Page 60 of 660
PDF/HTML Page 81 of 681
single page version
ભોગવી, પછી વૈરાગ્ય પામી પરમપદને પ્રાપ્ત થાય છે. મોક્ષનું અવિનાશી સુખ
ઉપકરણાદિ સામગ્રીને આધીન નથી, નિરંતર આત્માધીન છે. તે મહાસુખ અંતરહિત છે.
એવું સુખ કોણ ન ઈચ્છે? રાજા પ્રતિબલને ગગનાનંદ નામનો પુત્ર થયો, તેને ખેચરાનંદ
અને તેને ગિરિનંદ આ પ્રમાણે વાનરવંશીઓના વંશમાં અનેક રાજા થયા, જે રાજ્ય તજી,
વૈરાગ્ય પામી સ્વર્ગ અથવા મોક્ષ પામ્યા. આ વંશના સમસ્ત રાજાઓનાં નામ અને
પરાક્રમ કોણ કહી શકે? જેનું જેવું લક્ષણ હોય તે તેવું જ કહેવાય, સેવા કરે તે સેવક
કહેવાય, ધનુષ્ય ધારણ કરે તે ધનુર્ધર કહેવાય, પરની પીડા ટાળે તે શરણાગત પ્રતિપાલ
હોઈને ક્ષત્રિય કહેવાય, બ્રહ્મચર્ય પાળે તે બ્રાહ્મણ કહેવાય. જે રાજા રાજ્ય ત્યજી મુનિ
થાય તે મુનિ કહેવાય, શ્રમ એટલે તપ કરે તે શ્રમણ કહેવાય. આ વાત પ્રગટ જ છે કે
લાઠી રાખે તે લાઠીધારી કહેવાય. તેમ આ વિદ્યાધરો છત્ર અને ધજાઓ પર વાનરોનાં
ચિહ્ન રાખતા હતા તેથી વાનરવંશી કહેવાયા. ભગવાન શ્રી વાસુપૂજ્યના સમયમાં રાજા
અમરપ્રભ થયા તેમણે વાનરોનાં ચિહ્ન મુકુટ, છત્ર, ધજાઓ ઉપર બનાવ્યાં ત્યારથી તેમના
કુળમાં આ રીત ચાલતી આવી. આ પ્રમાણે સંક્ષેપમાં વાનરવંશીઓની ઉત્પત્તિની કથા કહી.
પતિનું મન પ્રસન્ન કર્યું હતું. રાજાને સેંકડો રાણીઓ હતી તેમાં આ રાણી શિરોભાગ્ય
હતી. તે મહાસૌભાગ્યવતી, રૂપવતી, જ્ઞાનવતી હતી. તે રાજાને મહાપરાક્રમી એકસો આઠ
પુત્ર થયા, તેમને રાજ્ય આપી રાજા મહાસુખ ભોગવતા હતા. મુનિ સુવ્રતનાથ
ભગવાનના સમયમાં વાનરવંશીઓમાં આ રાજા મહોદધિ થયા. લંકાના વિદ્યુતકેશ અને
આ મહોદધિ વચ્ચે પરમ પ્રીતિ થઈ. એ બન્ને સકળ જીવોના અત્યંત પ્યારા હતા અને
આપસમાં એકચિત્ત હતા. શરીર જુદાં હતાં તેથી શું થયું? તે વિદ્યુતકેશ મુનિ થયા એ
વૃત્તાંત સાંભળીને મહોદધિ પણ વૈરાગી થયા. આ કથા સાંભળીને રાજા શ્રેણિકે ગૌતમ
સ્વામીને પૂછયું કે હે સ્વામી! રાજા વિદ્યુતકેશ શા કારણથી વિરક્ત થયા? ત્યારે
ગૌતમસ્વામીએ ઉત્તર આપ્યો કે એક દિવસ વિદ્યુતકેશ પ્રમદ નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા
ગયા હતા. તે ઉદ્યાનમાં ક્રીડાના નિવાસ અતિ સુંદર હતા. નિર્મળ જળથી ભરેલાં સરોવરો
હતાં, તેમાં કમળો ખીલી રહ્યાં હતાં અને સરોવરમાં નાવ ફરી રહી હતી. વનમાં ઠેકઠેકાણે
હીંચકા હતા. સુન્દર વૃક્ષો, સુન્દર વેલો અને ક્રીડા કરવાના સુવર્ણના પર્વતો હતા તેના
રત્નનાં પગથિયાં હતાં, મનોજ્ઞ વૃક્ષો ફળફૂલોથી મંડિત અને પલ્લવોથી ડોલતી લતા અતિ
શોભતી હતી. લતાઓ એ વૃક્ષોને વીંટળાઈ રહી હતી એવા વનમાં રાજા વિદ્યુતકેશ
રાણીઓ સાથે ક્રીડા કરતા હતા. રાણીઓ પણ મનને હરનારી, પુષ્પાદિ ચૂંટવામાં નિપુણ,
જેના પલ્લવ સમાન કોમળ સુગંધી હસ્ત અને મુખની સુગંધથી ભમરાઓ તેમની
આજુબાજુ ફરતા
Page 61 of 660
PDF/HTML Page 82 of 681
single page version
હતા. ક્રીડા સમયે રાણી શ્રીચન્દ્રાના સ્તન એક વાનરે નખથી ખણ્યા એટલે રાણી
ખેદખિન્ન થઈ ગઈ. સ્તનમાંથી લોહી વહી નીકળ્યું. રાજાએ રાણીને આશ્વાસન આપી
અજ્ઞાનભાવથી વાનરને બાણથી વીંધી નાખ્યો. તે વાનર ઘાયલ થઈને એક ગગનચારણ
ઋદ્ધિવાળા મહામુનિની પાસે જઈને પડયો. તે દયાળુ મુનિરાજે વાનરને ધ્રુજતો જોઈને
દયાભાવથી પાંચ નમસ્કારમંત્ર સંભળાવ્યા. તે વાનર મરીને ઉદધિકુમાર જાતિનો
ભવનવાસી દેવ થયો. અહીં વનમાં વાનરના મરણ પછી રાજાના માણસો અન્ય વાનરોને
મારી રહ્યા હતા તે વિદ્યુતકુમારે અવધિજ્ઞાનથી જાણીને વાનરોને માર ખાતા જોઈને
માયમયી વાનરોની સેના બનાવી. એ વાનરો વિકરાળ દાઢવાળા, વિકરાળ મુખવાળા,
વિકરાળ ભ્રમરવાળા અને સિંદૂર જેવા લાલ મુખવાળા બનીને ભયંકર ગર્જના કરતા
આવ્યા. કેટલાકે હાથમાં પર્વત ઉપાડયા હતા, કેટલાકે મૂળમાંથી ઉખાડીને વૃક્ષો લીધાં હતાં,
કેટલાક હાથથી ધરતી ઉપર પ્રહાર કરતા, કેટલાક આકાશમાં ઊછળતા થકા, ક્રોધથી
જેમનાં અંગ રૌદ્ર બન્યાં હતાં. તેમણે આવીને રાજાને ઘેરી લીધો અને રાજાને કહેવા
લાગ્યા કે અરે, દુરાચારી, યાદ રાખ, તારું મોત આવ્યું છે, તું વાનરોને મારીને હવે કોને
શરણે જવાનો? ત્યારે વિદ્યુતકેશ ડરી ગયો અને જાણી લીધું કે આ વાનરોનું બળ નથી
પણ દેવની માયા છે. ત્યારે શરીરની આશા છોડીને, મહામિષ્ટ વાણીથી વિનતિ કરવા
લાગ્યો કે “મહારાજ! આજ્ઞા કરો, આપ કોણ છો? જેમનાં મહાદેદીપ્યમાન પ્રચંડ
બોલ્યાઃ “હે રાજા! વાનર પશુ જાતિ છે, તેમના સ્વભાવ જ અતિ ચંચળ છે, એમને તેં
સ્ત્રીના અપરાધથી હણ્યા છે. હું સાધુના પ્રસાદથી દેવ થયો છું, મારી વિભૂતિ તેં જોઈ
છે.” રાજા આ સાંભળીને ધ્રૂજવા લાગ્યો, તેના હૃદયમાં ભય ઉત્પન્ન થયો, ભયથી રૂંવાડાં
ખડાં થઈ ગયાં. ત્યારે મહોદધિકુમારે કહ્યુંઃ “તું ડર નહીં’. ત્યારે રાજાએ કહ્યું કે ‘આપ જે
આજ્ઞા કરો તે પ્રમાણે હું કરીશ.’ પછી દેવ એને ગુરુની પાસે લઈ ગયો. તે દેવ અને
રાજા એ બન્ને મુનિની પ્રદક્ષિણા દઈ, નમસ્કાર કરીને પાસે બેઠા. દેવે મુનિને કહ્યું કે ‘હું
વાનર હતો અને આપના પ્રસાદથી દેવ થયો છું.’ ત્યારે રાજા વિદ્યુતકેશે મુનિને પૂછયું કે
મારું શું કર્તવ્ય છે? મારું કલ્યાણ કેવી રીતે થાય? તે વખતે ચાર જ્ઞાનના ધારક તે
તપોધન મુનિએ કહ્યું કે અમારા ગુરુ પાસે જ છે તેમની સમીપે ચાલો. અનાદિકાળનો એ
જ નિયમ છે કે ગુરુઓની સમીપે જઈને ધર્મ સાંભળવો. આચાર્ય હોવા છતાં જે તેમની
પાસે ન જાય અને શિષ્ય જ ધર્મનો ઉપદેશ આપવા લાગે તો તે શિષ્ય નથી, કુમાર્ગી છે,
આચારભ્રષ્ટ છે. આમ તપોધને કહ્યું ત્યારે દેવ અને વિદ્યાધર મનમાં વિચારવા લાગ્યા કે
આવા મહાપુરુષ છે તે પણ ગુરુની આજ્ઞા વિના ઉપદેશ આપતા નથી. અહો! તપનું
માહાત્મ્ય અત્યંત મોટું છે. મુનિની આજ્ઞાથી તે દેવ અને વિદ્યાધર મુનિની સાથે તેમના
ગુરુ પાસે ગયા. ત્યાં જઈ ત્રણ પ્રદિક્ષણા કરી, ગુરુની બહુ પાસે પણ નહિ અને બહુ દૂર
પણ નહિ એવી રીતે બેઠાં. મહામુનિની મૂર્તિ જોઈ દેવ અને વિદ્યાધર આશ્ચર્ય પામ્યા.
મહામુનિની મૂર્તિ તપના સમૂહથી
Page 62 of 660
PDF/HTML Page 83 of 681
single page version
મહાવિનયવાન થઈને દેવ અને વિદ્યાધરે તેમને ધર્મનું સ્વરૂપ પૂછયું.
