Padmapuran (Gujarati). Parva 8 - Dashananna (Ravanna) kutumbadhino parichay ane vaibhavnu digdarshan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 6 of 35

 

Page 80 of 660
PDF/HTML Page 101 of 681
single page version

background image
૮૦સપ્તમ પર્વપદ્મપુરાણ
અતિદ્રઢ, મહાદયાવાન, સત્યવચનના અનુરાગી બન્ને થશે. તે બન્નેને એવો જ સામ્ય
કર્મનો ઉદય છે. હે કોમળ ભાષિણી! હે દયાવતી! પ્રાણી જેવાં કર્મ કરે છે તેવું જ શરીર
ધારણ કરે છે; એમ કહીને તે બેય રાજારાણી જિનેન્દ્રની મહાપૂજા કરવા ગયા. તે બન્ને
રાતદિવસ નિયમધર્મમાં સાવધાન છે.
ત્યાર પછી પ્રથમ જ ગર્ભમાં રાવણ આવ્યો ત્યારે માતાની ચેષ્ટા કાંઈક ક્રૂર થતી
ગઈ. તેને એવી ઈચ્છા થઈ કે વેરીઓનાં શિર ઉપર પગ મૂકું, રાજા ઇન્દ્ર ઉપર આજ્ઞા
ચલાવું. વિના કારણે ભ્રમર વક્ર કરવી, કઠોર વાણી બોલવી એવી ચેષ્ટા તેને થઈ.
શરીરમાં ખેદ નથી, દર્પણ હાજર હોવા છતાં ખડ્ગમાં મુખ જોવું, સખીઓ પ્રત્યે ખિજાઈ
જવું, કોઈની બીક ન રાખવી, એવી ઉદ્ધત ચેષ્ટા થવા લાગી. નવમા મહિને રાવણનો
જન્મ થયો. જે સમયે પુત્ર જન્મ્યો તે વખતે શત્રુઓના આસન કંપી ઊઠયા. સૂર્ય જેવી
કાંતિવાળા બાળકને જોઈને પરિવારના લોકોના નેત્ર ચકિત થયા. દેવદુંદુભી વાજા વાગવા
લાગ્યા. શત્રુનાં ઘરોમાં અનેક ઉત્પાત થવા લાગ્યા. માતાપિતાએ પુત્રના જન્મનો અતિહર્ષ
કર્યો. પ્રજાના સર્વ ભય મટી ગયા. પૃથ્વીનો પાલાક જન્મ્યો. રત્નશ્રવાએ ઘણું દાન આપ્યું.
પહેલાં એમના વડીલ જે રાજા મેઘવાહન રાજા થયા હતા તેમને રાક્ષસોના ઇન્દ્ર ભીમે હાર
આપ્યો હતો તેની હજાર નાગકુમાર દેવ રક્ષા કરતા હતા. તે હાર પાસે પડયો હતો તે
પ્રથમ દિવસે જ બાળકે ખેંચી લીધો. બાળકની મુઠ્ઠીમાં હાર જોઈને માતા આશ્ચર્ય પામી
અને અત્યંત સ્નેહથી બાળકને છાતીએ ચાંપ્યો, માથું ચૂમ્યું અને પિતાએ હાર સહિત
બાળકને જોઈને મનમાં વિચાર્યું કે આ કોઈ મહાપુરુષ છે, હજાર નાગકુમાર જેની સેવા
કરે છે એવા હાર સાથે તરત જન્મેલો બાળક ક્રીડા કરવા લાગ્યો. આ સામાન્ય પુરુષ
નથી. આની શક્તિ બધા મનુષ્યોને ઓળંગી જશે. પહેલાં ચારણ મુનિઓએ મને કહ્યું હતું
કે તારે ત્યાં પદવીધર પુત્ર જનમશે. આ પ્રતિવાસુદેવ શલાકા પુરુષ પ્રગટ થયા છે. હારના
યોગથી પિતાને પુત્રના દસમુખ દેખાયા તેથી તેનું નામ દશાનન પાડયું. પછી થોડા વખતે
કુંભકર્ણનો જન્મ થયો, જેનું તેજ સૂર્ય સમાન હતું. ત્યારપછી કેટલાક કાળે પૂર્ણમાસીના
ચન્દ્ર સમાન મુખવાળી ચન્દ્રનખા બહેન જન્મી અને પછી વિભીષણનો જન્મ થયો. તે
મહાસૌમ્ય, ધર્માત્મા, પાપકર્મથી રહિત, જાણે સાક્ષાત્ ધર્મે જ દેહ ધારણ કર્યો હતો. જો કે
જેના ગુણોની કીર્તિ જગતમાં ગવાય છે એવા દશાનનની બાલક્રીડા દુષ્ટોને ભયરૂપ થતી
અને બન્ને નાના ભાઈઓની ક્રીડા સૌમ્યરૂપ થતી. કુંભકર્ણ અને વિભીષણ બન્નેની વચ્ચે
ચન્દ્રનખા સૂર્યચન્દ્રની વચ્ચે સન્ધ્યા સમાન શોભતી હતી. રાવણ બાલ્યાવસ્થા વીતાવીને
કુમારાવસ્થામાં આવ્યો. એક દિવસ રાવણ પોતાની માતાની ગોદમાં બેઠો હતો. તેના
દાંતની કાંતિથી દશે દિશામાં ઉદ્યોત થતો હતો, તેના મસ્તક ઉપર ચૂડામણિ રત્ન ધારણ
કરેલું હતું. તે વખતે વૈશ્રવણ આકાશમાર્ગે જઈ રહ્યો હતો તે રાવણની ઉપર થઈને
નીકળ્‌યો. પોતાની કાંતિથી પ્રકાશ કરતો, વિદ્યાધરોથી યુક્ત, મહાન વૈભવનો સ્વામી, મેઘ
સમાન અનેક હાથીઓનો સમૂહ જેમના મદની ધારા વરસતી હતી, જેમની વીજળી સમાન

Page 81 of 660
PDF/HTML Page 102 of 681
single page version

background image
પદ્મપુરાણસપ્તમ પર્વ૮૧
સાંકળ ચમકતી હતી, તેવો મહાન અવાજ કરતો આકાશમાર્ગે નીકળ્‌યો તેથી દશે દિશાઓ
અવાજમય બની ગઈ. આકાશ સેનાથી ઘેરાઈ ગયું. રાવણે ઊંચી નજર કરીને જોયું અને
મોટો ઠાઠમાઠ દેખીને માતાને પૂછયું કે એ કોણ છે અને પોતાના મદથી જગતને તૃણ
સમાન ગણતો, આવડી મોટી સેના સાથે ક્યાં જાય છે? ત્યારે માતાએ કહ્યું, “તારી
માસીનો પુત્ર છે, તેણે બધી વિદ્યા સિદ્ધ કરી છે, મહા લક્ષ્મીવાન છે, શત્રુઓને ભય
પમાડતો પૃથ્વી ઉપર ધૂમે છે, અત્યંત તેજસ્વી છે જાણે બીજો સૂર્ય જ છે, રાજા ઈન્દ્રનો
લોકપાલ છે. ઇન્દ્રે તારા દાદાના ભાઈ માલીને યુદ્ધમાં હરાવ્યા હતા અને તમારા કુળમાં
ચાલી આવતી જે લંકાપુરી, ત્યાંથી તારા દાદાને હાંકી કાઢીને એને રાખ્યો છે તે લંકામાં
થાણું સ્થાપીને રહે છે. આ લંકા માટે તારા પિતા નિરંતર અનેક મનોરથ કરે છે,
રાતદિવસ તેમને ચેન પડતું નથી અને એ ચિંતામાં હું પણ સૂકાઈ ગઈ છું. બેટા!
સ્થાનભ્રષ્ટ થવા કરતાં મરણ સારું. એવો દિવસ ક્યારે આવશે. જ્યારે તું આપણા કુળની
ભૂમિ પ્રાપ્ત કરે અને તારી લક્ષ્મી અમે જોઈએ, તારી વિભૂતિ જોઈને તારા પિતાનું અને
મારું મન આનંદ પામે, એવો દિવસ ક્યારે આવશે? જ્યારે તારા આ બેય ભાઈઓને
વિભૂતિ સહિત તારી સાથે આ પૃથ્વી ઉપર પ્રતાપસહિત અમે જોઈશું, ત્યારે કંટક નહિ
રહે.” માતાના દીન વચન સાંભળીને અને તેને આંસુ સારતી જોઈને વિભીષણે ક્રોધથી
કહ્યું કે, હે માતા! ક્યાં આ રંક વૈશ્રવણ વિદ્યાધર, જે દેવ થાય તો પણ અમારી નજરમાં
ગણતરીમાં આવતો નથી. તમે એના આટલા પ્રભાવનું વર્ણન કર્યું તે શા માટે? તમે
યોદ્ધાઓને જન્મ આપનારી માતા છો, મહાધીર છો અને જિનમાર્ગમાં પ્રવીણ છો. આ
સંસારની ક્ષણભંગુર માયા તમારાથી છાની નથી, તો પછી શા માટે આવાં દીન વચનો
કાયર સ્ત્રીઓની જેમ તમે બોલો છો? શું તમને રાવણની ખબર નથી?
મહાશ્રીવત્સલક્ષણથી મંડિત, અદ્ભુત પરાક્રમનો ધારક, અત્યંત બળવાન ચેષ્ટા જેની છે, તે
ભસ્મથી જેમ અગ્નિ દબાયેલ રહે એમ મૌન ધારણ કરીને બેઠો છે. એ સમસ્ત શત્રુઓને
ભસ્મ કરવાને સમર્થ છે. તમારા ખ્યાલમાં હજી એ આવ્યું નથી. આ રાવણ પોતાની
ચાલથી ચિત્તને પણ જીતે છે અને હાથની ચપટીથી પર્વતોનો ચૂરો કરી નાખે છે, એના
બન્ને હાથ ત્રિભુવનરૂપ મહેલના સ્થંભ છે અને પ્રતાપનો રાજમાર્ગ છે. શું તમને એની
ખબર નથી? આ પ્રમાણે વિભીષણે રાવણના ગુણોનું વર્ણન ર્ક્યું. ત્યારે રાવણ માતાને
કહેવા લાગ્યોઃ હે માતા! ગર્વનાં વચન બોલવા યોગ્ય નથી, પરંતુ તમારો સંદેહ ટાળવા માટે હું
સત્ય કહું છું તે તમે સાંભળો. જો આ બધા વિદ્યાધરો અનેક પ્રકારની વિદ્યાથી છકેલા બન્ને
શ્રેણીના ભેગા થઈને મારી સાથે યુદ્ધ કરે તો પણ હું બધાને એક જ હાથથી જીતી લઉં.
(રાવણનું બન્ને ભાઈઓ સાથે ભીમ નામના મહાવનમાં વિદ્યાસાધન)
તો પણ આપણા વિદ્યાધરોના કુળમાં વિદ્યા સાધવી તે ઉચિત છે, તે કરવામાં લાજ
નથી. જેમ મુનિરાજ તપનું આરાધન કરે છે તેમ વિદ્યાધર વિદ્યાની આરાધના કરે છે,
અમારે પણ તે કરવી યોગ્ય છે. આમ કહીને બન્ને ભાઈઓ સહિત માતાપિતાને નમસ્કાર
કરી, નવકાર

