Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 150 of 210

 

PDF/HTML Page 2981 of 4199
single page version

इति मोक्षो निष्क्रान्तः। इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ मोक्षप्ररूपकः अष्टमोऽङ्कः।।


અને ધીર (આકુળતા વિનાનું) -એવું પૂર્ણ જ્ઞાન પ્રગટ દેદીપ્યમાન થયું, પોતાના મહિમામાં લીન થયું. ૧૯૨.

ટીકાઃ– આ રીતે મોક્ષ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો. ભાવાર્થઃ– રંગભૂમિમાં મોક્ષતત્ત્વનો સ્વાંગ આવ્યો હતો. જ્યાં જ્ઞાન પ્રગટ થયું ત્યાં તે મોક્ષનો સ્વાંગ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો.

જ્યોં નર કોય પર્યો દ્રઢબંધન બંધસ્વરૂપ લખૈ દુખકારી,
ચિંત કરૈ નિતિ કૈમ કટૈ યહ તૌઊ છિદૈ નહિ નૈક ટિકારી;
છેદનકૂં ગહિ આયુધ ધાય ચલાય નિશંક કરૈ દુય ધારી,
યોં બુધ બુદ્ધિ ધસાય દુધા કરિ કર્મ રુ આતમ આપ ગહારી.

આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં મોક્ષનો પ્રરૂપક આઠમો અંક સમાપ્ત થયો.

*
સમયસાર ગાથા ૩૦૬ – ૩૦૭ઃ મથાળું

ઉપરના તર્કનું સમાધાન આચાર્યભગવાન (નિશ્ચયનયની પ્રધાનતાથી) ગાથામાં કરે છેઃ-

ભાઈ! આ બહુ શાન્તિ ને ધીરથથી સાંભળવા જેવી વાત છે. અહા! અનંતકાળથી એ સમ્ગગ્દર્શન શું ચીજ છે એ સમજ્યા વિના એકલા ક્રિયાકાંડમાં ગરી ગયો છે. પણ ભાઈ! એ તો બધી ફોગટ મજુરી છે. એમાં જો રાગની મંદતા હોય તો તેને શુભભાવ થાય છે ને એમાં કર્તાબુદ્ધિ હોય તો મિથ્યા છે. આ વર્ષીતપ વગેરે કરે છે ને? અંદર જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ થયા વિના એ તો બધી લાંઘણો છે ભાઈ! એ બધા ક્રિયાકાંડના ભાવ તો ભવભ્રમણ કરવાના ભાવ છે. એનાથી સંસાર ફળશે, મુક્તિ નહિ થાય. પણ શું થાય? અત્યારે તો ચોતરફ એક જ પ્રરૂપણા ચાલે છે કે-આ કરો ને તે કરો; ઉપવાસ કરો ને ઉપધાન કરો ઈત્યાદિ. પણ બાપુ! એ બધા શુભભાવ ઝેર છે. અજ્ઞાનીને તો એ ઝેર છે જ, સમકિતી પણ, તે અતીન્દ્રિય આનંદના સ્વાદથી વિપરીત હોવાથી ઝેર જ જાણે છે. અત્યારે તો પ્રરૂપણામાં જ ઉગમણો-આથમણો ફેરફાર થઈ ગયો છે.


PDF/HTML Page 2982 of 4199
single page version

અહાહા...! કેવળીના કેડાયતી વીતરાગી ભાવલિંગી સંત કે જેની દશામાં પ્રચુર આનંદ ઉભરાય છે તે એમ ફરમાવે છે કે-અંદર પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્મા છે; તેનો આશ્રય લીધા વિના જેટલી ક્રિયા પરદ્રવ્યના અવલંબને થાય છે તે બધી ઝેર છે. લોકોને બિચારાઓને આ વાત સાંભળવા મળી નથી. પણ જેમ દૂધ ગરમ કરતાં ઉભરો આવે તેમ સ્વનો આશ્રય થતાં સમ્યગ્દર્શન સહિત અંદર વર્તમાન દશામાં આનંદ- અમૃતનો ઉભરો આવે છે. દૂધનો ઉભરો તો પોલો છે પણ આ અતીન્દ્રિય આનંદનો ઉભરો તો નક્કર હોય છે. ધર્મનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન જેને થયું તે સર્વ સમકિતીને- ચાહે તે આઠ વર્ષની બાલિકા હોય કે ચાહે અઢીદ્વીપ બહાર રહેલાં તિર્યંચ-વાઘ, નાગ કે સિંહ હોય-આત્માનો અનુભવ થતાં અંદર અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે; તે ધર્મ છે, અમૃત છે. સાથે તે જીવોને જે શુભરાગ આવે છે તે, કહે છે, ઝેર છે. જેટલી આત્મસ્થિરતા છે તે અમૃત છે ને જેટલો રાગ વર્તે છે તે ખરેખર ઝેરનો ઘડો છે-એમ કહે છે.

* ગાથા ૩૦૬ – ૩૦૭ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘પ્રથમ તો જે અજ્ઞાનીજનસાધારણ (અર્થાત્ અજ્ઞાની લોકોને સાધારણ એવાં) અપ્રતિક્રમણાદિ છે તેઓ તો શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવરૂપ સ્વભાવવાળા હોવાને લીધે સ્વયમેવ અપરાધરૂપ હોવાથી વિષકુંભ જ છે; તેમનો વિચાર કરવાનું શું પ્રયોજન છે?

શું કહે છે? અજ્ઞાની જીવોને જે મિથ્યાત્વ અને રાગદ્વેષ આદિ અપ્રતિક્રમણના ભાવો છે તે શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવસ્વભાવરૂપ છે. વળી તેઓ સ્વયમેવ અપરાધસ્વરૂપ છે, દોષસ્વરૂપ છે. માટે તે ભાવો વિષકુંભ એટલે ઝેરનો ઘડો જ છે. આચાર્ય કહે છે-તે ભાવોનો વિચાર કરવાનું શું પ્રયોજન છે? અર્થાત્ તે ભાવો તો પ્રથમથી જ ત્યાગવાયોગ્ય છે. અહા! જેમ ઝેર ત્યાગવાયોગ્ય છે તેમ આ મિથ્યાત્વાદિ ભાવો ત્યાગવાયોગ્ય છે.

અહા! જે પ્રતિક્રમણાદિ પુણ્યભાવોને ધર્મ માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે, અપરાધી છે. અનાદિથી તે મિથ્યાદર્શન આદિ ભાવોને સેવતો થકો ચાર ગતિમાં રૂલે છે. અહા! એ તો એકલા પાપમાં ડૂબેલો મહાદુઃખી છે.

હવે કહે છે- ‘અને જે દ્રવ્યરૂપ પ્રતિક્રમણાદિ છે તેઓ સર્વ અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં સમર્થ હોવાથી અમૃતકુંભ છે (એમ વ્યવહાર આચારસૂત્રમાં કહ્યું છે) તોપણ પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી વિલક્ષણ એવી અપ્રતિક્રમણાદિરૂપ ત્રીજી ભૂમિને નહિ દેખનાર પુરુષને તે દ્રવ્યપ્રતિક્રમણાદિ (અપરાધ કાપવારૂપ) પોતાનું કાર્ય કરવાને અસમર્થ હોવાને લીધે વિપક્ષ કાર્ય કરતાં હોવાથી વિષકુંભ જ છે.’

જુઓ, અહીં જેને આત્મા અતીન્દ્રિય જ્ઞાન ને આનંદસ્વરૂપ છે એવો જેને અંતર-


PDF/HTML Page 2983 of 4199
single page version

અનુભવ થયો છે એવા ધર્મી પુરુષને સવાર-સાંજ દ્રવ્યપ્રતિક્રમણાદિરૂપ શુભભાવ આવે છે એની વાત છે. શું કહે છે? કે ધર્મી જીવને જે દ્રવ્ય પ્રતિક્રમણાદિ શુભભાવ હોય છે તે અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં સમર્થ છે. અહા! ધર્મી પુરુષને શુભભાવમાં અશુભ ઘટે છે ને? તેથી કહ્યું કે એના પ્રતિક્રમણાદિ શુભભાવો વ્યવહારે અમૃતકુંભ છે.

જુઓ, ધર્મીને આ દ્રવ્યપ્રતિક્રમણાદિ શુભભાવો, રાગાદિ દોષો ઘટાડવામાં સમર્થ છે, અભાવ કરવામાં નહિ. રાગાદિનો અભાવ તો એક શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપનો આશ્રય લેવાથી થાય છે, પણ અંતરમાં શુદ્ધ એક જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી અમૃતસ્વરૂપ પ્રભુ આત્માનું ભાન થયું છે તેને જે નિંદા, ગર્હા આદિનો વ્યવહાર-શુભરાગ આવે છે એનાથી અશુભ ઘટે છે એ અપેક્ષાએ શુભરાગને વ્યવહારથી (વ્યવહારના શાસ્ત્રોમાં) અમૃતકુંભ કહ્યો છે. સમજાણું કાંઈ...? ભાઈ! જેને આત્મજ્ઞાન અંદરમાં થયું નથી એને તો એ બધા શુભભાવ એકલું ઝેર છે.

અહા! સમ્યગ્દ્રષ્ટિ સાચા સંત-મુનિ જેને સ્વાનુભવ સહિત અંદરમાં આત્મામાં રમણતા થઈ છે એની આ વાત છે. કોઈ બહારથી લુગડાં ઉતારી નાખે ને મહાવ્રતાદિ લઈ લે એની આ વાત નથી. બાપુ! એ (મહાવ્રતાદિ) તો નિશ્ચયથી ચારિત્ર છે જ નહિ. સ્વરૂપમાં અંદર જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં ચરવું એનું નામ ચારિત્ર છે. અહાહા! ‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ’ -અહાહા...! આવા પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં ચરવું, રમવું ને ઠરવું-એને વીતરાગમાર્ગમાં ચારિત્ર કહ્યું છે. અહા! આવા ચારિત્રવંતને નિંદા, ગર્હા આદિ પરદ્રવ્યના આલંબનરૂપ શુભભાવ આવે છે. તેને પંચપરમેષ્ઠીનું સ્મરણ, સ્તુતિ આદિ શુભરાગ પણ આવે છે. તે શુભરાગમાં, કહે છે, પાપને ઘટાડવાની-અભાવ કરવાની નહિ, ઘટાડવાની-તાકાત છે. તેથી તેને વ્યવહારે અમૃતકુંભ કહેલ છે.

આ સમકિતી ધર્મી પુરુષની વાત છે. જેને પોતે આત્મા કોણ અને કેવો છે એની ખબરેય નથી અને જે બાહ્ય ક્રિયામાં ધર્મ માની રાચે છે એની અહીં વાત નથી. એવા જીવો તો સ્વયં અપરાધરૂપ પ્રવર્તતા થકા ચારગતિમાં રખડવાના માર્ગે જ પડેલા છે. અહીં તો જેણે ભવબીજ છેદી નાખ્યું છે ને ભવ ને ભવના ભાવરહિત ભગવાન આત્માના આનંદનો સ્વાદ માણ્યો છે તેને જે પ્રતિક્રમણાદિ આઠ પ્રકારે શુભભાવ આવે છે તેમાં અશુભ ઘટતું હોવાથી, કહે છે, તે શુભભાવો અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં સમર્થ છે; તેથી તે શુભભાવો વ્યવહારથી અમૃતકુંભ છે. સાક્ષાત્ અમૃત તો દોષનો પરિહાર કરવામાં સમર્થ એવો સ્વાનુભવ જ છે. સમજાણું કાંઈ...?