મહાગંભીર ધ્વનિથી જગતના કલ્યાણ નિમિત્તે પરમ ધર્મરૂપ અમૃત વરસાવ્યું. જ્યારે મુનિ
જ્ઞાનનું વ્યાખ્યાન કરવા લાગ્યા ત્યારે મેઘગર્જના જેવો અવાજ સાંભળીને લતાઓના
માંડવામાં બેઠેલા મયૂરો નૃત્ય કરવા લાગ્યા. મુનિ કહેવા લાગ્યા-અહો દેવ વિદ્યાધરો! તમે
મન દઈને સાંભળો. ત્રણ લોકને આનંદ આપનાર શ્રી જિનરાજે ધર્મનું જે સ્વરૂપ કહ્યું છે
તે હું તમને કહું છું. કેટલાક જીવો નીચબુદ્ધિ હોય છે, વિચારરહિત જડચિત્ત છે તે અધર્મને
જ ધર્મ માનીને સેવે છે. જે માર્ગને જાણતા નથી તે ઘણા કાળે પણ મનવાંછિત સ્થાન પર
પહોંચતા નથી. મંદમતિ, મિથ્યાદ્રષ્ટિ, વિષયભિલાષી જીવો હિંસાથી ઊપજેલા અધર્મને ધર્મ
જાણી સેવે છે. તે નરક નિગોદનાં દુઃખ ભોગવે છે. જે અજ્ઞાની જૂઠાં દ્રષ્ટાંતોથી ભરેલા
મહાપાપના પુંજ એવા મિથ્યા ગ્રંથોના અર્થને ધર્મ જાણી પ્રાણીઘાત કરે છે તે અનંત
સંસારમાં ભ્રમણ કરે છે. જે અધર્મની ચર્ચા કરીને નકામો બકવાસ કરે છે, તે લાકડીથી
આકાશ ઉપર પ્રહાર કરે છે. જો કદાચિત્ મિથ્યાદ્રષ્ટિઓને કાયકલેશાદિ તપ હોય અને
શબ્દજ્ઞાન પણ હોય તો પણ મુક્તિનું કારણ નથી. સમ્યગ્દર્શન વિના જે જાણપણું હોય છે
તે જ્ઞાન નથી અને જે આચરણ હોય છે તે કુચારિત્ર છે. મિથ્યાદ્રષ્ટિઓને જે વ્રત તપ છે
તે પોષણ બરાબર છે. અને જ્ઞાની પુરુષોને જે તપ છે તે સૂર્યમણિ સમાન છે. ધર્મનું મૂળ
જીવદયા છે અને દયાનું મૂળ કોમળ પરિણામ છે. તે કોમળ પરિણામ દુષ્ટોને કેવી રીતે
હોય? પરિગ્રહધારી પુરુષોને આરંભથી હિંસા અવશ્ય થાય છે. માટે દયાના નિમિત્તે
પરિગ્રહ આરંભ ત્યજવો જોઈએ. સત્ય વચન ધર્મ છે. પરંતુ જે સત્યથી પરજીવને પીડા
થાય તે સત્ય નથી, જૂઠ જ છે. ચોરીનો ત્યાગ કરવો, પરનારી છોડવી, પરિગ્રહનું
પરિમાણ કરવું, સંતોષવ્રત ધારણ કરવું. ઈન્દ્રિયના વિષયો ટાળવા, કષાયો ક્ષીણ કરવા,
દેવ-ગુરુ-ધર્મનો વિનય કરવો, નિરંતર જ્ઞાનનો ઉપયોગ રાખવો, આ સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકનાં
વ્રતો તમને કહ્યાં. હવે ગૃહત્યાગી મુનિઓનો ધર્મ સાંભળો. સર્વ આરંભનો પરિત્યાગ,
દશલક્ષણધર્મનું ધારણ, સમ્યગ્દર્શનયુક્ત મહાજ્ઞાન વૈરાગ્યરૂપ યતિનો માર્ગ છે. મહામુનિ
પંચ મહાવ્રતરૂપ હાથીના સ્કંધ ઉપર બેઠા છે, ત્રણ ગુપ્તિરૂપ દ્રઢ બખ્તર પહેરે છે અને
પાંચ સમિતિરૂપ પ્યાદાઓથી સહિત છે, નાના પ્રકારના તપરૂપ તીક્ષ્ણ શસ્ત્રોથી મંડિત છે,
ચિત્તને આનંદ આપનાર છે, આવા દિગંબર મુનિરાજ કાળરૂપ વેરીને જીતે છે. તે કાળરૂપ
વેરી મોહરૂપ મસ્ત હાથી ઉપર બેઠો છે અને કષાયરૂપ સામંતોથી મંડિત છે. યતિનો ધર્મ
પરમનિર્વાણનું કારણ છે, મહામંગળરૂપ છે, ઉત્તમ પુરુષો વડે સેવવા યોગ્ય છે. શ્રાવકનો
ધર્મ તો સાક્ષાત્ સ્વર્ગનું કારણ છે અને પરંપરાએ મોક્ષનું કારણ છે. સ્વર્ગમાં દેવોના
સમૂહમાં રહીને મનવાંછિત ઇન્દ્રિયોનાં સુખ ભોગવે છે અને મુનિના
Page 63 of 660
PDF/HTML Page 84 of 681
single page version
અનુપમ છે, જેનો અંત નથી. શ્રાવકના વ્રતથી સ્વર્ગે જઇ ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ,
મુનિરાજનાં વ્રત ધારણ કરી પરમપદને પામે છે અને મિથ્યાદ્રષ્ટિ જીવ કદાચ તપ વડે
સ્વર્ગમાં જાય તો ત્યાંથી ચ્યવીને એકેન્દ્રિયાદિક યોનિમાં આવીને અનંત સંસાર ભ્રમણ કરે
છે. જૈન જ પરમ ધર્મ છે અને જૈન જ પરમ તપ છે, જૈન જ ઉત્કૃષ્ટ મત છે. જિનરાજનાં
વચન જ સાર છે. જિનશાસનના માર્ગથી જે જીવ મોક્ષ મેળવવાનો ઉદ્યમ કરે છે તેને જો
ભવ ધારણ કરવા પડે તો દેવ, વિદ્યાધર, રાજાના ભવ તો ઇચ્છા વિના સહજ જ પ્રાપ્ત
થાય છે, જેમ ખેતી કરનારાનો પ્રયત્ન ધાન્ય ઉત્પન્ન કરવાનો હોય છે, ઘાસ, કડબ,
પરાળ ઇત્યાદિ તો સહજ જ થાય છે, જેમ કોઈ પુરુષ નગરમાં જતો હોય તેને માર્ગમાં
વૃક્ષાદિકનો સાથ ખેદ દૂર કરે છે તેવી જ રીતે શિવપુરીમાં જવાનો ઉદ્યમ કરનાર
મુનિરાજને ઇન્દ્રાદિ પદ શુભોપયોગના કારણે મળે છે પણ મુનિનું મન તેમાં નથી,
શુદ્ધોપયોગના પ્રભાવથી સિદ્ધ થવાનો પ્રયત્ન તેમને છે. શ્રાવક અને જૈનોના ધર્મથી જે
વિપરીત માર્ગ છે તેને અધર્મ જાણવો. તેનાથી આ જીવ કુગતિમાં નાના પ્રકારનાં દુઃખ
ભોગવે છે. તિર્યંચ યોનિમાં મારણ, તાડન, છેદન, ભેદન, શીત, ઉષ્ણ, તરસ ઇત્યાદિ નાના
પ્રકારનાં દુઃખો ભોગવે છે અને સદા અંધકારથી ભરેલા નરકમાં અત્યંત ઉષ્ણ, શીત,
મહાવિકરાળ પવન, જ્યાં અગ્નિના કણ વરસે છે, જાતજાતના ભયંકર શબ્દ થાય છે, જ્યાં
નારકીઓને ઘાણીમાં પીલે છે, કરવતોથી ચીરે છે, જ્યાં ભયંકર શાલ્મલી વૃક્ષોનાં પાંદડાં
ચક્ર, ખડ્ગ, કુહાડા સમાન છે તેનાથી નારકીના શરીરના ખંડ ખંડ થઈ જાય છે, ત્યાં
તાંબુ, સીસું ઓગાળીને મદ્યપાન કરનાર પાપીઓને પીવરાવે છે અને માંસભક્ષીઓને તેનું
જ માંસ કાપી કાપીને તેના મુખમાં મૂકે છે અને લોઢાના તપેલા ગોળા સાણસીથી તેમનું
મોઢું પહોળું કરીને બળજોરીથી મોઢામાં મૂકે છે, પરસ્ત્રીઓનો સમાગમ કરનાર પાપીઓને
તપેલી લોઢાની પૂતળીઓ સાથે ભિડાવે છે. ત્યાં માયામયી સિંહ, વાઘ, શિયાળ ઇત્યાદિ
અનેક પ્રકારે બાધા કરે છે અને માયામયી દુષ્ટ પક્ષીઓ તીક્ષ્ણ ચાંચથી ઠોલે છે. નારકી
જીવો સાગરોના આયુષ્ય સુધી નાના પ્રકારના દુઃખ, ત્રાસ, માર ભોગવે છે. તે મારથી
મરતા નથી, આયુષ્ય પૂર્ણ થાય ત્યારે જ મરે છે, પરસ્પર અનેક બાધા કરે છે, ત્યાં
માયામયી માખીઓ અને માયામયી કૃમિ પોતાના સોય જેવા તીક્ષ્ણ મુખથી તેમને ચટકા
ભરે છે. આ બધા માયામયી હોય છે, બીજાં પશુ, પક્ષી કે વિકલત્રય ત્યાં હોતાં નથી,
નારકી જીવ જ છે તથા પાંચ પ્રકારના સ્થાવર સર્વત્ર છે. મહામુનિ દેવ અને વિદ્યાધરને
કહે છે કે નરકમાં જે દુઃખ જીવ ભોગવે છે તેનું કથન કરવા કોણ સમર્થ છે? તમે બન્ને
કુગતિમાં ઘણું ભમ્યા છો. મુનિનાં આવાં વચન સાંભળી એ બન્નેએ પોતાના પૂર્વભવ
પૂછયા. ત્યારે સંયમ જ જેમની શોભા છે એવા મુનિરાજે કહ્યું કે તમે ધ્યાન દઇને
સાંભળો. આ દુઃખમય સંસારમાં તમે મોહથી ઉત્પન્ન થઇ, પરસ્પર દ્વેષ ધારણ કરીને
આપસમાં મરણ, મારણ કરતા અનેક કુયોનિઓમાં ભમ્યા છો. કર્મયોગથી મનુષ્યભવ
મળ્યો તેમાં એક તો કાશી
Page 64 of 660
PDF/HTML Page 85 of 681
single page version
નામનો મંત્રી થયો. તે ગૃહત્યાગ કરીને મુનિ થયા, મહાતપ સહિત પૃથ્વી ઉપર વિહાર
કરતા. એક દિવસ તે કાશીમાં જીવજંતુરહિત વનના પવિત્ર સ્થાનમાં બિરાજ્યા હતા,
અનેક શ્રાવક-શ્રાવિકાઓ તેમના દર્શન કરવા આવ્યાં હતાં, ત્યાં તે પાપી પારધીએ મુનિને
જોઈને તીક્ષ્ણ વચનરૂપ શસ્ત્રથી મુનિને વીંધવાનું શરૂ કર્યું. તેણે વિચાર કર્યો કે આ
નિર્લજ્જ, માર્ગભ્રષ્ટ, સ્નાનરહિત, મલિન, શિકારમાં પ્રવર્તતા એવા અને મહા અમંગળરૂપ
થયો છે. આવાં વચનો પારધીએ કહ્યાં ત્યારે મુનિને ધ્યાનનું વિઘ્ન કરનાર સંકલેશભાવ
ઊપજ્યો. તેમણે મનમાં વિચાર્યું કે હું મુનિ થયેલ છું, મારે કલેશરૂપ ભાવ કરવા જેવા
નથી. ક્રોધ તો એવો થાય છે કે એક મુષ્ટિપ્રહારથી આ પાપી પારધીના ચૂરેચૂરા કરી
નાખું. હવે તપશ્ચરણના પ્રભાવથી તે મુનિને આઠમા સ્વર્ગમાં જવા યોગ્ય જે પુણ્ય બંધાયું
હતું તે ક્રોધના કારણે ક્ષીણ થઈને, મરીને તે જ્યોતિષી દેવ થયા. ત્યાંથી ચ્યવીને તું
વિદ્યુતકેશ વિદ્યાધર થયો અને તે પારધી સંસારમાં ખૂબ ભ્રમણ કરીને લંકાના પ્રમદ
નામના ઉદ્યાનમાં વાનર થયો અને તેં એને સ્ત્રીના કારણે બાણથી માર્યો તે ઘણું અયોગ્ય
કાર્ય કર્યું છે. પશુઓનો અપરાધ રાજાએ ગણવો યોગ્ય નથી. તે વાનર નવકાર મંત્રના
પ્રભાવથી ઉદધિકુમાર દેવ થયો છે. આમ જાણીને હે વિદ્યાધરો! તમે વેરનો ત્યાગ કરો,
કારણ કે આ સંસારવનમાં તમારું ભ્રમણ થઈ રહ્યું છે. જો તમે સિદ્ધોનું સુખ ચાહતા હો
તો રાગદ્વેષ ન કરો. સિદ્ધોના સુખનું વર્ણન મનુષ્ય કે દેવથી થઈ શકતું નથી. તેમને
અનંત અપાર સુખ હોય છે. જો તમને મોક્ષની અભિલાષા હોય અને તમે સદાચારયુક્ત
હો તો શ્રી મુનિ સુવ્રતનાથ તીર્થંકરનું શરણ લ્યો. પરમભક્તિ સહિત ઇન્દ્રાદિક દેવ પણ
તેમને નમસ્કાર કરે છે. ઇન્દ્ર, અહમીન્દ્ર, લોકપાલ સર્વ તેમના દાસાનુદાસ છે. તે
ત્રિલોકીનાથ છે, તેમનું શરણ લઈ તમે પરમકલ્યાણ પામશો. તે ભગવાન ‘ઇશ્વર’ એટલે
સમર્થ છે, સર્વ અર્થથી પૂર્ણ છે, કૃતકૃત્ય છે. આ મુનિનાં વચનરૂપ કિરણોથી વિદ્યુતકેશ
વિદ્યાધરનું મન કમળ પેઠે ખીલી ઊઠયું. તે સુકેશ નામના પોતાના પુત્રને રાજ્ય આપીને
મુનિના શિષ્ય થયા. તે મહાધીર સમ્યક્ દર્શનજ્ઞાનચારિત્રનું આરાધન કરી ઉત્તમ દેવ થયા.
