Page 140 of 660
PDF/HTML Page 161 of 681
single page version
જેમ જેમ વધે છે તેમ તેમ તેની બુદ્ધિ ઘટતી જાય છે. તમે આ યોગ્ય વાત નથી કરી.
કહો, હું કોનાથી ઉતરતો છું? મારામાં કઈ વસ્તુની ખામી છે કે તમે આવાં કાયર વચનો
મને કહ્યાં? જે સુમેરુના પગમાં ચંદ્ર અને સૂર્ય પડતા હોય તે ઉત્તુંગ સુમેરુ બીજાઓને કેવી
રીતે નમે? જો તે રાવણ પુરુષાર્થમાં અધિક છે તો હું પણ તેનાથી અત્યંત અધિક છું,
અને દૈવ તેને અનુકૂળ છે એ વાત નિશ્ચયથી તમે ક્યાંથી જાણી? જો તમે એમ કહો કે
એણે ઘણા શત્રુઓને જીતી લીધા છે તો અનેક મૃગોને હણનારા સિંહને શું અષ્ટાપદ નથી
હણતો? હે પિતા! શસ્ત્રોના અથડાવાથી જ્યાં અગ્નિ ઉત્પન્ન થયો છે તેવા સંગ્રામમાં પ્રાણ
ત્યાગવા સારા, પરંતુ કોઈને સામે નમવું તે મહાપુરુષોને યોગ્ય નથી. પૃથ્વી ઉપર મારી
મશ્કરી થાય કે આ ઇન્દ્ર રાવણને નમ્યો, પોતાની પુત્રી આપીને મળ્યો, એ વાત તો તમે
વિચારી જ નથી. વિદ્યાધરપણામાં તે અને હું સરખા છીએ, પરંતુ બુદ્ધિ-પરાક્રમમાં તે મારી
બરાબર નથી. જેમ સિંહ અને શિયાળ બન્ને વનના નિવાસી છે, પરંતુ પરાક્રમમાં
શિયાળ-સિંહ બરાબર નથી. આમ તેણે પિતાને ગર્વભરેલાં વચનો કહ્યાં. પિતાની વાત
માની નહિ. પિતા પાસે વિદાય થઈને આયુધશાળામાં ગયો. ક્ષત્રિયોને હથિયાર અને
બખ્તર વહેંચવામાં આવ્યા, સિંધૂ રાગ ગવાવા લાગ્યો, અનેક પ્રકારના વાજિંત્રો વાગવા
લાગ્યાં, સેનામાં આવા અવાજો આવવા લાગ્યા કે હાથીને સજાવો, ઘોડા ઉપર પલાણ
નાખો, રથોને ઘોડા જોડો, તલવાર બાંધો, બખ્તર પહેરો, ધનુષ્યબાણ લ્યો, શિર પર ટોપ
પહેરી લ્યો, ઇત્યાદિ શબ્દો દેવ જાતિના વિદ્યાધરો બોલવા લાગ્યા. પછી યોદ્ધાઓ ગુસ્સામાં
આવી ગયા, ઢોલ વગાડવા લાગ્યા, હાથી ગર્જના કરવા લાગ્યા. ઘોડા હણહણવા લાગ્યા.
ધનુષ્યના ટંકાર થવા લાગ્યા. ચારણો બિરુદાવલી ગાવા લાગ્યાં. જગત શબ્દમય બની
ગયું, સર્વ દિશાઓ તલવાર અને તોમર, ધ્વજ, અને વાવટા, શસ્ત્રો અને ધનુષ્યથી
આચ્છાદિત થઈ ગઈ, સૂર્ય પણ આચ્છાદિત થઈ ગયો. રાજા ઇન્દ્રની સેનાના જે વિદ્યાધર
દેવ કહેવાતા તે બધા રથનૂપુરમાંથી બહાર નીકળ્યા. સર્વ સામગ્રી લઈને યુદ્ધના અનુરાગી
દરવાજે આવીને ભેગા થયા. પરસ્પર કહેવા લાગ્યા, રથ આગળ લે, મસ્ત હાથી આવ્યો
છે, હે મહાવત! હાથીને આ ઠેકાણેથી આઘે લઈ જા. હે ઘોડેસવાર! ઊભો કેમ રહ્યો છે,
ઘોડાને આગળ લે. આ પ્રમાણે વચનાલાપ કરતાં દેવો શીઘ્ર બહાર નીકળી ગયા.
રાક્ષસોની સામે આવી ગયા. રાવણ અને ઇન્દ્ર વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. દેવોએ રાક્ષસોની
સેનાને થોડી હઠાવી એટલે રાવણના યોદ્ધા વજ્રવેગ, હસ્ત, પ્રહસ્ત, મારિચ, ઉદ્ભવ,
વજ્રવક્ર, શુક્ર, ઘોર, સારન, ગગનોજ્જવલ, મહાજઠર, મધ્યાભ્રક્રૂર ઈત્યાદિ અનેક વિદ્યાધર
રાક્ષસવંશી યોદ્ધાઓ વિવિધ પ્રકારનાં વાહનો પર બેસીને દેવો સાથે લડવા લાગ્યા. તેમના
પ્રભાવથી ક્ષણમાત્રમાં દેવોની સેના પાછી હઠી. તે વખતે ઇન્દ્રના મેઘમાલી, તડિત્પિંગ,
જ્વલિતાક્ષ, અરિ-સંજવર, પાવકસ્યંદન ઇત્યાદિ મોટા મોટા દેવ યોદ્ધાઓએ શસ્ત્રો
ચલાવીને રાક્ષસોને દબાવ્યા. તે કંઈક શિથિલ થઈ ગયા ત્યાં મોટાં રાક્ષસોએ તેમને
ધીરજ આપી. રાક્ષસવંશી મહાસામંતોએ પ્રાણ ત્યજ્યા પણ શસ્ત્ર ન છોડયાં. રાક્ષસોના
મહાન મિત્ર વાનરવંશી
Page 141 of 660
PDF/HTML Page 162 of 681
single page version
રાક્ષસોની સેનાને ખૂબ ધૈર્ય આપ્યું. પ્રસન્નકીર્તીનો પ્રભાવ દૂર કરવા અનેક દેવ તેના
ઉપર ધસી આવ્યા પણ પ્રસન્નકીર્તીએ પોતાનાં બાણોથી તેમનાં શસ્ત્રો વિદારી નાખ્યાં,
જેમ જૂઠા તપસ્વીઓનું મન કામ (મન્મથ) વિદારી નાખે છે તેમ. પછી બીજા મોટા મોટા
દેવો આવ્યા. કપિ, રાક્ષસ અને દેવોના ખડ્ગ, ગદા, શક્તિ, અ ધનુષ, મુદ્ગર વગેરેથી
યુદ્ધ થયું. તે વખતે માલ્યવાનનો પુત્ર શ્રીમાલી, રાવણના કાકા મહાપ્રસિદ્ધ પુરુષ પોતાની
સેનાને મદદ કરવા દેવો ઉપર ધસી ગયા. તેનાં બાણોની વર્ષાથી દેવોની સેના પાછી ખસી
ગઈ. જેમ મોટો મગરમચ્છ સમદ્રને ડહોળે તેમ શ્રીમાલીએ દેવોની સેના ખળભળાવી મૂકી
ત્યારે ઈંન્દ્રના યોદ્ધા પોતાની સેનાના રક્ષણ માટે અત્યંત કુપિત થઈ, અનેક આયુધ
ધારીને, શિખી, કેશર, દંડાગ્ર, કનક, પ્રવર ઇત્યાદિ ઇન્દ્રના ભાણેજો બાણવર્ષાથી આકાશને
ઢાંકતા શ્રીમાલી ઉપર ધસી આવ્યા ત્યારે શ્રીમાલીએ અર્ધચન્દ્ર બાણથી તેમનાં શિર ઉડાવી
દીધાં. ઇન્દ્રે વિચાર્યું કે આ શ્રીમાલી મનુષ્યોમાં મહાન યોદ્ધો છે, રાક્ષસવંશીઓના અધિપતિ
માલ્યવાનનો પુત્ર છે, એણે મોટા મોટા દેવ અને અને આ મારા ભાણેજોને પણ મારી
નાખ્યા. હવે આ રાક્ષસની સામે મારા દેવોમાંથી કોણ આવશે? એ અતિવીર્યવાન અને
મહાતેજસ્વી છે તેથી હું જ યુદ્ધ કરીને એને મારું, નહિતર તે મારા અનેક દેવોને મારી
નાખશે. આમ વિચારી પોતાના જે દેવજાતિના વિદ્યાધરો શ્રીમાલીથી ધ્રૂજ્યા હતા તેમને
ધૈર્ય બંધાવી પોતે યુદ્ધ કરવા તૈયાર થયો. ત્યારે ઇન્દ્રનો પુત્ર જયંત પિતાને પગે પડીને
વિનંતી કરવા લાગ્યો કે હે દેવ! મારા હોવા છતાં આપ યુદ્ધ કરો તો અમારો જન્મ
નિરર્થક છે, આપે અમને બાલ્યાવસ્થામાં ખૂબ લાડ લડાવ્યા છે, હવે આપની પાસેથી
શત્રુઓને યુદ્ધ કરીને દૂર કરું એ પુત્રનો ધર્મ છે. આપ નિરાકુળ બનો. જે અંકુર નખથી
છેદાતો હોય તેના ઉપર ફરસી ઊંચકવાનો શો અર્થ? આમ કહીને પિતાની આજ્ઞા લઈને
પોતાના શરીરથી જાણે આકાશને ગળી જવાનો હોય તેમ ક્રોધાયમાન થઈ યુદ્ધ માટે
શ્રીમાલી સામે આવ્યો. શ્રીમાલી એને યુદ્ધયોગ્ય જાણીને ખુશ થયો. એ બન્ને કુમારો
પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ધનુષ્ય ખેંચી બાણ ફેંકવા લાગ્યા. બન્ને સેનાના લોકો એમનું
યુદ્ધ જોવા લાગ્યા, એમનું યુદ્ધ જોઈને આશ્ચર્ય પામ્યા. શ્રીમાલીએ કનક નામના હથિયારથી
જયંતનો રથ તોડી નાખ્યો અને તેને ધાયલ કર્યો. તે મૂર્ચ્છા ખાઈને પડયો, પાછો સચેત
થઈને લડવા લાગ્યો. તેણે શ્રીમાલી ઉપર ભીંડામાલ નામનું હથિયાર છોડયું, તેનો રથ
તોડયો અને તેને મૂર્છિત કર્યો. આથી દેવોની સેનામાં ખૂબ આનંદ અને રાક્ષસોને શોક
થયો. થોડી વારે શ્રીમાલી સચેત થઈને જયંતની સન્મુખ ગયો. બન્ને સુભટ રાજકુમાર
યુદ્ધ કરતા જાણે કે સિંહના બાળક હોય તેવા શોભતા હતા. થોડી વારમાં ઇન્દ્રના પુત્ર
જયંતે શ્રીમાલીને છાતીમાં ગદા મારી, તે પૃથ્વી પર પડી ગયો, મુખમાંથી લોહી વહેવા
લાગ્યું, તત્કાળ સૂર્યાસ્ત થઈ જાય તેમ તેના પ્રાણ ચાલ્યા ગયા. શ્રીમાલીને મારી જયંતે
શંખનાદ કર્યો. આથી રાક્ષસોની સેના ભયભીત થઈને પાછી હઠી. માલ્યવાનના પુત્ર
શ્રીમાલીને મરેલો જોઈને રાવણના
Page 142 of 660
PDF/HTML Page 163 of 681
single page version
પુત્ર ઇન્દ્રજિતે પોતાની સેનાને ધીરજ આપી અને પોતે જયંતની સામે આવ્યો. ઇન્દ્રજિતે
જયંતનું બખ્તર તોડી નાખ્યું, પોતાનાં બાણથી જયંતને ઘાયલ કર્યો. જયંતનું બખ્તર તૂટી
ગયું હતું, શરીર લોહીથી લાલ થઈ ગયું હતું, એ જોઈને ઇન્દ્ર પોતે યુદ્ધ કરવા તૈયાર
થયો. તે પોતાનાં આયુધથી આકાશને ઢાંકતો, પોતાના પુત્રને મદદ કરવા ઇન્દ્રજિત પર
આવ્યો ત્યારે રાવણને સુમતિ નામના સારથિએ કહ્યું કે હે દેવ! ઐરાવત હાથી ઉપર
બેસી, લોકપાલોથી મંડિત, હાથમાં ચક્ર ધારણ કરી, મુગટનાં રત્નોની પ્રભાથી ઉદ્યોત
કરતો, ઉજ્જવળ છત્રથી સૂર્યને આચ્છાદિત કરતો, ક્ષોભ પામેલા સમુદ્ર સમાન સેના
સહિત આ ઇન્દ્ર આવ્યો છે. ઇન્દ્રજિતકુમાર તેને જીતવાને સમર્થ નથી માટે આપ તૈયાર
થઈને અહંકારી શત્રુનું નિવારણ કરો. રાવણે ઇન્દ્રને સામે આવેલો જોઈને અને પહેલાં
માલીના મરણને યાદ કરીને અને હમણાં જ શ્રીમાલીના વધથી અત્યંત ક્રોધપૂર્વક શત્રુથી
પોતાના પુત્રને ઘેરાયેલો જોઈ પોતે દોડયો, પવન સમાન વેગવાળા રથમાં બેઠો. બન્ને
સેનાના સૈનિકો વચ્ચે વિષમ યુદ્ધ થયું, સુભટોના રોમાંચ ખડા થલ ગયા. પરસ્પર
શસ્ત્રોના પ્રહારથી અંધકાર થઈ ગયો, રુધિરની નદી વહેવા લાગી, પરસ્પર યોદ્ધાઓ
ઓળખાતાય નહિ, કેવળ ઊંચા અવાજથી ઓળખાણ પડતી. ગદા, શક્તિ, બરછી, ત્રિશૂળ,
પાશ, કુહાડા, મુદ્ગર, વજ્ર, પાષાણ, હળ, દંડ, વાંસનાં બાણ અને એવાં જ જાતજાતનાં
શસ્ત્રોથી પરસ્પર યુદ્ધ થયું, શસ્ત્રોના અતિ વિકરાળ યુદ્ધથી અગ્નિ પ્રજવલિત થયો, રણમાં
નાના પ્રકારના શબ્દો થઈ રહ્યા છે. હાથીથી હાથીમરાયા. ઘોડાથી ઘોડા મરાયા, રથોથી
રથો તૂટયા, પગપાળા સૈનિકોએ પગપાળા સૈનિકોને હણ્યા, હાથીની સૂંઢોમાંથી ઉછાળેલ
જળથી શસ્ત્રપાતથી પ્રગટેલ અગ્નિ શાંત થઈ ગયો. પરસ્પર ગજયુદ્ધથી હાથીના દાંત તૂટી
ગયા, ગજમોતી વિખરાઈ ગયાં. યોદ્ધાઓ પરસ્પર રાડો પાડતાં બોલવા લાગ્યાંઃ હે
શૂરવીર! શસ્ત્ર ચલાવ, કાયર કેમ થઈ ગયો? ભડ, મારી તલવારનો પ્રહાર સાંભળ, મારી
સાથે લડ, આ મર્યો, તું હવે ક્યાં જાય છે? તો વળી કોઈ બોલતુંઃ તું આવી યુદ્ધ કળા
ક્યાં શીખ્યો? તલવાર પકડતા પણ આવડતું નથી’ તો કોઈ કહેતુંઃ તું આ મેદાનમાંથી
ભાગી જા, તારી રક્ષા કર, તું શું યુદ્ધકળા જાણે? તારું શસ્ત્ર મને વાગ્યું તો મારી
ખંજવાળ પણ ન મટી, તેં અત્યાર સુધી તારા સ્વામીનું અન્ન મફતનું ખાધું, હજી તે
ક્યાંય યુદ્ધ જોયું લાગતું નથી.’ તો કોઈ કહે છે કે તું કેમ ધ્રુજે છે, સ્થિર થા, મુઠ્ઠી
મજબૂત કર, તારા હાથમાંથી ખડ્ગ પડી જશે. ઇત્યાદિ યોદ્ધાઓમાં અવાજો થતા હતા.
