Page 120 of 660
PDF/HTML Page 141 of 681
single page version
કરી તેને લાવવામાં આવ્યો. સહસ્ત્રરશ્મિ પોતાના પિતા મુનિને નમસ્કાર કરી પાસે બેઠો.
સહસ્ત્રરશ્મિનો ખૂબ સત્કાર કરી, બહુ પ્રસન્ન થઈ રાવણે કહ્યું કે હે મહાબલ! જેમ અમે
ત્રણ ભાઈઓ છીએ એવો તું અમારો ચોથો ભાઈ છો. તારી સહાયથી રથનૂપુરનો રાજા
જે પોતાને ભ્રમથી ઇન્દ્ર કહેવડાવે છે તેને જીતીશ અને મારી રાણી મંદોદરીની નાની બહેન
સ્વયંપ્રભાને તારી સાથે પરણાવીશ. ત્યારે સહસ્ત્રરશ્મિએ કહ્યું કે ધિક્કાર છે આ રાજ્યને!
એ ઇન્દ્રધનુષ સમાન ક્ષણભંગુર છે અને આ વિષયોને પણ ધિક્કાર છે! એ દેખવા માત્ર
જ મનોજ્ઞ છે, મહાદુઃખરૂપ છે અને સ્વર્ગને ધિક્કાર છે, જે અવ્રત, અસંયમરૂપ છે અને
મરણના ભાજનથી એવા આ દેહને પણ ધિક્કાર! અને મનેય ધિક્કાર કે જે હું આટલો
કાળ વિષયાસક્ત થઈ, કામાદિક વેરી દ્વારા છેતરાયો. હવે હું એવું કરું કે જેથી
સંસારવનમાં ભ્રમણ ન કરવું પડે. અત્યંત દુઃખરૂપ એવી ચારે ગતિમાં ભ્રમણ કરતાં હું
બહુ થાક્યો છું. હવે જેનાથી ભવસાગરમાં ન પડાય એવું કરીશ. ત્યારે રાવણે કહ્યું કે આ
મુનિનું વ્રત વૃદ્ધોને શોભે છે. હે ભવ્ય! તું તો નવયુવાન છો. ત્યારે સહસ્ત્રરશ્મિએ કહ્યું કે
કાળને એવો વિવેક નથી કે તે વૃદ્ધને જ ગ્રસે અને તરુણને ન ગ્રસે. કાળ સર્વભક્ષી છે.
બાળ, વૃદ્ધ, યુવાન બધાને તે ગ્રસે છે. જેમ શરદનાં વાદળાં ક્ષણમાત્રમાં વિખરાઈ જાય છે
તેમ આ દેહ તત્કાળ નાશ પામે છે. હે રાવણ! જો આ વિષયભોગમાં સાર હોય તો
મહાપુરુષો તેનો ત્યાગ શા માટે કરે છે? ઉત્તમ બુદ્ધિવાળા આ મારા પિતાએ ભોગ છોડીને
યોગ આદર્યો છે તેથી યોગ જ સાર છે. આમ કહીને પોતાના પુત્રને રાજ્ય આપી,
રાવણની ક્ષમા માગી, પિતાની પાસે જિનદીક્ષા ગ્રહણ કરી અને અયોધ્યાના સ્વામી રાજા
અરણ્ય જે સહસ્ત્રરશ્મિનો પરમ મિત્ર છે તેમણે પહેલાં એવી વાત કરી હતી કે જો હું
પહેલાં દીક્ષા લઈશ તો તને ખબર આપીશ અને જો તું દીક્ષા લે તો મને ખબર આપજે
એટલે એને પણ પોતાના વૈરાગ્યના સમાચાર મોકલ્યા. સજ્જનોએ રાજા સહસ્ત્રરશ્મિના
દીક્ષાગ્રહણના સમાચાર રાજા અરણ્યને કહ્યા ત્યારે તે સાંભળીને પહેલાં તો સહસ્ત્રરશ્મિના
ગુણ યાદ કરીને આંસુ સારી વિલાપ કર્યો અને પછી વિષાદ છોડી પોતાની પાસે રહેલા
લોકોને મહાબુદ્ધિમાન કહેવા લાગ્યો કે રાવણ વેરીના વેશમાં તેમનો પરમ મિત્ર થયો. જે
ઐશ્વર્યના પિંજરામાં રાજા રોકાઈ રહ્યો હતો, તેનું ચિત્ત વિષયોથી મોહિત હતું, તે
પિંજરામાંથી તેને છોડાવ્યો. આ મનુષ્યરૂપી પક્ષી માયાજાળરૂપ પિંજરામાં પડે છે. પરમહિતુ
જ તેને તેમાંથી છોડાવે છે. માહિષ્મતી નગરીના રાજા સહસ્ત્રરશ્મિને ધન્ય છે કે જે
રાવણરૂપી જહાજ મેળવીને સંસારરૂપી સમુદ્રને તરી જશે. તે કૃતાર્થ થયો, અત્યંત દુઃખ
આપનાર એવું જે રાજકાજ તેને છોડીને જિનરાજનાં વ્રત ગ્રહણ કર્યાં. આ પ્રમાણે મિત્રની
પ્રશંસા કરી, પોતે પણ નાના પુત્રને રાજ્ય આપી, મોટા પુત્ર સાથે રાજા અરણ્ય મુનિ
થયા. હે શ્રેણિક! જ્યારે કોઈ ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય આવે ત્યારે શત્રુ અથવા મિત્રનું
નિમિત્ત પામીને જીવને કલ્યાણની બુદ્ધિ ઉપજે છે અને પાપકર્મના ઉદયથી દુર્બુદ્ધિ ઉપજે છે.
જે પ્રાણી આપણને ધર્મમાં લગાવે તે જ પરમમિત્ર છે અને જે ભોગ સામગ્રીમાં પ્રેરે તે
પરમ વેરી છે,
Page 121 of 660
PDF/HTML Page 142 of 681
single page version
અંધકાર દૂર થાય છે તેમ જિનવાણીના પ્રકાશથી મોહતિમિર દૂર થાય છે.
વૈરાગ્યનું નિરૂપણ કરનાર દસમું પર્વ પૂર્ણ થયું.
મંડિત સુભૂમ ચક્રવર્તીની જેમ તેણે પૃથ્વી ઉપર વિહાર કર્યો. જુદા જુદા દેશમાં જન્મેલા,
જુદા જુદા વેશવાળા, ભિન્ન ભિન્ન આભૂષણ પહેરેલા, જુદી જુદી ભાષા બોલતા. અનેક
રાજાઓ સાથે દિગ્વિજય કર્યો અને ઠેકઠેકાણે રત્નમયી, સુવર્ણમયી અનેક જિનમંદિર
બનાવરાવ્યાં, જીર્ણ ચૈત્યાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો, દેવાધિદેવ જિનેન્દ્રદેવની ભાવ સહિત
પૂજા કરી અને જૈન ધર્મના દ્વેષી દુષ્ટ હિંસક મનુષ્યોને શિક્ષા કરી અને ગરીબોને દયા
લાવીને ધનથી પૂર્ણ કર્યા. સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકોનો ખૂબ આદર કર્યો. સાધર્મી પર ઘણો
વાત્સલ્યભાવ તે રાખતો અને જ્યાં મુનિના સમાચાર સાંભળે ત્યાં જઈ ભક્તિથી પ્રણામ
કરતો, જે સમ્યક્ત્વરહિત દ્રવ્યલિંગ મુનિ હોય અને શ્રાવક હોય તેમની પણ શુશ્રૂષા કરતો.
જૈન માત્ર ઉપર અનુરાગ રાખનાર તે ઉત્તર દિશા તરફ દુસ્સહ પ્રતાપને પ્રગટ કરતો
આગળ વધ્યો. જેમ ઉત્તરાયણના સૂર્યનો અધિક પ્રતાપ હોય તેમ પુણ્યકર્મના પ્રભાવથી
રાવણનું દિવસે દિવસે તેજ વધતું ગયું. રાવણે સાંભળ્યું કે રાજપુરનો રાજા બહુ બળવાન
છે. તે અભિમાનને લીધે કોઈને પ્રણામ કરતો નથી, જન્મથી જ દુષ્ટ ચિત્તવાળો છે,
મિથ્યામાર્ગથી મોહિત છે અને જીવહિંસારૂપ યજ્ઞમાર્ગમાં પ્રવર્ત્યો છે. તે વખતે યજ્ઞનું કથન
સાંભળીને રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું કે હે પ્રભો! રાવણનું કથન તો પછી કહો,
પહેલાં યજ્ઞની ઉત્પત્તિની વાત કરો, જેમાં પ્રાણી જીવઘાતરૂપ ઘોર કર્મમાં પ્રવર્તે છે, તેનું
વૃત્તાંત શું છે? ગણધરદેવે કહ્યુંઃ હે શ્રેણિક! અયોધ્યામાં ઇક્ષ્વાકુવંશી રાજા યયાતિની રાણી
સુરકાંતાને વસુ નામનો પુત્ર હતો. તે જ્યારે ભણવા યોગ્ય થયો ત્યારે ક્ષીરકદંબ નામના
બ્રાહ્મણ પાસે મોકલ્યો. ક્ષીરકદંબની સ્ત્રી સ્વસ્તિમતી હતી તેને પર્વત નામે પાપી પુત્ર
હતો. ક્ષીરકદંબ પાસે અન્ય દેશનો નારદ નામનો એક ધર્માત્મા બ્રાહ્મણનો બાળક પણ
ભણવા આવ્યો હતો. રાજાનો પુત્ર, પોતાનો પુત્ર અને પરદેશી બ્રાહ્મણનો પુત્ર સાથે
ભણતા. ક્ષીરકદંબ અતિ ધર્માત્મા,
Page 122 of 660
PDF/HTML Page 143 of 681
single page version
સર્વ શાસ્ત્રમાં પ્રવીણ હતો. તે શિષ્યોને સિદ્ધાંત અને આચરણરૂપ ગ્રંથ, મંત્રશાસ્ત્ર, કાવ્ય
વ્યાકરણાદિ અનેક ગ્રંથોનો અભ્યાસ કરાવતો. એક દિવસ નારદ, વસુ અને પર્વત એ ત્રણે
સહિત ક્ષીરકદંબ વનમાં ગયો. ત્યાં એક ચારણમુનિ શિષ્યો સહિત વિરાજતા હતા. તેમના
એક શિષ્યમુનિએ કહ્યું કે આ એક ગુરુ અને ત્રણ શિષ્ય એમ ચાર જીવોમાંથી એક ગુરુ
અને એક શિષ્ય એ બે તો સુબુદ્ધિ છે અને બીજા બે શિષ્યો કુબુદ્ધિ છે. આવા શબ્દ
સાંભળીને ક્ષીરકદંબ સંસારથી અત્યંત ભયભીત થયા, શિષ્યોને શિખામણ આપીને
પોતપોતાને ઘેર મોકલ્યા, જાણે કે ગાયનાં વાછડાં બંધનમાંથી છૂટયાં, અને પોતે મુનિ
પાસે દીક્ષા લીધી. જ્યારે શિષ્ય ઘેર આવ્યા ત્યારે સ્વસ્તિમતિએ પર્વતને પૂછયું કે તારા
પિતાજી ક્યાં છે? તું એકલો જ ઘેર કેમ આવ્યો? પર્વતે જવાબ આપ્યો કે અમને તો
પિતાજીએ શિખામણ આપી અને કહ્યું કે હું પાછળથી આવું છું. આ વચન સાંભળીને
સ્વસ્તિમતિને વિકલ્પ ઊપજ્યો. પતિના આગમનની પ્રતીક્ષા કરતી તે દિવસ આથમ્યો
તોય પતિ ઘેર ન આવતાં ખૂબ શોક કરવા લાગી, પૃથ્વી ઉપર પડી અને રાત્રે ચકવીની
પેઠે દુઃખથી પીડિત વિલાપ કરવા લાગી કે હાય હાય! હું મંદભાગિણી પ્રાણનાથ વિના
હણાઈ ગઈ. કોઈ પાપીએ એમને માર્યા હશે, કોઈ કારણે એ દેશાંતરમાં ચાલ્યા ગયા હશે
કે સર્વશાસ્ત્રમાં નિપુણ હોવાથી સર્વ પરિગ્રહ ત્યાગીને, વૈરાગ્ય પામીને મુનિ થઈ ગયા
હશે? આમ વિલાપ કરતાં રાત્રિ પૂર્ણ થઈ. સવાર થતાં પર્વત પિતાને શોધવા નીકળ્યો.