Page 82 of 660
PDF/HTML Page 103 of 681
single page version

background image
૮રસપ્તમ પર્વપદ્મપુરાણ
મંત્રનું ઉચ્ચારણ કરી રાવણ વિદ્યા સાધવા ચાલ્યો. માતાપિતાએ મસ્તક ચૂમ્યું અને
આશિષ આપી. જેમણે પવિત્ર સંસ્કાર પ્રાપ્ત ર્ક્યા છે, જેમનું ચિત્ત સ્થિર છે, એવા તે
ઘરમાંથી નીકળી આનંદરૂપ થઈ ભીમ નામના મહાવનમાં પ્રવેશ્યા. તે વનમાં સિંહાદિ ક્રૂર
પ્રાણીઓ ગર્જી રહ્યાં છે, વિકરાળ દાઢ અને વદનવાળા સૂતેલા અજગરોના નિશ્વાસથી
કંપાયમાન છે મોટાં મોટાં વૃક્ષો જ્યાં અને નીચે વ્યંતરોના સમૂહ રહે છે તેમનાં પગલાંથી
પૃથ્વીતળ કાંપી રહ્યું છે અને અત્યંત ઊંડી ગુફાઓમાં અંધકારનો સમૂહ ફેલાઈ રહ્યો છે.
મનુષ્યોની તો શી વાત, જ્યાં દેવ પણ જઈ શકે નહિ, જેની ભયંકરતા પૃથ્વીમાં પ્રસિદ્ધ છે,
જ્યાં પર્વત છે, ગુફા અંધકારમય છે, વૃક્ષો કંટકરૂપ છે, મનુષ્યોનો સંચાર નથી, ત્યાં આ
ત્રણે ભાઈ ઉજ્જવળ ધોતીદુપટ્ટા ધારણ કરી, શાંતભાવરૂપ થઈને, બધી તૃષ્ણાનો ત્યાગ
કરી, વિદ્યાને અર્થે તપ કરવાને ઉદ્યમી થયા. તેમનાં ચિત્ત નિઃશંક છે, પૂર્ણ ચંદ્રમા સમાન
વદન છે, વિદ્યાધરોના શિરોમણિ જુદાં જુદાં વનમાં વિરાજે છે. તેમણે દોઢ દિવસમાં
અષ્ટાક્ષર મંત્રના લાખ જાપ ર્ક્યા તેથી ત્રણે ભાઈઓને સર્વકામપ્રદા વિદ્યા સિદ્ધ થઈ.
વિદ્યા એમને મનવાંછિત અન્ન પહોંચાડતી તેથી તેમને ક્ષુધાની વાંછા થતી નહિ. પછી એ
સ્થિરચિત્ત થઈને સહસ્ત્રકોટિ ષોડશાક્ષર મંત્ર જપવા લાગ્યા. તે વખતે જંબૂદ્વીપનો
અધિપતિ અનાવૃત્તિ નામનો યક્ષ પોતાની સ્ત્રી સાથે ક્રીડા કરવા આવ્યો. તેની દેવાંગના
આ ત્રણે ભાઈઓને મહારૂપવાન અને નવયુવાન જોઈને તથા તપમાં જેમનું મન
સાવધાન છે એમ જોઈને જિજ્ઞાસાથી તેમની સમીપે આવી. જેમનાં મુખ કમળ સમાન છે
અને શ્યામસુંદર કેશ ભ્રમર સમાન છે એવી એ આપસમાં બોલીઃ “અહો! આ કોમળ
શરીર અને વસ્ત્રાભરણરહિત રાજકુમારો શા માટે તપ કરે છે? એમના આવાં શરીરની
કાંતિ ભોગ વિના શોભતી નથી. ક્યાં એમની યુવાન ઉંમર અને ક્યાં આ ભયાનક
વનમાં એમનું તપ?” પછી એમને તપમાંથી ડગાવવા માટે કહેવા લાગીઃ “હે મન્દબુદ્ધિ!
તમારું આ રૂપાળું શરીર ભોગનું સાધન છે, યોગનું સાધન નથી. માટે શા કારણે તપનો
ખેદ કરો છો? ઊઠો, ઘરે જાવ, હજી પણ કાંઇ બગડયું નથી.” ઇત્યાદિ અનેક વચનો
કહ્યાં, પણ તેમનાં મનમાં એકપણ આવ્યું નહિ, જેમ કમળપત્ર ઉપર જળનું બિંદુ ઠરતું
નથી તેમ. ત્યારે તેઓ આપસમાં બોલવા લાગીઃ હે સખી! એ તો કાષ્ઠમય છે. એમનાં
બધાં અંગ નિશ્ચલ દેખાય છે. આમ કહી ક્રોધાયમાન થઈ તત્કાળ સમીપમાં આવી એમની
વિશાળ છાતી ઉપર મુઠ્ઠીઓ મારી તો પણ તે ચલાયમાન ન થયા. તેમનું ચિત્ત સ્થિર હતું.
કાયર પુરુષ હોય તે પ્રતિજ્ઞાથી ડગે. દેવીઓના કહેવાથી અનાવૃત યક્ષે હસીને કહ્યુંઃ હે
સત્પુરુષો! શા માટે દુર્ધર તપ કરો છો અને ક્યા દેવની આરાધના કરો છો? આમ કહ્યું
તો પણ તેઓ બોલ્યા નહિ, ચિત્ર સમાન બની રહ્યા. ત્યારે અનાવૃત યક્ષે ક્રોધ કર્યો કે
જંબૂદ્વીપનો દેવ તો હું છું, મને છોડીને કોનું ધ્યાન કરો છો? એ મંદબુદ્ધિ છે. એમના ઉપર
ઉપદ્રવ કરવા માટે તેણે પોતાના સેવકોને આજ્ઞા કરી. નોકરો સ્વભાવથી જ ક્રૂર હતા અને
સ્વામીના કહેવાથી તેમણે અતિ અધિક ઉપદ્રવ ર્ક્યા. કેટલાક તો પર્વત ઉપાડીને લાવ્યા
અને તેમની સમીપે પછાડયા તેના ભયંકર અવાજ

Page 83 of 660
PDF/HTML Page 104 of 681
single page version

background image
પદ્મપુરાણસપ્તમ પર્વ ૮૩
થયા. કેટલાક સર્પ બનીને આખા શરીરે વીંટળાઈ વળ્‌યા. કેટલાક નાર બનીને મોઢું ફાડીને
ધસ્યા અને કેટલાકે તેમના કાનમાં એવી ગર્જના કરી કે જે સાંભળીને લોકો બહેરા થઈ
જાય. કેટલાક માયામયી ડાંસ બનીને એમના શરીરે કરડયા, માયમયી હાથી દેખાડયા,
ભયંકર પવન ચલાવ્યો, માયામયી દાવાનળ પ્રગટાવ્યો, આ પ્રમાણે અનેક ઉપદ્રવ ર્ક્યા તો
પણ એ ધ્યાનથી ડગ્યા નહિ. પછી દેવોએ માયામયી ભીલની સેના બનાવી. અંધકાર
સમાન કાળાં વિકરાળ આયુધો ધારણ કરી એવી માયા બતાવી કે પુષ્પાંતકનગર નાશ
પામ્યું છે અને મહાયુદ્ધમાં રત્નશ્રવાને કુટુંબ સહિત બંધાયેલો દેખાડયો, માતા કેકસીને
વિલાપ કરતી દેખાડી કે હે પુત્રો! આ ચાંડાલ ભીલોએ તમારા પિતા ઉપર મહાઉપદ્રવ
કર્યો છે, આ ચાંડાલો અમને મારે છે, પગમાં બેડી નાખી છે, માથાના વાળ ખેંચે છે. હે
પુત્રો! તમારી સામે થઈને આ મ્લેચ્છ ભીલ મને એમની પલ્લીમાં લઈ જાય છે. તમે
કહેતા હતા કે બધા વિદ્યાધરો ભેગા થઈને અમારી સાથે લડે તો પણ હું ન હારું તો આ
વાત તમે જૂઠી જ કહેતા હતાને? હવે તમારી સામે આ મ્લેચ્છ ચાંડાલ મને વાળ પકડીને
ખેંચીને લઈ જાય છે. તમે ત્રણેય ભાઈ આ મ્છેચ્છો સાથે લડવાને સમર્થ નથી, તમે કાયર
છો. હે દશગ્રીવ! વિભીષણ, તારાં વખાણ ખોટાં જ કરતો હતો. તું તો એક ગ્રીવા પણ
નથી, જે માતાની રક્ષા કરતો નથી, અને આ કુંભકર્ણ પણ અમારો પોકાર કાનથી
સાંભળતો નથી અને આ વિભીષણ કહેવરાવે છે તે નિરર્થક છે. એક ભીલ સાથે પણ
લડવાને તે સમર્થ નથી. આ મ્લેચ્છ તારી બહેન ચન્દ્રનખાને લઈ જાય છે તો પણ તમને
શરમ નથી આવતી? જે વિદ્યા સાધવાની છે તે તો માતાપિતાની સેવા માટે, તો પછી એ
વિદ્યા શું કામમાં આવશે? ઇત્યાદિ માયામયી ચેષ્ટા દેવોએ બતાવી તો પણ એ ધ્યાનમાંથી
ડગ્યા નહિ. ત્યારે દેવોએ એક ભયાનક માયા બતાવી અર્થાત્ રાવણની સમક્ષ રત્નશ્રવાનું
શિર કપાયેલું બતાવ્યું. રાવણની સમક્ષ ભાઈઓનાં પણ મસ્તક કપાયેલાં દેખાડયાં અને
ભાઈઓની સમક્ષ રાવણનું પણ શિર કપાયેલું દેખાડયું. તો પણ રાવણ સુમેરુ પર્વત
સમાન અતિનિશ્ચલ જ રહ્યો. જો આવું ધ્યાન મહામુનિ કરે તો આઠ કર્મને છેદી નાખે.
કુંભકર્ણ અને વિભીષણને થોડીક વ્યાકુળતા થઈ, પણ વિશેષ નહિ. તેથી રાવણને તો
અનેક સહસ્ત્રવિદ્યા પ્રાપ્ત થઈ. જેટલા મંત્ર જપવાના નિયમ ર્ક્યા હતા તે પૂર્ણ થયા
પહેલાં જ વિદ્યા સિદ્ધ થઈ. ધર્મના નિશ્ચયથી શું ન થાય? આવો દ્રઢ નિશ્ચય પણ
પૂર્વોપાર્જિત ઉજ્જવલ કર્મથી થાય છે. કર્મ જ સંસારનું મૂળકારણ છે. કર્માનુસાર આ જીવ
સુખદુઃખ ભોગવે છે. સમયે ઉત્તમ પાત્રોને વિધિપૂર્વક દાન આપવું અને દયાભાવથી સદા
સર્વને આપવું, અંત સમયે સમાધિમરણ કરવું, સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ કોઈ ઉત્તમ જીવને જ
થાય છે. કોઈને તો વિદ્યા દસ વર્ષમાં સિદ્ધ થાય છે અને કોઈને ક્ષણમાત્રમાં. આ બધો
કર્મનો પ્રભાવ છે એમ જાણો. રાતદિવસ પૃથ્વી ઉપર ભ્રમણ કરો, જળમાં પ્રવેશ કરો,
પર્વતના શિખર ઉપર ચડો, અનેક પ્રકારનાં શારીરીક
કષ્ટ કરો તો પણ પુણ્યના ઉદય
વિના કાર્યસિદ્ધિ થતી નથી. જે ઉત્તમ કાર્ય કરતા નથી તે નિરર્થક જ શરીર ગુમાવે છે
માટે આચાર્યની સેવા

Page 84 of 660
PDF/HTML Page 105 of 681
single page version

background image
૮૪સપ્તમ પર્વપદ્મપુરાણ
હમેશાં કરવી. પુરુષે સદા પુણ્ય જ કરવા યોગ્ય છે. પુણ્ય વિના સિદ્ધિ ક્યાંથી હોય? હે
શ્રેણિક! પુણ્યનો પ્રભાવ. જો કે થોડા જ દિવસોમાં વિદ્યા અને મંત્રવિધિ પૂર્ણ થયા પહેલાં
જ રાવણને મહાવિદ્યા સિદ્ધ થઈ. તેણે જે જે વિદ્યા મેળવી તેમનાં નામ સંક્ષેપમાં સાંભળ.
આકાશમાં વિચરવાની, કામદાયિની, કામગામિની, દુર્નિવારા, જગતકંપા, પ્રગુપ્તિ,
ભાનુમાલિની, અણિમા, લધિમા, ક્ષોભ્યા, મનસ્તંભનકારિણી, સંવાહિની, સુરધ્વંશી,
કૌમારી, વધ્યકારિણી, સુવિધાના, તમોરૂપા, દહના, વિપુલોદરી, શુભપ્રદા, રજોરૂપા,
દિનરાત્રિ વિદ્યાયિની, વજ્રોદરી, સમાકૃષ્ટિ, અદર્શિતી, અજરા, અમરા, અનવસ્તંભિની,
તોયસ્તંભિની, ગિરિદારિણી, અવલોકિની, ધ્વંશી, ધીરા, ધોરા, ભુજંગિની, વીરિની,
એકભુવના અવધ્યા, દારુણા, મદના, સિની. ભાસ્કરી, ભયસંભૂતિ, ઐશાની, વિજયા, જયા,
બંધિની, મોચની, વારાહી, કુટિલાકૃતિ, ચિત્તોદ્ભવકરી, શાંતિ, કૌવરી, વશકારિણી,
યોગેશ્વરી, બલોત્સાહી, ચંડા, ભીતિપ્રર્ષિણી ઇત્યાદિ અનેક મહાવિદ્યા રાવણને થોડા જ
દિવસોમાં સિદ્ધ થઈ. કુંભકર્ણને પાંચ વિદ્યા સિદ્ધ થઈ. તેમનાં નામ સર્વહારિણી,
અતિસંવર્ધિની, જંભિની, વ્યોમગામિની અને નિદ્રાની. વિભીષણને ચાર વિદ્યા સિદ્ધ થઈ-
સિદ્ધાર્થા, શત્રુદમની, વ્યાધાતા, આકાશગામિની. આ ત્રણેય ભાઈ વિદ્યાના સ્વામી થઈ
ગયા અને દેવોના ઉપદ્રવથી જાણે કે નવો જન્મ પામ્યા. ત્યારે યક્ષોના સ્વામી અનાવૃત્તે-જે
જંબૂદ્વીપનો સ્વામી હતો તેણે આમને વિદ્યાયુક્ત જાણીને તેમની ખૂબ સ્તુતિ કરી અને
દિવ્ય આભૂષણ પહેરાવ્યા. રાવણે વિદ્યાના પ્રભાવથી સ્વયંપ્રભ નગર વસાવ્યું. તે નગર
પર્વતના શિખર સમાન ઊંચા મહેલોની પંક્તિથી શોભાયમાન છે, રત્નમયી ચૈત્યાલયોથી
અત્યંત પ્રભાવ ફેલાવે છે. ત્યાં મોતીની ઝાલરોથી ઊંચા ઝરૂખા શોભે છે, પદ્મરાગ
મણિઓના સ્તંભ છે, વિવિધ પ્રકારનાં રત્નોના રંગના સમૂહથી ત્યાં ઇન્દ્રધનુષ્ય થઈ રહ્યાં
છે, રાવણ ભાઈઓ સહિત તે નગરમાં પ્રવેશ્યા. કેવા છે રાજમહેલ? તેનાં શિખરો
આકાશને અડી રહ્યાં છે. વિદ્યાબળથી મંડિત રાવણ સુખમાં રહે છે.
જંબૂદ્વીપનો અધિપતિ અનાવૃતદેવ રાવણને કહેવા લાગ્યોઃ “હે મહામતે! તારા
ધૈર્યથી હું ખૂબ પ્રસન્ન થયો છું, હું આખા જંબૂદ્વીપનો અધિપતિ છું, તું ઇચ્છાનુસાર
વેરીઓને જીતીને સર્વત્ર વિહાર કર. હે પુત્ર! હું બહુ રાજી થયો છું અને મારું સ્મરણમાત્ર
કરવાથી હું તારી પાસે આવીશ, પછી તને કોઈ જીતી નહિ શકે. તું લાંબો સમય સુધી
ભાઈઓ સહિત સુખેથી રાજ કર. તારી વિભૂતિ ઘણી વધશે.” આ પ્રમાણે આશીર્વાદ
આપીને, વારંવાર એની સ્તુતિ કરીને યક્ષ પરિવાર સહિત પોતાના સ્થાનકે ગયો. સમસ્ત
રાક્ષસવંશી વિદ્યાધરોએ સાંભળ્‌યું કે રત્નશ્રવાનો પુત્ર રાવણ મહાવિદ્યા પામ્યો છે તેથી
બધાને આનંદ થયો. બધા જ રાક્ષસો ઘણા ઉત્સાહથી રાવણની પાસે આવ્યા. કેટલાક
રાક્ષસો નાચતા હતા, કેટલાક ગીત ગાતા હતા, કેટલાક શત્રુઓને ભય ઉપજાવનારી
ગર્જના કરતા હતા, કેટલાકનો આનંદ અંગમાં સમાતો નહોતો, કેટલાક હસતા હતા,
કેટલાક કેલિ કરતા હતા. રાવણના દાદા સુમાલી અને નાના ભાઈ માલ્યવાન તથા
વાનરવંશી રાજા સૂર્યરજ અને રક્ષરજ બધા જ સજ્જનો આનંદસહિત રાવણ પાસે ગયા,

