Padmapuran (Gujarati). Parva 64 - Laxmanni shakti dur karvano upay aney Vishalyana purvabhavnu varnan; Parva 65 - Ramna sainyama Vishalyanu agaman ane Laxmannu shaktisahit thavu; Parva 66 - Ravan dvara Ramni pasey dootnu mokalvu; Parva 67 - Bahurupini vidhya sadhva matey Ravan dvara Shantinath mandirma pujanu aayojan; Parva 68 - Lankama Ashtanika mahotsav samayey Siddhchakra vratni aradhna; Parva 69 - Ashtanika parvama lokoney vrat-niyam levano Ravanno aadesh; Parva 70 - Ravanni vidhyasadhna aney Vanarvanshi kumaro dvara Lankama updrav; Parva 71 - Ravanney bahurupini vidhyani siddhi.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 24 of 35

 

Page 440 of 660
PDF/HTML Page 461 of 681
single page version

background image
૪૪૦ ચોસઠમું પર્વ પદ્મપુરાણ
છે. તેને મનુષ્ય, દેવ, નાગ, અસુર, કોઈ પણ રોકવા સમર્થ નથી. આ જીવ ઉપાર્જેલું કર્મ
પોતે જ ભોગવે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લક્ષ્મણને શક્તિ લાગવી અને
રામના વિલાપનું વર્ણન કરનાર ત્રેસઠમું પર્વ પૂર્ણ થયું.
* * *
ચોસઠમું પર્વ
(લક્ષ્મણની શક્તિ દૂર કરવાનો ઉપાય અને વિશલ્યાના પૂર્વભવનું વર્ણન)
પછી રાવણ લક્ષ્મણનું નિશ્ચયથી મરણ જાણીને તથા પોતાના ભાઈ અને બેય
પુત્રોને મનમાં મરણરૂપ જ જાણીને અત્યંત દુઃખી થયો. રાવણ વિલાપ કરે છે-અરે ભાઈ
કુંભકર્ણ! પરમ ઉદાર, મહાન હિતચિંતક, કેવી રીતે આવી બંધન અવસ્થા પામ્યો! અરે
ઇન્દ્રજિત, મેઘનાદ! તમે મહાપરાક્રમી, મારી ભુજા સમાન દ્રઢકર્મના યોગથી બંધન અવસ્થા
પામ્યા. આવી અવસ્થા અત્યાર સુધી થઈ નહોતી. મેં શત્રુના ભાઈને હણ્યો છે તેથી
ખબર નથી કે શત્રુ દુઃખી થઈને શું કરશે? તમારા જેવા ઉત્તમ પુરુષો મારા પ્રાણવલ્લભ,
દુઃખરૂપ અવસ્થા પામ્યા, એના જેવું મને અતિકષ્ટ શેનું હોય? આ પ્રમાણે રાવણ ગુપ્ત
રીતે ભાઈ અને પુત્રોનો શોક કરતો હતો. અને જાનકી લક્ષ્મણને શક્તિ વાગી છે એ
સાંભળીને રુદન કરવા લાગી, અરે લક્ષ્મણ! વિનયવાન ગુણભૂષણ! મંદભાગી એવી મારા
નિમિત્તે તારી આવી અવસ્થા થઈ, હું તને આવી અવસ્થામાં જ જોવા ઈચ્છું છું તે
દૈવયોગથી જોવા નહિ પામું. તારા જેવા યૌદ્ધાને પાપી શત્રુએ હણ્યો તો શું મારા મરણનો
સંદેહ તેને ન થયો. તારા જેવો પુરુષ આ સંસારમાં બીજો નથી જેનું ચિત્ત મોટાભાઈની
સેવામાં આસક્ત છે, તું સમસ્ત કુટુંબને છોડી મોટાભાઈની સાથે નીકળ્‌યો, સમુદ્ર તરીને
અહીં આવ્યો અને આવી અવસ્થા પામ્યો, તને હું ક્યારે જોઈશ? તું બાળક્રીડામાં પ્રવીણ,
મહા વિનયવાન, મિષ્ટભાષી, અદ્ભુત કાર્ય કરનારો, એવો દિવસ ક્યારે આવશે જ્યારે હું
તને જોઈશ? સર્વ દેવો સર્વથા તારી રક્ષા કરો. હે સર્વલોકના મનના હરનાર! તું શક્તિના
શલ્યથી રહિત થા. આ પ્રમાણે મહાકષ્ટે શોકરૂપ જાનકી વિલાપ કરે છે. તેના ભાવોથી
અત્યંત પ્રેમ કરનારી વિદ્યાધરી તેને ધૈર્ય બંધાવી, શાંત ચિત્ત કરી કહેવા લાગી, હે દેવી!
તારા દિયરનું હજી સુધી મરણ થયું હોય તેવું નક્કી થયું નથી, માટે તું રુદન ન કર.
મહાધીર સામંતોની એ જ ગતિ છે અને પૃથ્વી પર અનેક પ્રકારના ઉપાયો હોય છે, આવા
વિદ્યાધરીઓનાં વચન સાંભળી સીતા કાંઈક નિરાકુળ થઈ. હવે ગૌતમ સ્વામી શ્રેણિકને
કહે છે કે હે રાજન્! હવે લક્ષ્મણના જે હાલ થયા તે સાંભળ. સુંદર રૂપવાળા એક યૌદ્ધાને
પડાવના દ્વાર પર દાખલ થતો ભામંડળે જોયો અને પૂછયું કે તું કોણ છો? ક્યાંથી આવ્યો
છે, શા હેતુથી અહીં પ્રવેશ કરે છે? અહીં જ રહે,

Page 441 of 660
PDF/HTML Page 462 of 681
single page version

background image
પદ્મપુરાણ ચોસઠમું પર્વ ૪૪૧
આગળ ન જા. ત્યારે તે કહેવા લાગ્યો કે મને નીકળ્‌યા એક મહિના ઉપર થોડા દિવસ
થયા છે, મારી અભિલાષા રામનાં દર્શન કરવાની છે માટે રામનાં દર્શન કરીશ. અને તમે
જે લક્ષ્મણના જીવવાની ઈચ્છા રાખો છો તો હું તેના જીવનનો ઉપાય કહીશ. જ્યારે તેણે
આમ કહ્યું ત્યારે ભામંડળ અતિપ્રસન્ન થઈ દ્વાર પર પોતાના જેવા જ બીજા સુભટને
મૂકીને તેને સાથે લઈને શ્રી રામ પાસે આવ્યો. પછી વિદ્યાધર શ્રી રામને નમસ્કાર કરી
કહેવા લાગ્યો, હે દેવ! તમે ખેદ ન કરો, લક્ષ્મણકુમાર નિશ્ચયથી જીવશે. દેવગતિ નામનું
નગર છે, ત્યાં રાજા શશિમંડળ રાજ્ય કરે છે. તેમની રાણી સુપ્રભાનો પુત્ર હું ચંદ્રપ્રીતમ
છું. હું એક દિવસ આકાશમાં વિચરતો હતો ત્યારે રાજા વેલાધ્યક્ષના પુત્ર સહસ્ત્રવિજય
સાથે મારે વેર હતું, કેમ કે તેની માગેલી કન્યાને હું પરણ્યો હતો. તેની અને મારી વચ્ચે
મોટું યુદ્ધ થયું, તેણે ચંડરવા નામની શક્તિ મને મારી તેથી હું આકાશમાંથી અયોધ્યાના
મહેન્દ્ર નામના ઉદ્યાનમાં પડયો. મને પડતો જોઈને અયોધ્યાના સ્વામી રાજા ભરત
આવીને ઊભા રહ્યા. શક્તિથી ભેદાયેલ મારું વક્ષસ્થળ જોઈને અત્યંત દયાળુ, મારા
જીવનદાતાએ મને ચંદનના જળથી છાંટા નાખ્યા તેથી શક્તિ નીકળી ગઈ, મારું રૂપ જેવું
હતું તેવું થઈ ગયું. કાંઈક વધારે પણ થયું. તે રાજા ભરતે મને નવો જન્મ આપ્યો જેથી
તમારાં દર્શન થયાં.
આ વચન સાંભળી શ્રી રામચંદ્રે પૂછયું કે તે ગંદોદકની ઉત્પત્તિ વિશે શું તું જાણે
છે? ત્યારે તેણે કહ્યું કે હે દેવ! જાણું છું, તમે સાંભળો, મેં રાજા ભરતને પૂછયું હતું અને
તેણે મને કહ્યું કે આ અમારો આખો દેશ રોગથી પીડિત થયો હતો, કોઈ ઉપાયથી સારું
થતું નહોતું, પૃથ્વી પર કયા કયા રોગ ફેલાય છે તે સાંભળો. ઉરોગાત, મહાદાહજ્વર,
લાલ પરિશ્રમ, સર્વશૂન્ય, અને છિરદ ઈત્યાદિ અનેક રોગ આખા દેશના પ્રાણીઓને થયા
હતા. જાણે કે ક્રોધથી રોગોની ધાડ જ દેશમાં આવી. એક રાજા દ્રોણમેઘ તેની પ્રજા સહિત
નીરોગ રહ્યા હતા તેથી મેં તેમને બોલાવ્યા અને પૂછયું કે હે મામા! તમે જેવા નિરોગ છો
તેવો મને અને મારી પ્રજાને તરત કરો. ત્યારે રાજા દ્રોણમેઘે જેની સુગંધથી દશ દિશામાં
સુગંધ ફેલાય તેવા જલથી મને સીંચ્યો અને હું સાજો થઈ ગયો. તે જળથી મારા રાજ્યની
પ્રજા પણ નીરોગ થઈ ગઈ. આખો દેશ સારો થઈ ગયો, બધા રોગ મટી ગયા. હજારો
રોગ ઉત્પન્ન કરનાર અત્યંત દુસ્સહ વાયુ જે મર્મને ભેદે છે તે વાયુનો જળથી નાશ થયો.
પછી મેં દ્રોણમેઘને પૂછયું કે આ જળ કયાનું છે કે જેનાથી સર્વ રોગોનો નાશ થાય છે?
દ્રોણમેઘે જવાબ આપ્યો કે હે રાજન્! મારે વિશલ્યા નામની પુત્રી છે તે સર્વ વિદ્યામાં
પ્રવીણ અને ગુણોથી સંયુક્ત છે. તે જ્યારે ગર્ભમાં આવી ત્યારે મારા દેશમાં અનેક
વ્યાધિઓ ફેલાયેલી હતી, પણ પુત્રી ગર્ભમાં આવતાં જ બધા રોગ અદ્રશ્ય થઈ ગયા.
પુત્રી જિનશાસનમાં પ્રવીણ છે, ભગવાનની પૂજામાં તત્પર છે, આખા કુટુંબની પૂજ્ય છે,
તેના સ્નાનનું આ જળ છે, તેના શરીરની સુગંધથી જળ પણ સુગંધી બન્યું છે. ક્ષણમાત્રમાં
સર્વ રોગનો વિનાશ કરે છે. દ્રોણમેઘના આ વચન સાંભળી હું અચરજ પામ્યો.