ઉદ્યાનમાં નદીના કિનારે મુનિઓના સંઘ સહિત શ્રી ગુરુ બિરાજતા હતા તેમની સમિપે
વિનય સહિત પિતાને બેઠેલા જોયા ત્યારે પાછા આવી માતાને કહ્યું કે હે માતા! મારા
પિતાને તો મુનિઓએ મોહી લીધા છે તે નગ્ન થઈ ગયા છે. ત્યારે સ્વસ્તિમતિ સત્ય
જાણીને પતિના વિયોગથી અત્યંત દુઃખી થઈ. તે હાથથી છાતી કૂટવા લાગી અને પોકારી
પોકારીને રોવા લાગી, માથું કૂટવા લાગી. ત્યારે ધર્માત્મા નારદ આ વૃત્તાંત જાણીને
સ્વસ્તિમતિ પાસે આવ્યો. તેને જોઈને તે અત્યંત શોક કરવા લાગી ત્યારે નારદે કહ્યું કે હે
માતા! શા માટે વૃથા શોક કરો છો? તે ધર્માત્મા, પુણ્યના અધિકારી, સુંદર પ્રવૃત્તિવાળા,
જીવનને અસ્થિર જાણી તપ કરવાને ઉદ્યમી થયા છે. તે શોક કરવાથી પણ પાછા ઘેર
આવશે નહિ. તેમની બુદ્ધિ નિર્મળ છે. આ પ્રમાણે નારદે સંબોધન કર્યું ત્યારે તેનો શોક
થોડો ઘટયો, ઘરમાં ગઈ અને દુઃખથી પતિની સ્તુતિ અને નિંદા પણ કરવા લાગી. આ
ક્ષીરકદંબના વૈરાગ્યનું વૃત્તાંત સાંભળીને તત્ત્વના વેત્તા રાજા યયાતિ પોતાના પુત્ર વસુને
રાજ્ય આપીને મહામુનિ થયા. વસુનું રાજ્ય પૃથ્વી ઉપર પ્રસિદ્ધ થયું. તેણે આકાશતુલ્ય
નિર્મળ સ્ફટિકમણિના પોતાના સિંહાસનના પાયા બનાવ્યા. તે સિંહાસન ઉપર રાજા
બેસતો ત્યારે લોકો માનતા કે રાજા સત્યના પ્રતાપે આકાશમાં નિરાધાર રહે છે.
મુનિનો ધર્મ મહાવ્રતરૂપ છે અને ગૃહસ્થનો અણુવ્રતરૂપ. જીવહિંસા, અસત્ય, ચોરી, કુશીલ,
પરિગ્રહ આનો
Page 123 of 660
PDF/HTML Page 144 of 681
single page version
હિંસાદિક પાપોનો એકદેશ ત્યાગ તે શ્રાવકનું વ્રત છે. શ્રાવકનાં વ્રતોમાં પૂજા, દાન મુખ્ય
કહ્યાં છે. પૂજાનું નામ યજ્ઞ છે. “
કાર્યોમાં હોમ કરવો. જોકે આ પણ આરંભવાળી શ્રાવકની રીત છે. નારદનાં આવાં વચન
સાંભળીને પાપી પર્વત બોલ્યો, ‘અજ એટલે બકરું. તેની હિંસાનું નામ યજ્ઞ છે. આથી
અત્યંત ગુસ્સે થઈને નારદે કહ્યું કે હે પર્વત! આમ ન બોલ. આવાં વચનથી તું
મહાભયંકર વેદનાવાળા નરકમાં પડીશ. દયા જ ધર્મ છે, હિંસા પાપ છે. ત્યારે પર્વતે કહ્યું
કે મારો અને તારો ન્યાય વસુરાજા પાસે થશે. જે જૂઠો હશે તેની જીભ કાપી લેવામાં
આવશે. આમ કહીને પર્વત માતા પાસે ગયો. તેણે નારદ અને પોતાની વચ્ચે જે વિવાદ
થયો હતો તે બધો વૃત્તાંત માતાને કહ્યો ત્યારે માતાએ કહ્યું કે તું જૂઠો છો. તારા પિતાને
કહેતા અમે ઘણીવાર સાંભળ્યા છે કે અજ એટલે વાવતાં ન ઊગે એવી જૂની ડાંગર અને
જૂના જવ. અજ એટલે બકરું નહિ. શું પ્રાણીનો ક્યાંય હોમ કરાય છે? તું પરદેશ જઈને
માંસભક્ષણનો લોલુપી થયો છો તેથી માનના ઉદયથી જૂઠું બોલે છે, તે તને દુઃખનું કારણ
થશે. હે પુત્ર! ચોક્કસ તારી જીભ કાપવામાં આવશે. હું પુણ્યહીન, અભાગણી પુત્ર અને
પતિરહિત થઈને શું કરીશ? પુત્રને આમ કહીને તે પાપી વિચારવા લાગી કે રાજા વાસુ
પાસે અમારી ગુરુદક્ષિણા બાકી છે. વ્યાકુળ બનેલી તે વસુ પાસે આવી. રાજાએ
સ્વસ્તિમતિને જોઈને બહુ વિનય કર્યો. તેને સુખાસન પર બેસાડી, હાથ જોડી પૂછવા
લાગ્યો કે હે માતા! તમે આજ દુઃખી દેખાવ છો. તમે મને આજ્ઞા કરો તે હું કરું. ત્યારે
સ્વસ્તિમતિએ કહ્યું કે હે પુત્ર! હું ખૂબ દુઃખી છું. જે સ્ત્રી પતિ વિનાની હોય તેને સુખ
શેનું હોય? સંસારમાં પુત્ર બે પ્રકારના છે, એક પેટનો જણ્યો અને બીજો શાસ્ત્ર
ભણાવેલો. આમાં ભણાવેલો પુત્ર વિશેષ છે. એક સમળ છે, બીજો નિર્મળ છે. મારા
સ્વામીનો તું શિષ્ય છો, તું પુત્રથી પણ અધિક છો, તારી લક્ષ્મી જોઈને હું ધૈર્ય રાખું છું.
તે કહ્યું હતું કે માતા દક્ષિણા લ્યો અને મેં કહ્યું હતું કે સમય આવ્યે હું લઈશ. તે વચન તું
યાદ કર. જે રાજા પૃથ્વીના પાલનમાં ઉદ્યમી છે તે સત્ય જ કહે છે અને જે ઋષિ
જીવદયાના પાલનમાં સ્થિત છે તે પણ સત્ય જ કહે છે. તું સત્યથી પ્રસિદ્ધ છો, મને
દક્ષિણા આપ. જ્યારે સ્વસ્તિમતિએ આમ કહ્યું ત્યારે રાજાએ વિનયથી કહ્યું કે હે માતા!
તમારી આજ્ઞાથી હું નહિ કરવા યોગ્ય કામ પણ કરીશ માટે તમારા મનમાં જે હોય તે
કહો. તે વખતે પાપી બ્રાહ્મણીએ નારદ અને પર્વતના વિવાદનો સર્વ વૃત્તાંત કહ્યો અને
એમ પણ કહ્યું કે મારો પુત્ર સાવ જૂઠો છે, પણ તેના જૂઠને તમે સત્ય કરો. મારા કારણે,
તેનો માનભંગ ન થાય તેમ કરો. રાજાને તે વાત અયોગ્ય લાગવા છતાં અને દુર્ગતિનું
કારણ હોવા છતાં તેને માન્ય રાખી. બીજે દિવસે સવારમાં જ નારદ અને પર્વત રાજાની
પાસે આવ્યા, અનેક લોકો કૌતુહલ જોવા આવ્યા, સામંતો મંત્રીઓ વગેરે રાજ્યના ઘણાં
માણસો ભેગા થઈ
Page 124 of 660
PDF/HTML Page 145 of 681
single page version
ગયા. પછી સભા વચ્ચે નારદ અને પર્વત બન્ને વચ્ચે ઘણો વિવાદ થયો. નારદ કહેતો કે
અજ શબ્દનો અર્થ અંકુરશક્તિરહિત શાલિ (ડાંગર) છે અને પર્વત કહેતો કે બકરું છે.
પછી રાજા વસુને પૂછવામાં આવ્યું કે સત્યવાદીઓમાં પ્રસિદ્ધ છો માટે આપણા અધ્યાપક
ક્ષીરકદંબે કહ્યું હોય તે કહો. કુગતિમાં જવાની યોગ્યતાવાળા રાજાએ તે વખતે કહ્યું કે જે
પર્વત કહે છે તે જ ક્ષીરકદંબ કહેતા હતાં. આમ કહ્યું ત્યાં જ સિંહાસનના સ્ફટિકના પાયા
તૂટી ગયા, સિંહાસન જમીન ઉપર પડી ગયું. આથી નારદે કહ્યું કે હે વસુ! અસત્યના
પ્રભાવથી તારું સિંહાસન ડગી ગયું છે, હજી પણ તારે સાચું કહેવું યોગ્ય છે. તે વખતે
મોહના મદથી ઉન્મત્ત થયેલો તે કહેવા લાગ્યો કે જે પર્વત કહે છે તે સત્ય છે ત્યારે
મહાપાપના ભારથી, હિંસામાર્ગના પ્રવર્તનથી તે તત્કાળ સિંહાસન સહિત ધરતીમાં દટાઈ
ગયો. રાજા મરીને સાતમા નરકે ગયો કે જ્યાં મહાભયાનક વેદના છે. રાજા વસુ મૃત્યુ
પામેલો જોઈને સભાજનો વસુને અને પર્વતને ધિક્કારવા લાગ્યા. મહાન શોરબકોર થઈ
ગયો. દયાધર્મના ઉપદેશથી નારદની ખૂબ પ્રશંસા થઈ. બધા કહેવા લાગ્યા કે ‘જ્યાં ધર્મ
ત્યાં જય’. પાપી પર્વત હિંસાના ઉપદેશથી ધિક્કારદંડ પામ્યો. પાપી પર્વત દેશાંતરોમાં
ભ્રમણ કરતો હિંસામય શાસ્ત્રની પ્રવૃત્તિ કરવા લાગ્યો. પોતે વાંચતો અને બીજાઓને
શીખવતો. જેમ દીવા ઉપર પતંગિયાં આવીને ઝંપલાવે તેમ કેટલાક બહિર્મુખ જીવો
કુમાર્ગમાં પડયા. અભક્ષ્યનું ભક્ષણ અને ન કરવા યોગ્ય કામ કરવું એવો લોકોને ઉપદેશ
આપ્યો. કહેવા લાગ્યો કે પશુઓ (બકરા) યજ્ઞને માટે જ બનાવ્યા છે, યજ્ઞ સ્વર્ગનું કારણ
છે તેથી જે યજ્ઞમાં હિંસા થાય તે હિંસા નથી અને સૌત્રામણિ નામના યજ્ઞમાં વિધાનથી
સુરાપાન પણ દૂષણ નથી અને ગોયજ્ઞ નામના યજ્ઞમાં પરસ્ત્રીસેવન પણ કરે છે. આવો
હિંસાદિ માર્ગનો ઉપદેશ પર્વતે લોકોને આપ્યો. આસુરી માયાથી જીવોને સ્વર્ગે જતા
દેખાડયા. કેટલાક ક્રૂર જીવો કુકર્મમાં પ્રવર્તન કરીને કુગતિનાં અધિકારી થયા. હે શ્રેણિક!
આ તને હિંસાયજ્ઞની ઉત્પત્તિનું કારણ કહ્યું. હવે રાવણનું વૃત્તાંત સાંભળ.
અર્થે આવ્યા હતા. અનેક પશુઓ હોમ નિમિત્તે લાવવામાં આવ્યાં હતાં. તે વખતે આઠમા
નારદનું પદ ધારણ કરનાર મહાપુરુષ આકાશમાર્ગેથી ત્યાં આવી પહોંચ્યા. ત્યાં ઘણા
લોકોનો સમૂહ જોઈને, આશ્ચર્ય પામી મનમાં વિચારવા લાગ્યા કે આ નગર કોનું છે?
અને દૂર સેના કોની પડી છે? નગરની સમીપે આટલા બધા માણસો શા માટે એકઠા
થયા છે? આમ મનમાં વિચારીને તે આકાશમાંથી ભૂમિ ઉપર ઊતર્યા.
છે? ત્યારે
Page 125 of 660
PDF/HTML Page 146 of 681
single page version
નામની સ્ત્રી હતી. તે બ્રાહ્મણ તાપસતાં વ્રત લઈ વનમાં જઈ કંદમૂળ, ફળ વગેરે ખાતો.
