Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 37
single page version

background image
: ૪૦: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
આત્મામાં પ્રભુત્વ નામની એક શક્તિ છે, તે આખા દ્રવ્યમાં વ્યાપેલી છે તેથી દ્રવ્યના બધાય ગુણોમાં પણ
પ્રભુતા છે. એકેક શક્તિમાં પ્રભુતા છે. જો એક શક્તિને કાઢી નાખો તો દ્રવ્યનો પ્રતાપ ને સ્વતંત્રતા અખંડ નથી
રહેતા. તેમ જ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અસ્તિત્વ વગેરે કોઈ એક ગુણનો એક સમયનો પર્યાય કાઢી નાંખો
તો તે ગુણ અનાદિ અનંત અખંડ નથી રહેતો પણ તેના બે કટકા થઈ જાય છે. તેથી તે એક સમયનો પર્યાય
પોતાના તે સમયના સ્વતંત્ર પ્રતાપથી શોભી રહ્યો છે. જેમ કોઈ માણસ ૧૦૦ વર્ષની ઉંમરનો હોય, તેના ૧૦૦
વર્ષમાંથી જો એક સમય પણ કાઢી નાંખો તો તેનું ૧૦૦ વર્ષનું અખંડપણું ન રહે, પણ એક તરફ ૫૦ વર્ષ અને
બીજી તરફ ૫૦ વર્ષમાં એક સમય ઓછો એમ બે ખંડ પડી જાય છે, ૧૦૦ વર્ષનું અખંડપણું નથી રહેતું. તેમ જો
દ્રવ્યના એક પર્યાયને કાઢી નાંખો તો દ્રવ્યનો પ્રતાપ ખંડિત થઈ જાય છે. માટે દ્રવ્યનો એકેક પર્યાય પોતાના
અખંડ પ્રતાપથી શોભે છે. આવી આત્માની પ્રભુતા છે.
દરેક દ્રવ્ય, તેના દરેક ગુણ ને તેના એકેક સમયના દરેક પર્યાયો અખંડ છે. જો એકેક પર્યાયની પણ અખંડ
પ્રભુતા પ્રતીતમાં ન લો તો દ્રવ્ય–ગુણ જ રહેતાં નથી. દ્રવ્ય–ગુણને પરિપૂર્ણ કરવાની એકેક પર્યાયમાં તાકાત છે.
(૧૦) જેમ દ્રવ્યનો એકેક પર્યાય સ્વતંત્ર છે તેમ એકેક પ્રદેશ પણ સ્વતંત્ર છે. પ્રદેશે પ્રદેશે પ્રભુતા છે.
એક પ્રદેશ બીજા પ્રદેશરૂપે થઈ જતો નથી, તેમ બીજા અનંત પ્રદેશોરૂપે તે થતો નથી, અનંત પ્રદેશોથી ભિન્ન
પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખે છે એવી તેની પ્રભુતા છે. વળી જો દ્રવ્યનો એક પ્રદેશ કાઢી નાખો તો
આખા દ્રવ્યની અખંડતા જ રહે નહિ, એ અપેક્ષાએ એકેક પ્રદેશ અખંડ દ્રવ્યને ટકાવી રાખે છે, એવી એકેક
પ્રદેશની પ્રભુતા છે.
(૧૧) દરેક ગુણમાં ને દરેક પ્રદેશમાં પ્રભુતા છે. તેમાં એટલો ફેર છે કે એક ગુણ તો સર્વ પ્રદેશોમાં ને સર્વ
ગુણોમાં વ્યાપક છે, પણ એક પ્રદેશ સર્વ પ્રદેશોમાં વ્યાપતો નથી. છતાં એકેક પ્રદેશમાં અનંત ગુણોનો અંશ રહ્યો છે.
(૧૨) એકેક સમયના પર્યાયમાં એકેક પ્રદેશમાં પ્રભુતા છે. પરંતુ તેમાં એકેક સમયનો પર્યાય તો દ્રવ્યના
સર્વ ક્ષેત્રમાં વ્યાપે છે પણ એક પ્રદેશ દ્રવ્યના સર્વ ક્ષેત્રમાં વ્યાપતો નથી. (અહીં પરમાણુની વાત નથી પણ
આત્માની વાત છે.) અને પર્યાય દ્રવ્યના સર્વ ક્ષેત્રમાં વ્યાપતો હોવા છતાં તે એક સમય પૂરતો જ છે, એક પ્રદેશ
દ્રવ્યના સર્વક્ષેત્રમાં વ્યાપતો ન હોવા છતાં તે ત્રિકાળ છે.
(૧૩) આ આત્માની પ્રભુતાનું વર્ણન ચાલે છે. આત્મામાં દ્રવ્યથી પ્રભુતા છે, ગુણથી પ્રભુતા છે, એકેક
પર્યાયમાં ને એકેક પ્રદેશમાં પણ પ્રભુત્વ છે. લોકોમાં કહેવાય છે કે ‘પંચ ત્યાં પરમેશ્વર.’ તેમ આ પાંચની
સાલના મંગળ તરીકે પરમેશ્વરની–આત્માની પ્રભુતાની–વાત આવી છે. આ આત્માની પ્રભુતાના માંગળિકમાં
અપ્રતિહત મુક્તિના માણેકથંભ રોપાય છે. જો પોતાના આત્માની આવી પ્રભુતાનો પ્રતાપ જાણે તો કોઈ
પરવસ્તુથી પોતાની પ્રભુતા ન માને, અને પોતાની પ્રભુતા માટે પરનો આશ્રય માને નહિ, એટલે પરાશ્રય
છોડીને સ્વાશ્રય કરે. એ જ ધર્મ છે, ને એ જ મુક્તિનો ઉપાય છે. એકેક ગુણ–પર્યાય અનંતગુણની પ્રભુતાને
શોભાવનાર છે. આખું દ્રવ્ય પોતાની પ્રભુતાથી શોભાયમાન છે, આમ દ્રવ્યની પ્રભુતાના સ્વીકારમાં સ્વાશ્રયનો
સ્વીકાર છે, ને સ્વાશ્રયના સ્વીકારમાં મુક્તિ છે. જો કોઈ નિમિત્ત–સંયોગ વગેરે પરનો આશ્રય માને તો પોતાની
પ્રભુતાની પ્રતીતિ રહેતી નથી. તેમ જ વર્તમાન પર્યાયમાં નબળાઈ છે તેનો આશ્રય સ્વીકારે તો પણ પોતાની
પ્રભુતાની પ્રતીતિ રહેતી નથી. આત્મા ત્રણેકાળ પોતાની અખંડ પ્રતાપવાળી સ્વતંત્રતાથી શોભાયમાન છે, તેને
જો પરનો આશ્રય કહો તો તેની સ્વતંત્ર શોભા રહેતી નથી.
(૧૪) અજ્ઞાની કહે છે કે ‘દ્રવ્ય–ગુણ તો સ્વતંત્ર છે પણ પર્યાય પરના આશ્રયે થાય છે’ અહીં તો કહે છે
કે દ્રવ્ય–ગુણ ને પર્યાય ત્રણેય સ્વતંત્ર છે. પર્યાય પોતાના સ્વતંત્ર પ્રભુત્વથી શોભે છે; પર્યાયને દ્રવ્ય–ગુણનો પણ
આશ્રય નથી, તો વળી પરનો આશ્રય કેવો? દ્રવ્ય–ગુણ સત્ છે તેમ તેના અનાદિ અનંત પર્યાયો પણ સત્ છે,
એકેક સમયનો પર્યાય સત્ અહેતુક છે. પરવસ્તુઓ તો પર્યાયનું કારણ છે જ નહિ, પણ જો પર્યાયનું કારણ દ્રવ્ય–
ગુણને કહો તો દ્રવ્ય–ગુણ બધા જીવોને એક સરખા છે છતાં પર્યાયમાં ફેર કેમ પડે છે? માટે દરેકે દરેક પર્યાયનું
વીર્ય સ્વતંત્ર છે, પર્યાયની પ્રભુતા છે; પર્યાય પોતાના સ્વભાવસામર્થ્યથી સ્વતંત્રપણે અખંડ પ્રતાપથી શોભી
રહ્યો છે. દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેની નિરપેક્ષતાના સ્વીકાર

PDF/HTML Page 22 of 37
single page version

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૪૧ :
પૂર્વક એકબીજાની અપેક્ષા લાગું થાય, અને દ્રવ્ય–ગુણના આશ્રયે પર્યાય છે એમ કહેવાય. નિરપેક્ષતા વગરનું
એકલું સાપેક્ષ સિદ્ધ થાય નહિ. અત્યારે પર્યાયની પણ પ્રભુતા બતાવવી છે; જો પર્યાયને દ્રવ્ય–ગુણનો આશ્રય
માનો તો પર્યાયની પ્રભુતા નથી રહેતી: અહો દ્રવ્યનો દરેક અંશ સ્વતંત્ર પ્રતાપે શોભે છે, આવી પ્રતીત કરનારને
સ્વભાવનો જ આશ્રય થાય છે. રાગનો આશ્રય માને તોય આત્માનો પ્રતાપ અખંડ નથી રહેતો.
આત્માની પ્રભુત્વશક્તિએ દ્રવ્યને, ગુણને ને પર્યાયને–ત્રણેને ટકાવી રાખ્યાં છે. એકલા પ્રભુત્વગુણમાં જ
પ્રભુતા છે–એમ નથી, પણ આખા દ્રવ્યમાં પ્રભુતા છે, દ્રવ્યના દરેક ગુણમાં પ્રભુતા છે ને તેના દરેક પર્યાયમાં
પ્રભુતા છે. આવી પોતાની પ્રભુતાની જેને પ્રતીત થઈ તેને જયવંત એવું કેવળજ્ઞાન પ્રગટ્યા વગર રહે નહિ.
આ રીતે, દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેની સ્વતંત્રતાથી આત્માની અખંડ પ્રભુતા બતાવી તે આ બેસતા વર્ષનું
અપૂર્વ માંગળિક છે.
• • •
(૧૫) હવે આ સમયસારના મંગળ–શ્લોકનો વિસ્તાર થાય છે. આ કળશમાં આચાર્યભગવાન કહે છે
કે–આ આત્માનો ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે. જેણે પોતાના આત્માની શ્રદ્ધામાં જરાય કચાશ આવવા દીધી
નથી તેને કેવળજ્ઞાનરૂપી સુપ્રભાત પ્રગટે છે, તે જ ચૈતન્યચમત્કાર છે. તે કેવળજ્ઞાન જયવંત વર્તો એમ અહીં
માંગળિક કર્યું છે.
સમ્યક્શ્રદ્ધાએ આખા આત્માની પ્રભુતાની પ્રતીત કરી છે. પર્યાયની પ્રભુતાએ આખા દ્રવ્યની પ્રભુતાનો
સ્વીકાર કર્યો છે; તે દ્રવ્યના જ લક્ષે એકાગ્ર થઈને વારંવાર અનુભવ કરતાં પર્યાયમાં જેણે કેવળજ્ઞાન પ્રગટ્યું છે
તેનું ચૈતન્ય તેજ જયવંત વર્તે છે. એમ કહેવામાં પોતાના અપ્રહિત કેવળજ્ઞાનની ભાવના છે.
(૧૬) આત્માનું કેવળજ્ઞાનપ્રભાત કેવું છે? જેના સહજ તેજઃપુંજમાં ત્રણલોકના પદાર્થો જણાય છે.
કેવળજ્ઞાનનું તેજ સહજ છે, પોતાના સ્વભાવરૂપ છે, તેમાં કોઈ પરનો આશ્રય નથી. કેવળજ્ઞાન સહજ છે ને તેનું
કારણ સહજ છે. ત્રિકાળી દ્રવ્ય–ગુણ સહજ પોતાના સ્વભાવથી છે ને તેનો પર્યાય પણ સહજ છે. અહીં તો એમ
કહ્યું કે પર્યાયનો–સ્વભાવ સહજ છે; તેને પૂર્વ પર્યાયની, નિમિત્તની કે રાગાદિની અપેક્ષા નથી. પૂર્વે મોક્ષમાર્ગની
દશા હતી તેનાથી કેવળજ્ઞાનદશા પ્રગટી નથી પણ તે સમયનો પર્યાયનો જ તે સહજ પ્રતાપ છે. તે પર્યાય તે
સમયના પોતાના અખંડ પ્રતાપથી જ પરની અપેક્ષા વગર કેવળજ્ઞાનરૂપે પરિણમ્યો છે, તે સમયનો તે પર્યાયનો
તેવો જ સ્વકાળ છે. તે પર્યાય પણ સત્ છે. પહેલાંં કેવળજ્ઞાનદશા ન હતી તે અપેક્ષાએ તેને નવી પ્રગટી કહેવાય;
પણ ખરેખર તો દ્રવ્યના ત્રિકાળી પર્યાયમાં તે અવસ્થા સત્ હતી તે જ પ્રગટી છે. જ્યારે કેવળજ્ઞાન પ્રગટે ત્યારે
તે નવું જ પ્રગટે છે, મતિ–શ્રુત વગેરે ચાર જ્ઞાન ભલે કેવળજ્ઞાનની જાતના છે, પણ તે ચારે જ્ઞાન અપૂર્ણ છે–
વિભાવરૂપ છે, અને કેવળજ્ઞાન તો સ્વભાવરૂપ છે. ચાર જ્ઞાનમાં નિમિત્ત તરીકે કર્મના આવરણનો સદ્ભાવ છે,
પણ કેવળજ્ઞાનમાં તો કર્મના આવરણનો તદ્ન અભાવ છે. એવું કેવળજ્ઞાન પ્રગટ થયું તે તે પર્યાયનું સ્વાભાવિક
સામર્થ્ય છે. પર્યાયનો પણ સ્વતંત્ર સ્વભાવ છે. દ્રવ્ય–ગુણના કારણે પર્યાય થયો નથી. જો દ્રવ્ય–ગુણના કારણે
કેવળજ્ઞાનપર્યાય થયો હોય તો બીજા બધા જીવોને પણ તે વખતે દ્રવ્ય–ગુણ તેવા જ છે, છતાં તેમને તે વખતે
કેવળજ્ઞાનપર્યાય કેમ ન થયો? બે જીવને મનઃપર્યયજ્ઞાન હોય, ને બેમાંથી એકને કેવળજ્ઞાન થયું ને બીજાને તે
વખતે કેવળજ્ઞાન ન થયું તેનું કારણ કોણ? બસ, પર્યાયનો તે તે સમયનો સ્વભાવ જ છે, એ સિવાય ભિન્ન કોઈ
કારણ નથી. અત્યારે ‘પર્યાય પણ નિરપેક્ષ છે’ એમ બતાવવું છે, તેથી એમ કહ્યું કે પર્યાયનો સ્વતંત્ર સ્વભાવ છે,
તેનું કારણ દ્રવ્ય–ગુણ નથી પણ જ્યારે દ્રવ્ય–ગુણ–પર્યાયની સાપેક્ષતા વર્ણવવી હોય ત્યારે દ્રવ્ય–ગુણને જ
પર્યાયનું કારણ કહેવાય છે. પર્યાય તે દ્રવ્ય–ગુણમાંથી આવે છે, દ્રવ્ય–ગુણનું જ પરિણમન તે પર્યાય છે. જ્યારે જે
અપેક્ષા ચાલતી હોય ત્યારે તે અપેક્ષાએ વસ્તુસ્વરૂપ સમજવું જોઈએ.
આત્માના એકેક પર્યાયમાં પણ પ્રભુત્વ છે, એકેક સમયના અંશની સ્વતંત્ર શોભા છે. ગુણને લીધે પર્યાય
થયો–એમ કહો તો પર્યાયની સ્વતંત્રતાના અખંડ પ્રતાપમાં વાંધો આવે છે, નિરપેક્ષપણે એકેક સમયની
સ્વતંત્રતાથી આત્મા શોભી નીકળે છે–એવો આત્માની પ્રભુતાનો પ્રતાપ છે.
આત્માનું કેવળજ્ઞાન તેજ સહજ છે, એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણી લે એવો તે એક સમયના