ભાઈ! આ શાસ્ત્રની મૂળ ગાથા બે હજાર વર્ષ પહેલાંની છે, તથા ટીકા હજાર વર્ષ પહેલાંની છે અને આ અલિપ્રાય તો અનંતકાળથી છે. જુઓ, ભગવાન સીમંધરનાથ


PDF/HTML Page 2984 of 4199
single page version

મહાવિદેહમાં હમણાં બિરાજે છે. ત્યાં ભગવાન કુંદકુંદાચાર્ય સંવત ૪૯માં ગયા હતા; આઠ દિવસ ત્યાં રહ્યા હતા. તે વખતે સભામાં પ્રશ્ન થયો કે આ નાનકડું પતંગિયા જેવું મનુષ્ય કોણ છે? ત્યાં ભગવાનની વાણીમાં આવ્યું કે આ ભરતક્ષેત્રના આચાર્ય છે. અહા! એ આચાર્યદેવ અહીં આડતિયા થઈને આ જાહેર કરે છે કે-આત્મા પૂરણ જ્ઞાનાનંદરૂપી અમૃતનો કુંભ છે. અહાહા...! આવો અમૃતનો કુંભ જેને (પર્યાયમાં) પ્રગટ થયો છે એવા ધર્મીને પ્રતિક્રમણ આદિ આઠ પ્રકારે કહ્યા છે તે શુભભાવ આવે છે. તે (શુભભાવો) પાપના દોષોને ક્રમેક્રમે ઘટાડવામાં સમર્થ હોવાથી અમૃતકુંભ છે એમ વ્યવહારથી વ્યવહાર આચારસૂત્રમાં કહ્યું છે.

હવે કહે છે-તોપણ પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી વિલક્ષણ એવી ત્રીજી અપ્રતિક્રમણાદિરૂપ ભૂમિને નહિ દેખનારને દ્રવ્ય પ્રતિક્રમણાદિ અપરાધ કમ કરવારૂપ પોતાનું કાર્ય કરવા અસમર્થ છે. જોયું? આત્માના નિશ્ચય અનુભવ વિના શુભરાગમાં દોષ ઘટાડવાની શક્તિ નથી. આત્માનો નિશ્ચય અનુભવ જેને પ્રગટ થયો છે એવા ધર્મી પુરુષના શુભભાવમાં દોષ ઘટાડવાની શક્તિ છે પણ આત્માનુભવરહિત અજ્ઞાનીજનના શુભભાવમાં દોષ ઘટાડવાની શક્તિ નથી.

મિથ્યાદ્રષ્ટિ કે જેને શુભાશુભરહિત ત્રીજી ભૂમિ શું-એની ખબર નથી, અહાહા...! જેને અંતરમાં શુદ્ધોપયોગ થયો નથી એવા જીવને આ પ્રતિક્રમણાદિ છે તે અપરાધરૂપ છે, તે દોષ ઘટાડવા અસમર્થ છે. અહા! હું એક શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાતા-દ્રષ્ટા જ છું એવું જેને અંતરમાં ભાન થયું નથી તે અજ્ઞાની જીવ દ્રવ્ય પ્રતિક્રમણાદિ કરો તો કરો, તેને તે ક્રિયા દોષ ઘટાડવા શક્તિમાન નથી, ઉલટું વિપક્ષ એટલે બંધનનું કાર્ય કરે છે. કરેલા દોષોનું નિરાકરણ કરવું, સમકિત આદિ ગુણોની પ્રેરણા કરવી, મિથ્યાત્વાદિ દોષોનું નિવારણ કરવું, પંચનમસ્કાર આદિનો ભાવ અર્થાત્ પ્રતિમા આદિનું આલંબન, બાહ્ય વિષયકષાયથી ચિત્તને હઠાવવું, આત્મસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું, ગુરુ સાક્ષીએ દોષોને પ્રગટ કરવા, દોષ થતાં પ્રાયશ્ચિત લઈ વિશુદ્ધિ કરવી-એ આઠે બોલ શુભભાવ છે. તે શુભભાવ જેને ત્રીજી ભૂમિકા નથી અર્થાત્ સમ્યગ્દર્શન નથી, શુદ્ધોપયોગરૂપ પરિણામ નથી તેને ઝેરરૂપ છે, કેમકે એનામાં દોષ ઘટાડવાનું કિંચિત્ સામર્થ્ય નથી.

ત્રીજી ભૂમિકા સહિત જે જીવ છે તેને જે શુભભાવ આવે છે તે દોષ ઘટાડવામાં સમર્થ છે. પણ અજ્ઞાનીના જે શુભભાવ છે તે વિપક્ષ છે, અર્થાત્ દોષ ઘટાડવાનું કાર્ય કરતા નથી પણ ઉલટું બંધ કરવાનું કાર્ય કરે છે. નવાં કર્મ બંધાય એ કાર્ય કરવા તે સમર્થ છે, માટે તે વિષકુંભ જ છે. મિથ્યાત્વસહિત શુભભાવ બંધનું જ કારણ થાય છે. એકલો શુભ-ઉપયોગ એ તો એકલા બંધનું જ કારણ છે, માટે એ ઝેરનો ઘડો છે.


PDF/HTML Page 2985 of 4199
single page version

હવે કહે છે- ‘જે અપ્રતિક્રમણાદિરૂપ ત્રીજી ભૂમિ છે તે, સ્વયં શુદ્ધાત્માની સિદ્ધિરૂપ હોવાને લીધે સર્વ અપરાધરૂપી વિષના દોષોને સર્વથા નષ્ટ કરનારી હોવાથી, સાક્ષાત્ સ્વયં અમૃતકુંભ છે અને એ રીતે (તે ત્રીજી ભૂમિ) વ્યવહારથી દ્રવ્ય પ્રતિક્રમણાદિને પણ અમૃતકુંભપણું સાધે છે.’

અહા! બધી એક સમયની પર્યાયમાં રમત છે. જ્યારે એને એક સમયની પર્યાયની પાછળ વિરાજેલા પરમાનંદમય ભગવાન આત્માની દ્રષ્ટિ થાય છે ત્યારે તેને શુદ્ધાત્માની સિદ્ધિ થતાં ત્રીજી ભૂમિકા પ્રગટ થાય છે. અહા! આ ત્રીજી ભૂમિ સર્વ દોષોને નાશ કરવામાં સમર્થ હોવાથી સાક્ષાત્ અમૃતકુંભ છે અને તે હોતાં-તેના સદ્ભાવમાં દ્રવ્યપ્રતિક્રમણાદિને વ્યવહારે અમૃતકુંભપણું છે, તેના અભાવમાં નહિ.

ભાઈ! તારી ચીજ અંદર કેટલી મહિમાવંત છે તેની તને ખબર નથી. અહાહા...! ભગવાન! તું અંદર પૂરણ આનંદ-અમૃતનો સાગર છો. પ્રત્યેક આત્મા આવો છે હોં. ભાઈ! આ તો જિનેશ્વરદેવે કહેલી વાત છે. તેં જિજ્ઞાસાથી તારી વાત કદી સાંભળી નથી! શું થાય? આખી જિંદગી બૈરાં-છોકરાંની આળપંપાળમાં ને ધંધા-વેપારમાં-એકલા પાપના ભાવમાં ચાલી જાય છે. એમાં વળી માંડ સમય મળે તો આવું સાંભળી આવે કે-વ્રત કરો, ઉપવાસ કરો જાત્રા કરો, -અને તમારું કલ્યાણ થઈ જશે. પણ અહીં કહે છે-જેટલું પરદ્રવ્ય ઉપર લક્ષ જાય છે એ બધો રાગ છે, ઝેર છે. સમોસરણમાં સાક્ષાત્ ભગવાન બિરાજતા હોય એમના લક્ષે તું સ્તુતિ, ભક્તિ, પૂજા ઈત્યાદિ શુભભાવ કરે એ શુભભાવ ઝેર છે. હવે આવી સત્ય વાત સાંભળવા મળે નહિ તે બિચારા શું કરે?

મોટા અબજોપતિ હોય તોય બિચારા? હા, જેને અંદર પોતાની સ્વરૂપલક્ષ્મી-અનંત અનંત જ્ઞાનાનંદલક્ષ્મીની ખબર નથી તેઓ મોટા અબજોપતિ હોય તોય બિચારા છે. શાસ્ત્રમાં તેમને ‘વરાકાઃ’ એટલે રાંકા- ભિખારી કહ્યા છે. જેમ સાકર એકલી મીઠાશનો પિંડ છે તેમ ભગવાન આત્મા પૂરણ એક જ્ઞાનાનંદનો પિંડ છે. અહા! આવા પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કર્યા વિના ત્રણકાળમાં કોઈ ને ધર્મ થતો નથી, સુખ થતું નથી.

અરે! ૮૪ લાખના અવતાર કરી કરીને તું મરી ગયો છો. આ રસ્તામાં ખટારા નીચે ચગદાઈને ઉંદર, નોળ આદિ મરી ગયેલા જોવામાં આવે છે ને? ભાઈ! આવા અવતા તેં અનંત અનંત વાર કર્યા છે. શું થાય? બાપુ! આ શરીર છે એ જડ માટી-ધૂળ છે; આ મળ્‌યું છે એ છૂટી જશે, વળી બીજું મળશે. આત્માના ભાન વિના એમ અનંત શરીર મળ્‌યાં છે. એમેય નથી કે તેં ક્રિયાકાંડ નથી કર્યાં. હજારો રાણીઓ છોડી, જૈનનો સાધુ થઈ મહાવ્રતાદિની ક્રિયાઓ પણ તેં અનંતવાર કરી છે અને એના ફળમાં અનંતવાર ગૈ્રવેયકમાં ઉપજ્યો છે. પણ બાપુ! એ બધો શુભરાગ


PDF/HTML Page 2986 of 4199
single page version

ભાઈ! એને તેં ધર્મ માન્યો, અમૃત માન્યું પણ અહીં કહે છે-એ તો ઝેર છે, વિષકુંભ છે.

ભગવાન કહે છે-પ્રભુ! તું એકવાર સાંભળ. અંદર તારી ચીજ પુણ્ય-પાપના ભાવથી રહિત-નિર્લેપ શુદ્ધ ચૈતન્યમય પડી છે, એની દ્રષ્ટિ તે સમ્યગ્દર્શન, એનું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન અને એમાં રમણતા તે સમ્યક્ચારિત્ર; આ ધર્મ, આ અમૃત ને આ સુખ. ભગવાન! તેં અનંતકાળમાં આ કર્યું નથી અને બહારમાં પરદ્રવ્યમાં ખેંચાઈને માન્યું કે અમે સુખી છીએ, પણ ત્યાં ધૂળેય સુખી નથી સાંભળને. બાપુ! એ પરદ્રવ્યને અવલંબીને થનારા ભાવ તો બધા રાગના-દુઃખના ભાવ છે. એ વડે તું દુઃખી જ છો. એમાં સુખની કલ્પના છે, સુખ ક્યાં છે? એમાં દુઃખ જ છે.

