Padmapuran (Gujarati). Parva 48 - Laxmaney kotishila uchkiney Narayan hovani pariksha kari; Parva 49 - Hanumannu Lankama prasthan; Parva 50 - Hanumannu potana nana Raja Mahendra sathey yudh ane melap; Parva 51 - Shree Ramney gandharva kanyaoni prapti.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 21 of 35

 

Page 380 of 660
PDF/HTML Page 401 of 681
single page version

background image
૩૮૦ સુડતાળીસમું પર્વ પદ્મપુરાણ
માયામયી સુગ્રીવનું રૂપ ધારણ કરીને રાજમંદિરમાં આવ્યો અને સુતારાના મહેલમાં ગયો.
મહાસતી સુતારાએ પોતાના સેવકને કહ્યું કે આ કોઈ દુષ્ટ વિદ્યાધર વિદ્યાથી મારા પતિનું
રૂપ બનાવીને આવે છે, તે પાપથી પૂર્ણ છે, માટે કોઈ એનો આદરસત્કાર કરશો નહિ. તે
પાપી નિઃશંકપણે જઈને સુગ્રીવના સિંહાસન પર બેઠો અને તે જ સમયે સુગ્રીવ પણ
આવ્યો અને પોતાના માણસોને ચિંતાવાળા જોયા ત્યારે વિચાર કર્યો કે મારા ઘરમાં શેનો
વિષાદ છે? લોકો મલિન મુખે ઠેરઠેર ભેગા થઈ ગયા કદાચ, અંગત મેરુનાં ચૈત્યાલયોની
વંદના માટે સુમેરુ પર્વત પર ગયો હતો તે પાછો ન આવ્યો હોય અથવા રાણીએ કોઈના
ઉપર રોષ કર્યો હોય અથવા જન્મ-જરા-મરણથી ભયભીત વિભીષણ વૈરાગ્ય પામ્યો હોય
અને એનો વિષાદ હોય, આમ વિચારીને તે દરવાજા પાસે આવ્યો, રત્નમયી દ્વાર ગીત-
સંગીત વિનાનું જોયું, લોકોને સચિંત જોયા. તેણે મનમાં વિચાર્યું કે આ માણસો કોઈ
બીજા જ થઈ ગયા છે. મહેલમાં સ્ત્રીઓની વચ્ચે પોતાના જેવું રૂપ બનાવીને બેઠેલા દુષ્ટ
વિદ્યાધરને જોયો. તેણે સુંદર હાર પહેર્યા હતા, દિવ્ય વસ્ત્રો મુગટની કાંતિમાં પ્રકાશરૂપ
જણાતાં હતાં. ત્યારે સુગ્રીવ વર્ષાકાળનો મેઘ ગાજે તેમ ક્રોધથી ગર્જ્યો અને નેત્રોની
લાલશથી દશે દિશાઓ સંધ્યા ખીલે તેમ લાલ થઈ ગઈ. ત્યારે પેલો પાપી કૃત્રિમ સુગ્રીવ
પણ ગર્જ્યો અને જેમ મદમસ્ત હાથી મદથી વિહ્વળ થઈને ગર્જે તેમ કામથી વિહ્વળ થઈ
સુગ્રીવ સાથે લડવા માટે ઊઠયો, બન્ને હોઠ કરડતા, ભ્રુકુટિ ચડાવીને યુદ્ધ કરવા તૈયાર
થયા. ત્યારે શ્રીચંદ્ર આદિ મંત્રીઓએ તેમને રોક્યા અને પટરાણી સુતારા પ્રગટપણે કહેવા
લાગી કે આ કોઈ દુષ્ટ વિદ્યાધર મારા પતિનું રૂપ લઈને આવ્યો છે. દેહ, બળ અને
વચનોની કાંતિથી સમાન બન્યો છે. પરંતુ માર પતિમાં મહાપુરુષોનાં લક્ષણો છે તે
આનામાં નથી; જેમ ઘોડા અને ગધેડાની સમાનતા હોતી નથી તેમ મારા પતિ અને
આની વચ્ચે સમાનતા નથી. રાણી સુતારાના આ પ્રકારનાં વચનો સાંભળીને પણ કેટલાક
મંત્રીઓએ જેમ નિર્ધનની વાત ધનવાન ન માને તેમ તેની વાત માની નહિ. સરખું રૂપ
જોઈને જેમનું ચિત્ર હરાઈ ગયું છે એવા તે બધા મંત્રીઓએ ભેગા થઈને સલાહ કરી કે
પંડિતોએ આટલાનાં વચનોનો વિશ્વાસ ન કરવો-બાળક, અતિવૃદ્ધ, સ્ત્રી, દારૂડિયો,
વેશ્યાસક્ત, એમનાં વચન પ્રમાણ ન હોય. અને સ્ત્રીઓએ શીલની શુદ્ધિ રાખવી, શીલની
શુદ્ધિ વિના ગોત્રની શુદ્ધિ નથી, સ્ત્રીઓને શીલનું જ પ્રયોજન છે માટે રાજકુટુંબમાં
બન્નેએ ન જવું, બહાર જ રહેવું. ત્યારે એમનો પુત્ર અંગ તો માતાનાં વચનથી એમના
પક્ષમાં આવ્યો અને જાંબુનંદ કહે છે કે અમે પણ એમની સાથે જ રહ્યા. એ એમનો બીજો
પુત્ર અંગત કૃત્રિમ સુગ્રીવના પક્ષમાં છે, સાત અક્ષૌહિણી સેના આમના તરફ છે અને
સાત પેલાની તરફ છે. નગરની દક્ષિણ તરફ તે રહ્યો છે અને ઉપર તરફ આ રહ્યો છે
અને વાલીના પુત્ર ચંદ્રરશ્મિએ એવી પ્રતિજ્ઞા કરી છે કે જે સુતારાના મહેલમાં આવશે,
તેને હું ખડ્ગથી મારી નાખીશ. હવે આ સાચો સુગ્રીવ સ્ત્રીના વિરહથી વ્યાકુળ શોક
મટાડવા માટે ખરદૂષણ પાસે ગયો, પણ ખરદૂષણ તો લક્ષ્મણના ખડ્ગથી હણાઈ ગયો.

Page 381 of 660
PDF/HTML Page 402 of 681
single page version

background image
પદ્મપુરાણ સુડતાળીસમું પર્વ ૩૮૧
પછી એ હનુમાન પાસે ગયો, જઈને પ્રાર્થના કરી કે હું દુઃખથી પીડિત છું, મને મદદ કરો,
મારું રૂપ લઈને કોઈ પાપી મારા ઘરમાં બેઠો છે તે મને મોટી બાધારૂપ છે, જઈને એને
મારો. સુગ્રીવનાં વચન સાંભળીને હનુમાન વડવાનળ સમાન ક્રોધથી પ્રજ્વલિત થઈ,
પોતાના મંત્રીઓ સહિત અપ્રતિઘાત નામના વિમાનમાં બેસીને કિહકંધાપુર આવ્યો.
હનુમાનને આવેલો સાંભળીને પેલો માયામયી સુગ્રીવ હાથી ઉપર ચડીને લડવા આવ્યો.
હનુમાન બન્નેનું સરખું રૂપ જોઈને આશ્ચર્ય પામ્યો, મનમાં વિચારવા લાગ્યો કે આ બન્ને
સરખા રૂપવાળા સુગ્રીવ જ છે, એમનામાંથી કોને મારું, કાંઈ તફાવત જણાતો નથી.
જાણ્યા વિના સુગ્રીવને જ મારું તો મહાન અનર્થ થઈ જાય. થોડીવાર પોતાના મંત્રીઓ
સાથે વિચારણા કરીને ઉદાસીન થઈ હનુમાન પાછા પોતાના નગરમાં ચાલ્યા ગયા.
હનુમાનના ચાલ્યા જવાથી સુગ્રીવને ખૂબ આકુળતા થઈ, મનમાં વિચારવા લાગ્યા કે
હજારો વિદ્યા અને માયાથી મંડિત મહા બળવાન, મહાપ્રતાપી વાયુપુત્ર પણ સંદેહ પામ્યા
તે ઘણું કષ્ટદાયક છે, હવે મને કોણ મદદ કરશે? અત્યંત વ્યાકુળ બનીને, દુઃખ મટાડવા
માટે સ્ત્રીના વિયોગરૂપ દાવાનળથી તપ્ત થયેલ આપના શરણે આવ્યો છે, આપ
શરણાગતનું રક્ષણ કરનાર છો. આ સુગ્રીવ અનેક ગુણોથી શોભિત છે. હે રઘુનાથ!
પ્રસન્ન થાવ, આને આપનો બનાવો. તમારા જેવા પુરુષોનાં શરીર બીજાઓનાં દુઃખનો
નાશ કરે છે. જાંબુનદના આવાં વચન સાંભળીને રામ-લક્ષ્મણ અને વિરાધિત કહેવા
લાગ્યા, ધિક્કર હો પરસ્ત્રીના લંપટ પાપી જીવોને! રામે વિચાર્યું કે મારું ને આનું દુઃખ
સમાન છે એટલે આ મારો મિત્ર થશે; હું એનો ઉપકાર કરીશ પછી એ મારો ઉપકાર
કરશે, નહિ તો હું નિર્ગ્રંથ મુનિ બની મોક્ષનું સાધન કરીશ. આમ વિચારીને રામ સુગ્રીવને
કહેવા લાગ્યા, હે સુગ્રીવ! મેં તને સર્વથા મિત્ર બનાવ્યો છે, જે તારું સ્વરૂપ બનાવીને
આવ્યો છે તેને જીતીને તારું રાજ્ય હું તને નિષ્કંટક કરાવી દઈશ અને તારી સ્ત્રી પણ
તને મેળવી આપીશ. તારું કામ થઈ જાય પછી તું અમને સીતાની ભાળ કાઢી આપશે કે
તે ક્યાં છે. ત્યારે સુગ્રીવ કહેવા લાગ્યો કે હે પ્રભો! મારું કાર્ય થયા પછી જો સાત
દિવસમાં હું સીતાનું ઠેકાણું ન શોધી લાવું તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ. આ વાત સાંભળી
રામ પ્રસન્ન થયા, જેમ ચંદ્રમાનાં કિરણોથી કુમુદ પ્રફુલ્લિત થાય છે તેમ. રામનું મુખકમળ
ખીલી ગયું, સુગ્રીવનાં અમૃતરૂપ વચનો સાંભળીને રોમાંચ ખડા થઈ ગયા. જિનરાજના
ચૈત્યાલયમાં બન્ને પરમ મિત્ર થયા અને એવી પ્રતિજ્ઞા કરી કે પરસ્પર કોઈએ દ્રોહ ન
કરવો. પછી રામ-લક્ષ્મણ રથ પર ચડી અનેક સામંતો સહિત સુગ્રીવની સાથે કિહકંધાપુર
આવ્યા. નગરની સમીપે પડાવ નાખીને સુગ્રીવે માયામયી સુગ્રીવની પાસે દૂત મોકલ્યો. તે
દૂતને તેણે અપમાનિત કર્યો અને માયમયી સુગ્રીવ રથમાં બેસી મોટી સેના સહિત યુદ્ધના
નિમિત્તે નીકળ્‌યો. બન્ને સુગ્રીવ પરસ્પર લડયા. માયામયી સુગ્રીવ અને સાચા સુગ્રીવ
વચ્ચે આયુધો વડે અનેક પ્રકારનું યુદ્ધ થયું, અંધકાર થઈ ગયો, બન્નેય ખેદ પામ્યા,
ભયંકર વેરથી માયામયી સુગ્રીવે સાચા સુગ્રીવ પર ગદાનો પ્રહાર કર્યો અને તે ઢળી
પડયો. તે માયામયી સુગ્રીવ એને મરેલો જાણી આનંદ પામી નગરમાં ગયો