PDF/HTML Page 23 of 37
single page version

background image
: ૪૨: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
પર્યાયનો સહજ પ્રતાપ છે, પર્યાયનું પ્રભુત્વ છે, પર્યાયની પ્રભુતાનું સામર્થ્ય છે, પર્યાયનું સ્વતંત્ર વીર્ય છે;
પર્યાયના વીર્યથી પર્યાયની રચના થાય છે. દ્રવ્ય–ગુણ–પર્યાયથી પરિપૂર્ણ આત્મસ્વભાવની રુચિ અને પ્રતીતિ કરે
તો ધર્મ થાય છે, ને તે રુચિમાંથી આગળ વધતાં કેવળજ્ઞાન થાય છે, તે કેવળજ્ઞાનમાં એક સાથે બધુંય જણાય
એવો તેનો અખંડ પ્રતાપ છે. પરમ અધ્યાત્મ તરંગિણીમાં આ કળશની ટીકામાં કેવળજ્ઞાનનું સામર્થ્ય વર્ણવતાં
કહ્યું છે કે ‘જ્ઞાનજ્યોતિનો પુજ દ્વિકવાર અનંત શક્તિનો સમૂહ છે.’ આ કરણાનુયોગનો ગણતરીનો વિષય છે.
(૧૭) કેવળજ્ઞાનરૂપી સુપ્રભાત પ્રગટ્યું તે જયવંત વર્તો! એમ અહીં સુપ્રભાતનાં માંગળિક થાય છે.
કેવળજ્ઞાન સહજ તેજઃપૂંજ છે. તેજઃપૂંજ એટલે તેજનો ઢગલો, પ્રકાશનો ઢગલો. જોકે કેવળજ્ઞાન પર્યાય તો
વસ્તુનો એક અંશ છે, પણ તે અંશમાં અનંતજ્ઞાન સામર્થ્ય છે, તેથી તે તેજનો પૂંજ છે. એ તેજઃપૂંજ કેવડો હશે?
–શું મેરૂપર્વત જેવડો હશે! –મેરૂપર્વતની ઉપમાથી તેને ઓળખાવી શકાય તેવો નથી, એ ઉપમા તો બહુ નાની
પડે. એક કેવળજ્ઞાન પર્યાય પોતે એવડો મોટો પ્રકાશનો પૂંજ (–તેજનો ઢગલો) છે કે લોકાલોકને જાણી લે છે
છતાં તેનું સામર્થ્ય ખૂટતું નથી. લોકાલોકથી ને ત્રણકાળથી પણ મોટો તેજઃપૂંજ છે. કેવળજ્ઞાનના સામર્થ્યને
લોકાલોકની ઉપમા પણ નાની પડે છે. જેમ લોઢાના એક ગજ વડે લાખો ગજ કાપડ માપો તો ય તે ખૂટતો નથી,
તેમ કેવળજ્ઞાન સામર્થ્ય એવું છે કે લોકાલોકને જાણે છતાં તે ખૂટતું નથી. અહીં ગજનું માત્ર દ્રષ્ટાંત છે. ગજથી તો
કાપડ ક્રમે ક્રમે મપાય છે, પણ તેમ જ્ઞાન કાંઈ ક્રમે ક્રમે પદાર્થોને જાણતું નથી, એક સાથે બધું જાણી લે છે, છતાં
હજી અનંતુ જાણે તેવું સામર્થ્ય બાકી રહી જાય છે. આવું તો આત્માના એક પર્યાયનું પ્રભુત્વ છે.
(૧૮) આ ભગવાન આત્મા અનંત શક્તિનો ધણી છે, તેના એક જ્ઞાનગુણના એક પર્યાયમાં અનંત
સામર્થ્ય છે. આત્માના એક પર્યાયની આવડી મોટી પ્રભુતા જેની પ્રતીતમાં આવી તે પોતાના પર્યાયમાં કોઈ
પરનો આશ્રય ન માને, રાગનો આદર ન કરે, અપૂર્ણતામાં તેને ઉપાદેય ભાવ ન રહે. પણ પૂરા સ્વભાવના
આશ્રયે પૂરી દશા જ પ્રગટ કરે. જે અધૂરી દશાનો કે વિકારનો આદર કરે તે તો ત્યાં જ અટકી જાય, તેને આગળ
વધીને પૂર્ણતા કરવાનું રહે નહિ. અને પૂર્ણ ધ્યેયને લક્ષમાં લીધા વગરની શરૂઆત પણ સાચી હોય નહિ.
(૧૯) આત્માના પૂરા જ્ઞાન પર્યાયમાં એવું બેહદ સામર્થ્ય છે કે તેને જાણવા માટે લોકાલોકને ત્રણકાળ
પણ અલ્પ છે. સ્વભાવને હદ ન હોય, મર્યાદા ન હોય. જેનો સ્વભાવ ‘જાણવું તેનામાં ‘ન જાણવાપણું’ કદી
આવે નહિ. ‘ઘણું જાણ્યું–હવે બસ!’ એમ જાણવામાં કદી કંટાળો જ્ઞાનસ્વભાવમાં ન હોય, પણ જેટલા પદાર્થો
હોય તે બધાને તે જાણી લે છતાં જરા ય થાક–ખેદ કે કંટાળો ન લાગે–એવો સ્વભાવ છે. જ્યાં પર્યાયમાં પૂરો
જ્ઞાનસ્વભાવ પ્રગટી ગયો ત્યાં તે જ્ઞાનસામર્થ્યમાં ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થો એક સાથે નિમગ્ન થઈ જાય છે
એટલે કે જ્ઞાનમાં જણાઈ જાય છે. જ્ઞાનમાં અનંત પદાર્થો એક સાથે જણાય છે તેથી કાંઈ જ્ઞાનના અનંત ખંડ
નથી થઈ જતા, પણ જ્ઞાન તો એક અખંડ રહે છે. આવો કેવળજ્ઞાનનો અખંડ પ્રતાપ છે. એકેક પર્યાય પોતાના
અખંડ પ્રતાપથી શોભી રહ્યો છે, એવી તેની પ્રભુતા છે. એવા એવા અનંત પર્યાયોનો પિંડ એક જ્ઞાનગુણ છે,
અને એવા જ્ઞાન, શ્રદ્ધા, સુખ વગેરે અનંત ગુણોના સામર્થ્યથી આત્મા ભરેલો છે, આવી આત્માની પ્રભુતા છે.
આવી આત્માની પ્રભુતાને જાણે તે પ્રભુ થયા વગર રહે નહિ.
(૨૦) જ્ઞાન તે પ્રમાણ છે. પ્રમાણ એટલે વિશેષ પ્રકારે માપવું. જ્ઞાન સર્વ પદાર્થોને વિશેષ પ્રકારે માપી લે
છે–જાણી લે છે, તેથી તે પ્રમાણ છે. જેમ ગજ તે લૂંગડાને માપવાનું માપ છે, ગમે તેટલા લૂંગડાને માપો પણ
ગજમાં માપવાનું સામર્થ્ય ખૂટે નહિ, તેમ જ્ઞાન સર્વ પદાર્થોના સ્વરૂપને માપનારું–જાણનારું છે; તે આખા
લોકાલોકને એક સમયમાં જાણી લે છે છતાં તેનું જાણવાનું સામર્થ્ય ખૂટતું નથી. આત્માના આવા પૂરા જ્ઞાન
સામર્થ્યમાં રાગ–દ્વેષ ક્યાં રહ્યા! આત્મામાં બધાને જાણવાનું સામર્થ્ય છે પણ પરનું કાંઈ કરે એવું કોઈ સામર્થ્ય
આત્મામાં નથી. આત્માના આવા જ્ઞાનસ્વભાવની રુચિ કરવી, પ્રતીત કરવી, ઓળખાણ કરવી તે કેવળજ્ઞાન
પ્રગટ થવાનાં માણેકથંભ છે. જેણે આત્મામાં એવા માણેકથંભ નાંખ્યા તેનું કેવળજ્ઞાન પાછું ફરે નહિ. આ
ચૈતન્યપ્રભુની મુક્તિ માટેનો માણેકથંભ નંખાય છે.
(૨૧) આ નવા વર્ષનું પ્રભાત છે, તેમાં માંગળિક તરીકે આત્માની પ્રભુતાની અપૂર્વ વાત નીકળી છે.
જેને–આત્માની

PDF/HTML Page 24 of 37
single page version

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૪૩:
પ્રભુતાનો વિશ્વાસ આવ્યો તેના આત્મામાં સમ્યગ્દર્શનરૂપી પરોઢિયું થયું–અંશે સુપ્રભાત શરૂ થયું, હવે
અલ્પકાળમાં સુપ્રભાત થશે ને ઝળહળતો કેવળજ્ઞાન સૂર્ય ઊગશે. આચાર્યદેવ કહે છે કે એવો ચૈતન્ય ચમત્કાર
જયવંત વર્તે છે.
(૨૨) આત્મામાં પ્રભુત્વ સ્વભાવ છે. આત્માનો એકેક પર્યાય પણ સત્ અહેતુક સ્વતંત્ર પ્રતાપથી શોભે
છે. આત્માના પ્રભુત્વ સ્વભાવનું ભાન અને એકાગ્રતા કરતાં જે કેવળજ્ઞાન પ્રગટ્યું તે કેવળજ્ઞાનની પ્રભુતા પાસે
લોકાલોક પણ અલ્પ થઈ ગયા. સ્વભાવના આશ્રયે જ્ઞાનની બેહદતા ખીલી નીકળી ત્યાં લોકાલોકની હદ આવી
ગઈ, જ્ઞાન લોકાલોકનો પાર પામી ગયું. આવા જ્ઞાનસ્વભાવના ભાનમાં માંગળિક જ છે, સ્વભાવ તરફ વળીને
એકાગ્ર થયો ત્યાં અમાંગળિક કાંઈ રહે જ નહિ.
(૨૩) આત્મામાં જ પ્રભુતા છે, કોઈ બીજાની સહાય વગર પોતે પોતાથી પૂરો છે, પણ જેને પોતાના
આત્માની પ્રભુતાનો વિશ્વાસ નથી તે જીવ બહારની વસ્તુઓથી પોતાની મોટાઈ કે સુખ માને છે, અને તેથી
બહારની વસ્તુઓ મેળવવાની ભાવના કરે છે. આજે બેસતા વરસના પ્રભાતે અજ્ઞાની લોકો લક્ષ્મી, બાયડી–
છોકરાં, શરીરની નીરોગતા, વસ્ત્ર વગેરે બહારની વસ્તુઓને મેળવવા માગે છે. પણ આચાર્યભગવાન કહે છે
કે ભાઈ, તું જ્ઞાન છો, તારી પ્રભુતા તારામાં છે. તારા જ્ઞાનમાં એવી પ્રભુતા છે કે બધાને જાણે. પણ તારા
જ્ઞાનમાં તું લક્ષ્મી વગેરે પરવસ્તુને મેળવવાનું માને તે અજ્ઞાન છે. જ્ઞાન કદી પરવસ્તુને મેળવી શકતું નથી,
અને પરવસ્તુ કદી જ્ઞાનમાં આવતી નથી. આ લોકમાં તો અનંતાનંત પર પદાર્થો છે, તેમાંથી તું લક્ષ્મી વગેરે
થોડા પદાર્થો મેળવવા માગીશ તો તારું જ્ઞાન તે થોડા પદાર્થોના લક્ષે વિકારમાં અટકી જશે; અને તે અટકેલું
જ્ઞાન એક પદાર્થને પણ યથાર્થ જાણી નહિ શકે. માટે તું થોડીક પરવસ્તુને મેળવવાની ભાવના છોડીને,
જ્ઞાનસ્વભાવના લક્ષે એકાગ્ર થઈને તારા જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોકને જ્ઞેય તરીકે મેળવ ને! કોઈ આત્મામાં
કાંઈ પર પદાર્થો પ્રવેશી જતા નથી, માત્ર જ્ઞાનમાં જણાય છે. પોતાના જ્ઞાનસ્વભાવના વિશ્વાસે જેને કેવળજ્ઞાન
ખીલ્યું તેને આખા લોકના પદાર્થો જ્ઞેય તરીકે મળ્‌યા. કેવળ–જ્ઞાન થતાં એક પણ પદાર્થ જ્ઞાનમાં જણાયા સિવાય
ન રહે. અજ્ઞાની એકેક વસ્તુ મેળવવાની ભાવનામાં અટકે છે તેને બદલે અહીં તો જ્ઞાનમાં જ્ઞેય તરીકે એક સાથે
ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થો મળી જાય–એવી વાત કરી. આનું નામ સુપ્રભાત માંગલિક! જ્ઞાનીઓ આવા
કેવળજ્ઞાન સુપ્રભાતની ભાવના કરે છે. લક્ષ્મી વગેરે બહારની વસ્તુઓ તો ‘ધૂળધમાહા’ છે, તેની ભાવના
જ્ઞાની કરતા નથી.
ખરેખર કોઈ જીવ પર વસ્તુને મેળવતો કે ભોગવતો નથી. અજ્ઞાની પર વસ્તુને મેળવવાની કે
ભોગવવાની ભાવના કરે છે; પણ તે અજ્ઞાનીના આત્મામાં કાંઈ પરવસ્તુ આવી જતી નથી. અજ્ઞાની પણ
ખરેખર તો તેને જાણે જ છે, પણ પરને જાણતાં ‘આ મારું, આનું હું કરું, આને હું ભોગવું’ –એમ મોહભાવ
સહિત જાણે છે. પરંતુ તે કાંઈ પરને પકડતો કે ભોગવતો નથી. તો સંપૂર્ણ જ્ઞાની રાગ–દ્વેષ–મોહ વગર એક સાથે
ત્રણકાળ ત્રણલોકને જાણે જ છે. અહીં તો આત્માને કેવળજ્ઞાન થાય અને ત્રણ કાળ ત્રણ લોકના સર્વ પદાર્થો
તેને જ્ઞેય તરીકે એક સાથે મળે અને સદાય એમ ને એમ રહ્યા જ કરે–એવી વાત કરી. પરને મેળવવાની ભાવના
કરશે તેને એક પણ પદાર્થનું જ્ઞાન યથાર્થ નહિ થાય, એટલે તેના જ્ઞાનમાં એક પણ પદાર્થ નહિ મળે. અને
પોતાના પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવની ભાવના કરીને તેમાં એકાગ્ર થતાં એક સાથે સર્વ પદાર્થો જ્ઞાનમાં નિમગ્ન થઈ
જાય છે. –જ્ઞેય તરીકે મળે છે.
(૨૪) હવે, પરની ભાવના જીવ ક્યારે ન કરે? જો પોતાના આત્મામાં પૂરેપૂરી પ્રભુતા છે તે જાણે તો તે
સ્વભાવની જ ભાવના કરે ને પરની ભાવના ન કરે. પણ જો સ્વભાવની પ્રભુતાને જાણે નહિ ને અપૂર્ણતા કે
વિકારને પોતાનું સ્વરૂપ માને તો તે જીવ કદી પરને મેળવવાની ભાવના છોડે નહિ, ને તેના જ્ઞાનમાં ત્રણકાળ
ત્રણલોક કદી જ્ઞેય તરીકે મળે નહિ.
(૨૫) જેમ નદીમાં પાણીનો પ્રવાહ ચાલ્યો જતો હોય ત્યાં, કાંઠે ઊભેલો માણસ ‘આ મારું પાણી છે’ એમ
માનીને તેને રોકી રાખવા માગે તો તે મૂર્ખ છે, પાણી તો તેના પ્રવાહમાં વહ્યું જ જાય છે; તેમ આ જગતના બધા
પદાર્થો પોતાના પર્યાયરૂપી પ્રવાહમાં ચાલ્યા જ જાય છે, –દરેક પદાર્થ ક્ષણે ક્ષણે પોતાના પર્યાયમાં પરિણમ્યા જ કરે
છે. તેને જાણવાનો જીવનો સ્વભાવ છે; તેને જાણતાં અજ્ઞાની જીવ ‘આ મારું છે, હું તેનો કર્તા છું’ એમ માનીને
પરને પકડી રાખવા માંગે છે, પરંતુ તે જીવ એક પણ પદાર્થને પકડી રાખી નહિ શકે. પણ તે પક્કડ