કિંહકુપુરના સ્વામી રાજા મહોદધિ વિદ્યાધર, વાનરવંશીઓના અધિપતિ ચન્દ્રકાન્તમણિના
મહેલમાં બિરાજતા હતા, અમૃતરૂપ સુન્દર ચર્ચાથી ઇન્દ્ર સમાન સુખ ભોગવતા હતા. ત્યાં
એક વિદ્યાધર શ્વેત વસ્ત્ર પહેરીને ત્યાં આવ્યો અને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે હે
પ્રભો! રાજા વિદ્યુતકેશ મુનિ થઈ સ્વર્ગે સિધાવ્યા. આ સમાચાર સાંભળીને રાજા મહોદધિ
પણ ભોગભાવથી વિરક્ત થઈ જિનદીક્ષાની ઇચ્છા કરી બોલ્યા કે હું પણ તપોવનમાં
જઈશ. આ વચન સાંભળી રાજાના માણસો મહેલમાં વિલાપ કરવા લાગ્યા. વિલાપથી
મહેલ ગૂંજી ઊઠયો. યુવરાજે આવી રાજાને વિનંતી કરી કે, રાજા વિદ્યુતકેશ અને આપણો
એક વ્યવહાર છે. રાજાએ બાળક પુત્ર સુકેશને રાજ્ય આપ્યું છે તે આપના ભરોસે આપ્યું
છે માટે સુકેશના રાજ્યની દ્રઢતા આપે રાખવી જોઈએ. જેવો આપનો પુત્ર એવો જ
તેમનો. માટે થોડા દિવસ આપ વૈરાગ્ય
Page 65 of 660
PDF/HTML Page 86 of 681
single page version
ભોગવો. આ પ્રમાણે યુવરાજે વિનંતી કરી અને અશ્રુવર્ષા કરી, તો પણ રાજાના મનમાં
શિથિલતા ન આવી. ત્યારે મહાનીતિના જ્ઞાતા મંત્રીએ પણ અતિ દીન થઇને ઘણી વિનંતી
કરી કે હે નાથ! અમે અનાથ છીએ. જેમ વેલ વૃક્ષના આધારે ટકી રહે છે તેમ અમે
આપનાં ચરણોના આધારે છીએ. તમારા મનમાં અમારું મન ચોંટી રહ્યું છે માટે અમને
છોડીને જવું યોગ્ય નથી. આ પ્રમાણે ઘણી વિનંતી કરી તો પણ રાજાએ માન્યું નહિ. ત્યારે
રાણીએ ઘણી વિનંતી કરી, ચરણોમાં આળોટી પડી અને બહુ આંસુ સાર્યાં. રાણી ગુણોના
સમૂહરૂપ હતી, રાજાની પ્યારી હતી, તો પણ રાજાએ નીરસ ભાવે તેને જોઈ. રાણી કહેતી
હતી કે હે નાથ! અમે આપના ગુણોથી ઘણા દિવસોથી બંધાયેલા છીએ, આપ અમારા
માટે લડાઈ લડયા અને મહાલક્ષ્મી સમાન પ્રેમથી રાખી, હવે એ સ્નેહપાશ તોડીને ક્યાં
જાવ છો? રાણીની આવી અનેક કાકલૂદી પણ રાજાએ ચિત્તમાં લીધી નહિ. રાજાના મોટા
મોટા સામંતોએ વિનંતી કરી કે હે દેવ! આ નવયૌવનમાં રાજ્ય છોડી ક્યાં જાવ છો?
બધા પ્રત્યે સ્નેહ શા માટે તોડયો? ઇત્યાદિ સ્નેહનાં અનેક વચનો કહ્યાં, પરંતુ રાજાએ
કોઇનું સાંભળ્યું નહિ. સ્નેહપાશ છેદી, સર્વપરિગ્રહનો ત્યાગ કરી, પ્રતિચન્દ્ર પુત્રને રાજ્ય
આપી, પોતે પોતાના શરીરથી પણ ઉદાસ થઈ, દિગંબરી દીક્ષા ધારણ કરી. પૂર્ણબુદ્ધિમાન,
મહાધીરવીર, પૃથ્વી ઉપર ચન્દ્રમા સમાન ઉજ્જવળ કીર્તિવાળા રાજા ધ્યાનરૂપ ગજ ઉપર
સવાર થઈ તપરૂપી તીક્ષ્ણ શસ્ત્રથી કર્મશત્રુને કાપી સિદ્ધપદને પામ્યા. પ્રતિચન્દ્ર પણ
કેટલાક દિવસ રાજ્ય કરી પોતાના પુત્ર કિંહકન્ધને રાજ્ય આપી અને નાના પુત્ર અંધ્રકરૂઢને
યુવરાજપદ આપી પોતે દિગંબર થઈ શુક્લ ધ્યાનના પ્રભાવથી સિદ્ધસ્થાનને પામ્યા.
સ્થનૂપુર નામનું દેવનગર સમાન નગર હતું. ત્યાંનો રાજા અશનિવેગ મહાપ્રરાક્રમી બન્ને
શ્રેણીનો સ્વામી હતો. તેની કીર્તિ શત્રુઓનું માન હરતી. તેનો પુત્ર મહારૂપવાન વિજયસિંહ
હતો. આદિત્યપુરના વિદ્યાધર રાજા વિદ્યામંદિર અને રાણી વેગવતીની પુત્રી શ્રીમાલાના
વિવાહ નિમિત્તે જે સ્વયંવર મંડપ રચાયો હતો અને અનેક વિદ્યાધરો જ્યાં આવ્યા હતા
ત્યાં વિજયસિંહ પધાર્યા. શ્રીમાલાની કાંતિથી આકાશમાં પ્રકાશ થઈ રહ્યો છે, સફળ
વિદ્યાધર રાજાઓ સિંહાસન ઉપર બેઠા છે. મોટા મોટા રાજાઓના કુંવરો થોડા થોડા
સમૂહમાં ઊભા છે. બધાની દ્રષ્ટિ નીલકમળની પંક્તિ સમાન શ્રીમાલા ઉપર પડી છે. કેવી
છે શ્રીમાલા? જેને કોઇના પ્રત્યે રાગદ્વેષ નથી, મધ્યસ્થ પરિણામ છે. મદનથી તપ્ત
ચિત્તવાળા તે વિદ્યાધર કુમારો અનેક પ્રકારની વિકારી ચેષ્ટાઓ કરવા લાગ્યા. કેટલાક
માથાનો મુગટ સ્થિર હોવા છતાં સુંદર હાથ વડે વ્યવસ્થિત કરવા લાગ્યા. કેટલાકનાં ખંજર
ખુલ્લાં હોવા હતાં હાથના આગળના ભાગથી હલાવવા લાગ્યા. કેટલાક કટાક્ષદ્રષ્ટિથી જોવા
લાગ્યા. કેટલાકની પાસે માણસો ચામર અને પંખા ઢોળતા હતા તો પણ મહાસુંદર
Page 66 of 660
PDF/HTML Page 87 of 681
single page version
પગ ઉપર જમણો પગ મૂકવા લાગ્યા. એ રાજપુત્રો રૂપાળા, નવયુવાન અને કામકળામાં
નિપુણ હતા. તેમની દ્રષ્ટિ કન્યા તરફ હતી અને પગના અંગૂઠાથી સિંહાસન ઉપર કાંઈક
લખી રહ્યા હતા. કેટલાક મહામણિઓ જડિત કંદોરા કેડ ઉપર મજબૂત રીતે બાંધેલા
હોવા હતાં તેને સંભાળીને દ્રઢ કરતા હતા, ચંચળ નેત્રવાળા કેટલાક પાસે બેઠેલાઓ સાથે
કેલિકથા કરતા હતા, કેટલાક પોતાના સુંદર વાંકડિયા વાળ ઓળતા હતા. કેટલાક જેના
ઉપર ભમરા ગુંજારવ કરતા હતા તેવા કમળનાં ફૂલ જમણા હાથથી હલાવતા હતા અને
પુષ્પરસની રજ ફેલાવતા હતા, ઇત્યાદિ અનેક ચેષ્ટા સ્વયંવરમંડપમાં રાજપુત્રો કરતા
હતા. સ્વયંવરમંડપમાં વીણા, વાંસળી, મૃદંગ, નગારા આદિ અનેક વાજિંત્રો વાગતાં હતાં,
અનેક મંગલાચરણ થઈ રહ્યાં હતાં, અનેક ભાટચારણો સત્પુરુષોનાં અનેક શુભ ચરિત્રો
વર્ણવી રહ્યા હતા. સ્વયંવરમંડપમાં સુમંગલા નામની દાસી એક હાથમાં સોનાની લાકડી
અને બીજા હાથમાં નેતરની સોટી રાખીને કન્યાને હાથ જોડી તેનો અત્યંત વિનય કરતી
હતી. કન્યા નાના પ્રકારના મણિભૂષણોથી સાક્ષાત્ કલ્પવેલ સમાન લાગતી હતી. દાસી
સૌનો પરિચય કરાવતાં કહેવા લાગી, હે રાજપુત્રી! આ માર્તંડકુંડલ નામના કુંવર
નભસ્તિલકના રાજા ચન્દ્રકુંડલ અને રાણી વિમળાના પુત્ર છે, પોતાની કાંતિથી સૂર્યને
પણ જીતે છે. અતિ રમણીક અને ગુણોનું આભૂષણ છે, એ શસ્ત્રશાસ્ત્રવિદ્યામાં નિપુણ
છે, એની સાથે રમવાની ઇચ્છા હોય તો એને વરો. ત્યારે એ કન્યા એને જોઇને યૌવન
કાંઈક ઊતરેલું જાણીને આગળ ચાલી. ત્યારે ધાવ બોલી, હે કન્યા! આ રત્નપુરના રાજા
વિદ્યાંગ અને રાણી લક્ષ્મીનો વિદ્યાસમુદ્રઘાત નામનો પુત્ર છે, તે અનેક વિદ્યાધરોનો
અધિપતિ છે, એનું નામ સાંભળતાં પવનથી પીપળાનું પાન ધ્રૂજે તેમ શત્રુઓ ધ્રૂજે છે.
મહામનોહર હારથી યુક્ત તેના સુંદર વક્ષસ્થળમાં લક્ષ્મીનો નિવાસ છે, તારી ઇચ્છા હોય
તો એને વર. ત્યારે એને પણ સરળ દ્રષ્ટિથી જોઈ આગળ ચાલી. ત્યારે કન્યાના
અભિપ્રાયને જાણનારી ધાવ બોલી, હે સુતે! આ ઇન્દ્ર સમાન રાજા વજ્રશીલનો કુંવર
ખેચરભાનુ વજ્રપંજર નગરનો અધિપતિ છે એની બન્ને ભુજાઓમાં રાજ્યલક્ષ્મી ચંચળ
હોવા છતેં નિશ્ચળપણે રહેલી છે. એને જોતાં બીજા વિદ્યાધરો આગિયા સમાન લાગે છે
અને એ સૂર્ય જેવો જણાય છે. એક તો માનથી એનું માથું ઊંચું છે જ અને રત્નોના
મુગટથી અત્યંત શોભે છે. તારી ઇચ્છા હોય તો એના ગળામાં માળા નાખ. ત્યારે એ
કન્યા કૌમુદિની સમાન ખેચરભાનુને જોઈને સંકોચાઈને આગળ ચાલી. ત્યારે ધાવ
બોલી, હે કુમારી! આ રાજા ચન્દ્રાનન ચંદ્રપુરના સ્વામી રાજા ચિત્રાંગદ અને રાણી
પદ્મશ્રીનો પુત્ર છે એનું વક્ષસ્થળ ચંદનથી ચર્ચિત અત્યંત સુંદર છે તે કૈલાસનો તટ
ચન્દ્રકિરણોથી શોભે તેમ શોભે છે, જેમાં કિરણોનાં મોજાં ઊછળે છે એવા મોતીનો હાર
તેની છાતી ઉપર શોભે છે. જેમ કૈલાસ પર્વત ઊછળતાં ઝરણાઓથી શોભે છે તેમ
આના નામના અક્ષરોથી વેરીઓનું પણ મન પરમ આનંદ પામે છે અને દુઃખના તાપથી
મુક્ત થાય છે. ધાવ શ્રીમાલાને કહે છે, હે સૌમ્યદર્શને! જેનું
Page 67 of 660
PDF/HTML Page 88 of 681
single page version
સંયુક્ત થઈ પ્રકાશ આપે છે તેમ આના સંગમથી આહ્લાદને પ્રાપ્ત થા. આનામાં પણ એનું
મન પ્રીતિ ન પામ્યું. જેમ ચન્દ્રમા નેત્રોને આનંદકારી છે તો પણ કમળની એના પ્રત્યે
પ્રસન્નતા થતી નથી. પછી ધાવ બોલી, ‘હે કન્યે! મન્દરકુંજ નગરના સ્વામી રાજા
મેરુકાન્ત અને રાણી શ્રીરંભાનો પુત્ર પુરંદર પૃથ્વી ઉપર ઇન્દ્ર જ જન્મ્યો છે. તેનો અવાજ
મેઘ સમાન છે અને યુદ્ધમાં શત્રુઓ એની દ્રષ્ટિ પણ સહી શકતા નથી તો એના બાણના
ઘા કોણ સહન કરી શકે? દેવ પણ એની સાથે યુદ્ધ કરવાને સમર્થ નથી તો મનુષ્યોની શી
વાત કરવી? એનું શિર અતિ ઉન્નત છે તેથી તું પગ ઉપર માળા મૂક. આમ કહ્યું તો પણ
એના મનમાં ન આવ્યું, કેમ કે ચિત્તની પ્રવૃત્તિ વિચિત્ર હોય છે. પછી ધાવે કહ્યું, હે પુત્રી!
