Padmapuran (Gujarati). Parva 96 - Sitano lokapvad aney Ramni chinta; Parva 97 - Lokapvadna bhaythi Sitano tyag aney Sitano vanma vilap; Parva 98 - Vanma Vajrjangnu agaman aney Sitaney aashvashan; Parva 99 - Sitanu Vajrajang sathey javu aney margma sarvatra sanmaan meLavvu; Parva 100 - Sitaney jodiya putrano janma aney temna parakramnu varnan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 29 of 35

 

Page 540 of 660
PDF/HTML Page 561 of 681
single page version

background image
પ૪૦છન્નુમું પર્વપદ્મપુરાણ
ક્ષીરસાગરમાં રમે, ત્યાં ક્રીડા કરી જળમાંથી બહાર આવ્યા. પછી દિવ્ય સામગ્રીથી
વિધિપૂર્વક સીતા સહિત જિનેન્દ્રની પૂજા કરી. અતિસુંદર રામ અને વનલક્ષ્મી સમાન
સીતાથી મંડિત જાણે મૂર્તિમાન વસંત જ હોય એવા શોભતા હતા. અમૃતનો આહાર,
સુગંધનું વિલેપન, મનોહર સેજ, મનોહર આસન, સુગંધી માળાદિથી સ્પર્શ, રસ, ગંધ, રૂપ
અને શબ્દ પાંચેય ઇન્દ્રિયોના વિષયો રામને પ્રાપ્ત થયા. જિનમંદિરમાં ભલી વિધિથી
નૃત્યપૂજા કરી. પૂજા પ્રભાવનામાં રામને અતિ અનુરાગ થયો હતો. સૂર્યથી પણ અધિક
તેજના ધારક રામ દેવાંગના સમાન સુંદર પત્ની સાથે કેટલાક દિવસ સુખથી વનમાં રહ્યાં.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં સીતાને જિનેન્દ્રપૂજાની અભિલાષા
અને ગર્ભના પ્રાદુર્ભાવનું વર્ણન કરનાર પંચાણુંમું પર્વ પૂર્ણ થયું.
* * *
છન્નુમું પર્વ
(સીતાનો લોકાપવાદ અને રામની ચિંતા)
પછી પ્રજાના માણસો રામના દર્શનની ઈચ્છાથી વનમાં આવ્યા, જેમ તરસ્યા જનો
સરોવર પાસે આવે. બહારના દરવાને લોકોના આગમનની હકીકત દ્વારપાલિકાને કહી. તે
દ્વારપાલિકા અંદર રાજમહેલમાં જઈને રામને કહેવા લાગી કે હે પ્રભો! પ્રજાજનો આપના
દર્શનાર્થે આવ્યા છે. તે વખતે સીતાની જમણી આંખ ફરકી. સીતા વિચારવા લાગી કે આ
આંખ મને શું કહે છે! કોઈક દુઃખનું આગમન બતાવે છે. આગળ અશુભના ઉદયથી
સમુદ્રની મધ્યમાં દુઃખ પામી હતી તો પણ દુષ્ટ કર્મને હજી સંતોષ થયો નથી, શું બીજાં
પણ દુઃખ દેવા ચાહે છે? આ જીવે રાગદ્વેષ કરીને જે કર્મ ઉપાર્જ્યાં છે તેનું ફળ આ પ્રાણી
અવશ્ય પામે છે, કોઈથી રોકી શકાતાં નથી. ત્યારે સીતા ચિંતાતુર બનીને બીજી
રાણીઓને કહેવા લાગી કે મારી જમણી આંખ ફરકે છે એનું ફળ બતાવો. ત્યારે એક
મહાપ્રવીણ અનુમતિ નામની રાણીએ કહ્યું હે દેવી! આ જીવે જે શુભ અથવા અશુભ કર્મ
ઉપાર્જ્યાં છે તે આ જીવને ભલું-બૂરું ફળ આપે છે, કર્મને જ કાળ કહો કે વિધિ કહો કે
ઈશ્વર પણ કહો. સર્વ સંસારી જીવ કર્મને આધીન છે, સિદ્ધ પરમેષ્ઠી કર્મથી રહિત છે.
પછી ગુણદોષની જ્ઞાતા રાણી ગુણમાળા સીતાને રુદન કરતી જોઈ ધૈર્ય આપી કહેવા
લાગી. હે દેવી! તમે પતિની બધી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ છો, તમને કોઈ જાતનું દુઃખ નથી.
બીજી રાણીઓ કહેવા લાગી કે બહુ વિચાર કરવાથી શો ફાયદો? શાંતિકર્મ કરો, જિનેન્દ્રનો
અભિષેક અને પૂજા કરાવો અને કિમિચ્છક દાન આપો. જેની જે ઈચ્છા હોય તે લઈ
જાય. દાનપૂજાથી અશુભનું નિવારણ થાય છે, તેથી શુભ કાર્ય કરી અશુભને નિવારો. આ
પ્રમાણે એમણે કહ્યું. તેથી સીતા રાજી થઈ અને બોલી, સાચી વાત છે. દાન, પૂજા,
અભિષેક અને

Page 541 of 660
PDF/HTML Page 562 of 681
single page version

background image
પદ્મપુરાણછન્નુંમું પર્વ પ૪૧
તપ એ અશુભનાં નાશક છે. દાનધર્મ વિઘ્ન અને વેરનો નાશક છે, પુણ્ય અને યશનું મૂળ
કારણ છે. આમ વિચારીને ભદ્રકળશ નામના ભંડારીને બોલાવીને કહ્યું કે મારી પ્રસૂતિ
થાય ત્યાં સુધી કિમિચ્છક દાન નિરંતર આપતા રહો. ભદ્રકળશે જવાબ આપ્યો કે આપ
જેમ આજ્ઞા કરશો તેમ જ થશે. ભંડારી ગયો અને એ જિનપૂજાદિ શુભ ક્રિયામાં પ્રવર્તી.
ભગવાનનાં જેટલાં ચૈત્યાલયો હતાં તેમાં નાના પ્રકારના ઉપકરણો ચડાવ્યાં અને બધાં
ચૈત્યાલયોમાં અનેક પ્રકારનાં વાજિંત્રો વગડાવ્યાં. ભગવાનનાં ચરિત્ર, પુરાણાદિ ગ્રંથો
જિનમંદિરમાં પધરાવ્યાં. દૂધ, દહીં, ઘી, જળ, મિષ્ટાન્નથી ભરેલા કળશ અભિષેક માટે
મોકલાવ્યા. મુખ્ય કંચુકી વસ્ત્રાભૂષણ પહેરી હાથી ઉપર બેસી નગરમાં ઘોષણા ફેરવે છે કે
જેને જે જોઈએ તે રાજમહેલમાંથી લઈ જાય. લોકો પૂજા, દાન, તપ આદિમાં પ્રવર્ત્યા,
પાપબુદ્ધિરહિત થઈ સમાધાન પામ્યા. સીતા ધર્મમાં અનુરક્ત થઈ. શ્રી રામચંદ્ર મંડપમાં
આવીને બેઠા. નગરમાંથી જે લોકો આવ્યા હતા તેમનો દ્વારપાળે રામ સાથે મેળાપ કરાવ્યો.
સ્વર્ણરત્નથી નિર્માયિત અદ્ભુત સભા જોઈ પ્રજાજનો ચક્તિ થઈ ગયા. હૃદયને આનંદ
આપનાર રામનાં નેત્રો તેમને જોઈને પ્રસન્ન થયા. પ્રજાના માણસો હાથ જોડી નમસ્કાર
કરતા આવ્યા, તેમનાં શરીર ધ્રૂજતાં હતાં અને મન ભયભીત હતાં. રામે પૂછયું કે હે
નગરજનો! તમારા આગમનનું કારણ શું છે? ત્યારે વિજય, સુરાજિ, મધુમાન, વસુલો,
ધર, કશ્યપ, પિંગળ, કાળ, ક્ષેમ ઈત્યાદિ નગરના અગ્રણીઓ નિશ્ચળ થઈ ચરણો તરફ
જોવા લાગ્યા. જેમનો ગર્વ ગળી ગયો છે, રાજતેજના પ્રતાપથી કાંઈ કહી ન શક્યા. તો
પણ લાંબો સમય વિચારીને બોલવા ઈચ્છતા તો પણ તેમનાં મુખમાંથી શબ્દ ન નીકળી
શક્યા. ત્યારે રામે દિલાસો આપીને કહ્યું કે તમે શા માટે આવ્યા છો તે કહો. તો પણ તે
ચિત્ર જેવા થઈ ગયા, કાંઈ બોલી ન શક્યા. લજ્જાથી જેમનું ગળું રુંધાઈ ગયું હતું,
આંખો ચકળવકળ થતી હતી. છેવટે તેમાંના વિજય નામના એક મુખ્ય પુરુષે કહ્યું કે હે
દેવ! અભયદાનની કૃપા કરો. રામે કહ્યું કે તમે કોઈ બાબતની બીક ન રાખો, તમારા
મનમાં જે હોય તે કહો, તમારું દુઃખ દૂર કરી તમને હું શાતા ઉપજાવીશ, તમારા અવગુણ
નહિ જોઉં, ગુણનું જ ગ્રહણ કરીશ, જેમ મળેલા દૂધજળમાંથી હંસ જળને છોડી દૂધ જ
પીએ છે. શ્રી રામે અભયદાન દીધું તો પણ અતિ કષ્ટથી વિચારી વિચારીને ધીરે સ્વરે
વિજયે હાથ જોડી, શિર નમાવી કહ્યું હે નાથ! નરોત્તમ! એક વિનંતી સાંભળો. અત્યારે
બધા લોકો મર્યાદા જાળવતા નથી. એ બધા સ્વભાવથી જ કુટિલ છે અને પ્રગટ એકાદ
દ્રષ્ટાંત જુએ પછી એમને અકાર્ય કરવામાં ભય શેનો રહે? જેમ વાનર સ્વભાવથી જ
ચંચળ હોય છે અને અતિચપળ એવા યંત્રપિંજરા પર ચડયો હોય પછી કહેવાનું જ શું
રહે? નિર્બળોની યુવાન સ્ત્રીઓને બળવાન પાપીઓ નબળાઈ જોતાં જ બળાત્કારે હરી
જાય છે અને કેટલીક શીલવંતી સ્ત્રીઓ વિરહથી બીજાના ઘરમાં અત્યંત દુઃખી થાય છે
તેમને કેટલાક મદદ મેળવીને પોતાને ઘેર લઈ આવે છે તેથી ધર્મની મર્યાદા લોપાય છે.
એનો લોપ ન થાય તેવો પ્રયત્ન કરો, પ્રજાના હિતની વાંછા કરો, જે પ્રમાણે પ્રજાનું દુઃખ
ટળે તેમ કરો.

Page 542 of 660
PDF/HTML Page 563 of 681
single page version

background image
પ૪રછન્નુંમું પર્વપદ્મપુરાણ
આ મનુષ્યોમાં તમે મોટા રાજા છો, તમારા જેવું બીજું કોણ છે? જો તમે જ પ્રજાનું રક્ષણ
નહિ કરો તો કોણ કરશે? નદીના તટ અને વન, ઉપવન, કૂવા, વાવ, સરોવરના તીર
તથા દરેક ગ્રામ અને ઘરમાં એક આ જ અપવાદની કથા ચાલે છે કે રાવણ સીતાને
હરીને લઈ ગયો હતો તો પણ શ્રી રામ સર્વ શાસ્ત્રોમાં પ્રવીણ તેને ઘરમાં લઈ આવ્યા તો
બીજાઓને શો દોષ છે? જે મોટા માણસો કરે તે આખા જગતને માન્ય છે, જે રીતે રાજા
પ્રવર્તે તે જ રીતે પ્રજા પ્રવર્તે. આ પ્રમાણે દુષ્ટ ચિત્તવાળા નિરંકુશ થઈ પૃથ્વી પર અપવાદ
કરે છે, તેમનો નિગ્રહ કરો. હે દેવ! આપ મર્યાદા પુરુષોત્તમ છો. એક આ અપવાદ તમારા
રાજ્યમાં ન થતો હોત તો તમારું આ રાજ્ય ઇન્દ્રથી પણ ચડિયાતું થાત. વિજયનાં આ
વચન સાંભળી રામચંદ્ર ક્ષણવાર વિષાદ પામી મુદ્ગરનો પ્રહાર થયો હોય તેમ તેમનું ચિત્ત
ચલાયમાન થયું, મનમાં વિચારવા લાગ્યા, આ કેવું કષ્ટ આવી પડયું! મારું યશરૂપ
કમળવન અપયશરૂપ અગ્નિથી બળવા લાગ્યું છે, જે સીતાના નિમિત્તે મેં વિરહનું કષ્ટ
સહન કર્યું તે મારા કુળરૂપ ચંદ્રને મલિન કરે છે, હું અયોધ્યા સુખ નિમિત્તે આવ્યો અને
સુગ્રીવ, હનુમાનાદિ જેવા મારા સુભટો. મારા ગોત્રરૂપ કુમુદિનીને આ સીતા મલીન કરે
છે, જેના નિમિત્તે મેં સમુદ્ર ઓળંગી રણસંગ્રામ કરી રિપુને જીત્યો તે જાનકી મારા કુળરૂપ
દર્પણને કલુષિત કરે છે, આ લોકો કહે છે તે સાચું છે. દુષ્ટ પુરુષના ઘરમાં રહેલી સીતાને
હું શા માટે લાવ્યો? અને સીતા પ્રત્યે મારો અત્યંત પ્રેમ છે, તેને એક ક્ષણ પણ ન જોઉં
તો વિરહથી વ્યાકુળ થઈ જાઉં છું. વળી તે પતિવ્રતા છે, મારા પ્રત્યે અનુરક્ત છે, તેનો હું
ત્યાગ કેવી રીતે કરું? અથવા સ્ત્રીઓનાં ચિત્તની ચેષ્ટાને કોણ જાણે છે? જેમાં બધા
દોષોનો નાયક મન્મથ વસે છે, ધિક્કાર છે સ્ત્રીના જન્મને! સર્વ દોષોની ખાણ, આતાપનું
કારણ, નિર્મળ કુળમાં ઉપજેલા પુરુષોને કાદવની જેમ મલિનતાનું કારણ છે. જેમ કાદવમાં
ફસાયેલો મનુષ્ય તથા પશુ નીકળી શકતાં નથી તેમ સ્ત્રીના રાગરૂપ કાદવમાં ફસાયેલ
પ્રાણી નીકળી ન શકે. આ સ્ત્રી બધા બળનો નાશ કરે છે, રાગનો આશ્રય છે, બુદ્ધિને
ભ્રષ્ટ કરે છે, સત્યથી પછાડવાને ખાઈ સમાન છે, નિર્વાણ સુખની વિઘ્ન કરનારી, જ્ઞાનના
જન્મને રોકનારી, ભવભ્રમણનું કારણ છે. રાખથી દબાયેલ અગ્નિની પેઠે દાહક છે, દર્ભની
અણી સમાન તીક્ષ્ણ છે, દેખવા પૂરતી મનોજ્ઞ, પરંતુ અપવાદનું કારણ એવી સીતાનો,
દુઃખ દૂર કરવા માટે હું ત્યાગ કરીશ, સાપ કાંચળીનો ત્યાગ કરે છે તેમ. વળી વિચારે છે
જેનાથી મારું હૃદય તીવ્ર સ્નેહના બંધનથી વશીભૂત છે તે કેવી રીતે છોડી શકાય? જોકે હું
સ્થિર છું તો પણ જાનકી પાસે રહેલા અગ્નિની જ્વાળા સમાન મારા મનને આતાપ
ઉપજાવે છે અને એ દૂર રહીને પણ મારા મનને મોહ ઉપજાવે છે, જેમ ચંદ્રરેખા દૂરથી જ
કુમુદોને ખીલવે છે. એક તરફ લોકનિંદાનો ભય છે અને બીજી તરફ સીતાનો દુર્નિવાર
સ્નેહ છે. લોકનિંદાનો ભય અને સીતાના રાગના વિકલ્પના સાગરની મધ્યમાં હું પડયો
છું. વળી સીતા સર્વ પ્રકારે દેવાંગનાથી પણ શ્રેષ્ઠ, પતિવ્રતા, સતી શીલરૂપિણી, મારા પ્રત્યે
સદા એકચિત્તવાળી, તેને હું કેવી રીતે તજું? જો નથી