PDF/HTML Page 25 of 37
single page version

background image
: ૪૪: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
છોડીને સ્વભાવની એકાગ્રતાથી જો જાણે તો એક સાથે બધાય પદાર્થોને જાણી શકશે! જીવનો સ્વભાવ
જાણવાનો છે ને પદાર્થોનો સ્વભાવ જ્ઞાનમાં જણાવાનો છે. અજ્ઞાની જીવ પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને
પરવસ્તુમાં સુખ માને છે ને પરવસ્તુનો સંયોગ મેળવવા માગે છે, પણ અહીં તો આચાર્ય ભગવાન જ્ઞાનમાં
એક સાથે બધા ય પદાર્થો જ્ઞેયપણે મળે એવી વાત કરે છે. બધા પદાર્થોને જાણવા રૂપે જ્ઞાન પરિણમી ગયું ત્યાં
આકુળતા ન રહી, તે જ સુખ છે કોઈ પરવસ્તુમાં સુખ નથી. શું લાડવામાં સુખ છે? જો લાડવામાં સુખ હોય
તો ચોવીસે કલાક લાડવા ખાધા જ કરે! લૂગડાંમાં સુખ હોય તો ઉપરા ઉપરી લૂગડાં પહેર્યાં જ કરે! વિષયોમાં
સુખ હોય તો ચોવીસે કલાક વિષય ભોગવ્યા જ કરે! એ બધામાં ક્યાંય સુખ નથી, તેથી તેના લક્ષે કંટાળો
આવી જાય છે. માટે આચાર્યદેવ કહે છે કે ભાઈ, તારા જ્ઞાનની પ્રતીત તો કર. તારા જ્ઞાનસ્વભાવમાં તારી
પ્રભુતા ભરી છે તેનો વિશ્વાસ કર. ‘અહો, મારા જ્ઞાનમાં એક સમયમાં ત્રણકાળ ત્રણલોક જ્ઞેય તરીકે સમાઈ
જાય એવી મારી પ્રભુતાનો અખંડ પ્રતાપ છે’ –એમ પોતાની પ્રભુતાનો એવો દ્રઢ વિશ્વાસ કર કે ફરીથી કદી
કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગમાં સુખ કે દુઃખની કલ્પના ન થાય; અને અખંડ પ્રતાપવાળું કેવળજ્ઞાન લેવામાં
વચ્ચે વિઘ્ન ન આવે.
(૨૬) અહો, જીવો! પ્રતીત તો કરો, સ્વભાવની પ્રતીત તો કરો. આત્મસ્વભાવમાં અખંડ પ્રભુતા છે તે
પ્રભુતાની પ્રતીત તો કરો. આત્મા એક સમયના વિકાર જેટલો તુચ્છ–પામર નથી પણ ત્રિકાળ અનંત શક્તિનો
ધણી પ્રભુ છે. તે પ્રભુતાની પ્રતીત કરતાં પર્યાયમાંથી એક સમયનો વિકાર ટળીને પ્રભુતા પ્રગટે છે, ને કેવળજ્ઞાન
પર્યાયના અખંડ પ્રતાપથી આત્મા શોભે છે. આત્માના એક કેવળજ્ઞાન પર્યાયમાં એક સાથે લોકાલોકના સમસ્ત
પદાર્થો જણાય છે તોપણ તે પર્યાયમાં ખંડ પડતા નથી. એક પર્યાયમાં અનેક પદાર્થો જણાય છે તોપણ તેની
એકતા ખંડિત થતી નથી, એવો પર્યાયનો પ્રતાપ અખંડિત છે. જેમ એક અરીસામાં એક સાથે લાખો વસ્તુ
જણાય છતાં અરીસાના કાંઈ લાખ ટુકડા થઈ જતા નથી. અરીસો તો અખંડિત એક જ રહે છે, તેમ આત્માની
એક સ્વચ્છ પર્યાયમાં એક સાથે અનંત પદાર્થો જણાય છે છતાં પર્યાયમાં અનેકતા થતી નથી, વિકાર થતો નથી;
એવું કેવળજ્ઞાન તે ચૈતન્યનો ચમત્કાર છે. આચાર્યભગવાન માંગળિક કરતાં કહે છે કે એવા કેવળજ્ઞાનરૂપી
ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે! આત્મામાં કેવળજ્ઞાનદશા પ્રગટી તે જયવંત વર્તે છે. જુઓ, આજે સુપ્રભાત
મંગળ છે. ગઈ કાલે પરોઢિયે શ્રીમહાવીરપ્રભુ મુક્તિ પામ્યા ને સાંજે શ્રી ગૌતમસ્વામી કેવળજ્ઞાન પામ્યા. તેનાં
આ ગાણાં છે. આત્મામાં એવી કેવળજ્ઞાન અને સિદ્ધદશા પ્રગટે તે સુપ્રભાત છે.
(૨૭) જાણવું તે જ ચૈતન્યને ચમત્કાર છે. જ્ઞાન ઘણું જાણે તોપણ તેની એકતા તૂટતી નથી. જ્ઞાન
આત્મસ્વભાવમાં જ એકતારૂપે પરિણમી ગયું છે, હવે તે એકતામાં ખંડ પડતો નથી. ઘણા લાડવાનો ઢગલો
પડ્યો હોય તે બધા લાડવા ખાઈ ન શકાય, પણ એક સાથે જાણી શકાય. ઘણા લાડવા એક સાથે ખાય તો પેટ
ફાટે પણ લાડવાનો મોટો ઢગલો હોય તેને જ્ઞાન જાણે તો જ્ઞાન કાંઈ ફાટતું નથી, જ્ઞાનમાં ખંડ પડતા નથી. ઘણી
રોટલી–કેળાં હોય, ત્યાં અમુક ખવાય, બધા એક સાથે ખાઈ ન શકાય, પણ જ્ઞાન એક સાથે તેને જાણે તો ય
જ્ઞાનમાં ભાર પડે નહિ. અનંત પદાર્થોને એક સાથે જાણે છતાં જ્ઞાનપર્યાય એક મટીને બે ન થઈ જાય. જ્ઞાનના
એક પર્યાયમાં અનંતઅવિભાગપ્રતિચ્છેદ અંશો હોવા છતાં પર્યાયની એકતા છે, અનંતઅવિભાગ તિચ્છેદોને લીધે
એક પર્યાયના અનંત ખંડ પડી જતા નથી, પણ અખંડતા જ રહે છે. આવું સ્વાભાવિક કેવળજ્ઞાન પ્રગટ્યું તે જ
બેસતું વર્ષ છે. જેના આત્મામાં એવું કેવળજ્ઞાન પ્રગટ્યું તેને ફરીથી અવતાર નથી. અને જેણે એવા કેવળજ્ઞાનની
પ્રતીત કરી–શ્રદ્ધા કરી તેણે પોતાના આત્મામાં કેવળજ્ઞાન લેવાનાં પગરણ માંડ્યાં છે, કેવળજ્ઞાન માટે પ્રસ્થાનું
મૂકયું છે. ‘કેવળજ્ઞાન જયવંત વર્તે છે’ એમ જેણે પૂર્ણજ્ઞાનની પ્રતીત અને આદર કર્યો તે જીવ અપૂર્ણતાને કે
વિકારને આદરે નહિ, નિમિત્તનો આશ્રય માને નહિ, પણ પોતાના પૂર્ણ જ્ઞાનસ્વભાવનો આદર તથા આશ્રય
કરીને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પામીને વીતરાગતા ને કેવળજ્ઞાન પ્રગટ કરે છે.
(૨૮) કેવળજ્ઞાનમાં લોકાલોકના સર્વ પદાર્થો નિમગ્ન થાય છે અથવા ઝળકે છે એમ આ કળશમાં કહ્યું છે
તે જ્ઞાનનું સામર્થ્ય બતાવવા કહ્યું છે, જ્ઞાનમાં લોકાલોકને જાણવાનું સામર્થ્ય પ્રગટી ગયું છે તે બતાવવા માટે
એમ કહ્યું છે. ખરેખર કાંઈ પરવસ્તુઓ જ્ઞાનમાં પ્રવેશી જતી નથી, અથવા અરીસાની જેમ જ્ઞાનમાં કાંઈ પર–

PDF/HTML Page 26 of 37
single page version

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૪૫:
વસ્તુનું પ્રતિબિંબ ઝળકતું નથી. જ્ઞાન તો અરૂપી છે. તેમાં પરવસ્તુ કઈ રીતે ઝળકે? માત્ર જ્ઞાનમાં બધું જાણવાનું
સામર્થ્ય પ્રગટી ગયું છે અને બધા પદાર્થો જ્ઞાનમાં જણાઈ જાય છે તે અપેક્ષાએ એ કથન છે.
(૨૯) વળી તે કેવળજ્ઞાનદશામાં નિજ રસના ફેલાવથી પૂર્ણ અછિન્ન તત્ત્વ ઉપલબ્ધિ છે; સ્વરૂપના
અનુભવમાં જરાય ભંગ પડતો નથી. કેવળજ્ઞાન થતાં આત્માનો નિજ સ્વભાવ એવો ફેલાયો છે કે તેમાં એક
સાથે બધું જણાય છે, પૂર્ણજ્ઞાન પ્રગટ્યું છે જે પૂર્ણપર્યાયનો અનુભવ પ્રગટ્યો તે અનુભવ શાશ્વત એવો ને એવો
રહેવાનો, તેનો કદી નાશ થવાનો નથી. શાશ્વત સ્વભાવના આશ્રયે જે પૂર્ણદશા પ્રગટી તે પણ શાશ્વત એવી ને
એવી જ થયા કરશે. ત્રિકાળી દ્રવ્ય–ગુણની પ્રતીતના જોરે જે પૂરી દશા પ્રગટી તેને અહીં અછિન્ન તત્ત્વ ઉપલબ્ધિ
કીધી છે, તેમાં નિમિત્તરૂપે પણ કોઈ કર્મનું વિઘ્ન નથી. તે કોઈ બહારના આશ્રયે નથી પ્રગટી પણ તેમાં
નિજરસનો જ ફેલાવ છે. જ્ઞાનનો વિકાસ થઈને બહાર તેનો ફેલાવ થાય એમ નથી પણ તે જ્ઞાન સ્વભાવમાં જ
સમાય છે. તેને કોઈ કર્મ વગેરેની ઉપાધિ નથી.
(૩૦) આત્માને દ્રવ્યમાં, ગુણમાં ને પર્યાયમાં અનાદિ અનંત પ્રભુતા છે. અધૂરી દશા, કે વિકારી દશા
કોઈ પરના કારણે થઈ નથી પણ પર્યાયની તે વખતની એક સમયની સ્વતંત્ર લાયકાતથી થઈ છે. વિકારી દશા,
અધૂરી દશા, કે પૂરી દશા તે ત્રણેમાં પર્યાયની પ્રભુતા છે, ને તે દરેક વખતે દ્રવ્ય–ગુણની ત્રિકાળી પ્રભુતા છે.
એકેક પર્યાયની પણ પ્રભુતા જે સ્વીકારે તેને દ્રવ્ય–ગુણ–પર્યાયની પૂર્ણતાની પ્રતીત આવ્યા વગર રહે નહિ એટલે
તેનો પર્યાય ત્રિકાળી દ્રવ્યસ્વભાવ તરફ જ ઢળ્‌યા વગર રહે નહિ. ત્રિકાળી–સ્વભાવના લક્ષે એકાગ્ર થતાં વિકલ્પ
તૂટીને સ્વભાવની શ્રદ્ધા થયા વગર રહે નહિ.
(૩૧) કેવળજ્ઞાનની જ્યોત અત્યંત નિયમિત છે. કેવળજ્ઞાન સાથે અનંત વીર્ય પ્રગટ્યું છે તેથી તે
કેવળજ્ઞાન નિષ્કંપ એવું ને એવું રહે છે. દીવાની જ્યોત નિયમિત નથી હોતી પણ કંપાયમાન અને વધ–ઘટ થાય
છે, પણ આ ચૈતન્યચમત્કાર કેવળજ્ઞાનની જ્યોત સાદિ અનંત નિશ્ચળ છે, તે વધ–ઘટ થતી નથી. સદાકાળ એક
સાથે બધું જાણ્યા જ કરે છે. તે કેવળજ્ઞાન પર્યાયમાં અગુરુલઘુગુણથી છ પ્રકારની હાનિ–વૃદ્ધિ થાય છે છતાં પણ
તે અત્યંત નિયમિત છે, તે દશામાં વધ–ઘટ થતી નથી. છદ્મસ્થ સંસારદશામાં તો ઘડીકમાં દાન વગેરે દેવાનો
ઉત્સાહ આવે અને ઘેર જાય ત્યાં પાછો અનુત્સાહ થઈ જાય, પહેલાંં કાંઈક જાણ્યું હોય ને પાછો ભૂલી જાય,
પહેલાંં ઓછું જ્ઞાન હોય ને પછી વધે–એમ ફેરફાર થયા કરે છે, તેથી તે અનિયમિત છે અને કેવળજ્ઞાન થતાં
જ્ઞાનજ્યોત નિયમિત થઈ ગઈ છે.
(૩૨) અત્યંત નિયમિત જ્યોત કહીને અહીં પર્યાયનું વીર્ય બતાવ્યું છે. પોતાના સ્વરૂપની એટલે કે
સ્વભાવ સામર્થ્યની રચના કરે તે વીર્ય છે. એવી વીર્યશક્તિ આત્મામાં ત્રિકાળ છે. સમયસારમાં આત્માની ૪૭
શક્તિઓ વર્ણવી છે તેમાં આ છઠ્ઠી શક્તિ છે. આત્મા પરનું કરે એવું તો વીર્ય આત્મામાં કદી નથી. આત્મામાં
અનંતવીર્ય પ્રગટે તોપણ તે પરમાં કાંઈ કરી શકતું નથી, વીર્ય તો પોતાના સ્વરૂપની રચના કરે એવું તેનું
સામર્થ્ય છે. ખરેખર પુણ્ય–પાપરૂપ વિકારભાવને રચે–ઉત્પન્ન કરે–તેને પણ આત્માનું વીર્ય કહ્યું નથી, તે
વિકારમાં અટકેલું એક સમય પૂરતું વીર્ય આત્માનું ત્રિકાળ સ્વરૂપ નથી. પોતાના સ્વરૂપની રચનાના
સામર્થ્યરૂપ વીર્ય છે. આત્માનું સ્વરૂપ તો પુણ્ય–પાપ રહિત શુદ્ધ ચૈતન્યરૂપ છે. તે સ્વરૂપની સ્વભાવદશાની
ઉત્પત્તિ (રચના) કરે તે વીર્ય છે, નિર્મળ પર્યાયને પ્રાપ્ત કરે તે વીર્યનું સામર્થ્ય છે. દયા, દાન કે હિંસા–ચોરી
વગેરે વિકાર તો આત્માના સ્વરૂપથી વિરુદ્ધ લક્ષણવાળા છે, કૃત્રિમ છે, તે કોઈ ભાવો આત્માનું લક્ષણ નથી, તે
વિકારીભાવોની રચના કરવાનો વીર્યનો સ્વભાવ નથી. એકેક સમયમાં વીર્યશક્તિ પોતાની તેમજ જ્ઞાન–દર્શન–
ચારિત્ર–સુખ વગેરેની રચના કરે છે. વીર્યશક્તિ દરેક ગુણમાં વ્યાપક છે તેથી જ્ઞાનનું વીર્ય કેવળજ્ઞાનની રચના
કરે છે, દર્શનનું વીર્ય કેવળદર્શનની રચના કરે છે, શ્રદ્ધાનું વીર્ય ક્ષાયક સમ્યક્ત્વની રચના કરે છે, એમ દરેક
ગુણમાં પોતાની રચનાનું વીર્ય છે ને તે દરેકમાં વીર્ય શક્તિ નિમિત્ત છે. દરેક પર્યાય પોતાની સ્વતંત્રતાથી જ
ટકી રહ્યો છે, એકેક પર્યાયની રચનાનું સ્વતંત્ર વીર્ય છે. એવી સ્વતંત્રતાથી આત્માની પ્રભુતા શોભે છે. એવી
આત્માની પ્રભુતા ની જેને ઓળઆણ કરી તેને કેવળજ્ઞાન પ્રગટ્યા વિના રહે નહિ.
(૩૩) શ્રીઆચાર્યદેવ કહે છે કે એવું ચૈતન્યચમત્કારરૂપ કેવળજ્ઞાન જયવંત વર્તે છે; એટલે કે કેવળજ્ઞાન
જ ઉપાદેય છે. કોઈ પૈસા, સ્ત્રી, પુત્ર, મકાન વગેરે ઉપાદેય