નાકાર્ધ નામના નગરના રક્ષક રાજા મનોજવ અને રાણી વેગિનીનો પુત્ર મહાબલ સભામાં
સરોવરમાં કમળ ખીલે તેમ ખીલી રહ્યો છે, એના ગુણ ઘણા છે, એ એવો બળવાન છે કે
જો તે પોતાની ભ્રમર વક્ર કરે છે ત્યાં જ પૃથ્વીમંડળ તેને વશ થઈ જાય છે, તે
વિદ્યાબળથી આકાશમાં નગર વસાવે છે અને સર્વ ગ્રહનક્ષત્રાદિને પૃથ્વી ઉપર દેખાડે છે. તે
ચાહે તો એક નવો લોક વસાવી શકે છે, ઇચ્છા કરે તો સૂર્યને ચન્દ્રમા સમાન શીતળ કરે
છે, પર્વતના ચૂરા કરી શકે છે, પવનને રોકી લે છે, જળની જગાએ સ્થળ કરી દે, સ્થળમાં
જળ કરે, ઇત્યાદિ તેના વિદ્યાબળનું વર્ણન કર્યું તો પણ આનું મન તેના પ્રત્યે અનુરાગી ન
થયું. ત્યારપછી ધાવે બીજા પણ અનેક વિદ્યાધરો બતાવ્યા, તેમને કન્યાએ લક્ષમાં લીધા
નહિ અને તેમને ઓળંગીને આગળ ચાલી. જેમ ચન્દ્રના કિરણો પર્વતને ઓળંગી જાય તે
પર્વત શ્યામ થઈ જાય તેમ જે વિદ્યાધરોને ઓળંગીને આ આગળ ચાલી, તેમનાં મુખ
શ્યામ થઈ ગયાં. બધા વિદ્યાધરોને ઉલ્લંધીને આની દ્રષ્ટિ કિહકંધકુમાર તરફ ગઈ અને
તેના કંઠમાં વરમાળા આરોપી ત્યારે વિજયસિંહ વિદ્યાધરની ક્રોધભરેલી નજર કિહકંધ અને
અંધ્રક એ બેય ભાઈઓ ઉપર પડી. વિદ્યાબળથી ગર્વિત વિજયસિંહે કિહકંધ અને અંધ્રકને
કહ્યું કે આ વિદ્યાધરોના સમાજમાં તમે વાનરો શા માટે આવ્યા? તમારું દર્શન કુરૂપ છે,
તમે ક્ષુદ્ર છો, વિનયરહિત છો, આ જગાએ ફળોથી નમી ગયેલાં વૃક્ષોવાળું કોઈ સુંદર વન
નથી તેમ જ પર્વતોની સુંદર ગુફા કે ઝરણાવાળી રચના નથી, જ્યાં વાનરો ક્રીડા કરતા
હોય. હે લાલ મુખવાળા વાનરો! તમને અહીં કોણે બોલાવ્યા છે? જે નીચ દૂત તમને
બોલાવવા આવ્યો હશે, તેને પદભ્રષ્ટ કરીશ, મારા નોકરોને કહીશ કે આમને અહીંથી કાઢી
મૂકો. એ નકામા જ વિદ્યાધર કહેવરાવે છે.
સેનાના સમસ્ત સૈનિકો પણ પોતાના સ્વામીની નિંદા સાંભળીને અન્યંત કુપિત થયા.
કેટલાક સામંતો પોતાના જમણા હાથ પર ડાબી ભુજાનો સ્પર્શ કરી અવાજ કરવા લાગ્યા,
કેટલાકનાં નેત્રો ક્રોધના આવેશથી લાલ થઈ ગયાં જાણે કે પ્રલયકાળના ઉલ્કાપાત જ ન
હોય! કેટલાકે પૃથ્વીમાં દ્રઢમૂળ
Page 68 of 660
PDF/HTML Page 89 of 681
single page version
નાખ્યા અને કેટલાક સામંતોના શરીર ઉપરના અગાઉ પડેલા ઘા પણ ક્રોધને કારણે ફાટી
ગયા, તેમાંથી લોહીની ધારા નીકળવા લાગી, જાણે કે ઉત્પાતનો મેઘ જ વરસી રહ્યો હોય.
કેટલાક ગર્જના કરવા લાગ્યા તે કારણે દશે દિશાઓ શબ્દથી ભરાઈ ગઈ. કેટલાક યોદ્ધા
માથાના વાળ ઉછાળવા લાગ્યા, જાણે રાત્રિ જ પડી ગઈ હોય! આવી અપૂર્વ ચેષ્ટાઓથી
વાનરવંશી વિદ્યાધરોની સેના અન્ય વિદ્યાધરોને મારવા તૈયાર થઈ ગઈ. હાથી સાથે હાથી,
ઘોડા સાથે ઘોડા અને રથ સાથે રથ યુદ્ધ કરવા લાગ્યા. બન્ને સેનાઓ વચ્ચે મહાયુદ્ધ થયું,
આકાશમાં દેવો કૌતુકથી જોવા લાગ્યા. આ યુદ્ધની વાત સાંભળીને રાક્ષસવંશી વિદ્યાધરોનો
અધિપતિ લંકાનો સ્વામી રાજા સુકેશ વાનરવંશીઓની સહાય કરવા આવ્યો. રાજા સુકેશ
કિહકંધ અને અંધ્રકનો પરમ મિત્ર હતો. જેમ ભરત ચક્રવર્તીના સમયમાં રાજા અકંપનની
પુત્રી સુલોચનાના નિમિત્તે અર્કકીર્તિ અને જયકુમારનું યુદ્ધ થયું હતું તેવું આ યુદ્ધ થયું. આ
સ્ત્રી જ યુદ્ધનું મૂળ કારણ છે. વિજયસિંહ અને રાક્ષસવંશી, વાનરવંશીઓ વચ્ચે મહાયુદ્ધ
ચાલતું હતું ત્યારે કિહકંધ કન્યાને લઈ ચાલ્યો ગયો અને તેના નાના ભાઈ અંધ્રકે
ખડ્ગથી વિજયસિંહનું મસ્તક કાપી નાખ્યું. વિજયસિંહ વિના તેની બધી સેના વેરણછેરણ
થઈ ગઈ, જેમ એક આત્મા વિના સર્વ ઇન્દ્રિયો વિખરાઈ જાય છે તેમ. ત્યારે
વિજયસિંહના પિતા અશનિવેગ પોતાના પુત્રનું મરણ થયું તેમ સાંભળીને શોકથી મૂર્ચ્છિત
થઈ ગયા. જેની છાતી પોતાની સ્ત્રીઓના આંસુથી ભીંજાઈ ગઈ છે એવો તે ઘણા લાંબા
સમય પછી મૂર્છામાંથી જાગ્યો અને પુત્રના વેરથી શત્રુઓ ઉપર ભયંકર આક્રમણ કર્યું.
લોકો તેનું આક્રમણ જોઈ ન શક્યા. જાણે કે પ્રલયકાળના ઉત્પાતના સૂર્યે તેનું રૂપ ધારણ
કર્યું હતું. તેણે સર્વ વિદ્યાધરોને સાથે લઈ કિહકુંપુરને ઘેરો ઘાલ્યો. પોતાના નગરને
ઘેરાયેલું જોઈને બન્ને ભાઈઓ વાનર અંકિત ધ્વજ લઈ સુકેશ સાથે અશનિવેગ સાથે યુદ્ધ
કરવા નીકળ્યા. ત્યાં પરસ્પર ભયંકર યુદ્ધ થયું. ગદા, શક્તિ, બાણ, પાશ, કુહાડા, ખડ્ગ
આદિ શસ્ત્રોથી મહાન યુદ્ધ થયું. તેમાં પુત્રના વધથી ઊપજેલી ક્રોધાગ્નિની જ્વાળાથી
પ્રજ્વલિત અશનિવેગ અંધ્રકની સામે આવ્યો. ત્યારે મોટાભાઈ કિહકંધે વિચાર્યું કે મારો
ભાઈ અંધ્રક તો હજી નવયુવાન છે અને આ પાપી અશનિવેગ મહાબળવાન છે માટે હું
ભાઈને મદદ કરું. ત્યાં કિહકંધ આવ્યો અને અશનિવેગનો પુત્ર વિદ્યુદ્વાહન કિહકંધની સામે
આવ્યો. કિહકંધ અને વિદ્યુદ્વાહન વચ્ચે ભયંકર યુદ્ધ થયું તે વખતે અશનિવેગે અંધ્રકને
મારી નાખ્યો. અંધ્રક પૃથ્વી ઉપર પડી ગયો. જેમ પ્રભાતનો ચંદ્ર કાંતિ રહિત થઈ જાય
તેમ અંધ્રકનું શરીર કાંતિરહિત થઈ ગયું. આ તરફ કિહકંધે વિદ્યુદ્વાહનની છાતી ઉપર
શિલા ફેંકી તેથી તે મૂર્છિત થઈને પડયો, થોડી વારે સચેત થઈ તેણે તે જ શિલા કિહકંધ
ઉપર ફેંકી. કિહકંધ મૂર્છા ખાઈને ચક્કર ખાવા લાગ્યો. લંકાના સ્વામીએ તેને સચેત કર્યો
અને કિહકંધને કિહકુંપર લઈ આવ્યા. કિહકંધે આંખો ઉઘાડીને જોયું તો ભાઈ નહોતો. એટલે
પાસે રહેલાઓને પૂછવા લાગ્યો કે મારો ભાઈ ક્યાં છે? લોકો નીચું જોઈ ગયા. રાજ્યમાં
Page 69 of 660
PDF/HTML Page 90 of 681
single page version
લાગ્યો. શોકરૂપ અગ્નિથી તપેલા ચિત્તવાળો તે ઘણા લાંબા સમય સુધી ભાઈના ગુણોનું
ચિંત્વન કરતો તે શોકસમુદ્રમાં ડૂબી ગયો. હાય ભાઈ! મારા જીવતાં તું મરણ પામ્યો,
મારો જમણો હાથ ભાંગી ગયો. પહેલાં હું તને એક ક્ષણ ન જોતો તો પણ અત્યંત વ્યાકુળ
થતો. હવે હું તારા વિના કેવી રીતે પ્રાણ ટકાવીશ? અથવા મારું ચિત્ત વજ્રનું છે, કેમ કે
તારા મૃત્યુના સમાચાર સાંભળવા છતાં પણ તે શરીરને છોડતું નથી. હે ભાઈ! તારું તે
મલકતું મુખ અને નાની ઉંમરમાં મહાન વીરની ચેષ્ટાઓ સંભારી સંભારીને મને અત્યંત
દુઃખ થાય છે. આ પ્રમાણે મહાવિલાપથી ભાઈનો સ્નેહ સંભારી કિહકંધ ખેદખિન્ન થયો.
ત્યારે લંકાના ધણી સુકેશે અને મોટા મોટા પુરુષોએ કિહકંધને ઘણું સમજાવ્યો કે ધીર
પુરુષે આવી રંક ચેષ્ટા કરવી યોગ્ય નથી. ક્ષત્રિયનું વીરકુળ છે તે મહાસાહસરૂપ છે અને
આ શોકને પંડિતોએ મહાપિશાચ કહ્યો છે. કર્મના ઉદયથી ભાઈનો વિયોગ થયો છે, આ
શોક નિરર્થક છે. જો શોક કરવાથી ગયેલાનું ફરીથી આગમન થતું હોય તો શોક કરીએ.
આ શોક શરીરનું શોષણ કરે છે અને પાપનો બંધ કરે છે. તે મહામોહનું મૂળ છે તેથી આ
વેરી શોકને ત્યજીને, પ્રસન્ન થઈ કર્તવ્યમાં બુદ્ધિને જોડ. આ અશનિવેગ વિદ્યાધર અતિ
પ્રબળ શત્રુ છે, તો આપણો પીછો છોડશે નહિ, આપણા નાશનો ઉપાય તે વિચારી રહ્યો
છે માટે હવે જે કર્તવ્ય હોય તેનો વિચાર કરો. વેરી બળવાન હોય ત્યારે ગુપ્ત સ્થાનમાં
સમય વિતાવવો, જેથી શત્રુથી અપમાન ન થાય. પછી કેટલાક સમય પછી વેરીનું બળ
ઘટે ત્યારે વેરીને દબાવવો. વૈભવ સદા એક સ્થાનમાં રહેતો નથી. માટે આપણી
પાતાળલંકા જે મહાન આશ્રયસ્થાન છે ત્યાં થોડો વખત રહો. આપણા કુળમાં જે વડીલો
છે તે એ સ્થાનની ઘણી પ્રશંસા કરે છે. જેને જોતાં સ્વર્ગલોકમાં પણ મન લાગે નહિ એવું
એ સ્થાન છે માટે ઊઠો, તે સ્થાન વેરીઓથી અગમ્ય છે. આ પ્રમાણે રાજા સુકેશીએ રાજા
કિહકંધને ઘણો સમજાવ્યો તો પણ તેણે શોક છોડયો નહિ એટલે રાણી શ્રીમાળાને બતાવી.
