Sattasvarup (Gujarati).

< Previous Page  


Combined PDF/HTML Page 6 of 6

 

Page 89 of 103
PDF/HTML Page 101 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૮૯
વળી, જો જ્ઞેયપદાર્થ છે તો તેનો જ્ઞાતા પણ કોઈ છે જ.
કારણ કેજ્ઞેય જે મેરૂ આદિક વા જીવઆદિ શાસ્ત્રમાં સાંભળી
વગરદેખે જ કોઈનાં કહેલાં વચનોના આશ્રયથી શ્રુતજ્ઞાન વડે
જાણીએ છીએ. જેમ સૂક્ષ્મઆદિ પદાર્થ પોતાને પ્રત્યક્ષ જાણવામાં
ન આવે તોપણ કોઈના દ્વારા કહેલાં શાસ્ત્રોથી નિર્બાધ શ્રુતજ્ઞાન
વડે જાણવામાં આવે છે, માટે અનુમાનથી આ નિશ્ચય સિદ્ધ કર્યો
કે જીવ આદિ વસ્તુ છે તો તેનો સંપૂર્ણ સ્પષ્ટ જ્ઞાતા પણ કોઈ
છે જ, એ પ્રમાણે ત્રીજીજાતિના અનુમાનથી સિદ્ધ કર્યું.
વળી, સૂક્ષ્મઆદિ પદાર્થોને જે ઉપદેશ છે તે સૂક્ષ્મઆદિ
પદાર્થોને કોઈ સાક્ષાત્ જાણવાવાળો છે તેના આશ્રયથી જ
(ઉપદેશ) પ્રવર્ત્યો છે, કારણ કે
સુનિશ્ચિતાસંભવદ્બાધક
પ્રમાણોને માટે ઉપદેશ વિદ્યમાન છે, ત્યાં અમે આ અનુમાન
સિદ્ધ કરીએ છીએ કે
જો આ ઉપદેશ છે તો તેના મૂળ વક્તા
સર્વજ્ઞવીતરાગ જ છે, એ પ્રમાણે પરસ્વરૂપ કાર્યાનુમાનથી
સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરી. શ્રીશ્લોકવાર્તિકમાં કહ્યું છે કે
सूक्ष्माद्यर्थोपदेश हि तत्साक्षात्कर्तृपूर्वकः
परोपदेशलिंगाक्षानपेक्षावितथत्वतः ।।।।
(પ્ર. અ. પાનું૧૧)
૧. સુનિશ્ચિતાસંભવદ્બાધકપ્રમાણ = જેમાં કોઈ બાધક પ્રમાણ ન
હોય એવી રીતે બરાબર નક્કી થયેલું. (કોઈપણ વસ્તુની સત્તા
સિદ્ધ કરવાને માટે બધાથી ચઢિઆતું પ્રમાણ એ છે, કે તેની
સત્તામાં કોઈ બાધક પ્રમાણ ન મળે.)

Page 90 of 103
PDF/HTML Page 102 of 115
single page version

background image
૯૦ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
જેમ કોઈ પુરુષ (મકાનની) અંદર બેસીને વીણા
બજાવતો હતો ત્યાં કોઈ બીજા પુરુષે તો તેને સાક્ષાત્ દેખ્યો
નથી, પરંતુ વીણાનો નાદ યથાર્થરૂપ સાંભળી તેણે એવો નિશ્ચય
કર્યો કે
અહીં કોઈ ચતુર, વાજીંત્ર વગાડવાવાળો છે; તે જ
પ્રમાણે અહીં પણ સર્વજ્ઞને સાક્ષાત્પ્રત્યક્ષ તો દીઠા નથી, પરંતુ
આ સાચા ઉપદેશરૂપ સાધનથી સર્વજ્ઞની સમાનરૂપ સત્તા સિદ્ધ
કરી. તથા એવા સર્વજ્ઞને નિમિત્ત જોઈએ તો નિર્ણયસ્થાન નિશ્ચય
(પ્રકરણ)માં લખીશું. અહીં કોઈ પ્રશ્ન કરે કે
અનાદિનિધનશ્રુત
છે તે જ છે, તેને તો વાંચેસાંભળે તેને જ્ઞાન થઈ જાય એનાથી
સર્વજ્ઞવક્તા કેવી રીતે સિદ્ધ કર્યા? તેનો ઉત્તરઃ
જો પદાર્થ પણ અનાદિનિધન છે તથા વસ્તુઓમાં
નામાદિક કહેવાં પણ અનાદિનિધન છે, તેથી કર્તા તો તેનો કોઈ
સર્વથા છે જ નહિ, પરંતુ પ્રથમ તો ન્યાયશાસ્ત્રોમાં
વચનસામાન્યને પણ પૌરુષેયપણું સિદ્ધ કર્યું છે અને
અપૌરુષેયામ્નાયનો નિષેધ કર્યો છે. કારણ કે
આ ઉપદેશરૂપ
વાક્ય કોઈ પુરુષના આશ્રયવિના પ્રવર્તે નહિ; શબ્દ પુદ્ગલની
પર્યાય છે, તે જીવના આશ્રય વિના જ પ્રવર્તે છે. શ્લોકવાર્તિકમાં
પણ કહ્યું છે કેઃ
અર્થ :સૂક્ષ્માદિ પદાર્થોનો ઉપદેશ તે પદાર્થોને સાક્ષાત્
(પ્રત્યક્ષ) જાણનાર દ્વારા જ હોઈ શકે. કારણ કે તે (સૂક્ષ્માદિ
પદાર્થોનું જ્ઞાન) પરોપદેશ, લિંગ અને ઇંદ્રિયોથી નિરપેક્ષ છે અને
સત્ય છે.

