Atmadharma magazine - Ank 344
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 55
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
જિનમંદિરો છે. માત્ર એક દિવસના કાર્યક્રમમાં જૈનસમાજે ઘણા ઉલ્લાસથી ભાગ લીધો. દરેક
કાર્યક્રમમાં અહીંનો યુવાનવર્ગ જે ઉત્સાહથી રસ લેતો હતો તે દેખીને આનંદ થતો હતો કે
વાહ! આજના સીનેમાયુગમાં પણ જૈનધર્મના રસિક આવા યુગનો જાગ્યા છે તે જૈનસમાજને
માટે મહાન ગૌરવની વાત છે..... ને તે અધ્યાત્મરસના પ્રેમી યુવાનો ધન્યવાદને પાત્ર છે. રાત્રે
શેઠશ્રી દેવકુમારજીની અધ્યક્ષતામાં અભિનંદર સમારોહ હતો તેમાં પૂ. ગુરુદેવ ઉપરાંત પૂ.
બેનશ્રીબેન– (ચંપાબેન અને શાંતાબેન) તે પણ અભિનંદર પત્ર આપવામાં આવ્યા હતા.
બડનગરથી પ્રસ્થાન કરીને ઈન્દોર પધાર્યા. ઈન્દૌરમાં પંદર હજાર જેટલો જૈનો અને
પચીસ ઉપરાંત જિનંમદિરો છે. વિશાળ જિનાલયોના દર્શનથી આનંદ થાય છે. તેમાં પણ શ્રી
હુકમીચંદજી શેઠે બંધાવેલ કાચની કારીગરીવાળું ભવ્ય જિનમંદિર દેખીને તો આર્શ્ચય થાય
તેવું છે. આજે તો કરોડો રૂા. ખર્ચતાં પણ થવું મુશ્કેલ પડે એવું સુંદર જિનમંદિર છે, રોજ
હજારો પ્રવાસીઓ દર્શન કરવા આવે છે. ભારતની એક આર્શ્ચયકારી વસ્તુમાં આ મંદિરનો
સમાવેશ થાય તેવું છે, કેમકે કરતાંય આ મંદિરની સુંદર કારીગરી ચડી જાય તેવી છે..... અને
તેમાં બિરાજમાન વીતરાગ ભગવંતોની શોભાની તો શી વાત! ઈન્દોરનો જૈનસમાન પણ
મહાન છે. આવી નગરીને શોભે એવું ભ્વય સ્વાગત થયું. બંને વખતના પ્રવચનોમાં
ચારપાંચ હજાર માણસો લાભ લેતા હતા. ગુરુદેવનો ઉતારો શેઠશ્રી રાજકુમારસિંહજીને ત્યાં
ઈન્દ્રભગવનમાં હતો. ઈન્દોરનો ચાર દિવસનો કાર્યક્રમ આનંદથી પૂરો કરીને દ્ધિ. વૈ વદ
તેરસની સવારે ગુરુદેવ હવાઈજહાજ દ્ધારા મુંબઈ થઈને બીજે દિવસે ભાવનગર પધાર્યા.
મુંબઈમાં હજારો (જિજ્ઞાસુઓએ દર્શનનો તથા મંગલ પ્રવચના શ્રવણનો લાભ લીધો હતો.
ભાવનગરમાં પણ ચાર દિવસ સુધી સં. ગ. ૩૮ ઉપરનાં પ્રવચનોનો ઘણા જિજ્ઞાસુઓએ
લાભ લીધો. આ પ્રમાણે માહ વદ ૧૩ થી શરૂ કરીને જેઠ સુદ બીજ સુધી અનેક ગામોમાં
જિનમંદિરમં જિનદેવની પ્રતિષ્ઠા, અનેક સ્વાધ્યાયમંદિરના ઉદ્ઘાટન તથા વીતરાગદેવના
માર્ગનો સન્દેશ સંભળાવીને ગુરુદેવ જેઠ સુદ ત્રીજે પુન: સોનગઢ પધાર્યા.
સોનગઢમાં ગુરુદેવ સુખ–શાંતિમાં બિરાજી રહ્યા છે; સવારનાં પ્રવચનમાં
નિયમસાર અને બપોરના પ્રવચનમાં સમયસાર વંચાય છે. પૂજન–ભક્તિ–ચર્ચા વગેરે
કાર્યક્રમો આનંદપૂર્વક ચાલી રહ્યા છે. મુમુક્ષુઓ જાગૃતીપૂર્વક પોતાના જ્ઞાનસ્વાધ્યાયમાં
રત બન્યા છે. અધ્યાત્મવાતાવરણથી સુવર્ણધર્મ ફરી ગુંજી રહ્યું છે.
શ્રાવણ માસમાં સોનગઢમાં પ્રૌઢ શિક્ષણવર્ગ ચાલશે તેની તારીખો આવતા
અંકમાં આપીશુ. – જય જિનેન્દ્ર

