Page 86 of 655
PDF/HTML Page 141 of 710
single page version
અ. ૧. સૂત્ર ૩૩] [૮૩
એમ સંશય, વિપર્યય અને અનધ્યવસાય અનેક પ્રકારે મિથ્યાજ્ઞાનમાં હોય છે; માટે સત્ અને અસત્નો યથાર્થ ભેદ યથાર્થ સમજી, સ્વચ્છંદે કરવામાં આવતી કલ્પનાઓ અને ઉન્મત્તપણું ટાળવાનું આ સૂત્ર કહે છે. [મિથ્યાત્વને ઉન્મત્તપણું કહ્યું છે કારણ કે મિથ્યાત્વથી અનંત પાપ બંધાય છે તેનો જગતને ખ્યાલ નથી.]।। ૩૨।।
ઋજુસૂત્ર, [शब्द] શબ્દ, [समभिरूढ] સમભિરૂઢ, [एवंभूता] એવંભૂત-એ સાત [नयाः] નયો [Viewpoints] છે.
વસ્તુના અનેક ધર્મોમાંથી કોઈ એકની મુખ્યતા કરી, અન્ય ધર્મોનો વિરોધ કર્યા વગર તેમને ગૌણ કરી સાધ્યને જાણવો તે નય છે.
અર્થ ‘ધર્મ’ થાય છે.] અનેકાંતસ્વરૂપ સમજાવવાની પદ્ધતિને ‘સ્યાદ્ધાદ’ કહેવામાં આવે છે. સ્યાદ્ધાદ ધોતક છે, અનેકાંત ધોત્ય છે. ‘સ્યાત્’ નો અર્થ ‘કથંચિત્’ થાય છે, એટલે કે કોઈ યથાર્થ પ્રકારની વિવક્ષાનું કથન તે સ્યાદ્વાદ. અનેકાંતનો પ્રકાશ કરવા માટે ‘સ્યાત્’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
હેતુ અને વિષયના સામર્થ્યની અપેક્ષાએ પ્રમાણથી નિરૂપણ કરવામાં આવેલા અર્થના એકદેશને કહેવો તે નય છે, તેને ‘સમ્યક્ એકાંત’ પણ કહેવામાં આવે છે. શ્રુતપ્રમાણ સ્વાર્થ અને પરાર્થ બે પ્રકાર છે, તેમાં પરાર્થ શ્રુતપ્રમાણનો અંશ તે નય છે. શાસ્ત્રના ભાવો સમજવા માટે નયોનું સ્વરૂપ સમજવાની જરૂર છે. સાત નયોનું સ્વરૂપ નીચે મુજબ છેઃ- ૧. નૈગમનયઃ– જે ભૂતકાળના પર્યાયમાં વર્તમાનવત્ સંકલ્પ કરે અથવા ભવિષ્યના
(પ્રગટરૂપ) છે અને કંઈક નિષ્પન્ન નથી તેનો નિષ્પન્નરૂપ સંકલ્પ કરે તે
જ્ઞાનને તથા વચનને નૈગમનય કહે છે. [Figurative]
Page 87 of 655
PDF/HTML Page 142 of 710
single page version
૮૪] [મોક્ષશાસ્ત્ર ૨. સંગ્રહનયઃ– જે સમસ્ત વસ્તુઓને તથા સમસ્ત પર્યાયને સંગ્રહરૂપ કરી જાણે તથા
૩. વ્યવહારનયઃ– અનેક પ્રકારના ભેદ કરી વ્યવહાર કરે-ભેદે તે વ્યવહારનય છે.
જેમ સત્ બે પ્રકારે છે-દ્રવ્ય અને ગુણ. દ્રવ્યના છ ભેદ છે-જીવ, પુદ્ગલ,
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. ગુણના બે ભેદ છે-સામાન્ય
અને વિશેષ. આ રીતે જ્યાં સુધી ભેદ થઈ શકે છે ત્યાં સુધી આ નય પ્રવર્તે છે.
૪. ઋજુસૂત્રનયઃ– [ઋજુ એટલે વર્તમાન, હાજર, સરળ] જે જ્ઞાનનો અંશ વર્તમાન
પ. શબ્દનયઃ– જે નય લિંગ, સંખ્યા, કારક આદિના વ્યભિચારને દૂર કરે છે તે
દાર (પુ૦), ભાર્યા (સ્ત્રી૦), કલત્ર (ન૦), એ દાર, ભાર્યા અને કલત્ર ત્રણે
નય સ્ત્રી પદાર્થને લિંગના ભેદથી ત્રણ ભેદરૂપ જાણે છે. [Descriptive]
૬. સમભિરૂઢ નયઃ– (૧) જે જુદાજુદા અર્થોને ઉલ્લંધી એક અર્થને રૂઢિ થી ગ્રહણ કરે
જુદોજુદો અર્થ કરે છે. [Specific]
૭. એવંભૂતનયઃ– જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ છે તે ક્રિયારૂપ પરિણમતા પદાર્થને જે
પૂજારી કહેવો. [Active]
પહેલા ત્રણ ભેદ દ્રવ્યાર્થિકનયના છે, તેને સામાન્ય, ઉત્સર્ગ અથવા અનુવૃત્તિ એવા નામથી પણ કહેવામાં આવે છે.
પાછળના ચાર ભેદ પર્યાયાર્થિકનયના છે, તેને વિશેષ, અપવાદ અથવા વ્યાવૃત્તિ એવા નામથી પણ કહેવામાં આવે છે.
પહેલા ચાર નય અર્થનય છે, પછીના ત્રણ શબ્દ્રનય છે. પર્યાય બે પ્રકારના છે-(૧) સહભાવી-જેને ગુણ કહેવામાં આવે છે;(૨) ક્રમભાવી-જેને પર્યાય કહેવામાં આવે છે.
Page 88 of 655
PDF/HTML Page 143 of 710
single page version
અ. ૧. સૂત્ર ૩૩] [૮પ એક સ્વભાવનું પણ છે. જ્યારે દ્રવ્ય પ્રમાણનો વિષય હોય ત્યારે તેનો અર્થ વસ્તુ (દ્રવ્ય, ગુણ અને ત્રણેકાળના પર્યાયો સહિત) એવા કરવો; નયોના પ્રકરણમાં જ્યારે દ્રવ્યાર્થિક વપરાય ત્યારે ‘સામાન્ય સ્વભાવમય એક સ્વભાવ’ (સામાન્યાત્મક ધર્મ) એવો તેનો અર્થ કરવો.
૧. સત્ અને અસત્ પર્યાયના સ્વરૂપમાં પ્રયોજનવશ પરસ્પર ભેદ ન માની
૩. સત્માં અંતર્ભેદો માનવા તે વ્યવહારનય છે.
આત્માના સંબંધમાં આ સાત નયો નીચેના ચૌદ બોલમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ ઉતારેલા છે તે સાધકને ઉપયોગી હોવાથી અહીં અર્થ સાથે આપવામાં આવે છેઃ-
૨. ઋજુસૂત્રદ્રષ્ટિથી એવંભૂત સ્થિતિ કર. = સાધકદ્રષ્ટિ દ્વારા સાધ્યમાં સ્થિતિ કર.