PDF/HTML Page 27 of 37
single page version

background image
: ૪૬: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
આજીવન બ્રહ્મચર્ય
કારતક સુદ ૧૨ તા. ૧૩–૧૧–૪૮ શનિવારના રોજ સાવરકુંડલાના ભાઈશ્રી જગજીવન
બાઉચંદ દોશી (ઉ. વ. ૪૬) તથા તેમના ધર્મપત્ની શ્રી લક્ષ્મીબેન ઉર્ફે અંજવાળીબેન (ઉ. વ
૪૧) તેમણે સજોડે પરમ પૂજ્ય સદ્ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે. ભાઈશ્રી
જગજીવનભાઈ એક આગેવાન પ્રતિષ્ઠિત ગૃહસ્થ છે. બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધા બાદ તેમણે પૂ.
ગુરુદેવશ્રી પ્રત્યેનો ભક્તિભાવ અને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
નથી, દેવ–શાસ્ત્ર–ગુરુ આ આત્માને ઉપાદેય નથી, રાગ કે પુણ્ય ઉપાદેય નથી, ને અધુરી જ્ઞાનદશા પણ ઉપાદેય
નથી; આ સર્વોત્કૃૃષ્ટ ચૈતન્યચમત્કાર સ્વભાવ છે તે જ ઉપાદેય છે, તેને શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રમાં અંગીકાર કરવો તે
જ માંગળિક છે. તે એવું માંગળિક છે કે જેનાથી કેવળજ્ઞાન અને મુક્તિ થાય જ.
માંગળિક તો તેને કહેવાય કે જેનાથી આત્માની મુક્તિ થાય. અજ્ઞાની મૂઢ જીવો કહે છે કે ‘અમને એવું
માંગળિક સંભળાવો કે જેથી પૈસા મળે, રોગ ટળે, પુત્ર મળે,– એમ અજ્ઞાની જીવ બહારના પદાર્થોને માંગે છે.
પણ એ કાંઈ માંગળિક નથી. અનંતવાર બહારના પદાર્થો મળ્‌યા. તે કાંઈ આત્માને મંગળનું કારણ નથી. અહીં
એવા માંગળિકની વાત નથી પણ અહીં તો એવું માંગળિક સંભળાવાય છે કે જેનાથી આત્મા મોક્ષ પામે. અજ્ઞાની
જીવ પૈસા, પુત્ર વગેરે એકેક વસ્તુ માગે છે પણ અહીં તો આત્માને કેવળજ્ઞાન થાય અને ત્રણલોકની બધી લક્ષ્મી
જ્ઞાનમાં એક સાથે જણાઈ જાય તેવું માંગળિક છે. ‘આત્માનું કેવળજ્ઞાન જયવંત વર્તે છે’ એમ કહીને
કેવળજ્ઞાનનો મહિમા કર્યો તે મંગળ છે, એ મંગળથી જ આખા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
(૩૪) ‘આ’ ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે–એમ અહીં આચાર્યદેવે કહ્યું છે. ‘આ ચૈતન્યચમત્કાર’
એમ કહેવામાં ચૈતન્યચમત્કારનું પ્રત્યક્ષપણું બતાવ્યું છે. આત્માનો ચેતન્યચમત્કાર સ્વભાવ આચાર્યદેવને પોતાને
પ્રત્યક્ષ અનુભવગોચર થયો છે, અને એ ચૈતન્ય સ્વભાવની જે રુચિ–પ્રતીતિ કરે તેને પણ તે પ્રત્યક્ષ થયા વગર
રહે નહિ; આત્માનો સ્વભાવ પ્રત્યક્ષ અનુભવથી ગોચર છે. પર્યાય પોતાના સ્વભાવમાં એકાગ્ર થઈને તેને
પ્રત્યક્ષ અનુભવગોચર કરે છે. જેમ ગાય ગોચરી કરે છે. તે કોઈ વસ્તુને બગાડ્યા વગર જ ગોચરી કહે છે, તેમ
દ્રવ્ય–ગુણના અખંડ મહિમાને તોડયા વગર પર્યાય તેમાં ગોચરી કરે છે. પર્યાય દ્રવ્યની એકતાને તોડતો નથી
પણ દ્રવ્યમાં એકતા કરે છે. દ્રવ્યમાંથી એવી ને એવી નિર્મળ પર્યાયો પ્રગટ્યા કરે છતાં દ્રવ્યનો મહિમા ખંડિત
થતો નથી, દ્રવ્ય–ગુણની શક્તિ ઘટતી નથી. દ્રવ્યમાંથી પર્યાય પ્રગટે છે, તે પર્યાય દ્રવ્યનો અનુભવ કરે છે પણ
તેના મહિમાને તોડતો નથી.
(૩૫) આત્માની પ્રભુતામાં અખંડ પ્રતાપ છે, ને તે સ્વતંત્રતાથી શોભાયમાન છે. આત્માની અખંડ
પ્રભુતાના સ્વીકારમાં અખંડતાની જ ઉત્પત્તિ છે ને ખંડનો નાશ છે, સ્વતંત્રતાની ઉત્પત્તિ છે ને પરતંત્રતાનો
નાશ છે, શોભાની ઉત્પત્તિ છે ને અશોભાનો નાશ છે. પૂર્ણતાની–પ્રભુતાની ઉત્પત્તિ છે ને પામરતા–અપૂર્ણતાનો
નાશ છે. આમ, આત્માની પ્રભુતાનો મહિમા તે જ મહાન્ મંગળ છે.
(૩૬) દરેક આત્મા ચૈતન્યચમત્કારથી પરિપૂર્ણ ભગવાન છે; તેની પ્રતીત કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે તે
આત્માની પ્રજા (–પરિણતિ) છે. ૬૦ વર્ષની ઉંમર થઈ હોય, ને પુત્ર ન હોય, ત્યાં અજ્ઞાની જીવ ‘વારસો
રાખનાર પુત્ર થાય’ એવી ભાવના કરે છે ને પુત્રની ઈચ્છાથી મંગળ સાંભળે છે. તે તો મૂઢતા છે. અહીં જ્ઞાનીઓ
એવું માંગળિક સંભળાવે છે કે જેનાથી કેવળજ્ઞાનરૂપી પ્રજા પ્રગટે. કેવળજ્ઞાન જ આત્માની સાચી પ્રજા છે, તે
આત્માનો વારસો સાદિ અનંતકાળ ટકાવી રાખે છે. કેવળજ્ઞાનને અહીં ચૈતન્યચમત્કાર કહ્યો છે. તે સર્વોત્કૃષ્ટપણે
જયવંત વર્તે છે.
(૩૭) કેવળી ભગવાન એક સમય માત્રના ભંગ વગર નિયમિતપણે સદાકાળ ચૈતન્યચમત્કારનો
અનુભવ કરે છે. એવો આ પ્રત્યક્ષ અનુભવગોચર ચૈતન્યચમત્કાર સર્વોત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. આમ
ચૈતન્યસ્વભાવની પ્રભુતા બતાવીને, ચૈતન્યની સ્વતંત્રતા ને પરિપૂર્ણતાના વખાણ કર્યા તે મહાન માંગળિક છે.
આત્માની પ્રભુતા અને તેનો મહિમા
જ ય વં ત વ ર્તો.

PDF/HTML Page 28 of 37
single page version

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૪૭ :
સમ્યગ્દર્શની રીત
(વીર સં. ૨૪૭૫: કારતક સુદ ૧૩ રવિવાર તા. ૧૪–૧૧–૪૮ના રોજ શ્રી પ્રવચનસાર ગાથા ૮૦ ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન)
આ પ્રવચનસારની ૮૦મી ગાથા ચાલે છે આત્મામાં અનાદિકાળથી જે મિથ્યાત્વભાવ છે તે અધર્મ છે, તે
મિથ્યાત્વ ભાવને ટાળીને સમ્યગ્દર્શન કેમ પ્રગટે, તેનો ઉપાય આ ગાથામાં વર્ણવ્યો છે. આ આત્માનો સ્વભાવ
અરિહંત ભગવાન જેવો જ, પુણ્ય–પાપરહિત છે. આત્માના સ્વભાવને ચૂકીને જે પુણ્ય–પાપ થાય તેને પોતાનું
સ્વરૂપ માનવું તે મિથ્યાત્વ છે. શરીર, મન, વાણી આત્માના તાબે છે ને તેમની ક્રિયા આત્મા કરી શકે છે એમ
માનવું તે મિથ્યાત્વ છે; તથા આત્મા, શરીર, મન, વાણીને તાબે છે ને તેમની ક્રિયાથી આત્માને ધર્મ થાય છે
એમ માનવું તે પણ મિથ્યાત્વ છે–ભ્રમ છે ને અનંત સંસારમાં રખડવાનું કારણ છે. તે મિથ્યાત્વનો નાશ કર્યા
વગર ધર્મ થતો નથી. તે મિથ્યાત્વનો નાશ કેમ થાય તેનો ઉપાય અહીં બતાવે છે.
(૨) જે કોઈ જીવ ભગવાન્ અરિહંતના આત્માને દ્રવ્ય–ગુણ–પર્યાયપણે બરાબર જાણે છે તે જીવ
ખરેખર પોતાના આ માને જાણે છે ને તેનો મિથ્યાત્વ રૂપ ભ્રમણ ચોક્કસ નાશ પામે છે અને શુદ્ધ સમ્યક્ત્વ
પ્રગટે છે, –આ ધર્મનો ઉપાય છે. અરિહંતના આત્માનો કાયમી એકરૂપ રહેનાર સ્વભાવ કેવો છે, તેના જ્ઞાનાદિ
ગુણો કેવા છે અને તેમને રાગરહિત કેવળજ્ઞાન પર્યાય કેવો છે, તેને જે જાણે તે જીવ અરિહંત જેવા પોતાના
આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખીને પછી અભેદ આત્માની અંતરદ્રષ્ટિ કરીને મિથ્યાત્વને ટાળે ને
સમ્યગ્દર્શન પ્રગટ કરે. –આ ૮૦ મી ગાથાનો ટૂંકો સાર છે.
(૩) આજે માંગળિક પ્રસંગ છે ને ગાથા બરાબર અલૌકિક આવી છે. આ ગાથા ૮૦મી છે; ૮૦ એટલે
આઠ અને શૂન્ય. આઠ કર્મનો અભાવ કરીને સિદ્ધદશા કેમ થાય, તેની આમાં વાત છે.
(૪) અરિહંત ભગવાનનો આત્મા પણ પૂર્વે અજ્ઞાન દશામાં હતો ને સંસારમાં રખડતો હતો, પછી
આત્માનું ભાન કરીને મોહનો ક્ષય કર્યો, ને અરિહંતદશા પ્રગટી. પહેલાંં અજ્ઞાનદશામાં પણ તે જ આત્મા હતો ને
અત્યારે અરિહંતદશામાં પણ તે જ આત્મા છે; એમ આત્મા ત્રિકાળ રહે છે તે દ્રવ્ય છે, આત્મામાં જ્ઞાનાદિ
અનંતગુણો એક સાથે રહેલા છે તે ગુણ છે, અને અરિહંતને અનંત કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત સુખ અને
અનંત વીર્ય પ્રગટ્યાં છે તે તેનો પર્યાય છે, તેમને રાગ–દ્વેષ કે અપૂર્ણતા જરાપણ રહ્યાં નથી. –આમ અરિહંત
ભગવાનના દ્રવ્ય–ગુણ પર્યાયને જે જીવ જાણે. તે જીવ પોતાના આત્માને તેવો જ જાણે કેમ કે આ આત્મા પણ
અરિહંતની જ જાતનો છે, જેવો અરિહંતના આત્માનો સ્વભાવ છે તેવો જ આત્માનો સ્વભાવ છે; નિશ્ચયથી તેમાં
કાંઈ તફાવત નથી. તેથી પહેલાંં અરિહંતના આત્માને જાણતાં અરિહંત જેવા પોતાના આત્માને પણ જીવ
મનવડે–વિકલ્પથી જાણી લે છે, ને પછી અંતરમાં વળીને ગુણ–પર્યાયોથી અભેદરૂપ એક આત્મસ્વભાવને
અનુભવે છે ત્યારે દ્રવ્ય–પર્યાયની એકતા થતાં તે જીવ ચિન્માત્રભાવને પામે છે, ત્યારે મોહનો કોઈ આશ્રય નહિ
રહેવાથી તે અવશ્ય નાશ પામે છે ને જીવને સમ્યગ્દર્શન પ્રગટે છે; તે અપૂર્વ છે. સમ્યગ્દર્શન વગર ત્રણકાળમાં
ધર્મ હોતો નથી.
(૫) જેવો અરિહંત ભગવાનનો આત્મા છે તેવો જ આ આત્મા છે. તેમાં ચેતન તે દ્રવ્ય છે, ચેતન એટલે
આત્મા, તે દ્રવ્ય છે. ચૈતન્ય તેનો ગુણ છે. ચૈતન્ય એટલે જ્ઞાન–દર્શન, તે આત્માનો ગુણ છે. અને તે ચૈતન્યની
ગ્રંથિઓ એટલે જ્ઞાનદર્શનની અવસ્થાઓ–જ્ઞાનદર્શનનું પરિણમન તે આત્માના પર્યાયો છે. એ સિવાય કોઈ
રાગાદિ ભાવો કે શરીર–મન–વાણીની ક્રિયાઓ તે ખરેખર ચૈતન્યનું પરિણમન નથી તેથી તે આત્માના પર્યાય
નથી, આત્માનું સ્વરૂપ નથી. જે અજ્ઞાનીને અરિહંત જેવા પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયની ખબર નથી તે રાગાદિને
અને શરીરાદિની ક્રિયાને પોતાનાં માને છે. ‘હું તો ચેતન દ્રવ્ય છું, મારામાં ચૈતન્ય ગુણ છે અને મારામાં ક્ષણે
ક્ષણે ચૈતન્યની હાલત થાય છે–તે મારું સ્વરૂપ છે, એ સિવાય જે રાગાદિ ભાવો થાય છે તે મારું ખરું સ્વરૂપ
નથી, ને જડની ક્રિયા તો મારામાં કદી નથી’ –એમ જે અરિહંત જેવા પોતાના આત્માને મનથી બરાબર જાણી લે
છે તે જીવ આત્મસ્વભાવના આંગણે આવ્યો છે. અહીં તો, જે સ્વભાવના આંગણે આવ્યો તે જીવ સ્વભાવમાં
જરૂર પ્રવેશ કરે છે–એવી જ શૈલિ છે. આત્માના સ્વભાવની નિર્વિકલ્પ પ્રતીતિ ને અનુભવ તે સમ્યક્ત્વ છે, તે
અપૂર્વ ધર્મ છે.