PDF/HTML Page 42 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૩ :
* મૃત્યુ એટલે
આરાધનાનો મહોત્સવ *
(સમાધિમરણ પ્રસંગે આરાધકની શૂરવીરતા)
‘મૃત્યુ’ નું નામ સાંભળતાં જ લોકો ડરી જાય છે. પરંતુ મૃત્યુ
એ ખરેખર કોઈ ભયજનક વસ્તુ નથી; ચૈતન્યના સાધક જીવને મૃત્યુ
પ્રસંગે એ તો આરાધનાની શૂરવીરતાનો અને સમાધિના મહોત્સવનો
પ્રસંગ છે. આવ પ્રસંગે ધર્માત્માના પરિણામમાં આરાધનાનો કેવો
ઉત્સાહ હોય છે તેનું આ વર્ણન છે. આ કાવ્યનો પહેલો ભાગ
આત્મધમૃ અંક ૩૪૨ અ માં આપેલ છે. બાકીનો ભાગ અહીં આપ્યો
છે. તેમાં, આત્મસાધનામાં શૂરવીર મુનિવરોનાં દ્રષ્ટાંત આપીને
મુમુક્ષુને આરાધનાનો ઉલ્લાસ જગાડે છે.
(૩૧) ધન્ય ધન્ય સુકુમાલ મહામુનિ, કૈસી ધીરજ ધારી,
એક સ્યાલિની જુગ બચ્ચા–જુત, પાંચ ભાખ્યો દુઃખકારી;
યહ ઉપસર્ગ રહ્યો ઘર થિરતા, આરાધન ચિત ધારી.
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.
અહા, ધન્ય છે તે સુકુમાર મહામુનિ;–તેમણે કેવી અદ્ભૂત ધીરજ રાખી! બે બચ્ચાં
સહિત એક શિયાળીએ તેમનો પગ ખાધો. આવા દુઃખકર મહા ઉપસર્ગને પણસ્થિરતાપૂર્વક
સહન કરીને તેમણે અખંડ આરાધનાને ચિત્તમાં ધારણ કરી. તો અરેજીવ! તને તો શું દુઃખ
છે? તું મૃત્યુને મોટો ઉત્સાહ સમજીને તારું ચિત્ત આરાધનામાં જોડ.
(૩૨) ધન્ય ધન્ય સુકૌશલ સ્વામી, વ્યાઘ્રીને તન ખાયો,
તૌ ભી શ્રીમુનિ નેક ડિગે નહિં, આતમસોં હિત લાયો.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધન ચિત્ત ધારી.
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્ય–મહોત્સવ ભારી.
ધન્ય છે તે સુકોલશ–મુનિરાજ! જેની માતા મરીને વાઘણ થયેલી તે વાઘણે
તેમનું શરીર ખાધું, તોપણ તે મુનિરાજ જરાય ડગ્યા નહિ ને આત્માનું હિત સાધ્યું.

PDF/HTML Page 43 of 55
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
(૩૩) દેખો ગજમુનિકે સિર ઉપર, વિપ્ર અગ્નિ બહુ મારી,
સીસ જલૈ જિમ લડકી તિનકો, તો હૂં નાહિં ચિગારી.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તો તુમરે જિય કૌન દુઃખ હૈ મૃત્યુ–મહોત્સવ ભરી.
જુઓ, આ ગજકુમાર મુનિના મસ્તક ઉપર બ્રાહ્મણે મોટો અગ્નિ સળગાવ્યો.
તેમનું માથું લાકડાની જેમ સળગવા લાગ્યું, તોપણ તેમણે ઊંકારોય ન ક્્યો; આવો
ઉપસર્ગ સ્થિરતાપૂર્વક તેમણે સહન કર્યો.
(૩૪) સનતકુમાર મુનિકે તનમેં, કુષ્ટવેદના વ્યાપી,
છિન્ન–ભિન્ન તન તાસોં હૂવો, તબ ચિન્ત્યો ગુન આપી.
યહ ઉપસર્ગ સહ્યો ઘર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.
સનતકુમાર મુનિના શરીરમાં તીવ્ર કોઢ વગેરે રોગ થયા, અને તેના વડે શરીર
છિન્ન–ભિન્ન થઈ ગયું. પણ ત્યારે તેમણે શું કર્યું તેમણે તો આત્માના ગુણોનું ચિંતન કર્યું,
અને સ્થિરતાપૂર્વક એ ઉપસર્ગ સહન કરીને ચિત્તમાં આરાધનાને ધારણ કરી. તો અરે
જીવ! તને શું દુઃખછે? મૃત્યુને મહોત્સવ સમજીને તું ચિત્તમાં આરાધનાને ધારણ કર.
(૩પ) શ્રેણિકન્સુત ગંગા મેં ડૂબ્યો, તબ ‘જિન’ નામ ઉતારો,
ધર સંલેખના પરિગ્રહ છોડયૌ, શુદ્ધભાવ ઉર ધારો.
યહ ઉપસર્ગ સહ્યો ઘર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ મહોત્સવ ભારી.
શ્રેણિકપુત્ર જ્યારે ગંગામાં ડૂબ્યો ત્યારે તેણે જિનેદેવનું ચિંતન કર્યુંફ સંબોધન
ધારણ કરીને પરિગ્રહ છોડ્યો ને અંતરમાં શુદ્ધભાવ પ્રગટ કર્યો. એ રીતે સ્થિરતા પૂર્વક
ઉપસર્ગ સહન કરીને ચિત્તમાં આરાધના ધારણ કરી. તો હે જીવ! તને શું દુઃખ છે?
(૩૬) સમંતભદ્ર મુનિવરકે તનમેં, ક્ષુધા–વેદના આઈ,
તા દુઃખમેં મુનિનેક ડિગિયો, ચિંત્યો નિજ ગુજ ભાઈ.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી.
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ –મહોત્સવ ભારી.

