Padmapuran (Gujarati). Parva 87 - Trilokmandan hathinu svarggaman aney Bharat mahamuninu nirvangaman; Parva 88 - Ram-Laxmanno rajyabhishek; Parva 89 - Raja Madhuney jitva Shatrughnanu Mathura par akraman; Parva 90 - Mathurama asurindrakkrut updravthi lokoma vyakulta; Parva 91 - Shatrughnana purvabhav aney Mathurama anek janma dharan karvathi atianurag; Parva 92 - Mathurano asurindrakrut updrav sapt chaaran rushivarona prabhavthi dur thaiyo; Parva 93 - Ramney Shridama aney Laxmanney Manoramani prapti; Parva 94 - Ram Laxmanna vaibhav parivar adinu varnan; Parva 95 - Sitaney garbhdharan aney Jinpujani maha iccha.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 28 of 35

 

Page 520 of 660
PDF/HTML Page 541 of 681
single page version

background image
પર૦ સત્તાસીમું પર્વ પદ્મપુરાણ
સત્તાસીમું પર્વ
(ત્રૈલોક્યમંડન હાથીનું સ્વર્ગગમન અને ભરત મહામુનિનું નિર્વાણગમન)
પછી ત્રૈલોક્યમંડન હાથીએ અતિ પ્રશાંત ચિત્તે કેવળીની નિકટ શ્રાવકનાં વ્રત
લીધા. સમ્યગ્દર્શન સહિત જ્ઞાની હાથી શુભ ક્રિયામાં ઉદ્યમી થયો. પંદર દિવસના ઉપવાસ
તથા માસોપવાસ કરવા લાગ્યો, સૂકાં પાંદડાંથી પારણું કરતો હાથી સંસારથી ભયભીત,
ઉત્તમ ચેષ્ટામાં પરાયણ, લોકો વડે પૂજ્ય, વિશુદ્ધતા વધારતો પૃથ્વી પર વિહાર કરતો હતો.
કોઈ વાર પક્ષોપવાસ કોઈ વાર માસોપવાસના પારણા નિમિત્તે ગ્રામાદિકમાં જાય તો
શ્રાવકો તેને અત્યંત ભક્તિથી શુદ્ધ અન્ન અને શુદ્ધ જળથી પારણું કરાવતા. તેનું શરીર
ક્ષીણ થયું હતું, વૈરાગ્ય ખીલા સાથે બંધાયેલો તે ઉગ્ર તપ કરતો રહ્યો. યમનિયમરૂપ જેના
અંકુશ છે તે ઉગ્ર તપ કરનાર ગજ ધીરે ધીરે આહારનો ત્યાગ કરી, અંતે સલ્લેખના
ધારણ કરી, શરીર તજી છઠ્ઠા સ્વર્ગનો દેવ થયો. અનેક દેવાંગનાથી યુક્ત, હાર-કુંડળાદિ
આભૂષણોથી મંડિત પુણ્યના પ્રભાવથી દેવગતિમાં સુખ ભોગવવા લાગ્યો. તે છઠ્ઠા
સ્વર્ગમાંથી આવ્યો હતો. અને છઠ્ઠા જ સ્વર્ગમાં ગયો, પરંપરાએ તે મોક્ષ પામશે. અને
મહામુનિ ભરત મહાતપના ધારક, પૃથ્વીના ગુરુ જેમને શરીરનું મમત્વ નથી તે મહાધીર
જ્યાં પાછલો દિવસ રહે ત્યાં જ બેસી રહેતા. જે એક સ્થાનમાં રહે નહિ, પવન સરખા
અસંગી, પૃથ્વી સમાન ક્ષમાના ધારક, જળ સમાન નિર્મળ, અગ્નિ સમાન કર્મકાષ્ઠના ભસ્મ
કરનાર અને આકાશ સમાન નિર્લેપ, ચાર આરાધનામાં ઉદ્યમી, તેર પ્રકારનું ચારિત્ર
પાળતા વિહાર કરતા હતા. સ્નેહ બંધનથી રહિત, મૃગેન્દ્ર, સરખા નિર્ભય, સમુદ્ર સમાન
ગંભીર સુમેરુ સમાન નિશ્ચળ, યથાજાતરૂપધર, સત્યનું વસ્ત્ર પહેરી, ક્ષમારૂપ ખડ્ગ ધારી,
બાવીસ પરીષહના વિજેતા, જેમને શત્રુમિત્ર સમાન છે, સુખ દુઃખ સમાન છે, તૃણ કે રત્ન
સમાન છે, ઉત્કૃષ્ટ મુનિ શાસ્ત્રોક્ત માર્ગ પર ચાલતા હતા. તેમને તપના પ્રભાવથી અનેક
ઋદ્ધિ ઉપજી. પગમાં તીક્ષ્ણ સોય જેવી તૃણની સળી ભોંકાય છે, પરંતુ તેમને તેનું ભાન
નથી. તે ઉપસર્ગ સહેવા માટે શત્રુઓના સ્થાનમાં વિહાર કરતા. તેમને સંયમના પ્રભાવથી
શુક્લ ધ્યાન ઉત્પન્ન થયું. તેના બળથી મોહનો નાશ કરી, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને
અંતરાય કર્મનો નાશ કરી લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન પ્રગટ થયું, પછી અઘાતિકર્મ પણ
દૂર કરી સિદ્ધપદ પામ્યા. હવે તેમને સંસારમાં ભટકવું થશે નહિ. આ કૈકેયીના પુત્ર
ભરતનું ચરિત્ર જે ભક્તિથી વાંચશે, સાંભળશે તે સર્વ કલેશથી રહિત થઈ યશ, કીર્તિ,
બળ, વિભૂતિ અને આરોગ્ય પામી, સ્વર્ગમોક્ષ પામશે. આ પવિત્ર ચરિત્ર, ઉજ્જવળ, શ્રેષ્ઠ
ગુણોથી યુક્ત ભવ્ય જીવ સાંભળો જેથી શીઘ્ર સૂર્યથી અધિક તેજના ધારક થાવ.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ભરતના નિર્વાણગમનનું વર્ણન
કરનાર સત્યાસીમું પર્વ પૂર્ણ થયું.

Page 521 of 660
PDF/HTML Page 542 of 681
single page version

background image
પદ્મપુરાણ અઠયાસીમું પર્વ પર૧
અઠયાસીમું પર્વ
(રામ–લક્ષ્મણનો રાજ્યાભિષેક)
ભરતની સાથે જે મહા ધીરવીર, જેમને પોતાના શરીરમાં પણ અનુરાગ નહોતો
એવા રાજા જૈનેશ્વરી દીક્ષા લઈ દુર્લભ વસ્તુ પામ્યા તેમાંના કેટલાકનાં નામ કહીએ છીએ.
સિદ્ધાર્થ, રતિવર્ધન, મેઘરથ, જાંબૂનદ, શલ્ય, શશાંક, વિરસ, નંદન, નંદ, આનંદ, સુમતિ,
સદાશ્રય, મહાબુદ્ધિ, સુર્ય, ઈન્દ્રધ્વજ, જનવલ્લભ, શ્રુતિધર, સુચંદ્ર, પૃથ્વીધર, અલંક,
સુમતિ, અક્રોધ, કુંદર, સત્યવાન્ હરિ, સુમિત્ર, ધર્મમિત્ર, પૂર્ણચંદ્ર, પ્રભાકર, નધુષ, સુન્દન,
શાંતિ, પ્રિયધર્મા ઇત્યાદિ એક હજારથી અધિક રાજાઓએ વૈરાગ્ય લીધો. વિશુદ્ધ કુળમાં
ઉપજેલા, સદાચારમાં તત્પર, પૃથ્વીમાં જેમની શુભ ચેષ્ટ પ્રસિદ્ધ હતી, એવા ભાગ્યશાળી
રાજાઓએ હાથી, ઘોડા, રથ, પ્યાદા, સુવર્ણ રત્ન રણવાસ સર્વનો ત્યાગ કરી પંચમહાવ્રત
ધારણ કર્યાં. તેમણે જીર્ણ તૃણની પેઠે રાજ્યનો ત્યાગ કર્યોં. તે શાંત યોગીશ્વર જાતજાતની
ઋદ્ધિ પામ્યા. આત્મધ્યાન કરનાર તેમાંના કેટલાક મોક્ષ પામ્યા, કેટલા અહમિન્દ્ર થયા,
કેટલાક ઉત્કૃષ્ટ દેવ થયા. ભરત ચક્રવર્તી જેવા દશરથ પુત્ર ભરત ઘરમાંથી નીકળ્‌યા પછી
લક્ષ્મણ તેમનાં ગુણોને યાદ કરી કરીને અતિ શોક પામ્યા. પોતાના રાજ્યને શૂન્ય ગણવા
લાગ્યા, શોકથી જેમનું ચિત્ત વ્યાકુળ છે તે અતિ દીર્ઘ નિશ્વાસ નાખવા લાગ્યા, આંસુ
સારવા લાગ્યા, તેની નીલકમળ જેવી કાંતિ કરમાઈ ગઈ, વિરાધિતની ભુજા પર હાથ મૂકી
તેના સહારે બેસી મંદ મંદ વચન કહેવા લાગ્યા, હે ભરત મહારાજ, ગુણ જ જેમનાં
આભૂષણ છે તે ક્યાં ગયાં? જેમણે તરુણ અવસ્થામાં શરીર પ્રત્યેની પ્રીતિ છોડી દીધી, જે
ઇન્દ્ર સમાન રાજા હતા અને અમે બધા તેમના સેવક હતા તે રઘુવંશના તિલક સમસ્ત
વિભૂતિ તજીને મોક્ષને અર્થે અતિ દુર્દ્ધર મુનિનો ધર્મ ધારવા લાગ્યા. શરીર તો અતિ
કોમળ છે તે પરીષહ કેવી રીતે સહન કરશે? તેમને ધન્ય છે. મહાજ્ઞાની શ્રી રામે કહ્યું,
ભરતનો મહિમા કથનમાં આવે નહિ, તેમનું ચિત્ત કદી સંસારમાં ડૂબ્યું નહિ. જે વિષભર્યા
અન્નની જેમ રાજ્ય છોડીને જિનદીક્ષા ધારે છે તેમની જ શુદ્ધ બુદ્ધિ છે અને તેમનો જ
જન્મ કૃતાર્થ છે. તે પૂજ્ય પરમ યોગીનું વર્ણન દેવેન્દ્ર પણ કરી શકે નહિ તો બીજાની શી
શક્તિ હોય તે કરે. તે રાજા દશરથના પુત્ર, કૈકેયીના નંદનનો મહિમા અમારાથી કહી
શકાય નહીં. આ ભરતનાં ગુણ ગાતાં એક મુહૂર્ત સભામાં બેઠા બધા રાજા ભરતનાં જ
ગુણ ગાયા કરે છે. પછી શ્રી રામ-લક્ષ્મણ બન્ને ભાઈ ભરતના અનુરાગથી અતિઉદ્વેગથી
ઊભા થયા, બધા રાજાઓ પોતપોતાના સ્થાનકે ગયા. ઘરે ઘરે ભરતની જ ચર્ચા થાય છે.
બધા લોકો આશ્ચર્ય પામ્યા. આ તો એમની યુવાન અવસ્થા હતી અને આ રાજ્ય, આવા
ભાઈ અને બધી સામગ્રીપૂર્ણ, આવા જ પુરુષ ત્યાગ કરે તે જ પરમપદ પામે. આ પ્રમાણે
બધા જ પ્રશંસા કરવા લાગ્યા.
બીજે દિવસે બધા રાજા મંત્રણા કરીને રામ પાસે આવ્યા. નમસ્કાર કરીને અત્યંત પ્રેમથી આ
વચન કહ્યાં-હે નાથ! અમે જો અણસમજ હોઈએ તો પણ આપના છીએ અને બુદ્ધિમાન