Page 85 of 660
PDF/HTML Page 106 of 681
single page version

background image
પદ્મપુરાણસપ્તમ પર્વ ૮પ
અનેક વાહનો ઉપર બેસીને આનંદથી આવ્યા. રાવણના પિતા રત્નશ્રવાનું મન પુત્રના
સ્નેહથી ઊભરાઈ ગયું છે. તે ધજાઓથી આકાશને શોભાવતા પરમ વૈભવ સહિત
મહામંદિર સમાન રત્નના રથ ઉપર બેસીને આવ્યા. બંદીજનો બિરદાવલી સંભળાવે છે.
બધા એકઠા થઈને પંચસંગમ નામના પર્વત પર આવ્યા. રાવણ સામે આવ્યો. દાદા, પિતા
અને સૂર્યરજ, રક્ષરજ જે વડીલ હતા તેમને તે પગે લાગીને નીચેની ચરણરજ લીધી,
ભાઈઓને ગળે લગાડીને ભેટયો અને સેવકોને સ્નેહદ્રષ્ટિથી જોયા. તેણે પોતાના દાદા,
પિતા અને સૂર્યરજ, રક્ષરજને બહુ જ વિનયપૂર્વક ક્ષેમકુશળ પૂછયા. રાવણને જોઈ વડીલો
એટલા ખુશી થયા કે કથનમાં તે આવે નહિ. રાવણને વારંવાર સુખવાર્તા પૂછે છે અને
સ્વયંપ્રભ નગરને જોઈ આશ્ચર્યને પામ્યા. દેવલોક સમાન આ નગરને જોઈને રાક્ષસવંશી
અને વાનરવંશી બધા જ અતિપ્રસન્ન થયા, પિતા રત્નશ્રવા અને માતા કેકસી પુત્રના
અંગને અડતાં અને તેને વારંવાર પ્રણામ કરતો જોઈને ખૂબ આનંદ પામ્યા. બપોરે રાવણે
વડીલોને સ્નાન કરાવવાની યોજના કરી. સુમાલી આદિ રત્નોના સિંહાસન ઉપર સ્નાન
અર્થે બિરાજ્યા. સિંહાસન ઉપર એમનાં ચરણો પલ્લવ જેવાં કોમળ અને લાલ, ઉદયાચલ
પર્વત ઉપર સૂર્યની જેમ શોભતાં હતાં. પછી તેમને સુવર્ણરત્નોના કળશોથી સ્નાન
કરાવવામાં આવ્યું, કળશ કમળના પત્રથી આચ્છાદિત છે, મુખ જેનું, મોતીઓની માળાથી
શોભતા, અત્યંત કાંતિવાળા અને સુગંધી જળ ભરેલા છે, તેની સુગંધથી દશે દિશાઓ
સુગંધમય બની ગઈ છે, જેના પર ભમરા ગુંજારવ કરી રહ્યા હતા. સ્નાન કરાવતી વખતે
જ્યારે કળશમાંથી જળ રેડવામાં આવતું ત્યારે વાદળ સમાન ગર્જના થતી હતી. પહેલાં
શરીર ઉપર સુગંધી પદાર્થોનો લેપ કર્યો અને પછી સ્નાન કરાવ્યું. સ્નાન વખતે અનેક
પ્રકારનાં વાજિંત્રો વાગ્યાં. સ્નાન કરાવીને દિવ્ય વસ્ત્રાભૂષણ પહેરાવ્યાં, કુળવાન
રાણીઓએ અનેક મંગળાચરણ કર્યાં. રાવણાદિ ત્રણે ભાઈઓએ દેવકુમાર સમાન વડીલોનો
અત્યંત વિનય કરીને ચરણોમાં વંદન કર્યું ત્યારે વડીલોએ અનેક આશીર્વાદ આપ્યા કે “હે
પુત્રો! તમે દીર્ઘાયુ થાવ અને મહાન સંપદાનો ભોગ કરો. તમારા જેવી વિદ્યા બીજા પાસે
નથી.” સુમાલી, માલ્યવાન, સૂર્યરજ, રક્ષરજ અને રત્નશ્રવાએ સ્નેહથી રાવણ, કુંભકરણ
અને વિભીષણને છાતીસરસા ચાંપ્યા. પછી સર્વ સંબંધીઓ અને સેવકોએ સારી રીતે
ભોજન કર્યું, રાવણે વડીલોની ખૂબ સેવા કરી અને સેવકોનું ખૂબ સન્માન કર્યું સર્વને
વસ્ત્રાભૂષણ આપ્યાં. સુમાલી આદિ બધા જ વડીલોનાં નેત્રો હર્ષથી પ્રફૂલ્લિત હતાં. તેમણે
પ્રસન્ન થઈને કહ્યુંઃ હે પુત્રો! તમે ખૂબ જ સુખમાં રહો. તેઓ પણ નમસ્કાર કરીને
બોલ્યા કે હે પ્રભો! અમે આપના પ્રસાદથી સદા કુશળરૂપ છીએ. પછી માલીની વાત
નીકળી ત્યારે સુમાલી શોકના ભારથી મૂર્ચ્છિત બની ગયો. રાવણે શીતોપચાર દ્વારા તેમને
ભાનમાં આણ્યા અને સમસ્ત શત્રુઓના ઘાત કરવાનાં ક્ષત્રિય વચનો સંભળાવીને દાદાને
આનંદિત ર્ક્યા. સુમાલી કમલનેત્ર રાવણને જોઈને અતિ આનંદરૂપ બોલ્યાઃ હે પુત્ર! તારું
ઉદાર પરાક્રમ જોઈને દેવો પણ પ્રસન્ન થાય, તારી કાંતિ સૂર્યને જીતનારી અને ગંભીરતા
સમુદ્રથી અધિક છે. હે વત્સ!

Page 86 of 660
PDF/HTML Page 107 of 681
single page version

background image
૮૬સપ્તમ પર્વપદ્મપુરાણ
આપણા રાક્ષસકુળનું તું તિલક બન્યો છું. જેમ જંબુદ્વીપનું આભૂષણ સુમેરુ છે અને
આકાશનાં આભૂષણ સૂર્યચંદ્ર છે તેમ હે પુત્ર રાવણ! હવે આપણા કુળનું તું આભૂષણ છો.
આશ્ચર્ય પમાડનારી તારી ચેષ્ટા સર્વ મિત્રોને આનંદ ઉત્પન્ન કરે છે. તું પ્રગટ થયો તે
પછી અમારે શી ચિંતા? અગાઉ આપણા વંશમાં રાજા મેઘવાહન આદિ મહાન રાજાઓ
થયા છે, તેઓ લંકાપુરીનું રાજ્ય કરી, પુત્રોને રાજ્ય આપી, મુનિ થઈને મોક્ષમાં ગયા છે.
હવે અમારા પુણ્યથી તું થયો. સર્વ રાક્ષસોના કષ્ટ દૂર કરનાર, શત્રુઓને જીતનાર,
મહાસાહસી એવા તારી પ્રશંસા અમે એક મુખથી કેટલીક કરીએ? તારાં ગુણો દેવ પણ
વર્ણવી ન શકે. આ રાક્ષસવંશી વિદ્યાધરો જીવનની અમે આશા છોડીને બેઠા હતા, હવે
બધાને આશા બંધાઈ છે, કારણ કે તું મહાધીર પ્રગટ થયો છે. એક દિવસ અમે કૈલાસ
પર્વત પર ગયા હતા. ત્યાં એક અવધિજ્ઞાની મુનિને અમે પૂછયું હતું કે હે પ્રભો! લંકામાં
અમારો પ્રવેશ થશે કે નહિ? ત્યારે મુનિએ કહ્યું હતું કે તમારા પુત્રને પુત્ર થશે તેના
પ્રભાવથી તમારો લંકામાં પ્રવેશ થશે. તે પુરુષોમાં ઉત્તમ થશે. તારો પુત્ર રત્નશ્રવા રાજા
વ્યોમબિંદુની પુત્રી કેકસીને પરણશે, તેની કુક્ષિમાં તે પુરુષોત્તમ પ્રગટ થશે. તે ભરતક્ષેત્રના
ત્રણ ખંડનો ભોક્તા થશે, તેની કીર્તિ દશે દિશામાં ફેલાશે. તે શત્રુઓ પાસેથી પોતાનું
નિવાસસ્થાન છોડાવશે અને વેરીઓના સ્થાનને દબાવશે એમાં આશ્ચર્ય નથી. તું
મહાઉત્સવરૂપ કુળની શોભા પ્રગટયો છે, તારા જેવું રૂપ જગતમાં બીજા કોઈનું નથી, તું
તારા અનુપમ રૂપથી સર્વના નેત્ર અને મનનું હરણ કરે છે, ઇત્યાદિ વચનોથી સુમાલીએ
રાવણનાં વખાણ કર્યાં. ત્યારે રાવણે હાથ જોડી, નમસ્કાર કરી સુમાલીને કહ્યું કે હે પ્રભો!
આપના પ્રસાદથી એમ જ થાવ. આમ કહી નમસ્કાર મંત્રનો જાપ અને પંચપરમેષ્ઠીને
નમસ્કાર ર્ક્યા, સિદ્ધોનું સ્મરણ ર્ક્યું, જેનાથી સર્વ સિદ્ધિ થાય છે.
પછી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે શ્રેણિક! તે બાળકના પ્રભાવથી
સર્વ રાક્ષસવંશી અને વાનરવંશી બંધુવર્ગ પોતપોતાનાં સ્થાનકોમાં આવીને વસ્યા,
વેરીઓની બીક ન રાખી. આ પ્રમાણે પૂર્વભવના પુણ્યથી પુરુષ લક્ષ્મી પામે છે. જેણે
પોતાની કીર્તિ દશે દિશામાં ફેલાવી છે એવો તે બાળક હતો. આ પૃથ્વી ઉપર મોટી ઉંમર
તે કાંઈ તેજસ્વીતાનું કારણ નથી, જેમ અગ્નિનો નાનો તણખો પણ વનને ભસ્મ કરે છે
અને સિંહનો બાળ નાનો હોય તો પણ મત્ત હાથીઓના ગંડસ્થલને વિદારી નાખે છે,
ચંદ્રનો ઉદય થતાં જ કુમુદો પ્રફુલ્લિત થાય છે અને તે જગતનો સંતાપ દૂર કરે છે, સૂર્ય
ઊગતાં જ અંધકારની કાળી ઘટાઓ દૂર થાય છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ નામના સંસ્કૃત ગ્રંથની સ્વ.
પં. દૌલતરામજીકૃત હિન્દી ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણનો જન્મ અને
વિધાસાધનનું કથન કરનાર સપ્તમું પર્વ પૂર્ણ થયું.
* * *