PDF/HTML Page 44 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૫ :
સમન્તભુદ્રમુનિરાજના શરીરમાં ભસ્મક રોગથી ક્ષુધાવેદના થઈ, છતાં એવા દુઃખમાં
પણ તે મુનિરાજ જરાય ન ડગ્યા, તેમણે તો નિજગુણનું ચિંતન કર્યું. હે ભાઈ! આવો
ઉપસર્ગ પણ સ્થિરતાપૂર્વક સહન કરીને તેમણે ચિત્તમાં આરાધના ધારણ કરી; તો તારું દુઃખ
શું હિસાબમાં છે? મૃત્યુનુ મહોત્સવ સમજીને તું પણ તારું ચિત્ત આરાધનામાં જોડ.
(૩૭) લલિતઘટાદિક તીસ–દોય મુનિ, કોસામ્બી તટ જાનો,
નદીમેં મુનિ બહાર મૂવે, સો દુખ ઉન નહિં માનો.
યહ ઉપસર્ગ સહ્યો ઘર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.
લલિતઘટ વગેરે ૩૦ મુનિવરો કૌશામ્બી નગરીમાં નદીકિનાર ધ્યાનમાં હતા ત્યાં
પાણીના પ્રવાહમાં તણાઈને મરણ પામ્યા, છતાં તેઓએ દુઃખ ન માન્યું. સ્થિરતા પૂર્વક
તે ઉપસર્ગ સહન કરીને ચિત્તમાં આરાધના ધારણ કરી; તો હે જીવ! આ મૃત્યુના
મહોત્સવમાં તને શું દુઃખ છે?
(૩૮) ધર્મઘોષ મુનિ ચમ્પાનગરી બાહ્ય ધ્યાન ઘર ઠાઢો,
એક માસકી કર મર્યાદા, તૃષા–દુઃખ સહ ગાઢો.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ મહોત્સવ ભારી.
ધર્મઘોષમુનિએ ચંપાનગરીના ઉધાનમાં એક માસના અનશનપૂર્વક દ્રઢ ધ્યાન
ધારણ કર્યું ને ઘોર તૃષાદુઃખ સુહન કર્યું.; આવો ઉપસર્ગ સ્થિરતાપૂર્વક સહન કરીને તેઓ
આરાધનામાં અડગ રહ્યા; તો હે જીવ! તને શું દુઃખ છે! મૃત્યુ–મહોત્સવ ટાણે તું
આરાધનામાં દ્રઢ રહે.
(૩૯) શ્રીદત્ત મુનિકો પૂર્વે જન્મકા, વૈરી દેવ સુ આકે,
વિક્રિય કર દૂર શીત–તનો જો, સહ્યો સાધુ મન લાકે.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.
પૂર્વજન્મના વેરી દેવે વિક્રિયા વડે શ્રીદત્તુમુનિને શીતનો ઉપસર્ગ કર્યો; પણ
મુનિઓ સ્થિરતા ધારણ કરીને તે ઉપસર્ગ સહ્યો ને આરાધનાથી નડગ્યા; તો હે જીવ!
તને તો શું દુઃખ છે? મૃત્યુને તો મહોત્સવ તું આરાધના કર.

PDF/HTML Page 45 of 55
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
(૪૦) વૃષભસેન મુનિ ઉષ્ણ શિલા પર, ધ્યાન ધરો મન લાઈ,
સૂર્ય ધામ અરુ ઉષ્ણ પવનકી, વેદન સહિ અધિકાઈ.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.
વૃષભસેન મુનિએ શાંત મનથી ધગધગતી શિલા પર ધ્યાન ધર્યું. સૂર્યનો ધામ અને
ગરમ પવનની ઘણી વેદના સહન કરી; આવો ઉપસર્ગ તેમણે સહન કર્યો પણ આરાધનાથી
ન ડગ્યા. તો હે જીવ! તને શું દુઃખ છે? મૃત્યુને મહોત્સવ સમજીને તું સમભાવ રાખજે.
(૪૧) અભયઘોષ મુનિ કાકન્દીપુર, મહાદેવના પાઈ,
વૈરી ખંડને સબ તન છેધો, દુઃખ દીનો અધિકાઈ.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.
કાકન્દીપુરીમાં અભયઘોષ મુનિ મહાદેવના પામ્યા; ચંડ વેરીએ તેમનું આપ્યું
શરીર છેદીને ઘણું દુઃખ દીધું, છતાં તેમણે સ્થિરચિત્તે તે ઉપસર્ગ સહન કરીને
આરાધનામાં ચિત્ત જોડયું; તો હે જીવ! તને શું દુઃખ છે? મૃત્યુને મહોત્સવ સમજીને તું
આનંદથી ધર્મની આરાધના કર.
(૪૨) વિધુચ્ચરને બહુ દુઃખ પાયો, તૌ ભી ધીર ન ત્યાગી,
શુભ ભાવનસો પ્રાન તજે નિજ, ધન્ય ઔર બડભાગી.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરે જિયે કૌન દુઃખ હૈ, મૃત્યુ મહોત્સવ ભારી.
વિધુત્ચર મુનિએ ઘણું દુઃખ પામવા છતાં ધૈર્ય ન છોડ્યું પોતાની ઉત્તમ
ભાવનાથી પ્રાણ છોડયા; તેઓ ધન્ય છે! તેઓ મહાભાગ્યવાન છે! તેમણે સ્થિરતા પૂર્વક
આવો ઉપસર્ગ સહ્યો, તો અરે જીવ! તને તે કયું દુઃખ છે? મૃત્યૃ–મહોત્સવના અવસરમાં
તું આરાધનામાં તત્પર થા.
(૪૩) પુત્ર–ચિલાતી નામા મુનિકો, વૈરીને તનઘાતા,
મોટે–મોટે કીટ પડે તન, તાપર નિજ–ગુન રાતા;
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.