૩. નૈગમદ્રષ્ટિથી એવંભૂત પ્રાપ્તિ કર. = તું પૂર્ણ છો એવી સંકલ્પદ્રષ્ટિ વડે
પ. સંગ્રહદ્રષ્ટિથી એવંભૂત થા.= ત્રિકાળી સત્ દ્રષ્ટિથી પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ કર.
૬. એવંભૂતદ્રષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર. = નિશ્ચયદ્રષ્ટિથી સત્તાને વિશુદ્ધ કર.
૭. વ્યવહારદ્રષ્ટિથી એવંભૂત પ્રત્યે જા. = ભેદદ્રષ્ટિ છોડીને અભેદ પ્રત્યે જા.
૮. એવંભૂતદ્રષ્ટિથી વ્યવહારનિવૃત્તિ કર. = અભેદદ્રષ્ટિથી ભેદને નિવૃત્ત કર.
Page 89 of 655
PDF/HTML Page 144 of 710
single page version
૮૬] [મોક્ષશાસ્ત્ર
પૂર્ણતા પ્રત્યે જા.
પદાર્થમાં નિર્વિકલ્પ થા.
નિશ્ચયને જો.
પ્રત્યે આરૂઢ સ્થિતિ કર.
૧૪. એવંભૂત સ્થિતિથી એવંભૂતદ્રષ્ટિ શમાવ. = નિશ્ચયસ્થિતિથી નિશ્ચયદ્રષ્ટિના
પ્રશ્નઃ– જો વ્યવહારનય થી એટલે કે વ્યાકરણને અનુસરીને જે પ્રયોગ (અર્થ) થાય છે તેને તમે શબ્દનયથી દૂષિત કહેશો તો લોક અને શાસ્ત્રને વિરોધ આવશે?
ઉત્તરઃ– લોક ન સમજે તેથી વિરોધ ભલે કરે; અહીં યથાર્થ સ્વરૂપ (તત્ત્વ) વિચારવામાં આવે છે-પરીક્ષા કરવામાં આવે છે. ઔષધિ રોગીની ઇચ્છાનુસાર હોતી નથી. (સર્વાર્થસિદ્ધિ પાનું-પ૩૪.) જગત રોગી છે, તેને અનુકૂળ આવે એમ જ્ઞાનીઓ તત્ત્વનું સ્વરૂપ (ઔષધિ) ન કહે, પણ જેમ યથાર્થ સ્વરૂપ હોય તેમ તેઓ કહે. ૩૩.
પ્રશ્ન– આઠમા સૂત્રમાં (પાનું-૪૨) જ્ઞાનના સત્-સંખ્યાદિ આઠ ભેદો જ કેમ કહેવામાં આવ્યા છે, ઓછા કે વધારે કેમ કહ્યા નથી?
ઉત્તરઃ– નીચેના આઠ પ્રકારનો નિષેધ કરવા માટે તે આઠ ભેદો કહેવામાં આવ્યા છે.ઃ-
Page 90 of 655
PDF/HTML Page 145 of 710
single page version
અ. ૧. સૂત્ર ૩૩] [૮૭
Page 91 of 655
PDF/HTML Page 146 of 710
single page version
Page 92 of 655
PDF/HTML Page 147 of 710
single page version
૯૦] [મોક્ષશાસ્ત્ર
પ્રશ્નઃ– સમ્યગ્દર્શનથી ધર્મની શરૂઆત થાય છે એમ જ્ઞાનીઓ કહે છે, તો સમ્યગ્દર્શન વિનાનાં જ્ઞાન અને ચારિત્ર કેવાં હોય?
ઉત્તરઃ– સમ્યગ્દર્શન ન હોય તો અગિયાર અંગનો જ્ઞાતા પણ મિથ્યાજ્ઞાની છે; અને તેનું ચારિત્ર પણ મિથ્યાચારિત્ર છે. અહીં આશય એ છે કે સમ્યગ્દર્શન વિના વ્રત, તપ, જપ, ભક્તિ, પ્રત્યાખ્યાન આદિ જે કાંઈ આચરણ છે તે સર્વે મિથ્યાચારિત્ર છે; માટે સમ્યગ્દર્શન શું છે અને તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે તે જાણવાની જરૂર છે.
પ્રશ્નઃ– સમ્યગ્દર્શન શું છે? તે દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? ઉત્તરઃ– સમ્યગ્દર્શન તે જીવદ્રવ્યના શ્રદ્ધાગુણનો એક નિર્મળ્ા પર્યાય છે. આ જગતમાં છ દ્રવ્યો છે તેમાં એક ચેતનદ્રવ્ય (જીવ) છે, અને પાંચ અચેતન-જડ દ્રવ્યો(પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ) છે. જીવદ્રવ્ય અર્થાત્ આત્મવસ્તુમાં અનંત ગુણો છે, તેમાં એક ગુણ શ્રદ્ધા (માન્યતા-વિશ્વાસ-પ્રતીતિ) છે, તે ગુણની અવસ્થા અનાદિથી ઊંધી છે તેથી જીવને પોતાના સ્વરૂપની ભ્રમણા છે, તે અવસ્થાને મિથ્યાદર્શન કહેવામાં આવે છે; તે શ્રદ્ધાગુણની સવળી (શુદ્ધ) અવસ્થા તે સમ્યગ્દર્શન છે. આ રીતે આત્માના શ્રદ્ધાગુણનો શુદ્ધ પર્યાય સમ્યગ્દર્શન છે.
(૧) શ્રદ્ધાગુણની જે અવસ્થા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય તે સમ્યગ્દર્શન છે.
Page 93 of 655
PDF/HTML Page 148 of 710
single page version
અ. ૧. પરિ. ૧] [૯૧
(૨) સર્વજ્ઞ ભગવાનની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાન તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. [નિશ્ચયસમ્યગ્દર્શન નિમિત્તને, અધૂરા કે વિકારી પર્યાયને, ભંગ-ભેદને કે ગુણભેદને સ્વીકારતું નથી-લક્ષમાં લેતું નથી.]
માત્ર માને છે, પણ તેમના કહેવા મુજબ ચૈતન્ય માત્ર આત્માને માનવો તે સમ્યગ્દર્શન નથી.
(૪) આત્મશ્રદ્ધાન. [પુરુષાર્થસિદ્ધિ ઉપાય ગાથા-૨૧૬]
છહઢાળા-ત્રીજી ઢાળ, ગાથા-૨]
અશુદ્ધપર્યાય, ઊણી શુદ્ધપર્યાય કે ભંગ-ભેદ એ કાંઈ સ્વીકાર્ય નથી. સમ્યગ્દર્શનનો વિષય (લક્ષ્ય) પૂર્ણ જ્ઞાનઘન ત્રિકાળી આત્મા છે. [પર્યાયની અપૂર્ણતા વગેરે સમ્યગ્જ્ઞાનનો વિષય છે.]