Page 442 of 660
PDF/HTML Page 463 of 681
single page version

background image
૪૪ર ચોસઠમું પર્વ પદ્મપુરાણ
તેના નગરમાં જઈ તેની પુત્રીની સ્તુતિ કરી અને નગરીમાંથી નીકળીને સર્વહિત નામના
મુનિને પૂછયું, હે પ્રભો! દ્રોણમેઘની પુત્રી વિશલ્યાનું ચરિત્ર કહો. ત્યારે ચાર જ્ઞાનના
ધારક મુનિ, મહાવાત્સલ્યધારીએ કહ્યું, કે હે ભરત! મહાવિદેહ ક્ષેત્રમાં સ્વર્ગ સમાન
પુંડરિક દેશ છે, ત્યાં ત્રિભુનાનંદ નામનું નગર છે, ત્યાં ચક્રધર નામના ચક્રવર્તી રાજાનું
રાજ્ય છે, તેની પુત્રી અનંગશરા ગુણરૂપ આભૂષણવાળી, સ્ત્રીઓના અદ્ભુત રૂપવાળી
હતી તેને પ્રતિષ્ઠિતપુરનો ધણી રાજા પુનર્વસુ વિદ્યાધર, જે ચક્રવર્તીનો સામંત હતો, તે
કન્યાને જોઈ કામબાણથી પીડિત થઈ વિમાનમાં બેસાડીને લઈ ગયો. તેથી ચક્રવર્તીએ
ગુસ્સે થઈને કિંકર મોકલ્યા. તેમણે તેની સાથે યુદ્ધ કર્યું, તેનું વિમાન તોડી નાખ્યું એટલે
તેણે વ્યાકુળ થઈને કન્યાને આકાશમાંથી નીચે ફેંકી તે શરદઋતુના ચંદ્રમાની જ્યોતિ
સમાન પુનર્વસુની પર્ણલઘુવિદ્યાથી અટવીમાં આવીને પડી. તે અટવી દુષ્ટ જીવોથી
ભયાનક, જેનું નામ શ્વાપદ રૌરવ હતું, જ્યાં વિદ્યાધરો પણ આવી શકતા નહિ, વૃક્ષોના
સમૂહથી અંધકારરૂપ હતી, નાના પ્રકારના વેલોથી વીંટાયેલાં ઊંચા વૃક્ષોની સઘનતાથી ત્યાં
સૂર્યનાં કિરણો પણ પ્રવેશતા નહિ અને ચિત્તા, વાઘ, સિંહ, અષ્ટાપદ, ગેંડા, રીંછ, ઈત્યાદિ
અનેક વનચરો તેમાં ફરતા, ભૂમિ ઊંચીનીચી વિષમ હતી, તેમાં મોટા મોટા ખાડા હતા.
આ ચક્રવર્તીની કન્યા અનંગશરા એકલી તે વનમાં અત્યંત દુઃખી થઈ, નદીના કિનારે
જઈ, દિશાઓનું અવલોકન કરતી માતાપિતાને યાદ કરીને રુદન કરતી હતી, અરેરે! હું
ચક્રવર્તીની પુત્રી, મારા પિતા ઇન્દ્ર સમાન, તેની હું અત્યંત લાડકી, દૈવયોગે આવી
અવસ્થા પામી, હવે હું શું કરું? આ વનનો અંત નથી, આ વન જોઈને દુઃખ ઉપજે છે.
અરે પિતા! સકળ લોકમાં પ્રસિદ્ધ મહાપરાક્રમી છે, આ વનમાં હું અસહાય પડી છું, મારા
ઉપર કોણ દયા કરે? અરે માતા! અત્યંત દુઃખપૂર્વક તમે મને ગર્ભમાં રાખી, હવે કેમ
મારી ઉપર દયા કરતાં નથી? અરે! મારા પરિવારના ઉત્તમ મનુષ્યો! એક ક્ષણમાત્ર મને
છોડતા નહોતા, તો હવે કેમ મને ત્યજી દીધી? અરે! હું જન્મતાં જ કેમ મરણ ન પામી?
શા માટે દુઃખની ભૂમિકા થઈ? ઈચ્છા પ્રમાણે મૃત્યુ મળતું નથી, શું કરું? ક્યાં જાઉં, હું
પાપણી ક્યાં રહું? આ સ્વપ્ન છે કે સત્ય છે? આ પ્રમાણે ચિરકાળ વિલાપ કરીને અત્યંત
વિહ્વળ બની ગઈ. એવો વિલાપ કર્યો કે જે સાંભળીને અત્યંત દુષ્ટ પશુનું ચિત્ત પણ
કોમળ થઈ જાય. આ કન્યા દીનચિત્ત થઈને ક્ષુધા-તૃષાથી દગ્ધ, શોકસાગરમાં મગ્ન,
ફળપત્રાદિથી જીવતી કર્મના યોગથી તે વનમાં કેટલાક શીતકાળ રહી. કેવા છે શીતકાળ?
કમળના વનની શોભાના સર્વસ્વને હરનાર. તેણે અનેક ગ્રીષ્મકાળના આતાપ સહ્યા. જેમાં
જળના સમૂહ સુકાય છે, દાવાનળોથી અનેક વનવૃક્ષ બને છે અને અનેક્ જંતુ મરે છે.
તેણે વનમાં વર્ષાકાળ પણ અનેક વીતાવ્યા. તે વખતે જળધારાના અંધકારથી સૂર્યની
જ્યોતિ દબાઈ ગઈ છે તેનું શરીર વર્ષાએ ધોયેલા ચિત્ર જેવું થઈ ગયું છે. કાંતિરહિત,
દુર્બળ વીખરાયેલા વાળ, મળયુક્ત શરીર લાવણ્યરહિત થયું, જાણે સૂર્યના પ્રકાશથી ચંદ્રની
કળાનો પ્રકાશ ક્ષીણ થઈ ગયો. કૈથના વનમાં બેઠી પિતાને યાદ કરીને રુદન કરે છે કે મેં
ચક્રવર્તીને ત્યાં જન્મ તો લીધો, પણ પૂર્વજન્મનાં

Page 443 of 660
PDF/HTML Page 464 of 681
single page version

background image
પદ્મપુરાણ ચોસઠમું પર્વ ૪૪૩
પાપથી વનમાં આવી દુઃખી અવસ્થા પામી. તે વૃક્ષોનાં પડેલાં સૂકાં ફળો ખાઈને તથા
બેલા, તેલા આદિ અનેક ઉપવાસ કરીને અને પાણી પીને રહેતી. દિવસમાં એક જ વાર
ફળ અને જળ લેતી. આ ચક્રવર્તીની પુત્રી પુષ્પોની સેજ પર સૂતી, તેના વાળ તેને
ખૂંચતા. તે અહીં વિષમ ભૂમિ પર ખેદરહિત સૂતી. પિતાના અનેક ગુણીજન સ્તુતિ કરતા
શબ્દો સાંભળી જાગતી તે હવે શિયાળ વગેરે અનેક વનચરોના ભયંકર શબ્દો સાંભળી
રાત્રિ પસાર કરતી. આ પ્રમાણે ત્રણ હજાર વર્ષ તપ કર્યું. સૂકાં ફળ, સૂકા પત્ર અને
જળનો આહાર કર્યો અને અત્યંત વૈરાગ્ય પામી ખાનપાનનો ત્યાગ કરી, ધીરજ રાખી
સંલ્લેખના મરણ આરંભ્યું. એકસો હાથ ભૂમિથી દૂર નહી જાઉં એવો નિયમ લઈને બેઠી,
આયુષ્યના છ દિવસ બાકી હતા અને એક અરહદાસ નામનો વિદ્યાધર સુમેરુની વંદના
કરીને જતો હતો તે અહીં આવી ચડયો. તેણે ચક્રવર્તીર્ની પુત્રીને જોઈ પિતાના સ્થાનકે
લઈ જવાનો વિચાર કર્યો. પણ સંલેખનાનો યોગ કર્યો હોવાથી કન્યાએ તેને રોક્યો.
પછી અરહદાસ તરત જ ચક્રવર્તીની પાસે જઈને ચક્રવર્તીને લઈ કન્યા પાસે
આવ્યો. જે સમયે ચક્રવર્તી આવ્યો તે સમયે એક સર્પ કન્યાને ગળી રહ્યો હતો. કન્યા
પિતાને જોઈ અજગરને અભયદાન અપાવ્યું અને પોતે સમાધિ મરણ કરીને શરીર તજી,
ત્રીજા સ્વર્ગમાં ગઈ. પિતા પુત્રીની આ અવસ્થા જોઈને બાવીસ હજાર પુત્રો સહિત
વૈરાગ્ય પામી મુનિ થયા. કન્યાએ અજગરને ક્ષમા કરી, અજગરને પીડા થવા ન દીધી,
એવી દ્રઢતા તેનાથી જ બને. પેલો પુનર્વસુ વિદ્યાધર અનંગશરાને શોધતો રહ્યો. પણ તે ન
મળી. ત્યારે ખેદખિન્ન થઈને દ્રુમસેન મુનિની પાસે મુનિ થયો અને મહાતપ કર્યું. તે
સ્વર્ગમાં દેવ થઈ મહાસુંદર લક્ષ્મણ થયા. તે ચક્રવર્તીની પુત્રી અનંગશરા સ્વર્ગમાંથી
ચ્યવીને દ્રોણમેઘની પુત્રી વિશલ્યા થઈ અને તેણે પુનર્વસુના નિમિત્તે નિદાન કર્યું હતું તે
હવે લક્ષ્મણને વરશે. આ વિશલ્યા આ નગરમાં, આ દેશમાં અને ભરતક્ષેત્રમાં
મહાગુણવંતી છે, પૂર્વભવના તપના પ્રભાવથી મહાપવિત્ર છે, તેના સ્નાનનું આ જળ
સકળ વિકારને હણે છે. તેણે ઉપસર્ગ સહન કર્યો. મહાતપ કર્યું, તેનું આ ફળ છે, એના
સ્નાનના જળથી તારા દેશમાં વાયુવિષમ વિકાર થયો હતો તે નાશ પામ્યો છે. મુનિના આ
વચન સાંભળી ભરતે મુનિને પૂછયું કે હે પ્રભો! મારા દેશમાં સર્વ લોકોને રોગનો વિકાર
કયા કારણે થયો? મુનિએ કહ્યું કે ગજપુર નગરથી એક વિંધ્ય નામનો મહાધનવાન
વેપારી ગધેડા, ઊંટ, પાડા વગેરે પર માલ લાદીને અયોધ્યામાં આવ્યો અને અગિયાર
મહિના અયોધ્યામાં રહ્યો. તેનો એક પાડો વધારે ભાર લાદવાથી ઘાયલ થયો, તીવ્ર
રોગથી પીડાયો અને આ નગરમાં ઘૂમ્યો તે અકામનિર્જરાના યોગથી અશ્વકેતુ નામનો
વાયુકુમાર દેવ થયો. તેનું નામ વિદ્યાવર્ત હતું. તેણે અવધિજ્ઞાનથી પૂર્વભવને યાદ કર્યો કે
પૂર્વભવમાં હું પાડો હતો, પીઠ તૂટી ગઈ હતી અને અનેક રોગોથી પીડિત માર્ગમાં
કાદવમાં પડયો હતો ત્યારે લોકો મારા માથા પર પગ મૂકીને ચાલ્યા હતા. આ લોકો
અત્યંત નિર્દય છે. હવે હું દેવ થયો છું તો તેમને પરેશાન ન કરું તો હું

Page 444 of 660
PDF/HTML Page 465 of 681
single page version

background image
૪૪૪ પાંસઠમું પર્વ પદ્મપુરાણ
દેવ શાનો? આમ વિચારી અયોધ્યાનગર અને સુકોશલ દેશમાં તેણે વાયુ ફેલાવ્યો. તે
સમસ્તરોગ વિશલ્યાના ચરણોદકના પ્રભાવથી નાશ પામ્યો. બળવાન કરતાં પણ અધિક
બળવાન હોય છે. આ પૂર્ણ કથા મુનિએ ભરતને કહી અને ભરતે મને કહી અને મેં
તમને બધાને કહી. વિશલ્યાનું સ્નાનજળ તરત મંગાવો. લક્ષ્મણના જીવનનો બીજો ઉપાય
નથી. વિદ્યાધરે રામને આ પ્રમાણે કહ્યું તે સાંભળી પ્રસન્ન થયા. ગૌતમ સ્વામી કહે છે કે
હે શ્રેણિક! જે પુણ્યાધિકારી છે તેમને પુણ્યના ઉદયથી અનેક ઉપાય મળે છે. હે મહાન
જનો! તેમને આપત્તિના સમયે અનેક ઉપાય સિદ્ધ થાય છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રુથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં વિશલ્યાના પૂર્વભવનું વર્ણન
કરનાર ચોસઠમું પર્વ પૂર્ણ થયું.
* * *
પાંસઠમું પર્વ
(રામના સૈન્યમાં વિશલ્યાનું આગમન અને લક્ષ્મણનું શક્તિરહિત થવું)
પછી આ વિદ્યાધરનાં વચનો સાંભળી શ્રી રામે અને બધા વિદ્યાધરોએ તેની ખૂબ
પ્રશંસા કરી અને હનુમાન, ભામંડળ, તથા અંગદ સાથે મંત્રણા કરી તેમને અયોધ્યા તરફ
વિદાય કર્યા. તેઓ ક્ષણમાત્રમાં ગયા જ્યાં મહાપ્રતાપી ભરત બિરાજે છે. ભરત સૂતા હતા.
તેમને મધુર ગીત ગાઈને જગાડવાનો પ્રયત્ન કર્યો અને ભરત જાગ્યા. પછી તે મળ્‌યા.
સીતાનું હરણ, રાવણ સાથે યુદ્ધ, લક્ષ્મણને શક્તિનું લાગવું, આ સમાચાર સાંભળી
ભરતને શોક અને ક્રોધ થયો. તેમણે તે જ સમયે યુદ્ધની ભેરી વગડાવી તેથી આખી
અયોધ્યાના લોકો વ્યાકુળ થયા, વિચારવા લાગ્યા કે આ રાજમહેલમાં શેનો કલકલાટ
સંભળાય છે? અર્ધી રાત્રે શું અતિવીર્યનો પુત્ર આવી ચડયો? કોઈ સુભટ પોતાની સ્ત્રી
સાથે સૂતો હતો તેને તજીને પોતાનું બખ્તર પહેરીને ખડ્ગ હાથમાં લીધું. કોઈક મૃગનયની
ભોળા બાળકને ગોદમાં લઈને અને સ્તનો પર હાથ ઢાંકીને દિશાઓ અવલોકવા લાગી,
કોઈ સ્ત્રી નિદ્રારહિત થઈ સૂતેલા પતિને જગાડવા લાગી, કોઈ ભરતજીનો સેવક જોઈને
પોતાની સ્ત્રીને કહેવા લાગ્યા, હે પ્રિયે! શું સૂઈ રહી છે? આજે અયોધ્યામાં કાંઈક
બરાબર નથી, રાજમહેલમાં પ્રકાશ થઈ રહ્યો છે. અને રથ, હાથી, ઘોડા, પ્યાદાં રાજદ્વાર
તરફ જાય છે. જે ડાહ્યા માણસો હતા તે બધા સાવધાન થઈને ઊઠીને ઊભા થયા. કોઈ
પુરુષો સ્ત્રીને કહેવા લાગ્યા, આ સુવર્ણ કળશ, મણીરત્નોની પેટીઓ તિજોરીમાં અને સુંદર
વસ્ત્રોની પેટીઓ ભોંયરામાં મૂકી દો અને બીજું દ્રવ્ય પણ ઠેકાણે કરો. ભાઈ શત્રુઘ્ન નિદ્રા
તજી હાથી પર બેસી મંત્રીઓ સહિત શસ્ત્રધારી યોદ્ધાઓને લઈ રાજદ્વારે આવ્યો. બીજા
પણ ઘણા રાજદ્વારે આવ્યા. ભરતે બધાને યુદ્ધ માટે તૈયાર થવાનો આદેશ આપ્યો.
ભામંડળ, હનુમાન, અંગદ ભરતને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે હે દેવ! લંકાપુરી
અહીંથી દૂર છે અને વચમાં સમુદ્ર છે. ત્યારે