PDF/HTML Page 46 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૭ :
ચિલાતીપુત્ર નામના મુનિનું શરીર વેરીએ ઘાત્યું, તેમાં મોટા મોટા કોડા પડ્યા,
છતાં મુનિ તો નિજગુણમાં જ રાચી રહ્યા. આવો ઉપસર્ગ તેમણે સ્થિરચિત્તે સહન કર્યો,
તો અરે જીવ! તને શું દુઃખ છે? મૃત્યુ–મહોત્સવ ટાણે તું પણ ઉત્સાહથી ચિત્તને
આરાધનામાંજોડ.
(૪૪) દંડક નામા મુનિકો દેહી, બાણન કર અરિ ભેદી,
તા પર નેક ડિગે નહિં વે મુનિ, કર્મ–મહારિપુ છેદી.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધન ચિત્ત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ મહોત્સવ ભારી.
દંડકનામના મુનિનો દેહ દુશ્મને બાણો જડે ભેદ નાંખ્યો, તોપણ મુનિ રંચમાત્ર ન
ડગ્યા, ને તેમણે કર્મમહારરિપુને છેદી નાંખ્યો. સ્થિરચિત્તે તેમણે આવો ઉપસર્ગ સહ્યો ને
આરાધનામાં દ્રઢ રહ્યા; તો હે જીવ! તને શું દુઃખ છે? તું પણ મૃત્યુ મહોત્સવમાં
ઉત્સાહથી આરાધના કર.
(૪પ) અભિનન્દન મુનિ આદિ પાંચસૌ, ઘાની પેલિ જુ મારે,
તૈ ભી શ્રીમુનિ સમતા ધારી, પૂરવ કર્મ વિચારે.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરેીજય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.
અભિનંદન વગેરે પાંચસોમુનિઓને ઘાણીમાં પીલી નાંખ્યા, તોપણ તે મુનિઓએ
પૂર્વકર્મનું ફળ સમજીને સમતા ધારણ કરી. આવો ઉપસર્ગ સ્થિરતાપૂર્વક સહ્યો ને
આરાધનામાં અડોલ રહ્યા. તો હે જીવ! તને શું દુઃખ છે? મૃત્યુ તોમહોત્સવ છે એમ
સમજી તું આરાધનામાં ચિત્ત જોડ.
(૪૬) ચાણક મુનિ ગૌધરકે માંહી, મૂંદ અગિનિ પરજાલ્યો,
શ્રીગુરુ ઉર સમ–ભાવ ધારકે, અપનો રૂપ સમ્હલ્યો.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તૌ તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.
ગૌશાળામાં સ્થિત ચાણકય થઈને કોઈ દુષ્ટે અગ્નિમાં બાળી નાંખ્યા, પણ
શ્રીગુરુએ તો અંતરમાં સમભાવ ધારણ કરીને પોતાનું સ્વરૂપ સંભાળ્‌યું; ચિત્તમાં
આરાધના ધારણ કરીને સ્થિરચિત્તે તે ઉપસર્ગ સહ્યો; તો હે જીવ! તને શું દુઃખ છે?
મૃત્યુ–મહોત્સવ ટાણે તારું ચિત્ત આરાધનામાં જોડ.

PDF/HTML Page 47 of 55
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
(૪૭) સાત શતક મુનિવર દુઃખ પાયો, હથિનાપુરમેં જાનો,
બલિ બ્રાહ્નણકૃત ઘોર ઉપદ્રવ, સો મુનિવર નહિં માનો.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા, આરાધના ચિત્ત ધારી,
તો તુમરે જિય કૌન દુઃખ હૈ, મૃત્યુ–મહોત્સવ ભારી.
બલિ–મંત્રી વડે ઘોર ઉપદ્રવથી હસ્તિનાપુરમાં ૭૦૦ મુનિઓ દુઃખ પામ્યા પણ
મુનિવરો તે મનમાં ન લાવ્યા; તેમણે તો સ્થિરચિત્તથી ઉપસર્ગ સહન કરીને
આરાધનામાં ચિત્ત જોડયું. તો હે જીવ! તને શું દુઃખ છે? મૃત્યને મહોત્સવ સમજીને તારું
ચિત્ત આરાધનામાં જોડ.
(૪૮) લોહમયી આભૂષણ ગઢકે, તાતે કર પહરાયે.
પાંચો પાંડવ મુનિકે તનમેં, તો ભી નાહિ ચિગાયે.
યહ ઉપસર્ગ સહ્યો ધર થિરતા આરાધના ચિત ધારી,
તો તુમરે જિયે કૌન દુઃખ હૈ, મૃત્યુ મહોત્સવ ભારી.
શત્રુંજય પર પાંચપાંડવમુનિરાજના શરીરમાં ધગધગતા આભૂષણ પહેરાવીને
ઉપદ્રવ્ય કર્યો છતાં તેમણે ચિત્કાર પણ ન કર્યો, તેઓ ધ્યાનથી ડગ્યા નહીં; આવો
ઉપસર્ગ શાંતિચિત્તે કરી તેઓ આરાધનામાં સ્થિર રહ્યા; તો હે જીવ! તને શું દુઃખ છે?
મૃત્યુને મહોત્સવ સમજીને તું આરાધનામાં ઉત્સાહિત થા.
(૪૯) ઔર અનેક ભયે ઈસ જગમેં સમતા–રસકે સ્વાદી;
વેહી હમકો હોં સુખદાતા, હરિહ ટેવી પ્રમાદી.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચરન–તપ યે આરાધન ચારોં,
યે હી મોકોું સુખકે દાતા, ઈન્હેં સદા ઉર ધારોં.
બીજા પણ અનેક મુનિ ભગવંતો જગતમાં થયા, તેઓ સમતારસના સ્વાદી હતા, ને
આરાધનામાં શૂરવીર હતા; અહો! તેમનું સ્મરણ આપણને આરાધનાનો ઉત્સાહ જગાડીને સુખ
આપે છે ને પ્રમાદની ટેવ છોડાવે છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ને તપ એ ચાર આરાધના જ
મને સુખની દાતા છે, અને તેને હું સદાય મારા અંતરમાં ભક્તિથી ધારણ કરું છું.
(પ૦) યોં સમાધિ ઉર માંહિ લાવો, આપનો હિત જો ચાહો,
તહિ મમતા અરૂ આઠોં મદકો, જ્યોતિ –સરૂપી ધ્યાવો.
જો કોઈ નિત કરત પ્રયાનો, ગ્રામાન્તરકે કાજ,
સો ભી સગુન વિચાર નીકે, શુભકે કારન સાજ. :