(૭) વિશુદ્ધજ્ઞાન-દર્શનસ્વભાવસ્વરૂપ નિજ પરમાત્માની રુચિ તે સમ્યગ્દર્શન. [જયસેનાચાર્ય કૃત ટીકા-હિંદી સમયસાર પાનું-૮]
ટીકાપંચાસ્તિકાય ગાથા-૧૦૭ પાનું-૧૭૦]
(૧) વિપરીત અભિનિવેશ રહિત જીવાદિ તત્ત્વાર્થશ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. [મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૩૧૭-૩૨૦ તથા પુરુષાર્થસિદ્ધિઉપાય ગાથા-૨૨]
(ર) ‘જીવાદિનું શ્રદ્ધાન સમ્યક્ત્વ છે’ એટલે કે જીવાદિ પદાર્થોના યથાર્થ શ્રદ્ધાન સ્વરૂપે આત્માનું પરિણમન તે સમ્યક્ત્વ છે. [સમયસાર ગાથા-૧પપ હિંદી પાનું ૨૨પ, ગુજરાતી પાનું-૨૦૧]
(૩) ભૂતાર્થે જાણેલા પદાર્થોથી શુદ્ધાત્માના જુદાપણાનું સમ્યક્અવલોકન. [જયસેનાચાર્ય કૃત ટીકા-હિંદી સમયસાર પાનું-૨૨૬]
Page 94 of 655
PDF/HTML Page 149 of 710
single page version
૯૨] [મોક્ષશાસ્ત્ર
સમ્યગ્દર્શન હોય, આ રીતે સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શનનું અવિનાભાવીપણું બતાવે છે. આ કથન દ્રવ્યાર્થિકનયે છે.
(૪) પંચાધ્યાયી ભાગ બીજામાં જ્ઞાન અપેક્ષાએ નિશ્ચયસમ્યગ્દર્શનની વ્યાખ્યા ગાથા ૧૮૬ થી ૧૮૯ માં આપી છે, તે કથન પર્યાયાર્થિકનયે છે. તે ગાથામાં નીચે પ્રમાણે કહ્યું છે-
નથી, પરંતુ કેવળ નવતત્ત્વસંબંધી વિકારોને છોડીને નવ તત્ત્વ જ શુદ્ધ છે.
ભાવાર્થઃ– તેથી સિદ્ધ થાય છે કે કેવળ વિકારની ઉપેક્ષા કરવાથી નવ તત્ત્વ જ શુદ્ધ છે, નવતત્ત્વોથી કાંઈ સર્વથા ભિન્ન શુદ્ધત્વ નથી.”
માનવામાં આવ્યું છે, અને તે પણ જીવ-અજીવાદિરૂપ નવ છે; × × × ભાવાર્થઃ- વિકારની ઉપેક્ષા કરતાં શુદ્ધત્વ નવતત્ત્વોથી અભિન્ન છે. તેથી સૂત્રકારે [તત્ત્વાર્થસૂત્રમાં] નવતત્ત્વોના યથાર્થ શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે. × × ×.”
અને મોક્ષ એ સાત તત્ત્વોનાં નામ આપ્યાં છે.
કહેવામાં આવે છે અને તે નવ પદાર્થ, ભૂતાર્થને આશ્રયે. સમ્યગ્દર્શનનો વાસ્તવિક વિષય છે.
ભાવાર્થઃ– તથા પુણ્ય અને પાપની સાથે એ સાત તત્ત્વ જ નવ પદાર્થ કહેવાય છે, અને તે નવ પદાર્થ યથાર્થપણાને આશ્રયે સમ્યગ્દર્શનનો યથાર્થ વિષય છે.”
વિષય પોતાનો અખંડ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરિપૂર્ણ આત્મા છે-તે બાબત ઉપર જણાવી છે.
(પ) “શુદ્ધ ચેતના એક પ્રકારની છે કેમકે શુદ્ધનો એક પ્રકાર છે. શુદ્ધ ચેતનામાં શુદ્ધતાની ઉપલબ્ધિ થાય છે તેથી તે શુદ્ધરૂપ છે અને તે જ્ઞાનરૂપ છે તેથી તે જ્ઞાનચેતના છે.” [પંચાધ્યાયી અ. ર, ગાથા-૧૯૪.]
“બધા સમ્યગ્દ્રષ્ટિઓને આ જ્ઞાનચેતના પ્રવાહરૂપથી અથવા અખંડ એકધારારૂપ રહે છે. [પંચાધ્યાયી અ. ર. ગાથા-૮પ૧.]
(૬) જ્ઞેય-જ્ઞાતૃતત્ત્વની યથાવત્ પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યગ્દર્શનપર્યાય. [પ્રવચનસાર અધ્યાય ૩ ગાથા-૪૨. શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ટીકા પાનું-૩૩પ.]
Page 95 of 655
PDF/HTML Page 150 of 710
single page version
અ. ૧. પરિ. ૧] [૯૩
(૭) આત્માને આત્માથી જાણતો જીવ તે નિશ્ચયસમ્યગ્દ્રષ્ટિ છે. [પરમાત્મપ્રકાશ ગાથા-૮૨]
(૧) “ જ્ઞાનચેતનામાં ‘જ્ઞાન’ શબ્દથી જ્ઞાનમય હોવાના કારણે શુદ્ધાત્માનું ગ્રહણ છે અને તે શુદ્ધાત્મા જે-દ્વારા અનુભૂત થાય તેને જ્ઞાનચેતના કહે છે.” [પંચાધ્યાયી અ. ર. ગાથા ૧૯૬-ભાવાર્થ]
(ર) “તેનો ખુલાસો એ છે કે-આત્માનો જ્ઞાનગુણ સમ્યક્ત્વયુક્ત થતાં આત્મસ્વરૂપની જે ઉપલબ્ધિ થાય છે તેને જ્ઞાનચેતના કહે છે.” [પંચાધ્યાયી ગાથા-૧૯૭]
છે તેને સમ્યગ્દર્શનનું બાહ્ય લક્ષણ જાણવું કેમકે સમ્યગ્જ્ઞાન અને અનુભવની સાથે સમ્યગ્દર્શન અવિનાભાવી હોવાથી તે સમ્યગ્દર્શનને અનુમાનથી સિદ્ધ કરે છે. એ અપેક્ષાએ તેને વ્યવહારકથન કહેવામાં આવે છે, અને દર્શન (શ્રદ્ધા) ગુણ અપેક્ષાએ જે કથન છે તેને નિશ્ચયકથન કહેવામાં આવે છે.
(પ) દર્શનનું નિશ્ચય સ્વરૂપ એવું છે કે-ભગવાન પરમાત્મસ્વભાવના અતીન્દ્રિય સુખની રુચિ કરવાવાળા જીવમાં શુદ્ધ અંતરંગ આત્મિક તત્ત્વના આનંદને ઊપજવાનું ધામ એવા શુદ્ધ જીવાસ્તિકાયનું (પોતાના જીવસ્વરૂપનું) પરમ શ્રદ્ધાન, દ્રઢ પ્રતીતિ અને સાચો નિશ્ચય એ જ દર્શન છે. (આ વ્યાખ્યા સુખગુણની મુખ્યતાથી છે.)