Page 445 of 660
PDF/HTML Page 466 of 681
single page version

background image
પદ્મપુરાણ પાંસઠમું પર્વ ૪૪પ
ભરતે કહ્યું કે તો શું કરવું? પછી તેમણે વિશલ્યાની હકીકત કહી અને કહ્યું કે હે પ્રભો!
રાજા દ્રોણમેઘની પુત્રી વિશલ્યાના સ્નાનનું જળ આપો, શીઘ્ર કૃપા કરો જેથી અમે લઈ
જઈએ, સૂર્યનો ઉદય થયા પછી લક્ષ્મણનું જીવન કઠણ છે. ત્યારે ભરતે કહ્યું કે તેના
સ્નાનનું જળ શું તેને જ લઈ જાવ. મને મુનિએ કહ્યું હતું કે આ વિશલ્યા લક્ષ્મણની સ્ત્રી
થશે. પછી દ્રોણમેઘની પાસે એક મનુષ્યને તે જ સમયે મોકલ્યો. લક્ષ્મણને શક્તિ વાગી છે
તે સાંભળીને દ્રોધમેઘે અત્યંત કોપ કર્યો અને યુદ્ધ માટે તૈયાર થયો. પછી ભરત અને
માતા કૈકેયી પોતે આવીને દ્રોણમેઘને સમજાવી વિશલ્યાને વિમાનમાં બેસાડી, બીજી એક
હજાર રાજાઓની કન્યા સાથે લઈ રામના સૈન્યમાં આવ્યા વિમાનમાંથી કન્યા ઊતરી,
તેની ઉપર ચામર ઢોળાય છે. કન્યાના કમળ સરખા નેત્ર હાથી, ઘોડા અને મોટા મોટા
યોદ્ધાઓને દેખવા લાગ્યા. જેમ જેમ વિશલ્યા દળમાં પ્રવેશતી ગઈ તેમ તેમ લક્ષ્મણના
શરીરમાં શાતા થવા લાગી, તે દેવરૂપિણી શક્તિ લક્ષ્મણના શરીરમાંથી નીકળી જાણે કે
જ્યોતિ સંયુક્ત દુષ્ટ સ્ત્રી ઘરમાંથી નીકળી. દેદીપ્યમાન અગ્નિના તણખા આકાશમાં ઊડતા
હતા, તે શક્તિને હનુમાને પકડી, તેણે દિવ્ય સ્ત્રીનું રૂપ ધર્યું હતું. પછી તે હનુમાનને હાથ
જોડી કહેવા લાગી કે હે નાથ! પ્રસન્ન થાવ, મને છોડી દો, મારો અપરાધ નથી, અમારી
આ જ રીત છે કે જે અમને સાધે છે તેને વશ અમે થઈએ છીએ. હું અમોધવિજયા
નામની ત્રણ લોકમાં પ્રસિદ્ધ વિદ્યાશક્તિ છું. કૈલાસ પર્વત પર વાલી મુનિ પ્રતિમા યોગ
ધરીને રહ્યા હતા અને રાવણે ભગવાનના ચૈત્યાલયમાં ભક્તિગાન કર્યું હતું. પોતાના
હાથની નસ વગાડીને જિનેન્દ્રનું ચરિત્ર ગાયું ત્યારે ધરણેન્દ્રનું આસન કંપ્યું અને ધરણેન્દ્ર
પરમ હર્ષથી આવ્યા અને રાવણ પ્રત્યે અતિ પ્રસન્ન થઈ મને સોંપી હતી. રાવણ યાચના
કરવામાં કાયર હતા તેથી તેણે મારી ઈચ્છા કરી નહિ. પણ ધરણેન્દ્રે તેને આગ્રહ કરીને
આપી હતી. હું અત્યંત વિકરાળ સ્વરૂપવાળી છું, જેને ચોંટું તેના પ્રાણહરી લઉં, મને
રોકવા કોઈ સમર્થ નથી. એક આ વિશલ્યાસુંદરી સિવાય હું દેવોની વિજેતા છું. હું આને
જોતાં જ ભાગી જાઉં છું. એના પ્રભાવથી હું શક્તિરહિત થઈ ગઈ છું. તપનો એવો
પ્રભાવ છે કે જો તે ચાહે તો સૂર્યને પણ શીતળ કરે અને ચંદ્રમાને ઉષ્ણ કરી નાખે. આણે
પૂર્વજન્મમાં અતિ ઉગ્ર તપ કર્યું હતું, કોમળ ફૂલ સમાન એનું શરીર તેણે તપમાં લગાડયું
હતું. તેણે એવું ઉગ્ર તપ કર્યું કે જે મુનિઓથી પણ ન બને. મારા મનમાં તો એમ જ
લાગે છે કે સંસારમાં જે પ્રાણી આવાં તપ કરે, વર્ષા, શીત, આતાપ, અને અતિ દુસ્સહ
પવનથી એ સુમેરુના શિખર સમાન અડગ રહી. ધન્ય એનું રૂપ, ધન્ય એનું સાહસ, ધન્ય
એનું મન દ્રઢ રહ્યું તે. આના જેવું તપ બીજી સ્ત્રીઓ કરવાને સમર્થ નથી-સર્વથા
જિનેન્દ્રના મત અનુસાર તપ કરે તે ત્રણ લોકને જીતે છે. અથવા આ વાતનું શું આશ્ચર્ય
છે? જે તપથી મોક્ષ પમાય તેને બીજું શું અઘરું હોય? હું પરને આધીન, જે મને ચલાવે
તેના શત્રુનો હું નાશ કરું. આણે મને જીતી, હવે હું મારા સ્થાનકે જાઉં છું. તેથી તમે તો
મારો અપરાધ ક્ષમા કરો. શક્તિદેવીએ આ પ્રમાણે કહ્યું ત્યારે તત્ત્વવેત્તા

Page 446 of 660
PDF/HTML Page 467 of 681
single page version

background image
૪૪૬ પાંસઠમું પર્વ પદ્મપુરાણ
હનુમાન તેને વિદાય આપીને પોતાની સેનામાં આવ્યા અને દ્રોણમેઘની પુત્રી વિશલ્યા
અત્યંત લજ્જાથી રામના ચરણારવિંદને નમસ્કાર કરી હાથ જોડી ઊભી રહી. વિદ્યાધરો
પ્રશંસા કરવા લાગ્યા, નમસ્કાર કરવા લાગ્યા, આશીર્વાદ આપવા લાગ્યા, જેમ ઇન્દ્ર પાસે
શચિ જાય તેમ તે વિશલ્યા સુલક્ષણા, મહાભાગ્યવતી સખીઓના કહેવાથી લક્ષ્મણની પાસે
ઊભી રહી. તે નવયુવાન જેના નેત્ર મૃગલી જેવા હતા, જેનું મુખ પૂર્ણમાસીના ચંદ્રમા
સમાન, અનુરાગથી ભરેલી, ઉદાર મનવાળી, ધરતી પર સૂખપૂર્વક સૂતેલા લક્ષ્મણને
એકાંતમાં સ્પર્શ કરી પોતાના સુકુમાર કરકમળથી પતિના પગ દાબવા લાગી,
મલયાગિરિના ચંદનથી પતિનાં સર્વ અંગો પર લેપ કર્યો. તેની સાથે જે હજાર કન્યા
આવી હતી તેમણે એના હાથમાંથી ચંદન લઈ વિદ્યાધરોના શરીર પર છાંટયું એટલે એ
બધા ઘાયલ સાજા થઈ ગયા. ઈન્દ્રજિત, કુંભકર્ણ, અને મેઘનાદ ઘાયલ થયા હતા એટલે
એમને પણ ચંદનના લેપથી સાજા કર્યા તેથી તે પરમ આનંદ પામ્યા, જેમ કર્મરોગ રહિત
સિદ્ધ પરમેષ્ઠી પરમ આનંદ આપે છે. બીજા પણ જે યોદ્ધા હાથી, ઘોડા, પ્યાદાં ઘાયલ થયાં
હતાં તે બધાને સારા કર્યા, તેમના ઘાની પીડા મટી ગઈ, આખું કટક સારું થઈ ગયું.
લક્ષ્મણ જેમ સૂતેલો જાગે તેમ વીણાનો નાદ સાંભળી અત્યંત પ્રસન્ન થયા, મોહશય્યા
છોડી, શ્વાસ લઈ આંખ ઊઘાડી, ઊઠીને ક્રોધથી દશે દિશાઓ જોઈ બોલ્યા, ક્યાં ગયો
રાવણ, ક્યાં ગયો તે રાવણ? આ વચન સાંભળી રામ અતિ હર્ષ પામ્યા. જેમના નેત્ર
ખીલી ઊઠયા છે, જેમના શરીરે રોમાંચ થઈ ગયા છે એવા મોટાભાઈ પોતાની ભુજાઓ
વડે ભાઈને મળ્‌યા અને બોલ્યા, હે ભાઈ! તે પાપી તને શક્તિથી અચેત કરીને પોતાને
કૃતાર્થ માની ઘેર ગયો છે અને આ રાજકન્યા ના પ્રસાદથી તું સાજો થયો છે. પછી
જામવંત આદિ બધા વિદ્યાધરોએ શક્તિ લાગવાથી માંડી તે નીકળી ગઈ ત્યાં સુધીનો સર્વ
વૃત્તાંત કહ્યો. પછી લક્ષ્મણે વિશલ્યાને અનુરાગદ્રષ્ટિથી જોઈ. જેના નેત્ર સફેદ, શ્યામ અને
લાલ ત્રણ વર્ણના કમળ જેવા છે, જેનું મુખ શરદની પૂર્ણિમાના ચંદ્ર સમાન છે, કોમળ
શરીર ક્ષીણ કટિ, દિગ્ગજના કુંભસ્થળ સમાન સ્તન છે, જે સાક્ષાત મૂર્તિમતી કામની ક્રીડા
જ છે, જાણે ત્રણે લોકની શોભા એકઠી કરી નામકર્મે તેની રચના કરી છે તેને જોઈ
લક્ષ્મણ આશ્ચર્ય પામ્યા, મનમાં વિચારવા લાગ્યા, આ લક્ષ્મી છે કે ઇન્દ્રની ઇન્દ્રાણી છે
અથવા ચંદ્રની કાંતિ છે? આમ વિચાર કરે છે ત્યાં વિશલ્યાની સાથેની સ્ત્રી કહેવા લાગી
કે હે સ્વામી! તમારા અને આના વિવાહનો ઉત્સવ અમે જોવા ઈચ્છીએ છીએ. લક્ષ્મણ
મલક્યા અને વિશલ્યાનું પાણિગ્રહણ કર્યું. વિશલ્યાની કીર્તિ આખા જગતમાં ફેલાઈ ગઈ.
આ પ્રમાણે જે ઉત્તમ પુરુષ છે અને જેમણે પૂર્વજન્મમાં શુભ ચેષ્ટા કરી છે તેમને મનોજ્ઞ
વસ્તુનો સંબંધ થાય છે અને ચંદ્ર-સૂર્ય જેવી તેમની કાંતિ થાય છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં વિશલ્યાના સમાગમનું વર્ણન
કરનાર પાંસઠમું પર્વ પૂર્ણ થયું.