PDF/HTML Page 48 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૩૯ :
એ રીતે, હે ભવ્ય જીવો! જો તમે હિત ચાહતા હો તો અંતરમાં સમતા ભાવ પ્રગટ
કરો, મમતા તથા આઠમદ છોડીને જ્યોતિસ્વરૂપ આત્માને ધ્યાવો. લોકમાં પણ જે કોઈ જીવ
પરગામ જવા માટે પ્રયાણ કરે છે તે હંમેશાં શુભકાર્યને માટે શુભ–શકુન વિચારીને નીકળે છે.
(પ૧) માતા–પિતાદિક સર્વ કુંટુંબ મિલિ, નીકે સગુન બનાવૈં,
હલદી ધનિયા પુંગી અક્ષત દૂધ દહીં ફલ લાવૈં,
એક ગ્રામ જાવનકે કારન, કરેં શુભાશુભ સારે,
જબ પર ગતિકો કરત પયાનો, તબ નહિ સાચો પ્યારે.
તેનાં માતા–પિતા વગેરે બધાં કુંટુંબીજનો મળીને, ઉત્તમ શુકન–અર્થે હળવદ–
ધાણા–અક્ષત–દૂધ–દહીં–ફળ વગેરે લાવીને ઉત્તમ શુકન કરે છે. આ રીતે એક ગામથી
બીજે ગામ જવામાં પણ શુભાશુભનો વિચાર કરે છે, તો હે વહાલા મુમુક્ષુ! જ્યારે
પરભવમાં પ્રયાણ કરવાનો અવસર છે ત્યારે શું તમે તેનો વિચાર નહીં કરો?
(પ૨) સર્વ કુંટુંબ જબ રોવન લાગૈ, તોહિ રુલાવેં સારે,
યે અપસગુન કરેં સુન તોકોં, તૂયોં કયોં ન વિચારે.
અબ પર ગતિકો ચાલન બિરિયાં, ધર્મધ્યાન ઉર આનો,
ચારોં આરાધન આરાધો, મોહ–તેનો દુઃખ હાનો.
હે જીવ! સાંભળ! તારા મરણ ટાણે બધા કુટુંબીજનો રોવા લાગે છે, ને તને પણ
રોવડાવીને, પરલોક–ગમન ટાણે તને અપશકન કરે છે. એનો વિચાર તું કેમ નથી
કરતો? માટે પરગતિમાં જવાના ટાણે તમેં અંતરમાં ધર્મધ્યાનને ધારણ કરો, આનંદથી
ચારો આરાધનાને આરાધો, અને મોહનો દુઃખને નષ્ટ કરો.
(પ૩) હોય નિઃશલ્ય તજો સબ દુવિધા, આતમ–રામ સુ ધ્યાવો,
અબ પર–ગતિકો કરહુ પયાનો; પરમ તત્ત્વ ઉર લાવો.
મોહ–જાલકો કાટો પ્યારે, અપનો રૂપ વિચારો,
મૃત્યુ–મિત્ર ઉપકારી તેરો, યોં ઉર નિશ્ચય ધારો.
નિઃશલ્ય થઈને બધા દુર્વિકલ્પોને છોડી દો, ને આતમરામને ઉત્તમપ્રકારે ધ્યાવો.
હવે ઉત્તમ–ગતિ તરફ પ્રયાણ કરો અને પરમ–તત્ત્વમાં ઉપયોગને લગાવો. વહાલા
મુમુક્ષુ! હવે મોહજાળને કટ કરો ને પોતાનું સ્વરૂપ ચિંતવો. મૃત્યુ એ કોઈ ભય વસ્તુ
નથી, પણ મૃત્યુ તો તારો ઉપકારી મિત્ર છે–એમ અંતરમાં નિશ્ચય કરીને, નિર્ભયપણે
અખંડ આરાધનાને ઉત્સાહથી આરાધો.

PDF/HTML Page 49 of 55
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
(પ૪) ‘મૃત્યુ–મહોત્સવ પાઠ’ કો પઢેં–સુને બુધિવાન,
સરધા ધર નિત સુખ લહે, ‘સૂરચન્દ’ શિવ–સ્થાન.
પંચ ઉભય નવ એક શુભ, સંવત સો સુખદાય,
અશ્ચિન શ્યામા સપ્તમી, કહ્યો પાઠ મન લાય.
શ્રી સૂરચંદજી કવિ કહે છે કે જે–બુદ્ધિમાન જીવો આ મૃત્યુ–મહોત્સવ પાઠ વાંચશે.
સાંભળશે ને શ્રદ્ધા કરશે તે હંમેશાં સુખી થશે અને સ્વર્ગમોક્ષને પામશે. સં. ૧૯પપ ના
ભાદરવા વદ સાતમના શુભદિને આ સમાધિ–મહોત્સવ કાવ્યની રચના કરી..... તે
ભવ્યજીવોને આરાધનાનો ઉલ્લાસ આપો.
(‘મૃત્યુ મહોત્સવ’ અથવા સમાધિમરણની ભાવનાનું આ આંખુ કાવ્ય
અર્થસહિત, તથા તેના ભાવને લગતું મુનિવરોનું સુંદર ભાવવાહી રંગીન ચિત્ર, અને
બીજા કેટલાક વૈરાગ્યપ્રેરક સુંદર લેખોનું સંકલન ‘મૃત્યુ–મહોત્સવ’ નામના પુસ્તકમાં
છપાયેલા છે. વૈરાગ્યની દ્રઢતા માટે, આરાધના ઉલ્લાસ માટે તેમ જ સમાધિમરણની
ભાવના માટે આ પુસ્તક દરેક જિજ્ઞાસુને ઉપયોગી છે. કિંમત એક રૂપિયો. પોસ્ટેજ ફી.
–બ્ર. હરિલાલ જૈન, સોનગઢ)
થાક ઊતરે ને શીતળતા થા
પરમ શીતલ હૈ ચૈતન્યદેવ! તને નમું છું.
ગૂફાવાસી અંત, કદી ગુફાની બહાર નીકળતા ન હોય,
ચૈતન્યતત્ત્વ સિવાય બીજા કોઈ સાથે જગતમાં સંબંધ જરાય ન હોય,
એ સંતોનું જીવન કેવું સુખી શીતળ હોય! એવું જ જીવન જીવતાં
આવડે ત્યારે જ જીવ સમ્યક્ત્વ પામે.
પરભાવ; –ગમે તેવો ઊંચી જાતનો હોય–તોપણ તેમાં એકલો
થાક છે. પાછળથી થાક લાગે છે–એમ નહિ, પણ તે વખતે જ તે થાક
છે, તે પરભાવ જીવને કદી તૃપ્તિ કે સંતોષ આપી શકે નહિ. માટે
પરભાવ સિવાયનું બીજું કાંઈક તારા સ્વતત્ત્વમાં છે તેને હે જીવ! તું
શોધ.... અનુભવ.
નિસ્તૃહપણે આત્મહિત સાધે તે જ ધન્ય છે.