Page 91 of 103
PDF/HTML Page 103 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૯૧
नैकान्ताकृत्रिमाम्नायमूलत्वेस्य प्रमाणता
तद्व्याख्यातुरसर्वज्ञे रागित्वे विप्रलंभनात् ।।।।
(પ્ર. અ. પાનું ૭)
તમે સર્વથા અકૃત્રિમઆમ્નાય કહો છો પણ તેની
પ્રમાણતા નથી, તેથી એ આમ્નાયનો મૂળવ્યાખ્યાતા માનવા
યોગ્ય છે. તથા જો અજ્ઞાની
રાગીદ્વેષીને વ્યાખ્યાતા માનવામાં
આવે તો તેના કહેવામાં પ્રમાણતા કેવી રીતે આવશે? કારણ કે
દોષવાન વક્તાને તો ઢોંગી કહીએ છીએ, માટે પૂર્ણ જ્ઞાની તથા
રાગદ્વેષ રહિત જ મૂળ વ્યાખ્યાતા થતાં આમ્નાયની સાચી પ્રવૃત્તિ
થશે, એ જ દર્શાવીએ છીએઃ
જો તમે સર્વથા અકૃત્રિમ આમ્નાય પુરુષના આશ્રય વિના
જ માનશો તો આમ્નાય તો અકૃત્રિમ સંભવે છે. કારણ આવું
વચન છે કેઃ
‘सिद्धो वर्णसमाम्नायः’
અર્થાત્ અક્ષરોની સાચી આમ્નાય છે તે સ્વયંસિદ્ધ છે
પણ કોઈની કરેલી નથી, તો અક્ષર વા જીવાદિક વસ્તુનાં નામ
અર્થ :સર્વથી અકૃત્રિમ પરંપરાથી આવવાના કારણે પણ
વેદમાં પ્રમાણિકતા આવી શકતી નથી, કારણ કે તેના વ્યાખ્યાતા
અસર્વજ્ઞ અને રાગદ્વેષી હોતાં વંચનાનો સંભવ આવે છે.
*
અર્થ :વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય (ચોસઠ મૂળાક્ષર) સ્વયંસિદ્ધ
છેઅનાદિનિધન છે.

