Page 280 of 660
PDF/HTML Page 301 of 681
single page version
જ છે. અભવ્યોને તો સર્વથા મુક્તિ નથી, નિરંતર ભવભ્રમણ જ છે અને ભવ્યોમાંથી
કોઈકને મુક્તિ મળે છે. જ્યાં સુધી જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ છે તે લોકાકાશ છે
અને જ્યાં એકલું આકાશ જ છે તે અલોકાકાશ છે. લોકના શિખરે સિદ્ધ બિરાજે છે. આ
લોકાકાશમાં ચેતના લક્ષણવાળા જીવ અનંતા છે તેમનો વિનાશ થતો નથી. સંસારી જીવ
નિરંતર પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય આ છ કાયમાં
દેહ ધારણ કરીને ભ્રમણ કરે છે. આ ત્રિલોક અનાદિ છે, અનંત છે તેમાં સ્થાવર-જંગમ
જીવો પોતપોતાના કર્મસમૂહોથી બંધાઈને ભિન્ન ભિન્ન યોનિઓમાં ભ્રમણ કરે છે. આ
જિનરાજના ધર્મથી અનંત સિદ્ધ થયા અને અનંત સિદ્ધ થશે અને વર્તમાનમાં થાય છે.
જિનમાર્ગ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. અનંતકાળ વીતી ગયો, અનંતકાળ વીતશે,
કાળનો અંત નથી. જે જીવ સંદેહરૂપ કલંકથી કલંકી છે અને પાપથી પૂર્ણ છે, ધર્મને
જાણતા નથી, તેમને જૈનનું શ્રદ્ધાન ક્યાંથી હોય? અને જેને શ્રદ્ધાન નથી, જે
સમ્યક્ત્વરહિત છે, તેમને ધર્મ ક્યાંથી હોય? ધર્મરૂપ વૃક્ષ વિના મોક્ષફળ કેવી રીતે મેળવે.
અજ્ઞાન અનંત દુઃખનું કારણ છે. જે મિથ્યાદ્રષ્ટિ અધર્મમાં અનુરાગી છે અને અતિ ઉગ્ર
પાપકર્મથી મંડિત છે, રાગાદિ વિષથી ભરેલા છે, તેમનું કલ્યાણ કેવી રીતે થાય? તે દુઃખ
જ ભોગવે છે. હસ્તિનાપુરમાં એક ઉપાસ્તિ નામનો પુરુષ હતો, તેની સ્ત્રી દીપની
મિથ્યાભિમાનથી પૂર્ણ હતી. તે વ્રતનિયમ કાંઈ પાળતી નહિ. તે ખૂબ ક્રોધી, અદેખી,
કષાયરૂપ વિષની ધારક, સાધુઓની સતત નિંદા કરનારી, કુશબ્દ બોલનારી, અતિકૃપણ,
કુટિલ, પોતે કોઈને અન્ન આપે નહિ અને આપતું હોય તેને પણ રોકનારી, ધનની ભૂખી,
ધર્મથી અજાણ ઈત્યાદિ અનેક દોષથી ભરેલી મિથ્યામાર્ગની સેવક, પાપકર્મના પ્રભાવથી
ભવસાગરમાં અનંતકાળથી ભટકતી હતી. ઉપાસ્તિ દાનના અનુરાગથી ચંદ્રપુરનગરમાં ભદ્ર
નામના પુરુષની ધારિણી નામક સ્ત્રીને પેટે ધારણ નામનો પુત્ર થયો. તે ભાગ્યશાળી હતો,
મોટું કુટુંબ હતું અને નયનસુંદરી નામની પત્ની હતી. ધારણ શુદ્ધ ભાવથી મુનિઓને
આહારદાન આપી અંતકાળે શરીર છોડી, ધાતકીખંડદ્વીપમાં ઉત્તરકુરુ ભોગભૂમિમાં ત્રણ
પલ્યનું સુખ ભોગવી, દેવપર્યાય પામી, ત્યાંથી ચ્યવીને પૃથુલાવતી નગરીમાં રાજા નંદીઘોષ
અને રાણી વસુધાનો નંદીવર્ધન નામે પુત્ર થયો. એક દિવસ રાજા નંદીઘોષ યશોધર
નામના મુનિની પાસે ધર્મશ્રવણ કરી, નંદીવર્ધનને રાજ્ય આપી પોતે મુનિ થયા અને તપ
કરીને સ્વર્ગમાં ગયા. નંદીવર્ધને શ્રાવકનાં વ્રત ધારણ કર્યાં, નમસ્કાર મંત્રના સ્મરણમાં
તત્પર રહેતા. તેમણે કરોડ પૂર્વ સુધી મહારાજપદનું સુખ ભોગવી અંતકાળે સમાધિમરણ
કરી, પંચમ દેવલોકની પ્રાપ્તિ કરી. ત્યાંથી ચ્યવીને પશ્ચિમ વિદેહમાં વિજ્યાર્ધ પર્વત પર
શશિપુર નામના નગરમાં રાજા રત્નમાલીની રાણી વિદ્યુતલતાની કુક્ષિએ સૂર્યજય નામનો
પુત્ર થયો. એક દિવસ મહાબળવાન રત્નમાલી સિંહપુરના રાજા વજ્રલોચન સાથે યુદ્ધ
કરવા ગયો. અનેક દિવ્ય રથ, હાથી, ઘોડા, પ્યાદાં મહાપરાક્રમી સામંતો સાથે, નાના
પ્રકારનાં શસ્ત્રોનો ધારક રાજા હોઠ કચડતો, ધનુષ ચઢાવીને, રથમાં આરૂઢ થઈને ભયાનક
આકૃતિ ધારણ કરી
Page 281 of 660
PDF/HTML Page 302 of 681
single page version
તેને કહેવા લાગ્યો કે હે રત્નમાલી! તેં આ શું આરંભ્યું છે? હવે તું ક્રોધ છોડ. હું તારો
પૂર્વભવનો વૃત્તાંત કહું છું તે સાંભળ. ભરતક્ષેત્રમાં ગાંધારી નગરીના રાજા ભૂતિ અને
તેનો પુરોહિત ઉપમન્યુ બન્ને પાપી અને માંસભક્ષી હતા. એક દિવસ રાજાએ
કેવળગર્ભસ્વામીના મુખથી વ્યાખ્યાન સાંભળીને એવું વ્રત લીધું કે હું પાપનું આચરણ
નહિ કરું. તે વ્રત ઉપમન્યુ પુરોહિતે છોડાવી દીધું. એક સમયે રાજા પર શત્રુઓની ધાડ
આવી તેમાં રાજા અને પુરોહિત બન્ને મરાયા. પુરોહિતનો જીવ હાથી થયો. તે હાથી
યુદ્ધમાં ઘાયલ થઈ અંતકાળે નમોકારમંત્રનું શ્રવણ કરીને ગાંધારી નગરીમાં રાજા ભૂતિની
રાણી યોજનગંધાનો અરિસૂદન નામનો પુત્ર થયો. તેણે કેવળગર્ભમુનિનાં દર્શન કરી,
પૂર્વજન્મનું સ્મરણ કર્યું, તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેણે મુનિપદ અંગીકાર કર્યું,
સમાધિમરણ કરી અગિયારમાં સ્વર્ગમાં દેવ થયો. તે ઉપમન્યુ પુરોહિતનો જીવ તે હું અને
રાજા ભૂતિનો જીવ મરીને મંદારણ્યમાં મૃગ થયો હતો. ત્યાં દાવાનળમાં બળી મર્યો. મરીને
કલિંજ નામનો નીચ પુરુષ થયો અને મહાપાપ કરી બીજી નરકમાં ગયો. સ્નેહના યોગથી
મેં તને નરકમાં સંબોધન કર્યું. આયુષ્ય પૂર્ણ કરીને નરકમાંથી નીકળીને તું રત્નમાલી
વિદ્યાધર થયો. તું એ નરકનાં દુઃખ ભૂલી ગયો છો. આ વાત સાંભળીને રત્નમાલી
સૂર્યજય પુત્ર સહિત પરમ વૈરાગ્ય પામ્યો, દુર્ગતિનાં દુઃખથી ડર્યો, તિલકસુંદર સ્વામીનું
શરણ લઈ પિતાપુત્ર બન્ને મુનિ થયા. સૂર્યજય તપ કરીને દસમા દેવલોકમાં દેવ થયો.
ત્યાંથી ચ્યવીને રાજા અનુરણ્યનો પુત્ર દશરથ થયો. સર્વભૂતહિત મુનિ કહે છે કે અલ્પમાત્ર
સુકૃતથી પણ ઉપાસ્તિનો જીવ કેટલાક ભવોમાં વડના બીજની પેઠે વૃદ્ધિ પામ્યો. તું રાજા
દશરથ ઉપાસ્તિનો જીવ છે અને નંદીવર્ધનના ભવમાં તારા પિતા નંદીઘોષ મુનિ થઈને
ગ્રૈવેયક ગયા હતા અને ત્યાંથી ચ્યવીને હું સર્વભૂતહિત થયો છું. જે રાજા ભૂતિનો જીવ
રત્નમાલી થયો હતો તે સ્વર્ગમાંથી ચ્યવીને આ જનક થયો છે અને ઉપમન્યુ પુરોહિતનો
જીવ જેણે રત્નમાલીને સંબોધ્યો હતો તે જનકનો ભાઈ કનક થયો છે. આ સંસારમાં ન
કોઈ પોતાનું છે કે ન કોઈ પારકું છે. શુભાશુભ કર્મોથી આ જીવ જન્મ-મરણ કરે છે. આ
પૂર્વભવનું વર્ણન સાંભળી રાજા દશરથ નિઃસંદેહ થઈ સંયમ સન્મુખ થયો. ગુરુના ચરણોને
નમસ્કાર કરીને તેણે નગરમાં પ્રવેશ કર્યો. તેનું અંતઃકરણ નિર્મળ હતું. તે મનમાં
વિચારવા લાગ્યો કે આ મહામંડલેશ્વરનું રાજ્ય સુબુદ્ધિમાન રામને આપી, હું મુનિવ્રત
અંગીકાર કરું. રામ ધર્માત્મા છે અને મહાધીર છે, ધૈર્ય ધારણ કરે છે અને સમુદ્રાંત
પૃથ્વીનું રાજ્ય કરવાને સમર્થ છે. એના ભાઈઓ પણ આજ્ઞાકારી છે. આમ રાજા દશરથે
વિચાર્યું. તે મોહથી પરાઙમુખ અને મુક્તિ માટે ઉદ્યમી થયા છે. તે વખતે શરદ ઋતુ પૂર્ણ
થઈ હતી અને હેમંત ઋતુનું આગમન થયું. કમળ જેનાં નેત્ર છે અને ચંદ્રમાની ચાંદની
જેનાં ઉજ્જવળ વસ્ત્ર છે એવી શરદ ઋતુ જાણે કે હિમઋતુના ભયથી ભાગી ગઈ.
Page 282 of 660
PDF/HTML Page 303 of 681
single page version
થયા. જે ઋતુમાં ધનરહિત પ્રાણી જીર્ણ કુટિમાં દુઃખપૂર્વક સમય વિતાવે છે. દરિદ્રી લોકોના
હોઠ અને પગના તળિયા ફાટી ગયા છે, દાંત ડગમગે છે, વાળ લુખ્ખા થઈ ગયા છે,
નિરંતર અગ્નિનું સેવન કરવું પડે છે, પેટપૂરતું ભોજન મળતું નથી, ચામડી કઠણ બની
જાય છે અને ઘરમાં કુભાર્યાના વચનરૂપ શસ્ત્રથી જેનું ચિત્ત કપાઈ જાય છે, કાષ્ઠાદિના
ભારા લાવવા માટે ખભે કુહાડી વગેરે લઈને જે વન વન ભટકે છે અને શાક, બોર વગેરે
આહારથી પેટ ભરે છે અને જે પુણ્યના ઉદયથી રાજાદિક ધનાઢય પુરુષ થયા છે તે મોટા
મહેલોમાં રહે છે અને શીતનું નિવારણ કરનાર અગરના ધૂપની સુગંધથી યુક્ત વસ્ત્ર
પહેરે છે, સોનાનાં તથા રૂપાનાં પાત્રોમાં ષટ્રસયુક્ત સ્નિગ્ધ ભોજન કરે છે, તેમનાં અંગો
પર કેસર સુગંધાદિનો લેપ કરે છે, તેમની પાસેના ધૂપદાનમાં ધૂપ સળગ્યાં કરે છે,
પરિપૂર્ણ ધન હોવાથી ચિંતારહિત છે, ઝરૂખામાં બેસીને લોકોને જુએ છે, તેમની સમીપે
ગીત નૃત્યાદિક વિનોદ થયા કરે છે, રત્નોનાં આભૂષણ અને સુગંધી માળાદિથી મંડિત
સુંદર કથામાં ઉદ્યમી છે; તેમની સ્ત્રીઓ વિનયવાન, કલાની જાણનારી, રૂપાળી અને
પતિવ્રતા હોય છે. પુણ્યના ઉદયથી આ સંસારી જીવ દેવગતિ મનુષ્ય ગતિનાં સુખ ભોગવે
છે અને પાપના ઉદયથી નરક, તિર્યંચ તથા મનુષ્ય થઈ દુઃખ, દારિદ્ર ભોગવે છે. બધા
માણસો પોતપોતાના ઉપાર્જિત કર્મના ફળ ભોગવે છે. દશરથે મુનિનાં આવાં વચન પહેલાં
સાંભળ્યા હતાં. તે સંસારથી વિરક્ત થઈ દ્વારપાળને કહેવા લાગ્યા. દ્વારપાળે પોતાનું
મસ્તક ભૂમિ પર અડાડયું છે અને હાથ જોડયા છે. રાજાએ તેને આજ્ઞા કરી કે હે ભદ્ર!