Page 87 of 660
PDF/HTML Page 108 of 681
single page version

background image
પદ્મપુરાણઆઠમું પર્વ ૮૭
આઠમું પર્વ
[દશાનન (રાવણ) ના કુટુંબાદિનો પરિચય અને વૈભવનું દિગ્દર્શન]
દક્ષિણ શ્રેણીમાં અસુરસંગીત નામનું નગર છે ત્યાં રાજા મય વિદ્યાધર રાજ્ય
કરતો. તે મહાન યોદ્ધો હતો અને વિદ્યાધરોમાં દૈત્ય કહેવાતો. જેમ રાવણના પૂર્વજો રાક્ષસ
કહેવાતા, ઇન્દ્રના કુળના દેવ કહેવાતા. આ બધા વિદ્યાધર મનુષ્યો હતા. રાજા મયની રાણી
હેમવતીની પુત્રી મંદોદરીનાં સર્વ અંગોપાંગ સુંદર હતાં, વિશાળ નેત્રો હતાં, રૂપ અને
લાવણ્યમય જળની સરોવરી હતી. તેને નવયૌવના થયેલી જોઈ પિતાને તેના લગ્નની
ચિંતા થઈ. તેણે પોતાની રાણી હેમવતીને પૂછયુંઃ ‘હે પ્રિયે! આપણી પુત્રી મંદોદરી તરુણ
અવસ્થા પામી છે, તેની મને ઘણી ચિંતા છે. પુત્રીઓનાં યૌવનના આરંભથી જે સંતાપરૂપ
અગ્નિ ઊપજે છે તેમાં માતા, પિતા, કુટુંબ સહિત ઇંધનરૂપ બને છે. માટે તું કહે, આ
કન્યા પરણાવીએ? ગુણમાં, કુળમાં, કાંતિમાં તેના સમાન હોય તેને દેવી જોઈએ.’ ત્યારે
રાણીએ કહ્યું ‘હે દેવ! અમારું કામ પુત્રીને જન્મ આપવાનું અને તેનું પાલન કરવાનું છે.
પરણાવવાનું કામ તમારા આશ્રયે છે. જ્યાં તમારું ચિત્ત પ્રસન્ન થાય ત્યાં આપો. જે ઉત્તમ
કુળની બાલિકા હોય છે તે પતિ અનુસાર ચાલે છે.’ જ્યારે રાણીએ આમ કહ્યું ત્યારે
રાજાએ મંત્રીઓને પૂછયું. ત્યારે કોઈએ કોઈ બતાવ્યો, કોઈએ ઈન્દ્ર બતાવ્યો કે તે સર્વ
વિદ્યાધરોનો સ્વામી છે. તેની આજ્ઞા લોપતા સર્વ વિદ્યાધરો ડરે છે. ત્યારે રાજા મયે કહ્યું કે
મારી ઇચ્છા તો એવી છે કે આ કન્યા રાવણને આપવી, કારણ કે તેને થોડા જ દિવસોમાં
સર્વ વિદ્યા સિદ્ધ થઈ છે તેથી એ કોઈ મહાપુરુષ છે, જગતને આશ્ચર્યનું કારણ છે. રાજાનાં
વચન મારીચ આદિ સર્વ મંત્રીઓએ પ્રમાણ કર્યાં. મંત્રી રાજાની સાથે પોતાના કાર્યમાં
પ્રવીણ છે. પછી સારા ગ્રહલગ્ન જોઈને અને ક્રૂર ગ્રહો ટાળીને રાજા મય મારીચને સાથે
લઈ કન્યા રાવણ સાથે પરણાવવા લઈને રાવણને ત્યાં ગયા. રાવણ તે વખતે ભીમ
નામના વનમાં ચંદ્રહાસ ખડ્ગ સાધવા આવ્યો હતો અને ચન્દ્રહાસને સિદ્ધ કરી સુમેરુ
પર્વતનાં ચૈત્યાલયોની વંદના કરવા ગયો હતો. રાજા મય સંદેશવાહકોના કહેવાથી ભીમ
નામના વનમાં આવ્યા. કેવું છે તે વન? જાણે કે કાળી ઘટાઓનો સમૂહ જ છે. ત્યાં
અતિસઘન અને ઊંચાં વૃક્ષો છે. વનની મધ્યમાં તેમણે એક ઊંચો મહેલ જોયો, જાણે
પોતાનાં શિખરોથી સ્વર્ગને સ્પર્શી રહ્યો છે. રાવણે જે સ્વયંપ્રભ નામનું નવું નગર વસાવ્યું
હતું તેની સમીપમાં જ આ મહેલ હતો. રાજા મયે વિમાનમાંથી ઊતરીને મહેલની પાસે જ
ઉતારો કર્યો અને વાજિંત્રો વગેરેનો આડંબર છોડીને, કેટલાંક નજીકનાં સગાઓ સાથે
મંદોદરીને લઈને મહેલમાં આવ્યા. સાતમા માળે પહોંચ્યાં. ત્યાં રાવણની બહેન ચંદ્રનખા
બેઠી હતી, જાણે કે સાક્ષાત્ વનદેવી જ હતી. આ ચંદ્રનખાએ રાજા મય અને તેમની પુત્રી
મદોદરીને જોઈને તેમનો ખૂબ આદર કર્યો, કારણ કે મોટા કુળનાં બાળકોનું એ લક્ષણ જ
છે. પછી વિનયસંયુક્ત તેમની પાસે બેઠી. ત્યારે રાજા મયે ચંદ્રનખાને પૂછયુંઃ હે પુત્રી! તું
કોણ છે? શા માટે આ વનમાં એકલી રહે છે? ચંદ્રનખાએ બહુજ વિનયથી જવાબ

Page 88 of 660
PDF/HTML Page 109 of 681
single page version

background image
૮૮ આઠમું પર્વ પદ્મપુરાણ
આપ્યો કે મારા મોટા ભાઈ રાવણ બે ઉપવાસનો નિયમ કરી, ચંદ્રહાસ ખડ્ગને સિદ્ધ કરી,
મને તે ખડ્ગનું રક્ષણ કરવાનું સોંપીને સુમેરુ પર્વતના ચૈત્યાલયોની વંદના કરવા ગયા છે.
હું ભગવાન શ્રી ચન્દ્રપ્રભુના ચૈત્યાલયમાં રહું છું. આપ અમારા મહાન હિતસ્વી સંબંધી
છો અને રાવણને મળવા આવ્યા છો, તો થોડીવાર અહીં બિરાજો. આ પ્રમાણે એમની
સાથે વાત થતી હતી ત્યાં જ રાવણ આકાશમાર્ગે થઈને આવ્યો તે તેજનો સમૂહ નજરે
પડયો એટલે ચંદ્રનખાએ કહ્યું કે પોતાના તેજથી સૂર્યના તેજને ઝાંખુ પાડતો આ રાવણ
આવ્યો. રાજા મય મેઘના સમૂહ સમાન શ્યામસુંદર અને વીજળી સમાન ચમકતાં
આભૂષણો પહેરેલા રાવણને જોઈને બહુ જ આદરથી ઊઠીને ઊભા થયા, રાવણને મળ્‌યા
અને સિંહાસન ઉપર બેઠા. રાજા મયનાં મંત્રી મારીચ, વજ્રમધ્ય, વજ્રનેત્ર, નભસ્તડિત,
ઉગ્ર, નક્ર, મરુધ્વજ, મેઘાવી, સારણ, શુક્ર એ બધા જ રાવણને જોઈને રાજી થયા અને
રાજા મયને કહેવા લાગ્યા કે હે દેવ! આપની બુદ્ધિ અતિપ્રવીણ છે, મનુષ્યોમાં જે મહાન
હતો તે આપના મનમાં વસ્યો. રાજા મયને આમ કહ્યા પછી તે મંત્રીઓ રાવણને કહેવા
લાગ્યાઃ હે રાવણ! હે મહાભાગ્ય! આપનું રૂપ અને પરાક્રમ અદ્ભુત છે અને આપ અતિ
વિનયવાન છો, અતિશયના ધારક અનુપમ વસ્તુ છો. આ રાજા મય દૈત્યોના અધિપતિ,
દક્ષિણ શ્રેણીમાં અસુરસંગીત નામના નગરના રાજા છે, પૃથ્વીમાં પ્રસિદ્ધ છે, હે કુમાર!
આપના ગુણો પ્રત્યે અનુરાગી થઈને આવ્યા છે. રાવણે એમનો બહુ જ આદર કર્યો,
પરોણાગતિ કરી અને મિષ્ટ વચનો કહ્યાં. મોટા પુરુષના ઘરની એ રીત જ હોય છે કે
પોતાને દ્વાર આવેલાનો આદર કરે જ કરે. રાવણે મયના મંત્રીઓને કહ્યું કે આ દૈત્યનાથ
મહાન છે, મને પોતાનો જાણીને તેમણે મારા ઉપર અનુગ્રહ કર્યો છે. ત્યારે રાજા મયે કહ્યું
કે હે કુમાર તમારા માટે આ યોગ્ય જ છે, તમારા જેવા સાધુ પુરુષને માટે સજ્જનતા જ
મુખ્ય છે. પછી રાવણ શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવા માટે જિનમંદિરમાં ગયો. રાજા મય
અને તેમના મંત્રીઓને પણ લઈ ગયો. રાવણે બહુ ભાવથી પૂજા કરી, ભગવાનની સ્તુતિ
કરી, વારંવાર હાથ જોડી નમસ્કાર કર્યા, તેનાં રોમાંચ ખડાં થઈ ગયાં. અષ્ટાંગ દંડવત્
કરીને તે જિનમંદિરમાંથી બહાર આવ્યો. કેવો છે રાવણ? જેનો ઉદય અધિક છે, જેની
ચેષ્ટા મહાસુંદર છે, જેના મસ્તક પર ચૂડામણિ શોભે છે, તે ચૈત્યાલયમાંથી બહાર આવીને
રાજા મય સહિત સિંહાસન પર બિરાજ્યા. તેણે રાજાને વૈતાડ પર્વતના વિદ્યાધરોની વાત
પૂછી અને મંદોદરી તરફ દ્રષ્ટિ ગઈ તો તેને જોઈને મન મોહિત થઈ ગયું. કેવી છે
મંદોદરી? સૌભાગ્યરૂપ રત્નની ભૂમિકા, જેના નખ સુંદર છે, જેનાં ચરણ કમળ સમાન છે,
જેનું શરીર સ્નિગ્ધ છે, જેની જંઘા કેળના સ્થંભ સમાન મનોહર છે, લાવણ્યરૂપ જળનો
પ્રવાહ જ છે, લજ્જાના ભારથી જેની દ્રષ્ટિ નીચી નમેલી છે, સુવર્ણના કુંભ સમાન જેના
સ્તન છે, પુષ્પોથી અધિક તેની સુગંધ અને અને સુકુમારતા છે, બન્ને ભુજલતા કોમળ છે,
શંખના કંઠ સમાન તેની ગ્રીવા છે, પૂર્ણિમાના ચંદ્ર સમાન તેનું મુખ છે, પોપટથીયે સુંદર તેનું
નાક છે, જાણે કે બેઉ નેત્રોની કાંતિરૂપી નદીનો એ સેતુબંધ જ છે. મૂંગા અને પલ્લવથી

Page 89 of 660
PDF/HTML Page 110 of 681
single page version

background image
પદ્મપુરાણ આઠમું પર્વ ૮૯
પણ અધિક લાલ તેના અધર છે, કપાળ તેજસ્વી અને મનોહર છે, વીણાના નાદ,
ભ્રમરનો ગુંજારવ અને ઉન્મત કોયલના અવાજથી પણ અધિક સુંદર તેના શબ્દો છે,
કામની દૂતી સમાન તેની દ્રષ્ટિ છે. નીલકમલ, રક્તકમલ અને કુમુદને પણ જીતે એવી
શ્યામતા, રક્તતા અને શ્વેતતા તે ધારણ કરે છે. જાણે કે દશે દિશામાં ત્રણ રંગનઉં કમળો
જ વિસ્તૃત થયાં છે, અષ્ટમીના ચંદ્ર સમાન મનોહર તેનું લલાટ છે. લાંબા, વાંકા, કાળા,
સુગંધી, સઘન, ચીકણા તેના કેશ છે. હંસ અને હાથણીની ચાલને જીતે એવી તેની ચાલ
છે, સિહંથી પણ પાતળી તેની કેડ છે, જાણે કે સાક્ષાત્ લક્ષ્મી જ કમળના નિવાસને
છોડીને રાવણની નિકટ ઇર્ષા ધારણ કરતી આવી છે, કેમ કે હું હોવા છતાં રાવણના
શરીરને વિદ્યા કેમ સ્પર્શ કરે. આવા અદ્ભુત રૂપને ધરનાર મંદોદરીએ રાવણનાં મન અને
નયનને હરી લીધાં. સકળ રૂપવતી સ્ત્રીઓનાં રૂપ-લાવણ્ય એકઠાં કરી એનું શરીર શુભ
કર્મના ઉદયથી બન્યું છે. પ્રત્યેક અંગમાં અદ્ભુત આભૂષણો પહેરીને મહામનોજ્ઞ લાગતી
મંદોદરીને જોતા રાવણનું હૃદય કામબાણથી વીંધાઈ ગયું. તેના પ્રત્યે રાવણની દ્રષ્ટિ ગઇ
તેવી જ પાછી વળી ગઇ, પરંતુ મત્ત મધુકરની પેઠે તેની આજુબાજુ ઘૂમવા લાગી. રાવણ
ચિત્તમાં વિચારવા લાગ્યો કે આ ઉત્તમ નારી કોણ છે? શ્રી હ્રી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી,
સરસ્વતી એમાંથી આ કોણ છે? પરણેલી હશે કે કુંવારી? સમસ્ત શ્રેષ્ઠ સ્ત્રીઓમાં આ
શિરોભાગ્ય છે. આ મન અને ઇન્દ્રિયોને હરનારીને જો હું પરણું તો મારું નવયૌવન સફળ
છે, નહિતર તૃણવત્ વૃથા છે. રાવણ મનમાં આમ વિચારતો હતો ત્યારે મંદોદરીના પિતા
મહાપ્રવીણ રાજા મયે એનો અભિપ્રાય જાણીને મંદોદરીને પાસે બોલાવી રાવણને કહ્યુંઃ “
આના તમે જ પતિ છો.” આ વચન સાંભળી રાવણ અતિ પ્રસન્ન થયો. જાણે કે તેનું
શરીર અમૃતથી સીંચાયું હોય તેમ તેનાં રોમાંચ હર્ષના અંકુર સમાન ખડાં થઈ ગયાં. તેની
પાસે સર્વ પ્રકારની સામગ્રી હતી જ. તે જ દિવસે મંદોદરીનાં લગ્ન થયાં. રાવણ મંદોદરીને
પરણીને અતિ પ્રસન્ન થઇ સ્વયંપ્રભ નગરમાં ગયો. રાજા મય પણ પુત્રીને પરણાવીને
નિશ્ચિંત થયા, પુત્રીના વિયોગથી શોક સહિત પોતાના દેશમાં ગયા. રાવણ હજારો
રાણીઓને પરણ્યો. મંદોદરી તે બધાની શિરોમણી બની. મંદોદરીનું મન સ્વામીનાં ગુણોથી
હરાયું હતું. તે પતિની અત્યંત આજ્ઞાકારી હતી. ઇન્દ્ર ઇન્દ્રાણી સાથે આનંદક્રીડા કરતો તેમ
રાવણ મંદોદરી સાથે સુમેરુનાં નંદનવનાદિ રમણીય સ્થાનોમાં ક્રીડા કરતો મંદોદરીની સર્વ
ચેષ્ટા મનોજ્ઞ હતી. રાવણે જે અનેક વિદ્યા સિદ્ધ કરી હતી તેની અનેક ચેષ્ટા રાવણે
બતાવી. એક રાવણ અનેક રૂપ ધારણ કરીને અનેક સ્ત્રીઓના મહેલમાં કૌતૂહલ કરતો.
કોઇ વાર સૂર્યની પેઠે તાપ ફેલાવતો, કોઇ વાર ચંદ્રની પેઠે ચાંદની વિસ્તારતો, અમૃત
વરસાવતો, કોઈ વાર અગ્નિની જેમ જ્વાળા ફેલાવતો, કોઈ વાર જળધારા મેઘની પેઠે
વરસાવતો, કોઈ વાર પવનની જેમ પહાડોને કંપાવતો, કોઈ વાર ઇન્દ્ર જેવી લીલા કરતો,
કોઈ વાર તે સમુદ્રની જેમ તરંગ ઉછાળતો હતો કોઈ વાર પર્વત પેઠે અચલ દશા ધારણ
કરતો. કોઈ વાર મત્ત હાથીની જેમ ચેષ્ટા કરતો, કોઈ વાર પવનથી અધિક વેગવાળો
અશ્વ બની જતો. ક્ષણમાં