તેને જોતાં તેનો શોક મટયો. પછી રાજા સુકેશી અને કિહકંધ સમસ્ત પરિવાર સહિત
પાતાળલંકા ચાલ્યા ગયા. અશનિવેગનો પુત્ર વિદ્યુદ્વાહન તેમની પાછળ પડયો. પોતાના
ભાઈ વિજયસિંહનો વેરથી અત્યંત કુપિત થયેલા તેણે શત્રુઓનો સમૂળ નાશ કરવા
પ્રયત્ન કર્યો. ત્યારે નીતિશાસ્ત્રના જાણકારોએ તેને સમજાવ્યો. જેમની શુદ્ધ બુદ્ધિ છે એવા
તેમણે કહ્યું કે ક્ષત્રિય ભાગે તો તેમની પાછળ ન પડવું. રાજા અશનિવેગે પણ
વિદ્યુદ્વાહનને કહ્યું કે અંધ્રકે તારા ભાઈને હણ્યો તો મેં અંધ્રકને રણમાં માર્યો માટે હે પુત્ર!
આ હઠ છોડી દે. દુઃખી પ્રત્યે દયા જ રાખવી. જે કાયરે પોતાની પીઠ બતાવી તે જીવતા
જ મરેલો છે. તેનો પીછો શું કરવો? આ પ્રમાણે અશનિવેગે વિદ્યુદ્વાહનને સમજાવ્યો.
એટલામાં રાક્ષસવંશી અને વાનરવંશી પાતાળલંકા પહોંચી ગયા. કેવું છે તે નગર?
રત્નોના પ્રકાશથી શોભી રહ્યું છે. ત્યાં હર્ષ અને શોક ધરતાં બન્ને નિર્ભયપણે રહ્યા. એક
દિવસે અશનિવેગ શરદઋતુમાં વાદળાઓને ભેગા થતાં અને વિલય પામતાં જોઈને
વિષયોથી વિરક્ત થયા. મનમાં
Page 70 of 660
PDF/HTML Page 91 of 681
single page version
ધારણ કરીને આત્મકલ્યાણ કરું.’ આમ વિચારીને સહસ્ત્રારિ નામના પુત્રને રાજ્ય
આપીને પોતે વિદ્યુદ્વાહન સાથે મુનિ થયા અને લંકામાં પહેલાં અશનિવેગે નિર્ધાત નામના
વિદ્યાધરને મૂક્યો હતો તે હવે સહસ્ત્રારિની આજ્ઞા પ્રમાણ કરીને લંકામાં વહીવટ કરતો.
એક વખતે નિર્ધાત દિગ્વિજય માટે નીકળ્યો. તેણે આખાય રાક્ષસદ્વીપમાં રાક્ષસોનો સંચાર
ન જોયો, બધા ભાગી ગયા હતા તેથી નિર્ધાત નિર્ભય થઈને લંકામાં રહેવા લાગ્યો. એક
દિવસ રાજા કિહકંધ રાણી શ્રીમાલા સહિત સુમેરુ પર્વત પરથી દર્શન કરીને આવતો હતો
ત્યારે માર્ગમાં દક્ષિણ સમુદ્રના તટ પર દેવકુરુ ભોગભૂમિ સમાન પૃથ્વી ઉપર કરનતટ
નામનું વન જોયું. જોઈને તે પ્રસન્ન થયા અને રાણી શ્રીમાલાને કહેવા લાગ્યાઃ હે દેવી!
તમે આ રમણીય વન જુઓ, અહીં વૃક્ષ ફૂલોથી સંયુક્ત છે, નિર્મળ નદી વહે છે અને
વાદળાના આકાર જેવો ધરણીમાલા નામનો પર્વત શોભે છે, પર્વતનાં શિખરો ઊંચા છે
અને કુન્દપુષ્પ સમાન ઉજ્જવળ જળનાં ઝરણાં વહે છે, જાણે કે પર્વત હસી રહ્યો છે અને
પુષ્પની સુગંધથી પૂર્ણ, પવનથી હાલતાં વૃક્ષો જાણે કે આપણને જોઈને આપણો વિનય
કરી રહ્યા છે, વૃક્ષો ફળોના ભારથી નમેલાં છે તે જાણે આપણને નમસ્કાર જ કરી રહ્યાં
છે. જેમ ચાલ્યા જતા પુરુષને સ્ત્રી પોતાના ગુણોથી મોહિત કરી આગળ ન જવા દે તેમ
આ વન અને પર્વતની શોભા આપણને મોહિત કરી નાખે છે-આગળ જવા દેતા નથી
અને હું પણ આ પર્વતને ઓળંગી આગળ નહિ જઈ શકું, અહીં જ નગર વસાવીશ. અહીં
ભૂમિગોચરી લોકો આવતા નથી. પાતાળલંકાની જગ્યા ઊંડી છે અને ત્યાં મારું મન
ખેદખિન્ન થયું છે, હવે અહીં રહેવાથી મન પ્રસન્ન થશે. આ પ્રમાણે રાણી શ્રીમાલાને કહીને
પોતે પહાડ ઉપરથી ઊતર્યા. ત્યાં પહાડ ઉપર સ્વર્ગ સમાન નગર વસાવ્યું. નગરનું નામ
કિહકંધપુર રાખ્યું. ત્યાં તેણે સર્વ કુટુંબસહિત નિવાસ કર્યો. રાજા કિહકંધ સમ્યગ્દર્શન
સંયુક્ત છે, ભગવાનની પૂજામાં સાવધાન છે. તેને રાણી શ્રીમાલાના યોગથી સૂર્યરજ અને
રક્ષરજ નામના બે પુત્ર અને સૂર્યકમલા નામની પુત્રી થઈ. સૂર્યકમલાની શોભાથી સર્વ
વિદ્યાધરો મોહિત થયા.
તેના કુટુંબીજનોએ તેના માટે સૂર્યકમળાની યાચના કરી. રાજા કિહકંધે રાણી શ્રીમાલા
સાથે મંત્રણા કરીને પોતાની પુત્રી સૂર્યકમળા મૃગારિદમન સાથે પરણાવી. તે પરણીને જતો
હતો ત્યાં માર્ગમાં કર્ણ પર્વત ઉપર તેણે કર્ણકુંડલ નામનું નગર વસાવ્યું.
માતાપિતાનું મન હરતા. દેવ સમાન જેમની ક્રીડા હતી. તે ત્રણ પુત્રો મહાબળવાન અને
સર્વ વિદ્યાઓને સિદ્ધ કરી ચૂકયા હતા. એક દિવસ માતાપિતાએ તેમને કહ્યું કે તમે
કિહકંધપુર તરફ ક્રીડા કરવા
Page 71 of 660
PDF/HTML Page 92 of 681
single page version
પૂછયું. પિતાજીએ કહ્યું કે હે પુત્રો! એ વાત કહેવા જેવી નથી. પણ પુત્રોએ બહુ હઠ કરી
ત્યારે પિતાજીએ કહ્યું કે લંકાપુરી આપણા કુળક્રમથી ચાલી આવે છે, બીજા તીર્થંકર
ભગવાન શ્રી અજિતનાથ સ્વામીના સમયથી માંડીને આપણું આ ખંડમાં રાજ્ય છે.
અગાઉ અશનિવેગ અને આપણી વચ્ચે યુદ્ધ થયેલું અને પરસ્પર ઘણા મર્યા હતા અને
લંકા આપણી પાસેથી ચાલી ગઈ હતી. અશનિવેગે નિર્ધાત નામના વિદ્યાધરને ત્યાં
સ્થાપ્યો હતો, તે મહાબળવાન અને ક્રૂર છે, તેણે દેશેદેશમાં ગુપ્તચરો રાખ્યા છે અને
આપણાં છિદ્રો શોધે છે. પિતાના દુઃખની આ વાત સાંભળીને માલીએ નિસાસો નાખ્યો,
આંખમાંથી આસું નીકળી આવ્યાં, ક્રોધથી જેનું ચિત્ત ભરાઈ ગયું છે એવો પોતાની
ભુજાઓનું બળ જોઈને પિતાને કહેવા લાગ્યો કે હે પિતા, આટલા દિવસો સુધી આ વાત
અમને કેમ ન કરી? તમે સ્નેહથી અમને છેતર્યા. જે શક્તિશાળી હોવા છતાં કામ કર્યા
વિના નિરર્થક બકવાસ કરે છે તે લોકમાં લઘુતા પામે છે માટે હવે અમને નિર્ધાત ઉપર
ચડાઈ કરવાની આજ્ઞા આપો. અમારી આ પ્રતિજ્ઞા છે કે લંકા લીધા પછી જ અમે બીજું
કામ કરીશું. માતાપિતાએ તેમને ધીરવીર જાણીને સ્નેહદ્રષ્ટિથી આજ્ઞા આપી. પછી એ
પાતાલલંકામાંથી એવી રીતે નીકળ્યા કે જાણે પાતાલલોકમાંથી ભવનવાસી દેવ નીકળી
રહ્યા હોય. તે વેરી ઉપર અત્યંત ઉત્સાહથી ચાલ્યા. ત્રણે ભાઈ શસ્ત્રકળામાં મહાપ્રવીણ છે.
સમસ્ત રાક્ષસોની સેના તેમની સાથે ચાલી. તેમણે ત્રિકૂટાચલ પર્વત જોયો અને જાણી
લીધું કે લંકા આની નીચે વસે છે. માર્ગમાં નિર્ધાતના કુટુંબીઓ જે દૈત્ય કહેવાતા એવા
વિદ્યાધરો મળ્યા. તે માલી સાથે યુદ્ધ કરીને ઘણા ખરા મરણ પામ્યા, કેટલાક પગમાં પડય
ા, કેટલાક સ્થળ છોડીને ભાગી ગયા, કેટલાક શત્રુના લશ્કરમાં શરણે આવ્યા. પૃથ્વી ઉપર
એમનો યશ ખૂબ ફેલાયો. તેમના આગમનની ખબર મળતાં નિર્ધાત લંકાની બહાર
નીકળ્યો. તે યુદ્ધમાં મહાશૂરવીર છે. તેના છત્રની છાયાથી સૂર્ય આચ્છાદિત થયો છે. બન્ને
સેનાઓ વચ્ચે મહાન યુદ્ધ થયું. માયામયી હાથી, ઘોડા, વિમાન, રથ વડે પરસ્પર યુદ્ધ
થયું. હાથીનો મદ ઝરવાથી આકાશ જળરૂપ થઈ ગયું. હાથીના કાનરૂપી વીંઝણાથી નખાતા
પવનથી આકાશ પવનરૂપ થઈ ગયું, શત્રુઓનાં પરસ્પરનાં શસ્ત્રોનાં પ્રહારથી પ્રગટેલા
અગ્નિથી જાણે કે આકાશ અગ્નિરૂપ જ થઈ ગયું. નિર્ધાતને આ પ્રમાણે ઘણો વખત યુદ્ધ
ચાલ્યું ત્યારે માલીએ વિચાર્યું કે નબળાને મારવાથી શો લાભ? આમ વિચારીને તે નિર્ધાત
સામે આવ્યો અને ગર્જના કરી કે ક્યાં છે એ પાપી નિર્ધાત? પ્રથમ તો તેણે નિર્ધાતને
વિચારીને તે નિર્ધાતને જોઈને તીક્ષ્ણ બાણો વડે રથમાંથી નીચે પછાડયો. તે ઊભો થયો
અને ઘોર યુદ્ધ કર્યું એટલે માલીએ ખડ્ગ વડે નિર્ધાતને મારી નાખ્યો. તેને મરેલો જાણીને
તેના વંશના માણસો ભાગીને વિજ્યાર્ધ તરફ પોતપોતાના સ્થાનકે ગયા અને કેટલાક
કાયર બનીને માલીના જ શરણે આવ્યા. માલી આદિ ત્રણે ભાઈઓએ લંકામાં પ્રવેશ કર્યો.
તેમણે માતાપિતા આદિ સમસ્ત પરિવારને લંકામાં બોલાવી લીધો. હેમપુરના રાજા મેઘ
વિદ્યાધરની રાણી ભોગવતીની પુત્રી ચન્દ્રમતી માલીને
Page 72 of 660
PDF/HTML Page 93 of 681
single page version
પરણી અને કનકકાંત નગરના રાજા કનકની રાણી કનકશ્રીની પુત્રી કનકાવલી
માલ્યવાનને પરણી. એમને પહેલાંની કેટલીક રાણીઓ હતી. તેમાં આ મુખ્ય રાણી થઈ.
તેમને દરેકને હજાર હજારથી પણ કેટલીક અધિક રાણીઓ થઈ. માલીએ પોતાના
પરાક્રમથી વિજ્યાર્ધની બન્ને શ્રેણી વશ કરી લીધી. સર્વ વિદ્યાધરો એમની આજ્ઞા
આશીર્વાદની પેઠે માથે ચડાવવા લાગ્યા. કેટલાક દિવસો પછી એમના પિતા રાજા સુકેશ
માલીને રાજ્ય આપીને મહામુનિ થયા અને રાજા કિહકંધ પોતાના પુત્ર સૂર્યરજને રાજ્ય
આપીને વૈરાગી થયા. એ બન્ને પરમ મિત્ર રાજા સુકેશ અને કિહકંધ સમસ્ત ઇન્દ્રિયના
સુખોને ત્યાગીને, અનેક ભવનાં પાપને હરનાર જિનધર્મ પામીને સિદ્ધ સ્થાનના નિવાસી
થયા. હે શ્રેણિક! આ પ્રમાણે અનેક રાજા પ્રથમ રાજ્યાવસ્થામાં અનેક વિલાસ કરી પછી
રાજ્યનો ત્યાગ કરી, આત્મધ્યાનના યોગથી સમસ્ત પાપોને ભસ્મ કરી, અવિનાશી ધામ
પામ્યા. આમ જાણીને હે રાજા! મોહનો નાશ કરી, શાંત દશાને પ્રાપ્ત થાઓ.