સામંત, મંત્રી પુરોહિત, સેનાપતિ આદિ બધાને બોલાવો. એટલે દ્વારપાળ દ્વાર પર બીજા
માણસને મૂકીને તેમની આજ્ઞા પ્રમાણે બોલાવવા ગયો. તે બધા આવીને રાજાને પ્રણામ
કરી યથાયોગ્ય સ્થાનમાં બેઠા અને વિનંતી કરવા લાગ્યા કે હે નાથ! આજ્ઞા કરો. શું કાર્ય
કરવાનું છે? રાજાએ કહ્યું કે હું સંસારનો ત્યાગ કરીને નિશ્ચયથી સંયમ લઈશ. મંત્રીઓએ
પૂછયું કે હે પ્રભો! આપને કયા કારણે વૈરાગ્ય ઉત્પન્ન થયો છે? રાજાએ કહ્યું કે આ
સમસ્ત જગત પ્રત્યક્ષપણે સૂકા ઘાસની જેમ મૃત્યુરૂપ અગ્નિથી બળે છે અને અભવ્યને
અલભ્ય તથા ભવ્યોને લેવા યોગ્ય એવો સમ્યક્ત્વ સહિત સંયમ ભવતાપનો નાશક અને
શિવસુખ આપનાર છે, સુર, અસુર, મનુષ્ય, વિદ્યાધરોથી પૂજ્ય છે, પ્રશંસાયોગ્ય છે. મેં
આજે મુનિના મુખે જિનશાસનનું વ્યાખ્યાન સાંભળ્યું. જિનશાસન સકળ પાપોનો નાશ કરે
છે. ત્રણ લોકમાં પ્રગટ મહાસૂક્ષ્મ ચર્ચા તેમાં છે, અતિનિર્મળ ઉપમારહિત છે. બધી
વસ્તુઓમાં સમ્યક્ત્વ પરમ વસ્તુ છે. તે સમ્યક્ત્વનું મૂળ જિનશાસન છે, શ્રી ગુરુઓના
પ્રસાદથી હું નિવૃત્તિમાર્ગમાં પ્રવર્તવા તૈયાર થયો છું, મારી ભવભ્રાંતિરૂપ નદીની કથા મેં
આજે મુનિના મુખથી સાંભળી છે અને મને જાતિસ્મરણ થયું છે. હવે મારું શરીર ત્રાસથી
કંપે છે. મારી ભવભ્રાંતિની નદીમાં જાતજાતનાં જન્મરૂપ વમળો ઉઠે છે, મોહરૂપ કીચડથી
મલિન છે, કુર્તકરૂપ મગરોથી પૂર્ણ દુઃખરૂપ લહેરો તેમાં ઉઠે છે, મિથ્યારૂપ જળથી તે
ભરેલી છે, તેમાં મૃત્યુરૂપ મગરમચ્છોનો ભય છે, રુદનના ઘોર અવાજ કરતી, અધર્મરૂપ
પ્રવાહથી વહેતી,
Page 283 of 660
PDF/HTML Page 304 of 681
single page version
ભવનદીને ઓળંગીને શિવપુરી જવાને ઉદ્યમી થયો છું. મોહથી પ્રેરાયેલા કાંઈ નકામા
બોલશો નહિ, સંસારસમુદ્ર તરીને નિર્વાણદ્વીપ જતાં મને અંતરાય ન કરશો. જેમ સૂર્યનો
ઉદય થતાં અંધકાર રહેતો નથી તેમ સમ્યગ્જ્ઞાન થતાં સંશયતિમિર ક્યાં રહે? માટે મારા
પુત્રને રાજ્ય આપો, હમણાં જ પુત્રનો અભિષેક કરાવો, હું તપોવનમાં પ્રવેશ કરું છું. આ
વચન સાંભળી મંત્રીઓ અને સામંતો રાજાનો વૈરાગ્યનો નિશ્ચય જાણી અત્યંત શોકાતુર
થયા. તેમનાં મસ્તક નીચે ઢળી ગયાં, આંખો અશ્રુપાતથી ભરાઈ ગઈ, આંગળીથી જમીન
ખોતરતાં ક્ષણમાત્રમાં પ્રભારહિત થઈ ગયા. મૌનપણે બેસી રહ્યા. આખો રણવાસ
પ્રાણનાથનો નિર્ગ્રંથ વ્રતનો નિશ્ચય સાંભળી શોક પામ્યો. અનેક વિનોદ કરતા હતા તે
છોડીને આંસુઓથી આંખો ભરાઈ ગઈ અને મહારુદન કર્યું. ભરત પિતાના વૈરાગ્યની વાત
સાંભળી પોતે પણ પ્રતિબોધ પામ્યા, મનમાં ચિંતવવા લાગ્યા કે અહો! આ સ્નેહનું બંધન
છેદવું કઠણ છે. અમારા પિતાજી જ્ઞાન પામ્યા, જિનદીક્ષા લેવા ઈચ્છે છે. હવે એમને
રાજ્યની શી ચિંતા હોય? મારે તો ન કોઈને કાંઈ પૂછવાનું છે કે ન કાંઈ કરવાનું છે. હું
તપોવનમાં પ્રવેશ કરીશ, સંયમ ધારણ કરીશ. તે સંયમ સંસારના દુઃખોનો ક્ષય કરે છે,
અને મારે આ દેહથી શી લેવાદેવા છે? આ દેહ તો વ્યાધિનું ઘર છે, વિનશ્વર છે, જો
દેહથી મારો સંબંધ નથી તો બાંધવો સાથે સંબંધ કેવો? આ બધા પોતાના કર્મફળના
ભોક્તા છે, આ પ્રાણી મોહથી અંધ છે, સંસારવનમાં એકલો જ ભટકે છે કે જે વન અનેક
ભવભયરૂપ વૃક્ષોથી ભરેલું છે.
એમને રોકું? આવી ચિંતાથી જેનું મન વ્યાકુળ છે એવી કૈકેયીને યાદ આવ્યું કે રાજાએ
તેને વરદાન આપેલું છે એટલે તરત જ પતિ પાસે જઈને અર્ધા સિંહાસન ઉપર બેઠી. તેણે
વિનંતી કરી કે હે નાથ! બધી સ્ત્રીઓની વચ્ચે તમે મને કૃપા કરીને કહ્યું હતું કે તું જે
માગીશ તે હું આપીશ તો અત્યારે આપો. ત્યારે દશરથે કહ્યું કે હે પ્રિયે! જે તારી ઈચ્છા
હોય તે માગી લે. રાણી કૈકેયી આંસુ સારતાં કહેવા લાગી કે હે નાથ! અમારી એવી કઈ
ભૂલ થઈ કે તમે ચિત્તને કઠોર કરીને અમને છોડવા ઈચ્છો છો. અમારો જીવ તો તમારે
આધીન છે. વળી, આ જિનદીક્ષા અત્યંત દુર્ધર છે તે લેવા માટે તમને કેમ વિચાર
સૂઝયો? આ ઇન્દ્ર સમાન ભોગોથી પાળેલું તમારું શરીર છે, તમે મુનિપદ કેવી રીતે
ધારણ કરી શકશો? મુનિપદ અત્યંત વિષમ છે. જ્યારે રાણી કૈકેયીએ આ પ્રમાણે કહ્યું
ત્યારે તેમણે જવાબ આપ્યોઃ હે કાંતે! સમર્થને વિષમ શું? હું તો નિઃસંદેહ મુનિવ્રત ધારણ
કરીશ જ, તારી અભિલાષા હોય તે માગ. રાણી ચિંતાતુર બની નીચું મુખ કરી બોલી કે
હે નાથ! મારા પુત્રને રાજ્ય આપો. ત્યારે દશરથે કહ્યું કે એમાં સંદેહ શેનો?
Page 284 of 660
PDF/HTML Page 305 of 681
single page version
તેં થાપણ મૂકી હતી તે હવે લઈ લે. તેં જે કહ્યું તે હું માન્ય રાખું છું, હવે શોક ત્યજ, તે
મને ઋણમુક્ત કર્યો. પછી રામ-લક્ષ્મણને બોલાવી રાજા દશરથે કહ્યુંઃ હે વત્સ! આ કૈકેયી
અનેક કળાની પારગામી છે, એણે પહેલાં એક ઘોર સંગ્રામમાં મારું સારથિપણું કર્યું હતું.
એ અતિચતુર છે મારી જીત થઈ ત્યારે મેં પ્રસન્ન થઈ એને વરદાન આપેલું કે તારી
ઈચ્છા હોય તે માગી લે. તે વખતે તેણે વચન મારી પાસે થાપણ તરીકે મૂકયું હતું. હવે
એ કહે છે કે મારા પુત્રને રાજ્ય આપો. જો એના પુત્રને રાજ્ય ન આપું તો એનો પુત્ર
ભરત સંસારનો ત્યાગ કરે અને એ પુત્રના શોકથી પ્રાણ ત્યજે અને મારી વચન ન
પાળવાની અપકીર્તિ જગતમાં ફેલાય. વળી, મોટા પુત્રને છોડી નાના પુત્રને રાજ્ય આપું
તો એ કામ મર્યાદાથી વિપરિત છે અને ભરતને સકળ પૃથ્વીનું રાજ્ય આપ્યા પછી તમે
લક્ષ્મણ સહિત કયાં જાવ? તને બન્ને ભાઈ વિનયવાન, પિતાના આજ્ઞાકારી અને
પરમક્ષત્રિયતેજના ધારક છો તેથી હે વત્સ! હું શું કરું? બેય બાબત મુશ્કેલ બની ગઈ છે.
હું અત્યંત દુઃખરૂપ ચિંતાના સાગરમાં પડયો છું. ત્યારે શ્રી રામચંદ્રે અત્યંત વિનયપૂર્વક,
પિતાનાં ચરણારવિંદમાં નજર ચોડીને, સજ્જનતાથી કહ્યું કે હે તાત! તમે તમારું વચન
પાળો. અમારી ચિંતા છોડો. જો તમારું વચન નિષ્ફળ જવાથી તમારી અપકીર્તિ થતી હોય
અને અમને ઇન્દ્રની સંપત્તિ મળતી હોય તો પણ શા કામની? સુપુત્ર તો એવું જ કાર્ય કરે
કે જેથી માતાપિતાને રંચમાત્ર પણ શોક ન ઉપજે. પંડિતો પુત્રનું પુત્રપણું એને જ કહે છે
કે જે પિતાને પવિત્ર કરે અને તેમની કષ્ટથી રક્ષા કરે. પવિત્ર કરવું એટલે કે તેમને
જૈનધર્મની સન્મુખ કરવા. દશરથ, રામ અને લક્ષ્મણ વચ્ચે આ વાત થઈ રહી હતી તે જ
સમયે ભરત મહેલમાંથી નીચે ઉતર્યા અને મનમાં વિચાર્યું કે હું મુનિવ્રત ધારણ કરું અને
કર્મોનો નાશ કરું. લોકોના મુખમાંથી હાહાકારનો અવાજ થયો. પિતાએ વિહ્વળચિત્ત
થઈને ભરતને વનમાં જતા રોકયાં અને ગોદમાં બેસાડયા, છાતી સાથે લગાડયાં, મુખ
ચૂમ્યું અને કહ્યું, હે પુત્ર! તું પ્રજાનું પાલન કર. હું તપને અર્થે વનમાં જાઉં છું. ભરત
બોલ્યા, હું રાજ્ય નહિ કરું, જિનદીક્ષા ધારણ કરીશ. ત્યારે રાજાએ કહ્યુંઃ હે વત્સ! થોડા
દિવસ રાજ્ય કર, તારી નાની ઉંમર છે, વૃદ્ધાવસ્થામાં તપ કરજે. ભરતે કહ્યુંઃ હે તાત!
મૃત્યુ બાળ, વૃદ્ધ, તરુણને જોતું નથી, તે સર્વભક્ષી છે. તમે મને વૃથા શા માટે મોહ
ઉત્પન્ન કરો છો? ત્યારે રાજાએ કહ્યું, કે હે પુત્ર! ગૃહસ્થાશ્રમમાં પણ ધર્મનો સંગ્રહ થઈ
શકે છે, કુમનુષ્યથી થઈ શકતો નથી. ભરતે કહ્યુંઃ હે નાથ! ઇન્દ્રિયોને વશ થવાથી
કામક્રોધાદિથી ભરેલા ગૃહસ્થોને મુક્તિ ક્યાંથી થાય? તો ભૂપતિએ કહ્યુંઃ હે ભરત!