જુઓ, આદમીને વાત, પિત્ત ને કફ જ્યારે ઘણાં વધી જાય ત્યારે સન્નિપતિ થાય છે. ત્યારે તે દાંત કાઢી ખડખડ હસે છે. શું તે સુખી છે? ના; વાસ્તવમાં એને ભાન નથી કે તે દુઃખી છે. તેમ આ જીવને અનાદિનો સન્નિપાત છે. મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર-એ વડે એને સન્નિપાત છે. વિષય-કષાયમાં એ ઠીક માને છે એ સન્નિપાત છે. એ સુખ માને છે પણ શું તે સુખી છે? ના; એને ભાન નથી કે એ દુઃખી છે. બાપુ! જગત્ (શુભરાગમાં) ઠગાય છે અને માને છે કે અમને ધર્મ થાય છે. વાસ્તવમાં એ ઝેરનો ઘડો છે.

ભાઈ! અંદર તું આનંદનો નાથ સચ્ચિદાનંદમય ભગવાનસ્વરૂપ છો. એની અંર્તદ્રષ્ટિ કર્યા વિના જેટલી વ્યવહારની ક્રિયાઓ કરે-ચાહે ચોવીસે કલાક ભગવાન... ભગવાન... ભગવાન-એમ જાપ કરે, મને શિવપદ આપજો રે-એમ પ્રાર્થના કરે-પણ એ બધો શુભરાગ બાપા! ઝેરનો ઘડો છે ભાઈ! ભગવાન કહે છે-તારું શિવપદ અમારી પાસે ક્યાં છે તે આપીએ? તે તારામાં જ છે, અને અંર્તદ્રષ્ટિ વડે જ પ્રાપ્ત થાય એમ છે. બાકી આત્મજ્ઞાનરહિત આ બધી તારી ક્રિયાઓ એકલો વિષકુંભ છે. વ્યવહારના પક્ષવાળાને આ આકરું પડે છે; પણ શું થાય?

જે આત્મજ્ઞાન સહિત છે એવા ધર્મી પુરુષને આવો વ્યવહાર-શુભરાગ આવે છે અને તેને વ્યવહારથી અમૃતકુંભ કહ્યો છે. તથાપિ ખરેખર તો શુદ્ધ ઉપયોગ એ એક જ અમૃતકુંભ છે.

‘પરમાર્થવચનિકા’ માં આવે છે કે-અજ્ઞાની આગમનો વ્યવહાર અનાદિથી કરતો આવ્યો છે તેથી તેને તે સરળ લાગે છે અને તેથી વ્યવહારશ્રદ્ધા આદિ તે કરે છે; પણ તેને અધ્યાત્મના વ્યવહારની ખબર સુદ્ધાં નથી. શુદ્ધ વીતરાગી દશાનિર્મળરત્નત્રય તે અધ્યાત્મનો વ્યવહાર છે, અને ત્રિકાળી દ્રવ્ય તે અધ્યાત્મનો નિશ્ચય છે. આને તે જાણતો નથી અને આગમના વ્યવહારમાં સંતુષ્ટ રહે છે. પણ એથી શું? અહીં કહે છે-એ તો એકલું ઝેર છે. શ્રી જયસેનાચાર્યદેવે આ ગાથાની


PDF/HTML Page 2987 of 4199
single page version

ટીકામાં નિર્મળ રત્નત્રયની અપેક્ષા જ્ઞાનીનો બાહ્ય વ્યવહાર પણ ઝેર છે એમ કહ્યું છે.

અહા! આત્મા તો અંદર પરમાત્મસ્વરૂપ છે. આવે છે ને કે-“સિદ્ધ સમાન સદા પદ મેરો.” અહા! એને આ કેમ બેસે? અરિસામાં જુએ ને ટોપી આમ ફેરવે ને તેમ ફેરવે-એને આ કેમ બેસે? તેને કહીએ છીએ કે-ભાઈ! આ શું થયું છે તને? ભાઈ! શું આ મડદાને શણગારવું છે? આ શરીર તો મૃતક કલેવર છે. સમયસાર ગાથા ૯૬માં આવે છે-કે મૃતક કલેવરમાં અમૃતસાગર આત્મા મૂર્છાઈ ગયો છે. ભાઈ! આ શરીર, જડ માટી-ધૂળ છે. અને ભગવાન આત્મા અમૃતનો પિંડ એનાથી ભિન્ન છે. તો એમાં જાને! અહા! ત્યાં તને અખંડ પ્રતાપ વડે શોભાયમાન તારો અમૃતનો નાથ પ્રાપ્ત થશે.

વળી કેટલાક અજ્ઞાનીઓ માને છે કે અમે સમાજની, દેશની ને જગતની સેવા કરીએ છીએ. પણ પરની સેવા કોણ કરી શકે? તારા શરીરમાં રોગ આવે તેને તું મટાડી શકતો નથી, તારી સ્ત્રી જેને તું અર્ધાંગના કહે છે તે મરવા પડી હોય તો તું બચાવી શકતો નથી તો તું બીજાઓને કેમ બચાવીશ? ભાઈ! એ તો જેનું જેટલું આયુષ્ય હશે તેટલું તે રહેશે. કોણ બચાવે? ને કોણ મારે? પ્રભુ! તને પરની દયાનો ભાવ આવે છે. પણ એક તો તું પરની દયા પાળી શકતો નથી અને બીજું કે પરની દયાનો શુભભાવ, અહીં કરે છે, ઝેરનો, ઘડો છે. ગજબ વાત છે ભાઈ! જો તારે સત્નું શરણું લેવું હશે તો આ સ્વીકારવું પડશે; આ સિવાય બીજો કોઈ ઉપાય નથી.

અહાહા...! આત્મા આનંદનો નાથ પ્રભુ અંદર અતીન્દ્રિય જ્ઞાન ને આનંદથી ભરચક (પૂર્ણ) ભરેલો છે. એના અનુભવની વાત બહાર વાણીમાં કેટલી આવી શકે? માત્ર ઈશારા કરી શકાય. જેમ ગુંગો ગોળ ખાય પણ સ્વાદ કેવો છે તે કહી શકે નહિ, તેમ એના આનંદનો સ્વાદ કહી શકાય એમ નથી. માટે હે ભાઈ! સર્વ વિકલ્પનું લક્ષ છોડીને સ્વરૂપમાં અંર્તદ્રષ્ટિ કર. બસ આ જ કરવા યોગ્ય છે; બાકી બધાં થોથેથોથાં છે.

અહીં કહે છે-અપ્રતિક્રમણાદિરૂપ ત્રીજી ભૂમિ છે તે સ્વયં શુદ્ધાત્માની સિદ્ધિપ્રાપ્તિરૂપ છે. વળી તે સર્વ અપરાધરૂપી વિષના દોષોને સર્વથા નષ્ટ કરવાવાળી છે. તેથી તે ત્રીજી ભૂમિકા સ્વયં સાક્ષાત્ અમૃતકુંભ છે. અહાહા...! શુદ્ધોપયોગરૂપ ભૂમિકા જેમાં નિર્મળ રત્નત્રય પાકે છે તે સાક્ષાત્ અમૃતકુંભ છે. અહા! આવી ત્રીજી ભૂમિકાવાળા ધર્મી પુરુષને જે દ્રવ્યપ્રતિક્રમણાદિ હોય છે તેને વ્યવહારથી અમૃતકુંભપણું પ્રાપ્ત થાય છે. ખરેખર તે અમૃતકુંભ છે એમ નહિ, પણ સાક્ષાત્ અમૃતકુંભનો સહકારી છે તેથી તેને અમૃતકુંભ ઉપચારથી કહેવામાં આવે છે. હવે કહે છે.


PDF/HTML Page 2988 of 4199
single page version

‘તે ત્રીજી ભૂમિથી જ આત્મા નિરપરાધ થાય છે. તેના (અર્થાત્ ત્રીજી ભૂમિના) અભાવમાં દ્રવ્યપ્રતિક્રમણાદિ પણ અપરાધ જ છે. માટે, ત્રીજી ભૂમિથી જ નિરપરાધપણું છે એમ ઠરે છે.’

લ્યો, શુદ્ધોપયોગરૂપ ત્રીજી ભૂમિથી જ આત્મા નિરપરાધ થાય છે, બીજી રીતે નહિ, વ્યવહારરત્નત્રયથી નહિ. જ્યાં શુદ્ધોપયોગ નથી, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી ત્યાં સર્વ ક્રિયાકાંડ અપરાધ જ છે. વ્યવહાર પ્રતિક્રમણ, સામાયિક, પ્રૌષધ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઈત્યાદિ સર્વ, શુદ્ધોપયોગના અભાવમાં, અપરાધ જ છે, ઝેર જ છે. માટે શુભાભાવ ભાવોથી રહિત ત્રીજી ભૂમિથી જ નિરપરાધપણું સિદ્ધ થાય છે. આ ન્યાયથી-લોજીકથી સિદ્ધ થયું કે શુદ્ધોપયોગથી જ નિરપરાધપણું છે એ સિવાય પુણ્યની ક્રિયાઓથી જેમાં દોષોનો નાશ થાય એવું નિરપરાધપણું છે નહિ. પુણ્યની ક્રિયાથી દોષનો નાશ સિદ્ધ થતો નથી.

વ્યવહારપ્રતિક્રમણાદિના વિકલ્પ ધર્મીને આવે છે પણ એનું લક્ષ તો અંદર ભગવાન આત્માના અનુભવમાં રહેવાનું હોય છે. દયા, દાન આદિ શુભના કાળેય એની દ્રષ્ટિ શુદ્ધ આત્મા પર હોય છે, અને રાગને છોડી અંદર ભગવાન ચિદાનંદમય આત્મા છે તેની પૂરણ પ્રાપ્તિનું જ એને લક્ષ હોય છે. તેની પ્રાપ્તિ અર્થે જ આ દ્રવ્યપ્રતિક્રમણાદિ છે; શુભરાગમાં રોકાઈ રહેવા અર્થે નહિ. સમજાણું કાંઈ.....?

હવે કહે છે- ‘આમ હોવાથી એમ ન માનો કે (નિશ્ચયનયનું) શાસ્ત્ર દ્રવ્યપ્રતિક્રમણાદિને છોડાવે છે. ત્યારે શું કરે છે? દ્રવ્યપ્રતિક્રમણાદિથી છોડી દેતું નથી.’

