PDF/HTML Page 21 of 41
single page version
સાથેની એકત્વબુદ્ધિરૂપ મોહને છોડો. શરીરાદિ પરદ્રવ્ય સાથે એકત્વબુદ્ધિરૂપ જે મોહ છે
તે દુઃખદાયક છે, તે એકક્ષણ પણ રાખવા જેવી નથી. સ્વાનુભવપ્રત્યક્ષરૂપ જે શુદ્ધ
ચૈતન્યવસ્તુ છે તે આનંદરૂપ છે, તેના રસિક થઈને આનંદનો અનુભવ કરો.
આત્માના આનંદના અનુભવ વગર, રાગ સાથે એકત્વબુદ્ધિથી જીવ સંસારમાં
દુઃખઅનુભવી રહ્યો છે. દુઃખનું કારણ સ્વ–પરની એકત્વબુદ્ધિ અને સુખનું કારણ સ્વ–
પરનું ભેદવિજ્ઞાન છે. તેથી આચાર્યદેવ કહે છે કે–
જે કોઈ બંધાયા છે તેઓ ભેદજ્ઞાનના અભાવથી જ બંધાયા છે.
ભેદજ્ઞાનનો અભાવ એટલે કે સ્વ–પરની એકત્વબુદ્ધિરૂપ મોહ તે જ દુઃખ અને
સાંધ છે, એટલે ભેદજ્ઞાનરૂપ છીણીવડે તે બંને જુદા પડી જાય છે. ભેદજ્ઞાન એટલે જ્ઞાન
અને રાગના ભિન્ન ભિન્ન લક્ષણના જ્ઞાન વડે, શુદ્ધ આત્માનું સ્વસંવેદન થાય છે ને
રાગાદિ ભાવો જુદા રહી જાય છે. બંનેનું સ્વરૂપ જુદું છે એટલે બંને જુદા પડી શકે છે.
આત્મા અને જ્ઞાન કદી જુદા ન પડી શકે, પણ આત્મા અને રાગ જુદા પડી શકે છે, કેમકે
જ્ઞાન આત્માનું સ્વલક્ષણ છે પણ રાગ આત્માનું સ્વલક્ષણ નથી. જ્ઞાનનું વેદન તો
આનંદરૂપ છે, ને રાગનું વેદન દુઃખરૂપ છે, એમ વેદનવડે બંનેના સ્વાદની ભિન્નતા
જાણીને, હે જીવો! તમે ચૈતન્યના અત્યંત મધુર શાંતરસના રસિક બનો, ને રાગનો રસ
છોડો. આત્માના સ્વભાવભૂત જ્ઞાન, અને અનાત્મારૂપ રાગ–એ બંનેને કદી એકમેકપણું
થયું નથી; બંનેની જાત જ
PDF/HTML Page 22 of 41
single page version
જ્ઞાન તેનો સ્વાદ લ્યો. –આવો અનુભવ તે મોક્ષમાર્ગ છે; તે જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
ગુણસ્થાને સમ્યગ્દર્શનની સાથે આત્માના સર્વે ગુણોનો એકઅંશ પ્રગટે છે. સમ્યગ્દર્શન
ગુણસ્થાનની દશા કોઈ અલૌકિક છે; એ તો મોક્ષમાર્ગમાં આવી ગયો, એને
વિઘ્ન છે જ નહીં. ભગવાનના ઉપદેશ અનુસાર જે જીવ ઉદ્યમ વડે મોક્ષનો ઉપાય કરે છે
જ્ઞાનપ્રકાશમય છે. તેમ રાગાદિ પરભાવો ચૈતન્યપ્રકાશથી ભિન્ન અંધકાર જેવા છે, તેઓ
રાગરૂપ થઈ જતો નથી; રાગથી ભિન્ન એવું જે જ્ઞાન, તે જ રાગને તેમજ પોતાને જાણે
તેના વડે મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ થાય છે.