Page 543 of 660
PDF/HTML Page 564 of 681
single page version

background image
પદ્મપુરાણ સત્તાણુંમું પર્વ પ૪૩
ત્યજતો તો અપકીર્તિ થાય છે, આ પૃથ્વી પર મારા જેવો બીજો કોઈ દીન નથી. સ્નેહ
અને અપવાદનો ભય એ બન્નેમાં જેનું ચિત્ત ચોંટયું છે, બન્નેની મિત્રતાના તીવ્ર ફેલાવાના
વેગને વશ થયેલા રામ અપવાદરૂપ તીવ્ર કષ્ટ પામ્યા. સિંહની ધ્વજાના ચિહ્નવાળા રામને
બન્ને તરફની અતિઆકુળતારૂપ ચિંતા અશાતાનું કારણ બની દુસ્સહ આતાપ ઉપજાવવા
લાગી, જેમ જેઠના મધ્યાહ્નનો સૂર્ય દુઃસહ દાહ ઉપજાવે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામને લોકાપવાદની ચિંતાનું વર્ણન
કરનાર છન્નુમું પર્વ પૂર્ણ થયું.
* * *
સત્તાણુંમું પર્વ
(લોકાપવાદના ભયથી સીતાનો ત્યાગ અને સીતાનો વનમાં વિલાપ)
પછી શ્રી રામે એકાગ્રચિત્તથી દ્વારપાળને લક્ષ્મણને બોલાવવાની આજ્ઞા કરી.
દ્વારપાળ લક્ષ્મણ પાસે આવ્યો અને રામની આજ્ઞા કહી. લક્ષ્મણ દ્વારપાળનાં વચન
સાંભળી તત્કાળ અશ્વ પર બેસી રામ પાસે આવ્યા. હાથ જોડી નમસ્કાર કરી સિંહાસનની
નીચે પૃથ્વી પર બેઠો. રામે ઊભા થઈને તેમને લઈને અડધા સિંહાસન પર બેસાડયા.
શત્રુઘ્ન આદિ રાજા અને વિરાધિત આદિ બધા વિદ્યાધરો યોગ્ય સ્થાને બેઠા. પુરોહિત,
શ્રેષ્ઠી, મંત્રી, સેનાપતિ બધા જ સભામાં બેઠા હતા. પછી ક્ષણવાર વિશ્રામ લઈને રામચંદ્રે
લક્ષ્મણને લોકાપવાદની વાત કહી. તે સાંભળી લક્ષ્મણના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયાં
અને યોદ્ધાઓને આજ્ઞા કરી કે હમણાં જ હું તે દુર્જનોનો નાશ કરવા જઈશ. પૃથ્વીને
અસત્યરહિત કરીશ. જે મિથ્યા વચન કહે છે તેની હું જીભ કાપીશ. ઉપમારહિત
શીલવ્રતની ધરનારી સીતાની જે નિંદા કરે છે તેનો હું નાશ કરીશ. આ પ્રમાણે લક્ષ્મણ
ખૂબ ગુસ્સે થયા, તેમની આંખો લાલ થઈ ગઈ. શ્રી રામે તેમને શાંત પાડીને કહ્યું હે
સૌમ્ય! આ પૃથ્વીનું સાગરો સુધી શ્રી ઋષભદેવે રક્ષણ કર્યું, પછી ભરતે તેનું પાલન કર્યું,
ઈક્ષ્વાકુવંશના તિલક મોટા મોટા રાજાઓ જેમણે રણમાં કદી પીઠ બતાવી નહોતી, જેમની
કીર્તિરૂપ ચાંદનીથી આ જગત શોભે છે એવા આપણા વંશમાં થયા. હવે હું ક્ષણભંગુર
પાપરૂપ રાગના નિમિત્તે યશને કેવી રીતે મલિન કરું? અલ્પ અપકીર્તિ પણ ટાળીએ નહિ
તો તે વૃદ્ધિ પામે છે. તે નીતિવાન પુરુષોની કીર્તિ ઇન્દ્રાદિક દેવો પણ ગાય છે. આ ભોગ
વિનાશિક છે, જે કિર્તિરૂપ વનને બાળે એવા અકીર્તિરૂપ અગ્નિથી શો લાભ? જો કે સીતા
સતી શીલવંતી નિર્મળ ચિત્તવાળી છે તો પણ એને ઘરમાં રાખવાથી મારી નિંદા મટવાની
નથી. આ અપવાદ શસ્ત્રાદિથી દૂર થઈ શકતો નથી. જોકે સૂર્ય કમળોના વનને પ્રફુલ્લિત
કરે છે, તિમિરને હણે છે તો પણ રાત્રિ થતાં સૂર્યનો અસ્ત થાય છે તેમ અપવાદરૂપ રજ
અત્યંત વિસ્તાર પામી તેજસ્વી પુરુષોની ક્રાંતિને

Page 544 of 660
PDF/HTML Page 565 of 681
single page version

background image
પ૪૪સત્તાણુંમું પર્વપદ્મપુરાણ
હાનિ કરે છે તેથી એ રજને ફેલાતી અટકાવવી જોઈએ. હે ભાઈ! ચંદ્રમા સમાન નિર્મળ
આપણું ગોત્ર અપકીર્તિરૂપ મેઘમાળાથી આચ્છાદિત થાય છે તે ન ઢંકાય એ જ મારો
પ્રયત્ન છે. જેમ સૂકા ઈંધનમાં લાગેલી આગ જળથી બુઝાવ્યા વિના ફેલાતી રહે છે તેમ
અપકીર્તિરૂપ અગ્નિ પૃથ્વી પર ફેલાય છે તે રોક્યા વિના મટે નહિ. આ તીર્થંકરદેવોનું કુળ
અત્યંત ઉજ્જવળ પ્રકાશરૂપ છે. એને કલંક ન લાગે એવો ઉપાય કરો. જોકે સીતા અત્યંત
નિર્દોષ છે તો પણ હું તેનો ત્યાગ કરીશ, આપણો યશ મલિન નહિ કરું. ત્યારે લક્ષ્મણે
કહ્યું હે દેવ! સીતાને શોક ઉપજાવવો તે યોગ્ય નથી. લોકો તો મુનિઓની પણ નિંદા કરે
છે, જિનધર્મનોય અપવાદ કરે છે તો શું લોકાપવાદથી આપણે ધર્મનો ત્યાગ કરીએ
છીએ? તેમ માત્ર લોકાપવાદથી જાનકીને કેમ તજાય? જે બધી સતીઓની શિરમોર છે
અને કોઈ પ્રકારે નિંદાયોગ્ય નથી. અને પાપી જીવો શીલવાન પ્રાણીઓની નિંદા કરે છે, શું
તેમનાં વચનોથી શીલવંતોને દોષ લાગે છે? તે તો નિર્દોષ જ છે. આ લોક અવિવેકી છે,
એમનાં વચન પરમાર્થ નથી, વિષથી દુષિત નેત્રવાળા ચંદ્રને શ્યામ દેખે છે, પરંતુ ચંદ્ર શ્વેત
જ છે, શ્યામ નથી. તેમ લોકોના કહેવાથી નિષ્કલંકીઓને કલંક લાગતું નથી. જે શીલથી
પૂર્ણ છે તેમને પોતાનો આત્મા જ સાક્ષી છે, બીજા જીવોનું પ્રયોજન નથી. નીચ જીવોના
અપવાદથી વિવેકી પંડિતો ગુસ્સે ન થાય, જેમ કૂતરાના ભસવાથી ગજેન્દ્ર કોપ કરતો
નથી. આ લોકની ગતિ વિચિત્ર હોય છે, તેમની ચેષ્ટા તરંગ સમાન છે. બીજાઓની નિંદા
કરવામાં આસક્ત એ દુષ્ટોનો પોતાની મેળે જ નિગ્રહ થશે, જેમ કોઈ અજ્ઞાની શિલાને
ઉપાડીને ચંદ્ર તરફ ફેંકે અને મારવા ઈચ્છે તો સહેજે પોતે જ ચોક્કસ નાશ પામે છે. જે
દુષ્ટ બીજાના ગુણો સહન ન કરી શકે અને સદાય બીજાની નિંદા કરે છે તે પાપી
નિશ્ચયથી દુર્ગતિ પામે છે. લક્ષ્મણનાં આ વચનો સાંભળી શ્રી રામચંદ્રે કહ્યુંઃ હે લક્ષ્મણ! તું
કહે છે તે બધું સાચું છે, તારી બુદ્ધિ રાગદ્વેષરહિત અતિમધ્યસ્થ છે, પરંતુ જે શુદ્ધ
ન્યાયમાર્ગી મનુષ્ય છે તે લોકવિરુદ્ધ કાર્યને તજે છે. જેની દશે દિશા અપકીર્તિરૂપી
દાવાનળની જ્વાળા પ્રજ્વલિત છે તેને જગતમાં સુખ કેવું અને તેનું જીવન પણ શા
કામનું? અનર્થ કરનાર અર્થથી શો લાભ? અને વિષસંયુક્ત ઔષધિથી શો ફાયદો? જે
બળવાન હોય, જીવોની રક્ષા ન કરે, શરણે આવેલાનું પાલન ન કરે તેના બળનો શો
અર્થ? જેનાથી આત્મકલ્યાણ ન થાય તે આચરણથી શું? ચારિત્ર તો તેજ કે જે આત્માનું
હિત કરે. જે અધ્યાત્મગોચર આત્માને ન જાણે તેના જ્ઞાનથી શો લાભ? જેની કીર્તિરૂપ
વધૂને અપવાદરૂપ બળવાન હરી જાય તેનો જન્મ પ્રશસ્ત નથી, એવા જીવનથી મરણ
ભલું છે. લોકાપવાદની વાત દૂર રાખો, મારો એ જ મોટો દોષ છે કે પરપુરુષે હરેલી
સીતાને હું પાછી ઘરમાં લાવ્યો. રાક્ષસનાં મહેલના ઉદ્યાનમાં એ ઘણા દિવસ રહી અને
તેણે (રાવણે) દૂતી મોકલીને મનવાંછિત માગણી કરી અને પાસે આવીને દુષ્ટ દ્રષ્ટિથી
જોઈ અને તેના મનમાં આવ્યા તેવા શબ્દો કહ્યા, એવી સીતાને હું ઘરમાં લાવ્યો. એના
જેવી બીજી લજ્જા કઈ હોય? મૂઢ મનુષ્યો શું શું ન કરે? આ સંસારની માયામાં હું જ
મૂઢ થયો. આ પ્રમાણે કહીને આજ્ઞા