અહા! આ સમયસાર નિશ્ચયનયનું એટલે શુદ્ધ ચૈતન્યમાત્ર આત્માને બતાવવાવાળું શાસ્ત્ર છે. સંવત ૧૯૭૮માં આ શાસ્ત્ર પહેલવહેલું અમારા હાથમાં આવ્યું અને જ્યાં વાંચ્યું ત્યાં એમ થઈ ગયું કે-અહો! આ તો અશરીરી થવાની ચીજ છે. આમાં તો શરીર ને સંસાર રહિત સિદ્ધ થવાની સામગ્રી પડી છે. અહીં કહે છે-એમ ન માનવું કે આ નિશ્ચયનું શાસ્ત્ર વ્યવહારપ્રતિક્રમણાદિ છોડાવી અશુભમાં પ્રરે છે. એમાં શુભભાવને છોડી અશુભમાં જવાની વાત નથી. શાસ્ત્રનો દ્રવ્યપ્રતિક્રમણાદિ છોડાવવાનો હેતુ નથી પણ તેમાં અટકી રહેવાનું તે છોડાવે છે. પ્રતિક્રમણ, સામાયિક, ભક્તિ, વ્રત, તપ, પૂજા ઈત્યાદિના શુભરાગમાં રોકાઈ અટકી રહેવાનું તે છોડાવે છે. વાસ્તવમાં તે સુખધામ, ચૈતન્યધામ એવા સ્વરૂપમાં લઈ જાય છે અને એ જ આનું કરવાયોગ્ય કર્તવ્ય છે, ધર્મ છે.

અહા! પુણ્યભાવને છોડી પાપમાં નાખવાનો શાસ્ત્રનો હેતુ નથી. હેતુ તો પુણ્યને પણ છોડી અંદર પરમ પવિત્ર પ્રભુ આત્મા છે તેનો અનુભવ કરાવવાનો છે, કેમકે આત્માનુભવથી જ નિરપરાધપણું છે, કલ્યાણ છે. બાપુ! આ (-સ્વાનુભવ) વિના જેમ


PDF/HTML Page 2989 of 4199
single page version

ઘાણીમાં તલ પીલાય છે તેમ ચારગતિના દુઃખમાં તું પીલાઈ જઈશ. ચારે ગતિ દુઃખરૂપ છે. ચૈતન્યલક્ષ્મીના ભાન વિના જ્યાં જાય ત્યાં દુઃખ જ છે. અહા! નિજ સ્વરૂપલક્ષ્મીની જેને ખબર નથી અને ધૂળનો (પુણ્યકર્મનો) જેને પ્રેમ છે એવા મોટા અબજોપતિઓ, રાજાઓ અને દેવતાઓ પણ દુઃખી જ દુઃખી છે.

અહીં દ્રવ્યપ્રતિક્રમણાદિ છોડવતા નથી, પણ શુભરાગમાં સંતુષ્ટ થઈ તે રોકાઈ જાય છે ત્યાંથી તેને છોડાવી અંદર ધ્રુવધામમાં-ચૈતન્યધામમાં લઈ જાય છે. એમ કે પ્રતિક્રમણાદિ શુભભાવમાં સંતુષ્ટ રહેવા જેવું નથી કેમકે ભગવાન આત્મા જે અમૃતસ્વરૂપ છે એનાથી તે ભાવો વિપરીત છે, ઝેર છે. નિર્મળ રત્નત્રય સાક્ષાત્ અમૃત છે, જ્યારે આ શુભભાવો એની અપેક્ષા ઝેર છે, માટે, શુભભાવોમાં સંતુષ્ટ રહેવું યોગ્ય નથી એમ આશય છે. વળી-

‘તે સિવાય બીજું પણ, પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી અગોચર અપ્રતિક્રમણાદિરૂપ, શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવું, અતિ દુષ્કર કાંઈક કરાવે છે.’

ભાઈ! અંદર વસ્તુ તું આત્મા છો કે નહિ? ભગવાન! તું તત્ત્વ છો કે નહિ? તત્ત્વ છો તો એનું કાંઈ સત્ત્વ છે કે નહિ? એનામાં કોઈ શક્તિ, સ્વભાવ કે ગુણ છે કે નહિ? અહાહા...! ભગવાન! તું પૂરણ જ્ઞાન, આનંદ આદિ અનંત ગુણ-અનંત શક્તિઓનો પિંડ છો ને? અનંતસ્વભાવોથી ભરેલું તારું સત્ત્વ છે ને પ્રભુ! અહાહા...! તેને પામવું કેમ? તો કહે છે-તેને પામવા માટે શુભ-અશુભ ભાવ કાર્યકારી નથી. ભગવાન! તારું ચૈતન્યતત્ત્વ અપ્રતિક્રમણાદિ અશુભભાવથી અગોચર-અગમ્ય છે ને પ્રતિક્રમણાદિ શુભભાવથીય અગોચર-અગમ્ય છે. સમજાય છે કાંઈ...? ભાઈ! આ દયા, દાન, ભક્તિ આદિ શુભભાવથી ભગવાન આત્મા અગોચર છે. ગજબ વાત! કહે છે- વ્યવહારના ક્રિયાકલાપથી તને આત્માનો અનુભવ નહિ થાય કેમકે એનાથી તે અગમ્ય છે.

આ નાળિયેર હોય છે ને નાળિયેર! એના ઉપર જે છાલાં છે તે નાળિયેર નથી, કઠણ કાચલી છે તે પણ નાળિયેર નથી, અને નાળિયેરના ગોળા ઉપરની જે રાતડ છે તે પણ નાળિયેર નથી. પણ અંદર સફેદ માવો ભરેલો મીઠો ગોળો છે એ નાળિયેર છે. તેમ આ શરીર છે તે છાલાં છે, કર્મ છે તે કાચલી છે. એ બન્ને આત્મા નથી અને રાતડ સમા જે પુણ્ય-પાપના ભાવ છે તેય આત્મા નથી. એ ત્રણેયથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય અને આનંદનો અંદર ગોળો છે તે આત્મા છે.

અહીં કહે છે- પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી અગોચર, શુદ્ધ આત્માની સિદ્ધિ નામ પ્રાપ્તિ જેનું લક્ષણ છે એવી અતિ દુષ્કર ત્રીજી અપ્રતિક્રમણાદિરૂપ જે ભૂમિ જે શુદ્ધોપયોગરૂપ છે તેને (આ શાસ્ત્ર) કરાવે છે. ભાઈ! શુદ્ધોપયોગ અતિ દુષ્કર છે. સમ્યગ્દર્શન આદિ રત્નત્રય અતિ દુષ્કર છે. અહા! અનંતકાળમાં એણે શુભક્રિયાઓ તો અનંતવાર કરી છે પણ શુભાશુભથી ભિન્ન શુદ્ધ ચૈતન્યતત્ત્વનાં જ્ઞાન-શ્રદ્ધાન ને અનુભવ એક ક્ષણ


PDF/HTML Page 2990 of 4199
single page version

પણ કર્યાં નથી તેથી તે દુષ્કર છે. અહીં કહે છે-આ શાસ્ત્ર એને દ્રવ્યપ્રતિક્રમણાદિથી સંતોષ કરાવતું નથી એટલું જ નહિ, શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવાં અતિ દુષ્કર નિર્મળ રત્નત્રયની પ્રાપ્તિ પણ કરાવે છે. અહો! આ શાસ્ત્ર પરમ અદ્ભુત મહિમાવંત છે.

જુઓ, નીચે નરકગતિ છે. રાજા, મહારાજા ને મોટા પૈસાવાળા જેઓ માંસ, ઇંડા, દારૂ ઈત્યાદિનું સેવન કરે છે એ બધા નીચે નરકમાં ભરાય છે. શું થાય? એવા ક્રુર પરિણામનું ફળ એવું છે. ભાઈ! આ જીવ પણ ત્યાં અનંતવાર ગયો છે. વળી જેઓ માયા, કુટિલતા, વક્રતા-આડોડાઈ બહુ કરે છે એ જીવો તિર્યંચમાં જાય છે. એવા ભવ પણ એણે અનંતા કર્યા છે. અરે! અનાદિથી એ અનંતકાળમાં ક્યારેય ભવ વિનાનો રહ્યો નથી. ચાર ગતિમાં, ૮૪ લાખ યોનિમાં અવતાર ધરી ધરીને તે તીવ્ર દુઃખોને જ પ્રાપ્ત થયો છે.

અહા! જો એકવાર ભવરહિત થાય તો ફરીને તેને જન્મ-મરણ રહે નહિ. જેમ ચણો કાચો હોય તો ઉગે પણ શેકેલો ચણો ઉગે નહિ. તેમ સ્વસ્વરૂપના ભાન વિના પુણ્ય-પાપના ભાવ કર્યા જ કરે તેને કાચા ચણાની જેમ ચારગતિમાં જન્મમરણ થયા જ કરે, તેનું ભવભ્રમણ મટે નહિ. પરંતુ પુણ્યપાપરહિત પોતાના સ્વસ્વરૂપને ઓળખીને તેમાં જ લીન થઈ રહે તેને શેકેલા ચણાની જેમ નવા નવા ભવ થતા નથી. અહા! તે ભવરહિત અત્યંત નિરાકુલ આનંદની દશાને પ્રાપ્ત થઈ જાય છે. સમજાણું કાઈ...?

ભાઈ! અંદર તું કેટલો મહાન છો તેની તને ખબર નથી; અને બેખબરો રહીને તું ચારગતિમાં રઝળે છે, રૂલે છે. સ્વ ને પરની ખબર વિના બેખબરો રહીને રાગથી એકપણું કરીને ભગવાન! તું ચારગતિમાં રખડી મરે છે. અહીં કહે છે-પ્રભુ! તું ક્રિયાકાંડથી ભિન્ન પડી અંદર આનંદથી ભરેલું શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે તેમાં આવી જા, અને તેમાં જ નિવાસ કર. તને ભવરહિત અનંતસુખમય પદની પ્રાપ્તિ થશે. આ સિવાય મોટો જૈનનો સાધુ થાય તોય શું કામનું?

આત્માને સાધે તે સાધુ છે. જેણે અંદરમાં આનંદને સાધ્યો નથી તે સાધુ નથી; અર્થાત્ જે એકલા ક્રિયાકાંડમાં જ મગ્ન છે તે સાધુ નથી. અંદર અમૃતકુંભ પ્રભુ આત્મા પડયો છે તેને સાધીને જે પ્રગટ કરે તે સાધુ છે. અંદર વસ્તુ આનંદસ્વભાવ છે એનું મનન કરવું, એમાં લીન થવું એનું નામ મુનિ છે. વસ્ત્ર સહિત સાધુ એ તો કુલિંગ છે. અને બાહ્યલિંગમાં જ મગ્ન છે એય વાસ્તવમાં સાધુ નથી. જે સ્વસ્વરૂપમાં જ નિરંતર મગ્ન છે તે જ પરમાર્થે સાધું છે. અહો! સાધુદશા કોઈ અલૌક્કિ ચીજ છે.