PDF/HTML Page 23 of 41
single page version
પારસપ્રભુની ટૂંકે પૂ. ગુરુદેવે ભક્તિભાવપૂર્વક આ સ્તવન
ગવડાવ્યું હતું. તીર્થભક્તિના ને આત્મિકભાવનાના અદ્ભુત
ભાવો આ સ્તવનમાં નીતરી રહ્યા છે–)
ચોવીસોં ભગવાન પ્રભુજીને લાખો પ્રણામ...પ્રભુજીને ક્રોડો પ્રણામ...
શાશ્વત તીરથધામ પ્રભુજીને લાખો પ્રણામ...પ્રભુજીને ક્રોડો પ્રણામ...૧
અનંત જિનેશ્વર મુક્તિ પધાર્યા, સમશ્રેણીએ સિદ્ધિ બિરાજ્યા,
જ્ઞાનશરીરી ભગવાન...પ્રભુજીને લાખો પ્રણામ...૩
જોગાતીત ભગવાન...પ્રભુજીને લાખો પ્રણામ...૪
PDF/HTML Page 24 of 41
single page version
પામ્યા સિદ્ધિ મહાન...પ્રભુજીને લાખો પ્રણામ... ૭
વંદન સિદ્ધ ભગવાન...પ્રભુજીને લાખો પ્રણામ... ૧૨
વંદન હો અનંત પ્રભુજીને લાખો પ્રણામ... ૧૪
PDF/HTML Page 25 of 41
single page version
ભક્તિ–અભિષેક ઉલ્લાસપૂર્ણ વાતાવરણ વચ્ચે ગુરુદેવનું
આનંદકારી..પ્રવચન.
પરના આત્મામાં સિદ્ધની સ્થાપના કરી છે; ‘હું સિદ્ધ, તું સિદ્ધ’ –એમ સિદ્ધસ્વરૂપના લક્ષે
શુદ્ધાત્માનું શ્રવણ કરજો. –એમ અપૂર્વ માંગળિક કર્યું છે.
સીમંધર ભગવાનનો મહાન ઉપકાર છે. તેમાં વળી અહીં પાંચસો વર્ષ પહેલાંનાં
પ્રતિમાજી સીમંધરપ્રભુના બિરાજે છે. તેથી અહીં ખાસ દર્શન કરવા આવ્યા છીએ.
જ્ઞાનમાં અનંત સિદ્ધોને સમાડવાની તાકાત છે.
સ્થાપું છું. –એ મહા માંગળિક છે.
PDF/HTML Page 26 of 41
single page version
PDF/HTML Page 27 of 41
single page version
અહીંના સીમંધર ભગવાનની પ્રતિષ્ઠાને પ૧૬ વર્ષ થયા; પ૧૬ વર્ષે આજે સોળઆની
પ્રસંગ ભજી ગયો. ભગવાનના જ્ઞાનમાં એ બધુંય દેખાય છે. ભગવાનની સર્વજ્ઞતાનો
સ્વીકાર કરીને પોતામાં સિદ્ધને સ્થાપીને જેણે મંગળ કર્યું તે હવે આગળ વધીને સિદ્ધ
થઈ જશે. –આ રીતે સિદ્ધ પ્રભુનો આદર કરીને તેમના જેવા પોતાના શુદ્ધસ્વરૂપને
ધ્યાવવું તે સિદ્ધપદની પ્રાપ્તિનો ઉપાય છે.