મુનિઓમાં પણ બધાની તદ્ભવમુક્તિ થતી નથી, કોઈકની થાય છે. માટે તું કેટલાક દિવસ
ગૃહસ્થધર્મનું આરાધન કર. ભરતે જવાબ આપ્યોઃ હે દેવ! આપે જે કહ્યું તે સત્ય છે,
પરંતુ ગૃહસ્થોને માટે તો એ નિયમ જ છે કે તેમને મુક્તિ ન હોય ને મુનિઓમાં કોઈને
મળે અને કોઈને ન મળે. ગૃહસ્થધર્મથી પરંપરાએ મુક્તિ થાય છે, સાક્ષાત્ નહિ, માટે તે
હીનશક્તિવાળાનું કામ છે. મને આ વાત રુચતી નથી, હું તો મહાવ્રત ધારણ કરવાનો જ
Page 285 of 660
PDF/HTML Page 306 of 681
single page version
જ્વાળાથી અત્યંત દાહ પામતો થકો સ્પર્શન ઈન્દ્રિય અને જિહ્વેન્દ્રિયથી અધર્મકાર્ય કરે છે,
તેમને નિવૃત્તિ ક્યાંથી હોય? પાપી જીવ ધર્મથી વિમુખ થઈ, વિષયભોગોનું સેવન કરી,
નિશ્ચયથી જ અત્યંત દુઃખદાયક એવી દુર્ગતિ પામે છે. આ ભોગ દુર્ગતિ ઉત્પન્ન કરે છે
અને રાખ્યા રહેતા નથી, ક્ષણભંગુર છે માટે ત્યાજ્ય જ છે. જેમ જેમ કામરૂપ અગ્નિમાં
ભોગરૂપ ઈંધન નાખવામાં આવે તેમ તેમ અત્યંત સંતાપ ઉત્પન્ન કરનાર કામાગ્નિ
પ્રજ્વલિત થાય છે. માટે હે તાત! તમે મને આજ્ઞા આપો કે હું વનમાં જઈને વિધિપૂર્વક
તપ કરું. જિનભાષિત તપ પરમ નિર્જરાનું કારણ છે, આ સંસારથી હું અત્યંત ભય પામ્યો
છું અને હે પ્રભો! જો ઘરમાં કલ્યાણ થતું હોય તો તમે શા માટે ઘર છોડીને મુનિ થવા
ઈચ્છો છો? તમે મારા પિતા છો અને પિતાનો એજ ધર્મ છે કે સંસારસમુદ્રથી તારે,
તપની અનુમોદના કરે. આવું વિચક્ષણ પુરુષો કહે છે. શરીર, સ્ત્રી, ધન, માતાપિતા, ભાઈ
બધાંને છોડીને આ જીવ એકલો જ પરલોકમાં ગયો છે, ચિરકાળ સુધી દેવલોકમાં સુખ
ભોગવ્યાં છે તો પણ એ તૃપ્ત થયો નથી. તો હવે મનુષ્યના ભોગથી કેવી રીતે તુપ્ત
થાય? ભરતના આવાં વચન સાંભળીને પિતા ખૂબ પ્રસન્ન થયા, તેમને હર્ષથી રોમાંચ
ખડાં થઈ ગયાં અને કહેવા લાગ્યા કે હે પુત્ર! તને ધન્ય છે, તું ભવ્યોમાં મુખ્ય છે,
જિનશાસનનું રહસ્ય જાણીને પ્રતિબોધ પામ્યો છે. તું જ કહે છે તે સાચું છું તો પણ હે
ધીર! તેં હજી સુધી કદી મારી આજ્ઞાનો ભંગ કર્યો નથી, તું વિનયવાન પુરુષોમાં મુખ્ય છે,
હવે મારી વાત સાંભળ. તારી માતા કૈકેયીએ યુદ્ધમાં મારું સારથિપણું કર્યું હતું, તે યુદ્ધ
અતિવિષમ હતું, તેમાં જીવવાની આશા નહોતી, પણ એના સારથિપણાથી મેં યુદ્ધમાં
વિજય મેળવ્યો એટલે મેં પ્રસન્ન થઈને તેને કહ્યું કે તારી ઈચ્છા હોય તે માગી લે. ત્યારે
તેણે કહેલું કે આ વચન થાપણમાં રાખો, જે દિવસે મને ઈચ્છા થશે ત્યારે હું માગીશ. હવે
આજે એણે માગ્યું છે કે મારા પુત્રને રાજ્ય આપો અને મેં તે માન્ય રાખ્યું છે. હવે હે
ગુણનિધે! તું ઇન્દ્રના રાજ્ય સમાન આ રાજ્યને નિષ્કંટક કર. મારી પ્રતિજ્ઞાભંગની
અપકીર્તિ જગતમાં ન થાય અને આ તારી માતા તારા શોકથી તપ્તાયમાન થઈને મરણ
ન પામે એમ કર. તેણે શરીરને નિરંતર લાડથી રાખ્યું છે. પુત્રનું પુત્રપણું એ જ છે કે
માતાપિતાને શોકસમુદ્રમાં ન નાખે, આમ બુદ્ધિમાન લોકો કહે છે.
સમર્થ છે? જે સમુદ્રમાંથી રત્નોની ઉત્પત્તિ થાય તે સરોવરમાંથી ક્યાંથી થાય? અત્યારે
તારી ઉંમર તપને યોગ્ય નથી, કેટલાક દિવસ રાજ્ય કર, જેથી પિતાની કીર્તિ વચનના
પાલનથી ચંદ્રમા સમાન નિર્મળ થાય અને તારા જેવો પુત્ર હોવા છતાં માતા શોકથી તપ્ત
થઈને મરણ પામે એ યોગ્ય નથી. હું પર્વત અથવા વનમાં એવી જગ્યાએ નિવાસ કરીશ
કે કોઈ જાણશે નહિ, તું નિશ્ચિંતપણે રાજ્ય કર. હું સકળ રાજઋદ્ધિ છોડીને દેશમાંથી દૂર
ચાલ્યો જઈશ અને પૃથ્વીને કોઈ પ્રકારે
Page 286 of 660
PDF/HTML Page 307 of 681
single page version
પીડા નહિ થાય. હવે તું ઊંડા નિશ્વાસ ન કાઢ, થોડાક દિવસ પિતાની આજ્ઞા માની, રાજ્ય
કરી ન્યાયસહિત પૃથ્વીનું રક્ષણ કર. હે નિર્મળ સ્વભાવવાળા! આ ઈક્ષ્વાકુવંશના કુળને
અત્યંત શોભાવ, જેમ ચંદ્રમા ગ્રહ, નક્ષત્ર વગેરેને શોભાવે છે તેમ. પંડિતોએ કહ્યું છે કે
ભાઈનું રક્ષણ કરે, સંતાપ હરે તે જ ભાઈનું ભાઈપણું છે. શ્રી રામચંદ્ર આમ કહીને
પિતાનાં ચરણોને ભાવસહિત પ્રણામ કરીને ચાલી નીકળ્યા. પિતાને મૂર્ચ્છા આવી ગઈ,
લાકડાના થાંભલા જેવું શરીર થઈ ગયું. રામે ભાથો બાંધી, હાથમાં ધનુષ લઈ માતાને
નમસ્કાર કરી કહ્યુંઃ હે માતા! હું અન્ય દેશમાં જાઉં છું. તમે ચિંતા કરશો નહિ, ત્યારે
માતાને પણ મૂર્ચ્છા આવી ગઈ. પછી સચેત થઈને, આંસુ વહાવતી કહેવા લાગી કે અરે
પુત્ર! તું મને શોકસાગરમાં ડૂબાડીને ક્યાં જાય છે? તું ઉત્તમ ચેષ્ટા કરનાર છો, જેમ
શાખાને મૂળનો આધાર હોય છે તેમ માતાને પુત્રનું જ અવલંબન હોય છે. માતા વિલાપ
કરવા લાગી. ત્યારે માતાની ભક્તિમાં તત્પર શ્રીરામ તેમને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે
હે માતા! તમે વિષાદ ન કરો. હું દક્ષિણ દિશામાં કોઈ સ્થાન શોધીને તમને ચોક્કસ
બોલાવીશ. મારા પિતાએ માતા કૈકેયીને વચન આપ્યું હતું તેથી ભરતને રાજ્ય આપ્યું છે.
હવે હું અહીં નહિ રહું. વિધ્યાંચળના વનમાં અથવા મલયાચળના વનમાં તથા સમુદ્રની
સમીપે સ્થાન કરીશ. સૂર્ય સમાન હું અહીં રહું તો ચંદ્રમા સમાન ભરતની આજ્ઞા અને
ઐશ્વર્યરૂપ કાંતિ ન વિસ્તરે. ત્યારે નમેલા પુત્રને માતા છાતીએ ચાંપી રુદન કરતી કહેવા
લાગી કે હે પુત્ર! મારે તારી સાથે જ આવવું ઉચિત છે, તને જોયા વિના હું મારા પ્રાણ
ટકાવવાને સમર્થ નથી. કુળવાન સ્ત્રીને પિતા, પતિ કે પુત્રનો જ આશ્રય છે. પિતા તો
મૃત્યુ પામ્યા છે, પતિ જિનદીક્ષા લેવાને તૈયાર થયા છે એટલે હવે પુત્રનો જ આધાર છે.
જો તું જ છોડીને ચાલ્યો જા તો મારી કઈ ગતિ થશે? ત્યારે રામ બોલ્યા, હે માતા!
માર્ગમાં પથ્થર અને કાંટા ઘણા છે, તમે કેવી રીતે પગે ચાલી શકશો? માટે કોઈ
સુખદાયક સ્થાન નક્કી કરી, વાહન મોકલી તમને બોલાવીશ. હું તમારા ચરણોના સોગંદ
ખાઈને કહું છું કે તમને લેવા હું આવીશ, તમે ચિંતા ન કરો. આ પ્રમાણે કહી માતાને
શાંતિ ઉપજાવીને વિદાય આપી. પછી પિતા પાસે ગયા. પિતા મૂર્ચ્છિત થઈ ગયા હતા તે
સચેત થયા. પિતાને પ્રણામ કરી, બીજી માતાઓ પાસે ગયા. સુમિત્રા, કૈકેયી અને સુપ્રભા
બધાંને પ્રણામ કરી વિદાય લીધી. રામ ન્યાયમાં પ્રવીણ છે, નિરાકુળ ચિત્તવાળા છે, તે
ભાઈ, બંધુ, મંત્રી, અનેક રાજા, ઉમરાવ, પરિવારના લોકો એમ બધાને શુભ વચન કહીને
વિદાય થયા. બધાને ખૂબ આશ્વાસન આપી છાતીસરસા ચાંપ્યા, તેમનાં આંસુ લૂછયાં.
તેમણે ઘણી વિનંતી કરી કે અહીં જ રહો, પણ તે માન્યા નહિ. સામંત, હાથી, ઘોડાં, રથ
બધા તરફ કૃપાદ્રષ્ટિથી જોયું મોટા મોટા સામંતો હાથી, ઘોડા વગેરે ભેટ લાવ્યા તે પણ
રામે ન રાખ્યાં. સીતા પોતાના પતિને વિદેશ જવા તૈયાર જોઈ, સાસુ અને સસરાને
પ્રણામ કરી પતિની સાથે ચાલી, જેમ શચિ ઇન્દ્રની સાથે જાય છે તેમ. લક્ષ્મણ સ્નેહથી
પૂર્ણ રામને વિદેશ જવા તૈયાર થયેલા જોઈ મનમા ગુસ્સાથી વિચારવા લાગ્યા કે
પિતાજીએ સ્ત્રીના
Page 287 of 660
PDF/HTML Page 308 of 681
single page version
સ્ત્રીઓને, કે જે અનુચિત કામ કરવામાં ડરતી નથી! તેમનું ચિત્ત સ્વાર્થમાં જ આસક્ત
હોય છે, અને આ મોટા ભાઈ મહાનુભાવ પુરષોત્તમ છે, આવાં પરિણામ મુનિઓને હોય
છે. હું એટલો શક્તિશાળી છું કે બધા દુરાચારીઓનો પરાભવ કરી ભરતની રાજ્યલક્ષ્મી
લઈ લઉં અને એ રાજ્યલક્ષ્મી શ્રી રામનાં ચરણોમાં ધરી દઉં, પરંતુ એમ કરવું યોગ્ય
નથી, ક્રોધ અત્યંત દુઃખદાયક છે, તે જીવોને આંધળા બનાવી મૂકે છે. પિતા જિનદીક્ષા
લેવા તૈયાર થયા છે અને હું ક્રોધ ઉત્પન્ન કરું એ યોગ્ય નથી. મને આવો વિચાર કરવાથી
પણ શો લાભ છે? યોગ્ય અને અયોગ્ય પિતાજી જાણે અથવા મોટાભાઈ જાણે. જેનાથી
પિતાની કીર્તિ ઉજ્જવળ થાય તે જ કર્તવ્ય છે. મારે કોઈને કાંઈ કહેવું નથી. હું મૌન
પકડી મોટા ભાઈની સાથે જઈશ. આ ભાઈ તો સાધુ સમાન ભાવવાળા છે. આમ
વિચારીને ગુસ્સો છોડી ધનુષબાણ લઈ બધા વડીલોને પ્રણામ કરી અત્યંત વિનયપૂર્વક
રામની સાથે ચાલ્યા. બન્ને ભાઈ જેમ દેવાલયમાંથી નીકળે તેમ રાજમહેલમાંથી નીકળ્યા.