બ્રાહ્મણી પણ તેની સાથે રહેતી. તેને ગર્ભ રહ્યો. ત્યાં એક દિવસ કેટલાક સંયમી મુનિ
આવ્યા, થોડીવાર બેઠા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ પાસે આવીને બેઠાં. બ્રાહ્મણી ગર્ભવતી,
પીળા શરીરવાળી, ગર્ભના ભારથી દુઃખપૂર્વક શ્વાસ લેતી સાપણ જેવી લાગતી. તેને
જોઈને મુનિને દયા આવી. તેમાંથી મોટા મુનિ બોલ્યા, ‘જુઓ આ પ્રાણી કર્મનાં વશે
જગતમાં ભ્રમણ કરે છે. ધર્મબુદ્ધિથી કુટુંબનો ત્યાગ કરી સંસારસાગર તરવા માટે’ તો હે
તાપસ! તું વનમાં આવીને રહ્યો. તો પછી આ દુષ્ટ કામ કેમ કર્યું. સ્ત્રીને ગર્ભવતી
બનાવી? તારામાં અને ગૃહસ્થમાં શો તફાવત છે? જેમ વમન કરેલા આહારને મનુષ્ય
ફરીવાર ખાતો નથી તેમ વિવેકી પુરુષ ત્યજી દીધેલા કામાદિને ફરી આદરતા નથી. કોઈ
વેષ ધારણ કરે અને સ્ત્રીનું સેવન કરે તો ભયાનક વનમાં શિયાળણી થઈને અનેક કુજન્મ
પામે છે, નરક નિગોદમાં જાય છે. જે કુશીલનું સેવન કરે, સર્વ આરંભમાં પ્રવર્તે અને
મદોન્મત થઈ પોતાને તાપસ માને તે મહાઅજ્ઞાની છે. કામસેવનથી દગ્ધ ચિત્ત અને
આરંભમાં પ્રવર્તતા હોય તેને તપ શેનું હોય? કુદ્રષ્ટિથી ગર્વિત, વેષધારી, વિષયાભિલાષી
જે કહે છે કે હું તપસી છું તે મિથ્યાવાદી છે. વ્રતી શાનો? સુખે બેસવું, સુખે સૂવું,
સૂખપૂર્વક આહારવિહાર કરવો, ઓઢવું, પાથરવું આદિ બધાં કામ કરે અને પોતાને સાધુ
માને તે મૂર્ખ પોતાને ઠગે છે. જે બળતા ઘરમાંથી નીકળીને પાછો તેમાં પ્રવેશ કેવી રીતે
કરાય? જેમ છિદ્ર મળતાં પિંજરામાંથી નીકળેલું પક્ષી પણ ફરી પોતાને પિંજરામાં નાખતું
નથી તેમ વિરક્ત થઈ પાછા કોણ ઇન્દ્રિયોને વશ થાય? જે ઇન્દ્રિયોને વશ થાય છે તે
લોકમાં નિંદાયોગ્ય થાય છે, આત્મકલ્યાણ પામતો નથી. સર્વ પરિગ્રહના ત્યાગી મુનિએ
એકાગ્ર ચિત્તે એક આત્મા જ ધ્યાવવા યોગ્ય છે. તારા જેવા આરંભીથી આત્માનું ધ્યાન
ક્યાંથી થાય? પ્રાણીઓને પરિગ્રહનાં પ્રસંગથી રાગદ્વેષ ઊપજે છે, રાગથી કામ ઊપજે છે,
દ્વેષથી જીવહિંસા થાય છે. કામક્રોધથી પીડિત જીવના મનને મોહ પીડે છે. મૂર્ખને કરવા
યોગ્ય અને ન કરવા યોગ્યની વિવેકરૂપ બુદ્ધિ હોતી નથી. જે અવિવેકથી અશુભ કર્મ
ઉપાર્જે છે તે ઘોર સંસારસાગરમાં ભમે છે. આ સંસર્ગનો દોષ જાણીને જે પંડિત છે તે
શીઘ્ર જ વૈરાગી થાય છે. પોતા વડે પોતાને જાણી વિષયવાસનાથી નિવૃત્ત થઈ
પરમધામને પામે છે. આ પ્રમાણે પરમાર્થરૂપ ઉપદેશનાં વચનો મહામુનિએ કહ્યાં. પછી
બ્રાહ્મણ બ્રહ્મરુચિ નિર્મોહી થઈને મુનિ થયો. પોતાની સ્ત્રી કુરમીનો ત્યાગ કરી ગુરુની
સાથે જ વિહાર કર્યો. તે બ્રાહ્મણી કુરમીએ શુદ્ધ બુદ્ધિથી પાપકર્મથી નિવૃત્ત થઈ શ્રાવકના
વ્રતને આદર્યા. રાગાદિના વશે સંસારનું પરિભ્રમણ થાય છે એમ જાણીને તેણે કુમાર્ગનો
સંગ છોડયો. જિનરાજની ભક્તિમાં તત્પર થઈ. પતિરહિત એકલી, મહાસતી સિંહણની
પેઠે વનમાં ભમતી. તેને દસમે મહિને પુત્ર જન્મ્યો. જ્ઞાનક્રિયાને જાણનારી તે મહાસતી
પુત્રને જોઈ મનમાં વિચારવા લાગી કે આ પુત્ર પરિવારનો સંબંધ અનર્થનું મૂળ છે, એમ
મુનિરાજે કહ્યું હતું તે સત્ય છે. તેથી હું
Page 126 of 660
PDF/HTML Page 147 of 681
single page version
આ પુત્રના સંગનો ત્યાગ કરી આત્મકલ્યાણ કરું. આ પુત્ર મહાભાગ્યવાન છે, એના રક્ષક
દેવ છે, આણે જે કર્મ ઉપાર્જ્યા છે તેનું ફળ તે અવશ્ય ભોગવશે. વનમાં અને સમુદ્રમાં
અથવા વેરીઓના ઘેરામાં પડેલા પ્રાણીનું રક્ષણ પણ તેના પૂર્વોપાર્જિત કર્મ જ કરે છે,
બીજું કોઈ નહિ અને જેનું આયુષ્ય અલ્પ હોય તે માતાની ગોદમાં બેઠાં પણ મૃત્યુ પામે
છે. આ બધા સંસારી જીવો કર્મોને આધીન છે. ભગવાન સિદ્ધ પરમાત્મા કર્મકલંકરહિત છે,
આવું જ્ઞાન જેને થયું છે એવી તેણે મહાનિર્મળ બુદ્ધિથી બાળકને વનમાં ત્યજીને,
વિકલ્પરૂપ જડતા ખંખેરીને અલોકનગરમાં પ્રવેશ કર્યો. ત્યાં ઇન્દ્રમાલિની નામની આર્યા
અનેક આર્યાઓની ગુરુ હતી, તેની પાસે આવી તે અર્જિકા બની.
પાલન કર્યું. અને આગમ, અધ્યાત્મશાસ્ત્રો શીખવ્યાં તેથી તે સિદ્ધાંતનું રહસ્ય જાણવા
લાગ્યો. મહાપંડિત થયો. તેને આકાશગામિની વિદ્યા પણ સિદ્ધ થઈ. તે યુવાન થયો,
શ્રાવકનાં વ્રત લીધાં. તે શીલવ્રતમાં અત્યંત દ્રઢ હતો. પોતાનાં માતાપિતા, જે આર્યા અને
મુનિ થયાં હતાં. તેમની વંદના કરતો. નારદ સમ્યગ્દર્શનમાં તત્પર છે, તેણે અગિયારમી
પ્રતિમા લઈ ક્ષુલ્લક શ્રાવકના વેષમાં વિહાર કર્યો, પરંતુ કર્મના ઉદયથી તેને તીવ્ર વૈરાગ્ય
નથી. તે ન ગૃહસ્થી છે ન સંયમી છે. તે ધર્મપ્રિય છે અને કલહપ્રિય પણ છે. તે વાચાળ
છે, ગાયનવિદ્યામાં પ્રવીણ છે, રાગ સાંભળવામાં તેને વિશેષ અનુરાગ છે, મહાપ્રભાવશાળી
છે, રાજાઓ વડે પૂજ્ય છે, તેની આજ્ઞા કોઈ લોપતું નથી, પુરુષો અને સ્ત્રીઓમાં સદાય
તેનું ખૂબ સન્માન છે, અઢી દ્વીપમાં મુનિ અને જિન ચૈત્યાલયોનાં દર્શન કરે, સદાય પૃથ્વી
અને આકાશમાં ફરતા જ રહે છે, તેની દ્રષ્ટિ કૌતુહલ કરવાની છે. તે દેવો દ્વારા વૃદ્ધિ
પામ્યા અને દેવ સમાન તેનો મહિમા છે, પૃથ્વી ઉપર તે દેવર્ષિ કહેવાય છે, વિદ્યાના
પ્રભાવથી સદા તેમણે અદ્ભુત ઉદ્યોત કર્યો છે.
ઊતર્યા. ત્યાં જઈને મરુતને કહેવા લાગ્યાઃ ‘હે રાજા! જીવની હિંસા એ દુર્ગતિનું જ દ્વાર
છે. તે આવું મહાપાપનું કામ કેમ શરૂ કર્યું છે?’ ત્યારે મરુત કહેવા લાગ્યોઃ ‘આ સંવર્ત
બ્રાહ્મણ સર્વ શાસ્ત્રોના અર્થમાં પ્રવીણ, યજ્ઞનો અધિકારી છે, એ બધું જાણે છે, એની સાથે
ધર્મ ચર્ચા કરો, યજ્ઞથી ઉત્તમ ફળ મળે છે.’ એટલે નારદે યજ્ઞ કરાવનારને કહ્યું કે હે
મનુષ્ય! તેં આ શું કાર્ય આરંભ્યું છે? સર્વજ્ઞ વીતરાગે આવા કાર્યને દુઃખનું કારણ કહ્યું છે.
ત્યારે સંવર્ત બ્રાહ્મણ કોપ કરીને કહેવા લાગ્યો કે અરે, તારી મૂઢતા ઘણી મોટી છે, તું
બિલકુલ મેળ વિનાની વાત કરે છે. તેં કોઈને સર્વજ્ઞ અને રાગરહિત વીતરાગ કહ્યા, પણ
તે સર્વજ્ઞ વીતરાગ હોય તે વક્તા ન હોય અને જે વક્તા હોય તે સર્વજ્ઞ વીતરાગ ન
હોય. તથા અશુદ્ધ મલિન જીવનું કહેલું વચન પ્રમાણ
Page 127 of 660
PDF/HTML Page 148 of 681
single page version
માર્ગ પ્રમાણ છે. વેદમાં શુદ્ર સિવાયના ત્રણ વર્ણોને યજ્ઞ કરાવવાનું કહ્યું છે. આ યજ્ઞ
અપૂર્વ ધર્મ છે, તે સ્વર્ગનાં અનુપમ સુખ આપે છે. વેદીમાં પશુનો વધ કરવો તે પાપનું
કારણ નથી, શાસ્ત્રમાં કહ્યો છે તે માર્ગ કલ્યાણનું જ કારણ છે. આ પશુઓની સૃષ્ટિ
વિધાતાએ યજ્ઞ માટે જ રચી છે માટે યજ્ઞમાં પશુના વધનો દોષ નથી. સંવર્ત બ્રાહ્મણના
આવાં વિપરીત વચનો સાંભળીને નારદે કહ્યુંઃ ‘હે વિપ્ર! તેં આ બધું અયોગ્ય જ કહ્યું છે,
તારો આત્મા હિંસાના માર્ગથી દૂષિત છે. હવે તું ગ્રંથના અર્થનો સાચો ભેદ સાંભળ. તું કહે
છે કે સર્વજ્ઞ નથી. હવે જો સર્વથા સર્વજ્ઞ ન હોય તો શબ્દ સર્વજ્ઞ, અર્થ સર્વજ્ઞ અને બુદ્ધિ
સર્વજ્ઞ આ ત્રણ ભેદ શા માટે કહ્યા છે? જો સર્વજ્ઞ પદાર્થ હોય તો જ કહેવામાં આવે. જો
સિંહ છે તો ચિત્રમાં જોઈએ છીએ માટે સર્વનાં દેખનાર અને જાણનાર સર્વજ્ઞ છે. સર્વજ્ઞ
ન હોય તો અમૂર્તિક અતીન્દ્રિય પદાર્થને કોણ જાણે? માટે સર્વજ્ઞનું વચન પ્રમાણે છે અને
તેં કહ્યું કે યજ્ઞમાં પશુઓનો વધ દોષ કરનાર નથી તો પશુનો વધ કરતાં તેને દુઃખ થાય
છે કે નહિ? જો દુઃખ થયું હોય તો પાપ લાગે જ, જેમ પારધી હિંસા કરે છે તે જીવોને
દુઃખ થાય છે અને તેને પાપ થાય જ છે. વળી, તે કહ્યું કે વિધાતા સર્વલોકના કર્તા છે
અને આ પશુ યજ્ઞને માટે બનાવ્યાં છે, તો એ કથન પ્રમાણ નથી. ભગવાન તો કૃતકૃત્ય
હોય છે. તેમને સૃષ્ટિ રચવાનું શું પ્રયોજન હોય? અને કહો કે એવી ક્રિડા કરે છે તો તે
કૃતાર્થનું કાર્ય ન હોય. ક્રીડા કરે તેને તો બાળક સમાન ગણવામાં આવે છે અને જો સૃષ્ટિ
રચે તો તે પોતાના જેવી રચે. તે તો સુખપિંડ છે અને આ સૃષ્ટિ દુઃખરૂપ છે. જે કૃતાર્થ
હોય તે કર્તા ન હોય ને જે કર્તા હોય તે કૃતાર્થ ન હોય. જેને કાંઈક ઈચ્છા હોય તે જ
કરે. જેને ઈચ્છા છે તે ઈશ્વર નથી અને ઈશ્વર વિના કરવાને સમર્થ નથી. માટે એમ
નક્કી થયું કે જેને ઈચ્છા છે તે કરવાને સમર્થ નથી અને જે કરવામાં સમર્થ છે તેને
ઈચ્છા નથી, માટે જેને તું વિધાતા-કર્તા માને છે તે કર્મથી પરાધીન તારા જેવો જ છે.