Page 522 of 660
PDF/HTML Page 543 of 681
single page version

background image
પરર અઠયાસીમું પર્વ પદ્મપુરાણ
હોઈએ તો પણ આપના છીએ. અમારા ઉપર કૃપા કરીને, અમારી વિનંતી સાંભળો. હે
પ્રભો! અમે બધા ભૂમિગોચરી અને વિદ્યાધરો આપનો રાજ્યાભિષેક કરીએ, જેમ સ્વર્ગમાં
ઇન્દ્રનો થાય છે. ત્યારે અમારા નેત્ર અને હૃદય સફળ થશે તમારા અભિષેકના સુખથી
પૃથ્વી સુખરૂપ થશે. રામે કહ્યું, તમે લક્ષ્મણનો રાજ્યાભિષેક કરો, તે પૃથ્વીનો સ્તંભ ભૂધર
છે, રાજાઓના ગુરુ વાસુદેવ, રાજાઓના રાજા, સર્વ ગુણઐશ્વર્યના સ્વામી, સદા મારાં
ચરણોને નમે છે, એ ઉપરાંત મારે રાજ્ય કયું હોય? ત્યારે તે બધાએ શ્રીરામની અતિ
પ્રશંસા કરી અને જયજયકાર કરતાં લક્ષ્મણ પાસે ગયા અને બધો વૃત્તાંત કહ્યો. પછી
લક્ષ્મણ બધાને સાથે લઈને રામ પાસે આવ્યા અને હાથ જોડી નમસ્કાર કરી કહેવા
લાગ્યા, હે વીર! આ રાજ્યના સ્વામી આપ જ છો, હું તો આપનો આજ્ઞાંકિત અનુચર છું.
ત્યારે રામે કહ્યું, હે વત્સ! તમે ચક્રના ધારક નારાયણ છો તેથી રાજ્યાભિષેક તમારો જ
યોગ્ય છે, પછી છેવટે એ બન્નેનો રાજ્યાભિષેક નક્કી થયો. પછી મેઘધ્વનિ જેવા
વાજિંત્રોનો ધ્વનિ થયો, દુંદુભિ વાજાં, નગારાં, ઢોલ, મૃદંગ, વીણા, બંસરી, ઝાલર, ઝાંઝ,
મંજીરા, શંખ ઇત્યાદિ વાજિંત્રો વાગ્યાં અને નાના પ્રકારનાં મંગળ ગીત-નૃત્ય થયાં,
યાચકોને મનવાંછિત દાન આપ્યાં, સૌને ખૂબ આનંદ થયો. બન્ને ભાઈ એક સિંહાસન પર
બેઠા, કમળથી ઢાંકેલા, પવિત્ર જળ ભરેલાં સ્વર્ણ રત્નના કળશોથી વિધિપૂર્વક અભિષેક
થયો. બન્ને ભાઈ મુગટ, બાજૂબંધ, હાર, કેયૂર, કુંડળાદિથી મંડિત મનોજ્ઞ વસ્તુ પહેરી,
સુગંધચર્ચિત બેઠા, વિદ્યાધર ભૂમિગોચરી તથા ત્રણ ખંડના દેવો જયજયકાર કરવા લાગ્યા.
હળ-મૂશળના ધારક આ બળભદ્ર શ્રી રામ અને ચક્રના ધારક આ વાસુદેવ શ્રી લક્ષ્મણ
જયવંત હો. બન્ને રાજેન્દ્રોનો અભિષેક કરી વિદ્યાધર ખૂબ ઉત્સાહથી સીતા અને લક્ષ્મણની
રાણી વિશલ્યાનો અભિષેક વિધિપૂર્વક થયો.
પછી વિભીષણને લંકા આપી, સુગ્રીવને કિહકંઘપુર, હનુમાનને શ્રીનગર તથા
હનુરુહદ્વીપ આપ્યા, વિરાધિતને નાગલોક સમાન અલંકાપુરી આપી. નળ નીલને
કિહકંધપુર આપ્યું, ભામંડળને વૈતાડયની દક્ષિણ શ્રેણીમાં રથનૂપુર આપ્યું અને સમસ્ત
વિદ્યાધરોનો અધિપતિ બનાવ્યો, રત્નજટીને દેવોપુનિત નગર આપ્યું અને બીજા બધાને
યોગ્ય સ્થાન આપ્યાં, પોતાના પુણ્યના ઉદય પ્રમાણે બધા જ રામ-લક્ષ્મણના પ્રતાપે રાજ્ય
પામ્યા. રામની આજ્ઞાથી યથાયોગ્ય સ્થાનમાં રહ્યાં. જે ભવ્ય જીવ પુણ્યના પ્રભાવનું ફળ
જગતમાં પ્રસિદ્ધ છે એમ જાણી ધર્મમાં રતિ કરે છે તે મનુષ્ય સૂર્યથી જ્યોતિ પામે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-લક્ષ્મણના રાજ્યાભિષેકનું
વર્ણન કરનાર અઠયાસીમું પર્વ પૂર્ણ થયું.
* * *

Page 523 of 660
PDF/HTML Page 544 of 681
single page version

background image
પદ્મપુરાણ નેવ્યાસીમું પર્વ પર૩
નેવ્યાસીમું પર્વ
(રાજા મધુને જીતવા શત્રુઘ્નનું મથુરા પર આક્રમણ)
પછી રામ-લક્ષ્મણે અત્યંત પ્રેમથી ભાઈ શત્રુઘ્નને કહ્યું કે તમને જે દેશ ગમે તે
લ્યો. જો તમારે અડધી અયોધ્યા જોઈતી હોય તો અડધી અયોધ્યા લ્યો અથવા રાજગૃહ,
પોદનાપુર કે પૌંડ્રસુંદર લ્યો. સેંકડો રાજધાની છે તેમાંથી જે સારી તે તમારી. ત્યારે શત્રુઘ્ને
કહ્યું કે મને મથુરાનું રાજ્ય આપો. ત્યારે રામ બોલ્યા, હે ભાઈ! ત્યાં મધુનું રાજ્ય છે
અને તે રાવણનો જમાઈ છે, અને યુદ્ધોનો જીતનારો છે, ચમરેન્દ્રે તેને ત્રિશૂળ આપ્યું છે
તે જયેષ્ઠના સૂર્ય સમાન દુસ્સહ છે અને દેવોથી નિવારી શકાય તેવું નથી, તેની ચિંતા
અમને પણ નિરંતર રહે છે. તે રાજા મધુ રઘુવંશીઓના કુળરૂપ આકાશમાં સૂર્ય સમાન
પ્રતાપી છે, જેણે વંશનો ઉદ્યોત કર્યો છે, તેનો પુત્ર લવણાર્ણવ વિદ્યાધરોથી પણ અસાધ્ય
છે. પિતાપુત્ર બન્ને ખૂબ શૂરવીર છે. માટે મથુરા છોડીને બીજું ચાહે તે રાજ્ય લ્યો. તો
પણ શત્રુઘ્ને કહ્યું કે ઘણું કહેવાથી શું લાભ? મને મથુરા જ આપો. જો હું મધના પૂડાની
જેમ મધુને રણસંગ્રામમાં તોડી ન નાખું તો હું દશરથનો પુત્ર શત્રુઘ્ન નહિ. જેમ સિંહના
સમૂહને અષ્ટાપદ તોડી પાડે છે તેમ તેના સૈન્ય સહિત તેને હું ચૂરી ન નાખું તો હું તમારો
ભાઈ નહિ. જો હું મધુને મૃત્યુ ન પમાડું તો હું સુપ્રભાની કૃક્ષિમાં ઉપજ્યો નથી એમ
જાણજો. શત્રુઘ્નના આવા પ્રચંડ તેજભર્યાં વચનોથી વિદ્યાધરોના બધા અધિપતિ આશ્ચર્ય
પામ્યા અને શત્રુઘ્નની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. શત્રુઘ્ન મથુરા જવા તૈયાર થયો. શ્રી
રામે કહ્યું, હે ભાઈ! હું એક યાચના કરું છું તેની મને દક્ષિણા આપ. શત્રુઘ્ને જવાબ
આપ્યો કે બધાના દાતા આપ છો, બધા તો આપના યાચક છે, આપ યાચના કરો તે કેવી
વાત કહેવાય? મારા પ્રાણના પણ આપ સ્વામી છો તો બીજી વસ્તુની શી વાત હોય?
એક મધુ સાથે યુદ્ધ કરવાનું હું નહિ છોડું, બાકી જે કાંઈ કહેશો તે જ પ્રમાણે કરીશ. ત્યારે
શ્રી રામે કહ્યું, હે વત્સ! તું મધુ સાથે યુદ્ધ કરે તો જે સમયે તેના હાથમાં ત્રિશૂળરત્ન ન
હોય ત્યારે કરજે. શત્રુઘ્ને કહ્યું કે આપ જેમ આજ્ઞા કરશો તેમ જ થશે. આમ કહીને
ભગવાનની પૂજા કરી. ણમોક્કાર મંત્રના જપ, સિદ્ધોને નમસ્કાર કરી, ભોજનશાળામાં જઈ
ભોજન કરી, માતાની પાસે જઈને આજ્ઞા માગી. માતાએ અત્યંત સ્નેહથી તેના મસ્તક
પર હાથ મૂકી કહ્યું, હે વત્સ! તું તીક્ષ્ણ બાણોથી શત્રુઓના સમૂહને જીત. યોદ્ધાની
માતાએ પોતાના યોદ્ધા પુત્રને કહ્યું, હે પુત્ર! અત્યાર સુધી સંગ્રામમાં શત્રુઓએ તારી પીઠ
જોઈ નથી અને હવે પણ નહિ જુએ. તું રણમાં જીતીને આવીશ ત્યારે હું સ્વર્ણનાં
કમળોથી શ્રી જિનેન્દ્રની પૂજા કરાવીશ. તે ભગવાન ત્રણ લોકમાં મંગળના કર્તા, સુર-
અસુરોથી નમસ્કાર કરવા યોગ્ય રાગાદિના જીતનારા તારું કલ્યાણ કરો. તે પરમેશ્વર,
પુરુષોત્તમ અરિહંત ભગવાને અત્યંત દુર્જય મોહરિપુને જીત્યો છે, તે તને કલ્યાણ આપો.
સર્વજ્ઞ, ત્રિકાળદર્શી સ્વયંબુદ્ધના પ્રસાદથી તારો વિજય થાવ. જે કેવળજ્ઞાનથી લોકાલોકને
હથેળીમાં આંબળાની જેમ દેખે છે, તે તને મંગળરૂપ થાવ. હે વત્સ!

Page 524 of 660
PDF/HTML Page 545 of 681
single page version

background image
પ૨૪ નેવ્યાસીમું પર્વ પદ્મપુરાણ
તે સિદ્ધ પરમેષ્ઠી જે અષ્ટકર્મથી રહિત છે, અષ્ટગુણ આદિ અનંત ગુણોથી બિરાજમાન
લોકના શિખર પર બિરાજે છે તે તને સિદ્ધિના કર્તા થાવ. ભવ્ય જીવોના પરમ આધાર
આચાર્ય તારાં વિઘ્ન દૂર કરો, જે કમળ સમાન અલિપ્ત છે, સૂર્ય સમાન તિમિરના હર્તા છે,
ચંદ્રમા સમાન આહલાદના કર્તા છે, ભૂમિ સમાન ક્ષમાવાન છે, સુમેરુ સમાન અચળ અને
સમુદ્ર સમાન ગંભીર છે. જિનશાસનના પારગામી ઉપાધ્યાય તમારા કલ્યાણના કર્તા થાવ.
કર્મશત્રુને જીતવામાં મહા શૂરવીર, બાર પ્રકારનાં તપથી જે નિર્વાણને સાધે છે, તે સાધુ
અને તને મહાવીર્યના દાતા થાવ. આ પ્રમાણે વિઘ્ન હરનાર, મંગળકારી માતાએ આશિષ
આપી તે શત્રુઘ્ને માથે ચડાવી માતાને પ્રણામ કરી બહાર નીકળ્‌યો. સોનાની સાંકળથી
મંડિત હાથી પર બેઠો. નાના પ્રકારનાં વાહનો પર આરૂઢ અનેક રાજા તેની સાથે ચાલ્યા.
તે દેવોથી મંડિત દેવેન્દ્ર જેવો શોભતો હતો. રામ-લક્ષ્મણની ભાઈ ઉપર ઘણી પ્રીતિ હતી
તેથી ત્રણ મુકામ સુધી ભાઈની સાથે ગયા. પછી ભાઈએ કહ્યું-હે પૂજ્ય પુરુષોત્તમ! પાછા
અયોધ્યા જાવ, મારી ચિંતા ન કરો, હું આપના પ્રસાદથી શત્રુઓને નિઃસંદેહ જીતીશ. પછી
લક્ષ્મણે સમુદ્રાવર્ત નામનું ધનુષ આપ્યું. પવન સરખા વેગવાળા બાણ આપ્યાં અને
કૃતાંતવક્રને સાથે મોકલ્યો. લક્ષ્મણ સાથે રામ અયોધ્યા પાછા આવ્યા, પરંતુ ભાઈની ચિંતા
વિશેષ હતી.
પછી શત્રુઘ્ન મહાધીરવીર મોટી સેના સાથે મથુરા તરફ ગયો. અનુક્રમે યમુના
નદીના કાંઠે જઈને મુકામ કર્યો. સૂક્ષ્મ બુદ્ધિવાળા મંત્રીઓ ત્યાં મંત્રણા કરવા લાગ્યા.
જુઓ! આ બાળક શત્રુઘ્નની બુદ્ધિ કે મધુને જીતવાની ઇચ્છા કરી છે. એ રાજનીતિથી
અજાણ ફક્ત અભિમાનથી પ્રવર્ત્યો છે. જે મધુએ પહેલાં રાજા માંધાતાને રણમાં જીત્યો
હતો તે મધુ દેવો કે વિદ્યાધરોથી જિતાય તેવો નથી, તેને આ કેવી રીતે જીતશે? રાજા
મધુ સાગર સમાન છે, ઊછળતા પ્યાદ તેની લહેરો છે, શત્રુઓરૂપી મગરથી પૂર્ણ મધુ-
સમુદ્રને શત્રુઘ્ન ભુજાઓ વડે તરવા ઇચ્છે છે તે કેવી રીતે તરશે? મધુ ભૂપતિ ભયાનક
વન સમાન છે તેમાં પ્રવેશીને કોણ જીવતો નીકળે? પ્યાદાના સમૂહરૂપી વૃક્ષ, મત્ત
હાથીઓથી ભયંકર અને અશ્વોના સમૂહરૂપ મૃગ જ્યાં ફરે છે તેવું વન છે. મંત્રીઓનાં આ
વચન સાંભળી કૃતાંતવક્રે કહ્યું, તમે સાહસ છોડી આવાં કાયરતાનાં વચન કેમ બોલો છો?
જોકે રાજા મધુ ચમરેન્દ્રે આપેલા અમોઘ ત્રિશૂળથી અતિ ગર્વિત છે તો પણ તે મધુને
શત્રુઘ્ન અવશ્ય જીતશે; જેમ હાથી બળવાન હોય છે અને સૂંઢથી વૃક્ષોને ઉખાડી નાખે છે,
મદ ઝરે છે તો પણ સિંહ તેને જીતે છે. આ શત્રુઘ્ન લક્ષ્મી અને પ્રતાપથી મંડિત છે,
બળવાન છે, મહાપંડિત છે, પ્રવીણ છે અને શ્રી લક્ષ્મણ એના સહાયક છે, વળી આપ સૌ
ભલા માણસો તેની સાથે છો તેથી આ શત્રુઘ્ન અવશ્ય શત્રુને જીતશે. કૃતાંતવક્રે આવાં
વચન કહ્યાં ત્યારે બધા રાજી થયા. અને મંત્રીઓએ પહેલાં જ મથુરામાં જે ગુપ્તચરો
મોકલ્યા હતા તે આવીને શત્રુઘ્નને બધા સમાચાર આપવા લાગ્યા. હે દેવ! મથુરાનગરીની
પૂર્વ દિશામાં અત્યંત મનોજ્ઞ ઉપવન છે ત્યાં રણવાસ સહિત રાજા મધુ રમે છે. રાજાને
જયંતી નામની પટરાણી

