વરૂપહોય તે અર્થાત્ જ્ઞાનદર્શનચારિત્ર. તે ત્રણમાંના દરેકનું સ્વરૂપ કહેવામાં આવે છે(૧) પરદ્રવ્યને અવલંબ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાંથી ઉપાદેય (ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવાયોગ્ય) એવું જે નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન (જાણવું) તે જ્ઞાન છે. (૨) ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંતઃતત્ત્વના વિલાસનું જન્મભૂમિસ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઊપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. (૩) નિશ્ચયજ્ઞાનદર્શનાત્મક કારણ-

૮ ]

૧. આ પરમ પારિણામિક ભાવમાં ‘પારિણામિક’ શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ પરમ પારિણામિક ભાવ તો
ઉત્પાદવ્યયનિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. [વિશેષ માટે સમયસારની ૩૨૦મી
ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકા જુઓ અને બૃહદ્દ્રવ્યસંગ્રહની ૧૩મી ગાથાની
ટીકા જુઓ.]

૨. આ શુદ્ધજ્ઞાનચેતનાપરિણામમાં ‘પરિણામ’ શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ તો ઉત્પાદવ્યયનિરપેક્ષ
એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે.

૩. આ નિયમ તે કારણનિયમ છે, કેમકે તે સમ્યગ્જ્ઞાનદર્શનચારિત્રરૂપ કાર્યનિયમનું કારણ છે. [કારણનિયમના આશ્રયે કાર્યનિયમ પ્રગટે છે.]

૪. વિલાસ=ક્રીડા; મોજ; આનંદ.


Page 9 of 380
PDF/HTML Page 38 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ અધિકાર
[ ૯

चारित्रमपि निश्चयज्ञानदर्शनात्मककारणपरमात्मनि अविचलस्थितिरेव अस्य तु नियम- शब्दस्य निर्वाणकारणस्य विपरीतपरिहारार्थत्वेन सारमिति भणितं भवति

(आर्या)
इति विपरीतविमुक्तं रत्नत्रयमनुत्तमं प्रपद्याहम्
अपुनर्भवभामिन्यां समुद्भवमनंगशं यामि ।।१०।।
णियमं मोक्खउवाओ तस्स फलं हवदि परमणिव्वाणं
एदेसिं तिण्हं पि य पत्तेयपरूवणा होइ ।।।।
नियमो मोक्षोपायस्तस्य फलं भवति परमनिर्वाणम्
एतेषां त्रयाणामपि च प्रत्येकप्ररूपणा भवति ।।।।

પરમાત્મામાં અવિચળ સ્થિતિ (નિશ્ચળપણે લીન રહેવું) તે જ ચારિત્ર છે. આ જ્ઞાન- દર્શનચારિત્રસ્વરૂપ નિયમ નિર્વાણનું કારણ છે. તે ‘નિયમ’ શબ્દને વિપરીતના પરિહાર અર્થે ‘સાર’ શબ્દ જોડવામાં આવ્યો છે.

[હવે ત્રીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છેઃ] [શ્લોકાર્થઃ] એ રીતે હું વિપરીત વિનાના (વિકલ્પરહિત) અનુત્તમ રત્નત્રયનો આશ્રય કરીને મુક્તિરૂપી સ્ત્રીથી ઉદ્ભવતા અનંગ (અશરીરી, અતીન્દ્રિય, આત્મિક) સુખને પ્રાપ્ત કરું છું. ૧૦.

છે નિયમ મોક્ષોપાય, તેનું ફળ પરમ નિર્વાણ છે;
વળી આ ત્રણેનું ભેદપૂર્વક ભિન્ન નિરૂપણ હોય છે. ૪.

અન્વયાર્થઃ[नियमः] (રત્નત્રયરૂપ) નિયમ [मोक्षोपायः] મોક્ષનો ઉપાય છે; [तस्य

૧. કારણના જેવું જ કાર્ય થાય છે; તેથી સ્વરૂપમાં સ્થિરતા કરવાનો અભ્યાસ જ ખરેખર અનંત કાળ સુધી સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય છે.

૨. વિપરીત=વિરુદ્ધ. [વ્યવહારરત્નત્રયરૂપ વિકલ્પોનેપરાશ્રિત ભાવોનેબાતલ કરીને માત્ર નિર્વિકલ્પ જ્ઞાનદર્શનચારિત્રનો જશુદ્ધરત્નત્રયનો જસ્વીકાર કરવા અર્થે ‘નિયમ’ સાથે ‘સાર’ શબ્દ જોડ્યો છે.]

૩. અનુત્તમ=જેનાથી બીજું કાંઈ ઉત્તમ નથી એવું; સર્વોત્તમ; સર્વશ્રેષ્ઠ.


Page 10 of 380
PDF/HTML Page 39 of 409
single page version

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

रत्नत्रयस्य भेदकरणलक्षणकथनमिदम्

मोक्षः साक्षादखिलकर्मप्रध्वंसनेनासादितमहानन्दलाभः पूर्वोक्त निरुपचाररत्नत्रय- परिणतिस्तस्य महानन्दस्योपायः अपि चैषां ज्ञानदर्शनचारित्राणां त्रयाणां प्रत्येकप्ररूपणा भवति कथम्, इदं ज्ञानमिदं दर्शनमिदं चारित्रमित्यनेन विकल्पेन दर्शनज्ञानचारित्राणां लक्षणं वक्ष्यमाणसूत्रेषु ज्ञातव्यं भवति

(मंदाक्रान्ता)
मोक्षोपायो भवति यमिनां शुद्धरत्नत्रयात्मा
ह्यात्मा ज्ञानं न पुनरपरं
द्रष्टिरन्याऽपि नैव
शीलं तावन्न भवति परं मोक्षुभिः प्रोक्त मेतद्
बुद्ध्वा जन्तुर्न पुनरुदरं याति मातुः स भव्यः
।।११।।

फलं] તેનું ફળ [परमनिर्वाणं भवति] પરમ નિર્વાણ છે. [अपि च] વળી (ભેદકથન દ્વારા અભેદ સમજાવવા અર્થે) [एतेषां त्रयाणां] આ ત્રણનું [प्रत्येकप्ररूपणा] ભેદ પાડીને જુદું જુદું નિરૂપણ [भवति] હોય છે.