ઈશ્વર તો અમૂર્તિક છે, તેને શરીર હોતું નથી. શરીર વિના તે સૃષ્ટિ કેવી રીતે રચે? જો
યજ્ઞને માટે પશુ બનાવ્યાં હોય તો તેમને વાહનાદિ કાર્યમાં શા માટે જોડવામાં આવે છે?
માટે આ નિશ્ચય થયો કે આ ભવસાગરમાં અનાદિકાળથી આ જીવોએ રાગાદિ ભાવ વડે
કર્મ બાંધ્યા છે અને તેના કારણે તે જુદી જુદી યોનિઓમાં પરિભ્રમણ કરે છે. આ જગત
અનાદિ નિધન છે, કોઈનું કરેલું નથી. સંસારી જીવ કર્માધીન છે અને જો તું એમ પૂછીશ
કે કર્મ પહેલાં છે કે શરીર પહેલું છે? તો જેમ બીજ અને વૃક્ષ છે તેમ શરીર અને કર્મ
જાણવાં. બીજથી વૃક્ષ છે અને વૃક્ષથી બીજ છે. જેમનું કર્મરૂપી બીજ બળી ગયું તેને
શરીરરૂપ વૃક્ષ હોતું નથી અને શરીરવૃક્ષ વિના સુખદુઃખાદિ ફળ પણ આવતાં નથી. માટે
આ આત્મા મોક્ષાવસ્થામાં કર્મરહિત, મન ઇન્દ્રિયોથી અગોચર અદ્ભુત પરમ આનંદ
ભોગવે છે. તે નિરાકાર સ્વરૂપ અવિનાશી છે. તે અવિનાશી પદ દયાધર્મથી જ પ્રાપ્ત થાય
છે. તું કોઈ પુણ્યના ઉદયથી મનુષ્યભવ પામ્યો
Page 128 of 660
PDF/HTML Page 149 of 681
single page version
છો, બ્રાહ્મણનાં કુળમાં જન્મ્યો છો માટે પારધીઓનાં કાર્યથી નિવૃત્ત થા; અને જો
જીવહિંસાથી મનુષ્ય સ્વર્ગ પામતો હોય તો હિંસાના અનુમોદનથી રાજા વસુ નરકમાં કેમ
ગયા? જો કોઈ લોટના પશુ બનાવીને પણ તેનો ઘાત કરે તો પણ નરકનો અધિકારી
થાય છે, તો સાક્ષાત્ પશુહિંસાની તો શી વાત કરવી? આજે પણ યજ્ઞના કરાવનારા એવા
શબ્દો બોલે છે કે ‘હે વસુ! ઊઠ, સ્વર્ગમાં જા’. આમ કહીને અગ્નિમાં આહુતિ નાખે છે
તેથી સિદ્ધ થયું કે વસુ નરકમાં ગયો છે અને સ્વર્ગમાં ગયો નથી. તેથી હે સંવર્ત! આ
યજ્ઞ કલ્યાણનું કારણ નથી અને જો તું યજ્ઞ જ કરવા માગતો હો તો જેમ હું કહું તેમ કર.
આ ચિદાનંદ આત્મા તે યજમાન એટલે યજ્ઞ કરાવનાર છે, આ શરીર છે તે વિનયકુંડ
એટલે હોમકુંડ છે, સંતોષ છે તે યજ્ઞની સામગ્રી છે અને જે સર્વ પરિગ્રહ છે તે હવિ
એટલે હોમવા યોગ્ય વસ્તુ છે, કેશ તે દર્ભ છે, તેને ઉખાડવા (કેશલુંચન) અને સર્વ
જીવની દયા તે દક્ષિણા છે, જેનું ફળ સિદ્ધપદ છે એવું શુક્લધ્યાન તે પ્રાણાયામ છે.
સત્યમહાવ્રત તે યૂપ એટલે યજ્ઞમાં પશુને બાંધવાનો ખીલો છે, આ ચંચળ મન તે પશુ છે,
તપરૂપી અગ્નિ છે, પાંચ ઇન્દ્રિય તે સમિધ એટલે ઈંધન છે. આ યજ્ઞ ધર્મયજ્ઞ છે. વળી તું
કહે છે કે યજ્ઞથી દેવોની તૃપ્તિ કરીએ છીએ; તો દેવોને તો મનસા આહાર છે, તેમનું શરીર
સુગંધમય છે, અન્નાદિકનો પણ આહાર નથી તો માંસાદિકની તો શી વાત? માંસ તો
દુર્ગંધયુક્ત, દેખી પણ ન શકાય તેવું હોય છે. પિતાના વીર્ય અને માતાના લોહીથી
ઊપજેલું, જેમાં કૃમિની ઉત્પત્તિ નિરંતર થયા કરે તે મહાઅભક્ષ્ય માંસ દેવ કેવી રીતે
ખાય? વળી, આ શરીરમાં ત્રણ અગ્નિ છે; એક જ્ઞાનાગ્નિ, બીજો દર્શનાગ્નિ અને ત્રીજો
ઉદરાગ્નિ. અને તેમને જ આચાર્યો દક્ષિણાગ્નિ ગાર્હપત્ય આહ્વનીય કહે છે. સ્વર્ગલોકના દેવ
જો હાડ, માંસનું ભક્ષણ કરે તો દેવ શાના? જેવા શિયાળ, કૂતરા અને કાગડા તેવા તે
પણ થયા. નારદે આવાં વચન કહ્યાં.
પરાજ્ય પામેલો તે નિર્દય, ક્રોધના ભારથી કંપતો, ઝેરી સાપ જેવાં લાલ નેત્રોવાળો,
કકળાટ કરવા લાગ્યો. અનેક વિપ્રો ભેગા થઈને લડવા માટે હાથપગ વગેરે ઉછાળતા
નારદને મારવા તૈયાર થયા. જેમ દિવસે કાગડો ઘુવડ પર તૂટી પડે તેમ નારદ પણ
કેટલાકને મુક્કાથી, કેટલાકને મુદ્ગરથી, કેટલાકને કોણીથી મારતા ફરવા લાગ્યા. પોતાના
શરીરરૂપી શસ્ત્રથી ઘણાને માર્યા, મોટી લડાઈ થઈ ગઈ. અલબત, એ ઝાઝા હતા અને
નારદ એકલા, તેથી આખા શરીરમાં પીડા થઈ. પક્ષીની જેમ બાંધનારાઓએ ઘેરી લીધા,
આકાશમાં ઊડી શકવાને અસમર્થ થયા, પ્રાણ બચવાની પણ શંકા થવા લાગી. તે જ
વખતે રાવણનો દૂત રાજા મરુત પાસે આવ્યો હતો. તેણે નારદને ઘેરાયેલા જોઈને પાછા
જઈને રાવણને કહ્યું કે મહારાજ! આપે મને જેની પાસે મોકલ્યો હતો તે મહાદુર્જન છે.
તેના દેખતાં જ બ્રાહ્મણોએ એકલા નારદને ઘેરી લીધા છે અને તેમને મારે છે, જેમ કીડીઓનો
Page 129 of 660
PDF/HTML Page 150 of 681
single page version
રાવણ આ વૃત્તાંત સાંભળીને ગુસ્સે થયો. પવનથી પણ શીઘ્ર ગતિ કરનાર વાહનમાં
બેસીને ચાલ્યો અને ખુલ્લી સમશેર સાથે જે સામંતોને આગળ દોડાવ્યા હતા તે એક
પલકમાં યજ્ઞશાળામાં પહોંચી ગયા અને તત્કાળ નારદને શત્રુના ઘેરામાંથી બચાવ્યા.
યજ્ઞના થાંભલા તોડી નાખ્યા, યજ્ઞ કરાવનારા બ્રાહ્મણોને ખૂબ માર્યા, યજ્ઞશાળા તોડી
નાખી, રાજાને પણ પકડી લીધો. રાવણે બ્રાહ્મણો ઉપર ખૂબ ગુસ્સો કર્યો કે મારા રાજ્યમાં
જીવહિંસા કરો છો, આ શી વાત છે? તેમને એટલા માર્યા કે મૂર્છિત થઈને પૃથ્વી પર પડી
ગયા. પછી સુભટો તેમને કહેવા લાગ્યા કે તમને દુઃખ જેવું ખરાબ લાગે છે અને સુખ
સારુ લાગે છે તેમ પશુને પણ જાણો. તમને જેટલું જીવન વ્હાલું છે તેમ સર્વ જીવને જાણો.
તમને ટિપાતા કષ્ટ થાય છે તો પશુઓનો વિનાશ કરતાં તેમને કેમ ન થાય? તમે પાપનું
ફળ ભોગવો અને ભવિષ્યમાં પણ નરકનું દુઃખ ભોગવશો. આ પ્રમાણે બોલતા ઘોડેસવાર
તથા ખેચર, ભૂચર બધા જ માણસો હિંસકોને મારવા લાગ્યા. તેઓ વિલાપ કરવા લાગ્યા
કે અમને છોડી દ્યો. ફરી અમે આવું કામ નહિ કરીએ. આમ દીન વચન બોલીને રોવા
લાગ્યા, પણ રાવણને તેમના ઉપર ગુસ્સો હતો એટલે એમને છોડતો નહોતો ત્યારે અત્યંત
દયાળુ નારદે રાવણને કહ્યું કે હે રાજન્! તારું કલ્યાણ થાવ. તેં આ દુષ્ટો પાસેથી મને
છોડાવ્યો, હવે એમના ઉપર પણ દયા કર. જિનશાસનમાં કોઈને દુઃખ આપવાનું કહ્યું
નથી. સર્વ જીવોને જીવન વ્હાલું છે. તેં શું સિદ્ધાંતમાં આ વાત નથી સાંભળી કે
હુંડાવસર્પિણી કાળમાં પાખંડીઓની પ્રવૃત્તિ થાય છે. અત્યારે ચોથા કાળમાં શરૂઆતમાં
ઋષભદેવ ભગવાન પ્રગટયા, ત્રણે લોકમાં ઊંચ જિન ભગવાનનો જન્મ થતાં જ દેવો
તેમને સુમેરુ પર્વત પણ લઈ ગયા, ક્ષીરસાગરના જળથી સ્નાન કરાવ્યું, તે મહાક્રાંતિના
ધારક ઋષભનાથ જિનેન્દ્રનું દિવ્ય ચારિત્ર પાપનો નાશ કરનારું ત્રણ લોકમાં પ્રસિદ્ધ છે, શું
તેં તે સાંભળ્યું નથી? તે ભગવાન પ્રાણીમાત્ર પર દયા રાખનાર, જેમના ગુણ ઈન્દ્ર પણ
કહેવાને સમર્થ નથી તે વીતરાગ નિર્વાણના અધિકારી આ પૃથ્વીરૂપ સ્ત્રીને છોડીને
જગતના કલ્યાણ નિમિત્તે મુનિપદ ધારવા લાગ્યા. કેવા છે પ્રભુ? જેમનો આત્મા નિર્મળ
છે. કેવી છે પૃથ્વીરૂપ સ્ત્રી? જે વિંધ્યાચળ પર્વત અને હિમાલય પર્વતરૂપ છે. ઉત્તુંગ સ્તન
જેને, આર્યક્ષેત્ર છે મુખ જેને, સુંદર નગરોરૂપી ચૂડા છે. સમુદ્ર તેની કટિમેખલા છે,
નીલવન તેના કેશ છે, નાના પ્રકારનાં રત્નો તે જ તેનાં આભૂષણ છે ઋષભદેવે મુનિ
બનીને એક હજાર વર્ષ સુધી મહાતપ કર્યું. જેમનો યોગ અચળ, જેમના બાહુ લંબાયમાન
એવા ઋષભદેવ પ્રત્યેના અનુરાગથી કચ્છાદિ ચાર હજાર રાજાઓએ મુનિનો ધર્મ જાણ્યા
વિના જ દીક્ષા લીધી. તે પરિષહ સહન ન કરી શક્યા ત્યારે ફળાદિનું ભક્ષણ અને
વલ્કલો પહેરી તાપસ થયા. ઋષભદેવે હજાર વર્ષ સુધી તપ કરીને વડવૃક્ષની નીચે
કેવળજ્ઞાન પ્રગટ કર્યું. ઈન્દ્રાદિક દેવોએ કેવળજ્ઞાન કલ્યાણક કર્યું, સમોસરણની રચના થઈ.