Page 525 of 660
PDF/HTML Page 546 of 681
single page version

background image
પદ્મપુરાણ નેવ્યાસીમું પર્વ પરપ
છે તેના સહિત વનક્રીડા કરે છે. જેમ સ્પર્શન ઇન્દ્રિયને વશ થયેલો ગજરાજ બંધનમાં પડે
છે તેમ મહાકામી રાજા મોહિત થઈને વિષયોના બંધનમાં પડયો છે. આજે છ દિવસથી
સર્વ રાજ્ય કાર્ય છોડી પ્રમાદને વશ થઈ વનમાં રહે છે, કામાન્ધ મૂર્ખ તમારા આગમનને
જાણતો નથી. તમે તેને જીતવાનો નિશ્ચય કર્યો છે તેની તેને ખબર નથી. મંત્રીઓએ તેને
ખૂબ સમજાવ્યો પણ કોઈની વાત કાને ધરતો નથી, જેમ મૂઢ રોગી વૈદ્યનું ઔષધ લેતો
નથી. આ સમયે મથુરા હાથમાં આવે તો આવે અને જો કદાચ મધુ નગરમાં આવી ગયો
તો સમુદ્ર સમાન અથાહ છે. ગુપ્તચરોના મુખેથી આ વચન સાંભળી કાર્યમાં પ્રવીણ શત્રુઘ્ન
તે જ સમયે બળવાન યોદ્ધાઓ સાથે મથુરામાં ધસી ગયો. અર્ધરાત્રિના સમયે બધા લોકો
પ્રમાદમાં હતા, નગરી રાજા વિનાની હતી તેથી શત્રુઘ્ન દરવાજો તોડીને મથુરામાં પ્રવેશ્યો.
મથુરા મનોજ્ઞ છે. બંદીજનોના અવાજ આવ્યા કે રાજા દશરથના પુત્ર શત્રુઘ્ન જયવંત હો.
આ શબ્દો સાંભળી નગરીના લોકો પરચક્રનું આગમન જાણી અત્યંત વ્યાકુળ થયા. જેમ
લંકા અંગદના પ્રવેશથી અત્યંત વ્યાકુળ થઈ હતી તેમ મથુરામાં વ્યાકુળતા ફેલાણી. કેટલીક
બીકણ હૃદયવાળી સ્ત્રીઓને ગર્ભપાત થઈ ગયો, કેટલાક શૂરવીરો કકળાટના શબ્દ સાંભળી
તત્કાળ સિંહની પેઠે ઊઠયા. શત્રુઘ્ન રાજમહેલમાં ગયો, આયુધશાળા પોતાના કબજામાં લઈ
લીધી અને સ્ત્રી-બાળકો વગેરે નગરજનો ત્રાસ પામ્યાં હતાં તેમને મધુર વચનોથી ધીરજ
આપી કે આ શ્રી રામનું રાજ્ય છે, અહીં કોઇને દુઃખ નહિ પડે. આથી નગરીના લોકો
નિર્ભય થયા. શત્રુઘ્ન મથુરામાં આવ્યો છે એ સાંભળીને રાજા મધુ અતિ કોપ કરી
ઉપવનમાંથી નગરમાં આવ્યો, પણ શત્રુઘ્નના સુભટોનું રક્ષણ હોવાથી મથુરામાં દાખલ ન
થઈ શક્યો. જેમ મુનિના હૃદયમાં મોહ પ્રવેશી શકતો નથી. જાતજાતના ઉપાયો કરવા છતાં
તે પ્રવેશી ન શક્યો અને ત્રિશૂળરહિત થયો તો પણ અભિમાની મધુએ શત્રુઘ્ન સાથે સંધિ
ન કરી, લડવા માટે તૈયાર થયો. તેથી શત્રુઘ્નના યોદ્ધા યુદ્ધ કરવા નીકળ્‌યા, બન્નેની સમુદ્ર
જેવડી સેના વચ્ચે પરસ્પર યુદ્ધ થયું. રથ, હાથી, ઘોડાના સવારો પરસ્પર યુદ્ધ કરવા
લાગ્યા. જાતજાતનાં આયુધો ધારણ કરી સમર્થ યોદ્ધાઓ લડવા લાગ્યા. તે વખતે
પરસેનાના ગર્વને ન સહન કરી શકવાથી કૃતાંતવક્ર સેનાપતિ શત્રુની સેનામાં પેઠો અને
સ્વયંભૂ રમણ ઉદ્યાનમાં ઇન્દ્ર ક્રીડા કરે તેમ રણક્રીડા કરવા લાગ્યો. તેને જોઈને મધુનો
પુત્ર લવણાર્ણવકુમાર યુદ્ધ કરવા સામે આવ્યો, પોતાના બાણરૂપ મેઘથી કૃતાંતવક્રરૂપ
પર્વતને આચ્છાદિત કરવા લાગ્યો. કૃતાંતવક્ર પણ આશીવિષ તુલ્ય બાણોથી તેના બાણને
છેદતો રહ્યો અને ધરતી તથા આકાશને પોતાનાં બાણોથી ઢાંકવા લાગ્યો. બન્ને યોદ્ધા સિંહ
સમાન બળવાન હતા. આણે તેને રથરહિત કર્યો અને તેણે આને. પછી કૃતાંતવક્રે
લવણાર્ણવની છાતીમાં બાણ માર્યું અને તેનું બખ્તર ભેદ્યું. લવણાર્ણવે કૃતાંતવક્ર ઉપર તોમર
ચલાવ્યું. બન્ને ઘાયલ થયા હતા, બન્નેની આંખો ક્રોધથી લાલ હતી, બન્નેનાં વસ્ત્ર
રુધિરથી રંગાયા હતા, બન્ને કેસુડાના વૃક્ષ સમાન શોભતા હતા. ગદા, ખડ્ગ, ચક્ર ઇત્યાદિ અનેક

Page 526 of 660
PDF/HTML Page 547 of 681
single page version

background image
પર૬ નેવ્યાસીમું પર્વ પદ્મપુરાણ
આયુધોથી બન્નેની વચ્ચે ઘણી વાર સુધી યુદ્ધ થયું. બન્ને બળ, ઉન્માદ, વિષાદથી ભર્યા
હતા. છેવટે કૃતાંતવક્રે લવણાર્ણવના વક્ષસ્થળમાં પ્રહાર કર્યો અને તે પૃથ્વી પર પડયો, જેમ
પુણ્યના ક્ષયથી સ્વર્ગવાસી દેવ મધ્યલોકમાં આવીને પડે. લવણાર્ણવે પ્રાણ છોડયા. પુત્રને
પડેલો જોઈ મધુ કૃતાંતવક્ર તરફ દોડયો. ત્યાં શત્રુઘ્ને મધુને રોક્યો, જેમ નદીના પ્રવાહને
પર્વત રોકે. મધુ અતિ દુસ્સહ શોક અને કોપથી ભરેલો યુદ્ધ કરવા લાગ્યો. આશીવિષની
દ્રષ્ટિ સમાન મધુની દ્રષ્ટિ શત્રુઘ્નની સેના સહી શકી નહિ. જેમ ઉગ્ર પવનના યોગથી પાંદડાં
ચળવા લાગે તેમ લોકો ચલાયમાન થયા. પછી શત્રુઘ્નને મધુની સામે જતો જોઈ તેમનામાં
ધૈર્ય આવ્યું. જ્યાં સુધી પોતાના સ્વામીને પ્રબળ ન દેખે ત્યાં સુધી જ લોકો શત્રુના ભયથી
ડરે છે અને સ્વામીને પ્રસન્નવદન જોઈને ધૈર્ય પામે છે. શત્રુઘ્ન ઉત્તમ રથ પર બેસી મનોજ્ઞ
ધનુષ્ય હાથમાં લઈ, શરદના સૂર્ય સમાન મહા તેજસ્વી, અખંડિત જેની ગતિ છે તે શત્રુની
સમીપે જતાં મૃગરાજ પર ગજરાજ જતો હોય તેવો શોભતો હતો. જેમ અગ્નિ સૂકાં
પાંદડાંને બાળે તેમ મધુના અનેક યોદ્ધાઓનો ક્ષણમાત્રમાં તેણે નાશ કર્યો. શત્રુઘ્નની સામે
મધુનો કોઈ યોદ્ધો ટકી ન શક્યો. જેમ જિનશાસનના પંડિત સ્યાદ્વાદીની સામે એકાંતવાદી
ટકી ન શકે તેમ. જે સુભટ શત્રુઘ્ન સાથે યુદ્ધ કરવા આવે છે તે સિંહની સામે મૃગની પેઠે
તત્કાળ વિનાશ પામે છે. મધુની સમસ્ત સેનાનાં યોદ્ધા વ્યાકુળ બની મધુના શરણે આવ્યા.
મહાસુભટ મધુએ શત્રુઘ્નને સન્મુખ આવતો જોઈ તેની ધ્વજા છેદી, શત્રુઘ્ને બાણથી તેના
રથના અશ્વ હણ્યા. મધુ પર્વત સમાન વરુણેન્દ્ર ગજ ઉપર ચડયો અને ક્રોધથી પ્રજ્વલિત
થઈને શત્રુઘ્નને બાણથી સતત આચ્છાદવા લાગ્યો, જેમ મહામેઘ સૂર્યને આચ્છાદે છે.
શૂરવીર શત્રુઘ્ને તેનાં બાણ છેદી નાખ્યાં, મધુનું બખ્તર ભેદી નાખ્યું. જેમ પોતાના ઘેર કોઇ
મહેમાન આવે અને સજ્જન માણસ તેની સારી રીતે મહેમાનગતિ કરે તેમ શત્રુઘ્ન મધુની
રણસંગ્રામમાં શસ્ત્રો વડે મહેમાનગતિ કરવા લાગ્યો.
(શત્રુઘ્નને અજેય જાણી રાજા મધુનું સંસારથી વિરક્ત થવું અને સંન્યાસગ્રહણ)
પછી મહાવિવેકી મધુએ શત્રુઘ્નને દુર્જય જાણી, પોતાને ત્રિશૂળ આયુધથી રહિત
જાણી, પોતાના પુત્રને મૃત્યુ પામેલો જોઈ અને પોતાનું આયુષ્ય અલ્પ જાણી મુનિનાં
વચન પર વિચાર કર્યો કે અહો જગતનો સમસ્ત આરંભ મહાન હિંસારૂપ દુઃખ આપનાર
સર્વથા ત્યાજ્ય છે, આ ક્ષણભંગુર સંસારના ચરિત્રમાં મૂઢજન કેમ રાચે છે? આ સંસારમાં
ધર્મ જ પ્રશંસાયોગ્ય છે અને અધર્મનું કારણ અશુભ કર્મ પ્રશંસાયોગ્ય નથી. મહાનિંદ્ય આ
પાપકર્મ નરક નિગોદનું કારણ છે. જે દુર્લભ મનુષ્યદેહ પામીને ધર્મમાં બુદ્ધિ લગાવતો નથી
તે પ્રાણી મોહકર્મથી ઠગાયેલો અનંત ભવભ્રમણ કરે છે. મેં પાપીએ અસાર સંસારને
સારરૂપ જાણ્યો, ક્ષણભંગુર શરીરને ધ્રુવ જાણ્યું અને આત્મહિત ન કર્યું. પ્રમાદમાં રહ્યો,
રોગ સમાન આ ઇન્દ્રિયના ભોગોને ભલા જાણી ભોગવ્યા, જ્યારે સ્વાધીન હતો ત્યારે
મને સુબુદ્ધિ ન આવી. હવે અંતકાળ આવ્યો, હવે શું કરું? ઘરમાં આગ લાગે ત્યારે
તળાવ ખોદાવવાનો શો અર્થ છે? સર્પે ડંશ દીધો હોય તે વખતે