Page 92 of 103
PDF/HTML Page 104 of 115
single page version

background image
૯૨ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
ષટ્દ્રવ્યથી બધાં સ્વયંસિદ્ધ છે માટે આમ્નાય તો અકૃત્રિમ જ
છે તોપણ કોઈ પુરુષના આશ્રય વિના આમ્નાયવચન જ પોતાના
સ્વાર્થને પ્રકાશવામાં સમર્થ નથી. જો વચનમાં જ આવી શક્તિ
હોય કે વાંચે
સાંભળે તેને તે રૂપ સાચું જ્ઞાન કરાવે તો અનેક
મતોમાં પણ અન્યથા વા એક મતમાં પણ પ્રતિપક્ષીનો સદ્ભાવ
શા માટે થવા દે? માટે આમ્નાયના પ્રવર્તનને સત્યરૂપ
રાખવાવાળો કોઈ વચનનો વ્યાખ્યાતા અવશ્ય માનવા યોગ્ય છે.
ત્યાં એ વ્યાખ્યાતા જો સર્વજ્ઞવીતરાગ માનશો તો
આમ્નાયરૂપ વચન છે તો તેના આધીન પ્રવર્ત્યાં છે, પણ તમે
અકૃત્રિમઆમ્નાયની આવી એકાન્તહઠ ઠરાવી સર્વજ્ઞની નાસ્તિ
શા માટે કહો છો? તથા જો આમ્નાયરૂપવચનનો વ્યાખ્યાતા
મંદજ્ઞાની
રાગીદ્વેષી માનશો તો તેના વચનમાં પ્રમાણતા આવશે
નહિ. કારણ એવા વક્તાના કહેલા સૂત્રમાં પ્રમાણતા શી રીતે
આવશે? કારણ કે
અજ્ઞાન વડે તો વસ્તુનું સ્વરૂપ (યથાર્થ) ભાસે
નહિ, એટલે ઇચ્છાનુસાર પોતાને જેવું વસ્તુનું સ્વરૂપ અન્યથા
ભાસે તેવું કહીને (માત્ર) પદ્ધતિ રાખે, અથવા પોતાનાથી કહ્યું
ન જાય વા કહેવામાં બાધા લાગતી જણાય તો વસ્તુનું સ્વરૂપ
અવક્તવ્ય કહી દઈ (માત્ર) પદ્ધતિ રાખે, એ પ્રમાણે તો અજ્ઞાની
વક્તાના આશ્રયથી દોષ આવે. વળી જો કદાચિત્ કોઈને કિંચિત્
જ્ઞાન હોય તોપણ રાગદ્વેષના વશથી વા પોતાના વિષય, કષાય,
કામ, ક્રોધ, માન, માયા, લોભ અને ઇર્ષાદિક પ્રયોજનને સાધવા
માટે સાચને જૂઠ કહે (એટલે) તેનું (કથન) પ્રમાણ નથી. એ

Page 93 of 103
PDF/HTML Page 105 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૯૩
પ્રમાણે રાગદ્વેષના આશ્રયે દોષ આવ્યો. હવે જેને બંનેમાં
સામાન્ય
વિશેષતા હોય તેનામાં પણ સાચું વક્તાપણું આવવું
દુર્લભ છે, તો જેનામાં અજ્ઞાનરાગાદિદોષ પ્રબલ હોય તેનામાં
સાચું વક્તાપણું કેવી રીતે આવે? માટે અજ્ઞાની અને રાગીદ્વેષી
વક્તા સર્વથા હોય નહિ.
વળી, તમે જો હઠગ્રાહીપણું કરી વા મતપક્ષ કરી
દોષવાન વ્યાખ્યાતામાં પણ પ્રમાણિકપણું માનશો તો તમારા
મતમાં અદુષ્ટકારણજન્યપણાને પ્રમાણનું સ્વરૂપ શા માટે કહ્યું
છે? તમારામાં આવું વાક્ય છે જ કે
‘दुष्टकारणजन्यत्वं प्रमाणस्याप्रमाणत्वम्’
જ્યારે દ્વેષી ઠરે ત્યારે તેની કહેલી આમ્નાય પ્રમાણરૂપ
કેવી રીતે હોય? કારણ તેની કહેલી આમ્નાયને તો
દુષ્ટકારણજન્યપણું આવ્યું! જેમ આ કાળમાં કપટીઓનાં શાસ્ત્રો
દુષ્ટ
દ્વેષીવક્તાજન્ય છે તેમ આમ્નાયનાં શાસ્ત્રો પણ થયાં. એ
પ્રમાણે અકૃત્રિમઆમ્નાય માનવામાં વા અજ્ઞાનીરાગીદ્વેષી
વક્તાને માનવામાં અનેક બાધાઓ આવે છે; તેનો વિશેષ નિર્ણય
મહાભાષ્ય, અષ્ટસહસ્રી અને શ્લોકવાર્તિક આદિ ન્યાયના
ગ્રંથોમાં હેતુ
યુક્તિપૂર્વક કર્યો છે તેને જાણી પોતાનાં
કલ્પિતવચન પ્રમાણભૂત નથી, એમ માનવું યોગ્ય છે.
અર્થ :દ્વેષને કારણે પ્રમાણને પણ અપ્રમાણપણું ઉત્પન્ન
થાય છે.