Page 90 of 660
PDF/HTML Page 111 of 681
single page version

background image
૯૦ આઠમું પર્વ પદ્મપુરાણ
પાસે, ક્ષણમાં અદ્રશ્ય, ક્ષણમાં સૂક્ષ્મ, ક્ષણમાં સ્થૂળ, ક્ષણમાં ભયાનક અને ક્ષણમાં મનોહર
એ પ્રમાણે તે ક્રીડા કરતો. એક દિવસ રાવણ મેઘવર પર્વત ઉપર ગયો. ત્યાં તેણે એક
વાવ જોઈ. તેનું જળ નિર્મળ હતું, તેમાં અનેક જાતનાં કમળો ખીલ્યાં હતાં. ક્રૌંચ, હંસ,
ચકવા, સારસ આદિ અનેક પક્ષીઓના અવાજ આવતા હતા, તેના તટ મનોહર હતા,
સુંદર પગથિયાઓથી શોભતી હતી, તેની સમીપમાં અર્જુન વગેરે જાતનાં ઊંચાં ઊંચાં
વૃક્ષોનો છાંયો થયો હતો. તેમાં ચંચળ માછલીઓની ઊછળકૂદથી જળના છાંટા ઊડતા હતા.
ત્યાં રાવણે અતિ સુંદર છ હજાર રાજકન્યાઓને ક્રીડા કરતી જોઈ. કેટલીક જળકેલિમાં
પાણીના છાંટા ઉડાડતી હતી, કેટલીક કમળવનમાં પ્રવેશેલી કમળની શોભાને જીતતી હતી,
ભમરા કમળોની શોભા છોડીને એમનાં મુખ આસપાસ ગુંજારવ કરતા હતા, કેટલીક મૃદંગ
વગાડતી હતી, કેટલીક વીણા વગાડતી હતી. આ બધી કન્યાઓ રાવણને જોઈને જળક્રીડા
છોડીને ઉભી થઈ ગઈ. રાવણ પણ તેની વચ્ચે જઈને જળક્રીડા કરવા લાગ્યો તો તેઓ
પણ જળક્રીડા કરવા લાગી. તે બધી રાવણનું રૂપ જોઈને કામબાણથી વીંધાઈ ગઈ.
બધાની દ્રષ્ટિ તેની તરફ જ ચોંટી રહી, બીજે ન જઈ શકી. એમની અને આની વચ્ચે
રાગભાવ થયો. પ્રથમ મિલનની લજ્જા અને મદનના પ્રગટવાથી તેમનું મન હિંડોળે
ઝૂલવા લાગ્યું. તે કન્યાઓમાં મુખ્યનું નામ સાંભળો. રાજા સુરસુંદરના રાણી સર્વશ્રીની
પુત્રી પદ્માવતી, જેનાં નેત્ર નીલકમલ જેવાં છે. રાજા બુધની રાણી મનોવેગાની પુત્રી
અશોકલતા, જાણે સાક્ષાત્ અશોકની લતા જ છે. રાજા કનકની રાણી સંધ્યાની પુત્રી
વિદ્યુતપ્રભા, જે પોતાની પ્રભાથી વીજળીની પ્રભાને લજવે છે; જેમનું દર્શન સુંદર છે, ઊંચા
કુળની જે કન્યાઓ છે, બધી જ અનેક કળાઓમાં પ્રવીણ છે તેમાં આ મુખ્ય છે, જાણે કે
ત્રણ લોકની સુંદરતા જ મૂર્તિ બનીને વિભૂતિ સહિત આવી છે. રાવણ આ છ હજાર કન્યાઓ
સાથે ગંધર્વ વિવાહથી પરણ્યો. તે પણ રાવણ સાથે અનેક પ્રકારની ક્રીડા કરવા લાગી.
ત્યારપછી તેમની સાથે જે રક્ષકો અને સાહેલીઓ હતી તેમણે જઈને એમનાં
માતાપિતાને સકળ વૃત્તાંત જણાવ્યો. તે રાજાઓએ રાવણને મારવા માટે ક્રૂર સામંતો
મોકલ્યા. તે ભ્રૃકુટિ ચડાવીને, હોઠ કરડતા આવ્યા અને જાતજાતનાં શસ્ત્રોની વર્ષા કરવા
લાગ્યા. એકલા રાવણે તે બધાને ક્ષણમાત્રમાં જીતી લીધા. તેઓ ભાગીને ધ્રૂજતા ધ્રૂજતા
રાજા સુરસુંદર પાસે આવ્યા, જઈને પોતાનાં હથિયાર ફેંકી દીધાં અને વિનંતી કરવા
લાગ્યા કે ‘હે નાથ! અમને નોકરીમાંથી કાઢી મૂકો, અમારાં ઘરબાર લૂંટી લ્યો, અથવા
હાથપગ ભાંગો કે મારી નાખો. અમે રત્નશ્રવાના પુત્ર રાવણ સાથે લડવાને સમર્થ નથી.
તે સમસ્ત છ હજાર રાજકન્યાઓ સાથે પરણ્યો છે અને તેમની સાથે ક્રીડા કરે છે, જે ઇન્દ્ર
જેવો સુંદર, ચંદ્રમા સમાન કાંતિમાન છે, જેની ક્રૂર દ્રષ્ટિ દેવ પણ સહન ન કરી શકે તો
તેની સામે અમે રંક શા હિસાબમાં? અમે ઘણાય શૂરવીરો જોયા છે, રથનૂપુરના સ્વામી
રાજા ઇન્દ્ર પણ આની તુલ્ય નથી, એ પરમ સુંદર અને મહાશૂરવીર છે.’ આવાં વચન
સાંભળીને રાજા સુરસુંદર અત્યંત ગુસ્સે થઈને રાજા બુધ અને કનક સહિત

Page 91 of 660
PDF/HTML Page 112 of 681
single page version

background image
પદ્મપુરાણ આઠમું પર્વ ૯૧
મોટી સેના લઈને નીકળ્‌યા, બીજા પણ ઘણા રાજાઓ તેમની સાથે થયા. તેઓ આકાશમાં
શસ્ત્રની કાંતિથી પ્રકાશ કરતા આવ્યા. આ બધા રાજાઓને જોઈને તે બધી કન્યાઓ
ભયથી વ્યાકુળ બની અને હાથ જોડી રાવણને કહેવા લાગી કે હે નાથ! અમારા કારણે
તમે મોટા સંકટમાં આવી પડયા, તમે પુણ્યહીન છીએ, હવે આપ ઊઠીને ક્યાંક શરણ
ગોતો, કેમ કે આ પ્રાણ દુર્લભ છે, તેની રક્ષા કરો. આ નજીકમાં જ ભગવાનનું મંદિર છે,
ત્યાં છુપાઈ રહો. આ ક્રૂર શત્રુઓ તમને ન જોવાથી એમની મેળે પાછા ચાલ્યા જશે.
સ્ત્રીઓનાં આવાં દીન વચનો સાંભળીને અને શત્રુઓનું સૈન્ય નજીક આવેલું જોઈને
રાવણે આંખો લાલ કરી અને એમને કહેવા લાગ્યોઃ ‘તમને મારા પરાક્રમની ખબર નથી,
અનેક કાગડા ભેગા થાય તેથી શું થયું? શું તે ગરુડને જીતી શકશે? સિંહનું એક જ બચ્ચું
અનેક મદોન્મત્ત હાથીઓનો મદ ઉતારી નાખે છે.’ રાવણનાં આવાં વચન સાંભળીને
સ્ત્રીઓ આનંદ પામી અને વિનંતી કરી કે હે પ્રભો! અમારા પિતા, ભાઈ અને કુટુંબનું
રક્ષણ કરો. ત્યારે રાવણે કહ્યું કે હે પ્રિયે! એમ જ થશે, તમે ડરો નહિ, ધીરજ રાખો.
આમ પરસ્પર વાત થાય છે એટલામાં રાજાઓનું સૈન્ય આવી પહોંચ્યું ત્યારે રાવણ
વિદ્યાના રચેલા વિમાનમાં બેસીને ક્રોધથી તેમની સામે આવ્યો. તે બધા રાજાઓ અને
તેમના યોદ્ધાઓએ જેમ પર્વત પર મેઘની મોટી ધારા વર્ષે તેમ બાણની વર્ષા કરી.
વિદ્યાઓના સાગર રાવણે તે બધાં શસ્ત્રોને શિલાઓ વડે રોકી દીધાં અને કેટલાકોને
શિલાઓ વડે જ ભય પમાડયા. વળી મનમાં વિચાર્યું કે આ બિચારાઓને મારવાથી શો
લાભ? આમાં જે મુખ્ય રાજા છે તેમને જ પકડી લેવા. પછી એ રાજાઓને તામસ
શસ્ત્રોથી મૂર્છિત કરીને નાગપાશમાં બાંધી લીધા. ત્યારે પેલી છ હજાર સ્ત્રીઓએ વિનંતી
કરીને તેમને છોડાવ્યા. રાવણે તે રાજાઓની શુશ્રૂષા કરી અને કહ્યું કે તમે અમારા પરમ
હિતસ્વી, સંબંધી છો. તેઓ પણ રાવણનું શૂરવીરપણું, વિનય અને રૂપ જોઈને પ્રસન્ન
થયા. તેમણે પોતપોતાની પુત્રીઓનું વિધિપૂર્વક પાણિગ્રહણ કરાવ્યું. ત્રણ દિવસ સુધી મોટો
ઉત્સવ ચાલ્યો. પછી તે રાજાઓ રાવણની આજ્ઞા લઈને પોતપોતાને ઠેકાણે ગયા.
મંદોદરીના ગુણોથી મોહિત ચિત્તવાળો રાવણ જ્યારે સ્વયંપ્રભ નગરમાં આવ્યો ત્યારે તેને
સ્ત્રીઓ સહિત આવેલો સાંભળીને કુંભકર્ણ અને વિભીષણ પણ સામે ગયા. રાવણ બહુ જ
ઉત્સાહથી સ્વયંપ્રભ નગરમાં આવ્યો અને દેવરાજની પેઠે આનંદ કરવા લાગ્યો.
પછી કુંભપુરના રાજા મંદોદરીની રાણી સ્વરૂપાની પુત્રી તડિન્માલા કુંભકર્ણ જેનું
પ્રથમ નામ ભાનુકર્ણ હતું તેને પરણી. ધર્મમાં આસક્ત બુદ્ધિવાળો તે મહાયોદ્ધો છે, અનેક
કલાગુણમાં પ્રવીણ છે. હે શ્રેણિક! અન્યમતિ જે એની કીર્તિ બીજી રીતે કહે છે કે તે માંસ
અને લોહીનું ભક્ષણ કરીને છ મહિના સૂઈ રહેતા, તે પ્રમાણે હકીકત નથી. એનો આહાર
બહુ જ પવિત્ર સ્વાદરૂપ અને સુગંધમય હતો. તે પ્રથમ મુનિઓને આહારદાન કરી,
આર્જિકા વગેરેને આહાર આપીને, દુઃખી-ભૂખ્યા જનોને આપીને પછી કુટુંબ સાથે યોગ્ય
આહાર કરતો. માંસાદિકની પ્રવૃત્તિ નહોતી અને નિદ્રા એને અર્ધરાત્રિ પછી અલ્પ આવતી,
તેનું ચિત્ત સદાય ધર્મમાં લવલીન રહેતું