યોદ્ધાઓ ખૂબ ઉત્સાહમાં હતા. તેમને મરવાનો ભય નહોતો, પોતપોતાના સ્વામી આગળ
સુભટો સારુ દેખાડવા પ્રયત્ન કરતા, કોઈનો એક હાથ શત્રુની ગદાના પ્રહારથી તૂટી ગયો
હતો તો પણ એક હાથથી તે લડયા કરતો. કોઈનું મસ્તક કપાઈ ગયું તો પણ ધડ જ લડે
છે, શત્રુના બાણથી છાતી ભેદાઈ ગઈ હોય તો પણ મન હટતું નથી, સામંતોના શિર
પડયાં, તો પણ તેમણે માન ન છોડયું, શૂરવીરોને યુદ્ધમાં મરણ પ્રિય લાગે છે, હારીને
જીવતા રહેવું પ્રિય લાગતું નથી, સુભટોએ યશની રક્ષા અર્થે પ્રાણ ત્યાગ્યા, પણ કાયર
થઈને અપયશ ન લીધો. કોઈ
Page 143 of 660
PDF/HTML Page 164 of 681
single page version
મારીને પોતે મર્યો. કોઈના હાથનું શસ્ત્ર શત્રુના ઘાથી તૂટી ગયું તો તેણે પોતાની મુષ્ટિના
પ્રહારથી પણ શત્રુને પ્રાણરહિત કર્યો. તો કોઈ સુભટે શત્રુને હાથથી બથ ભરીને મસળી
નાખ્યા. કોઈ સુભટો દુશ્મનની સેનાની હરોળને ભેદી પોતાના પક્ષના યોદ્ધાઓ માટે માર્ગ
શુદ્ધ કરતા હતા, કોઈ યોદ્ધા યુદ્ધભૂમિમાં પડવા છતાં પણ વેરીને પીઠ દેખાડતા નહિ, સીધા
જ પડતા. રાવણ અને ઇન્દ્રના યુદ્ધમાં હજારો હાથી, ઘોડા, રથ પડયા, પહેલાં જે ધૂળ ઊડી
હતી તે મદોન્મત્ત હાથીનો મદ ઝરવાથી અને સામંતોના રુધિરના પ્રવાહથી દબાઈ ગઈ.
સામંતોનાં આભૂષણોથી, રત્નોની જ્યોતિથી આકાશમાં ઇન્દ્રધનુષ્ય થઈ ગયું. કોઈ યોદ્ધા
ડાબા હાથે પોતાનાં આંતરડાં પકડી મહાભયંકર ખડ્ગ કાઢી શત્રુ ઉપર તૂટી પડતા તો
કોઈ યોદ્ધા પોતાનાં આંતરડાંથી જ કમરને મજબૂત બાંધી, હોઠ કરડતાં શત્રુ ઉપર જતાં,
કોઈ આયુધરહિત થઈ ગયા તો પણ રુધિરથી રંગાઈને વેરીના માથા પર હાથથી પ્રહાર
કરતા. કોઈ રણધીર પાશથી વેરીને બાંધીને પછી છોડી દેતા. કોઈ ન્યાયસંગ્રામમાં તત્પર
વેરીને આયુધરહિત જોઈ પોતે પણ આયુધ ફેંકી ઊભા રહી જતા કેટલાક અંત સમયે
સંન્યાસ ધારણ કરી નમસ્કારમંત્રનું ઉચ્ચારણ કરી સ્વર્ગે ગયા. કોઈ આશીવિષ સર્પ
સમાન ભયંકર યોદ્ધા પડતા પડતા પણ પ્રતિપક્ષીને મારીને મરતા. કોઈ પરમ ક્ષત્રિય
ધર્મને જાણનાર પોતાના શત્રુને મૂર્છિત થયેલો જોઈ પોતે પવન નાખી તેને જાગ્રત કરતા.
આ પ્રમાણે કાયરોને ભય ઉત્પન્ન કરનાર અને યોદ્ધાઓને આનંદ ઉત્પન્ન કરનાર
મહાસંગ્રામ ખેલાયો. અનેક તુરંગ અને યોદ્ધા હણાયા, અનેક રથના ચૂરેચૂરા થઈ ગયા,
હાથીઓની સૂંઢો કપાઈ ગઈ, અશ્વોના પગ તૂટી ગયા, પૂંછડી કપાઈ ગઈ, પ્યાદાં કામ
આવી ગયા. રુધિરના પ્રવાહથી સર્વ દિશા લાલ થઈ ગઈ. આવુ યુદ્ધ થયું તો પણ રાવણે
કિંચિત્માત્ર ગણ્યું નહિ. તેણે સુમતિ નામના સારથિને કહ્યું કે હે સારથિ! તું મારો રથ
ઇન્દ્ર સામે લાવ. સામાન્ય માણસોને મારવાથી શું લાભ? આ તૃણ સમાન સામાન્ય
માણસો ઉપર મારાં શસ્ત્રો ન ચાલે. હું તો આ ક્ષુદ્ર મનુષ્ય પોતાને ઇન્દ્ર કહેવરાવે છે તેને
આજ મારીશ અથવા પકડીશ. એ વિડંબના કરનાર પાખંડ ચલાવી રહ્યો છે તેને તત્કાળ
દૂર કરીશ. એની ધીટતા તો જુઓ, પોતાને ઇન્દ્ર કહેવરાવે છે અને કલ્પિત લોકપાળ
સ્થાપ્યા છે અને આ વિદ્યાધર મનુષ્યોએ દેવ નામ રાખ્યું છે. જુઓ, થોડીક વિભૂતિ આવી
તેથી મૂઢમતિ થયો છે, લોકોના હાસ્યની પણ બીક નથી. નટ જેવો સ્વાંગ ધારણ કર્યો છે.
દુર્બુદ્ધિ પોતાને ભૂલી ગયો છે. પિતાના વિર્ય અને માતાના રુધિરથી હાડમાંસમય શરીર
માતાથી ઉદરથી ઊપજ્યું છે તો પણ પોતાને દેવેન્દ્ર માને છે. વિદ્યાના બળથી એણે એ
કલ્પના કરી છે. જેમ કાગડો પોતાને ગરુડ કહેવરાવે તેમ આ ઇન્દ્ર કહેવરાવે છે. પછી
સુમતિ સારથિએ રાવણનો રથ ઇન્દ્રની સન્મુખ મૂક્યો. રાવણને જોઈને ઇન્દ્રના બધા
સુભટો ભાગી ગયા, રાવણ સાથે યુદ્ધ કરવાને કોઈ સમર્થ નથી. રાવણે સૌને દયાથી કીટ
સમાન દેખ્યા. રાવણની સામે એક ઇન્દ્ર જ ઊભો રહ્યો, કૃત્રિમ દેવો એનું છત્ર જોઈને
ભાગી ગયાઃ જેમ ચંદ્રના
Page 144 of 660
PDF/HTML Page 165 of 681
single page version
ઉદયથી અંધકાર જતો રહે તેમ. રાવણ વેરીઓથી સહન થાય તેમ નહોતો. જેમ જળનો
પ્રવાહ રોકવાથી રોકાય નહિ અને ક્રોધસહિત ચિત્તનો વેગ મિથ્યાદ્રષ્ટિ તાપસોથી રોકાય
નહિ તેમ સામંતોથી રાવણ રોકાય તેમ નહોતો. ઇન્દ્ર પણ કૈલાશ પર્વત જેવા હાથી ઉપર
બેસીને ધનુષ ધારણ કરી ભાથામાંથી તીર ખેંચતો રાવણની સામે આવ્યો, કાન સુધી
ધનુષ્ય ખેંચીને રાવણ તરફ બાણ ફેંકયું અને જેમ પહાડ પર મેઘ મોટી ધારા વરસાવે તેમ
રાવણ પણ ઇન્દ્રે બાણોની વર્ષા કરી. રાવણે ઇન્દ્રના બાણ આવતાં રસ્તામાં જ કાપી
નાખ્યાં અને પોતાનાં બાણોથી શિર ઉપર મંડપ કર્યો. બાણોને કારણે સૂર્યનાં કિરણો નજરે
પડતાં નહોતાં. આવું યુદ્ધ જોઈ નારદ આકાશમાં નૃત્ય કરવા લાગ્યા, કેમ કે તેમને ઝગડો
થતો હોય તે જોવામાં આનંદ આવે છે. જ્યારે ઇન્દ્રે જાણ્યું કે આ રાવણ સામાન્ય શસ્ત્રોથી
જિતાશે નહિ એટલે ઈન્દ્રે રાવણ પર અગ્નિબાણ ચલાવ્યું તેનાથી રાવણની સેનામાં
આકુળતા ઉત્પન્ન થઈ. જેમ વાંસનું વન સળગે અને તેનો તડતડાટનો અવાજ થાય,
અગ્નિની જ્વાળા ઊઠે તેમ અગ્નિબાણ બળતું બળતું આવ્યું ત્યારે રાવણે પોતાની સેનાની
વ્યાકુળતા મટાડવા તત્કાળ જળબાણ ચલાવ્યું. આથી પર્વત સમાન મોટી જળધારા વરસવા
લાગી, ક્ષણમાત્રમાં અગ્નિબાણ બુઝાઈ ગયું. હવે ઈન્દ્રે રાવણ પર તામસબાણ ચલાવ્યું
તેથી દશેય દિશામાં અંધકાર ફેલાઈ ગયો. રાવણની સેનામાં કોઈને કાંઈ પણ દેખાતું નહિ.
હવે રાવણે પ્રભાસ્ત્ર એટલે પ્રકાશબાણ ચલાવ્યું તેથી ક્ષણમાત્રમાં સકળ અંધકાર નાશ
પામી ગયો. જેમ જિનશાસનના પ્રભાવથી મિથ્યાત્વનો માર્ગ નાશ પામે તેમ. પછી રાવણે
ક્રોધથી ઈન્દ્ર ઉપર નાગબાણ ચલાવ્યું, જાણે કે કાળા નાગ જ છૂટા મૂકયા. જેની જિહ્વા
ભયંકર લબકારા મારતી તે સર્પો ઇન્દ્ર અને તેની સકળ સેનાને વીંટળાઈ વળ્યા. સર્પોથી
વીંટળાયેલો ઇન્દ્ર અત્યંત વ્યાકુળ બન્યો. જેમ ભવસાગરમાં જીવ કર્મજાળથી વીંટળાઈને
વ્યાકુળ થાય છે તેમ. પછી ઇન્દ્રે ગરુડબાણ છોડયું. સુવર્ણ સમાન પીળી પાંખોના સમૂહથી
આકાશ પીળું થઈ ગયું અને તે પાંખોના પવનથી રાવણનું સૈન્ય હાલવા લાગ્યું. જાણે કે
હીંચકે હીંચકી રહ્યા ન હોય! ગરુડના પ્રભાવથી સર્પો અદ્રશ્ય થઈ ગયા, જેમ શુક્લ
ધ્યાનના પ્રભાવથી કર્મનાં બંધ વિલય પામે તેમ. ઇન્દ્ર જ્યારે નાગબંધમાંથી છૂટીને જેઠ
માસના સૂર્ય સમાન અતિદારુણ તાપ ફેલાવવા લાગ્યો. ત્યારે રાવણે ત્રૈલોકયમંડન હાથીને
ઇન્દ્રના ઐરાવત હાથી ઉપર પ્રેર્યો. ઇન્દ્રે પણ ઐરાવતને ત્રૈલોકયમંડન તરફ ધકેલ્યો. બન્ને
હાથી અત્યંત ગર્વથી લડવા લાગ્યા. બન્નેને મદ ઝરતો હતો, બન્નેનાં નેત્ર ક્રૂર હતા, કાન
હલતા હતા, સોનાની સાંકળ વીજળી સમાન ચમકતી હતી એવા બેય હાથી શરદના મેઘ
સમાન ગર્જના કરતા પરસ્પર સૂંઢોથી અદ્ભુત સંગ્રામ કરવા લાગ્યા.