પરમ આનંદની પ્રાપ્તિ કરવા મારા પરમ આત્મસ્વરૂપને જાણું. –આમ
જેને જિજ્ઞાસા થઈ હોય તે આત્મસ્વરૂપનો નિર્ણય કરે. મારું
અસ્તિત્વ કેવું છે, મારા અસ્તિત્વમાં સામર્થ્ય કેટલું છે? પરમાં તો
મારું અસ્તિત્વ નથી. હવે જે રાગાદિ ભાવો દુઃખરૂપ છે–તેના જેટલું
જ શું મારું અસ્તિત્વ છે? ના. એ રાગની વૃત્તિથી પાર, દુઃખ વગરનું,
મારું કાયમી અસ્તિત્વ છે, –કે જેમાં પૂર્ણ સુખ ને પૂર્ણ જ્ઞાનનું સામર્થ્ય
ભર્યું છે. એના સેવનથી જ કેવળજ્ઞાનને સિદ્ધપદ પ્રગટે છે. મારો
સ્વભાવ સુખથી ભરેલો છે, તેના સેવનથી જ સુખનો અનુભવ
પ્રગટે. –આવા સમ્યક્નિર્ણય વડે સ્વસંવેદનથી અતીન્દ્રિય આનંદને
ધર્મીજીવ અનુભવે છે.
PDF/HTML Page 28 of 41
single page version
વિચાર્યું કે ‘આ કેશ ધન્ય છે કે ભગવાનના મસ્તકના સ્પર્શથી જે પવિત્ર થયા છે, અને
એ ક્ષીરસમુદ્ર પણ ધન્ય છે કે જેને આ કેશની ભેટ મળશે.’ –એમ વિચારીને, સ્વભાવથી
જ પવિત્ર એવા ક્ષીરસમુદ્રમાં અત્યંત આદરપૂર્વક તે કેશનું ક્ષેપણ કર્યું. મલિન ગણાતા
એવા વાળ પણ ભગવાનના આશ્રયે પૂજ્ય બન્યા, કેમકે મહાપુરુષોનો આશ્રય પામીને
મલિનપુરુષ પણ પવિત્ર થઈને પૂજ્ય બની જાય છે.
સ્વામીને જે ગમ્યું તે અમને પણ ગમ્યું’ –એમ સ્વામીભક્તિથી પ્રેરાઈને તેઓ દ્રવ્યલિંગી
સાધુ થયા. સ્વામીને અનુસરવું એ જ સેવકોનું કામ છે–એમ વિચારીને, તે રાજાઓએ
મૂઢતાસહિત માત્ર દ્રવ્યઅપેક્ષાએ નિર્ગન્થપણું ધારણ કર્યું હતું, ભાવઅપેક્ષાએ નહી. એમ
કરીને મોટા મોટા વંશમાં ઉત્પન્ન થયેલા તે રાજાઓએ ભગવાન પ્રત્યે પોતાની ઉત્કૃષ્ટ
ભક્તિ પ્રગટ કરી હતી. જેમને સંયમ પ્રગટ્યો નથી એવા તે ૪૦૦૦ દ્રવ્યલિંગી
મુનિઓના ઘેરા વચ્ચે ભાવલિંગી ભગવાન, નાનકડા ઝાડવાના ઝુંડ વચ્ચે વિશાળ
કલ્પવૃક્ષની માફક શોભતા હતા.
ભક્તિપૂર્વક ભગવાનની પૂજા–સ્તુતિ કરી: હે પ્રભો! અમે અલ્પજ્ઞ, આપના અગણિત
ગુણોની સ્તુતિ કઈ રીતે કરી શકીએ? આપની સ્તુતિના બહાને અમે તો અમારા આત્માની
ઉન્નતિ કરીએ છીએ. પ્રભો! જિનવાણીસમાન અને ગંગાનદી સમાન પવિત્ર આપની
PDF/HTML Page 29 of 41
single page version
તે અમને સદા પવિત્ર કરો. આપની આ દીક્ષા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નોથી
અલંકૃત છે. પ્રભો! ભવ–તન–ભોગરૂપ સંસારને સ્વપ્નસમાન જાણીને આપે છોડ્યો છે
ને અવિનાશી મોક્ષમાર્ગમાં ગમન કર્યું છે. પ્રભો, આપનામાં રાગ ન હોવા છતાં મોક્ષમાં
જાણીને આપે છોડવા જેવી વસ્તુઓને છોડી દીધી ને ઉપાદેય વસ્તુઓના ગ્રહણ માટે
ઉદ્યમી થયા, –અને છતાંય આપ સમદર્શી કહેવાઓ છો–એ પણ આશ્ચર્યની વાત છે!