PDF/HTML Page 50 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૪૧ :
શ્રુતનું રહસ્ય પ્રગટ
કરીને શ્રુતપંચમી ઉજવો

શ્રુતપંચમીના પ્રવચનમાં સંતોના મહિમાપૂર્વક ગુરુદેવે કહ્યું કે આત્મામાંથી
સમ્યગ્જ્ઞાન પ્રગટ કરવું તે સાચી શ્રુતપંચમી છે.
મુનિઓએ જે ઉપદેશ આપ્યો છે તેમાં ખરેખર તો પોતાને અનુભૂતિમાં જે શુદ્ધ
આત્મા આનંદમય પ્રસિદ્ધ થયો છે તેનો જ પોકાર છે કે આવો આનંદમય શુદ્ધ આત્મા
અમારા અનુભવમાં આવ્યો છે. પોતાને જે અત્યંત પ્રિય ચીજ છે તે જગતને પણ બતાવીને
કહે છેકે તમે પણ આવા આત્માને જ પ્રિય કરો..... ભાવશ્રુતવડે તેના આનંદનું વેદન કરો.
સમ્યગ્દ્રષ્ટિ ખરો મોક્ષાર્થી થયોછે, કેમકે મોક્ષનો જે મહા આનંદ તેના સ્વાદનો
નમૂનો તેણે ચાખી લીધો છે; અહો, અતીન્દ્રિય આનંદસ્વરૂપ મારો આત્મા! એમ
આનંદના સમુદ્રનું ભાન થતાં, તે પૂર્ણાનંદને અભિલાષી થયો, એટલે મોક્ષાર્થી થયો.
તે મોક્ષાર્થી જીવ પોતાના જ્ઞાનને અત્યંત ઉદાર કરીને એટલે કે રાગાદિ સમસ્ત
પરભાવોથી જુદું કરીને એમ અનુભવે છે કે એક શુદ્ધ પરમ ચૈતન્યભાવ જહું છું, ને
એનાથી ભિન્ન કોઈ પરભાવો હું નથી. ભાવશ્રુતને અંતર્મુખ કરીને આવું અનુભવજ્ઞાન
પ્રગટ્યું તે ખરી શ્રુતપંચમી છે...... શ્રુતનો સાર તેના અનુભવજ્ઞાનમાં આવી ગયો.
આગ્રામાં તત્ત્વજ્ઞાનનો મહાન પ્રચાર
હમણાં આગ્રામાં ૨૦ દિવસ તત્ત્વજ્ઞાનની મહાન શિબિરનું આયોજન થયું, તેમાં
૨૨ કેન્દ્રોમાં બાળકોની પાઠશાળા ચાલતી હતી, ને હજાર ઉપરાંત બાળકો તેમાં ધર્મ
શિક્ષણનો લાભ લેતા હતા. ધાર્મિક શિક્ષણ ને પ્રવચનના કાર્યક્રમો સવારથી રાત સુધી
હતા. તે ઉપરાંત વિદ્ધાનોના ભાષણોમાં પણ હજારો તત્ત્વપ્રેમી લાભ લેતા હતા. જયપુરના
શેઠશ્રી પૂરણચંદજી ગોદિકાની અધ્યક્ષતામાં શિબિરનું ઉદ્ઘાટન સાગરના શેઠ શ્રી
ભગવાનદાસજીએ કર્યું હતું. આ શિક્ષણશિબિરથી આગ્રા શહેરમાં સારી જાગૃતી આવી હતી.
“શ્વેતાંબર જૈન” સાપ્તાહિક પત્રમાં પણ ‘આગરામેં વીતરાગવિજ્ઞાનકી ધૂમ એવા હેડીંગ
સાથે સમાચારો પ્રગટ થાય હતા. આગરાના પદમચંદજી જૈન વગેરેને શિક્ષણ શિબિર માટે
સારી જાગૃતી આવી છે, ને ઠેરઠેર જૈન પાઠશાળાઓ ચાલુ કરવાનું