Page 382 of 660
PDF/HTML Page 403 of 681
single page version

background image
૩૮૨ સુડતાળીસમું પર્વ પદ્મપુરાણ
અને સાચો સુગ્રીવ મૂર્ચ્છિત થઈ પડયો હતો તેને કુટુંબીજનો તંબૂમાં લાવ્યા ત્યારે તે
જાગ્રત થઈને રામને કહેવા લાગ્યો, હે પ્રભો! મારો ચોર હાથમાં આવ્યો હતો તેને
નગરમાં કેમ જવા દીધો? જો રામચંદ્રને મેળવીને પણ મારું દુઃખ ન મટે તો એના જેવું
બીજું દુઃખ કયું હોય? ત્યારે રામે કહ્યું કે તારું અને તેનું રૂપ જોઈને અમને તફાવત ન
જણાયો તેથી તારા શત્રુને હણ્યો નથી. કદાચ જાણ્યા વિના તારો જ જો નાશ થઈ જાય
તો યોગ્ય ન થાય. તું અમારો પરમ મિત્ર છે, તારા અને અમારા વચ્ચે જિનમંદિરમાં
પ્રતિજ્ઞા થઈ છે.
પછી રામે માયામયી સુગ્રીવને ફરીથી યુદ્ધ માટે બોલાવ્યો. તે બળવાન ક્રોધરૂપ
અગ્નિથી બળતો આવ્યો, રામ તેની સામે આવ્યા. તે સમુદ્રતુલ્ય, અનેક શસ્ત્રોના ધારક
સુભટોરૂપી મગરોથી પૂર્ણ હતો. તે વખતે લક્ષ્મણે સાચા સુગ્રીવને પકડી રાખ્યો કે જેથી
સ્ત્રીના વેરથી તે શત્રુની સન્મુખ ન જાય. શ્રી રામને જોઈને માયામયી સુગ્રીવના શરીરમાં
જે વૈતાલી વિદ્યા હતી તે તેને પૂછીને તેના શરીરમાંથી કાઢી લીધી. તેથી સુગ્રીવનો આકાર
મટી તે સાહસગતિ વિદ્યાધર ઇન્દ્રનીલ પર્વત જેવો દેખાવા લાગ્યો, જેમ સાંપની કાંચળી
દૂર થાય તેમ સુગ્રીવનું રૂપ દૂર થઈ ગયું. તેથી વાનરવંશીઓની જે અર્ધી સેના તેની સાથે
ભળી ગઈ હતી તે તેનાથી જુદી થઈ લડવા તૈયાર થઈ. બધા વાનરવંશી એક થઈ નાના
પ્રકારનાં આયુધોથી સાહસગતિ સાથે યુદ્ધ કરવા લાગ્યા. સાહસગતિ અત્યંત તેજસ્વી
પ્રબળ શક્તિનો સ્વામી હતો તેણે બધા વાનરવંશીઓને દશે દિશામાં ભગાડી મૂક્યા, જેમ
પવન ધૂળને ઉડાડી મૂકે તેમ. પછી સાહસગતિ ધનુષબાણ લઈને રામ સામે આવ્યો અને
મેઘમંડળ સમાન બાણોની વર્ષા કરવા લાગ્યો. જેનું પરાક્રમ ઉદ્ધત છે એવા સાહસગતિ
અને શ્રી રામની વચ્ચે તુમુલ યુદ્ધ થયું. પ્રબળ પરાક્રમી, રણક્રીડામાં પ્રવીણ રામે ક્ષુદ્ર
બાણો વડે સાહસગતિનું બખ્તર છેદી નાખ્યું, તીક્ષ્ણ બાણોથી સાહસગતિનું શરીર ચાળણી
જેવું કરી નાખ્યું અને તે પ્રાણરહિત થઈને ભૂમિ પર પડયો. બધાએ જોઈને નક્ક્ી કર્યું કે
આ પ્રાણરહિત છે. પછી સુગ્રીવ રામ-લક્ષ્મણની ખૂબ સ્તુતિ કરીને એમને નગરમાં
લાવ્યો, નગરની શોભા કરી, સુગ્રીવને સુતારાનો સંયોગ થયો. તે ભોગસાગરમાં ડૂબી
ગયો, તેને રાતદિવસનું ભાન રહ્યું નહિ. ઘણા દિવસો પછી સુતારાને જોઈ તેથી મોહિત
થઈ ગયો. શ્રી રામને નંદનવનની શોભા વટાવી જાય એવા આનંદ નામના વનમાં
રાખ્યા. તે વનની રમણીકતાનું વર્ણન કોણ કરી શકે? જ્યાં મહામનોજ્ઞ શ્રી ચંદ્રપ્રભુનું
ચૈત્યાલય છે તેમાં રામ-લક્ષ્મણે પૂજા કરી અને વિરાધિત આદિ સર્વ સૈન્યનો પડાવ
વનમાં રાખ્યો હતો, બધા ત્યાં ખેદરહિત થઈને રહ્યા. સુગ્રીવની તેર પુત્રીઓ રામચંદ્રનાં
ગુણ સાંભળીને અત્યંત અનુરાગથી ભરેલી રામને વરવાની ઇચ્છા કરવા લાગી. ચંદ્રમા
સમાન મુખવાળી તે પુત્રીઓનાં નામ સાંભળો-ચંદ્રાભા, હૃદયાવલી, હૃદયધર્મ્મા, અનુધરી,
શ્રીકાંતા, સુંદરી, સુરવતી. દેવાંગના સમાન જેનો વિભ્રમ છે તે મનોવાદિની, મનમાં
વસનારી, ચારુશ્રી, મદનોત્સવા, ગુણવતી-અનેક ગુણોથી શોભિત પદ્માવતી, ખીલેલા
કમળ સમાન મુખવાળી તથા જિનમતિ-સદા જિનપૂજામાં તત્પર;

Page 383 of 660
PDF/HTML Page 404 of 681
single page version

background image
પદ્મપુરાણ અડતાળીસમું પર્વ ૩૮૩
આ તેર કન્યા લઈને સુગ્રીવ રામ પાસે આવ્યો, નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે હે નાથ!
આ ઇચ્છાથી આપને વરે છે. હે લોકેશ! આ કન્યાના પતિ બનો. આ કન્યાઓનું મન
જન્મથી જ એવું હતું કે અમે વિદ્યાધરોને નહિ વરીએ, આપનાં ગુણોનું શ્રવણ કરીને એ
અનુરાગવાળી થઈ છે; એમ કહીને રામને પરણાવી. આ કન્યાઓ અત્યંત લજ્જાળુ, નમ્ર
મુખવાળી, રામનો આશ્રય કરવા લાગી. તે અતિસુંદર, નવયુવાન, જેમનાં ગુણો વર્ણવી ન
શકાય તેવી, વીજળી સમાન, સુવર્ણ સમાન, કમળના ગર્ભ સમાન, શરીરની કાંતિથી
આકાશમાં ઉદ્યોત થયો. તે વિનયરૂપ લાવણ્યથી મંડિત રામની પાસે બેઠી, તેમની ચેષ્ટા
સુંદર હતી. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે મગધાધિપતિ! પુરુષોમાં સિંહ
સમાન શ્રી રામ સરખા પુરુષનું ચિત્ત વિષયવાસનાથી વિરક્ત છે, પરંતુ પૂર્વજન્મના
સંબંધથી કેટલાક દિવસો સુધી વિરક્તરૂપે ગૃહમાં રહી પછી ત્યાગ કરશે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં સુગ્રીવનું વ્યાખ્યાન વર્ણવનાર
સુડતાળીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
અડતાળીસમું પર્વ
(લક્ષ્મણે કોટિશિલા ઊંચકીને નારાયણ હોવાની પરીક્ષા કરી)
પછી તે સુગ્રીવની કન્યાઓ જાણે કે દેવલોકમાંથી ઊતરી હોય તેમ રામનું મન
મોહવા માટે અનેક પ્રકારની ચેષ્ટા કરવા લાગી. વીણાદિક વગાડવી, મનોહર ગીત ગાવા
ઇત્યાદિક અનેક સુંદર લીલા કરવા લાગી. તો પણ રામચંદ્રનું મન મોહ પામ્યું નહીં, સર્વ
પ્રકારના વિસ્તીર્ણ વૈભવો તેમને મળ્‌યા, પરંતુ રામે ભોગોમાં મન ડુબાડયું નહિ. સીતામાં
જેમનું ચિત્ત અત્યંતપણે લાગેલું હતું તે સમસ્ત ચેષ્ટારહિત અત્યંત આદરથી સીતાનું ધ્યાન
કરતા રહ્યા, જેમ મુનિરાજ મુક્તિને ધ્યાવે તેમ. તે વિદ્યાધરની પુત્રીઓ ગાન કરે તેમનો
અવાજ તે સાંભળતા નહિ, દેવાંગના સમાન તેમનું રૂપ તે દેખતા નહિ. રામને સર્વ
જાનકીમય ભાસે છે, બીજું કાંઈ દેખાતું નથી, બીજી કોઈ વાત તે કરતા નથી. આ
સુગ્રીવની પુત્રીઓને તે પરણ્યા તે પાસે બેઠી હોય તેને હે જનકસુતે! એમ કહીને
સંબોધતા, કાગડાને પ્રેમથી પૂછતા, હે કાક! તું દરેક દેશમાં ફરે છે, તેં શું જાનકીને જોઈ?
સરોવરમાં કમળો ખીલી ઊઠયાં છે તેની મકરંદથી જળ સુગંધી બની ગયું છે, તેમાં
ચકવા-ચકવીના યુગલને કલ્લોલ કરતા જોઈને વિચારે, સીતા વિના રામને સર્વ શોભા
ફીકી લાગે, સીતાના શરીરના સંયોગની શંકાથી પવનને આલિંગન કરે કે કદાચ પવન
સીતાજીની પાસેથી આવ્યો હોય. જે ભૂમિ પર સીતાજી રહે છે તે ભૂમિને ધન્ય ગણે. સીતા
વિના ચંદ્રમાની ચાંદનીને અગ્નિ સમાન જાણી મનમાં ચિંતવે-કદાચ સીતા મારા વિયોગરૂપ

Page 384 of 660
PDF/HTML Page 405 of 681
single page version

background image
૩૮૪ અડતાળીસમું પર્વ પદ્મપુરાણ
અગ્નિથી ભસ્મ થઈ ગઈ હોય. મંદ મંદ પવનથી લતાઓને હાલતી જોઈ જાણે છે કે આ
જાનકી જ છે અને વેલીઓના પાનને હાલતાં જોઈ જાણે કે જાનકીનાં વસ્ત્ર ફરફરે છે
અને ભ્રમર સંયુક્ત ફૂલોને જોઈ જાણે કે આ જાનકીના લોચન જ છે અને કૂંપળો જોઈને
જાણે કે આ જાનકીના કરપલ્લવ જ છે. શ્વેત, શ્યામ, લાલ, ત્રણ જાતિનાં કમળો જોઈને
જાણે કે આ જાનકીના નેત્ર ત્રણ રંગ ધારણ કરે છે. પુષ્પોના ગુચ્છને જોઈને જાણે કે આ
જાનકીના શોભાયમાન સ્તન જ છે અને કેળના સ્તંભમાં જાંધની શોભા જાણે, લાલ
કમળોમાં ચરણોની શોભા જાણે, સંપૂર્ણ શોભા જાનકીરૂપ જ જાણે.
પછી સુગ્રીવ સુતારાના મહેલમાં જ રહ્યો, રામ પાસે આવ્યે ઘણા દિવસો થયા
ત્યારે રામે વિચાર્યું કે તેણે સીતાને જોઈ નથી. મારા વિયોગમાં તપ્તાયમાન થઈને તે
શીલાવંતી મરી ગઈ, તેથી સુગ્રીવ મારી પાસે આવતો નથી. અથવા તે પોતાનું રાજ્ય
મેળવીને નિશ્ચિંત થયો અને અમારું દુઃખ ભૂલી ગયો છે. આ વિચારથી રામની આંખમાં
આંસુ પડયાં, ત્યારે લક્ષ્મણે રામને ચિંતાતુર જાણીને, ગુસ્સાથી જેનાં નેત્રો લાલ થયા છે,
જેનું મન આકુળવ્યાકુળ છે એવો તે હાથમાં નગ્ન તલવાર લઈને સુગ્રીવ તરફ ચાલ્યો
તેથી નગર કંપાયમાન થઈ ગયું. રાજ્યના બધા અધિકારીઓને વટાવી સુગ્રીવના મહેલમાં
જઈ તેને કહ્યું કે પાપી! મારા પરમેશ્વર રામ તો સ્ત્રીના દુઃખમાં દુઃખી છે અને તું દુર્બુદ્ધિ
સ્ત્રી સાથે સુખપૂર્વક રાજ્ય કરે છે. હે વિદ્યાધર કાક! વિષયલુબ્ધ દુષ્ટ! જ્યાં રઘુનાથે તારા
શત્રુને મોકલ્યો છે ત્યાં હું તને મોકલીશ. આ પ્રમાણે ક્રોધનાં ઉગ્ર વચનો લક્ષ્મણે કહ્યાં.
ત્યારે તે હાથ જોડી નમસ્કાર કરી લક્ષ્મણનો ક્રોધ શાંત કરવા લાગ્યો. સુગ્રીવ કહે છે હે
દેવ! મારી ભૂલ માફ કરો, હું કરાર ભૂલી ગયો છું, મારા જેવા તુચ્છ મનુષ્યોથી ખોટી
ચેષ્ટા થાય છે. સુગ્રીવની બધી સ્ત્રીઓ ધ્રૂજતી ધ્રૂજતી લક્ષ્મણને અર્ધ્ય આપી આરતી
ઉતારવા લાગી અને હાથ જોડી નમસ્કાર કરી પતિની ભિક્ષા માગવા લાગી. લક્ષ્મણ પોતે
ઉત્તમ પુરુષ તેમને દીન જાણીને કૃપા કરવા લાગ્યા આ મહાન પુરુષ તો પ્રમાણમાત્રથી જ
પ્રસન્ન થાય અને દુર્જન મહાદાન લઈને પણ પ્રસન્ન ન થાય. લક્ષ્મણે સુગ્રીવને તેની
પ્રતિજ્ઞા યાદ કરાવીને ઉપકાર કર્યો, જેમ યક્ષદત્તને માતાનું સ્મરણ કરાવીને મુનિએ ઉપકાર
કર્યો હતો. આ વાત સાંભળી રાજા શ્રેણિક ગૌતમ સ્વામીને પૂછે છે કે હે નાથ! યક્ષદત્તની
વાત હું આપની પાસેથી જાણવા ઇચ્છું છું. ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું, કે શ્રેણિક! એક
ક્રૌંચપુર નામનું નગર હતું, ત્યાં રાજા યક્ષ રાજ્ય કરતો. તેની રાણી રાજિલતાને યજ્ઞદત્ત
નામનો પુત્ર હતો. તે એક દિવસ એક સ્ત્રીને નગરની બહાર ઝૂંપડીમાં બેઠેલી જોઈને
કામબાણથી પીડિત થઈને તેની તરફ ચાલ્યો. રાતનો સમય હતો ત્યારે અયન નામના
મુનિએ તેને જતાં રોક્યો. જેના હાથમાં ખડ્ગ હતું તે યજ્ઞદત્ત વીજળીના પ્રકાશથી મુનિને
જોઈને તેમની પાસે જઈ વિનયસહિત પૂછવા લાગ્યો કે હે ભગવાન! મને જતાં શા માટે
રોક્યો છે? ત્યારે મુનિએ કહ્યું કે જેને જોઈને તું કામવશ થયો છે તે સ્ત્રી તારી માતા છે,
તેથી જોકે શાસ્ત્રમાં તો કહ્યું છે કે મુનિઓએ રાત્રે બોલવું

Page 385 of 660
PDF/HTML Page 406 of 681
single page version

background image
પદ્મપુરાણ અડતાળીસમું પર્વ ૩૮પ
ઉચિત નથી તો પણ કરુણા લાવીને અશુભ કાર્ય ન થાય તે માટે તને રોક્યો છે. ત્યારે
યજ્ઞદત્તે પૂછયું કે હે સ્વામી! એ મારી માતા કેવી રીતે છે? ત્યારે મુનિએ કહ્યું કે સાંભળ.
એક મૃત્યકાવતી નગરમાં કણિક નામના વણિકને ધૂ નામની સ્ત્રીથી થયેલ બંધુદત્ત
નામનો પુત્ર હતો. તે બંધુદત્ત લતાદત્તની પુત્રી મિત્રવતી, જે પોતાની પત્ની હતી તેને
ગુપ્ત રીતે ગર્ભ રાખી પોતે જહાજમાં બેસી દેશાંતર ગયો. તેના ગયા પછી તેની સ્ત્રીને
ગર્ભ જાણી સાસુસસરાએ તેને દુરાચારિણી માની ઘરમાંથી કાઢી મૂકી. તે ઉત્પલકા નામની
દાસીને સાથે લઈ મોટા સારથિ જોડે પિતાને ઘેર ચાલી ગઈ. હવે તે ઉત્પલકાને વનમાં
સર્પ કરડયો અને તે મૃત્યુ પામી. આ મિત્રવતી શીલમાત્ર જ જેનો સહાયક એવી
ક્રૌંચપુરમાં આવી. તે ખૂબ શોકમાં હતી. તેને ઉપવનમાં પુત્રનો જન્મ થયો. ત્યારે તે તો
સરોવરમાં વસ્ત્ર ધોવા ગઈ અને પુત્રરત્નને કામળીમાં વીંટાળી દીધું. પાછળ એક કૂતરો
કામળી સહિત પુત્રને લઈ ગયો ત્યાં રસ્તામાં કોઈએ છોડાવ્યો અને રાજા યક્ષને આપ્યો.
તેની રાણી રાજિલતાને પુત્ર નહોતો તેથી રાજાએ પુત્ર રાણીને સોંપ્યો અને તેનું નામ
યક્ષદત્ત પાડયું તે તું છો. આ તરફ તારી માતા વસ્ત્ર ધોઈને આવી તે પુત્રને ન જોવાથી
વિલાપ કરવા લાગી. એક દેવપૂજારીએ દયા લાવીને તેને આશ્વાસન આપ્યું કે તું મારી
બહેન છે, આમ કહીને રાખી. તે આ મિત્રવતી છે. તે સહાયરહિત હોવાથી અપકીર્તિના
ભયથી પોતાના પિતાને ઘેર ન ગઈ. તે અત્યંત શીલવાન છે, જિનધર્મમાં તત્પર છે,
ગરીબની ઝૂંપડીમાં રહે છે, તેં ભ્રમણ કરતાં તેને જોઈને કુભાવ કર્યો. એનો પતિ બંધદત્ત
એને રત્નકામળી આપી ગયો હતો, તેમાં તને વીંટાળીને એ સરોવરે ગઈ હતી, તે
રત્નકામળી રાજાના ઘરમાં છે અને એ બાળક તું છો. આ મુનિએ કહ્યું. પછી એ નમસ્કાર
કરી ખડ્ગ હાથમાં લઈ રાજા યક્ષ પાસે ગયો અને કહેવા લાગ્યો કે આ ખડ્ગથી તારું
શિર કાપીશ નહિતર મારા જન્મનો વૃત્તાંત કહે. પછી રાજા યક્ષે જેવો હતો તેવો વૃત્તાંત
કહ્યો અને તે રત્નકામળી પણ દેખાડી. પછી યક્ષદત્ત તે લઈને પોતાની માતા, જે ઝૂંપડીમાં
બેઠી હતી તેને મળ્‌યો અને પોતાના પિતા બંધુદત્તને બોલાવ્યા. મોટો ઉત્સવ કરીને અને
મહાન વૈભવ સહિત માતાપિતાને મળ્‌યો. આ યક્ષદત્તની કથા ગૌતમ સ્વામીએ રાજા
શ્રેણિકને કહી. જેમ યક્ષદત્તને મુનિએ માતાનો વૃત્તાંત કહ્યો તેમ લક્ષ્મણે સુગ્રીવને તે જે
પ્રતિજ્ઞા ભૂલી ગયો હતો તેની યાદ અપાવી. સુગ્રીવ લક્ષ્મણ સાથે શીઘ્ર રામચંદ્ર પાસે
આવ્યો, નમસ્કાર કર્યા અને પોતાના મહાન કુળમાં ઉત્પન્ન થયેલા બધા વિદ્યાધર સેવકોને
બોલાવ્યા. તે આ વૃત્તાંત જાણતા હતા ને પોતાના સ્વામીના કાર્યમાં તત્પર હતા. તેમને
સમજાવીને કહ્યું કે બધાય સાંભળો-રામે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે, હવે સીતાના
સમાચાર એમને લાવી દો. તમે બધી દિશાઓમાં જાવ અને સીતા ક્યાં છે એ સમાચાર
લાવો. આખી પૃથ્વી પર જળ, સ્થળ અને આકાશમાં તપાસ કરો. જંબુદ્વીપ, લવણ સમુદ્ર,
ધાતકીખંડ, કુણાચલ, વન, મેરુ, જુદા જુદા પ્રકારનાં વિદ્યાધરોનાં નગર, સર્વ સ્થળો, સર્વ
દિશાઓમાં તપાસ કરો.

Page 386 of 660
PDF/HTML Page 407 of 681
single page version

background image
૩૮૬ અડતાળીસમું પર્વ પદ્મપુરાણ
પછી આ બધા વિદ્યાધરો સુગ્રીવની આજ્ઞા માથે ચડાવીને આનંદ પામ્યા, બધી જ
દિશાઓમાં તરત દોડયા; બધા જ વિચારે છે કે અમે પહેલાં ખબર લાવીએ, જેથી રાજા
પ્રસન્ન થાય. ભામંડળને પણ સમાચાર મોકલાવ્યા કે સીતાનું હરણ થયું છે તેની તપાસ
કરો. ભામંડળ બહેનના દુઃખથી અત્યંત દુઃખી થયો, તપાસ કરવાની તૈયારી કરી. સુગ્રીવ
પોતે પણ ગોતવા નીકળ્‌યો. તે જ્યોતિષચક્ર ઉપર ઊડીને વિમાનમાં બેઠો અને શોધવા
લાગ્યો. દુષ્ટ વિદ્યાધરોનાં બધા નગરો જોયાં. સમુદ્રની મધ્યમાં જંબૂદ્વીપ જોયો, ત્યાં મહેન્દ્ર
પર્વત પર આકાશમાંથી સુગ્રીવ ઊતર્યો, ત્યાં રત્નજટી રહેતો હતો તે જેમ ગરુડથી સર્પ
ડરે તેમ ડરી ગયો. પછી વિમાન નજીક આવ્યું ત્યારે રત્નજટીએ જાણ્યું કે એ સુગ્રીવ છે.
તે વિચારે છે કે લંકાપતિએ ક્રોધે ભરાઈને મારા ઉપર આને મોકલ્યો છે તે મને મારશે.
અરેરે! હું સમુદ્રમાં કેમ ન ડૂબી મર્યો? હું અંતરદ્વીપમાં માર્યો જઈશ? વિદ્યા તો રાવણ
હરીને લઈ ગયો છે, હવે મારા પ્રાણ લેવા આને
મોકલ્યો. મારી એવી ઇચ્છા હતી કે
જેમતેમ કરીને ભામંડળ પાસે પહોંચી જાઉં તો સર્વ કાર્ય થઈ જાય, પણ હું પહોંચી શક્યો
નહિ. આમ વિચાર કરે છે ત્યાં જ સુગ્રીવ આવ્યો જાણે કે બીજો સૂર્ય જ છે. તે દ્વીપમાં
પ્રકાશ ફેલાવતો આવ્યો અને આને વનની ધૂળથી રજોટાયેલો જોઈને દયાથી પૂછવા
લાગ્યો, હે રત્નજટી! પહેલાં તું વિદ્યાસહિત હતો, હવે હે ભાઈ! તારી આ કેવી અવસ્થા
થઈ? જ્યારે સુગ્રીવે આ પ્રમાણે દયાથી પૂછયું તો પણ રત્નજટી અત્યંત ધ્રૂજતો કાંઈ કહી
ન શક્યો. સુગ્રીવે તેને કહ્યું કે ભય ન પામ, તારી હકીકત કહે, વારંવાર ધૈર્ય બંધાવ્યું
ત્યારે રત્નજટી નમસ્કાર કરી કહેવા લાગ્યો કે દુષ્ટ રાવણ સીતાને હરી જતો હતો તે
બાબતમાં તેના અને મારા વચ્ચે પરસ્પર વિરોધ થયો, તેણે મારી વિદ્યા છેદી નાખી, હવે
વિદ્યારહિત હું જીવવાનો પણ સંદેહ રાખતો ચિંતાતુર થઈને રહું છું. હે કપિવંશના તિલક!
મારા ભાગ્યથી તમે આવ્યા. રત્નજટીનાં આ વચન સાંભળી સુગ્રીવ આનંદ પામી તેને
સાથે લઈ પોતાના નગરમાં શ્રી રામ પાસે લાવ્યો. તે રત્નજટી બધાની સમીપમાં રામ-
લક્ષ્મણને હાથ જોડીને નમસ્કાર કરી કહેવા લાગ્યો કે હે દેવ! સીતા મહાસતી છે, તેને દુષ્ટ
નિર્દય લંકાપતિ રાવણ હરી ગયો છે. તેને રુદન કરતી વિમાનમાં બેઠેલી મૃગલી જેવી
વ્યાકુળ મેં જોઈ. તે બળવાન પરાણે તેને લઈ જતો હતો તેથી મેં ક્રોધથી તેને કહ્યું કે
મહાસતી મારા સ્વામી ભામંડળની બહેન છે, તું એને છોડી દે તેથી ગુસ્સે થઈને તેણે
મારી વિદ્યા છેદી નાખી. તે અત્યંત બળવાન, જેણે યુદ્ધમાં ઇન્દ્રને જીવતો પકડી લીધો અને
કૈલાસ ઊંચક્યો હતો, જે ત્રણ ખંડનો સ્વામી છે, સાગરાંત પૃથ્વી જેની દાસી છે, જે
દેવોથી પણ ન જિતાય, તેને હું કેવી રીતે જીતી શકું? તેણે મને વિદ્યારહિત કર્યો. આ
બધા સમાચાર સાંભળીને રામે તેને હૃદય સાથે ચાંપ્યો અને વારંવાર તેને પૂછવા લાગ્યા.
પછી રામે પૂછયું? હે વિદ્યાધરો! કહો, લંકા કેટલી દૂર છે? ત્યારે તે વિદ્યાધરો સ્થિર થઈ
ગયા, તેમણે મુખ નીચા કરી લીધા, મુખની છાયા જુદા જ પ્રકારની થઈ ગઈ, કાંઈ
જવાબ ન આપ્યો. આથી રામે તેમનો અભિપ્રાય જાણી લીધો કે એમના હૃદયમાં

Page 387 of 660
PDF/HTML Page 408 of 681
single page version

background image
પદ્મપુરાણ અડતાળીસમું પર્વ ૩૮૭
રાવણનો ભય છે, મંદ દ્રષ્ટિથી તેમની તરફ જોયું. ત્યારે તે કહેવા લાગ્યા, અમને આપ
કાયર માનો છો. લજ્જિત થઈ, હાથ જોડી, શિર નમાવી કહેવા લાગ્યા, હે દેવ! જેમનું
નામ સાંભળતાં અમને ભય ઉપજે છે, તેની વાત અમે કેવી રીતે કહીએ? ક્યાં અમે
અલ્પ શક્તિના ધણી અને ક્યાં તે લંકાનો સ્વામી, માટે તમે આ હઠ છોડો, હવે વસ્તુ
ગઈ જાણો. અથવા તમારે સાંભળવું હોય તો અમે બધી હકીકત કહીએ, તે આપના
હૃદયમાં અવધારો. લવણ સમુદ્રમાં રાક્ષસદ્વીપ પ્રસિદ્ધ છે, અદ્ભુત સંપદાથી ભરેલો છે, તે
સાતસો યોજન પહોળો છે અને પ્રદક્ષિણા કરતાં એકવીસસો યોજનથી કાંઈક અધિક તેનું
પરિધ છે. તેની મધ્યમાં સુમેરું તુલ્ય ત્રિકૂટાચલ પર્વત છે, તે નવ યોજન ઊંચો, પચાસ
યોજન વિસ્તારરૂપ, નાના પ્રકારના મણિ અને સ્વર્ણથી મંડિત છે તે પહેલાં રાક્ષસોના ઇન્દ્રે
મેઘવાહનને આપ્યા હતો. તે ત્રિકૂટાચલના શિખર ઉપર લંકા નામની નગરી છે, રત્નોથી
શોભાયમાન છે, ત્યાં વિમાન સમાન ઘર છે, અનેક ક્રીડા કરવાના નિવાસ છે, ત્રીસ
યોજનના વિસ્તારરૂપ લંકાપુરી ઊંચા કોટ અને ખાઈથી મંડિત છે, જાણે બીજી વસુંધરા જ
છે. લંકાની ચારે બાજુએ મોટાં મોટાં રમણીય સ્થાનકો છે, અતિ મનોહર, મણિસુવર્ણમય
રાક્ષસોનાં સ્થાનકો છે, તેમાં રાવણના કુટુંબીજનો રહે છે. સંધ્યાકાર, સુવેલ, કાંચન, દ્વાદન,
પોધન, હંસ, હરિ, સાગરઘોષ, અર્ધસ્વર્ગ ઇત્યાદિ મનોહર સ્થાનકો વન-ઉપવન આદિથી
શોભિત દેવલોક સમાન છે. જેમાં ભાઈઓ, પુત્ર મિત્રો, સ્ત્રી, બાંધવ, સેવકો સહિત
લંકાપતિ રમે છે તેને વિદ્યાધરોની સાથે ક્રીડા કરતો જોઈને લોકોને એવી શંકા ઉપજે છે
જાણે દેવો સહિત ઇન્દ્ર જ રમે છે. જેને મહાબળવાન વિભીષણ જેવો ભાઈ છે, બીજાઓથી
તે યુદ્ધમાં જિતાય એવો નથી, તેના જેવી બુદ્ધિ દેવોમાં નથી, તેના જેવો બીજો કોઈ
માણસ નથી, તેના જ વડે રાવણનું રાજ્ય પૂર્ણ છે અને રાવણનો ભાઈ કુંભકર્ણ ત્રિશૂળનો
ધારક છે તેની યુદ્ધ સમયે વક્ર ભ્રમરો દેવો પણ જોઈ શકે તેમ નથી તો મનુષ્યોની તો શી
વાત? રાવણનો પુત્ર ઇન્દ્રજિત પૃથ્વી પર પ્રસિદ્ધ છે, જેના મોટા મોટા સામંતો સેવકો છે,
જાતજાતની વિદ્યાના ધારક, શત્રુઓને જીતનારા, જેનું છત્ર પૂર્ણ ચંદ્રમા સમાન છે, જેને
જોઈને વેરી ગર્વ તજે છે, જેણે સદાય રણસંગ્રામમાં જીત જ મેળવી છે અને સુભટપણાનું
બિરુદ પ્રગટ કર્યું છે, તે રાવણનું છત્ર જોઈને સર્વનો ગર્વ ગળી જાય છે. રાવણનું ચિત્ર
જુએ અથવા નામ સાંભળે ત્યાં શત્રુ ભય પામે છે, એવા રાવણ સાથે યુદ્ધ કોણ કરી
શકે? માટે એ વાત જ ન કરવી, બીજી વાત કરો. વિદ્યાધરોના મુખેથી આ વાત
સાંભળીને લક્ષ્મણ બોલ્યા, જાણે કે મેઘ ગર્જ્યો. તમે આટલી પ્રશંસા કરો છે તે બધી
મિથ્યા છે. જો તે બળવાન હોત તો પોતાનું નામ છુપાવીને સ્ત્રીને ચોરીને શા માટે લઈ
ગયો? તે પાખંડી અતિકાયર, અજ્ઞાની, પાપી, નીચ રાક્ષસમાં રંચમાત્ર પણ શૂરવીરતા
નથી. રામે કહ્યું, વધારે કહેવાથી શો ફાયદો? સીતાના સમાચાર મેળવવા જ અઘરા હતા.
હવે પત્તો લાગ્યો એટલે બસ સીતા આવી ચૂકી. તમે કહો છો કે બીજી વાત કરો, બીજો
વિચાર કરો તો અમારે બીજું કાંઈ કહેવાનું છે નહિ, બીજું કાંઈ વિચારવાનું છે નહિ.
સીતાને લાવવી એ જ ઉપાય છે. રામનાં

Page 388 of 660
PDF/HTML Page 409 of 681
single page version

background image
૩૮૮ અડતાળીસમું પર્વ પદ્મપુરાણ
વચન સાંભળી વૃદ્ધ વિદ્યાધર ક્ષણેક વિચાર કરીને બોલ્યો કે હે દેવ! શોક તજો, અમારા
સ્વામી થાવ અને અનેક વિદ્યાધરોની પુત્રીઓ જે ગુણોમાં દેવાંગના સમાન છે, તેમના
પતિ થાવ અને બધું દુઃખ ભૂલી જાવ. ત્યારે રામે કહ્યું, અમારે બીજી સ્ત્રીઓનું પ્રયોજન
નથી, જો શચિ સમાન સ્ત્રી હોય તો પણ અમને તેની અભિલાષા નથી. જેનામાં અમારી
પ્રીતિ છે તે સીતા અમને શીઘ્ર જ બતાવો. ત્યારે જાંબુનદ કહેવા લાગ્યા કે હે પ્રભો! આ
હઠ છોડો. એક તુચ્છ પુરુષે કૃત્રિમ મોરની હઠ કરી હતી તેની પેઠે સ્ત્રીની હઠથી દુઃખી ન
થાવ. તે કથા સાંભળો. એક વેણાતર ગ્રામમાં સર્વરુચિ નામના ગૃહસ્થને વિનયદત્ત નામનો
પુત્ર હતો, તેની માતાનું નામ ગુણપૂર્ણા હતું. વિનયદત્તને વિશાલભૂત નામનો મિત્ર હતો,
તે પાપી વિનયદત્તની સ્ત્રી પ્રત્યે આસક્ત થયો. તે સ્ત્રીના વચનથી વિનયદત્તને કપટ કરી
વનમાં લઈ ગયો ત્યાં એક વૃક્ષ ઉપર તેને બાંધી તે દુષ્ટ ઘેર પાછો આવતો રહ્યો. કોઈ
તેને વિનયદત્તના સમાચાર પૂછતું તો તેને ખોટા ઉત્તરો આપી પોતે સાચો બની રહેતો.
હવે જ્યાં વિનયદત્તને બાંધ્યો હતો ત્યાં એક ક્ષુદ્ર નામનો પુરુષ આવ્યો અને વૃક્ષની નીચે
બેઠો. વૃક્ષ અત્યંત સઘન હતું, વિનયદત્ત ઉપરથી કરગરતો હતો. ક્ષુદ્રે ઊંચે જોયું તો એક
માણસને દ્રઢ બંધનથી વૃક્ષની શાખાના અગ્રભાગમાં બાંધેલો હતો. ક્ષુદ્ર દયા લાવીને ઉપર
ચડયો અને વિનયદત્તને બંધનમાંથી મુક્ત કર્યો. વિનયદત્ત ધનવાન હતો, તે ક્ષુદ્રને
ઉપકારી જાણીને પોતાને ઘેર લઈ ગયો. તેને ભાઈથી પણ અધિક રાખતો. વિનયદત્તના
ઘરમાં આનંદ વ્યાપી ગયો. પેલો કુમિત્ર વિશાળભૂત દૂર ભાગી ગયો. હવે ક્ષુદ્ર
વિનયદત્તનો પરમ મિત્ર થયો. તે ક્ષુદ્રનો એક રમવાનો પાંદડાનો બનાવેલો મોર હતો તે
પવનથી ઊડી ગયો અને રાજપુત્રના ઘેર જઈને પડયો. તે તેણે રાખી લીધો. ક્ષુદ્ર તેના
નિમિત્તે ખૂબ દુઃખી થઈને મિત્રને કહેવા લાગ્યો કે ભાઈ, મને જો જીવતો ઇચ્છતો હો તો
મારો તે જ મયૂર લાવી આપ. વિનયદત્તે કહ્યું કે હું તને રત્નમય મયૂર કરાવી આપું
અથવા સાચો મોર મંગાવી આપું. તે પત્રમય મોર પવનથી ઊડી ગયો છે એ રાજપુત્રે
રાખી લીધો છે, હું કેવી રીતે લાવી શકું? ક્ષુદ્રે કહ્યું કે હું તો તે જ લઈશ, રત્નોનો પણ
નહિ લઉં અને સાચો પણ નહિ લઉં. વિનયદત્તે કહ્યું જે ચાહે તે લ્યો, તે મારા હાથમાં
નથી. ક્ષુદ્ર વારંવાર તે જ માગતો. હવે તે તો મૂઢ હતો અને તમે તો પુરુષોત્તમ છો. તમે
પુરુષોત્તમ થઈને આમ કેમ ભૂલો છો? તે પત્રોનો મોર રાજપુત્રના હાથમાં ગયો હતો તે
વિનયદત્ત કેવી રીતે લાવી શકે? માટે અનેક વિદ્યાધરોની પુત્રીઓ, જેમનો વર્ણ સુવર્ણ
સમાન હોય, જેમના નેત્ર સફેદ, શ્યામ અને લાલ કમળ જેવા હોય, જેમનાં સુંદર પુષ્ટ
સ્તન હોય, જેમની જંઘા કેળ સમાન હોય અને મુખની કાંતિથી શરદની પૂર્ણમાસીના
ચંદ્રમાને જીતતી હોય એવી મનોહર ગુણોની ધરનારીના પતિ થાવ. હે રઘુનાથ!
મહાભાગ્ય! અમારા ઉપર કૃપા કરો, આ દુઃખ વધારનાર શોક, સંતાપ છોડો, ત્યારે
લક્ષ્મણ બોલ્યા, હે જાંબુનદ! તેં આ દ્રષ્ટાંત બરાબર ન આપ્યું. અમે કહીએ છીએ તે
સાંભળ. એક કુસુમપુર નામનું નગર હતું. ત્યાં એક પ્રભવ નામનો ગૃહસ્થ રહેતો. તેને
યમુના નામની

Page 389 of 660
PDF/HTML Page 410 of 681
single page version

background image
પદ્મપુરાણ અડતાળીસમું પર્વ ૩૮૯
સ્ત્રી અને ધનપાલ, બંધુપાલ, ગૃહપાલ, પશુપાલ, ક્ષેત્રપાલ એ પાંચ પુત્રો હતા. એ પાંચેય
પુત્ર યથાર્થ ગુણોના ધારક, ધન કમાનાર કુટુંબનું પાલન કરનાર, સદા લૌકિક કાર્યો કરતા.
ક્ષણમાત્ર પણ આળસ ન કરતા. આ સૌના કરતા નાનો આત્મશ્રેય કુમાર નામનો પુત્ર
પુણ્યના યોગથી દેવો સમાન ભોગ ભોગવતો. તેને માતાપિતા અને મોટા ભાઈઓ કડવાં
વચન કહેતાં. એક દિવસ આ માની કુમાર નગરની બહાર ભ્રમણ કરતો હતો, તેનું શરીર
કોમળ હતું તેથી તે ખેદખિન્ન હતો, કોઈ ઉદ્યમ કરવાને અસમર્થ હતો, પોતાનું મરણ
ઇચ્છતો હતો તે જ સમયે તેના પૂર્વના પુણ્યકર્મના ઉદયથી એક રાજપુત્ર તેને જોઈને
કહેવા લાગ્યો-હે મનુષ્ય! હું પૃથુસ્થાન નગરના રાજાનો પુત્ર ભાનુકુમાર છું, હું પરદેશમાં
ભ્રમણ કરવા ગયો હતો. મેં અનેક દેશ જોયા. પૃથ્વી પર ભ્રમણ કરતાં હું દૈયયોગે કર્મપુર
નામના નગરમાં ગયો. ત્યાં એક નિમિત્તજ્ઞાની પુરુષની સાથે રહ્યો. તેણે મને દુઃખી
જાણીને, કરુણા કરીને આ મંત્રમય લોઢાનું કડું આપ્યું અને કહ્યું કે આ કડું સર્વ રોગોનું
નાશક છે, બુદ્ધિવર્ધક છે, ગ્રહ સર્પ પિશાચાદિને વશ કરી શકે છે ઇત્યાદિ અનેક ગુણવાળું
છે તે તું રાખ. આમ કહીને મને આપ્યું અને કહ્યું કે હવે મારે રાજ્યનો ઉદય આવ્યો છે,
હું રાજ્ય કરવા મારા નગરમાં જાઉં છું, આ કડું હું તને આપું છું. તું આપઘાત ન કર. જે
વસ્તુ આપણી પાસે આવી હોય, તેનાથી આપણું કાર્ય કરી લઈ તે બીજાને આપી દઈએ
તો એ મહાફળદાયક છે, લોકમાં આવા પુરુષોને માણસો પૂજે છે. આમ કહી રાજકુમારે
આત્મશ્રેયને પોતાનું કડું આપી દીધું અને પોતે નગરમાં ગયો. અને આ કડું લઈને
પોતાને ઘેર આવ્યો. તે જ દિવસે તે નગરના રાજાની રાણીને સર્પ કરડયો હતો તેથી તે
નિશ્ચેષ્ટ થઈ ગઈ હતી. તેને મરેલી જાણીને બાળવા માટે લાવ્યા હતા ત્યાં આત્મશ્રેયે
મંત્રમય લોઢાના કડાના પ્રસાદથી તેને વિષરહિત કરી. પછી રાજાએ તેને ઘણું ધન
આપીને ખૂબ સત્કાર કર્યો. આત્મશ્રેયે કડાના પ્રસાદથી મહાન ભોગોની સામગ્રી મેળવી.
હવે તે બધા ભાઈઓમાં મુખ્ય બની ગયો, પુણ્યકર્મના પ્રભાવથી પૃથ્વી પર પ્રસિદ્ધ થયો.
તે એક દિવસ કડાને વસ્ત્રમાં બાંધીને સરોવરે ગયો, ત્યાં એક ઘો આવી કડું લઈ મોટા
વૃક્ષની નીચે ઊંડા દરમાં પેસી ગઈ. દર શિલા વડે ઢંકાયેલું હતું. ઘો દરમાં બેસીને ભયંકર
અવાજ કરતી હતી. આત્મશ્રેયે જાણ્યું કે ઘો કડું દરમાં લઈ ગઈ છે અને ગર્જના કરે છે.
પછી આત્મશ્રેયે વૃક્ષને મૂળમાંથી ઉખાડી નાખ્યું, શિલા દૂર કરી અને ઘોનું દર ખોદી
નાખ્યું. તેમાંથી પણ તેને ઘણું ધન મળ્‌યું. એમ રામ તે આત્મશ્રેય છે અને સીતા કડા
સમાન છે, લંકા બિલ સમાન છે, રાવણ ઘો સમાન છે. માટે હે વિદ્યાધરો! તમે નિર્ભય
થાવ. જાંબુનદનાં વચનોનું ખંડન કરનારા લક્ષ્મણનાં આ વચનો સાંભળીને વિદ્યાધરો
આશ્ચર્ય પામ્યા.
પછી જાંબુનદ આદિ બધા રામને કહેવા લાગ્યા, હે દેવ! અનંતવીર્ય યોગીન્દ્રને
રાવણે નમસ્કાર કરીને પોતાના મૃત્યુનું કારણ પૂછયું હતું, ત્યારે અનંતવીર્યની દિવ્ય ધ્વનિ
થઈ કે જે કોટિશિલા ઉપાડશે તેનાથી તારું મૃત્યુ છે. સર્વજ્ઞના તે વચન સાંભળી રાવણે
વિચાર્યુ કે એવો

Page 390 of 660
PDF/HTML Page 411 of 681
single page version

background image
૩૯૦ અડતાળીસમું પર્વ પદ્મપુરાણ
ક્યો પુરુષ હોય જે કોટિશિલાને ઊંચકી શકે? વિદ્યાધરોનાં આ વચન સાંભળી લક્ષ્મણ
બોલ્યા કે હું અત્યારે જ ત્યાં યાત્રા માટે જઈશ. ત્યારે બધા પ્રમાદ તજીને એમની સાથે
થયા. જાંબુનદ, મહાબુદ્ધિ, સુગ્રીવ, વિરાધિત, અર્કમાલી, નળ, નીલ, ઇત્યાદિ પ્રસિદ્ધ પુરુષો
રામ-લક્ષ્મણને વિમાનમાં બેસાડીને કોટિશિલા તરફ ચાલ્યા. અંધારી રાત્રે તરત જ જઈ
પહોંચ્યા. શિલાની સમીપે ઊતર્યા, શિલા અત્યંત મનોહર, સુરનર-અસુરોથી નમસ્કાર
કરવા યોગ્ય હતી. એ બધી દિશાઓમાં સામંતોને રક્ષક તરીકે મૂકીને શિલાની યાત્રાએ
ગયા, હાથ જોડી, શિર નમાવી, નમસ્કાર કર્યા. સુગંધી કમળોથી તથા અન્ય પુષ્પોથી
શિલાની પૂજા કરી, ચંદનનો લેપ કર્યો. તે શિલા જાણે સાક્ષાત્ શચિ જ હોય તેવી શોભવા
લાગી. તેના પર જે સિદ્ધ થયા હતા તેમને નમસ્કાર કરી, હાથ જોડી ભક્તિથી શિલાની
ત્રણ પ્રદક્ષિણા દીધી. સર્વ વિધિમાં પ્રવીણ લક્ષ્મણ કમર બાંધી અત્યંત વિનયપૂર્વક નમોકાર
મંત્રમાં લીન થઈ મહાભક્તિથી સ્તુતિ કરવા ઉદ્યમી થયા. સુગ્રીવાદિ વાનરવંશી બધા
જયજયકારના અવાજથી સ્તોત્ર ભણવા માંડયા. બધા જ એકાગ્રચિત થઈને સિદ્ધોની
સ્તુતિ કરે છે; જે ભગવાન સિદ્ધ ત્રણલોકના શિખર પર મહાદેદીપ્યમાન છે અને જે સિદ્ધ
સ્વરૂપમાત્ર સત્તાથી અવિનશ્વર છે, જેમને હવે જન્મ નથી, જે અનંતવીર્ય સંયુક્ત છે,
પોતાના સ્વભાવમાં લીન છે, મહાસમીચીનતા યુક્ત છે, સમસ્ત કર્મરહિત છે, સંસાર
સમુદ્રના પારગામી છે, કલ્યાણમૂર્તિ, આનંદપિંડ, કેવળજ્ઞાન, કેવળદર્શનના આધાર,
પુરુષાકાર, પરમ સૂક્ષ્મ, અમૂર્તિ, અગુરુલઘુ, અસંખ્યાત-પ્રદેશી, અનંતગુણરૂપ, સર્વને એક
સમયમાં જાણે છે, સર્વ સિદ્ધ સમાન, કૃતકૃત્ય, જેમને કોઈ કાર્ય કરવાનું રહ્યું નથી, સર્વથા
શુદ્ધભાવ, સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર સર્વ ભાવના જ્ઞાતા, નિરંજન, આત્મજ્ઞાનરૂપ, શુક્લ
ધ્યાનાગ્નિથી અષ્ટકર્મ વનને ભસ્મ કરનાર અને મહાપ્રકાશરૂપ પ્રતાપના પુંજ, જેમને ઇન્દ્ર
ધરણેન્દ્ર ચક્રવર્ત્યાદિ પૃથ્વીના નાથ બધા જ સેવે છે. આ પ્રમાણે મહાસ્તુતિ કરી. તે
ભગવાન સંસારના પ્રપંચથી રહિત, પોતાના આનંદસ્વભાવરૂપ અનંતા સિદ્ધ થયા અને
અનંત થશે. અઢી દ્વીપમાં મોક્ષનો માર્ગ પ્રવર્તે છે, એકસો સાઠ મહાવિદેહ અને પાંચ
ભરત, પાંચ ઐરાવત અને એકસો સીત્તેર ક્ષેત્ર, તેમાંથી આર્યખંડમાંથી જે સિદ્ધ થયા અને
થશે તે બધાને અમારા નમસ્કાર હો. આ ભરતક્ષેત્રમાં આ કોટિશિલા, અહીંથી જે
સિદ્ધશિલાને પ્રાપ્ત થયા તે અમારું કલ્યાણ કરો. જીવોને મહામંગળરૂપ, આ પ્રમાણે
ચિરકાળ સુધી સ્તુતિ કરીને ચિત્તમાં સિદ્ધોનું ધ્યાન કરીને બધા જ લક્ષ્મણને આશીર્વાદ
દેવા લાગ્યા.
આ કોટિશિલાથી જે સિદ્ધ થયા છે તે સર્વ તમારું વિઘ્ન હરો, અરહિંત, સિદ્ધ,
સાધુ, જિનવાણી એ સર્વ તમને મંગળરૂપ થાવ, આ પ્રમાણે અવાજ કરવા લાગ્યાં અને
લક્ષ્મણે સિદ્ધોનું ધ્યાન કરી શિલા ઢીંચણ જેટલી ઊંચી ઉપાડી લીધી ત્યારે આકાશમાં દેવો
જય જય શબ્દ બોલવા લાગ્યા. સુગ્રીવાદિક આશ્ચર્ય પામ્યા. કોટિશિલાની યાત્રા કરીને
પછી સમ્મેદશિખર ગયા અને કૈલાસની યાત્રા કરી. ભરતક્ષેત્રના સર્વ તીર્થોની વંદના કરી,
પ્રદક્ષિણા કરી, સાંજના સમયે

Page 391 of 660
PDF/HTML Page 412 of 681
single page version

background image
પદ્મપુરાણ અડતાળીસમું પર્વ ૩૯૧
વિમાનમાં બેસી જયજયકાર કરતાં રામ-લક્ષ્મણની સાથે કિહકંધાપુર આવ્યા. સૌ
પોતપોતાના સ્થાનકે સૂખપૂર્વક સૂઈ ગયાં. સવાર થયું અને બધા પરસ્પર એકત્ર થઈને
વાતો કરવા લાગ્યા. જુઓ, હવે થોડા જ દિવસોમાં આ બન્ને ભાઈઓનું રાજ્ય નિષ્કંટક
થશે. એ પરમ શક્તિવાળા છે. તે નિર્વાણશિલા આણે ઉપાડી માટે એ સામાન્ય માણસ
નથી, આ લક્ષ્મણ રાવણને નિઃસંદેહ મારશે. ત્યારે કેટલાકે કહ્યું કે રાવણે કૈલાસ ઊંચક્યો
હતો તે આના પરાક્રમથી ઊતરતું નહોતું ત્યારે બીજા કહેવા લાગ્યા કે તેણે કૈલાસ વિદ્યાના
બળથી ઊંચક્યો હતો તેથી આશ્ચર્યકારી ન કહેવાય. તો કેટલાક કહેવા લાગ્યા કે શા માટે
વિવાદ કરો છો, જગતના કલ્યાણ માટે એમનું અને આમનું હિત કરાવી આપો, એના
જેવું બીજું કાંઈ નથી. રાવણ પાસેથી પ્રાર્થના કરીને સીતા લાવી રામને સોંપો, યુદ્ધનું શું
કામ છે? અગાઉ મહાબળવાન તારકમેરુ થયા હતા તે સંગ્રામમાં માર્યા ગયા. તે ત્રણ
ખંડના અધિપતિ, મહાન ભાગ્યશાળી, મહાપરાક્રમી હતા અને બીજા પણ અનેક રાજા
રણમાં હણાઈ ગયા હતા. માટે સામ એટલે કે પરસ્પર મૈત્રી રાખવી એ ઉત્તમ છે. પછી
એ વિદ્યાની વિધિમાં પ્રવીણ પરસ્પર મંત્રણા કરીને શ્રી રામ પાસે આવ્યા, અત્યંત
ભક્તિથી રામની સમીપે નમસ્કાર કરીને બેઠા. ઇન્દ્રની સમીપમાં દેવની જેવા તે શોભતા
હતા. સૌના નેત્રોને આનંદનું કારણ રામ કહેવા લાગ્યા, હવે તમે શા માટે ઢીલ કરો છો?
મારા વિના જાનકી લંકામાં અત્યંત દુઃખમાં રહે છે, માટે લાંબો વિચાર છોડીને અત્યારે જ
લંકા તરફ ઉપડવાની તૈયારી કરો. ત્યારે સુગ્રીવના જાંબુનદ આદિ રાજનીતિમાં પ્રવીણ
મંત્રીઓ રામને વિનંતી કરવા લાગ્યા કે હે દેવ! અમારે ઢીલ નથી, પરંતુ એ નક્ક્ી કરીને
કહો કે સીતાને લાવવાનું જ પ્રયોજન છે કે રાક્ષસો સાથે યુદ્ધ કરવું છે? આ સામાન્ય યુદ્ધ
નથી, વિજય મેળવવો અત્યંત મુશ્કેલ છે. તે ભરતક્ષેત્રના ત્રણ ખંડનું નિષ્કંટક રાજ્ય કરે
છે. દ્વીપસમુદ્રોમાં રાવણ પ્રસિદ્ધ છે, જંબૂદ્વીપમાં તેનો મહિમા અધિક છે, તે અદ્ભુત કાર્ય
કરી શકે છે. બધાનાં હૃદયનું શલ્ય છે, તેથી યુદ્ધ કરવું યોગ્ય નથી તેથી યુદ્ધની વાત છોડી
અમે જે કહીએ તે પ્રમાણે કરો. હે દેવ! તેને યુદ્ધ સન્મુખ કરવામાં જગતને મહાન કલેશ
ઉપજે છે, પ્રાણીઓના સમૂહનો વિનાશ થાય છે, જગતમાંથી સમસ્ત ઉત્તમ ક્રિયા નાશ
પામે છે. માટે રાવણનો ભાઈ વિભીષણ જે પાપકર્મરહિત છે, શ્રાવકના વ્રતનો ધારક છે,
રાવણ તેનાં વચનો ટાળતો નથી, તે બન્ને ભાઈઓમાં અંતરાયરહિત પરમ પ્રીતિ છે તેથી
વિભીષણ ચતુરાઈથી તેને સમજાવશે અને રાવણ પણ અપયશથી ડરશે, લજ્જાથી સીતાને
મોકલી દેશે માટે વિચાર કરીને રાવણ પાસે એવા પુરુષને મોકલવો જે વાત કરવામાં
પ્રવીણ હોય અને રાજનીતિમાં કુશળ હોય, અનેક રાજનીતિ જાણતો હોય અને રાવણનો
કૃપાપાત્ર હોય, એવો કોઈ ગોતી કાઢો. તે વખતે મહોદધિ નામના વિદ્યાધરે કહ્યું કે
સાંભળ્‌યું છે કે લંકાની ચારે તરફ માયામયી યંત્રોની રચના કરી છે તેથી આકાશમાર્ગે કોઈ
જઈ શકે તેમ નથી, પૃથ્વીના માર્ગથી પણ જઈ શકે તેમ નથી. લંકા અગમ્ય છે,
મહાભયંકર, જોઈ ન શકાય એવા માયામયી યંત્ર બનાવ્યાં છે તો અહીં જેટલા બેઠા છે
તેમાંથી તો કોઈ

Page 392 of 660
PDF/HTML Page 413 of 681
single page version

background image
૩૯૨ ઓગણપચાસમું પર્વ પદ્મપુરાણ
એવો નથી જે લંકામાં પ્રવેશ કરી શકે, માટે પવનંજયના પુત્ર શ્રી શૈલ જેને હનુમાન કહે
છે તે મહાવિદ્યાના ધારક, બળવાન, પરાક્રમી પ્રતાપરૂપ છે તેની શોધ કરો. વળી તે
રાવણનો પરમ મિત્ર છે અને પુરુષોત્તમ છે. તે રાવણને સમજાવીને વિઘ્ન ટાળશે. ત્યારે
બધાએ આ વાત માન્ય રાખી. હનુમાન પાસે શ્રીભૂત નામના દૂતને શીઘ્ર મોકલવામાં
આવ્યો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન્! મહાબુદ્ધિમાન હોય અને
મહાન શક્તિના ધારક હોય તે ઉપાય કરે તો પણ હોનહાર હોય તે જ થાય; જેમ
ઉદયકાળે સૂર્યનો ઉદય થાય જ તેમ જ જે હોનહાર હોય તે થાય જ.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં કોટિશિલા ઊંચકવાનું વ્યાખ્યાન
વર્ણવનાર અડતાળીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
ઓગણપચાસમું પર્વ
(હનુમાનનું લંકામાં પ્રસ્થાન)
ત્યારપછી શ્રીભૂત નામનો દૂત પવનના વેગે શીઘ્ર આકાશમાર્ગે લક્ષ્મીના
નિવાસસ્થાન એવા શ્રીપુરનગરમાં ગયો. શ્રીપુરનગર અનેક જિનભવનોથી શોભિત હતું.
નગરના મહેલો સુવર્ણ રત્નમય માળાઓથી મંડિત, કુંદપુષ્પ સમાન ઉજ્જવળ, સુંદર
ઝરૂખાથી શોભિત, મનોહર ઉપવનોથી રમણીક હતા. દૂત નગરની શોભા અને નગરના
અપૂર્વ લોકોને જોઈને આશ્ચર્ય પામ્યો. ઇન્દ્રના મહેલ જેવો રાજમહેલ અને ત્યાંની અદ્ભુત
રચના જોઈ ચકિત થઈ ગયો. ખરદૂષણની પુત્રી, રાવણની ભાણેજ અનંગકુસુમા
ખરદૂષણના મૃત્યુથી શોકમગ્ન હતી, કર્મના ઉદયથી શુભ-અશુભનું ફળ જીવ પામે છે. તેને
રોકવા કોઈ શક્તિમાન નથી; મનુષ્યની તો કઈ શક્તિ છે, દેવોથી પણ અન્યથા થઈ શકતું
નથી. દૂતે દરવાજે આવીને પોતાના આગમનના સમાચાર કહ્યા તેથી અનંગકુસુમાની
મર્યાદા નામની દ્વારપાલની રક્ષિકા દૂતને અંદર લઈ ગઈ. અનંગકુસુમાએ બધી હકીકત
પૂછી તે શ્રીભૂતે નમસ્કાર કરીને વિસ્તારથી કહી. દંડકવનમાં શ્રી રામ-લક્ષ્મણનું આગમન,
શંબૂકનો વધ, ખરદૂષણ સાથે યુદ્ધ, મોટા મોટા સુભટો સાથે ખરદૂષણનું મરણ; આ વાત
સાંભળી અનંગકુસુમા મૂર્ચ્છિત બની ગઈ. પછી ચંદનના જળનો છંટકાવ કરીને તેને
જાગ્રત કરી. અનંગકુસુમા આંસુ સારતી વિલાપ કરવા લાગી, અરે પિતા! અરે ભાઈ!
તમે ક્યાં ગયા? એક વાર મને દર્શન દો, મારી સાથે વાર્તાલાપ કરો, મહાભયાનક વનમાં
ભૂમિગોચરીઓએ તમને કેવી રીતે હણ્યા? આ પ્રમાણે પિતા અને ભાઈના મૃત્યુના
દુઃખથી ચંદ્રનખાની પુત્રી દુઃખી થઈ. તેને સખીઓએ ઘણી મહેનતે શાંત કરી. જે પ્રવીણ
અને ઉત્તમજનો હતા તેમણે ઘણું સંબોધન કર્યું. પછી એણે જિનમાર્ગમાં પ્રવીણ અને
સમસ્ત સંસારનું સ્વરૂપ જાણી લોકાચારની

Page 393 of 660
PDF/HTML Page 414 of 681
single page version

background image
પદ્મપુરાણ ઓગણપચાસમું પર્વ ૩૯૩
રીતે પિતાના મૃત્યુની ક્રિયા કરી. પછી અત્યંત શોકપૂર્ણ હનુમાને દૂતને સકળ વૃત્તાંત
પૂછયો. ત્યારે તેણે સકળ વૃત્તાંત કહ્યો. હનુમાન ખરદૂષણના મરણથી અત્યંત કોપ પામ્યા,
ભ્રમર વાંકી થઈ ગઈ, મુખ અને નેત્ર લાલ થઈ ગયા. ત્યારે દૂતે તેમનો કોપ દૂર કરવા
માટે મધુર સ્વરથી વિનંતી કરી કે હે દેવ! કિહકંધાપુરના સ્વામી સુગ્રીવને દુઃખ ઉપજ્યું
હતું તે તો આપ જાણો જ છો. સાહસગતિ વિદ્યાધર સુગ્રીવનું રૂપ બનાવીને આવ્યો હતો
તેથી દુઃખી થઈને સુગ્રીવ શ્રી રામને શરણે ગયા હતા તેથી રામ સુગ્રીવનું દુઃખ મટાડવા
કિહકંધાપુર આવ્યા. પ્રથમ તો સુગ્રીવ અને તેની વચ્ચે યુદ્ધ થયું, તે સુગ્રીવથી જિતાયો
નહિ. પછી શ્રી રામ અને તેની વચ્ચે યુદ્ધ થયું. ત્યાં રામને જોઈને વૈતાલી વિદ્યા ભાગી
ગઈ એટલે તે સાહસગતિ સુગ્રીવના રૂપ વિનાનો જેવો હતો તેવો થઈ ગયો. મહાયુદ્ધમાં
રામે તેને માર્યો અને સુગ્રીવનું દુઃખ દૂર કર્યું. આ વાત સાંભળી હનુમાનનો ક્રોધ જતો
રહ્યો, મુખકમળ ખીલ્યું અને આનંદ પામી કહેવા લાગ્યા-અહો! શ્રી રામે અમારા પર
મોટો ઉપકાર કર્યો. સુગ્રીવનું કુળ અપકીર્તિના સાગરમાં ડૂબ્યું હતું, તેને શીઘ્ર ઉગાર્યું.
સુવર્ણકળશરૂપ સુગ્રીવનું ગોત્ર અપયશરૂપ ઊંડા કૂવામાં ડૂબતું હતું તેને સન્મતિના ધારક
શ્રી રામે ગુણરૂપ હસ્ત વડે કાઢયું. આ પ્રમાણે હનુમાને ખૂબ પ્રશંસા કરી અને
સુખસાગરમાં મગ્ન થયા. હનુમાનની બીજી સ્ત્રી સુગ્રીવની પુત્રી પદ્મરાગા પિતાના શોકનો
અભાવ સાંભળી હર્ષિત થઈ. તેને ખૂબ ઉત્સાહ આવ્યો. તેણે દાન-પૂજાદિ અનેક શુભકાર્ય
કર્યાં. હનુમાનના ઘરમાં અનંગકુસુમાને ત્યાં ખરદૂષણનો શોક થયો અને પદ્મરાગાને
સુગ્રીવનો આનંદ થયો. આ પ્રમાણે વિષમતા પામેલા ઘરના માણસોનું સમાધાન કરી
હનુમાન કિહકંધાપુર તરફ નીકળ્‌યા. મહાઋદ્ધિથી સેના સહિત હનુમાન ચાલ્યા, આકાશમાં
અધિક સેના થઈ. હનુમાનના રત્નમયી વિમાનનાં કિરણોથી સૂર્યની પ્રભા મંદ થઈ ગઈ.
હનુમાનને ચાલતા સાંભળીને અનેક રાજા તેમની સાથે થઈ ગયા જેમ ઇન્દ્રની સાથે મોટા
મોટા દેવ ગમન કરે છે તેમ આગળ-પાછળ, ડાબે -જમણે બીજા અનેક રાજા ચાલ્યા જાય
છે, વિદ્યાધરોના અવાજથી આકાશ અવાજમય થઈ ગયું. આકાશગામી અશ્વ અને ગજના
સમૂહથી આકાશ ચિત્રો જેવું થઈ ગયું. મહાન અશ્વો સાથે, ધજાઓથી શોભિત સુંદર રથો
વડે આકાશ શોભાયમાન ભાસતું હતું. ઉજ્જવળ છત્રોના સમૂહથી શોભિત આકાશ એવું
ભાસતું જાણે કે કુમુદોનું વન જ છે. ગંભીર દુંદુભિના શબ્દોથી દશે દિશાઓ ધ્વનિરૂપ થઈ
ગઈ જાણે કે મેઘ ગાજતા હોય. અનેક વર્ણનાં આભૂષણોની જ્યોતિના સમૂહથી આકાશ
ભિન્ન ભિન્ન રંગરૂપ થઈ ગયું. જાણે કે કોઈ ચતુર રંગરેજનું રંગેલું વસ્ત્ર હોય.
હનુમાનના વાજિંત્રોના અવાજ સાંભળી કપિવંશી આનંદ પામ્યા, જેમ મેઘનો ધ્વનિ
સાંભળી મોર હર્ષિત થાય છે. સુગ્રીવે આખા નગરની શોભા કરાવી, બજારો-દુકાનો
રંગાવી, મકાનો પર ધજા લહેરાવી, રત્નોનાં તોરણોથી દ્વાર શોભાવ્યાં. બધા હનુમાનની
સામે આવ્યા, સૌના પૂજ્ય દેવોની પેઠે નગરમાં પ્રવેશ્યા. સુગ્રીવના મહેલે આવ્યા, સુગ્રીવે
બહુ જ આદર આપ્યો અને શ્રી રામનો સમસ્ત વૃત્તાંત કહ્યો. તે જ વખતે સુગ્રીવાદિક
હનુમાન સહિત

Page 394 of 660
PDF/HTML Page 415 of 681
single page version

background image
૩૯૪ ઓગણપચાસમું પર્વ પદ્મપુરાણ
અત્યંત આનંદ પામતા શ્રી રામની પાસે આવ્યા હનુમાન રામને જોવા લાગ્યા. અત્યંત
સુંદર, સૂક્ષ્મ, સ્નિગ્ધ, શ્યામ, સુગંધી, વક્ર, લાંબા જેમના કેશ છે, લક્ષ્મીરૂપ વેલથી મંડિત,
અત્યંત સુકુમાર અંગ, સૂર્ય સમાન પ્રતાપી, ચંદ્ર સમાન કાંતિધારી, પોતાની કાંતિથી પ્રકાશ
કરનાર, નેત્રોને આનંદનું કારણ મહામનોહર, અત્યંત પ્રવીણ, આશ્ચર્ય ઉત્પન્ન કરનાર
જાણે કે સ્વર્ગમાંથી દેવ જ આવ્યા હોય, દેદીપ્યમાન, નિર્મળ સુવર્ણના કમળના ગર્ભ જેવી
જેમની પ્રભા છે, સુંદર કાન, સુંદર નાસિકા, સર્વાંગસુંદર, જાણે કે સાક્ષાત્ કામદેવ જ છે.
કમળનયન, નવયુવાન, ચઢાવેલા ધનુષ જેવી જેમની ભ્રમર છે, પૂર્ણમાસીના ચંદ્રમા વદન,
માણેક જેવા લાલ હોઠ, કુંદપુષ્પ જેવા ઉજ્જવળ દાંત, શંક સમાન કંઠ, મૃગેન્દ્ર સમાન
સાહસ, સુંદર કટિ, સુંદર વક્ષસ્થળ, મહાબાહુ, શ્રીવત્સલક્ષણ, દક્ષિણાવર્ત ગંભીર નાભિ,
આરક્ત કમળ સમાન હાથ અને ચરણ, કોમળ ગોળ પુષ્ટ બન્ને જાંધ અને કાચબાની પીઠ
જેવો ચરણનો અગ્રભાવ, અત્યંત કાંતિમાન, લાલ નખ, અતુલ બળ, મહાન યોદ્ધા, અતિ
ગંભીર, અતિ ઉદાર, સમચતુરસ્ત્ર સંસ્થાન, વજ્રવૃષભનારાચ સંહનન, જાણે કે ત્રણે
જગતની સુંદરતા એકઠી કરીને બનાવ્યા હોય, મહાન પ્રભાવશાળી, પરંતુ સીતાના
વિયોગથી વ્યાકુળ ચિત્તવાળા, જાણે કે શચિરહિત ઇન્દ્ર બિરાજે છે અથવા રોહિણીરહિત
ચંદ્રમા બેઠા છે. રૂપ-સૌભાગ્યથી મંડિત, સર્વ શાસ્ત્રોના વેત્તા, મહાશૂરવીર જેમની કીર્તિ
સર્વત્ર ફેલાઈ ગઈ છે, અત્યંત બુદ્ધિમાન, ગુણવાન એવા શ્રી રામને જોઈને હનુમાન
આશ્ચર્ય પામ્યા. તેમના શરીરની કાંતિ હનુમાન પર ફરી વળી. તેમનો પ્રભાવ જોઈને
વશીભૂત થયેલ પવનના પુત્ર મનમાં વિચારવા લાગ્યા કે આ શ્રી રામ દશરથના પુત્ર,
ભાઈ લક્ષ્મણ લોકશ્રેષ્ઠ આમના આજ્ઞાંકિત, સંગ્રામમાં જેમનું ચંદ્રમા સમાન ઉજ્જવળ છત્ર
જોઈને સાહસગતિની વિદ્યા વૈતાલી તેના શરીરમાંથી નીકળી ગઈ અને મેં ઇન્દ્રને પણ
જોયા છે, પરંતુ આમને જોઈને મારું હૃદય પરમ આનંદસંયુક્ત અને નમ્રીભૂત થયું છે, આ
પ્રમાણે આશ્ચર્ય પામ્યા. અંજનીનો પુત્ર, કમળલોચન શ્રી રામનાં દર્શન માટે આગળ
આવ્યો અને લક્ષ્મણે પહેલાંથી જ રામને કહી રાખ્યું હતું તેથી હનુમાનને દૂરથી જ જોઈને
ઊભા થયા, તેને હૃદય સાથે ભીડીને મળ્‌યા, પરસ્પર અત્યંત સ્નેહ થયો. હનુમાન અત્યંત
વિનયથી બેઠા, શ્રી રામ પોતે સિંહાસન પર બિરાજ્યા. જેમની ભુજા ભુજબંધનથી શોભે
છે. નિર્મળ નીલાંબરમંડિત રાજાઓના ચૂડામણિ, સુંદર હાર પહેરીને નક્ષત્રો સહિત ચંદ્રમા
જેવા શોભે છે અને દિવ્ય પીતાંબર પહેરેલા, હાર-કુંડળ-કર્પૂરાદિ સંયુક્ત સુમિત્રાના પુત્ર
શ્રી લક્ષ્મણ વીજળી સહિતના મેઘ જેવા શોભે છે. વાનરવંશીઓના મુગટ, દેવ સમાન
જેમનું પરાક્રમ છે એ રાજા સુગ્રીવ જાણે લોકપાળ હોય એવા શોભે છે, લક્ષ્મણની પાછળ
બેઠેલો વિરાધિત વિદ્યાધર જાણે કે લક્ષ્મણ નરસિંહનું ચક્રરત્ન હોય તેવો સોહે છે. રામની
સમીપમાં હનુમાન પૂર્ણચંદ્રની સમીપમાં બુધ શોભે તેવા શોભે છે, સુગ્રીવના બે પુત્ર એક
અંગ અને બીજો અંગદ સુગંધમાળા અને વસ્ત્રાભૂષણથી મંડિત કુબેર જેવા શોભે છે,
નળ, નીલ અને સેંકડો રાજા શ્રી રામની સભામાં ઇન્દ્રની સભાના દેવ

Page 395 of 660
PDF/HTML Page 416 of 681
single page version

background image
પદ્મપુરાણ ઓગણપચાસમું પર્વ ૩૯પ
જેવા શોભે છે. અનેક પ્રકારની સુગંધ અને આભૂષણોના પ્રકાશથી સભા જાણે કે ઇન્દ્રની
સભા હોય એવી શોભે છે. પછી હનુમાન આશ્ચર્ય પામી અત્યંત પ્રેમથી શ્રી રામને કહેવા
લાગ્યા, હે દેવ! શાસ્ત્રમાં એમ કહ્યું છે કે પ્રશંસા પરોક્ષમાં કરવી, પ્રત્યક્ષ ન કરવી. પરંતુ
આપનાં ગુણોથી આ મન વશીભૂત થઈને પ્રત્યક્ષ સ્તુતિ કરે છે. અને આ રીત છે કે
આપ જેમનો આધાર હો તેમનાં ગુણોનું વર્ણન કરીએ તો જેવો મહિમા અમે આપનો
સાંભળ્‌યો હતો તેવો પ્રત્યક્ષ જોયો છે. આપ જીવો પ્રત્યે દયાવાન, અત્યંત પરાક્રમી, પરમ
હિતચિંતક, ગુણોના સમૂહ, જેમના નિર્મળ યશથી જગત શોભે છે. હે નાથ! સીતાના
સ્વયંવર વિધાનમાં હજારો દેવ જેની રક્ષા કરતા હતા એવું વજ્રાવર્ત ધનુષ આપે ચડાવ્યું,
એ બધા પરાક્રમ અમે સાંભળ્‌યાં હતાં. જેમના પિતા દશરથ, માતા કૌશલ્યા, ભાઈ લક્ષ્મણ,
ભરત, શત્રુઘ્ન, સીતાના ભાઈ ભામંડળ, તે જગતપતિ રામ તમે ધન્ય છો, તમારી શક્તિ
ધન્ય છે, સાગરાવર્ત ધનુષના ધારક અને સદા આજ્ઞાકારી લક્ષ્મણ જેમના ભાઈ છે તેમને
ધન્ય છે, એ ધૈર્ય ધન્ય, એ ત્યાગને ધન્ય છે જે પિતાનું વચન પાળવા માટે રાજ્યનો
ત્યાગ કરી મહાભયાનક દંડકવનમાં પ્રવેશ કર્યો અને આપે અમારા ઉપર જેવો ઉપકાર
કર્યો છે તેવો ઇન્દ્ર પણ ન કરે. સુગ્રીવનું રૂપ લઈને સાહસગતિ સુગ્રીવના ઘરમાં આવ્યો
હતો અને આપે કપિવંશનું કલંક દૂર કર્યું, આપનાં દર્શનથી વૈતાલી વિદ્યા સાહસગતિના
શરીરમાંથી નીકળી ગઈ. આપે યુદ્ધમાં તેને હણ્યો તેથી આપે તો અમારા ઉપર મોટો
ઉપકાર કર્યો છે. હવે અમે આપની શી સેવા કરીએ? શાસ્ત્રની એ આજ્ઞા છે કે પોતાના
ઉપર જે ઉપકાર કરે અને તેની સેવા ન કરીએ તો તેને ભાવની શુદ્ધતા નથી. જે કૃતઘ્ન
ઉપકાર ભૂલે છે તે ન્યાયધર્મથી બહિર્મુખ છે, પાપીઓમાં મહાપાપી છે અને પરાધીનમાં
પારધી છે, નિર્દય છે અને તેની સાથે સત્પુરુષ વાત પણ કરતા નથી. માટે અમે અમારું
શરીર છોડીને આપના કામ માટે તૈયાર છીએ. હું લંકાપતિને સમજાવીને તમારી સ્ત્રી
તમારી પાસે લાવીશ. હે રાઘવ! મહાબાહુ, સીતાનું મુખકમળ, પૂર્ણમાસીના ચંદ્રમાસમાન
કાંતિનો પુંજ, તેને આપ નિઃસંદેહ શીઘ્ર જ જોશો. પછી જાંબુનદ મંત્રીએ હનુમાનને
પરમહિતનાં વચન કહ્યાં કે હે વત્સ વાયુપુત્ર! અમારા બધાનો એક તું જ આધાર છો,
સાવધાન થઈને લંકા જવું અને કોઈ સાથે કદી પણ વિરોધ ન કરવો. ત્યારે હનુમાને કહ્યું
કે આપની આજ્ઞા પ્રમાણે જ થશે.
પછી હનુમાન લંકા જવા તૈયાર થયા. ત્યારે રામ અત્યંત ખુશ થયા અને
એકાંતમાં કહ્યું, હે વાયુપુત્ર! સીતાને આમ કહેજો કે હે મહાસતી! તમારા વિયોગથી રામનું
મન એક ક્ષણ પણ શાતારૂપ નથી અને રામે એમ કહ્યું છે કે જ્યાં સુધી તમે પરવશ છો
ત્યાં સુધી અમે અમારો પુરુષાર્થ માનતા નથી. તમે મહા નિર્મળ શીલથી પૂર્ણ છો અને
અમારા વિયોગથી પ્રાણ તજવા ચાહો છો પણ પ્રાણ તજશો નહિ, પોતાના ચિત્તમાં
સમાધાન રાખજો, વિવેકી જીવોએ આર્ત રૌદ્રધ્યાનથી પ્રાણ તજવા નહિ. મનુષ્યદેહ અત્યંત
દુર્લભ છે, તેમાં જિનેન્દ્રનો ધર્મ દુર્લભ છે, તેમાં સમાધિમરણ ન થાય તો આ મનુષ્ય દેહ
ફોતરા જેવો અસાર છે. અને તેને વિશ્વાસ

Page 396 of 660
PDF/HTML Page 417 of 681
single page version

background image
૩૯૬ પચાસમું પર્વ પદ્મપુરાણ
ઉપજે તે માટે આ મારા હાથની મુદ્રિકા લઈ જાવ અને એનો ચૂડામણિ જે મહાપ્રભાવરૂપ
છે તે મારી પાસે લઈ આવજો. ત્યારે હનુમાને કહ્યું કે આપ જે આજ્ઞા કરશો તે પ્રમાણે જ
થશે; આમ કહી હાથ જોડી, નમસ્કાર કરી પછી લક્ષ્મણને નમીને બહાર નીકળ્‌યા. વૈભવથી
પરિપૂર્ણ પોતાના તેજથી સર્વ દિશામાં ઉદ્યોત કરતા સુગ્રીવના મહેલે આવ્યા અને સુગ્રીવને
કહ્યું, જ્યાં સુધી હું આવું નહિ ત્યાં સુધી તમે બહુ સાવધાનીથી અહીં જ રહેજો. આ
પ્રમાણે કહીને સુંદર શિખરવાળા વિમાનમાં બેઠા. તે સુમેરુ ઉપર જિનમંદિર શોભે તેવા
શોભતા હતા. રામાદિક બધાએ તેમને પરમ જ્યોતિથી મંડિત, ઉજ્જવળ છત્રથી શોભિત,
હંસ સમાન ઉજ્જવળ ચામર જેમના પર ઢોળાય છે અને પવન સમાન અશ્વોને ચાલતા,
પર્વત સમાન ગજ અને દેવોને સેના સમાન સેના સહિત આકાશમાં ગમન કરતા જોયા.
ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે, હે રાજન્! આ જગત નાના પ્રકારના જીવોથી
ભરેલું છે, તેમાં જે કોઈ પરમાર્થના નિમિત્તે ઉદ્યમ કરે છે તે પ્રશંસાયોગ્ય છે અને સ્વાર્થથી
તો જગત ભરેલું જ છે. જે બીજાનો ઉપકાર કરે છે તેમના તુલ્ય ઇન્દ્ર, ચંદ્ર, કુબેર પણ
નથી. જે પાપી કૃતઘ્ની બીજાનો ઉપકાર ઓળવે છે તે નરક-નિગોદનાં પાત્ર છે અને
લોકનિંદ્ય છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હનુમાનનું લંકા તરફ ગમનનું
વર્ણન કરનાર ઓગણપચાસમું પર્વ પૂર્ણ થયું.
* * *
પચાસમું પર્વ
(હનુમાનનું પોતાના નાના રાજા મહેન્દ્ર સાથે યુદ્ધ અને મેળાપ)
પછી આકાશમાં ગમન કરતો પરમ ઉદય ધરનાર અંજનીનો પુત્ર બહેન સમાન
જાનકીને લાવવા માટે ભાઈ ભામંડળ જતો હોય તેવો શોભતો હતો. કેવા છે હનુમાન?
શ્રી રામની આજ્ઞામાં પ્રવર્તે છે, મહા વિનયવંત અને જ્ઞાનવંત છે. રામના કામના
ઉત્સાહરૂપ શુદ્ધભાવ જેના ચિત્તમાં છે તે દિશામંડળને અવલોકતા લંકાના માર્ગમાં રાજા
મહેન્દ્રનું નગર જુએ છે, જાણે કે ઈન્દ્રનું નગર છે. પર્વતના શિખર પર નગર વસેલું છે,
ત્યાં ચંદ્રમા સમાન ઉજ્જવળ મકાનો છે, તે નગર દૂરથી જ નજરે પડયું. હનુમાને જોઈને
મનમાં વિચાર્યું કે આ દુર્બુદ્ધિ મહેન્દ્રનું નગર છે, તે અહીં રહે છે, મારા નાના શાના? જેણે
મારી માતાને સંતાપ્યા હતા. પિતા થઈને પુત્રીનું આવું અપમાન કરે? તેમણે માતાને
નગરમાં ન રાખ્યાં ત્યારે માતાને વનમાં જવું પડયું, જ્યાં અનંતગતિ મુનિ રહેતા હતા,
તેમણે અમૃતરૂપ વચનો કહીને સમાધાન કર્યું તેથી મારો જન્મ ઉદ્યાનમાં થયો, જ્યાં કોઈ
સગાં નહોતાં. મારી માતા શરણે આવે અને એ ન રાખે એ ક્ષત્રિયનો ધર્મ નથી માટે
એનો ગર્વ ઉતારું. પછી ગુસ્સાથી યુદ્ધની નોબત વગાડી, ઢોલ

Page 397 of 660
PDF/HTML Page 418 of 681
single page version

background image
પદ્મપુરાણ પચાસમું પર્વ ૩૯૭
વાગવા લાગ્યા, શંખોનો ધ્વનિ થયો, યોદ્ધાઓનાં આયુધ ઝળકવા લાગ્યાં. રાજા મહેન્દ્ર
દુશ્મનો આવ્યાનું સાંભળીને સર્વ સેના સહિત બહાર નીકળ્‌યા. બન્ને સેના વચ્ચે ભયંકર
યુદ્ધ થયું. મહેન્દ્ર રથમાં ચડયા, માથે છત્ર ફરતું હતું, ધનુષ ચઢાવીને તે હનુમાન સામે
આવ્યા, હનુમાને ત્રણ બાણો વડે તેનું ધનુષ છેદી નાખ્યું, જેમ યોગીશ્વર ત્રણ ગુપ્તિથી
માનને છેદે છે. પછી મહેન્દ્રે બીજું ધનુષ લેવાની તૈયારી કરી તે પહેલાં જ બાણોથી તેના
ઘોડા રથથી છૂટા કરી દીધા તેથી તે રથની આસપાસ ફરવા લાગ્યા, જેમ મનથી પ્રેરેલી
ઇન્દ્રિયો વિષયોમાં ભમે છે તેમ. પછી મહેન્દ્રનો પુત્ર વિમાનમાં બેસીને હનુમાન સામે
આવ્યો ત્યારે તેની અને હનુમાનની વચ્ચે બાણ, ચક્ર, કનક ઇત્યાદિ અનેક આયુધોથી
પરસ્પર મહાન યુદ્ધ થયું. હનુમાને પોતાની વિદ્યાથી તેનાં શસ્ત્રો જેમ યોગીશ્વર
આત્મચિંતવનથી પરીષહોને રોકે તેમ રોકી દીધાં. તેણે અનેક શસ્ત્રો ચલાવ્યાં, તેમાંથી
હનુમાનને એકેય ન લાગ્યું, જેમ મુનિને કામનું એક પણ બાણ લાગતું નથી. જેમ ઘાસનો
ઢગલો અગ્નિમાં ભસ્મ થઈ જાય તેમ મહેન્દ્રના પુત્રનાં સર્વ શસ્ત્રો હનુમાન પર નિષ્ફળ
ગયાં. અને હનુમાને તેને જેમ ગરુડ સર્પને પકડે તેમ પકડી લીધો. રાજા મહેન્દ્ર પોતાના
મહારથી પુત્રને પકડાયેલો જોઈને અત્યંત ક્રોધાયમાન થઈને હનુમાન પર ઘસ્યો, જેમ
સાહસગતિ રામ પર આવ્યો હતો. હનુમાન પણ ધનુષ લઈને સૂર્યના રથ સમાન રથ પર
ચડયા. જેની છાતી પર મનોહર હાર છે, શૂરવીરોમાં જે મહાશૂરવીર છે તે નાનાની
સન્મુખ આવ્યા. બન્ને વચ્ચે કરવત, કુહાડા, ખડ્ગ, બાણ આદિ અનેક શસ્ત્રોથી પવન
અને મેઘની જેમ મહાન યુદ્ધ થયું. બન્ને સિંહ સમાન ઉદ્ધત, કોપના ભરેલા, અગ્નિના કણ
સમાન લાલ નેત્રવાળા, અજગર સમાન ભયાનક અવાજ કરતા, પરસ્પર શસ્ત્રો
ચલાવતા, ગર્વ અને હાસ્યથી યુક્ત જેમનો શબ્દો છે, પરસ્પર કહે છે-ધિક્કર તારા
શૂરવીરપણાને! તું યુદ્ધ કરવાનું શું જાણે? ઇત્યાદિ વચનો પરસ્પર બોલવા લાગ્યાં. બન્ને
વિદ્યાબળથી યુક્ત ઘોર યુદ્ધ કરતા વારંવાર પોતાના પક્ષના માણસો દ્વારા હાહાકાર અને
જયજયકારાદિના અવાજો કરાવવા લાગ્યા. રાજા મહેન્દ્ર વિક્રિયાશક્તિનો ધારક, ક્રોધથી
જેનું શરીર જલી રહ્યું છે તે હનુમાન પર આયુધો ફેંકવા લાગ્યો, ભુષુંડી, ફરસી, બાણ,
શતઘ્ની, મુદ્ગળ, ગદા, પર્વતનાં શિખર, સાલવૃક્ષ, વડવૃક્ષ ઇત્યાદિ અનેક આયુધ મહેન્દ્રે
હનુમાન પર ફેંક્યા, તો પણ હનુમાન વ્યાકુળતા ન પામ્યા, જેમ ગિરિરાજ મહામેઘના
સમૂહથી કંપાયમાન થતો નથી. મહેન્દ્રે જેટલાં બાણ ફેંક્યાં તે બધાં હનુમાને પોતાની
વિદ્યાના પ્રભાવથી નિષ્ફળ કરી નાખ્યાં, પછી પોતાના રથમાંથી ઊછળીને મહેન્દ્રના રથમાં
જઈને પડયા; દિગ્ગજની સૂંઢ જેવા પોતાના હાથથી મહેન્દ્રને પકડી લીધો અને પોતાના
રથમાં લાવ્યા. શૂરવીરો દ્વારા જીતધ્વનિ થયો, બધા લોકો પ્રશંસા કરવા લાગ્યા. રાજા
મહેન્દ્ર હનુમાનને મહા બળવાન પરમ ઉદયરૂપ જોઈને અત્યંત સૌમ્ય વાણીથી પ્રશંસા
કરવા લાગ્યા કે હે પુત્ર! અમે તારો જે મહિમા સાંભળ્‌યો હતો તે પ્રત્યક્ષ જોયો. મારા પુત્ર
પ્રસન્નકીર્તિને તો અત્યાર સુધી કોઈએ જીત્યો નહોતો, રથનૂપુરના સ્વામી રાજા ઇન્દ્રથી
પણ તે જિતાયો નહોતો, વિજ્યાર્ધગિરિના નિવાસી વિદ્યાધરોમાં

Page 398 of 660
PDF/HTML Page 419 of 681
single page version

background image
૩૯૮ એકાવનમું પર્વ પદ્મપુરાણ
સદા મહિમા ધરાવતા મારા પુત્રને પણ તેં જીત્યો અને પકડયો. ધન્ય છે તારું પરાક્રમ!
તારા જેવો મહાધૈર્યવાન પુરુષ બીજો કોઈ નથી. તારું આ અનુપમ રૂપ અને સંગ્રામમાં
અદ્ભુત પરાક્રમ! હે પુત્ર હનુમાન! તેં અમારા આખા કુળનો ઉદ્યોત કર્યો. તું ચરમશરીર
અવશ્ય યોગીશ્વર થઈશ, વિનય આદિ ગુણોથી યુક્ત, પરમ તેજરાશિ, કલ્યાણમૂર્તિ,
કલ્પવૃક્ષ પ્રગટ થયો છે, તું જગતમાં ગુરુ અને કુળનો આધાર તથા દુઃખરૂપ સૂર્યથી
તપ્તાયમાન જીવોને મેઘ સમાન છો. આ પ્રમાણે નાના મહેન્દ્રએ અત્યંત પ્રશંસા કરી, તેની
આંખો ભરાઈ આવી, રોમાંચ ખડા થઈ ગયા, મસ્તક ચૂમ્યું, છાતી સાથે લગાડયો. ત્યારે
હનુમાને નમસ્કાર કરી, હાથ જોડી અત્યંત વિનયથી ક્ષમા માગી, એક ક્ષણમાં બીજા જ
થઈ ગયા. હનુમાન કહે છે હે નાથ! મેં બાળકબુદ્ધિથી તમારો અવિનય કર્યો તો ક્ષમા કરો.
અને શ્રી રામના કિહકંધાપુર આગમનની બધી હકીકત કહી, પોતે લંકા તરફ જાય છે તે
હકીકત કહી અને કહ્યું કે હું લંકા જઈને કાર્ય કરીને આવું છું, તમે કિહકંધાપુર જાવ,
રામની સેવા કરો. આમ કહીને હનુમાન આકાશમાર્ગે લંકા ચાલ્યા, જેમ દેવ સ્વર્ગલોકમાં
જાય છે. રાજા મહેન્દ્ર રાણી સહિત, પોતાના પુત્ર પ્રસન્નકીર્તિ સહિત પુત્રી અંજની પાસે
ગયા. અંજનીને માતાપિતા અને ભાઈનો મેળાપ થયો તેથી ખૂબ આનંદ પામી. પછી
મહેન્દ્ર કિહકંધાપુર આવ્યા. ત્યાં રાજા સુગ્રીવ અને વિરાધિત સામે ગયા. તેમને શ્રી રામની
પાસે લાવ્યા, રામ ખૂબ આદરથી તેમને મળ્‌યા. રામ જેવા મહાન તેજસ્વી પુરુષ, જેમનું
ચિત્ત નિર્મળ છે અને જેમણે પૂર્વજન્મમાં દાન, વ્રત, તપ, આદિ પુણ્ય ઉપાર્જ્યા છે તેમની
સેવા દેવ, વિદ્યાધર, ભૂમિગોચરી બધા જ કરે છે, જે બળવાન પુરુષ હોય તેમને વશ બધા
થાય. તેથી સર્વ પ્રકારે પોતાના મનને જીતી સત્કર્મમાં પ્રયત્ન કરો. હે ભવ્ય જીવો! તે
સત્કર્મના ફળથી સૂર્ય સમાન દીપ્તિ પ્રાપ્ત કરો..
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હનુમાનનું મહેન્દ્ર સાથે યુદ્ધ અને
મહેન્દ્ર અંજનાના મિલાપનું વર્ણન કરનાર પચાસમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકાવનમું પર્વ
(શ્રી રામને ગંધર્વ કન્યાઓની પ્રાપ્તિ)
હનુમાન વિમાનમાં બેસીને આકાશમાર્ગે જાય છે ત્યાં માર્ગમાં દધિમુખ નામનો
દ્વીપ આવ્યો, તેમાં દધિમુખ નામે નગર છે, દહીં જેવા ઉજ્જવળ મકાનો છે, સુંદર સુવર્ણનાં
તોરણો છે, કાળી ઘટા સમાન સઘન ઉદ્યાનો પુરુષોથી ભર્યા છે, સ્ફટિકમણિ સમાન
ઉજ્જવળ જળ ભરેલી વાપિકાઓ, પગથિયાંથી શોભતી, કમળાદિથી ભરેલી છે. ગૌતમ
સ્વામી રાજા શ્રેણિકને કહે છે, હે રાજન્! આ નગરથી દૂર એક વન છે. ત્યાં સૂકું ઘાસ,
વેલો, વૃક્ષ, કાંટાના સમૂહ

Page 399 of 660
PDF/HTML Page 420 of 681
single page version

background image
પદ્મપુરાણ એકાવનમું પર્વ ૩૯૯
છે, દુષ્ટ સિંહાદિક જીવોનો અવાજ સંભળાય છે, પ્રચંડ પવન વાય છે, જેનાથી વૃક્ષો તૂટી
પડે છે, સરોવરો સુકાઈ ગયાં છે, ગીધ, ઘૂવડ જેવા પક્ષીઓ ફરે છે, તે વનમાં બે ચારણ
મુનિ આઠ દિવસનો કાયોત્સર્ગ ધારણ કરીને ઊભા હતા. ત્યાંથી ચાર કોસ ત્રણ કન્યાઓ,
જેમના નેત્ર મનોજ્ઞ છે, જેમણે સફેદ વસ્ત્રો પહેર્યાં છે, વિધિપૂર્વક તપથી જેમનું ચિત્ત
નિર્મળ છે એવી એ ત્રણ લોકનું આભૂષણ જ છે.
પછી વનમાં અગ્નિ લાગી. બેય મુનિ ધીરવીર વૃક્ષની જેમ ઊભા છે, દાવાનળથી
આખું વન બળે છે, બેય નિર્ગ્રંથ યોગયુક્ત, મોક્ષના અભિલાષી, રાગાદિના ત્યાગી, પ્રશાંત
વદન, શાંતચિત્ત, નિષ્પાપ, અવાંછક, જેમની દ્રષ્ટિ નાકની અણી પર છે, બન્ને હાથ નીચે
લંબાવ્યા છે, કાયોત્સર્ગ ધારણ કર્યો છે, જેમને જીવન મરણ તુલ્ય છે, શત્રુ મિત્ર સમાન,
કાંચન પાષાણ સમાન છે એવા બન્ને મુનિઓને બળતા જોઈને હનુમાન કંપી ઊઠયા,
વાત્સલ્યગુણથી મંડિત ભાવભક્તિ સંયુક્ત વૈયાવ્રત કરવાને તૈયાર થયા. સમુદ્રનું જળ
લઈને મૂશળધાર વરસાદ વરસાવ્યો. તેથી ક્ષણમાત્રમાં પૃથ્વી જળમય થઈ ગઈ. હનુમાને
જેમ મુનિ ક્ષમાભાવરૂપ જળથી ક્રોધાગ્નિ બુઝાવે તેમ તે જળથી દાવાગ્નિ બુઝાવી દીધો.
પછી મુનિનો ઉપસર્ગ દૂર કરી તેમની પૂજા કરવા લાગ્યા. પેલી ત્રણ કન્યાઓ વિદ્યા
સાધતી હતી તે દાવાનળના દાહથી વ્યાકુળતાને કારણે અસ્વસ્થ હતી. હનુમાને મેઘ વડે
વનનો ઉપદ્રવ મટાડયો તેથી તેમને વિદ્યા સિદ્ધ થઈ. તે સુમેરુની ત્રણ પ્રદક્ષિણા કરી
મુનિઓની નિકટ આવી નમસ્કાર કરવા લાગી અને હનુમાનની સ્તુતિ કરી, અહો તાત!
ધન્ય તમારી જિનેશ્વર પ્રત્યે ભક્તિ તમે કઈ તરફ જતા હતા કે સાધુઓની રક્ષા કરી?
અમારા કારણે વનમાં ઉપદ્રવ થયો હતો તો પણ ધ્યાનારૂઢ મુનિઓ ધ્યાનમાંથી ડગ્યા નહિ.
ત્યારે હનુમાને પૂછયું કે તમે કોણ છો. અને નિર્જન સ્થાનમાં શા માટે રહો છો? તેમાંથી
સૌથી મોટી બહેન બોલી, આ દધિમુખ નામના નગરના રાજા ગંધર્વની અમે ત્રણે પુત્રીઓ
છીએ. મોટી ચંદ્રરેખા, બીજી વિદ્યુતપ્રભા, ત્રીજી તરંગમાળા; અમે બધાં કુળને વલ્લભ
છીએ એટલે વિજ્યાર્ધના જેટલા વિદ્યાધરો છે તે બધા અમારી સાથે પરણવા અમારા
પિતાને યાચના કરતા અને એક અંગારક નામનો દુષ્ટ, અતિઅભિલાષી, નિરંતર કામના
દાહથી આતાપરૂપ વિદ્યાધર આવ્યો. એક દિવસ અમારા પિતાએ અષ્ટાંગ નિમિત્તવેત્તા
મુનિને પૂછયું કે હે ભગવાન! મારી પુત્રીઓનો વર કોણ થશે? ત્યારે મુનિએ કહ્યું કે જે
રણસંગ્રામમાં સાહસગતિને મારશે તે તારી પુત્રીઓનો વર થશે. તેથી મુનિના અમોઘવચન
સાંભળીને અમારા પિતાજીએ વિચાર્યું કે વિજ્યાર્ધની ઉત્તર શ્રેણીમાં જે સાહસગતિ છે તેને
કોણ મારી શકે, જે તેને મારે તે મનુષ્ય આ લોકમાં ઇન્દ્ર સમાન છે. વળી મુનિનાં વચન
અન્યથા હોય નહિ તેથી અમારા માતાપિતા અને આખું કુટુંબ મુનિનાં વચન ઉપર દ્રઢ
હતું. અંગારક નિરંતર અમારા પિતા પાસે યાચના કરતો અને પિતા અમને આપતા નહિ
તેથી તે ચિંતાથી અને દુઃખથી વેરી બન્યો. અમને એવી ઇચ્છા થઈ કે દિવસ ક્યારે આવે
કે અમે સાહસગતિના મારનારને જોઈએ. તેથી