PDF/HTML Page 29 of 37
single page version

background image
: ૪૮: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
તે સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે જીવ પહેલાંં તો પોતાના આત્માને મન વડે સમજી લે છે. –કેવો સમજે છે? મારો
સ્વભાવ દ્રવ્ય–ગુણ–પર્યાયથી અરિહંત જેવો જ છે. જેવા અરિહંતના ત્રિકાળ દ્રવ્ય–ગુણ છે તેવા જ દ્રવ્યગુણ
મારામાં છે. અરિહંતના પર્યાયમાં રાગ–દ્વેષ નથી, તેમ મારા પર્યાયમાં રાગ–દ્વેષ થાય તે મારું સ્વરૂપ નથી. એમ
જેણે પોતાના આત્માને રાગ–દ્વેષરહિત પરિપૂર્ણ સ્વભાવવાળો નક્કી કર્યો તે જીવ સમ્યગ્દર્શન પ્રગટ થવાના
આંગણે આવીને ઊભો છે. હજી અહીં સુધી મનના અવલંબનદ્વારા સ્વભાવ નક્કી કર્યો છે તેથી આંગણું કહ્યું છે.
મનનું અવલંબન છોડીને સીધો સ્વભાવનો અનુભવ કરશે તે સાક્ષાત્ સમ્યગ્દર્શન છે. ભલે પહેલાંં મનનું
અવલંબન છે પણ નિર્ણયમાં તો ‘અરિહંત જેવો મારો સ્વભાવ છે’ એમ નક્કી કર્યું છે, ‘હું રાગી–દ્વેષી છું, હું
અધુરો છું, હું શરીરની ક્રિયા કરું છું’ –એમ નક્કી નથી કર્યું; માટે તેને સમ્યગ્દર્શનનું આંગણું કહ્યું.
(૬) આ ગાથા ઘણી ઊંચી છે, આ એક ગાથામાં તો હજારો શાસ્ત્રોનો સાર આવી જાય છે. આજે એક
સાથે છ બેનો બાળકુંવારા જાવજ્જીવપર્યંત બ્રહ્મચર્ય લે છે તે મંગળ પ્રસંગ છે, તેમના મંગળમાં આ મહા
માંગળિક રૂપ ગાથા આવી છે. ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ થઈને કેવળજ્ઞાન લ્યે એવી આ ગાથામાં વાત છે. શ્રેણિક રાજા
અત્યારે નરકમાં છે તેમને ક્ષાયિક સમ્યગ્દર્શન છે, આ ગાથામાં કહ્યું તેમ અરિહંત જેવા પોતાના આત્માનું ભાન
છે. ભરતચક્રવર્તીને છખંડનું રાજ હતું છતાં ક્ષાયિક સમ્યગ્દર્શન હતું, અરિહંત જેવા પોતાના આત્મસ્વભાવનું
ભાન એક ક્ષણ પણ ચૂકતા ન હતા. એવું સમ્યગ્દર્શન કેમ પ્રગટે તેની આ વાત છે.
(૭) અરિહંત જેવા પોતાના આત્માને પહેલાંં તો જીવ મનવડે કળી લે છે. હું ચેતન જાણનાર દેખનાર
છું, ને આ જાણવાનો પર્યાય થાય છે તે હું છું, જે રાગાદિ થાય છે તે મારા જ્ઞાનનું સ્વરૂપ નથી. –એમ સ્વસન્મુખ
થઈને મનદ્વારા પોતાના આત્માને જેણે જાણ્યો તે જીવ આત્માના સમ્યગ્દર્શનના આંગણે આવ્યો છે. કોઈ
બહારના પદાર્થથી આત્માને ઓળખવો તે અજ્ઞાન છે. લખપતિ કે કરોડપતિ આત્મા નથી, લક્ષ્મી તો જડ છે તેનો
સ્વામી આત્મા નથી. આત્મા તો અનંતપતિ છે, પોતાના અનંતગુણોનો સ્વામી છે. ભગવાન અરિહંતને તેરમા
ગુણસ્થાને જે કેવળજ્ઞાનાદિ દશા પ્રગટી તે બધું મારું સ્વરૂપ છે, ને ભગવાનને રાગ–દ્વેષ તથા અધૂરું જ્ઞાન ટળી
ગયા તે આત્માનું સ્વરૂપ ન હતું તેથી જ ટળી ગયા, માટે તે રાગાદિ મારા સ્વરૂપમાં પણ નથી. મારા સ્વરૂપમાં
રાગ–દ્વેષ–આસ્રવ નથી, અપૂર્ણતા નથી. આત્માની પૂર્ણ નિર્મળ રાગરહિત પરિણતિ તે જ મારા પર્યાયનું સ્વરૂપ
છે, –આટલું સમજ્યો ત્યારે જીવ સમ્યગ્દર્શન માટે પાત્ર થયો છે. આટલું સમજનારને મોહ ભાવ મંદ પડી ગયો
છે, –ને કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રની માન્યતા તો છૂટી જ ગઈ છે.
(૮) ત્રણલોકના નાથ શ્રીતીર્થંકર ભગવાન કહે છે કે, મારો અને તારો આત્મા એક જ જાતનો છે,
બંનેની એક જ નાત છે. જેવો મારો સ્વભાવ છે તેવો તારો સ્વભાવ છે. કેવળજ્ઞાનદશા પ્રગટી તે બહારથી પ્રગટી
નથી પણ આત્મામાં શક્તિ છે તેમાંથી જ પ્રગટી છે. તારા આત્મામાં પણ તેવી જ પરિપૂર્ણ શક્તિ છે. અરિહંત
જેવી પોતાના આત્માની શક્તિ છે તેને જે જીવ ઓળખે તેનો મોહ નાશ થયા વગર રહે નહિ.
જેમ મોરના નાના ઇંડામાં સાડાત્રણ હાથનો મોર થવાનો સ્વભાવ પડ્યો છે, તેથી તેમાંથી મોર થાય છે.
મોર થવાની શક્તિ ઢેલમાંથી આવી નથી તેમ જ ઇંડાના ઉપલા ફોતરામાંથી પણ આવી નથી, પણ ઇંડાની
અંદરના રસમાં તે શક્તિ છે. તેમ આત્મામાં કેવળજ્ઞાન પ્રગટવાની શક્તિ છે, તેમાંથી કેવળજ્ઞાન ખીલે છે. શરીર–
મન–વાણી કે દેવ–ગુરુ–શાસ્ત્ર તો (ઢેલની જેમ) પરવસ્તુ છે, તેમાંથી કેવળજ્ઞાન પ્રગટવાની શક્તિ આવી નથી.
અને પુણ્યપાપના ભાવો તે ઉપલા ફોતરાં જેવા છે, તેમાં કેવળજ્ઞાન થવાની તાકાત નથી. અરિહંત જેવો
આત્માનો સ્વભાવ છે, તે શરીર–મન–વાણીથી તથા પુણ્ય–પાપથી રહિત છે, તે સ્વભાવમાં કેવળજ્ઞાન પ્રગટવાની
તાકાત છે. જેમ મોટા મોટા ઝેરી સર્પોને ગળી જાય તેવો મોર થવાની શક્તિ ઇંડામાં છે, તેમ મિથ્યાત્વ વગેરેનો
નાશ કરીને કેવળજ્ઞાન પામે તેવી શક્તિ દરેક આત્મામાં છે, ચેતન, દ્રવ્ય, ચૈતન્યગુણ અને જાણવા દેખવારૂપ
પર્યાય–તેનો પિંડ આત્મા છે, તેનો સ્વભાવ મિથ્યાત્વને ટકાવવાનો નથી પણ મિથ્યાત્વને ગળી જવાનો–નષ્ટ
કરવાનો તેનો સ્વભાવ છે. એવા સ્વભાવને ઓળખે તેને મિથ્યાત્વનો ક્ષય થયા વિના રહે નહિ. પરંતુ, જેમ
‘ઇંડામાં મોર કેમ હોય? એવી શંકા કરીને ઇંડાને ખખડાવે તો તેનો રસ સૂકાઈ જાય છે ને મોર થતો નથી, તેમ
આત્મા સ્વભાવ

PDF/HTML Page 30 of 37
single page version

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૪૯:
સામર્થ્યનો વિશ્વાસ કરે નહિ અને ‘અત્યારે આત્મા ભગવાન જેવો કેમ હોય?’ એમ સ્વભાવમાં શંકા કરે તો
તેને સમ્યગ્દર્શન થતું નથી, ને મોહ ટળતો નથી. સમ્યગ્દર્શન વગર કદી ધર્મ થતો નથી.
(૯) હવે મોરના નાના ઇંડામાં મોર થવાનો સ્વભાવ છે તે સ્વભાવ કઈ રીતે જણાય? તે સ્વભાવ કોઈ
ઈંદ્રિયોથી જણાતો નથી. ઇંડાને ખખડાવે તો કાનદ્વારા ઈંડામાં મોર થવાનો સ્વભાવ છે તે જણાય નહિ, હાથના
સ્પર્શથી પણ તેનો સ્વભાવ જણાય નહિ, આંખથી પણ તેનો સ્વભાવ દેખાય નહિ, નાકથી તેના સ્વભાવની ગંધ
આવે નહિ ને જીભથી પણ ઇંડાનો સ્વભાવ જણાય નહિ. એ રીતે ઇંડામાં મોર થવાની તાકાત છે તે કોઈ
ઈંદ્રિયોદ્વારા જણાતી નથી, પણ જ્ઞાનથી જ જણાય છે. સ્વભાવને જાણવાનું જ્ઞાન નિરપેક્ષ છે, કોઈ ઈંદ્રિયાદિની
અપેક્ષા તેને નથી. કોઈ પણ વસ્તુનો સ્વભાવ અતીંદ્રિય જ્ઞાનથી જ જણાય છે. તેમ આત્મામાં કેવળજ્ઞાન થવાનો
સ્વભાવ છે; અધૂરી દશા છે ત્યારે પણ આત્મામાં કેવળ જ્ઞાન થવાનો સ્વભાવ પડ્યો છે. તે સ્વભાવ કાનથી,
આંખથી, નાકથી, જીભથી કે સ્પર્શથી જણાતો નથી, મનદ્વારા કે રાગદ્વારા પણ ખરેખર તે સ્વભાવ જણાતો નથી.
ઈંદ્રિય અને મનનું અવલંબન છોડીને સ્વભાવ તરફ વળે તે અતીન્દ્રિયજ્ઞાનથી જ આત્મ સ્વભાવ જણાય છે.
અહીં ‘મન દ્વારા આત્માને કળી લે છે’ એમ કહ્યું છે, ત્યાં સુધી હજી સમ્યગ્દર્શન થયું નથી, હજી તો રાગવાળું
જ્ઞાન છે. મનનું અવલંબન છોડીને અભેદ સ્વભાવને સીધા જ્ઞાનથી લક્ષમાં લ્યે ત્યારે સમ્યગ્દર્શન થાય છે.
સમ્યગ્દર્શન કેમ થાય તેની આ રીત છે.
(૧૦) જેમ દીવાસળીના ટોપકામાં ભડકો થવાનો સ્વભાવ છે, –તે આંખ, કાન વગેરે કોઈ ઈંદ્રિયોથી
જણાતો નથી પણ જ્ઞાનદ્વારા જ જણાય છે. પહેલાંં, દીવાસળીના ટોપકામાં ભડકો થવાની તાકાત છે–એમ તેના
સ્વભાવનો વિશ્વાસ કરીને પછી તે ટોપકાવાળા ભાગને ઘસતાં ભડકો થાય છે. તેમ આત્મામાં કેવળજ્ઞાન પ્રગટે
તેવો સ્વભાવ છે. તે સ્વભાવ કોઈ ઈંદ્રિયોદ્વારા દેખાતો નથી, પણ અતીંદ્રિય જ્ઞાનથી જ જણાય છે. પહેલાંં
પરિપૂર્ણ સ્વભાવનો વિશ્વાસ કરીને પછી તેમાં એકાગ્રતારૂપી ઘસારો કરતાં કેવળજ્ઞાનજ્યોત પ્રગટે છે. શરીર–
મન–વાણી તો દીવાસળીના ખોખાં જેવાં છે, જેમ દીવાસળીના ખોખામાં ભડકો થવાની તાકાત નથી, તેમ તે
શરીરાદિમાં કેવળજ્ઞાન થવાની તાકાત નથી; અને પૂજા–ભક્તિ આદિ પુણ્ય–ભાવ કે હિંસા–ચોરી આદિ પાપભાવ
તે દીવાસળીના પાછલા ભાગ જેવા છે. જેમ દીવાસળીમાં ટોપકા વગરના પાછલા ભાગમાં ભડકો થવાની તાકાત
નથી તેમ તે પુણ્ય–પાપમાંથી સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાન થવાની તાકાત નથી. તો તે તાકાત શેમાં છે? સમ્યગ્દર્શન
જ્ઞાન–ચારિત્ર ને કેવળજ્ઞાન થવાની તાકાત તો ચૈતન્ય સ્વભાવમાં છે; પહેલાંં તે સ્વભાવની પ્રતીત કરતાં
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થાય છે, ને પછી તેમાં એકાગ્રતા કરતાં સમ્યક્ચારિત્ર અને કેવળજ્ઞાન થાય છે, એ
સિવાય બીજી રીતે ધર્મ થતો નથી. સ્વભાવની પ્રતીત કરે નહિ ને પુણ્ય–પાપને ઘસ્યા કરે, પૂજા–ભક્તિ–વ્રતમાં
શુભરાગ કર્યા કરે તેથી સમ્યગ્દર્શનાદિ ધર્મ થતો નથી; તેમજ ઉપવાસાદિ કરી કરીને શરીર–મન–વાણીને ઘસ્યા
કરે તેથી પણ કાંઈ ધર્મ થતો નથી, પણ તે શરીર, મન, વાણી અને પુણ્ય–પાપ સિવાયનો ત્રિકાળી ચૈતન્ય રૂપ
આત્મસ્વભાવ છે, તેની પ્રતીતિ અને અનુભવ કરે તો સમ્યગ્દર્શનરૂપ પહેલો ધર્મ થાય, અને પછી તેમાં
એકાગ્રતા કરતાં સમ્યક્ ચારિત્રરૂપ ધર્મ થાય. સમ્યગ્દર્શન વગર ગમે તેટલા શાસ્ત્રોનો અભ્યાસ કરી જાય. વ્રત–
ઉપવાસ કરે, પડિમા લ્યે, પૂજા–ભક્તિ કરે કે દ્રવ્યલિંગી મુનિ થાય–ગમે તેટલું કરે તો પણ તે ધર્મ ન ગણાય,
અને તે કરતાં કરતાં ધર્મ થાય નહિ. સમ્યગ્દર્શન થયા પહેલાંં પણ અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણે
અને તેના જેવો પોતાનો આત્મા છે એમ મનથી નક્કી કરીને તેના અનુભવનો અભ્યાસ કરે તો તેને ધર્મ
સન્મુખ કહેવાય, તે જીવ ધર્મના આંગણે આવ્યો છે.
(૧૧) અરિહંત જેવો પોતાનો આત્મા છે–એમ જ્યાં મનથી જાણ્યું ત્યાં જ પર તરફની એકાગ્રતાની કે
પુણ્યથી આત્માને લાભ થાય એ માન્યતા ટળી ગઈ. શરીર–મન–વાણીની ક્રિયા તો આત્માથી જુદી છે અને
રાગ–દ્વેષના ભાવો થાય છે તે અરિહંત ભગવાનની અવસ્થામાં નથી માટે ખરેખર તે રાગ–દ્વેષના ભાવો આ
આત્માની અવસ્થા નથી. કોઈ પણ પુણ્ય–પાપના ભાવથી સમ્યગ્દર્શન–જ્ઞાનચારિત્ર કે કેવળજ્ઞાન થતું નથી. –
પહેલાંં મનદ્વારા ત્રિકાળી આત્માને જાણ્યો ત્યાં આટલું તો નક્કી થયું. પહેલાંં મનથી તો આખા આત્મ
સ્વભાવને જાણી લીધો, ‘આવા આત્માની પ્રતીતિ અને અનુભવ કરવાથી જ સમ્યગ્દર્શન થાય છે. ને તેમાં
એકાગ્ર થવાથી જ