Page 527 of 660
PDF/HTML Page 548 of 681
single page version

background image
પદ્મપુરાણ નેવ્યાસીમું પર્વ પર૭
પરદેશમાંથી મંત્રાધીશને બોલાવવાનો અને દૂર દેશથી મણિ ઔષધિ મંગાવવાનો શો અર્થ
છે? માટે હવે સર્વ ચિંતા છોડી નિરાકુળ થઈને પોતાનું મન સમાધાનમાં લાવું. આમ
વિચારીને તે ધીરવીર ઘાથી પૂર્ણ હાથી પર બેસેલી સ્થિતિમાં જ ભાવમુનિ થવા લાગ્યા,
અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓને મનથી, વચનથી વારંવાર નમસ્કાર કરી
અરહંત સિદ્ધ સાધુ તથા કેવળી-પ્રણિત ધર્મ એ જ મંગળ છે, ઉત્તમ છે, એનું જ મારે
શરણ છે, અઢીદ્વીપમાં પંદર કર્મભૂમિમાં ભગવાન અરહંતદેવ હોય છે તે ત્રિલોકનાથ મારા
હૃદયમાં સ્થિતિ કરો. હું વારંવાર નમસ્કાર કરું છું. હવે હું યાવત્ જીવન સર્વ પાપયોગનો
ત્યાગ કરું છું, ચારેય આહારનો ત્યાગ કરું છું, પૂર્વે જે પાપ ઉપાર્જ્યાં હતાં તેની નિંદા કરું
છું અને સર્વ વસ્તુઓનો ત્યાગ કરું છું. અનાદિકાળથી આ સંસારવનમાં જે કર્મ ઉપાર્જ્યાં
હતાં તે મારા દુષ્કૃત મિથ્યા થાવ.
ભાવાર્થ– મને ફળ ન આપો. હવે હું તત્ત્વજ્ઞાનમાં સ્થિત છું, તજવા યોગ્ય
રાગાદિને તજું છું અને ગ્રહવા યોગ્ય નિજભાવનું ગ્રહણ કરું છું, જ્ઞાનદર્શન મારો સ્વભાવ
જ છે, તે મારાથી અભિન્ન છે અને શરીરાદિક સમસ્ત પરપદાર્થ કર્મથી ઉપજ્યા છે તે
મારાથી ભિન્ન છે, દેહત્યાગના સમયે સંસારી જીવો ધરતીનો તથા તૃણનો સાથરો કરે છે,
તે સાથરો (સંથારો) નથી. આ જીવ જ પાપબુદ્ધિ રહિત થાય ત્યારે પોતે જ પોતાનો
સાથરો છે. આમ વિચારીને રાજા મધુએ બન્ને પ્રકારના પરિગ્રહ ભાવથી તજ્યા અને
હાથીને પીઠ પર બેસી રહીને શિરના કેશનો લોચ કરવા લાગ્યો, શરીર ઘાવોથી અત્યંત
વ્યાપ્ત છે તો પણ દુર્દ્ધર ધૈર્ય ધારણ કરી આત્મયોગમાં આરૂઢ થઈ કાયાનું મમત્વ ત્યાગ્યું.
તેની બુદ્ધિ વિશુદ્ધ થઈ છે. શત્રુઘ્ને મધુની પરમ શાંત દશા જોઈને તેને નમસ્કાર કર્યા અને
કહ્યું કે હે સાધો! મારા અપરાધીના અપરાધ માફ કરો. દેવની અપ્સરાઓ મધુનો સંગ્રામ
જોવા આવી હતી તે આકાશમાંથી કલ્પવૃક્ષનાં પુષ્પોની વર્ષા કરવા લાગી. મધુના વીરરસ
અને શાંતરસ જોઈ દેવો પણ આશ્ચર્ય પામ્યા. પછી મધુ એક ક્ષણમાત્રમાં સમાધિમરણ
કરી ત્રીજા સનત્કુમાર સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થયા અને મહાવિવેકી શત્રુઘ્ન મધુની સ્તુતિ
કરતો મથુરામાં દાખલ થયો. હસ્તિનાપુરમાં પ્રવેશતા જયકુમારની જેમ મધુપુરીમાં પ્રવેશતો
શત્રુઘ્ન શોભતો હતો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે નરાધિપતિ! આ સંસારમાં
કર્મોના પ્રસંગથી પ્રાણીઓની જુદી જુદી અવસ્થા થાય છે માટે ઉત્તમ જન, સદા અશુભ
કર્મ છોડી શુભ કર્મ કરો જેના પ્રભાવથી સૂર્યસમાન કાંતિની પ્રાપ્તિ થાય.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં મધુનું યુદ્ધ અને વૈરાગ્ય તથા
લવણાર્ણવના મરણનું વર્ણન કરનાર નેવ્યાસીમું પર્વ પૂર્ણ થયું.
* * *

Page 528 of 660
PDF/HTML Page 549 of 681
single page version

background image
પર૮ નેવુંમું પર્વ પદ્મપુરાણ
નેવુંમું પર્વ
(મથુરામાં અસુરેન્દ્રકૃત ઉપદ્રવથી લોકોમાં વ્યાકુળતા)
અસુરકુમારોના ઇન્દ્ર ચમરેન્દ્રનું આપેલું જે ત્રિશૂળરત્ન મધુ પાસે હતું તેના
અઘિષ્ઠાતા દેવ ત્રિશૂળ લઈને ચમરેન્દ્રની પાસે ગયા અને ખેદખિન્ન તથા લજ્જિત થઈને
મધુના મરણના સમાચાર ચમરેન્દ્રને કહેવા લાગ્યા. મધુ સાથે તેથી ગાઢ મૈત્રી હતી તેથી
તે પાતાળમાંથી નીકળી અત્યંત ગુસ્સે થઈને મથુરામાં આવવા તૈયાર થયા. તે વખતે
ગરુડેન્દ્રે અસુરેન્દ્રની પાસે આવી પૂછયું હે દૈત્યેન્દ્ર? કઈ તરફ જવા તૈયાર થયા છો?
ત્યારે ચમરેન્દ્રે કહ્યું, જેણે મારા મિત્ર મધુને માર્યો છે તેને કષ્ટ દેવા તૈયાર થયો છું ત્યારે
ગરુડેન્દ્રે કહ્યું કે શું તમે વિશલ્યાનું માહાત્મ્ય સાંભળ્‌યું નથી? ત્યારે ચમરેન્દ્રે કહ્યું કે તે
અદ્ભુત અવસ્થા વિશલ્યાની કૌમાર અવસ્થામાં જ હતી, હવે તો તે નિર્વિષ ભુજંગી
સમાન છે. જ્યાં સુધી વિશલ્યાએ વાસુદેવનો આશ્રય લીધો નહોતો ત્યાં સુધી બ્રહ્મચર્યના
પ્રસાદથી તેનામાં અસાધારણ શક્તિ હતી, હવે તેનામાં તે શક્તિ નથી. જે નિરતિચાર
બાળબ્રહ્મચર્ય પાળે તેના ગુણનો મહિમા કથનમાં ન આવે, શીલના પ્રસાદથી સુર-અસુર-
પિશાચાદિ બધા ડરે. જ્યાં સુધી શીલરૂપી ખડ્ગ ધાર્યું હોય ત્યાં સુધી કોઈથી જીતી ન
શકાય. હવે વિશલ્યા પતિવ્રતા છે, પણ બ્રહ્મચારિણી નથી, માટે તેનામાં તે શક્તિ નથી.
મદ્ય, માંસ, મૈથુન એ મહાપાપ છે, એના સેવનથી શક્તિનો નાશ થાય છે. જેમના વ્રત-
શીલ-નિયમરૂપ કોટનો ભંગ થયો ન હોય તેમને કોઈ વિઘ્ન કરવાને સમર્થ નથી. એક
કાલાગ્નિ નામનો મહાભયંકર રુદ્ર થયો તે હે ગરુડેન્દ્ર! તમે સાંભળ્‌યું જ હશે. પછી તે સ્ત્રી
પ્રત્યે આસક્ત થઈ નાશ પામ્યો. તેથી વિષયનું સેવન વિષ કરતાં પણ વિષમ છે. પરમ
આશ્ચર્યનું કારણ એક અખંડ બ્રહ્મચર્ય છે. હવે હું મારા મિત્રના શત્રુ ઉપર ચડીશ, તમે
તમારા સ્થાનકે જાવ. ગરુડેન્દ્રને આમ કહીને ચમરેન્દ્ર મથુરા આવ્યા. મિત્રના મરણથી
ક્રોધે ભરાયેલા તેણે મથુરામાં તેવો જ ઉત્સવ જોયો, જેવો મધુના સમયે હતો. અસુરેન્દ્રે
વિચાર્યું કે આ લોકો મહાદુષ્ટ કૃતઘ્ન છે, દેશનો સ્વામી પુત્રસહિત મરી ગયો છે અને બીજો
આવીને બેઠો છે તો એમને શોક થવો જોઈએ કે હર્ષ? જેના બાહુની છાયા પામીને ઘણા
કાળ સુધી જે સુખમાં રહ્યા તે મધુના મૃત્યુંનું દુઃખ એમને કેમ ન થયું? આ મહાકૃતઘ્ન છે,
માટે કૃતઘ્નનું મુખ પણ ન જોવું. લોકો વડે શૂરવીર સેવવા યોગ્ય છે. અને શુરવીર વડે
પંડિત સેવવા યોગ્ય છે. પંડિત કોણ કહેવાય? જે પારકાનાં ગુણ માને તે તો કૃતઘ્ન
મહામૂર્ખ છે, આમ વિચારીને મથુરાના લોકો પર ચમરેન્દ્ર કોપ્યો, આ લોકોનો નાશ કરું,
આ દેશ સહિત મથુરાપુરીનો નાશ કરું. આમ અત્યંત ક્રોધે ભરાઈને અસુરેન્દ્રે લોકો પર
દુસ્સહ ઉપસર્ગ કર્યો, લોકોને અનેક રોગ થયા, પ્રલયકાળના અગ્નિ સમાન નિર્દય થઈને
લોકરૂપ વનને ભસ્મ કરવા તૈયાર થયો. જે જ્યાં ઊભા હતા તે ત્યાં જ મરી ગયા, જે
બેઠા હતા તે બેઠેલા જ રહી ગયા, સૂતા હતા તે સૂતા જ રહી ગયા, મરી ફેલાઈ ગઈ.
લોકો ઉપર ઉપસર્ગ જોઈને મિત્ર કુળદેવતાના ભયથી શત્રુઘ્ન અયોધ્યા આવ્યો.

Page 529 of 660
PDF/HTML Page 550 of 681
single page version

background image
પદ્મપુરાણ એકાણુંમું પર્વ પર૯
પોતાનો શૂરવીર ભાઈ જીત મેળવીને આવ્યો હોવાથી બળભદ્ર-નારાયણ ખૂબ હર્ષ પામ્યા.
શત્રુઘ્નની માતા સુપ્રભાએ ભગવાનની અદ્ભુત પૂજા કરાવી, દુઃખી જીવોને કરુણાથી અને
ધર્માત્મા જીવોને અતિ વિનયથી અનેક પ્રકારનાં દાન આપ્યાં. જોકે અયોધ્યા અતિ સુંદર
છે, સુવર્ણરત્નોના મહેલોથી મંડિત છે, કામધેનુ સમાન સર્વ કામના પૂરનારી દેવપુરી
સમાન છે, તો પણ શત્રુઘ્નનો જીવ મથુરામાં અતિઆસક્ત છે, તેને અયોધ્યામાં અનુરાગ
ન થયો. જેમ રામ સીતા વિના કેટલાક દિવસ ઉદાસ રહ્યા હતા તેમ શત્રુઘ્ન મથુરા વિના
અયોધ્યામાં ઉદાસપણે રહ્યો. જીવોને સુંદર વસ્તુનો સંયોગ સ્વપ્ન સમાન ક્ષણભંગુર છે,
પરમ દાહ ઉપજાવે છે, જેઠ મહિનાના સૂર્યથી પણ અધિક આતાપ કરે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં મથુરાના લોકોને અસુરેન્દ્રકૃત
ઉપસર્ગ વર્ણવનાર નેવુમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકાણુંમું પર્વ
(શત્રુઘ્નના પૂર્વભવ અને મથુરામાં અનેક જન્મ ધારણ કરવાથી અતિઅનુરાગ)
પછી રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું કે હે ભગવાન! શા માટે શત્રુઘ્ન
મથુરાની જ માગણી કરતો રહ્યો? અયોધ્યા કરતાં પણ મથુરાનો નિવાસ તેને કેમ રુચતો
હતો? સ્વર્ગલોક સમાન અનેક રાજધાની તેણે ન યાચી અને મથુરાની જ ઇચ્છા કરી,
એથી મથુરા પ્રત્યે તેને કેમ પ્રીતિ થઈ? ત્યારે જ્ઞાનસમુદ્ર ગૌતમ સ્વામીએ કહ્યું કે હે
શ્રેણિક! આ શત્રુઘ્નના અનેક ભવ મથુરામાં થયા છે તેથી તેને મધુપુરી પ્રત્યે અધિક સ્નેહ
થયો. આ જીવ કર્મોના સંબંધથી અનાદિકાળથી સંસારસાગરમાં વસે છે અને અનંત ભવ
કરે છે. આ શત્રુઘ્નનો જીવ અનંત ભવભ્રમણ કરી મથુરામાં એક યમનદેવ નામનો અતિક્રૂર
ધર્મથી વિમુખ મનુષ્ય થયો. તે મરીને ભૂંડ, ગધેડો, કાગડો એવા જન્મ ધરીને અજપુત્ર
થયો. તે અગ્નિમાં બળી મર્યો પછી પખાલીનો પાડો થયો, તે છ વાર પાડો થઈને દુઃખથી
મર્યો, નીચ કુળમાં નિર્ધન મનુષ્ય થયો. હે શ્રેણિક અત્યંત પાપી જીવ નરકમાં જાય છે,
પુણ્યવાન જીવ સ્વર્ગમાં જાય છે અને શુભાશુભમિશ્રિત ભાવથી મનુષ્ય થાય છે. પછી એ
કુલંધર નામનો બ્રાહ્મણ થયો, રૂપાળો પણ શીલ વિનાનો. એક વખતે તે નગરનો રાજા
દિગ્વિજય નિમિત્તે દેશાંતરે ગયો, તેની લલિતા નામની રાણી મહેલના ઝરૂખામાં બેઠી
હતી. તેણે આ દુરાચારી વિપ્રને જોયો અને કામબાણથી વીંધાઈ ગઈ. તેણે એને મહેલમાં
બોલાવ્યો. રાણી અને તે એક આસન પર બેસી રહેતા. એક દિવસ આ પ્રમાણે બેઠાં હતાં
તે જ વખતે રાજા દૂરથી આવેલો અચાનક ત્યાં દાખલ થયો. તેને આમ બેઠેલો જોયો.
રાણીએ કપટથી કહ્યું કે એ ભિક્ષુક છે તો પણ રાજાએ ન માન્યું. રાજાના નોકરો