Page 92 of 660
PDF/HTML Page 113 of 681
single page version

background image
૯ર આઠમું પર્વ પદ્મપુરાણ
હતું. ચરમશરીરી મહાન પુરુષોને લોકો જૂઠું કલંક લગાડે છે તે મહાપાપનો બંધ કરે છે.
આમ કરવું યોગ્ય નથી.
દક્ષિણ શ્રેણીમાં જ્યોતિપ્રભ નામનું નગર છે. રાજા મયના મોટા મિત્ર રાજા
વિશુદ્ધકમલ ત્યાં રાજ્ય કરે છે. તેની રાણી નંદનમાલાની પુત્રી રાજીવસરસી વિભીષણને
પરણી હતી. પોતાની સુંદર રાણી સાથે અત્યંત કૌતૂહલ કરતો, અનેક ચેષ્ટા કરતો. તે
રતિકેલિ કરતાં તૃપ્ત થતો નહિ. પોતે દેવસમાન સુંદર અને રાણી લક્ષ્મીથી પણ અધિક
સુંદર. લક્ષ્મી તો કમલની નિવાસીની અને રાણી પદ્મરાગમણિના મહેલની નિવાસિની હતી.
ત્યારબાદ રાવણની રાણી મંદોદરી ગર્ભવતી થઈ તેથી તેને માતાપિતાને ઘેર લઈ
જવામાં આવી. ત્યાં ઇન્દ્રજિતનો જન્મ થયો. ઈન્દ્રજિતનું નામ આખી પૃથ્વીમાં પ્રસિદ્ધ થયું.
તે પોતાના નાનાને ત્યાં મોટો થયો. તે સિંહના બાળકની પેઠે સાહસરૂપ ઉન્મત્ત ક્રીડા
કરતો. રાવણે પુત્ર સહિત મંદોદરીને પોતાની પાસે બોલાવી અને આજ્ઞા પ્રમાણે તે આવી
ગઈ. મંદોદરીનાં માતાપિતાને તેના વિયોગનું અત્યંત દુઃખ થયું. રાવણ પુત્રનું મુખ જોઈને
ખૂબ રાજી થયો. સુપુત્ર સમાન બીજું કોઈ પ્રેમનું સ્થાન નથી. ફરીથી મંદોદરીને ગર્ભ રહ્યો
એટલે માતાપિતાને ઘેર ફરીથી તે ગઈ અને તેણે મેધનાદને જન્મ આપ્યો. પાછી તે પતિ
પાસે આવી અને ભોગના સાગરમાં મગ્ન થઈ. મંદોદરીએ પોતાનાં ગુણોથી પતિનું ચિત્ત
વશ કરી લીધું છે. તેના બન્ને પુત્રો ઇન્દ્રજિત અને મેઘનાદ સજ્જનોને આનંદ આપતાં
સુંદર ચારિત્રના ધારક તરુણ અવસ્થાને પામ્યા. તેઓ વિસ્તીર્ણ નેત્રવાળા વૃષભ સમાન
પૃથ્વીનો ભાર ચલાવનાર હતા.
હવે વૈશ્રવણ જે જે નગરોમાં રાજ્ય કરતો તે હજારો નગરોમાં કુંભકરણ હુમલા
કરતો અને જ્યાં ઇન્દ્રનો કે વૈશ્રવણનો માલ હોય તે છીનવી લઈને સ્વયંપ્રભ નગરીમાં
લઈ આવતો. વૈશ્રવણ ઇન્દ્રના જોરથી અત્યંત ગર્વિત હતો એટલે વૈશ્રવણનો દૂત
દ્વારપાલને મળીને સભામાં આવ્યો અને સુમાલીને કહેવા લાગ્યો કે હે મહારાજ! રાજા
વૈશ્રવણે જે સંદેશો મોકલ્યો છે તે તમે ધ્યાન દઈને સાંભળો. વૈશ્રવણે એમ કહ્યું છે કે
આપ પંડિત છો, કુલીન છો, લોકરીતિના જાણકાર છો, વડીલ છો, અકાર્યથી ભયભીત
છો, બીજાઓને સારો માર્ગ દેખાડો છો એવા આપની સામે આ બાળક ચપળતા કરે તો
શું આપ આપના પૌત્રને મના ન કરી શકો. તિર્યંચ અને મનુષ્યમાં એ જ તફાવત છે કે
મનુષ્ય તો યોગ્ય અયોગ્યને જાણે છે અને તિર્યંચ જાણતા નથી. વિવેકની એ જ રીત છે
કે કરવા યોગ્ય કાર્ય કરવું અને ન કરવા યોગ્ય કાર્ય ન કરવું. જે દ્રઢ મનવાળા છે તે પૂર્વ
વૃત્તાંત ભૂલ્યા નથી અને વીજળી સમાન ક્ષણભંગુર વિભૂતિ હોવા છતાં પણ ગર્વ કરતા
નથી. અગાઉ શું રાજા માલીના મૃત્યુથી આપના કુળની કુશળતા રહી છે? હવે કુળના મૂળ
નાશનો ઉપાય કરો છો એમાં કયું ડહાપણ રહેલું છે? જગતમાં એવું કોઈ નથી કે જે
પોતાના કુળના મૂળ નાશને આદરે. આપ શું ઇન્દ્રનો પ્રતાપ ભૂલી ગયા કે જેથી આવું
અનુચિત કામ કરો છો? ઇન્દ્રે સમસ્ત વેરીઓનો નાશ કર્યો છે, સમુદ્ર સમાન અથાગ તેનું બળ

Page 93 of 660
PDF/HTML Page 114 of 681
single page version

background image
પદ્મપુરાણ આઠમું પર્વ ૯૩
છે અને તમે દેડકાની પેઠે સાપના મુખમાં ક્રીડા કરો છો. વળી તે સર્પનું મુખ દાઢરૂપી
કંટકોથી ભરેલું છે અને વિષરૂપી અગ્નિકણ તેમાંથી નીકળે છે. આ આપના પૌત્રો ચોર છે.
પોતાના પૌત્ર, પ્રપૌત્રોને દંડ દેવા જો તમે સમર્થ ન હો તો મને સોંપો, જેથી હું તેમને
સીધા કરીશ; અને જો એમ નહિ કરો તો સમસ્ત પુત્ર, પૌત્રાદિ, કુટુંબ સહિત બેડીઓથી
બંધાઈને મલિન સ્થાનમાં રહેલા તેમને જોશો, અને ત્યાં તેમને અનેક પ્રકારની પીડા થશે.
પાતાળલંકામાંથી મહામુશ્કેલીથી બહાર નીકળ્‌યા છો, હવે ફરી પાછા ત્યાં જ જવા ઇચ્છો
છો? દૂતના આવા કઠોર વચનરૂપી પવનથી હલી ઊઠયું છે મનરૂપી જળ જેનું એવો
રાવણરૂપી સમુદ્ર અત્યંત ખળભળી ઊઠયો. ક્રોધથી તેના શરીરમાં પરસેવો વળી ગયો
અને આંખોની રક્તતાથી આખું આકાશ લાલ થઈ ગયું. તે ક્રોધપૂર્ણ અવાજથી સર્વ
દિશાઓને બધિર કરતો અને હાથીઓનો મદ નિવારતો ગર્જના કરીને બોલ્યો, “કોણ છે
વૈશ્રવણ અને કોણ છે ઇન્દ્ર?” તે અમારા કુળની પરિપાટીથી ચાલી આવેલી લંકાને
દબાવીને બેઠા છે. જેમ કાગડો પોતાના મનમાં ડાહ્યો થઈને બેસે અને શિયાળ પોતાને
અષ્ટાપદ માની લે તેમ તે રંક પોતાને ઇન્દ્ર માની રહ્યો છે. તે નિર્લજ્જ છે, અધમ પુરુષ
છે, પોતાને સેવકો પાસે ઇન્દ્ર કહેવરાવવાથી શું તે ઇન્દ્ર થઈ ગયો? હે કુદૂત! અમારી
સમક્ષ તું આવાં કઠોર વચનો બોલતાં શું તું ડરતો નથી? એમ કહીને તેણે મ્યાનમાંથી
ખડ્ગ કાઢયું અને તે ખડગ્ના તેજથી આકાશ છવાઈ ગયું; જેમ નીલકમળોના વનથી
સરોવર વ્યાપ્ત થાય તેમ. તે વખતે વિભીષણે બહુ વિનયપૂર્વક વિનંતી કરી અને દૂતને
મારવા ન દીદ્યો. તેણે કહ્યું, મહારાજ! એ પારકો ચાકર છે, એનો અપરાધ શું? એને જેમ
કહેવામાં આવ્યું હોય તેમ એ કહે. એમાં પુરુષાર્થ નથી. તેણે પોતાનો દેહ આજીવિકા માટે
પોતાના પાળનારને વેચ્યો છે, તે તો પોપટ સમાન છે, જે બીજા બોલાવે તેમ તે બોલે.
આ દૂતના હૃદયમાં એના સ્વામી પિશાચરૂપ પ્રવેશ્યા છે, તેમના અનુસાર આ વચન બોલે
છે. જેમ બજવૈયો વાજિંત્ર વગાડે તેમ તે વાગે તેમ આનો દેહ પરાધીન છે, સ્વતંત્ર નથી,
તેથી હે કૃપાનિધે! પ્રસન્ન થાવ અને દુઃખી જીવો ઉપર દયા જ કરો. હે નિષ્કપટ
મહાધીર! રંકને મારવાથી લોકમાં ઘણી અપકીર્તિ થાય છે. આ ખડ્ગ આપના શત્રુઓના
શિર પર પડશે, દીન લોકોના વધ માટે તે નથી. જેમ ગરુડ તુચ્છ પક્ષીઓને મારતું નથી
તેમ આપ અનાથને ન મારો. આ પ્રમાણે વિભીષણના ઉત્તમ વચનરૂપી જળથી રાવણનો
ક્રોધાગ્નિ બુઝાઈ ગયો. વિભીષણ મહા સત્પુરુષ છે, ન્યાયના જાણકાર છે. તેણે રાવણના
પગે પડીને દૂતને બચાવ્યો અને સભાના લોકોએ દૂતને બહાર કાઢયો. ધિક્કાર છે સેવકનો
જન્મ, જે પરાધીનતાથી દુઃખ સહે છે!
દૂતે જઈ વૈશ્રવણને સર્વ સમાચાર કહ્યા. રાવણના મુખની અત્યંત કઠોર વાણીરૂપી
ઈંધનથી વૈશ્રવણનો ક્રોધરૂપી અગ્નિ ભભૂકી ઊઠી. તે તેના ચિત્તમાં ન સમાઈ શક્યો એટલે
તેણે સર્વ સેવકોના ચિત્તમાં વહેંચી આપ્યો. અર્થાત્ ત્યાં બેઠેલે બધા કુપિત થઈ ગયા.
તેમણે લડાઈનાં વાજાં વગાડયાં વૈશ્રવણ આખી સેના સાથે યુદ્ધને અર્થે બહાર નીકળ્‌યો.
આ વૈશ્રવણના વંશના

Page 94 of 660
PDF/HTML Page 115 of 681
single page version

background image
૯૪ આઠમું પર્વ પદ્મપુરાણ
વિદ્યાધરો યક્ષ કહેવાય છે તેથી સમસ્ત યક્ષોનો સાથ લઈ રાક્ષસો ઉપર ચડાઈ કરી. અતિ
ઝગમગતાં ખડ્ગ, કુહાડી, ચક્ર, બાણાદિ અને આયુધો ધારણ કર્યાં છે, અંજનગિરિ સમાન
મદગળતા હાથીઓના મદ ઝરી રહ્યા છે, જાણે કે ઝરણાં વહી રહ્યાં છે, મોટા રથો અનેક
રત્નો જડેલા સંધ્યાના વાદળના રંગ સમાન મનોહર, મહાતેજસ્વી પોતાના વેગથી પવનને
જીતે છે, એવી જ રીતે અશ્વો અને પ્યાદાઓના સમૂહ સમુદ્ર સમાન ગર્જના કરતા યુદ્ધને
અર્થે ચાલ્યા દેવોનાં વિમાન સમાન સુંદર વિમાનોમાં બેસીને વિદ્યાધર રાજાઓ રાજા
વૈશ્રવણની સાથે ચાલ્યા અને રાવણ એમના પહેલાં જ કુંભકરણાદિ ભાઈઓ સહિત બહાર
નીકળ્‌યો હતો. યુદ્ધની અભિલાષા રાખતી બન્ને સેનાઓનો સંગ્રામ ગુંજ નામના પર્વત
ઉપર થયો. શસ્ત્રોના સંપાતથી અગ્નિ દેખાવા લાગ્યો. ખડ્ગના ઘાતથી, ઘોડાના
હણહણાટથી, પગે ચાલીને લડનારાઓની ગર્જનાથી, હાથીની ગર્જનાથી, રથના પરસ્પર
શબ્દોથી, વાજિંત્રોના અવાજથી, બાણના ઉગ્ર શબ્દોથી રણભૂમિ ગાજી રહી, ધરતી અને
આકાશ શબ્દમય બની ગયા, વીરરસનો રાગ ફેલાઈ થયો, યોદ્ધાઓને મદ ચઢતો ગયો,
યમના વદન સમાન તીક્ષ્ણ ધારવાળાં ગોળ ચક્ર, યમરાજની જીભ સમાન રુધિરની ધાર
વરસાવતી ખડ્ગધારા, યમના રોમ સમાન કુહાડા, યમની આંગળી સમાન બાણ અને
યમની ભુજા સમાન ફરસી, યમની મુષ્ટિ સમાન મુદ્ગર ઇત્યાદિ અનેક શસ્ત્રોથી પરસ્પર
મહાયુદ્ધ થયું. કાયરોને ત્રાસ અને યોદ્ધાઓને હર્ષ ઊપજ્યો. સામંતો શિરને બદલે યશરૂપ
ફળ મેળવતા હતા. અનેક રાક્ષસ અને વાનર જાતિના વિદ્યાધરો તથા યક્ષ જાતિના
વિદ્યાધરો પરસ્પર યુદ્ધ કરીને પરલોકમાં સિધાવ્યા. કેટલાક યક્ષોની આગળ રાક્ષસો પાછા
હઠયા ત્યારે રાવણે પોતાની સેનાને દબાતી જોઈને પોતે લડાઈની લગામ હાથમાં લીધી.
મહામનોજ્ઞ સફેદ છત્ર જેના શિર ઉપર ફરે છે, એવો કાળમેઘ સમાન રાવણ ધનુષ્યબાણ
ધારણ કરીને, ઇન્દ્રધનુષ્ય સમાન અનેક રંગોનું બખ્તર પહેરીને, શિર પર મુગટ પહેરી
પોતાની દીપ્તિથી આકાશમાં ઉદ્યોત કરતા આવ્યો. રાવણને જોઈને યક્ષ જાતિના વિદ્યાધરો
ક્ષણમાત્ર સંકોચાયા, તેમનું તેજ ઝાંખું પડી ગયું, રણની અભિલાષા છોડીને પરાઙમુખ
થયા, ભયથી આકુળિત થઈને ભમરાની જેમ ફરવા લાગ્યા. તે વખતે યક્ષોનો અધિપતિ
મોટા મોટા યોદ્ધા એકઠા કરીને રાવણની સામે આવ્યો. રાવણ સૌને છેદવા લાગ્યો. જેમ
સિંહ ઊછળીને મદમસ્ત હાથીઓના ગંડસ્થળને વિદારે તેમ રાવણ કોપરૂપી વચનથી
પ્રેરાઈને અગ્નિસ્વરૂપ થઈને શત્રુની સેનારૂપ વનને બાળવા લાગ્યો. રાવણના બાણથી ન
વીંધાયો હોય એવો એકે પુરુષ નહોતો, રથ નહોતો, અશ્વ નહોતો કે વિમાન નહોતું.
રાવણને રણમાં જોઈને વૈશ્રવણ ભાઈ તરીકેનો સ્નેહ બતાવવા લાગ્યો, પોતાના મનમાં
પસ્તાયો, જેમ બાહુબલિ ભરત સાથે લડાઈ કરીને પછતાયા હતા તેમ વૈશ્રવણ રાવણ
સાથે વિરોધ કરીને પસ્તાયો. હાય! હું મૂર્ખ ઐશ્વર્યથી ગર્વિત થઈને ભાઈનો નાશ
કરવામાં પ્રવર્ત્યો. આવો વિચાર કરીને વૈશ્રવણ રાવણને કહેવા લાગ્યો, ‘હે દશાનન! આ
રાજ્યલક્ષ્મી ક્ષણભંગુર છે એના નિમિત્તે તું શા માટે પાપ કરે છે? હું તારી મોટી માસીનો
પુત્ર છું તેથી