આપ પરાધીન સુખ છોડીને સ્વાધીન સુખ પ્રાપ્ત કરવા માંગો છે, તથા અલ્પ વિભૂતિ
છોડીને ભારે મહાન વિભૂતિ પ્રાપ્ત કરવા ચાહો છો,–તો પછી આપ વિરક્ત અને ત્યાગી
કઈ રીતે થયા! હે ભગવાન! આપ નિર્ગ્રંથ હોવા છતાં કુશલ પુરુષો આપને જ સુખી કહે
છે. જ્ઞાનદીપક લઈને આપ મોક્ષમાર્ગે જઈ રહ્યા છો. આપના ધ્યાનરૂપી મહાન અગ્નિમાં
આઠે કર્મો ભસ્મીભૂત થઈ રહ્યા છે; આઠ કર્મના વનને છેદી નાંખવા માટે આપે
રત્નત્રયરૂપી કુહાડો ઉઠાવ્યો છે. પ્રભો! બીજે ક્્યાંય ન હોય એવી અદ્ભુત આપની આ
આપના શરણે આવેલા ભક્તજીવોના સંસારને પણ તે નષ્ટ કરે છે. –આવી ઉત્કૃષ્ટ
જ્ઞાનસમ્પત્તિને ધારણ કરનાર હે વીતરાગ! આપને નમસ્કાર હો.
આત્મધ્યાનમાં લીનઅને મોક્ષપ્રાપ્તિરૂપ કાર્યને સાધવામાં તત્પર એવા મોહવિજેતા
ભગવાન ઋષભમુનિરાજના ચરણોની અત્યંત ભાવપૂર્વક ભરતે પૂજા કરી.
જે ઘૂંટણભર થઈને વંદન કરે છે), અને જેનાં નેત્રોમાં હર્ષનાં આંસુ છે–એવા તે
ભરતે પોતાના મુગટના ઉત્કૃષ્ટમણિના કિરણો વડે ભગવાનના ચરણોનું
પ્રક્ષાલન કરતાં ઉત્કૃષ્ટ ભક્તિપૂર્વક નમીને પોતાનું મસ્તક ભગવાનના
ચરણોમાં ઝુકાવ્યું; ને મહાન ગુરુભક્તિ પ્રગટ કરી.
PDF/HTML Page 30 of 41
single page version
ઉત્કૃષ્ટ મૂર્તિ જેવા શોભતા હતા. તપના મહિમાને લીધે કોઈ અદ્રશ્ય છત્રવડે તેમના ઉપર
છાંયો થઈ ગયો હતો. ચાર જ્ઞાનવડે ભગવાને પરલોકસંબંધી ગતિ–અગતિને સંપૂર્ણ
જાણી લીધી હતી.
અસમર્થ એવા તે કલ્પિત મુનિઓ વિચાર કરવા લાગ્યા કે, અરે! હવે અમારાથી ભૂખ–
પ્યાસ સહન થતા નથી; ભગવાન તો કોણ જાણે ક્યા ઉદ્દેશથી આ પ્રમાણે ઊભા છે?