આપી, પકડીને પોતાના હાથી ઉપર લઈ આવ્યો. રાવણના પુત્ર ઇન્દ્રજિતે ઇન્દ્રના પુત્ર
જયંતને પકડયો અને
Page 145 of 660
PDF/HTML Page 166 of 681
single page version
કહ્યું કે હે પુત્ર! હવે યુદ્ધથી નિવૃત્ત થાવ, કેમ કે સમસ્ત વિજ્યાર્ધના નિવાસી વિદ્યાધરોના
ચૂડામણિને મેં પકડી લીધો છે. હવે બધા પોતપોતાના સ્થાને જાવ, સુખેથી રહો.
ડાંગરમાંથી ચોખા લઈ લીધા પછી ફોતરાંનું શું કામ છે? રાવણના વચનથી ઇન્દ્રજિત
પાછો ફર્યો અને દેવોની આખી સેના શરદઋતુનાં વાદળાં સમાન નાસી ગઈ. રાવણની
સેનામાં જીતનાં વાજિંત્રો વાગ્યાં. ઇન્દ્રને પકડાયેલો જોઈને રાવણની સેના અત્યંત હર્ષિત
થઈ. રાવણ લંકા જવા તૈયાર થયો. સૂર્યના રથ સમાન રથ ધ્વજાઓથી શોભતા હતા
અને ચંચળ અશ્વો નૃત્ય કરવા લાગ્યા. મદઝરતા, નાદ કરતા હાથી ઉપર ભમરા ગુંજારવ
કરતા. આ પ્રમાણે મહાસેનાથી મંડિત રાક્ષસોનો અધિપતિ રાવણ લંકાની સમીપે આવ્યો.
બધાં સગાંસંબંધીઓ, નગરના રક્ષકો અને નગરજનો, રાવણને જોવાના અભિલાષી ભેટ
લઈ લઈને સન્મુખ આવ્યા અને રાવણની પૂજા કરવા લાગ્યા. રાવણે વડીલોની પૂજા કરી,
તેમને તેણે નમસ્કાર કર્યા. કેટલાકને કૃપાદ્રષ્ટિથી, કેટલાકને મંદહાસ્યથી, કેટલાકને વચનથી
રાવણે પ્રસન્ન કર્યા. લંકા તો સદાય મનોહર છે, પરંતુ બુદ્ધિથી બધાનો અભિપ્રાય જાણીને
રાવણ મહાન વિજય કરીને આવ્યો તેથી લંકાને અધિક શણગારવામાં આવી છે, ઊંચા
રત્નોનાં તોરણ બાંધ્યાં છે, મંદ મંદ પવનથી રંગબેરંગી ધજાઓ ફરફરે છે, સમસ્ત ધરતી
પર કુંકુંમાદિ સુગંધી જળનો છંટકાવ કરવામાં આવ્યો છે અને સર્વ ઋતુનાં ફૂલો રાજમાર્ગ
ઉપર વેરવામાં આવ્યાં છે, પંચવર્ણનાં રત્નના ચૂર્ણથી માંગલિક મંડપ રચાયા છે,
દરવાજાઓ ઉપર કમળપત્ર અને પલ્લવોથી ઢાંકેલા પૂર્ણ કળશ મૂકવામાં આવ્યા છે,
આખીય નગરી વસ્ત્રાભરણથી શોભે છે. જેમ દેવોથી મંડિત ઇન્દ્ર અમરાવતીમાં આવે તેમ
વિદ્યાધરોથી વીંટળાયેલો રાવણ લંકામાં આવ્યો. પુષ્પક વિમાનમાં બેઠેલો, દેદીપ્યમાન
મુગટવાળો, મહારત્નોના બાજુબંધ પહેરેલ, છાતી પર નિર્મળ પ્રભાવાળા મોતીઓનો હાર
પહેરી, અનેક પુષ્પોથી વિરાજિત, જાણે કે વસંતનું જ રૂપ હોય તેવો, હર્ષથી ભરેલો એવા
રાવણને જોતાં નરનારીઓ તૃપ્ત થતાં નહિ. કેવી મનોહર છબી છે! લોકો આશિષ આપે
છે. નાના પ્રકારનાં વાજિંત્રોના અવાજ આવી રહ્યા છે. જયજયકાર થઈ રહ્યો છે.
આનંદથી નૃત્ય કરે છે. રાવણ પણ ઉત્સાહઘેલી લંકાને જોઈને પ્રસન્ન થયો. સગાંસંબંધીઓ,
સેવકો બધાં જ આનંદ પામ્યાં. દેખો ભવ્ય જીવો! રથનૂપુરના સ્વામી રાજા ઇન્દ્રે
પૂર્વપુણ્યના ઉદયથી સમસ્ત વેરીઓને જીતીને, તેમને તૃણવત્ ગણીને બન્ને શ્રેણીનું રાજ્ય
ઘણાં વર્ષો સુધી કર્યું અને ઇન્દ્ર સમાન વિભૂતિને પામ્યો હતો અને જ્યારે પુણ્ય ક્ષય પામ્યું
ત્યારે બધી વિભૂતિ નષ્ટ થઈ ગઈ. રાવણ તેને પકડીને લંકામાં લઈ આવ્યો. માટે
મનુષ્યના ચપળ સુખને ધિક્કાર હો. જો કે સ્વર્ગના દેવોનું સુખ વિનાશિક છે તો પણ
આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી તેમાં ફેરફાર થતો નથી, જ્યારે બીજો ભવ પામે ત્યારે
ફેરફાર થાય છે અને મનુષ્ય તો એક જ ભવમાં અનેક દશા ભોગવે છે; માટે મનુષ્ય
થઈને જે માયાનો ગર્વ કરે છે તે મૂર્ખ છે. આ રાવણ પૂર્વના પુણ્યથી પ્રબળ વેરીઓને
જીતીને અત્યંત વૃદ્ધિ પામ્યો.
Page 146 of 660
PDF/HTML Page 167 of 681
single page version
પર્વ પૂર્ણ થયું.
રાવણની સમીપે આવ્યા. દ્વારપાળોને વિનંતી કરી ઇન્દ્રનું સકળ વૃત્તાંત કહી રાવણની પાસે
ગયા. રાવણે સહસ્ત્રારને ઉદાસીન શ્રાવક જાણી તેમનો ખૂબ વિનય કર્યો. તેમને સિંહાસન
આપ્યું, પોતે સિંહાસનથી ઊતરીને નીચે બેઠો. સહસ્ત્રાર રાવણને વિવેકી જાણી કહેવા
લાગ્યાઃ હે દશાનન! તમે જગજિત છો તેથી ઇન્દ્રને પણ જીત્યો, તમારું બાહુબળ સૌએ
જોયું. જે મહાન રાજા હોય છે તે ગર્વિષ્ઠ લોકોનો ગર્વ દૂર કરી પછી કૃપા કરે છે, માટે
હવે ઇન્દ્રને છોડો. સહસ્ત્રારે આમ કહ્યું અને જે ચારે લોકપાલ હતા તેમનાં મુખમાંથી પણ
આ જ શબ્દો નીકળ્યા, જાણે કે સહસ્ત્રારનો પડઘો જ પાડયો. ત્યારે રાવણે સહસ્ત્રારને
હાથ જોડી એ જ કહ્યું કે આપ જેમ કહો છો તેમ જ થશે. પછી તેણે લોકપાલોને હસીને
રમત ખાતર કહ્યું કે તમે ચારે લોકપાલ નગરની સફાઈ કરો, નગરને તૃણ-કંટકરહિત
અને કમળની સુગંધરૂપ કરો, ઇન્દ્ર પૃથ્વી પર સુગંધી જળનો છંટકાવ કરો અને પાંચેય
વર્ણનાં સુગંધી મનોહર પુષ્પોથી નગરની શોભા કરો. રાવણે જ્યારે આમ કહ્યું ત્યારે
લોકપાલ તો લજ્જિત થઈને નીચું જોઈ ગયા અને સહસ્ત્રાર અમૃતમય વાણી બોલ્યા કે
હે ધીર! તમે જેને જે આજ્ઞા કરશો તે પ્રમાણે તે કરશે, તમારી આજ્ઞા સર્વોપરી છે. જો
તમારા મોટા માણસો પૃથ્વીને શિક્ષા ન આપે તો પૃથ્વીના લોક અન્યાય માર્ગમાં પ્રવર્તે.
આ વચન સાંભળી રાવણ અતિ પ્રસન્ન થયો અને બોલ્યોઃ હે પૂજ્ય! આપ અમારા
પિતાતુલ્ય છો અને ઇન્દ્ર મારો ચોથો ભાઈ છે. એને પ્રાપ્ત કરીને હું સકળ પૃથ્વીને
કંટકરહિત કરીશ. એનું ઇન્દ્રપદ એવું ને એવું જ છે અને આ લોકપાલ પણ જેમના તેમ
રહેશે; અને બન્ને શ્રેણીના રાજ્યથી અધિક ઈચ્છતા હો તો તે પણ લઈ લ્યો. મારામાં અને
એનામાં કાંઈ તફાવત નથી. આપ વડીલ છો, ગુરુજન છો. જેમ ઇન્દ્રને શિખામણ આપો
છો એમ મને પણ આપો, આપની શિખામણ અલંકારરૂપ છે. વળી, આપ રથનુપૂરમાં
બિરાજો કે અહીં બિરાજો, બન્ને આપની જ ભૂમિ છે. આવાં પ્રિય વચનથી સહસ્ત્રારનું મન
ખૂબ સંતોષ્યું. ત્યારે સહસ્ત્રાર કહેવા લાગ્યા, હે ભવ્ય! તમારા જેવા સજ્જન પુરુષોની
ઉત્પત્તિ સર્વ લોકોને આનંદ આપે છે. હે ચિરંજીવ!
Page 147 of 660
PDF/HTML Page 168 of 681
single page version
તમને જોવાથી અમારાં નેત્રો સફળ થયાં. ધન્ય છે તમારાં માતાપિતા. જેમણે તમને જન્મ
આપ્યો. કુન્દપુષ્પ સમાન ઉજ્જવળ તમારી કીર્તિ છે, તમે સમર્થ અને ક્ષમાવાન, દાતા અને
ગર્વરહિત, જ્ઞાની અને ગુણપ્રિય તમે જિનશાસનના અધિકારી છો. તમે અમને એમ કહ્યું
કે ‘આ આપનું ઘર છે અને જેવો ઇન્દ્ર આપનો પુત્ર તેવો હું’, તો આ વાત માટે તમે
લાયક છો, તમારા મુખમાંથી આવાં જ વચનો નીકળે, તમે મહાબાહૂ છો, દિગ્ગજોની સૂંઢ
સમાન તમારા બાહૂ છે, તમારા જેવા પુરુષો આ સંસારમાં વિરલા છે, પરંતુ જન્મભૂમિ
માતા સમાન હોય છે, તેને છોડી શકાતી નથી, જન્મભૂમિનો વિયોગ ચિત્તને આકુળ કરે
છે, તમે સર્વ પૃથ્વીનાં ધણી છો તો પણ તમને લંકા પ્રિય છે. અમારા બંધુજનો અને સર્વ
પ્રજા અમને જોવાને અભિલાષી અમારા આવવાની વાટ જુએ છે તેથી અમે રથનૂપુર જ
જશું અને ચિત્ત સદા તમારી પાસે રહેશે. હે દેવોને પ્રિય! તમે ઘણો કાળ પૃથ્વીની રક્ષા
કરો. રાવણે તે જ સમયે ઇન્દ્રને બોલાવ્યો અને સહસ્ત્રારની સાથે મોકલ્યો. રાવણ પોતે
સહસ્ત્રારને પહોંચાડવા થોડે દૂર સુધી ગયો. બહુ જ વિનયપૂર્વક વિદાય આપી. સહસ્ત્રાર
ઇન્દ્રને લઈ લોકપાલ સહિત વિજ્યાર્ધગિરિ પર આવ્યા. આખું રાજ્ય એમનું એમ જ હતું.