Page 95 of 660
PDF/HTML Page 116 of 681
single page version

background image
પદ્મપુરાણ આઠમું પર્વ ૯પ
ભાઈઓ સાથે અયોગ્ય વ્યવહાર કરવો યોગ્ય નથી. આ જીવ પ્રાણીઓની હિંસા કરાવી
મહાભયંકર નરકમાં જાય છે, તે મહાદુઃખથી ભરેલું છે. જગતના જીવો વિષયોની
અભિલાષામાં ફસાયેલા છે. જીવન આંખોની પલકમાફક ક્ષણિક છે એ શું તું નથી
જાણતો? ભોગોને ખાતર પાપકર્મ શા માટે કરે છે?’ રાવણે ઉત્તર આપ્યો, ‘હે વૈશ્રવણ!
આ ધર્મશ્રવણનો સમય નથી. જે મત્ત હાથી ઉપર ચડે અને હાથમાં ખડ્ગ લે તે શત્રુઓને
મારે અથવા પોતે મરે. ઘણું બોલવાથી શું ફાયદો? કાં તો તું તલવારના માર્ગમાં ખડો થા
અથવા મારા પગમાં પડ. જો તું ધનપાલ હો તો અમારો ભંડારી થા, પોતાનું કામ
કરવામાં માણસને લજ્જા ન થવી જોઈએ.’ ત્યારે વૈશ્રવણે કહ્યું, ‘હે રાવણ! તારું આયુષ્ય
અલ્પ છે તેથી તેં આવાં ક્રૂર વચન કહ્યાં. તારી શક્તિ પ્રમાણે તું અમારા ઉપર શસ્ત્રનો
પ્રહાર કર.’ ત્યારે રાવણે કહ્યું કે તમે મોટા છો તેથી પ્રથમ પ્રહાર તમે કરો. પછી રાવણ
અને વૈશ્રવણે બાણ ચલાવ્યાં, જાણે કે પર્વત ઉપર સૂર્યનાં કિરણો ફેંક્યાં. વૈશ્રવણનાં બાણ
રાવણે પોતાનાં બાણથી કાપી નાખ્યાં અને પોતાનાં બાણોથી શરમંડપ બનાવી દીધો. પછી
વૈશ્રવણે અર્ધચંદ્ર બાણ વડે રાવણનું ધનુષ્ય છેદી નાખ્યું અને રથરહિત કર્યો. રાવણે
મેઘનાદ નામના રથ ઉપર ચડીને વૈશ્રવણ સાથે યુદ્ધ કર્યું, ઉલ્કાપાત સમાન વજ્રદંડોથી
વૈશ્રવણનું બખ્તર તોડી નાખ્યું અને વૈશ્રવણના કોમળ હૃદયમાં ભિંડમાલ મારી તેથી તે
મૂર્છિત બની ગયો. તેની સેનામાં અત્યંત શોક ફેલાઈ ગયો અને રાક્ષસોની સેનામાં હર્ષ.
વૈશ્રવણના સેવકો વૈશ્રવણને રણક્ષેત્રમાંથી ઉપાડીને યક્ષપુર લઈ ગયા અને રાવણ
શત્રુઓને જીતીને યુદ્ધમાંથી પાછો આવ્યો. સુભટોને શત્રુને જીતવાનું જ પ્રયોજન હોય છે,
ધનાદિકનું નહિ.
પછી વૈશ્રવણના વૈદ્યોએ પ્રયત્ન કર્યો તેથી તે સાજો થયો અને પોતાના મનમાં
વિચારવા લાગ્યો કે જેમ પુષ્પરહિત વૃક્ષ, શિંગડા તૂટેલો બળદ કે કમળ વિનાનું સરોવર
શોભતું નથી તેમ હું શૂરવીરતા વિના શોભું નહિ. જે સામંત છે અને ક્ષત્રિયપણાનું બિરુદ
ધરાવે છે તે સુભટપણાથી શોભે છે, તેને સંસારમાં પરાક્રમી જ સુખ છે; તે હવે મારામાં
રહ્યું નહિ માટે હવે સંસારનો ત્યાગ કરીને મુક્તિ માટે પ્રયત્ન કરું. આ સંસાર અસાર છે,
ક્ષણભંગુર છે, માટે જ સત્પુરુષો વિષયસુખ ઈચ્છતા નથી. એ અંતરાય સહિત છે અને
અલ્પ છે, દુઃખરૂપ છે. આ પ્રાણી પૂર્વભવમાં જે અપરાધ કરે છે તેનું ફળ આ ભવમાં
પરાભવ પામે તે છે. સુખદુઃખનું મૂળ કારણ કર્મ જ છે અને પ્રાણી નિમિત્તમાત્ર છે, તેથી
જ્ઞાનીએ તેના ઉપર કોપ ન કરવો જોઈએ. જ્ઞાની સંસારનું સ્વરૂપ સારી રીતે જાણે છે.
આ કેકસીનો પુત્ર રાવણ મારા કલ્યાણનું નિમિત્ત બન્યો છે, જેણે મને ગૃહવાસરૂપ મોટી
ફાંસીમાંથી છોડાવ્યો, અને કુંભકર્ણ મારો પરમ બાંધવ થયો, જેણે આ સંગ્રામના કારણને
મારા જ્ઞાનનું નિમિત્ત બનાવ્યું. આમ વિચાર કરીને વૈશ્રવણે દિગંબરી દીક્ષા ધારણ કરી.
તેણે પરમતપ આરાધીને સંસારભ્રમણનો અંત કર્યો.
રાવણ પોતાના કુળના અપમાનરૂપ કલંક ધોઈને સુખી થયો. બધા ભાઈઓએ તેને
રાક્ષસોનો અગ્રણી માન્યો. વૈશ્રવણની સવારીનું પુષ્પક નામનું વિમાન મહામનોજ્ઞ છે, રત્નોની

Page 96 of 660
PDF/HTML Page 117 of 681
single page version

background image
૯૬ આઠમું પર્વ પદ્મપુરાણ
જ્યોતિના અંકુર ફૂટી રહ્યા છે, ઝરૂખા જાણે કે તેનાં નેત્ર છે, નિર્મળ કાંતિ ધરનાર
મોતીની ઝાલરોથી જાણે કે તે પોતાના સ્વામીના વિયોગથી અશ્રુપાત કરે છે અને
પદ્મરાગમણિની પ્રભાથી તે લાલાશ ધારણ કરે છે; જાણે કે વૈશ્રવણનું હૃદય જ રાવણના
કરેલા પ્રહારથી લાલ થઈ ગયું છે અને ઇન્દ્રનીલમણિની પ્રભા અતિશ્યામ સુંદરતા ધારણ
કરે છે, જાણે કે સ્વામીના શોકથી શ્યામ થઈ રહ્યું છે. ચૈત્યાલય, વન, વાપી, સરોવર,
અનેક મંદિરોથી મંડિત જાણે નગરનો આકાર જ ન હોય! રાવણના હાથના વિવિધ
પ્રકારના ઘાથી જાણે કે ઘાયલ થઈ ગયું છે. રાવણના મહેલ જેવા ઊંચા તે વિમાનને
રાવણના સેવકો રાવણની પાસે લાવ્યા. તે વિમાન આકાશનું આભૂષણ છે. આ વિમાનને
વેરીના પરાજયનું ચિહ્ન ગણીને રાવણે તે લીધું, બીજા કોઈનું કાંઈ ન લીધું. રાવણને
કોઈ વસ્તુની કમી નથી, વિદ્યામયી અનેક વિમાનો છે તો પણ પુષ્પક વિમાનમાં તે
અનુરાગપૂર્વક બેઠો. પિતા રત્નશ્રવા, માતા કેકસી અને સમસ્ત પ્રધાન સેનાપતિ તથા
ભાઈ-પુત્રો સહિત પોતે પુષ્પક વિમાનમાં આરૂઢ થયો. નગરજનો જાતજાતનાં વિમાનોમાં
બેઠાં. પુષ્પકની વચમાં મહા કમલવન છે. ત્યાં પોતે મંદોદરી આદિ સમસ્ત રાજ્યના
સંબંધીઓ સહિત આવીને બેઠો. કેવો છે રાવણ? અખંડ જેની ગતિ છે; પોતાની ઈચ્છાથી
આશ્ચર્યકારી આભૂષણો પહેર્યાં છે, શ્રેષ્ઠ વિદ્યાધરી તેના ઉપર ચામર ઢોળે છે,
મલિયાગિરિના ચંદનાદિ અનેક સુગંધી પદાર્થો તેના અંગ પર લગાડયા છે, ચંદ્રમાની કીર્તિ
સમાન ઉજ્જવળ છત્ર શોભે છે, જાણે કે શત્રુઓના પરાજયથી પોતાનો જે યશ ફેલાયો છે
તે યશથી શોભાયમાન છે. ધનુષ, ત્રિશૂળ, ખડ્ગ, ભાલા, પાશ ઇત્યાદિ હથિયારો હાથમાં
રાખીને સેવકો તેની આજુબાજુ વીંટળાયેલા છે. મહાભક્તિયુક્ત, અદ્ભુત કાર્ય કરનાર
મોટા મોટા વિદ્યાધર, રાજા, સામંતોનો ક્ષય કરનાર, પોતાના ગુણોથી સ્વામીના મનને
મોહનાર, મહાન વૈભવવાન સાથીઓથી દશમુખ મંડિત છે. પરમ ઉદાર, સૂર્ય જેવું તેજ
ધારણ કરનાર તે પૂર્વોપાર્જિત પુણ્યનું ફળ ભોગવતો થકો દક્ષિણ સમુદ્ર તરફ જ્યાં લંકા છે
તે તરફ ઇન્દ્ર જેવી વિભૂતિ સહિત ચાલ્યો. ભાઈ કુંભકરણ હાથી ઉપર ચડયો, વિભીષણ
રથ ઉપર ચડયો. તે સૌ પોતાના માણસો સાથે મહાવૈભવમંડિત રાવણની પાછળ ચાલ્યા.
મંદોદરીના પિતા રાજા મય દૈત્ય જાતિના વિદ્યાધરોના અધિપતિ ભાઈઓ સહિત અનેક
સામંતો સહિત, તથા મારીચ, અંબર, વિદ્યુતવજ્ર, વજ્રોદર, બુધવજ્રાક્ષક્રૂર, ક્રૂરનક્ર, સારન,
સુનય, શુક્ર ઇત્યાદિ મંત્રીઓ સહિત, મહાવિભૂતિથી શોભિત અનેક વિદ્યાધરોના રાજા
રાવણની સાથે ચાલ્યા. કેટલાક સિંહના રથ પર ચડયા, કેટલાક અષ્ટાપદોના રથ પર ચડીને
વન, પર્વત, સમુદ્રની શોભા દેખતા પૃથ્વી પર ફર્યા અને સમસ્ત દક્ષિણ દિશા વશ કરી.
ત્યાર પછી એક દિવસ રાવણે પોતાના દાદા સુમાલીને પૂછયું ‘હે પ્રભો! હે પૂજ્ય!
પર્વતના શિખર ઉપર સરોવર નથી છતાં કમળનું વન કેવી રીતે ખીલ્યું છે; એ આશ્ચર્ય
છે. વળી, કમળોનું વન ચંચળ હોય છે અને આ નિશ્ચળ છે.’ રાવણે વિનયથી નમ્ર
શરીરથી જ્યારે સુમાલીને આ પ્રમાણે પૂછયું ત્યારે સુમાલી ‘નમઃ સિદ્ધેભ્યઃ’ આ મંત્ર
બોલીને કહેવા લાગ્યા,