Page 530 of 660
PDF/HTML Page 551 of 681
single page version

background image
પ૩૦ એકાણુંમું પર્વ પદ્મપુરાણ
તેને પકડી રાજાની આજ્ઞાથી આઠેય અંગ કાપી નાખવા માટે નગરની બહાર લઈ જતા
હતા ત્યાં કલ્યાણ નામના સાધુએ તેને કહ્યું કે જો તું મુનિ થા તો તને છોડાવું. તેણે મુનિ
થવાનું કબૂલ કર્યું એટલે સાધુએ નોકરો પાસેથી તેને છોડાવ્યો. તે મુનિ થઈ તપ કરી
સ્વર્ગમાં ઋજુ વિમાનનો સ્વામી થયો. હે શ્રેણિક! ધર્મથી શું ન થાય!
પછી મથુરામાં એક ચંદ્રભદ્ર રાજા થયો. તેની રાણીનું નામ ધરા. તેના ભાઈ
સૂર્યદેવ, અગ્નિદેવ અને યમુનાદેવ તથા શ્રીમુખ સંમુખ, સુમુખ, ઇન્દ્રમુખ, પ્રમુખ, ઉગ્રમુખ,
અર્કમુખ અને પરમુખ નામના આઠ પુત્રો હતા. રાજા ચંદ્રભદ્રની બીજી રાણી કનકપ્રભાને
અચળ નામનો પુત્ર હતો. કુલંધર બ્રાહ્મણનો જીવ જે સ્વર્ગમાં દેવ થયો હતો તે ત્યાંથી
ચ્યવીને અચળરૂપે જન્મ્યો હતો. તે કળાવાન, ગુણોથી પૂર્ણ, સર્વ લોકોનું મન હરનાર,
દેવકુમાર તુલ્ય ક્ીડા કરતો.
બીજો એક અંક નામનો મનુષ્ય હતો. તે ધર્મની અનુમોદના કરી શ્રાવસ્તી
નગરીમાં કંપ નામના પુરુષની સ્ત્રી અંગિકાનો પુત્ર અપ થયો. તે અવિનયી હતો. કંપે
અપને ઘરમાંથી કાઢી મૂક્યો. તે ખૂબ દુઃખી થઈ પૃથ્વી પર ભટકતો. અચળકુમાર રાજા
ચંદ્રભદ્રને અતિપ્રિય હતો તેથી અચળની મોટી માતા ધરા, તેના ત્રણ ભાઈ અને આઠ
પુત્રોઓ એકાંતમાં મળીને અચળને મારી નાખવાનું કાવતરું કર્યું. આ વાતની ખબર
અચળની માતા કનકપ્રભાને પડી ગઈ. તેથી તેણે પુત્રને ઘરમાંથી ભગાડી મૂક્યો. તે
તિલકવનમાં પહોંચ્યો ત્યાં તેના પગમાં કાંટો વાગ્યો. તે વખતે કંપનો પુત્ર અપ લાકડાનો
ભારો લઈને ત્યાંથી નીકળ્‌યો. તેણે અચળકુમારને કાંટો વાગવાથી પિડાતો જોયો અને તેને
દયા આવી. તેણે પોતાનો કોષ્ઠનો ભારો નીચે ઉતાર્યો અને છરીથી કુમારના પગમાંથી
કાંટો કાઢયો તેથી કુમાર ખૂબ પ્રસન્ન થયો. તેણે અપને કહ્યું કે તું મારું અચળકુમાર નામ
યાદ રાખજે અને મને રાજા તરીકે થયેલો સાંભળે ત્યારે મારી પાસે આવજે. આ પ્રમાણે
કહી અપને વિદાય કર્યો. અત્યંત દુઃખી રાજકુમાર ફરતો ફરતો કૌશાંબી નગરીમાં આવ્યો.
તે પરાક્રમી હતો. તેણે બાણવિદ્યાના ગુરુ વિશિષાચાર્યને જીતી પ્રતિષ્ઠા મેળવી હતી તેથી
રાજાએ અચળને નગરમાં લાવી પોતાની ઇન્દ્રદત્તા નામની પુત્રી પરણાવી. તેણે પુણ્યના
પ્રભાવથી અનુક્રમે રાજ્ય પણ મેળવ્યું. અંગાદિ અનેક દેશો જીતીને તે મથુરા આવ્યો અને
નગરની બહાર પડાવ નાખ્યો. તેની સાથે મોટી સેના હતી. બધા સામંતોએ સાંભળ્‌યું કે
આ રાજા ચંદ્રભદ્રનો પુત્ર અચળકુમાર છે. તેથી બધા આવીને તેને મળ્‌યા. રાજા ચંદ્રભદ્ર
એકલો પડી ગયો. તેથી રાણી ધરાના ત્રણે ભાઈઓને તેની સાથે સંધિ કરવા મોકલ્યા.
તેમણે જઈને કુમારને જોયો અને ગભરાઈને ભાગ્યા અને ધરાના આઠ પુત્રો પણ ભાગી
ગયા. અચળકુમારની માતા આવી તેને લઈ ગઈ અને પિતા સાથે મેળાપ કરાવ્યો.
પિતાએ તેને રાજ્ય આપ્યું.
એક દિવસ રાજા અચળકુમાર નટોનું નૃત્ય જોતો હતો. તે જ વખતે અપ આવ્યો. દરવાન
તેને ધક્કા મારી કાઢવા જતો હતો. અચળને યાદ આવ્યું કે તે અપે જંગલમાં તેના પગમાંથી કાંટો
કાઢયો હતો. તેણે દરવાનને રોક્યો અને અપને અંદર બોલાવ્યો, તેના પર ઘણી કૃપા

Page 531 of 660
PDF/HTML Page 552 of 681
single page version

background image
પદ્મપુરાણ બાણુંમું પર્વ પ૩૧
કરી અને તેની જન્મભૂમિ શ્રાવસ્તી નગરી હતી તે તેને આપી. એ બન્ને પરમ મિત્રો સાથે
જ રહ્યા. એક દિવસ તેઓ ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. તે બધા પ્રકારની સંપદાના સ્વામી
હતા. ત્યાં તેમણે યશસમુદ્ર નામના આચાર્યને જોયા અને બન્ને મિત્રો મુનિ થઈ ગયા. તે
સમ્યગ્દ્રષ્ટિ, સંયમનું આરાધન કરી સમાધિમરણ કરી સ્વર્ગમાં ઉત્કૃષ્ટ દેવ થયા. ત્યાંથી
ચ્યવીને અચળકુમારનો જીવ રાજા દશરથનો પુત્ર આ શત્રુઘ્ન થયો. અનેક ભવના સંબંધથી
તેને મથુરા પ્રત્યે ઘણી પ્રીતિ થઈ. ગૌતમ સ્વામી કહે છે-હે શ્રેણિક! જે વૃક્ષની છાયામાં
પ્રાણી બેઠાં હોય, તેમને તે વૃક્ષ પ્રત્યે પ્રીતિ થાય છે તો જ્યાં અનેક ભવ લીધા હોય તેની
તો શી વાત કરવી? સંસારી જીવોની આવી અવસ્થા છે. અને પેલા અપનો જીવ
સ્વર્ગમાંથી ચ્યવીને કૃતાંતવક્ર સેનાપતિ થયો. આ પ્રમાણે ધર્મના પ્રસાદથી આ બન્ને મિત્રો
સંપદા પામ્યા. જે ધર્મથી રહિત છે તેમને ક્યારેય સુખ મળતું નથી. અનેક ભવના ઉપાર્જેલા
દુઃખરૂપ મળને ધોવા માટે ધર્મનું સેવન જ યોગ્ય છે, જળના તીર્થમાં મનનો મેલ ધોવાતો
નથી. ધર્મના પ્રસાદથી શત્રુઘ્નનો જીવ સુખી થયો. આમ જાણીને વિવેકી જીવ ધર્મમાં ઉદ્યમી
થાવ. ધર્મનું કથન સાંભળીને જેમને આત્મકલ્યાણમાં પ્રીતિ થતી નથી તેમનું ધર્મશ્રવણ વૃથા
છે, જેમ દેખતો માણસ સૂર્યનો ઉદય થવા છતાં કૂવામાં પડે તો તેનાં નેત્રો વૃથા છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં શત્રુઘ્નના પૂર્વભવનું વર્ણન કરનાર
એકાણુંમું પર્વ પૂર્ણ થયું.
* * *
બાણુંમું પર્વ
(મથુરાનો અસુરેન્દ્રકૃત ઉપદ્રવ સપ્ત ચારણ ઋષિવરોના પ્રભાવથી દૂર થયો)
તે વખતે આકાશમાં ગમન કરનાર સાત ચારણ ઋષિઓ, સૂર્ય સમાન જેમની
કાંતિ છે, વિહાર કરતાં કરતાં મથુરાપુરીમાં આવ્યા. તેમનાં નામ મનુ, સુરમન્યુ, શ્રીનિચય,
સર્વસુંદર, જયવાન, વિનયલાલસ અને જયમિત્ર. એ બધાય મહાચારિત્રના પાત્ર. રાજા
શ્રીનંદન અને રાણી ધરણીસુંદરીના પુત્ર, પૃથ્વી પર પ્રસિદ્ધ, પિતા સહિત પ્રીતિંકર
સ્વામીને કેવળજ્ઞાન પ્રગટેલું જોઈ પ્રતિબોધ પામ્યા હતા. પિતા તેમ જ આ સાતેય પુત્રો
પ્રીતિંકર કેવળીની નિકટ મુનિ થયા હતા. તેમણે એક મહિનાના ડમર નામના પુત્રને
રાજ્ય આપ્યું હતું. પિતા શ્રીનંદન તો કેવલી થયા અને સાતેય મહામુનિ ચારણ આદિ
અનેક ઋદ્ધિના ધારક શ્રુતકેવળી થયા. તે ચાતુર્માસમાં મથુરાના વનમાં વડના વૃક્ષ નીચે
આવીને બિરાજ્યા. તેમનાં તપના પ્રભાવથી ચમરેન્દ્રની પ્રેરેલી મરી દૂર થઈ, જેમ
સસરાને જોઈને વ્યભિચારિણી સ્ત્રી દૂર ભાગે તેમ. મથુરાનું સમસ્ત મંડળ સુખરૂપ થયું.
વિના વાવ્યે સહેજે ધાન્ય ઊગવા લાગ્યું. સમસ્ત રોગરહિત મથુરાપુરી નવી વધૂ