Page 447 of 660
PDF/HTML Page 468 of 681
single page version

background image
પદ્મપુરાણ છાંસઠમું પર્વ ૪૪૭
છાંસઠમું પર્વ
(રાવણ દ્વારા રામની પાસે દૂતનું મોકલવું)
ત્યારપછી લક્ષ્મણના વિશલ્યા સાથે લગ્ન થયાના અને શક્તિ નીકળી જવાના બધા
સમાચાર રાવણે ગુપ્તચર દ્વારા સાંભળ્‌યા અને મલકાઈને મંદબુદ્ધિથી કહ્યું કે શક્તિ નીકળી
ગઈ તો શું થયું? અને વિશલ્યા સાથે પરણ્યાથી શું થયું? ત્યારે મંત્રણામાં પ્રવીણ મારીચ
આદિ મંત્રીઓએ કહ્યું, હે દેવ! તમારા કલ્યાણની સાચી વાત અમે કહીશું તમે કોપ કરો કે
પ્રસન્ન થાવ. રામ અને લક્ષ્મણને સિંહવાહિની અને ગરુડવાહિની વિદ્યા વિના યત્ને સિદ્ધ
થઈ છે તે તમે જોયું છે. તમારા બન્ને પુત્ર અને ભાઈ કુંભકર્ણને તેમણે બાંધી લીધા છે
તે પણ તમે જોયું છે. વળી તમારી દિવ્ય, શક્તિ પણ નિરર્થક થઈ છે. તમારા શત્રુ અત્યંત
બળવાન છે, તેમના ઉપર કદાચ જીત મેળવશો તો પણ તમારા ભાઈ અને પુત્રોનો નાશ
નિશ્ચય છે માટે આમ જાણીને અમારા ઉપર કૃપા કરો. આજ સુધીમાં અમારી વિનંતી
આપે કદી નકારી નથી માટે સીતાને છોડી દો. તમારામાં જે સદા ધર્મબુદ્ધિ રહી છે તે
રાખો, બધા લોકોનું કુશળ થશે અને રાઘવ સાથે તમે સંધિ કરો. આ વાત કરવામાં દોષ
નથી. મહાગુણ છે. તમારાથી જ સર્વ લોકોમાં મર્યાદા પળાય છે. ધર્મની ઉત્પત્તિ તમારાથી
છે જેમ સમુદ્રમાંથી રત્નની ઉત્પત્તિ થાય છે. આમ કહીને મુખ્ય મંત્રી હાથ જોડી નમસ્કાર
કરી વિનંતી કરવા લાગ્યા. પછી બધાએ એવી મંત્રણા કરી કે એક સામંત દૂત વિદ્યામાં
પ્રવીણ હોય તેને સંધિ માટે રામ પાસે મોકલવો. એટલે પછી બુદ્ધિમાં શુક્ર સમાન,
મહાતેજસ્વી, મિષ્ટવાદી, પ્રતાપી એક દૂતને બોલાવવામાં આવ્યો. તેને મંત્રીઓએ અમૃત
ઔષધિ સમાન સુંદર વચનો કહ્યાં. પરંતુ રાવણે નેત્રની સમસ્યા વડે મંત્રીઓના અર્થને
દૂષિત કરી નાખ્યો, જેમ કોઈ મહાન ઔષધિને વિષ દ્વારા વિષરૂપ કરી નાખે, તેમ રાવણે
સંધિની વાત વિગ્રહરૂપ બતાવી. દૂત સ્વામીને નમસ્કાર કરીને જવા તૈયાર થયો. કેવો છે
દૂત! બુદ્ધિના ગર્વથી લોકોને ગાયની ખરી જેવા ગણે છે, આકાશમાર્ગે જતાં રામના
ભયાનક કટકને જોવા છતાં દૂતને ભય ન ઉપજ્યો. એનાં વાજિંત્રો સાંભળી
વાનરવંશીઓની સેના ક્ષોભ પામી, રાવણના આગમનની શંકા કરી. જ્યારે તે નજીક
આવ્યો ત્યારે જાણ્યું કે એ રાવણ નથી, કોઈ બીજો પુરુષ છે. ત્યારે વાનરવંશીઓની
સેનાને વિશ્વાસ ઉત્પન્ન થયો. દૂત દ્વાર પર આવી પહોંચ્યો એટલે દ્વારપાળે ભામંડળને
વાત કરી. ભામંડળે રામને વિનંતી કરી કહ્યું, કેટલાક માણસો સાથે તેને નજીક બોલાવ્યો
અને તેની સેના કટકમાં ઊતરી.
રામને નમસ્કાર કરી દૂતે કહ્યું, હે રઘુચંદ્ર! મારા શબ્દો દ્વારા મારા સ્વામીએ તમને
કાંઈક કહ્યું છે તે ચિત્ત દઈને સાંભળો, યુદ્ધ કરવાથી કાંઈ પ્રયોજન નથી, ભૂતકાળમાં
યુદ્ધના અભિમાની અનેક નાશ પામ્યા છે તેથી પ્રીતિ રાખવી એ જ યોગ્ય છે, યુદ્ધથી
લોકોનો ક્ષય થાય છે અને મહાન દોષ ઉપજે છે, અપવાદ થાય છે. અગાઉ સંગ્રામની
રુચિથી રાજા દુર્વર્તક, શંખ, ધવલાંગ, અસુર, સંબરાદિ અને રાજાઓ નાશ પામ્યા છે તેથી
મારી સાથે તમારે પ્રીતિ રાખવી જ યોગ્ય

Page 448 of 660
PDF/HTML Page 469 of 681
single page version

background image
૪૪૮ છાંસઠમું પર્વ પદ્મપુરાણ
છે અને જેમ સિંહ મહાન પર્વતની ગુફા પામીને સુખી થાય છે તેમ આપણા મિલાપથી
સુખ થાય છે. હું રાવણ જગત્ પ્રસિદ્ધ છું, તે શું તમે નથી સાંભળ્‌યું? જેણે ઇન્દ્ર જેવા
રાજાને કેદ કર્યા હતા, જેમ કોઈ સ્ત્રીને અને સામાન્ય લોકોને પકડે તેમ ઇન્દ્રને પકડયો
હતો. જેની આજ્ઞા સુર-અસુરોથી ઓળંગી ન શકાય, ન આકાશમાં, ન જળમાં, ન
પાતાળમાં કોઈ તેની આજ્ઞાને રોકી શકે. નાના પ્રકારનાં અનેક યુદ્ધોને જીતનાર વીર
લક્ષ્મી જેને વરે એવો હું તમને સાગરાંત પૃથ્વી વિદ્યાધરોથી મંડિત આપું છું અને લંકાને
બે ભાગમાં વહેંચી દઉં છું
ભાવાર્થઃ– સમસ્ત રાજ્ય અને અડધી લંકા તમને આપું છું. તમે મારા ભાઈ અને
મારા બન્ને પુત્રોને મારી પાસે મોકલી દો અને સીતા મને દો પછી બધું કુશળ થઈ જશે.
અને જો તમે આમ નહિ કરો તો મારા પુત્ર અને ભાઈ તમારા બંધનમાં છે તેમને તો
બળજોરીથી છોડાવી જઈશ અને તમારી કુશળતા નહિ રહે. ત્યારે રામ બોલ્યા-મને
રાજ્યનું કામ નથી અને સ્ત્રીઓનું પણ કામ નથી, સીતા અમને મોકલી દો, અમે તારા
બન્ને પુત્ર અને ભાઈને મોકલી દઈએ. તમારી લંકા તમારી પાસે જ રાખો અને આખું
રાજ્ય પણ તમે કરો. હું સીતા સાથે દુષ્ટ પ્રાણીઓથી ભરેલા વનમાં સુખપૂર્વક રહીશ. હે
દૂત! તું લંકાના ધણી પાસે જઈને કહે, આ જ વાતમાં તમારું હિત છે, બીજી રીતે નથી.
શ્રી રામના આવા સર્વપૂજ્ય, સુખશાતા સંયુક્ત વચનો સાંભળી દૂતે કહ્યું કે હે નૃપતિ!
તમે રાજકાજમાં સમજતા નથી. હું તમને હિતની વાત કહું છું, નિર્ભય થઈને સમુદ્રને
ઓળંગીને આવ્યા છો તે સારું નથી કર્યું અને આ જાનકીની આશા તમારા માટે સારી
નથી. જો લંકેશ્વર કોપ કરશે તો જાનકીની તો શી વાત? તમારું જીવવું પણ કઠિન છે.
રાજનીતિમાં આમ કહ્યું છે કે બુદ્ધિમાનોએ નિરંતર પોતાના શરીરની રક્ષા કરવી, સ્ત્રી
અને ધન પર દ્રષ્ટિ ન રાખવી. ગરુડેન્દ્રે તમને સિંહવાહન અને ગરુડવાહન મોકલ્યાં તેથી
શું થઈ ગયું? અને તમે છળકપટ કરીને મારા પુત્ર અને ભાઈને બાંધ્યા તેથી પણ શું
છે? જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તમારો આ બાબતનો ગર્વ નકામો છે. જો તમે યુદ્ધ
કરશો તો નહિ જાનકીનું જીવન રહે, નહિ તમારું જીવન રહે, માટે બેય ન ગુમાવો,
સીતાનો આગ્રહ છોડો. વળી રાવણે એમ કહ્યું છે કે મોટા વિદ્યાધર રાજાઓ, જેમના
પરાક્રમ ઇન્દ્ર જેવા હતા, જે સમસ્ત શાસ્ત્રમાં પ્રવીણ અને યુદ્ધના વિજેતા હતા તેમનો મેં
નાશ કર્યો છે. તેમના કૈલાસ પર્વતના શિખર જેવાં હાડકાંનો સમૂહ જુઓ. દૂતે જ્યારે આ
પ્રમાણે કહ્યું ત્યારે ભામંડળ ગુસ્સે થયો, જ્વાળા જેવું તેનું વિકરાળ મુખ બન્યું અને દૂતને
કહ્યું કે અરે પાપી દૂત! ચાતુર્યરહિત દુર્બુદ્ધિ! નિર્ભયપણે શા માટે મિથ્યા બકવાસ કરે છે?
સીતાની શી વાત છે? સીતા તો રામ લેશે જ. જો શ્રી રામ કોપ્યા તો પછી રાક્ષસ
રાવણ, કુચેષ્ટિત પશુની પણ શી ગતિ થશે? આમ કહીને મારવાને ખડ્ગ ઉગામ્યું લક્ષ્મણે
તેનો હાથ પકડી રોક્યો. લક્ષ્મણ નીતિથી જ જુએ છે. ભામંડળની આંખો ક્રોધથી લાલ
થઈ ગઈ. સંધ્યાની લાલી જેવું વદન પણ લાલ થઈ ગયું. મંત્રીઓએ તેમને યોગ્ય વચનો
દ્વારા શાંત કર્યા. જેમ વિષભર્યા સર્પને મંત્રથી વશ કરીએ

Page 449 of 660
PDF/HTML Page 470 of 681
single page version

background image
પદ્મપુરાણ છાંસઠમું પર્વ ૪૪૯
છીએ. હે નરેન્દ્ર! ક્રોધ તજો, આ રંક તમારે યોગ્ય નથી. એ પારકો કિંકર છે, જે બોલાવે
તે બોલે. એને મારવાથી શું? સ્ત્રી, બાળક, દૂત, પશુ, પક્ષી, વૃદ્ધ, રોગી, સૂતેલો, નિઃશસ્ત્ર,
શરણાગત, તપસ્વી અને ગાયઃ આ બધાં સર્વથા અવધ્ય છે. જેમ સિંહ, કાળી ઘટા સમાન
ગાજે છે એવા ગજનું મર્દન કરે છે તે ઘેંટા ઉપર કોપ ન કરે તેમ તમારા જેવા રાજા દૂત
ઉપર કોપ ન કરે. આ તો તેનો શબ્દાનુસારી છે જેમ છાયા પુરુષની અનુગામિની હોય છે
તેમ. પોપટને જે શીખવો તે શીખે અને યંત્રને જેવું વગાડો તેવું વાગે તેમ અ રાંકને જેમ
બોલવાનું કહ્યું તેમ તે બોલે. લક્ષ્મણે આમ કહ્યું. ત્યારે સીતાનો ભાઈ ભામંડળ શાંતચિત્ત
થયો. શ્રી રામે દૂતને પ્રગટ કહ્યું, હે મૂઢ દૂત! શું શીઘ્ર જા અને રાવણને આમ કહે કે મૂઢ
એવો તું મંત્રીઓનો બહકાવેલો ખોટા ઉપાયથી તારી જાતને જ છેતરીશ. તું તારી બુદ્ધિથી
વિચાર, કોઈ દુર્બદ્ધિને ન પૂછ, સીતાનો પ્રસંગ છોડી દે, આખી પૃથ્વીનો ઇન્દ્ર થઈ પુષ્પક
વિમાનમાં બેસી જેમ ભ્રમણ કરતો હતો તેમ ફર, આ મિથ્યા હઠ છોડી દે, ક્ષુદ્રોની વાત ન
સાંભળ. આટલું બોલીને શ્રી રામ તો ચૂપ થઈ ગયા અને બીજા પુરુષોએ દૂતને વધારે
વાત કરવા ન દીધી, કાઢી મૂક્યો. રામના અનુચરોએ દૂતને તીક્ષ્ણ બાણ જેવાં વચનોથી
વીંધ્યો, તેનો ખૂબ અનાદર કર્યો. પછી તે રાવણ પાસે ગયો, મનમાં તે પીડાતો હતો. તેણે
જઈને રાવણને કહ્યું, હે નાથ! મેં તમારા આદેશ પ્રમાણે રામને કહ્યું કે આ પૃથ્વી નાના
દેશોથી ભરેલી સમુદ્રાંત, રત્નોથી ભરેલી, વિદ્યાધરોના સમસ્ત નગરો સહિત તમને આપું
છું, મોટા મોટા હાથી, રથ, તુરંગ આપું છું અને આ પુષ્પક વિમાન લ્યો, જેને દેવો પણ
રોકી શકતા નથી, તેમાં બેસીને વિચરો અને મારા કુટુંબની ત્રણ હજાર કન્યાઓ તમને
પરણાવું, સૂર્ય સમાન સિંહાસન, ચંદ્રમા સમાન છત્ર લ્યો અને નિષ્કંટક રાજ્ય કરોઃ
આટલી વાત મને માન્ય છે, જો તમારી આજ્ઞાથી સીતા મને ઈચ્છે, આ ધન અને ધરા
લ્યો અને હું અલ્પવિભૂતિ રાખી, એક વેંતના સિંહાસન પર રહીશ. વિચક્ષણ હો તો મારું
એક વચન માનો, સીતા મને દો. આ વાત મેં વારંવાર કરી, પણ રઘુનંદને સીતાની હઠ
ન છોડી, તેમને કેવળ સીતાનો અનુરાગ છે, બીજી વસ્તુની ઈચ્છા નથી. હે દેવ! શાંત
ચિત્તવાળા મુનિઓ અઠ્ઠાવીસ મૂળ ગુણોની ક્રિયા ન છોડે. તે ક્રિયા મુનિવ્રતનું મૂળ છે તેમ
રામ સીતાને છોડવાના નહિ, સીતા જ તેમનું સર્વસ્વ છે. ત્રણ લોકમાં સીતા જેવી સુંદરી
નથી. રામે તમને એમ કહ્યું છે કે હે દશાનન! આવા સર્વ લોકમાં નિંદ્ય વચનો તમારા
જેવા પુરુષે કહેવા યોગ્ય નથી, આવાં વચન તો પાપી કહે છે. તેની જીભના સો ટુકડા કેમ
નથી થતા? મારે આ સીતા સિવાય ઇન્દ્રના ભોગોનું કાંઈ કામ નથી. આ આખી પૃથ્વી તું
ભોગવ, હું વનવાસ જ કરીશ. અને તું પરસ્ત્રીનું હરણ કરીને મરવાને તૈયાર થયો છે તો
હું મારી પોતાની સ્ત્રી માટે કેમ ન મરું? મને ત્રણ હજાર કન્યા આપે છે તે મારે કામની
નથી, હું વનનાં ફળ અને પાંદડાં જ ખાઈશ અને સીતા સાથે વનમાં વિચરીશ.
કપિધ્વજોનો સ્વામી સુગ્રીવ મને હસીને બોલ્યો કે તારો સ્વામી શા માટે આગ્રહરૂપ ગ્રહને
વશ થયો છે? કોઈ વાયુનો વિકાર થયો છે કે આવી વિપરીત વાત રંક થઈને