દર્શન-જ્ઞાન-ચારિત્ર સંબંધી અનેકાન્ત સ્વરૂપ સમજવા લાયક હોવાથી અહીં કહેવામાં આવે છે.
Page 96 of 655
PDF/HTML Page 151 of 710
single page version
૯૪] [મોક્ષશાસ્ત્ર
(૧) સમ્યગ્દર્શન–તમામ સમ્યગ્દ્રષ્ટિઓને એટલે ચોથા ગુણસ્થાનકથી સિદ્ધ સુધી બધાને એકસરખું છે. એટલે કે શુદ્ધાત્માની માન્યતા તે બધાને એકસરખી છે- માન્યતામાં કાંઈ ફેરફાર નથી.
(ર) સમ્યગ્જ્ઞાન–તમામ સમ્યગ્દ્રષ્ટિઓને સમ્યક્પણાની અપેક્ષાએ જ્ઞાન એક જાતનું છે, પણ જ્ઞાન કોઈને હીન, કોઈને અધિક હોય છે. તેરમે ગુણસ્થાનથી સિદ્ધ સુધીનું જ્ઞાન સંપૂર્ણ હોવાથી સર્વ વસ્તુઓને યુગપત્ જાણે છે. નીચેના ગુણસ્થાનોમાં [ચારથી બાર સુધીમાં] જ્ઞાન ક્રમેક્રમે થાય છે અને ત્યાં જોકે જ્ઞાન સમ્યક્ છે તોપણ ઓછું-વધતું છે, તે અવસ્થામાં જે જ્ઞાન ઉઘાડરૂપ નથી તે અભાવરૂપ છે; આ રીતે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનમાં તફાવત છે.
(૩) સમ્યક્ચારિત્ર– તમામ સમ્યગ્દ્રષ્ટિઓને જે કાંઈ ચારિત્ર પ્રગટયું હોય તે સમ્યક્ છે, અને દસમા ગુણસ્થાન સુધી જે પ્રગટયું નથી તે વિભાવરૂપ છે. તેરમા ગુણસ્થાને અનુજીવી યોગગુણ કંપનરૂપ હોવાથી વિભાવરૂપ છે, અને ત્યાં પ્રતિજીવી ગુણો બિલકુલ પ્રગટ નથી. ચૌદમા ગુણસ્થાને પણ ઉપાદાનની કચાશ છે તેથી ત્યાં ઔદયિકભાવ છે.
(૪) જ્યાં સમ્યગ્દર્શન છે ત્યાં સમ્યગ્જ્ઞાન અને સ્વરૂપાચરણચારિત્રનો અંશ અભેદરૂપ હોય છે અને ઉપર કહ્યા પ્રમાણે દર્શનગુણથી જ્ઞાનગુણનું જુદાપણું અને તે બન્ને ગુણથી ચારિત્રગુણનું જુદાપણું સિદ્ધ થયું, એ રીતે અનેકાંત સ્વરૂપ થયું.
(પ) આ ભેદ પર્યાયાર્થિકનયથી છે, દ્રવ્ય અખંડ હોવાથી દ્રવ્યાર્થિકનયે બધા ગુણો અભેદ-અખંડ છે એમ સમજવું.
(૧) અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, પરમાત્મસ્વરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે દેખાય છે-[અર્થાત્ શ્રદ્ધાય છે] અને જણાય છે, તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. નયોના પક્ષપાત છોડીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ ‘સમ્યગ્દર્શન’ અને ‘સમ્યગ્જ્ઞાન’ એવાં નામ પામે છે. સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન કાંઈ અનુભવથી જુદાં નથી. [ગુજરાતી સમયસાર ગાથા-૧૪૪ ટીકા-ભાવાર્થ, પાનું-૧૮૪]
Page 97 of 655
PDF/HTML Page 152 of 710
single page version
અ. ૧. પરિ. ૧] [૯પ
અર્થઃ– પોતાના સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને અનુભવ વર્તે અને પોતાના ભાવમાં પોતાની વૃતિ વહે તે પરમાર્થસમ્યક્ત્વ છે.
નિશ્ચયસમ્યગ્દર્શનનું ચારિત્રના ભેદઅપેક્ષાએ કથન
નિશ્ચયસમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાનકથી શરૂ થાય છે, ચોથા અને પાંચમા ગુણસ્થાનકે ચારિત્રમાં મુખ્યપણે રાગ હોય છે તેથી તેને ‘સરાગસમ્યકત્વ’ કહેવાય છે. છઠ્ઠાગુણસ્થાનકે ચારિત્રમાં રાગ ગૌણ છે અને પછીનાં ગુણસ્થાનોમાં તે ટળતાં ટળતાં છેવટે સંપૂર્ણ વીતરાગચારિત્ર થાય છે તેથી છઠ્ઠા ગુણસ્થાનકથી ‘વીતરાગસમ્યક્ત્વ’ કહેવાય છે.
પ્રશ્નઃ– મિથ્યાત્વ અને અનંતાનુબંધીના નિમિત્તે થતા વિપરીત અભિનિવેશ રહિત જે શ્રદ્ધા છે તે નિશ્ચયસમ્યકત્વ છે કે વ્યવહારસમ્યકત્વ છે?
ઉત્તરઃ– તે નિશ્ચયસમ્યકત્વ છે, વ્યવહારસમ્યકત્વ નથી. પ્રશ્નઃ– પંચાસ્તિકાયની ગાથા ૧૦૭ની સંસ્કૃત ટીકામાં તેને વ્યવહારસમ્યકત્વ કહ્યું છે?
विपरिताभिनिवेश रहितं श्रद्धानंः અહીં ‘श्रद्धानं’ કહીને શ્રદ્ધાનની ઓળખાણ આપી છે, પણ તેને વ્યવહારસમ્યકત્વ કહ્યું નથી. વ્યવહાર અને નિશ્ચયસમ્યકત્વની વ્યાખ્યા તો ગાથા ૧૦૭માં કહેલ ‘भावाणं’ શબ્દના અર્થમાં કહી છે.
પ્રશ્નઃ– ‘અધ્યાત્મ કમલમાર્તંડ’ની ૭મી ગાથામાં તેને વ્યવહારસમ્યકત્વ કહ્યું છે એ ખરું?