Page 532 of 660
PDF/HTML Page 553 of 681
single page version

background image
પ૩ર બાણુંમું પર્વ પદ્મપુરાણ
પતિને જોઈને પ્રસન્ન થાય તેમ શોભવા લાગી. તે મહામુનિ રસપરિત્યાગાદિ તપ અને
બેલા, તેલા પક્ષોપવાસાદિ અનેક તપ ચોમાસાના ચાર મહિનામાં કરતા. તે મથુરાના
વનમાં રહેતા અને ચારણઋદ્ધિના પ્રભાવથી ચાહે ત્યાં આહાર કરી આવતા. એક
નિમિષમાત્રમાં આકાશમાર્ગે જઈ પોદનાપુર પારણું કરી આવે તો કોઈ વાર વિજયપુર કરી
આવે. ઉત્તમ શ્રાવકના ઘેર પાત્રભોજન કરી સંયમ નિમિત્તે શરીરને રાખતા. કર્મ
ખપાવવાના ઉદ્યમી એક દિવસે ધોંસરી પ્રમાણ ધરતી નીરખતા અને વિહાર કરતા, ઇર્યા
સમિતિનું પાલન કરતાં, આહારના સમયે અયોધ્યા આવ્યા. શુદ્ધાહાર લેનાર, જેમની ભુજા
પલંબિત છે, તે અર્હદત્ત શેઠને ઘેર આવી ચડયા. અર્હદત્તે વિચાર્યું કે વર્ષાકાળમાં મુનિનો
વિહાર હોતો નથી, આ ચોમાસા પહેલાં તો અહીં આવ્યા નથી અને અહીં જે જે સાધુ
ગુફામાં, નદીને તીરે, વૃક્ષ તળે, શૂન્ય સ્થાનકોમાં, વનનાં ચૈત્યાલયોમાં ચાતુર્માસ કરીને
રહ્યા છે તે સર્વની મેં વંદના કરી છે. આમને તો અત્યાર સુધી જોયા નથી. માટે લાગે છે
કે આ આચારાંગ સૂત્રની આજ્ઞાથી પરાઙમુખ ઇચ્છાવિહારી છે, વર્ષાકાળમાં પણ વિહાર
કરતા રહે છે, જિનઆજ્ઞાથી પરાઙમુખ, જ્ઞાનરહિત, આચાર્યોની આમ્નાયથી રહિત છે. જો
તે જિનાજ્ઞાપાલક હોય તો વર્ષામાં વિહાર કેમ કરે? તેથી તેઓ તો ઊભા થઈ ગયા અને
તેમની પુત્રવધૂએ અત્યંત ભક્તિથી પ્રાસુક આહાર આપ્યો. તે મુનિ આહાર લઈને
ભગવાનના ચૈત્યાલયમાં આવ્યા, જ્યાં દ્યુતિભટ્ટારક બિરાજતા હતા. આ સપ્તર્ષિ ઋદ્ધિના
પ્રભાવથી ધરતીથી ચાર આંગળ ઊંચે રહીને ચાલ્યા અને ચૈત્યાલયમાં ધરતી પર પગ
મૂકીને આવ્યા. આચાર્ય ઊઠીને ઊભા થયા. અતિ આદરથી તેમને નમસ્કાર કર્યા. અને જે
દ્યુતિભટ્ટારકના શિષ્યો હતા તે બધાએ નમસ્કાર કર્યા. પછી આ સપ્તર્ષિ તો જિનવંદના કરી
આકાશના માર્ગે મથુરા ગયા. એમના ગયા પછી અર્હદત્ત શેઠ ચૈત્યાલયમાં આવ્યા ત્યારે
દ્યુતિભટ્ટારકે કહ્યું કે મહાયોગીશ્વર સપ્તમહર્ષિ અહીં આવ્યા હતા. તમે પણ તેમને વંદ્યા? તે
મહાપુરુષ મહાન તપના ધારક છે. ચાતુર્માસ મથુરામાં કર્યું છે અને ચાહે ત્યાં આહાર લઈ
આવે છે. આજે અયોધ્યામાં આહાર લીધો, ચૈત્યાલયમાં દર્શન કરીને ગયા, અમારી સાથે
ધર્મની ચર્ચા કરી. તે મહાતપોધન ગગનગામી શુભ ચેષ્ટાના ધારક તે મુનિ વંદવાયોગ્ય
છે. ત્યારે શ્રાવકોમાં અગ્રણી અર્હદત્ત શેઠ આચાર્યના મુખેથી ચારણ મુનિઓનો મહિમા
સાંભળી ખેદખિન્ન થઈ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. ધિક્કાર છે મને! હું સમ્યગ્દર્શનરહિત
વસ્તુનું સ્વરૂપ ન ઓળખી શક્યો. હું અત્યાચારી મિથ્યાદ્રષ્ટિ છું. મારા જેવો બીજો અધર્મી
કોણ હોય? તે મહામુનિ મારે ઘેર આહાર માટે પધાર્યા હતા અને મેં નવધા ભક્તિથી
તેમને આહાર ન આપ્યો. જે સાધુને જોઈને સન્માન ન કરે અને ભક્તિથી અન્નજળ ન
આપે તે મિથ્યાદ્રષ્ટિ છે. હું પાપનું ભાજન, અતિનિંદ્ય, મારા જેવો બીજો અજ્ઞાની કોણ? હું
જિનવાણીથી વિમુખ છું, હવે હું જ્યાં સુધી તેમના દર્શન નહિ કરું ત્યાં સુધી મારા મનની
બળતરા મટશે નહિ. ચારણ મુનિઓની એ જ રીત છે કે ચોમાસાનો નિવાસ તો એક
સ્થાનમાં કરે અને આહાર અનેક નગરીમાં કરી આવે.

Page 533 of 660
PDF/HTML Page 554 of 681
single page version

background image
પદ્મપુરાણ બાણુંમું પર્વ પ૩૩
ચારણઋદ્ધિના પ્રભાવથી તેમના અંગથી જીવોને બાધા થતી નથી.
પછી કાર્તિકી પૂનમ નજીક જાણી શેઠ અર્હદત્ત મહાન સમ્યગ્દ્રષ્ટિ, રાજા જેવી જેની
વિભૂતિ છે તે અયોધ્યાથી સર્વકુટુંબ સહિત સપ્તર્ષિના પૂજન નિમિત્તે મથુરા ચાલ્યા. જે
મુનિઓનું માહાત્મય જાણે છે અને પોતાની વારંવાર નિંદા કરે છે. રથ, હાથી, પ્યાદાં,
તુરંગના સવાર ઇત્યાદિ મોટી સેના સાથે યોગીશ્વરોની પૂજા માટે શીઘ્ર ચાલ્યો. મહાન
વૈભવ સાથે શુભધ્યાનમાં તત્પર કાર્તિક સુદ સાતમના દિવસે મુનિઓનાં ચરણોમાં જઈ
પહોંચ્યો. ઉત્તમ સમ્યક્ત્વના ધારક તેમણે વિધિપૂર્વક મુનિવંદના કરીને મથુરામાં ખૂબ
શોભા કરાવી. મથુરા સ્વર્ગ સમાન શોભી ઊઠયું. આ સમાચાર સાંભળી શત્રુઘ્ન તરત જ
અશ્વારૂઢ થઈ સપ્તઋષિની પાસે આવ્યો. શત્રુઘ્નની માતા સુપ્રભા પણ મુનિઓની ભક્તિથી
પુત્રની પાછળ જ આવી. શત્રુઘ્ને નમસ્કાર કરી મુનિઓના મુખે ધર્મનું શ્રવણ કર્યું.
મુનિરાજે કહ્યું હે નૃપ! આ સંસાર અસાર છે, વીતરાગનો માર્ગ સાર છે. તેમાં શ્રાવકનાં
બાર વ્રત કહ્યાં છે, મુનિના અઠ્ઠાવીસ મૂળ ગુણ કહ્યા છે. મુનિઓએ નિર્દોષ આહાર લેવો.
અકૃત, અકારિત, રાગરહિત પ્રાસુક આહાર વિધિપૂર્વક લેવાથી યોગીશ્વરોને તપની વૃદ્ધિ
થાય છે. ત્યારે શત્રુઘ્ને કહ્યું કે હે દેવ! આપના પધારવાથી આ નગરમાંથી મરી ગઈ, રોગ
ગયા, દુર્ભિક્ષ દૂર થયો, બધાં વિઘ્નો મટયાં, સુભિક્ષ થયો, બધાને શાતા થઈ, પ્રજાનાં દુઃખ
ગયાં, બધી જ સમૃદ્ધિ થઈ, જેમ સૂર્યના ઉદયથી કમલિની ખીલે. આપ થોડા દિવસ અહીં
જ બિરાજો. મુનિઓએ કહ્યુંઃ હે શત્રુઘ્ન! જિનાજ્ઞા સિવાય અધિક રહેવું ઉચિત નથી, આ
ચોથો કાળ ધર્મના ઉદ્યોતનું કારણ છે, આમાં મુનિન્દ્રનો ધર્મ ભવ્ય જીવ ધારણ કરે છે,
જિન-આજ્ઞા પાળે છે, મહામુનિને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ભગવાન મુનિસુવ્રતનાથ તો
મુક્ત થયા; હવે નમિ, નેમિ, પાર્શ્વ અને મહાવીર આ ચાર તીર્થંકરો બીજા થશે. વળી
પંચમકાળ જેને દુઃખકાળ કહે છે તેથી ધર્મની ન્યૂનતારૂપ પ્રવર્તશે. તે સમયમાં પાખંડી
જીવો દ્વારા જિનશાસન અતિ ઊંચું હોવા છતાં આચ્છાદિત થશે, જેમ રજકણથી સૂર્યનું
બિંબ આચ્છાદિત થાય છે. પાખંડીઓ દયાધર્મનો લોપ કરી હિંસાનો માર્ગ પ્રવર્તાવશે. તે
સમયે ગ્રામ મસાણ જેવાં અને લોકો પ્રેત જેવા કુચેષ્ટા કરનારા થશે. કુધર્મમાં પ્રવીણ, ક્રૂર,
ચોર, દુષ્ટ જીવોથી ધરતી પીડા પામશે, ખેડૂતો દુઃખી થશે, પ્રજા નિર્ધન થશે, હિંસક જીવો
પરજીવોના ઘાતક થશે, નિરંતર હિંસાની વૃદ્ધિ થશે, પુત્ર માતાપિતાની આજ્ઞાથી
વિમુખ
થશે, માતાપિતા પણ સ્નેહરહિત થશે. કળિકાળમાં રાજા લૂટારા થશે, કોઈ સુખી નહિ
દેખાય. કહેવાના સુખી, તે પાપી વિચારવાળા દુર્ગતિમાં લઈ જનારી કુકથા કરી પરસ્પર
પાપ ઉપજાવશે. હે શત્રુઘ્ન! કળિકાળમાં કષાયની બહુલતા થશે અને સમસ્ત અતિશયોનો
નાશ થશે. ચારણ મુનિઓ, દેવ, વિદ્યાધરોનું આગમન નહિ થાય. અજ્ઞાની લોકો
નગ્નમુદ્રાના ધારક મુનિઓને જોઈને નિંદા કરશે, મલિન ચિત્તવાળ મૂઢજનો અયોગ્યને
યોગ્ય માનશે. જેમ પતંગિયું દીપકની જ્યોત પર પડે તેમ અજ્ઞાની પાપપંથમાં પડી
દુર્ગતિનાં દુઃખ ભોગવશે. જે શાંત સ્વભાવવાળા હશે, દુષ્ટો તેમની નિંદા કરશે, વિષયી
જીવોને ભક્તિથી પૂજશે.

Page 534 of 660
PDF/HTML Page 555 of 681
single page version

background image
પ૩૪ બાણુંમું પર્વ પદ્મપુરાણ
દીન-અનાથ જીવો પ્રત્યે દયાભાવથી કોઈ નહિ જુએ કે કાંઈ નહિ આપે. જેમ શિલા પર
બીજ વાવવામાં આવે અને નિરંતર સીંચે તો પણ કાંઈ કાર્યકારી નથી તેમ કુશીલ
પુરુષોને વિનયભક્તિથી આપેલું કલ્યાણ કરતું નથી, તે નકામું જાય છે. જે કોઈ
મુનિઓની અવજ્ઞા કરે છે અને મિથ્યામાર્ગીઓને ભક્તિથી પૂજે છે તે મલયાગિરિ ચંદન
છોડીને કાંટાળા વૃક્ષને અંગીકાર કરે છે. આમ જાણીને હે વત્સ! તું દાનપૂજા કર, જન્મ
કૃતાર્થ કર. ગૃહસ્થોને દાનપૂજા જ કલ્યાણકારી છે. મથુરાના સમસ્ત લોકો ધર્મમાં તત્પર
થાવ, દયા પાળો, સાધર્મીઓ પ્રત્યે વાત્સલ્ય રાખો, જિનશાસનની પ્રભાવના કરો, ઘરેઘરે
જિનબિંબની સ્થાપના કરો, પૂજા-અભિષેકની પ્રવૃત્તિ કરો, જેથી બધે શાંતિ થાય. જે
જિનધર્મનું આરાધન નહિ કરે અને જેના ઘરમાં જિનપૂજા નહિ થાય, દાન નહિ અપાય
તેને આપદાઓ પીડશે. જેમ વાઘણ મૃગને ખાય તેમ મરી (રોગચાળો) ધર્મરહિતને ખાઈ
જશે. અંગુષ્ટ પ્રમાણ પણ જિનપ્રતિમા જેના ઘરમાં સ્થિત હશે તેના ઘરમાંથી ગરુડના
ભયથી નાગણી ભાગે તેમ મરી ભાગશે. મુનિઓનાં આ વચન સાંભળી શત્રુઘ્ને કહ્યું કે હે
પ્રભો! આપની આજ્ઞા પ્રમાણે જ લોકો ધર્મમાં પ્રવર્તશે.
પછી મુનિ આકાશમાર્ગે વિહાર કરી અનેક નિર્વાણભૂમિની વંદના કરી સીતાને ઘેર
આહાર માટે આવ્યા. તપ એ જ મુનિઓનું ધન છે. સીતાએ અત્યંત હર્ષ પામી શ્રદ્ધા
આદિ ગુણસંયુક્ત ઉત્તમ અન્નથી વિધિપૂર્વક પારણું કરાવ્યું. મુનિઓ આહાર કરી
આકાશમાર્ગે વિહાર કરી ગયા. શત્રુઘ્ને નગરની બહાર અને અંદર અનેક જિનમંદિરો
બનાવરાવ્યાં. ઘેરઘેર જિનપ્રતિમા પધરાવી, નગરી બધી ઉપદ્રવરહિત થઈ. વન-ઉપવન
ફળ-પુષ્પાદિથી શોભી ઊઠયાં, વાપિકા, સરોવરી કમળોથી શોભવા લાગી, પક્ષી કલરવ
કરવા લાગ્યાં, કૈલાસના તસમાન ઉજ્જવળ મંદિરો નેત્રોને આનંદ આપતાં. વિમાન જેવાં
શોભતાં હતાં. બધા કિસાનો સંપદાથી ભરપૂર થયા. ગામેગામ અનાજના પર્વત જેવા
ઢગલા થયા. સ્વર્ણ, રત્નાદિની પૃથ્વી પર ખૂબ વૃદ્ધિ થઈ બધા લોકો રામના રાજ્યમાં દેવ
સમાન અતુલ વિભૂતિના ધારક સુખી અને ધર્મઅર્થકામમાં તત્પર હતા. શત્રુઘ્ન મથુરામાં
રાજ્ય કરે છે. રામના પ્રતાપે અનેક રાજાઓ પર આજ્ઞા કરતો દેવોમાં વરુણની જેમ સોહે
છે. આ પ્રમાણે ઋદ્ધિધારી મુનિઓના પ્રતાપે મથુરાપુરીનો ઉપદ્રવ દૂર થયો. જે આ
અધ્યાય વાંચે, સાંભળે તે પુરુષ શુભ નામ, શુભ ગોત્ર, શાતા વેદનીયનો બંધ કરે. જે
સાધુઓની ભક્તિમાં અનુરાગી થાય અને સાધુઓનો સમાગમ ઇચ્છે તે મનવાંછિત ફળ
પામે. આ સાધુઓનો સંગ પામી, ધર્મનું આરાધન કરી પ્રાણી સૂર્યથી પણ અધિક દીપ્તિને
પ્રાપ્ત કરો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં મથુરાના ઉપસર્ગ નિવારણનું વર્ણન
કરનાર બાણુંમું પર્વ પૂર્ણ થયું.
* * *