ભગવાન પોતાની રક્ષાનો વિચાર કર્યા વગર આવા ભયંકર વનમાં ઊભા છે તો
‘પોતાની રક્ષા પ્રયત્નપૂર્વક કરવી જોઈએ’ –એવી નીતિને શું ભગવાન નહીં જાણતા
હોય? ભગવાન તો પ્રાણોથી વિરક્ત થઈને આવી તપચેષ્ટા કરી રહ્યા છે, પણ અમે તો
હવે ખેદખિન્ન થઈ ગયા છીએ. તેથી ભગવાન ધ્યાન પૂરું કરે ત્યાંસુધી અમે આ વનમાં
ફળ ને કંદ–મૂળ ખાઈને જીવન ટકાવીશું. આમ તેઓ દીન થઈ ગયા; શું કરવું તે તેમને
સુઝ્યું નહિ. ‘ભગવાન અમને જરૂર કંઈક કહેશે’ એવી આશાથી તેઓ ભગવાનને
ઘેરીને ઊભા; ભગવાન તરફ દ્રષ્ટિ કરતાં તેમને થોડુંક ધૈર્ય થતું. કેટલાક તો માતા–
પિતા–સ્ત્રી–રાજપાટ વગેરેનું સ્મરણ થતાં ઘેર જવાની ઈચ્છાથી વારંવાર ભગવાનના
ચરણોમાં નમસ્કાર કરતા હતા. પણ તેમને બીક લાગતી હતી કે જો અત્યારે ભગવાનનો
સાથ છોડીને ઘરે જઈશું તો, ભગવાન જ્યારે આ કાર્ય પૂરાં કરીને રાજ્ય સંભાળશે
ત્યારે અમને અપમાન કરીને કાઢી મૂકશે; અથવા તો ભરત મહારાજા અમને કષ્ટ દેશે. –
માટે અહીં જ રહીને સહન કરવું. હવે તો આજકાલમાં જ ભગવાનનો યોગ સિદ્ધ થશે
એટલે કષ્ટ સહન કરનારા અમને ઘણી ધન–સમ્પદા આપીને સંતુષ્ટ કરશે. નિર્બળ
થયેલા તે મુનિઓ જમીન પર પડ્યા પડ્યા પણ ભગવાનના ચરણનું સ્મરણ કરતા
હતા. કેટલાક લોકો ભગવાનને પૂછીને, અને કેટલાક પૂછ્યા વગર માત્ર પ્રદક્ષિણા દઈને,
પ્રાણરક્ષા માટે વનમાં અન્યત્ર ચાલ્યા ગયા હતા, ને વ્રત છોડીને જેમતેમ વર્તવા લાગ્યા
હતા.
PDF/HTML Page 31 of 41
single page version
PDF/HTML Page 32 of 41
single page version
આશ્ચર્યકારક તપવડે ઈન્દ્રાસન પણ કંપી ઊઠ્યું હતું.
લાગ્યા કે હે ભગવાન! આપે બધાને રાજ્ય વહેંચી આપ્યું; પણ અમને તો કાંઈ ન
આપ્યું; અમને ભૂલી ગયા; માટે અમને કાંઈક ભોગ–સામગ્રી આપો. અમારા ઉપર
પ્રસન્ન થાઓ...આમ વારંવાર ભગવાનના પગ પકડીને પ્રાર્થના કરવા લાગ્યા ને તેમના
ધ્યાનમાં વિઘ્ન કરવા લાગ્યા.
નમિ–વિનમિકુમારોને સમજાવ્યા કે અરે કુમારો! આ ભગવાન તો ભોગોથી અત્યંત
નિસ્પૃહ છે, ને તમે તેમની પાસેથી ભોગોની યાચના કેમ કરી રહ્યા છો? તમારે
ભોગસામગ્રી જોઈએ તો રાજા ભરત પાસે જઈને માંગો ને! ભગવાન તો બધું છોડીને
મોક્ષનો ઉદ્યમ કરી રહ્યા છે તમને ભોગ–સામગ્રી ક્યાંથી દેશે? –માટે તમે ભરત પાસે
જાઓ.
તેજસ્વીને બુદ્ધિમાન છો, આપ કોઈ ભદ્રપરિણામી મહાપુરુષ લાગો છો, છતાં અમારા
કાર્યમાં કેમ વચ્ચે આવો છો–તે અમે જાણતા નથી. અમે તો ભગવાનને જ પ્રસન્ન કરવા
માંગીએ છીએ. ભગવાન ભલે વનમાં રહ્યા, તેથી શું તેમની પ્રભુતા મટી ગઈ?
ભગવાનને છોડીને ભરત પાસે જવાનું આપ કહો છો તે ઠીક નથી. મહાસમુદ્રને છોડીને
ખાબોચિયા પાસે કોણ જાય? ભરતમાં અને ભગવાન ઋષભદેવમાં મોટું અંતર છે તે શું
તમે નથી જાણતા?