માતાપિતા, સકળ પરિવાર, ભરત, શત્રુધ્ન સહિત સૌ એમના વિયોગથી અશ્રુપાત કરી
જાણે વર્ષાઋતુ લાવતા હોય તેમ તેમને પાછા લાવવા ચાલ્યા. પણ પિતૃભક્ત,
સમજાવવામાં પંડિત, વિદેશ જવાનો જ જેમનો નિશ્ચય છે એવા રામ-લક્ષ્મણ માતાપિતાની
ખૂબ સ્તુતિ કરી, વારંવાર નમસ્કાર કરી, ખૂબ ધૈર્ય આપી પીઠ ફેરવીને ચાલી નીકળ્યા.
નગરમાં હાહાકાર થઈ ગયો. લોકો વાત કરે છે કે હે માત! આ શું થયું? આવી બુદ્ધિ
કોણે ઉત્પન્ન કરી? આ નગરીના જ અભાગ્ય છે અથવા સકળ પૃથ્વીના અભાગ્ય છે. હે
માત! અમે તો હવે અહીં નહિ રહીએ, એમની સાથે જઈશું. એ અત્યંત સમર્થ છે. જુઓ,
આ સીતા પતિની સાથે ચાલી છે અને રામની સેવા કરનાર ભાઈ લક્ષ્મણ છે. ધન્ય છે
આ જાનકીને, જે વિનયરૂપ વસ્ત્ર પહેરીને પતિની સાથે જાય છે, નગરની સ્ત્રીઓ કહે છે
કે અમે બધાને કહેશું કે આ સીતા મહાપતિવ્રતા છે, એના જેવી બીજી કોઈ સ્ત્રી નથી. જે
મહાપતિવ્રતા હોય તેને આની ઉપમા મળશે, પતિવ્રતાને તો પતિ જ પરમેશ્વર છે. અને
જુઓ, આ લક્ષ્મણ માતાને રોતી છોડીને મોટા ભાઈની સાથે જાય છે. ધન્ય છે એની
ભક્તિને! ધન્ય છે એના પ્રેમને! ધન્ય છે એની શક્તિ, ધન્ય એની ક્ષમા અને ધન્ય
એની વિનયની અધિકતા. આના જેવા બીજા કોઈ નથી. દશરથે ભરતને એવી કેમ આજ્ઞા
કરી કે તું રાજ્ય લે? અને રામ-લક્ષ્મણને એવી બુદ્ધિ કેમ ઉપજી કે અયોધ્યાને છોડીને
ચાલ્યા ગયા? જે કાળે જે થવાનું હોય તે થાય છે. જેનો જેવો કર્મનો ઉદય હોય તેને તેમ
જ થાય, જે ભગવાનના જ્ઞાનમાં ભાસ્યું હોય તે પ્રમાણે થાય છે. દૈવની ગતિ દુર્નિવાર છે.
આ બાબત ઘણી અનુચિત થઈ છે. અહીનાં દેવ ક્યાં ગયા? લોકોનાં મુખમાંથી આવા
શબ્દો નીકળ્યા, બધા લોકો તેમની સાથે ચાલવા તૈયાર થયા. ઘરમાંથી નીકળ્યા. નગરીનો
ઉત્સાહ ચાલ્યો ગયો, શોકથી પૂર્ણ લોકોના અશ્રુપાતથી પૃથ્વી સજળ થઈ ગઈ. જેમ
સમુદ્રમાં તરંગ ઊઠે છે તેમ લોકો ઊઠયા. રામની સાથે ચાલ્યા. મના કરવા છતાં લોકો
રહ્યા નહિ. લોકો
Page 288 of 660
PDF/HTML Page 309 of 681
single page version
પગલે વિધ્ન લાગે છે....એમનો ભાવ આગળ જવાનો છે અને લોકો રાખવા ઈચ્છે છે.
કેટલાક સાથે ચાલ્યા. સૂર્ય જાણે કે રામનું વિદેશગમન જોઈ ન શક્યો તેથી અસ્ત પામવા
લાગ્યો. જેમ ભરત ચક્રવર્તીએ મુક્તિના નિમિત્તે રાજ્યસંપદા છોડી દીધી હતી તેમ અસ્ત
થતી વખતે સૂર્યના પ્રકાશે સર્વ દિશા છોડી દીધી. સૂર્યાસ્ત થતાં અત્યંત લાલાશ ધારણ
કરતી સંધ્યા જેમ સીતા રામની પાછળ ચાલી હતી તે સૂર્યની પાછળ ચાલી ગઈ. સમસ્ત
વિજ્ઞાનનો નાશ કરનાર અંધકાર જગતમાં ફેલાઈ ગયો, જાણે રામના ગમનથી તિમિર
ફેલાઈ ગયું. લોકો સાથે થયા, પાછા જતા નહિ. તેથી રામે લોકોને ટાળવા માટે શ્રી
અરનાથ તીર્થંકરના ચૈત્યાલયમાં નિવાસ કરવાનું વિચાર્યું, સંસારના તારણહાર ભગવાનનું
ભવન સદા શોભાયમાન, સુગંધમય, અષ્ટમંગળ દ્રવ્યોથી મંડિત, જેને ત્રણ દરવાજા હતા,
ઊંચા તોરણો હતાં એવા ચૈત્યાલયમાં સમસ્ત વિધિના જાણનાર રામ, લક્ષ્મણ અને સીતા
પ્રદક્ષિણા લઈ દાખલ થયાં. બે દરવાજા સુધી તો લોકો અંદર ચાલ્યા પણ ત્રીજા દરવાજા
પાસે દ્વારપાળે લોકોને રોકયા, જેમ મોહનીય કર્મ મિથ્યાદ્રષ્ટિઓને શિવપુર જતાં રોકે છે.
રામ-લક્ષ્મણ ધનુષબાણ અને બખ્તર બહાર મૂકી અંદર દર્શન કરવા ગયા. જેમનાં નેત્ર
કમળ સમાન છે એવા શ્રી અરનાથનું પ્રતિબિંબ રત્નોના સિંહાસન પર બિરાજમાન,
મહાશોભાયમાન, મહાસૌમ્ય, કાયોત્સર્ગ, શ્રી વત્સ લક્ષણોથી દેદીપ્યમાન, ઉરસ્થળવાળા,
સંપૂર્ણ ચંદ્રમા સમાન વદનવાળા, કથન અને ચિંતવનમાં ન આવે એવા રૂપવાળા
ભગવાનનાં દર્શન કરી, ભાવસહિત નમસ્કાર કરી તે બન્ને ભાઈ અત્યંત હર્ષ પામ્યા.
બન્ને ભાઈ બુદ્ધિ, પરાક્રમ, રૂપ અને વિનયથી ભરેલા, જિનેન્દ્રભક્તિમાં તત્પર, રાત્રે
ચૈત્યાલયની સમીપે રહ્યા. તેમને ત્યાં રહેલા જોઈને માતા કૌશલ્યાદિક જેમને પુત્રો પ્રત્યે
વાત્સલ્ય હતું. તે આવીને આંસુ પાડતી વારંવાર હૃદય સાથે ભીડવા લાગી. પુત્રના
દર્શનથી તે અતૃપ્ત છે, તેમનું ચિત્ત વિકલ્પરૂપ હીંડોળે ઝૂલી રહ્યું છે.
પરંતુ પરિણામોના અભિપ્રાય જુદા જુદા છે. દશરથની ચારેય રાણીઓ ગુણ, રૂપ,
લાવણ્યથી પૂર્ણ અત્યંત મધુરભાષી પુત્રોને મળીને પતિ પાસે ગઈ અને કહેવા લાગી હે
દેવ! કુળરૂપ જહાજ શોકરૂપી સમુદ્રમાં ડૂબે છે તેને રોકો, રામ-લક્ષ્મણને પાછા બોલાવો.
ત્યારે સુમેરુ સમાન જેમનો નિશ્ચળ ભાવ છે એવા રાજાએ કહ્યું કે વિકારરૂપ આ જગત
મારે આધીન નથી. મારી ઈચ્છા તો એવી જ છે કે બધા જીવોને સુખ થાય, કોઈને દુઃખ
ન થાય, જન્મ, જરા, મરણરૂપ પરાધીનતાથી કોઈને દુઃખ ન થાય, પરંતુ આ જીવો જુદા
જુદા પ્રકારના કર્મોની સ્થિતિવાળા છે માટે ક્યો વિવેકી નકામો શોક કરે? બાંધવાદિક ઈષ્ટ
પદાર્થોના દર્શનમાં પ્રાણીઓને તૃપ્તિ થતી નથી તથા ધન અને જીવનથી પણ તૃપ્તિ નથી.
ઈન્દ્રિયોનાં સુખ પૂર્ણ થઈ શકતાં નથી
Page 289 of 660
PDF/HTML Page 310 of 681
single page version
પક્ષી વૃક્ષને છોડીને ચાલ્યું જાય છે. તમે પુત્રોની માતા છો, પુત્રોને લઈ આવો, પુત્રોને
રાજ્યનો ઉદય જોઈ વિશ્રામ કરો. મેં તો રાજ્યનો અધિકાર છોડી દીધો છે, હું પાપક્રિયાથી
નિવૃત્ત થયો છું, ભવભ્રમણથી ભય પામ્યો છું. હવે હું મુનિવ્રત લઈશ. રાજાએ રાણીઓને
આ પ્રમાણે કહ્યું. તે નિર્મોહતાનો નિશ્ચય પામ્યા, સકળ વિષયાભિલાષરૂપ દોષથી રહિત,
સૂર્ય સમાન તેજવાળા, પૃથ્વી પર તપ, સંયમનો ઉદ્યોત કરવા લાગ્યા.
એકત્રીસમું પર્વ પૂર્ણ થયું.
ભગવાનને નમસ્કાર કરી, બખ્તર પહેરી, ધનુષબાણ લઈને સીતાને વચમાં રાખીને ચાલી
નીકળ્યા. ઘેર ઘેર દીવાઓ પ્રકાશી રહ્યા છે, કામીજન અનેક ચેષ્ટા કરે છે. મહાપ્રવીણ
બન્ને ભાઈ નગરના દ્વારની બારીમાંથી નીકળી દક્ષિણ દિશાના માર્ગે ચાલ્યા. રાત્રિના અંતે
દોડીને સામંતો આવીને મળ્યા, તેમને રાઘવ સાથે જવાની અભિલાષા છે, દૂરથી રામ-
લક્ષ્મણને જોઈ, વિનયપૂર્વક વાહન છોડીને પગપાળા આવ્યા, ચરણારવિંદમાં નમસ્કાર
કરી, પાસે આવી વાર્તાલાપ કરવા લાગ્યા. ઘણી સેના આવી અને જાનકીની ખૂબ પ્રશંસા
કરવા લાગ્યા કે એમની કૃપાથી અમે રામ-લક્ષ્મણને આવીને મળ્યા. એ ન હોત તો તેઓ
ધીરે ધીરે ચાલત નહિ અને અમે કેવી રીતે પહોંચી શકત? આ બન્ને ભાઈ તો પવન
જેવા શીઘ્રગામી છે અને આ સીતા મહાસતી અમારી માતા છે, એના જેવું પ્રશંસવાયોગ્ય
પૃથ્વી પર બીજું કોઈ નથી. આ બન્ને ભાઈ તો નરોત્તમ છે અને સીતાની ચાલ મંદ મંદ
બે કોશ પ્રમાણ ચાલે છે. ખેતરોમાં જાતજાતના પાક લીલાછમ થઈ રહ્યા છે અને
સરોવરોમાં કમળ ખીલી રહ્યાં છે, વૃક્ષો ખૂબ રમણીય લાગે છે. અનેક ગ્રામ-નગરાદિમાં
ઠેકઠેકાણે ભોજનાદિ સામગ્રીથી લોકો પૂજે છે અને મોટા મોટા રાજાઓ મોટી ફોજ સાથે
આવીને મળે છે, જેમ વર્ષાકાળમાં ગંગાજમુનાના પ્રવાહમાં અનેક નદીઓના પ્રવાહ આવી
મળે તેમ. કેટલાક સામંતો માર્ગના ખેદથી એમનો નિશ્ચય સમજીને આજ્ઞા મેળવીને પાછા
વળ્યા અને કેટલાક લજ્જાથી, કેટલાક ભયથી, કેટલાક ભક્તિથી સાથે સાથે પગપાળા
ચાલ્યા જાય છે. રામ-લક્ષ્મણ ક્રીડા કરતા કરતા પરિયાત્રા નામની અટવીમાં પહોંચ્યા.