ભગવાન દિવ્ય ધ્વનિથી અનેક જીવો કૃતાર્થ થયા. જે કચ્છાદિ રાજાઓ ચારિત્રભ્રષ્ટ થયા
હતા તે ધર્મમા દ્રઢ થઈ ગયા, મારીચના
Page 130 of 660
PDF/HTML Page 151 of 681
single page version
દીર્ધ સંસારના યોગથી મિથ્યાભાવ ન છૂટયો. જે સ્થાન પર ભગવાનને કેવળજ્ઞાન
ઉપજ્યું હતું તે સ્થાન પર દેવોએ ચૈત્યાલયોની સ્થાપના કરી. ઋષભદેવની પ્રતિમા
પધરાવી અને ભરત ચક્રવર્તીએ વિપ્રવર્ણની સ્થાપના કરી હતી. તે પાણીમાં તેલના
ટીપાની જેમ ખૂબ ફેલાઈ ગયા. તેમણે આ જગતને મિથ્યાચારથી મોહિત કર્યું, લોકો
કુકર્મમાં પ્રવર્તવા લાગ્યા, સુકૃતનો પ્રકાશ નષ્ટ થઈ ગયો. જીવો સાધુના અનાદરમાં
તત્પર થયા. પહેલાં સુભૂમ ચક્રવર્તીએ તેમનો નાશ કર્યો હતો તો પણ એમનો અભાવ
ન થયો. હે દશાનન! તારાથી તેમનો અભાવ કેવી રીતે થશે? માટે તું પ્રાણીઓની
હિંસાથી નિવૃત્ત થા. કોઈની કદી પણ હિંસા કરવી નહિ. જ્યારે ભગવાનના ઉપદેશથી
પણ જગત મિથ્યામાર્ગથી રહિત ન થયું, કોઈક જીવો સવળા થયા, તો પછી આપણા
જેવાથી સકળ જગતનું મિથ્યાત્વ કેવી રીતે ટળી શકે? ભગવાન તો સર્વને દેખનારા,
જાણનારા છે. આ પ્રમાણે દેવર્ષિ નારદનાં વચનો સાંભળી કેકસી માતાની કૂખે જન્મેલો
રાવણ તે પુરાણકથા સાંભળીને અત્યંત પ્રસન્ન થયો. તેણે વારંવાર જિનેશ્વરદેવને
નમસ્કાર કર્યા. નારદ અને રાવણ મહાપુરુષની મનોજ્ઞ કથાથી ક્ષણેક સુખમાં રહ્યા.
મહાપુરુષોની કથામાં ભિન્નભિન્ન પ્રકારના રસ ભરેલા હોય છે.
અજ્ઞાનીએ અજ્ઞાનીઓના ઉપદેશથી હિંસામાર્ગરૂપ ખોટી પ્રવૃત્તિ કરી તે બદલ આપ ક્ષમા
કરો. જીવોને અજ્ઞાનથી ખોટી ચેષ્ટા થાય છે, હવે મને ધર્મના માર્ગમાં લાવો અને મારી
પુત્રી કનકપ્રભાને આપ પરણો. સંસારમાં જે ઉત્તમ પદાર્થો છે. તેના માટે આપ જ પાત્ર
છો. રાવણ પ્રસન્ન થયો. રાવણ જે નમ્ર બને તેના પ્રત્યે દયા રાખે છે. રાવણે તેની પુત્રી
સાથે લગ્ન કર્યાં અને તેને પોતાનો બનાવ્યો. તે સ્ત્રી રાવણને અત્યંત પ્રિય બની. મરુતે
રાવણના સામંતોનો ખૂબ સત્કાર કર્યો. તેમને નાના પ્રકારનાં વસ્ત્રાભૂષણ, હાથી, ઘોડા,
રથ આપ્યાં, રાવણ કનકપ્રભા સહિત રમતો રહ્યો. તેને એક વર્ષ પછી કૃતચિત્ર નામની
પુત્રી થઈ. જોનારાઓને તે પોતાના રૂપથી આશ્ચર્ય ઉપજાવતી, જાણે કે મૂર્તિમંત શોભા જ
હતી. રાવણના સામંતો મહાશૂરવીર અને તેજસ્વી હતા. તે સંપૂર્ણ પૃથ્વી પર ફરતા રહ્યા.
ત્રણ ખંડમાં જે રાજા પ્રસિદ્ધ હતા અને બળવાન હતા તે રાવણના યોદ્ધા આગળ દીન
બની ગયા. બધા જ રાજા વશ થયા. રાજાઓને રાજ્યભંગ થવાનો ભય હતો. વિદ્યાધરો
ભરતક્ષેત્રનો મધ્યભાગ જોઈને આશ્ચર્ય પામ્યા. મનોજ્ઞ પહાડ, મનોજ્ઞ વનને જોઈ લોકો
કહેતા કે અહો! સ્વર્ગ પણ આથી વધારે રમણીક નથી. મનમાં એવું થાય છે કે અહીં જ
રહીએ. સમુદ્ર સમાન જેની વિશાળ સેના છે એવા રાવણની કોઈ જોડ નથી. અહો!
અદ્ભુત ધૈર્ય, અદ્ભુત ઉદારતા રાવણમાં છે, સર્વ વિદ્યાધરોમાં તે શ્રેષ્ઠ જણાય છે. આ
પ્રમાણે બધા માણસો તેની પ્રશંસા કરે છે. પછી જ્યાં જ્યાં રાવણ ગયો ત્યાં ત્યાં લોકો
સામા આવીને તેને મળતા રહ્યા. પૃથ્વી પરના જે જે રાજાની સુંદર પુત્રીઓ હતી તે
રાવણને પરણી. જે નગરની
Page 131 of 660
PDF/HTML Page 152 of 681
single page version
બધાં કામ છોડીને તેને જોવા દોડતી, કેટલીક ઝરૂખામાં બેસી ઉપરથી આશિષ દેતી ફૂલ
વરસાવતી, રાવણ મેઘ સમાન શ્યામસુંદર છે, પાકા બિંબફળો જેવા તેના લાલ અધર છે,
મુગટના જાતજાતના મણિઓથી તેનું શિર શોભે છે, મુક્તાફળની જ્યોતિરૂપ જળથી તેનું
મુખચંદ્ર ધોયું હોય તેવું લાગે છે, ઈન્દ્રનીલમણિ જેવા શ્યામસઘન તેના કેશ છે અને
સહસ્ત્રપત્ર કમળ સમાન તેનાં નેત્ર છે, વક્ર, શ્યામ, ચીકણી બે ભ્રમરોથી તે શોભે છે.
શંખ સમાન તેની ગ્રીવા છે અને વૃષભ સમાન સ્કંધ, તેનું વક્ષસ્થળ પુષ્ટ અને વિસ્તીર્ણ
છે. દગ્ગજની સૂંઢ સમાન તેની ભુજા છે, સિંહ જેવી પાતળી કેડ છે, કદલી વૃક્ષ જેવી સુંદર
જાંધ છે, કમળ સમાન ચરણ છે, સમચતુરસ્ત્ર સંસ્થાનનું ધારક મનોહર શરીર છે, અધિક
ઊંચો નથી, અધિક ટૂંકો નથી, બહુ કૃશ કે સ્થૂળ નથી, શ્રીવત્સ આદિ બત્રીસ લક્ષણોથી
યુક્ત છે. રત્નોનાં કિરણોથી દેદીપ્યમાન મુગટ, મનોહર કુંડળ, જેના હાથ પર બાજુબંધ
અને મોતીનો હાર છાતી પર શોભી રહ્યો છે, અર્ધચક્રવર્તીની વિભૂતિના ભોક્તા રાવણને
જોઈ લોકો ખૂબ પ્રસન્ન થતા. તેઓ અંદરોઅંદર વાત કરતા કે આ દશમુખે માસીના
દીકરા વૈશ્રવણને જીત્યો, રાજા યમને જીત્યો, કૈલાશ ઊંચકવાનો પ્રયત્ન કર્યો, રાજા
સહસ્ત્રરશ્મિને વૈરાગ્ય ઉત્પન્ન કરાવ્યો, મરુતના યજ્ઞનો વિધ્વંસ કર્યો છે. આપણા પુણ્યના
ઉદયથી આ દિશામાં આવ્યો છે. કેકસી માતાના આ પુત્રનાં રૂપગુણનું વર્ણન કોણ કરી
શકે? એનું દર્શન લોકોને પરમ ઉત્સવનું કારણ છે. જેની કૂખે એ જન્મ્યો તે સ્ત્રી
પુણ્યવાન છે, જેને ઘેર જન્મ્યો તે પિતા ધન્ય છે અને જેના કુળમાં એ જન્મ્યો તે
સગાંસંબંધીઓને પણ ધન્ય છે અને જે સ્ત્રી તેની રાણીઓ બની તેના ભાગ્યની તો વાત
જ શી? આ પ્રમાણે સ્ત્રીઓ ઝરૂખામાં બેઠી બેઠી વાતો કરે છે અને રાવણની સવારી
ચાલી જાય છે. જ્યારે રાવણ આવે છે ત્યારે એક મુહૂર્ત માટે તો ગામની સ્ત્રીઓ ચિત્ર
જેવી બની જાય છે. તેના રૂપ અને સૌભાગ્યથી જેમનું ચિત્ત આકર્ષાય છે એવાં સ્ત્રી-
પુરુષોને માટે રાવણ સિવાય બીજી કોઈ વાત રહેતી નથી. દેશ, નગર, ગામ અને ગામના
સમૂહોમાંથી જે મુખ્ય પુરુષ હોય છે તે નાના પ્રકારની ભેટ લઈને રાવણને મળતા અને
હાથ જોડી, નમસ્કાર કરી વિનંતી કરતા કે હે દેવ! આપ મહાવૈભવના પાત્ર છો, આપના
ઘરમાં સર્વ વસ્તુઓ વિદ્યમાન છે, હે રાજાધિરાજ! નંદનાદિ વનમાં જે મનોજ્ઞ વસ્તુ પ્રાપ્ત
થાય છે તે સકળ વસ્તુઓ પણ ચિંતવન માત્રથી જ આપને સુલભ છે. એવી કઈ અપૂર્વ
વસ્તુઓ છે કે જે આપને ભેટ ધરીએ તો પણ આ ન્યાય છે કે ખાલી હાથે રાજાને મળાય
નહિ તેથી અમારા જેવી કાંઈક વસ્તુ અમે ભેટ આપીએ છીએ. જેમ દેવો ભગવાન
જિનેન્દ્રદેવની સુવર્ણકમળોથી પૂજા કરે છે તેમને શું મનુષ્ય પોતાને યોગ્ય સામગ્રીથી નથી
પૂજતા? આ પ્રમાણે જુદા જુદા દેશના સામંતો મહાન ઋદ્ધિધારક રાવણને પૂજતા હતા.
રાવણ તેમનું મધુર વચનોથી ખૂબ સન્માન કરતો. રાવણ પૃથ્વીને ખૂબ સુખી જોઈને
પ્રસન્ન થયો, જેમ કોઈ પોતાની સ્ત્રીને જાતજાતનાં રત્નાભૂષણોથી મંડિત જોઈ
Page 132 of 660
PDF/HTML Page 153 of 681
single page version
સુખી થાય તેમ. રાવણ જે માર્ગે નીકળતો તે દેશમાં વાવ્યા વિના જ સ્વયંમેવ ધાન્ય
ઉત્પન્ન થતું, પૃથ્વી અત્યંત શોભાયમાન થતી, પ્રજાજનો ખૂબ આનંદિત થઈ અનુરાગરૂપી
જળથી એની કીર્તિરૂપી વેલને સીંચતા. તે કીર્તિ નિર્મળ સ્વરૂપવાળી હતી. કિસાનો કહેતા
કે આપણા મહાભાગ્ય કે આપણા દેશમાં રત્નશ્રવાનો પુત્ર રાવણ આવ્યો. આપણે દીન
લોકો ખેતીમાં જ આસક્ત, લૂખા શરીરવાળા, ફાટેલાં કપડાંવાળા, કઠણ હાથપગવાળા,
આપણો આટલો સમય સુખસ્વાદરહિત ક્લેશમાં જ ગયો. હવે આના પ્રભાવથી આપણે
સંપદાવાન બન્યા. પુણ્યનો ઉદય આવ્યો કે સર્વ દુઃખોને દૂર કરનાર રાવણનું અહીં
આગમન થયું. જે જે દેશમાં એ કલ્યાણથી ભરપૂર વિચરતો તે તે દેશ સંપદાથી પૂર્ણ થતો.