Page 545 of 660
PDF/HTML Page 566 of 681
single page version

background image
પદ્મપુરાણ સત્તાણુંમું પર્વ પ૪પ
કરી કે તરતજ કૃતાંતવક્ર સેનાપતિને બોલાવો. જોકે સીતા બે બાળકોના ગર્ભસહિત છે તો
પણ તેને મારા ઘરમાંથી તત્કાળ કાઢી મૂકો. આવી આજ્ઞા કરી ત્યારે લક્ષ્મણે હાથ જોડી,
નમસ્કાર કરી કહ્યું હે દેવ! સીતાને તજવી યોગ્ય નથી. આ રાજા જનકની પુત્રી,
મહાશીલવતી પુત્રી, જિનધર્મિણી, કોમળ ચરણોવાળી, અતિ સુકુમાર, ભોળી, સદા સુખમાં
રહેલી એકલી ક્યાં જશે? ગર્ભના ભારવાળી, અત્યંત ખેદ પામતી આ રાજપુત્રીને તમે
ત્યજશો તો કોના શરણે જશે? અને આપે જોવાની વાત કરી તો જોવાથી શો દોષ થયો?
જેમ જિનરાજની આગળ ચડાવેલાં દ્રવ્ય નિર્માલ્ય થાય છે, તેને આપણે જોઈએ છીએ,
પરંતુ એમાં કંઈ દોષ નથી. અયોગ્ય અભક્ષ્ય વસ્તુને આંખોથી જોઈએ છીએ, પરંતુ
જોવાથી દોષ નથી, અંગીકાર કરવાથી દોષ થાય છે. માટે હે નાથ! મારા પર પ્રસન્ન
થાવ, મારી વિનંતી સાંભળો, તમારામાં જેનું ચિત્ત એકાગ્ર છે એવી નિર્દોષ સતી સીતાને
ન ત્યજો. પછી રામ અત્યંત વિરક્ત થઈ ક્રોધે ભરાયા અને નારાજ થઈને કહ્યું હે
લક્ષ્મણ! હવે કાંઈ ન કહીશ, મેં પાકો નિર્ણય કર્યો છે. શુભ થાય કે અશુભ થાય, સીતાને
નિર્જન વનમાં અસહાય એકલી છોડી દો. પોતાના કર્મનો ઉદય પ્રમાણે તે જીવે કે મરે,
પણ હવે તે એક ક્ષણમાત્ર પણ મારા દેશમાં, નગરમાં, કોઈના ઘરમાં ન રહે. તે અપકીર્તિ
કરનાર છે, કૃતાંતવક્રને બોલાવ્યો. તે ચાર ઘોડાના રથમાં બેસી મોટી સેના સાથે રાજમાર્ગે
થઈને આવ્યો. જેના શિર પર છત્ર ફરતું, ખંભે ધનુષ્ય ચડાવી, બખ્તર પહેરી, કુંડળ
પહેરી આવતો જોઈને નગરનાં સ્ત્રીપુરુષો અનેક જાતની વાતો કરવા લાગ્યા. આજે આ
સેનાપતિ દોડતો જાય છે તે કોના ઉપર ચડાઈ કરવાની હશે? તે કોના ઉપર ગુસ્સે થયો
છે? આજે કોઈનું કાંઈક નુકસાન થવાનું છે. જેઠ મહિનાના સૂર્ય જેવો જેનો તાપ છે તે
કાળ સમાન ભયંકર શસ્ત્રોના સમૂહ સાથે ચાલ્યો જાય છે તે ખબર નથી પડતી કે આજે
કોના ઉપર કોપ્યો છે. આમ નગરમાં ચર્ચા ચાલે છે. સેનાપતિ રામની સમીપે આવ્યા,
સ્વામીને મસ્તક નમાવી નમસ્કાર કરી બોલ્યો દેવ! આજ્ઞા કરો.
રામે કહ્યું શીઘ્ર સીતાને લઈ જાવ, માર્ગમાં જિનમંદિરોનાં દર્શન કરાવી
સમ્મેદશિખર અને નિર્વાણભૂમિ તથા માર્ગનાં ચૈત્યાલયોનાં દર્શન કરાવી તેની ઈચ્છા પૂર્ણ
કરી, સિંહનાદ નામની, જ્યાં મનુષ્યનું નામનિશાન નથી, તે અટવીમાં એકલી છોડી
આવો. તેણે કહ્યું કે જેવી આજ્ઞા. પછી જાનકી પાસે જઈને કહ્યું કે હે માતા! રથમાં બેસો.
તમારી ચૈત્યાલયોનાં દર્શનની વાંછા પૂરી કરો. આ પ્રમાણે સેનાપતિએ મધુર સ્વરથી તેના
આનંદની વાત કરી. પછી સીતા રથમાં બેઠી, બેસતી વખતે ભગવાનને નમસ્કાર કર્યા
અને ચતુર્વિધ સંઘનો જય થાવ’ એવા શબ્દો કહ્યા મહાન જિનધર્મી, ઉત્તમ આચરણમાં
તત્પર શ્રી રામચંદ્ર જયવંત વર્તો, અને મારા પ્રમાદથી કોઈ અસુંદર ચેષ્ટા થઈ હોય તો
જિનધર્મના અધિષ્ઠાતા દેવ ક્ષમા કરો. સખીઓ સાથે આવવા લાગી. તેમને કહ્યું કે તમે
સુખેથી અહીં રહો, હું તરત જ જિન ચૈત્યાલયોનાં દર્શન કરીને આવું છું. આમ તેણે કહ્યું.
પછી સિદ્ધોને નમસ્કાર કરી સીતા આનંદથી રથમાં બેઠી.

Page 546 of 660
PDF/HTML Page 567 of 681
single page version

background image
પ૪૬ સત્તાણુંમું પર્વ પદ્મપુરાણ
સોના અને રત્નના તે રથમાં બેઠેલી તે વિમાનમાં બેઠેલી દેવાંગના જેવી શોભતી હતી.
કૃતાંતવક્રે રથ ચલાવ્યો, તેના ચાલવાના સમયે સીતાને અપશુકન થયાં, સૂકા વૃક્ષ પર
કાગડો બેસીને વીરસ અવાજ કરતો હતો અને માથું ધુણાવતો હતો, અને સામે જતાં
અત્યંત શોકભરેલી કોઈ સ્ત્રી શિરના વાળ વિખરાયેલા અને રુદન કરતી સાંભળી, આવાં
અનેક અપશુકન થયાં તો પણ જિનભક્તિમાં અનુરાગી સીતા નિશ્ચળ ચિત્તે ચાલી ગઈ,
અપશુકનને ગણકાર્યાં નહિ. પહાડોનાં શિખર, કંદરા, અનેક ઉપવન ઓળંગીને શીઘ્ર રથ
દૂર ચાલ્યો ગયો, ગરુડ સમાન જેનો વેગ હતો એવા અશ્વોથી યુક્ત, સફેદ ધ્વજાથી
વિરાજિત સૂર્યના રથ સમાન તેમનો રથ શીઘ્ર ચાલ્યો. મનોરથ સમાન રથ પર બેઠેલી
સીતા ઇન્દ્રાણી સમાન શોભતી હતી. કૃતાંતવક્ર સેનાપતિએ માર્ગમાં સીતાને નાના પ્રકારની
ભૂમિ બતાવી; ગ્રામ, નગર, વન, કમળો જેમાં ખીલી ઊઠયાં છે એવાં સરોવરો, નાના
પ્રકારના વૃક્ષો, કયાંક સઘન વૃક્ષોથી વનમાં અંધકાર ફેલાયો છે, જેમ અંધારી રાતે
મેઘમાળાથી મંડિત ગાઢ અંધકારરૂપ ભાસે, કાંઈ દ્રષ્ટિગોચર ન થાય તેવાં વન તો ક્યાંક
કોક કોક વૃક્ષ હોય એવી ભૂમિ-જેમ પંચમકાળમાં ભરત ઐરાવત ક્ષેત્રની ભૂમિ વિરલ
સત્પુરુષોવાળી હોય-બતાવી, ક્યાંક વનમાં પાનખરની અસર થઈ છે તે ભૂમિ પત્રરહિત,
પુષ્પ-ફળાદિરહિત, છાયારહિત મોટા કુળની વિધવા સ્ત્રી જેવી દેખાય છે.
ભાવાર્થ– વિધવા પણ પુત્રરૂપી પુષ્પ-ફળાદિરહિત છે અને આભરણ, સુંદર
વસ્ત્રાદિ તથા કાંતિરહિત હોય છે તેવી આ વનભૂમિ દેખાય છે. ક્યાંક વનમાં સુંદર માધુરી
લતા આંબાના વૃક્ષ સાથે વીંટળાયેલી એવી શોભે છે જેવી ચપળ વેશ્યા, આમ્રવૃક્ષને
વળગી અશોકની વાંછા કરે છે. દાવાનળથી કેટલાંક વૃક્ષો બળી ગયાં છે તે જેમ ક્રોધરૂપ
દાવાનળથી બળેલું હૃદય શોભે નહિ તેમ શોભતાં નથી. કેટલાંક સુંદર પલ્લવો મંદ પવનથી
હાલતા શોભે છે જાણે કે વસંતરાજ આવવાથી વનપંક્તિરૂપ નારીઓ આનંદથી નૃત્ય જ
કરે છે. કેટલાંક ભીલો દેખાય છે. તેમના કકળાટથી હરણો દૂર ભાગી ગયાં છે અને પક્ષી
ઊડી ગયાં છે. કેટલીક વનની અલ્પજળવાળી નદીઓથી સંતોષ પામેલી વિરહી નાયિકાના
આંસુથી ભરેલી આંખો જેવી ભાસે છે. કેટલીક વની જાતજાતનાં પક્ષીઓના નાદથી
મનોહર અવાજ કરે છે અને કેટલીક ઝરણાઓના નાદથી તીવ્ર હાસ્ય કરે છે. ક્યાંક
મકરંદમાં લુબ્ધ ભ્રમરોના ગુંજારવથી જાણે કે વનની વસંતરાજાની સ્તુતિ જ કરે છે, ક્યાંક
વળી ફૂલોથી નમ્રીભૂત થઈ શોભા ધરે છે, જેમ સફળ પુરુષ દાતાર નમ્ર બનેલા શોભે છે.
ક્યાંક વાયુથી હાલતાં વૃક્ષોની શાખાઓ ડોલે છે, પર્ણો હાલે છે, પુષ્પો નીચે ખરી પડે છે
તે જાણે પુષ્પવૃષ્ટિ જ કરે છે. આવી શોભાવાળી વનભૂમિઓમાંની કેટલીકમાં ક્રૂર જીવો
ભર્યા છે તેને જોતી સીતા ચાલી જાય છે. તેનું ચિત્ત રામમાં છે, તે ક્યાંક મધુર શબ્દ
સાંભળી વિચારે છે જાણે - કે રામનાં દુંદુભિ વાજાં વાગે છે. આ પ્રમાણે વિચાર કરતી
સીતાએ ગંગા નદી જોઈ. ગંગામાં મત્સ્ય, મગર, કાચબા વગેરે જળચરો ફરે છે. તેમના
ફરવાથી ઊંચી લહેરો ઊઠે છે, કમળો ધ્રૂજે છે. તેના કાંઠા પરનાં વૃક્ષોને

Page 547 of 660
PDF/HTML Page 568 of 681
single page version

background image
પદ્મપુરાણ સત્તાણુંમું પર્વ પ૪૭
જેણે ઉખાડી નાખ્યા છે, પર્વતના પાષણોને પણ તેણે ઉખાડી નાખ્યા છે, તે ગંભીર બની
સમુદ્ર તરફ ચાલી જાય છે. તેમાં ફીણના ગોટા ઊઠે છે. તેની અંદરનાં વમળો ભયાનક છે.
બન્ને કાંઠા પર બેઠેલાં પક્ષીઓ અવાજ કરે છે. રથના તેજસ્વી તુરંગો તે નદીને પાર કરી
ગયા, તેમનો વેગ પવન સમાન છે, જેમ સાધુ પુરુષ સંસારસમુદ્રથી પાર થાય તેમ. સામે
તીરે જઈ જોકે સેનાપતિનું ચિત્ત મેરુ સમાન અચળ હતું તો પણ દયાના યોગથી
અતિવિષાદ પામ્યું. તે અતિદુઃખથી કાંઈ બોલી ન શક્યો. આંખમાં આંસુ ભરાઈ ગયાં.
રથ રોકીને ઊંચા સ્વરે રોવા લાગ્યો, તેનું શરીર ઢીલું થઈ ગયું, તેની કાંતિ ચાલી ગઈ.
ત્યારે સતી સીતાએ કહ્યું,ઃ હે કૃતાંતવક્ર! તું શા માટે દુઃખી થઈને રોવે છે? આજે
જિનવંદનાનો ઉત્સવદિન છે, તું હર્ષમાં વિષાદ કેમ કરે છે? આ નિર્જન વનમાં શા માટે
રુએ છે? ત્યારે ખૂબ રોતાં રોતાં યથાવત્ વૃત્તાંત કહ્યો, જેના શબ્દો વિષ સમાન, અગ્નિ
સમાન, શસ્ત્ર સમાન છે. હે માતા! દુર્જનોના અપવાદથી રામે અપકીર્તિના ભયથી તમારા
ન ત્યજી શકાય એવા સ્નેહને તજીને ચૈત્યાલયોનાં દર્શનની તમારી અભિલાષા પૂરી કરીને
તમને ચૈત્યાલયોનાં અને નિર્વાણક્ષેત્રોનાં દર્શન કરાવીને ભયાનક વનમાં તજી દીધાં છે. હે
દેવી! જેમ યતિ રાગપરિણતિને તજે તેમ રામે તમારો ત્યાગ કર્યો છે. લક્ષ્મણે કહેવાની
જેટલી હદ હતી તેટલું કહ્યું. કાંઈ બાકી ન રાખ્યું. તમારા માટે અનેક ન્યાયનાં વચન
કહ્યાં, પરંતુ રામે હઠ ન છોડી, હે સ્વામિની! રામ તમારા તરફ રાગરહિત થયા, હવે
તમારે ધર્મનું જ શરણ છે. આ સંસારમાં માતા, પિતા, ભાઈ કે કુટુંબ કોઈ જીવના
સહાયક નથી. એક ધર્મ જ સહાયક છે. હવે તમારા માટે આ મૃગોનું ભરેલું વન જ
આશ્રયસ્થાન છે. આ વચન સાંભળી સીતા પર વજ્રપાત થયો. હૃદયનાં દુઃખના ભારથી તે
મૂર્ચ્છા પામી. પછી સચેત થઈ ગદગદ વાણીથી બોલી શીઘ્ર મને પ્રાણનાથનો મેળાપ
કરાવો. ત્યારે તેણે કહ્યું કે હે માતા! નગરી અને રામનાં દર્શન દૂર રહી ગયાં.
અશ્રુપાતરૂપ જળની ધારા વહાવતી તે બોલી કે હે સેનાપતિ! તું મારાં આ વચન રામને
કહેજે કે મારા ત્યાગનો તે વિષાદ ન કરે, ખૂબ જ ધૈર્યનું આલંબન લઈને સદા પ્રજાનું
રક્ષણ કરે, જેમ પિતા પુત્રનું રક્ષણ કરે છે. પોતે સાચા, ન્યાયી અને કલાના પારગામી છે.
રાજાને પ્રજા જ આનંદનું કારણ છે. રાજા તે જ, જેને પ્રજા શરદની પૂનમના ચંદ્રની પેઠે
ચાહે. આ સંસાર અસાર છે, અતિભયંકર દુઃખરૂપ છે. જે સમ્યગ્દર્શનથી ભવ્ય જીવ
સંસારથી મુક્ત થાય છે તેની તમારે આરાધના કરવી યોગ્ય છે. તમે રાજ્ય કરતાં પણ
સમ્યગ્દર્શનને અધિક હિતરૂપ જાણજો. આ સમ્યગ્દર્શન અવિનાશી સુખ આપે છે. અભવ્ય
જીવ નિંદા કરે તો તેમની નિંદાના ભયથી હે પુરુષોત્તમ! સમ્યગ્દર્શનને કદી પણ ન
છોડતા, એ અત્યંત દુલર્ભ છે. જેમ હાથમાં આવેલું રત્ન સમુદ્રમાં ફેંકી દઈએ તો પછી
કયા ઉપાયથી હાથ આવે? અમૃતફળને અંધારિયા કૂવામાં નાખી દેવાથી ફરી કેવી રીતે
મળે? જેમ અમૃતફળને ફેંકી બાળક પશ્ચાત્તાપ કરે તેમ સમ્યગ્દર્શનથી રહિત થયેલો જીવ
વિષાદ કરે છે. આ જગત દુર્નિવાર છે. જગતનું મુખ બંધ કરવાને કોણ સમર્થ છે? જેના
મુખમાં જે આવે