અટવી સિંહ અને હાથીઓના સમૂહથી
Page 290 of 660
PDF/HTML Page 311 of 681
single page version
તેના કિનારે આવ્યા. ત્યાં ભીલોનો નિવાસ છે, નાના પ્રકારના મિષ્ટ ફળો છે. પોતે ત્યાં
રહીને કેટલાક રાજાઓને વિદાય કર્યા અને કેટલાક પાછા ન ફર્યા, રામે ઘણું કહ્યું તો પણ
સાથે જ ચાલ્યા. બધા ભયાનક નદીને જોઈ રહ્યાં. કેવી છે નદી? પર્વતમાંથી નીકળતી
અત્યંત કાળી છે, જેમાં પ્રચંડ લહેરો ઉઠે છે, મગરમચ્છ વગેરે જળચરોથી ભરેલી, ભયંકર
અવાજ કરતી, બન્ને કિનારાને ભેદતી, કલ્લોલોના ભયથી જેના કિનારા પરથી પક્ષી ઊડી
રહ્યાં છે તેવી નદીને જોઈને બધા સામંતો ત્રાસથી કંપાયમાન થઈ રામ-લક્ષ્મણને કહેવા
લાગ્યા કે હે નાથ! કૃપા કરીને અમને પણ પાર ઉતારજો. અમે આપના સેવક છીએ,
ભક્ત છીએ, અમારા ઉપર પ્રસન્ન થાવ, હે માતા જાનકી! લક્ષ્મણને કહો કે અમને પાર
ઉતારે. આ પ્રમાણે આંસુ વહાવતા અનેક નરપતિ જાતજાતની ચેષ્ટા કરતાં નદીમાં પડવા
લાગ્યા. ત્યારે રામે કહ્યું કે અરે, હવે તમે પાછા ફરો. આ વન અત્યંત ભયંકર છે, અમારો
અને તમારો અહીં સુધી જ સાથ હતો. પિતાજીએ ભરતને બધાના રાજા બનાવ્યા છે માટે
તમે ભક્તિથી તેમની સેવા કરો. ત્યારે તેઓ કહેવા લાગ્યા કે હે નાથ! અમારા સ્વામી
તમે જ છો, તમે દયાળુ છો, અમારા ઉપર પ્રસન્ન થાવ, અમને છોડો નહિ, તમારા વિના
આ પ્રજા નિરાધાર થઈ છે, આકુળતા પામેલી તે કહો કે કોના શરણે જાય? તમારા જેવું
બીજું કોણ છે? વ્યાઘ્ર, સિંહ, ગજેન્દ્ર અને સર્પાદિકથી ભરેલા આ ભયાનક વનમાં અમે
તમારી સાથે રહીશું. તમારા વિના અમને સ્વર્ગ પણ સુખ આપશે નહિ. તમે કહો છો કે
પાછા જાવ; પણ મન બદલતું નથી, તો કેવી રીતે જઈએ? આ ચિત્ત સર્વ ઈન્દ્રિયોનું
અધિપતિ છે એમ એટલા માટે જ કહેવાય છે કે એ અદ્ભુત વસ્તુમાં અનુરાગ કરે છે.
અમારે ભોગથી, ઘરથી અથવા સ્ત્રી-કુટુંબાદિથી શું લેવાનું છે? તમે નરરત્ન છો, તમને
છોડીને ક્યાં જઈએ? હે પ્રભો! તમે બાળક્રીડામાં અમને કદી છેતર્યા નથી, હવે અત્યંત
નિષ્ઠુરતા કરો છો. અમારો અપરાધ બતાવો. તમારી ચરણરજથી અમારી ખૂબ વૃદ્ધિ થઈ
છે, તમે તો સેવકો પ્રત્યે વત્સલ છો. હે માતા જાનકી! હે ધીર લક્ષ્મણ! અમે માથું
નમાવી, હાથ જોડીને વિનંતી કરીએ છીએ, નાથને અમારા ઉપર પ્રસન્ન કરો. બધાએ
આવાં વચન કહ્યાં ત્યારે સીતા અને લક્ષ્મણ રામનાં ચરણો તરફ જોઈ રહ્યાં. ત્યારે રામ
બોલ્યાઃ ‘જાવ’ એ જ ઉતર છે. સુખમાં રહો, આમ કહીને બન્ને ધીર નદીમાં પ્રવેશ કરવા
લાગ્યા. શ્રી રામ સીતાનો હાથ પકડીને સુખપૂર્વક નદીમાં લઈ ગયા. જેમ કમલિનીને
દિગ્ગજ લઈ જાય. તે અસરાલ નદી રામ-લક્ષ્મણના પ્રભાવથી નાભિપ્રમાણ વહેવા લાગી.
બન્ને ભાઈ જળવિહારમાં પ્રવીણ ક્રીડા કરતા ચાલ્યા ગયા. સીતા રામનો હાથ પકડીને
એવી શોભતી જાણે કે લક્ષ્મી જ કમળદળમાં ઊભી છે. રામ-લક્ષ્મણ ક્ષણમાત્રમાં નદી પાર
કરી ગયા અને વૃક્ષોના આશ્રયે આવી ગયા. પછી લોકોની દ્રષ્ટિથી અગોચર થયા. કેટલાક
વિલાપ કરતાં, આંસુ સારતાં ઘેર ગયા અને કેટલાક રામ-લક્ષ્મણ તરફ દ્રષ્ટિ ખોડીને કાષ્ઠ
જેવા થઈ ગયા અને કેટલાક મૂર્ચ્છા ખાઈ ધરતી પર પડયા, કેટલાક જ્ઞાન પામીને
જિનદીક્ષા લેવા
Page 291 of 660
PDF/HTML Page 312 of 681
single page version
ક્ષણભંગુર ભોગોને! એ કાળા નાગની ફેણ જેવા ભયાનક છે. આવા શૂરવીરોની આ
હાલત તો આપણી શી વાત? આ શરીરને ધિક્કાર! જે પાણીના પરપોટાસમાન નિઃસાર,
જરામરણ, ઈષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ ઈત્યાદિ કષ્ટનું ભાજન છે. ધન્ય છે તે મહાપુરુષ,
ભાગ્યવંત, ઉત્તમ ચેષ્ટાના ધારક, જે વાંદરાની ભ્રમર સમાન લક્ષ્મીને ચંચળ જાણી, તેનો
ત્યાગ કરી દીક્ષા ધારણ કરે છે! આ પ્રમાણે અનેક રાજા વિરક્ત થઈ, દીક્ષા સન્મુખ થયા.
તેમણે એક પહાડની તળેટીમાં સુંદર વન જોયું. અનેક વૃક્ષોથી મંડિત, અત્યંત સઘન, નાના
પ્રકારનાં પુષ્પોથી શોભિત, જ્યાં સુગંધના લોલુપી ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે ત્યાં
મહાપવિત્ર સ્થાનકમાં રહેતા ધ્યાનાધ્યયનમાં લીન મહાતપના ધારક સાધુ જોયા. તેમને
નમસ્કાર કરી તે રાજા જિનનાથના ચૈત્યાલયમાં ગયા. તે સમયે પહાડનાં શિખરો પર
અથવા રમણીક વનમાં અથવા નદીઓના તટ પર અથવા નગર-ગ્રામાદિક જિનમંદિર હતાં
ત્યાં નમસ્કાર કરી એક સમુદ્ર સમાન ગંભીર મુનિઓના ગુરુ સત્યકેતુ આચાર્યની નિકટ
ગયા, નમસ્કાર કરી મહાશાંતરસ ભરેલા આચાર્યને વિનંતી કરવા લાગ્યા, હે નાથ! અમને
સંસારસમુદ્રથી પાર ઉતારો. ત્યારે મુનિએ કહ્યું કે તમને ભવપાર ઉતારનારી ભગવતી
દીક્ષા છે તે અંગીકાર કરો. મુનિની આ આજ્ઞા મેળવીને એ ખૂબ હર્ષ પામ્યા. રાજા
વિદગ્ધવિજય, મેરુક્રૂર, સંગ્રામલોલુપ, શ્રીનાગદમન, ધીર, શત્રુદમન અને વિનોદકંટક,
સત્યકઠોર, પ્રિયવર્ધન ઈત્યાદિ નિર્ગ્રંથ થયા. તેમના ગજ, તુરંગ, રથાદિ સકળ સાજ
સેવકોએ જઈને તેમના પુત્રાદિને સોંપ્યા એટલે તે ખૂબ ચિંતા કરવા લાગ્યા. પછી સમજીને
અનેક પ્રકારના નિયમ ધારણ કર્યા. કેટલાક સમ્યગ્દર્શન અંગીકાર કરીને સંતોષ પામ્યા.
કેટલાક નિર્મળ જિનેશ્વરદેવનો ધર્મ સાંભળીને પાપથી પરાઙમુખ થયા. ઘણા સામંતો રામ-
લક્ષ્મણની વાત સાંભળી સાધુ થયા, કેટલાકે શ્રાવકના અણુવ્રત ધારણ કર્યા. ઘણી રાણી
આર્યિકા બની, ઘણી શ્રાવક થઈ, કેટલાક સુભટોએ રામનો સર્વ વૃત્તાંત ભરત, દશરથ
પાસે જઈને કહ્યો તે સાંભળીને દશરથ અને ભરત કાંઈક ખેદ પામ્યા.
નગરમાંથી વનમાં ગયા. સર્વભૂતહિત સ્વામીને પ્રણામ કરી ઘણા રાજાઓ સાથે જિનદીક્ષા
લીધી. એકાકીવિહારી જિનકલ્પી થયા, જેમને પરમ શુક્લધ્યાનની અભિલાષા છે તો પણ
પુત્રના શોકથી કોઈક વાર થોડીક કલુષતા થઈ જાય છે. એક દિવસ તે વિચિક્ષણ પુરુષ
વિચારવા લાગ્યા કે સંસારનાં દુઃખનું મૂળ આ જગતનો સ્નેહ છે, એને ધિક્કાર હો!
એનાથી કર્મ બંધાય છે. મેં અનંત ભવ કર્યા તેમાં ગર્ભજન્મ ઘણા કર્યા, તે મારા
ગર્ભજન્મનાં અનેક માતાપિતા, ભાઈ, પુત્ર ક્યાં ગયા? અનેક વાર હું દેવલોકનાં ભોગ
ભોગવી ચૂક્યો અને અનેક વાર નરકનાં દુઃખ પણ ભોગવ્યા. તિર્યંચગતિમાં મારું શરીર
અનેક વાર આ જીવોએ ખાધું અને એમનું મેં ખાધું. જાતજાતની
Page 292 of 660
PDF/HTML Page 313 of 681
single page version
સાંભળ્યા. ઘણી વાર વીણા, બંસરી આદિ વાજિંત્રોના નાદ સાંભળ્યા, ગીત સાંભળ્યા,
નૃત્ય જોયાં. દેવલોકમાં મનોહર અપ્સરાઓના ભોગ ભોગવ્યા, અનેક વાર મારું શરીર
નરકમાં કુહાડાથી કપાઈ ગયું અને અનેક વાર મનુષ્યગતિમાં મહાસુગંધી, બળપ્રદ, ષટ્રસ
સંયુક્ત અન્નનો આહાર કર્યો. અનેક વાર નરકમાં પિગાળેલું સીસું અને ત્રાંબુ
નારકીઓએ મને મારી મારીને પીવડાવ્યું અને અનેકવાર સુરનરગતિમાં મનોહર સુંદર રૂપ
જોયાં અને સુંદર રૂપ ધારણ કર્યાં અને અનેક વાર નરકમાં અત્યંત કુરૂપ ધારણ કર્યાં અને
જાતજાતના ત્રાસ જોયા. કેટલીક વાર રાજપદ, દેવપદમાં નાના પ્રકારના સુગંધી પદાર્થો
સૂંઘ્યા અને કેટલીક વાર નરકની અત્યંત દુર્ગંધ પણ સૂંઘી. અનેક વાર મનુષ્ય અને
દેવગતિમાં મહાલીલાને ધરનારી, વસ્ત્રાભરણમંડિત, મનને હરનારી સ્ત્રીઓનાં આલિંગન
કર્યાં અને ઘણી વાર નરકમાં શાલ્મલિ વૃક્ષના તીક્ષ્ણ કાંટા અને પ્રજ્વલિત લોઢાની
પૂતળીનો સ્પર્શ કર્યો. આ સંસારમાં કર્મોના સંયોગથી મેં શું શું ન જોયું, શું શું નથી સૂંઘ્યું,
શું શું નથી સાંભળ્યું, શું શું નથી ખાધું? આ પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય,
વનસ્પતિકાય, ત્રસકાયમાં એવો કોઈ દેહ નથી, જે મેં ન ધારણ કર્યો હોય. ત્રણ લોકમાં
એવો કોઈ જીવ નથી, જેની સાથે મારા અનેક સંબંધ ન થયા હોય. આ પુત્ર કેટલીક વાર
મારા પિતા થયા, માતા થઈ, શત્રુ થયા, મિત્ર થયા. એવું કોઈ સ્થાનક નથી જ્યાં હું ન
ઉપજ્યો હોઉં, ન મર્યો હોઉં. આ દેહ, ભોગાદિક અનિત્ય છે, જગતમાં કોઈ શરણ નથી,
આ ચતુર્ગતિરૂપ સંસાર દુઃખનું નિવાસસ્થાન છે, હું સદા એકલો છું, આ છયે દ્રવ્ય
પરસ્પર ભિન્ન છે. આ કાયા અશુચિ છે, હું પવિત્ર છું, આ મિથ્યાત્વાદિ અવ્રતાદિ કર્મ
આસ્રવનાં કારણ છે, સમ્યક્ત્વ વ્રત સંયમાદિ સંવરનાં કારણ છે, તપથી નિર્જરા થાય છે.