Page 94 of 103
PDF/HTML Page 106 of 115
single page version

background image
૯૪ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
તથા સાચા વસ્તુસ્વરૂપને વા જીવના કલ્યાણમાર્ગને
પ્રતિપાદન કરવાવાળાં વચન છે, તે શ્રીસર્વજ્ઞવીતરાગવક્તાના
કહ્યાથી જ પ્રવર્ત્યાં છે વાત સિદ્ધ થઈ. તે જ શ્રી શ્લોકવાર્તિકમાં
કહ્યું છે કેઃ
प्रबुद्धाशेषतत्त्वार्थे साक्षात् प्रक्षीणकल्मषे
सिद्धे मुनीन्द्रसंस्तुत्ये मोक्षमार्गस्य नेतरि ।।।।
सत्यां तत्प्रतिपित्सायामुपयोगात्मकात्मनः
श्रेयसा योक्ष्यमाणस्य प्रवृत्तं सूत्रमादिमम् ।।।।
(પ્ર. અ. પાનું ૪)
અર્થ :જાણ્યા છે સર્વ પદાર્થ જેણે, ઘાત કર્યાં છે
ઘાતિકર્મ જેણે તથા જે મુનીંદ્રોને સ્તુતિ કરવા યોગ્યમોક્ષમાર્ગને
દર્શાવવાવાળા છે, એવા વક્તાની સિદ્ધિ થતાં જ કલ્યાણકારીમાં
જોડાતો જે ઉપયોગસ્વરૂપ આત્મા ને તેની પ્રતિપિત્સા અર્થાત્
પૂછવારૂપ પ્રવૃત્તિ થતાં થકાં આ સૂત્રો પ્રવર્ત્યાં છે. તે જિનમતનાં
શાસ્ત્રોમાં યુક્તિસહિત સત્યપણું હોય છે, કારણ કે
જિનમતમાં
સૂત્રનું લક્ષણ આ કહ્યું છે કે
અર્થ :સમસ્ત તત્ત્વાર્થોના જ્ઞાતા, વીતરાગ અને મુનીંદ્રોથી
સ્તુત્ય એવા મોક્ષમાર્ગના નેતાની (આપ્તની) સિદ્ધિ થતાં શ્રેયમાં
જોડાવાની યોગ્યતાવાળા ઉપયોગાત્મક આત્માને મોક્ષમાર્ગની
જિજ્ઞાસા થતાં તત્ત્વાર્થસૂત્રનું પ્રથમ સૂત્ર (સમ્યગ્દર્શન-
જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગઃ) પ્રવર્ત્યું છે.

Page 95 of 103
PDF/HTML Page 107 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૯૫
‘हेतुमत्तथ्यं सुत्रम्’
તો એવાં સૂત્રો, અસર્વજ્ઞદ્વેષવાનવક્તા હોતાં કેવી રીતે
પ્રવર્તે? જેમ બૃહસ્પતિઆદિ નાસ્તિકવાદીનાં સૂત્રો સાચા વક્તા
વિના જ પ્રવર્તે છે તેવાં જિનમતનાં સૂત્રો નથી. જિનશાસ્ત્રોનાં
વચનમાં તો સુનિશ્ચિતાસંભવદ્બાધકપણું છે એટલે તે તો
સત્યતાને સિદ્ધ કરે છે અને સત્યતા છે તે આ વચનોના
સૂત્રપણાને પ્રગટ કરે છે તથા સૂત્રપણું છે તે સર્વજ્ઞવીતરાગના
પ્રણેતાપણાને સિદ્ધ કરે છે.
હવે, આ કાળમાં સાચાં વસ્તુસ્વરૂપ દર્શાવવાળાં વા
સાચા મોક્ષમાર્ગનાં સૂત્રો તો મળે જ છે પણ જેના જ્ઞાનમાં
જિનવચનના આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરંપરા
ગુરુનો ઉપદેશ તથા સ્વાનુભવ એ દ્વારા પ્રમાણ, નય, નિક્ષેપ
અને
અનુયોગથી નિશ્ચય થયો છે તે જ જીવોને એ વચનનું
સાચું સત્યપણું ભાસે છે તથા તેને જ એ વચનો સાચાં સૂત્રરૂપ
ભાસે છે અને તેને જ એવાં સૂત્રોને કહેવાવાળા વક્તા
સર્વજ્ઞવીતરાગદેવ જ છે, એમ ભાસે છે. એ પ્રમાણે જે
ભેદવિજ્ઞાની જીવ છે તેને જ જ્યાં કેવળીનું પ્રત્યક્ષ દર્શન (છે)
* અર્થ :યુક્તિવાળું અને યથાતથ્ય (સાચું) હોય તે સૂત્ર કહેવાય.
૧. અનુયોગ = વસ્તુમાં સૂત્ર અનુસારે સત્, સંખ્યા વગેરે વસ્તુનું
સ્વરૂપ જાણવાના કારણો યોજવામાં (ઉતારવામાં) આવે છે, તે
દરેક સાધનને અનુયોગ કહે છે.
(જુઓ તત્ત્વાર્થસૂત્ર પ્ર. અ. સૂત્ર ૭૮)