ઉત્તરઃ– ના, ત્યાં નિશ્ચયસમ્યકત્વની વ્યાખ્યા છે; દ્રવ્યકર્મના ઉપશમ, ક્ષય વગેરેનાં નિમિત્તથી સમ્યકત્વ પેદા થાય છે- એમ નિશ્ચયસમ્યકત્વની વ્યાખ્યા કરવી તે વ્યવહારનયથી છે કેમકે તે વ્યાખ્યા પરદ્રવ્યની અપેક્ષાએ કહી છે. પોતાના પુરુષાર્થથી નિશ્ચયસમ્યકત્વ
Page 98 of 655
PDF/HTML Page 153 of 710
single page version
૯૬] [મોક્ષશાસ્ત્ર પ્રગટે છે એ નિશ્ચયનયનું કથન છે. હિંદીમાં જે ‘વ્યવહારસમ્યકત્વ’ એવો અર્થ ભર્યો છે તે મૂળ ગાથા સાથે બંધ બેસતો નથી. (૧૦)
(૧) પાંચ અસ્તિકાય, છ દ્રવ્યો તથા જીવ-પુદ્ગલના સંયોગી પરિણામોથી ઉત્પન્ન આસ્રવ, બંધ, પુણ્ય, પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ એ રીતે નવ પદાર્થોના વિકલ્પરૂપ વ્યવહારસમ્યકત્વ છે.
(ર) જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વોની જેમ છે તેમ યથાર્થ અટળ શ્રદ્ધા કરવી તે વ્યવહારસમ્યગ્દર્શન છે.
(૩) પ્રશ્નઃ– વ્યવહારસમ્યગ્દર્શન નિશ્ચયસમ્યગ્દર્શનનું સાધક છે? ઉત્તરઃ– પ્રથમ નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે વિકલ્પરૂપ વ્યવહારસમ્યગ્દર્શનનો અભાવ થાય છે. તેથી તે (વ્યવહાર સમ્યગ્દર્શન) ખરેખર નિશ્ચય સમ્યગ્દર્શનનું સાધક નથી, તોપણ તેને ભૂતનૈગમનયથી સાધક કહેવામાં આવે છે, એટલે કે પૂર્વે જે વ્યવહારસમ્યગ્દર્શન હતું તે નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ થતી વખતે અભાવરૂપ થાય છે, તેથી જ્યારે તેનો અભાવ થાય છે ત્યારે પૂર્વેની વિકલ્પ સહિતની શ્રદ્ધાને વ્યવહારસમ્યગ્દર્શન કહેવામાં આવે છે. (પરમાત્મપ્રકાશ ગાથા-૧૪૦ પાનું-૧૪૩ આવૃત્તિ પહેલી, સંસ્કૃત ટીકા) આ રીતે વ્યવહારસમ્યગ્દર્શન તે નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ નથી, પણ તેનો અભાવ તે કારણ છે.
દ્રવ્યલિંગી મુનિને આત્મજ્ઞાનશૂન્ય આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન અને સંયમભાવની એકતા પણ કાર્યકારી નથી. [જુઓ, મોક્ષમાર્ગપ્રકાશક પાનું ૨૩૭- ૨૩૮-૨૪૧] અહીં જે ‘તત્ત્વાર્થશ્રદ્ધાન’ શબ્દ વાપર્યો છે તે ભાવનિક્ષેપે નથી પણ નામનિક્ષેપે છે.
‘જેને સ્વ-પરનું યથાર્થ શ્રદ્ધાન નથી પણ વીતરાગે કહેલા દેવ, ગુરુ, અને ધર્મ એ ત્રણેને માને છે તથા અન્યમતમાં કહેલાં દેવાદિ તથા તત્ત્વાદિને માને નહિ-તો એવા કેવળ વ્યવહારસમ્યક્ત્વ વડે તે નિશ્ચયસમ્યક્ત્વી નામ પામે નહિ.’ [મોક્ષમાર્ગ પ્રકાશક પાનું-૩૪૩] તેને ગૃહીત મિથ્યાત્વ ટળ્યું છે એ અપેક્ષાએ વ્યવહારસમ્યક્ત્વ
Page 99 of 655
PDF/HTML Page 154 of 710
single page version
અ. ૧. પરિ. ૧] [૯૭ થયું છે એમ કહેવાય છે; પણ તેને અગૃહીત મિથ્યાદર્શન છે માટે ખરી રીતે તેને વ્યવહારાભાસ સમ્યગ્દર્શન છે.
મિથ્યાદ્રષ્ટિ જીવને દેવ-ગુરુ-ધર્માદિનું શ્રદ્ધાન આભાસ માત્ર હોય છે, તેના શ્રદ્ધાનમાંથી વિપરીતાભિનિવેશનો અભાવ થયો નથી; વળી તેને વ્યવહારસમ્યક્ત્વ આભાસમાત્ર છે તેથી તેને જે દેવ-ગુરુ ધર્મ, નવ તત્ત્વાદિનું શ્રદ્ધાન છે તે વિપરીતાભિનિવેશના અભાવ માટે કારણ ન થયું, અને કારણ થયા વિના તેમાં [સમ્યગ્દર્શનનો] ઉપચાર સંભવતો નથી; તેથી તેને વ્યવહારસમ્યગ્દર્શન પણ સંભવતું નથી, તેને વ્યવહારસમ્યક્ત્વ માત્ર નામનિક્ષેપથી કહેવામાં આવે છે.
(૧૨)
ઉત્તરઃ– આત્મા અને પર દ્રવ્યો તદ્ન જુદાં છે, એકનો બીજામાં અત્યંત અભાવ છે. એક દ્રવ્ય, તેના કોઈ ગુણ કે તેના કોઈ પર્યાય બીજા દ્રવ્યમાં, તેના ગુણમાં કે તેના પર્યાયમાં પ્રવેશ કરી શકતાં નથી; માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ એવી વસ્તુસ્થિતિની મર્યાદા છે. વળી દરેક દ્રવ્યમાં અગુરુલધુત્વગુણ છે કેમકે તે સામાન્યગુણ છે. તે ગુણને લીધે કોઈ કોઈનું કરી શકે નહિ. તેથી આત્મા પરદ્રવ્યનું કાંઇ કરી શકે નહિ, શરીરને હલાવી ચલાવી શકે નહિ, દ્રવ્યકર્મો કે કોઇ પણ પરદ્રવ્ય જીવને કદી નુકસાન કરી શકે નહિ, આ પ્રથમ નક્કી કરવું આ પ્રમાણે નક્કી કરવાથી જગતના પર પદાર્થોના કર્તાપણાનું જે અભિમાન આત્માને અનાદિથી ચાલ્યું આવે છે તે, માન્યતામાંથી [અભિપ્રાયમાંથી] અને જ્ઞાનમાંથી ટળી જાય છે.