Page 548 of 660
PDF/HTML Page 569 of 681
single page version

background image
પ૪૮ સત્તાણુંમું પર્વ પદ્મપુરાણ
તે કહે. માટે જગતની વાત સાંભળીને જે યોગ્ય હોય તે કરવું. લોકો ગાડરીયો પ્રવાહ છે
માટે હે ગુણભૂષણ, પોતાના હૃદયમાં લૌકિક વાત ન ધારવી, દાનથી પ્રીતિના યોગથી
લોકોને પ્રસન્ન રાખવા અને વિમળ સ્વભાવથી મિત્રોને વશ કરવા. સાધુ તથા આર્યિકા
આહાર માટે આવે તેમને અત્યંત ભક્તિથી પ્રાસુક અન્ન આપવું અને ચતુર્વિધ સંઘની
સેવા કરવી, મનવચનકાયાથી મુનિઓને પ્રણામ-પૂજન-અર્ચનાદિ કરીને શુભ કર્મનું
ઉપાર્જન કરવું અને ક્રોધને ક્ષમાથી, માનને નિર્માનથી, માયાને સરળતાથી, લોભને
સંતોષથી જીતવા. આપ તો સર્વ શાસ્ત્રમાં પ્રવીણ છો તેથી અમે તમને ઉપદેશ આપવાને
સમર્થ નથી, કેમ કે અમે સ્ત્રી છીએ. આપની કૃપાના યોગથી કોઈ વાર પરિહાસ્યથી
અવિનયભરેલું વચન કહ્યું હોય તો ક્ષમા કરજો. આમ કહીને રથમાંથી ઊતરીને તૃણ-
પાષાણથી ભરેલી ધરતી પર અચેત થઈને પડી. કૃતાંતવક્ર સીતાને મૂર્ચ્છિત થયેલ જોઈને
ખૂબ દુઃખી થયો અને મનમાં વિચારવા લાગ્યોઃ અરે આ મહાભયાનક વન, અનેક
જીવોથી ભરેલું છે ત્યાં ધીરવીરને પણ જીવવાની આશા નથી તો આ કેવી રીતે જીવશે?
આના પ્રાણ બચવા કઠણ છે. આ માતાને હું એકલી વનમાં છોડી જાઉં છું, તો મારા જેવો
નિર્દય કોણ? મને ક્યાંય પણ કોઈ જાતની શાંતિ નથી. એક તરફ સ્વામીની આજ્ઞા છે
અને એક તરફ આવી નિર્દયતા. હું પાપી દુઃખના વમળમાં પડયો છું. ધિક્કાર છે પારકી
સેવાને! જગતમાં પરાધીનતા નિંદ્ય છે, કેમ કે સ્વામીના કહ્યા પ્રમાણે કરવું પડે છે. જેમ
યંત્રને યંત્રી વગાડે તેમ જ વાગે તેમ પારકો સેવક યંત્રતુલ્ય છે. ચાકર કરતાં કૂકર
(કૂતરો) ભલો, જે સ્વાધીન આજીવિકા પૂર્ણ કરે છે. જેમ પિશાચને વશ થયેલ પુરુષ જેમ
તે બોલાવે તેમ બોલે છે, તેમ નરેન્દ્રને વશ મનુષ્ય તે જે આજ્ઞા કરે તે પ્રમાણે કરે છે.
ચાકર શું ન કરે અને શું ન કહે? જેમ ચિત્રનું ધનુષ્ય નિષ્પ્રયોજન ગુણ એટલે કે દોરી
ધરે છે, સદા નમેલું હોય છે તેમ કિંકર નિસ્પ્રયોજન ગુણ ધરે છે, સદા નમ્રીભૂત છે.
ધિક્કાર છે કિંકરના જીવનને! બીજાની સેવા કરવી એટલે તેજરહિત થવું. જેમ નિર્માલ્ય
વસ્તુ નિંદ્ય છે તેમ બીજાની ચાકરી નિંદ્ય છે. પરાધીન પ્રાણધારણને ધિક્કાર છે. પરાયો
કિંકર કૂવા પરના રેંટ સમાન છે, જેમ રેંટ પરતંત્ર હોઈ કુવાનું જળ હરે છે તેમ આ
પરતંત્ર થઈને પરાયા પ્રાણ હરે છે. કદી પણ ચાકરનો જન્મ ન મળશો. બીજાનો નોકર
લાકડાની પૂતળી જેવો છે, જેમ સ્વામી નચાવે તેમ તે નાચે છે. કિંકર ઉચ્ચતા,
ઉજ્જવળતા, લજજા અને કાંતિથી રહિત હોય છે. જેમ વિમાન પરને આધીન હોય, તે
ચલાવે તેમ ચાલે, રોકે તો રોકાય, ઊંચું લઈ જાય તો ઊંચે જાય, નીચું ઉતારે તો નીચું
ઊતરે. ધિક્કાર છે પરાધીનનું જીવન! તે અત્યંત તુચ્છ, પોતાના શરીરને વેચનારો અને
સદા પરતંત્ર છે. મેં પારકી ચાકરી કરી અને પરવશ થયો તો આવાં પાપકર્મ કરવાં પડે
છે. આ નિર્દોષ મહાસતીને એકલી ભયંકર વનમાં તજીને જાઉં છું. હે શ્રેણિક! જેમ કોઈ
ધર્મની બુદ્ધિ તજે તેમ તે સીતાને વનમાં તજીને અયોધ્યા તરફ ચાલ્યો. એના ગયા પછી
કેટલીક વારે સીતા જાગ્રત થઈ અને યુથભ્રષ્ટ હરણીની જેમ અત્યંત દુઃખથી વિલાપ કરવા
લાગી. એના રુદનથી જાણે બધી જ વનસ્પતિ રુદન કરે

Page 549 of 660
PDF/HTML Page 570 of 681
single page version

background image
પદ્મપુરાણ સત્તાણુંમું પર્વ પ૪૯
છે, વૃક્ષોનાં પુષ્પો પડે છે, જાણે કે વૃક્ષો આંસુ સારે છે. સ્વભાવથી જ મીઠો સ્વર અને
શોકથી વિલાપ કરે છે કે અરેરે! નરોત્તમ રામ! મારી રક્ષા કરો. મારી સાથે વાર્તાલાપ
કરો. તમે તો નિરંતર ઉત્તમ ચેષ્ટાના ધારક છો, અતિગુણવાન શાંતચિત્ત છો, તમારો
લેશમાત્ર દોષ નથી. મેં પૂર્વભવમાં અશુભ કાર્ય કર્યાં હતાં તેનું ફળ મળ્‌યું છે. જેવું કરે તેવું
ભોગવે. પતિ શું કરે કે પુત્ર શું કરે, માતાપિતા-બાંધવ કોઈપણ શું કરે? પોતાનાં કર્મ
ઉદયમાં આવે તેને અવશ્ય ભોગવવાનાં છે. મેં મંદભાગિનીએ પૂર્વજન્મમાં અશુભ કર્મ કર્યાં
તેના ફળમાં આ નિર્જન વનમાં દુઃખ પામી. મેં પૂર્વભવમાં કોઈની નિંદા કરી હશે તેના
પાપથી આ કષ્ટ મળ્‌યું. પૂર્વભવમાં ગુરુની પાસેથી વ્રત લઈને ભાંગ્યું હશે તેનું આ ફળ
આવ્યું અથવા વિષફળ સમાન દુર્વચનથી કોઈનું અપમાન કર્યું તેથી આ ફળ મળ્‌યું.
પરભવમાં મેં કમળોના વનમાં રહેતાં ચકવા-ચકવીના યુગલનો વિયોગ કરાવ્યો હશે તેથી
મને સ્વામીનો વિયોગ થયો અથવા મેં પરભવમાં કુચેષ્ટા કરીને હંસ-હંસીના યુગલનો
વિયોગ કરાવ્યો, જે કમળોથી ભરપૂર સરોવરોમાં નિવાસ કરે છે, મોટા પુરુષોની ચાલને
જેની ઉપમા આપવામાં આવે છે, જેના શબ્દ અતિસુંદર હોય છે, જેની આંખ, ચાંચ અને
પગ કમળ જેવાં લાલ હોય છે તેવા હંસયુગલના વિયોગ કરાવવાથી આવી દુઃખઅવસ્થા
પામી છું. મેં પાપિણીએ કબૂતર-કબૂતરીનાં જોડાંને જુદા પાડયાં અથવા તેમને સારા
સ્થાનમાંથી ખરાબ સ્થાનમાં મૂકયાં, બાંધ્યાં, માર્યાં તેના પાપથી અસંભાવ્ય દુઃખ પ્રાપ્ત
થયું. વસંતઋતુમાં ખીલેલાં વૃક્ષો પર ક્રીડા કરતાં કોયલનાં જોડાને જુદા કર્યા હોય તેનું આ
ફળ છે અથવા જ્ઞાની જીવોએ વંદવાયોગ્ય, મહાવ્રતી જિતેન્દ્રિય મુનિઓની નિંદા કરી
અથવા પૂજાદાનમાં વિઘ્ન કર્યું, પરોપકારમાં અંતરાય કર્યો, હિંસા વગેરે પાપ કર્યાં,
ગ્રામદાહ, વનદાહ, સ્ત્રી-બાળક-પશુઘાત ઈત્યાદિ પાપ કર્યાં તેનું આ ફળ છે. અળગણ
પાણી પીધું રાત્રે ભોજન કર્યું, સડેલું અનાજ ખાધું, અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કર્યું, ન કરવા
જેવાં કામ કર્યાં તેનું આ ફળ છે. હું બળભદ્રની પટરાણી, સ્વર્ગ સમાન મહેલમાં વસનારી
હજારો સખીઓ મારી સેવા કરતી હોય તે અત્યારે પાપના ઉદયથી નિર્જન વનમાં દુઃખના
સાગરમાં ડૂબીને કેવી રીતે જીવું? રત્નોના મહેલમાં, અમૂલ્ય વસ્ત્રોથી શોભિત સુંદર શય્યા
પર સુનારી હું ક્યાં પડી છું? હું હવે એકલી વનમાં કેવી રીતે રહી શકીશ? મધુર વીણા
-બંસરી-મૃદંગાદિના સ્વરોથી સુખનિદ્રા લેનારી હું વનમાં ભયંકર અવાજો સાંભળતી
એકલી કેવી રીતે રહીશ? રામદેવની પટરાણી અપયશરૂપી દાવાનળથી જલતી; અનેક
જંતુઓ, તીક્ષ્ણ દર્ભની અણી અને કાંકરાથી ભરપૂર ધરતી પર કેવી રીતે સૂઈ શકીશ?
આવી અવસ્થા પામીને પણ મારા પ્રાણ નહિ જાય તો એ પ્રાણ જ વજ્રના છે. આવી
અવસ્થા પામીને મારા હૃદયના સો ટુકડા નથી થતા તો તે હૃદય વજ્રનું છે. શું કરું? ક્યાં
જાઉં? કોને શું કહું? કોના આશ્રયે રહું? અરેરે પિતા જનક! અરે, માતા વિદેહી! આ શું
થયું? અરે, વિદ્યાધરોના સ્વામી ભામંડળ! હું દુઃખના વમળમાં પડીને કેવી રીતે રહું?