Page 96 of 103
PDF/HTML Page 108 of 115
single page version

background image
૯૬ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
ત્યાં તો સંયોગરૂપના કાર્યરૂપ સાધન દ્વારા સર્વજ્ઞની સત્તા સિદ્ધ
થઈ છે.
વળી, આ કાળમાં કેવલજ્ઞાનીનાં પ્રત્યક્ષ દર્શન નથી પણ
તેમની સ્થાપના તદાકાર વા અતદાકારનાં દર્શન છે ત્યાં
પરરૂપકાર્યના સાધનથી સત્તાની સિદ્ધિ થાય છે. એ પ્રમાણે જે
સર્વજ્ઞની સર્વથા નાસ્તિ કહે છે તેને સર્વજ્ઞની સત્તા જેમ સિદ્ધ
થઈ છે તેમ સત્તા સિદ્ધ કરવાનો ઉપાય (અહીં) દર્શાવ્યો છે.
હવે જેને આત્મકલ્યાણ કરવું છે તેણે પ્રથમ આવા ઉપાયથી
વચનનું સત્યપણું પોતાના જ્ઞાનમાં નિર્ણય કરી પછી ગમ્યમાન
થયેલાં સત્યરૂપ સાધનના બળથી ઉત્પન્ન થયેલું જે અનુમાન,
તેનાથી સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરી (તેનાં) શ્રદ્ધાન, જ્ઞાન, દર્શન,
પૂજન, ભક્તિ, સ્તોત્ર અને નમસ્કારાદિક કરવા યોગ્ય છે.
૧. સ્થાપના = ધાતુ, કાષ્ટ, પાષાણ વગેરેની પ્રતિમા તથા અન્ય
પદાર્થોમાં ‘આ તે છે’ એ પ્રકારે કોઈની કલ્પના કરવી, તે
સ્થાપના નિક્ષેપ છે.
૨. તદાકાર સ્થાપના = જે પદાર્થમાં જેવો આકાર હોય તેમાં તેવા
આકારવાળાની કલ્પના કરવી, તે તદાકાર સ્થાપના છે. દા.ત. શ્રી
સીમંધર ભગવાનની પ્રતિમામાં શ્રી સીમંધર ભગવાનની કલ્પના
કરવી.
૩. અતદાકાર સ્થાપના = ભિન્ન આકારવાળા પદાર્થમાં કોઈ ભિન્ન
આકારવાળાની કલ્પના કરવી, તે અતદાકાર સ્થાપના છે. દા.ત.
સેતરંજના ગોટામાં બાદશાહ વજીર વગેરેની કલ્પના કરવી.

Page 97 of 103
PDF/HTML Page 109 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૯૭
પણ જે સત્તાનો નિશ્ચય તો કરતો નથી અને કુલપદ્ધતિથી,
પંચાયતના આશ્રયથી વા મિથ્યાધર્મબુદ્ધિથી દર્શનપૂજનાદિરૂપ
પ્રવર્તે છે વા મતપક્ષના હઠગ્રાહીપણાથી બીજાઓને (અન્ય
દેવાદિકને) ન પણ માને, માત્ર તેનો જ (પોતે માનેલા
જિનદેવાદિકનો જ) સેવક બની રહ્યો છે તેને તો નિયમથી
પોતાના આત્મકલ્યાણરૂપ કાર્યની સિદ્ધિ થતી નથી, તેથી તે
અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જ છે. કારણ કે
જેનાથી સર્વજ્ઞની સત્તાનો
જ નિશ્ચય નથી કરી શકાયો તો (તેનાથી) સ્વરૂપનો નિશ્ચયાદિ
તો કેવી રીતે થશે?
અહીં કોઈ કહે કેસત્તાનો નિશ્ચય અમારાથી ન થયો તો
શું થયું? એ દેવ તો સાચા છે માટે પૂજનાદિ કરવાં અફળ થોડાં
જ જાય છે! તેનો ઉત્તર
જો તમારી કિંચિત્ મંદકષાયરૂપ
પરિણતિ થઈ જશે તો પુણ્યબંધ તો થતો જશે; પરંતુ જિનમતમાં
તો દેવનાં દર્શનથી આત્મદર્શનરૂપ ફળ થવું કહ્યું છે તે તો
નિયમથી સર્વજ્ઞની સત્તા જાણવાથી જ થશે, અન્ય પ્રકારથી નહિ
થાય, એ જ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે. વળી તમે લૌકિક
કાર્યોમાં તો એવા ચતુર છો કે વસ્તુનાં સત્તા આદિ નિશ્ચય કર્યા
વિના સર્વથા પ્રવર્તતા નથી; અને અહીં તમે સત્તાનિશ્ચય પણ
ન કરતાં ઘેલા (પાગલ) અનધ્યવસાયી થઈ પ્રવર્તો છો એ મોટું
આશ્ચર્ય છે, માટે શ્લોકવાર્તિકમાં (પાનું ૯) કહ્યું છે કે
‘कथमनिश्चितसत्ताकः स्तुत्यः प्रेक्षावतां’...... આદિ
અર્થઃજેની સત્તાનો નિશ્ચય નથી થયો તે