Page 535 of 660
PDF/HTML Page 556 of 681
single page version

background image
પદ્મપુરાણ ત્રાણુંમું પર્વ પ૩પ
ત્રાણુંમું પર્વ
(રામને શ્રીદામા અને લક્ષ્મણને મનોરમાની પ્રાપ્તિ)
પછી વિજ્યાર્ધની દક્ષિણ શ્રેણીમાં રત્નપુર નગરના રાજા રત્નરથ અને રાણી
પૂર્વચંદ્રાનની નાની પુત્રી મનોરમા અત્યંત રૂપવતી અને યુવાન થતાં પિતા તેના માટે વર
ગોતવાની ચિંતામાં હતા. તેણે મંત્રીઓ સાથે વિચારણા કરી કે આ પુત્રી કોને પરણાવવી?
એક દિવસ રાજાની સભામાં નારદ આવ્યા. રાજાએ તેમનું ખૂબ સન્માન કર્યું. નારદ બધી
લૌકિક રીતોમાં પ્રવીણ હોવાથી રાજાએ તેમને પુત્રીના વિવાહની સલાહ આપવા કહ્યું.
નારદે કહ્યું કે રામના ભાઈ લક્ષ્મણ અતિસુંદર છે, જગતમાં મુખ્ય છે, ચક્રના પ્રભાવથી
તેણે બધા નરેન્દ્રોને નમાવ્યા છે. આવી કન્યા તેના હૃદયને કુમુદિનીના વનને ચાંદનીની
પેઠે આનંદદાયિની થશે. નારદે આમ કહ્યું ત્યારે રત્નરથના પુત્રો હરિવેગ, મનોવેગ,
વાયુવેગાદિ અત્યંત અભિમાની અને સ્વજનોના ઘાતથી તેમના પ્રત્યે વેર રાખનારા
પ્રલયકાળના અગ્નિ સમાન પ્રજ્વલિત થઈને બોલ્યા જે અમારો શત્રુ છે, તેને અમે મારવા
ઇચ્છીએ છીએ, તેને કન્યા કેવી રીતે દઈએ? આ નારદ દુરાચારી છે, એને અહીંથી કાઢો.
રાજપુત્રોનાં આ વચન સાંભળી તેમના સેવકો નારદ તરફ દોડયા એટલે નારદ
આકાશમાર્ગે વિહાર કરી તરત જ લક્ષ્મણની પાસે અયોધ્યા આવ્યા. અનેક બીજા દેશોની
વાત કર્યા પછી રત્નરથની પુત્રીનું ચિત્ર બતાવ્યું. તે પુત્રી મનોરમા જાણે કે ત્રણ લોકની
સુંદરીઓનું રૂપ એકત્ર કરી બનાવી હોય તેવું લાગતું. લક્ષ્મણ ચિત્રપટ જોઈને મોહિત થઈ
કામને વશ થયા. તે જોકે મહાધીર વીર છે તો પણ વશીભૂત થઈ ગયા. તે મનમાં
વિચારવા લાગ્યા કે આ સ્ત્રીરત્ન મને ન મળે તો મારું રાજ્ય અને જીવન નિષ્ફળ
ગણાય. લક્ષ્મણે નારદને કહ્યું કે હે ભગવાન્! આપે મારાં વખાણ કર્યાં અને તે દુષ્ટોએ
આપનો વિરોધ કર્યો તો તે પાપી, પ્રચંડ માની કાર્યના વિચારથી રહિત છે, તેમનું
અભિમાન હું દૂર કરીશ. આપ ચિત્તનું સમાધાન કરો, તમારાં ચરણ મારા શિર પર છે, હું
તે દુષ્ટોને તમારા પગમાં પડાવીશ. આમ કહીને તેમણે વિરાધિત વિદ્યાધરને બોલાવ્યો અને
કહ્યું કે રત્નપુર ઉપર ચડવાની આપણી શીઘ્ર તૈયારી છે માટે પત્ર લખીને બધા
વિદ્યાધરોને બોલાવો, રણનો સરંજામ તૈયાર કરાવો.
પછી વિરાધિતે બધાને પત્ર મોકલ્યા. તે મોટી સેના લઈને તરત જ આવ્યા.
લક્ષ્મણ રામ સહિત સર્વ રાજાઓને લઈને રત્નપુર તરફ ચાલ્યા, જેમ લોકપાલો સહિત
ઇન્દ્ર ચાલે. જીત જેની સન્મુખ છે, નાના પ્રકારનાં શસ્ત્રોના સમૂહથી સૂર્યનાં કિરણો જેણે
ઢાંકી દીધાં છે એવા તે રત્નપુર જઈ પહોંચ્યા. રાજા રત્નરથ દુશ્મનોને આવેલા જાણીને
પોતાની સમસ્ત સેના સહિત યુદ્ધ કરવા નીકળ્‌યો. ચક્ર, કરવત, કુહાડા, બાણ, ખડ્ગ,
બરછી, પાશ, ગદાદિ આયુધોથી તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અપ્સરાઓ યુદ્ધ જોઈને
યોદ્ધાઓ પર પુષ્ટવૃષ્ટિ કરવા લાગી. લક્ષ્મણ પરસેનારૂપ સમુદ્રને સૂકવવા વડવાનળ
સમાન પોતે યુદ્ધ કરવા ઉદ્યમી થયા. લક્ષ્મણના ભયથી રથોના, અશ્વોના, હાથીઓના
અસવાર દશે દિશામાં ભાગવા લાગ્યા. સાથે ઇન્દ્ર સમાન

Page 536 of 660
PDF/HTML Page 557 of 681
single page version

background image
પ૩૬ ચોરાણુંમું પર્વ પદ્મપુરાણ
જેની શક્તિ છે તે શ્રી રામ, સુગ્રીવ, હનુમાન ઇત્યાદિ બધા જ યુદ્ધમાં પ્રવર્ત્યા. આ
યોદ્ધાઓથી વિદ્યાધરોની સેના પવનથી મેઘપટલ વિલય પામે તેમ ભાગી ગઈ. તે વખતે
રત્નરથ અને રત્નરથના પુત્રોને ભાગતા જોઈ નારદે અત્યંત હર્ષ પામી તાળી દઈને હસીને
કહ્યું. અરે રત્નરથના પુત્રો! અત્યંત ચપળ, દુરાચારી, મંદબુદ્ધિ તમે લક્ષ્મણનાં ગુણોની
ઉચ્ચતા સહન ન કરી શક્યા તો હવે અપમાનિત થઈને કેમ ભાગો છો? તેમણે કાંઈ
જવાબ ન આપ્યો. તે જ સમયે કન્યા મનોરમા અનેક સખીઓ સહિત રથમાં બેસી પ્રેમથી
ભરેલી લક્ષ્મણની પાસે આવી, જેમ ઇન્દ્રાણી ઇન્દ્રની સમીપ આવે. તેને જોઈને લક્ષ્મણ
ક્રોધરહિત થયા, ભ્રૃકુટિ ચડી ગઈ હતી તે વદન શાંત થયું. કન્યા આનંદ ઉપજાવનારી હતી.
પછી રાજા રત્નરથ પોતાના પુત્રો સહિત માન ત્યજીને નાના પ્રકારની ભેટસોગાદો લઈને
શ્રી રામ-લક્ષ્મણ સમીપે આવ્યા. રાજા દેશકાળની વિધિ જાણે છે, વળી તેણે પોતાનો અને
આમનો પ્રભાવ પણ જોઈ લીધો છે. પછી નારદે બધાની વચ્ચે રત્નરથને કહ્યું હે રત્નરથ!
હવે તારી શી વાત છે? તુ રત્નરથ છે કે રજરથ છે? વૃથા અભિમાન કરતો હતો તો
નારાયણ-બળદેવ સામે માન કરવાથી શો લાભ થયો? પછી તાળી વગાડીને રત્નરથના
પુત્રોને હસીને કહ્યું, હે રત્નરથના પુત્રો! આ વાસુદેવ છે. તેમને તમે પોતાના ઘરમાં રહી
ઉદ્ધત ચેષ્ટા કરી મનમાં આવ્યું તે કહ્યું હતું, હવે કેમ પગમાં પડો છો? ત્યારે તેમણે જવાબ
આપ્યો-હે નારદ! તમારો કોપ પણ ફાયદો જ કરે છે. જો તમે અમારા ઉપર ક્રોધ કર્યો તો
અમારે મોટા પુરુષોનો સંબંધ થયો, એમનો સંબંધ થવો દુર્લભ છે. આ પ્રમાણે થોડીવાર
વાતો કરી બધા નગરમાં ગયા. શ્રી રામને શ્રીદામા પરણાવવામાં આવી. જેનું રૂપ
રતિસમાન હતું. તેને પ્રાપ્ત કરવાથી રામ આનંદથી રમવા લાગ્યા. મનોરમા લક્ષ્મણને
પરણાવવામાં આવી તે સાક્ષાત્ મનોરમા જ છે. આ પ્રમાણે પુણ્યના પ્રભાવથી પણ અધિક
પ્રકાશરૂપ વીતરાગનો માર્ગ જાણીને દયાધર્મની આરાધના કરો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામને શ્રીદામા અને લક્ષ્મણને
મનોરમાના લાભનું વર્ણન કરનાર ત્રાણુંમું પર્વ પૂર્ણ થયું.
* * *
ચોરાણુંમું પર્વ
(રામ લક્ષ્મણના વૈભવ પરિવાર આદિનું વર્ણન)
પછી વિજ્યાર્ધની દક્ષિણ શ્રેણીમાં બીજા વિદ્યાધરો પણ હતા તે બધાને લક્ષ્મણે યુદ્ધ
કરીને જીતી લીધા. જે વિદ્યાધરો અત્યંત દુસ્સહ મહાન વિષધર સમાન હતા તે બધા
રામ-લક્ષ્મણના પ્રતાપથી માનરૂપ વિષથી રહિત થઈ ગયા, એમના સેવક થયા. તેમની
રાજધાની દેવોની પુરી સમાન હતી. તેમાંનાં કેટલાકનાં નામ આ પ્રમાણે છે-રવિપ્રભ,
વહિનપ્રભ, કાંચનપ્રભ,

Page 537 of 660
PDF/HTML Page 558 of 681
single page version

background image
પદ્મપુરાણ ત્રાણુંમું પર્વ પ૩૭
મેઘપ્રભ, શિવમંદિર, ગંધર્વગીતિ, અમૃતપુર, લક્ષ્મીધરપુર, કિન્નરપુર, મેઘકૂટ, મર્ત્યગતિ,
ચક્રપુર, રથનૂપુર, બહુરવ, શ્રીમલય, શ્રીગૃહ, અરિંજ્ય, ભાસ્કરપ્રભ, જ્યોતિપુર, ચંદ્રપુર,
ગંધાર, મલય, સિંહપુર, શ્રીવિજયપુર, ભદ્રપુર, યક્ષપુર, તિલકસ્થાનક ઈત્યાદિ મોટાં મોટાં
નગર તે બધાં રામે તથા લક્ષ્મણે વશ કર્યાં. આખી પૃથ્વી જીતીને સાત રત્ન સહિત
લક્ષ્મણ નારાયણપદના ભોક્તા થયા. સાત રત્નોનાં નામ-ચક્ર, શંખ, ધનુષ્ય, શક્તિ, ગદા,
ખડ્ગ, કૌસ્તુભમણિ. રામનાં ચાર રત્નો હળ, મૂશળ, રત્નમાળા અને ગદા. આ પ્રમાણે
બન્ને ભાઈ અભેદભાવથી પૃથ્વીનું રાજ્ય કરે છે.
તે વખતે શ્રેણિક ગૌતમ સ્વામીને પૂછે છે કે હે ભગવાન! તમારી કૃપાથી મેં
રામ-લક્ષ્મણનું માહાત્મ્ય વિધિપૂર્વક સાંભળ્‌યું. હવે હું લવણ-અંકુશની ઉત્પત્તિ અને
લક્ષ્મણના પુત્રોનું વર્ણન સાંભળવા ઈચ્છું છું. ગૌતમ સ્વામીએ કહ્યું હે રાજન્! રામ-
લક્ષ્મણ જગતમાં પ્રધાનપુરુષ બન્યા, નિષ્કંટક રાજ્ય ભોગવતાં તેમને દિવસ, પક્ષ, માસ
અને વર્ષ સુખમાં વીતે છે. લક્ષ્મણને ઊંચા કુળમાં જન્મેલી દેવાંગના સમાન સોળ હજાર
રાણીઓ હતી. તેમાં આઠ પટરાણી કીર્તિ સમાન, લક્ષ્મી સમાન, રતિ સમાન, ગુણવંતી,
શીલવંતી, અનેક કળામાં નિપુણ, અતિસૌમ્ય હતી. તેમનાં નામ-પ્રથમ રાજા દ્રોણમેઘની
પુત્રી વિશલ્યા, બીજી રૂપમતી, ત્રીજી વનમાલા, ચોથી કલ્યાણમાલા, પાંચમી રતિમાલા,
છઠ્ઠી જિતપદ્મા, સાતમી ભગવતી અને આઠમી મનોરમા. રામને આઠ હજાર રાણી હતી
તેમાં ચાર પટરાણી હતી. પ્રથમ જાનકી, બીજી પ્રભાવતી, ત્રીજી રતિપ્રભા અને ચોથી
શ્રીદામા. આ બધામાં સીતા તારાઓ મધ્યે ચંદ્રકળાની પેઠે શોભતી. લક્ષ્મણને અઢીસો
પુત્રો હતા તેમાંથી કેટલાંકના નામ-વૃષભ, ધારણ, ચંદ્ર, શરમ, મકરધ્વજ, ધારણ,
હરિનાગ, શ્રીધર, મદન, અચ્યુત. એ બધા સુંદર ચેષ્ટાના ધારક હતા અનેક ગુણોથી બધા
લોકોના મનને અનુરાગ ઉપજાવતા. વિશલ્યાનો પુત્ર શ્રીધર અયોધ્યામાં આકાશમાં ચંદ્રની
પેઠે શોભતો. રૂપમતીનો પુત્ર પૃથ્વીતિલક, કલ્યાણમાલાનો પુત્ર મંગળ, પદ્માવતીનો પુત્ર
વિમળપ્રભ, વનમાલાનો પુત્ર અર્જુનવૃક્ષ, અતિવીર્યની પુત્રીનો પુત્ર શ્રીકેશી, ભગવતીનો
પુત્ર સત્યકેશી, મનોરમાનો પુત્ર સુપાર્શ્વકીર્તિ, આ બધા જ અતિબળવાન, પરાક્રમી, શસ્ત્ર
અને શાસ્ત્રવિદ્યામાં પ્રવીણ હતાં. આ બધા ભાઈઓમાં પરસ્પર અધિક પ્રીતિ હતી. જેમ
નખ માંસ સાથે મજબૂત ચોંટેલા હોય છે, કદી જુદા થતા નથી તેમ આ ભાઈઓ જુદા
પડતા નહિ. સુયોગ્ય ચેષ્ટાવાળા, પરસ્પર પ્રેમથી ભરેલા આ તેના હૃદયમાં અને તે આના
હૃદયમાં અને જેમ સ્વર્ગમાં દેવ રમે તેમ આ કુમારો અયોધ્યાપુરીમાં રમતા. જે પ્રાણી
પુણ્યના અધિકારી છે, શુભ ચિત્તવાળા છે તેમને જન્મથી માંડીને બધી મનોહર વસ્તુઓ
આપોઆપ જ આવી મળે છે. રઘુવંશીઓના સાડાચાર કરોડ કુમારો મહામનોજ્ઞ ચેષ્ટાના
ધારક નગરના વન-ઉપવનાદિમાં દેવોની જેમ રમતા હતા. સોળ હજાર મુગટબંધ સૂર્યથી
અધિક તેજસ્વી રાજાઓ રામ-લક્ષ્મણના સેવક થયા હતા.
એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં શ્રી