PDF/HTML Page 51 of 55
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
નક્કી થયું છે. આપણને પ્રયત્ન કરીએ કે ભગવાન મહાવીરના અઢીહજારમા નિર્વાકલ્યાણક
મહોત્સવમાં સુધીમાં ભારતમાં અઢીહજાર નવી પાઠશાળાઓ ખુલ્લી જાય અને વીરનાં
સંતાનો વીરમાર્ગને જાણીને, વીરપ્રભુના અમૂલ્ય વીતરાગનિધાનને પ્રાપ્ત કરે.
સર્વજ્ઞની સ્તુતિ એટલે ભેદજ્ઞાન
સર્વજ્ઞની સ્તુતિ એટલે સ્વભાવની આરાધના; પોતાના જ્ઞાનસ્વભાવની જેટલી
આરાધના કરી તેટલી સર્વજ્ઞભગવાનની સ્તુતિ થઈ.
જડ દ્રવ્યેન્દ્રિય, પરજ્ઞેય તરફ ઝુકનારી ભાવેન્દ્રિય, અને બાહ્ય પદાર્થો–તેમોં એકત્વ
બુદ્ધિ કરીને અટકનાર જીવ પોતાના એક અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવને આરાધી શકતો નથી.
ઈંન્દ્રિયાદિથી ભિન્ન જ્ઞાનસ્વભાવને તે શ્રદ્ધા–જ્ઞાનમાં લઈ શકતો નથી, તે તો રાગના જ
સેવનમાં રોકાયેલો કહે છે, એટલે વીતરાગ સર્વજ્ઞની ખરી સ્તુતિ તેને થતી નથી.
‘ભગવાન જ્ઞાનસ્વભાવ’ તે આત્મા છે; આવા અતીન્દ્રિય, પ્રત્યક્ષ પ્રકાશમાન
ભગવાન જ્ઞાનસ્વભાવી આત્માને સ્વસંવેદનથી જ્યારે અનુભવમાં લીધો ત્યારે જડ–
ઈન્દ્રિયો ભાવેન્દ્રિયો ને બાહ્ય વિષયો તે બધાયને પોતથી જુદા જાણીને જીતી લીધા
એટલે જિતેન્દ્રયપણું થયું. આ સર્વજ્ઞદેવની પરમાર્થ સ્તુતિ છે.
સર્વજ્ઞની નિશ્ચયસ્તુતિ સર્વજ્ઞની સામે જોવાથી થતી નથી, પણ આત્માની સામે
જોવાથી સર્વજ્ઞની નિશ્ચયસ્તુતિ થાય છે. અહો! જૈનસિદ્ધાંતની ખૂબી આચાર્યદેવ આ
ગાથામાં ભરી દીધી છે.
સર્વજ્ઞની ખરી સ્તુતિ સ્વાશ્રયે થાય છે, પરાશ્રયે થતી નથી. વીતરાગની સ્તુતિ
વીતરાગતાના અંશ વડે થાય, રાગ વડે ન થાય. સ્વ–ચૈતન્યતત્ત્વનો આશ્રય ચૂકીને
બહારમાં સર્વજ્ઞ તરફના એકલા પરાશ્રયમાં જે અટક્યો છે તે ખરેખર ઈદ્રિય–વિષયમાં
જ અટક્યોછે, અતીન્દ્રિય–પરમસૂક્ષ્મ એવા સર્વજ્ઞસ્વભાવનો સ્વીકાર તેને થયો નથી
એટલે સર્વજ્ઞની સાચી સ્તુતિ તેને આવડતી નથી.
દેહથી ભિન્ન અંતરમાં પરમ સૂક્ષ્મ જે ચૈતન્યસ્વભાવ, તેની પૂર્ણ દશા તે કેવળજ્ઞાન;
એવા કેવળજ્ઞાનીની સ્તુતિ દેહ સાથે એકતા રાખીને થઈ શકે નહિ. અંતરમાં પોતામાં
અતીન્દ્રિય સ્વભાવના અનુભવ વડે જ સર્વજ્ઞની થાય છે. આવી સ્તુતિ તે મોક્ષ કારણ છે.
(સમયસાર ગાથા ૩૧ ના પ્રવચનમાંથી)

PDF/HTML Page 52 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૮ આત્મધર્મ : ૪૩ :
વૈરાગ્ય સમાચાર–
શેઠશ્રી નરભેરામ હંસરાજ કામાણી (અમરેલીવાળા) દ્વિ. વૈશાખ સુદ તેરસ તા.
૨પ–પ–૭૨ ના રોજ જમશેદપુર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. પૂ. ગુરુદેવપ્રત્યે તેમને
ઘણો પ્રેમ હતો. ત્રણેક વર્ષ પહેલાંં તેમના યુવાન પુત્ર ધર્મચંદભાઈના સ્વર્ગવાસ
પછી તેઓ ઉદાસ રહેતા. થોડા મહિના પહેલાંં સોનગઢ આવેલ ત્યારે ગુરુદેવના
દર્શનથી આંખમાં આસું આવી ગયા હતા. અમરેલીના દિ. જૈનમંદિરનું શિલાન્યાસ
તેમણે કર્યું હતું ને તે પ્રસંગે મોટી રકમ જિનમંદિર માટે આપીને ઉત્સાહ બતાવ્યો
હતો. અમરેલી જિનમંદિરનો પ્રતિષ્ઠા ઉત્સહ ગત ફાગણ માસમાં થઈ ગયો.
સ્વર્ગસ્થના ધર્મપત્ની શ્રી હેમકુંવર સૂજ્ઞ છે અને તત્ત્વજ્ઞાન માટે સારો પ્રેમ ધરાવે છે.
વૈરાગ્ય પ્રસંગોમાં તેઓ જે ધૈર્ય રાખી રહ્યા છે તે પ્રશંસનીય છે.
આફ્રિકામાં નાઈરોબી મુમુક્ષુ મંડળના આગેવાન ભાઈશ્રી ફૂલચંદ કરમશી શાહ (ઉ.
વર્ષ ૭૯) તા. ૩૦–પ–૭૨ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. અગાઉ તેઓ મુમુક્ષુ
મંડળના પ્રમુખ હતા, અને દરેક કાર્યમાં ઉત્સાહથી ભાગ લેતા હતા. જામનગરના દિ.
જિનમંદિર માટે મોટી રકમ લખાવીને તેમણે પહેલ કરી હતી; અને ત્યાંના
પંચકલ્યાણક વખતે માતા–પિતા પણ તેઓ થયા હતા.
ગોંડલના ભાઈશ્રી કાન્તિલાલ વૃજલાલ બેનાણી ઉ. વ. પ૮ તા. ૧૩–૪–૭૨ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.
ગઢડાના શ્રી જસુબેન જાદવજી ડેલીવાળા (ઉ. વ. ૯પ) તા. ૨૨–૪–૭૨ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. અગાઉ તેઓ સોનગઢ રહેતા ને ગઢડાના જિનમંદિરનો ઉત્સવ
જોવાની તેમને ઘણી ભાવના હતી.
વીછીંયાના ભાઈશ્રી જીવરાજ જેચંદ વોરા (ઉ. વ. ૮૭) તા. ૧–પ–૭૨ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. વીંછીયા દિ. જૈનસંઘના તેઓ એક ઉત્સાહી કાર્યકર હતા.
રાણપુર (મધ્યપ્રદેશ) ના વસંતીબેન ફાગણ વદ પાંચમના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
મૂળીના ભાઈશ્રી ભીખાલાલ મોહનલાલ (ઉ. વ. ૬પ) તા. ૩૧–પ–૭૨ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.
ચલાલાના શ્રી સમજુબેન ત્રિભુવનદાસ (ઉ. વ. ૭૦) તા. ૧૦–પ–૭૨ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. અનેક વર્ષો સોનગઢ રહીને તેમણે સંત્સંગનો લાભ લીધો.