Page 98 of 103
PDF/HTML Page 110 of 115
single page version

background image
૯૮ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
પરીક્ષાવાળાને કેવી રીતે સ્તવન કરવા યોગ્ય છે? માટે તમે સર્વ
કાર્યોની પહેલાં પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરો એ
જ સર્વ ધર્મનું મૂળ છે, તથા એ જ જિનમતની આમ્નાય છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે
‘ધર્મ, અધર્મના ઉપાય સહિત
હેયોપાદેયતત્ત્વ એ જ કોઈને પ્રત્યક્ષ છે, એ પ્રમાણે તો કહેવું
પણ સકલ પદાર્થ પ્રત્યક્ષ છે, એમ ન કહેવું.’
તેને ઉત્તર આપીએ છીએ કેતમે પ્રશ્ન કર્યો પણ એ
પ્રમાણે નથી. કારણ કેસકલ પદાર્થ પ્રત્યક્ષ છે એમ ન હોય
તો ધર્મ, અધર્મ, હેય, ઉપાદેય તત્ત્વનું પણ પ્રત્યક્ષપણું ન બને.
વળી જો ઉપચારથી સકલપદાર્થ પ્રત્યક્ષ કહેશો તો તમે (માત્ર)
મહિમા અર્થે આ વાત કહી પણ તેમાં એ ગુણ તો સાચો ન
આવ્યો, ત્યારે જૂઠમતવાળાઓના જેવું કહેવું થયું. કારણ કે
નિયમ છે કે જેને સકલ પદાર્થ સાચા પ્રત્યક્ષરૂપ ન થયા તેને
કોઈ વસ્તુની પ્રમાણતા નથી.
વળી તે કહે છે કે ‘‘જેમ સર્વજ્ઞવાદી કહે કે ‘મને
કિંચિત્જ્ઞાનીને સર્વજ્ઞનું શ્રદ્ધાન અનુમાન વડે જેમ ભાસ્યું છે તે
જ પ્રમાણે સર્વજ્ઞને જાણનાર પહેલા થયા છે, આજે છે તથા
ભવિષ્યમાં થશે’ તેમ આવું કહેનાર એ સર્વજ્ઞવાદીને અમે એમ
કહીશું કે
મને કિંચિત્જ્ઞાનીને જેમ સર્વજ્ઞનો સદ્ભાવ ન ભાસ્યો
તે જ પ્રમાણે પૂર્વમાં પણ સર્વજ્ઞની સત્તાનો સદ્ભાવ કોઈને
ભાસ્યો નથી, વર્તમાનમાં કોઈને ભાસતો નથી તથા ભવિષ્યમાં
૧. અસર્વજ્ઞવાદી.