લોકપાલો આવીને પોતપોતાના સ્થાન પર રહ્યા. પરંતુ માનભંગથી આકુળતા પામ્યા. જેમ
જેમ વિજ્યાર્ધનાં લોકો ઇન્દ્રને, લોકપાલોને અને દેવોને જોતાં તેમ તેમ એ શરમથી નીચે
ઝૂકી જતાં અને ઇન્દ્રને હવે નહોતી રથનૂપુરમાં પ્રીતિ, નહોતી રાણીઓ પ્રત્યે પ્રીતિ,
નહોતી ઉપવનાદિમાં પ્રીતિ, ન લોકપાલમાં પ્રીતિ હતી. કમળોના મકરંદથી જેનું જળ પીળું
થઈ રહ્યું છે એવા મનોહર સરોવરોમાંય પ્રીતિ નહોતી, કે કોઈ ક્રીડામાં પ્રીતિ નહોતી, ત્યાં
સુધી કે પોતાના શરીર પ્રત્યે પણ પ્રીતિ નહોતી. તેનું ચિત્ત લજ્જાથી પૂર્ણ હતું. તેને ઉદાસ
જોઈ બધા તેને અનેક પ્રકારે પ્રસન્ન કરવા ચાહતા અને કથાના પ્રસંગો કહી એ વાત
ભૂલાવવા પ્રયત્ન કરતા, પણ એ ભૂલતા નહિ. તેણે સર્વ લીલાવિલાસ છોડી દીધા,
પોતાના રાજમહેલની વચ્ચે ગંધમાદન પર્વતના શિખર સમાન ઊંચા જિનમંદિરના એક
સ્તંભ ઉપર તે રહેતો, તેનું શરીર કાંતિરહિત થઈ ગયું હતું, પંડિતોથી મંડિત એ વિચારે
છે કે ધિક્કાર છે આ વિદ્યાધરપદના ઐશ્વર્યને કે જે એક ક્ષણમાત્રમાં વિલય પામ્યું. જેમ
શરદ ઋતુનાં વાદળાં અત્યંત ઊંચા હોય, પરંતુ ક્ષણમાત્રમાં તે વિલય પામે છે તેમ તે
શસ્ત્ર, તે હાથી, તે તુરંગ, તે યોદ્ધા બધું તૃણ સમાન થઈ ગયું; જેમણે અનેક વાર અદ્ભુત
કાર્ય કર્યાં હતાં; અથવા કર્મોની આ વિચિત્રતા છે, ક્યો પુરુષ તેને અન્યથા કરી શકે?
માટે જગમાં કર્મ પ્રબળ છે. મેં પૂર્વે નાનાવિધ ભોગસામગ્રી આપનાર કર્મ ઉપાર્જ્યાં હતાં
તે પોતાનું ફળ આપીને ખરી ગયાં તેથી મારી આ દશા વર્તે છે. રણસંગ્રામમાં શૂરવીર
સામંતોનું મરણ થાય તે સારું, તેનાથી પૃથ્વી પર અપયશ થતો નથી. હું જન્મથી માંડીને
શત્રુઓનાં શિર પર ચરણ રાખીને જીવ્યો છું એવો હું ઇન્દ્ર શત્રુનો અનુચર થઈને કેવી
રીતે રાજ્યલક્ષ્મી ભોગવું? માટે હવે સંસારનાં ઇન્દ્રિયજનિત સુખોની અભિલાષા
Page 148 of 660
PDF/HTML Page 169 of 681
single page version
ત્યજીને મોક્ષપદની પ્રાપ્તિના કારણરૂપ મુનિવ્રતને અંગીકાર કરું. રાવણ શત્રુનો વેષ ધારીને
મારો મોટો મિત્ર બન્યો છે, તેણે મને પ્રતિબોધ કર્યો. હું અસાર સુખના આસ્વાદમાં
આસક્ત હતો. આમ ઇન્દ્ર વિચારતો હતો તે જ સમયે નિર્વાણસંગમ નામના ચારણમુનિ
વિહાર કરતાં આકાશમાર્ગે જતા હતાં. ચૈત્યાલયના પ્રભાવથી તેમનું આગળ ગમન થઈ
શક્યું નહિ, તેથી નીચે ઉતર્યા, ભગવાનના પ્રતિબિંબનાં દર્શન કર્યાં. મુનિ ચાર જ્ઞાનના
ધારક હતા. રાજા ઇન્દ્રે ઉઠીને તેમને નમસ્કાર કર્યા, તે મુનિ પાસે જઈને બેઠો. ઘણો
સમય પોતાની નિંદા કરી. સર્વ સંસારનું વૃત્તાંત જાણનાર મુનિએ પરમ અમૃતરૂપ વચનથી
ઇન્દ્રનું સમાધાન કર્યું કે હે ઇન્દ્ર! જેમ રેંટનો એક ઘડો ભર્યો હોય છે, ખાલી થાય છે અને
જે ખાલી હોય છે તે ભરાય છે તેમ આ સંસારની માયા ક્ષણભંગુર છે, એ બદલાઈ જાય
એમાં આશ્ચર્ય નથી. મુનિના મુખથી ઉપદેશ સાંભળીને ઇન્દ્રે પોતાના પૂર્વ ભવ પૂછયા.
ત્યારે અનેક ગુણોથી શોભતા મુનિએ કહ્યુંઃ હે રાજન! અનાદિકાળનો આ જીવ ચાર
ગતિમાં પરિભ્રમણ કરે છે, જે અનંત ભવ તે ધરે તે તો કેવળજ્ઞાનગમ્ય છે, પણ કેટલાક
ભવનું કથન કરું છું તે તું સાંભળ.
લોકોનું એઠું ખાઈને જીવતી. તેનાં અંગ કુરૂપ, વસ્ત્ર મેલાં-ફાટેલાં, વાળ રુક્ષ, તે જ્યાં
જતી ત્યાં લોકો અનાદર કરતાં, તેને ક્યાંય સુખ નહોતું. અંતકાળે તેને સુબુદ્ધિ ઉપજી,
એક મુહૂર્તનું અનશન લીધું. તે પ્રાણ ત્યાગીને કિંપુરુષ દેવની શીલધરા નામની દાસી થઈ.
ત્યાંથી ચ્યવીને રત્નનગરમાં ગોમુખ નામનાં કણબીની ધરણી નામની સ્ત્રીને પેટે
સહસ્ત્રભાગ નામના પુત્રરૂપે જન્મી. ત્યાં પરમ સમ્યક્ત્વ પામી તેણે શ્રાવકનાં વ્રત લીધાં
અને મરીને શુક્ર નામના નવમા સ્વર્ગમાં ઉત્તમ દેવનો જન્મ મળ્યો. ત્યાંથી ચ્યવીને
મહાવિદેહ ક્ષેત્રના રત્નસંચય નગરમાં મણિ નામના મંત્રીની ગુણાવલી નામની સ્ત્રીને
સામંતવર્ધન નામના પુત્રરૂપે જન્મી. તેણે પિતાની સાથે વૈરાગ્ય અંગીકાર કર્યો. અતિતીવ્ર
તપ કર્યું, તત્ત્વાર્થમાં ચિત્ત લગાવ્યું, નિર્મળ સમ્યક્ત્વ ધારીને કષાયરહિત બાવીસ પરીષહ
સહીને શરીરત્યાગ કર્યો અને નવમી ગ્રૈવયકમાં ગયો. ત્યાં અહમિન્દ્રનાં સુખ ઘણો કાળ
ભોગવી રાજા સહસ્ત્રાર વિદ્યાધરની રાણી હૃદયસુંદરીની કૂખે તું ઇન્દ્ર નામનો પુત્ર થયો,
આ રથનૂપુરમાં જન્મ્યો. પૂર્વના અભ્યાસથી ઇન્દ્રના સુખમાં મન આસક્ત થયું, તું
વિદ્યાધરોનો અધિપતિ ઇન્દ્ર કહેવાયો. હવે તું નકામો ખેદ કરે છે કે હું વિદ્યામાં અધિક
હતો છતાં શત્રુઓથી પરાજિત થયો. હે ઇન્દ્ર! કોઈ બુદ્ધિ વિનાનો કોદરા વાવીને શાલિ
(ચોખા) ની ઇચ્છા કરે તે નિરર્થક છે. આ પ્રાણી જેવાં કર્મ કરે તેવાં ફળ ભોગવે છે. તેં
પૂર્વે ભોગનું સાધન થાય એવાં શુભ કર્મ કર્યાં હતાં તે નાશ પામ્યાં. કારણ વિના કાર્યની
ઉત્પત્તિ થતી નથી. એ બાબતમાં આશ્ચર્ય શેનું હોય? તેં આ જ જન્મમાં અશુભ કર્મ કર્યાં,
તેનું આ અપમાનરૂપ ફળ મળ્યું અને રાવણ તો નિમિત્તમાત્ર છે. તે જે અજ્ઞાનરૂપ ચેષ્ટા
કરી તે શું નથી જાણીતો? તું ઐશ્વર્યના મદથી ભ્રષ્ટ
Page 149 of 660
PDF/HTML Page 170 of 681
single page version
અરિંજ્યપુરમાં વહ્નિવેગ નામના રાજાની વેગવતી રાણીની અહલ્યા નામની પુત્રીનો
સ્વયંવર મંડપ રચાયો હતો. ત્યાં બન્ને શ્રેણીના વિદ્યાધરો અતિ અભિલાષા રાખીને ગયા
હતા અને તું પણ ઘણી મોટી સંપદા સહિત ગયો હતો. એક ચંદ્રવર્ત નામના નગરનો
ધણી રાજા આનંદમાલ પણ ત્યાં આવ્યો હતો. અહલ્યાએ બધાને છોડીને તેનાં ગળામાં
વરમાળ આરોપી હતી. તે આનંદમાળ અહલ્યાને પરણીને જેમ ઇન્દ્ર ઇન્દ્રાણી સહિત
સ્વર્ગલોકમાં સુખ ભોગવે તેમ મનવાંછિત ભોગ ભોગવતાં હતાં. જે દિવસથી અહલ્યા તેને
પરણી તે દિવસથી તને એના પ્રત્યે ઈર્ષા વધી. તેં એને તારો મોટો શત્રુ માન્યો. કેટલાક
દિવસ તે ઘરમાં રહ્યો. પછી એને એવો વિચાર આવ્યો કે આ દેહ વિનાશિક છે, એનાથી
મને કાંઈ લાભ નથી, હવે હું તપ કરીશ, જેથી સંસારનું દુઃખ દૂર થાય. આ ઇન્દ્રિયના
ભોગ મહાઠગ છે, તેમાં સુખની આશા ક્યાંથી હોય? આમ મનમાં વિચારીને તે જ્ઞાની
અંતરાત્મા સર્વ પરિગ્રહ છોડીને તપશ્ચરણ કરવા લાગ્યો. એક દિવસે તે હંસાવલી નદીને
કિનારે કાયોત્સર્ગ ધારણ કરીને બેઠો હતો ત્યાં તેને તેં જોયો. તેને જોતાં જ તારો ક્રોધાગ્નિ
ભભૂક્યો અને તેં મૂર્ખાએ ગર્વથી તેની મશ્કરી કરીઃ ‘અહો આનંદમાલ! તું કામભોગમાં
અતિઆસક્ત હતો, હવે અહલ્યા સાથે રમણ કોણ કરશે?’ તે તો વિરક્ત ચિત્તે પહાડ
સમાન નિશ્ચળ થઈને બેઠો હતો. તેનું મન તત્ત્વાર્થનાં ચિંતવનમાં અત્યંત સ્થિર હતું. આ
પ્રમાણે તેં પરમ મુનિની અવજ્ઞા કરી. તે તો આત્મસુખમાં મગ્ન હતો, તેણે તારી વાત
હૃદયમાં પેસવા ન દીધી. તેમની પાસે તેનાં ભાઈ કલ્યાણ નામના મુનિ બેઠા હતા તેમણે
તને કહ્યું કે આ નિરપરાધ મુનિની તેં મશ્કરી કરી તેથી તારો પણ પરાજ્ય થશે. ત્યારે
તારી સર્વશ્રી નામની સ્ત્રી જે સમ્યગ્દ્રષ્ટિ અને સાધુની પૂજક હતી તેણે નમસ્કાર કરીને
કલ્યાણ સ્વામીને શાંત કર્યા. જો તેણે તેમને શાંત ન કર્યા હોત તો તું તત્કાળ સાધુના
કોપાગ્નિથી ભસ્મ થઈ જાત. ત્રણ લોકમાં તપ સમાન કોઈ બળવાન નથી. જેવી
સાધુઓની શક્તિ હોય છે તેવી ઇન્દ્રાદિક દેવોની પણ નથી. જે પુરુષ સાધુઓનો અનાદર
કરે છે તે આ ભવમાં અત્યંત દુઃખ પામી નરક નિગોદમાં જ પડે છે, મનથી પણ
સાધુઓનું અપમાન ન કરો. જે મુનિજનનું અપમાન કરે છે તે આ ભવ અને પરભવમાં
દુઃખી થાય છે. જે મુનિઓને મારે અથવા પીડા કરે છે તે અનંતકાળ દુઃખ ભોગવે છે,
મુનિની અવજ્ઞા સમાન બીજું પાપ નથી. મન, વચન અને કાયાથી આ પ્રાણી જેવાં કર્મ
કરે છે તેવાં જ ફળ ભોગવે છે. આ પ્રમાણે પુણ્યપાપ કર્મોનાં ફળ ભલા અને બૂરા લોકો
ભોગવે છે. આમ જાણીને ધર્મમાં વૃદ્ધિ કરો. પોતાના આત્માને સંસારનાં દુઃખથી છોડાવો.