Page 450 of 660
PDF/HTML Page 471 of 681
single page version

background image
૪પ૦ છાંસઠમું પર્વ પદ્મપુરાણ
બકે છે? વળી કહ્યું કે લંકામાં કોઈ વૈદ્ય નથી કે મંત્રવાદી નથી, વાયુનો તૈલાદિ વડે ઉપાય
કેમ નથી કરતા? નહિતર સંગ્રામમાં લક્ષ્મણ બધા રોગ મટાડી દેશે અર્થાત્ મારશે.
આ સાંભળી મેં ક્રોધથી પ્રજ્વલિત થઈ સુગ્રીવને કહ્યું કે હે વાનરધ્વજ! તું જેમ
ગજની સાથે શ્વાન ભસે તેમ બકે છે. તું રામના ગર્વથી મરવા ઈચ્છે છે કે ચક્રવર્તીને
નિંદાના વચન કહે છે? સુગ્રીવને અને મારે ઘણી વાત થઈ અને વિરાધિતને કહ્યું કે
વધારે શા માટે બોલો છો, તારી એવી શક્તિ હોય તો મારા એકલા સાથે જ યુદ્ધ કરી લે
અને રામને કહ્યું-હે રામ! તમે ઘોર યુદ્ધમાં રાવણનું પરાક્રમ જોયું નથી, કોઈ તમારા
પુણ્યના યોગથી તે વીર વિકરાળ ક્ષમામાં આવ્યા છે, તે કૈલાસને ઊંચકનાર, ત્રણ
જગતમાં પ્રસિદ્ધ પ્રતાપી તમારું હિત કરવા ચાહે છે અને રાજ્ય આપે છે તેના સમાન
બીજું શું હોય? તમે તમારી ભુજાઓથી દશમુખરૂપ સમુદ્રને કેવી રીતે તરશો? કેવો છે
દશમુખરૂપ સમુદ્ર? પ્રચંડ સેનારૂપી તરંગોની માળાથી પૂર્ણ છે. શસ્ત્રરૂપી જળચરોથી
ભરેલો છે. હે રામ! તમે કેવી રીતે રાવણરૂપ ભયંકર વનમાં પ્રવેશ કરશો. રાવણરૂપ વન
દુર્ગમ છે, દુષ્ટ હાથીઓથી પૂર્ણ છે, સેનારૂપ વૃક્ષોના સમૂહથી અતિવિષમ છે. હે રામ! જેમ
કમળપત્રની હવાથી સુમેરુ ન ડગે, સૂર્યનાં કિરણોથી સૂર્ય ન સુકાય, બળદનાં શિંગડાંથી
પૃથ્વી ન ઊંચકાય તેમ તમારા જેવા નરોથી નરપતિ દશાનન ન જિતાય. આવા પ્રચંડ
વચન મેં કહ્યાં ત્યારે ભામંડળે ક્રોધથી મને મારવા ખડ્ગ કાઢયું, તે વખતે લક્ષ્મણે તેને
રોક્યો અને કહ્યું કે દૂતને મારવો તે ન્યાય નથી. શિયાળ ઉપર સિંહ કોપ ન કરે તે સિંહ
ગજેન્દ્રના કુંભસ્થળ પોતાના નખથી વિદારે. માટે હે ભામંડળ! પ્રસન્ન થાવ, ક્રોધ છોડો,
મહાતેજસ્વી, શૂરવીર, નૃપતિઓ દીન પર પ્રહાર કરતા નથી. જે ભયથી કંપતો હોય તેને
ન હણે. શ્રમણ એટલે મુનિ, બ્રાહ્મણ એટલે વ્રતધારી ગૃહસ્થ, શૂન્ય, સ્ત્રી, બાળક, વૃદ્ધ,
પશુ, પક્ષી અને દૂત એ અવધ્ય છે, એમને શૂરવીર સર્વથા ન હણે ઈત્યાદિ વચનો વડે
મહાપંડિત લક્ષ્મણે ભામંડળને સમજાવીને પ્રસન્ન કર્યો. કપિધ્વજના કુમાર મહાક્રૂરે મને
વજ્ર સમાન વચનોથી વીંધ્યો ત્યારે હું તેમના અસાર વચનો સાંભળી આકાશમાં ગમન
કરી, આયુષ્યકર્મના યોગથી આપની નિકટ આવ્યો છું. હે દેવ! જો લક્ષ્મણ ન હોત તો
આજ મારું મરણ જ થાત. શત્રુઓ અને મારી વચ્ચે જે વિવાદ થયો તે બધો મેં આપને
કહ્યો. મેં જરાય બીક રાખી નથી. હવે આપના મનમાં જે આવે તે કરો, અમારા જેવા
કિંકરો તો વચન કહે છે, જે કહો તે પ્રમાણે કરીએ. ગૌતમ ગણધર કહે છે કે હે શ્રેણિક!
જે અનેક શાસ્ત્રો જાણતા હોય અને નયોમાં પ્રવીણ હોય, જેના મંત્રી પણ નિપુણ હોય
અને સૂર્ય જેવા તેજસ્વી હોય તો પણ મોહરૂપ મેઘપલટથી આચ્છાદિત થયા હોય તે
પ્રકાશરહિત થાય છે. આ મોહ મહાઅજ્ઞાનનું મૂળ છે અને વિવેકીઓએ તજવા યોગ્ય છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણના દૂતનું આગમન અને રાવણ

Page 451 of 660
PDF/HTML Page 472 of 681
single page version

background image
પદ્મપુરાણ સડસઠમું પર્વ ૪પ૧
પાસે ગમનનું વર્ણન કરનાર છાંસઠમું પર્વ પૂર્ણ થયું.
* * *
સડસઠમું પર્વ
(બહુરૂપિણી વિદ્યા સાધવા માટે રાવણ દ્વારા શાંતિનાથ મંદિરમાં પૂજાનું આયોજન)
લંકેશ્વર પોતાના દૂતનાં વચન સાંભળી થોડી વાર મંત્રના જ્ઞાતા મંત્રીઓ સાથે
મંત્રણા કરીને, કપાળ પર હાથ મૂકી, નીચું મુખ કરી, કાંઈક ચિંતારૂપ થયો. તે પોતાના
મનમાં વિચારે છે કે જો હું શત્રુને યુદ્ધમાં જીતું તો ભાઈ અને પુત્રોનું અકુશળ જણાય છે
અને કદાચ શત્રુઓના કટકમાં હું છળથી જઈને કુમારોને લઈ આવું તો શૂરાતનમાં
ન્યૂનતા ગણાય. છળકપટ કરવું ક્ષત્રિયોને માટે યોગ્ય નથી, શું કરું? મને કેમ કરીને સુખ
થાય? એ વિચાર કરતાં રાવણને એવી ઇચ્છા થઈ કે હું બહુરૂપિણી વિદ્યા સાધું.
બહુરૂપિણી વિદ્યા હોય તો કદાચ દેવ યુદ્ધ કરે તો પણ જીતી ન શકે. એવો વિચાર કરીને
સર્વ સેવકોને આજ્ઞા કરી કે શ્રી શાંતિનાથના મંદિરમાં સમીચીન તોરણાદિકથી ખૂબ શોભા
કરો અને સર્વ ચૈત્યાલયોમાં વિશેષ પૂજા કરો. પૂજા પ્રભાવનાનો બધો ભાર મંદોદરીને
સોંપ્યો. ગૌતમ ગણધર કહે છે કે હે શ્રેણિક! તે સમય વીસમા તીર્થંકર શ્રી
મુનિસુવ્રતનાથનો હતો. તે વખતે આ ભરતક્ષેત્રમાં બધાં સ્થળોએ જિનમંદિરો હતાં. આ
પૃથ્વી જિનમંદિરોથી મંડિત નથી. ચતુર્વિધ સંઘની વિશેષ પ્રવૃત્તિ હતી. રાજા, શ્રેષ્ઠી,
ગ્રામપતિ અને બધા પ્રજાજનો જૈન હતા. તે મહારમણીક જિનમંદિર બનાવતા. જિનમંદિર
જિનશાસનના ભક્ત દેવોથી શોભાયમાન હતા. તે દેવ ધર્મની રક્ષામાં પ્રવીણ, શુભ કાર્ય
કરનારા હતા. તે સમયે પૃથ્વી ભવ્ય જીવોથી ભરેલી, જાણે કે સ્વર્ગનું વિમાન જ હોય
એવી શોભતી. ઠેકઠેકાણે પૂજા, ઠેકઠેકાણે પ્રભાવના, ઠેકઠેકાણે દાનની પ્રવૃત્તિ હતી. હે
મગધાધિપતિ! દરેક પર્વત પર, દરેક ગામમાં, નગરમાં, દરેક વનમાં, દરેક મકાનમાં
જિનમંદિરો હતાં. અત્યંત સુશોભિત, શરદ પૂનમના ચંદ્ર જેવા ઉજ્જવળ, ગીતધ્વનિથી
ગુંજતા, નાના પ્રકારનાં વાજિંત્રોથી જાણે સમુદ્ર ગાજતોં. ત્રણે સંધ્યાએ લોકો વંદના કરવા
આવતા. સાધુઓના સંગથી પૂર્ણ, નાના પ્રકારનાં આશ્ચર્યોથી સંયુક્ત, જુદાં જુદાં ચિત્રો
સહિત, અગર ચંદનનો ધૂપ અને પુષ્પોની સુગંધથી સુગંધમય, વૈભવયુક્ત, અતિ વિશાળ
અને ઊંચા, ધ્વજાથી શોભતા, તેમાં રત્નમય, સ્વર્ણમય પંચવર્ણની પ્રતિમાઓ વિરાજતી,
વિદ્યાધરોના સ્થાનમાં સુંદર જિનમંદિરોનાં શિખરોથી શોભા થઈ રહી છે. તે વખતે નાના
પ્રકારના રત્નમય ઉપવનાદિમાં શોભિત જિનભવનોથી આ જગત વ્યાપ્ત હતું, ઇન્દ્રના
નગર સમાન લંકા અંદર અને બહાર જિનમંદિરોથી મનોજ્ઞ હતી. રાવણે ત્યાં વિશેષ
શોભા કરાવી. રાવણ પોતે અઢાર હજાર રાણીરૂપ કમળોના વનને પ્રફુલ્લિત કરતો
પોતાનાં મંદિરોમાં તથા સર્વ ક્ષેત્રોમાં જિનમંદિરોની શોભા કરાવતો હતો. રાવણના ઘર
તરફ લોકોના નેત્ર મંડાયા છે, તે જિનમંદિરોની પંક્તિથી મંડિત છે. નાના પ્રકારનાં
રત્નમય મંદિરોની મધ્યમાં શ્રી શાંતિનાથનું ચૈત્યાલય છે,