Page 99 of 103
PDF/HTML Page 111 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૯૯
કોઈને ભાસશે નહિ; કારણ કેજેમ અમે કાયવાન પુરુષ છીએ
તે જ પ્રમાણે અન્ય છે, અમારામાં અને બીજાઓમાં વિશેષતા
શું છે?’’
ઉપરનું કથન અયુક્ત છે, કારણ કેસર્વજ્ઞનો અભાવ
સાધવા માટે જ્ઞાપકાનુંપલંભ નામનો હેતુ આપ્યો હતો તેને તો
અમે જૂઠો કરી જ દીધો છે. તથા સર્વજ્ઞનો સદ્ભાવ સિદ્ધ
થવાનો ઉપાય તમારે કરવો છે તો સ્યાદ્વાદના કહ્યા પ્રમાણે
અમે અનુમાન સિદ્ધ કરી ચિત્ત લગાવ્યું છે તેમ તમે પણ ચિત્ત
લગાવો તો સર્વજ્ઞની સત્તા અવશ્ય ભાસશે જ. વળી તમે આ
હેતુ આપ્યો કે
‘હું મનુષ્ય છું તે જ પ્રમાણે સ્યાદ્વાદી મનુષ્ય,
અમને તો ન ભાસ્યો અને સ્યાદ્વાદીને ભાસ્યો’ તો એવી
સ્યાદ્વાદમાં શું વિશેષતા છે?’’ આ હેતુ તમે અસત્ય આપ્યો
છે, કારણ કે જગતમાં મનુષ્યશરીરવાન તો બધા એક જ
જાતિના છે. પરંતુ તેમાં આટલી વિશેષતા તો આજે પણ પ્રત્યક્ષ
જોઈએ છીએ કે
જેમ કોઈ મૂર્ખ છે, કોઈને હીરા
મોતી
ઇત્યાદિ વસ્તુઓની કિંમતનું જ્ઞાન છે, કોઈને નથી, કોઈને
શરાફીનું જ્ઞાન છે, કોઈને બજાજીનું (ગાવા
બજાવવાનું) જ્ઞાન
છે, કોઈને શાસ્ત્રોનું જ્ઞાન છે, કોઈને રોગનું જ્ઞાન છે, કોઈને
નથી, કોઈ દુષ્ટબુદ્ધિવાન છે, કોઈને ધર્મબુદ્ધિ છે તથા કોઈને
પાપબુદ્ધિ છે; એ જ પ્રમાણે તમને સર્વજ્ઞનો સદ્ભાવ ન ભાસ્યો
અને સ્યાદ્વાદીને ભાસ્યો તો એમાં વિરોધ ક્યાં આવ્યો?
એક આ વાત છે કેતમારે સ્યાદ્વાદીના સર્વજ્ઞનો
૧. સર્વજ્ઞવાદીનો ઉત્તર.

Page 100 of 103
PDF/HTML Page 112 of 115
single page version

background image
૧૦૦ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
સદ્ભાવ ભાસવાની પરીક્ષા કરવી છે તો તમે તેને પૂછો, અને
પછી તેને સ્વાર્થાનુમાન દ્વારા સર્વજ્ઞની સત્તા સિદ્ધ થઈ હશે તો
તે તમને પરાર્થાનુમાન દ્વારા સર્વજ્ઞની સત્તા સિદ્ધ કરાવી દેશે.
જો તમે તેનાથી ચતુર થઈ નિર્ણય કરવાના અર્થી બની પૂછશો,
અને તેનાથી હેતુના આશ્રયે સાચી સિદ્ધિ ન કરાવી શકાઈ તો
તે નિયમથી સ્યાદ્વાદી છે જ નહિ. જેમ બીજા લૌકિક અજ્ઞાની
જીવો છે, તેવો એને પણ જાણવો. કારણ કે
જેમ લૌકિકજીવ
વિષયકષાયાદિકનાં કાર્યોમાં પર્યાયબુદ્ધિરૂપ છેતેમાં મગ્ન થઈ
વિચક્ષણ બની રહ્યા છે તેમ એ જૂઠા સ્યાદ્વાદી કહેવાઈ
બુદ્ધિરૂપ જે પૂજા, દાન, તપ અને ત્યાગાદિકમાં મગ્ન થઈ
ધર્માત્મા બની રહ્યા છે. માટે તમે આ નિયમથી જાણો કે
જેને
સર્વજ્ઞની સત્તાનો નિશ્ચય થયો હશે તે જ સ્યાદ્વાદી છે, એટલા
માટે નરત્વ, કાયમાનપણું આદિ હેતુ આપી સ્યાદ્વાદીને
સર્વજ્ઞની સત્તાનો સદ્ભાવ ભાસવાનો નિષેધ છે તે અસંભવરૂપ
છે. શ્રી શ્લોકવાર્તિકજીમાં પણ કહ્યું છે કે
आसन् संति भविष्यंति बोद्धारो विश्वदृश्वनः
मदन्येपीति निर्णीतिर्यथा सर्वज्ञवादिनः ।।२६।।
અર્થ :જેમ પોતે અલ્પજ્ઞ હોવા છતાં સર્વજ્ઞવાદીને નિર્ણય છે
કે ‘મારા સિવાય બીજા પણ સર્વજ્ઞના જાણનારા ભૂતકાળમાં
થયા છે, વર્તમાન કાળે છે અને ભવિષ્ય કાળે થશે’, તેમ મને
પણ એ જ રીતે ‘સર્વજ્ઞ નથી’ એવો ત્રૈકાલિક નિર્ણય હોઈ શકે
છે
આમ (તારું) કહેવું અયુક્ત છે, કારણ કે સર્વજ્ઞને સિદ્ધ
કરનારાં પ્રમાણો મોજૂદ છે.