ઇન્દ્ર મહામુનિના મુખેથી પોતાના પૂર્વભવોની કથા સાંભળીને આશ્ચર્ય પામ્યો. તે નમસ્કાર
કરી મુનિને કહેવા લાગ્યો-હે ભગવાન! આપના પ્રસાદથી મેં ઉત્તમ જ્ઞાન મેળવ્યું. હવે
બધાં પાપ ક્ષણમાત્રમાં વિલય પામશે. સાધુઓનાં સંગથી જગતમાં કાંઈ પણ દુર્લભ નથી,
તેમના પ્રસાદથી અનંત જન્મમાં જે નથી મળ્યું તે આત્મજ્ઞાન પણ મળે છે. આમ કહીને
મુનિને વારંવાર વંદના
Page 150 of 660
PDF/HTML Page 171 of 681
single page version
કરી. મુનિ આકાશમાર્ગે વિહાર કરી ગયા. ઇન્દ્ર ગૃહસ્થાશ્રમમાં અત્યંત વિરક્ત થયો.
શરીરને પાણીના પરપોટા જેવું અસાર જાણીને, ધર્મમાં નિશ્ચળ બુદ્ધિથી પોતાની અજ્ઞાન
ચેષ્ટાને નિંદતા તે મહાપુરુષે પોતાની રાજ્યવિભૂતિ પુત્રને આપીને પોતાના ઘણા પુત્રો,
અનેક રાજાઓ અને લોકપાલો સહિત સર્વ કર્મોની નાશક જિનેશ્વરી દીક્ષા અંગીકાર કરી,
સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો. નિર્મળ ચિત્તવાળા તેણે પહેલાં જેવું શરીર ભોગમાં લગાવ્યું
હતું તેવું જ તપના સમૂહમાં લગાવ્યું, એવું તપ બીજાથી ન થઈ શકે. મહાપુરુષોની શક્તિ
ઘણી હોય છે. તે જેમ ભોગોમાં પ્રવર્તે છે તેમ વિશુદ્ધ ભાવમાં પણ પ્રવર્તે છે. રાજા ઇન્દ્ર
ઘણો કાળ તપ કરી, શુક્લધ્યાનનાં પ્રતાપથી કર્મોનો ક્ષય કરી નિર્વાણ પધાર્યા.
ગૌતમસ્વામી રાજા શ્રેણિકને કહે છે-જુઓ! મહાન માણસોનાં ચરિત્ર આશ્ચર્યકારી હોય છે.
તે પ્રબળ પરાક્રમના ધારણ ઘણો વખત ભોગ ભોગવી, પછી વૈરાગ્ય લઈ અવિનાશી સુખ
ભોગવે છે, એમાં કોઈ આશ્ચર્ય નથી. તે સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરી ક્ષણમાત્રમાં
ધ્યાનના બળથી મોટા પાપનો પણ ક્ષય કરે છે; જેમ ઘણા કાળથી ઈંધનની રાશિનો સંચય
કર્યો હોય તે ક્ષણમાત્રમાં અગ્નિના સંયોગથી ભસ્મ થાય છે. આમ જાણીને હે પ્રાણી!
આત્મકલ્યાણનો પ્રયત્ન કરો. અંતઃકરણ વિશુદ્ધ કરો, મરણનો દિવસ કાંઈ નક્કી નથી,
જ્ઞાનરૂપ સૂર્યના પ્રતાપથી અજ્ઞાન અંધકારને દૂર કરો.
પર્વ પૂર્ણ થયું.
ચૈત્યાલયોની વંદના, કરીને પાછો આવતો હતો. સાત ક્ષેત્ર, છ કુલાચલની શોભા
નિહાળતો, જાતજાતનાં વૃક્ષો, નદી, સરોવર વગેરેનું અવલોકન કરતો, સૂર્યના ભવન
સમાન વિમાનમાં વિરાજમાન થઈ લંકામાં આવવા નીકળ્યો હતો ત્યાં તેણે મહામનોહર,
ઉત્તંગ નાદ સાંભળ્યો, અત્યંત આનંદિત થઈને તેણે મારીચ મંત્રીને પૂછયુંઃ હે મારીચ! આ
સુંદર મહાનાદ શેનો છે? દશેય દિશાઓ કેમ લાલ થઈ ગઈ છે? મારીચે જવાબ આપ્યોઃ
હે દેવ! આ કેવળીની ગંધકુટી છે અને અનેક દેવ દર્શન કરવા આવે છે, આ તેના
મનોહર શબ્દ થઈ રહ્યા છે અને દેવોના મુગટાદિનાં કિરણોથી આ દશે દિશા રંગીન બની
રહી છે. આ સુવર્ણ પર્વત ઉપર અનંતવીર્ય મુનિને કેવળજ્ઞાન પ્રગટ થયું છે. આ વચન
સાંભળીને રાવણ બહુ આનંદ પામ્યો. સમ્યગ્દર્શન સહિત, ઇન્દ્રને જીતનાર, મહાકાંતિનો
ધારક તે આકાશમાંથી કેવળીની વંદના માટે પૃથ્વી પર ઉતર્યો. તેણે વંદના અને
Page 151 of 660
PDF/HTML Page 172 of 681
single page version
જાણવાની અને તેનું ફળ જાણવાની અભિલાષા રાખે છે તેમ જ મુક્તિનું કારણ જાણવા
ઈચ્છે છે, તે આપ જ કહેવાને યોગ્ય છો તો કૃપા કરીને કહો. ત્યારે ભગવાન કેવળી
અનંતવીર્ય સ્વામીએ મર્યાદારૂપ અક્ષર જેમાં વિસ્તીર્ણ અર્થ અતિનિપુણતાથી સંદેહરહિત
ભર્યા હતા તેવાં હિતકારી પ્રિય વચન કહ્યાં. હે ભવ્ય જીવો! ચેતના લક્ષણવાળો આ જીવ
અનાદિકાળથી નિરંતર આઠ કર્મથી બંધાયો છે, તેની શક્તિ આચ્છાદિત થઈ છે તે ચાર
ગતિમાં પરિભ્રમણ કરે છે. ચોર્યાસી લાખ યોનિઓમાં વિવિધ પ્રકારની ઇન્દ્રિયોથી ઉપજેલી
વેદનાને ભોગવતો થકો સદાય દુઃખી થઈને રાગદ્વેષી મોહી થઈને કર્મોના તીવ્ર મંદ મધ્યમ
વિપાકથી કુંભારના ચાકડાની જેમ ચારગતિનું ભ્રમણ કરે છે. ત્યાં જ્ઞાનાવરણીય કર્મથી
જેનું જ્ઞાન આચ્છાદિત થયું છે તે અતિદુર્લભ મનુષ્ય-દેહ મળવા છતાં પણ આત્મહિતને
જાણતો નથી, રસનાનો લોલુપી, સ્પર્શેન્દ્રિયનો વિષયી, પાંચ ઇન્દ્રિયોને વશ થઈ અતિ
નિંદ્ય પાપકર્મથી નરકમાં પડે છે, જેમ પથ્થર પાણીમાં ડૂબે તેમ. તે મહાદુઃખોનો સાગર છે.
જે પાપી, ક્રૂરકર્મી, ધનનો લોભી, માતાપિતા, ભાઈ, પુત્ર, સ્ત્રી, મિત્ર ઇત્યાદિને હણે છે,
જગતમાં નિંદ્ય ચિત્તવાળા તે નરકમાં પડે છે. જે ગર્ભપાત કરે, બાળકની હત્યા કરે, વૃદ્ધની
હત્યા કરે, અબળાની હત્યા કરે, મનુષ્યોને પકડે છે, રોકે છે, બાંધે છે, મારે છે, પક્ષી અને
પશુને મારે છે, જે કુબુદ્ધિ સ્થળચર, જળચર જીવોની હિંસા કરે છે, જેનાં પરિણામ
ધર્મરહિત છે, તે મહાવેદનારૂપ નરકમાં પડે છે. જે પાપી મદ્ય મેળવવા મધપૂડા તોડે છે,
માંસાહારી, મદ્યપાન કરનાર, જૂઠાબોલા, મદ્ય ખાનાર, વન બાળનાર, ગામ બાળનાર, જેલ
બનાવનાર, ગાયોને ઘેરનાર, પશુઘાતી, મહાહિંસક પાપી નરકમાં પડે છે. જે પરદોષનાં
કહેનાર, અભક્ષ્ય ભક્ષનાર, પરધન હરનાર, પરસ્ત્રી સાથે રમનાર, વેશ્યાઓના મિત્ર છે તે
નરકમાં પડે છે, જ્યાં કોઈ શરણ નથી, માંસના ભક્ષકને ત્યાં તેનું જ શરીર કાપી કાપીને
તેના મુખમાં આપવામાં આવે છે, ગરમ લોહીના ગોળા તેના મુખમાં મૂકવામાં આવે છે.
મદ્યપાન કરનારાઓના મુખમાં સીસું ઓગાળીને રેડવામાં આવે છે. પરસ્ત્રીનાં લંપટી
જીવોને ગરમ લોઢાની પૂતળીઓ સાથે આલિંગન કરાવવામાં આવે છે. જે મહાપરિગ્રહના
ધારક છે, મહાઆરંભી અને ક્રુર ચિત્તવાળા છે, પચંડ કર્મ કરનાર છે તે સાગરો સુધી
નરકમાં રહે છે. સાધુઓના દ્વેષી, પાપી, મિથ્યાદ્રષ્ટિ, કુટિલબુદ્ધિ, રૌદ્રધ્યાની મરીને નરકમાં
જાય છે. ત્યાં વિક્રિયામય કુવાડા, ખડ્ગ, ચક્ર, કરવત વગેરે શસ્ત્રોથી શરીરના ખંડ ખંડ
કરવામાં આવે છે, પાછું શરીર ભેગું થઈ જાય છે, આયુષ્ય પર્યંત દુઃખ ભોગવે છે. તીક્ષ્ણ
ચાંચવાળાં માયામયી પક્ષી શરીર ચીરી નાખે છે અને માયામયી સિંહ, વાઘ, કૂતરા, સર્પ,
અષ્ટાપદ, શિયાળ, વીંછી અને બીજાં પ્રાણીઓ જુદા
Page 152 of 660
PDF/HTML Page 173 of 681
single page version
જુદા પ્રકારનાં દુઃખો આપે છે. નરકનાં દુઃખોનું ક્યાં સુધી વર્ણન કરીએ? અને જે
માયાચારી, પ્રપંચી તથા વિષયાભિલાષી છે તે પ્રાણી તિર્યંચગતિ પામે છે. ત્યાં પરસ્પર
બંધ અને નાના પ્રકારનાં શસ્ત્રોથી હણાઈને ખૂબ દુઃખ પામે છે. વાહન, અતિભારવહન,
શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષાદિનાં અનેક દુઃખ ભોગવે છે. આ જીવ ભવસંકટમાં ભમતા
સ્થળમાં, જળમાં પર્વત પર, વૃક્ષો પર અને ગહન વનમાં અનેક જગ્યાએ અકેન્દ્રિય,
બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અનેક પર્યાયોમાં અનેક જન્મમરણ કરે છે. જીવ
અનાદિનિધન છે, તેનાં આદિઅંત નથી. આખા લોકાકાશમાં તલમાત્ર પણ એવો પ્રદેશ
નથી કે જ્યાં સંસારમાં પરિભ્રમણ કરતાં આ જીવે જન્મમરણ ન કર્યાં હોય, અને જે
પ્રાણી ગર્વરહિત છે, કપટરહિત સ્વભાવથી જ સંતોષી છે તે મનુષ્યભવ પામે છે. આ
નરદેહ પરમ નિર્વાણસુખનું કારણ છે. તે મળવા છતાં પણ જે મોહમદથી ઉન્મત્ત
કલ્યાણમાર્ગ છોડીને ક્ષણિક સુખને માટે પાપ કરે છે તે મૂર્ખ છે. મનુષ્ય પણ પૂર્વકર્મના
ઉદયથી કોઈ આર્યખંડમાં જન્મે છે, કોઈ મલેચ્છ ખંડમાં જન્મે છે, કોઈ ધનાઢય તો કોઈ
અત્યંત દરિદ્રી રહે છે, કોઈ કર્મના પ્રેર્યા અનેક મનોરથ પૂર્ણ કરે છે, કોઈ કષ્ટથી પારકા
ઘેર રહી પ્રાણપોષણ કરે છે. કોઈ કુરૂપ છે, કોઈ રૂપાળા, કોઈનું આયુષ્ય લાંબુ અને
કોઈનું આયુષ્ય ટૂંકું હોય છે. કોઈ લોકોને પ્રિય બને છે, કોઈ અપ્રિય, કોઈ ભાગ્યશાળી
હોય છે, કોઈ દુર્ભાગી. કોઈ બીજાઓ ઉપર હુકમ ચલાવે છે, કોઈ બીજાની આજ્ઞા ઊઠાવે
છે. કોઈ યશ પામે છે, કોઈ અપયશ. કોઈ શૂરવીર હોય છે, કોઈ કાયર. કોઈ જળમાં
પ્રવેશે છે, કોઈ રણમાં પ્રવેશે છે. કોઈ પરદેશગમન કરે છે, કોઈ ખેતી કરે છે, કોઈ
વ્યાપાર કરે છે, કોઈ સેવા કરે છે. આ પ્રમાણે મનુષ્યગતિમાં પણ સુખદુઃખની વિચિત્રતા
છે. નિશ્ચયથી વિચારીએ તો સર્વ ગતિમાં દુઃખ જ છે, દુઃખને જ કલ્પનાથી સુખ માને છે.