PDF/HTML Page 53 of 55
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૮
હતો. અને સોનગઢ આવવાની ભાવન હતી.
ભાઈશ્રી માણેકલાલ છોટાલાલ તૂરખીઆ (એડનવાળા) પ્ર. વૈશાખ વદ ૧૩ ના
રોજ વીલે પારલે (મુંબઈ) મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. થોડા દિવસ પહેલાંં જ
સંપાદક ઉપરના પત્રમાં તેઓ લખે છે કે પરમ કૃપાળુ ગુરુદેવ સાથેના પ્રવાસનો
અણમોલ લહાવો આપ તો લઈ રહ્યા છો અને તે પ્રસંગો આત્મધર્મમાં વાંચીને
અમને પણ તેનો લહાવો મળતો રહે છે.
રાજકોટના વતની ભાઈશ્રી નવનીતલાલ ભગવાનજી સંઘવી (ઉ વ ૪૯) દ્ધારકામાં
બેંક ઓફ બરોડાની બ્રાંચના મેનેજર હતા તેઓ હદયરોગની બિમારીથી સ્વર્ગવાસ
પામ્યા છે.
વિંછીઆનિવાસી મણીબહેન હરીચંદ બોટાદરા (ઉ. વર્ષ. પપ) તા. ૧–૬–૭૨ ના
રોજ ઘાટકોપર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
ગોંડલના ભાઈશ્રી કેવળચંદ કાનજીભાઈના પારેખ (ઉ. વ. ૮પ) તા. ૨૧–૪–૭૨
ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. નિવૃત્તિપૂર્વક તેઓ અનેક વર્ષ સોનગઢમાં રહ્યા હતા.
વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે સ્વર્ગસ્થ આત્માઓ પોતાનું આત્મહિત સાધો
અને જિજ્ઞાસુ જીવો પણ આવા ક્ષણભંગુર સંસારથી પરમ વિરકત થઈ અમર
આત્મસ્વરૂપની અપાર શાંતિને શીઘ્ર સાધો.... આ મહાન કાર્યમાં વિલંબ કરવા જેવું નથી.
(પ્રવાસમાં હોવાને કારણે કેટલાક સમાચારો પ્રગટ થવામાં વિલંબ થયો છે.)
વૈરાગ્ય સન્દેશ
સંસારની પરિસ્થિતિ જ એવી છે કે પ્રિયમાં પ્રિય માનેલી
વસ્તુ પણ, પૂછયાગાછયા વગર આત્માને છોડીને ચાલી જાય છે.
એટલે ખરેખર તો વિચારવંત જીવે એનાથી પણ વધુ પ્રિય એવી
કોઈ વસ્તુ અંતરમાં, શોધવી જોઈએ–કે જે કદી પોતાને છોડે
નહિ. અહા, એવી આત્મવસ્તુ આપણા જૈનમાર્ગમાં તીર્થંકર
પ્રભુએ બતાવી છે. જન્મ–મરણના દુઃખો વચ્ચે આત્મવસ્તુ જ
શાંતિ દેનાર છે. આવી આત્મવસ્તુને મુમુક્ષુઓ લક્ષગત કરો.

PDF/HTML Page 54 of 55
single page version

background image








ફત્તેપુરમાં પંચકલ્યાણક વખતે માતા–પિતા તરીકે વિદ્ધાન ભાઈશ્રી
બાબુભાઈ તથા સૌ. તારાબેન હતા, તેથી રાજદરબારમાં તત્ત્વચર્ચાનો સુંદર રંગ
જામતો. સમુદ્રવિજયમહારાજના દરબારની એ ચર્ચા સાંભળી સૌ પ્રસન્ન થતા
હતા. આપણું આત્મધર્મ આપને પણ એ ચર્ચાના અધ્યાત્મરસનો સ્વાદ ચખાડશે.
* રત્નસંગ્રહ: (સૌને ગમે તેવા એક સૌ અધ્યાત્મરત્નોનો સંગ્રહ) ભાગ ૧ અને
૨ (દરેકની કિંમત ૮૦ પૈસા. પોસ્ટથી મંગવાવા માટે રૂા. ૧૧)
* દર્શનકથા: ફરી છપાયેલ છે: કિંમત ૭૦ પૈસા
* સમ્યગ્દર્શન: ભાગ ૪ સમ્યક્ત્વના મહિમાથી ભરપૂર અનેક પ્રવચનો, સમ્યક્ત્વ
સંબંધી સુક્ષ્મ ચર્ચાઓ, સમ્યક્ત્વના આઠ અંગની પૌરાણિક કથાઓ અને
કેટલાક ચિત્રો સહિત: દરેક જિજ્ઞાસુએ ખાસ વાંચવા લાયક પુસ્તક: અડધી
કિંમત ૧. પ૦ પોસ્ટથી મંગાવનારે રૂા. ૨ મોકલવા.
ભગવાન ઋષભદેવ ૧૦ ભવ: પંદર પૈસા * ભગવાન મહાવીર: પંદર પૈસા
અંકલંક–નિકલંક: ઉત્તમ ધાર્મિક નાટક: કિંમત ૭પ પૈસા
સમ્યક્ત્વની આઠ અંગની આઠ કથાઓ: સૌને ઉપયોગી: કિંમત પ૦ પૈસા
ભગવાન પારસનાથ: દશ ભવનું રોમાંચક વર્ણન: ચિત્રોસહિત: કિ રૂા.૧.
– સંપાદક આત્મધર્મ: સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 55 of 55
single page version

background image
Regd. No. G.182
‘ઊગી છે આજ મારે આનંદની બીજ’
વૈશાખસુદ બીજનાં મંગલવધામણાં
ફતેપુરમાં ૭૦ મી જન્મજયંતિ પ્રસંગે પૂ. ગુરુદેવ આત્મધર્મ ખાસ અંકનું