આ લોક નાનારૂપ મારા સ્વરૂપથી ભિન્ન છે, આ જગતમાં આત્મજ્ઞાન દુર્લભ છે અને
વસ્તુનો સ્વભાવ છે તે જ ધર્મ છે તથા જીવદયારૂપ ધર્મ હું મહાભાગ્યથી પામ્યો છું. ધન્ય
છે આ મુનિ, જેમના ઉપદેશથી મેં મોક્ષમાર્ગ પ્રાપ્ત કર્યો. હવે પુત્રોની શી ચિંતા? આમ
વિચારીને દશરથ મુનિ નિર્મોહ દશા પામ્યા. જે દેશોમાં પહેલાં હાથી ઉપર બેસીને ચામર
ઢોળાવતાં, છત્ર ધારણ કરીને ફરતા હતા અને મહારણસંગ્રામમાં ઉદ્ધત વેરીઓને જીત્યા
હતા તે દેશોમાં નિર્ગ્રંથ દશા ધારણ કરીને, બાવીસ પરિગ્રહ જીતતા, શાંત ભાવથી વિહાર
કરવા લાગ્યા. કૌશલ્યા તથા સુમિત્રા પતિવિરક્ત થવાથી અને પુત્રો વિદેશ જવાથી અત્યંત
શોક કરતી, નિરંતર આંસુ પાડતી. તેમનું દુઃખ જોઈને ભરત રાજ્યવૈભવને વિષ સમાન
માનતો હતો. કૈકેયી તેમને દુઃખી જોઈને, જેને કરુણા ઉપજી છે તે પુત્રને કહેતી કે હે પુત્ર!
તેં રાજ્ય મેળવ્યું, મોટા મોટા રાજા તારી સેવા કરે છે, પણ રામ-લક્ષ્મણ વિના આ રાજ્ય
શોભતું નથી. તે બન્ને ભાઈ અત્યંત વિનયશીલ છે. તેમના વિના રાજ્ય શું અને સુખ
શું? દેશની શોભા શી અને તારી ધર્મજ્ઞતા શી? તે બન્ને કુમાર અને રાજપુત્રી સીતા સદા
સુખના ભોક્તા, પાષાણાદિથી ભરપૂર માર્ગમાં વાહન વિના કેવી રીતે જશે? અને
Page 293 of 660
PDF/HTML Page 314 of 681
single page version
શીઘ્રગામી અશ્વ પર બેસી તરત જા અને તેમને લઈ આવ. તેમની સાથે ખૂબ સુખપૂર્વક
ચિરકાળ રાજ્ય કર અને હું પણ તારી પાછળ જ તેમની પાસે આવું છું. ભરતે માતાની
આજ્ઞા સાંભળી ખૂબ પ્રસન્ન થઈ, તેની પ્રશંસા કરી. અત્યંત આતુર ભરત હજાર અશ્વ
સાથે રામની પાસે ચાલ્યા. જે રામની પાસેથી પાછા આવ્યા હતા તેમને સાથે લઈને
નીકળ્યા. પોતે ઝડતી અશ્વ પર બેસી, ઉતાવળી ચાલે વનમાં આવ્યા. તે અસરાલ નદી
વહેતી હતી તેમાં વૃક્ષોના થડ, તરાપા બાંધી ક્ષણમાત્રમાં સેનાસહિત પાર ઉતર્યા. માર્ગમાં
સ્ત્રી-પુરુષોને પૂછતા જતા કે તમે રામ-લક્ષ્મણને ક્યાંય જોયા? તેઓ કહે છે કે અહીંથી
નજીક છે. ભરત એકાગ્રચિત્ત થઈને ચાલ્યા જાય છે. સઘન વનમાં એક સરોવરના કિનારે
બેય ભાઈને સીતા સાથે બેઠેલા જોયા. તેમનાં ધનુષબાણ સમીપમાં પડયાં હતાં. સીતાની
સાથે તે બન્ને ભાઈને અહીં આવતાં ઘણા દિવસ થયા હતા અને ભરત છ દિવસમાં
આવી ગયા. રામને દૂરથી જોઈને ભરત અશ્વ પરથી નીચે ઉતરી, પગપાળા જઈ, રામના
પગ પર મૂર્ચ્છિત થઈ ગયા. રામે તેમને સચેત કર્યા. ભરત હાથ જોડી, મસ્તક નમાવી,
રામને વિનંતી કરવા લાગ્યા.
પ્રાણના આધાર છો. ઊઠો, આપણા નગરમાં જઈએ. હે પ્રભો! મારા ઉપર કૃપા કરો.
રાજ્ય તમે કરો. રાજ્યને યોગ્ય તમે જ છો, મને સુખની અવસ્થા આપો. હું તમારા શિર
ઉપર છત્ર ધરીને ઊભો રહીશ અને શત્રુધ્ન ચામર ઢોળશે, લક્ષ્મણ મંત્રીપદ કરશે. મારી
માતા પશ્ચાત્તાપરૂપ અગ્નિથી બળે છે, તમારી અને લક્ષ્મણની માતા અત્યંત શોક કરે છે.
જે વખતે ભરત આમ કહી રહ્યો હતો તે જ સમયે શીઘ્ર રથ ઉપર ચડી, અનેક સામંતો
સહિત, મહાશોકથી ભરેલી કૈકેયી આવી અને રામ-લક્ષ્મણને છાતીસરસા ચાંપીને અત્યંત
રુદન કરવા લાગી. રામે ધીરજ આપી. ત્યારે કૈકેયીએ કહ્યું કે હે પુત્ર! ઊઠો, અયોધ્યા
ચાલો, રાજ્ય કરો, તમારા વિના મારું આખું નગર વન સમાન છે. તમે બુદ્ધિમાન છો,
ભરતને શીખવાડો. અમારી સ્ત્રીઓની બુદ્ધિ નાશ પામી છે, મારો અપરાધ ક્ષમા કરો.
ત્યારે રામે કહ્યુંઃ હે માતા! તમે તો સર્વ વાતોમાં પ્રવીણ છો, તમે શું નથી જાણતા કે
ક્ષત્રિયનો નિયમ છે કે તે વચનભંગ કરતો નથી? જે કાર્ય વિચાર્યું હોય તેને બીજી રીતે
કરતો નથી? મારા પિતાએ જે વચન કહ્યું છે તે મારે અને તમારે નિભાવવું જોઈએ. આ
વાતમાં ભરતની અપકીર્તિ નહિ થાય. પછી ભરતને કહ્યું કે હે ભાઈ! તું ચિંતા ન કર, તું
અનાચારથી ડરે છે તો પિતાની આજ્ઞા અને મારી આજ્ઞા પાળવામાં અનાચાર નથી. આમ
કહીને વનમાં બધા રાજાઓની સમીપે શ્રી રામે ભરતનો રાજ્યાભિષેક કર્યો અને કૈકેયીને
પ્રણામ કરી, બહુ જ સ્તુતિ કરી વારંવાર સંભાષણ કરી ભરતને હૃદય સાથે ચાંપીને ખૂબ
દિલાસો આપ્યો અને ત્યાંથી વિદાય કર્યાં. કૈકેયી અને ભરત રામ-લક્ષ્મણ-સીતાની પાસેથી
પાછા નગરમાં ગયાં. ભરત રામની
Page 294 of 660
PDF/HTML Page 315 of 681
single page version
આજ્ઞા માન્ય કરી પ્રજાના પિતાસમાન થયા. રાજ્યમાં સર્વ પ્રજાને સુખ હતું, કોઈ
અનાચાર થતો નહિ; આવું નિષ્કંટક રાજ્ય હોવા છતાં ભરતને ક્ષણમાત્ર તેનો રાગ નથી.
ત્રણે કાળે ભગવાન શ્રી અરનાથની વંદના કરે છે અને મુનિઓના મુખેથી ધર્મશ્રવણ કરે
છે. દ્યુતિભટ્ટારક નામના મુનિ કે જેમની સેવા અનેક મુનિઓ કરે છે તેમની પાસે ભરતે
એવો નિયમ લીધો છે કે રામના દર્શન થતાં જ હું મુનિવ્રત ધારણ કરીશ. ત્યારે મુનિએ
કહ્યું કે હે ભવ્ય! કમળનયન રામ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તું ગૃહસ્થનાં વ્રત લે. જે
મહાત્મા નિર્ગ્રંથ છે તેમનું આચરણ અતિવિષમ છે માટે પહેલાં શ્રાવકનાં વ્રત પાળવાં,
જેથી યતિનો ધર્મ સહેલાઈથી સાધી શકાય. જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે તપ કરશું.
આમ વિચારતાં વિચારતાં અનેક જડબુદ્ધિ જીવો મરણ પામ્યા છે. અત્યંત અમૂલ્ય રત્ન
સમાન યતિનો ધર્મ, જેનો મહિમા ન કહી શકાય, તેને જે ધારણ કરે છે તેને કોની ઉપમા
દેવી? યતિના ધર્મથી ઊતરતો શ્રાવકનો ધર્મ છે. તેને જે પ્રમાદરહિત પાળે છે તે ધન્ય છે.