વળી, જીવ મુનિવ્રત, શ્રાવકના વ્રત, અવ્રત સમ્યગ્દ્રષ્ટિ, અકામ નિર્જરાથી અને અજ્ઞાન
તપથી દેવગતિ પામે છે. તેમાં કોઈ મોટી ઋદ્ધિવાળા, કોઈ અલ્પ ઋદ્ધિવાળા, આયુષ્ય,
કાંતિ, પ્રભાવ, બુદ્ધિ, સુખ, લેશ્યાથી ઉપરના દેવ ચડિયાતા અને શરીર, અભિમાન,
પરિગ્રહથી ઊતરતા દેવગતિમાં પણ હર્ષવિષાદથી કર્મનો સંગ્રહ કરે છે. ચારગતિમાં આ
જીવ સદા રેંટના ઘડાની જેમ ભ્રમણ કરે છે. અશુભ સંકલ્પથી દુઃખ પામે છે. અને દાનના
પ્રભાવથી ભોગભૂમિમાં ભોગ પામે છે. જે સર્વપરિગ્રહરહિત મુનિવ્રતના ધારક છે તે ઉત્તમ
પાત્ર છે, જે અણુવ્રતના ધારક શ્રાવક છે, શ્રાવિકા કે અર્જિકા છે તે મધ્યમ પાત્ર છે અને
વ્રતરહિત સમ્યગ્દ્રષ્ટિ છે, જે જઘન્યપાત્ર છે. આ પાત્ર જીવોને વિનયભક્તિથી આહાર
આપવો તેને પાત્રદાન કહે છે. બાળક, વૃદ્ધ, અંધ, અપંગ, રોગી, દુર્બળ, દુઃખી કે
ભૂખ્યાઓને કરુણાથી અન્ન, જળ, ઔષધ, વસ્ત્રાદિ આપવામાં આવે તેને કરુણાદાન કહે
છે. ઉત્તમ પાત્રને દાન આપવાથી ઉત્કૃષ્ટ ભોગભૂમિ, મધ્યમ પાત્રને દાન આપવાથી મધ્યમ
ભોગભૂમિ અને જઘન્ય પાત્રને દાન આપવાથી જઘન્ય ભોગભૂમિ મળે છે. જે નરક
નિગોદાદિ દુઃખોથી બચાવે તેને પાત્ર કહે છે. જે સમ્યગ્દ્રષ્ટિ મુનિરાજ છે તે જીવોની રક્ષા
કરે છે. જે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રમાં
Page 153 of 660
PDF/HTML Page 174 of 681
single page version
બરાબર છે તેમને ઉત્તમ કહે છે. જેમને રાગદ્વેષ નથી, જે સર્વ પરિગ્રહરહિત મહાતપસ્વી
આત્મધ્યાનમાં તત્પર મુનિ છે તેને ઉત્તમ પાત્ર કહે છે. તેમને ભાવથી પોતાની શક્તિ
પ્રમાણે અન્ન, જળ, ઔષધિ આપવી, વનમાં તેમને રહેવા માટે વસ્તિકા કરાવવી અને
આર્યાઓને અન્ન, જળ, ઔષધ, વસ્ત્ર આપવાં. શ્રાવક શ્રાવિકા, સમ્યગ્દ્રષ્ટિઓને બહુ
વિનયથી અન્ન, જળ, વસ્ત્ર, ઔષધ ઇત્યાદિ સર્વસામગ્રી આપવી તે પાત્રદાનની વિધિ છે.
દીન-અંધ વગેરે દુઃખી જીવોને અન્ન, વસ્ત્રાદિ આપવાં, બંધનમાંથી છોડાવવા એ
કરુણાદાનની રીત છે. જોકે એ પાત્રદાનતુલ્ય નથી તો પણ યોગ્ય છે, પુણ્યનું કારણ છે.
પરઉપકાર તે પુણ્ય છે. જેમ સારા ક્ષેત્રમાં વાવેલું બીજ અનેકગણું થઈને ફળે છે તેમ શુદ્ધ
ચિત્તથી પાત્રને કરેલું દાન અધિક ફળ આપે છે. જે પાપી મિથ્યાદ્રષ્ટિ, રાગદ્વેષાદિયુક્ત,
વ્રતક્રિયારહિત મહામાની છે તે પાત્ર નથી અને દીન પણ નથી. તેમને આપવું નિષ્ફળ છે.
નરકાદિનું કારણ છે, જેમ ક્ષારભૂમિમાં વાવેલું બીજ વૃથા જાય છે. જેમ એક કૂવાનું પાણી
શેરડીમાં જઈને મધુરતા પામે છે અને લીમડામાં જઈને કડવું બને છે તથા એક સરોવરનું
જળ ગાયે પીધું હોય તો તે દૂધરૂપ થઈને પરિણમે છે અને સર્પે પીધું હોય તે ઝેરરૂપ
થઈને પરિણમે છે તેમ સમ્યગ્દ્રષ્ટિને ભક્તિથી આપેલું જે દાન તે શુભ ફળ આપે છે અને
પાપી પાખંડી મિથ્યાદ્રષ્ટિ અભિમાની પરિગ્રહી જીવોને ભક્તિથી આપેલું દાન અશુભ ફળ
આપે છે. જે માંસાહારી, મદ્ય પીનારા, કુશીલ સેવનાર પોતાને પૂજ્ય માને તેમનો સત્કાર
ન કરવો, જિનધર્મીઓની સેવા કરવી, દુઃખી જીવોને દેખી દયા કરવી, વિપરીતપણે
વર્તનારા પ્રત્યે મધ્યસ્થ રહેવું. બધા જીવો પર દયા રાખવી, કોઈને કલેશ ઉપજાવવો નહિ.
જે જિનધર્મથી પરાઙમુખ છે, મિથ્યાવાદી છે તે પણ ધર્મ કરવો એમ કહે છે, પરંતુ ધર્મનું
સ્વરૂપ જાણતા નથી. તેથી જે વિવેકી છે તે પરીક્ષા કરીને અંગીકાર કરે છે. વિવેકીનું ચિત્ત
શુભોપયોગરૂપ છે. તે એમ વિચારે છે કે જે ગૃહસ્થ સ્ત્રીસંયુક્ત, આરંભી, પરિગ્રહધારી,
હિંસક, કામક્રોધાદિ સંયુક્ત, અભિમાની અને ધનાઢય છે તથા પોતાને જે પૂજ્ય માને છે
તેમને ભક્તિથી ધન આપવું તેમાં શું ફળ મળે અને તેનાથી પોતે કેટલું જ્ઞાન મેળવે?
અહો, એ તો મોટું અજ્ઞાન છે, કુમાર્ગથી ઠગાયેલા જીવ તેને જ પાત્રદાન કહે છે અને
દુઃખી જીવોને કરુણાદાન કરતા નથી, દુષ્ટ ધનાઢયોને સર્વ અવસ્થામાં ધન આપે છે તે
નકામાં ધનનો નાશ કરે છે. ધનવાનોને આપવાથી શું પ્રયોજન સિદ્ધ થાય? દુઃખીઓને
આપવું કાર્યકારી છે. ધિક્કાર છે તે દુષ્ટોને, જે લોભના ઉદયથી જૂઠા ગ્રંથો બનાવી મૂઢ
જીવોને ઠગે છે. જે મૃષાવાદના પ્રભાવથી માંસનું ભક્ષણ નક્ક્ી કરે છે, પાપી પાખંડી
માંસનો પણ ત્યાગ કરતા નથી તે બીજું શું કરશે? જે ક્રૂર માંસનું ભક્ષણ કરે છે અને જે
માંસનું દાન કરે છે તે ઘોર વેદનાયુક્ત નરકમાં પડે છે, અને જે હિંસાના ઉપકરણ
શસ્ત્રાદિક તથા બંધનના ઉપાય ફાંસી વગેરેનું દાન કરે છે, પંચેન્દ્રિય પશુઓનું દાન કરે છે
અને જે લોકો આ દાનોનું નિરૂપણ કરે છે તે સર્વથા નિંદ્ય છે. જે કોઈ પશુનું દાન કરે
અને તે પશુને બંધનનું,
Page 154 of 660
PDF/HTML Page 175 of 681
single page version
મારવાનું, ભૂખે રાખવાનું વગેરે જે દુઃખ થાય તેનો દોષ આપનારને લાગે, અને ભૂમિદાન
પણ હિંસાનું કારણ છે. જ્યાં હિંસા હોય ત્યાં ધર્મ ન હોય. શ્રી ચૈત્યાલય માટે ભૂમિ
આપવી યોગ્ય છે, બીજા કોઈ નિમિત્તે નહિ. જે જીવહિંસાથી પુણ્ય મેળવવા ઇચ્છે છે તે
જીવ પાષાણમાંથી દૂધ મેળવવા ઇચ્છે છે માટે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનાં સર્વ
જીવને અભયદાન આપવું, વિવેકીજનોને જ્ઞાનદાન આપવું, પુસ્તકાદિ આપવા અને
ઔષધ, અન્ન, જળ, વસ્ત્રાદિ બધાને દેવાં, પશુઓને સૂકું ઘાસ આપવું, અને જેમ સમુદ્રમાં
છીપે મેઘનું જળ પીધું તે મોતી થઈને પરિણમે છે તેમ સંસારમાં દ્રવ્યના યોગથી સુપાત્રોને
જવ આદિ અન્ન આપ્યું હોય તો પણ મહાફળ આપે છે. જે ધનવાન હોય અને સુપાત્રને
શ્રેષ્ઠ વસ્તુનું દાન કરતા નથી તે નિંદ્ય છે. દાન મહાન ધર્મ છે. તે વિધિપૂર્વક કરવું.
પુણ્યપાપમાં ભાવ જ મુખ્ય છે. જે ભાવ વિના દાન આપે છે તે પર્વતના શિખર ઉપર
વરસેલા જળ સમાન છે, તે કાર્યકારી નથી, જે ખેતરમાં વરસે છે તે કાર્યકારી છે. જે કોઈ
સર્વજ્ઞ વીતરાગદેવને ધ્યાવે છે અને સદા વિધિપૂર્વક દાન આપે છે તેના ફળનું કોણ વર્ણન
કરી શકે? તેથી ભગવાનના પ્રતિબિંબ, જિનમંદિર, જિનપૂજા, જિનપ્રતિષ્ઠા, સિદ્ધક્ષેત્રોની
યાત્રા, ચતુર્વિધ સંઘની ભક્તિ અને શાસ્ત્રોનો સર્વ દેશોમાં પ્રચાર કરવો, આ ધન
ખરચવાના સાત મહાક્ષેત્ર છે. તેમાં જે ધન ખર્ચે છે તે સફળ છે તથા કરુણાદાન કે
પરોપકારમાં વપરાય તે સફળ છે.
વિના રાગદ્વેષ હોય નહિ. સકળ દોષોનું મૂળ કારણ મોહ છે. જેમને રાગાદિ કલંક છે તે
સંસારી જીવ છે, જેમને એ નથી તે ભગવાન છે. જે દેશ-કાળ-કામાદિનું સેવન કરે છે તે
મનુષ્યતુલ્ય છે, તેમનામાં દેવત્વ નથી, તેમની સેવા મોક્ષનું કારણ નથી. કોઈને પૂર્વપુણ્યના
ઉદયથી શુભ મનોહર ફળ થાય છે તે કુદેવની સેવાનું ફળ નથી. કુદેવની સેવાથી સાંસારિક
સુખ પણ મળતું નથી તો મોક્ષનું સુખ ક્યાંથી મળે? માટે કુદેવનું સેવન રેતી પીલીને તેલ
કાઢવા બરાબર છે અને અગ્નિના સેવનથી તરસ મટાડવા બરાબર છે. જેમ કોઈ લંગડાને
બીજો લંગડો પરદેશ લઈ જઈ શકે નહિ તેમ કુદેવના આરાધનથી પરમપદની પ્રાપ્તિ
કદાપિ ન થાય. ભગવાન સિવાય બીજા દેવોના સેવનનો કલેશ કરે તે વૃથા છે. કુદેવોમાં
દેવત્વ નથી. જે કુદેવોના ભક્ત છે તે પાત્ર નથી. લોભથી પ્રેરાયેલાં પ્રાણીઓ હિંસારૂપ
કાર્યમાં પ્રવર્તે છે, તેમને હિંસાનો ભય નથી, અનેક ઉપાયો કરીને લોકો પાસેથી ધન
મેળવે છે, સંસારી જીવો પણ લોભી છે તેથી લોભી પાસે ઠગાય છે તેથી સર્વદોષરહિત
જિનઆજ્ઞા પ્રમાણે જે મહાદાન કરે તે મહાફળ પામે. વેપાર જેવો ધર્મ છે. કોઈ વાર
વેપારમાં નફો અધિક થાય છે, કોઈ વાર ઓછો થાય છે. કોઈ વાર ખોટ જાય છે. કોઈ
વાર મૂળ મૂડી પણ જતી રહે છે. અલ્પમાંથી ઘણું થઈ જાય અને ઘણામાંથી થોડું થઈ
જાય. જેમ વિષનું કણ સરોવરમાં પડે તો આખા સરોવરને વિષરૂપ કરતું નથી તેમ
Page 155 of 660
PDF/HTML Page 176 of 681
single page version
ભગવાનનાં મંદિરો બનાવરાવાં. ગૃહસ્થ જિનેન્દ્રની ભક્તિમાં તત્પર અને વ્રતક્રિયામાં
પ્રવીણ હોય છે. પોતાની લક્ષ્મી પ્રમાણે જિનમંદિર બનાવી જળ, ચંદન, દીપ, ધૂપાદિથી
પૂજા કરવી. જે જિનમંદિરાદિમાં ધન ખરચે છે તે સ્વર્ગમાં તેમ જ મનુષ્યલોકમાં પણ
અત્યંત ઊંચા ભોગ ભોગવી પરમપદ પામે છે અને ચતુર્વિધ સંઘને ભક્તિપૂર્વક દાન આપે
છે તે ગુણોનું ભાજન છે, ઇન્દ્રાદિપદના ભોગો પામે છે માટે જે પોતાની શક્તિ અનુસાર
સમ્યગ્દ્રષ્ટિ પાત્રોને ભક્તિથી દાન આપે છે તથા દુઃખીઓને દયાભાવથી દાન આપે છે તે
ધન સફળ છે અને કુમાર્ગમાં વપરાયેલું ધન તેને ચોરે લૂંટેલું જાણો. આત્મધ્યાનના
યોગથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જેમને કેવળજ્ઞાન ઉપજે છે તેમને નિર્વાણપદ મળે
છે. સિદ્ધો સર્વ લોકના શિખર ઉપર રહે છે. સર્વ બાધારહિત, આઠ કર્મરહિત, અનંતજ્ઞાન,
અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય સહિત, શરીરથી રહિત અમૂર્તિક, પુરુષાકારે
જન્મમરણરહિત, અવિચળપણે બિરાજે છે, તેમનું સંસારમાં ફરી આગમન થતું નથી. તે
મન અને ઇન્દ્રિયોથી અગોચર છે, ધર્માત્મા જીવ આ સિદ્ધપદ પામે છે. પાપી જીવ
લોભરૂપ પવનથી વધેલા દુઃખરૂપ અગ્નિમાં બળતાં સુકૃતરૂપ જળ વિના સદા કલેશ પામે
છે. પાપરૂપ અંધકારમાં રહેલા મિથ્યાદર્શનને વશીભૂત થયેલા છે. કેટલાક ભવ્ય જીવો
ધર્મરૂપ સૂર્યનાં કિરણોથી પાપતિમિરને દૂર કરી કેવળજ્ઞાન પામે છે અને કોઈ જીવ
અશુભરૂપ લોઢાના પાંજરામાં પડી તૃષ્ણારૂપ પાપથી વીંટળાયેલા ધર્મરૂપ બંધુઓથી છૂટે છે.