Page 538 of 660
PDF/HTML Page 559 of 681
single page version

background image
પ૩૮ પંચાણુંમું પર્વપદ્મપુરાણ
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામ-લક્ષ્મણની ઋદ્ધિનું વર્ણન
કરનાર ચોરાણુંમું પર્વ પૂર્ણ થયું.
* * *
પંચાણુંમું પર્વ
(સીતાને ગર્ભધારણ અને જિનપૂજાની મહેચ્છા)
રામ-લક્ષ્મણના દિવસો અતિ આનંદમાં વીતી રહ્યા છે. ધર્મ, અર્થ અને કામ એ
ત્રણે એમને અવિરુદ્ધ થયા. એક વખત સીતા સુખપૂર્વક વિમાન સમાન મહેલમાં શરદના
મેઘ સમાન ઉજ્જવળ શય્યા પર સૂતી હતી ત્યારે પાછલા પહોરે તેણે બે સ્વપ્ન જોયાં.
પછી દિવ્ય વાજિંત્રોનો નાદ સાંભળી તે જાગ્રત થઈ. નિર્મળ પ્રભાત થયું, સ્નાનાદિની
ક્રિયા કરી સખીઓ સહિત તે સ્વામી પાસે ગઈ અને પૂછયું હે નાથ! મેં આજ રાત્રે બે
સ્વપ્ન જોયાં તેનું ફળ કહો. બે ઉત્કૃષ્ટ અષ્ટાપદ શરદના ચંદ્ર સમાન ઉજ્જવળ, ક્ષોભ
પામેલા સમુદ્ર જેવી જેની ગર્જના હતી, કૈલાસના શિખર સમાન સુંદર, સર્વ આભરણોથી
મંડિત, મનોહર કેશ અને ઉજ્જવળ દાઢવાળા મારા મુખમાં પેઠા અને પુષ્પક વિમાનના
શિખર પરથી હું પ્રબળ પવનના ઝપાટાથી નીચે પૃથ્વી પર પડી. ત્યારે શ્રી રામે કહ્યું કે હે
સુંદરી! બે અષ્ટાપદને મુખમાં પ્રવેશતા જોયા તેનું ફળ એ છે કે તને બે પુત્ર થશે અને
પુષ્પક વિમાનમાંથી પૃથ્વી પર પડવું તે પ્રશસ્ત નથી, પણ તું કશી ચિંતા ન કર, દાનના
પ્રભાવથી ક્રૂર ગ્રહો શાંત થશે.
પછી ઋતુરાજ વસંતનું આગમન થયું. તિલક જાતિનાં વૃક્ષો ફાલ્યાં. તે જાણે કે
બખ્તર, નીમ જાતિનાં વૃક્ષો ખીલ્યાં તે જાણે ગજરાજ તેના પર આરૂઢ થઈ આંબા પર
મોર આવ્યા તે જાણે કે વસંતનું ધનુષ્ય અને કમળો ખીલ્યાં. તે વસંતનાં બાણ અને
કેસૂડા ખીલ્યાં તે જ રતિરાજના તરકશ (બાણ રાખવાનો ભાથો) ભમરા ગુંજારવ કરે છે
તે જાણે કે નિર્મળ શ્લોકો દ્વારા વસંતરૂપી રાજાનો યશ ગાય છે. કદંબનાં વૃક્ષો ફાલ્યાં
તેની સુગંધ પવન ફેલાવે છે તે જ જાણે વસંતરાજાના નિશ્વાસ થયા, માલતીનાં ફૂલ
ખીલ્યાં તે જાણે વસંત શીતકાળરૂપ પોતાના શત્રુને હસે છે અને કોયલ મધુર વાણી બોલે
છે તે જાણે વસંતરાજાના વચનો છે. આ પ્રમાણે વસંતનો સમય નૃપતિ જેવી લીલા ધારણ
કરીને આવ્યો. વસંતની લીલા લોકોને કામનો ઉદ્વેગ ઉપજાવે છે. આ વસંત જાણે કે સિંહ
જ છે. આકોટ જાતિનાં વૃક્ષાદિનાં ફૂલરૂપ નખ છે, કુખ જાતિનાં વૃક્ષોનાં ફૂલ આવ્યાં તે
તેની દાઢ છે અને અતિ લાલ અશોકવૃક્ષનાં પુષ્પ તેનાં નેત્ર છે, ચંચળ પાદડાં તેની ચપળ
જિહ્વા છે એવો વસંતકેસરી આવી પહોંચ્યો. લોકોનાં મનની ગુફામાં દાખલ થયો.
નંદનવન સમાન મહેન્દ્ર વનમાં વસંતનો સમય અતિસુંદર બન્યો. નાના પ્રકારનાં પુષ્પોની
પાંખડીઓ અને નાના પ્રકારની કૂંપળો દક્ષિણ દિશાના પવનથી હાલવા લાગી તે જાણે
ઉન્મત્ત થઈને ઘૂમે છે. વાવો કમળાદિથી આચ્છાદિત છે, પક્ષીઓ કલરવ કરે છે, લોકો

Page 539 of 660
PDF/HTML Page 560 of 681
single page version

background image
પદ્મપુરાણપંચાણુંમું પર્વ પ૩૯
પગથિયાં પર અને કાંઠે બેઠાં છે. હંસ, સારસ, ચકવા, ક્રૌંચ મનોહર અવાજ કરે છે અને
કારંડવ બોલી રહ્યા છે ઈત્યાદિ પક્ષીઓના મધુર શબ્દો રાગી પુરુષોને રાગ ઉપજાવે છે.
પક્ષીઓ જળમાં પડે છે અને બહાર નીકળે છે તેથી નિર્મળ જળમાં કલ્લોલો ઊઠી રહ્યાં છે.
જળ કમળાદિથી ભરેલું છે અને સ્થળ સ્થળપદ્માદિક પુષ્પોથી ભર્યું છે. આકાશ પુષ્પોની
મકરંદથી મંડિત થઈ રહ્યું છે. ફૂલોના ગુચ્છ અને લતાવૃક્ષો ખીલી રહ્યાં છે, વનસ્પતિની
અદ્ભુત શોભા થઈ રહી છે. તે સમયે સીતા કાંઈક ગર્ભના ભારથી કાંઈક દૂબળી પડી
હતી. ત્યારે રામે પૂછયું કે હે કાંતે! તારી જે અભિલાષા હોય તે પૂરી કરું. સીતાએ કહ્યું હે
નાથ! મને અનેક ચૈત્યાલયોના દર્શન કરવાની ઈચ્છા છે, પાંચેય વર્ણના ભગવાનનાં
પ્રતિબિંબો લોકમાં મંગળરૂપ છે તેમને નમસ્કાર કરવાના મારા મનોરથ છે, સ્વર્ણરત્નના
પુષ્પોથી જિનેન્દ્રને પૂજું એવી શ્રદ્ધા છે. બીજું હું શું ઈચ્છું? સીતાનાં આ વચન સાંભળી
રામ હર્ષ પામ્યા. તેમનું મુખકમળ ખીલી ઊઠયું. તેમણે દ્વારરક્ષિકાને બોલાવી આજ્ઞા કરી
કે હે ભદ્રે! મંત્રીઓને આજ્ઞા પહોંચાડો કે સમસ્ત ચૈત્યાલયોમાં પ્રભાવના કરે અને
મહેન્દ્રોદય ઉદ્યાનમાં જે ચૈત્યાલય છે તેની શોભા કરાવે, સર્વ લોકોને આજ્ઞા પહોંચાડો કે
જિનમંદિરમાં પૂજા, પ્રભાવના આદિ ઉત્સવો કરે. તોરણ, ઝાલર, ધ્વજ, ઘંટ, ચંદરવા
મનોહર વસ્ત્રમાંથી બનાવે અને સમસ્ત સુંદર ઉપકરણો મંદિરમાં ચડાવે. લોકો બધે
જિનપૂજા કરે અને કૈલાસ, સમ્મેદશિખર, પાવાપુર, ચંપાપુર, ગિરનાર, શત્રુંજય, માંગીતુંગી
આદિ નિર્વાણક્ષેત્રોમાં વિશેષ શોભા કરાવો, કલ્યાણરૂપ દોહદ સીતાને ઉપજ્યો છે તેથી
પૃથ્વી પર જિનપૂજાની પ્રવૃત્તિ કરો, અમે સીતાસહિત ધર્મક્ષેત્રોમાં વિહાર કરીશું.
રામની આ આજ્ઞા સાંભળી દ્વારપાલિકા પોતાની જગ્યાએ બીજીને મૂકીને
મંત્રીઓને આજ્ઞા પહોંચાડવા ગઈ, તેઓએ સ્વામીની આજ્ઞા પ્રમાણ કરીને પોતાના
સેવકોને આજ્ઞા કરી. સર્વ ચૈત્યાલયોમાં શોભા કરાવવામાં આવી અને પર્વતોની ગુફાના
દ્વારે પૂર્ણ કળશની સ્થાપના કરી, મોતીના હારથી શોભિત વિશાળ સ્વર્ણની ભીંતો પર
મણિરત્નનાં ચિત્રો દોર્યાં, મહેન્દ્રોદય ઉદ્યાનમાં નંદનવન જેવી શોભા કરવામાં આવી.
સ્તંભોમાં નિર્મળ મણિરત્નોનાં દર્પણ મૂક્યાં, ઝરૂખામાં નિર્મળ મોતીના હાર લટકાવ્યા,
પાંચ પ્રકારનાં રત્નોનું ચૂર્ણ કરી ભૂમિને શોભાવી, સહસ્ત્રદળ કમળ અને જાતજાતનાં
કમળોની શોભા કરી, પાંચ વર્ણના મણિના દંડમાં સુંદર વસ્ત્રોની ધજા લગાડી મંદિરનાં
શિખરો પર ચડાવી, જાતજાતનાં પુષ્પોની માળા ઠેકઠેકાણે લટકાવવામાં આવી. વિશાળ
વાજિંત્રશાળા, નાટયશાળાની રચના કરી. પછી શ્રી રામચંદ્ર ઇન્દ્ર સમાન, નગરના સર્વ
લોકો સાથે સમસ્ત રાજપરિવાર સાથે વનમાં પધાર્યા. સીતા અને પોતે ગજ પર આરૂઢ
થયેલા ઐરાવત પર બેઠેલા શચિ સહિત ઇન્દ્ર જેવા શોભતા હતા. લક્ષ્મણ પણ પરમ
વિભૂતિ સહિત વનમાં ગયા અને બીજા બધા લોકો આનંદથી વનમાં ગયા. બધાનાં
ભોજનપાન વનમાં જ થયા. જ્યાં મનોજ્ઞ લતાઓના મંડપ, કેળનાં વૃક્ષો હતાં ત્યાં
રાણીઓ બેઠી, લોકો પણ યોગ્ય સ્થાને વનમાં બેઠા. રામ હાથી પરથી ઊતરીને નિર્મળ
જળ ભરેલા સરોવરમાં રમ્યા, જેમ ઇન્દ્ર