Page 452 of 660
PDF/HTML Page 473 of 681
single page version

background image
૪પ૨ અડસઠમું પર્વ પદ્મપુરાણ
તેમાં ભગવાન શાંતિનાથની પ્રતિમા બિરાજે છે. ભવ્ય જીવો સકળ લોકચરિત્રને અસાર
જાણી ધર્મમાં બુદ્ધિ કરે છે, જિનમંદિરોનો મહિમા કરે છે. જિનમંદિરો જગતવંદ્ય છે, ઇન્દ્રના
મુગટની ટોચે લાગેલાં રત્નોની જ્યોતને પોતાનાં ચરણોના નખોની જ્યોતિથી વધારે છે,
ધન પ્રાપ્ત કરવાનું ફળ ધર્મ કરવો તે જ છે. ગૃહસ્થનો ધર્મ દાન-પૂજારૂપ છે અને યતિનો
ધર્મ શાંતભાવરૂપ છે. આ જગતમાં આ જિનધર્મ મનવાંછિત ફળ આપે છે; જેમ સૂર્યના
પ્રકાશથી આંખોવાળા પ્રાણી પદાર્થોનું અવલોકન કરે છે તેમ જિનધર્મના પ્રકાશથી ભવ્ય
જીવ નિજભાવનું અવલોકન કરે છે.
એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં શાંતિનાથના ચૈત્યાલયનું વર્ણન
કરનાર સડસઠમું પર્વ પૂર્ણ થયું.
* * *
અડસઠમું પર્વ
(લંકામાં અષ્ટાહ્નિકા મહોત્સવ સમયે સિદ્ધચક્ર વ્રતની આરાધના)
ફાગણ સુદી આઠમથી પૂનમ સુધી સિદ્ધચક્રનું વ્રત છે જેને અષ્ટાહ્નિકા કહે છે. આ
આઠ દિવસોમાં લંકાના લોકો અને સેનાના માણસોએ નિયમ લીધા. સેનાના સર્વ ઉત્તમ
લોકોએ મનમાં એવી ધારણા કરી કે આઠ દિવસ ધર્મના છે તેથી આ દિવસોમાં ન યુદ્ધ
કરવું કે ન બીજો આરંભ કરવો. યથાશક્તિ કલ્યાણના હેતુથી ભગવાનની પૂજા કરીશું અને
ઉપવાસાદિ નિયમ કરીશું. આ દિવસોમાં દેવો પણ પૂજા-પ્રભાવનામાં તત્પર થાય છે.
સુવર્ણકળશથી ક્ષીરસાગરનું જળ ભરી તેનાથી દેવ ભગવાનનો અભિષેક કરે છે. એ જળ
સત્પુરુષોના યશસમાન ઉજ્જવળ છે. બીજા મનુષ્યોએ પણ પોતાની શક્તિ પ્રમાણે પૂજા
અભિષેક કરવા. ઇન્દ્રાદિક દેવ નંદીશ્વર દ્વીપમાં જઈ જિનેશ્વરનું અર્ચન કરે છે તો શું આ
મનુષ્યો પોતાની શક્તિ પ્રમાણે અહીંના ચૈત્યાલયોનું પૂજન ન કરે? કરે જ. દેવ સુવર્ણ-
રત્નોના કળશોથી અભિષેક કરે છે અને મનુષ્ય પોતાની સંપત્તિ પ્રમાણે કરે. અત્યંત ગરીબ
માણસ હોય તો ખાખરાનાં પાંદડાંના પડિયાથી જ અભિષેક કરે. દેવો રત્ન- સુવર્ણના
કમળોથી પૂજા કરે છે, નિર્ધન મનુષ્ય ચિંત્તરૂપી કમળોથી પૂજા કરે છે. લંકાના લોકો આમ
વિચારીને ભગવાનનાં ચૈત્યાલયોને ઉત્સાહથી ધ્વજાસહિત શોભાવવા લાગ્યા, વસ્ત્ર, સુવર્ણ
રત્નાદિથી શોભા કરી. રત્નોની અને સોનાની રજના મંડળ માંડયા, દેવાલયોનાં દ્વાર
શણગાર્યાં, મણિ-સુવર્ણના કળશ કમળોથી ઢાંકેલા દહીં, દૂધ, ધૃતાદિથી પૂર્ણ જિનબિંબોના
અભિષેક માટે ભક્તિવાળા લોકો લાવ્યા. ત્યાંના ભોગી પુરુષોના ઘરમાં સેંકડો, હજારો
મણિ-સુવર્ણોના કળશ છે. નંદનવનમાં પુષ્પ અને લંકાનાં વનના નાના પ્રકારનાં પુષ્પ જેવાં
કે કર્ણિકાર, અતિમુક્ત, કદંબ, સહકાર, ચંપક, પારિજાત, મંદાર અને મણિ સુવર્ણાદિકનાં
સૂચનાઃ–પ્રતિષ્ઠિત જિનપ્રતિમાની સ્વચ્છતા માટે દિગંબર જૈન શુદ્ધ આમ્નાયમાં અચિત શુદ્ધ જળનો
ઉપયોગ કરવાનું વિધાન છે. દૂધ, દહીં, ઘી વગેરે વડે અભિષેક કરવો તે શુદ્ધ આમ્નાય અનુસાર નથી.

Page 453 of 660
PDF/HTML Page 474 of 681
single page version

background image
પદ્મપુરાણ ઓગણસીત્તેરમું પર્વ ૪પ૩
કમળોથી પૂજા કરતા હતા. ઢોલ, મૃદંગ, તાલ, શંખ ઇત્યાદિ અનેક વાજિંત્રોના નાદ થવા
લાગ્યા. લંકાપુરના નિવાસી વેર તજી આનંદરૂપ થઈ આઠ દિવસમાં ભગવાનની પૂજા
અત્યંત મહિમાપૂર્વક કરવા લાગ્યા. જેમ નંદીશ્વર દ્વીપમાં દેવ પૂજા કરવા આવે છે તેમ
લંકાના લોકો લંકામાં પૂજા કરવા લાગ્યા, વિસ્તીર્ણ પ્રતાપનો ધારક રાવણ શ્રી
શાંતિનાથના મંદિરમાં જઈ પવિત્ર થઈ ભક્તિપૂર્વક અતિ મનોહર પૂજન કરવા લાગ્યો.
જેમ પહેલાં પ્રતિવાસુદેવ કરે છે ગૌતમ ગણધર કહે છે કે હે શ્રેણિક! જે ભગવાનના
ભક્ત અતિ મહિમાથી પ્રભુનું પૂજન કરે છે તેનાં પુણ્યોનું વ્યાખ્યાન કોણ કરી શકે? તે
ઉત્તમ પુરુષ દેવગતિનાં સુખ ભોગવે, ચક્રવર્તીઓના ભોગ પામે, પછી રાજ્ય તજી
જૈનમતના વ્રત ધારણ કરી મહાન તપથી પરમમુક્તિ પામે, કારણ કે તપનું તેજ સૂર્યથી
પણ અધિક છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં શાંતિનાથના ચૈત્યાલયમાં
અષ્ટાહ્નિકાના ઉત્સવનું વર્ણન કરનાર અડસઠમું પર્વ પૂર્ણ થયું.
* * *
ઓગણસીત્તેરમું પર્વ
(અષ્ટાહ્નિકા પર્વમાં લોકોને વ્રત– નિયમ લેવાનો રાવણનો આદેશ)
શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર કૈલાસના શિખર અને શરદના મેઘ સમાન
ઉજ્જવળ, મંદિરોની પંક્તિથી મંડિત, જેમ જંબુદ્વીપમાં અતિઉત્તુંગ સુમેરુ પર્વત શોભે તેમ
રાવણના મહેલની મધ્યમાં શોભતું હતું. વિદ્યાના સાધનમાં આસક્ત ચિત્તવાળો અને સ્થિર
નિશ્ચયવાળો રાવણ ત્યાં જઈ પરમ અદ્ભુત પૂજા કરવા લાગ્યો. ભગવાનનો અભિષેક
કરી અનેક વાજિંત્રો વગાડી, મનોહર દ્રવ્યોથી, મહા સુગંધી ધૂપથી, નાના પ્રકારની
સામગ્રીથી, શાંત ચિત્તે શાંતિનાથ ભગવાનની પૂજા કરતો હતો, જાણે કે બીજો ઇન્દ્ર જ છે.
શુક્લ વસ્ત્ર પહેરી, સુંદર ભુજબંધથી જેની ભુજા શોભે છે, શિરના કેશ બાંધી તેના ઉપર
મુગટ પહેરી જેના ઉપરનો ચૂડામણિ લસલસતું તેજ ફેલાવતો હતો, રાવણ બન્ને હાથ
જોડી જમીનને ગોઠણથી સ્પર્શતો મન, વચન, કાયાથી શાંતિનાથને પ્રણામ કરવા લાગ્યો.
શ્રી શાંતિનાથની સામે નિર્મળ ભૂમિ પર ઊભેલો અત્યંત શોભતો હતો. ભૂમિની ફરસ
પદ્મરાગમણિની છે. રાવણ સ્ફટિકમણિની માળા હાથમાં લઈ અને હૃદયમાં શ્રીજીનું નામ
રટતો જાણે બગલાઓની પંક્તિથી સંયુક્ત કાળી ઘટાઓનો સમૂહ જ હોય તેવો શોભતો
હતો. તે રાક્ષસોના અધિપતિએ વિદ્યાસાધનનો આરંભ કર્યો. શાંતિનાથના ચૈત્યાલયમાં
જવા પહેલાં તેણે મંદોદરીને આજ્ઞા કરી હતી કે તું મંત્રીઓને અને કોટવાળને બોલાવી
નગરમાં ઘોષણા કરાવી દે કે સર્વ લોકો દયામાં તત્પર થઈ નિયમધર્મ ધારણ કરો, સમસ્ત
વેપાર છોડી જિનેન્દ્રની પૂજા કરો. યાચકોને મનવાંછિત ધન આપો અને

Page 454 of 660
PDF/HTML Page 475 of 681
single page version

background image
૪પ૪ સીત્તેરમું પર્વ પદ્મપુરાણ
અહંકાર છોડો. જ્યાં સુધી મારો નિયમ પૂરો ન થાય ત્યાં સુધી સર્વ લોકો શ્રદ્ધાળુ બની
સંયમ રાખે, કદાચિત્ કોઈ બાધા કરે તો નિશ્ચયથી સહન કરે, બળવાન હોય તે બળનો
ગર્વ ન કરે. આ દિવસોમાં જે કોઈ ક્રોધથી વિકાર કરશે તે અવશ્ય સજા પામશે. મારા
પિતા સમાન પૂજ્ય હશે તે પણ આ દિવસોમાં કષાય કરશે, કલહ કરશે, તેને હું મારીશ.
જે પુરુષ સમાધિમરણથી યુક્ત ન હોય તે સંસાર સમુદ્રને તરતા નથી; જેમ આંધળો
માણસ પદાર્થોને ઓળખતો નથી તેમ અવિવેકી ધર્મને નીરખતો નથી તેથી સર્વ વિવેકથી
રહે, પાપક્રિયા ન કરવા પામે. મંદોદરીને આ આજ્ઞા કરીને રાવણ જિનમંદિરમાં ગયો.
મંદોદરીએ મંત્રીઓને અને યમદંડ નામના કોટવાળને બોલાવી પતિની આજ્ઞા કરી, બધાએ
કહ્યું કે જે આજ્ઞા હશે તેમ જ કરીશું. આમ કહી આજ્ઞા શિર પર ચડાવી સૌ ઘેર ગયા
અને સંયમસહિત નિયમધર્મના ઉદ્યમી થઈ રાજાની આજ્ઞા પ્રમાણ કરી. સમસ્ત પ્રજા
જિનપૂજામાં અનુરાગી થઈ, સમસ્ત કાર્ય તજીને સૂર્યથી અધિક કાંતિવાળા જિનમંદિરમાં
આવીને નિર્મળ ભાવથી સંયમ નિયમનું સાધન કરવા લાગ્યા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લંકાના લોકોને નિયમપાલનના
આદેશનું વર્ણન કરનાર ઓગણસીત્તેરમું પર્વ પૂર્ણ થયું.
* * *
સીત્તેરમું પર્વ
(રાવણની વિદ્યાસાધના અને વાનરવંશી કુમારો દ્વારા લંકામાં ઉપદ્રવ)
શ્રી રામના કટકમાં ગુપ્તચરો દ્વારા એવા સમાચાર આવ્યા કે રાવણ બહુરૂપિણી
વિદ્યા સાધવા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં પ્રયત્ન કરે છે. ચોવીસ દિવસમાં આ
બહુરૂપિણી વિદ્યા સિદ્ધ થશે. આ વિદ્યા એવી પ્રબળ છે કે દેવોનો મદ પણ ખંડિત કરે.
તેથી બધા કપિધ્વજોએ એવો વિચાર કર્યો કે તે નિયમમાં બેસી વિદ્યા સાધે છે તો તેને
ક્રોધ ઉત્પન્ન કરવો જેથી આ વિદ્યા સિદ્ધ ન થાય. જો તે વિદ્યા સિદ્ધ કરી લેશે તો ઇન્દ્રાદિ
દેવોથી પણ જીતી નહિ શકાય, આપણા જેવા રંકની તો શી વાત? ત્યારે વિભીષણે કહ્યું કે
તેને ગુસ્સે કરવાનો ઉપાય તરત જ કરો. પછી બધાએ મંત્રણા કરીને રામને કહ્યું કે લંકા
લેવાનો આ સમય છે. રાવણના કાર્યમાં વિઘ્ન કરીએ અને આપણે જે કરવું હોય તે
કરીએ. કપિધ્વજોનાં આ વચન સાંભળી મહાધીર, જેમની ચેષ્ટા મહાપુરુષોની છે એવા શ્રી
રામચંદ્રે કહ્યું, હે વિદ્યાધરો! તમે અત્યંત મૂર્ખાઈની વાત કરો છો, ક્ષત્રિયના કુળનો એ
ધર્મ નથી કે આવાં કાર્ય કરે. આપણા કુળની એ રીત છે કે જે ભયથી ભાગે તેનો વધ ન
કરવો, તો જે નિયમ ધારણ કરીને જિનમંદિરમાં બેઠા છે તેમને ઉપદ્રવ કેવી રીતે કરીએ?
આ નીચનું કામ છે તે કુળવાનને યોગ્ય નથી. આ અન્યાય પ્રવૃત્તિ ક્ષત્રિયોની નથી.
ક્ષત્રિય તો મહામાન્યભાવ અને શસ્ત્રકર્મમાં પ્રવીણ છે. રામનાં આ વચન સાંભળી