છઠ્ઠું પર્વ પૂર્ણ થયું.
તેના બધાં આભૂષણો ઢીલાં થઈ ગયા
તારી જે અભિલાષા હોય તે હું હમણાં જ પૂરી કરીશ. હે દેવી! તું મને પ્રાણથી પણ
અધિક પ્યારી છે. રાજાએ આમ કહ્યું ત્યારે રાણીએ વિનયપૂર્વક તેના પતિને વિનંતિ
કરી કે હે દેવ! જે દિવસથી બાળક મારા ગર્ભમાં આવ્યું છે તે દિવસથી મને એવી
ઈચ્છા થાય છે કે હું ઇન્દ્ર જેવી સંપદા ભોગવું. આપના અનુગ્રહથી મેં લાજ છોડીને
આપને મારો મનોરથ જણાવ્યો છે, કેમ કે સ્ત્રીને લજ્જા પ્રધાન છે તેથી તે મનની
વાત કહેતી નથી. રાજા સહસ્ત્રાર જે વિદ્યાબળથી પૂર્ણ હતો તેણે ક્ષણ માત્રમાં તેના
મનોરથ પૂર્ણ કર્યાં તેથી આ રાણી અત્યંત આનંદ પામી, તેની સર્વ અભિલાષા પૂર્ણ
થઈ, તેણે મહાન પ્રતાપ અને કાંતિ ધારણ કર્યા. સૂર્ય ઉપરથી પસાર થાય તે પણ
તેનું તેજ સહી શકે નહી. નવ મહિના પૂરા થયા ત્યારે તેને પુત્ર જન્મ્યો. તે સમસ્ત
બાંધવોને પરમ સંપદાનું કારણ હતો. રાજા સહસ્ત્રારે હર્ષિત થઈ પુત્રજન્મનો મહાન
ઉત્સવ કર્યો, અનેક વાજિંત્રોના અવાજથી દશે
Page 73 of 660
PDF/HTML Page 94 of 681
single page version
દાન આપ્યું એવો વિચાર ન કર્યો કે આ દેવું અને આ ન દેવું, બધું જ આપ્યું. હાથીઓ
ગર્જના કરતાં ઊંચી સૂંઢ કરીને નૃત્ય કરવા લાગ્યા. રાજા સહસ્ત્રારે પુત્રનું નામ ઇન્દ્ર
પાડયું. જે દિવસે ઇન્દ્રનો જન્મ થયો તે દિવસે સર્વ શત્રુઓનાં ઘરમાં અનેક ઉત્પાત થયા,
અપશુકન થયા અને ભાઈઓ તથા મિત્રોનાં ઘરમાં મહાકલ્યાણ કરનાર શુભ શુકન થયાં.
ઇન્દ્રકુંવરની બાલક્રિડા તરુણ પુરુષોની શક્તિને જીતનારી, સુંદર કર્મ કરનારી, વેરીઓનો
ગર્વ છેદનારી હતી. અનુક્રમે કુંવર યુવાન બન્યા. કેવા છે કુંવર? જેણે પોતાના તેજથી
સૂર્યના તેજને જીતી લીધું હતું, પોતાની કાંતિથી ચંદ્રને જીતી લીધો હતો, સ્થિરતાથી
પર્વતને જીતી લીધો હતો, જેની છાતી પહોળી હતી, સ્કંધ દિગ્ગજના કુંભસ્થળ સમાન
હતા, ભુજા અતિ દ્રઢ અને સુંદર હતી, જેની બન્ને જાંધ દશે દિશાને દાબે તેવી હતી.
વિજ્યાર્ધ પર્વત ઉપરના સર્વ વિદ્યાધરો તેના સેવક હતા, સર્વ તેની આજ્ઞાનુસાર વર્તતા.
આ મહાવિદ્યાધરે પોતાને ત્યાં સર્વ રચના ઇન્દ્ર જેવી કરી. પોતાનો મહેલ ઇન્દ્રના મહેલ
જેવો બનાવ્યો, અડતાળીસ હજાર લગ્ન કર્યાં, પટરાણીનું નામ શચી રાખ્યું. તેને ત્યાં
છવીસ હજાર નટો નૃત્ય કરતા, સદા ઇન્દ્ર જેવો ઠાઠમાઠ રહેતો. ઇન્દ્ર જેવા અનેક
હાથીઘોડા અને ચન્દ્રમા સમાન ઉજ્જવળ, ઊંચા આકાશના આંગણમાં ગમન કરનાર,
કોઈથી રોકી ન શકાય તેવો મહાબળવાન આઠ દાંતોથી શોભતો ગજરાજ, જેની અત્યંત
સુંદર ગોળ સૂંઢ દશે દિશામાં વ્યાપતી હોય તેવો જ હાથી, તેનું નામ ઐરાવત રાખ્યું.
ચતુરનિકાયના દેવ સ્થાપ્યા અને પરમ શક્તિયુક્ત ચાર લોકપાલ સ્થાપ્યા. તેમના નામ
સોમ, વરૂણ, કુબેર અને યમ. તેની સભાનાં ત્રણ નામ સુધર્મા, વજ્ર અને આયુધ હતા.
ત્રણ સભા અને ઉર્વશી, મેનકા રંભા ઇત્યાદિ હજારો નૃત્તિકાઓને અપ્સરાનું નામ આપ્યું.
સેનાપતિનું નામ હિરણ્યકેશી અને આઠ વસુ સ્થાપ્યા. પોતાના લોકોને સામાનિક,
ત્રાયસ્ત્રિંશતાદિ દશ પ્રકારની દેવસંજ્ઞા આપી. ગાયકોના નામ નારદ, તુમ્બુરુ, વિશ્ચાવસુ
આપ્યા. મંત્રીનું નામ બૃહસ્પતિ. એ પ્રમાણે સર્વ રીતિ ઇન્દ્ર સમાન સ્થાપી. આ રાજા ઇન્દ્ર
સમાન સર્વ વિદ્યાધરોનો સ્વામી પુણ્યના ઉદયથી ઇન્દ્રની સંપદાનો ધારક થયો. તે વખતે
લંકામાં રાજા માલી રાજ્ય કરતો હતો તે મહામાની જેમ પહેલા સર્વ વિદ્યાધરો ઉપર સત્તા
ચલાવતો હતો તેવી જ રીતે હવે પણ કરતો, ઇન્દ્રનો ભય રાખતો નહિ. વિજ્યાર્ધના સર્વ
ભાગ ઉપર પોતાની આજ્ઞા ચલાવતો, સર્વ વિદ્યાધર રાજાઓનાં રાજ્યમાં મહારત્ન, હાથી,
ઘોડા, મનોહર કન્યા, મનોહર વસ્ત્રાભરણ બન્ને શ્રેણીઓમાં જે સારરૂપ વસ્તુ હોય તે
મગાવી લેતો, ઠેકઠેકાણે તેના સંદેશવાહકો ફરતા રહેતા. પોતાના ભાઈઓના વર્ગથી
મહાગર્વિષ્ઠ બની પૃથ્વી ઉપર એકમાત્ર પોતાને જ બળવાન સમજતો.
રાક્ષસવંશી અને કિહકંધના પુત્રાદિ સમસ્ત વાનરવંશીઓને સાથે લઈ વિજ્યાર્ધ પર્વતના
વિદ્યાધરો ઉપર ચડાઈ
Page 74 of 660
PDF/HTML Page 95 of 681
single page version
સોનાના રથો ઉપર બેઠા, કેટલાક કાળી ઘટા જેવા હાથીઓ ઉપર ચડયા. કેટલાક મન
સમાન શીઘ્રગામી ઘોડા ઉપર બેઠા, કેટલાક સિંહ-શાર્દૂલ ઉપર ચડયા, કેટલાક ચિત્તા ઉપર
ચડયા, કેટલાક બળદ ઉપર ચડયા, કેટલાક ઊંટો ઉપર, કેટલાક ખચ્ચર ઉપર, કેટલાક
પાડા ઉપર, કેટલાક હંસ ઉપર, કેટલાક શિયાળ ઉપર એમ અનેક માયામયી વાહનો ઉપર
ચડયા. આકાશનું આંગણું ઢાંકી દેતા, મહાદેદીપ્યમાન શરીરવાળા માલીની સાથે ચડયાં.
પ્રથમ પ્રયાણમાં જ અપશુકન થયા ત્યારે માલીનો નાનો ભાઈ સુમાલી કહેવા લાગ્યો. હે
દેવ! અહીં જ મુકામ કરો, આગળ ન જાવ અથવા લંકા પાછા ચાલો, આજ ઘણા
અપશુકન થયાં છે. સૂકા વૃક્ષની ડાળી ઉપર એક પગ સંકોચીને કાગડો બેઠો છે, ચિત્તમાં
અત્યંત આકુળતા થવાથી તે વારંવાર પાંખ હલાવે છે, સૂકા કરગઠિયા ચાંચમાં લઈને સૂર્ય
તરફ જુએ છે અને કઠોર શબ્દ બોલે છે. તે આપણને જવાની મના કરે છે. જમણી તરફ
રૌદ્ર મુખવાળી શિયાળણી રોમાંચ કરતી ભયંકર અવાજ કરે છે, સૂર્યના બિંબની વચમાં
પ્રવેશેલી જળવાદળીમાંથી રુધિર ઝરતું દેખાય છે અને મસ્તકરહિત ધડ નજર પડે છે, મહા
ભયંકર વજ્રપાત થાય છે, જેનાથી સર્વ પર્વતો ધ્રુજી ઊઠયા છે અને આકાશમાં જેના વાળ
વિખરાઈ ગયા છે એવી માયામયી સ્ત્રી નજરે પડે છે, ગધેડા આકાશ તરફ ઊંચું મુખ
કરીને ખરીના આગલા ભાગથી ધરતીને ખોદતા થકા કઠોર અવાજ કરે છે. ઇત્યાદિ
અપશુકન થાય છે. ત્યારે રાજા માલીએ સુમાલીને હસીને કહ્યુંઃ અહો વીર! વેરીને
જીતવાનો વિચાર કરીને ઉપર ચડેલા મહાપુરુષ ધીરજ ધરતા પાછા કેવી રીતે વળે? જે
શૂરવીરે દાંતથી અધર કરડયા છે, ભ્રમર વાંકી કરી છે, મુખ વિકરાળ બનાવ્યું છે, આંખથી
જે વેરીને ડરાવે છે, તીક્ષ્ણ બાણથી સહિત છે, જે મદ ઝરતા હાથી પર ચઢયા છે અથવા
અશ્વ પર ચઢયા છે, મહાવીરરસરૂપ તેમને દેવો પણ આશ્ચર્યદ્રષ્ટિથી જોઈ રહ્યા છે, જ્યાં
યુદ્ધ વાજિંત્રો વાગી રહ્યા છે, એવા સામંતો કેવી રીતે પાછા ફરે? મેં આ જન્મમાં અનેક
લીલાવિલાસ કર્યો છે, સુમેરુ પર્વતની ગુફા, નંદનવન આદિ મનોહર વનમાં દેવાંગના
સમાન અનેક રાણી સહિત નાના પ્રકારની ક્રીડા કરી છે, આકાશને અડે એવાં
શિખરોવાળાં રત્નમયી ચૈત્યાલયો બનાવરાવ્યાં છે, વિધિપૂર્વક ભાવ સહિત જિનેન્દ્રદેવની
પૂજા કરી છે, અર્થી જનોને તેમણે જે માગ્યું તે આપ્યું છે એવા કિમિચ્છિક દાન આપ્યા છે.
આ મનુષ્ય લોકમાં દેવ સમાન ભોગ ભોગવ્યા છે અને પોતાના યશથી પૃથ્વી ઉપર વંશ
ઉત્પન્ન કર્યો છે માટે આ જન્મમાં તો અમારી બધી બાબતોમાં ઇચ્છા પૂર્ણ થઈ છે. હવે જો
મહાસંગ્રામમાં પ્રાણ તજીએ તો એ શૂરવીરની રીતિ જ છે. પરંતુ શું અમે લોકોને મોઢે
એવું બોલાવીએ કે માલી કાયર થઈને પાછો ફરી ગયો અથવા ત્યાં જ મુકામ કર્યો?