Page 101 of 103
PDF/HTML Page 113 of 115
single page version

background image
સર્વજ્ઞ સત્તાસ્વરૂપ ][ ૧૦૧
किंजिज्ज्ञस्यापि तद्वन्मे तेनैवेति विनिश्चयः
इत्युक्तमशेषज्ञसाधनोपायसंभवात् ।।२७।।
यथाहमनुमानादेः सर्वज्ञं वेह्नि तत्त्वतः
तथान्येपि नराः संतस्तद्बोद्धारो निरंकुशाः ।।२८।।
(પ્ર. અ. પાનું ૧૪)
ઇત્યાદિ બધી જિનમતની નિર્બલતા દર્શાવી પણ એ
અવસ્થા તો જૈનાભાસી છે કે જેને મતનું, આમ્નાયનું,
વસ્તુઓના સ્વરૂપનું વા સ્વ
પરના કલ્યાણનું જ્ઞાન તો ન થયું
હોય અને (માત્ર) કુળાદિક, વા પંચાયતઆદિના આશ્રયથી
પૂજા
તપ, ત્યાગાદિરૂપ પ્રવર્તે છે, તથા જૈની કહેવરાવે છે તેમને
જ છે. કારણ કેવિશેષ જ્ઞાન ન હોય તોપણ જે મોક્ષમાર્ગની
પ્રયોજનભૂત રકમ છે તેનું જ્ઞાન તો નિર્ણયરૂપહેતુપૂર્વક હોવું
જોઈએ. જે સાચો જૈની હશે તે તો પ્રયોજનભૂત રકમમાં અન્ય
દ્વારા બાધા સર્વથા આવવા દેશે નહિ તથા બાધા જોઈને પોતાને
તલાકપણું (‘એમ નહિ’ એવો નકાર, અરુચિ) ન આવે અને
જો પોતે સર્વનું મન રંજાયમાન કરવા અર્થે (માત્ર) મંદકષાયી
શીતલ બનીને જ રહે અને વાર્તાલાપ કરીને તેની બાધાનું ખંડન
ન કરે તો તે જૈનાભાસી મિથ્યાદ્રષ્ટિ જ છે. કારણ કે જે જૈન
હોય તે પોતાના કાનોથી જિનમતની બાધાનાં વચન કેવી રીતે
અર્થ :જેમ હું અનુમાનાદિથી સર્વજ્ઞને વાસ્તવિક રીતે જાણું
છું, તેમ અન્ય મનુષ્યો પણ સર્વજ્ઞને જાણનારા હોય તેમાં કોઈ
બાધા નથી.

Page 102 of 103
PDF/HTML Page 114 of 115
single page version

background image
૧૦૨ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
સહી શકે? શ્રી શ્લોકવાર્તિકમાં પણ કહ્યું છે કે
‘प्रतीतिविलोपो हि स्याद्वादिभिर्न क्षमं सोढुं’
અર્થઃજે સ્યાદ્વાદી છે તેનાથી પોતાની પ્રતીતિ જે
શ્રદ્ધાન તેનો વિલાપજે અન્યના કથનથી સદૂષણપણું (તે) સહ્યું
જતું નથી. કારણ કેદૂષણસહિત સદોષશ્રદ્ધાન થવાથી પછી
નિર્દોષદૂષણરહિત શ્રદ્ધાનનો આશ્રય થતો નથી.
ઇતિ સર્વજ્ઞસત્તા સ્વરૂપ સંપૂર્ણ.
મંગલમય મંગલકરણ, વીતરાગવિજ્ઞાન
નમો તેહ જેથી થયા, અરહંતાદિ મહાન ।।
૧. મંગલ = પવિત્રતાને લાવનાર અને અપવિત્રતાને ટાળનાર.
૨. વિજ્ઞાન = કેવલજ્ઞાન.
સમાપ્ત