શાસ્ત્રોમાં દ્રવ્યકર્મો જીવના ગુણોનો ઘાત કરે છે એવું કથન આવે છે તેથી તે કર્મોનો ઉદય જીવના ગુણોનો ખરેખર ઘાત કરે છે એમ ઘણા માને છે અને તેનો તેવો અર્થ કરે છે; પણ તે અર્થ ખરો નથી, કેમકે તે કથન વ્યવહારનયનું છે-માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવનારું તે કથન છે. તેનો ખરો અર્થ એવો થાય છે કે-જ્યારે જીવ પોતાના પુરુષાર્થના દોષ વડે પોતાના પર્યાયમાં વિકાર કરે છે-અર્થાત્ પોતાના પર્યાયનો ઘાત કરે છે ત્યારે તે ઘાતમાં અનુકૂળ નિમિત્તરૂપ જે દ્રવ્યકર્મ આત્મપ્રદેશોથી ખરવા તૈયાર
Page 100 of 655
PDF/HTML Page 155 of 710
single page version
૯૮] [મોક્ષશાસ્ત્ર થયું છે તેને ‘ઉદય’ કહેવાનો ઉપચાર છે એટલે કે તે કર્મપર નિમિત્તનો આરોપ આવે છે. અને જો જીવ પોતે પોતાના સત્ય પુરુષાર્થ વડે વિકાર કરતો નથી-પોતાના પર્યાયનો ઘાત કરતો નથી તો દ્રવ્યકર્મોના તે જ સમૂહને ‘નિર્જરા’ નામ આપવામાં આવે છે. આ રીતે નિમિત્ત-નૈમિત્તિકસંબંધનું જ્ઞાન કરવા પૂરતો તે વ્યવહારકથનનો અર્થ થાય છે. જો બીજી રીતે (શબ્દો પ્રમાણે) અર્થ કરવામાં આવે તો સંબંધને બદલે કર્તાકર્મનો સંબંધ માનવા બરાબર થાય છે; અર્થાત્ ઉપાદાનનિમિત્ત, નિશ્ચય-વ્યવહાર એકરૂપ થઈ જાય છે; અથવા તો એક બાજુ જીવદ્રવ્ય અને બીજી બાજુએ અનંત પુદ્ગલ દ્રવ્યો (કર્મો)-તે અનંત દ્રવ્યોએ મળી જીવમાં વિકાર કર્યો એમ તેનો અર્થ થઈ જાય છે-કે જે બની શકે નહિ. આ નિમિત્ત-નૈમિત્તિકસંબંધ બતાવવા કર્મના ઉદયે જીવને અસર કરી-નુકસાન કર્યું -પરિણમાવ્યો વગેરે પ્રકારે ઉપચારથી કહેવાય છે, પણ તેનો જો તે શબ્દ પ્રમાણે જ અર્થ કરવામાં આવે તો તે ખોટો છે.
ટીકા]
આ રીતે સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે પહેલાં તો સ્વદ્રવ્ય-પરદ્રવ્યની ભિન્નતા નક્કી કરવી, પછી શું કરવું તે હવે કહેવાય છે.
સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતા નક્કી કરી, પરદ્રવ્યો ઉપરનું લક્ષ છોડી સ્વદ્રવ્યના વિચારમાં આવવું, ત્યાં આત્મામાં બે પડખાં છે તે જાણવાં. એક પડખું- આત્માનું દરેક સમયે ત્રિકાળી અખંડ પરિપૂર્ણ ચૈતન્યસ્વભાવરૂપપણું દ્રવ્યે-ગુણે-પર્યાયે (વર્તમાન પર્યાયને ગૌણ કરતાં) છે, આત્માનું આ પડખું ‘નિશ્ચયનયનો વિષય છે. આ પડખાંને નક્કી કરનાર જ્ઞાનનું પડખું તે ‘નિશ્ચયનય’ છે.
બીજું પડખું-વર્તમાન પર્યાયમાં દોષ છે-વિકાર છે, તે નક્કી કરવું. આ પડખું વ્યવહારનયનો વિષય છે. આમ બે નયદ્વારા આત્માનાં બન્ને પડખાંને નક્કી કર્યા પછી, વિકારી પર્યાય ઉપરનું વલણ-લક્ષ છોડીને પોતાના ત્રિકાળી ચૈતન્યસ્વરૂપ તરફ વળવું. એ રીતે ત્રિકાળી દ્રવ્ય તરફ વળતાં-તે ત્રિકાળી નિત્ય પડખું હોવાથી -તેને આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટે છે.
જોકે નિશ્ચયનય અને સમ્યગ્દર્શન એ બન્ને જુદા જુદા ગુણોના પર્યાય છે તોપણ તે બન્નેનો વિષય એક છે-અર્થાત્ તે બન્નેનો વિષય એક અખંડ, શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યસ્વરૂપ આત્મા છે, તેને બીજા શબ્દોમાં ‘ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ’ કહેવામાં આવે
Page 101 of 655
PDF/HTML Page 156 of 710
single page version
અ. ૧. પરિ. ૧] [૯૯ છે. સમ્યગ્દર્શન કોઈ પરદ્રવ્ય, દેવ-ગુરુ-શાસ્ત્ર, નિમિત્ત, પર્યાય, ગુણભેદ કે ભંગ વગેરેને સ્વીકારતું નથી, કેમકે તેનો વિષય ઉપર કહ્યા મુજબ ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ આત્મા છે. (૧૩)
નિર્વિકલ્પ અનુભવની શરૂઆત ચોથા ગુણસ્થાનથી જ થાય છે, પરંતુ ચોથા ગુણસ્થાને તે ઘણા કાળના અંતરાળે થાય છે, અને ઉપરનાં ગુણસ્થાનોએ શીઘ્ર-શીઘ્ર થાય છે. નીચેના અને ઉપરનાં ગુણસ્થાનોની નિર્વિકલ્પતાનાં ભેદ એ છે કે પરિણામોની મગ્નતા ઉપરનાં ગુણસ્થાનોમાં વિશેષ છે. [ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશક સાથેની ચિઠ્ઠી પાનું-૩૪૯]
સમ્યક્ત્વ પર્યાય હોવા છતાં ગુણ કેમ કહેવાય છે?
પ્રશ્નઃ– સમ્યગ્દર્શન તો પર્યાય છે છતાં કોઈ કોઈ ઠેકાણે તેને સમ્યકત્વ ગુણ કેમ કહે છે?
ઉત્તરઃ– ખરી રીતે સમ્યગ્દર્શન પર્યાય છે, પણ જેવો ગુણ છે તેવો જ તેનો પર્યાય પ્રગટયો છે-એમ ગુણ-પર્યાયનું અભેદપણું બતાવવા તેને સમ્યકત્વ ગુણ પણ કોઈ કોઈ ઠેકાણે કહેવામાં આવે છે; પણ ખરી રીતે સમ્યકત્વ તે પર્યાય છે-ગુણ નથી. ગુણ હોય તે ત્રિકાળ રહે છે. સમ્યકત્વ ત્રિકાળ નથી પણ તે તો જીવ પોતાના સત્ય પુરુષાર્થથી પ્રગટ કરે છે ત્યારે થાય છે, માટે તે પર્યાય છે.
પશ્નઃ– છદ્મસ્થને સમ્યગ્દર્શન હોય છે અને કેવળી તથા સિદ્ધ ભગવાનને સમ્યગ્દર્શન હોય છે, તે બન્નેને સમાન હોય છે કે અસમાન હોય છે?