લોકોના આવા નિંદના શબ્દો ધીરવીર કેવી રીતે સાંભળે? ધીરવીરોનું ચિત્ત ક્ષત્રીયવ્રતમાં
સાવધાન હોય છે. આ પ્રમાણે ભાઈને કહીને પોતે સેના સહિત વૈતાડ પર્વત પર ક્ષણમાત્રમાં
ગયા અને બધા વિદ્યાધરો ઉપર આજ્ઞાપત્ર મોકલ્યા. કેટલાક વિદ્યાધરોએ તેમની
Page 75 of 660
PDF/HTML Page 96 of 681
single page version
જેમ કમળવનને ઉન્મત્ત હાથી ઉખાડી નાખે તેમ. આમ રાક્ષસ જાતિના વિદ્યાધરો ખૂબ
ગુસ્સે થયા ત્યારે પ્રજાજનો માલીના સૈન્યથી ડરીને ધ્રુજતા ધ્રુજતા રથનપુર નગરમાં રાજા
સહસ્ત્રારના શરણે આવ્યા. તેઓ ચરણમાં નમસ્કાર કરીને દીન વચન કહેવા લાગ્યા કે હે
પ્રભો! સુકેશનો પુત્ર રાક્ષસકુલી રાજા માલી સમસ્ત વિદ્યાધરો પર આજ્ઞા ચલાવે છે,
આખાય વિજ્યાર્ધ ઉપર અમને પીડે છે, આપ અમારું રક્ષણ કરો. ત્યારે સહસ્ત્રારે આજ્ઞા કરી કે
હે વિદ્યાધરો! મારા પુત્ર ઇન્દ્રના શરણે જઈ તેને વિનંતી કરો, તે તમારું રક્ષણ કરવાને સમર્થ છે.
જેમ ઇન્દ્ર સ્વર્ગલોકનું રક્ષણ કરે છે તેમ આ ઇન્દ્ર સમસ્ત વિદ્યાધરોનો રક્ષક છે.
કેવો છે ઇન્દ્ર? જેણે પાસે પડેલા વજ્ર તરફ જોયું છે, જેનાં નેત્ર લાલ થઈ ગયાં છે. તેણે
કહ્યું કે હું લોકપાલ છું, લોકોની રક્ષા કરું, જે લોકના કંટક હોય તેને પકડીને મારું અને
તે પોતે જ લડવા આવ્યો છે તો એના જેવું બીજું રૂડું શું? પછી રણનાં નગારાં
વગાડવામાં આવ્યા. તેના અવાજથી મત્ત હાથીઓ ગજબંધનને ઉખાડવા લાગ્યા. સમસ્ત
વિદ્યાધરો યુદ્ધનો સાજ સજીને ઇન્દ્ર પાસે આવ્યા. બખ્તર પહેરીને, હાથમાં અનેક પ્રકારનાં
આયુધ લઈને, પરમ હર્ષિત થતા કેટલાક ઘોડા ઉપર ચડયા તથા હાથી, ઊંટ, સિંહ, વાઘ,
શિયાળ, મૃગ, હંસ, બકરા, બળદ, ઘેટાં વગેરે માયામયી અનેક વાહનો પર બેસીને
આવ્યા, કેટલાક વિમાનમાં બેઠા, કેટલાક મોર ઉપર બેઠા, કેટલાક ખચ્ચર પર ચડીને
આવ્યા. ઇન્દ્રે જે લોકપાલ સ્થાપ્યા હતા તે પોતપોતાના વર્ગસહિત અનેક પ્રકારનાં
હથિયારો સાથે આવ્યા. તેમની ભ્રમર વાંકી હતી અને મુખ ભયાનક હતાં. ઐરાવત હાથી
ઉપર ઇન્દ્ર ચડયા, બખ્તર પહેર્યું શિર પર છત્ર ધરેલું હતું, તે રથનૂપુરમાંથી બહાર
નીકળ્યા. સેનાના વિદ્યાધરો જે દેવ કહેવરાવતા તે દેવો અને લંકાના રાક્ષસો વચ્ચે મહાયુદ્ધ થયું.
ઘોડા સાથે ઘોડા, પ્યાદાં સાથે પ્યાદાં લડયા. કૂહાડા, મુદ્ગલ, ચક્ર, ખડ્ગ, ગોફણ, મુશળ,
ગદા, પાશ ઈત્યાદિ અનેક આયુધોથી યુદ્ધ થયું. દેવોની સેનાએ કેટલાક રાક્ષસોનું બળ
ઘટાડયું ત્યારે વાનરવંશી રાજા સૂર્યરજ અને રક્ષરજ જે રાક્ષસવંશીઓના પરમ મિત્ર હતા
તેમણે રાક્ષસોની સેનાને દબાયેલી જોઈને યુદ્ધમાં ઝંપલાવ્યું. તેમના યુદ્ધથી સમસ્ત ઇન્દ્રની
સેનાના દેવજાતિના વિદ્યાધરો પાછા હઠયા. એમનું બળ મેળવીને લંકાના રાક્ષસકુલી
વિદ્યાધરો મહાયુદ્ધ કરવા લાગ્યા. અસ્ત્રોના સમૂહથી આકાશમાં અંધકાર ફેલાવી દીધો.
રાક્ષસ અને વાનરવંશીઓ દ્વારા દેવોનું બળ હરાયેલું જોઈને ઇન્દ્ર પોતે યુદ્ધ કરવાને તેયાર
થયો. સમસ્ત રાક્ષસવંશી અને વાનરવંશી
Page 76 of 660
PDF/HTML Page 97 of 681
single page version
મહાન યોદ્ધો ઈન્દ્ર જરા પણ ખેદ ન પામ્યો. તેણે પોતાને કોઈનું પણ બાણ લાગવા ન
દીધું, બધાનાં બાણ કાપી નાખ્યાં અને પોતાનાં બાણોથી વાનર અને રાક્ષસોને દબાવ્યા. તે
વખતે રાજા માલીએ લંકાની સેનાને ઈન્દ્રના બળથી વ્યાકુળ બનેલી જોઈને ઈન્દ્ર સાથે
યુદ્ધ કરવા માટે પોતે તૈયારી કરી. રાજા માલીએ ક્રોધથી ઊપજેલા તેજથી સમસ્ત
આકાશમાં ઉદ્યોત ફેલાવી દીધો. ઈન્દ્ર અને માલી વચ્ચે મહાન યુદ્ધ થયું. માલીના કપાળમાં
ઈન્દ્રે બાણ માર્યું, પણ માલીએ તે બાણની વેદના ગણકાર્યા વિના ઈન્દ્રના કપાળમાં
શક્તિનો પ્રહાર કર્યો. ઈન્દ્રના કપાળમાંથી લોહી ટપકવા લાગ્યું. માલી ઊછળીને ઈન્દ્ર પર
ધસી આવ્યો અને ઈન્દ્રે અત્યંત ક્રોધથી સૂર્યના બિંબ સમાન ચક્રથી માલીનું મસ્તક કાપી
નાખ્યું. માલી ભૂમિ પર પડયો ત્યારે સુમાલી માલીને મરેલો જોઈને અને ઈન્દ્રને મહા
બળવાન જાણીને સમસ્ત પરિવાર સહિત નાસવા લાગ્યો. સુમાલીને ભાઈના મરણનું
અત્યંત દુઃખ થયું. જ્યારે આ રાક્ષસવંશી અને વાનરવંશી ભાગવા લાગ્યા ત્યારે ઈન્દ્ર
તેમની પાછળ પડયો ત્યારે સ્વામીની ભક્તિમાં તત્પર એવા સોમ નામના લોકપાલે
ઈન્દ્રને વિનંતી કરી કે હે પ્રભો! જ્યારે મારા જેવો સેવક શત્રુને મારવામાં સમર્થ છે તો
પછી આપ એની પાછળ શા માટે જાવ છો? મને આજ્ઞા આપો. હું શત્રુને નિર્મૂળ કરીશ.
ઈન્દ્રે તેને આજ્ઞા કરી અને એ આજ્ઞા પ્રમાણ ગણીને તે પાછળ પડયો, શત્રુ ઉપર તેણે
બાણ વરસાવ્યાં. તે બાણોથી વાનર અને રાક્ષસની સેના વીંધાઈ ગઈ. જેમ મેઘની
ધારાથી ગાયોનું ધણ વ્યાકુળ થઈ જાય, તેમ તેમની સેના વ્યાકુળ બની ગઈ. પોતાની
સેનાને વ્યાકુળ બનેલી જોઈને સુમાલીનો નાનો ભાઈ માલ્યવાન ગર્જના કરતો સોમ તરફ
ધસ્યો અને સોમની છાતીમાં ભિણ્ડિપાલ નામનું હથિયાર માર્યું તેથી તે મૂર્ચ્છિત થઈ ગયો.
જ્યાં સુધી તે મૂર્ચ્છિત રહ્યો ત્યાં સુધીમાં રાક્ષસવંશી અને વાનરવંશી વિદ્યાધરો
પાતાલલંકામાં પહોંચી ગયા. જાણે કે તેમને નવો જન્મ મળ્યો, સિંહના મુખમાંથી નીકળ્યા
હોય તેવું લાગ્યું. જ્યારે સોમ જાગ્રત થયો ત્યારે તેણે સર્વ દિશા શત્રુથી રહિત દેખી.
લોકોએ જેનો યશ ગાયો એવો તે પ્રસન્ન થઈને ઈન્દ્રની પાસે ગયો. ઈન્દ્ર વિજય પામીને
ઐરાવત હાથી પર ચડયો. લોકપાલોથી શોભતો, શિર પર છત્ર ધારણ કરેલો, ચામર જેના
પર ઢોળાતા હતા અને જેની આગળ અપ્સરાઓ નૃત્ય કરતી હતી એવો તે અત્યંત
ઉત્સાહથી મહાવિભૂતિ સહિત રથનૂપુરમાં પ્રવેશ્યો. રથનૂપુર રત્નમયી વસ્ત્રોની ધજાઓથી
શોભે છે, ઠેકઠેકાણે તોરણો બાંધવામાં આવ્યાં છે. જ્યાં ફૂલોના ઢગલા થઈ રહ્યા છે, અનેક
પ્રકારની સુગંધથી દેવલોક સમાન લાગે છે, સુંદર સ્ત્રીઓ ઝરૂખામાં બેસીને ઈન્દ્રની શોભા
જોઈ રહી છે. ઈન્દ્રરાજ મહેલમાં આવ્યા, વિનયપૂર્વક માતાપિતાને પગે લાગ્યા ત્યારે
માતાપિતાએ માથે હાથ મૂકીને તથા ગાત્રસ્પર્શ કરીને આશીષ આપી. ઈન્દ્ર વેરીને જીતીને
અતિ આનંદ પામ્યો. તેણે પ્રજાપાલનમાં તત્પર રહી, ઈન્દ્ર સમાન ભોગ ભોગવ્યા.
વિજ્યાર્ધ પર્વત સ્વર્ગ સમાન અને આ રાજા ઈન્દ્ર સર્વ લોકમાં પ્રસિદ્ધ થયા.
Page 77 of 660
PDF/HTML Page 98 of 681
single page version
રાણી અદિતિનો પુત્ર સોમ નામનો લોકપાલ જ્યોતિપુર નગરમાં ઇન્દ્રે સ્થાપ્યો છે, તે પૂર્વ
દિશાનો લોકપાલ છે. રાજા મેઘરથની રાણી વરુણાના પુત્ર વરુણને ઇન્દ્રે મેઘપુર નગરમાં
પશ્ચિમ દિશાના લોકપાલ તરીકે સ્થાપ્યો છે. તેની પાસે પાશ નામનું આયુધ છે, જેનું નામ
સાંભળતાં શત્રુઓ અત્યંત ડરે છે. રાજા કિહકંધ સૂર્યની રાણી કનકાવલીનો પૂત્ર કુબેર
મહાવિભૂતિવાન છે. ઇન્દ્રે તેને કાંચનપુરમાં સ્થાપ્યો અને ઉત્તર દિશાનો લોકપાલ બનાવ્યો.
રાજા બાલાગ્નિ વિદ્યાધરની રાણી શ્રીપ્રભાના અત્યંત તેજસ્વી પુત્ર યમને ઇન્દ્રે કિહકુંપુરમાં
સ્થાપ્યો અને દક્ષિણ દિશાનો લોકપાલ સ્થાપ્યો. અસુર નામના નગરના નિવાસી
વિદ્યાધરોને અસુર ગણ્યા અને યક્ષકીર્તિ નામના નગરના વિદ્યાધરોને યક્ષ ઠરાવ્યા. કિન્નર
નગરના કિન્નર, ગંધર્વનગરના ગંધર્વ ઇત્યાદિ વિદ્યાધરોને દેવસંજ્ઞા આપવામાં આવી.
ઇન્દ્રની પ્રજા દેવ જેવી ક્રીડા કરે છે. આ રાજા ઇન્દ્ર મનુષ્યયોનિમાં લક્ષ્મીનો વિસ્તાર
પામી, લોકોની પ્રશંસા મેળવી પોતાને ઇન્દ્ર જ માનવા લાગ્યો અને બીજો કોઈ સ્વર્ગલોક
છે, ઇન્દ્ર છે, દેવ છે એ બધી વાત ભૂલી ગયો. તેણે પોતાને જ ઇન્દ્ર માન્યો,
વિજ્યાર્ધગિરિને સ્વર્ગ માન્યું, પોતાના સ્થાપેલાને લોકપાલ માન્યા અને વિદ્યાધરોને દેવ
માન્યા. આ પ્રમાણે તે ગર્વિષ્ઠ બન્યો કે મારાથી અધિક પૃથ્વી ઉપર બીજું કોઇ નથી, હું જ
સર્વનું રક્ષણ કરું છું. એ બન્ને શ્રેણીઓનો અધિપતિ બનીને એવો ગર્વ કરવા લાગ્યો કે
હું જ ઇન્દ્ર છું.