Page 550 of 660
PDF/HTML Page 571 of 681
single page version

background image
પપ૦ અઠ્ઠાણુંમું પર્વ પદ્મપુરાણ
હું પાપિણી છું. કેમ કે મારી સાથે પતિએ અત્યંત ઠાઠમાઠથી જિનેન્દ્રનાં દર્શનઅર્ચનનો
વિચાર કર્યો હતો તેના બદલે મને આ વનમાં તજી દીધી.
હે શ્રેણિક! આ પ્રમાણે સતી સીતા વિલાપ કરે છે અને પુંડરિકપુરનો સ્વામી રાજા
વજ્રજંઘ હાથીને પકડવા માટે આ વનમાં આવ્યો હતો તે હાથીને પકડીને પોતાની મોટી
વિભૂતિ સાથે પાછો જઈ રહ્યો હતો તેના શૂરવીર પ્યાદા સૈનિકોએ આ રુદનના શબ્દો
સાંભળ્‌યા અને સંશય તથા ભય પામ્યા. એક પગલું પણ આગળ વધી શક્યા નહિ.
ઘોડેસવારો પણ તેનું રુદન સાંભળી ઊભા રહી ગયા. તેમને આશંકા થઈ કે આ વનમાં
અનેક દુષ્ટ જીવો રહે છે ત્યાં આ સુંદર સ્ત્રીના રુદનનો અવાજ ક્યાંથી આવે છે? મૃગ,
સસલાં, રીંછ, સાપ, નોળિયા, જંગલી પાડા, ચિત્તા, ગેંડા, સિંહ, અષ્ટાપદ, જંગલી સુવ્વર,
હાથી વગેરે પ્રાણીઓથી વિકરાળ આ વનમાં આ ચંદ્રકળા સમાન કોણ રોવે છે? આ કોઈ
દેવાંગના સૌધર્મ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી છે. આમ વિચારી સૈનિકો આશ્ચર્યથી ઊભા
રહી ગયા. આ સેના સમુદ્ર સમાન છે. તેમાં તુરંગરૂપી મગરો, પ્યાદારૂપ માછલાં અને
હાથીરૂપ ગ્રાહ છે. સમુદ્રનું ગર્જના થાય અને સેના પણ ગર્જન કરે છે. સમુદ્રની જેમ સેના
પણ ભયંકર છે. તે આખી સેના સ્થિર થઈ.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં સીતાનો વનમાં વિલાપ અને
વજ્રજંઘના આગમનનું વર્ણન કરનાર સત્તાણુંમું પર્વ પૂર્ણ થયું.
* * *
અઠ્ઠાણુંમું પર્વ
(વનમાં વજ્રજંઘનું આગમન અને સીતાને આશ્વાસન)
કોઈ મહાવિદ્યાથી રોકેલી ગંગા થોભી જાય તેમ પોતાની સેનાને અટકેલી જોઈને
રાજા વજ્રજંઘ પાસેના પુરુષોની પૂછયું કે સેનાને અટકવાનું કારણ શું છે? તેમણે
રાજપુત્રીના સમાચાર કહ્યા. ત્યાર પહેલાં રાજાએ પણ રુદનનો અવાજ સાંભળ્‌યો,
સાંભળીને પૂછયું કે આ મધુર સ્વરમાં રુદનનો અવાજ આવે છે તે કોનો છે? ત્યારે કોઈ
એક જણ આગળ જઈને સીતાને પૂછવા લાગ્યો કે હે દેવી! તું કોણ છે અને આ નિર્જન
વનમાં કેમ રુદન કરે છે? તું દેવી છે, કે નાગકુમારી છે કે કોઈ ઉત્તમ નારી છે? તું
કલ્યાણરૂપિણી ઉત્તમ શરીર ધરનારી, તને આ શોક શેનો? અમને ખૂબ જિજ્ઞાસા થાય છે.
તે શસ્ત્રધારક પુરુષને જોઈને ભય પામી. તેનું શરીર કંપવા લાગ્યું, ભયથી પોતાના
આભૂષણ ઊતારી તેને આપવા લાગી. તે રાજાના ભયથી બોલ્યો હે દેવી! તું કેમ ડરે છે?
શોક તજ, ધીરજ રાખ, તારાં આભૂષણ અમને શા માટે આપે છે? તારાં આ આભૂષણ
તારી પાસે જ રાખ, એ જ તને યોગ્ય છે. હે માતા! તું વિહ્વળ કેમ થાય છે? વિશ્વાસ
રાખ. આ રાજા વજ્રજંઘ પૃથ્વી પર પ્રસિદ્ધ, નરોત્તમ, રાજનીતિથી યુક્ત છે.

Page 551 of 660
PDF/HTML Page 572 of 681
single page version

background image
પદ્મપુરાણ અઠ્ઠાણુંમું પર્વ પપ૧
અને સમ્યગ્દર્શનરૂપ રત્નભૂષણથી શોભિત છે, જેના સમાન બીજું રત્ન નથી, તે
અવિનાશી છે, અમૂલ્ય છે, કોઈથી હરી શકાતું નથી, અત્યંત સુખદાયક શંકાદિ મળરહિત
સુમેરુ સરખું નિશ્ચળ છે. હે માતા! જેને સમ્યગ્દર્શન હોય તેના ગુણોનું અમે ક્યાં સુધી
વર્ણન કરીએ? આ રાજા જિનમાર્ગના રહસ્યનો જ્ઞાતા શરણાગત પ્રતિપાળ છે. તે
પરોપકારમાં પ્રવીણ, દયાળુ, જીવોની રક્ષામાં સાવધાન, નિર્મળ પવિત્રાત્મા છે. તે નિંદ્ય
કર્મથી નિવૃત્ત, લોકોનો પિતા સમાન રક્ષક, દીન-અનાથ-દુર્બળ દેહધારીઓને માતા સમાન
પાળે છે. તે શત્રુરૂપ પર્વતને વજ્ર સમાન છે, શસ્ત્રવિદ્યાનો અભ્યાસી છે. પરધનનો
ત્યાગી, પરસ્ત્રીને માતા-બહેન પુત્રી સમાન ગણે છે, અન્યાયમાર્ગને અજગર સહિતના
અંધકૂપ સમાન જાણે છે, ધર્મમાં તત્પર, અનુરાગી, સંસારભ્રમણથી ભયભીત, સત્યવાદી,
જિતેન્દ્રિય છે, જે તેના ગુણોનું કથન મુખથી કરવા ચાહે છે તે ભુજાઓથી સમુદ્ર તરવા
ચાહે છે. વજ્રજંઘનો સેવક આમ વાત કરી રહ્યો છે ત્યાં રાજા વજ્રજંઘ પોતે આવ્યો. તે
હાથી પરથી ઊતરી, બહુ વિનયથી સીતાને કહેવા લાગ્યો હે બહેન, જેણે તને આવા
વનમાં તજી દીધી છે તે વજ્ર સમાન કઠોર અને અત્યંત અણસમજણો છે, તને તજતાં
તેનું હૃદય કેમ ન ફાટી ગયું? હે પુષ્પરૂપિણી! તારી આ હાલતનું કારણ કહે, વિશ્વાસ
રાખ, બી નહિ, ગર્ભનો ખેદ પણ ન કર. તેથી સીતા શોકથી પીડાયેલ ચિત્તથી ખૂબ રોવા
લાગી. રાજાએ ઘણું ધૈર્ય આપ્યું પછી તે ગદગદ વાણીથી બોલી હે રાજન! મારી કથા
ઘણી લાંબી છે. હું રાજા જનકની પુત્રી, ભામંડળની બહેન, રાજા દશરથની પુત્રવધૂ, સીતા
મારું નામ છે. હું રામની પત્ની છું. રાજા દશરથે કૈકેયીને વરદાન આપ્યું હતું તેથી તેમણે
ભરતને રાજ્ય આપ્યું અને મુનિ થઈ ગયા. રામ-લક્ષ્મણ વનમાં ગયા. હું મારા પતિ
સાથે વનમાં રહી. રાવણ કપટથી મને હરી ગયો. અગિયારમા દિવસે મેં પતિના સમાચાર
સાંભળ્‌યા પછી ભોજનપાન કર્યું. પતિ સુગ્રીવના ઘેર રહ્યા. પછી અનેક વિદ્યાધરોને ભેગા
કરી આકાશમાર્ગે થઈ સમુદ્ર ઓળંગી લંકા ગયા. રાવણને જીતી મને લાવ્યા. પછી
રાજ્યરૂપ કાદવનો ત્યાગ કરી ભરત વૈરાગી થયા અને કર્મકલંકરહિત પરમધામ પામ્યા.
કૈકેયી શોકરૂપ અગ્નિથી જલતી છેવટે વીતરાગનો માર્ગ સારરૂપ જાણી આર્યિકા થઈ,
સ્ત્રીલિંગ છેદી સ્વર્ગમાં દેવ થઈ. ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ મોક્ષ પામશે.
રામ-લક્ષ્મણ અયોધ્યામાં ઇન્દ્ર સમાન રાજ્ય કરે છે. દુષ્ટ સ્વભાવવાળા લોકો
નિઃશંક થઈ અપવાદ કરવા લાગ્યા કે રાવણ સીતાનું હરણ કરી ગયો હતો છતાં રામે તેને
લાવી ઘરમાં રાખી. રામ અતિવિવેકી, ધર્મશાસ્ત્રના જાણનાર, ન્યાયવંત આવી રીત કેમ
આચરે? જે રીતે રાજા પ્રવર્તે છે તે રીતે પ્રજા પ્રવર્તશે. આ પ્રમાણે લોકો મર્યાદા છોડી
બોલવા લાગ્યા કે રામના ઘરમાં જ આ રીત હોય તો અમને શો દોષ છે? હું ગર્ભસહિત
દુર્બળ શરીરવાળી એવું વિચારતી હતી કે જિનેન્દ્રનાં ચૈત્યાલયોની અર્ચના કરીશ, અને
પતિ પણ મારી માથે જિનેન્દ્રનાં નિર્વાણસ્થાન અને અતિશય સ્થાનોની વંદના કરવા ભાવ
સહિત તૈયાર થયા હતા અને મને એમ કહેતા

Page 552 of 660
PDF/HTML Page 573 of 681
single page version

background image
પપર અઠ્ઠાણુંમું પર્વ પદ્મપુરાણ
હતા કે પ્રથમ આપણે કૈલાસ જઈ શ્રી ઋષભદેવના નિર્વાણક્ષેત્રની વંદના કરીશું, પછી
બીજાં નિર્વાણક્ષેત્રની વંદના કરી અયોધ્યામાં ઋષભાદિ તિર્થંકરોના જન્મકલ્યાણક થયા છે
તેથી અયોધ્યાની યાત્રા કરીશું. ભગવાનનાં જેટલાં ચૈત્યાલયો છે તેમનાં દર્શન કરીશું,
કંપિલ્યા નગરીમાં વિમળનાથનાં દર્શન કરીશું, રત્નપુરમાં ધર્મનાથના દર્શન કરીશું, તે
જીવોને ધર્મનું યથાર્થ સ્વરૂપ ઉપદેશે છે. પછી શ્રાવસ્તી નગરીમાં સંભવનાથના દર્શન
કરીશું, ચંપાપુરમાં વાસુપૂજ્યના, કંદીપુરમાં પુષ્પદંતના, ચંદ્રપુરીમાં ચંદ્રપ્રભના,
કૌશાંબીપુરીમાં પદ્મપ્રભના, ભદ્રલપુરમાં શીતળનાથના, મિથિલાપુરીમાં મલ્લિનાથ
સ્વામીના, બનારસમાં સુપાર્શ્વનાથના, સિંહપુરીમાં શ્રેયાંસનાથના અને હસ્તિનાપુરમાં
શાંતિનાથ-કુંથુનાથ-અરનાથના દર્શન કરશું. હે દેવી! કુશાગ્રનગરમાં શ્રી મુનિસુવ્રતનાથના
દર્શન કરશું. તેમનું શાસન અત્યારે પ્રવર્તે છે અને બીજા પણ જે ભગવાનના અતિશય
સ્થાનક અતિપવિત્ર છે, પૃથ્વીમાં પ્રસિદ્ધ છે, ત્યાં, પૂજા કરીશું. ભગવાનના ચૈત્યાલય સુર-
અસુર-ગંધર્વોથી સ્તુતિ કરવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય છે. વળી, પુષ્પક વિમાનમાં
બેસી સુમેરુના શિખર ઉપર જે ચૈત્યાલયો છે તેમનાં દર્શન કરી ભદ્રશાલ વન, નંદનવન
અને સૌમનસ વનના જિનેન્દ્રોની પૂજા કરી અઢીદ્વીપમાં કૃત્રિમ-અકૃત્રિમ જેટલાં ચૈત્યાલયો
છે તેમની વંદના કરી આપણે અયોધ્યા પાછાં આવશું. હે પ્રિયે! જો શ્રી અરહંતદેવને
ભાવસહિત એક વાર પણ નમસ્કાર કરવામાં આવે તો અનેક જન્મનાં પાપોથી છુટાય છે.
હે કાંતે! ધન્ય છે તારા ભાગ્યને કે ગર્ભની ઉત્પત્તિ સમયે તને જિનવંદનાની ઈચ્છા થઈ.
મારા મનમાં પણ એ જ ઈચ્છા છે કે તારી સાથે મહાપવિત્ર જિનમંદિરોનાં દર્શન કરું. હે
પ્રિયે! પહેલાં ભોગભૂમિમાં ધર્મની પ્રવૃત્તિ નહોતી, લોકો સમજતા નહિ તેથી ભગવાન
ઋષભદેવે ભવ્યોને મોક્ષમાર્ગનો ઉપદેશ કર્યો. જેમને સંસારભ્રમણનો ભય હોય તેમને ભવ્ય
કહે છે. પ્રજાપતિ, જગતમાં શ્રેષ્ઠ, ત્રૈલોકવંદ્ય, નાના પ્રકારના અતિશયોથી સંયુક્ત, સુરનર-
અસુરોને આશ્ચર્યકારી ભગવાન ભવ્યોને જીવાદિ તત્ત્વોનો ઉપદેશ આપી અનેકને તારી
નિર્વાણ પધાર્યા, સમ્યક્ત્વાદિ અષ્ટગુણથી મંડિત સિદ્ધ થયા, જેમનાં રત્નમયી ચૈત્યાલયો
ભરત ચક્રવર્તીએ કૈલાસ પર્વત પર બનાવરાવ્યાં છે અને મંદિરમાં પાંચસો ધનુષ્ય ઊંચી
રત્નમયી પ્રતિમા પધરાવી છે, જેની આજે પણ દેવ, વિદ્યાધર, ગાંધર્વ, કિન્નર, નાગ, દૈત્ય
પૂજા કરે છે, જ્યાં અપ્સરા નૃત્ય કરે છે. જે સ્વયંભૂ પ્રભુ, જે અનંતકાળ જ્ઞાનરૂપ
બિરાજમાન સિદ્ધ પરમાત્મા છે તેમની પૂજા, સ્તુતિ આપણે કૈલાસ પર્વત પર જઈને કરશું,
એ દિવસ ક્યારે આવશે? આ પ્રમાણે મારા પર કૃપા કરીને મને કહેતા હતા. તે જ વખતે
નગરના લોકો ભેગા મળીને આવ્યા અને રામને લોકાપવાદની દુસ્સહ વાત કહી. રામ
મહાન, વિચારશીલ એટલે મનમાં વિચાર્યું કે આ લોકો સ્વભાવથી જ વક્ર છે તેથી બીજી
રીતે અપવાદ મટશે નહિ. આવો લોકાપવાદ સાંભળવા કરતાં પ્રિયજનનો ત્યાગ સારો
અથવા મરવું પણ સારું. લોકાપવાદથી યશનો નાશ થાય, કલ્પાંતકાળ સુધી અપયશ
જગતમાં રહે તે સારું નહિ. આમ વિચારીને પ્રવીણ પુરુષે (મારા પતિએ) લોકાપવાદના
ભયથી મને નિર્જન વનમાં તજી દીધી.