દશમુખ ગરીબોની ગરીબાઈ જોઈ શકતો નહિ. જેનામાં દુઃખ મટાડવાની શક્તિ ન હોય તે
ભાઈઓની સિદ્ધિ શું કામની? આ તો સર્વ પ્રાણીઓનો મોટો ભાઈ થયો હતો. આ રાવણ
ગુણો વડે લોકોને આનંદ ઉપજાવતો. જેના રાજ્યમાં ઠંડી કે ગરમી પણ પ્રજાને બાધા ન
પહોંચાડે તો ચોર, લૂંટારા, ચાડીખોર કે સિંહગજાદિકની બાધા ક્યાંથી હોય? જેના રાજ્યમાં
પવન, પાણી, અગ્નિની પણ પ્રજાને બાધા નહોતી, બધી બાબતો સુખદાયક જ થતી.
વીજળીરૂપી સોનાની સાંકળ પહેરેલા અને બગલાની પંક્તિરૂપી ધજાથી શોભિત છે.
ઇન્દ્રધનુષ્યરૂપ આભૂષણ પહેરીને જ્યારે વર્ષાઋતુ આવી ત્યારે દશે દિશાઓમાં અંધકાર
થઈ ગયો, રાત્રિ-દિવસનો ભેદ જણાતો નહોતો એ યોગ્ય જ છે. જે શ્યામ હોય તે
શ્યામપણું જ પ્રગટ કરે. મેઘ પણ શ્યામ અને અંધકાર પણ શ્યામ. પૃથ્વી પર મેઘની મોટી
ધારા અખંડ વરસવા લાગી. જે માનિની નાયિકાના મનમાં માનનો ભાર હતો તે
મેઘગર્જન વડે ક્ષણમાત્રમાં વિલય પામ્યો અને મેઘના ધ્વનિથી ભય પામેલી જે માનિની
સ્ત્રી હતી તે સ્વયંમેવ ભર્તારને સ્નેહ કરવા લાગી. મેઘની કોમળ, શીતળ ધારા મુસાફરોને
બાણ જેવી લાગતી. મર્મવિદારક ધારાના સમૂહથી જેમનું હૃદય ભેદાઈ ગયું છે એવા
પ્રવાસીઓ ખૂબ વ્યાકુળ બન્યા, જાણે કે તીક્ષ્ણ ચક્રથી છેદાઈ ગયા હોય. નવીન વર્ષાના
જળથી જડતા પામેલ પથિકો ક્ષણમાત્રમાં ચિત્ર જેવા થઈ ગયા. ગાયના ઉદરમાંથી નિરંતર
દૂધની ધારા વર્ષે છે તે જાણે ક્ષીરસાગરના મેઘ ગાયના ઉદરમાં બેસી ગયા હોય તેમ લાગે
છે. વર્ષાઋતુમાં કિસાનો ખેતીના કામમાં પ્રવર્તે છે. રાવણના પ્રભાવથી તે મહાધનના ધણી
બની ગયા. રાવણ બધાં જ પ્રાણીઓના ઉત્સાહનું કારણ બન્યો.
સ્ત્રીઓનાં ચિત્તને અભિલાષી કરતો જાણે કે સાક્ષાત્ વર્ષાકાળનું સ્વરૂપ જ છે. તેનો
અવાજ ગંભીર છે, જેમ મેઘ ગાજે છે તેમ રાવણ ગર્જના કરે છે. રાવણની આજ્ઞાથી સર્વ
નરેન્દ્રો આવી મળ્યા, હાથ જોડી
Page 133 of 660
PDF/HTML Page 154 of 681
single page version
રાવણને વરીને અત્યંત ક્રીડા કરવા લાગી, જેમ વર્ષા પહાડને પામીને અત્યંત વરસે તેમ.
વૈશ્રવણ યક્ષના માનનું મર્દન કરનાર, દિગ્વિજય માટે નીકળેલ, તેને સમસ્ત પૃથ્વીને
જીતતો જોઈ સૂર્ય લજજા અને ભયથી વ્યાકુળ થઈને દબાઈ ગયો.
મેઘમાળાથી આચ્છાદિત થાય છે અને તારા પણ દેખાતા નથી. આ વર્ષાઋતુ સ્ત્રી સમાન
છે, વીજળી તેની કટિમેખલા છે, ઇન્દ્રધનુષ્ય તે વસ્ત્રાભૂષણ છે, પયોધર (મેઘ અને
સ્તન) ને વક્ષસ્થળ છે. રાવણ મહામનોહર કેતકીની વાસ અને પદ્મિની સ્ત્રીઓના
શરીરની સુગંધને પોતાના શરીરની સુગંધથી જીતી લે છે. તેના સુગંધી શ્વાસથી ખેંચાઈને
ભમરાઓ ગુંજારવ કરે છે. ગંગાતટ પર પડાવ નાખીને વર્ષાઋતુ પૂર્ણ કરી. ગંગાના તટ
પર હરિત તૃણ શોભે છે, નાના પ્રકારનાં પુષ્પોની સુગંધ ફેલાઈ રહી છે, ઊંચા ઊંચા વૃક્ષો
શોભે છે. રાવણે અતિ સુખપૂર્વક ચાતુર્માસ પૂર્ણ કર્યું. હે શ્રેણિક! જે પુણ્યાધિકારી મનુષ્ય
છે તેનું નામ સાંભળીને સર્વ લોકો નમસ્કાર કરે છે અને સુંદર સ્ત્રીઓ સ્વયંમેવ આવીને
વરે છે, ઐશ્વર્યના નિવાસ પરમ વૈભવ પ્રગટ થાય છે. તેમના તેજથી સૂર્ય પણ શીતલ
થાય છે; આમ જાણીને, આજ્ઞા માનીને, સંશય છોડીને, પુણ્યપ્રાપ્તિનો યત્ન કરો.
રાવણના દિગ્વિજયનું વર્ણન કરનાર અગિયારમું પર્વ પૂર્ણ થયું.
પુત્રીને પરણાવવાનું મંગલ કાર્ય કરવું યોગ્ય છે. રાવણને પુત્રીના વિવાહની ચિંતામાં
તત્પર જોઈને રાજા હરિવાહને પોતાના પુત્રને પાસે બોલાવ્યો. રાવણે હરિવાહનના પુત્રને
અતિસુંદર અને વિનયવાન જોઈને પોતાની પુત્રી પરણાવવાની ઈચ્છા કરી. રાવણે
પોતાના મનમાં વિચાર્યું કે મથુરા નગરીનો રાજા હરિવાહન સર્વ નીતિશાસ્ત્રોમાં પ્રવીણ છે,
અમારાં ગુણોની કીર્તિમાં તેને પ્રેમ છે, તેનો પ્રાણથીય પ્યારો પુત્ર મધુ પ્રશંસાયોગ્ય છે,
મંત્રીઓએ રાવણને કહ્યું કે હે દેવ! આ મધુકુમાર પરાક્રમી છે, તેના ગુણોનું વર્ણન થાય
તેમ નથી. તેના શરીરમાંથી સુગંધ ફોરે છે, જે સર્વ લોકોનું મન
Page 134 of 660
PDF/HTML Page 155 of 681
single page version
હરી લે છે. મધુ નામ મિષ્ટાન્નનું છે, તે મિષ્ટભાષી છે. મધુ એટલે મકરંદ, તે મકરંદથી
પણ અધિક સુગંધી છે. એના એટલા જ ગુણ નથી. અસુરોના ઇન્દ્ર ચમરેન્દ્રે એને
મહાગુણરૂપ ત્રિશૂલરત્ન આપ્યું છે. તે ત્રિશૂલ વેરી પર ફેંકાતાં નિષ્ફળ જતું નથી. આપ
એના કાર્યો વડે જ એનાં ગુણ જાણશો. અમે વચનથી કેટલું કહીએ? તેથી હે દેવ! તેની
સાથે સંબંધ કરવાનો વિચાર કરો. એ પણ આપની સાથે સંબંધ બાંધીને કૃતાર્થ થશે.
જ્યારે મંત્રીઓએ તેને આ પ્રમાણે કહ્યું ત્યારે રાવણે તેને પોતાનો જમાઈ બનાવ્યો અને
યોગ્ય સામગ્રી તેને આપી. રાવણે ખૂબ વૈભવથી પોતાની પુત્રી પરણાવી. આ રાવણની
પુત્રી સાક્ષાત્ પુણ્યલક્ષ્મી, સુંદર શરીરવાળી, પતિનાં મન અને નેત્રને હરનારી હતી. તેને
પામીને મધુ અતિ પ્રસન્ન થયો.
ત્રિશૂલરત્નની પ્રાપ્તિનું કારણ કહેવા લાગ્યા- હે શ્રેણિક! ધાતકીખંડ નામે દ્વીપના ઐરાવત
ક્ષેત્રમાં શતદ્વાર નામના નગરમાં બે મિત્રો રહેતા હતા. તેમની વચ્ચે પ્રેમનું મહાબંધન હતું.
એકનું નામ સુમિત્ર, બીજાનું નામ પ્રભવ હતું. આ બન્ને એક ચટશાળામાં ભણીને પંડિત
થયા. કેટલાક દિવસો પછી સુમિત્ર રાજા થયો. અનેક સામંતોથી સેવિત, પૂર્વોપાર્જિત
પુણ્યકર્મના પ્રભાવથી તે પરમોદય પામ્યો, અને બીજો મિત્ર પ્રભવ ગરીબ કુળમાં જન્મ્યો
હતો. સુમિત્રે તેને સ્નેહથી પોતાના જેવો કર્યો. એક દિવસ રાજા સુમિત્રને દુષ્ટ ઘોડો
વનમાં ઉપાડી ગયો. ત્યાં દુરિદદંષ્ટ્ર નામનો ભીલનો રાજા તેને પોતાને ઘેર લઈ ગયો અને
તેની સાથે પોતાની પુત્રી વનમાલા પરણાવી. વનમાલા સાક્ષાત્ વનલક્ષ્મી હતી. તેને પ્રાપ્ત
કરીને રાજા સુમિત્ર અતિ પ્રસન્ન થયો. ત્યાં એક મહિનો તે રહ્યો. તે ભીલોની સેના
લઈને સ્ત્રી સહિત શતદ્વાર નગરમાં આવી રહ્યો હતો. અને પ્રભવ તેને શોધવા બહાર
નીકળતો હતો. તેણે માર્ગમાં મિત્રને સ્ત્રી સહિત જોયો. કામની પતાકા જેવી તેની સ્ત્રીને
જોઈને પાપી પ્રભવ મિત્રની પત્નીમાં મોહિત થયો. અશુભ કર્મના ઉદયથી જેની કૃત્ય-
અકૃત્યની વિવેકબુદ્ધિ નાશ પામી છે એવો પ્રભવ પ્રબળ કામબાણથી વીંધાઈને અતિ
આકુળતા પામ્યો. આહાર, નિદ્રાદિનું વિસ્મરણ થઈ ગયું, સંસારમાં જેટલી વ્યાધીઓ છે
તેમાં મદનની વ્યાધિ સૌથી મોટી છે. તેનાથી પરમ દુઃખ મળે છે. જેમ સર્વ દેવોમાં
સૂર્યપ્રધાન છે તેમ સમસ્ત રોગોમાં મદનનો રોગ પ્રધાન છે. સુમિત્રે પ્રભવને ખેદખિન્ન
જોઈને પૂછયુંઃ ‘હે મિત્ર! તું ખિન્ન શા માટે છે?’ તેણે મિત્રને કહ્યું કે તું વનમાળાને
પરણ્યો છેઃ તેથી મારું ચિત્ત વ્યાકુળ બન્યું છે. આ વાત સાંભળી, મિત્ર પ્રત્યે અત્યંત
સ્નેહવાળા રાજા સુમિત્રે પોતાના પ્રાણ સમાન મિત્રને પોતાની સ્ત્રીના નિમિત્તે દુઃખી
જાણીને સ્ત્રીને મિત્રના ઘેર મોકલી અને પોતે છાનોમાનો મિત્રના ઝરૂખામાં જઈને બેઠો,
જોવા લાગ્યો કે આ શું કરે છે? જો મારી સ્ત્રી એની આજ્ઞા નહિ માને તો હું સ્ત્રીને
રોકીશ અને જો એની આજ્ઞા માનશે તો એક હજાર ગામ આપીશ. વનમાલા રાત્રે
પ્રભવની સમીપે જઈને બેઠી. ત્યારે પ્રભવ પૂછવા લાગ્યો કે હે
Page 135 of 660
PDF/HTML Page 156 of 681
single page version
પ્રભવ નિસ્તેજ થઈ ગયો, મનમાં અત્યંત ઉદાસ થયો. તે વિચારવા લાગ્યો, હાય! હાય!