તે યજ્ઞપુર નગરનો સ્વામી હતો. તેને વૈશ્રવણ નામે પુત્ર થયો. તેનાં લક્ષણો શુભ હતા
અને નેત્ર કમળ સરખાં. ઇન્દ્રે તેને બોલાવીને ખૂબ સન્માન આપ્યું અને લંકાનું થાણું
સોંપ્યું. તેને કહ્યું કે મારે પહેલાં ચાર લોકપાલ છે તેવો જ તું મહાબળવાન છો. વૈશ્રવણે
તેને વિનંતી કરી હે પ્રભુ! આપ જે આજ્ઞા કરશો તે પ્રમાણે હું કરીશ. આમ કહી ઈન્દ્રને
પ્રણામ કરીને તે લંકામાં ચાલ્યો. ઈન્દ્રની આજ્ઞા પ્રમાણ કરીને તે લંકાના થાણે રહ્યો. તેને
રાક્ષસોની બીક નહોતી. તેની આજ્ઞા વિદ્યાધરો પોતાના માથે ચડાવતા.
નિમિત્તે તેનું પ્રભુત્વ હતું, પંડિતોના ભલા માટે તેનું પ્રવીણપણું, ભાઈઓના ઉપકાર
નિમિત્તે તેની લક્ષ્મી, દરિદ્રીઓના ઉપકાર નિમિત્તે તેનું ઐશ્વર્ય, સાધુઓની સેવા નિમિત્તે
તેનું શરીર અને જીવોના કલ્યાણ માટે તેનાં વચનો હતાં. જેનું મન સુકૃતનું સ્મરણ કરતું,
ધર્માર્થે તે જીવતો, તેનો સ્વભાવ શૂરવીરનો હતો, પિતા સમાન તે સર્વે જીવો પ્રત્યે દયાળુ
હતો, પરસ્ત્રી તેને માતા સમાન હતી, પરદ્રવ્ય
Page 78 of 660
PDF/HTML Page 99 of 681
single page version
ગણતરી કરવામાં આવે તો તેનો નંબર પ્રથમ આવે. દોષવાનોની ગણતરી કરવામાં આવે
તો તેમાં તેનું નામ આવે નહિ. તેનું શરીર અદ્ભુત પરમાણુઓથી બન્યું હતું, એનામાં
જેવી શોભા હતી તેવી બીજે ઠેકાણે દુર્લભ હતી. વાતચીતમાં જાણે કે અમૃતનું જ સીંચન
કરતા. યાચકોને મહાન દાન કરતા. ધર્મ, અર્થ, કામમાં બુદ્ધિમાન, ધર્મપ્રિય, નિરંતર ધર્મનો
જ યત્ન કરતા, જન્માન્તરથી ધર્મ લઈને આવ્યા હતા. યશ તેમનું આભૂષણ અને ગુણ
તેમનું કુટુંબ હતું. તે ધીર વીરવેરીઓનો ભય ત્યાગીને વિદ્યા સાધન માટે પુષ્પક નામના
વનમાં ગયા. તે વન ભૂત, પિશાચાદિકના શબ્દથી અતિભયંકર હતું. આ ત્યાં વિદ્યા સાધે
છે. રાજા વ્યોમબિંદુએ પોતાની પુત્રી કેકસીને એની સેવા કરવા માટે એની પાસે મોકલી.
તે સેવા કરતી, હાથ જોડતી, તેમની આજ્ઞાની અભિલાષા રાખતી. કેટલાક દિવસો પછી
રત્નશ્રવાનો નિયમ પૂરો થયો, સિદ્ધોને નમસ્કાર કરી તેણે મૌન છોડયું. તેણે કેકસીને
એકલી જોઈ. કેકસીનાં નેત્ર સરળ હતાં, તેનું મુખકમળ લાલ અને નીલકમળ સમાન
સુંદર હતું, કુન્દપુષ્પ સમાન દંતાવલી હતી, પુષ્પોની માળા જેવી કોમળ સુંદર ભુજાઓ
હતી. કોમળ, મનોહર અધર મૂંગા (લાલ રત્ન) સમાન હતા, મોલશ્રીનાં પુષ્પોની સુગંધ
સમાન તેનો નિશ્વાસ હતો, તેનો રંગ ચંપાની કળી સમાન હતો. જાણે કે લક્ષ્મી
રત્નશ્રવાના રૂપને વશ થઈને કમળોને નિવાસ છોડી સેવા કરવા આવી છે. તેના નેત્ર
ચરણો તરફ છે, લજ્જાથી તેનું શરીર નમેલું છે, પોતાના રૂપ અને લાવણ્યથી કૂંપળોની
શોભાને ઓળંગી જતી, શ્વાસની સુગંધથી જેના મુખ ઉપર ભમરા ગુંજારવ કરી રહ્યા છે,
તેનું શરીર અતિ સુકુમાર છે, યૌવનની શરૂઆત છે, જાણે કે તેની અતિસુકુમારતાના
ભયથી યૌવન પણ તેને સ્પર્શતાં શંકા કરે છે. સમસ્ત સ્ત્રીઓનું રૂપ એકઠું કરીને જેની
અદ્ભુત સુંદરતા બનાવવામાં આવી હોય કે સાક્ષાત્ વિદ્યા જ શરીર ધારણ કરીને
રત્નશ્રવાના તપથી વશ થઈને મહાકાંતિની ધારક આવી હોય તેવી લાગે છે. ત્યારે જેનો
સ્વભાવ જ દયાળુ છે એવા રત્નશ્રવાએ કેકસીને પૂછયું કે તું કોની પુત્રી છે? શા માટે
ટોળામાંથી વિખૂટી પડેલી મૃગલી સમાન એકલી વનમાં રહે છે? તારું નામ શું છે? તેણે
અત્યંત માધુર્યતાથી જવાબ આપ્યો કે હે દેવ! રાજા વ્યોમબિંદુની રાણી નંદવતીની કેકસી
નામની હું પુત્રી છું. આપની સેવા કરવા માટે પિતાજીએ મને મોકલી છે. તે જ વખતે
રત્નશ્રવાને માનસ્તંભિની નામની વિદ્યા સિદ્ધ થઈ. તે વિદ્યાના પ્રભાવથી તે જ વનમાં
પુષ્પાંતક નામનું નગર વસાવ્યું અને કેકસીને વિધિપૂર્વક પરણ્યો. તે જ નગરમાં રહીને
મનવાંછિત ભોગ ભોગવવા લાગ્યો. પ્રિયા અને પ્રિયતમ વચ્ચે અદ્ભુત પ્રીતિ હતી. તેઓ
એક ક્ષણ માટે પણ આપસમાં વિયોગ સહન કરી શકતા નહિ. આ કેકસી રત્નશ્રવાના
ચિત્તનું બંધન થતી ગઈ. બન્ને અત્યંત રૂપાળા, નવયુવાન, ધનવાન અને ધર્મના
પ્રભાવથી તેમને કોઈ પણ વસ્તુની કમી નહોતી. આ પતિવ્રતા રાણી પતિની છાયા સમાન
અનુગામિની થતી.
Page 79 of 660
PDF/HTML Page 100 of 681
single page version
રહ્યો હતો, રાણીના શરીરની સુગંધથી ભમરા ગુંજારવ કરતા હતા, રાણી મનમોહક
પોતાના પતિના ગુણોનું ચિંતવન અને પુત્રના જન્મની વાંછના કરતી પડી હતી. તેણે
રાત્રિના પાછલા પહોરે આશ્ચર્યકારક શુભ સ્વપ્નો જોયાં પ્રભાતે અનેક વાજા વાગ્યાં,
શંખધ્વનિ થયો, ચારણો બિરદાવલી ગાવા લાગ્યા. રાણી પથારીમાંથી ઊઠી, પ્રાતઃકર્મથી
નિવૃત્ત થઈ, મંગળ આભૂષણ પહેરી, સખીઓ સહિત પતિ પાસે આવી. રાણીને જોઈને
રાજા ઊભા થયા અને ખૂબ આદર આપ્યો. બન્ને એક સિંહાસન ઉપર બેઠા. રાણીએ હાથ
જોડી રાજાને વિનંતી કરી હે કે નાથ! આજે રાત્રિના ચોથા પહોરે મેં ત્રણ શુભ સ્વપ્ન
જોયાં. એક મહાબળવાન સિંહ ગર્જના કરતો અનેક ગજેન્દ્રોના કુંભસ્થળ વિદારતો, અત્યંત
તેજ ધારણ કરતો આકાશમાંથી પૃથ્વી ઉપર આવીને મારા મુખમાં થઈને કુક્ષિમાં દાખલ
થયો. બીજું સૂર્ય પોતાનાં કિરણોથી અંધકાર દૂર કરતો મારી ગોદમાં આવીને બેઠો. ત્રીજું
અખંડ છે મંડલ જેનું એવા ચંદ્ર કુમુદોને પ્રફુલ્લિત કરતો અને અંધકારને દૂર કરતો મેં
મારી સામે જોયો. મેં દેખેલ આ અદ્ભુત સ્વપ્નોનું ફળ શું છે? તમે બધું જાણો છો.
સ્ત્રીઓને પતિની આજ્ઞા પ્રમાણ હોય છે. આ વાત સાંભળી રાજાએ સ્વપ્નનું ફળ બતાવ્યું.
રાજા અષ્ટાંગ નિમિત્તના જાણનાર, જિનમાર્ગમાં પ્રવીણ છે. હે પ્રિયે! તને ત્રણ પુત્ર થશે.
તેમની કીર્તિ ત્રણ જગતમાં ફેલાશે. મહાપરાક્રમી, કુળની વૃદ્ધિ કરનારા, પૂર્વોપાર્જિત
પુણ્યથી દેવ સમાન મહાન સંપતિનાં ભોક્તા, પોતાની દીપ્તિ અને કીર્તિથી સૂર્યચંદ્રને
જીતનારા, સમુદ્રથી અધિક ગંભીર, પર્વતથી અધિક સ્થિર, સ્વર્ગના દૈવી સુખ ભોગવીને
મનુષ્યદેહ ધારણ કરશે. દેવોથી પણ અજિત, મનવાંછિત દાન દેનાર, કલ્પવૃક્ષ સમાન અને
ચક્રવર્તી સમાન ઋદ્ધિધારક, પોતાના રૂપથી સુંદર સ્ત્રીઓના મન હરનાર, અનેક શુભ
લક્ષણોથી મંડિત, ઉત્તુંગ વક્ષસ્થળવાળા, જેનું નામ સાંભળતાં જ મહાબળવાન વેરી ભય
પામે એવા ત્રણમાં પ્રથમ પુત્ર આઠમા પ્રતિવાસુદેવ થશે. ત્રણે ભાઈ મહાસાહસી,
શત્રુઓના મુખરૂપ કમળોનો સંકોચ દૂર કરવાને ચંદ્ર સમાન એવા યોદ્ધા થશે કે યુદ્ધનું
નામ સાંભળતાં જ તેમને હર્ષથી રોમાંચ થશે, મોટોભાઈ કાંઈક ભયંકર થશે. જે વસ્તુની
હઠ પકડશે તેને છોડશે નહિ. તેને ઇન્દ્ર પણ સમજાવી નહિ શકે. પતિનું આવું વચન
સાંભળીને રાણી પરમ હર્ષ પામી, વિનયથી સ્વામીને કહેવા લાગી. હે નાથ! આપણે બન્ને
જિનમાર્ગરૂપ અમૃતનો સ્વાદ લેનારા, કોમળ ચિત્તવાળા છીએ તો આપણો પુત્ર ક્રુર કર્મ
કરનાર કેમ થાય? આપણા પુત્રો તો જિનવચનમાં તત્પર, કોમળ પરિણામવાળા થવા
જોઈએ. અમૃતની વેલ ઉપર વિષનાં પુષ્પ કેમ ઊગે? ત્યારે રાજાએ કહ્યું કે હે સુંદર
મુખવાળી! તું મારી વાત સાંભળ. આ જીવ પોતપોતાનાં કર્મ પ્રમાણે શરીર ધારણ કરે છે
તેથી કર્મ જ મૂળ કારણ છે, આપણે મૂળ કારણ નથી, આપણે નિમિત્ત કારણ છીએ. તારો
મોટો પુત્ર જિનધર્મી તો થશે પણ કાંઈક ક્રુર પરિણામી થશે અને તેના બન્ને નાના
ભાઈઓ મહાધીર, જિનમાર્ગમાં પ્રવીણ, ગુણગ્રામથી પૂર્ણ, ભલી ચેષ્ટા કરનાર, શીલના
સાગર થશે. સંસારભ્રમણનો જેમને ભય છે, ધર્મમાં