અહા! આવું મનુષ્યપણું મળ્‌યું ને આ વાતને સમજીને સમ્યગ્દર્શન પ્રગટ ન કર્યું તો જેમ દોરા વગરની સોય ખોવાઈ જાય અને હાથ આવે નહિ તેમ તે ભવ-


PDF/HTML Page 2991 of 4199
single page version

સમુદ્રમાં ક્યાંય ખોવાઈ જશે; તેને આત્મા હાથ નહિ આવે. અને જેમ સોયને દોરો પરોવેલો હોય તો તે ખોવાઈ હશે તોપણ જડશે તેમ જેણે આત્માને રાગથી ભિન્ન જાણી સમકિત પ્રગટ કર્યું હશે તે નબળાઈના રાગને કારણે કદાચિત્ અલ્પ ભવ કરશે તોપણ તે અંતે મોક્ષને પામશે જ.

આ શાસ્ત્રમાં જ આગળ કહેશે કે- (ગાથા ૩૮૩)

कम्मं जं पुव्वकयं सुहासुहमणेयवित्थरविसेसं।
तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमण।।

અર્થઃ– અનેક પ્રકારનાં વિસ્તારવાળા જે પૂર્વે કરેલાં શુભાશુભ કર્મ છે તેમનાથી જે પોતાના આત્માને નિવર્તાવે છે તે આત્મા પ્રતિક્રમણ છે. ઈત્યાદિ.

* ગાથા ૩૦૬ – ૩૦૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘વ્યવહારનયાવલંબીએ કહ્યું હતું કે-“લાગેલા દોષોનું પ્રતિક્રમણ આદિ કરવાથી જ આત્મા શુદ્ધ થાય છે, તો પછી પ્રથમથી જ શુદ્ધ આત્માના આલંબનનો ખેદ કરવાનું શું પ્રયોજન છે? શુદ્ધ થયા પછી તેનું આલંબન થશે; પહેલેથી જ આલંબનનો ખેદ નિષ્ફળ છે.”

જુઓ આ વ્યવહારના-રાગના પક્ષવાળાની દલીલ! શું કહે છે? લાગેલા દોષોનો પ્રતિક્રમણાદિ શુભભાવથી નાશ થઈ જાય છે ને આત્મા શુદ્ધ થાય છે. તો પહેલેથી જ શુદ્ધની દ્રષ્ટિ કરો, શુદ્ધનો અનુભવ કરો-એમ શુદ્ધના આલંબનનો ખેદ શું કામ કરાવો છો? શુભથી આત્મા પવિત્ર થઈ જશે અને પછી (નિરાંતે) શુદ્ધનું આલંબન થશે. પહેલેથી જ શુદ્ધના આલંબનનો ખેદ કરવો નકામો છે. લ્યો, આ પ્રમાણે શુભભાવ કરવાથી (આત્મા) શુદ્ધ થશે એમ આ વ્યવહારના પક્ષવાળાની દલીલ છે.

તેને આચાર્ય સમજાવે છે કે- ‘જે દ્રવ્યપ્રતિક્રમણાદિક છે તે દોષનાં મટાડનારાં છે, તોપણ શુદ્ધ આત્માનું સ્વરૂપ કે જે પ્રતિક્રમણાદિથી રહિત છે તેના આલંબન વિના તો દ્રવ્યપ્રતિક્રમણાદિક દોષસ્વરૂપ જ છે, દોષ મટાડવાને સમર્થ નથી;...’

જુઓ, શું કહે છે? આનંદનો નાથ એવો જે પોતાનો આત્મા એની દ્રષ્ટિ વિના વ્યવહાર ક્રિયાકાંડ બધો દોષરૂપ જ છે. અહા! દયા, દાન, વ્રત, ભક્તિ, પ્રતિક્રમણ આદિ જેને લોકો ધર્મ માની બેઠા છે તે બધાય શુભભાવો અંતર-અનુભવ વિના પરમાર્થે પાપ જ છે. બહુ આકરી વાત ભાઈ! પુણ્યપાપથી રહિત હું ચિદાનંદકંદ પ્રભુ આત્મા છું-એમ સ્વાનુભવ વિના બધો શુભરાગ એકલો ઝેર ને દુઃખ છે. અરે! ભગવાન! આત્માના ભાન વિના એવી ક્રિયાઓ તો તેં અનંતવાર કરી છે; પણ જે


PDF/HTML Page 2992 of 4199
single page version

સ્વયં દોષસ્વરૂપ જ છે તે દોષને કેમ મટાડે? આત્મજ્ઞાનના અભાવમાં વ્રત, તપ આદિ કોઈ બાહ્ય ક્રિયાઓ દોષ મટાડવા સમર્થ નથી. હવે એનું કારણ કહે છે-

‘કારણ કે નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહારનય મોક્ષમાર્ગમાં છે, કેવળ વ્યવહારનો જ પક્ષ મોક્ષમાર્ગમાં નથી, બંધનો જ માર્ગ છે.’

મોક્ષમાર્ગમાં નિશ્ચય સહિત વ્યવહાર (હોય) છે. જેને રાગરહિત શુદ્ધ ચૈતન્યમાત્ર આત્માની દ્રષ્ટિ, જ્ઞાન ને અનુભવ થયાં છે એવા નિશ્ચયવાળાના શુભરાગને વ્યવહાર કહેવામાં આવે છે. પણ જેને નિશ્ચય-સ્વરૂપની દ્રષ્ટિ અને અનુભવ નથી એના વ્યવહાર- ક્રિયાકાંડ કોઈ ચીજ નથી. એ તો કેવળ અપરાધ અને દોષ જ છે. ભાઈ! દુનિયાથી આ વાત જુદી છે. લોકો સાથે એનો મેળ ન ખાય એવી આ અલૌક્કિ વાત છે. નિશ્ચયયુક્ત જે વ્યવહાર એને વ્યવહાર મોક્ષમાર્ગ કહે છે. પણ આત્મજ્ઞાન રહિત અજ્ઞાની, ભલે તે વ્રતાદિના શુભરાગમાં વર્તતો હોય તોય તેને વ્યવહાર મોક્ષમાર્ગ કહેતા નથી.

ભાઈ! નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહારનય મોક્ષમાર્ગમાં છે. જેને આત્માનો અનુભવ અંદરમાં થયો છે એને જે શુભરાગ આવે છે તેને મોક્ષમાર્ગમાં વ્યવહાર કહેવામાં આવે છે. કેવળ વ્યવહારનો જ પક્ષ મોક્ષમાર્ગમાં નથી; અર્થાત્ નિશ્ચય રહિત વ્યવહાર કાંઈ નથી, તે વ્યવહાર નામ પામતો નથી; એ તો બંધનો જ માર્ગ છે; અજ્ઞાનીને દયા, દાન, વ્રતાદિના વિકલ્પો બંધનું-સંસારનું જ કારણ થાય છે. હવે કહે છે.

‘માટે એમ કહ્યું છે કે-અજ્ઞાનીને જે અપ્રતિક્રમણાદિક છે તે તો વિષકુંભ છે જ; તેમની તો વાત જ શી? પરંતુ વ્યવહારચારિત્રમાં જે પ્રતિક્રમણાદિક કહ્યાં છે તે પણ નિશ્ચયનયે વિષકુંભ જ છે, કારણ કે આત્મા તો પ્રતિક્રમણાદિકથી રહિત, શુદ્ધ અપ્રતિક્રમણાદિસ્વરૂપ જ છે.’

જુઓ, શું કહ્યું? અજ્ઞાનીને જે મિથ્યાત્વાદિરૂપ અપ્રતિક્રમણાદિક છે એ તો વિષકુંભ છે જ. એની તો શી વાત કરવી? પરંતુ ભગવાને વ્યવહારચારિત્રમાં જે પ્રતિક્રમણાદિક શુભભાવો કહ્યા છે તે પણ નિશ્ચયથી વિષકુંભ જ છે. અહાહા...! નિશ્ચય સહિતની જે ક્રિયા (શુભ) છે તે પણ પરમાર્થે ઝેરનો ઘડો જ છે. જેને પોતાના નિશ્ચયસ્વરૂપનું અંદર ભાન છે તેના વ્યવહારને (શુભરાગને) વ્યવહાર કહેવામાં આવે છે તે વ્યવહાર પણ નિશ્ચયથી વિષકુંભ જ છે; કારણ કે આત્મા તો પ્રતિક્રમણાદિકથી રહિત, શુદ્ધ, અપ્રતિક્રમણાદિસ્વરૂપ જ છે. લ્યો, આવી વાત છે.

હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૮૮ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘अतः’ આ કથનથી, ‘सुख–आसीनतां गताः’ સુખે બેઠેલા (અર્થાત્ એશ-


PDF/HTML Page 2993 of 4199
single page version

આરામ કરતા) ‘प्रमादिनः’ પ્રમાદી જીવોને ‘इताः’ હત કહ્યા છે.

શું કીધું? કે-આત્મા શું ચીજ છે એની ખબર વિના દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઈત્યાદિ શુભક્રિયાઓ વડે ધર્મ થાય છે એમ માની જે શુભરાગમાં સંતુષ્ટ થાય છે તેઓ પ્રમાદી છે અને તે જીવો ‘હતાઃ’ એટલે હણાઈ રહ્યા છે અર્થાત્ તેઓ મોક્ષના અનધિકારી છે. અહા! જેને હું પોતે જ્ઞાનાનંદસ્વરૂપ છું એમ અંતર-અનુભવ થયો નથી તે જીવો મોક્ષના-ધર્મના અનધિકારી છે અર્થાત્ તેમનો મોક્ષમાર્ગમાં પ્રવેશ જ થતો નથી.

‘चापलम् प्रलीनम्’ ચાપલ્યનો (વિચાર વિનાના કાર્યનો) પ્રલય કર્યો છે. એટલે શું? કે આત્મભાન વિનાની ક્રિયાઓનો-દ્રવ્યપ્રતિક્રમણ, વ્રત, તપ, ભક્તિ, પૂજા, ભણવું, ભણાવવું, પઠન-પાઠન, ચિંતવન ઈત્યાદિ ક્રિયાઓનો-પ્રલય કર્યો છે, અર્થાત્ તે ક્રિયાઓ બધી મોક્ષના કારણમાં ગણવામાં આવી નથી.

આ લાખો-કરોડોનું દાન કરે, ભક્તિ, પૂજા, પંચપરમેષ્ઠીનું સ્મરણ ઈત્યાદિ કરે એ બધી શુભરાગની ક્રિયાઓ ચાપલ્ય છે. આત્માના ભાન વિના આવી બધી ક્રિયાઓના કરનારા મિથ્યાદ્રષ્ટિ છે. અહા! જેઓ અહિંસાદિ પાપની ક્રિયાઓમાં પડેલા છે-તેમની તો શી વાત કરવી? તે પાપી જીવો તો ચારગતિમાં રખડી જ મરે છે. પણ અહીં કહે છે- પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ કર્યા વિના જેઓ એકલી પુણ્યની-દયા, દાન, વ્રતાદિની ક્રિયાઓ કરવામાં પડેલા છે તેઓને પણ ચાપલ્ય છે, અર્થાત્ તેમની તે ક્રિયાઓ મોક્ષમાર્ગમાં ગણી નથી. તેઓ પણ બંધમાર્ગમાં એટલે સંસારમાં જ રઝળી મરે છે.