વ્યાકરણથી પણ ધર્મ શબ્દનો આ જ અર્થ થાય છે કે ધર્મનું આચરણ કરતાં દુગર્તિમાં
પડતાં પ્રાણીઓને રોકે તેને ધર્મ કહે છે. તેવા ધર્મના લાભને લાભ કહે છે. જિનશાસનમાં
જે ધર્મનું સ્વરૂપ કહ્યું છે તે સંક્ષેપમાં તમને કહ્યું. હવે ધર્મના ભેદ અને ધર્મના ફળના ભેદ
એકાગ્ર મનથી સાંભળો. હિંસાથી, અસત્યથી, ચોરીથી, કુશીલથી, ધન-પરિગ્રહના સંગ્રહથી
વિરક્ત થવું અને આ પાપોનો ત્યાગ કરવો તેને મહાવ્રત કહે છે. વિવેકીઓએ તે ધારણ
કરવા જોઈએ. ભૂમિ જોઈને ચાલવું, હિતમિત સંદેહરહિત વચન બોલવાં, નિર્દોષ આહાર
લેવો, યત્નથી પુસ્તકાદિ લેવાં-મૂકવાં, નિર્જંતુ ભૂમિ પર શરીરનો મળ ત્યાગવો; આ
પાંચને સમિતિ કહે છે. આ પાંચ સમિતિનું યત્નપૂર્વક પાલન કરવું અને મન-વચન-
કાયની વૃત્તિના અભાવને ત્રણ ગુપ્તિ કહે છે તે સાધુએ પરમાદરથી અંગીકાર કરવી. ક્રોધ,
માન, માયા, લોભ જીવના મહાશત્રુ છે. ક્ષમાથી ક્રોધને જીતવો, માર્દવથી માનને જીતવું,
આર્જવ એટલે નિષ્કપટ ભાવથી માયાચારને જીતવો અને સંતોષથી લોભને જીતવો.
શાસ્ત્રોક્ત ધર્મના કરનાર મુનિઓએ કષાયોને નિગ્રહ કરવો યોગ્ય છે. આ પાંચ મહાવ્રત,
પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, કષાયનિગ્રહ એ મુનિરાજનો ધર્મ છે અને મુનિનો મુખ્ય ધર્મ
ત્યાગ છે. જે સર્વત્યાગી હોય તે જ મુનિ છે. સ્પર્શન, રસના, ધ્રાણ, ચક્ષુ, શ્રોત્ર એ પાંચ
ઈન્દ્રિયને વશ કરવી તે ધર્મ છે. અનશન, અવમોદર્ય એટલે અલ્પ આહાર, વ્રત પરિસંખ્યા
એટલે વિષમ પ્રતિજ્ઞા લેવી, અટપટી વાત વિચારવી, જેમ કે આ વિધિથી આહાર મળશે
તો લઈશું, નહિતર નહિ
Page 156 of 660
PDF/HTML Page 177 of 681
single page version
લઈએ; રસ પરિત્યાગ, વિવિક્ત શય્યાસન એટલે એકાંત વનમાં રહેવું, સ્ત્રી, બાળક,
નપુંસક તથા પશુઓનો સંગ સાધુઓએ ન કરવો, બીજા સંસારી જીવોની સંગતિ ન
કરવી, મુનિઓએ મુનિઓની જ સંગતિ કરવી, કાયકલેશ એટલે ગ્રીષ્મમાં ગિરિશિખર
ઉપર, શીતમાં નદીના કિનારે અને વર્ષામાં વૃક્ષોની નીચે તપ કરવું, માસોપવાસાદિ અનેક
તપ કરવાં, એ છ બાહ્યતપ છે. પ્રાયશ્ચિત્ત એટલે મનથી, વચનથી કે કાયાથી દોષ લાગ્યો
હોય તેને સરળ પરિણામથી શ્રીગુરુની પાસે પ્રકાશીને દંડ લેવો, વિનય એટલે દેવ-ગુરુ-
શાસ્ત્ર, સાધર્મીઓને વિનય કરવો અને દર્શનજ્ઞાનચારિત્રનું આચરણ તે જ વિનય અને
તેમના ધારકનો વિનય કરવો, પોતાનાથી ગુણમાં જે અધિક હોય તેને જોઈને ઊઠીને
ઊભા થવું, સન્મુખ જવું, પોતે નીચે બેસવું, તેમને ઊંચે બેસાડવા, મધુર વચન બોલવાં,
તેમની પીડા મટાડવી, વૈયાવ્રત, એટલે જે તપસ્વી હોય, રોગયુક્તહોય, વૃદ્ધ અથવા બાળક
હોય તેમની વિવિધ પ્રકારે સેવા કરવી, ઔષધ કે પથ્ય આપવું, ઉપસર્ગ મટાડવા અને
સ્વાધ્યાય એટલે જિનવાણીનું વાંચવું, પૂછવું, આમ્નાય એટલે પરિપાટી, અનુપ્રેક્ષા એટલે
વારંવાર ચિંતન, ધર્મોપદેશ આપવો, વ્યુત્સર્ગ એટલે શરીરનું મમત્વ છોડવું અને એક
દિવસથી માંડી વર્ષ પર્યંત કાયોત્સર્ગ કરવો અને આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાન,
શુક્લધ્યાન કરવું; આ છ પ્રકારનાં અભ્યંતર તપ છે. આ બાહ્યાભ્યંતર બાર તપ જ
સારધર્મ છે. આ ધર્મના પ્રભાવથી ભવ્ય જીવ કર્મોનો નાશ કરે છે અને તપના પ્રભાવથી
અદ્ભુત શક્તિ પ્રગટે છે. સર્વ મનુષ્ય અને દેવોને જીતવાને સમર્થ બને છે. વિક્રિયાશક્તિ
વડે જે ચાહે તે કરે છે. વિક્રિયાના આઠ ભેદ છે. અણિમા, મહિમા, લધિમા, ગરિમા,
પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશીત્વ, વશિત્વ, મહામુનિ તપોનિધિ પરમ શાંત છે, સકળ ઈચ્છારહિત
છે અને એવી શક્તિ છે કે ઈચ્છે તો સૂર્યનો તાપ દૂર કરી દે, ઇચ્છે તો જળવૃષ્ટિ કરી
ક્ષણમાત્રમાં જગતને પૂર્ણ કરે, ચાહે તો ભસ્મ કરે, ક્રૂર દ્રષ્ટિથી દેખે તો પ્રાણ હરે,
કૃપાદ્રષ્ટિથી દેખે તો રંકમાંથી રાજા કરે, ચાહે તો રત્નસુવર્ણની વર્ષા કરે, ચાહે તો
પાષાણની વર્ષા કરે; ઇત્યાદિ સામર્થ્ય હોય છે. પરંતુ તેનો ઉપયોગ કરતા નથી. ઉપયોગ
કરે તો ચારિત્રનો નાશ થાય. તે મુનિઓની ચરણરજથી સર્વ રોગ ટળી જાય. તેમનાં
ચરણકમળ મનુષ્યોના અદ્ભુત વૈભવનું કારણ છે. જીવ ધર્મથી અનંત શક્તિ પામે છે,
ધર્મથી કર્મને હરે છે અને કદાચ કોઈ જન્મ લે તો સૌધર્મ સ્વર્ગાદિ સર્વાર્થસિદ્ધિ પર્યંત
જાય, સ્વર્ગમાં ઇન્દ્રપદ પામે અને ઇન્દ્ર સમાન વિભૂતિના ધારક દેવ થાય, જેમના મહેલો
સુવર્ણના, સ્ફટિકમણિનાં શિખર, વૈડૂર્યમણિના સ્તંભ અને રત્નમય ભીંત, સુંદર ઝરૂખાથી
શોભિત, પદ્મરાગમણિ આદિ અનેક પ્રકારના મણિનાં શિખરો, મોતીઓની ઝાલરોથી
શોભતા અને જે મહેલોમાં અનેક ચિત્રો સિંહ, ગજ, હંસ, શ્વાન, હરણ, મોર કોયલ
આદિનાં બન્ને ભીંત ઉપર હોય છે. ચંદ્રશાળા સહિત, ધજાઓની પંક્તિથી શોભિત, અત્યંત
મનહર મહેલો શોભે છે, જ્યાં નાના પ્રકારનાં વાજિંત્રો વાગે છે, આજ્ઞાકારી સેવકો,
મનોહર દેવાંગનાઓ, સુંદર સરોવરો કમળાદિ રસયુક્ત, કલ્પવૃક્ષોનાં વન, વિમાન આદિ
વિભૂતિઓ; આ બધું જીવધર્મના પ્રભાવથી પામે છે.
Page 157 of 660
PDF/HTML Page 178 of 681
single page version
ષટ્ઋતુ નથી, નિદ્રા નથી અને દેવોનું શરીર માતાપિતાથી ઉત્પન્ન થતું નથી. જ્યારે
આગલો દેવ મૃત્યુ પામે ત્યારે નવો દેવ ઉપપાદ શય્યામાં જન્મે છે. જેમ કોઈ સૂતેલો
માણસ પથારીમાંથી જાગીને બેઠો થાય છે તેમ ક્ષણમાત્રમાં દેવ ઉપપાદ શય્યામાં નવયૌવન
પામીને પ્રગટ થાય છે. તેમનું શરીર સાત ધાતુ-ઉપધાતુરહિત, રજ, પરસેવો, રોગરહિત,
સુગંધી, પવિત્ર, કોમળ, શોભાયુક્ત, આંખને ગમે તેવું ઔપપાદિક શુભ વૈક્રિયક હોય છે.
તેમનાં આભૂષણો દેદીપ્યમાન હોય છે. તેનાથી દશે દિશામાં ઉદ્યોત થઈ રહે છે. તે દેવોની
દેવાંગના અત્યંત સુંદર હોય છે, તેમના પગ કમળપત્ર જેવા, જાંધ કેળના થડ જેવી,
કંદોરાથી શોભિત કમર અને નિતંબ ઉપર કંદોરાની ઘૂઘરીઓનો અવાજ થઈ રહ્યો છે.
ઉગતા ચંદ્રથી અધિક કાંતિ હોય છે, સ્તન મનોહર હોય છે, રત્નોના સમૂહ અને ચાંદનીને
જીતે એવી એની પ્રભા હોય છે, માલતીની માળાથી કોમળ ભુજલતા હોય છે, મણિમય
ચૂડાથી હાથ શોભે છે, અશોકવૃક્ષની કૂંપળ જેવી તેની હથેળી લાલ હોય છે. શંખસમાન
ગ્રીવા હોય છે, કોયલથી મનોહર કંઠ હોય છે, રસભરેલ અધર હોય છે, કુંદપુષ્પ સમાન
દાંત અને નિર્મળ દર્પણ સમાન સુંદર કપોલ હોય છે, અતિસુંદર તીક્ષ્ણ કામનાં બાણ
સમાન નેત્ર, પદ્મરાગમણિ આદિનાં આભૂષણો, મોતીના હાર, ભ્રમર સમાન શ્યામ,
ચીકણા, સઘન કેશ, મધુર સ્વર, અત્યંત ચતુર, સર્વ ઉપચાર જાણનારી, મનોહર ક્રીડા
કરનારી, સામાના મનની ચેષ્ટા જાણનાર, પંચેન્દ્રિયોના સુખ ઉત્પન્ન કરનાર સ્વર્ગની
અપ્સરાઓ ધર્મના ફળથી મળે છે. ત્યાં જે ઇચ્છા કરે તે ઇચ્છા પ્રમાણે સર્વ સિદ્ધ થાય છે.