મેં આ કેવી પાપભાવના કરી? મિત્રની સ્ત્રી તો માતા સમાન છે. તેને કોણ ઈચ્છે? મારી
બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. આ પાપથી હું ક્યારે છૂટીશ? બને તો મારું શિર કાપી નાખું,
કલંકયુક્ત જીવનથી શો ફાયદો? આમ વિચારી મસ્તક કાપવા માટે મ્યાનમાંથી ખડ્ગ
કાઢયું. જેવો તે તલવારને ગળા પાસે લાવ્યો કે સુમિત્ર ઝરૂખામાંથી કૂદ્યો, તેનો હાથ પકડી
લીધો અને તેને મરતો બચાવ્યો. તેને છાતી સાથે લગાડીને કહેવા લાગ્યોઃ હે મિત્ર! શું તું
આત્મઘાતનો દોષ નથી જાણતો? જે જીવ અવધિ પહેલાં પોતાના શરીરનો ઘાત કરે છે તે
શુદ્ર મરીને નરકમાં પડે છે, અનેક ભવ અલ્પ આયુષ્યના ધારક થાય છે. આ આત્મઘાત
નિગોદનું કારણ છે. આમ કહીને મિત્રના હાથમાંથી
તો આ મૈત્રી પરભવમાં રહે કે ન રહે. સંસાર અસાર છે. આ જીવ પોતાના કર્મના
ઉદયથી ભિન્ન ભિન્ન ગતિમાં જાય છે. આ સંસારમાં કોણ કોનો મિત્ર અને કોણ કોનો
શત્રુ છે? સદા એકસરખી દશા રહેતી નથી. એમ કહીને બીજે દિવસે રાજા સુમિત્ર
મહામુનિ થયા અને આયુષ્ય પૂરું થતાં બીજા સ્વર્ગમાં ઈશાન ઇન્દ્ર થયા. ત્યાંથી ચ્યવીને
મથુરાપુરીમાં રાજા હરિવાહનની રાણી માધવીને પેટે મધુ નામનો પુત્ર થયો. હરિવંશરૂપ
આકાશમાં ચંદ્રમા સમાન થયા, અને પ્રભવ સમ્યક્ત્વ વિના અનેક યોનિઓમાં ભ્રમણ કરી
વિશ્વાવસુની સ્ત્રી જ્યોતિષમતીને પેટે શિખી નામનો પુત્ર થયો. તે દ્રવ્યલિંગી મુનિ થઈ
મહાતપ કરી નિદાનના યોગથી અસુરોનો અધિપતિ ચમરેન્દ્રે થયો. તે અવધિજ્ઞાનથી
પોતાના પૂર્વોભવો જાણી, સુમિત્ર નામના મિત્રના ગુણોનો વિચાર કરવા લાગ્યો. સુમિત્ર
રાજાનું અતિ મનોજ્ઞ ચરિત્ર વીચારીને તેનું હૃદય પ્રીતિથી મોહિત થયું. તેણે મનમાં
વિચાર્યું કે રાજા સુમિત્ર મહાગુણવાન, મારો પરમ મિત્ર હતો, સર્વ કાર્યોમાં સહાયક હતો.
ચટશાળામાં અમે સાથે વિદ્યા મેળવી હતી, હું દરિદ્ર હતો અને તેણે મને પોતાના જેટલો
વૈભવ આપ્યો હતો. દુષ્ટ ચિત્તવાળા મેં પાપીએ તેની સ્ત્રી પ્રત્યે ખોટા ભાવ કર્યા તો પણ
તેને મારા પર દ્વેષ નહોતો કર્યો, તે સ્ત્રીને મારે ત્યાં મોકલી હતી, હું મિત્રની સ્ત્રીને માતા
સમાન જાણી અતિઉદાસ થઈ મારું મસ્તક ખડ્ગથી કાપવા તૈયાર થયો ત્યારે તેણે પોતે જ
મને રોક્યો હતો અને મે જિનશાસનની શ્રદ્ધા વિના મરીને અનેક દુઃખ ભોગવ્યાં,
મોક્ષમાર્ગમાં પ્રવર્તનારા સાધુ પુરુષોની નિંદા કરી, કુયોનિમાં દુઃખભોગવ્યા અને તે મિત્ર
મુનિવ્રત ધારી બીજા સ્વર્ગમાં ઇન્દ્ર થયો, ત્યાંથી ચ્યવી મથુરાપુરીમાં રાજા હરિવાહનનો
પુત્ર મધુવાહન થયો છે અને હું વિશ્વાવસુનો પુત્ર શીખી નામનો દ્રવ્યલિંગી મુનિ થઈ
અસુરેન્દ્ર થયો છું. આમ વિચારી, ઉપકારથી ખેંચાયેલો, પ્રેમથી ભીંજાયેલા મનવાળો તે
પોતાના ભવનમાંથી નીકળીને મધ્યલોકમાં આવ્યો. મધુવાહન મિત્રને મળ્યો, મહારત્નોથી
મિત્રનું પૂજન કર્યું, સહસ્ત્રાંત નામનું ત્રિશૂલ રત્ન આપ્યું મધુવાહન પણ ચમરેન્દ્રને જોઈને ખૂબ
Page 136 of 660
PDF/HTML Page 157 of 681
single page version
રાજી થયો. પછી ચમરેન્દ્ર પોતાના સ્થાનકે ગયો. હે શ્રેણિક! શસ્ત્રવિદ્યાનો અધિપતિ, સિંહોના
વાહનવાળો મધુકુંવર હરિવંશનું તિલક છે, રાવણ તેનો સ્વસુર છે, તે સુખેથી રહેવા લાગ્યો. આ
મધુનું ચરિત્ર જે પુરુષ વાંચે, સાંભળે તે કાંતિ પામે અને તેને સર્વ અર્થ સિદ્ધ થાય.
બધાને આનંદ આપ્યો પૃથ્વીપતિ કૈલાસ પર્વત પાસે આવ્યો. ત્યાં નિર્મળ જળવાળી
સમુદ્રની પટરાણી, કમળના મકરંદથી પીળા જળવાળી ગંગાના કિનારે સેનાનો પડાવ
નાખી પોતે કૈલાસની તળેટીમાં પડાવ નાખી ક્રીડા કરતો રહ્યો. ગંગાના સ્ફટિક સમાન
જળમાં ખેચર, ભૂચર, જળચર ક્રીડા કરતા હતા જે અશ્વો રજ લાગવાથી શરીરે મલિન
થયા હતા તે ગંગામાં ન્હાઈને, પાણી પીને સ્વસ્થ થયા. રાવણ વાલીનું વૃત્તાંત વિચારીને
ચૈત્યાલયોમાં નમસ્કાર કરી, ધર્મરૂપ પ્રવૃત્તિ કરતો રહ્યો
મોકલ્યા, સર્વ વૃત્તાંત જણાવ્યા. રાવણ જગતને જીતતો સમુદ્ર જેવી સેના લઈને આપણી
જગ્યા જીતવા માટે નજીક આવીને પડયો છે. આ તરફના બધા લોકો ધ્રુજી ઉઠયા છે. આ
સમાચાર લઈને નલકુંવરના દૂતો ઇન્દ્ર પાસે આવ્યા. ઇન્દ્ર ભગવાનનાં ચૈત્યાલયોની વંદના
કરવા જતો હતો ત્યાં માર્ગમાં ઇન્દ્રને પત્ર આવ્યો. ઇન્દ્રે સર્વ રહસ્ય જાણીને પાછો જવાબ
લખી આપ્યો કે હું પાંડુવનમાં ચૈત્યાલયોની વંદના કરીને આવું છું. ત્યાં સુધી તમે ખૂબ
પ્રયત્ન કરીને રહેજો. તમે અમોઘ-નિષ્ફળ ન જાય તેવા શસ્ત્રોના ધારક છો અને હું પણ
શીઘ્ર જ આવું છું. આમ લખીને વંદના પ્રત્યે આસક્ત મનવાળો તે, વેરીની સેનાને ન
ગણકારતાં પાંડુવનમાં ગયો અને નલકુંવર લોકપાલે પોતાના મંત્રીઓ સાથે વિચારણા
કરીને નગરની રક્ષા માટે તત્પર વિદ્યામય સો યોજન ઊંચો વજ્રશાલ નામનો કોટ
બનાવ્યો અને પ્રદક્ષિણા ત્રણ ગણી કરી. રાવણે નલકુંવરના નગરની રચના જાણવા માટે
પ્રહસ્ત નામના સેનાપતિને મોકલ્યો તે જોઈને પાછો આવીને કહેવા લાગ્યો કે હે દેવ!
માયામયી કોટથી મંડિત આ નગર છે. તે લઈ શકાય તેવું નથી. જુઓ, પ્રત્યક્ષ દેખાય છે
કે સર્વ દિશાઓમાં ભયાનક વિકરાળ દાઢોવાળા સર્પ સમાન તેના શિખરો છે અને
આસપાસ સઘન વાંસનું વન જલી રહ્યું છે. તેમાંથી ઊંચી જ્વાળાઓ ઊઠી રહી છે. તેનાં
યંત્રો વૈતાળનું રૂપ ધારણ કરી, વિકરાળ દાઢ ફાડી, એક યોજનના વિસ્તારમાં જે મનુષ્યો
આવે તેને ગળી રહ્યાં છે. તે યંત્રોના મુખમાં આવેલાં પ્રાણીઓનાં આ શરીર રહેતાં નથી.
તે બીજો ભવ ધારણ કરીને નવાં શરીર ધારણ કરે છે. આમ જાણીને આપ દીર્ઘદર્શી
બનીને આ નગર લેવાનો ઉપાય શોધી કાઢો. પછી રાવણે મંત્રીઓને ઉપાય પૂછવા
માંડયાં. મંત્રીઓ તે માયામયી કોટને દૂર કરવાનો ઉપાય વિચારવા લાગ્યા. મંત્રીઓ
નીતિશાસ્ત્રમાં અતિ પ્રવીણ છે.
Page 137 of 660
PDF/HTML Page 158 of 681
single page version
લાગી. પહેલાં રાવણનાં રૂપગુણ સાંભળીને અનુરાગવતી હતી જ. રાત્રે તે પોતાની સખી
વિચિત્રમાલાને એકાંતમાં આમ કહેવા લાગી કે હે સુંદરી! તું મારા પ્રાણ સમાન સખી છે,
તારા જેવું બીજું કોઈ નથી. આપણું અને સામાનું એક મન હોય તેને સખી કહીએ છીએ.
મારામાં અને તારામાં ભેદ નથી માટે હે ચતુરે! મારા કાર્યનું સાધન તું ચોક્કસ કરવાની
હો તો તને મારા ચિત્તની વાત કરું જે સખી હોય છે તે નિશ્ચયથી જીવનનું અવલંબન
હોય છે. રાણી ઉપરંભાએ આમ કહ્યું ત્યારે સખી વિચિત્રમાલા કહેવા લાગી કે હે દેવી!
આવી વાત કેમ કહો છો? હું તો તમારી આજ્ઞાકારિણી છું. તમારું મનવાંછિત કાર્ય કહેશો
તે કરીશ જ. હું મારા મોઢે મારા વખાણ શું કરું? પોતાના વખાણ કરવા એ લોકમાં નિંદ્ય
ગણાય છે, વધારે શું કહું? મને તમે સાક્ષાત્ કાર્યની સિદ્ધિ ગણો. મારો વિશ્વાસ રાખીને
તમારા મનમાં જે હોય તે મને કહો. હે સ્વામિની! અમારી હયાતીમાં તમારે ખેદ શાનો
હોય? ત્યારે ઉપરંભા વિશ્વાસ રાખીને, ગાલ ઉપર હાથ મૂકીને, મુખમાંથી ન નીકળે એવાં
વચન વારંવાર પ્રેરણા કરીને બહાર કાઢવા લાગી. હે સખી! બાળપણથી જ મારું મન
રાવણ પ્રત્યે અનુરાગી છે. મેં અનેક વાર લોકમાં પ્રસિદ્ધ, અતિસુંદર એવા તેના ગુણો
સાંભળ્યાં છે. હું અંતરાયના ઉદયથી અત્યાર સુધી રાવણનો સંગ પ્રાપ્ત ન કરી શકી. મારા
ચિત્તમાં તેની પ્રત્યે પરમ પ્રીતિ છે. અને તેની અપ્રાપ્તિનો મને નિરંતર પસ્તાવો થાય છે.