હવે કહે છે- ‘आलम्बनम् उन्मूलितम्’ આલંબનને ઉખેડી નાખ્યું છે. અર્થાત્ સ્વદ્રવ્યના આલંબન સિવાય જેટલું પરદ્રવ્યનું આલંબન છે તેને મૂળથી ઉખેડી નાખ્યું છે. સમ્યગ્દ્રષ્ટિને જે દ્રવ્યપ્રતિક્રમણાદિ હોય છે તેને પણ નિશ્ચયે બંધનું કારણ જાણી હેય ગણ્યું છે. પરદ્રવ્ય ચાહે પંચપરમેષ્ઠી હો કે શાસ્ત્ર હો, એનું આલંબન પ્રમાદ છે અને તે હેય છે. એક વીતરાગભાવ સિવાય, પાપની નિંદા, ચિત્તને પાપથી પાછું વાળવું તે, ઈત્યાદિ સર્વ શુભરાગની ક્રિયાઓ પ્રમાદ છે અને એમાં પરદ્રવ્યનું આલંબન છે. અહા! અહીં કહે છે- જેટલું પરદ્રવ્યનું આલંબન છે તે મૂળથી ઉખેડી નાખ્યું છે એટલે કે હેય કર્યું છે.

પ્રશ્નઃ– તો ભાવપાહુડમાં પંચમહાવ્રત અંગીકાર કરો, ષોડશભાવના ભાવો ઈત્યાદિ અનેક પ્રકારની શુભક્રિયાઓ કરવાની વાત આવે છે ને?

ઉત્તરઃ– હા, આવે છે; પણ એ તો ભાઈ! જ્ઞાનીને તે તે ભૂમિકાઓમાં કેવા કેવા પ્રકારનો શુભરાગ આવે છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. એ સર્વ વ્યવહારનું કથન


PDF/HTML Page 2994 of 4199
single page version

સમજવું. બાકી પરમાત્મા જૈન પરમેશ્વર એમ કહે છે કે-મારા આલંબનથી પણ તને રાગ થશે. પંચાસ્તિકાયમાં આવે છે કે અરિહંત પ્રત્યેનો રાગ એ મોક્ષનું કારણ નથી.

પંચાસ્તિકાય, ગાથા ૧૬૮ માં કહ્યું છે કે-જરા પણ રાગ દોષની પરંપરાનું કારણ છે. અરિહંત આદિની ભક્તિ રાગપરિણામ વિના હોતી નથી, અને રાગપરિણામ થતાં આત્મા, પોતાને બુદ્ધિપ્રસાર વિનાનો રાખી શકતો નથી. બુદ્ધિપ્રસાર અર્થાત્ ચિત્તનું ભ્રમણ હોતાં શુભાશુભ કર્મોનો નિરોધ થતો નથી. આ પ્રમાણે પરદ્રવ્યનું આલંબન જેનું મૂળ છે એવો અલ્પ રાગ પણ દોષની સંતતિનું મૂળ છે. ભાઈ! આ તો વીતરાગનો માર્ગ! એ તો વીતરાગતાથી જ પ્રગટે છે.

અહાહા...! ચૈતન્યસ્વરૂપી આત્મા જ્ઞાયકપ્રભુ એક વીતરાગસ્વભાવથી ભરેલું તત્ત્વ છે. એના આલંબન વિના જેટલું પરદ્રવ્યનું આલંબન થશે એટલો રાગ જ ઉત્પન્ન થશે. અને એ અલ્પરાગ પણ દોષની પરંપરાનું મૂળ છે એમ કહે છે. જ્ઞાનીને એ ભાવ આવે ખરા, પણ એને એ બંધનું કારણ જાણી હેય ગણે છે.

તો બીજે શાસ્ત્રમાં અર્હંતાદિની ભક્તિ વગેરેને પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે ને? ભાઈ! એ તો આરોપથી કથન છે. મોક્ષમાર્ગમાં રત-ઉદ્યમી જીવોને એવો ભાવ આવે છે એમ જાણી આરોપ દઈને ઉપચારથી તેને પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે. ભાઈ! જ્યાં જે વિવક્ષાથી કથન હોય તે યથાર્થ સમજવું જોઈએ. વાસ્તવમાં તો વીતરાગસ્વભાવી ભગવાન આત્માની સન્મુખતાએ પ્રગટેલો એક વીતરાગભાવ જ પરંપરાએ મોક્ષનું કારણ છે.

કળશટીકામાં કહ્યું છે કે-બુદ્ધિપૂર્વક જ્ઞાન કરતાં થકાં જેટલું ભણવું, વિચારવું, ચિંતવવું, સ્મરણ કરવું ઈત્યાદિ છે તે ‘ઉન્મૂલિતમ્’ મોક્ષનું કારણ નથી એમ જાણીને હેય ઠરાવ્યું છે.

પ્રશ્નઃ– આત્મજ્ઞાન વિના હોય એની વાત છે ને? ઉત્તરઃ– આત્મજ્ઞાન હોય ત્યાં પણ તે રાગ વર્તમાનમાં દુઃખરૂપ છે અને ભવિષ્યમાં દુઃખનું કારણ છે. ભાઈ રાગનો-આસ્રવનો સ્વભાવ જ આ છે. (જુઓ સમયસાર ગાથા ૭ર ને ૭૪). ધર્મીને પણ શુભરાગથી પુણ્ય બંધાશે, એના ફળમાં સંયોગ મળશે, અને સંયોગના લક્ષે ફરી રાગ-દુઃખ જ થશે. આવી વાત! પરમાર્થ સત્ય બહુ અલૌક્કિ અને સૂક્ષ્મ છે ભાઈ!

ભાઈ! તને સાચા દેવ, સાચાં શાસ્ત્ર અને સાચા ગુરુ મળ્‌યા છે તે પરદ્રવ્ય છે. તેના આલંબનથી પણ તને રાગ જ થશે. સ્વ-અવલંબને જ સ્વરૂપસિદ્ધિ છે, એ સિવાય પરદ્રવ્યનું અવલંબન રાગનું-વિકારનું જ મૂળ છે. એટલે કહે છે કે - પરનું


PDF/HTML Page 2995 of 4199
single page version

આલંબન મૂળમાંથી જ ઉખેડી નાખ્યું છે; અર્થાત્ એને હેય જ ગણ્યું છે. પંચાસ્તિકાયમાં લીધું છે કે પંચપરમેષ્ઠીની ભક્તિથી પણ મોક્ષ દૂર છે.

જુઓ, ધર્મીને એક સમયમાં બે ધારા છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી સાધકને કાંઈક શુદ્ધતા છે ને કાંઈક અશુદ્ધતા-રાગધારા પણ છે. ભાઈ! ચાહે વ્યવહાર રત્નત્રય હો, તોપણ એ રાગ જ છે, બંધનું જ કારણ છે અને તેથી હેય છે. ‘પુરુષાર્થસિદ્ધયુપાય’ માં કહ્યું છે કે-જેટલે અંશે રાગ, એટલે અંશે બંધન, અને જેટલે અંશે સમકિત એટલે અંશે અબંધ.

આચાર્ય અમૃતચંદ્રસ્વામી ત્રીજા કળશમાં કહે છે કે-દ્રવ્યદ્રષ્ટિએ તો હું શુદ્ધ ચિન્માત્રમૂર્તિ છું પરંતુ નિમિત્તના વશે અમારી પરિણતિ રાગાદિથી વ્યાપ્ત કલ્માષિત એટલે મેલી છે. આ સમયસાર-શુદ્ધાત્માના ગ્રંથની વ્યાખ્યા કરવાથી જ અમારી પરિણતિની પરમ વિશુદ્ધિ થશે. જુઓ, અંદર દ્રવ્યદ્રષ્ટિનું જોર છે ને? તો તેના બળે પરમ વિશુદ્ધિ થશે જ એમ કહે છે. જુઓ, છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મુનિરાજ પણ કહે છે-અમારી પરિણતિ કિંચિત્ મેલી-કલુષિત છે. અમને તે પોસાતી નથી, અમારે તો પરમ વિશુદ્ધિ જોઈએ. ભાઈ! રાગનો અંશ-કણ હોય તોય તે મેલ છે અને તે હેય જ છે.

ભાઈ! તારું સુખ સ્વાધીન સ્વ-અવલંબનથી જ પ્રગટે તેમ છે. અરે! તું સ્વને છોડીને પરદ્રવ્યના અવલંબનમાં ક્યાં ગયો? તારે શું કરવું છે પ્રભુ? રાગને પોતાનો માનીને તો ભગવાન! તું ચોરાસી લાખ યોનિમાં રઝળી મુઓ છો. અહીં તો ભાઈ! તું પાંચ પચાસ કે સો વર્ષ રહીશ. પછી કયાં જઈશ? તારે ક્યાં રહેવું છે પ્રભુ! અહા! દ્રવ્યલિંગ ધારીને પણ કોઈ ક્ષેત્રમાં જન્મવાનું બાકી નથી રાખ્યું. દ્રવ્યમુનિપણું ધારણ કરીને પણ સ્વના અવલંબન વિના ભગવાન! તું અનંત અનંત વાર જન્મ્યો ને મર્યો. નરક ને નિગોદના પણ અનંત અનંત ભવ કર્યા. તેં માન્યું કે આ પંચમહાવ્રત પાળ્‌યાં એટલે હું વધી ગયો, પણ ભાઈ! તું કાંઈ વધ્યો નથી. સંસાર તો તારો એવો ને એવો જ ઊભો છે. માટે હે ભાઈ! પરાવલંબનની દ્રષ્ટિ છોડી સ્વઅવલંબન પ્રગટ કર.

સમ્યગ્દ્રષ્ટિને પણ વ્યવહાર પ્રતિક્રમણાદિ જે આઠ બોલ કહ્યા છે તે હોય છે. પણ એ બધો રાગ છે. શું કીધું? કરેલા દોષોનું નિરાકરણ કરવું સમકિત કેમ થાય તે સંબંધી સમ્યક્ત્વાદિ ગુણોની પ્રેરણા, મિથ્યાત્વાદિ દોષોનું નિવારણ, પંચ નમસ્કારાદિ ભણવાનો ભાવ, પ્રતિમાદિ બાહ્ય આલંબન વડે ચિત્તને સ્થિર કરવું, બાહ્ય વિષયકષાયથી પાછા હઠવું, આત્મસાક્ષીએ દોષોને પ્રગટ કરવા, ગુરુ સાક્ષીએ દોષોને પ્રગટ કરવા, પ્રાયશ્વિત્ત લઈને વિશુદ્ધિ કરવી-એમ આ સર્વ ભાવો રાગ છે. આવા ભાવો ધર્મીને


PDF/HTML Page 2996 of 4199
single page version

આવે છે પણ તેને તે હેય જાણે છે. અરે! ક્રિયાકાંડમાં રોકાઈને જીવો જિંદગી પૂરી કરી નાખે છે પણ વીતરાગ પરમેશ્વર જેને ધર્મ કહે છે તેને સાંભળવાય રોકાતા નથી!