Page 553 of 660
PDF/HTML Page 574 of 681
single page version

background image
પદ્મપુરાણ અઠ્ઠાણુંમું પર્વ પપ૩
હું દોષરહિત છું. એ મારાં પતિ સારી રીતે જાણે છે અને લક્ષ્મણે ઘણું કહ્યું તો પણ માન્યું
નહિ, મારા કર્મનો એવો જ ઉદય. જે શુદ્ધ કુળમાં જન્મેલા ક્ષત્રિય હોય છે અને સર્વ
શાસ્ત્રો જાણે છે તેમની એજ રીત છે કે કોઈથી ન ડરે, પણ લોકાપવાદથી ડરે. આ
પોતાને ત્યાગવાનો વૃત્તાંત કહી ફરીથી તે રુદન કરવા લાગી. તેનું ચિત્ત શોકાગ્નિથી તપ્ત
છે. તેને રુદન કરતી અને ધૂળથી મલિન અંગવાળી જોઈને રાજા વજ્રજંઘ અતિઉદ્વેગ
પામ્યો. વળી તેને જનકની પુત્રી જાણીને તેની પાસે આવી બહુ જ આદરથી ધૈર્ય બંધાવી
કહ્યું, હે શુભમતે! તું જિનશાસનમાં પ્રવીણ છે, રુદન ન કર, આર્તધ્યાન દુઃખ વધારે છે. હે
જાનકી! આ લોકની સ્થિતિ તું જાણે છે, હું જ્ઞાની અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ
આદિ બાર ભાવનાઓનું ચિંતન કરનારી; તારા પતિ સમ્યગ્દ્રષ્ટિ અને તું પણ સમ્યક્ત્વ
સહિત વિવેકી છે. મિથ્યાદ્રષ્ટિ જીવોની જેમ વારંવાર શોક કેમ કરે છે? તું જિનવાણીની
શ્રોતા અનેક વાર મહામુનિઓનાં મુખે શાસ્ત્રના અર્થ તેં સાંભળ્‌યા છે, નિરંતર જ્ઞાનભાવ
ધારે છે, તારે શોક કરવો યોગ્ય નથી. અહો! આ સંસારમાં ભટકતાં આ પ્રાણીએ મૂઢતાથી
મોક્ષમાર્ગ જાણ્યો નથી, એણે ક્યાં ક્યાં દુઃખ નથી મેળવ્યાં? એને અનિષ્ટનો સંયોગ અને
ઈષ્ટનો વિયોગ અનેક વાર થયો, એ અનાદિકાળથી ભવસાગરની મધ્યમાં કલેશરૂપ
વમળમાં પડયો છે. આ જીવે તિર્યંચ યોનિમાં જળચર, સ્થળચર, નભચરનાં શરીર ધારણ
કરી વર્ષા, શીત, આતાપાદિ અનેક દુઃખ પ્રાપ્ત કર્યાં અને મનુષ્યદેહમાં અપવાદ (નિંદા),
વિરહરુદન, કલેશાદિ અનેક દુઃખ ભોગવ્યાં. નરકમાં શીત, ઉષ્ણ, છેદન, ભેદન, શૂલારોહણ,
પરસ્પર ઘાત, અનેક રોગ, દુર્ગંધયુક્ત કુંડમાં ફેકાવું વગેરે દુઃખો ભોગવ્યાં, કોઈ વાર
અજ્ઞાન તપથી અલ્પઋદ્ધિનો ધારક દેવ પણ થયો, ત્યાં પણ ઉત્કૃષ્ટ ઋદ્ધિના ધારક દેવોને
જોઈ દુઃખી થયો અને મૃત્યુસમયે અતિદુઃખી થઈ વિલાપ કરીને મર્યો. કોઈ વાર તપથી
ઇન્દ્રતુલ્ય ઉત્કૃષ્ટ દેવ થયો તો પણ વિષયાનુરાગથી દુઃખી થયો. આ પ્રમાણે ચાર ગતિમાં
ભ્રમણ કરતાં આ જીવે ભવવનમાં આધિ, વ્યાધિ, સંયોગ-વિયોગ, રોગ-શોક, જન્મ-
મરણ, દુઃખ-દાહ, દારિદ્ર-હિનતા, નાના પ્રકારની ઈચ્છા અને વિકલ્પોથી શોકસંતાપરૂપ
થઈને અનંત દુઃખ પ્રાપ્ત કર્યાં. અધોલોક, મધ્યલોક, ઊર્ધ્વલોકમાં એવું કોઈ સ્થાન નથી,
જ્યાં આ જીવે જન્મમરણ ન કર્યાં હોય. પોતાના કર્મરૂપ પવનના પ્રસંગથી ભવસાગરમાં
ભટકતા આ જીવે મનુષ્યપણામાં સ્ત્રીનું શરીર મેળવ્યું અને ત્યાં અનેક દુઃખ ભોગવ્યાં.
તારા શુભ કર્મના ઉદયથી રામ જેવા સુંદર પતિ મળ્‌યા અને પતિ સાથે ઘણાં સુખ
ભોગવ્યાં તથા અશુભનો ઉદય થતાં દુઃસહ દુઃખ પામી. લંકાદ્વીપમાં તને રાવણ લઈ ગયો
ત્યારે પતિના સમાચાર ન મળ્‌યા ત્યાં સુધી અગિયાર દિવસ સુધી ભોજન વિના રહી.
આભૂષણ, સુગંધ, લેપન વિના રહી. શત્રુને હણીને પતિ લઈ આવ્યા ત્યારે પુણ્યના
ઉદયથી સુખ પામી. વળી અશુભનો ઉદય આવ્યો અને વિના અપરાધે માત્ર લોકાપવાદના
ભયથી પતિએ તને ગર્ભાવસ્થા હોવા છતાં ઘરમાંથી કાઢી મૂકી; લોકાપવાદરૂપ સર્પના
દંશથી અતિઅચેત થઈ વિના સમજ્યે ભયંકર વનમાં તજી, ઉત્તમ પ્રાણી, પુણ્યરૂપ પુષ્પના

Page 554 of 660
PDF/HTML Page 575 of 681
single page version

background image
પપ૪ નવ્વાણુંમું પર્વ પદ્મપુરાણ
ઘરને જે પાપી દુર્વચનરૂપ અગ્નિથી બાળે છે તે પોતે જ દોષરૂપ દહનથી બળે છે. હે દેવી!
તું પતિવ્રતા મહાસતી છો. પ્રશંસાયોગ્ય છો. જેને ગર્ભધાન થતાં ચૈત્યાલયોનાં દર્શનની
વાંછા ઉપજી. હવે તારા પુણ્યનો ઉદય છે. તું શીલવતી જિનમતિ છે. તારા શીલના
પ્રસાદથી મારે આ નિર્જન વનમાં હાથીના નિમિત્તે આવવાનું થયું. હું પુંડરિકપુરનો રાજા
વજ્રજંઘ છું. મારા પિતા સોમવંશી દ્વિરદવાહ અને માતા માહિષી છે. તું મારી ધર્મના
વિધાનથી મોટી બહેન છે. તું પુંડરિકપુર ચાલ, શોક તજ. હે બહેન! શોકથી કાંઈ જ
કાર્યસિદ્ધિ નથી. પુંડરિકપુરમાંથી રામ તને શોધીને કૃપા કરીને બોલાવશે. રામ પણ તારા
વિયોગથી પશ્ચાત્તાપથી ખૂબ વ્યાકુળ છે, પોતાના પ્રમાદથી અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે તેને
વિવેકી આદરપૂર્વક ગોતશે જ. માટે હે પતિવ્રતે! નિસંદેહપણે રામ તને આદરથી બોલાવશે.
આ પ્રમાણે તે ધર્માત્માએ સીતાને શાંતિ ઉપજાવી. સીતાને ધીરજ આવી, જાણે કે ભાઈ
ભામંડળ જ મળ્‌યો. તેની ખૂબ પ્રશંસા કરી કે તું મારો ઉત્કૃષ્ટ ભાઈ છે, સાધર્મી પર
વાત્સલ્ય કરનાર ઉત્તમ જીવ છે. ગૌતમ સ્વામી કહે છે કે હે શ્રેણિક! રાજા વજ્રજંઘ
સમ્યગ્દ્રષ્ટિ, સાધુ સમાન છે, તેનો આત્મા પવિત્ર છે. જે વ્રત ગુણ-શીલથી યુક્ત હોય,
મોક્ષમાર્ગનો ઉદ્યમી હોય એવા સત્પુરુષનાં ચરિત્ર પરોપકારી કોનો શોક ન મટાડે?
સત્પુરુષનું ચિત્ત જિનમતમાં અતિનિશ્ચળ છે. સીતા કહે છે-હે વજ્રજંઘ! તું મારા
પૂર્વભવનો સહોદર છે તેથી આ ભવમાં તેં સાચું ભાઈપણું બતાવ્યું, મારા શોકસંતાપરૂપ
અંધકારને દૂર કર્યો, તું સૂર્ય સમાન પવિત્ર આત્મા છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં સીતાનો વજ્રજંઘ દ્વારા ધૈર્ય
આપવાનું વર્ણન કરનાર અઠ્ઠાણુંમું પર્વ પૂર્ણ થયું.
* * *
નવ્વાણુંમું પર્વ
(સીતાનું વજ્રજંઘ સાથે જવું અને માર્ગમાં સર્વત્ર સન્માન મેળવવું)
પછી વજ્રજંઘે સીતાને બેસવા માટે ક્ષણમાત્રમાં અદ્ભુત પાલખી મંગાવી. પાલખી
વિમાન જેવી મનોજ્ઞ, યોગ્ય પ્રમાણવાળી, સુંદર થાંભલા, પોતાની ઝાલર, જેમાં ઉજ્જવળ ચામર
ઝૂલે છે, ચિત્રોથી શોભે છે, સુંદર ઝરુખા છે એવી સુખપાલ પર બેસીને સેનાની વચ્ચે સીતા
ચાલી જાય છે, કર્મોની વિચિત્રતા પર વિચાર કરે છે. ત્રણ દિવસ ભયંકર વનમાં મુસાફરી કરીને
પુંડરિક દેશમાં તેં આવી. દેશના બધા લોકો આવીને માતાજીને મળ્‌યા, ગામેગામ ભેટ આપવા
લાગ્યા. વજ્રજંઘના રાજ્યમાં સમસ્ત જાતિના અનાજથી ધરતી આચ્છાદિત છે, ગામની પાસે
રત્નોની ખાણો છે, રૂપાની ખાણો છે, દેવનગર જેવાં નગરો જોઈ સીતા આનંદ પામી. વન-
ઉપવનની શોભા દેખતી ચાલી જાય છે, ગામના અગ્રણી ભેટ આપીને અનેક પ્રકારે સ્તુતિ કરે છે.
હે ભગવતી! હે માતા! આપના દર્શનથી અમે પાપરહિત થયા, કૃતાર્થ થયા. વંદન કરે છે,
અર્ધપાદ્ય કરે છે. અનેક રાજાઓ પણ આવીને મળ્‌યા, જાતજાતની ભેટ લાવ્યા અને વંદન કરતા