ઉત્તરઃ– જેમ છદ્મસ્થ (અપૂર્ણ) જીવને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી ભગવાન અને સિદ્ધ ભગવાનને કેવળજ્ઞાન અનુસાર જ પ્રતીતિ હોય છે. જેવું તત્ત્વશ્રદ્ધાન છદ્મસ્થને હોય છે તેવું જ કેવળી-સિદ્ધ ભગવાનને પણ હોય છે, માટે જ્ઞાનાદિકની હીનતાઅધિકતા હોવા છતાં પણ તિર્યંચાદિકને તથા કેવળી અને સિદ્ધ ભગવાનને સમ્યગ્દર્શન તો સમાન જ છે; કેમકે જેવી આત્મસ્વરૂપની શ્રદ્ધા સમ્યગ્દ્રષ્ટિને છે તેવી જ કેવળી ભગવાનને છે. ચોથા ગુણસ્થાને શુદ્ધ આત્માની શ્રદ્ધા એક પ્રકારની
Page 102 of 655
PDF/HTML Page 157 of 710
single page version
૧૦૦] [મોક્ષશાસ્ત્ર હોય અને કેવળી થતાં જુદા પ્રકારની થાય એમ બને નહિ; જો બને તો ચોથા ગુણસ્થાને જે શ્રદ્ધા છે તે ખરી ઠરે નહિ પણ મિથ્યા ઠરે.
(૧૬)
પ્રશ્નઃ– જો બધા સમ્યગ્દ્રષ્ટિઓનું સમ્યગ્દર્શન સમાન છે તો આત્માનુશાસનની ૧૧મી ગાથામાં સમ્યગ્દર્શનના દશ પ્રકારના ભેદ કેમ કહેવામાં આવ્યા છે?
ઉત્તરઃ– સમ્યગ્દર્શનના એ ભેદો નિમિત્તાદિની અપેક્ષાએ કહેવામાં આવ્યા છે. આત્માનુશાસનમાં દશ પ્રકારે સમ્યક્ત્વના ભેદ કહ્યા છે તેમાં આઠ ભેદ સમ્યગ્દર્શન પ્રગટ થવા પહેલાં જે નિમિત્તો હોય છે તે નિમિત્તોનું જ્ઞાન કરાવવા માટે કહ્યા છે, અને બે ભેદ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષાએ કહ્યા છે. શ્રુતકેવળીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને અવગાઢ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે, અને કેવળી ભગવાનને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને પરમ અવગાઢ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે; એ રીતે આઠ ભેદ નિમિત્તોની અપેક્ષાએ અને બે ભેદ જ્ઞાનની અપેક્ષાએ છે. ‘દર્શન’ ની પોતાની અપેક્ષાએ તે ભેદો નથી. તે દશે પ્રકારમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ એક જ પ્રકારે હોય છે-એમ જાણવું.
પ્રશ્નઃ– જો ચોથા ગુણસ્થાનથી તે સિદ્ધ ભગવાન સુધી બધા સમ્યગ્દ્રષ્ટિઓને સમ્યગ્દર્શન સરખું છે તો કેવળી ભગવાનને પરમ અવગાઢ સમ્યગ્દર્શન કેમ કહ્યું?
ઉત્તરઃ– જેમ છદ્મસ્થને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી અને સિદ્ધ ભગવાનને કેવળજ્ઞાન અનુસાર જ પ્રતીતિ હોય છે. સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાને પ્રગટતાં જે આત્મસ્વરૂપ નિર્ણીત કર્યું હતું તે જ કેવળજ્ઞાન વડે જાણ્યું એટલે ત્યાં પ્રતીતિમાં પરમ અવગાઢપણું થયું, તેથી જ ત્યાં પરમ અવગાઢ સમ્યક્ત્વ કહ્યું છે. પણ પૂર્વે જે શ્રદ્ધાન કર્યું હતું તેને જો કેવળજ્ઞાનમાં જૂઠું જાણ્યું હોત તો તો છદ્મસ્થની શ્રદ્ધા અપ્રતીતિરૂપ ગણાત; પરંતુ આત્મસ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસ્થને હોય છે તેવું જ કેવળી અને સિદ્ધ ભગવાનને પણ હોય છે-એટલે કે મૂળભૂત જીવાદિના સ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસ્થને હોય છે તેવું જ કેવળીને પણ હોય છે.
ઔપશમિક સમ્યક્ત્વ વર્તમાનમાં ક્ષાયિકવત્ નિર્મળ છે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વમાં
Page 103 of 655
PDF/HTML Page 158 of 710
single page version
અ. ૧. પરિ. ૧] [૧૦૧ સમલ તત્ત્વાર્થશ્રદ્ધાન થાય છે. અહીં જે મલપણું છે તેનું તારતમ્યસ્વરૂપ કેવળજ્ઞાનગમ્ય છે. આ અપેક્ષાએ તે સમ્યક્ત્વ નિર્મળ નથી. અત્યંત નિર્મળ તત્ત્વાર્થશ્રદ્ધાન થાય તે ક્ષાયિક સમ્યગ્દર્શન છે. [મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૩૩પ-૩૩૬-૩૪૬]
આ બધાં સમ્યક્ત્વમાં જ્ઞાનાદિકની હીનતા-અધિકતા હોવા છતાં પણ તુચ્છ તિર્યંચાદિકને તથા કેવળી ભગવાનને અને સિદ્ધ ભગવાનને સમ્યક્ત્વ ગુણ તો સમાન જ કહ્યો છે, કારણ કે બધાને પોતાના આત્માની અથવા તો સાત તત્ત્વોની સમાન માન્યતા છે.[મોક્ષમાર્ગ પ્રકાશક પાનું-૩૨૩]
સમ્યગ્દ્રષ્ટિને વ્યવહારસમ્યક્ત્વમાં નિશ્ચયસમ્યક્ત્વ ગર્ભિત છે-નિરંતર ગમન (પરિણમન) રૂપ છે.[મોક્ષમાર્ગ પ્રકાશક પાનું-૩પ૦]
૧- સમલ અગાઢ, ર-નિર્મળ, ૩-ગાઢ, ૪-અવગાઢ અને પ-પરમ અવગાઢ. વેદક સમ્યક્ત્વ સમલ અગાઢ છે, ઔપશમિક અને ક્ષાયિક્ સમ્યક્ત્વ નિર્મળ છે, ક્ષાયિક સમ્યક્ત્વ ગાઢ છે. અંગ અને અંગબાહ્ય સહિત જૈનશાસ્ત્રોના અવગાહન વડે નીપજેલી દ્રષ્ટિ તે અવગાઢ સમ્યક્ત્વ છે; શ્રુતકેવળીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને અવગાઢ સમ્યક્ત્વ કહે છે. પરમાવધિ જ્ઞાનીને અને કેવળજ્ઞાનીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને પરમાવગાઢ સમ્યક્ત્વ કહે છે. આ બે ભેદ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષાએ છે.