Page 97 of 660
PDF/HTML Page 118 of 681
single page version

background image
પદ્મપુરાણ આઠમું પર્વ ૯૭
‘હે પુત્ર! આ કમળોનું વન નથી. આ પર્વતના શિખર ઉપર પદ્મરાગમણિમય હરિષેણ
ચક્રવર્તીના બનાવરાવેલાં ચૈત્યાલયો છે, જેના ઉપર નિર્મળ ધજાઓ ફરકે છે. એ
જાતજાતનાં તોરણોથી શોભે છે. હરિષેણ ચક્રવર્તી મહાસજ્જન પુરુષોત્તમ હતા. તેમના
ગુણોનું કથન થઈ શકે નહિ. હે પુત્ર! તું નીચે ઊતરીને પવિત્ર મનથી તેમને નમસ્કાર
કર.’ પછી રાવણે બહુ જ વિનયથી જિનમંદિરોને નમસ્કાર કર્યા અને બહુ જ આશ્ચર્ય
પામ્યો. તેણે સુમાલીને હરિષેણ ચક્રવર્તીની કથા પૂછી. હે દેવ! આપે જેમના ગુણોનું વર્ણન
ર્ક્યું તેમની કથા કહો. કેવો છે રાવણ? વૈશ્રવણને જીતનાર અને વડીલો પ્રત્યે અતિવિનયી
છે. સુમાલીએ કહ્યું કે હે રાવણ! તેં સારું પૂછયું. પાપનો નાશ કરનાર હરિષેણનું ચરિત્ર તું
સાંભળ. કંપિલ્યાનગરમાં રાજા સિંહધ્વજ રાજ્ય કરતા. તેને વપ્રા આદિ ગુણવાન અને
સૌભાગ્યવતી અનેક રાણીઓ હતી. રાણી વપ્રા તેમાં તિલક હતી. તેને હરિષેણ ચક્રવર્તી
પુત્ર થયો. તે ચોસઠ શુભ લક્ષણોથી યુક્ત, પાપકર્મનો નાશક હતો. તેની માતા વપ્રા
મહાધર્મી હતી. તે સદા અષ્ટાન્હિકાના ઉત્સવમાં રથયાત્રા કાઢતી. તેની શોક્ય રાણી
મહાલક્ષ્મી સૌભાગ્યના મદથી કહેવા લાગી કે પહેલાં અમારો બ્રહ્મરથ નગરમાં ભ્રમણ
કરશે અને પછી તારો રથ નીકળશે. આ વાત સાંભળીને રાણી વપ્રા હૃદયમાં બહુ
ખેદખિન્ન થઈ, જાણે કે વજ્રપાતની પીડા થઈ. તેણે એવી પ્રતિજ્ઞા કરી કે અમારા
વીતરાગનો રથ અષ્ટાન્હિકામાં પહેલો નીકળે તો હું આહાર લઈશ, નહિતર નહિ લઉં.
આમ કહીને તેણે સર્વ કાર્ય છોડી દીધાં, શોકથી તેનું મુખકમળ કરમાઈ ગયું અને
આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. માતાને જોઈને હરિષેણે કહ્યું, ‘હે માતા! આજ સુધી તમે
સ્વપ્નમાં પણ રુદન નથી કર્યું તો હવે આ અમંગલ કાર્ય કેમ કરો છો? ત્યારે માતાએ
બધી વાત કરી. આ સાંભળીને હરિષેણે મનમાં વિચાર્યું કે શું કરું? એક તરફ પિતા છે,
બીજી તરફ માતા. હું તો સંકટમાં આવી ગયો. માતાને રોતાં જોઈ શકતો નથી અને બીજી
બાજુ પિતાને કાંઈ કહી શકાય તેમ નથી. તેથી ઉદાસ બનીને, ઘરમાંથી નીકળી વનમાં
ગયા. ત્યાં મધુર ફળો ખાઈને અને સરોવરોનું નિર્મળ જળ પીને નિર્ભયપણે ફરવા
લાગ્યા. એમનું સુંદર રૂપ જોઈને તે વનમાં ક્રૂર પશુઓ પણ શાંત થઈ ગયાં. આવા ભવ્ય
જીવ કોને વહાલા ન લાગે? ત્યાં વનમાં પણ તેમને જ્યારે માતાનું રુદન યાદ આવતું
ત્યારે એમને એવી પીડા થતી કે વનની રમણીયતાનું સુખ ભૂલી જતા. હરિષેણ ચક્રવર્તી
વનમાં વનદેવતાની પેઠે ભ્રમણ કરતા. તેમને હરણીઓ પણ પોતાનાં નેત્રોથી જોઈ રહી
હતી. આ પ્રમાણે વનમાં ફરતાં તે શતમન્યુ નામના તાપસના આશ્રમમાં ગયા. ત્યાં
જંગલના જીવોને આશ્રય મળતો.
હવે કાલકલ્પ નામના એક અતિપ્રબળ, તેજસ્વી રાજાએ પોતાની મોટી ફોજ સાથે
આવીને ચંપા નામની નગરીને ઘેરી લીધી. ત્યાં રાજા જનમેજય રાજ્ય કરતો. જનમેજય
અને કાલકલ્પ વચ્ચે યુદ્ધ થયું. જનમેજયના મહેલમાં એક સુરંગ બનાવેલી હતી તે માર્ગે
થઈને જનમેજયની માતા નાગમતી પોતાની પુત્રી મદનાવલી સાથે નીકળીને શતમન્યુ
તાપસના આશ્રમમાં આવી.

Page 98 of 660
PDF/HTML Page 119 of 681
single page version

background image
૯૮ આઠમું પર્વ પદ્મપુરાણ
તે નાગમતીની પુત્રી હરિષેણ ચક્રવતીનું રૂપ જોઈને કામના બાણથી વીંધાઈ ગઈ. તેને
આવી સ્થિતિમાં જોઈને નાગમતી કહેવા લાગી કે હે પુત્રી! તું વિનયથી આ વાત સાંભળ.
એક વાર અગાઉ કોઈ મુનિએ કહેલું કે આ કન્યા ચક્રવર્તીની સ્ત્રીરત્ન થશે. તો આ
ચક્રવર્તી તારા વર છે. આ સાંભળીને તે અતિઆસક્ત થઈ. ત્યારે તાપસે હરિષેણને કાઢી
મૂક્યો, કેમ કે તેણે વિચાર્યું કે કદાચ તેમનો સંસર્ગ થાય તો એ વાતથી અમારી અપકીર્તિ
થાય. તેથી ચક્રવર્તી તેમના આશ્રમમાંથી બીજે ઠેકાણે ગયા, પણ તાપસને દીન જાણીને
તેની સાથે યુદ્ધ ન કર્યું; છતાં તેમના ચિત્તમાં તે કન્યા વસી ગઈ; તેથી હવે તેમના
ભોજનમાં, શયનમાં કોઈ પ્રકારની સ્થિરતા, નહોતી રહેતી. જેમ ભ્રામરી વિદ્યાથી કોઈ
ભટક્યા કરે તેમ એ પૃથ્વી પર ભટકવા લાગ્યા. ગ્રામ, નગર, વન, ઉપવન, લતાઓના
મંડપ, ક્યાંય એમને ચેન પડતું નહિ. કમળોનાં વન તેમને દાવાનળ સમાન લાગતાં અને
ચંદ્રમાનાં કિરણો વજ્રની સોય જેવા લાગતાં, કેતકી બરછીની અણી સમાન લાગતી.
પુષ્પોની સુગંધથી મન પ્રસન્ન થતું નહિ, મનમાં એમ વિચારતા રહેતા કે હું આ
સ્ત્રીરત્નને પરણું તો હું જઈને માતાનો પણ શોક-સંતાપ દૂર કરું. તે ઉપરાંત નદીઓના
કિનારે, વનમાં, ગ્રામમાં, નગરમાં, પર્વત પર ભગવાનનાં ચૈત્યાલયો બનાવરાવું. આમ
વિચારતાં અને અનેક દેશોમાં ભટકતાં તે સિંધુનંદન નામના નગરની પાસે આવ્યા.
હરિષેણ મહાબળવાન અને અતિતેજસ્વી છે. ત્યાં નગરની બહાર અનેક સ્ત્રીઓ ક્રીડા
કરવા આવી હતી. ત્યાં એક અંજનગિરિ સમાન હાથી મદ ટપકાવતો સ્ત્રીઓની નજીક
આવ્યો. મહાવતે પોકાર કરીને સ્ત્રીઓને કહ્યું કે આ હાથી મારા વશમાં નથી માટે તમે
શીઘ્ર ભાગો. ત્યારે તે સ્ત્રીઓ હરિષેણના શરણે થઈ. હરિષેણ પરમદયાળુ છે, મહાન યોદ્ધા
છે. તે સ્ત્રીઓને પાછળ રાખીને પોતે હાથીની સન્મુખ આવ્યા. તેમણે મનમાં વિચાર્યું કે
ત્યાં તો પેલો તાપસ દીન હતો તેથી તેની સાથે મેં યુદ્ધ ન કર્યું, તે તો મૃગલા જેવો હતો,
પરંતુ અહીં આ દુષ્ટ હાથી મારા દેખતાં સ્ત્રી, બાળાઓને હણે અને હું મદદ ન કરું એ તો
ક્ષત્રિયપણું ન કહેવાય. આ હાથી આ બાળાઓને પીડા પહોંચાડી શકે તેમ છે. જેમ બળદ
શિંગડાથી રાફડા ખોદી શકે, પણ પર્વતને ખોદવાને શક્તિમાન નથી હોતો તથા કોઈ
બાણથી કેળાનું વૃક્ષ છેદી શકે પરંતુ શિલાને ન છેદી શકે તેવી જ રીતે આ હાથી
યોદ્ધાઓને હરાવવાને સમર્થ નથી. એટલે તેણે મહાવતને કઠોર વચનોથી કહ્યું કે હાથીને
અહીંથી દૂર લઈ જા. ત્યારે મહાવતે કહ્યું કે તું પણ ઘણો હઠીલો છે, હાથીને માણસ
ઓળખે છે. હાથી પોતે જ મસ્તીમાં આવી રહ્યો છે, તારું મોત આવ્યું છે અથવા દુષ્ટ ગ્રહ
તારી પાછળ લાગ્યા છે; માટે તું અહીંથી જલ્દી ભાગ. ત્યારે તેઓ હસ્યા. તેમણે સ્ત્રીઓને
પાછળ રાખીને પોતે ઊંચા ઊછળીને હાથીના દાંત ઉપર પગ મૂકીને કુંભસ્થળ પર ચડયા
અને હાથી સાથે ખૂબ ક્રીડા કરી. કેવા છે હરિષેણ? કમળ સમાન જેમનાં નેત્ર છે, વિશાળ
જેમની છાતી છે, જેમના ખભા દિગ્ગજોનાં કુંભસ્થળ જેવા છે, સ્તંભ સમાન જેમની જાંઘ
છે. આ વૃત્તાંત સાંભળીને નગરનાં સર્વ જનો જોવા આવ્યા. રાજા મહેલ ઉપર ચડીને
જોતો હતો તે પણ આશ્ચર્ય પામ્યો.

Page 99 of 660
PDF/HTML Page 120 of 681
single page version

background image
પદ્મપુરાણ આઠમું પર્વ ૯૯
પોતાનાં પરિવારજનોને મોકલીને તેને બોલાવવામાં આવ્યો. તે હાથી ઉપર બેસીને
નગરમાં આવ્યા. નગરનાં સમસ્ત નરનારી તેમને જોઈ મોહિત થયાં. તેમણે ક્ષણમાત્રમાં
હાથીનો મદ ઉતારી નાખ્યો. તે પોતાના રૂપ વડે બધાંનું મન હરણ કરતાં નગરમાં આવ્યા.
રાજાની સો કન્યા તેમને પરણી. બધા લોકોમાં હરિષેણની કથા જાણીતી થઈ ગઈ. તે
રાજાના અધિકાર, સન્માન પામીને સર્વ પ્રકારે સુખી થયા. તો પણ તાપસના વનમાં જે
સ્ત્રીને જોઈ હતી તેના વિના તેમની એક રાત્રિ એક વર્ષ જેવડી લાગતી. તે મનમાં
વિચારતા કે મારા વિના તે મૃગનયની તે વિષમ વનમાં હરણી સમાન પરમ આકુળતા
પામતી હશે. તેથી મારે તેની પાસે જલ્દી પહોંચવું જોઈએ. આમ વિચારતાં તેમને રાત્રે
નિદ્રા આવતી નહિ. જો કદાચ અલ્પ ઊંઘ આવતી તો પણ સ્વપ્નમાં તે જ દેખાતી.
કમળસરખાં નેત્રવાળી તે જાણે એમના મનમાં જ વસી ગઈ છે.
એક વાર વિદ્યાધર રાજા શક્રધનુની પુત્રી જયચંદ્રાની સખી વેગવતી હરિષેણને
રાત્રે ઉપાડીને આકાશમાં લઈ ચાલી. ઊંઘ ઊડતાં પોતાને આકાશમાં જતો જોઈને
ગુસ્સાથી તેણે વેગવતીને કહ્યું, ‘હે પાપિણી, તું મને ક્યાં લઈ જાય છે?’ જોકે તે
વિદ્યાબળથી પૂર્ણ હતી તો પણ એને કુપિત થઈ મૂઠ્ઠી ભીડતો અને હોઠ કરડતો જોઈને
ડરી ગઈ અને એને કહેવા લાગી કે હે પ્રભો! જેમ કોઈ મનુષ્ય પોતે જે વૃક્ષની ડાળ
ઉપર બેઠો હોય તેને જ તે કાપે તો શું એ ડહાપણ કહેવાય! તેવી જ રીતે હું તમારું હિત
કરનારી છું અને તમે મને જ હણો તે ઉચિત નથી. હું તમને તેની પાસે લઈ જાઉં છું, જે
નિરંતર તમારા મિલનની અભિલાષા રાખે છે. ત્યારે તે મનમાં વિચારવા લાગ્યા કે આ
મધુર બોલનારી બાજાને પીડા પહોંચાડે તેમ નથી, એની આકૃતિ મધુર જણાય છે અને
આજે મારી જમણી આંખ પણ ફરકે છે તેથી આ મને મારી પ્રિયાનો મેળાપ કરાવશે.
તેથી તેમણે તેને પૂછયું કે હે ભદ્રે! તું તારા આગમનનું કારણ કહે. તે કહેવા લાગી કે
સૂર્યોદયનગરમાં રાજા શક્રધનુની રાણી ધારાની પુત્રી જયચંદ્રા રૂપ અને ગુણથી મહાઉન્મત્ત
છે. કોઈ પુરુષ તેની દ્રષ્ટિમાં આવતો નથી. પિતા જ્યાં પરણાવવા ઇચ્છે છે તેને તે ગમતું
નથી. મેં તેને જે જે રાજપુત્રનાં ચિત્રપટ દેખાડયાં તેમાંથી કોઈ પણ તેને ગમતું નથી.
ત્યારપછી મેં તમારું ચિત્રપટ દેખાડયું ત્યારે તે મોહિત થઈ અને મને એમ કહેવા લાગી કે
જો મને આ પુરુષનો સંયોગ નહિ મળે તો હું મરી જઈશ, પણ બીજા અધમ પુરુષ સાથે
સંબંધ નહિ બાંધું. પછી મેં એને ધીરજ આપી અને એની સામે એવી પ્રતિજ્ઞા કરી. જ્યાં
તારી રુચિ છે તેને હું ન લાવું તો અગ્નિમાં પ્રવેશ કરીશ. તેને અત્યંત શોકાતુર જોઈને મેં
આવી પ્રતિજ્ઞા કરી. તેનાં ગુણથી મારું મન ખેંચાયું હતું અને પુણ્યના પ્રભાવથી આપ
મળ્‌યા તેથી મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. આમ કહીને તેમને તે સૂર્યોદયનગરમાં લઈ ગઈ.
તેણે રાજા શક્રધનુને બધી વાત કરી તેથી રાજાએ પોતાની પુત્રીનાં તેની સાથે લગ્ન
કરાવ્યાં. એમનાં લગ્નથી સગાઓ અને નગરજનો હર્ષ પામ્યાં. તેં વરકન્યા અદ્ભુત રૂપનાં
નિધાન છે. એમનાં લગ્નની વાત સાંભળીને કન્યાના મામાનો પુત્ર રાજા ગંગાધર ક્રોધે
ભરાયો કે આ કન્યા વિદ્યાધરને