ભાઈ! આ દેહ તો જડ માટી-ધૂળ છે. તે વિનાશિક છે; એની તો બળીને રાખ થશે. પણ ભગવાન! તું તો ત્રિકાળ રહેનારી અવિનાશી ચીજ છો ને! અહાહા...! શાશ્વત ચિદ્ઘન વસ્તુ સદા અસ્તિપણે છો ને પ્રભુ! આવો નિત્ય રહેનારો તું ક્યાં જાય? જો તું રાગથી એકપણું માની રાગમાં રહીશ તો રાગના સ્થાનોમાં ચારગતિમાં રખડી મરીશ. માટે રાગથી છૂટો પડી તારો શાશ્વત ચિદાનંદઘન પ્રભુ આત્મા છે તેમાં જા. એથી તને મોક્ષનું બીજ જે સમ્યગ્દર્શન તે પ્રગટ થશે. ભાઈ! સમ્યગ્દર્શન વિના મહાવ્રતાદિ રાગની સર્વ ક્રિયા થોથાં છે, (મોક્ષ માટે) કાંઈ કામ આવે એમ નથી. સમજાણું કાંઈ...?

હવે કહે છે- ‘आसम्पपूर्ण–विज्ञान–घन–उपलब्धेः’ જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાનઘન આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ‘आत्मनि एव चित्तं आलानितं च’ (શુદ્ધ) આત્મારૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે.

શું કીધું? કે જ્યાં સુધી પૂરણ દશા અર્થાત્ કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ચિત્તને એટલે જ્ઞાનની દશાને ત્રિકાળી ધ્રુવ સાથે જોડી દીધી છે એમ કહે છે. જ્ઞાનને મહાવ્રતાદિના રાગમાં જોડયું-બાંધ્યું છે એમ નહિ, પણ જ્ઞાનને ભગવાન જ્ઞાતાસ્વરૂપ આત્મામાં બાંધ્યું છે એમ કહે છે. વ્યવહારની અનેક ક્રિયાઓમાં ચિત્ત ભમતું હતું તેને શુદ્ધ એક ચૈતન્યમાત્ર આત્મામાં જોડી દીધું છે, કારણ કે તે જ મોક્ષનું યથાર્થ કારણ છે.

હવે આ સાંભળવાય રોકાય નહિ એ તત્ત્વને કેમ પામે? બહારમાં પાંચ-પચાસ લાખની મૂડી હોય ને ઘરે બે ચાર દીકરા હોય, વરસે-દહાડે બે-પાંચ લાખ કમાતો હોય એટલે જાણે કે ઓહોહોહો...! હું પહોળો ને શેરી સાંકડી એમ ફુલાઈ જાય. પણ સાંભળને બાપા! અનંતકાળથી એમાં જ તું મરી ગયો છો, એ વડે જ તારા ચૈતન્યપ્રાણ હણાઈ રહ્યા છે. ભગવાન! તારામાં એક જીવત્વશક્તિ છે. સત્ના સત્ત્વરૂપ શુદ્ધ જ્ઞાનદર્શન પ્રાણોથી જે વડે જીવે છે એવી જીવત્વશક્તિ છે. અહા! પરદ્રવ્યમાં અહંપણાના ભાવ વડે એ હણાઈ રહી છે અર્થાત્ એની નિર્મળ પ્રગટતા થતી નથી. અહા! આ બાયડી-છોકરાં મારાં ને આ સંપત્તિ મારી-એમ જેનો કાળ જાય છે એની તો વાત જ શી કરવી? એ તો એકલા પાપબંધ વડે સંસારમાં રખડે છે. પણ અહીં કહે છે-સમકિતીને પરદ્રવ્યના આલંબનવાળો દ્રવ્યપ્રતિક્રમણાદિ જે શુભરાગ આવે છે એય બંધનું કારણ હોવાથી હેય છે. માટે, કહે છે, પૂર્ણ વિજ્ઞાનઘનની પ્રાપ્તિ જ્યાંસુધી ન થાય ત્યાં સુધી ચિત્તને શુદ્ધ આત્મામાં જોડી દીધું છે. અહો! કળશમાં કેટકેટલું ભર્યું છે! એમ કે ચિત્તને દ્રવ્યક્રિયાઓમાં જોડયું નથી પણ શુદ્ધ આત્મદ્રવ્યમાં જોડયું છે.


PDF/HTML Page 2997 of 4199
single page version

અહીં કહે છે-મિથ્યાત્વની ભૂમિકામાં થતા પુણ્ય ને પાપના ભાવની એમ વાત જ કરતા નથી. જેઓ મિથ્યાત્વસહિત છે તેઓ તો એકલા પાપથી હણાયેલા ચારગતિમાં રઝળનારા જ છે. પરંતુ સમ્યગ્દ્રષ્ટિ કે સાચા સંત-મુનિ હોય કે જેમને આ દ્રવ્યપ્રતિક્રમણાદિના શુભભાવ આવ્યા વિના રહેતા નથી તે ભાવ પણ તેમને બંધનું કારણ હોવાથી હેય છે. માટે જ્યાં સુધી પૂર્ણ કેવળજ્ઞાનની દશાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી, કહે છે, જ્ઞાનની દશાને ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્મામાં જોડી દે. એ બહારનું આલંબન જવા દે, કેમકે એનાથી તો રાગ અને બંધ જ થશે. આત્મા શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપ છે તેમાં જ્ઞાનને જોડી દે, જ્ઞાન જ્ઞાનમાં (આત્મામાં) સુપ્રતિસ્થિત રહે એ એક જ મોક્ષનું કારણ છે. (દ્રવ્યપ્રતિક્રમણાદિનો બાહ્ય વ્યવહાર કાંઈ મોક્ષનું કારણ નથી).

*

અહીં નિશ્ચયનયથી પ્રતિક્રમણાદિકને વિષકુંભ કહ્યાં અને અપ્રતિક્રમણાદિકને અમૃતકુંભ કહ્યાં તેથી કોઈ ઉલટું સમજી પ્રતિક્રમણાદિકને છોડી પ્રમાદી થાય તો તેને સમજાવવાને કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૮૯ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘यत्र प्रतिक्रमणं एव विषं प्रणीतं’ (અરે! ભાઈ,) જ્યાં પ્રતિક્રમણને જ વિષ કહ્યું છે, ‘तत्र अप्रतिक्रमणम् एव सुधा कुत्ः स्यात्’ ત્યાં અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય? (અર્થાત્ ન જ હોય).

જુઓ, પ્રતિક્રમણને જ એટલે શુભભાવને જ અમે વિષ કહ્યું ત્યાં અપ્રતિક્રમણ અર્થાત્ અશુભભાવ અમૃત ક્યાંથી હોય? જ્યાં વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન ઈત્યાદિ વ્યવહારની શુભક્રિયાઓને ઝેર કહી છે ત્યાં તીવ્ર રાગમાં જવું ને અશુભમાં જવું, અજ્ઞાનમાં જવું-એ અમૃત કેમ હોય? ભાઈ! એ (-અશુભ) તો ઝેર જ ઝેર છે. શુભને છોડી અશુભમાં જવાની તો અહીં વાત જ નથી. અહીં તો શુભને છોડી ઊંચે ઊંચે ચઢવાની-શુદ્ધમાં જવાની વાત છે.

ભાઈ! અમે તને શુભભાવ છોડાવીને, જે વડે જન્મ-મરણનો અંત આવે અને જેમાં આત્મપ્રાપ્તિ થાય એવા વાસ્તવિક ધર્મમાં લઈ જવા માગીએ છીએ. અહા! અંદર ભગવાન આત્મા ચિદ્ઘન પ્રભુ ત્રિકાળ પરમાત્મસ્વરૂપે વિરાજે છે તેમાં લઈ જવા શુભભાવને અમે ઝેર કહ્યું છે. પરંતુ શુભને ઝેર જાણી અશુભમાં જાય એ તો તારી ઊંધી- વિપરીત દ્રષ્ટિ છે. અમે એવા અર્થમાં શુભને હેય ક્યાં કહ્યું છે? અરે! જ્યાં પ્રતિક્રમણને વિષ કહ્યું ત્યાં અપ્રતિક્રમણ (-અશુભ) અમૃત કયાંથી થયું? જ્યાં શુભને જ હેય બતાવ્યું ત્યાં અશુભ ઉપાદેય ક્યાંથી થઈ ગયું? (અજ્ઞાનીના શુભાશુભભાવ બધા અજ્ઞાનમય હોવાથી અપ્રતિક્રમણ છે.)


PDF/HTML Page 2998 of 4199
single page version

હવે કહે છે- ‘तत्’ તો પછી ‘जनः अधः अधः प्रपतन् किं प्रमाद्यति’ માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કાં થાય છે? ‘निष्प्रमादः’ નિષ્પ્રમાદી થયા થકા ‘उर्ध्वम् उर्ध्वम् किं न अधिरोहति’ ઊંચે ઊંચે કાં ચઢતા નથી?

આચાર્ય કહે છે-અમે શુભને-મંદ કષાયને ઝેર કહ્યું; તેથી અશુભ-તીવ્ર કષાય તો એની મેળે જ મહા ઝેર સિદ્ધ થયું. આમ છે તો પછી માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કેમ થાય છે? ભાઈ! અહીં તો શુભમાં સંતુષ્ટ હોય તેવા જીવને શુદ્ધ આત્માની સાથે સંબંધ કરાવે છે. કહે છે-અશુભભાવ તો પ્રમાદ છે જ, પણ શુભભાવ પણ પ્રમાદ જ છે. વ્રત, તપ, ભક્તિ, પંચપરમેષ્ઠીનું સ્મરણ ઇત્યાદિ શુભભાવ જે છઠ્ઠે ગુણસ્થાને સાચા સંત-મુનિવરને આવે છે તે પ્રમાદ છે. રાગમાત્ર પ્રમાદ છે; તે છૂટતાં સાતમું (ગુણસ્થાન) થાય છે.

અહા! શુભને અમે હેય કહ્યું તેથી તેને છોડીને અશુભમાં જાય એવું તો બુદ્ધિમાન ન કરે. તો ભગવાન! તું નીચે નીચે ઉતરતો પ્રમાદી કેમ થાય? નિષ્પ્રમાદી થયો થકો ઊંચે ઊંચે કાં ન ચઢે? શુભભાવને છોડીને અંદર જ્યાં સચ્ચિદાનંદ પ્રભુ આત્મા વિરાજે છે તેમાં જા ને; ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપે અંદર છે તેના ભેટા કર ને અને તેમાં જ બંધાઈ જા ને!