Page 455 of 660
PDF/HTML Page 476 of 681
single page version

background image
પદ્મપુરાણ સીતેરમું પર્વ ૪પપ
બધાએ વિચાર્યું કે આપણા પ્રભુ શ્રી રામ મહાન ધર્માત્મા છે, ઉત્તમ ભાવનાધારક છે
એટલે એમનાથી કદી પણ અધર્મમાં પ્રવૃત્તિ નહિ થાય. પછી લક્ષ્મણને જાણ કરી આ
વિદ્યાધરોએ પોતાના કુમારોને ઉપદ્રવ માટે વિદાય કર્યા અને સુગ્રીવાદિક મોટા મોટા પુરુષો
આઠ દિવસનો નિયમ લઈને રહ્યા. પૂર્ણ ચંદ્રમા સમાન વદનવાળા, કમળ સમાન
નેત્રવાળા, નાના લક્ષણના ધારક સિંહ, વાઘ, વરાહ, ગજ, અષ્ટાપદયુક્ત રથમાં, વિમાનમાં
બેઠા. વિવિધ આયુધના ધારક કપિકુમારો રાવણને ક્રોધ ઉપજાવવાનો જેમનો અભિપ્રાય છે
એ જાણે અસુરકુમાર દેવો જ છે. પ્રીતંકર, દ્રઢરથ, ચંદ્રાભ, રતિવર્ધન, વાતાયન, ગુરુભાર,
સૂર્યજ્યોતિ, મહારથ, સામંત, બલનંદન, સર્વદ્રષ્ટ, સિંહ, સર્વપ્રિય, નલ, નીલ, સાગર,
ઘોષપુત્ર, પૂર્ણ, ચંદ્રમા, સ્કંધ, ચંદ્ર, મારીચ, જાંબવ, સંકટ, સમાધિ, બહુલ, સિંહકટ,
ચંદ્રાસન, ઇન્દ્રાયણિ, બલ, તુરંગ ઇત્યાદિ અનેક કુમારો અશ્વવાળા રથ પર ચડયા, બીજા
કેટલાક સિંહ, વરાહ, ગજ, વાઘ વગેરે મનથીયે ચંચળ વાહનો પર ચડયા, વાદળાંના
પટલની મધ્યમાં તેજસ્વી, જુદા જુદા પ્રકારનાં ચિહ્નોથી યુક્ત છત્ર ઓઢી, નાના પ્રકારની
ધજાઓ ફરકાવતા, ગંભીર અવાજ કરતા, દશે દિશાને આચ્છાદિત કરતા લંકાપુરીમાં
પ્રવેશવા લાગ્યા. તે મનમાં વિચારવા લાગ્યો કે ખૂબ નવાઈની વાત છે કે લંકાના માણસો
નિશ્ચિંત બેઠા છે, તેમને એમ છે કે સંગ્રામનો કાંઈ ભય નથી. અહો! લંકેશ્વરનું મહાન
ધૈર્ય અને ગંભીરતા તો જુઓ, કુંભકર્ણ જેવા ભાઈ અને ઇન્દ્રજિત, મેઘનાદ જેવા પુત્રો
પકડાઈ ગયા છે તો પણ ચિંતા નથી ને અંક્ષાદિક અનેક યોદ્ધા યુદ્ધમાં હણાઈ ગયા. હસ્ત,
પ્રહસ્ત, સેનાપતિ મરાઈ ગયા તો પણ લંકાપતિને શંકા નથી. આમ ચિંતવતા, પરસ્પર
વાતો કરતા નગરમાં પેઠા. વિભીષણના પુત્ર સુભૂષણે કપિકુમારોને કહ્યું કે તમે નિર્ભયપણે
લંકામાં દાખલ થાવ, બાળક, વૃદ્ધ અને સ્ત્રીઓને કાંઈ હેરાન ન કરતા, બીજા બધાને
વ્યાકુળ કરશું. તેનું વચન માનીને વિદ્યાધર કુમારો અત્યંત ઉદ્ધત, કલહપ્રિય, આશીવિષ
સમાન પ્રચંડ, વ્રતરહિત, ચપળ લંકામાં ઉપદ્રવ કરવા લાગ્યા. તેમના ભયંકર અવાજો
સાંભળી લોકો અત્યંત વ્યાકુળ થયા, રાવણના મહેલમાં પણ વ્યાકુળતા થઈ; જેમ તીવ્ર
પવનથી સમુદ્ર ખળભળે તેમ કપિકુમારોથી લંકા ઉદ્વેગ પામી. રાવણના મહેલમાં રાજાના
માણસોને ચિંતા થઈ. રાવણનો મહેલ રત્નોની કાંતિથી દેદીપ્યમાન છે. ત્યાં મૃદંગાદિનો
મંગળ ધ્વનિ થઈ ગયો છે, સ્ત્રીઓ નૃત્ય કરે છે. જિનપૂજામાં જોડાયેલી રાજકન્યા
ધર્મમાર્ગમાં આરૂઢ શત્રુસેનાના ક્રૂર શબ્દો સાંભળી આકુળવ્યાકુળ થઈ, સ્ત્રીઓનાં
આભૂષણોના અવાજ થવા લાગ્યા, જાણે કે વીણા વાગી રહી છે. બધી મનમાં વિચારવા
લાગી કે કોણ જાણે શું હશે? આ પ્રમાણે આખી નગરીના લોકો વ્યાકુળતાથી વિહ્વળ
થયા. ત્યારે મંદોદરીના પિતા રાજા મય, જે વિદ્યાધરોમાં દૈત્ય કહેવાય છે. બધી સેના
સહિત બખ્તર પહેરી, આયુધ ધારણ કરી યુદ્ધ માટે તૈયાર થઈ રાજદ્વારે આવ્યા, જેમ
ઇન્દ્રના ભવન પર હિરણ્યકેશી દેવ આવે. ત્યારે મંદોદરીએ પિતાને કહ્યું, હે તાત! જે
વખતે લંકેશ્વર મંદિરે પધાર્યા હતા ત્યારે તેમણે આજ્ઞા કરી હતી કે બધા લોકો સંવરરૂપ
રહે, કોઈ કષાય ન કરે માટે તમે કષાય ન કરો. આ દિવસો

Page 456 of 660
PDF/HTML Page 477 of 681
single page version

background image
૪પ૬ સીતેરમું પર્વ પદ્મપુરાણ
ધર્મધ્યાનના છે તેથી ધર્મનું સેવન કરો, બીજી રીતે વર્તશો તો સ્વામીની આજ્ઞાનો ભંગ
થશે અને તમને સારું ફળ નહિ મળે. પુત્રીનાં આ વચન સાંભળી રાજા મય ઉદ્ધતપણું
છોડી, અત્યંત શાંત થઈ, શસ્ત્ર ઉતારવા લાગ્યો, જેમ સૂર્ય આથમતી વખતે પોતાનાં
કિરણોનો ત્યાગ કરે છે, મણિઓનાં કુંડળ અને હારથી શોભતો તે પોતાના જિનમંદિરમાં
પ્રવેશ્યો. આ વાનરવંશી વિદ્યાધરોના કુમારોએ પોતાની મર્યાદા છોડીને નગરનો કોટ તોડી
નાખ્યો, વજ્રનાં બારણાં તોડયાં, દરવાજા તોડયા.
એમને જોઈને નગરવાસીઓને અત્યંત ભય ઉપજ્યો, ઘેર ઘેર આ ચર્ચા ચાલે છે
કે ભાગીને ક્યાં જઈશું? આ આવ્યા, બહાર ન ઊભા રહો, અંદર આવતા રહો, હાય મા!
આ શું થયું? અરે, પિતાજી! જુઓ, હે ભાઈ! અમને બચાવો! હે આર્યપુત્ર! ખૂબ બીક
લાગે છે, ઠેકાણે જ રહો. આ પ્રમાણે નગરજનો વ્યાકુળતાનાં વચનો બોલવા લાગ્યા. લોકો
ભાગીને રાવણના મહેલમાં આવ્યા, પોતાનાં વસ્ત્ર હાથમાં લઈને અત્યંત વિહ્વળ
બાળકોને ગોદમાં લઈને સ્ત્રીઓ ધ્રૂજતી ભાગી રહી છે, કેટલીક પડી ગઈ, ગોઠણ છોલાઈ
ગયાં, કેટલીકના હાર તૂટી ગયા, મોટાં મોટાં મોતી વિખરાઈને પડયાં છે; જેમ મેઘમાળા
શીઘ્ર જાય તેમ જઈ રહી છે. ત્રાસ પામેલી હરણી જેવી આંખોવાળી, ઢીલા પડી ગયેલા
અંબોડાવાળી, કેટલીક પ્રીતમની છાતીએ વળગી પડી. આ પ્રમાણે લોકોને ઉદ્વેગરૂપ અત્યંત
ભયભીત જોઈ જિનશાસનના દેવ શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરના સેવક પોતાના
પક્ષનું રક્ષણ કરવા અને જિનશાસનનો પ્રભાવ ફેલાવવા તૈયાર થયા. તે મહાભૈરવનો
આકાર ધારણ કરીને શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાંથી નીકળ્‌યા. જુદા જુદા વેશવાળા,
વિકરાળ દાઢ અને મુખવાળા, મધ્યાહ્નના સૂર્ય સમાન તેજ નેત્રવાળા, હોઠ કરડતા દીર્ઘ
કાયાવાળા, ભયંકર શબ્દ કરતા તેમને જોઈને વાનરવંશીઓના પુત્ર ભયથી વિહ્વળ બની
ગયા. તે દેવ ક્ષણમાં સિંહ, ક્ષણમાં મેઘ, ક્ષણમાં હાથી, ક્ષણમાં સર્પ, ક્ષણમાં વાયુ, ક્ષણમાં
વૃક્ષ, ક્ષણમાં પર્વતનું રૂપ લેતા. એમનાથી કપિકુમારોને પીડા પામતા જોઈને રામના
સૈન્યના દેવો તેમને મદદ કરવા લાગ્યા. દેવોમાં પરસ્પર યુદ્ધ થયું. લંકાના દેવ સૈન્યના દેવ
સામે અને કપિકુમાર લંકા સન્મુખ આવ્યા. ત્યારે યક્ષોના સ્વામી પૂર્ણભદ્ર અને મણિભદ્ર
અત્યંત કુપિત થયા, બન્ને યક્ષેશ્વર પરસ્પર વાત કરતા હતા કે જુઓ, આ નિર્દય
કપિપુત્રો વિકાર પામ્યા છે. રાવણ તો નિરાહાર થઈ, દેહમાં નિઃસ્પૃહ, સર્વ જગતનું કાર્ય
છોડી પોષધમાં બેઠો છે એવા શાંત ચિત્તવાળાને આ પાપી નબળાઈ ગણીને પીડવા ઇચ્છે
છે. પણ એ યોદ્ધાઓની ચેષ્ટા ન કહેવાય. ત્યારે મણિભદ્ર બોલ્યોઃ હે પૂર્ણભદ્ર! ઇન્દ્ર પણ
રાવણનો પરાભવ કરવા સમર્થ નથી. રાવણ સુંદર લક્ષણોથી પૂર્ણ શાંત સ્વભાવ છે.
પૂર્ણભદ્રે કહ્યું કે લંકા પર જે વિઘ્ન આવ્યું છે તે આપણે દૂર કરશું. આમ કહી બન્ને ધીર
સમ્યગ્દ્રષ્ટિ જિનધર્મી યક્ષોના સ્વામી યુદ્ધ કરવા તૈયાર થયા એટલે વાનરવંશી કુમારો અને
તેમના પક્ષના દેવો ભાગ્યા. આ બન્ને યક્ષેશ્વર જોરદાર પવન ચલાવી પાષાણોની વર્ષા
કરવા લાગ્યા, પ્રલયકાળના મેઘ સમાન ગર્જના કરવા લાગ્યા.

Page 457 of 660
PDF/HTML Page 478 of 681
single page version

background image
પદ્મપુરાણ સીતેરમું પર્વ ૪પ૭
તેમણે ચલાવેલા પવનથી કપિદળ સૂકાં પાંદડાંની જેમ ઊડીને ભાગી ગયું. તેમની સાથે જ
આ બન્ને યક્ષેશ્વર રામની પાસે ઠપકો આપવા આવ્યા. સુબુદ્ધિ પૂર્ણભદ્રે રામની સ્તુતિ
કરીને કહ્યું કે રાજા દશરથ મહાન ધર્માત્મા હતા, તેમના તમે પુત્ર, અયોગ્ય કાર્યના
ત્યાગી, શાસ્ત્રસમુદ્રના પારગામી, શુભ ગુણોથી બધા કરતાં ઊંચા, અને તમારી સેના
લંકાને, લોકોને ઉપદ્રવ કરે, એ ક્યાંની વાત? જે જેનું દ્રવ્ય હરે છે તે તેના પ્રાણ હરે છે.
આ ધન જીવોના બાહ્ય પ્રાણ છે. અમૂલ્ય હીરા, વૈડૂર્ય, મણિ, માણેક મોતી, પદ્મરાગમણિ
ઈત્યાદિ અનેક રત્નોથી ભરેલી લંકાને ઉદ્વેગ ઉપજાવ્યો. પૂર્ણભદ્રનું વચન સાંભળી રામના
સેવક ગરુડકેતુ એટલે કે લક્ષ્મણે તીખી ભાષામાં કહ્યું કે આ શ્રી રઘુચંદ્રની પ્રાણથી પ્યારી
રાણી સીતાને, જે શીલરૂપ આભૂષણ પહેરનારી છે, દુષ્ટ રાવણ કપટ કરીને હરી ગયો છે
તેનો પક્ષ તમે કેમ કરો છો? હે યક્ષેન્દ્ર! અમે તમારો ક્યો અપરાધ કર્યો અને તેણે શું
કર્યું કે જેથી તમે ભૃકુટી વાંકી કરી. સંધ્યાની લાલાશ જેવાં નેત્રો કરીને અમને ઠપકો
આપવા આવ્યા છો? તમારું કાર્ય યોગ્ય નથી. લક્ષ્મણે આમ કહ્યું અને રાજા સુગ્રીવ
ભયભીત થઈ પૂર્ણભદ્રને અર્ધ્ય આપી કહેવા લાગ્યો, હે યક્ષેન્દ્ર! ક્રોધ ત્યજો, અમે લંકામાં
કાંઈ ઉપદ્રવ નહિ કરીએ, પરંતુ વાત આમ છે-રાવણ બહુરૂપિણી વિદ્યા સાધે છે, કદાચ
તેને વિદ્યા સિદ્ધ થાય તો તેની સામે કોઈ ટકી ન શકે, જેમ જિનધર્મના ઉપાધ્યાય સામે
વાદી ટકી શકતો નથી તેથી તે ક્ષમાવંત થઈને વિદ્યા સાધે છે. તેથી જો તેને અમે ક્રોધ
ઉત્પન્ન કરીએ તો તે વિદ્યા સાધી ન શકે, જેમ મિથ્યાદ્રષ્ટિ મોક્ષને સાધી શકે નહિ તેમ.
ત્યારે પૂર્ણભદ્રે કહ્યું કે એમ જ કરો, પરંતુ લંકાના એક જીર્ણ તણખલાને પણ બાધા નહિ
કરી શકો. વળી તમે રાવણના અંગને બાધા ન કરો, બીજી કોઈ પણ રીતે ક્રોધ ઉત્પન્ન
કરાવો. પરંતુ રાવણ અત્યંત દ્રઢ છે, તેને ક્રોધ ઉપજવો અઘરો છે. આમ કહી તે બન્ને
યક્ષેન્દ્ર જેમને ભવ્યજીવો પ્રત્યે વાત્સલ્ય છે, જેમના નેત્ર પ્રસન્ન છે તે મુનિઓના ભક્ત
અને વૈયાવ્રત કરનારા, જિનધર્મી પોતાના સ્થાનકે ગયા. રામને ઠપકો આપવા આવ્યા
હતા તે લક્ષ્મણનાં વચનોથી લજ્જિત થયા અને સમભાવથી પોતાના સ્થાનકે ગયા.
ગૌતમ સ્વામી કહે છેઃ હે શ્રેણિક! જ્યાં સુધી નિર્દોષતા હોય ત્યાં સુધી પરસ્પર પ્રીતિ રહે
છે અને દોષ ઉત્પન્ન થતાં પ્રીતિભંગ થાય છે, જેમ સૂર્ય ઉત્પાત સહિત હોય તો સારો
લાગતો નથી.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણની વિદ્યાસાધના,
કપિકુમારોનો લંકામાં ઉપદ્રવ, પૂર્ણભદ્ર-મણિભદ્રનો કોપ અને કોપની શાંતિનું વર્ણન
કરનાર સીત્તેરમું પર્વ પૂર્ણ થયું.
* * *