આ અણુવ્રત જ પ્રબોધનાં દાતા છે. જેમ રત્નદ્વીપમાં કોઈ મનુષ્ય ગયો અને તે જે રત્ન
લે તે દેશાંતરમાં દુર્લભ છે. તેમ, જિનધર્મ નિયમરૂપ રત્નોનો દ્વીપ છે. તેમાં જે નિયમ લે
તે જ મહાફળનો દાતા છે. જે અહિંસારૂપ રત્નને અંગીકાર કરી જિનવરને ભક્તિથી પૂજે
તે સુર-નરનાં સુખ ભોગવી મોક્ષ પામે છે અને જે સત્યવ્રતનો ધારક મિથ્યાત્વનો ત્યાગ
કરી ભાવરૂપ પુષ્પોની માળાથી જિનેશ્વરને પૂજે છે, તેની કીર્તિ પૃથ્વી પર ફેલાય છે અને
તેની આજ્ઞા કોઈ લોપી શકતું નથી. જે પરધનનો ત્યાગી જિનેન્દ્રને હૃદયમાં ધારણ કરે છે,
વારંવાર જિનેન્દ્રને નમસ્કાર કરે છે, તે નવનિધિ ચૌદ રત્નનો સ્વામી થઈ અક્ષયનિધિ
પામે છે. જે જિનરાજનો માર્ગ અંગીકાર કરી પરસ્ત્રીનો ત્યાગ કરે છે તે સર્વનાં નેત્રોને
આનંદ આપનાર મોક્ષલક્ષ્મીનો વર થાય છે. જે પરિગ્રહનું પ્રમાણ કરી સંતોષ ધારણ કરી
જિનપતિનું ધ્યાન કરે છે તે લોકપૂજિત અનંત મહિમા પામે છે. આહારદાનના પુણ્યથી
મહાસુખી થઈ તેની બધા સેવા કરે છે. અભયદાનથી નિર્ભયપદ પામે છે. સર્વ ઉપદ્રવથી
મુક્ત થાય છે. જ્ઞાનદાનથી કેવળજ્ઞાની થઈ સર્વજ્ઞપદ પામે છે. ઔષધદાનના પ્રભાવથી
રોગરહિત નિર્ભયપદ પામે છે. જે રાત્રિઆહારનો ત્યાગ કરે તે એક વર્ષમાં છ મહિનાના
ઉપવાસનું ફળ પામે છે. જોકે ગૃહસ્થપદમાં જીવ આરંભમાં પ્રવર્તે છે તો પણ શુભ ગતિનાં
સુખ પામે છે. જે ત્રિકાળ જિનદેવની વંદના કરે તેના ભાવ નિર્મળ થાય છે, તે સર્વ
પાપનો નાશ કરે છે. જે નિર્મળ ભાવરૂપ પુષ્પોથી જિનનાથને પૂજે છે તે લોકમાં પૂજનિક
થાય છે. જે ભોગી પુરુષ કમળાદિ જળના પુષ્પ અને કેતકી, માલતી આદિ પૃથ્વીનાં
પુષ્પોથી ભગવાનની અર્ચા કરે છે તે પુષ્પક વિમાન પામીને યથેષ્ટ ક્રીડા કરે છે. જે
જિનરાજ પર અગરચંદનાદિ ધૂપનું ક્ષેપણ કરે તે સુગંધી શરીરનો ધારક થાય છે. જે
ગૃહસ્થ જિનમંદિરમાં વિવેક સહિત દીપોદ્યોત કરે તે દેવલોકમાં પ્રભાવસંયુક્ત શરીર પામે
છે. જે જિનભવનમાં છત્ર, ચામર, ઝાલર, પતાકા, દર્પણાદિ મંગળ દ્રવ્ય ચડાવે,
જિનમંદિરને સુશોભિત કરે તે આશ્ચર્યકારી વૈભવ પામે છે. જે જળ, ચંદનાદિથી જિનપૂજા
કરે તે દેવોનો
Page 295 of 660
PDF/HTML Page 316 of 681
single page version
અભિષેક કરે તે દેવોથી અને મનુષ્યોથી સેવ્ય ચક્રવર્તી થાય, જેનો રાજ્યાભિષેક દેવો, વિદ્યાધરો
કરે. જે દૂધથી અરિહંતનો અભિષેક કરે તે ક્ષીરસાગરના જળ સમાન ઉજ્જવળ વિમાનમાં પરમ
કાંતિના ધારક દેવ થઈ, પછી મનુષ્ય થઈ મોક્ષ પામે. જે દહીંથી સર્વજ્ઞ વીતરાગનો અભિષેક
કરે તે દહીં સમાન ઉજ્જવળ યશ પામીને ભવોદધિને તરે છે. જે ઘીથી જિનનાથનો અભિષેક
કરે તે સ્વર્ગ વિમાનમાં બળવાન દેવ થઈ પરંપરાએ અનંત વીર્ય ધારણ કરે. જે શેરડીના રસથી
જિનનાથનો અભિષેક કરે તે અમૃતનો આહાર કરનાર સુરેશ્વર થઈ, નરેશ્વરપદ પામી, મુનીશ્વર
થઈ અવિનશ્વર પદ પામે. અભિષેકના પ્રભાવથી અનેક ભવ્ય જીવ દેવ અને ઇન્દ્રોથી અભિષેક
પામ્યા છે તેમની કથા પુરાણોમાં પ્રસિદ્ધ છે. જે ભક્તિથી જિનમંદિરમાં મોરપીંછી આદિથી
સ્વચ્છતા રાખે છે તે પાપરૂપ રજથી રહિત થઈ પરમ વૈભવ અને આરોગ્ય પામે છે. જે ગીત,
નૃત્ય, વાજિંત્રાદિથી જિનમંદિરમાં ઉત્સવ કરે છે તે સ્વર્ગમાં પરમ ઉત્સાહ પામે છે. જે
જિનેશ્વરનાં ચૈત્યાલય બનાવડાવે છે તેનાં પુણ્યનો મહિમા કોણ કહી શકે? તે સુરમંદિરનાં સુખ
ભોગવી પરંપરાએ અવિનાશી ધામ પામે છે. જે જિનેન્દ્રની પ્રતિમા વિધિપૂર્વક કરાવે તે
સુરનરનાં સુખ ભોગવી પરમ પદ પામે છે વ્રતવિધાન તપ-દાન ઈત્યાદિ શુભ ચેષ્ટાથી પ્રાણી જે
પુણ્ય ઉપાર્જે છે તે સમસ્ત કાર્ય જિનબિંબ બનાવરાવવા સમાન નથી જે જિનબિંબ કરાવે તે
પરંપરાએ પુરુષાકાર સિદ્ધપદ પામે છે જે ભવ્ય જિનમંદિરના શિખર ચડાવે છે તે ઇન્દ્ર, ધરણેન્દ્ર,
ચક્રવર્તી આદિ સુખ ભોગવી લોકના શિખરે પહોંચે છે. જે જીર્ણ મંદિરોની સંભાળ રાખે,
જીર્ણોદ્ધાર કરાવે તે કર્મરૂપ અજીર્ણને દૂર કરી નિભય નિરોગપદ પામે છે જે નવીન ચૈત્યાલય
બનાવી, જિનબિંબ પધરાવી પ્રતિષ્ઠા કરે છે તે ત્રણ લોકમાં પ્રતિષ્ઠા પામે અને જે સિદ્ધક્ષેત્રાદિ
તીર્થોની યાત્રા કરે તે મનુષ્યજન્મ સફળ કરે છે. જે જિનપ્રતિમાના દર્શનનું ચિંતવન કરે છે તેને
એક ઉપવાસનું ફળ મળે છે અને દર્શનના પ્રયત્નનો અભિલાષી હોય તેને બે ઉપવાસનું ફળ
પામે છે. જે ચૈત્યાલય જવાનો પ્રારંભ કરે છે તે ત્રણ ઉપવાસનું ફળ મળે છે જે ચૈત્યાલય જાય
છે તેને ચાર ઉપવાસનું ફળ મળે છે. અને આગળ થોડો વધે છે તેને પાંચ ઉપવાસનું ફળ મળે
છે. અર્ધે રસ્તે પહોંચે તેને પંદર દિવસના ઉપવાસનું ફળ મળે છે ચૈત્યાલયના દર્શનથી માસ
ઉપવાસનું ફળ મળે છે અને ભાવભક્તિથી મહાસ્તુતિ કરતાં અનંત ફળની પ્રાપ્તિ થાય છે.
જિનેન્દ્રની ભક્તિ જેવું બીજું કાંઈ ઉત્તમ નથી. જે જિનસૂત્ર લખાવી તેનું વ્યાખ્યાન કરે-કરાવે,
ભણે-ભણાવે, સાંભળે-સંભળાવે, શાસ્ત્રોની તથા પંડિતોની ભક્તિ કરે, તે સર્વાંગના પાઠી થઈ
કેવળપદ પામે છે. જે ચતુર્વિધ સંઘની સેવા કરે તે ચતુગર્તિના દુઃખ દૂર કરી પંચમગતિ પામે છે.
મુનિ કહે છેઃ હે ભરત! જિનેન્દ્રની ભક્તિથી કર્મનો ક્ષય થાય છે અને કર્મનો ક્ષય થવાની
અક્ષયપદ પામે છે. મુનિના આ વચન સાંભળી રાજા ભરતે પ્રણામ કરી શ્રાવકના વ્રત અંગીકાર
કર્યા. ભરત બહુશ્રુત, અતિધર્મજ્ઞ, વિનયવાન, શ્રદ્ધાવાન, ચતુર્વિધ સંઘને ભક્તિથી અને દુઃખી
Page 296 of 660
PDF/HTML Page 317 of 681
single page version
શ્રાવકનાં વ્રતમાં તત્પર ન્યાય સહિત રાજ્ય કરતા હતા.
જેમ અલિપ્ત રહેતા. પોતાના ચિત્તમાં નિરંતર એવો વિચાર કરતા કે યતિનાં વ્રત ધારણ
કરું, નિર્ગ્રંથ થઈને પૃથ્વી પર વિચરું. ધન્ય છે તે ધીર પુરુષને, જે સર્વ પરિગ્રહનો ત્યાગ
કરીને તપના બળથી સમસ્ત કર્મોની ભસ્મ કરી સારભૂત નિર્વાણસુખને પામે છે. હું પાપી
સંસારમાં મગ્ન રહું છું. હું પ્રત્યક્ષ દેખું છું કે આ સમસ્ત સંસારનું ચરિત્ર ક્ષણભંગુર છે. જે
પ્રભાતે દેખીએ છીએ તે મધ્યાહ્નમાં હોતું નથી. હું મૂઢ થઈ રહ્યો છું. જે રંક
વિષયાભિલાષી સંસારમાં રાચે છે તે ખોટા મૃત્યુથી મરે છે. સર્પ, વાઘ, ગજ, જળ, અગ્નિ,
શસ્ત્ર, વિદ્યુત્પાત, શૂલારોપણ, અસાધ્ય રોગ ઈત્યાદિ કુરીતિથી તે શરીર ત્યજશે. આ
પ્રાણી અનેક સહસ્ત્ર દુઃખોનો ભોગવનારો સંસારમાં ભ્રમણ કરે છે. મોટા આશ્ચર્યની વાત
છે કે આ અલ્પ આયુષ્યમાં પ્રમાદી થઈ રહ્યો છે. જેમ કોઈ મદોન્મત્ત ક્ષીરસમુદ્રના તટ પર
સૂતેલો તરંગોના સમૂહથી ન ડરે તેમ હું મોહથી ઉત્પન્ન ભવભ્રમણથી ડરતો નથી, નિર્ભય
થઈ રહ્યો છું. હાય હાય! હું હિંસા, આરંભાદિ અનેક પાપોમાં લિપ્ત રાજ્ય કરીને કયા
ઘોર નરકમાં જઈશ? જે નરકમાં બાણ, ખડ્ગ, ચક્રના આકારવાળાં તીક્ષ્ણ પાંદડાંવાળાં
શાલ્મલિ વૃક્ષો છે અથવા અનેક પ્રકારની તિર્યંચ ગતિમાં જઈશ. જુઓ, જિનશાસ્ત્ર સરખા
મહાજ્ઞાનરૂપ શાસ્ત્રને પામીને પણ મારું મન પાપયુક્ત થઈ રહ્યું છે, નિસ્પૃહ થઈને યતિનો
ધર્મ ધારતું નથી, કોણ જાણે મારે કઈ ગતિમાં જવાનું છે? આવું કર્મોનો નાશ કરનાર
ધર્મરૂપ ચિંતન નિરંતર કરતા રાજા ભરત જૈન પુરાણાદિ ગ્રંથોના શ્રવણમાં આસક્ત છે,
સદૈવ સાધુઓની કથામાં અનુરાગી રાતદિવસ ધર્મમાં ઉદ્યમી રહેતા હતા.
વિદેશગમન અને ભરતના રાજ્યનું વર્ણન કરનાર બત્રીસમું પર્વ પૂર્ણ થયું.
સ્વાદિષ્ટ ફળોથી ભરેલા હતા. વનમાં વૃક્ષ સમાન ઘણા મઠ હતા. તેમનાં નિવાસસ્થાન
વિસ્તીર્ણ પાંદડાંથી છાયેલાં અથવા ઘાસનાં ફૂલોથી આચ્છાદિત હતાં. વાવ્યા વિના ઊગે
એવાં ધાન્ય તેમના આંગણામાં
Page 297 of 660
PDF/HTML Page 318 of 681
single page version
મેના, પોપટ ભણી રહ્યાં હતાં, તેમના મઠ પાસે અનેક ફૂલોના ક્યારા બનાવેલા હતા,
તાપસોની કન્યા મિષ્ટ જળથી ભરેલા કળશ તે ક્યારામા
વડે ખૂબ આદરથી તેમનું આતિથ્ય કરવા લાગ્યા. તાપસો સહજપણે સૌનો આદર કરે છે.
તે મિષ્ટ વચનથી સંભાષણ કરી રહેવા માટે ઝૂંપડી, કોમળ પલ્લવોની શય્યા ઇત્યાદિ
ઉપચાર કરવા લાગ્યા. રામને બહુ જ રૂપાળા અદ્ભુત પુરુષ જાણીને ખૂબ આદર કર્યો.
રાત્રે ત્યાં રહીને સવારમાં ઊઠીને એ ચાલી નીકળ્યા. તાપસો તેમની સાથે ચાલવા લાગ્યા,
એમનું રૂપ જોઈને અનુરાગી થયા. પાષાણ પણ પીગળી જાય તો મનુષ્યોની તો શી વાત
કરવી? સૂકાં પાંદડાંનું ભક્ષણ કરનાર તાપસો એમનું રૂપ જોઈને અનુરાગી થઈ ગયા. વૃદ્ધ
તાપસો તેમને કહેવા લાગ્યાઃ તમે અહીં જ રહો આ સુખનું સ્થાન છે અને કદાચ ન રહેવું
હોય તો આ અટવીમાં સાવધાન રહેજો. જોકે આ વન જળ, ફળ, પુષ્પાદિથી ભરેલું છે તો
પણ વિશ્વાસ કરશો નહિ. નદી, વન અને નારી એ વિશ્વાસયોગ્ય નથી અને તમે તો સર્વ
બાબતોમાં સાવધાન જ છો. પછી રામ, લક્ષ્મણ, સીતા અહીંથી આગળ ચાલ્યાં. અનેક
તાપસી એમને જોવાની અભિલાષાથી અત્યંત વિહ્વળ થઈને દૂર સુધી પત્ર, પુષ્પ, ફળ,
ઇંધનાદિના બહાને તેમની સાથે ચાલતી રહી. કેટલીક તાપસીઓ તેમને મધુર વચનોથી
કહેવા લાગી કે તમે અમારા આશ્રમમાં કેમ ન રહો, અમે તમારી સેવા કરીશું. અહીંથી
ત્રણ કોશ પર એવું વન છે કે જ્યાં મહાસઘન વૃક્ષો છે, મનુષ્યોનું નામ નથી; અનેક સિંહ,
વાઘ, દુષ્ટ જીવોથી ભરેલું છે; ત્યાં ઈંધન અને ફળ, ફૂલ માટે તાપસો પણ જતા નથી,
ડાભની તીક્ષ્ણ અણીઓથી જ્યાં અવરજવર થતી નથી, વન મહાભયાનક છે અને ચિત્રકૂટ
પર્વત અત્યંત ઊંચો, દુર્લંધ્ય, ફેલાઈને પડયો છે. તમે શું સાંભળ્યું નથી કે નિઃશંક થઈને
ચાલ્યા જાવ છો? રામે જવાબ આપ્યો, હે તાપસીઓ! અમે અવશ્ય આગળ જઈશું. તમે
તમારા સ્થાનકે જાવ. મુશ્કેલીથી તેમને પાછી વાળી. તે પરસ્પર એમનાં રૂપ-ગુણનું વર્ણન
કરતી પોતાના સ્થાનકે આવી. તેઓ મહાગહન વનમાં પ્રવેશ કરવા લાગ્યાં. વન પર્વતના
પાષાણોના સમૂહથી અત્યંત કર્કશ છે, તેમાં મોટાં મોટાં વૃક્ષો વેલોથી વીંટળાયેલાં છે.