ભગવાનનો સેવક છું. ભગવાને મને આજ્ઞા કરી છે કે ‘આ કુમારો મહાન ભક્ત છે માટે
તેમને તેમની ઈચ્છા પ્રમાણે રાજસામગ્રી આપો.’ –માટે હે કુમારો! ચાલો, હું ભગવાને
બતાવેલી રાજસંપદા તમને આપું.
PDF/HTML Page 33 of 41
single page version
ચાલ્યા. ધરણેન્દ્ર તેમને પોતાના વિમાનમાં બેસાડીને વિજયાર્દ્ધ પર્વત પર લઈ ગયા.
પદ્મસરોવરમાંથી નીકળેલી ગંગા અને સિન્ધુ નદી આ પર્વતની નીચે થઈને વહે છે.
પર્વત ઉપર નવ શિખરો જિનમંદિરથી શોભી રહ્યા છે. અહીં રોગ કે દુષ્કાળ વગેરે બાધા
હોતી નથી. આ મહા ભરતક્ષેત્રમાં મનુષ્યોની સ્થિતિ ચોથા કાળ જેવી હોય છે,
(આર્યખંડની માફક છ પ્રકારે કાળપરિવર્તન અહીં થતું નથી.) જઘન્યઆયુ ૧૦૦ વર્ષનું
હોય છે. અહીંના વિદ્યાધર મનુષ્યોને મહાવિદ્યાઓ વડે ઈચ્છિત ફળ મળે છે. અનાજ
વાવ્યા વગર ઊગે છે; નદીઓની રેતી રત્નમય છે. ઉત્તર શ્રેણીમાં ૬૦ નગર છે ને દક્ષિણ
શ્રેણીમાં પ૦ નગર છે. વિદ્યુતપ્રભ, શ્રીહર્મ્ય, શત્રુંજય, ગગનનન્દન, અશોકા, અલકા,
પુંડરીક, શ્રીપ્રભ, શ્રીધર, રથનૂપુર–ચક્રવાલ, સંજયન્તી, વિજયા, ક્ષેમંકર, સૂર્યાભ, વગેરે
દક્ષિણ શ્રેણીની પ૦ નગરીઓ છે; તેમાં રથનૂપુર રાજધાની છે. દરેક નગરીમાં એક હજાર
મોટા ચોક ને ૧૨૦૦૦ ગલી છે, રત્નોના તોરણથી શોભતા એક હજાર દરવાજા છે. દરેક
નગરીના પેટામાં એકેક કરોડ ગામ છે. ત્યાં રહેનારા વિદ્યાધરો દેવ જેવા સુખી છે. આ
પર્વત પર કરોડો સિંહ, મૃગ ને ચમરી ગાયો રહે છે; ચારણઋદ્ધિધારી મુનિઓ પણ અહીં
વિચરે છે.
દક્ષિણ શ્રેણીનું અને વિનમિને ઉત્તર શ્રેણીનું રાજ્ય સોંપ્યું; તથા ત્યાંના વિદ્યાધરોને
ભલામણ કરી કે ભગવાન ઋષભદેવે આ બંનેને અહીં મોકલ્યા છે, તે તમારા સ્વામી છે,
સ્થાને ચાલ્યા ગયા.