સંસ્કૃત ટીકા]
Page 104 of 655
PDF/HTML Page 159 of 710
single page version
૧૦૨] [મોક્ષશાસ્ત્ર
ઉત્તરઃ– ચોથા ગુણસ્થાને ભાવશ્રુતજ્ઞાન હોય છે તે જ્ઞાન વડે પોતાને સમ્યગ્દર્શન પ્રગટયાની સમ્યગ્દ્રષ્ટિને ખબર પડે છે. જો તે જ્ઞાન વડે ખબર ન પડે એમ માનીએ તો તે શ્રુતજ્ઞાનને સમ્યક્ [યથાર્થ] કેમ કહી શકાય? જો પોતાને પોતાના સમ્યગ્દર્શનની ખબર ન પડતી હોય તો તેનામાં અને મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાનીમાં કાંઈ ફેર પડયો નહિ!
પશ્નઃ– અહીં તમે સમ્યગ્દર્શનને શ્રુતજ્ઞાન દ્વારા જણાય એમ કહ્યું છે, પણ પંચાધ્યાયી અધ્યાય ર માં તેને અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાનગોચર કહ્યું છે-તે ગાથાઓ નીચે પ્રમાણે છેઃ-
गोचरं स्वावधिस्वान्तः पर्ययज्ञानयोर्द्वयोः।। ३७५।।
અને મનઃપર્યય એ બન્ને ગોચર છે;] અને અધ્યાય ર ગાથા ૩૭૬ માં, તે મતિ અને શ્રુતજ્ઞાનગોચર નથી-એમ કહ્યું છે; અને અહીં તમે સમ્યગ્દર્શન શ્રુતજ્ઞાનગોચર છે એમ કહો છો તેનો શું ખુલાસો છે?
ઉત્તરઃ– સમ્યગ્દર્શન તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનગોચર નથી એમ જે ૩૭૬ મી ગાથામાં કહ્યું છે તેનો અર્થ એટલો છે કે-સમ્યગ્દર્શન તે-તે જ્ઞાનનો પ્રત્યક્ષ વિષય નથી એમ સમજવું; પણ તે-તે જ્ઞાનથી સમ્યગ્દર્શન કોઈ પ્રકારે જાણી ન જ શકાય એમ કહેવાનો હેતુ નથી. આ બાબતમાં પંચાધ્યાયી અ. ર ની ૩૭૧ અને ૩૭૩ ગાથા નીચે પ્રમાણે છેઃ-
वैषयिके सुखे ज्ञाने रागद्वेषौ परित्यजेत्।। ३७१।।
અર્થઃ– એવી રીતે તત્ત્વોના જાણવાવાળા સ્વાત્મદર્શી સમ્યગ્દ્રષ્ટિ જીવ ઇન્દ્રિયજન્ય સુખ અને જ્ઞાનમાં રાગદ્વેષને છોડે છે.
અર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવનું બીજું લક્ષણ પણ છે કે-સમ્યક્ત્વનાં અવિનાભાવી લક્ષણો દ્વારા સમ્યગ્દ્રષ્ટિ જીવ લક્ષિત થાય છે.
Page 105 of 655
PDF/HTML Page 160 of 710
single page version
અ. ૧. પરિ. ૧] [૧૦૩
અર્થઃ– જેમ ઉપર કહ્યું તે રીતે સમ્યગ્દ્રષ્ટિને ઇન્દ્રિયજન્ય સુખ અને જ્ઞાનનો આદર નથી તેમ જ, આત્મપ્રત્યક્ષ હોવાને લીધે સર્વ કર્મોનો પણ આદર નથી.
ગાથા ૩૭પ-૩૭૬ નો એટલો જ અર્થ છે કે-સમ્યગ્દર્શન તે કેવળજ્ઞાનાદિનો પ્રત્યક્ષ વિષય છે અને મતિ-શ્રુતજ્ઞાનનો તે પ્રત્યક્ષ વિષય નથી. પરંતુ મતિ- શ્રુતજ્ઞાનમાં તે તેનાં લક્ષણો દ્વારા જાણી શકાય છે. અને કેવળજ્ઞાનાદિ જ્ઞાનમાં લક્ષણ-લક્ષ્યનો ભેદ પાડયા સિવાય પ્રત્યક્ષ જાણી શકાય છે.
પશ્નઃ– આ વિષયને દ્રષ્ટાંતપૂર્વક સમજાવો. ઉત્તરઃ– સ્વાનુભવદશામાં આત્માને જાણવામાં આવે છે તે શ્રુતજ્ઞાન વડે જાણવામાં આવે છે. શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે, તે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન પરોક્ષ છે તેથી ત્યાં આત્માનું જાણવું પ્રત્યક્ષ હોતું નથી. અહીં આત્માને જે સારી રીતે સ્પષ્ટ જાણે છે તેમાં પારમાર્થિક પ્રત્યક્ષપણું નથી તથા જેમ પુદ્ગલ પદાર્થ નેત્રાદિ દ્વારા જાણવામાં આવે છે તેમ એકદેશ (અંશે) નિર્મળતાપૂર્વક પણ આત્માના અસંખ્યાત પ્રદેશાદિ જાણવામાં આવતા નથી, તેથી સાંવ્યવહારિક પ્રત્યક્ષ પણ નથી.
અનુભવમાં આત્મા તો પરોક્ષ જ છે, કાંઈ આત્માના પ્રદેશોનો આકાર ભાસતો નથી પરંતુ સ્વરૂપમાં પરિણામ મગ્ન થતાં જે સ્વાનુભવ થયો તે સ્વાનુભવ પ્રત્યક્ષ છે; એ સ્વાનુભવનો સ્વાદ કાંઈ આગમ-અનુમાનાદિક પરોક્ષ પ્રમાણ વડે જણાતો નથી-પોતે જ એ અનુભવના રસાસ્વાદને પ્રત્યક્ષ વેદે છે; જેમ કોઈ અંધ મનુષ્ય સાકરનો આસ્વાદ કરે છે, ત્યાં સાકરના આકારાદિ પરોક્ષ છે પણ જીભ વડે જે સ્વાદ લીધો છે તે સ્વાદ પ્રત્યક્ષ છે-એમ અનુભવ સંબંધમાં જાણવું. [ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશકમાં પાનું ૩૪૭-૩૪૮, ટોડરમલ્લજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી] આ દશા ચોથા ગુણસ્થાને હોય છે.
આ પ્રમાણે આત્માનો અનુભવ જાણી શકાય છે અને જે જીવને તેનો અનુભવ હોય તે જીવને સમ્યગ્દર્શન અવિનાભાવી હોય છે. માટે મતિ-શ્રુતજ્ઞાનથી સમ્યગ્દર્શન બરાબર જાણી શકાય છે.
પ્રશ્નઃ– આ બાબતમાં પંચાધ્યાયીકારે શું કહ્યું છે? ઉત્તરઃ– પંચાધ્યાયીના પહેલા અધ્યાયમાં મતિ-શ્રુતજ્ઞાનનું સ્વરૂપ જણાવતાં ૭૦૬ મી ગાથામાં નીચે પ્રમાણે કહ્યું છે-