અહા! શુભને છોડી પ્રમાદી થઈ અશુભમાં તું જા એ તો તારી સ્વચ્છંદતા છે. માટે શુભને છોડી નિષ્પ્રમાદી થઈ સ્વસ્વરૂપના આશ્રયમાં જા અને ત્યાં જ લીન થઈ જા. શુભરાગને હેય બતાવવાનું આ જ પ્રયોજન છે પ્રવચનસાર ગાથા ૧૧ માં શુદ્ધોપયોગ ઉપાદેય ને શુભોપયોગ હેય કહ્યો છે. ભાઈ, છઠ્ઠે ગુણસ્થાને મુનિને જે શુભોપયોગ વર્તે છે તે હેય છે. વળી ત્યાં જ ગાથા ૧ર માં અશુભોપયોગનું અત્યંત હેયપણું પ્રસિદ્ધ કર્યું છે. એથી એ સ્પષ્ટ થયું કે શુભોપયોગને છોડીને શુદ્ધાપયોગમાં જ રહેવું. અહા! રાગરહિત અંદર આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ એકલો જ્ઞાનનો પિંડ છે. તેના આશ્રયે શુદ્ધોપયોગમાં રહેવું એ જ ધર્મ છે. આ સિવાય બીજો (શુભમાં રહેવું તે) ધર્મ છે નહિ. સમજાણું કાંઈ.....?

* કળશ ૧૮૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘અજ્ઞાન અવસ્થામાં જે અપ્રતિક્રમણાદિક હોય છે તેમની તો વાત જ શી? અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિને જે પ્રતિક્રમણાદિ શુભભાવ હોય છે તેની તો અહીં વાત નથી; કેમકે એ તો અજ્ઞાનમય ભાવ જ છે. જે મિથ્યાદર્શન સહિત છે અને જેને પ્રતિક્રમણાદિ શુભભાવ હોય છે એની અહીં વાત નથી, કેમકે એને તો અશુભ ઊભું જ છે.

‘અહીં તો, શુભપ્રવૃત્તિરૂપ દ્રવ્યપ્રતિક્રમણાદિનો પક્ષ છોડાવવા માટે તેમને (દ્રવ્ય- પ્રતિક્રમણાદિને) તો નિશ્ચયનયની પ્રધાનતાથી વિષકુંભ કહ્યાં છે કારણ કે તેઓ કર્મબંધનાં જ કારણ છે,......’


PDF/HTML Page 2999 of 4199
single page version

જોયું? સમકિતીના વ્યવહારને કે જે પ્રતિક્રમણ, પંચપરમેષ્ઠીનું સ્મરણ, પંચપરમેષ્ઠીની ભક્તિ ઇત્યાદિરૂપ છે તેને અહીં નિશ્ચયથી ઝેરનો ઘડો કહ્યો છે કારણ કે તે કર્મબંધનું જ કારણ છે. શુભભાવોને ઝેર કહેવાનો આશય તેનો પક્ષ છોડાવી શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ લીન-સ્થિર કરાવવાનો છે. અહા! શુભાશુભને છોડીને શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયમાં એકાગ્ર થઈ હે રતે નિશ્ચય-પરમાર્થ પ્રતિક્રમણ છે અને એ જ ધર્મ છે અને શુભથી છોડાવવાનું આ જ પ્રયોજન છે. શુભને છોડીને અશુભમાં જા એમ આશય નથી અને એમ હોય પણ નહિ. (એમ સમજે એ તો એની સ્વચ્છંતા છે).

વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર સામાયિક, સ્તવન, વંદન ઈત્યાદિ જે સમકિતીને વ્યવહાર હોય છે તે બધો પરના આશ્રયે પ્રગટ થાય છે; અને પરના આશ્રયે જે ભાવ થાય તે બંધનું જ કારણ છે. તેથી વ્યવહારનો પક્ષ છોડાવી નિશ્ચયસ્વરૂપમાં લીન કરાવવાના પ્રયોજનથી વ્યવહાર-પ્રતિક્રમણાદિને વિષકુંભ કહ્યો છે. એમ કે એ વ્યવહારના ઝેરને છોડા અંદર અમૃતસ્વરૂપ ભગવાન આત્મા છે એમાં લીન-સ્થિર થઈ જા. લ્યો, આવી વાત છે. હવે કહે છે-

‘અને પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી રહિત એવી ત્રીજી ભૂમિ, કે જે શુદ્ધ આત્મસ્વરૂપ છે તેમ જ પ્રતિક્રમણાદિથી રહિત હોવાથી અપ્રતિક્રમણાદિરૂપ છે, તેને અમૃતકુંભ કહી છે અર્થાત્ ત્યાંનાં અપ્રતિક્રમણાદિને અમૃતકુંભ કહ્યાં છે. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આ ઉપદેશ આચાર્યદેવે કર્યોં છે.’

શું કીધું? એક તો જ્ઞાનીનું દ્રવ્યપ્રતિક્રમણ અને અજ્ઞાનીનું અપ્રતિક્રમણ એટલે મિથ્યાત્વ સહિતનો બધો શુભરાગ-એ બેયથી રહિત શુદ્ધ આત્મસ્વરૂપ અપ્રતિક્રમણ જે ત્રીજી ભૂમિ છે તે, કહે છે, અમૃતકુંભ છે; કેમકે તે અબંધસ્વરૂપ છે, અમૃતસ્વરૂપ છે. તેથી કહે છે-ભાઈ! શુભથી ખસીને શુદ્ધમાં જા તો કલ્યાણ થશે, શુભમાં પડી રહેવામાં કલ્યાણ નહિ થાય. અપ્રતિક્રમણાદિ આ ત્રીજી ભૂમિ છે ત્યાં એક શુદ્ધ આત્માનું આલંબન છે તેથી તેને અમૃતકુંભ કહ્યો છે. આ ત્રીજી ભૂમિમાં આવી રહેવાની વાત છે.

એને બિચારાને એક તો વ્યવહારે પણ (પાપકર્મથી) નિવૃત્તિ મળે નહિ અને કદાચિત્ મળે તો અંતઃપ્રવૃત્તિ (આત્મપ્રવૃત્તિ) કરે નહિ તો તે પણ ઝેર છે એમ કહે છે. એક ત્રીજી ભૂમિએ પહોંચે એ જ અમૃતકુંભ છે. અહા! ત્રીજી ભૂમિએ ચડવા-પહોંચવા અજ્ઞાનીનું અપ્રતિક્રમણ છે એ તો છોડાવ્યું છે, જ્ઞાનીનું દ્રવ્યપ્રતિક્રમણ પણ છોડાવ્યું છે. સમજાય છે. કાંઈ.....?

ભાઈ! આ ત્રીજી ભૂમિકામાં જે અપ્રતિક્રમણાદિ કહ્યું છે તે આત્મસ્વરૂપ છે. જ્ઞાનીને જે દ્રવ્ય-પ્રતિક્રમણાદિ વ્યવહાર છે તે આત્મસ્વરૂપ નથી, ધર્મરૂપ નથી; તેથી તેને વિષકુંભ કહી છોડાવ્યો. જુઓ, જ્ઞાનીને-ધર્મીને વચ્ચે દ્રવ્યપ્રતિક્રમણાદિ શુભભાવ


PDF/HTML Page 3000 of 4199
single page version

આવે છે, અશુભથી બચવા એને એવો શુભભાવ અવશ્ય આવે છે, પણ એ કાંઈ ધર્મ નથી, અમૃત નથી. અહા! જ્ઞાનીને શુભભાવ ન આવે એમ નહિ અને એને એ ધર્મ માને એમેય નહિ. તેથી તેને ત્રીજી ભૂમિમાં પહોંચવા-રહેવા ઉદ્યમ કરાવવામાં આવે છે, કેમકે ત્રીજી ભૂમિ આત્મસ્વરૂપ છે, અમૃતસ્વરૂપ છે, અબંધસ્વરૂપ છે.

શાસ્ત્રમાં શુભનો અધિકાર હોય ત્યાં, જિનમંદિર બંધાવો, પ્રતિમા પધરાવો, સ્વાધ્યાય કરો, તપ કરો, દાન કરો ઈત્યાદિ બધું આવે. પણ એ તો ધર્મી પુરુષને એની ભૂમિકામાં જેવો જેવો રાગ આવે છે તેનું ત્યાં કથન કર્યું છે. એટલે કાંઈ એ શુભરાગ ધર્મ છે એમ નહિ. ધર્મ તો વ્યવહાર પ્રતિક્રમણાદિથી રહિત જે ત્રીજી અપ્રતિક્રમણાદિરૂપ ભૂમિ છે તે જ છે; તે જ સાક્ષાત્ અમૃતકુંભ છે, તે જ નિશ્ચય-પરમાર્થ પ્રતિક્રમણ છે.

જુઓ, અપ્રતિક્રમણાદિ બે પ્રકારનાં કહ્યાંઃ-

૧. મિથ્યાત્વસહિત અજ્ઞાનીને જે શુભાશુભભાવ હોય છે તે અપ્રતિક્રમણાદિ છે. અજ્ઞાનીને જે શુભભાવ હોય છે તે પણ અપ્રતિક્રમણાદિ છે. તેની તો અહીં વાત નથી.

ર. શુભભાવને છોડીને શુદ્ધમાં જાય તે જ્ઞાનીનાં અપ્રતિક્રમણાદિ છે. તે આત્મસ્વરૂપ છે, અબંધ છે, અમૃતકુંભ છે. વળી જ્ઞાનીને નિશ્ચય સહિત જે શુભભાવ આવે છે તેને વ્યવહાર પ્રતિક્રમણાદિ કહે છે. નિશ્ચયથી તેને અહીં વિષકુંભ કહ્યો છે કેમકે તે બંધનાં જ કારણ છે.

અજ્ઞાનીને નિશ્ચય કે વ્યવહાર એકેય પ્રતિક્રમણ નથી.

ત્રીજી ભૂમિ જે શુદ્ધ આત્મસ્વરૂપ છે તે જ પ્રતિક્રમણથી (દ્રવ્યપ્રતિક્રમણથી) રહિત હોવાથી અપ્રતિક્રમણસ્વરૂપ છે તે અમૃતકુંભ છે. અહાહા...! અંદર ભગવાન આત્મા નિત્યાનંદ-સહજાનંદ-પરમાનંદ પ્રભુ એકલો અમૃતનો કુંભ ભર્યો છે. એની જે પર્યાયમાં પ્રગટતા થાય તે અમૃતકુંભ છે. અહાહા...! શુભરાગથી ખસીને ‘શુદ્ધ’ માં આવતાં જેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તે શુદ્ધ નિર્મળ પરિણતિ અમૃતકુંભ છે.

પ્રશ્નઃ– વ્યવહાર પ્રતિક્રમણાદિને શાસ્ત્રમાં અમૃતકુંભ કહ્યો છે.

ઉત્તરઃ– હા, કહ્યો છે, વ્યવહારનાં શાસ્ત્રોમાં કહ્યો છે; પણ એ તો ધર્મીને કે જેને નિશ્ચય અમૃત અંદર પ્રગટ થયું છે તેના દ્રવ્ય-પ્રતિક્રમણાદિને આરોપ દઈને વ્યવહારે અમૃતકુંભ કહ્યો છે, પણ નિશ્ચયે તો તે વિષકુંભ છે.

પ્રશ્નઃ– એક કોર કહે કે જ્ઞાનીનો શુભભાવ ઝેર છે ને વળી બીજી કોર કહે કે એનાથી દોષ ઘટે છે. તો આ કેવી રીતે છે?