ભૂખથી ક્રોધે ભરાઈને શાર્દૂલોએ નખ વડે વૃક્ષોને વિદારી નાખ્યાં છે, સિંહોથી હણાયેલા
ગજરાજના રક્તથી લાલ બનેલાં મોતી ઠેરઠેર વિખરાઈને પડયાં છે, મત્ત ગજરાજોએ
તરુવરોને ભાંગી નાખ્યાં છે, સિંહણની ગર્જના સાંભળીને હરણો ભાગી રહ્યા છે, સૂતેલા
અજગરોના શ્વાસના પવનથી ગુફાઓ ગુંજી રહી છે, સુવ્વરોના સમૂહોથી નાનાં સરોવરો
કાદવમય બની ગયાં છે, જંગલી પાડાનાં શિંગડાંથી રાફડા ભાંગી ગયા છે, ભયાનક સર્પો
ફેણ ઊંચી કરીને ફરી રહ્યા છે, કાંટાથી જે પૂંછડીનો અગ્રભાગ વીંધાઈ ગયો છે એવી
નીલ ગાય ખેદખિન્ન થઈ છે, અનેક પ્રકારના કાંટા ત્યાં પથરાઈ રહ્યા છે, વિષપુષ્પોની
રજની વાસનાથી અનેક પ્રાણી ત્યાં ફરી રહ્યાં છે, ગેંડાના નખથી વૃક્ષનાં થડ વિદરાઇ ગયાં
Page 298 of 660
PDF/HTML Page 319 of 681
single page version
છે. ભમતા રોઝના સમૂહોએ પાંદડાં ચારેકોર વેરી મૂકયા છે. જાતજાતનાં પક્ષીઓના ક્રૂર
શબ્દોથી વન ગુંજી રહ્યું છે. વાંદરાઓની કૂદાકૂદથી વૃક્ષોની ડાળીઓ ધ્રુજી રહી છે, પર્વત
પરથી શીઘ્ર, વેગથી ધસતા જળના પ્રવાહથી પૃથ્વી ઘસાઈ રહી છે, વૃક્ષોની ઘટાને કારણે
સૂર્યનાં કિરણો પણ ત્યાં દેખાતાં નથી. જાતજાતનાં ફળફૂલથી ભરેલું વન છે, તેમાં અનેક
પ્રકારની સુગંધ ફેલાઈ રહી છે, જાતજાતની ઔષધિઓથી પૂર્ણ છે. તથા વગડાઉ ધાન્યથી
પૂર્ણ છે. ક્યાંક વન નીલ વર્ણનું, ક્યાંક લાલ રંગનું, ક્યાંક લીલા રંગનું દેખાય છે તે
વનમાં બન્ને વીરોએ પ્રવેશ કર્યો. ચિત્રકૂટ પર્વતનાં મનોહર ઝરણામાં ક્રીડા કરતા, વનની
અનેક સુંદર વસ્તુઓને જોતા, પરસ્પર વાત કરતા બન્ને ભાઈ વનમાં મિષ્ટ ફળોનો
આસ્વાદ લેતા, કિન્નર અને દેવોનાં મનનું હરણ કરે એવું મનોહર ગીત ગાતાં, પુષ્પોનાં
પરસ્પર આભૂષણ બનાવતાં, શરીર ઉપર સુગંધી દ્રવ્યોનો લેપ કરતા, જેમનાં સુંદર નેત્રો
ખીલી ઊઠયાં છે એવા અત્યંત સ્વચ્છંદી, શોભા ધારણ કરતા, સુરનર, નાગોના મનને
હરતા, નેત્રોને પ્યારા, ઉપવનની જેમ ભયંકર વનમાં ફરવા લાંગ્યા. અનેક પ્રકારના સુંદર
લતામંડપોમાં વિશ્રામ કરતા, નાના પ્રકારની કથા કરતા, વિનોદ કરતા, રહસ્યની વાતો
કરતા જાણે નંદનવનમાં દેવભ્રમણ કરતા હોય તેમ અત્યંત રમણીક લીલા કરતા
વનવિહાર કરવા લાગ્યા.
એટલે એક વડની છાયામાં બેસીને બન્ને ભાઈ પરસ્પર બતાવવા લાગ્યા કે આ દેશ કેમ
ઉજ્જડ દેખાય છે. જાતજાતનાં ખેતરમાં પાક લહેરાતો હતો અને માણસો નહોતા, વૃક્ષો
ફળફૂલથી શોભતાં હતાં, શેરડીના સાંઠાના વાઢ ઘણા હતા, સરોવરોમાં કમળ ખીલી રહ્યાં
હતાં, જાતજાતના પક્ષીઓ કેલિ કરતાં હતાં. જેમ જિનદીક્ષા લીધેલા મુનિ વીતરાગભાવરૂપ
પરમ સંયમ વિના શોભે નહિ તેમ આ અતિવિશાળ દેશ માણસોના સંચાર વિના શોભતો
નહિ. આવી સુંદર વાત રામ લક્ષ્મણને કરી રહ્યા છે. ત્યાં અત્યંત કોમળ સ્થાનક જોઈને
રત્નકાંબળી બિછાવીને શ્રીરામ બેઠા, તેમનું ધનુષ પાસે પડયું હતું અને પ્રેમરૂપ જળની
સરોવરી, જેનું મન શ્રીરામમાં આસક્ત છે તે સીતા સમીપમાં બેઠાં. શ્રી રામે લક્ષ્મણને
આજ્ઞા કરી કે તું વડ પર ચડીને જો કે કોઈ વસતિ દેખાય છે. તે આજ્ઞા અનુસાર જોવા
લાગ્યા અને કહેવા લાગ્યાકે હે દેવ! વિજ્યાર્ધ પર્વત સમાન ઊંચાં જિનમંદિર દેખાય છે,
શરદનાં વાદળાં સમાન તેનાં શિખરો શોભે છે, ધજા ફરકે છે અને ઘણાં ગામ પણ દેખાય
છે. કૂવા, વાવ, સરોવરોથી મંડિત વિદ્યાધરોનાં નગર સમાન દેખાય છે, ખેતમાં પાક
લહેરાય છે, પણ મનુષ્ય કોઈ દેખાતા નથી. કોણ જાણે લોકો કુટુંબ સાથે ક્યાં ભાગી ગયા
છે? અથવા ક્રૂર કર્મના કરનારા મ્લેચ્છો બાંધીને લઈ ગયા છે? એક ગરીબ માણસ
આવતો દેખાય છે. તે મૃગ સમાન શીઘ્ર આવે છે, તેના વાળ રૂક્ષ છે, શરીર મેલું છે,
છાતી લાંબી દાઢીથી ઢંકાઈ ગઈ છે, વસ્ત્ર ફાટેલાં પહેર્યાં છે, તેના પગ ફાટી ગયા છે,
શરીર પરથી પરસેવો
Page 299 of 660
PDF/HTML Page 320 of 681
single page version
જલદી લઈ આવો. પછી લક્ષ્મણ વડ ઉપરથી નીચે ઊતરી દરિદ્રી પાસે ગયા. દરિદ્રી
લક્ષ્મણને જોઈને આશ્ચર્ય પામ્યો કે આ કોણ ઇન્દ્ર છે, વરુણ છે, નાગેન્દ્ર છે, નર છે,
કિન્નર છે, ચંદ્રમા છે, સૂર્ય છે, અગ્નિકુમાર છે કે કુબેર છે, આ કોઇ મહાતેજનો ધારક છે,
એમ વિચારતો ડરીને મૂર્ચ્છા ખાઈને પૃથ્વી પર પડી ગયો. ત્યારે લક્ષ્મણે કહ્યું કે હે ભદ્ર!
ભય ન કર. ઊઠ, ઊઠ એમ કહીને ઊઠાડયો અને ખૂબ દિલાસો આપીને શ્રી રામની
નિકટ લઈ આવ્યો. તે દરિદ્રી પુરુષ ક્ષુધા આદિ અનેક દુઃખોથી પીડિત હતો તે રામને જોઈ
બધાં દુઃખ ભૂલી ગયો. રામ અત્યંત સુંદર, સૌમ્ય મુખવાળા, કાંતિવાન, નેત્રોમાં ઉત્સાહ
જગાડનાર છે. સમીપમાં વિનયવાન સીતા બેઠાં છે. તે મનુષ્ય હાથ જોડી, શિર પૃથ્વી પર
અડાડી નમસ્કાર કરવા લાગ્યો. ત્યારે તેમણે દયા કરીને કહ્યું કે તું છાંયે આવીને બેસ,
ભય ન કર. તે આજ્ઞા પામીને દૂર બેઠો. રઘુપતિ અમૃત જેવા મીઠાં વચનોથી પૂછવા
લાગ્યાઃ તારું નામ શું છે, ક્યાંથી આવ્યો છે, કોણ છો? તે હાથ જોડી વિનંતી કરવા
લાગ્યો, હે નાથ! હું કણબી છું, મારું નામ સિરગુપ્ત છે, હું દૂરથી આવું છું. રામે પૂછયુંઃ
આ દેશ ઉજ્જડ કેમ છે? તેણે કહ્યું કે હે દેવ! ઉજ્જયિની નામની નગરીનો સ્વામી રાજા
સિંહોદર અતિપ્રસિદ્ધ છે. તેણે પોતાના પ્રતાપથી મોટા મોટા સામંતોને નમાવ્યા છે, તેનો
વૈભવ દેવ સમાન છે. એક દશાંગપુર નામના નગરનો સ્વામી વજ્રકર્ણ સિંહોદરનો સેવક
અને અત્યંત પ્યારો સુભટ છે, તેણે પોતાના સ્વામીનાં મોટાં મોટાં કાર્યો કર્યા છે. તેણે
એક વાર નિર્ગ્રંથ મુનિને નમસ્કાર કરી, તેમની પાસેથી ધર્મશ્રવણ કરી એવી પ્રતિજ્ઞા કરી
કે હું દેવગુરુશાસ્ત્ર સિવાય બીજાને નમસ્કાર નહિ કરું. સાધુના પ્રસાદથી તેને
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ છે તે પૃથ્વી પર પ્રસિદ્ધ છે. શું આપે હજી સુધી એની વાત
સાંભળી નથી? ત્યારે લક્ષ્મણે રામનો અભિપ્રાય જાણીને પૂછયું કે વજ્રકર્ણ પર કેવી રીતે
સંતોની કૃપા થઈ? મુસાફરે જવાબ આપ્યો કે હે દેવરાજ! એક દિવસ વજ્રકર્ણ દશારણ્ય
વનમાં મૃગયા માટે ગયો હતો. તે જન્મથી જ પાપી, ક્રૂર કર્મ કરનાર, ઇન્દ્રિયોનો લોલુપી,
મહામૂઢ, શુભ ક્રિયાથી પરાઙમુખ, મહાસૂક્ષ્મ જૈન ધર્મની ચર્ચા ન જાણનારો, કામી, ક્રોધી,
લોભી, અંધ, ભોગસેવનથી ઉપજેલા ગર્વથી પીડિત, વનમાં ભ્રમણ કરતો હતો, તેણે
ગ્રીષ્મઋતુમાં એક શિલા પર બેઠેલા, સત્પુરુષોથી પૂજ્ય એવા મુનિને જોયા. ચાર મહિના
સૂર્યનાં કિરણોનો આતાપ સહન કરનાર, મહાતપસ્વી, પક્ષીસમાન નિરાશ્રય, સિંહ સમાન
નિર્ભય, તપેલી શિલા પર બેસવાથી જેમનું શરીર તપ્ત હતું એવા દુર્જય તીવ્ર તાપના
સહન કરનાર, તપોનિધિ સાધુને જોઈ વજ્રકર્ણ જે અશ્વ પર બેઠો હતો, હાથમાં બરછી
હતી, કાળ સમાન ક્રૂર લાગતો હતો તેણે ગુણરૂપ રત્નના સાગર, પરમાર્થના વેત્તા,
પાપોના ઘાતક, સર્વ જીવ પ્રત્યે દયા રાખનાર સાધુને પૂછયું, હે સ્વામી! તમે આ નિર્જન
વનમાં શું કરો છો? ઋષિએ જવાબ આપ્યો કે આત્મકલ્યાણ કરીએ છીએ, કે જે પૂર્વે
અનંત ભવમાં કર્યું નહોતું. ત્યારે વજ્રકર્ણ હસીને બોલ્યો કે આવી અવસ્થાથી તમને કયું
સુખ મળે છે? તમે તપથી