PDF/HTML Page 31 of 37
single page version

background image
: ૫૦: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
કેવળજ્ઞાન થાય છે’ એમ નક્કી કરી લીધું; એટલે હવે તે સ્વભાવ તરફ વળવાનું જ રહ્યું. તે જીવ સ્વભાવ તરફ
વળીને મોહનો ક્ષય કઈ રીતે કરે છે તે વાત હારનું દ્રષ્ટાંત આપીને આચાર્ય ભગવાન બહુ જ સ્પષ્ટ સમજાવશે.
(૧૨) સ્વભાવ તરફ વલણ કરીને મોહનો ક્ષય કરવાની ને સમ્યગ્દર્શનપ્રગટ કરવાની આ રીત છે.
સમ્યગ્દર્શન પ્રગટાવવા માટેનો આ અલૌકિક અધિકાર છે. ઘણો ઊચો અને અપૂર્વ અધિકાર આવ્યો છે. આ
અધિકાર સમજીને યાદ રાખવા જેવો છે ને અંદર આત્મામાં વાગોળવા જેવો છે પોતાના અંતર સ્વભાવમાં
એકાગ્રતાથી જ સમ્યગ્દર્શન ને સમ્યક્ચારિત્ર પ્રગટે છે.
(૧૩) જેણે અરિહંત જેવા પોતાના આત્માને મન વડે જાણી લીધો તે જીવ સ્વભાવના આંગણે આવ્યો
છે. પરંતુ આંગણે આવ્યા પછી હવે સ્વભાવનો અનુભવ કરવામાં અનંતો અપૂર્વ પુરુષાર્થ છે. આંગણે આવીને
જો વિકલ્પમાં જ અટકી રહે તો અનુભવ થાય નહિ. જેમ મોટા રાજા–મહારાજાના મહેલના આંગણા સુધી આવ્યા
પછી મહેલમાં દાખલ થવા માટે હિંમત જોઈએ. તેમ આ ચૈતન્ય ભગવાનના આંગણે આવ્યા પછી–એટલે કે
મનવડે આત્મસ્વભાવને જાણ્યા પછી–ચૈતન્યસ્વભાવની અંદર ઢળીને અનુભવ કરવા માટે અનંત પુરુષાર્થ હોય
તે જ ચૈતન્યમાં ઢળીને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે, ને બીજા જે જીવો શુભ વિકલ્પમાં અટકી જાય છે તેઓ પુણ્યમાં
અટકી જાય છે, તેમને ધર્મ થતો નથી. પરંતુ અહીં તો આંગણે અટકવાની વાત જ નથી; જે જીવ સ્વભાવને
આંગણે આવ્યો તે જીવ સ્વભાવમાં વળીને અનુભવ કરે જ–એવી અપ્રતિહતપણાની જ વાત લીધી છે. આંગણે
આવીને પાછો ફરે એવી વાત જ અહીં નથી લીધી.
(૧૪) પહેલાંં મન દ્વારા અરિહંત જેવા પોતાના આત્મ સ્વભાવને જાણ્યા પછી હવે અંતર સ્વભાવમાં
વળીને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે, તેની વાત જણાવે છે. હવે અંતરમાં ઢળવાની વાત છે. બહારમાં અરિહંત
ભગવાનનું તો લક્ષ છોડ્યું ને પોતામાં પણ દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદનું લક્ષ છોડીને અંતરના અભેદ સ્વભાવમાં
જાય છે. પહેલાં અરિહંત જેવા પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણ્યા તે ભૂમિકા થઈ. હવે તે ભૂમિકા વટાવીને
અંતરમાં અનુભવ કરવાની વાત છે. માટે બરાબર ધ્યાન રાખીને સમજવું.
(૧૫) અહીં મોતીના હારનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે: જેમ હાર ખરીદનાર પહેલાંં તો હાર, તેની
સફેદતા ને તેના મોતી એ ત્રણેને જાણે છે, પણ પછી હાર પહેરે ત્યારે મોતી અને સફેદતાનું લક્ષ હોતું નથી.
એકલા હારને જ લક્ષમાં લે છે. અહીં હારને દ્રવ્યની ઉપમા છે, સફેદતાને ગુણની ઉપમા છે ને મોતીને પર્યાયની
ઉપમા છે. મોહનો ક્ષય કરનાર જીવ, પહેલાંં તો અરિહંત જેવા પોતાના આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણે છે,
પણ જ્યાં સુધી એ ત્રણ ઉપર લક્ષ રહે છે ત્યાં સુધી રાગ રહે છે ને અભેદ આત્માનો અનુભવ થતો નથી; તેથી
દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણી લીધા પછી, હવે ગુણ અને પર્યાયોને દ્રવ્યમાં જ સંકેલીને અભેદ આત્માનો અનુભવ
કરે છે, તેની વાત કરે છે. અહીં પહેલાંં પર્યાયને દ્રવ્યમાં લીન કરવાની અને પછી ગુણને દ્રવ્યમાં લીન કરવાની
વાત કરી છે, ગુણને અને પર્યાયને દ્રવ્યમાં જોડવાની વાત ક્રમથી કરી છે, કહેવામાં તો ક્રમથી જ કહેવાય, પણ
ખરેખર ગુણ અને પર્યાય બંનેનું લક્ષ એક સાથે જ છૂટી જાય છે; જ્યાં અભેદ દ્રવ્યને લક્ષમાં લીધું ત્યાં ગુણ
અને પર્યાય બંનેનું લક્ષ એક સાથે જ ટળી ગયું ને એકલા આત્માનો અનુભવ રહ્યો. મોતીનું લક્ષ છોડીને
હારને લક્ષમાં લીધો ત્યાં એકલો હાર જ લક્ષમાં રહ્યો. સફેદતાનું લક્ષ પણ ન રહ્યું. તેમ પર્યાયનું લક્ષ છોડીને
જ્યાં દ્રવ્યને લક્ષમાં લઈને એકાગ્ર થયો ત્યાં ગુણનું લક્ષ પણ સાથે જ ટળી ગયું. ગુણ–પર્યાય બંને ગૌણ થઈ
ગયા ને એક દ્રવ્યનો અનુભવ રહ્યો. આ પ્રમાણે દ્રવ્ય ઉપર લક્ષ કરીને આત્માનો અનુભવ કરવો તેનું નામ
સમ્યગ્દર્શન છે.
(૧૬) સમ્યગ્દર્શન વગર ધર્મ હોતો નથી, તેથી અહીં પહેલાંં જ સમ્યગ્દર્શનની રીત બતાવી છે. પુણ્ય–
પાપ થાય તે નિષેધ કરવા માટે જાણવા યોગ્ય છે, પણ સમ્યગ્દર્શનની રીતમાં પુણ્ય કે પાપ નથી. અહીં દ્રષ્ટાંતમાં
ઝૂલતો હાર લીધો છે, તેમ સિદ્ધાંતમાં પરિણમતું દ્રવ્ય બતાવવું છે. દ્રવ્યનું પરિણમન થઈને પર્યાય આવે છે, તે
પર્યાયોને ત્રિકાળી પરિણમતા દ્રવ્યમાં જ લીન કરીને, અને ગુણના ભેદનો વિચાર છોડીને દ્રવ્યમાં ઢળે છે ત્યારે
સમ્યગ્દર્શન થાય છે.
પર્યાયોને દ્રવ્યનાં અભેદ કર્યા અને ‘જ્ઞાન તે આત્મા’ એવા ગુણ–ગુણીના ભેદની વાસનાનો પણ લોપ
કર્યો, ત્યાં વિકલ્પ ન રહ્યો, એટલે ધોળાશને જુદી લક્ષમાં ન

PDF/HTML Page 32 of 37
single page version

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૫૧:
લેતાં તેને હારમાં જ સમાવીને જેમ હારને લક્ષમાં લે છે તેમ જ્ઞાન અને આત્મા એવા બે ભેદને લક્ષમાં ન લેતાં
એક આત્મદ્રવ્યને જ લક્ષમાં લે છે, ચૈતન્યને ચેતનમાં જ સ્થાપીને એકાગ્ર થાય છે ત્યાં જ સમ્યગ્દર્શન થાય છે,
ને મોહ ક્ષય પામે છે.
(૧૭) જુઓ ભાઈ, આ જ આત્માના હિતની વાત છે. આ સમજણ પૂર્વે અનંત કાળમાં એક સેકંડ પણ
નથી કરી. એક સેકંડ પણ આવી સમજણ કરે તેને ભવ રહે નહિ. આ સમજ્યા સિવાય લાખો ને કરોડો રૂપિયા
ભેગા થાય તેમાં આત્માને કાંઈ લાભ નથી. આત્માનું લક્ષ કર્યા વગર આત્માના અનુભવની લાખેણી ઘડીનો
લાભ નહિ મળે. જેણે આવા આત્માનો નિર્ણય કર્યો, પછી તેને આહાર, વિહારાદિ હોય ને પુણ્ય–પાપનાં પરિણામ
પણ થતા હોય છતાં આત્માનું લક્ષ છૂટતું નથી, આત્માનો નિર્ણય કર્યો છે તે કોઈ પ્રસંગે ખસતો નથી. એટલે
તેને ક્ષણે ક્ષણે ધર્મ થયા કરે છે.
(૧૮) પોતે સાચું સમજે ત્યાં ખોટું એની મેળે ટળી જાય છે, તેને માટે પ્રતિજ્ઞા કરવી પડતી નથી. કોઈ
કહે છે કે અગ્નિ ઉષ્ણ છે એમ મેં જાણ્યું, હવે મને ‘અગ્નિ ઠંડો છે’ એમ ન માનવાની પ્રતિજ્ઞા આપો. પણ તેમાં
પ્રતિજ્ઞા શું? અગ્નિનો સ્વભાવ ઉષ્ણ છે એમ જાણ્યું ત્યાં જ તેને ઠંડો ન માનવાની પ્રતિજ્ઞા થઈ જ ગઈ. તેવી જ
રીતે ‘સાકર કડવી છે’ એમ ન માનવાની પ્રતિજ્ઞા આપો–એમ કોઈ કહે, તો એવી પ્રતિજ્ઞા હોય નહિ. સાકરનો
ગળ્‌યો સ્વભાવ નક્કી કર્યો ત્યાં તે પ્રતિજ્ઞા સ્વયમેવ થઈ જ ગઈ. તેમ આત્મસ્વભાવને જેણે જાણ્યો તેને ખોટાની
માન્યતા તો ટળી ગઈ. સ્વભાવને જાણ્યો ત્યાં ‘ખોટું ન માનવાની પ્રતિજ્ઞા’ તેમાં આવી જ ગઈ. સાચું જ્ઞાન થયું
તે પોતે જ ખોટું ન માનવાની પ્રતિજ્ઞાવાળું છે. ‘ખોટાને ન માનવું’ એવી પ્રતિજ્ઞા માંગે, તો તેનો અર્થ એ થયો કે
હજી તેને ખોટાની માન્યતા ઊભી છે, ને સાચાનો નિર્ણય થયો નથી. આત્માના ગુણ પર્યાયને અભેદ દ્રવ્યમાં જ
પરિણમાવીને જેણે અભેદ આત્માનો નિર્ણય કર્યો તેને અભેદ આત્મસ્વભાવની પ્રતીતિરૂપ પ્રતિજ્ઞા થઈ, ત્યાં
તેનાથી ઊંધી માન્યતાઓ ટળી જ ગઈ, એટલે ઊંધી માન્યતા ન કરવાની પ્રતિજ્ઞા થઈ ગઈ. તે જ પ્રમાણે જેણે
ચારિત્ર પ્રગટ કર્યું તેને અચારિત્ર ન કરવાની પ્રતિજ્ઞા થઈ જ ગઈ.
(૧૯) આ ગાથામાં અરિહંત જેવા આત્માને જાણવાની વાત કરી, તેમાં એટલું તો આવી ગયું કે પાત્ર
જીવને અરિહંતદેવ સિવાય સર્વે કુદેવાદિની માન્યતા તો છૂટી જ ગઈ છે. અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણીને
ત્યાં અટકતો નથી પણ પોતાના આત્મા તરફ વળે છે. દ્રવ્ય, ગુણ, ને પર્યાયથી પરિપૂર્ણ મારું સ્વરૂપ છે, રાગ–દ્વેષ
મારું સ્વરૂપ નથી–એમ નક્કી કરીને, પછી પર્યાયનું લક્ષ છોડીને અને ગુણભેદનું લક્ષ પણ છોડીને અભેદ
આત્માને લક્ષમાં લ્યે છે ત્યારે એકલા ચિન્માત્ર સ્વભાવનો અનુભવ થાય છે, તે જ વખતે સમ્યગ્દર્શન થાય છે,
ને મોહનો ક્ષય થઈ જાય છે.
(૨૦) આત્મા અનંત ગુણનો પિંડ તે હાર છે, તેનો ચૈતન્યગુણ તે ધોળાશ છે, અને તેના એકેક સમયના
ચૈતન્યપર્યાયો તે મોતી છે. આત્માનો અનુભવ કરવા માટે, પહેલાંં તો તે દ્રવ્ય, ગુણ, પર્યાયનો જુદો જુદો વિચાર
કરે છે; પર્યાયમાં રાગ–દ્વેષ થાય તે મારું સ્વરૂપ નથી, કેમ કે અરિહંતના પર્યાયમાં રાગ–દ્વેષ નથી. રાગરહિત
કેવળજ્ઞાન પર્યાય મારું સ્વરૂપ છે; તે પર્યાય ક્યાંથી આવે છે? ત્રિકાળી ચૈતન્ય ગુણ છે તેમાંથી તે પર્યાય પ્રગટે
છે. અને એવા જ્ઞાન–દર્શન, સુખ, અસ્તિત્વ વગેરે અનંત ગુણનો એકરૂપપિંડ તે આત્મદ્રવ્ય છે. –આમ જાણ્યા
પછી ભેદનું લક્ષ છોડીને અભેદ આત્માને લક્ષમાં લઈને એક આત્માને જ જાણતાં વિકલ્પરહિત નિર્વિકલ્પ
આનંદનો અનુભવ થાય છે, તે જ નિર્વિકલ્પ આત્મસમાધિ છે, તે જ આત્મ સાક્ષાત્કાર છે. તે જ સ્વાનુભવ છે,
તે જ ભગવાનના દર્શન છે, તે જ સમ્યગ્દર્શન છે. જે કહો તે એ જ છે. એ જ ધર્મ છે. જેમ દોરો પરોવેલી સોય
ખોવાતી નથી, તેમ આત્મામાં જો સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી દોરો પરોવી લ્યે તો તે આત્મા સંસારમાં
ભ્રમણ કરે નહિ.
(૨૧) પહેલાંં અરિહંત જેવા પોતાના દ્રવ્ય–ગુણ પર્યાયને જાણીને અરિહંતનું લક્ષ છોડીને પોતાના
આત્મા તરફ વળ્‌યો; હવે અંતરમાં દ્રવ્ય–ગુણ–પર્યાયના વિકલ્પ છોડીને એક ચેતનસ્વભાવને લક્ષમાં લઈને
એકાગ્ર થતાં આત્મામાં મોહક્ષય માટેની કેવી ક્રિયા થાય છે, તે કહે છે. ગુણ–પર્યાયને દ્રવ્યમાં જ અભેદ
કરીને અંતરમાં વળ્‌યો ત્યાં ઉત્તરોત્તર ક્ષણે કર્તા–કર્મ–ક્રિયાના ભેદનો ક્ષય થતો જાય છે અને જીવ નિષ્ક્રિય
ચિન્માત્ર ભાવને