ટીકાઃરત્નત્રયના ભેદો પાડવા વિષે અને તેમનાં લક્ષણ વિષે આ કથન છે.

સમસ્ત કર્મના નાશથી સાક્ષાત્ મેળવાતો મહા આનંદનો લાભ તે મોક્ષ છે. તે મહા આનંદનો ઉપાય પૂર્વોક્ત નિરુપચાર રત્નત્રયરૂપ પરિણતિ છે. વળી (નિરુપચાર રત્નત્રયરૂપ અભેદપરિણતિમાં અંતર્ભૂત રહેલાં) આ ત્રણનુંજ્ઞાન, દર્શન અને ચારિત્રનુંજુદું જુદું નિરૂપણ હોય છે. કઈ રીતે? આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છેએમ ભેદ પાડીને. (આ શાસ્ત્રમાં) જે ગાથાસૂત્રો આગળ કહેવાશે તેમાં દર્શન-જ્ઞાન-ચારિત્રનાં લક્ષણ જણાશે.

[હવે ચોથી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છેઃ] [શ્લોકાર્થઃ] મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્ધરત્નત્રયાત્મક (શુદ્ધરત્નત્રય- પરિણતિએ પરિણમેલો) આત્મા છે. જ્ઞાન આનાથી કોઈ બીજું નથી, દર્શન પણ આનાથી બીજું નથી જ અને શીલ (ચારિત્ર) પણ બીજું નથી.આ, મોક્ષને પામનારાઓએ (અર્હંતભગવંતોએ) કહ્યું છે. આ જાણીને જે જીવ માતાના ઉદરમાં ફરીને આવતો નથી, તે ભવ્ય છે. ૧૧.

૧૦ ]


Page 11 of 380
PDF/HTML Page 40 of 409
single page version

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ અધિકાર
[ ૧૧
अत्तागमतच्चाणं सद्दहणादो हवेइ सम्मत्तं
ववगयअसेसदोसो सयलगुणप्पा हवे अत्तो ।।।।
आप्तागमतत्त्वानां श्रद्धानाद्भवति सम्यक्त्वम्
व्यपगताशेषदोषः सकलगुणात्मा भवेदाप्तः ।।।।

व्यवहारसम्यक्त्वस्वरूपाख्यानमेतत

आप्तः शंकारहितः शंका हि सकलमोहरागद्वेषादयः आगमः तन्मुखारविन्द- विनिर्गतसमस्तवस्तुविस्तारसमर्थनदक्षः चतुरवचनसंदर्भः तत्त्वानि च बहिस्तत्त्वान्तस्तत्त्व- परमात्मतत्त्वभेदभिन्नानि अथवा जीवाजीवास्रवसंवरनिर्जराबन्धमोक्षाणां भेदात्सप्तधा भवन्ति तेषां सम्यक्श्रद्धानं व्यवहारसम्यक्त्वमिति

(आर्या)
भवभयभेदिनि भगवति भवतः किं भक्ति रत्र न समस्ति
तर्हि भवाम्बुधिमध्यग्राहमुखान्तर्गतो भवसि ।।१२।।
રે! આપ્ત-આગમ-તત્ત્વની શ્રદ્ધાથી સમકિત હોય છે;
નિઃશેષદોષવિહીન જે ગુણસકળમય તે આપ્ત છે. ૫.

અન્વયાર્થઃ[आप्तागमतत्त्वानां] આપ્ત, આગમ અને તત્ત્વોની [श्रद्धानात्] શ્રદ્ધાથી [सम्यक्त्वम्] સમ્યક્ત્વ [भवति] હોય છે; [व्यपगताशेषदोषः] જેના અશેષ (સમસ્ત) દોષો દૂર થયા છે એવો જે [सकलगुणात्मा] સકળગુણમય પુરુષ [आप्तः भवेत्] તે આપ્ત છે.

ટીકાઃઆ, વ્યવહારસમ્યક્ત્વના સ્વરૂપનું કથન છે.

આપ્ત એટલે શંકારહિત. શંકા એટલે સકળ મોહરાગદ્વેષાદિક (દોષો). આગમ એટલે આપ્તના મુખારવિંદમાંથી નીકળેલી, સમસ્ત વસ્તુવિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી ચતુર વચનરચના. તત્ત્વો બહિઃતત્ત્વ અને અંતઃતત્ત્વરૂપ પરમાત્મતત્ત્વ એવા (બે) ભેદોવાળાં છે અથવા જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એવા ભેદોને લીધે સાત પ્રકારનાં છે. તેમનું (આપ્તનું, આગમનું અને તત્ત્વનું) સમ્યક્ શ્રદ્ધાન તે વ્યવહારસમ્યક્ત્વ છે.

[હવે પાંચમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છેઃ] [શ્લોકાર્થઃ] ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી?