Page 400 of 660
PDF/HTML Page 421 of 681
single page version
મનોડનુગામિની નામની વિદ્યા સાધવા માટે આ ભયાનક વનમાં આવી, તે અનુગામિની
વિદ્યાની સાધનાનો આજે અમારો બારમો દિવસ છે અને મુનિઓનો આઠમો દિવસ છે.
આજે અંગારકે અમને જોઈને ક્રોધથી વનમાં આગ લગાડી. જે વિદ્યા છ વર્ષ અને થોડા
અધિક દિવસો પછી સિદ્ધ થાય છે તે અમને ઉપસર્ગથી ભય ન પામવાથી બાર જ
દિવસોમાં સિદ્ધ થઈ છે. હે મહાભાગ! આ આપદામાં જો તમે અમને મદદ ન કરી હોત
તો અમારો અગ્નિમાં નાશ થાત અને મુનિ પણ ભસ્મ થાત, માટે તમે ધન્ય છો. ત્યારે
હનુમાને કહ્યું કે તમારો પુરુષાર્થ સફળ થયો, જેમને નિશ્ચય હોય તેમને સિદ્ધિ થાય જ.
ધન્ય છે તમારી નિર્મળ બુદ્ધિને! મોટા સ્થાનકમાં મનોરથ, ધન્ય તમારું ભાગ્ય, એમ
કહીને તેમને શ્રીરામના કિહકંધાપુરમાં આગમનનો સકળ વૃતાંત કહ્યો અને રામની આજ્ઞા
પ્રમાણે પોતાનો લંકા જવાનો વૃત્તાંત પણ કહ્યો. તે જ સમયે વનનો દાહ શાંત થયાના
અને મુનિઓનો ઉપસર્ગ દૂર થયાના સમાચાર સાંભળીને રાજા ગંધર્વ હનુમાન પાસે
આવ્યા. વિદ્યાધરોના યોગથી તે વન નંદનવન જેવું શોભવા લાગ્યું અને રાજા ગંધર્વ
હનુમાનના મુખે શ્રી રામના કિહકંધાપુરમાં બિરાજવાના ખબર સાંભળીને પોતાની પુત્રીઓ
સહિત શ્રી રામની નિકટ આવ્યો અને પુત્રીઓને ખૂબ ઠાઠમાઠથી રામ સાથે પરણાવી.
રામ મહા વિવેકી છે. આ વિદ્યાધરની પુત્રીઓ અને મહારાજ વૈભવથી યુક્ત છે તો પણ
તેમને સીતા વિના દશે દિશા શૂન્ય લાગે છે. સમસ્ત પૃથ્વી ગુણવાન જીવોથી શોભે છે
અને ગુણવાન વિનાનું નગર ગહન વન તુલ્ય ભાસે છે. ગુણવાન જીવોની ચેષ્ટા મનોહર
અને ભાવ અતિસુંદર હોય છે. આ પ્રાણી પૂર્વોપાર્જિત કર્મના ફળથી સુખદુઃખ ભોગવે છે
તેથી જે સુખના અર્થી છે તે જિનસૂર્યાથી પ્રકાશિત પવિત્ર જિનમાર્ગમાં પ્રવર્તે છે.
વિવાહનું વર્ણન કરનાર એકાવનમું પર્વ પૂર્ણ થયું.
યંત્રથી રોકાઈ ગઈ. હનુમાને પોતાની પાસેના માણસોને પૂછયું કે મારી સેના કયા
કારણથી આગળ ચાલી શકતી નથી? અહીં ગર્વનો પર્વત અસુરોનો નાથ ચમરેન્દ્ર છે કે
ઇન્દ્ર છે કે પર્વતના શિખર પર જિનમંદિર છે અથવા ચરમશરીરી મુનિ છે? હનુમાનનાં
આ વચન સાંભળી પૃથુમતિ મંત્રી કહેવા લાગ્યો, હે દેવ! આ ક્રૂરતાસંયુક્ત માયામયી યંત્ર
છે. પછી પોતે દ્રષ્ટિ કરીને જોયું, કોટમાં
Page 401 of 660
PDF/HTML Page 422 of 681
single page version
હોય. અનેક આકાર ધારતી વક્રતા સંયુક્ત અતિભયંકર સર્વભક્ષી પૂતળી જોઈ, જ્યાં દેવ
પણ પ્રવેશ કરી ન શકે. જાજવલ્યમાન તીક્ષ્ણ અગ્રભાગવાળી, કરવતીઓથી મંડિત,
જીભની અણીમાંથી લોહી ઓકતા હજારો સર્પો જ્યાં ફેણથી વિકરાળ સુસવાટા કરે છે અને
વિષરૂપ અગ્નિકણ વરસે છે, વિષરૂપ ઘુમાડાથી અંધકાર ફેલાઈ ગયો છે. જે કોઈ મૂર્ખ
સુભટપણાના ગર્વથી ઉધ્ધત થઈને પ્રવેશવા જાય તેને માયામયી સર્પો દેડકાને ગળે તેમ
ગળી જાય છે. લંકાના કોટનું મંડળ જ્યોતિષચક્રથી પણ ઊંચું, સર્વ દિશાઓથી દુર્લંઘ્ય,
જોઈ ન શકાય તેવું, પ્રલયકાળના મેઘ સમાન ભયંકર અવાજોવાળું અને હિંસારૂપ ગ્રંથોની
જેમ અત્યંત પાપકર્મોથી રચાયેલું છે તેને જોઈ હનુમાન વિચારવા લાગ્યા કે આ માયામયી
કોટ રાક્ષસોના નાથે રચ્યો છે. તેમાં પોતાની વિદ્યાની ચતુરાઈ બતાવી છે. હવે હું
વિદ્યાબળથી એને ઉપાડી લઈને રાક્ષસોનો મદ ઉતારી નાખું, જેમ આત્મધ્યાની મુનિ
મોહમદનું હરણ કરે છે. પછી હનુમાને યુદ્ધની ઇચ્છા કરીને સમુદ્ર જેવી પોતાની સેનાને
આકાશમાં રોકી લીધી અને પોતે વિદ્યામયી બખ્તર પહેરીને હાથમાં ગદા લઈને માયામયી
પૂતળીના મુખમાં પ્રવેશ્યા જેમ રાહુના મુખમાં સૂર્ય પ્રવેશે. તે માયામયી પૂતળીનું પડખું એ
અંધકાર ભરેલી પર્વતની ગુફા હતી તેને નરિસંહરૂપ પોતે તીક્ષ્ણ નખોથી ચીરી નાખી.
પછી ગદાના પ્રહારથી કોટના ચૂરા કરી નાખ્યા, જેમ શુક્લધ્યાની મુનિ નિર્મળ ભાવો વડે
ઘાતિયા કર્મની સ્થિતિ ચૂર્ણ કરે છે.
પછી પ્રલયકાળના મેઘ સમાન ભયંકર અવાજ થયો. માયામયી કોટને વિખરાયેલો જોઈને
કોટનો અધિકારી વજ્રમુખ અત્યંત ક્રોધે ભરાઈને તરત જ રથ પર બેસીને વિના વિચાર્યે
હનુમાનને મારવા દોડયો, જેમ સિંહ અગ્નિ તરફ દોડે. તેને આવતો જોઈને પવનપુત્ર યુદ્ધ
કરવા તૈયાર થયા. બન્ને સેનાના પ્રચંડ યોદ્ધા નાના પ્રકારનાં વાહનો પર ચડી અનેક
પ્રકારનાં આયુધોથી પરસ્પર લડવા લાગ્યા. ઘણું કહેવાથી શું? સ્વામીના માટે એવું યુદ્ધ
થયું જેવું માન અને માર્દવ વચ્ચે થાય. પોતપોતાના સ્વામીની દ્રષ્ટિએ યોદ્ધાઓ ગાજી
ગાજીને યુદ્ધ કરવા લાગ્યા. તેમને જીવનમાં પ્રેમ રહ્યો નહોતો. હનુમાનના સુભટો દ્વારા
વજ્રમુખના યોદ્ધા ક્ષણમાત્રમાં દશે દિશામાં ભાગી થયા. હનુમાને સૂર્યથીયે અધિક
જ્યોતિવાળા ચક્રથી વજ્રમુખનું શિર પૃથ્વી પર રેડવી દીધું. આ સામાન્ય ચક્ર છે, ચક્રી
અને અર્ધચક્રીની પાસે સુદર્શનચક્ર હોય છે. યુદ્ધમાં પિતાનું મરણ થયું જોઈને લંકાસુંદરી
વજ્રમુખની પુત્રી પિતાના શોકથી ઉપજેલા કષ્ટને રોકીને, ક્રોધરૂપ વિષથી ભરેલી, તેજ
તુરંગ જોડેલા રથ પર બેઠી. તેનું મુખ કુંડળના પ્રકાશથી ચમકતું હતું, ભ્રમર વાંકી હતી,
ઉલ્કાપાત જેવી ક્રોધથી લાલ આંખો કરતી, ક્રૂરતાથી પોતાના અધરને કરડતી હનુમાન
તરફ દોડી ને કહ્યું, હે દુષ્ટ! હું તને જોઈ લઉં છું, જો તારામાં શક્તિ હોય તો મારી સાથે
યુદ્ધ કર જે ક્રોધે ભરાયેલો
Page 402 of 660
PDF/HTML Page 423 of 681
single page version
સ્થાનમાં આવ્યો છો, આમ બોલતી તે શીઘ્રતાથી આવી. આવતાં જ તેણે હનુમાનનુ છત્ર
ઉડાવી દીધું એટલે તેણે બાણોથી એનું ધનુષ તોડી નાખ્યું. એ શક્તિ લઈને ચલાવવા જાય
તે પહેલાં હનુમાને વચમાં જ શક્તિ તોડી નાખી. પછી તે વિદ્યાબળથી ગંભીર વજ્રદંડ
જેવાં બાણ, ફરસી, બરછી, ચક્ર, શતઘ્ની, મૂશળ, શિલા ઇત્યાદિ વાયુપુત્રના રથ ઉપર
વરસાવવા લાગી, જેમ મેઘમાળા પર્વત પર જળની ધારા વરસાવે છે. જાતજાતનાં
આયુધોથી તેણે હનુમાનને ધેરી લીધો, જેમ મેઘપટલ સૂર્યને આચ્છાદિત કરે. વિદ્યાની સર્વ
વિધિઓમાં પ્રવીણ હનુમાને શત્રુઓના સમૂહને પોતાનાં શસ્ત્રોથી પોતાની પાસે ન આવવા
દીધા, તોમરાદિક બાણથી તોમરાદિક રોક્યા અને શક્તિથી શક્તિને રોકી. આ પ્રમાણે
પરસ્પર તુમુલ યુદ્ધ થયું. આનાં બાણ એણે રોક્યાં અને એનાં બાણ આણે રોક્યાં, ઘણા
સમય સુધી યુદ્ધ ચાલ્યું. પણ કોઈ હાર્યું નહિ.
કામનાં બાણ મર્મને વિદારનારાં છે. લંકાસુંદરી સાક્ષાત્ લક્ષ્મી સમાન, રૂપવતી,
કમળલોચન, સૌભાગ્ય ગુણોથી ગર્વિત હનુમાનના હૃદયમાં પ્રવેશ કરવા લાગી, જેના કાન
સુધીના બાણરૂપ તીક્ષ્ણ કટાક્ષ નેત્રરૂપ ધનુષથી નીકળેલા જ્ઞાન-ધૈર્યને હરનારા, દુર્દ્ધર
મનને ભેદનારા, પોતાનાં લાવણ્યથી સૌન્દર્યને હરનાર છે. ત્યારે હનુમાન મોહિત થઈ
મનમાં વિચારવા લાગ્યા કે આ મનોહર આકૃતિ બહારથી મને વિદ્યાબાણ અને સામાન્ય
બાણથી ભેદે છે અને અભ્યંતરમાં મારા મનને કામના બાણથી વીંધે છે. એ મને બાહ્યથી
અને અંતરથી હણે છે, તન અને મનને પીડે છે, આ યુદ્ધમાં એનાં બાણથી મૃત્યુ થાય તો
સારું, પરંતુ એના વિના સ્વર્ગમાં જીવન ભલું નથી, આમ પવનપુત્ર મોહિત થયો. તે
લંકાસુંદરી પણ એનું રૂપ જોઈ મોહિત થઈ, ક્રૂરતારહિત, કરુણાસભર તેનું ચિત્ત બન્યું છે.
પછી હનુમાનને મારવા માટે જે શક્તિ હાથમાં લીધી હતી તે તરત જ હાથમાંથી ધરતી
પર ફેંકી દીધી, હનુમાન પર ન ચલાવી. હનુમાનનું તન અને મન પ્રફુલ્લ છે, કમળદલ
સમાન નેત્ર છે, પૂર્ણમાસીના ચંદ્ર જેવું મુખ છે, મુકુટમાં વાનરનું ચિહ્ન છે અને સાક્ષાત્
કામદેવ છે. લંકાસુંદરી મનમાં ચિંતવવા લાગી કે આણે મારા પિતાને માર્યા તે મોટો
અપરાધ કર્યો છે. જોકે તે દુશ્મન છે તો પણ અનુપમ રૂપથી મારા મનને હરે છે. જો
આની સાથે કામભોગ ન ભોગવું તો મારો જન્મ નિષ્ફળ છે. પછી વિહ્વળ થઈને એક
પત્રમાં પોતાનું નામ લખી તે પત્ર બાણ સાથે જોડી બાણ ફેંક્યું. તેમાં એ લખાણ હતું કે
હે નાથ! દેવોના સમૂહથી ન જિતાઉં એવી હું તમારાં કામબાણથી જિતાઈ ગઈ છું. આ
પત્ર વાંચી હનુમાન પ્રસન્ન થઈ રથ પરથી નીચે ઊતરી તેને મળ્યા, જેમ કામ રતિને
મળે. તેનું વેર શાંત થઈ ગયું, પિતાના મરણથી શોકરત થઈ આંસુ સારવા લાગી. ત્યારે
હનુમાને કહ્યું કે હે ચંદ્રવદની! રુદન ન કર. તારો શોક નિવૃત્ત કર. તારા પિતા પરમ
ક્ષત્રિય, મહાશૂરવીર હતા. તેમની એ જ રીત છે કે પોતાના સ્વામીના
Page 403 of 660
PDF/HTML Page 424 of 681
single page version
આ પ્રાણી કર્મોના ઉદયથી પિતા, પુત્ર, બાંધવાદિક બધાને હણે છે. માટે તું આર્તધ્યાન
છોડ. આ બધા જીવો પોતાનાં ઉપાર્જેલાં કર્મો ભોગવે છે, મરણનું નિશ્ચય કારણ
આયુષ્યનો અંત છે અને અન્ય જીવ તો નિમિત્તમાત્ર છે. આ વચનોથી લંકાસુંદરીનો શોક
દૂર થયો. આ પ્રમાણે તે પૂર્ણચંદ્રથી નિશા શોભે તેમ હનુમાનથી શોભવા લાગી. પ્રેમથી
પૂર્ણ બન્ને મળીને સંગ્રામનો ખેદ ભૂલી ગયાં, બન્નેનાં ચિત્ત પરસ્પર પ્રીતિરૂપ થઈ ગયાં.
પછી આકાશમાં સ્તંભિની વિદ્યાથી સેનાને રોકી દીધી અને સુંદર માયામયી નગર વસાવ્યું.
સાંજની લાલાશ જેવું લાલ, દેવોના નગર સમાન મનોહર સુંદર રાજમહેલો વગેરે બન્યાં
તેથી હાથી, ઘોડા, વિમાન, રથો પર ચડેલા મોટા મોટા રાજાઓ નગરમાં પ્રવેશવા લાગ્યા.
નગર ધજાઓથી શોભતું હતું. તે બધા યથાયોગ્ય નગરમાં રહ્યા. અત્યંત ઉત્સાહથી રાત્રે
શૂરવીરોના યુદ્ધનું તાદ્રશ વર્ણન સામંતો કરવા લાવ્યા. હનુમાન લંકાસુંદરી સાથે રમતા હતા.
સાંભળ્યા હશે, તે સાંભળીને અત્યંત ખેદ-ખિન્ન થયો હશે, માટે તમે લંકા શા માટે જાવ
છો? પછી હનુમાને તેને સકળ વૃત્તાંત કહ્યો કે રામે વાનરવંશીઓનો ઉપકાર કર્યો છે તે
બધાની પ્રેરણાથી રામ તરફના ઉપકારના નિમિત્તે હું જાઉં છું. હે પ્રિયે! રામનો સીતા સાથે
મેળાપ કરાવું, રાક્ષસોનો રાજા સીતાને અન્યાય માર્ગથી હરીને લઈ ગયો છે, તેને હું
સર્વથા લાવીશ જ. ત્યારે તેણે કહ્યું કે તમારો અને રાવણનો પહેલાંનો સ્નેહ રહ્યો નથી, તે
સ્નેહ નાશ પામ્યો છે અને જેમ સ્નેહ એટલે કે તેલનો નાશ થવાથી દીપકની શિખા રહેતી
નથી તેમ સ્નેહ નષ્ટ થવાથી સંબંધનો વ્યવહાર રહેતો નથી. અત્યાર સુધી તમારો એવો
વ્યવહાર હતો કે તમે જ્યારે લંકામાં આવતા ત્યારે નગરનગરમાં, ગલીગલીમાં આનંદ
છવાતો, મકાનો ધજાઓથી શોભતાં, જેમ સ્વર્ગમાં દેવ પ્રવેશ કરે તેમ તમે પ્રવેશ કરતા.
હવે દશાનન તમારા પ્રત્યે દુશ્મનરૂપ છે, તે નિઃસંદેહ તમને પકડશે. માટે તમારે અને એને
જ્યારે સંધિ થાય ત્યારે તમારે મળવું યોગ્ય છે. હનુમાને જવાબ આપ્યો, હે વિચક્ષણે! હું
જઈને તેનો અભિપ્રાય જાણવા ઇચ્છું છું અને તે સીતા સતી જગતમાં પ્રસિદ્ધ છે, રૂપમાં
અદ્વિતીય છે, જેને જોઈને રાવણનું સુમેરુ સમાન અચળ મન ચલિત થયું છે. તે
મહાપતિવ્રતા અમારા નાથની સ્ત્રી, અમારી માતા સમાન છે, તેનાં દર્શન કરવા ચાહું છું.
આમ હનુમાને કહ્યું અને બધી સેના લંકાસુંદરીની પાસે રાખી અને પોતે વિવેકવાળી
પાસેથી વિદાય લઈને લંકા તરફ ચાલ્યો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે
રાજન! આ લોકમાં એ મોટા આશ્ચર્યની વાત છે કે આ પ્રાણી ક્ષણમાત્રમાં એક રસ છોડી
બીજા રસમાં લાગી જાય છે, કોઈ વાર વિરસને છોડી રસમાં આવી જાય છે. કોઈવાર
રસને છોડીને વિરસમાં આવી જાય છે. આ જગતમાં આ કર્મોની અદ્ભુત ચેષ્ટા છે, સર્વ
સંસારી જીવ કર્મોને આધીન છે. જેમ
Page 404 of 660
PDF/HTML Page 425 of 681
single page version
વર્ણન કરનાર બાવનમું પર્વ પૂર્ણ થયું.
મહેલમાં ગયો. વિભીષણે તેનું ખૂબ સન્માન કર્યું. ક્ષણેક રહીને પરસ્પર વાર્તાલાપ કરતાં
હનુમાને કહ્યું કે રાવણ અર્ધા ભરતક્ષેત્રનો પતિ, સર્વનો સ્વામી તે દરિદ્ર મનુષ્યની જેમ
ચોરી કરીને પરસ્ત્રી લઈ આવે તે શું ઉચિત છે? જે રાજા છે તે મર્યાદાનું મૂળ છે, જેમ
નદીનું મૂળ પર્વત છે. રાજા જ અનાચારી હોય તો સર્વ લોકમાં નિંદા થાય માટે જગતના
કલ્યાણ નિમિત્તે રાવણને શીઘ્ર કહો કે ન્યાયનું ઉલ્લંઘન ન કરે હે નાથ એમ કહો કે
જગતમાં અપયશનું કારણ આ કર્મ છે. જેનાથી લોક નષ્ટ થાય તેવું ન કરવું, તમારા
કુળનું નિર્મળ ચરિત્ર કેવળ પૃથ્વી પર જ પ્રશંસાયોગ્ય નથી, સ્વર્ગમાં પણ દેવ હાથ
જોડીને, નમસ્કાર કરીને તમારા પૂર્વજોની પ્રશંસા કરે છે. તમારો યશ સર્વત્ર પ્રસિદ્ધ છે.
ત્યારે વિભીષણે કહ્યું કે મેં ધણી વાર ભાઈને સમજાવ્યા, પણ માનતા નથી. અને જે
દિવસથી સીતાને લઈ આવ્યા છે તે દિવસથી મારી સાથે વાત પણ નથી કરતા. તો પણ
તમારા કહેવાથી હું ફરી વાર દબાવીને કહીશ, પરંતુ તેનાથી આ હઠ છૂટવી મુશ્કેલી છે.
આજે અગિયારમો દિવસ છે, સીતા નિરાહાર છે, જળ પણ લેતાં નથી તો પણ રાવણને
દયા ઉપજી નથી, આ કામથી વિરક્ત થતા નથી. આ વાત સાંભળીને હનુમાનને અત્યંત
દયા ઉપજી. પ્રમદ નામના ઉદ્યાનમાં જ્યાં સીતા વિરાજે છે ત્યાં હનુમાન આવ્યા. તે વનની
સુંદરતા જોવા લાગ્યા, નવીન વેલોના સમૂહથી ભરેલા પર્ણો લાલ રંગના સુંદર સ્ત્રીના
કરપલ્લવ જેવાં શોભે છે. પુષ્પોના ગુચ્છો પર ભમરા ગુંજારવ કરે છે, ફળોની ડાળીઓ
નીચી નમી ગઈ છે, પવનથી તે હાલે છે, કમળોથી સરોવરો શોભે છે અને દેદીપ્યમાન
વેલોથી વૃક્ષ વીંટળાયેલાં છે. તે વન જાણે દેવવન અથવા ભોગભૂમિ જેવું લાગે છે,
પુષ્પોની મકરંદથી મંડિત જાણે સાક્ષાત્ નંદનવન છે. અનેક અદ્ભુતતાથી પૂર્ણ હનુમાન
કમળલોચન વનની લીલા દેખતા થકા સીતાના દર્શન નિમિત્તે આગળ ગયા. ચારે તરફ
વનમાં અવલોકન કર્યું તો દૂરથી જ સીતાને જોયાં. સમ્યગ્દર્શન સહિત મહાસતીને જોઈને
હનુમાન મનમાં વિચારવા લાગ્યા કે આ રામદેવની પરમસુંદરી
Page 405 of 660
PDF/HTML Page 426 of 681
single page version
અડાડીને બેઠી છે, શિરના કેશ વિખરાઈ ગયા છે, શરીર કૃશ છે. એ જોઈને વિચારવા
લાગ્યા કે આ માતાનું રૂપ ધન્ય છે. લોકમાં જેણે સર્વ લોકને જીતી લીધાં છે, જાણે એ
કમળમાંથી ઉત્પન્ન થયેલી લક્ષ્મી જ વિરાજે છે, દુઃખના સમુદ્રમાં ડૂબેલી છે તોપણ એના
જેવી બીજી કોઈ નારી નથી. હું જે રીતે બને તે રીતે એનો શ્રી રામ સાથે મેળાપ કરાવું.
આના અને રામના કાર્ય માટે મારું શરીર આપું, આનો અને રામનો વિરહ નહિ દેખું,
આમ ચિંતવન કરી પોતાનું રૂપ બદલી ધીમે પગલે આગળ જઈ હનુમાને શ્રી રામની
મુદ્રિકા સીતાની પાસે નાખી. તેને જોતાંવેંત તેના રોમાંચ ખડા થઈ ગયા અને મોઢું કાંઈક
આનંદિત લાગ્યું. ત્યારે તેની સમીપમાં જે સ્ત્રી બેઠી હતી તે જઈને એની પ્રસન્નતાના
સમાચાર રાવણને આપવા લાગી તેથી રાવણે ખુશ થઈને એને વસ્ત્ર, રત્નાદિક આપ્યાં.
અને સીતાને પ્રસન્નવદન જાણીને કાર્યની સિદ્ધિના વિચાર કરતો મંદોદરીને આખા
અંતઃપુર સહિત સીતા પાસે મોકલી. પોતાના નાથનાં વચનથી તે સર્વ અંતઃપુર સહિત
સીતા પાસે આવી અને સીતાને કહેવા લાગી-હે બાલે! આજે તું પ્રસન્ન થઈ છે એમ
સાંભળ્યું છે તેથી તેં અમારા ઉપર મહાન કૃપા કરી છે. હવે લોકના સ્વામી રાવણને
અંગીકાર કરીને દેવલોકની લક્ષ્મી ઈન્દ્રને ભજે તેમ રાવણને તું ભજ. આ વચન સાંભળી
સીતા ગુસ્સો કરીને મંદોદરીને કહેવા લાગી કે હે ખેચરી! આજે મારા પતિના સમાચાર
આવ્યા છે, મારા પતિ આનંદમાં છે તેથી મને હર્ષ ઉપજ્યો છે. મંદોદરીએ જાણ્યું કે આને
અન્નજળ લીધા અગિયાર દિવસ થઈ ગયા છે તેથી વાયુ થઈ ગયું છે અને તેથી બકે છે.
પછી સીતા મુદ્રિકા લાવનારને કહેવા લાગી કે હે ભાઈ! હું આ સમુદ્રના અંતર્દ્વીપમાં
ભયાનક વનમાં પડી છું તેથી મારા ભાઈ સમાન અત્યંત વાત્સલ્ય ધરનાર કોઈ ઉત્તમ
જીવ મારા પતિની મુદ્રિકા લઈને આવ્યો છે તે મને પ્રગટ દર્શન દો. ત્યારે અતિભવ્ય
હનુમાન સીતાનો અભિપ્રાય સમજી મનમાં વિચારવા લાગ્યા કે પહેલાં બીજાનો ઉપકાર
કરવાનું વિચારે અને પછી કાયર થઈને છુપાઈ રહે તે અધમ પુરુષ છે અને જે અન્ય
જીવને આપદામાં ખેદ-ખિન્ન જોઈને અન્યની સહાય કરે તે દયાળુનો જન્મ સફળ છે.
ત્યારે રાવણની મંદોદરી આદિ બધી સ્ત્રીઓના દેખતાં દૂરથી જ તેમણે સીતાને જોઈ હાથ
જોડી, મસ્તક નમાવી નમસ્કાર કર્યા. હનુમાન અત્યંત નિર્ભય, કાંતિથી ચંદ્રમા સમાન,
દીપ્તિથી સૂર્ય સમાન, વસ્ત્રાભરણમંડિત, મુકુટમાં વાનરનું ચિહ્ન જેનાં સર્વ અંગ ચંદનથી
ચર્ચિત, અત્યંત બળવાન, વજ્રવૃષભનારાચસંહનન, સુંદર કેશ, લાલ હોઠ, કુંડળનાઉદ્યોતથી
પ્રકાશિત મનોહર મુખ, ગુણવાન અને પ્રતાપસંયુક્ત સીતાની સન્મુખ આવતાં જાણે કે
સીતાનો ભાઈ ભામંડળ તેને લેવા આવતો હોય તેવા શોભતા હતા. તેમણે પ્રથમ જ
પોતાનું કુળ, ગોત્ર, માતાપિતાનું નામ કહીને પોતાનું નામ કહ્યું. પછી શ્રી રામે જે કહ્યું
હતું તે બધું કહ્યું અને હાથ જોડી વિનંતી કરી કે હે સાધ્વી! સ્વર્ગ વિમાન સમાન
મહેલોમાં શ્રી રામ બિરાજે છે, પરંતુ તમારા વિરહરૂપ સમુદ્રમાં ડૂબેલા તેમને ક્યાંય રતિ
ઉપજતી નથી. સમસ્ત ભોગોપભોગ છોડીને,
Page 406 of 660
PDF/HTML Page 427 of 681
single page version
રહે તેમ તે રહે છે. તે કદી પણ વીણાનું સંગીત કે સુંદર સ્ત્રીઓનાં ગીત સાંભળતા નથી,
સદા તમારી જ વાત કરે છે. તમને જોવા માટે જ ફક્ત પ્રાણ ધારી રહ્યા છે. હનુમાનનાં
આ વચન સાંભળી સીતા આનંદ પામી. પછી સજળ નેત્રે કહેવા લાગી, (તે વખતે
હનુમાન સીતાની નિકટ અત્યંત વિનયથી હાથ જોડીને ઊભા છે) હે ભાઈ! હું અત્યારે
દુઃખના સાગરમાં પડી છું, અશુભના ઉદયથી મારી પાસે કાંઈ નથી, પતિના સમાચાર
સાંભળી રાજી થઈને તને હું શું આપું? ત્યારે હનુમાને પ્રણામ કરીને કહ્યું, હે જગતપૂજ્ય!
તમારાં દર્શનથી જ મને મોટો લાભ મળ્યો છે. ત્યારે સીતાએ મોતી સમાન આંસુ સારતાં
હનુમાનને પૂછયું કે હે ભાઈ! મગર વગેરે અનેક જળચરોથી ભરેલા ભયાનક સમુદ્રને
ઓળંગીને તું આ નગરમાં કેવી રીતે આવ્યો? અને સાચું કહે કે મારા પ્રાણનાથને તેં ક્યાં
જોયા અને લક્ષ્મણ યુદ્ધમાં ગયા હતા, તે ક્ષેમકુશળ છે ને? અને મારા નાથ કદાચ તને
આ સંદેશો આપીને પરલોક સિધાવ્યા હોય, અથવા જિનમાર્ગમાં અત્યંત પ્રવીણ તેમણે
સકળ પરિગ્રહનો ત્યાગ કરી મુનિપણું ધારણ કર્યું હોય અથવા મારા વિયોગથી તેમનું
શરીર દૂબળું થઈ ગયું હોય અને આંગળીમાંથી વીંટી પડી ગઈ હોય; આવા વિકલ્પ મને
આવે છે. અત્યાર સુધી મારા પ્રભુનો તારી સાથે પરિચય નહોતો તો તમારી સાથે કેવી
રીતે મિત્રતા થઈ? તે બધું મને વિગતવાર કહો. ત્યારે હનુમાને હાથ જોડી, મસ્તક
નમાવી કહ્યું, હે દેવી! લક્ષ્મણને સૂર્યહાસ ખડ્ગ સિદ્ધ થયું અને ચંદ્રનખાએ પતિ પાસે
જઈને પતિને ક્રોધ ઉત્પન્ન કર્યો. તેથી ખરદૂષણ દંડકવનમાં યુદ્ધ કરવા આવ્યો અને
લક્ષ્મણ તેની સાથે યુદ્ધ કરવા ગયા, તે બધો વૃત્તાંત તો તમે જાણો છો, પછી રાવણ
આવ્યો, આપ શ્રીરામ પાસે વિરાજતા હતા. રાવણ જોકે સર્વશાસ્ત્રનો જાણકાર હતો અને
ધર્મ અધર્મનું સ્વરૂપ જાણતો હતો. પરંતુ આપને જોઈને અવિવેકી થઈ ગયો, સમસ્ત
નીતિ ભૂલી ગયો, તેની બુદ્ધિ ચાલી ગઈ. તમારું હરણ કરવા માટે તેણે કપટથી સિંહનાદ
કર્યો તે સાંભળી રામ લક્ષ્મણ પાસે ગયા અને આ પાપી તમને ઉપાડી ગયો, પછી લક્ષ્મણે
રામને કહ્યું કે તમે કેમ આવ્યા? શીઘ્ર જાનકી પાસે જાવ. પછી રામ પોતાના સ્થાનકે
આવ્યા અને તમને ન જોતાં અત્યંત ખેદખિન્ન થયા. તમને શોધવા માટે વનમાં ખૂબ
ફર્યા. પછી જટાયુને મરતો જોયો ત્યારે તેને નમોક્કાર મંત્ર આપ્યો, ચાર આરાધના
સંભળાવી, સંન્યાસ આપી પક્ષીનો પરલોક સુધાર્યો. પછી તમારા વિરહથી અત્યંત દુઃખી
શોકમાં પડયા. લક્ષ્મણ ખરદૂષણને હણીને રામ પાસે આવ્યા, ધૈર્ય બંધાવ્યું અને ચંદ્રોદયનો
પુત્ર વિરાધિત લક્ષ્મણ સાથે યુદ્ધમાં જ આવીને મળ્યો હતો. પછી સુગ્રીવ રામ પાસે
આવ્યા અને સાહસગતિ વિદ્યાધર જે સુગ્રીવનું રૂપ લઈને સુગ્રીવની સ્ત્રીની ઇચ્છા કરતો
હતો. રામને જોઈને સાહસગતિની વિદ્યા જતી રહી, સુગ્રીવનું રૂપ મટી ગયું. સાહસગતિ
રામ સાથે લડયો અને મરાયો. આ રીતે રામે સુગ્રીવનો ઉપકાર કર્યો. પછી બધાએ મને
બોલાવી રામ સાથે મેળાપ કરાવ્યો. હવે હું શ્રી રામના મોકલવાથી તમને છોડાવવા માટે
આવ્યો છું, પરસ્પર યુદ્ધ કરવું
Page 407 of 660
PDF/HTML Page 428 of 681
single page version
વિનયવાન છે, ધર્મ, અર્થ, કામના વેત્તા છે, કોમળ હૃદયવાળા છે, સૌમ્ય છે, વક્રતારહિત
છે, સત્યવાદી મહાધીરવીર છે, તે મારું વચન માનશે અને તમને રામ પાસે મોકલી દેશે.
એની કીર્તિ અત્યંત નિર્મળ પૃથ્વી પર પ્રસિદ્ધ છે અને એ લોકાપવાદથી ડરે છે. ત્યારે
સીતા હર્ષિત થઈને હનુમાનને કહેવા લાગી, હે કપિધ્વજ! તારા જેવા પરાક્રમી ધીરવીર
વિનયી મારા પતિની પાસે કેટલાક છે? ત્યારે મંદોદરી કહેવા લાગી, હે જાનકી? મેં જે
કહ્યું છે તે સમજીને કહ્યું છે. તું એને ઓળખતી નથી તેથી આમ પૂછે છે. આના જેવા
ભરતક્ષેત્રમાં કોણ છે? આ ક્ષેત્રમાં એ એક જ છે. આ મહાસુભટ યુદ્ધમાં કેટલીય વાર
રાવણનો સહાયક થયો છે. એ પવનનો અને અંજનાનો પુત્ર રાવણનો ભાણેજ જમાઈ છે,
ચંદ્રનખાની પુત્રી અનંગકુસુમાને પરણ્યો છે, આણે એકે અનેકને જીત્યા છે, લોકો સદા તેને
જોવા ઇચ્છે છે. તેની કીર્તિ ચંદ્રમાનાં કિરણો પેઠે જગતમાં ફેલાઈ ગઈ છે. લંકાનો ધણી
એને ભાઈઓથી પણ અધિક ગણે છે. આ હનુમાન પૃથ્વી પર પ્રસિદ્ધ ગુણોથી ભરેલો છે,
પરંતુ એ મોટું આશ્ચર્ય છે કે ભૂમિગોચરીઓનો દૂત થઈને આવ્યો છે. ત્યારે હનુમાને કહ્યું
કે તમે રાજા મયની પુત્રી અને રાવણની પટરાણી દૂતી બનીને આવ્યા છો. જે પતિની
કૃપાથી દેવો સરખા સુખ ભોગવ્યાં, તેને અકાર્યમાં પ્રવર્તતા રોકતા નથી અને આવા
કાર્યની અનુમોદના કરે છો. પોતાનો વલ્લભ વિષભરેલું ભોજન કરે છે તેને અટકાવતા
નથી, જે પોતાનું ભલુબૂરું ન જાણે તેનું જીવન પશુ સમાન છે. અને તમારા સૌભાગ્યરૂપ,
સૌથી અધિક અને પતિ પરસ્ત્રીરત થયા છે તેનું દૂતીપણું કરો છો. તમે સર્વ વાતોમાં
પ્રવીણ, પરમ બુદ્ધિમતી હતા તે સામાન્ય જીવોની પેઠે અવિધિનું કાર્ય કરો છો. તમે
અર્ધચક્રીની પટરાણી છો હવે હું તમને ભેંસ સમાન માનું છું. હનુમાનના મુખથી આ
વચન સાંભળી મંદોદરી ક્રોધથી બોલી, અહો તું દોષરૂપ છે! તારું વાચાળપણું નિરર્થક છે.
જો કદાચ રાવણ જાણશે કે એ રામનો દૂત થઈને સીતા પાસે આવ્યો છે તો જે કોઈની
સાથે નથી કર્યું એવું તારી સાથે કરશે. અને જેણે રાવણના બનેવી ચંદ્રનખાના પતિને
માર્યો તેના સુગ્રીવાદિક સેવક થયા, રાવણની સેવા છોડી દીધી તેથી એ બધા મંદબુદ્ધિ છે,
રંક શું કરવાના? એમનું મૃત્યુ નજીક આવ્યું છે તેથી ભૂમિગોચરીના સેવક થયા છે. તે
અતિ મૂઢ, નિર્લજ્જ, તુચ્છ વૃત્તિવાળા, કૃતઘ્ની વૃથા ગર્વરૂપ થઈને મૃત્યુની સમીપમાં બેઠા
છે. મંદોદરીનાં આ વચન સાંભળી સીતા ગુસ્સે થઈ બોલી, હે મંદોદરી! તું મંદબુદ્ધિ છે
તેથી આમ વૃથા બકે છે. મારા પતિ અદ્ભુત પરાક્રમના ધણી છે તે શું તેં નથી સાંભળ્યું?
શૂરવીર અને પંડિતોની ગોષ્ઠીમાં મારા પતિની મુખ્ય ગણના થાય છે. જેના વજ્રાવર્ત
ધનુષનો ટંકાર યુદ્ધમાં સાંભળીને મહાન રણવીર યોદ્ધા પણ ધૈર્ય રાખી શકતા નથી,
ભયથી કંપી દૂર ભાગે છે, જેનો નાનો ભાઈ લક્ષ્મણ લક્ષ્મીનો નિવાસ, શત્રુઓનો ક્ષય
કરવામાં સમર્થ, જેને દેખતાં જ શત્રુ દૂર ભાગી જાય છે. ઘણું કહેવાથી શું? મારા પતિ
રામ લક્ષ્મણ સાથે સમુદ્ર ઓળંગીને શીઘ્ર જ આવશે અને યુદ્ધમાં થોડા જ દિવસોમાં તું
તારા પતિને
Page 408 of 660
PDF/HTML Page 429 of 681
single page version
મરેલો જોઈશ. મારા પતિ પ્રબળ પરાક્રમી છે. તું પાપી ભરતારની આજ્ઞારૂપ દૂતી થઈને
આવી છો તે શીઘ્ર વિધવા થઈશ, અને બહુ જ રુદન કરીશ. સીતાના મુખથી આ વચન
સાંભળી રાજા મયની પુત્રી મંદોદરી અત્યંત ગુસ્સે થઈ. અઢાર હજાર રાણીઓ સાથે
સીતાને મારવા તૈયાર થઈ અને અતિ ક્રૂર વચન બોલતી સીતા તરફ ધસી. ત્યારે
હનુમાને વચ્ચે આવીને તેને રોકી જેમ પહાડ નદીના પ્રવાહને રોકી દે તેમ. તે બધી
સીતાને દુઃખનું કારણ વેદનારૂપ થઈ હણવા માટે ઉદ્યમી થઈ હતી ત્યારે હનુમાને વૈદ્યરૂપ
થઈને તેમને રોકી. આથી મંદોદરી આદિ રાવણની બધી રાણીઓ માનભંગ થઈને રાવણ
પાસે ગઈ. તેમનાં ચિત્ત ક્રૂર હતાં. તેમના ગયા પછી હનુમાન સીતાને નમસ્કાર કરી
આહાર લેવાની વિનંતી કરવા લાગ્યા. હે દેવી! આ સાગરાંત પૃથ્વી શ્રી રામચંદ્રની છે
તેથી અહીંનું અન્ન તેમનું જ છે, શત્રુઓનું ન જાણો. હનુમાને આ પ્રમાણે સંબોધન કર્યું
અને પ્રતિજ્ઞા પણ એ જ હતી કે જ્યારે પતિના સમાચાર સાંભળીશ ત્યારે ભોજન કરીશ,
અને સમાચાર આવ્યા જ. પછી સર્વ આચારમાં વિચક્ષણ, મહાસાધ્વી, શીલવંતી, દયાવંતી,
દેશકાળની જાણનાર સીતાએ આહાર લેવાનું સ્વીકાર્યું. હનુમાને એક ઇરા નામની સ્ત્રીને
આજ્ઞા કરી કે તરત જ શ્રેષ્ઠ અન્ન લાવો. હનુમાન વિભીષણની પાસે ગયા. તેને ત્યાં જ
ભોજન કર્યું અને તેને કહ્યું કે સીતાના ભોજનની તૈયારી કરીને હું આવ્યો છું. ઇરા જ્યાં
પડાવ હતો ત્યાં ગઈ અને ચાર મુહૂર્તમાં બધી સામગ્રી લઈને આવી, દર્પણ સમાન
પૃથ્વીને ચંદનથી લીંપી અને સુગંધી પુષ્કળ નિર્મળ સામગ્રી સુવર્ણાદિના વાસણમાં ભોજન
ધરાવીને લાવી. કેટલાંક પાત્ર ઘીથી ભર્યાં છે, કેટલાંક ચાવલથી ભર્યાં છે., ચાવલ કુંદપુષ્પ
જેવા ઉજ્જવળ છે, કેટલાંક પાત્ર દાળથી ભર્યાં છે અને અનેક રસ નાના પ્રકારના વ્યંજન
દહીં, દૂધ વગેરે સ્વાદિષ્ટ જાતજાતના આહારમાંથી સીતાએ અનેક ક્રિયાઓ સહિત રસોઈ
કરી ઇરા વગેરે સમીપવર્તી સ્ત્રીઓને અહીં જ જમવાનું નિમંત્રણ આપ્યું. હનુમાન પ્રત્યે
ભાઈના જેવા ભાવથી અત્યંત વાત્સલ્ય કર્યું. જેનું અંતઃકરણ શ્રદ્ધાસંયુક્ત છે એવી
મહાપતિવ્રતા સીતા ભગવાનને નમસ્કાર કરી, પોતાનો નિયમ પૂરો કરી ત્રિવિધ પાત્રને
ભોજન કરાવવાની અભિલાષા કરીને, શ્રીરામને હૃદયમાં ધારણ કરી, પવિત્ર અંગવાળી,
દિવસે શુદ્ધ આહાર કરવા લાગી. સૂર્યનો ઉદય હોય ત્યારે જ પવિત્ર, પુણ્ય વધારનાર
આહાર યોગ્ય છે, રાત્રે આહાર કરવો યોગ્ય નથી. સીતાએ ભોજન કરી લીધું અને થોડોક
વિશ્રામ લીધો પછી હનુમાને નમસ્કાર કરી વિનંતી કરી કે હે પતિવ્રતે! હે પવિત્રે! મારા
ખભા ઉપર બેસી જાવ અને હું સમુદ્ર ઓળંગીને ક્ષણમાત્રમાં તમને રામની પાસે લઈ
જાઉં. તમારા ધ્યાનમાં તત્પર, મહાન વૈભવ સંયુક્ત રામને શીધ્ર દેખો. તમારા મેળાપથી
બધાને આનંદ થશે. ત્યારે સીતા રુદન કરતી કહેવા લાગી કે હે ભાઈ! પતિની આજ્ઞા
વિના મારું ગમન યોગ્ય નથી, જો મને તે પૂછે કે તું બોલાવ્યા વિના કેમ આવી તો હું શો
ઉત્તર આપું? અને રાવણે ઉપદ્રવના સમાચાર તો સાંભળ્યા હશે તેથી હવે તમે જાવ,
તમારે અહીં વિલંબ કરવો ઉચિત નથી. મારા પ્રાણનાથની પાસે જઈ મારા તરફથી હાથ
જોડી નમસ્કાર કરી મારા મુખનાં આ
Page 409 of 660
PDF/HTML Page 430 of 681
single page version
સ્તુતિ કરી હતી અને નિર્મળ જળ ભરેલી કમળોથી શોભિત સરોવરી હતી તેમાં જળક્રીડા
કરી હતી તે વખતે એક મહાભયંકર જંગલી હાથી આવ્યો હતો તે પ્રબળ હાથીને આપે
ક્ષણમાત્રમાં વશ કરી તેની સાથે સુંદર ક્રીડા કરી હતી. હાથીને ગર્વરહિત નિશ્ચળ કર્યો
હતો. એક દિવસ નંદનવન સમાન વનમાં વૃક્ષોની શાખાઓ નમાવતી હું ક્રીડા કરતી હતી
ત્યારે ભમરા મારા શરીર ને ઘેરી વળ્યા હતા ત્યારે આપે અતિ શીઘ્રતાથી મને હાથથી
ઊંચકી લઈને આકુળતારહિત કરી હતી. એક દિવસ સૂર્યના ઉદય સમયે આપની પાસે હું
સરોવરના કિનારે બેઠી હતી ત્યારે આપે મને શિક્ષા કરવા માટે કાંઈક બહાનું કાઢીને
કોમળ કમળનાળ મને મધુરતાથી મારી હતી. એક દિવસ પર્વત પર અનેક જાતિનાં વૃક્ષો
જોઈને મેં આપને પૂછયું હતું કે હે પ્રભો! આ કઈ જાતનાં મનોહર વૃક્ષો છે! ત્યારે આપે
પ્રસન્ન મુખે કહ્યું હતું કે હે દેવી! આ નંદની વૃક્ષો છે. એક દિવસ કરણકુંડળ નામની
નદીને કિનારે આપ બિરાજતા હતા અને હું પણ ત્યાં હતી તે સમયે મધ્યાહ્ને ચારણ મુનિ
આવ્યા ત્યારે તમે ઊઠીને અત્યંત ભક્તિથી મુનિને આહાર આપ્યો હતો ત્યાં પાંચ આશ્ચર્ય
થયા હતા; રત્નવર્ષા, કલ્પવૃક્ષોનાં પુષ્પોની વર્ષા, સુગંધી જળની વર્ષા, શીતળ મંદ સુગંધ
પવન, દુંદુભિ વાજાં અને આકાશમાં દેવોએ એવો ધ્વનિ કર્યો કે ધન્ય તે પાત્ર, ધન્ય આ
દાતા, ધન્ય આ દાન; આ બધી રહસ્યની (ખાનગી) વાતો કહી. પોતાના મસ્તક પરથી
ઉતારીને ચૂડામણિ એમને બતાવવા આપ્યો જેથી તેમને વિશ્વાસ આવે. અને એમ કહેજો કે
હું જાણું છું કે મારા ઉપર આપની પરમ કૃપા છે તો પણ તમે પોતાના પ્રાણ યત્નપૂર્વક
ટકાવી રાખજો, તમારાથી મારો વિયોગ થયો છે. હવે તમારા પ્રયત્નથી મેળાપ થશે. આમ
કહીને સીતા રુદન કરવા લાગી ત્યારે હનુમાને ધૈર્ય બંધાવ્યું અને કહ્યું, હે માતા! જેમ તમે
આજ્ઞા કરશો તેમ જ થશે. તરત જ સ્વામી સાથે મેળાપ થશે. આમ કહીને હનુમાન સીતા
પાસેથી વિદાય થઈ ગયા. સીતાએ પતિની મુદ્રિકા આંગળીમાં પહેરીને એવું સુખ
અનુભવ્યું જાણે કે પતિનો સમાગમ થઈ ગયો.
આવ્યો છે. તેમાંની કોઈ કામથી વ્યાકુળ બની વીણા વગાડવા લાગી, તેનો સ્વર કિન્નરી
દેવીઓ
માળા, સુંદર વસ્ત્ર પહેરેલા દેદીપ્યમાન અગ્નિકુમાર દેવ પેઠે શોભતા હતા.
પુષ્પોદ્યાનમાં મારો કોઈ શત્રુ આવ્યો છે તેને અવશ્ય મારી નાખો. તેઓ જઈને વનના
રક્ષકને પૂછવા લાગ્યા કે
Page 410 of 660
PDF/HTML Page 431 of 681
single page version
હે વનના રક્ષક! તમે કેમ પ્રમાદરૂપ થઈ ગયા છો, ઉદ્યાનમાં કોઈ દુષ્ટ વિદ્યાધર આવ્યો છે,
તેને તરત જ મારવાનો અથવા પકડવાનો છે, એ અત્યંત અવિનયી છે. તે કોણ છે? ક્યાં
છે? હનુમાને આ સાંભળ્યું અને ધનુષ, શક્તિ, ગદા, ખડ્ગ, બરછી ધારણ કરેલા અનેક
લોકોને આવતા જોયા. પછી સિંહથીયે અધિક પરાક્રમી, જેના મુગટમાં રત્નજડિત વાનરનું
ચિહ્ન છે, જેનાથી આકાશમાં પ્રકાશ થયો છે, એવા પવનપુત્રે તેમના ઉગતા સૂર્ય સમાન
ક્રોધથી હોઠ કરડતા અને લાલ આંખોવાળું પોતાનું રૂપ દેખાડયું. તેના ભયથી બધા કિંકરો
ભાગી ગયા. અને બીજા વધારે ક્રૂર સુભટો આવ્યા. તે શક્તિ, તોમર, ખડ્ગ, ચક્ર, ગદા,
ધનુષ ઇત્યાદિ આયુધો હાથમાં લઈને ચલાવતા આવ્યા. અંજનાનો પુત્ર શસ્ત્રરહિત હતો.
તેણે વનનાં ઊંચાં ઊંચા વૃક્ષો ઉપાડયાં અને પર્વતોની શિલા ઉપાડી અને રાવણના સુભટો
પર પોતાના હાથથી ફેંકી જાણે કે કાળ જ મોકલ્યો તેથી ઘણાં સામંતો મરી ગયા.
હનુમાનની ભુજાનો આકાર મહા ભયંકર સર્પની ફેણ સમાન છે. તેણે શાલ, પીપળો, વડ,
ચંપા, અશોક, કદંબ, કુંદ, નાગં, અર્જુન, આમ્રવૃક્ષ, લોધ, કટહલનાં મોટાં મોટાં વૃક્ષો
ઉખાડીને તેના વડે અનેક યોદ્ધાઓને મારી નાખ્યા, કેટલાકને શિલાઓથી માર્યા, કેટલાકને
મુક્કા અને લાતોથી પીસી નાખ્યા, રાવણની સમુદ્ર જેવડી સેનાને ક્ષણમાત્રમાં વિખેરી
નાખી, કેટલાક મરી ગયા, કેટલાક ભાગી ગયા. હે શ્રેણિક! હરણોને જીતવા માટે સિંહને
કોની સહાય જોઈએ? અને શરીર બળહીન હોય તો ઘણાની મદદ હોય તોય શું કામની?
તે વનના બધા મહેલો, વાપિકા, વિમાન જેવા ઉત્તમ મહેલો બધું ચૂરેચૂરા કરી નાખ્યું,
માત્ર સપાટ જમીન રહી ગઈ. વનનાં મકાનો અને વૃક્ષોનો નાશ કર્યો તેથી જેમ સમુદ્ર
સુકાઈ જાય અને માર્ગ થઈ જાય તેમ માર્ગ થઈ ગયો. દુકાનો તોડી પાડી, અનેક કિંકરોને
મારી નાખ્યા તેથી બજાર સંગ્રામની ભૂમિ જેવી થઈ ગઈ. ઊંચાં તોરણો અને ધજાઓની
પંક્તિ પડી ગઈ. આકાશમાંથી જાણે ઇન્દ્રધનુષ પડયું હોય અને પોતાના પગ વડે અનેક
વર્ણનાં રત્નોના મહેલો ઢાળી દીધા તેથી અનેક વર્ણનાં રત્નોની રજથી જાણે આકાશમાં
હજારો ઇન્દ્રધનુષ રચાયાં છે, પગની લાતોથી પર્વત સમાન ઊંચાં ઘર તોડી પાડયાં તેનો
ભયાનક અવાજ થયો. કેટલાકને તો હાથથી અને ખભાથી માર્યા, કેટલાકને પગથી અને
છાતીથી માર્યા. આ પ્રમાણે રાવણના હજારો સુભટોને મારી નાખ્યા એટલે નગરમાં
હાહાકાર થઈ ગયો અને રત્નોના મહેલ તૂટી પડયા તેનો અવાજ થયો. હાથીઓના પગ
ઉખાડી નાખ્યા, ઘોડા પવનની જેમ ઊડવા લાગ્યા, વાવો તોડી નાખી તેથી કીચડ રહી
ગયો, જાણે ચાકડે ચડાવી હોય તેમ આખી લંકા વ્યાકુળ થઈ ગઈ. લંકારૂપ સરોવર
રાક્ષસરૂપ માછલાઓથી ભરેલું હતું તે હનુમાનરૂપ હાથીએ ડખોળી નાખ્યું. પછી મેઘવાહન
બખ્તર પહેરીને મોટી ફોજ લઈને આવ્યો તેની પાછળ ઇન્દ્રજિત આવ્યો એટલે હનુમાન
તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યો. લંકાની બહારની ભૂમિ ઉપર યુદ્ધ થયું, જેવું ખરદુષણ
અને લક્ષ્મણ વચ્ચે થયું હતું. હનુમાન ચાર ઘોડાના રથ પર બેસીને ધનુષબાણ લઈને
રાક્ષસોની સેના તરફ ધસ્યા.
Page 411 of 660
PDF/HTML Page 432 of 681
single page version
હતા. અનેક લોકો અનેક પ્રકારે પોકારતા હતા કે સુગ્રીવના બોલાવવાથી એ પોતાના
નગરમાંથી કિહકંધાપુર આવ્યો હતો, રામને મળ્યો હતો અને ત્યાંથી આ તરફ આવ્યો,
વચ્ચે મહેન્દ્રને જીત્યો અને સાધુઓનો ઉપસર્ગ મટાડયો, દધિમુખની કન્યાને રામ પાસે
મોકલી અને વજ્રમય કોટનો નાશ કર્યો, વજ્રમુખને માર્યો અને તેની પુત્રી લંકાસુંદરી તેની
અભિલાષા કરવા લાગી તેથી તેને પરણ્યો અને તેની સાથે રમ્યો અને પુષ્પ નામના
વનનો નાશ કર્યો, વનપાલકોને વિહ્વળ કર્યા, અનેક સુભટોને માર્યા અને ઘટરૂપ સ્તનોથી
સીંચી સીંચીને માળીની સ્ત્રીઓએ પુત્રોની પેઠે જે વૃક્ષો મોટાં કર્યાં હતાં તે ઉખાડી નાખ્યાં.
વૃક્ષો પરથી વેલો દૂર કરી તે વિધવા સ્ત્રીઓની જેમ ભૂમિ પર પડી છે, તેનાં પાંદડાં
સુકાઈ ગયાં છે અને ફળફૂલોથી નમેલાં જાતજાતનાં વૃક્ષોને મસાણ જેવાં કરીય નાખ્યાં છે.
આ અપરાધ સાંભળી રાવણને અત્યંત કોપ થયો હતો. એટલામાં ઇન્દ્રજિત હનુમાનને
લઈને આવ્યો. રાવણે તેને લોઢાની સાંકળોની બંધાવ્યો અને કહેવા લાગ્યો કે એ પાપી
નિર્લજ્જ દુરાચારી છે. હવે એને જોવાથી શું ફાયદો? એણે જાતજાતના અપરાધ કર્યા છે,
આવા દુષ્ટને કેમ ન મારવો? ત્યારે સભાના બધા લોકો માથું ધુણાવીને કહેવા લાગ્યા કે
હે હનુમાન! તું જેના પ્રસાદથી પૃથ્વી પર પ્રભુતા પામ્યો એવા સ્વામીને પ્રતિકૂળ થઈ
ભૂમિગોચરીનો દૂત થયો, રાવણની આવી કૃપા પીઠ પાછળ ફેંકી દીધી, આવા સ્વામીને
છોડીને તું ભિખારી, નિર્ધન પૃથ્વી પર ભટકતા ફરતા બે વીરોનો સેવક થયો. રાવણે કહ્યું
કે તું પવનનો પુત્ર નથી, કોઈ બીજાથી ઉત્પન્ન થયો છે, તારી ચેષ્ટા પ્રત્યક્ષ અકુલીનની
જણાય છે. જે જાર સ્ત્રીથી જન્મે છે તેના ચિહ્ન શરીર ઉપર દેખાતા નથી, પણ જ્યારે તે
અનાચાર કરે છે ત્યારે ખબર પડે છે કે આ જારનો પુત્ર છે. શું કેસરી સિંહનો પુત્ર
શિયાળનો આશ્રય કરે? નીચના આશ્રયથી કુળવાન પુરુષ જીવે નહિ. હવે તું રાજદ્વારનો
દ્રોહી છો, નિગ્રહ કરવા યોગ્ય છો. હનુમાન આ વચન સાંભળી હસ્યો અને બોલ્યો, ખબર
નથી કે કોનો નિગ્રહ થશે. આ દુર્બુદ્ધિથી તારું મૃત્યુ નજીક આવ્યું છે, એ કેટલાક દિવસ
પછી નજરે પડશે. લક્ષ્મણ સહિત શ્રી રામ મોટી સેના સાથે આવે છે, જેમ પર્વતથી મેઘ
ન રોકાય તેમ તે કોઈથી રોકાવાના નથી. અને જેમ કોઈ અનેક પ્રકારના અમૃત સમાન
આહારથી તૃપ્ત ન થયો અને વિષનું એક બિંદુ ભક્ષીને નાશ પામે તેમ તું હજારો
સ્ત્રીઓથી તૃપ્ત ન થયો અને પરસ્ત્રીની તૃષ્ણાથી નાશ પામીશ. શુભ અને અશુભથી
પ્રેરાયેલી બુદ્ધિ હોનહાર અનુસાર થાય છે તે ઇન્દ્રાદિથી પણ અન્યથા થતી નથી.
દુર્બુદ્ધિઓને સેંકડો પ્રિય વચનોથી ઉપદેશ આપીએ તો પણ તે લાગતો નથી, જેવું
ભવિતવ્ય હોય, તે જ થાય. વિનાશ કાળ આવે ત્યારે બુદ્ધિનો નાશ થાય. તેમ કોઈ
પ્રમાદી વિષથી ભરેલું સુગંધી મધુર જળ પીએ તો મરણ પામે, તેમ હે રાવણ! પરસ્ત્રીનો
લોલુપી તું નાશ પામવાનો છે. તું ગુરુ, પરિજન, વૃદ્ધ, પ્રિય બાંધવ, મંત્રી બધાનાં
વચનોનું ઉલ્લંઘન કરીને પાપકર્મમાં પ્રવર્ત્યો
Page 412 of 660
PDF/HTML Page 433 of 681
single page version
છે તેથી દુરાચારરૂપ સમુદ્રમાં કામરૂપ ભંવરની (વમળની) વચમાં આવીને નરકનાં દુઃખ
ભોગવીશ. હે રાવણ! તું રત્નશ્રવા રાજાના કુળમાં ક્ષયનું કારણ નીચ પુત્ર થયો. તારાથી
રાક્ષસવંશનો નાશ થશે. ભૂતકાળમાં તારા વંશમાં મોટા મોટા મર્યાદાના પાલક પૃથ્વી પર
પૂજ્ય મુક્તિગામી થયા. અને તું તેમના કુળમાં પુલાક એટલે કે ન્યૂન પુરુષ થયો. દુર્બુદ્ધિ
મિત્રને કહેવું નિરર્થક છે. જ્યારે હનુમાને આમ કહ્યું ત્યારે રાવણ ક્રોધથી આરક્ત થઈ
દુર્વચન કહેવા લાગ્યો. આ પાપી મૃત્યુથી ડરતો નથી, વાચાળ છે માટે તરત જ આના
હાથ, પગ, ડોક સાંકળોથી બાંધી અને તેને કુવચનો સંભળાવતાં ગામમાં ફેરવો, ક્રૂર કિંકરો
સાથે ઘેર ઘેર લઈ જઈને કહો કે આ ભૂમિગોચરીઓનો દૂત આવ્યો છે-આને જુઓ અને
કૂતરા અને છોકરાઓ સાથે નગરથી બહાર લઈ જઈ એને ધિક્કારો બાળકો એના તરફ
ધૂળ ઉડાડે અને કૂતરાઓ ભસે એમ આખી નગરીમાં એને આ પ્રમાણે ફેરવો અને દુઃખ
દો. આથી તેઓ રાવણની આજ્ઞા પ્રમાણે કુવચન બોલતાં લઈને નીકળ્યા પણ એ બંધન
તોડાવીને ઊંચો ઊછળ્યો, જેમ યતિ મોહપાશ તોડીને મોક્ષપુરીમાં જાય તેમ. આકાશમાંથી
ઊછળીને તેણે પગની લાતોથી લંકાના મોટા દ્વાર અને નાના દરવાજા તોડી પાડયા.
ઇન્દ્રના મહેલ જેવો રાવણનો મહેલ હનુમાનનાં ચરણોના પ્રહારથી તૂટી ગયો. મહેલની
આસપાસ રત્ન-સુવર્ણનો કોટ હતો તેનો ચૂરો કરી નાખ્યો, જેમ વજ્રપાતથી પર્વત ચૂર્ણ
થઈ જાય તેમ રાવણનાં મકાનો હનુમાનરૂપ વજ્રના પાતથી ચૂર્ણ થઈ ગયાં. આ
હનુમાનના પરાક્રમની વાત સાંભળી સીતાએ પ્રમોદ કર્યો અને હનુમાનને બંધાયેલો
સાંભળીને વિષાદ કર્યો હતો. વજ્રોદરી પાસે બેઠી હતી તેણે કહ્યું, હે દેવી! નકામા શા માટે
રુદન કરો છો, એ સાંકળ તોડાવીને આકાશમાં ચાલ્યા જાય છે તે જુઓ. ત્યારે સીતા
અતિપ્રસન્ન થઈ અને ચિત્તમાં વિચારવા લાગી કે આ હનુમાન મારા સમાચાર પતિ પાસે
જઈને કહેશે, તે આશિષ દેવા અને પુષ્પાંજલિ નાખવા લાગી કે તું સુખરૂપ પહોંચી જજે,
સર્વ ગ્રહો તને સુખરૂપ થાવ, તારાં સકળ વિઘ્નો નાશ પામો, તું ચિરંજીવ થા. આ પ્રમાણે
પરોક્ષ આશિષ દેવા લાગી. પુણ્યાધિકારી હનુમાન જેવા પુરુષો અદ્ભુત આશ્ચર્ય ઉપજાવે
છે. તેમણે પૂર્વજન્મમાં ઉત્કૃષ્ટ તપ, વ્રત આચર્યા છે અને આખા લોકમાં ફેલાયેલ યશના
ધારક છે. જે કામ કોઈથી ન બને તે કરવામાં સમર્થ છે. અને ચિંતવી ન શકાય એવા
આશ્ચર્ય તે ઉપજાવે છે, માટે પંડિતોએ બધું છોડીને ધર્મને ભજવો. નીચકર્મ છે તે અનિષ્ટ
ફળ આપે છે માટે અશુભ કર્મ તજવાં. પરમ સુખના આસ્વાદમાં આસક્ત સુંદર લીલા
કરનાર પ્રાણીઓ સૂર્યના તેજને જીતે છે.
વર્ણન કરનાર ત્રેપનમું પર્વ પૂર્ણ થયું.
Page 413 of 660
PDF/HTML Page 434 of 681
single page version
લોકો બહાર નીકળ્યા, નગરમાં ઉત્સાહ થયો. જેનું પરાક્રમ ઉદાર છે એવા હનુમાને
નગરમાં પ્રવેશ કર્યો ત્યારે નગરના નરનારીઓને એમને જોવાનો અત્યંત સંભ્રમ થયો,
પોતાનો જ્યાં નિવાસ હતો ત્યાં જઇ સેનાના યોગ્ય પડાવ નખાવ્યા, રાજા સુગ્રીવે બધો
વૃત્તાંત પૂછયો તે તેમને કહ્યો. પછી તે રામ પાસે ગયા. રામ વિચાર કરે છે કે હનુમાન
આવ્યા છે તે એમ કહેશે કે તમારી પ્રિયા સુખેથી જીવે છે. હનુમાને તે જ સમયે આવીને
રામને જોયા. રામ અત્યંત ક્ષીણ, વિયોગરૂપ અગ્નિથી તપ્ત, જેમ હાથી દાવાનળથી વ્યાકુળ
થાય તેમ મહાશોકરૂપ ગર્તમાં પડયા હતા. તેમને હાથ જોડી, નમસ્કાર કરી આનંદિત ચહેરે
સીતાની વાત કહેવા લાગ્યા, જે રહસ્યના સમાચાર કહ્યા હતા તે બધાનું વર્ણન કર્યું અને
શિરનો ચૂડામણિ આપીને નિશ્ચિંત થયા. ચિંતાથી વદનની બીજા જ પ્રકારની છાયા થઈ
ગઈ છે, આંસુ સરી રહ્યાં છે. રામ તેને જોઈને રુદન કરવા લાગ્યા અને ઊભા થઈને
મળ્યા. શ્રી રામ આ પ્રમાણે પૂછે છે કે હે હનુમાન! સાચું કહો, શું મારી સ્ત્રી જીવે છે?
ત્યારે હનુમાને નમસ્કાર કરીને કહ્યું, હે નાથ! જીવે છે અને આપનું ધ્યાન કરે છે. હે
પૃથ્વીપતિ! આપ સુખી થાવ. આપના વિરહથી તે સત્યવતી નિરંતર રુદન કરે છે, નેત્રોના
જળથી ચાતુર્માસ બનાવી દીધું છે, ગુણના સમૂહની નદી એવા સીતાના કેશ વિખરાઈ
ગયા છે, અત્યંત દુઃખી છે અને વારંવાર નિશ્વાસ નાખી ચિંતાના સાગરમાં ડૂબી રહી છે.
સ્વભાવથી જ શરીર દુર્બળ છે અને વિશેષ દુર્બળ થઈ ગઈ છે. રાવણની સ્ત્રીઓ તેને
આરાધે છે, પણ તેમની સાથે સીતા વાતચીત કરતી નથી, નિરંતર તમારું જ ધ્યાન કરે
છે. શરીરના બધા સંસ્કાર છોડી દીધા છે. હે દેવ! તમારી રાણી બહુ દુઃખમાં જીવે છે. હવે
તમારે જે કરવું હોય તે કરો. હનુમાનનાં આ વચન સાંભળી શ્રી રામ ચિંતાતુર થયા,
મુખકમળ કરમાઈ ગયું, દીર્ઘ નિસાસા નાખવા લાગ્યા અને પોતાના જીવનને અનેક પ્રકારે
નિંદવા લાગ્યા. ત્યારે લક્ષ્મણે ધૈર્ય બંધાવ્યું. હે મહાબુદ્ધિ! શોક શા માટે કરો છો? કર્તવ્યમાં
મન લગાડો. લક્ષ્મણે સુગ્રીવને કહ્યું, હે કિહકંધાપતે! તું દીર્ઘસૂત્રી છે (લાંબા લાંબા વિચાર
કર્યા કરે છે.) હવે સીતાના ભાઈ ભામંડળને શીઘ્ર બોલાવ. આપણે રાવણની નગરીમાં
અવશ્ય જવું છે. કાં જહાજ વડે સમુદ્રને તરીએ અથવા હાથ વડે. આ વાત સાંભળી
સિંહનાદ નામનો વિદ્યાધર બોલ્યો, આપ ચતુર, મહાપ્રવીણ થઈને આવી વાત ન કરો.
અમે તો આપની સાથે છીએ, પરંતુ જેમાં બધાનું હિત થાય એવું કાર્ય કરવું જોઈએ.
હનુમાને જઈને લંકાના વનનો નાશ કર્યો અને લંકામાં ઉપદ્રવ કર્યો તેથી રાવણને ક્રોધ
ચડયો છે તેથી આપણું તો મરણ આવ્યું છે. ત્યારે જામવંત બોલ્યો કે તું સિંહ થઈને
હરણની જેમ શા માટે કાયર થાય છે, હવે રાવણ જ ભયરૂપ છે અને તે અન્યાયમાર્ગી છે,
Page 414 of 660
PDF/HTML Page 435 of 681
single page version
વિદ્યાવૈભવથી પૂર્ણ છે, તેમણે હજારો આશ્ચર્યકારક કાર્યો કર્યાં છે. તેમનાં નામ ધનગતિ,
ભૂતાનંદ, ગજસ્વન, ક્રૂરકેલિ, કિલભીમ, કૂડ, ગોરવિ, અંગદ, નળ, નીલ, તડિદવકત્ર, મંદર,
અર્શનિ, અર્ણવ, ચંદ્રજ્યોતિ, મૃગેન્દ્ર, વજ્રદંષ્ટ્ર, દિવાકર, ઉલ્કાવિદ્યા, લાંગૂલવિદ્યા,
દિવ્યશાસ્ત્રમાં પ્રવીણ, જેમના પુરુષાર્થમાં બાધા નથી એવા હનુમાન મહાવિદ્યાવાન અને
ભામંડળ, વિદ્યાધરોના ઈશ્વર મહેન્દ્રકેતુ, અતિઉગ્ર જેનું પરાક્રમ છે પ્રસન્નકીર્તિ ઉદવૃત અને
તેનો પુત્ર મહાબળવાન તથા રાજા સુગ્રીવના અનેક સામંતો મહાબળવાન છે, પરમ તેજના
ધારક છે, અનેક કાર્ય કરનારા, આજ્ઞા પાળનારા છે. આ વચન સાંભળી વિદ્યાધર લક્ષ્મણ
તરફ જોવા લાગ્યા. અને શ્રી રામ તરફ જોયું તો તે સૌમ્યતારહિત મહાવિકરાળરૂપ
દેખાયા, ભૃકુટિ ચઢાવેલા મહા ભયંકર, જાણે કે કાળનું ધનુષ જ છે. શ્રી રામ લક્ષ્મણ
લંકાની દિશા તરફ ક્રોધ ભરેલી લાલ આંખોથી તાકી રહ્યા જાણે કે રાક્ષસોનો ક્ષય કરનાર
જ છે. પછી તે જ દ્રષ્ટિ તેમણે ધનુષ તરફ કરી અને બન્ને ભાઈઓના મુખ અત્યંત
ક્રોધરૂપ થઈ ગયા, શિરના કેશ ઢીલા થઈ ગયા જાણે કે કમળનું સ્વરૂપ હોય. જગતને
તામસરૂપ અંધકારથી છાઈ દેવા ચાહે છે એવા બન્નેના મુખ જ્યોતિના મંડળ વચ્ચે જોઈને
બધા વિદ્યાધરો જવા માટે તેયાર થઈ ગયા, જેમનું ચિત્ત સંભ્રમરૂપ છે એ રાઘવનો
અભિપ્રાય જાણીને સુગ્રીવ, હનુમાન સર્વ જાતજાતનાં આયુધો અને સંપદાથી મંડિત
ચાલવાને તૈયાર થયા. રામ-લક્ષ્મણ બન્ને ભાઈઓના પ્રયાણ કરવાનાં વાજિંત્રોના નાદથી
દશે દિશાઓ ભરાઈ ગઈ, માગશર વદ પાંચમના દિવસે સૂર્યોદય સમયે અત્યંત ઉત્સાહથી
નીકળતાં સારા સારા શુકન થયા. કયા કયા શુકન થયા? નિર્ધૂમ અગ્નિની જ્વાળા દક્ષિણ
તરફ જોઈ, મનોહર અવાજ કરતા મોર, વસ્ત્રાભૂષણ સંયુક્ત સૌભાગ્યવતી નારી, સુગંધી
પવન, નિર્ગ્રંથ મુનિ, છત્ર, ઘોડાઓનો હણહણાટ, ઘંટારવ, દહીં ભરેલો કળશ, પાંખ
ફેલાવીને મધુર અવાજ કરતો કાગડો, ભેરી અને શંખનો અવાજ, અને તમારો જય થાવ,
સિદ્ધિ મળો, નંદો, વધો એવાં વચનો ઇત્યાદિ શુભ શુકન થયા. રાજા સુગ્રીવ શ્રી રામની
સાથે ચાલવા તૈયાર થયો. સુગ્રીવના ઠેકઠેકાણેથી વિદ્યાધરોના સમૂહ આવ્યા. શુક્લ પક્ષના
ચંદ્રમા સમાન જેનો પ્રકાશ છે, નાના પ્રકારનાં વિમાનો, નાના પ્રકારની ધજાઓ, નાના
પ્રકારનાં વાહન, નાના પ્રકારનાં આયુધો સહિત મોટા મોટા વિદ્યાધરો આકાશમાં જતા
શોભવા લાગ્યા. રાજા સુગ્રીવ, હનુમાન, શલ્ય, દુર્મર્ષણ, નળ, નીલ, સુષેણ, કુમુદ ઇત્યાદિ
અનેક રાજાઓ તેમની સાથે થયા. તેમની ધજાઓ પર દેદીપ્યમાન રત્નમયી વાનરોનાં
ચિહ્ન જાણે કે આકાશને ગળી જવા પ્રવર્તે છે, વિરાધિતની ધજા પર વાઘનું ચિહ્ન
ઝરણા જેવું ચમકે છે, જાંબૂની ધજા પર વૃક્ષ, સિંહરવની ધજા પર વાઘ, મેઘકાંતની ધજા
પર હાથીનું ચિહ્ન છે. તેમાં મહા તેજસ્વી લોકપાલ સમાન ભૂતનાદ તે સેનાનો વડો
બન્યો અને લોકપાલ સમાન હનુમાન ભૂતનાદની પાછળ સામંતોના સમૂહ સહિત પરમ
તેજ ધારણ કરતા લંકા પર ચડયા જેમ પૂર્વે રાવણના વડીલ સુકેશીના પુત્ર માલી લંકા
પર ચડયા હતા અને
Page 415 of 660
PDF/HTML Page 436 of 681
single page version
સન્મુખ વિરાધિત બેઠો અને પાછળ જામવંત બેઠો, ડાબા હાથે સુષેણ બેઠો અને જમણા
હાથ તરફ સુગ્રીવ બેઠો. તે એક નિમિષમાં વેલંધરપુર પહોંચી ગયા. ત્યાંનો સમુદ્ર નામનો
રાજા અને નળ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. સમુદ્રના ઘણા માણસો માર્યા ગયા અને નળે
સમુદ્રને બાંધ્યો અને તેને શ્રી રામ સાથે મેળવ્યો અને ત્યાં જ પડાવ નાખ્યો. શ્રી રામે
સમુદ્ર ઉપર કૃપા કરી, તેનું રાજ્ય તેને પાછું આપ્યું તેથી રાજાએ અત્યંત આનંદ પામી
પોતાની કન્યાઓ સત્યશ્રી, કમળા, ગુણમાળા, રત્નચૂડા જે બધી સ્ત્રીઓનાં ગુણોથી મંડિત
દેવાંગના સમાન હતી તે લક્ષ્મણ સાથે પરણાવી. ત્યાં એક રાત્રિ રહ્યા. પછી ત્યાંથી પ્રયાણ
કરી સુવેલ પર્વત પર સુવેલનગર ગયા. ત્યાં રાજા સુવેલ નામના વિદ્યાધરને સંગ્રામમાં
જીતી રામના અનુચર વિદ્યાધરો જેમ નંદનવનમાં દેવ ક્રીડા કરે તેમ ક્રીડા કરવા લાગ્યા.
ત્યાં અક્ષય નામના વનમાં આનંદથી રાત્રિ વીતાવી. ત્યાંથી પ્રયાણ કરી લંકા જવાની
તૈયારી કરી. લંકાનો ઊંચો કોટ છે, સુવર્ણના મહેલોથી પૂર્ણ કૈલાસના શિખર સમાન
તેમનો આકાર છે, નાના પ્રકારનાં રત્નોના ઉદ્યોતથી પ્રકાશમાન છે, કમળના વનથી યુક્ત
વાવ, કૂવા, સરોવરાદિથી શોભિત, નાના પ્રકારનાં રત્નોથી રચિત ઊંચાં ચૈત્યાલયોથી
મંડિત મહાપવિત્ર ઇન્દ્રની નગરી સમાન છે. આવી લંકા દૂરથી જોઈ રામના અનુચર સર્વ
વિદ્યાધરો આશ્ચર્ય પામ્યા અને હંસદ્વીપમાં પડાવ નાખ્યો. હંસપુર નગરના રાજા હંસરથને
યુદ્ધમાં જીતીને હંસપુરમાં ક્રીડા કરવા લાગ્યા. ત્યાંથી ભામંડળ ઉપર દૂત મોકલ્યો. ત્યાં
ભામંડળના આવવાની રાહ જોઈને નિવાસ કર્યો. પુણ્યાધિકારી જે જે દેશમાં પ્રવેશ કરે ત્યાં
ત્યાં શત્રુઓને જીતીને મહાભોગ ઉપયોગ ભોગવતા. આ પુણ્યના અધિકારી ઉદ્યમીઓથી
કોઈ અધિક રહેતા નહિ, બધા તેમના આજ્ઞાકારી બની જતા. તેમનાં મનમાં જે જે ઈચ્છા
હોય તે બધી આમની મૂઠ્ઠીમાં છે તેથી સર્વઉપાયથી ત્રણ લોકમાં સારરૂપ જિનરાજનો ધર્મ
જ પ્રશંસાયોગ્ય છે. જે કોઈ જગતને જીતવા ચાહે તે જિનધર્મને આરાધે. આ ભોગ
ક્ષણભંગુર છે, એની તો શી વાત? આ વીતરાગનો ધર્મ નિર્વાણને આપે છે અને કોઈ
જન્મ લે તો ઇન્દ્ર ચક્રવર્તી આદિ પદ આપે છે, તે ધર્મના પ્રભાવથી આ ભવ્ય જીવ સૂર્યથી
પણ અધિક પ્રકાશ મેળવે છે.
કરનાર ચોપનમું પર્વ પૂર્ણ થયું.
Page 416 of 660
PDF/HTML Page 437 of 681
single page version
રણભેરીના નાદથી સુભટો અત્યંત હર્ષ પામ્યા. બધા સાજ સજીને સ્વામીના હિત માટે
સ્વામીની પાસે આવ્યા. તેમના નામ મારીચ, અમલચંદ્ર, ભાસ્કર, સિંહપ્રભ, હસ્ત, પ્રહસ્ત
ઇત્યાદિ અનેક યોદ્ધા આયુધો સજીને સ્વામી પાસે આવ્યા.
કલ્યાણરૂપ, વર્તમાનમાં કલ્યાણરૂપ એવાં વચન વિભીષણ રાવણને કહેવા લાગ્યા.
વિભીષણ શાસ્ત્રમાં પ્રવીણ છે, મહાચતુર નય પ્રમાણના જાણનાર છે તે ભાઈને શાંત
વચન કહેવા લાગ્યા, હે પ્રભો! તમારી કીર્તિ કુંદપુષ્પ સમાન ઉજ્જવળ, ઇન્દ્ર સમાન પૃથ્વી
પર ફેલાઈ રહી છે, આ કીર્તિ પરસ્ત્રીના નિમિત્તે ક્ષણમાત્રમાં ક્ષય પામશે, જેમ સાંજના
વાદળની રેખા નાશ પામે છે. તેથી હે સ્વામી! હે પરમેશ્વર! અમારા પર પ્રસન્ન થાવ,
શીઘ્ર સીતાને રામ પાસે મોકલો. એમાં દોષ નથી, કેવળ ગુણ જ છે. આપ સુખરૂપ
સમુદ્રમાં નિશ્ચયથી રહો. હૈ વિચક્ષણ! જે ન્યાયરૂપ મહાભોગ છે તે બધા તમારે સ્વાધીન
છે. શ્રી રામ અહીં આવ્યા છે મહાન પુરુષ છે, તમારા સમાન છે, જાનકીને તેમની પાસે
મોકલી દો. પોતાની વસ્તુ જ સર્વ પ્રકારે પ્રશંસાયોગ્ય છે, પરવસ્તુ પ્રશંસાયોગ્ય નથી.
વિભીષણનાં આ વચન સાંભળી રાવણનો પુત્ર ઇન્દ્રજિત પિતાના ચિત્તની વૃત્તિ જાણીને
વિભીષણને કહેવા લાગ્યો, સાધો! તમને કોણે પૂછયું અને કોણે અધિકાર આપ્યો છે કે
જેથી આમ ઉન્મત્તની જેમ વચન કહો છો. તમે અત્યંત કાયર છો અને દીન લોકોની પેઠે
યુદ્ધથી ડરો છો તો તમારા ઘરના દરમાં બેસી રહો. આવી વાતોથી શો લાભ? આવું
દુર્લભ સ્ત્રીરત્ન મેળવીને મૂઢની જેમ તેને કોણ છોડી દે? તમે શા માટે વૃથા બકવાશ કરો
છો? જે સ્ત્રીના અર્થે સુભટો સંગ્રામમાં તીક્ષ્ણ ખડ્ગની ધારાથી મહાશત્રુઓને જીતીને વીર
લક્ષ્મી ભુજાઓ વડે ઉપાર્જે છે તેમને કાયરતા શેની? કેવો છે સંગ્રામ? જાણે કે હાથીઓના
સમૂહથી જ્યાં અંધકાર થઈ રહ્યો છે અને નાના પ્રકારનાં શસ્ત્રોના સમૂહ ચાલે છે.
ઇન્દ્રજીત અત્યંત માનથી ભરેલો છે અને જિનશાસનથી વિમુખ છે. ઇન્દ્રજિતનાં આ વચન
સાંભળીને ઇન્દ્રજિતનો તિરસ્કાર કરતો વિભીષણ બોલ્યો, રે પાપી! અન્યાયમાર્ગી, શું તું
પુત્ર નામનો શત્રુ છે? તને ઠંડો વાયુ ઉત્પન્ન થયો છે, પોતાનું હિત જાણતો નથી, શીત
વાયુની પીડા અને ઉપાય છોડીને શીતળ જળમાં પ્રવેશ કરે તો પોતાના પ્રાણ ખોવે. ઘરમાં
આગ લાગી હોય ત્યારે અગ્નિમાં સૂકાં લાકડાં નાખે તો કુશળ ક્યાંથી થાય? અહો,
મોહરૂપ ગ્રાહથી તું પીડિત છે, તારી ચેષ્ટા વિપરીત છે, આ સ્વર્ણમયી લંકાના દેવવિમાન
જેવાં ઘર લક્ષ્મણના તીક્ષ્ણ બાણોથી ચૂર્ણ થઈ જાય ત્યાર પહેલાં જનકસુતાને, જે પતિવ્રતા
છે તેને રામ પાસે મોકલી દો, સર્વ લોકના કલ્યાણ અર્થે સીતાને તરત જ મોકલી દેવી
યોગ્ય છે. કુબુદ્ધિવાળા તારા બાપે આ સીતા લંકામાં નથી દાખલ કરી,
Page 417 of 660
PDF/HTML Page 438 of 681
single page version
પુત્ર લક્ષ્મણરૂપ ક્રોધાયમાન સિંહને, હાથી સમાન તમે રોકવાને સમર્થ નથી. જેના હાથમાં
સાગરાવર્ત ધનુષ અને આદિત્યમુખ અમોધ બાણ છે, જેમને ભામંડળ જેવો સહાયક છે તે
લોકોથી કેવી રીતે જીતી શકાય. વળી મોટા મોટા વિદ્યાધરોના અધિપતિ જેમને મળી ગયા
છે, મહેન્દ્ર, મલય, હનુમાન, સુગ્રીવ, ત્રિપુર ઈત્યાદિ અનેક રાજા અને રત્નદ્વીપનો પતિ,
વેલંધરનો પતિ, સંધ્યા, હરદ્વીપ, દૈહયદ્વીપ, આકાશતિલક, કેલિ, કિલ, દધિવક્ર અને
મહાબળવાન વિદ્યાના વૈભવથી પૂર્ણ અનેક વિદ્યાધરો આવી મળ્યા છે. આ પ્રમાણે કઠોર
વચનો બોલતાં વિભીષણને રાવણ ક્રોધે ભરાઈને ખડ્ગ કાઢી મારવા તૈયાર થયો. ત્યારે
વિભીષણે આ ક્રોધને વશ થઈને રાવણ સાથે યુદ્ધ કરવા વજ્રમયી સ્તંભ ઉપાડયો. આ
બન્ને ભાઈ ઉગ્ર તેજના ધારક યુદ્ધ કરવા તૈયાર થયા તેમને મંત્રીઓએ સમજાવી રોકયા.
વિભીષણ પોતાને ઘેર ગયા અને રાવણ પોતાના મહેલે ગયો. પછી રાવણે કુંભકર્ણ તથા
ઇન્દ્રજિતને કઠોર ચિત્તે કહ્યું કે આ વિભીષણ મારા અહિતમાં તત્પર છે અને દુષ્ટ છે, તેને
મારા નગરમાંથી કાઢી મૂકો. આ અહિત ઈચ્છનારના અહીં રહેવાથી શો ફાયદો? મારું
શરીર પણ મારાથી પ્રતિકૂળ થાય તો મને ગમે નહિ. જો એ લંકામાં રહેશે અને હું એને
નહિ મારું તો મારું જીવન નહિ રહે. વિભીષણે આ વાત સાંભળીને કહ્યું કે શું હું
રત્નશ્રવાનો પુત્ર નથી? આમ કહીને તે લંકામાંથી ચાલી નીકળ્યો. મહાસામંતો સાથે ત્રીસ
અક્ષૌહિણી સેના લઈને રામ પાસે જવા નીકળ્યો. ત્રીસ અક્ષૌહિણીનું વર્ણન-છ લાખ
છપ્પન હજાર એકસો હાથી, એટલા જ રથ, ઓગણીસ લાખ અડસઠ હજાર ત્રણસો અશ્વ,
બત્રીસ લાખ એંસી હજાર પાંચસો પાયદળ, વિદ્યુતધન, ઇન્દ્રવજ્ર, ઇન્દ્રપ્રચંડ, ચપળ,
ઉધ્ધત, અશનિસન્ધાત, કાળ, મહાકાળ, આ વિભીષણના સંબંધીઓ પોતાના કુટુંબ સાથે
નાના પ્રકારનાં શસ્ત્રોથી મંડિત રામની સેના તરફ ચાલ્યા. નાના પ્રકારનાં વાહનોથી યુક્ત
આકાશને આચ્છાદિત કરતો સર્વ પરિવાર સહિત વિભીષણ હંસદ્વીપ આવ્યો. તે દ્વીપની
સમીપે મનોજ્ઞ સ્થળ જોઈને જળના કિનારે સેના સહિત પડાવ નાખ્યો, જેમ નંદીશ્વર
દ્વીપમાં દેવો રહે તેમ. વિભીષણને આવેલો સાંભળીને જેમ શિયાળામાં દિરદ્રી કંપે તેમ
વાનરવંશીઓની સેના કંપવા લાગી. લક્ષ્મણે સાગરાવર્ત ધનુષ અને સૂર્યહાસ ખડ્ગ તરફ
દ્રષ્ટિ કરી, રામે વજ્રાવર્ત ધનુષ હાથમાં લીધું અને મંત્રીઓ ભેગા મળીને મંત્રણા કરવા
લાગ્યા. જેમ સિંહથી ગજ ડરે તેમ વિભીષણથી વાનરવંશી ડરી ગયા. તે જ સમયે
વિભીષણે શ્રી રામની પાસે વિચક્ષણ દ્વારપાળ મોકલ્યો, તે રામ પાસે આવી નમસ્કાર કરી
મધુર વચન કહેવા લાગ્યો-હે દેવ! જ્યારથી રાવણ સીતા લાવ્યો ત્યારથી જ આ બન્ને
ભાઈઓ વચ્ચે વિરોધ થયો છે અને આજે સર્વથા સંબંધ બગડી ગયો તેથી વિભીષણ
આપના ચરણમાં આવ્યો છે, આપના ચરણારવિંદને નમસ્કારપૂર્વક વિનંતી કરી છે.
વિભીષણ ધર્મકાર્યમાં ઉદ્યમી છે. એ પ્રાર્થના કરે છે કે આપ શરણાગતના પ્રતિપાલક છો,
હું તમારો ભક્ત તમારા શરણે આવ્યો છું, આપની જેમ આજ્ઞા હોય તેમ કરું, આપ કૃપાળુ
છો. દ્વારપાળનાં આ વચન
Page 418 of 660
PDF/HTML Page 439 of 681
single page version
સાંભળી રામે મંત્રીઓ સાથે મંત્રણા કરી. ત્યારે સુમતિકાંત નામના મંત્રીએ રામને કહ્યું કે
કદાચ રાવણે કપટ કરી મોકલ્યો હોય તો એનો વિશ્વાસ શો? રાજાઓની અનેક ચેષ્ટા
હોય છે. અને કદાચ કોઈ બાબતમાં આપસઆપસમાં કલુષતા પણ થઈ હોય અને પછીથી
મળી જાય. ફૂલ અને જળ એમને મળવાની નવાઈ નથી. પછી મહાબુદ્ધિમાન મતિસમુદ્ર
બોલ્યો-એમના વચ્ચે વિરોધ તો થયો એ વાત બધા પાસેથી સંભળાય છે અને વિભીષણ
મહાન ધર્માત્મા નીતિવાન છે, જેનું ચિત્ત શાસ્ત્રરૂપ જળથી ધોવાયેલું છે, દયાવાન છે, દીન
લોકો પર અનુગ્રહ કરે છે અને મિત્રોમાં દ્રઢ છે અને ભાઈપણાની વાત કરો તો
ભાઈપણાનું કારણ નથી, જીવોને કર્મનો ઉદય જુદો જુદો હોય છે. આ કર્મોના પ્રભાવથી
આ જગતમાં જીવોની વિચિત્રતા છે. આ પ્રસ્તાવ સંબંધમાં એક કથા છે તે સાંભળો-ગિરિ
અને ગોભૂત નામના બે બ્રાહ્મણ ભાઈઓ હતા અને એક સૂર્યમેઘ નામનો રાજા હતો
જેની રાણીનું નામ મતિક્રિયા હતું. તેને બન્નેને પુણ્યની વાંછાથી ભાતમાં છુપાવીને સોનું
આપ્યું. તેમાં કપટી ગિરિએ ભાતમાં સોનું છે એમ જાણીને ગોભૂતને કપટથી મારી નાખ્યો
અને બન્નેનું સોનું લઈ લીધું. લોભથી પ્રેમનો નાશ થાય છે. બીજી પણ એક કથા
સાંભળો. કોશાંબી નગરીમાં એક બુહદ્ધન નામનો ગૃહસ્થ હતો, તેની સ્ત્રી પુરવિદાને બે
પુત્ર હતા-અહિદેવ અને મહિદેવ. જ્યારે એમના પિતાનું મૃત્યુ થયું ત્યારે એ બન્ને ભાઈ
ધન કમાવા માટે સમુદ્રમાં જહાજમાં બેસી નીકળ્યા. તેમણે બધા પૈસા આપીને એક રત્ન
ખરીદ્યું. હવે જે ભાઈના હાથમાં તે રત્ન આવે તેના મનમાં એવો ભાવ થાય કે હું બીજા
ભાઈને મારી નાખું. આમ પરસ્પર બેય ભાઈના ભાવ બગડયાં. પછી તે ઘેર આવ્યા.
તેમણે રત્ન માતાને સોંપ્યું ત્યારે માતાના મનમાં એવો ભાવ થયો કે બન્ને પુત્રોને વિષ
આપીને મારી નાખું. આથી માતા અને બેય ભાઈઓએ તે રત્નથી વિરક્ત થઈને
કાલિન્દી નદીમાં ફેંકી દીધું. તે રત્ન માછલી ગળી ગઈ. માછીમારે તે માછલી પકડી અને
નીકળ્યું. રત્ન હાથમાં લેતાં તેને એવો ભાવ થયો કે માતા તથા બન્ને ભાઈઓને મારી
નાખું. ત્યારે તેણે બધાને બધો વૃત્તાંત કહ્યો કે આ રત્નના યોગથી મને એવા ભાવ થાય
છે કે તમને મારી નાખું. પછી રત્નનો ચૂરો કરી નાખ્યો. માતા, બહેન અને બન્ને
ભાઈઓએ સંસારથી વિરક્ત થઈ જિનદીક્ષા ધારણ કરી. માટે દ્રવ્યના લોભથી ભાઈઓમાં
વેર થાય છે અને જ્ઞાનના ઉદયથી વેર મટે છે. ગિરિએ તો લોભના ઉદયથી ગોભૂતને
માર્યો અને અહિદેવ-મહિદેવનું વેર મટી ગયું. મહાબુદ્ધિ વિભીષણનો દ્વારપાળ આવ્યો છે
તેને મધુર વચનોમાં સંદેશો મોકલી વિભીષણને બોલાવો. પછી દ્વારપાળ પ્રત્યે સ્નેહ
બતાવવામાં આવ્યો અને વિભીષણને અતિ આદરથી બોલાવવામાં આવ્યો. વિભીષણ
રામની સમીપે આવ્યો. રામે વિભીષણનો ખૂબ આદર કરીને તેમને મુલાકાત આપી.
વિભીષણે વિનંતી કરી, હે દેવ! હે પ્રભો! નિશ્ચયથી મારા આ જન્મમાં તમે જ પ્રભુ છો.
શ્રી જિનનાથ તો આ જન્મ અને પરભવના સ્વામી છે અને રઘુનાથ આ લોકના સ્વામી
છે આ પ્રમાણે પ્રાર્થના કરી. ત્યારે શ્રી
Page 419 of 660
PDF/HTML Page 440 of 681
single page version
ઉત્સાહ થયો. તે જ સમયે ભામંડળ પણ આવ્યો. ભામંડળને અનેક વિદ્યા સિદ્ધ થઈ છે, તે
આખા વિજ્યાર્ધનો અધિપતિ છે. જ્યારે ભામંડળ આવ્યો ત્યારે રામ-લક્ષ્મણ વગેરે બધા
હર્ષ પામ્યા, ભામંડળનું અત્યંત સન્માન કર્યું. બધા આઠ દિવસ હંસદ્વીપમાં રહ્યા. પછી
લંકા તરફ ચાલ્યા. નાના પ્રકારના અનેક રથ, પવનથી પણ અધિક ગતિવાળા અશ્વો,
મેઘમાળા જેવા હાથીઓ અને અનેક સુભટો સહિત શ્રી રામે લંકા તરફ પ્રયાણ કર્યું. બધા
વિદ્યાધરો આકાશને ઢાંકી દેતા રામની સાથે ચાલ્યા. સૌથી આગળ વાનરવંશી રહ્યા. જ્યાં
રણક્ષેત્ર સ્થાપ્યું હતું ત્યાં ગયા સંગ્રામની ભૂમિ વીસ યોજના પહોળી છે અને લંબાઈનો
વિસ્તાર વિશેષ છે. તે યુદ્ધભૂમિ જાણે કે મૃત્યુભૂમિ જ છે. આ સેનાના હાથીઓએ ગર્જના
કરી અને અશ્વોએ હણહણાટ કર્યો. વિદ્યાધરોના વાહન સિંહ છે તેમની ગર્જના થઈ અને
વાજિંત્રો વાગ્યા. તે સાંભળીને રાવણ અતિ હર્ષ પામ્યો. મનમાં વિચાર્યું કે ઘણા દિવસો
પછી મને રણનો ઉત્સાહ જાગ્યો છે. તેણે બધા સામંતોને આજ્ઞા આપી કે યુદ્ધ માટે તૈયાર
થાવ. બધા સામંતો આજ્ઞાને માથે ચડાવી આનંદથી યુદ્ધ માટે તૈયાર થયા. રાવણનેયુદ્ધનો
હર્ષ છે, જેણે પોતાના સામંતોને કદી અપ્રસન્ન કર્યા નથી, સદા રાજી જ રાખ્યા છે તેથી
હવે યુદ્ધના સમયે બધા એકચિત્ત થયા. ભાસ્કર, પયોદપુર, કાંચનપુર, વ્યોમપુર,
વલ્લભપુર, ગંધર્વગીતપુર, શિવમંદિર, કંપનપુર, સૂર્યોદયપુર, અમૃતપુર, શોભાસિંહપુર,
નૃત્યગીતપુર, લક્ષ્મીગીતપુર, કિન્નરપુર, બહુનાદપુર, મહાશૈલપુર, ચક્રપુર, સ્વર્ણપુર,
સીમંતપુર, મલયાનંદપુર, શ્રીગૃહપુર, શ્રીમનોહરપુર, રિપુંજયપુર, શશિસ્થાનપુર,
માર્તંડપ્રભપુર, વિશાલપુર, જ્યોતિદંડપુર, પરષ્યોધપુર, અશ્વપુર, રત્નપુર ઈત્યાદિ અનેક
નગરોના સ્વામી મોટા મોટા વિદ્યાધર મંત્રીઓ સહિત અત્યંત પ્રેમથી રાવણ પાસે આવ્યા.
અને રાવણે તે રાજાઓનું જેમ ઇન્દ્ર દેવોનું સન્માન કરે તેમ સન્માન કર્યું. શસ્ત્ર, વાહન,
બખ્તર આદિ યુદ્ધની સામગ્રી બધા રાજાઓને આપવા લાગ્યા. રાવણને ચાર હજાર
અક્ષૌહિણી અને રામને બે હજાર અક્ષૌહિણી સેના થઈ. તે કેવી રીતે? એક હજાર
આક્ષોહિણી દળ તો ભામંડળનું અને એક હજાર સુગ્રીવાદિનું. આ પ્રમાણે સુગ્રીવ અને
ભામંડળ આ બન્ને મુખ્ય પોતાના મંત્રીઓ સહિત આવ્યા. તેમની સાથે મંત્રણા કરીને
રામ-લક્ષ્મણ યુદ્ધ માટે તૈયાર થયા. અનેક વંશમાં ઉત્પન્ન થયેલા, અનેક આચરણ
કરનારા, જુદી જુદી જાતિઓવાળા, જાતજાતની ગુણક્રિયાઓમાં પ્રસિદ્ધ, જુદી જુદી ભાષા
બોલનારા વિદ્યાધરો શ્રી રામ અને રાવણ પાસે ભેગા થયા. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને
કહે છે, હે રાજન પુણ્યના પ્રભાવથી મોટા પુરુષના વેરી પણ આપણા થાય છે અને
પુણ્યહીનોના ચિરકાળના સેવકો અને અતિવિશ્વાસ પાત્રો પણ વિનાશકાળે શત્રુરૂપ થઈને
પરિણમે છે. આ અસારસંસારમાં જીવોની વિચિત્ર ગતિ જાણીને એમ વિચારવું જોઈએ કે
મારા ભાઈ સદા સુખદાયક નથી તથા મિત્ર-બાંધવ સર્વ સુખદાયક નથી, કોઈ વાર મિત્ર
શત્રુ થઈ જાય છે અને કોઈ વાર શત્રુ મિત્ર થઈ જાય છેઃ એવા વિવેકરૂપ સૂર્યના ઉદયથી
હદયમાં પ્રકાશ કરીને