Page 555 of 660
PDF/HTML Page 576 of 681
single page version

background image
પદ્મપુરાણ નવ્વાણુંમું પર્વ પપપ
રહ્યા. આ પ્રમાણે સીતા સતીનું ડગલે ને પગલે રાજા-પ્રજા દ્વારા સન્માન થાય છે.
વજ્રજંઘનો દેશ ખૂબ સુખી છે, ઠેકઠેકાણે વન-ઉપવન છે, ઠેકઠેકાણે ચૈત્યાલયો જોઈ તે
અતિહર્ષ પામી. તે મનમાં વિચારે છે કે જ્યાં રાજા ધર્માત્મા હોય ત્યાં પ્રજા સુખી હોય જ.
તે અનુક્રમે પુંડરિકપુર પાસે આવ્યા. રાજાની આજ્ઞાથી સીતાનું આગમન સાંભળી
નગરજનો સામે આવ્યાં, ભેટ આપી, નગરની શોભા કરી, પૃથ્વી પર સુગંધી જળનો
છંટકાવ કર્યો છે, શેરી, બજાર બધું શણગાર્યું છે, તોરણો બાંધ્યા, ઘરના દ્વારે પૂર્ણ કળશની
સ્થાપના કરી છે, મંદિરો પર ધજા ચડાવવામાં આવી, ઘેરઘેર મંગળ ગવાય છે. જાણે કે તે
નગર આનંદથી નૃત્ય કરે છે. નગરના દરવાજા પર અને કોટના કાંગરે લોકો ઊભા રહી
જોઈ રહ્યા છે, હર્ષની વૃદ્ધિ થઈ રહી છે, નગરની બહાર અને અંદર રાજદ્વાર સુધી
સીતાના દર્શન માટે લોકો ઊભા છે. જોકે નગર સ્થાવર છે, પણ ચાલતા લોકસમુદાયથી
તે જંગમ થઈ ગયું હોય એવું લાગે છે. જાતજાતનાં વાજિંત્રો વાગે છે. તેના અવાજથી
દશેય દિશા ગુંજી ઊઠી છે, શંખ વાગે છે, બંદીજનો વખાણ કરે છે, નગરનાં લોકો આશ્ચર્ય
પામીને જોઈ રહ્યાં છે. સીતાએ નગરમાં પ્રવેશ કર્યો, જેમ લક્ષ્મી દેવલોકમાં પ્રવેશ કરે
તેમ. વજ્રજંઘના મહેલમાં અતિસુંદર જિનમંદિર છે, રાજકુટુંબની બધી સ્ત્રીઓ સીતાની
સામે આવી. સીતા પાલખીમાંથી ઊતરીને જિનમંદિરમાં ગઈ. જિનમંદિર સુંદર બગીચાથી
વીંટળાયેલું છે. વાવ, સરોવરથી શોભિત છે, સુમેરુ શિખર સમાન સ્વર્ણમય છે. જેમ ભાઈ
ભામંડળ સીતાનું સન્માન કરે તેમ વજ્રજંઘે તેનો આદર કર્યો. વજ્રજંઘના પરિવારના બધા
માણસો, રાજકુટુંબની બધી રાણીઓ સીતાની સેવા કરે છે અને આવા મનોહર શબ્દો કહે
છે, હે દેવી! હે પૂજ્ય! હે સ્વામિની! સદા જયવંત રહો, દીર્ઘાયુ થાવ, આનંદ પ્રાપ્ત કરો,
વૃદ્ધિ પામો, આજ્ઞા કરો. આ પ્રમાણે સ્તુતિ કરે છે અને સીતાની દરેક આજ્ઞા માથે ચડાવે
છે, દોડીદોડીને સેવા કરે છે, હાથ જોડી, મસ્તક નમાવી નમસ્કાર કરે છે. ત્યાં સીતા
આનંદથી જિનધર્મની કથા કરતી રહે છે. રાજા કે સામંતોની જે ભેટ મળે છે તેને જાનકી
ધર્મકાર્યમાં લગાવે છે. પોતે તો અહીં ધર્મની આરાધના કરે છે.
(સેનાપતિનું અયોધ્યા પાછા ફરવું અને સીતાનો સંદેશ રામને કહેવો)
તપ્ત ચિત્તવાળો તે કૃતાંતવક્ર સેનાપતિ રથના તુરંગ થાકી ગયા હતા તેનો થાક
ઉતારી શ્રી રામચંદ્ર પાસે આવ્યો. તેને આવતો જોઈ અનેક રાજા તેની સામે આવ્યા.
કૃતાંતવક્રે આવી શ્રી રામચંદ્રજીનાં ચરણોને નમસ્કાર કર્યા અને કહ્યું, હે પ્રભો! હું આપની
આજ્ઞાનુસાર સીતાને ભયાનક વનમાં મૂકી આવ્યો છું. હે દેવ! તે વન નાના પ્રકારના
ભયંકર પ્રાણીઓથી અતિભયાનક છે. જેમ પ્રેતોના વનનો આકાર જોયો ન જાય તેમ
સઘન વૃક્ષોના સમૂહથી અંધકારભર્યું વન છે. ત્યાં સ્વભાવથી જ જંગલી પાડા અને સિંહ
દ્વેષથી સદા યુદ્ધ કરે છે, ગુફામાં સિહ ગર્જે છે, વૃક્ષના મૂળમાં અજગર ફૂંફાડા મારે છે,
વાઘ, ચિત્તાથી મૃગ જ્યાં હણાઈ રહ્યાં છે, કાળને પણ વિકરાળ લાગે એવા વનમાં હે
પ્રભો! સીતાએ અશ્રુપાત કરતાં કરતાં આપને જે સંદેશો

Page 556 of 660
PDF/HTML Page 577 of 681
single page version

background image
પપ૬ નવ્વાણુંમું પર્વ પદ્મપુરાણ
કહ્યો છે તે સાંભળો. આપ આત્મકલ્યાણ ચાહતા હો તો જેમ મને તજી તેમ જિનેન્દ્રની
ભક્તિ ન છોડતા. જેમ લોકાપવાદથી મારા પર ઘણો અનુરાગ હતો તો પણ મને તજી, તેમ
કોઈના કહેવાથી જિનશાસનની શ્રદ્ધા ન છોડશો. લોકો વગર વિચાર્યે નિર્દોષ પર દોષ
લગાવે છે. જેમ મારા પર લગાડયો, તો આપ ન્યાય કરો ત્યારે આપની બુદ્ધિથી યથાર્થનો
વિચાર કરજો. કોઈના કહેવાથી કોઈ ઉપર જૂઠો દોષ ન લગાડતા. સમ્યગ્દર્શનથી વિમુખ
મિથ્યાદ્રષ્ટિ જિનધર્મરૂપ રત્નોનો અપવાદ કરે છે તેથી તેના અપવાદના ભયથી
સમ્યગ્દર્શનની શુદ્ધતા છોડશો નહિ. વીતરાગનો માર્ગ હૃદયમાં દ્રઢ રાખજો. મને છોડવાથી
આ ભવનું થોડુંક દુઃખ છે, પણ સમ્યગ્દર્શનની હાનિથી જન્મે જન્મે દુઃખ આવે છે. આ
જીવને લોકમાં નિધિ, રત્ન, સ્ત્રી, વાહન, રાજ્ય બધું જ સુલભ છે, એક સમ્યગ્દર્શન રત્ન
જ મહાદુર્લભ છે. રાજમાં તો પાપથી નરકમાં પડવાનું છે, ઊર્ધ્વગમન સમ્યગ્દર્શનના
પ્રતાપથી જ થાય છે. જેણે પોતાના આત્માને સમ્યગ્દર્શનરૂપ આભૂષણથી મંડિત કર્યો તે
કૃતાર્થ થયો. આ શબ્દો જાનકીએ કહ્યા છે, જે સાંભળીને કોને ધર્મબુદ્ધિ ન ઉપજે? હે દેવ!
એક તો સીતા સ્વભાવથી જ બીકણ અને બીજું મહાભયંકર વનના દુષ્ટ જીવો, તે કેવી રીતે
જીવશે? જ્યાં ભયાનક સર્પો અને અલ્પ જળવાળાં સરોવરોમાં મત્ત હાથીઓ કાદવ કરી મૂકે
છે, જ્યાં મૃગો ઝાંઝવાના જળમાં જળ માની વૃથા દોડીને વ્યાકુળ થાય છે, જેમ સંસારની
માયામાં રાગથી રાગી જીવ દુઃખી થાય છે. ત્યાં વાંદરા અતિ ચંચળ બની કૂદતા રહે છે,
તરસ્યા સિંહ-વાઘ જીભના લબકારા કરે છે. ચણોઠી જેવાં લાલ નેત્રવાળા ભુજંગો ફૂંફાડા
મારે છે, તીવ્ર પવનના ચાલવાથી ક્ષણમાત્રમાં પાંદડાંના ઢગલા થઈ જાય છે, જ્યાં
અજગરના-વિષમય અગ્નિથી અનેક વૃક્ષ ભસ્મ થઈ ગયાં છે. મત્ત હાથીઓની ભયંકર
ગર્જના સાંભળી તેનું શું થશે? ભૂંડના સમૂહોથી ત્યાંનાં સરોવરોનાં જળ મલિન થઈ ગયાં
છે. ધરતી પર ઠેકઠેકાણે કાંટા, સાપનાં દર, કાંકરા પથરાયેલા છે, દર્ભની અણી સોયથી પણ
તીક્ષ્ણ છે, સૂકાં પાન, ફૂલ પવનથી ઊડયાં કરે છે. આવા મહાઅરણ્યમાં હે દેવ! જાનકી
કેવી રીતે જીવશે? મને એમ લાગે છે કે તે ક્ષણમાત્ર પણ પ્રાણ ટકાવી શકશે નહિ.
(સીતાનો સંદેશ સાંભળી રામનું રુદન અને લક્ષ્મણનું સમજાવવું)
હે શ્રેણિક! સેનાપતિનાં વચન સાંભળી શ્રી રામ અતિ વિષાદ પામ્યા. એ
વચનોથી તો નિર્દયનું મન પણ દ્રવીભૂત થઈ જાય. શ્રીરામ વિચારવા લાગ્યા કે જુઓ, મેં
મૂઢ બનીને દુષ્ટોનાં વચનથી કેવું નિંદ્ય કાર્ય કર્યું? ક્યાં તે રાજપુત્રી અને ક્યાં તે ભયંકર
વન? આમ વિચારી મૂર્ચ્છા પામી ગયા. શીતોપચારથી સચેત થયા ત્યારે વિલાપ કરવા
લાગ્યા. સીતામાં જ જેમનું ચિત છે તે બોલવા લાગ્યા કે હે કમળનેત્રી! નિર્મળ ગુણોની
ખાણ! જાનકી! તું મારી સાથે બોલ, તું જાણે જ છે કે મારું ચિત્ત તારા વિના અતિ
કાયર છે. હે નિરૂપમ શીલવતી! જેના આલાપ હિતકારી છે એવી હે નિરપરાધ! તું કેવી
અવસ્થા પામી હોઈશ? તે ક્રૂર જીવોથી ભરેલા, કોઈ પણ સામગ્રી વિનાના ભયંકર વનમાં
તું કેવી રીતે રહી શકીશ? હે લાવણ્યરૂપ જળની સરોવરી,