PDF/HTML Page 33 of 37
single page version

background image
: ૫૨: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
પામે છે. અંતરમાં વળ્‌યો ત્યાં ‘હું કર્તા છું, ને આત્માની શ્રદ્ધા કરવા તરફ વળું છું’ એવા ભેદનો વિકલ્પ રહેતો
નથી. ‘હું કર્તા છું ને પર્યાય કર્મ છે, પુણ્ય–પાપનો કર્તા નથી ને સ્વભાવપર્યાયનો કર્તા છું. પર્યાયને અંતરમાં
એકાગ્ર કરવાની ક્રિયા કરું છું, મારો પર્યાય અંતરમાં એકાગ્ર થતો જાય છે’ –એવા પ્રકારે કર્તા, કર્મ અને ક્રિયાની
વહેંચણીના વિકલ્પો નાશ થઈ જાય છે. વિકલ્પરૂપ ક્રિયા રહેતી નથી માટે તે જીવ નિષ્ક્રિય ચિન્માત્ર–ભાવને પામે
છે. ‘જે પર્યાય દ્રવ્યમાં વળીને એકાગ્ર થયો તે પર્યાયને મેં વાળ્‌યો’ –એવો કર્તા–કર્મના વિભાગનો વિકલ્પ
અનુભવ વખતે હોતો નથી, એકલા ચિન્માત્રભાવ આત્માનો અનુભવ રહી જાય છે, તે જ ક્ષણે મોહ નિરાશ્રય
થયો થકો નાશ પામે છે; આ જ અપૂર્વ સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શન થાય ત્યારે ‘હું પર્યાયને અંતરમાં વાળું છું’ એવો વિકલ્પ હોતો નથી. ‘હું પર્યાયને દ્રવ્યમાં
વાળું અથવા આ વર્તમાન અંશને ત્રિકાળમાં અભેદ કરું’ એવો વિકલ્પ રહે તો પર્યાયદ્રષ્ટિનો રાગ થાય છે ને
અભેદ દ્રવ્ય પ્રતીતમાં આવતું નથી. અભેદ સ્વભાવ તરફ ઢળતાં તે વિકલ્પનો ક્ષય થઈ જાય છે, અને આત્માનો
નિર્વિકલ્પ અનુભવ થાય છે આવો અનુભવ થયો ત્યારે સમ્યગ્દ્રષ્ટિ થયો, જૈનધર્મી થયો. એ સિવાય ખરેખર
જૈનધર્મી કહેવાય નહિ.
સમ્યગ્દ્રષ્ટિ એટલે કે પહેલામાં પહેલો જૈન કેમ થવાય તેની આ રીત કહેવાય છે. આત્મા પરનાં કામ કરે
એમ માને તે તો સ્થૂળ મિથ્યાદ્રષ્ટિ અજૈન છે. પુણ્ય–પાપના ભાવ થાય તેને આત્માનું કર્તવ્ય માને તો તે પણ
મિથ્યાદ્રષ્ટિ છે, તેને જૈનધર્મ નથી; અને ‘અંતરમાં નિર્મળ પર્યાય થાય તેને હું કરું છું’ એમ આત્મામાં કર્તા–કર્મના
ભેદના વિકલ્પમાં રોકાઈ રહે તો પણ મિથ્યાત્વ ટળતું નથી. ‘મારો પર્યાય અંતર તરફ વળે છે. પહેલાં પર્યાય
કરતાં બીજા પર્યાયમાં અંતરની એકાગ્રતા વધતી જાય છે’ –એમ કર્તા–કર્મ ને ક્રિયાના ભેદનું લક્ષ રહે તે
વિકલ્પની ક્રિયા છે, અંતર સ્વભાવમાં વળતાં તે વિકલ્પની ક્રિયાનો ક્ષય થતો જાય છે અને આત્મા નિષ્ક્રિય
(એટલે કે વિકલ્પની ક્રિયા રહિત) ચિન્માત્રભાવને પામે છે; એટલે તે જીવ સમ્યગ્દ્રષ્ટિ થયો, ધર્મી થયો; જૈન
થયો. પછી અસ્થિરતાના કારણે તેને જે રાગ–દ્વેષના વિકલ્પ ઊઠે તેમાં એકતાબુદ્ધિ થતી નથી, ને સ્વભાવની
દ્રષ્ટિ ટળતી નથી, તેથી સમ્યગ્દર્શન–ધર્મ ટકી રહે છે.
(૨૨) આ અપૂર્વ વાત છે. જેમ વેપાર–ધંધામાં વ્યાજ વગેરે ગણવામાં ધ્યાન રાખે છે તેમ અહીં
આત્માની રુચિ કરીને બરાબર ધ્યાન રાખવું જોઈએ, અંતરમાં મેળવણી કરવી જોઈએ. બરાબર માંગળિક ટાણે
અપૂર્વ વાત આવી છે. આ કાંઈક અપૂર્વ વાત છે, સમજવા જેવી છે–એમ રુચિ લાવીને ૬૦ મિનિટ બરાબર લક્ષ
રાખીને સાંભળે તોય બીજા કરતાં જુદી જાતના મહાન્ પુણ્ય થઈ જાય. અને જો આત્માનું લક્ષ રાખીને અંતરમાં
સમજે તો તો અનંતકાળે નહિ મળેલો એવો અપૂર્વ સમ્યગ્દર્શનનો લાભ થાય. આ વાત સાંભળવા મળવી પણ
મોંઘી છે.
(૨૩) ‘મારી પર્યાયને હું અંતરમાં વાળું છું, પર્યાયની ક્રિયામાં ફેરફાર થતો જાય છે, નિર્મળતા વધતી
જાય છે’ એવો વિકલ્પ રહે તે રાગ છે. અંતરસ્વભાવમાં વળતા ઉત્તરોત્તર ક્ષણે તે વિકલ્પ નાશ પામતો જાય છે;
જ્યાં આત્માના લક્ષે એકાગ્ર થવા માંડે છે ત્યાં ભેદના વિકલ્પની ક્રિયાનો ક્ષય થઈ જાય છે અને જીવ નિષ્ક્રિય
ચિન્માત્ર સ્વભાવને અનુભવે છે. આવી સમ્યગ્દર્શનની અંતરક્રિયા છે, તે જ ધર્મની પહેલી ક્રિયા છે. આત્મામાં
નિર્મળ પર્યાય પ્રગટે છે તે પોતે ધર્મક્રિયા છે, પણ ‘હું નિર્મળ પર્યાય પ્રગટ કરું, અભેદ આત્મામાં પર્યાયને વાળું’
એવો ભેદનો વિકલ્પ તે રાગ છે, તે ધર્મની ક્રિયા નથી; અનુભવ સમયે તે વિકલ્પની ક્રિયાનો અભાવ છે તેથી
‘નિષ્ક્રિય ચિન્માત્રભાવને પામે છે’ એમ કહ્યું છે. નિષ્ક્રિય ચિન્માત્ર ભાવની પ્રાપ્તિ તે જ સમ્યગ્દર્શન છે.
(૨૪) જાણનાર–દેખનાર તે હું, રાગની ક્રિયા હું નહિ–એમ પહેલાંં દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ નક્કી
કરતાં રાગ હતો, પણ દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ જાણીને અભેદ સ્વભાવમાં ઢળવાનું જ પહેલેથી લક્ષ હતું. દ્રવ્ય–
ગુણ પર્યાયને ઓળખ્યા પછી પણ જ્યાંસુધી ભેદનું લક્ષ રહે ત્યાંસુધી સમ્યગ્દર્શન ન થાય, અભેદ સ્વભાવમાં
ઢળતાં ભેદનું લક્ષ છૂટી જાય છે. અને સમ્યગ્દર્શન થાય છે. પહેલાંં દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણ્યા તે કરતાં આમાં
અનંતગણો પુરુષાર્થ છે, આ અંતરના સ્વભાવની ક્રિયા છે, આમાં અપૂર્વ સ્વભાવનો પુરુષાર્થ છે. સ્વભાવના
અનંત પુરુષાર્થ વગર જો તરી જવાતું હોય તો તો બધા જીવો મોક્ષમાં ચાલ્યા જાત! પુરુષાર્થ વગર આ સમજાય
તેમ નથી.

PDF/HTML Page 34 of 37
single page version

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૫૩:
સ્વભાવની રુચિપૂર્વક અનંતો પુરુષાર્થ માગે છે. આ સમજવા માટે ધીરજથી અભ્યાસ કરવો જોઈએ.
(૨૫) પહેલાંં અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણે તે જીવ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણે, અને પછી
અંતરમાં પોતાના અભેદ સ્વભાવ તરફ વળીને આત્માને જાણતાં તેનો મોહ ક્ષય થઈ જાય છે. ‘હું અંદર ઢળું છું
માટે હમણાં કાર્ય પ્રગટ થશે’ એવા વિકલ્પ પણ છોડીને ક્રમે ક્રમે સહજ સ્વભાવમાં ઢળતો જાય છે, ત્યાં મોહ
નિરાશ્રય થઈને નાશ પામી જાય છે.
(૨૬) આ ૮૦ મી ગાથામાં ભગવાનશ્રી કુંદકુંદાચાર્ય દેવે સમ્યગ્દર્શનનો અપૂર્વ ઉપાય બતાવ્યો છે. જે
આત્મા અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણે તેને પોતાના આત્માની ખબર પડે કે હું પણ અરિહંતની
જાતનો છું, અરિહંતોની પંક્તિમાં બેસું તેવો મારો સ્વભાવ છે. એમ નક્કી કર્યા પછી પર્યાયમાં જે કચાશ છે તે
ટાળીને અરિહંત જેવી પૂર્ણતા કરવા માટે પોતાના આત્મસ્વભાવમાં જ એકાગ્ર થવાનું રહ્યું. એટલે તે જીવ
પોતાના આત્મા તરફ વળવાની ક્રિયા કરે છે ને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે. તે સમ્યગ્દર્શન માટેની ક્રિયાનું આ
વર્ણન છે. આ ધર્મની પહેલામાં પહેલી ક્રિયા છે. નાનામાં નાનો જૈન ધર્મી એટલે કે અવિરત સમ્યગ્દ્રષ્ટિ થવાની
આ વાત છે. આ સમજ્યા વગર કોઈ જીવને છઠ્ઠા–સાતમા ગુણસ્થાનની મુનિદશા, કે પાંચમા ગુણસ્થાનની
શ્રાવકદશા હોય જ નહિ; તેમ જ પંચ મહાવ્રત, વ્રત, પડિમા, ત્યાગ કાંઈ પણ સાચું હોય નહિ. મુનિ કે શ્રાવક
થયા પહેલાંના સમ્યગ્દર્શન ધર્મની આ વાત છે. વસ્તુ સ્વરૂપ શું છે તે સમજ્યા વગર ઉતાવળા થઈને બાહ્ય
ત્યાગ કરવા માંડે તેથી કાંઈ ધર્મ થાય નહિ. ભરત ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય હતું, તેમને અબજો વર્ષો સુધી
રાજપાટમાં રહેવા છતાં આવી દશા હતી. જેણે આત્મસ્વભાવનું ભાન કર્યું તેને તે ભાન સદાય રહ્યા કરે છે,
ખાતાં–પીતાં ક્યારેય આત્માનું ભાન ભૂલાય નહિ ને સદાય આવું ભાન રહ્યા કરે–એ જ સદાય કરવાનું છે. આવું
ભાન થયા પછી તે ગોખવું ન પડે. જેમ હજારો માણસોના ઢેઢીયા મેળામાં વાણીયો જઈ ચડે ને હજારો ઢેઢની
વચમાં ઊભો હોય તો પણ ‘હું વાણીયો છું’ એ વાત તે ભૂલે નહિ, તેમ ધર્મી જીવ ઢેઢીયા મેળાની જેમ અનેક
પ્રકારના રાજપાટ, વેપારધંધા વગેરે સંયોગમાં ઊભેલા દેખાય ને પુણ્ય–પાપ થતા હોય છતાં ક્યારે ય ઊંઘમાં
પણ ચૈતન્યનું ભાન ભૂલતા નથી. પાથરણું પાથરીને બેસે ત્યારે ધર્મ થાય–એમ નથી, પણ આ સમ્યગ્દર્શનરૂપ
ધર્મ ચોવીશે કલાક રહ્યા કરે છે.
(૨૭) આ વાત અંતરમાં પકડવા જેવી છે. રુચિપૂર્વક ધીમાશથી પરિચય કરે તો આ વાત પકડાય તેમ
છે, પોતાની માનેલી બધી પક્કડ મૂકીને સત્સમાગમે પરિચય કર્યા વગર ઉતાવળથી આ વાત પકડાય તેમ નથી.
પહેલાંં સત્સમાગમે શ્રવણ, ગ્રહણ ને ધારણા કરીને, શાંતિથી અંતરમાં વિચારવું જોઈએ. આ તો એકલા અંતરના
વિચારનું કાર્ય છે. પણ સત્સમાગમે શ્રવણ–ગ્રહણ ને ધારણા જ ન કરે તો પછી વિચારીને અંતરમાં અપૂર્વ હોંશથી
આત્માની દરકારપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. પૈસામાં સુખ નથી છતાં પૈસા મળવાની વાત કેવી હોંશથી
સાંભળે છે! આ તો આત્માની મુક્તિ મળે તેવી વાત છે, તે સમજવા માટે અંતરમાં હોંશ અને ઉત્સાહ જોઈએ.
આ જ કરવા જેવું છે.
(૨૮) પહેલાંં સ્વભાવ તરફ ઢળવાની વાત કરી ત્યારે આત્માને ઝૂરતા હારની ઉપમા આપી હતી, અને
પછી અંતરમાં એકાગ્ર થઈને અનુભવ કર્યો ત્યારે અકંપ પ્રકાશવાળા મણિની ઉપમા આપી છે. ‘એ રીતે મણિની
જેમ જેનો નિર્મળ પ્રકાશ અકંપપણે પ્રવર્તે છે એવા તે (ચિન્માત્રભાવને પામેલા) જીવને મોહાંધકાર
નિરાશ્રયપણાને લીધે અવશ્યમેવ પ્રલય પામે છે’ જેમ મણિનો પ્રકાશ પવનથી હાલતો નથી તેમ અહીં આત્માને
એવી અડગ શ્રદ્ધા થઈ કે આત્માની શ્રદ્ધામાં કદી ડગે નહિ. જીવ જ્યાં આત્માની નિશ્ચલ પ્રતીતિમાં ટક્યો ત્યાં
મિથ્યાત્વ ક્યાં રહે? જીવ પોતાના સ્વભાવમાં સ્થિર થયો ત્યાં તેને મિથ્યાત્વકર્મના ઉદયમાં જોડાણ ન રહ્યું તેથી
તે મિથ્યાત્વકર્મનો જરૂર ક્ષય જઈ જાય છે. આમાં ક્ષાયિક સમ્યગ્દર્શન જેવી વાત છે. પંચમ આરાના મુનિ
પંચમઆરાના જીવોને માટે વાત કરે છે, છતાં મોહના ક્ષયની જ વાત કરી છે. ક્ષયોપશમ સમ્યક્ત્વ પણ
અપ્રતિહતપણે ક્ષયિક જ થાય–એવી વાત લીધી છે. અને પછી ક્રમે ક્રમે અકંપપણે આગળ વધીને તે જીવ
ચારિત્રદશા પ્રગટ કરી કેવળજ્ઞાન પામીને સિદ્ધ થાય છે.
આત્મધર્મના દરેક ગ્રાહક ભાઈ – બહેનો એકેક નવો ગ્રાહક બનાવીને ધર્મની પ્રભાવના કરો.