દેવલોકમાં જે સુખ છે અને મનુષ્યલોકમાં ચક્રવર્તી આદિનાં સુખ છે તે સર્વ ધર્મનું ફળ
જિનેશ્વરોએ કહ્યું છે. ત્રણ લોકમાં જે સુખ એવું નામ ધરાવે છે તે બધું ધર્મથી જ ઉત્પન્ન
થાય છે. જે તીર્થંકર અને ચક્રવર્તી, બળભદ્ર, કામદેવાદિ પદ છે તે સર્વ ધર્મનું ફળ છે. આ
બધું તો શુભયોગરૂપ વ્યવહારધર્મનું ફળ કહ્યું અને જે મહામુનિ નિશ્ચય રત્નત્રયના ધારક
મોહરિપુનો નાશ કરીને સિદ્ધપદ પામે છે તે શુદ્ધોપયોગરૂપ આત્મધર્મનું ફળ છે. તે
મુનિધર્મ મનુષ્યજન્મ વિના પ્રાપ્ત થતો નથી માટે મનુષ્યદેહ સર્વ જન્મોમાં શ્રેષ્ઠ છે જેમ
વનમાં પ્રાણીઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ, મનુષ્યોમાં રાજા, દેવોમાં ઇન્દ્ર, વૃક્ષોમાં ચંદન
અને પાષાણમાં રત્ન શ્રેષ્ઠ છે તેમ સકળ યોનિમાં મનુષ્યજન્મ શ્રેષ્ઠ છે. ત્રણ લોકમાં ધર્મ
સાર છે અને ધર્મમાં મુનિનો ધર્મ સાર છે. તે મુનિધર્મ મનુષ્યદેહથી જ થાય છે માટે
મનુષ્યજન્મ સમાન બીજું કાંઈ નથી. અનંતકાળના જીવના પરિભ્રમણમાં કોઈક વાર તે
મનુષ્યજન્મ પામે છે માટે મનુષ્યદેહ મહાદુર્લભ છે. આવો મનુષ્યદેહ પામીને જે મૂઢ પ્રાણી
સમસ્ત કલેશથી રહિત મુનિધર્મ અથવા શ્રાવક ધર્મનું પાલન કરતા નથી તે વારંવાર
દુર્ગતિમાં ભ્રમણ કરે છે. જેમ સમુદ્રમાં પડી ગયેલ રત્ન હાથ આવવું મુશ્કેલ હોય છે તેમ
ભવસમુદ્રમાં નષ્ટ થયેલ મનુષ્યદેહ ફરીથી મેળવવો મુશ્કેલ છે. આ મનુષ્ય દેહમાં શાસ્ત્રોક્ત
ધર્મનું સાધન કરીને કોઈ મુનિવ્રત લઈ સિદ્ધ થાય છે અને કોઈ સ્વર્ગવાસી દેવ અથવા અહમિંદ્ર
Page 158 of 660
PDF/HTML Page 179 of 681
single page version
થઈ પરંપરાએ મોક્ષપદ પામે છે. આ પ્રમાણે ધર્મ-અધર્મનું ફળ કેવળીના મુખથી સાંભળી
બધા સુખ પામ્યા. તે વખતે કુંભકર્ણે હાથ જોડી નમસ્કાર કરી પૂછયુંઃ હે નાથ! મને હજી
તૃપ્તિ થઈ નથી. તેથી મને વિસ્તારપૂર્વક ધર્મનું વ્યાખ્યાન કહો. ત્યારે ભગવાન અનંતવીર્ય
કહેવા લાગ્યાઃ હે ભવ્ય! ધર્મનું વિશેષ વર્ણન સાંભળોઃ જેથી આ પ્રાણી સંસારનાં બંધનથી
છૂટે. ધર્મ બે પ્રકારે છે. એક મહાવ્રતરૂપ, બીજો અણુવ્રતરૂપ. મહાવ્રતરૂપ યતિનો ધર્મ છે,
અણુવ્રતરૂપ શ્રાવકનો ધર્મ છે. યતિ ગૃહત્યાગી છે, શ્રાવક ગૃહવાસી છે. તમે પ્રથમ સર્વ
પાપના નાશક, સર્વ પરિગ્રહના ત્યાગી મહામુનિનો ધર્મ સાંભળો.
થશે તે બધાનો એક મત છે. અત્યારે શ્રી મુનિસુવ્રતનો સમય છે. અનેક મહાપુરુષો
જન્મમરણનાં દુઃખથી મહાભયભીત થયા. આ શરીરને એરંડાના વૃક્ષના લાકડા સમાન
અસાર જાણીને, સર્વ પરિગ્રહનો ત્યાગ કરી, મુનિવ્રત લીધાં. તે સાધુ અહિંસા, સત્ય,
અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગરૂપ પાંચ મહાવ્રતોમાં રત, તત્ત્વજ્ઞાનમાં તત્પર, પાંચ
સમિતિના પાલક, ત્રણ ગુપ્તિના ધારક, નિર્મળ ચિત્તવાળા, પરમદયાળુ, જિન દેહમાં પણ
મમત્વહીન, જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં જ બેસી રહે છે, તેમને કોઈ આશ્રય નથી, તેમને
વાળના અગ્રભાગ જેટલો પણ પરિગ્રહ નથી તે મહામુનિ, સંહ સમાન સાહસી, સમસ્ત
પ્રતિબંધરહિત, પવન જેવા અસંગ, પૃથ્વી સમાન ક્ષમાશીલ, જળસરખા વિમળ, અગ્નિ
સમાન કર્મને ભસ્મ કરનાર, આકાશ સમાન અલિપ્ત અને સર્વ સંબંધરહિત, ચંદ્રસરખા
સૌમ્ય, સૂર્ય સમાન અંધકારના નાશક, સમુદ્ર સમાન ગંભીર, પર્વત સમાન અચળ,
કાચબા સમાન ઇન્દ્રિયના સંકોચનાર, અઠ્ઠાવીસ મૂળ ગુણ અને ચોરાસી લાખ ઉત્તરગુણના
ધારક, અઢાર હજાર શીલના ભેદ છે તેના પાળનાર, તપોનિધિ, મોક્ષમાર્ગી, જૈન શાસ્ત્રોના
પારગામી, તથા સાંખ્ય, પાતંજલ, બૌદ્ધ, મીમાંસક, નૈયાયિક, વૈશિષિક, વૈદાંતી ઇત્યાદિ
અન્યમતનાં શાસ્ત્રોના પણ વેત્તા, જીવન પર્યંત પાપના ત્યાગી, વ્રત-નિયમ ધરનાર,
અનેક ઋદ્ધિસંયુક્ત, મહામંગળમૂર્તિ, જગતના મંડન કેટલાક તો તે ભવમાં કર્મ કાપીને
સિદ્ધ થાય છે, કેટલાક ઉત્તમ દેવ થાય છે અને બે-ત્રણ ભવમાં ધ્યાનાગ્નિથી સમસ્ત
કર્મકાષ્ઠને ભસ્મ કરી, અવિનાશી સુખ પામે છે. આ યતિનો ધર્મ કહ્યો. હવે રાગરૂપી
પાંજરામાં પડેલા ગૃહસ્થનો બાર વ્રતરૂપ ધર્મ સાંભળો. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર
શિક્ષાવ્રત અને પોતાની શક્તિ પ્રમાણે નિયમ, ત્રસઘાતનો ત્યાગ, મૃષાવાદનો ત્યાગ,
પરધનનો ત્યાગ, પરસ્ત્રીનો ત્યાગ, પરિગ્રહનું પરિમાણ; આ પાંચ અણુવ્રત છે. હિંસાદિની
મર્યાદા, દિશાઓની ગમનમર્યાદા, જે દેશમાં જૈનધર્મનો ઉદ્યોત ન હોય તે દેશમાં જવાનો
ત્યાગ, અનર્થદંડનો ત્યાગ આ ત્રણ ગુણવ્રત છે. સામાયિક, પ્રોષધોપવાસ, અતિથિ
સંવિભાગ, ભોગોપભોગ પરિમાણ આ ચાર શિક્ષાવ્રત છે. આ બાર વ્રત છે. હવે એના
ભેદ સાંભળો. જેમ આપણું શરીર આપણને વહાલું છે તેમ સર્વ
Page 159 of 660
PDF/HTML Page 180 of 681
single page version
ભગવાને જીવદયાને જ ઉત્કૃષ્ટ ધર્મ કહ્યો છે. જે નિર્દય બની જીવને હણે છે તેને રંચમાત્ર
પણ ધર્મ નથી. પરજીવને પીડા થાય તેવું વચન બોલવું નહિ. પરને બાધા કરનાર વચન
તે જ મિથ્યા છે અને પરને ઉપકારરૂપ વચન તે જ સત્ય છે. જે પાપી ચોરી કરે, બીજાનું
ધન હરે છે તે આ ભવમાં વધબંધનાદિ દુઃખ પામે છે, કુમરણ કરે છે અને પરભવમાં
નરકમાં પડે છે, નાના પ્રકારનાં દુઃખ ભોગવે છે. ચોરી દુઃખનું મૂળ છે માટે બુદ્ધિમાન
પુરુષ કદી પણ પારકું ધન હરતો નથી. જેનાથી બન્ને લોક બગડે તેવું કામ કેવી રીતે
કરે? પરસ્ત્રીને સર્પ સમાન જાણીને તેનો દૂરથી જ ત્યાગ કરવો. આ પરસ્ત્રી કામ-
લોભને વશ થયેલ પુરુષનો નાશ કરે છે. સાપણ એક ભવમાં જ પ્રાણ હરે છે, પરનારી
અનંત ભવ પ્રાણ હરે છે. જીવ કુશીલના પાપથી નિગોદમાં જાય છે ત્યાં અનંત જન્મ-
મરણ કરે છે અને આ ભવમાં પણ મારન, તાડન આદિ અનેક દુઃખ પામે છે. આ
પરદારાસંગમ નરક નિગોદનાં દુઃસહ દુઃખો આપે છે. જેમ કોઈ પરપુરુષ પોતાની સ્ત્રીને
ભોગવે તો પોતાને અત્યંત દુઃખ ઉપજે છે તેવી જ રીતે બધાની વ્યવસ્થા જાણવી.
પરિગ્રહની મર્યાદા કરવી. અધિક તૃષ્ણા ન કરવી. જો આ જીવ ઇચ્છા રોકે નહિ તો
મહાદુઃખી થાય છે. આ તૃષ્ણા જ દુઃખનું મૂળ છે. તૃષ્ણા સમાન બીજી વ્યાધિ નથી. આના
વિશે એક કથા સાંભળો. બે પુરુષો હતા. એકનું નામ ભદ્ર, બીજાનું નામ કાંચન. ભદ્ર
ફળાદિ વેચતો. તેને એક સોનામહોર જેટલા પરિગ્રહની મર્યાદા હતી. એક દિવસ તેના
માર્ગમાં દીનારોની કોથળી પડેલી તેણે જોઈ. તેમાંથી તેણે કૌતુહલથી એક દીનાર લીધી.
બીજો જે કાંચન હતો તેણે આખી કોથળી જ ઉપાડી લીધી. તે દીનારનો માલિક રાજા
હતો. તેણે કાંચનને થેલી ઊઠાવતો જોઈને ખૂબ માર્યો અને ગામમાંથી હાંકી કાઢયો. ભદ્રે
જે એક દીનાર લીધી હતી તે રાજાને માગ્યા વિના જ આપી દીધી. રાજાએ ભદ્રનું ખૂબ
સન્માન કર્યું. આમ જાણીને તૃષ્ણા ન કરવી. સંતોષ રાખવો. આ પાંચ અણુવ્રત છે.
ખોટું ચિંતવન, પાપોપદેશ એટલે અશુભ કાર્યનો ઉપદેશ, હિંસાદાન એટલે વિષ, ફાંસી,
લોઢાનાં ખડ્ગાદિ શસ્ત્ર, ચાબૂક ઇત્યાદિ જીવોને મારવાનાં સાધનો કોઈને આપવાં, જળ,
દોરડાં વગેરે બંધનનાં સાધનોનો વ્યાપાર કરવો. કૂતરા, બિલાડા, ચિત્તા વગેરે પાળવાં,
કુશાસ્ત્રો સાંભળવાં, પ્રમાદચર્યા એટલે પ્રમાદથી છ કાયના જીવોની વિરાધના કરવી; આ
પાંચ પ્રકારના અનર્થદંડોનો ત્યાગ કરવો અને ભોગ એટલે આહારાદિક, ઉપભોગ એટલે
સ્ત્રી, વસ્ત્રાભૂષણાદિકની મર્યાદા કરવી તથા અભક્ષ્ય ભક્ષણાદિ, પરદારા સેવનાદિ અયોગ્ય
વિષયોનો સર્વથા ત્યાગ અને યોગ્ય આહાર, સ્વદારા-સેવનાદિના નિયમરૂપ પરિમાણ-એ
ભોગોપભોગ પરિસંખ્યા વ્રત છે. આ ત્રણ ગુણવ્રત છે. સામાયિક એટલે સમતાભાવ,
પંચપરમેષ્ઠી, જિનધર્મ, જિનવચન, જિનપ્રતિમા, જિનમંદિરની સ્તુતિ,