લાગ્યા. યથાર્થમાં તો મનુષ્યનું પુણ્ય જ તેને સુખ–સામગ્રી મેળવી આપે છે. જગતગુરુ
ભગવાન
PDF/HTML Page 34 of 41
single page version
PDF/HTML Page 35 of 41
single page version
ભગવાનના આગમનથી આનંદિત થઈને ચારે કોરથી નગરજનોનાં ટોળેટોળાં દર્શન
કરવા ઊમટ્યા. ભોળા લોકો કહેતા હતા કે ભગવાન ફરીને આપણી સંભાળ કરવા
પધાર્યા; ઋષભદેવ જગતનાં પિતામહ છે એમ કાને સાંભળ્યું હતું, તે જગતપિતાને આજે
આંખવડે નજરે દેખ્યાં. ભગવાનના આગમનની વાત સાંભળીને નગરજનો ભોજનાદિ
કાર્યો પડતા મુકીને જલ્દી જલ્દી દર્શન કરવા માટે ચાલ્યા. જ્યારે આખી નગરીમાં આવો
કોલાહલ થઈ રહ્યો હતો ત્યારે પણ ભગવાન તો પોતાના સંવેગ અને વૈરાગ્યની સિદ્ધિને
માટે કમર બાંધીને વૈરાગ્યભાવનાઓનું ચિન્તન કરતા કરતા પોતાની આત્મમસ્તીમાં
મસ્ત ચાલ્યા આવતા હતા. આચાર્યદેવ કહે છે કે અહો, આવી રાગ–દ્વેષરહિત
સમતાવૃત્તિને ધારણ કરવી તે જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે.
ભગવાન ઋષભદેવ આપણા આંગણામાં પધાર્યા છે.
ભક્તિપૂર્વક ભગવાનના ચરણોમાં નમસ્કાર કર્યા. ભગવાન પધારતાં જ સન્માનપૂર્વક
પાદપ્રક્ષાલન કરીને અર્ઘવડે પૂજન કર્યું, ને પ્રદક્ષિણા લીધી. અહા, આંગણામાં આવું
નિધાન દેખીને તેમને અતિ સન્તોષ થયો, ભગવાનના દર્શનથી બંનેના રોમાંચ
ઉલ્લસિત થયા. હર્ષ અને ભક્તિથી નમ્રીભૂત તે બંને ભાઈઓ ઈન્દ્ર જેવા શોભતા હતા.
જેમ નિષધ અને નીલ પર્વતોની વચ્ચે ઉન્નત મેરું પર્વત શોભે તેમ બંને તરફ શ્રેયાંસ
અને સોમપ્રભની વચ્ચે ભગવાન ઋષભદેવ શોભતા હતા.
શ્રીમતીના ભવનો બધો વૃત્તાંત તેને યાદ આવી ગયો અને તે ભવમાં શષ્પસરોવરના
કિનારે ચારણઋદ્ધિધારી બે મુનિવરોને આહારદાન દીધેલું તેનું પણ તેને સ્મરણ થયું.
સવારનો આ સમય મુનિઓને આહારદાન દેવા માટે ઉત્તમ સમય છે–એમ નિશ્ચય કરીને
તે પવિત્ર બુદ્ધિવાળા શ્રેયાંસકુમારે ભગવાનને આહારદાન કર્યું.
PDF/HTML Page 36 of 41
single page version
કાનજીસ્વામીનાંઅધ્યાત્મભાવના ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
यथा न पुनरात्मानं देहे स्वप्नेपि योजयेत्।। ८२ ।।
ભિન્ન એવો ભાવે છે કે તેને સ્વપ્નાં પણ એવા જ આવે, સ્વપ્નામાં પણ દેહ સાથે
એકતા ન ભાસે. હું દેહથી જુદો ચૈતન્યબિંબ થઈને અનંત સિદ્ધ ભગવંતોની વચ્ચે બેઠો
છું–એવા સ્વપ્નાં ધર્મીને આવે. વાણીથી કે વિકલ્પથી ભાવના કરવાની આ વાત નથી,
આ તો અંતરમાં આત્મામાં એકાગ્ર થઈને ભાવના કરવાની વાત છે. દેહથી ભિન્ન કહેતાં
રાગાદિથી પણ આત્મા ભિન્ન છે, તેની ભાવના ભાવવી. સમયસારમાં આચાર્યદેવે
એકત્વ–વિભક્ત આત્માને જેવો વર્ણવ્યો છે તેની જ ભાવના કરવાની આ વાત છે. –કઈ
રીતે? કે પોતે એવા આત્માનો સ્વાનુભવ કરીને તેની ભાવના કરવી. મૂઢબુદ્ધિ જીવો
શરીરને ધર્મનું સાધન માને છે એટલે તે તો શરીરથી ભિન્ન આત્માને ક્યાંથી ભાવે?