PDF/HTML Page 35 of 37
single page version

background image
: ૫૪: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
નિકટભવ્ય અને અભવ્ય

અહો! જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવ પણ આકુળતામય દુઃખદાયક છે. મારા સ્વરૂપનો ઘાત
થયો ત્યારે શુભ લાગણી ઉત્પન્ન થઈ. અરેરે, પૂરું જ્ઞાનપરિણમન નથી–વીતરાગતા નથી, પુરુષાર્થ નબળો છે તેથી
શુભ લાગણી થઈ આવે છે, તે મને સુખદાયક નથી. એકલા જ્ઞાનપણે પૂરેપૂરું પરિણમન થતાં જ પૂર્ણ પારમાર્થિક
સુખ થાય છે. આમ જ્ઞાનીને સ્વરૂપની જ રુચિ છે અને શુભમાં હેયબુદ્ધિ છે. જેને શુભભાવમાં હોંશ આવતી હોય
ને તેમાં સુખ ભાસતું હોય તે જીવ કેવળી ભગવાનના પારમાર્થિક સુખને સ્વીકારી શકે નહિ, કેમકે
કેવળીભગવાનનું સુખ તો શુભભાવથી રહિત છે. સ્વરૂપની બહાર નીકળીને શુભમાં રહેવું પડે ત્યાં જ્ઞાની
તરફડિયા મારે છે, સ્વરૂપની પૂર્ણતા માટે તલસે છે.
જેમ–પાણીની વેળ આવે ને પાછી ઊતરી જાય, તેમાં કોઈ માછલાં કાંઠે રહી જાય અને ગારામાં ખૂચી
જાય, તે વખતે તે તલસે છે કે પાણી, પાણી! પાણી છોડીને ગારામાં ખૂંચી રહેવું તેને દુઃખદાયક લાગે છે. તેમ
ચૈતન્યસ્વરૂપની શુદ્ધતાના અનુભવરૂપી વેળ આવીને ચાલી ગઈ, અને શુભઅશુભ ભાવમાં ને ઈંદ્રિય વિષયોમાં
ખુંચી રહેવું પડે તે વખતે જ્ઞાનીઓ શુદ્ધ સ્વભાવના અનુભવ માટે ઝંખે છે. કે, અહા! ક્યાં મારા ચૈતન્યમય
પરિણમનનો નિરાકુળ આત્મઆનંદ ને ક્યાં આ આકુળતા? મારો નિરાકુળ પરમ આત્મઆનંદ તે જ સુખદાયક
છે, ને આ રાગ તો દુઃખદાયક છે. અજ્ઞાની જીવ તો વિષયો તરફની લાગણીમાં સુખ જ માને છે, વિષયોની
અપેક્ષારહિત જ્ઞાનસ્વભાવનું સુખ તે સ્વીકારતો નથી–અહીં શ્રી કુંદકુંદ આચાર્યદેવ કહે છે કે તે જીવ અભવ્ય છે.
અજ્ઞાની જીવો, આત્મામાં સુખ છે તે ભૂલી જઈને સારા ખોરાક, વસ્ત્ર, પૈસા, સ્ત્રી વગેરેમાં સુખ માને છે,
પરંતુ તેમાં સાચું સુખ નથી–તેના લક્ષે તો દુઃખ જ છે. કેવળી ભગવાન ખોરાક, વસ્ત્ર–પૈસા વગેરેથી રહિત પોતે જ
જ્ઞાનસ્વરૂપે એકાંત સુખી છે, તેમને જ પરમાર્થ સુખ છે. તેમને પૂરેપૂરું જ્ઞાનમય પરિણમન થઈ ગયું હોવાથી એક
જ્ઞેયથી બીજા જ્ઞેય ઉપર ઉપયોગ ભમતો નથી. જ્ઞાન એવું ને એવું એકરૂપ નિશ્ચલ રહીને બધાયને જાણે છે, તેથી
તેમને આકુળતા નથી. આવા પરમાર્થ સુખમય જ્ઞાનસ્વભાવને જે જીવ અંતરથી સ્વીકારે છે તે નિકટ ભવ્ય છે.
કેવળી ભગવાનને પોતાના આત્માથી જ પારમાર્થિક સુખ છે–એમ ક્યારે સ્વીકાર્યું કહેવાય! પ્રથમ તો,
ભગવાન કોઈ પણ અન્ય પદાર્થ વગર જ સુખી છે તેમ પોતાનો આત્મા પણ સુખ માટે કોઈ પર દ્રવ્યની અપેક્ષા
રાખતો નથી. ભગવાન શુભાશુભભાવ વગર જ સુખી છે તેમ મારા આત્મામાં પણ જે શુભાશુભભાવ થાય તે
મારું સ્વરૂપ નથી, તે મારે આદરણીય નથી. ભગવાનને પુણ્ય–પાપ ભાવ થતા જ નથી, એકલું જ્ઞાન જ થાય છે
તેથી તેઓ સુખી છે, મારે જે પુણ્ય–પાપભાવો થાય છે તેનાથી મારું જ્ઞાન જુદું છે, પુણ્ય–પાપભાવો મારા
આત્માને સુખનું કારણ નથી તેથી તે હેયરૂપ છે. આ રીતે, શુભાશુભભાવ રહિત એકલા જ્ઞાનપણે જ પરિણમતા
હોવાથી કેવળીભગવાન પારમાર્થિક સુખી છે તેમ હું પણ એકલા જ્ઞાનસ્વભાવરૂપ છું, બીજા ભાવો મારું સ્વરૂપ
નથી, એકલા જ્ઞાન સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન ને તેમાં રમણતા તે જ મારા પારમાર્થિક સુખનું કારણ છે, –આમ
જેઓ પ્રસન્ન ચિત્તથી હમણાં જ સ્વીકારે છે તેઓ થોડા કાળમાં મુક્તિ પામનારા આસન્નભવ્યો છે. પણ જેઓ
હમણાં જ નથી સ્વીકારતા ને અનંતકાળ રખડીને પછી સ્વીકારશે તે જીવો દૂરભવ્ય છે. જેઓ કદી જ નથી
સ્વીકારતા તેમની વાત શું કરવી!
‘કેવળીપ્રભુને રાગરહિત પરમાર્થ સુખ છે’ આમ જે આત્મા વર્તમાન જ સ્વીકારે છે તેનું પરિણમન
વર્તમાનમાં જ પોતાના રાગરહિત સ્વભાવનો સ્વીકાર કરે છે. જેણે કેવળી ભગવાનના પારમાર્થિક સુખને માન્યું
તેણે ખરેખર તો એમ સ્વીકાર્યું છે કે મારા આત્માનું સુખ વિષયોમાં નથી, રાગમાં નથી, અધૂરા પરિણમનમાં
નથી પણ પૂરા સ્વભાવમાં છે, તેની પરિણતિ કબૂલે છે કે રાગ તે હું નહિ પણ શુદ્ધ જ્ઞાન તે હું. એટલે તેનું
પરિણમન રાગથી અને પરથી ખસીને પોતાના ચૈતન્યસ્વભાવ તરફ વળ્‌યું, તે વર્તમાન સમ્યગ્દ્રષ્ટિ છે ને
અલ્પકાળે મુક્તિ

PDF/HTML Page 36 of 37
single page version

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૫૫:
[શ્રી પ્રવચનસાર ગાથા ૬૦ ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીના વ્યાખ્યાનનો સાર
૨૪૭૪, માગશર વદ ૧૩] (ગતાંકથી ચાલુ)
પામવાનો છે. આગળ ઉપર જે જીવ આવી શ્રદ્ધા કરશે તે દુરભવ્ય છે. અહીં તો વર્તમાનમાં
ધર્માત્માસંતના શ્રીમુખેથી સાંભળ્‌યું કે તરત જ પ્રસન્ન થઈને સ્વીકાર કરી લે–એવા નિકટભવ્ય જીવની વાત જ
કુંદકુંદાચાર્યદેવે લીધી છે, વર્તમાનમાં જ સાક્ષાત્ શ્રવણ કરીને જે નથી સ્વીકારતો તેવા જીવની વાત લીધી નથી.
કોઈ જીવ ચૈતન્યસ્વભાવની વાત સાંભળીને એમ કહે કે, આ વાત સારી છે પણ હું પછી સમજીશ,
અત્યારે નહિ. તો તે જીવની વાત ખોટી છે. ખરેખર તેણે ચૈતન્યના પારમાર્થિક સુખને સ્વીકાર્યું નથી. જો
ચૈતન્યના પારમાર્થિક સુખની વાત તને સારી લાગી હોય તો હોંશથી અત્યારે જ તેનો સ્વીકાર કર, તેમાં એક
સમય માત્રની મુદત ન હોય. વાત સારી છે પણ અત્યારે માનવી નથી–એમ જે કહે છે તેની વાત ખોટી છે, તેને
ચૈતન્યના સુખ કરતાં બીજું કાંઈક સારું લાગ્યું છે તેથી તે ચૈતન્યની શ્રદ્ધા કરવા માટે મુદત મારે છે. જો
કેવળીભગવાનના આત્માનું પારમાર્થિક સુખ ખરેખર રુચ્ચું હોય તો વર્તમાન જ ઉત્સાહપૂર્વક તેનો હકાર આવે,
અત્યારે જ તેવા પૂર્ણ પારમાર્થિક સુખની પ્રાપ્તિ કરું–એવી ભાવના હોય પણ તને આત્માના પારમાર્થિક સુખની
રુચિ જ નથી તેથી તેનો નકાર આવે છે. તને વિષયોમાં સુખબુદ્ધિ છે.
પોતે એક જ ભવ કરીને મુક્તિ પામવાના છે તેથી શ્રી આચાર્યભગવાન પોતાના ઉગ્ર પુરુષાર્થથી
કેવળજ્ઞાનીના પારમાર્થિક સુખનું પ્રતિપાદન કરે છે, જે જીવ તે સાંભળીને આનંદથી હા પાડે છે તે જીવ પણ
આસન્નભવ્ય છે; તેને આત્માનો કેવળજ્ઞાન સ્વભાવ રુચ્યો છે, તે પણ અલ્પકાળમાં પૂર્ણ રાગરહિત થઈને પૂર્ણ
સુખી થવાના છે. જેમ એક સાથે છ બળદને ચક્કરમાં ફેરવે, તેમાં પહેલાંં બે બળદને નાનું ચક્કર ફરવાનું હોય,
પછીના બેને જરાક મોટું ચક્કર હોય અને ત્રીજા બેને તેનાથી જરાક વધારે હોય, પરંતુ તે બધાય ફરીને ચક્કર
પૂરું જ કરવાના છે, તેમ જે જીવો આત્માના પારમાર્થિક સ્વભાવની હોંશ–રુચિ ને શ્રદ્ધા કરે છે તે બધાય જીવો
સંસારચક્ર પૂરું કરવાના છે. કુંદકુંદભગવાન જ્ઞાન અને સુખ સ્વરૂપ ચૈતન્ય સ્વભાવની વાત કરે છે અને તેનો જે
હકાર કરીને સ્વીકાર કરે છે તે બધાય જીવો મુક્તિ જ પામવાના છે, કુંદકુંદભગવાન જેવા એક ભવે, કોઈ બે ભવે
ને કોઈ ત્રણ ભવે. સ્વભાવનો આદર કરનાર બધાય જીવો નિકટભવ્ય છે. હા પાડનારા જીવોને સાથે રાખીને
નિમિત્ત ઉપાદાનને ભેગાં જ રાખ્યા છે.
(અનુસંધાન પાન ૨૩ થી ચાલુ)
થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી કાર્યે કાર્યે પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યો અને પ્રસંગે પ્રસંગે
તીક્ષ્ણ–ઉપયોગે કરી જોવા, જોઈને તે પરિક્ષીણ કરવા. અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય
તો તે સ્વીકારવો. પણ કોઈ પદાર્થને વિષે તેનાથી વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી.”
ઉપર કહ્યા પ્રમાણે જીવ જો સત્પુરુષને ઉપાસે તો અવશ્ય તેને સતની રુચિ વિશેષ વધીને ખૂણેખાંચરે
રહેલા દોષ નષ્ટ થઈ જાય, ને બ્રહ્મ–સ્વરૂપનું પરમાનંદમય જીવન તેને પ્રાપ્ત થાય.
ખરેખર જે જીવોએ સત્પુરુષોના ચરણે પોતાનું જીવન સમર્પણ કર્યું છે તેમણે પોતાનું જીવન ઉજ્જવળ કર્યું
છે, તેમજ માત–પિતાને, કુળને ઉજ્જવળ કર્યું છે. આત્માર્થી જીવે, સત્સંગની આરાધનાએ, આત્મામાં અખંડ વૃત્તિ
રહેવાનો અર્થે બ્રહ્મચર્યને પ્રાપ્ત ને શુદ્ધતા તરફ વળો, તેમાં વિશેષ આગળ વધો, અને તેનાથી સર્વ દોષોને છેદીને
પૂર્ણ ધ્યેયને પ્રાપ્ત કરો, આત્મિક વિષયથી ઉત્પન્ન એવા પરમ આનંદને પામો!
છેવટે સંતોની પરમ કૃપાથી જે જે ભાઈઓ–બહેનોએ જેવી પવિત્ર વૈરાગ્ય ભાવનાપૂર્વક બ્રહ્મચર્ય
અંગીકાર કર્યું છે તેવો વૈરાગ્ય તેમના જીવનમાં સદાય જાગૃત રહો, તેમાં દિન–પ્રતિદિન વૃદ્ધિપૂર્વક નિર્વિઘ્નપણે
તત્ત્વજ્ઞાનમાં આગળ વધીને આત્મહિત સાધો, જીવનના ધ્યેયને પામો ને એ રીતે શ્રી જિનશાસનને તથા સદ્ગુરુ
માહાત્મ્યને દીપાવો! સત્પુરુષોના ચરણ સમીપે જેનું જીવન છે તેનું જીવન ધન્ય છે.

PDF/HTML Page 37 of 37
single page version

background image
ATMADHARMA With the permission of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30-24 date 31-10-44
અહો, વીરનાં વચનામૃત!
અહો! ધર્માત્મા જીવને જીવનમાં કરવાનું જો કાંઈ હોય તો આત્મા
અને જ્ઞાનની સંપૂર્ણ એકતા જ કરવી તે જ કરવાનું છે. પહેલાંં રાગથી
ભિન્નતા ને જ્ઞાન સાથે આત્માની એકતાની શ્રદ્ધા કરવી ને પછી જ્ઞાનને
સ્વરૂપમાં સ્થિર કરીને વીતરાગભાવ પ્રગટ કરીને સંપૂર્ણએકતા કરવી એ
સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી–આમાં જ મોક્ષમાર્ગ અથવા ધર્મ–જે
કહો તે આવી જાય છે.
જુઓ, ભાઈ! આત્મસ્વભાવની સમજણ કરવી તે જ અપૂર્વ ચીજ
છે; અનંત કાળમાં બધુંય કર્યું છે પણ પોતાનો આત્મસ્વભાવ શું છે તે
સમજ્યો નથી. આ જીવનમાં એ જ કરવા જેવું છે, એના વગર જીવનમાં
જે કાંઈ કરે તે બધું થોથાં છે–આત્માને સંસારનું કારણ છે. અનંત કાળથી
આત્માની સમજણ કરી નથી તેથી તેને માટે અનંતી દરકાર અને રુચિ
જોઈએ. રુચિ વગર પુરુષાર્થ ઊપડે નહિ. જ્યાં પોતાની રુચિ હોય ત્યાં
વારંવાર પ્રયત્ન કરતાં કંટાળો આવે નહિ. ‘ઝીણો મારો સ્વભાવ, ને ઝીણું
તેનું જ્ઞાન’ એમ સ્વભાવનો મહિમા લાવીને, રુચિથી વારંવાર પ્રયત્ન કરે
તો અલ્પકાળમાં સ્વભાવ સમજાય, અને જન્મમરણના દુઃખોથી છૂટકારો
થાય. પોતાનો સ્વભાવ સમજ્યા સિવાય બીજો કોઈ પણ દુઃખથી
છૂટવાનો ઉપાય નથી.
અહો! જગતના જીવો પોતાના ચૈતન્ય સુખને ભૂલીને
વિષયકષાયમાં સુખ માની રહ્યા છે. પરંતુ પોતાની જે ચૈતન્ય જાત છે–
જ્ઞાન સ્વભાવની મૂડી છે તેની સંભાળ કરવાનો જેને અવકાશ નથી અને
ચૈતન્યલક્ષ્મીને ચૂકીને બહારમાં જડ લક્ષ્મીમાં સુખ માની રહ્યા છે તેવા
જીવોનું જીવન નકામુ ચાલ્યું જશે. પોતાના આખા ચૈતન્ય સ્વભાવની
શ્રદ્ધા કરીને, તેના અનુભવમાં જેમ જેમ જ્ઞાન ઠરતું જાય છે તેમ તેમ
જ્ઞાનની શુદ્ધતા ને વીતરાગતા વધતી જાય છે અને છેવટે પરીપૂર્ણ જ્ઞાન
પ્રગટીને આત્મા ભગવાન્ થાય છે, મુક્ત થાય છે. માટે ચૈતન્ય સ્વભાવી
આત્માની ઓળખાણ કરવી.
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયાં તા. ૩૧–૧૨–૪૮