Page 557 of 660
PDF/HTML Page 578 of 681
single page version

background image
પદ્મપુરાણ નવ્વાણુંમું પર્વ પપ૭
તું ક્યાં ગઈ? તારા શ્વાસની સુગંધથી મુખ પર ગુંજારવ કરતા ભમરાને હસ્તકમળથી
અટકાવતી તું ખેદ પામી હોઈશ. યુથભ્રષ્ટ હરણી જેવી એકલી તું ક્યાં જઈશ? ચિંતવન
કરતાં પણ દુસ્સહ એવા વનમાં તું એકલી કેવી રીતે રહીશ? કમળના ગર્ભ સમાન તારાં
કોમળ ચરણ કર્કશ ભૂમિનો સ્પર્શ કેવી રીતે સહી શકશે? વનના ભીલ, મ્લેચ્છ કૃત્ય-
અકૃત્યના ભેદથી રહિત છે મન જેનું તે તને તેમની ભયંકર પલ્લીમાં લઈ ગયા હશે તે
તો અગાઉનાં દુઃખ કરતાં પણ અધિક દુઃખ છે. તું મારા વિના અત્યંત દુઃખ પામી અંધારી
રાતમાં વનની રજથી રગદોળાયેલી ક્યાંક પડી હોઈશ અને કદાચ તને હાથીઓએ કચરી
નાખી હશે, એના જેવો અનર્થ ક્યો હોય? ગીધ, રીંછ, સિંહ, વાઘ, ઈત્યાદિ દુષ્ટ જીવોથી
ભરેલા વનમાં કેવી રીતે રહી શકીશ? જ્યાં માર્ગ નથી, વિકરાળ દાઢવાળાં હિંસક ક્ષુધાતુર
પશુ ફરતાં હશે તેણે તારી કેવી દશા કરી હશે? જે કહી શકાય તેમ નથી અથવા સૂર્યનાં
અતિદુસ્સહ કિરણોના આતાપથી લાખની જેમ પીગળી ગઈ હોઈશ, છાંયામાં જવાની પણ
જેની શક્તિ નહિ રહી હોય. અથવા શોભાયમાન શીલની ધારક તું મારા નિર્દયમાં મન
રાખીને હૃદય ફાટીને મૃત્યુ પામી હોઈશ. પહેલાં જેમ રત્નજટીએ મને સીતાની કુશળતાના
સમાચાર આપ્યા હતા તેમ અત્યારે પણ કોઈ કહે. અરે પ્રિયે! તું ક્યાં ગઈ, ક્યાં ક્યાં
રહીશ? શું કરીશ? હે કૃતાંતવક્ર! શું તેં ખરેખર તેને વનમાં જ તજી દીધી? જો ક્યાંય
સારા ઠેકાણે મૂકી હોય તો તારા મુખમાંથી અમૃતરૂપ વચન નીકળો. જ્યારે રામે આમ
કહ્યું ત્યારે સેનાપતિએ લજ્જાના ભારથી પોતાનું મુખ નીચું કર્યું, તેજરહિત થઈ ગયો,
કાંઈ બોલી ન શક્યો, અતિવ્યાકુળ થયો, મૌન રહ્યો, ત્યારે રામે જાણ્યું કે સાચે જ એ
સીતાને ભયંકર વનમાં મૂકી આવ્યો છે. તેથી રામ મૂર્ચ્છા ખાઈને નીચે પડી ગયા. ઘણા
વખત પછી ધીરે ધીરે જાગ્રત થયા. તે વખતે લક્ષ્મણ આવ્યા અને મનમાં શોક ધરતાં
કહેવા લાગ્યા. હે દેવ! શા માટે વ્યાકુળ થયા છો? ધૈર્ય રાખો. જે કર્મ પૂર્વે ઉપાર્જ્યાં હતાં
તેનું ફળ આવીને મળ્‌યું, બધા લોકોને અશુભના ઉદયથી દુઃખ આવ્યું છે, ફક્ત સીતાને જ
દુઃખ પડયું નથી. સુખ કે દુઃખ જે પ્રાપ્ત થવાનું હોય તે સ્વયંમેવ કોઈ પણ નિમિત્તે આવી
મળે છે. હે પ્રભો! કોઈને કોઈ આકાશમાં લઈ જાય અથવા ક્રૂર જીવોથી ભરેલા વનમાં
છોડી દે, કે પર્વતના શિખર પર મૂકી આવે તો પણ પૂર્વનું પુણ્ય હોય તો પ્રાણીની રક્ષા
થાય છે, આખી પ્રજા દુઃખથી તપ્ત છે, આંસુઓના પ્રવાહ બધે વહે છે. આમ કહી લક્ષ્મણ
પણ અતિવ્યાકુળ થઈ રુદન કરવા લાગ્યા, અગ્નિથી જેમ કમળ કરમાઈ જાય તેવું તેમનું
મુખકમળ થઈ ગયું છે. અરેરે માતા! તું ક્યાં ગઈ? જેનું શરીર દુષ્ટજનોનાં વચનરૂપ
અગ્નિથી પ્રજ્વલિત છે, જે ગુણરૂપ ધાન્ય ઉગાડનારી ભૂમિસ્વરૂપ બાર અનુપ્રેક્ષાનું
ચિંતવન કરનારી છે, શીલરૂપ પર્વતની ભૂમિ છે, સૌમ્ય સ્વભાવવાળી છે, જેનું હૃદય
દુષ્ટોનાં વચનરૂપ તુષારથી બળી ગયું છે, રાજહંસ શ્રી રામને પ્રસન્ન કરવા માટે
માનસરોવર સમાન, સુભદ્રા, જેવી કલ્યાણરૂપ, સર્વ આચારમાં પ્રવીણ, હે શ્રેષ્ઠે! તું ક્યાં
ગઈ? જેમ સૂર્ય વિના આકાશની શોભા કેવી હોય અને ચંદ્ર વિના રાત્રિની શોભા ક્યાંથી
હોય? તેમ

Page 558 of 660
PDF/HTML Page 579 of 681
single page version

background image
પપ૮ નવ્વાણુંમું પર્વ પદ્મપુરાણ
હે માતા! તમારા વિના અયોધ્યાની શોભા કેવી? આ પ્રમાણે વિલાપ કરતાં લક્ષ્મણ
રામને કહે છે-હે દેવ! આખું નગર વીણા, બંસરી, મૃદંગાદિના ધ્વનિ વિનાનું થયું છે,
અહર્નિશ રુદનના ધ્વનિથી પૂર્ણ છે. ગલીએ ગલી, નદીના તટ પર, ચોકમાં, પ્રત્યેક હાટમાં,
ઘરે ઘરે બધા લોકો રુવે છે, તેના અશ્રુપાતની ધારાથી કીચડ થઈ ગયો છે, જાણે
અયોધ્યામાં ફરીથી વર્ષાકાળ આવ્યો છે. બધા માણસો આંસુ વહાવતાં ગદગદ કષ્ટમય
ભાષા બોલતાં જાનકી પરોક્ષ હોવા છતાં એકાગ્રચિત્ત થઈને તેનાં ગુણકીર્તનરૂપ પુષ્પોથી
તેને પૂજે છે. સીતા પતિવ્રતા, સમસ્ત સતીઓની મોખરે છે, ગુણોની ઉજ્જવળ તેના
આવવાની બધાને અભિલાષા છે, બધા લોકો જેમ માતા પુત્રનું પાલન કરે તેમ
સીતામાતાને પાળે છે. બધા તેમના ગુણોને યાદ કરીને રુદન કરે છે. જાનકીનો શોક ન
હોય એવો કોણ હોય? માટે હે પ્રભો! તમે બધી વાતમાં પ્રવીણ છો. હવે પશ્ચાત્તાપ છોડો.
પશ્ચાત્તાપથી કાર્યની સિદ્ધિ થવાની નથી. જો આપનું ચિત્ત પ્રસન્ન હોય તો સીતાને
શોધીને બોલાવી લેશું, અને તેમને પુણ્યના પ્રભાવથી કોઈ વિઘ્ન નહિ હોય. આપે ધૈર્ય
રાખવું યોગ્ય છે. આ વચનોથી રામચંદ્ર પ્રસન્ન થયા, કાંઈક શોક તજીને કર્તવ્યમાં મન
જોડયું. ભદ્રકળશ ભંડારીને બોલાવીને કહ્યું કે તમે સીતાની આજ્ઞાથી કિમિચ્છા દાન
આપતા હતા તેવી જ રીતે આપ્યા કરો. સીતાના નામથી દાન આપો. ભંડારીએ કહ્યું કે
આપ જેમ આજ્ઞા કરશો તેમ થશે. નવ મહિના સુધી યાચકોને કિમિચ્છા દાન વહેંચ્યા કરો
એવી શ્રી રામે આજ્ઞા કરી. રામને આઠ હજાર સ્ત્રીઓ છે, તેમનાથી સેવાતા હોવા છતાં
સીતાના ગુણોથી જેમનું મન મોહ્યું છે તે એક ક્ષણમાત્ર પણ મનથી સીતાને વિસારતા
નથી. તેમના મુખમાંથી સદા સીતા સીતા એવા ઉદ્ગાર નીકળ્‌યા કરે છે, તેમને સર્વ દિશા
સીતામય દેખાય છે, સ્વપ્નમાં પણ તેમને જાણે સીતા પર્વતની ગુફામાં પડી છે, ધરતીની
ધૂળથી ખરડાયેલી છે, અશ્રુપાતથી ચોમાસું કરી નાખ્યું છે, આવાં જ દ્રશ્ય દેખાય છે. રામ
ચિંતવન કરે છે - જુઓ, સુંદર ચેષ્ટાવાળી સીતા દૂર દેશાંતરમાં છે તો પણ મારા ચિત્તથી
દૂર થતી નથી. તે માધવી શીલવતી મારા હિતમાં સદા ઉદ્યમી છે. લક્ષ્મણના ઉપદેશથી
અને સૂત્ર સિદ્ધાંતના શ્રવણથી રામનો શોક થોડોક ઓછો થયો, ધૈર્ય રાખીને તે
ધર્મધ્યાનમાં તત્પર થયા. બન્ને ભાઈ ખૂબ ન્યાયી, અખંડ પ્રીતિના ધારક, પ્રશંસાયોગ્ય
ગુણોના સમુદ્ર, સમુદ્ર પર્યંતની પૃથ્વીનું સારી રીતે પાલન કરતા થકા સૌધર્મ-ઈશાન ઇન્દ્ર
જેવા શોભતા હતા. બન્ને ધીરવીર સ્વર્ગ સમાન અયોધ્યામાં દેવો સમાન ઋદ્ધિ ભોગવતા
રાજ્ય કરતા હતા. સુકૃતના ઉદયથી સકળ પ્રાણીઓને જેમનાં સુંદર ચરિત્ર આનંદ આપે
છે, તે સુખસાગરમાં મગ્ન, સૂર્ય સમાન તેજસ્વી પૃથ્વી પર પ્રકાશતા હતા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામને સીતાના ત્યાગ પછી થયેલ
શોકનું વર્ણન કરનાર નવ્વાણુંમું પર્વ પૂર્ણ થયું.
* * *

Page 559 of 660
PDF/HTML Page 580 of 681
single page version

background image
પદ્મપુરાણ સોમું પર્વ પપ૯
સોમું પર્વ
(સીતાને જોડિયા પુત્રનો જન્મ અને તેમનાં પરાક્રમનું વર્ણન)
ગૌતમ સ્વામી કહે છે કે હે નરાધિપ! રામ-લક્ષ્મણ તો અયોધ્યામાં રહે છે, હવે
અમે લવણાંકુશનો વૃત્તાંત કહીએ છીએ તે સાંભળો-અયોધ્યામાં બધા લોકો સીતાના શોકથી
દુર્બળ અને ફિક્કા થઈ ગયા હતા. પુંડરિકપુરમાં સીતા ગર્ભના ભારથી કાંઈક ફિક્કી અને
દૂબળી થઈ હતી. જાણે કે સમસ્ત પ્રજા સીતાના પવિત્ર ઉજ્જવળ ગુણોનું વર્ણન કરે છે, તે
ગુણોની ઉજ્જવળતાથી શ્વેત થઈ ગઈ છે. સીતાના સ્તનની ડીંટડી શ્યામ થઈ છે, જાણે કે
માતાના સ્તન પુત્રને પીવા માટે દૂધના ઘટ છે તેની આ મુદ્રા છે. દ્રષ્ટિ ક્ષીરસાગર સમાન
ઉજ્જવળ અત્યંત મધુર બની છે અને સર્વ મંગળોનો આધાર જેમનું શરીર સર્વમંગળનું
સ્થાન જે નિર્મળ રત્નમય આંગણું છે તેમાં તે મંદ મંદ ચાલે છે ત્યારે ચરણોનાં પ્રતિબિંબ
એવાં લાગે છે, જાણે કે ધરતી કમળોથી સીતાની સેવા જ કરે છે. રાત્રે ચંદ્ર એના મહેલ
ઉપર પ્રકાશ પાથરે છે તે સફેદ છત્ર જ હોય એવું લાગે છે. તે મહેલમાં સુંદર શય્યા પર
સૂતી સૂતી એવું સ્વપ્ન જુએ છે કે ગજેન્દ્ર કમળોના પુટમાં જળ ભરીને અભિષેક કરાવે છે
અને વારંવાર સખીઓના મુખેથી જયજયકારના શબ્દ સાંભળીને જાગ્રત થાય છે,
પરિવારના સર્વજનો આજ્ઞારૂપ પ્રવર્તે છે, ક્રીડામાં પણ એ આજ્ઞાભંગ સહી શકતી નથી,
બધા આજ્ઞાંકિત થઈને શીઘ્ર આજ્ઞાનું પાલન કરે છે તો પણ બધા ઉપર રોફ કરે છે, કારણ
કે તેના ગર્ભમાં તેજસ્વી પુત્ર રહેલા છે. મણિના દર્પણ પાસે છે તો પણ ખડ્ગમાં પોતાનું
મુખ જુએ છે અને વીણા, બંસરી, મૃદંગાદિ અને વાજિંત્રોના નાદ થાય છે તે રુચતા નથી
અને ધનુષ્ય ચડાવવાનો ટંકારવ રુચે છે. સિંહોનાં પાંજરાં જોઈને જેનાં નેત્ર પ્રસન્ન થાય છે
અને જેમનું મસ્તક જિનેન્દ્ર સિવાય બીજાને નમતું નથી.
પછી નવ મહિના પૂરા થતાં શ્રાવણ સુદી પૂનમને દિવસે શ્રવણ નક્ષત્રમાં તે
મંગળરૂપિણીએ સર્વ લક્ષણોથી પૂર્ણ, શરદની પૂનમના ચંદ્રમા સમાન વદનવાળા સુખપૂર્વક
પુત્રયુગલને જન્મ આપ્યો. પુત્રોના જન્મથી પુંડરિકપુરની
સકળ પ્રજા અત્યંત હર્ષ પામી -
જાણે કે નગરી નાચવા લાગી. ઢોલનગારાં આદિ અનેક પ્રકારનાં વાજિંત્રો વાગવા માંડયાં,
શંખધ્વનિ થયો. રાજા વજ્રજંઘે મોટો ઉત્સવ કર્યો, યાચકોને ખૂબ સંપદા આપી. એકનું
નામ અનંગલવણ અને બીજાનું નામ મદનાંકુશ સાર્થક નામ પાડયાં. પછી એ બાળક
વધવા લાગ્યાં. માતાના હૃદયને અતિઆનંદ આપનાર ધીરવીરતાના અંકુર ઉપજ્યા.
એમની રક્ષા નિમિત્તે એમના મસ્તક પર સરસવના દાણા નાખવામાં આવ્યા, તે જાણે
પ્રતાપરૂપ અગ્નિના કણ હોય એવા શોભતા હતા. જેમનું શરીર તપાવેલા સૂર્ય સમાન
અતિ દેદીપ્યમાન શોભતું હતું. તેમના નખ દર્પણ સમાન ભાસતા હતા. પ્રથમ
બાલ્યાવસ્થામાં અવ્યક્ત શબ્દ બોલ્યા તે સર્વ લોકનાં મનને હરે છે. એમનું મંદ સ્મિત
અતિમનોજ્ઞ પુષ્પોના વિકસવા સમાન લોકોનાં હૃદયને મોહ પમાડતું. જેમ પુષ્પોની સુગંધ
ભમરાઓને અનુરાગી કરે તેમ એમની વાસના બધાનાં મનને અનુરાગરૂપ