જ્ઞાની તો જાણે છે કે મારો આત્મા દેહથી અત્યંત ભિન્ન છે, ‘આ દેહ હું છું’ એવી
એકત્વબુદ્ધિ સ્વપ્ને પણ તેને નથી, એટલે સ્વપ્ને પણ આત્માને દેહ સાથે જોડતા નથી,
આત્મામાં જ શ્રદ્ધા–જ્ઞાનનું જોડાણ કરીને તેની ભાવના કરે છે. –ભેદજ્ઞાનથી નિરંતર
આવી ભાવના કરવી તે જ મોક્ષનું કારણ છે.
ત્યાજ્ય
PDF/HTML Page 37 of 41
single page version
PDF/HTML Page 38 of 41
single page version
અવ્રતના પાપને તો મોક્ષનું કારણ કેમ માને? વ્રત છોડીને અવ્રત કરવાનું માને તે તો
મહા સ્વચ્છંદી દુર્બુદ્ધિ છે, અને વ્રતના શુભવિકલ્પોને જે મોક્ષનું કારણ માને તે પણ મૂઢ
દુર્બુદ્ધિ છે, મોક્ષના ઉપાયને તે જાણતો નથી. અવ્રત કે વ્રત બંને પ્રકારના રાગથી રહિત
થઈને વીતરાગભાવે સ્વરૂપમાં ઠરવું તે જ મોક્ષનું કારણ છે –એમ ધર્મી જાણે છે, એટલે
અવ્રત તથા વ્રત બંનેના વિકલ્પોને તે છોડવા જેવા માને છે. પહેલાં અવ્રત છોડીને
વ્રતના વિકલ્પ આવે, છતાં તેનેય છોડવા જેવા માને છે. જો તેને છોડવા જેવા ન માને ને
મોક્ષનું કારણ માને તો તે વિકલ્પ છોડીને સ્વરૂપમાં કેમ ઠરે? –એટલે તે તો મિથ્યાદ્રષ્ટિ
જ રહે છે. ધર્મી તો પહેલેથી જ સમસ્ત વિકલ્પોથી પોતાના આત્માને જુદો જાણે છે, ને
અવ્રત તથા વ્રત બંનેને છોડવા જેવા માને છે. અવ્રત અને વ્રત એ બંનેને ધર્મી કેવા
પ્રકારે છોડે છે તે વાત ૮૪ મી ગાથામાં સમજાવશે.
તા. ૨૦–૪–૬૭
તા. ૨૧–૪–૬૭ થી ૨૨–૪–૬૭
તા. ૨૩–૪–૬૭
તા. ૨૪–૪–૬૭
તા. ૨પ–૪–૬૭
તા. ૨૬–૪–૬૭
તા. ૨૭–૪–૬૭ થી ૩૦–૪–૬૭
તા. ૧–પ–૬૭
તા. ૨–પ–૬૭
તા. ૩–પ–૬૭
તા. ૪–પ–૬૭ થી ૧૧–પ–૬૭
તા. ૧૨–પ–૬૭ થી
મથુરા
આગ્રા
જયપુર
અજમેર
ચિતોડ
કુણ
ઉદેપુર
બામણવાડા
અમદાવાદ
ધંધુકા
બોટાદ
રાજકોટ
PDF/HTML Page 39 of 41
single page version
છે.
પરમોપકારી આધ્યાત્મિક સંત “શ્રી કાનજી સ્વામી”નાં તત્ત્વપૂર્ણ વ્યાખ્યાન–શ્રવણનો
તથા પૂજન–ભક્તિનો પણ અપૂર્વ લાભ મળે છે.
PDF/HTML Page 40 of 41
single page version
ઉજવાયો.