Page 458 of 660
PDF/HTML Page 479 of 681
single page version

background image
૪પ૮ એકોત્તેરમું પર્વ પદ્મપુરાણ
એકોત્તેરમું પર્વ
(રાવણને બહુરૂપિણી વિદ્યાની સિદ્ધિ)
પછી પૂર્ણભદ્ર અને મણિભદ્રને શાંત થયેલા જોઈને સુગ્રીવનો પુત્ર અંગદ લંકામાં
દાખલ થયો. અંગદ કિહકંધ નામના હાથી પર બેઠો હતો. મોતીની માળાથી શોભતો,
ઉજ્જવળ ચામરયુક્ત, મેઘમાળામાં પૂર્ણિમાના ચંદ્ર સમાન શોભતો હતો. તેની સાથે અનેક
સામંતો અને કુમારો અશ્વારોહી અને પ્યાદાં ચંદનનો અંગે લેપ કરી, તાંબુલથી હોઠ લાલ
કરી. ખભે ખડ્ગ મૂકી, સુંદર વસ્ત્રો પહેરી, આગળ-પાછળ, ડાબે-જમણે સૈનિકો ચાલ્યા
જાય છે, વીણા-બંસરી-મૃદંગાદિ વાગે છે, નૃત્ય થતું જાય છે. કપિવંશીઓના કુમારો
સ્વર્ગપુરીમાં અસુરકુમાર પ્રવેશ કરે તેમ લંકામાં પ્રવેશ્યા. લંકામાં પ્રવેશતા અંગદને જોઈને
સ્ત્રીઓ પરસ્પર વાતો કરવા લાગી જુઓ, આ અંગદ દશમુખની નગરીમાં નિર્ભયપણે
ચાલ્યો જાય છે, આણે શું કરવાનું આરંભ્યું હશે? હવે પછી શું થશે? લોકોની આવી વાત
સાંભળતા તે ચાલતા ચાલતા રાવણના મહેલમાં ગયા. ત્યાં મણિઓનો ચોક જોઈ તેમણે
જાણ્યું કે એ સરોવર છે તેથી ત્રાસ પામ્યા પછી બરાબર જોતાં તે મણિનો ચોક છે એમ
જાણી આગળ ગયા. સુમેરુની ગુફા જેવું રત્નોથી નિર્માયિત મંદિરનું દ્વાર જોયું, મણિઓનાં
તોરણોથી દેદીપ્યમાન અંજન પર્વત સરખા ઇન્દ્રનીલમણિના ગજ જોયા, તેમના વિશાળ
કુંભસ્થળ, અત્યંત મનોજ્ઞ સ્થૂળ દાંત અને મસ્તક પર સિંહના ચિહ્ન, જેના શિર પર પૂંછ
છે, હાથીઓના કુંભસ્થળ પર વિકરાળ વદનવાળા સિંહ, તીક્ષ્ણ દાઢ અને ભયાનક કેશ,
તેમને જોઈને પ્યાદાં ડરી ગયાં, તેમણે જાણ્યું કે સાચા હાથી છે તેથી ભયથી વિહ્વળ
થઈને ભાગ્યાં અંગદે ખૂબ સમજાવ્યા ત્યારે આગળ ચાલ્યાં. રાવણના મહેલમાં કપિવંશી
સિંહની ગુફામાં મૃગની પેઠે ગયા. અનેક દ્વાર વટાવીને આગળ જવા શક્તિમાન થયા.
ઘરની રચના ગહન તેથી જન્મઅંધની પેઠે ભટક્યા. સ્ફટિકમણિના મહેલો હતા ત્યાં
આકાશની આશંકાથી ભ્રમ પામ્યા અને તે ઇન્દ્રનીલમણિની પેઠે અંધકારરૂપ ભાસે,
મસ્તકમાં શિલા વાગી તેથી જમીન પર પડયા, તેમની આંખો વેદનાથી વ્યાકુળ બની,
કોઈ ઉપાયે માર્ગ મેળવીને આગળ ગયા જ્યાં સ્ફટિકમણિની પેઠે ઘણાના ગોઠણ ભાંગ્યા,
કપાળ ફૂટયાં, દુઃખી થયા અને પાછા ફર્યા તો માર્ગ ન મળે. આગળ એક રત્નમયી સ્ત્રી
જોઈ તેને સાચી સ્ત્રી જાણીને તેને પૂછવા લાગ્યા પણ તે શું ઉત્તર આપે? ત્યારે તે શંકાથી
ભરેલા આગળ ગયા, વિહ્વળ થઈને સ્ફટિકમણિની ભૂમિમાં પડયા. આગળ શાંતિનાથના
મંદિરનું શિખર નજરે પડયું, પણ જઈ શકે તેમ નહોતું, આડી સ્ફટિકની ભીંત હતી. જેમ
તે સ્ત્રી નજરે પડી હતી એક રત્નમય દ્વારપાળ નજરે પડયો. તેના હાથમાં સોનાની
લાકડી હતી. તેને કહ્યું કે શ્રી શાંતિનાથના મંદિરનો માર્ગ બતાવો, તે શું બતાવે? પછી
તેને હાથથી કૂટયો તો કૂટનારની આંગળીના ચૂરા થઈ ગયા. વળી આગળ ગયા, તેમને
લાગ્યું કે આ ઇન્દ્રનીલમણિનું દ્વાર છે, ત્યાંથી શાંતિનાથના મંદિરમાં જવાની ઇચ્છા કરી.
જેના ભાવ કુટિલ છે એવા એકવચન બોલતા મનુષ્યને જોયો, તેના વાળ પકડયા અને

Page 459 of 660
PDF/HTML Page 480 of 681
single page version

background image
પદ્મપુરાણ એકોત્તેરમું પર્વ ૪પ૯
કહ્યું કે તું અમારી આગળ ચાલ અને શાંતિનાથનું મંદિર બતાવ. જ્યારે તે આગળ ચાલ્યો
ત્યારે તે નિરાકુળ થયા અને શ્રી શાંતિનાથના મંદિરે જઈ પહોંચ્યા. પુષ્પાંજલિ ચડાવી,
જયજયનો ધ્વનિ કર્યો. સ્ફટિકના થાંભલા ઉપર મોટો વિસ્તાર જોયો, આશ્ચર્ય પામ્યા,
મનમાં વિચારવા લાગ્યા કે જેમ ચક્રવર્તીના મહેલમાં જિનમંદિર હોય છે તેમ અહીં છે.
પહેલાં અંગદ વાહનાદિ છોડીને અંદર ગયો કપાળે બે હાથ મૂકી નમસ્કાર કરી, ત્રણ
પ્રદક્ષિણા લઈ, સ્તોત્રપાઠ કરવા લાગ્યો. સાથે સેના હતી તેને બહારના ચોકમાં રાખી.
અંગદે વિકસિત નેત્રે રત્નોનાં ચિત્રોવાળું મંડળ જોયું, સોળ સ્વપ્નાંનો ભાવ જોઈને
નમસ્કાર કર્યા. મંડપની ભીંત પર તેણે ભગવાનને નમસ્કાર કરી શાંતિનાથના મંદિરમાં
પ્રવેશ કર્યો, અત્યંત હર્ષથી ભગવાનની વંદના કરી. તેણે જોયું કે સામે રાવણ પદ્માસન
ધારી બેઠો છે, ઇન્દ્રનીલમણિનાં કિરણો જેવી પ્રભાવાળો તે સૂર્યની સામે રાહુ બેઠો હોય
તેવો ભગવાન સન્મુખ બેઠો છે. જેમ ભરત જિનદીક્ષાનું ધ્યાન કરે તેમ તે વિદ્યાનું ધ્યાન
કરે છે. અંગદ રાવણને કહેવા લાગ્યો, હે રાવણ! કહે, હવે તારી શી વાત છે? યમ પણ
ન કરે, એવી તારી દશા હું કરું છું. તેં શેનું પાખંડ માંડયું છે? ધિક્કાર તો પાપકર્મીને છે,
તેં વૃથા શુભ ક્રિયાનો આરંભ કર્યો છે. આમ કહીને એનું ઉત્તરાસન કાઢી નાખ્યું અને
તેની રાણીઓને એની આગળ મારતો કઠોર વચન કહેવા લાગ્યો. રાવણની પાસે પુષ્પ
પડયાં હતાં તે લઈ લીધાં અને સોનાનાં કમળોથી ભગવાનની પૂજા કરી. પછી રાવણની
કુવચન કહેવા લાગ્યો, રાવણનો હાથમાંથી સ્ફટિકની માળા પડાવી લીધી તેથી મણિ
વિખરાઈ ગયા. પછી મણિ ભેગા કરી માળા પરોવી રાવણના હાથમાં આપી, વળી
છીનવી લીધી, ફરીથી પરોવીને ગળામાં નાખી, પછી મસ્તક પર મૂકી. પછી રાવણના
રાજ્યના માણસોરૂપી કમળવનમાં ગ્રીષ્મથી અકળાયેલા જંગલી હાથીની જેમ પ્રવેશ કર્યો
અને નિર્ભય થઈને રાજકુટુંબમાં ઉપદ્રવ કરવા લાગ્યો, જેમ ચંચળ ઘોડો કૂદ્યા કરે તેમ
ચપળતાથી બધે ફર્યો. કોઈના ગળામાં કપડાનો ફાંસો બનાવીને બાંધ્યા, કોઈના ગળામાં
ઉત્તરાસન નાખી થાંભલા સાથે બાંધીને છોડી દીધા, કોઈને પકડી પોતાના માણસોને કહ્યું
કે આને વેચી આવો-તેણે હસીને કહ્યું કે પાંચ સોનામહોરમાં વેચી આવ્યો, આ પ્રકારની
અનેક ચેષ્ટા કરી. કોઈના કાનમાં પગનાં ઘરેણાં અને કેશમાં કેડનો કંદોરો પહેરાવ્યો,
કોઈના મસ્તકનો ચૂડામણિ ઉતારી ચરણોમાં પહેરાવ્યો અને કોઈને પરસ્પર વાળથી
બાંધ્યા. કોઈના મસ્કત ઉપર અવાજ કરતા મોર બેસાડયા. આ પ્રમાણે જેમ સાંઢ ગાયોના
સમૂહમાં પ્રવેશે અને તેને અત્યંત વ્યાકુળ કરે તેમ રાવણની સામે રાજ્યના બધા
કુટુંબીઓને કલેશ ઉત્પન્ન કર્યો. અંગદ ક્રોધથી રાવણને કહેવા લાગ્યો, કે અધમ રાક્ષસ! તેં
કપટથી સીતાનું હરણ કર્યું, હવે અમે તારા દેખતાં તારી બધી સ્ત્રીઓનું હરણ કરીએ
છીએ. તારામાં શક્તિ હોય તો રોક, આમ કહીને એની આગળ મંદોદરીને પકડી લાવ્યો,
જેમ મૃગરાજ મૃગલીને પકડી લાવે. જેનાં નેત્ર કંપે છે તેને ચોટલો પકડીને ખેંચવા
લાગ્યો, જેમ ભરત રાજ્યલક્ષ્મીને ખેંચે. તેણે રાવણને કહ્યું, જો! આ તારા જીવથીયે
વહાલી એવી તારી ગુણવંતી પટરાણી મંદોદરીને અમે ઉપાડી જઈએ