હે રૂપિણી! હું જાણું છું કે આ કાર્ય પ્રશંસાયોગ્ય નથી. સ્ત્રી પરપુરુષના સંગથી નરકમાં
જાય છે તો પણ હું મરણને સહેવા સમર્થ નથી. તેથી હે મિષ્ટભાષિણી! મારો ઉપાય શીઘ્ર
કર. મારા મનનું હરણ કરનાર તે હવે મારી પાસે આવ્યો છે, કોઈ પણ ઉપાયે પ્રસન્ન
થઈને મારો તેની સાથે મેળાપ કરાવી દે, હું તારા પગે પડું છું. આમ કહીને તે સ્ત્રી પગે
પડવા લાગી, ત્યારે સખીએ તેનું માથું પકડી લીધું અને કહ્યું કે હે સ્વામિની! તમારું કામ
એક ક્ષણમાં જ હું સિદ્ધ કરી આપીશ. એમ કહીને તે સખી ઘરમાંથી બહાર નીકળી. આ
સકળ વાતોની રીત જાણનારી તે અતિસૂક્ષ્મ શ્યામ વસ્ત્ર પહેરીને આકાશમાર્ગે રાવણના
તંબૂમાં આવી. દ્વારપાળોને પોતાના આગમનનું વૃત્તાંત જણાવીને તેણે રાવણ પાસે જઈને
તેને પ્રણામ કર્યા. આજ્ઞા મળતાં બેસીને તે વિનંતી કરવા લાગી કે હે દેવ! દોષના
પ્રસંગરહિત આપના સકળ ગુણો વડે આખો લોક વ્યાપ્ત છે. આપને માટે એ જ યોગ્ય છે.
આપનો વૈભવ અતિ ઉદાર છે, આપ આ પૃથ્વી પર સૌને તૃપ્ત કરો છો, આપનો જન્મ
સૌના આનંદ નિમિત્તે છે. આપની આકૃતિ જોતાં આ મનમાં લાગે છે કે આપ કોઈની
પ્રાર્થનાનો ભંગ કરતા નથી. આપ મહાદાતાર છો, સૌના અર્થ પૂરા કરો છો, આપના જેવા
મહાપુરુષની વિભૂતિ પરોપકાર માટે જ છે તેથી આપ સૌને બહાર મોકલી એક ક્ષણ
એકાંત આપીને, મન દઈને મારી વાત સાંભળો તો હું કહું. રાવણે આ પ્રમાણે કર્યું ત્યારે
તેણે ઉપરંભાની સઘળી હકીકત તેના કાનમાં કહી.
Page 138 of 660
PDF/HTML Page 159 of 681
single page version
પુત્રે યોગ્ય આચારપરાયણ બની કહ્યું’ હે ભદ્રે! શું કહ્યું? પાપના બંધનું કારણ એવું આ
કામ કેવી રીતે કરાય? હું પરસ્ત્રીઓને અંગદાન દેવામાં દરિદ્ર છું. આવા કામને ધિક્કાર
હો! તેં અભિમાન છોડીને આ વાત કહી છે, પરંતુ જિનશાસનની એવી આજ્ઞા છે કે
વિધવા, સધવા, કુંવારી સ્ત્રી અને વેશ્યા એ બધી જ પરસ્ત્રી સદાય સર્વથા ત્યજવી.
પરનારી રૂપાળી હોય તેથી શું થયું? આલોક અને પરલોકનું વિરોધી એવું આ કાર્ય
વિવેકી કરે નહિ. જે બન્ને લોકને ભ્રષ્ટ કરે તે મનુષ્ય શાનો? હે ભદ્રે! પરપુરુષથી જેનું
અંગમર્દન થયું હોય એવી પરસ્ત્રી અેંઠા ભોજન સમાન છે, તેને ક્યો મનુષ્ય અંગીકાર
કરે? આ વાત સાંભળીને મહામંત્રી વિભીષણ, જે સકળ નીતિને જાણે છે અને
રાજવિદ્યામાં જેની બુદ્ધિ શ્રેષ્ઠ છે, તેણે રાવણને એકાંતમાં જઈને કહ્યું કે હે દેવ!
રાજાઓનાં અનેક ચરિત્ર હોય છે. કોઈ વખતે તે પ્રયોજનવશાત્ કિંચિત્ જૂઠું પણ કહે છે.
માટે આપ આને અત્યંત રુક્ષ વાત ન કરો. તે ઉપરંભા વશ થશે તો કોટ જીતવાનો કાંઈક
ઉપાય પણ બતાવશે. વિભીષણનાં આવાં વચન સાંભળીને રાજવિદ્યામાં નિપુણ, માયાચારી
રાવણ વિચિત્રમાલા સખીને કહેવા લાગ્યો કે હે ભદ્રે! તે મારામાં મન રાખે છે અને મારા
વિના અત્યંત દુઃખી છે તેથી તેના પ્રાણની રક્ષા મારે કરવી યોગ્ય છે તેના પ્રાણ ન છૂટે
એ રીતે એને પહેલાં અહીં લઈ આવ. જીવોના પ્રાણની રક્ષા એ જ ધર્મ છે. એમ કહીને
સખીને વિદાય આપી. તે જઈને ઉપરંભાને તત્કાળ લઈ આવી. રાવણે તેનું ખૂબ સન્માન
કર્યું. એટલે તેણે મદનસેવનની પ્રાર્થના કરી. રાવણે કહ્યું કે હે દેવી! દુર્લંધનગરમાં મારી
રમવાની ઈચ્છા છે, અહીં ઉદ્યાનમાં શું સુખ મળે? એવું કરો કે નગરમાં જઈને તમારી
સાથે રમું. તે કામાતુર સ્ત્રી રાવણની કુટિલતા સમજી શકી નહિ. સ્ત્રીઓનો સ્વભાવ મૂઢ
હોય છે. તેણે નગરના માયામયી કોટને તોડવાના ઉપાયરૂપ આસાલકા નામની વિદ્યા તેને
આપી અને ઘણા આદરથી જાતજાતના દિવ્ય શસ્ત્રો આપ્યાં વિદ્યાની પ્રાપ્તિથી દેવો વડે
જેની રક્ષા થતી હતી તે માયામયી કોટ તત્કાળ અદ્રશ્ય થયો અને જે સદાનો કોટ હતો તે
જ રહી ગયો એટલે રાવણ મોટી સેના લઈને નગરની પાસે આવ્યો. નગરમાં કોલાહલના
શબ્દ સાંભળીને રાજા નલકુંવર ક્ષોભ પામ્યો. માયામયી કોટ ન દેખાતાં તેના મનમાં
વિષાદ ભરાઈ ગયો. તેને લાગ્યું કે હવે રાવણ નગર જીતી લેશે. તો પણ પુરુષાર્થ ધારણ
કરીને તે લડવા માટે બહાર નીકળ્યો, અનેક સામંતો સાથે પરસ્પર શસ્ત્રોથી ઘોર યુદ્ધ
થયું. ત્યાં સૂર્યનાં કિરણો પણ દેખાતાં નહિ, ક્રૂર અવાજો જ્યાં આવતા હતા. વિભીષણે
શીઘ્ર લાત મારીને નલકુંવરનો રથ તોડી નાખ્યો અને નલકુંવરને પકડી લીધો. જેમ રાવણે
સહસ્ત્રકિરણને પકડયો હતો તેમ વિભીષણે નલકુંવરને પકડયો. રાવણની આયુધશાળામાં
સુદર્શનચક્ર રત્ન ઉત્પન્ન થયું. રાવણે એકાંતમાં ઉપરંભાને કહ્યું કે તમે મને વિદ્યા આપી
માટે તમે મારા ગુરુ છો અને તમારા માટે એ યોગ્ય નથી કે પોતાના પતિને છોડીને
બીજા પુરુષનું સેવન કરો. મારે પણ અન્યાય માર્ગનું સેવન કરવું યોગ્ય નથી. આ પ્રમાણે
તેને આશ્વાસન આપી તેના માટે નલકુંવરને મુક્તિ આપી. નલકુંવરનું બખ્તર શસ્ત્રોથી
તૂટયું હતું,
Page 139 of 660
PDF/HTML Page 160 of 681
single page version
મનવાંછિત ભોગ ભોગવ. કામસેવનમાં પુરુષોમાં શો તફાવત હોય છે? અયોગ્ય કાર્ય
કરવાથી મારી અપકીર્તિ થાય અને હું આવું કરું તો બીજા લોકો પણ આ માર્ગે પ્રવર્તે,
પૃથ્વી પર અન્યાયની પ્રવૃત્તિ થવા માંડે તું રાજા આકાશધ્વજની પુત્રી, તારા માતા
મૃદુકાંતા, તું નિર્મળ કુળમાં જન્મેલી, તારે શીલનું પાલન કરવું યોગ્ય છે. રાવણે આ
પ્રમાણે કહ્યું ત્યારે ઉપરંભા શરમાઈ ગઈ અને પોતાના પતિમાં સંતોષ રાખ્યો. નલકુંવર
પણ સ્ત્રીનો વ્યભિચાર થયો નથી એમ જાણીને સ્ત્રી સાથે રમવા લાગ્યો અને રાવણ દ્વારા
ખૂબ સન્માન પામ્યો. રાવણની એ જ રીત હતી કે જે આજ્ઞા ન માને તેનો પરાભવ કરે
અને જે આજ્ઞા માને તેનું સન્માન કરે. તે યુદ્ધમાં મરી જાય તેને તો મરવા દેતો. પણ જે
પકડાઈ જતા તેને છોડી દેતો. રાવણે સંગ્રામમાં શત્રુઓને જીતવામાં ખૂબ યશ મેળવ્યો. તે
હવે મોટી સેના સાથે વૈતાડપર્વત સમીપે જઈ પહોંચ્યો.
રહ્યા છો? રાક્ષસોનો અધિપતિ આવી પહોંચ્યો છે. આમ કહીને ઇન્દ્ર પોતાના પિતા
સહસ્ત્રાર પાસે સલાહ લેવા ગયો. તેણે નમસ્કાર કરી બહુ જ વિનયપૂર્વક પૃથ્વી ઉપર
બેસી બાપને પૂછયું, હે દેવ! અનેક શત્રુઓને જીતનારો પ્રબળ વેરી નિકટ આવ્યો છે તો
મારે શું કરવું જોઈએ? હે તાત! મેં ઘણી મોટી ભૂલ કરી છે કે આ વેરીને ઊગતાં જ ન
દાબી દીધો. કાંટો ઊગતાં જ હોઠથી પણ તૂટી જાય અને કઠોર બની જાય પછી પીડા કરે,
રોગ થતાં જ મટાડીએ તો સુખ ઊપજે અને રોગનાં મૂળ વધે તો કાપવા પડે તેમ ક્ષત્રિય
શત્રુની વૃદ્ધિ ન થવા દે, મેં આનો નાશ કરવા અનેક વાર પ્રયત્ન કર્યો, પણ આપે મને
નકામો રોક્યો અને મેં ક્ષમા કરી. હે પ્રભો! હું રાજનીતિના માર્ગ પ્રમાણે વિનંતી કરું છું.
આને મારવામાં હું અસમર્થ નથી. પુત્રના આવાં ગર્વ અને ક્રોધથી ભરેલાં વચનો
સાંભળીને સહસ્ત્રારે કહ્યુંઃ હે પુત્ર! તું ઉતાવળ ન કર. તારા શ્રેષ્ઠ મંત્રીઓ છે તેમની સાથે
વિચારવિમર્શ કર. જે વિના વિચાર્યે કામ કરે છે તેનાં કાર્ય નિષ્ફળ જાય છે. અર્થની સિદ્ધિ
માટે કેવળ પુરુષાર્થ જ બસ નથી. જેમ કિસાનને ખેતીનું પ્રયોજન છે, તેને વરસાદ થયા
વિના શું પોતાનું કાર્ય સિદ્ધ થાય છે? અને જેમ ચટશાળામાં શિષ્ય ભણે છે, બધા જ
વિદ્યા મેળવવા ઈચ્છે છે, પરંતુ ધર્મના વશે કોઈને વિદ્યા સિદ્ધ થાય છે, કોઈને સિદ્ધ થતી
નથી. માટે કેવળ પુરુષાર્થથી જ સિદ્ધિ ન થાય. હજી પણ તું રાવણ સાથે મેળ કરી લે.
જ્યારે તે આપણો બનશે ત્યારે તું પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય કરી શકીશ. તું તારી રૂપવતી
નામની પુત્રી રાવણને પરણાવ, એમાં દોષ નથી. એ રાજાઓની રીત જ છે. પવિત્ર
બુદ્ધિવાળા પિતાએ ઇન્દ્રને ન્યાયરૂપ વાત કરી, પરંતુ તે ઇન્દ્રના મનને ગમી નહિ.
ક્ષણમાત્રમાં રોષથી તેની આંખો લાલ થઈ ગઈ, ક્રોધથી પરસેવો આવી ગયો, અત્યંત
ક્રોધથી તેણે કહ્યું કે હે તાત! મારવા યોગ્ય તે શત્રુને કન્યા કેવી રીતે અપાય? માણસની ઉંમર